{"count":17752,"next":"http://admin.kavishala.in/sootradhar/authors/?format=json&page=921","previous":"http://admin.kavishala.in/sootradhar/authors/?format=json&page=919","results":[{"id":17415,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"ઝવેરચંદ મેઘાણી","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મેઘાણી ઝવેરચંદ કાળીદાસ,  ‘દ.સ.ણી.’, ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’ </u>\n\t\t(૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ. \n\t\tસુરેન્દ્રનગર). વતન બગસરા (જિ. અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મૅટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની \n\t\tબહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિંક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં \n\t\tઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગ્લેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી, પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં \n\t\t‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ. ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્ર’માંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ’ \n\t\tસાપ્તાહિકમાં જોડાયા, પરંતુ ‘ફૂલછાબ’ને રાજ્કીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી \n\t\t‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન.\n\t\t<br/><br/> \t\n\t\tગીરના પ્રદેશમાં વિશેષપણે નોકરી નિમિત્તે રહેતા પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખત જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલો ઘનિષ્ઠ સંબંધ, કૉલેજકાળ દરમિયાન કપિલભાઈ ઠક્કર જેવા \n\t\tમિત્રના સહવાસથી ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલન માટે જન્મેલો આદરભાવ અને હડાળાના વાજસૂરવાળાની મૈત્રીથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ-આ તત્વોએ મેઘાણીનાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ \n\t\tભજવ્યો. ‘સૌરાષ્ટ્રી સાહિત્યકાર’ અને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયેલા મેઘાણીના કાવ્યસર્જનની પ્રવૃત્તિનો પ્રારંભ તો શાળા-કૉલેજના અભ્યાસ દરમિયાન થઈ ગયેલો, પરંતુ વ્યવસ્થિત લેખન શરૂ થયું ૧૯૨૨ થી. એ વર્ષે લખાયેલા ત્રણ \n\t\tલેખોમાંથી ‘ચોરાનો પોકાર’ લેખે એમને ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક સાથે સાંકળવામાં અને એમના પત્રકાર અને સાહિત્યિક જીવનનાં દ્વાર ઉઘાડી આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો.\n\t\t<br/><br/> \n\t\tસોરઠના પહાડી પ્રદેશમાં માણેલી દુહા-સોરઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, કલકત્તાનિવાસ દરમિયાન બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્ઠ સંપર્ક-એ બધાથી \n\t\tબંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધીયુગીન ભાવનાઓને ઝીલે છે, પરંતુ અભિવ્યક્તિ પરત્વે બ.ક. ઠાકોરની કાવ્યશૈલીથી સાવ મુક્ત રહી ગેયતત્વની પ્રબળતાને લીધે પોતાના અન્ય સમકાલીન કવિઓની કવિતાથી જુદી મુદ્રા \n\t\tધારણ કરે છે. ‘વેણીનાં ફૂલ’ (૧૯૨૩) અને ‘કિલ્લોલ’ (૧૯૩૦) ની બાળકો વિશેની અને બાળકો માટેની ગીતરચનાઓમાં લોકગીતોના લયઢાળોને ઉપાડ્યા છે;  તો બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા પણ ઝિલાઈ છે. કવિને રાષ્ટ્રીય \n\t\tશાયરનું બિરુદ અપાવનાર ‘યુગવંદના’ (૧૯૩૫)માં વીર અને કરુણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભક્તિનાં, પીડિતો પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્યો પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈનો લાડકવાયો’ જેવાં કથાગીતો \n\t\tઅને આત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો’ (૧૯૪૭)નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં’ (૧૯૪૩)માં ગાંધીજીવિષયક કાવ્યો છે. ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ \n\t\t‘સંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ (૧૯૨૨) તથા લોકકથાઓના સંપાદન નિમિત્તે મેળવી લીધેલી, પરંતુ એમનું મૌલિક વાર્તાસર્જન શરૂ થયું ૧૯૩૧થી. એમની મહત્વની \n\t\tમૌલિક બાસઠ નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ’- ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૫) અને ‘વિલોપન’ (૧૯૪૬)માં સંગૃહીત છે. રચનારીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનનાં મૂલ્યો પર તીખા \n\t\tકટાક્ષ છે; તો સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં સોરઠી સંસ્કૃતિનાં વિલીન થતાં મૂલ્યો પ્રત્યેનો અહોભાવ છે. ‘જેલ ઑફિસની બારી’ (૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનોનાં જીવનનું આલેખન છે.  ‘માણસાઈના \n\t\tદીવા’ (૧૯૪૫)માં લોકસેવક રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસોમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ‘પ્રતિમાઓ’ (૧૯૩૪) અને ‘પલકારા’ (૧૯૩૫)માં વિદેશી \n\t\tચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા’ (૧૯૩૨) એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ધ આઉટલૉઝ ઑવ મોડર્ન ડેઝ’ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ છે.\n\t\tપત્રકારત્વના વ્યવસાય નિમિત્તે વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ એમની પાસેથી મળી છે. એમની પહેલી મૌલિક પાત્રલક્ષી નવલકથા ‘નિરંજન’ (૧૯૩૬)માં નિરંજનને એક તરફ ગ્રામજીવનના સંસ્કાર પ્રત્યે, તો બીજી તરફ આધુનિક \n\t\tજીવન અને તેની પ્રતિનિધિ સુનિલા પ્રત્યે જન્મેલું આકર્ષણ એ બેની વચ્ચે ઝોલા ખાતો બતાવી અંતે ગ્રામજીવન અને ત્યાંનાં મનુષ્યો તરફ ખેંચાતો બતાવ્યો છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (૧૯૩૭) ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી \n\t\tસદીના ઉઘાડના સમયની સોરઠી જીવનની વાતારવણપ્રધાન પ્રાદેશિક નવલકથા છે. ‘વેવિશાળ’ (૧૯૩૯) ધનિક બની ગયેલા કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક નવલકથા છે. \n\t\t‘તુલસીક્યારો’ (૧૯૪૦) જૂની પેઢીની સંસ્કારિતાને આલેખતી સામાજિક કથા છે. ‘પ્રભુ પધાર્યા’ (૧૯૪૩) બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી, ગૂર્જર-બર્મી પ્રજાના સંસ્કારસંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી કથા છે. \n\t\t‘કાળચક્ર’ (૧૯૪૭) ૧૯૪૦-૫૦ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી અપૂર્ણ નવલકથા છે.\n\t\t<br/><br/> \n\t\tએમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ’ (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે; ‘રા’ગંગાજળિયો’ (૧૯૩૯) પંદરમી સદીનો જૂનાગઢનો રા’માંડલિક \n\t\tમાંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી કથા છે; તો ‘ગુજરાતનો જય’- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૨) વિક્રમની તેરમી સદીની છેલ્લી પચીસીમાં વસ્તુપાલ-તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્વાર માટે થયેલા પ્રયત્નોની કથા છે.\n\t\t<br/><br/> \n\t\tએમની રૂપાંતરિત કે અન્ય કૃતિ પરથી પ્રેરિત નવલકથાઓ પૈકી ‘સત્યની શોધમાં’ (૧૯૩૨) અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ ધ સીકર’ કૃતિ પરથી અને ‘બીડેલાં દ્વાર’ (૧૯૩૯) એ જ લેખકની ‘લવ્ઝ પિલગ્રિમેઇજ’ કૃતિને આધારે લખાયેલી છે; તો \n\t\t‘વસુંધરાનાં વહાલાંદવલાં’ (૧૯૩૭) વિકટર હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ પરથી અને ‘અપરાધી’ (૧૯૩૮) હૉલ કેઈનની ‘ધ માસ્ટર ઑવ મૅન’ પરથી પ્રેરિત કથાઓ છે.\n\t\t<br/><br/> \n\t\tવિવિધ રૂપે પાંગરેલી મેઘાણીની લેખનપ્રવૃત્તિમાં લોકસાહિત્યનાં સંશોધન, સંપાદન અને સમાલોચનની પ્રવૃત્તિ અતિમહત્વની હતી. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટભોગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એમને છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે \n\t\tફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય અને સામાજિક દ્રષ્ટિને ગૌણ રાખીને કર્યું છે. ‘ડોશીમાની વાતો’ (૧૯૨૩) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં \n\t\tપ્રતિષ્ઠા અપાવી ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચ ભાગ (૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭, ૧૯૨૭ ) અને ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) એ ગ્રંથોએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં સોરઠી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા \n\t\tઅને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી સોએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોકકથાઓના કથ્યરૂપને યથાતથ જાળવવાને બદલે એને અહીં ટૂંકીવાર્તાનો ઘાટ અપાયો છે. ‘સોરઠી \n\t\tબહારવટિયા’માં પરિપૂર્ણ નહીં, પણ બહારવટિયાઓના કેટલાક જીવનપ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે; તો પણ પ્રસંગોની રસભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે. ‘કંકાવટી’- ભા. ૧,૨ (૧૯૨૭, ૧૯૨૮)માં ચમત્કારી \n\t\tતત્વોવાળી, નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી બને તેવી છેતાલીસ વ્રતકથાઓનું, લેખકનાં અન્ય સંપાદનો કરતાં વધુ શાસ્ત્રીય એવું, સંપાદન છે. ‘દાદાજીની વાતો’ (1૧૯૨૭) અને ‘ડોશીમાની વાતો’ની વાર્તાઓને સમાવી એમાં બીજી \n\t\tવધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો’ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’ (૧૯૪૫)ની બાળભોગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા સ્વરૂપની છે. ‘સોરઠી સંતો’ (૧૯૨૮) અને ‘પુરાતન જ્યોત’ (૧૯૩૮) \n\t\tબિનસાંપ્રદાયિક લોકસંતોની જીવનકથાનાં સંપાદનો છે. ‘સોરઠી ગીતકથાઓ’ (૧૯૩૧)માં અંગ્રેજી ‘બૅલેડ’ને મળતી તેર લોકગીતકથાઓ છે.\n\t\t<br/><br/> \n\t\t‘રઢિયાળી રાત’- ભા. ૧ થી ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨)માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી, વિનોદગીતો, રસગીતો, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્રો, ઋતુગીતો, કજોડાનાં ગીતો, દિયરભોજાઈનાં ગીતો, ઈશ્કમસ્તીનાં \n\t\tગીતો, મુસલમાની રાસડા, કથાગીતો, જ્ઞાનગીતો આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતોનું સંપાદન છે. ‘ચૂંદડી’-ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૯)માં જુદી જુદી કોમોનાં લગ્નગીતો સંચિત થયાં છે. ‘હાલરડાં’ (૧૯૨૮), \n\t\t‘ઋતુગીતો’ (૧૯૨૯) ‘સોરઠી સંતવાણી’ (૧૯૪૭) અને ‘સોરઠિયા દુહા’ (૧૯૪૭) તદ્વિષયક ગીતો, ભજનો અને કાવ્યોનાં સંપાદનો છે. લોકસાહિત્યનાં આ સંપાદનો કંઈક મિશનરી આવેશ અને ઊર્મિલ અભિગમને લીધે શાસ્ત્રીય કરતાં લોકભોગ્ય \n\t\tવિશેષ છે. તોપણ લોકસાહિત્યનો આત્મા ખંડિત ન થાય એની કાળજી જરૂર લેવાઈ છે.\n\t\t<br/><br/> \n\t\t‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’- ભા. ૧,૨ (૧૯૩૯, ૧૯૪૪)માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથોમાં મૂકેલા પ્રવેશકો, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓને વ્યાખ્યાનો સમાવી લેવાયાં છે. ‘લોકસાહિત્ય-પગદંડીનો પંથ’ (૧૯૪૪) રા. બા.\n\t\t કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય મળે છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’ (૧૯૪૬)માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ \n\t\t વ્યાખ્યાનો છે, જે ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળો’, ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવનસ્ત્રોત’ તથા ‘સર્વતોમુખી ઉલ્લાસ’- એ શીર્ષકો હેઠળ લોકસાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરે છે. \n\t\t<br/><br/> \n\t\tસ્પષ્ટ રીતે આત્મકથા ન કહી શકાય, પરંતુ લેખકના અંગત જીવનનો અનુબંધ આપતી ત્રણ કૃતિઓ પૈકી ‘પરકમ્મા’ (૧૯૪૬) અને ‘છેલ્લું પ્રયાણ’ (૧૯૪૭)માં લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન કેટલી જહેમતથી એમણે કરેલું તેનો પરિચય મળે છે; તો મરણોત્તર \n\t\tપ્રકાશન ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’ (૧૯૪૮)માં એમના કૌટુંબિંક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરાવતા 176 ચૂંટેલા પત્રો સંચિત થયા છે. ‘બે દેશદીપક’ (૧૯૨૭), ‘ઠક્કરબાપા’ (૧૯૩૯), ‘મરેલાંનાં રુધિર’ (૧૯૪૨), ‘અકબરની યાદમાં’ \n\t\t(૧૯૪૨), ‘આપણું ઘર’ (૧૯૪૨), ‘પાંચ વર્ષનાં પંખીડાં’ (૧૯૪૨), ‘આપણાં ઘરની વધુ વાતો’ (૧૯૪૨) તથા ‘દયાનંદ સરસ્વતી’ (૧૯૪૪) એ એમની લઘુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે.\n\t\t<br/><br/> \n\t\t‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (૧૯૨૮) અને ‘સોરઠને તીરે તીરે’ (૧૯૩૩) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતા પ્રવાસગ્રંથો છે. પત્રકારત્વની નીપજરૂપ અન્ય ગ્રંથોમાં ‘વેરાનમાં’ (૧૯૩૯)માં પરદેશી સાહિત્યકારો અને \n\t\tસાહિત્યકૃતિઓ પરથી રચેલાં કરુણા અને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે;  ‘પરિભ્રમણ’- ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭)માં ‘જન્મભૂમિ’ દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ’ હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખો છે; \n\t\t‘સાંબેલાના સૂર’ (૧૯૪૪) ‘શાણો’ના ઉપનામથી લખાયેલી કટાક્ષિકાઓનો સંગ્રહ છે.\n\t\t<br/><br/> \n\t\t‘વંઠેલા’ (૧૯૩૪) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટ્યરચનાઓ અનૂદિત છે : ‘રાણો પ્રતાપ’ (૧૯૨૩) અને ‘શાહજહાં’ (૧૯૨૭) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તો પદ્યનાટક ‘રાજારાણી’ (૧૯૨૬) રવીન્દ્રનાથ \n\t\tટાગોરના નાટકનો અનુવાદ છે.\n\t\t<br/><br/> \n\t\t‘એશિયાનું કલંક’ (૧૯૨૩), ‘હંગેરીનો તારણહાર’ (૧૯૨૭), ‘મિસરનો મુક્તિસંગ્રામ’ (૧૯૩૦), ‘સળગતું આયર્લેન્ડ’ (૧૯૩૧), ‘ભારતનો મહાવીર પાડોશી’ (૧૯૪૩) અને ‘ધ્વજ-મિલાપ’ (૧૯૪૩) એ એમના ઇતિહાસગ્રંથો છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\tયુગવંદના (૧૯૩૫) : સોરઠી લોકગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના ભાટ-ચારણો, બારોટો, ભજનિકો, \n\t\tખારવાઓના સૂરના સંસ્કારો ગૂંથાયેલા છે તો સાથે સાથે ગાંધીવાદ-સમાજવાદથી પ્રેરિત યુગસંવેદનો પણ ઝિલાયેલાં છે. લોકગીતો, લોકસૂરો અને લોકઢાળોએ મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની રચનાઓ પાછળ \n\t\tલોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં પત્રકારત્વની શીઘ્રતા અને સમયના તકાજાનો સમન્વય પણ જોઈ શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘યુગવંદના’, ‘પીડિતદર્શન’, \n\t\t‘કથાગીતો’, ‘આત્મસંવેદન’, ‘પ્રેમલહરીઓ’- એમ કુલ પાંચ ખંડમાં વહેંચાયેલો આ સંગ્રહ ‘છેલ્લો કટોરો’, ‘કસુંબીનો રંગ’, ‘સૂના સમદરની પાળે’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળે’માં લોકગીતનો લય \n\t\tસર્જકકક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્વિજેન્દ્રનાથની કૃતિઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. ‘કોઈનો લાડકવાયો’ ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે.  \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tમાણસાઈના દીવા (૧૯૪૫) : ઝવેરચંદ મંઘાણીનો, ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહાવટિયા-લૂંટારુઓનાં જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર \n\t\tમહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાનાં અંગત સંવેદનોને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. \n\t\tગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું-ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું- વ્યક્તિત્વ ઉપસાવવા તરફ પણ રહ્યું છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\tસોરઠ તારાં વહેતાં પાણી (૧૯૩૦) : ઝવેરચંદ મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણપ્રધાન નવલકથા, ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જનસમાજ છે. કેટલીક જીવતી વ્યક્તિઓની છાયા \n\t\tઅહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ \n\t\tવધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહોંચતી આ કથાનું વસ્તુવિધાન પાંખુ છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગતો \n\t\tકરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેનો, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે.  \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tવેવિશાળ (૧૯૩૮) : સોરઠના તળપદા સમાજજીવનને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા મથે છે અને એમની \n\t\tચાલને સુશીલા, સુખલાલ, ભાભુ અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તોપણ એકંદરે નવલકથા સુગ્રથિત છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tસૌરાષ્ટ્રની રસધાર – ભા.  ૧ થી ૫ (૧૯૨૩-૧૯૨૭) : લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની-સૌરાષ્ટ્રની પિછાન આપવાનો, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાનો અભિલાષ \n\t\tછે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિં, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યક્તિઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશોર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણું \n\t\tખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુનઃસર્જનો છે.  \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tરઢિયાળી રાત – ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨) : ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલા લોકગીતોના આ ચાર સંચયો ૧૯૭૩ ની નવી આવૃત્તિથી બે ભાગમાં પ્રાપ્ય છે. એમાં ગીતોની વિષયવાર ફેરગોઠવણી કરવામાં \n\t\tઆવી છે. પહેલા ભાગમાં દાંપત્ય, ઈશ્કમસ્તી, વિનોદ, કજોડાં, કુટુંબસંસાર, દિયરભોજાઈનાં ગીતો તેમ જ હાલરડાં અને બાલગીતો છે; જ્યારે બીજા ભાગમાં રાસ, રાસડા, કાનગોપી, ઋતુગીતો, જ્ઞાનગીતો, રમકડાં, ઇતિહાસગીતો, \n\t\tગીતકથાઓ અને નવરાત્રિનાં જોડકણાં છે. ઉપરાંત અંતે લોકશબ્દોનો કોશ પણ જોડેલો છે. લોકગીતો પર ઉદ્યમ કરવા માગતા અભ્યાસી માટે આ સંચય નગદ કાચી સામગ્રી છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tલોક સાહિત્યનું સમાલોચન (૧૯૪૬) : ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે લોકસાહિત્ય પર આપેલાં પાંચ વ્યાખ્યાનોનો ગ્રંથ. ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય \n\t\tપ્રકટાવનારાં સંસ્કારબળો’ , ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત’ અને ‘સર્વતોમુખી સમુલ્લાસ’- એ અહીં વ્યાખ્યાન-વિષયો છે. પ્રથમ વ્યાખ્યાનમાં કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને પ્રાંતપ્રાંતના \n\t\tલોકસાહિત્યની તુલનાત્મક રીતે વિચારણા થઈ છે; બીજા વ્યાખ્યાનમાં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સોરઠી સંસ્કારિતાનો પરિચય અપાયો છે; ત્રીજા વ્યાખ્યાનમાં ગુર્જર લોકસાહિત્યના અન્વેષણ-વિવેચનનો ઇતિહાસ છે; ચોથા \n\t\tવ્યાખ્યાનમાં લોકકવિતા અને કવિસર્જિત કવિતાના નિરૂપણમાં રહેલો ભેદ દર્શાવાયો છે; તો પાંચમા વ્યાખ્યાનમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનું દિગ્દર્શન છે. આ વ્યાખ્યાનોમાં લેખકનો લોકસાહિત્ય પ્રત્યેનો પક્ષપાત વિશેષરૂપે પ્રગટ થતો \n\t\tદેખાય, છતાં લોકસાહિત્યના સ્વરૂપની આટલી વ્યવસ્થિત ચર્ચા ગુજરાતી સાહિત્યવિવેચનમાં એ પૂર્વે કે પછી થઈ નથી એ દ્રષ્ટિએ આ ગ્રંથનું ઘણું મૂલ્ય છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      મેઘાણી ઝવેરચંદ કાળીદાસ,  ‘દ.સ.ણી.’, ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’   \t\t(૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ.  \t\tસુરેન્દ્રનગર). વતન બગસરા (જિ. અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મૅટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની  \t\tબહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિંક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં  \t\tઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગ્લેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી, પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં  \t\t‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ. ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્ર’માંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ’  \t\tસાપ્તાહિકમાં જોડાયા, પરંતુ ‘ફૂલછાબ’ને રાજ્કીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી  \t\t‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન. \t\t  \t \t\tગીરના પ્રદેશમાં વિશેષપણે નોકરી નિમિત્તે રહેતા પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખત જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલો ઘનિષ્ઠ સંબંધ, કૉલેજકાળ દરમિયાન કપિલભાઈ ઠક્કર જેવા  \t\tમિત્રના સહવાસથી ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલન માટે જન્મેલો આદરભાવ અને હડાળાના વાજસૂરવાળાની મૈત્રીથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ-આ તત્વોએ મેઘાણીનાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ  \t\tભજવ્યો. ‘સૌરાષ્ટ્રી સાહિત્યકાર’ અને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયેલા મેઘાણીના કાવ્યસર્જનની પ્રવૃત્તિનો પ્રારંભ તો શાળા-કૉલેજના અભ્યાસ દરમિયાન થઈ ગયેલો, પરંતુ વ્યવસ્થિત લેખન શરૂ થયું ૧૯૨૨ થી. એ વર્ષે લખાયેલા ત્રણ  \t\tલેખોમાંથી ‘ચોરાનો પોકાર’ લેખે એમને ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક સાથે સાંકળવામાં અને એમના પત્રકાર અને સાહિત્યિક જીવનનાં દ્વાર ઉઘાડી આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. \t\t   \t\tસોરઠના પહાડી પ્રદેશમાં માણેલી દુહા-સોરઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, કલકત્તાનિવાસ દરમિયાન બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્ઠ સંપર્ક-એ બધાથી  \t\tબંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધીયુગીન ભાવનાઓને ઝીલે છે, પરંતુ અભિવ્યક્તિ પરત્વે બ.ક. ઠાકોરની કાવ્યશૈલીથી સાવ મુક્ત રહી ગેયતત્વની પ્રબળતાને લીધે પોતાના અન્ય સમકાલીન કવિઓની કવિતાથી જુદી મુદ્રા  \t\tધારણ કરે છે. ‘વેણીનાં ફૂલ’ (૧૯૨૩) અને ‘કિલ્લોલ’ (૧૯૩૦) ની બાળકો વિશેની અને બાળકો માટેની ગીતરચનાઓમાં લોકગીતોના લયઢાળોને ઉપાડ્યા છે;  તો બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા પણ ઝિલાઈ છે. કવિને રાષ્ટ્રીય  \t\tશાયરનું બિરુદ અપાવનાર ‘યુગવંદના’ (૧૯૩૫)માં વીર અને કરુણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભક્તિનાં, પીડિતો પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્યો પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈનો લાડકવાયો’ જેવાં કથાગીતો  \t\tઅને આત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો’ (૧૯૪૭)નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં’ (૧૯૪૩)માં ગાંધીજીવિષયક કાવ્યો છે. ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ  \t\t‘સંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે. \t\t   \t\tએમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ (૧૯૨૨) તથા લોકકથાઓના સંપાદન નિમિત્તે મેળવી લીધેલી, પરંતુ એમનું મૌલિક વાર્તાસર્જન શરૂ થયું ૧૯૩૧થી. એમની મહત્વની  \t\tમૌલિક બાસઠ નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ’- ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૫) અને ‘વિલોપન’ (૧૯૪૬)માં સંગૃહીત છે. રચનારીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનનાં મૂલ્યો પર તીખા  \t\tકટાક્ષ છે; તો સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં સોરઠી સંસ્કૃતિનાં વિલીન થતાં મૂલ્યો પ્રત્યેનો અહોભાવ છે. ‘જેલ ઑફિસની બારી’ (૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનોનાં જીવનનું આલેખન છે.  ‘માણસાઈના  \t\tદીવા’ (૧૯૪૫)માં લોકસેવક રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસોમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ‘પ્રતિમાઓ’ (૧૯૩૪) અને ‘પલકારા’ (૧૯૩૫)માં વિદેશી  \t\tચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા’ (૧૯૩૨) એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ધ આઉટલૉઝ ઑવ મોડર્ન ડેઝ’ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ છે. \t\tપત્રકારત્વના વ્યવસાય નિમિત્તે વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ એમની પાસેથી મળી છે. એમની પહેલી મૌલિક પાત્રલક્ષી નવલકથા ‘નિરંજન’ (૧૯૩૬)માં નિરંજનને એક તરફ ગ્રામજીવનના સંસ્કાર પ્રત્યે, તો બીજી તરફ આધુનિક  \t\tજીવન અને તેની પ્રતિનિધિ સુનિલા પ્રત્યે જન્મેલું આકર્ષણ એ બેની વચ્ચે ઝોલા ખાતો બતાવી અંતે ગ્રામજીવન અને ત્યાંનાં મનુષ્યો તરફ ખેંચાતો બતાવ્યો છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (૧૯૩૭) ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી  \t\tસદીના ઉઘાડના સમયની સોરઠી જીવનની વાતારવણપ્રધાન પ્રાદેશિક નવલકથા છે. ‘વેવિશાળ’ (૧૯૩૯) ધનિક બની ગયેલા કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક નવલકથા છે.  \t\t‘તુલસીક્યારો’ (૧૯૪૦) જૂની પેઢીની સંસ્કારિતાને આલેખતી સામાજિક કથા છે. ‘પ્રભુ પધાર્યા’ (૧૯૪૩) બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી, ગૂર્જર-બર્મી પ્રજાના સંસ્કારસંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી કથા છે.  \t\t‘કાળચક્ર’ (૧૯૪૭) ૧૯૪૦-૫૦ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી અપૂર્ણ નવલકથા છે. \t\t   \t\tએમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ’ (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે; ‘રા’ગંગાજળિયો’ (૧૯૩૯) પંદરમી સદીનો જૂનાગઢનો રા’માંડલિક  \t\tમાંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી કથા છે; તો ‘ગુજરાતનો જય’- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૨) વિક્રમની તેરમી સદીની છેલ્લી પચીસીમાં વસ્તુપાલ-તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્વાર માટે થયેલા પ્રયત્નોની કથા છે. \t\t   \t\tએમની રૂપાંતરિત કે અન્ય કૃતિ પરથી પ્રેરિત નવલકથાઓ પૈકી ‘સત્યની શોધમાં’ (૧૯૩૨) અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ ધ સીકર’ કૃતિ પરથી અને ‘બીડેલાં દ્વાર’ (૧૯૩૯) એ જ લેખકની ‘લવ્ઝ પિલગ્રિમેઇજ’ કૃતિને આધારે લખાયેલી છે; તો  \t\t‘વસુંધરાનાં વહાલાંદવલાં’ (૧૯૩૭) વિકટર હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ પરથી અને ‘અપરાધી’ (૧૯૩૮) હૉલ કેઈનની ‘ધ માસ્ટર ઑવ મૅન’ પરથી પ્રેરિત કથાઓ છે. \t\t   \t\tવિવિધ રૂપે પાંગરેલી મેઘાણીની લેખનપ્રવૃત્તિમાં લોકસાહિત્યનાં સંશોધન, સંપાદન અને સમાલોચનની પ્રવૃત્તિ અતિમહત્વની હતી. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટભોગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એમને છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે  \t\tફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય અને સામાજિક દ્રષ્ટિને ગૌણ રાખીને કર્યું છે. ‘ડોશીમાની વાતો’ (૧૯૨૩) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં  \t\tપ્રતિષ્ઠા અપાવી ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચ ભાગ (૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭, ૧૯૨૭ ) અને ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) એ ગ્રંથોએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં સોરઠી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા  \t\tઅને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી સોએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોકકથાઓના કથ્યરૂપને યથાતથ જાળવવાને બદલે એને અહીં ટૂંકીવાર્તાનો ઘાટ અપાયો છે. ‘સોરઠી  \t\tબહારવટિયા’માં પરિપૂર્ણ નહીં, પણ બહારવટિયાઓના કેટલાક જીવનપ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે; તો પણ પ્રસંગોની રસભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે. ‘કંકાવટી’- ભા. ૧,૨ (૧૯૨૭, ૧૯૨૮)માં ચમત્કારી  \t\tતત્વોવાળી, નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી બને તેવી છેતાલીસ વ્રતકથાઓનું, લેખકનાં અન્ય સંપાદનો કરતાં વધુ શાસ્ત્રીય એવું, સંપાદન છે. ‘દાદાજીની વાતો’ (1૧૯૨૭) અને ‘ડોશીમાની વાતો’ની વાર્તાઓને સમાવી એમાં બીજી  \t\tવધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો’ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’ (૧૯૪૫)ની બાળભોગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા સ્વરૂપની છે. ‘સોરઠી સંતો’ (૧૯૨૮) અને ‘પુરાતન જ્યોત’ (૧૯૩૮)  \t\tબિનસાંપ્રદાયિક લોકસંતોની જીવનકથાનાં સંપાદનો છે. ‘સોરઠી ગીતકથાઓ’ (૧૯૩૧)માં અંગ્રેજી ‘બૅલેડ’ને મળતી તેર લોકગીતકથાઓ છે. \t\t   \t\t‘રઢિયાળી રાત’- ભા. ૧ થી ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨)માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી, વિનોદગીતો, રસગીતો, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્રો, ઋતુગીતો, કજોડાનાં ગીતો, દિયરભોજાઈનાં ગીતો, ઈશ્કમસ્તીનાં  \t\tગીતો, મુસલમાની રાસડા, કથાગીતો, જ્ઞાનગીતો આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતોનું સંપાદન છે. ‘ચૂંદડી’-ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૯)માં જુદી જુદી કોમોનાં લગ્નગીતો સંચિત થયાં છે. ‘હાલરડાં’ (૧૯૨૮),  \t\t‘ઋતુગીતો’ (૧૯૨૯) ‘સોરઠી સંતવાણી’ (૧૯૪૭) અને ‘સોરઠિયા દુહા’ (૧૯૪૭) તદ્વિષયક ગીતો, ભજનો અને કાવ્યોનાં સંપાદનો છે. લોકસાહિત્યનાં આ સંપાદનો કંઈક મિશનરી આવેશ અને ઊર્મિલ અભિગમને લીધે શાસ્ત્રીય કરતાં લોકભોગ્ય  \t\tવિશેષ છે. તોપણ લોકસાહિત્યનો આત્મા ખંડિત ન થાય એની કાળજી જરૂર લેવાઈ છે. \t\t   \t\t‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’- ભા. ૧,૨ (૧૯૩૯, ૧૯૪૪)માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથોમાં મૂકેલા પ્રવેશકો, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓને વ્યાખ્યાનો સમાવી લેવાયાં છે. ‘લોકસાહિત્ય-પગદંડીનો પંથ’ (૧૯૪૪) રા. બા. \t\t કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય મળે છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’ (૧૯૪૬)માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ  \t\t વ્યાખ્યાનો છે, જે ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળો’, ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવનસ્ત્રોત’ તથા ‘સર્વતોમુખી ઉલ્લાસ’- એ શીર્ષકો હેઠળ લોકસાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરે છે.  \t\t   \t\tસ્પષ્ટ રીતે આત્મકથા ન કહી શકાય, પરંતુ લેખકના અંગત જીવનનો અનુબંધ આપતી ત્રણ કૃતિઓ પૈકી ‘પરકમ્મા’ (૧૯૪૬) અને ‘છેલ્લું પ્રયાણ’ (૧૯૪૭)માં લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન કેટલી જહેમતથી એમણે કરેલું તેનો પરિચય મળે છે; તો મરણોત્તર  \t\tપ્રકાશન ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’ (૧૯૪૮)માં એમના કૌટુંબિંક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરાવતા 176 ચૂંટેલા પત્રો સંચિત થયા છે. ‘બે દેશદીપક’ (૧૯૨૭), ‘ઠક્કરબાપા’ (૧૯૩૯), ‘મરેલાંનાં રુધિર’ (૧૯૪૨), ‘અકબરની યાદમાં’  \t\t(૧૯૪૨), ‘આપણું ઘર’ (૧૯૪૨), ‘પાંચ વર્ષનાં પંખીડાં’ (૧૯૪૨), ‘આપણાં ઘરની વધુ વાતો’ (૧૯૪૨) તથા ‘દયાનંદ સરસ્વતી’ (૧૯૪૪) એ એમની લઘુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે. \t\t   \t\t‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (૧૯૨૮) અને ‘સોરઠને તીરે તીરે’ (૧૯૩૩) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતા પ્રવાસગ્રંથો છે. પત્રકારત્વની નીપજરૂપ અન્ય ગ્રંથોમાં ‘વેરાનમાં’ (૧૯૩૯)માં પરદેશી સાહિત્યકારો અને  \t\tસાહિત્યકૃતિઓ પરથી રચેલાં કરુણા અને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે;  ‘પરિભ્રમણ’- ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭)માં ‘જન્મભૂમિ’ દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ’ હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખો છે;  \t\t‘સાંબેલાના સૂર’ (૧૯૪૪) ‘શાણો’ના ઉપનામથી લખાયેલી કટાક્ષિકાઓનો સંગ્રહ છે. \t\t   \t\t‘વંઠેલા’ (૧૯૩૪) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટ્યરચનાઓ અનૂદિત છે : ‘રાણો પ્રતાપ’ (૧૯૨૩) અને ‘શાહજહાં’ (૧૯૨૭) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તો પદ્યનાટક ‘રાજારાણી’ (૧૯૨૬) રવીન્દ્રનાથ  \t\tટાગોરના નાટકનો અનુવાદ છે. \t\t   \t\t‘એશિયાનું કલંક’ (૧૯૨૩), ‘હંગેરીનો તારણહાર’ (૧૯૨૭), ‘મિસરનો મુક્તિસંગ્રામ’ (૧૯૩૦), ‘સળગતું આયર્લેન્ડ’ (૧૯૩૧), ‘ભારતનો મહાવીર પાડોશી’ (૧૯૪૩) અને ‘ધ્વજ-મિલાપ’ (૧૯૪૩) એ એમના ઇતિહાસગ્રંથો છે.  \t\t -જયંત ગાડીત     \t\tયુગવંદના (૧૯૩૫) : સોરઠી લોકગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના ભાટ-ચારણો, બારોટો, ભજનિકો,  \t\tખારવાઓના સૂરના સંસ્કારો ગૂંથાયેલા છે તો સાથે સાથે ગાંધીવાદ-સમાજવાદથી પ્રેરિત યુગસંવેદનો પણ ઝિલાયેલાં છે. લોકગીતો, લોકસૂરો અને લોકઢાળોએ મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની રચનાઓ પાછળ  \t\tલોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં પત્રકારત્વની શીઘ્રતા અને સમયના તકાજાનો સમન્વય પણ જોઈ શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘યુગવંદના’, ‘પીડિતદર્શન’,  \t\t‘કથાગીતો’, ‘આત્મસંવેદન’, ‘પ્રેમલહરીઓ’- એમ કુલ પાંચ ખંડમાં વહેંચાયેલો આ સંગ્રહ ‘છેલ્લો કટોરો’, ‘કસુંબીનો રંગ’, ‘સૂના સમદરની પાળે’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળે’માં લોકગીતનો લય  \t\tસર્જકકક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્વિજેન્દ્રનાથની કૃતિઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. ‘કોઈનો લાડકવાયો’ ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે.   \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tમાણસાઈના દીવા (૧૯૪૫) : ઝવેરચંદ મંઘાણીનો, ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહાવટિયા-લૂંટારુઓનાં જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર  \t\tમહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાનાં અંગત સંવેદનોને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે.  \t\tગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું-ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું- વ્યક્તિત્વ ઉપસાવવા તરફ પણ રહ્યું છે.  \t\t -જયંત ગાડીત     \t\tસોરઠ તારાં વહેતાં પાણી (૧૯૩૦) : ઝવેરચંદ મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણપ્રધાન નવલકથા, ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જનસમાજ છે. કેટલીક જીવતી વ્યક્તિઓની છાયા  \t\tઅહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ  \t\tવધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહોંચતી આ કથાનું વસ્તુવિધાન પાંખુ છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગતો  \t\tકરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેનો, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે.   \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tવેવિશાળ (૧૯૩૮) : સોરઠના તળપદા સમાજજીવનને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા મથે છે અને એમની  \t\tચાલને સુશીલા, સુખલાલ, ભાભુ અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તોપણ એકંદરે નવલકથા સુગ્રથિત છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tસૌરાષ્ટ્રની રસધાર – ભા.  ૧ થી ૫ (૧૯૨૩-૧૯૨૭) : લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની-સૌરાષ્ટ્રની પિછાન આપવાનો, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાનો અભિલાષ  \t\tછે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિં, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યક્તિઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશોર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણું  \t\tખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુનઃસર્જનો છે.   \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tરઢિયાળી રાત – ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨) : ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલા લોકગીતોના આ ચાર સંચયો ૧૯૭૩ ની નવી આવૃત્તિથી બે ભાગમાં પ્રાપ્ય છે. એમાં ગીતોની વિષયવાર ફેરગોઠવણી કરવામાં  \t\tઆવી છે. પહેલા ભાગમાં દાંપત્ય, ઈશ્કમસ્તી, વિનોદ, કજોડાં, કુટુંબસંસાર, દિયરભોજાઈનાં ગીતો તેમ જ હાલરડાં અને બાલગીતો છે; જ્યારે બીજા ભાગમાં રાસ, રાસડા, કાનગોપી, ઋતુગીતો, જ્ઞાનગીતો, રમકડાં, ઇતિહાસગીતો,  \t\tગીતકથાઓ અને નવરાત્રિનાં જોડકણાં છે. ઉપરાંત અંતે લોકશબ્દોનો કોશ પણ જોડેલો છે. લોકગીતો પર ઉદ્યમ કરવા માગતા અભ્યાસી માટે આ સંચય નગદ કાચી સામગ્રી છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tલોક સાહિત્યનું સમાલોચન (૧૯૪૬) : ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે લોકસાહિત્ય પર આપેલાં પાંચ વ્યાખ્યાનોનો ગ્રંથ. ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય  \t\tપ્રકટાવનારાં સંસ્કારબળો’ , ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત’ અને ‘સર્વતોમુખી સમુલ્લાસ’- એ અહીં વ્યાખ્યાન-વિષયો છે. પ્રથમ વ્યાખ્યાનમાં કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને પ્રાંતપ્રાંતના  \t\tલોકસાહિત્યની તુલનાત્મક રીતે વિચારણા થઈ છે; બીજા વ્યાખ્યાનમાં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સોરઠી સંસ્કારિતાનો પરિચય અપાયો છે; ત્રીજા વ્યાખ્યાનમાં ગુર્જર લોકસાહિત્યના અન્વેષણ-વિવેચનનો ઇતિહાસ છે; ચોથા  \t\tવ્યાખ્યાનમાં લોકકવિતા અને કવિસર્જિત કવિતાના નિરૂપણમાં રહેલો ભેદ દર્શાવાયો છે; તો પાંચમા વ્યાખ્યાનમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનું દિગ્દર્શન છે. આ વ્યાખ્યાનોમાં લેખકનો લોકસાહિત્ય પ્રત્યેનો પક્ષપાત વિશેષરૂપે પ્રગટ થતો  \t\tદેખાય, છતાં લોકસાહિત્યના સ્વરૂપની આટલી વ્યવસ્થિત ચર્ચા ગુજરાતી સાહિત્યવિવેચનમાં એ પૂર્વે કે પછી થઈ નથી એ દ્રષ્ટિએ આ ગ્રંથનું ઘણું મૂલ્ય છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"jhaveracanda-meghani","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/jhaveracanda-meghani","tags":null,"created":"2024-02-03T20:39:26.085643","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17416,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"શેખ આદમ આબુવાલા","bio":"<td>\n<br/><br/>\n<u>આબુવાલા શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન, ‘શેખાદમ’</u>\n\t\t(૧૫-૧૦-૧૯૨૯, ૨૦-૫-૧૯૮૫) : કવિ, નવલકથાકાર. અમદાવાદમાં જન્મ. ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકિર્દીની \n\t\tશરૂઆત. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી પશ્ચિમ જર્મનીમાં નિવાસ. ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું \n\t\tસંચાલન કર્યું. ભારતમાં પરત આવ્યા પછી પત્રકાર રહ્યા. આંતરડાની બીમારીથી અવસાન.\n\t\t<br/><br/> \n\t\t‘ચાંદની’ (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. ‘અજંપો’ (૧૯૫૯), ‘હવાની હવેલી’ (૧૯૭૮), ‘સોનેરી લટ’ (૧૯૫૯), ‘ખુરશી’ (૧૯૭૫), \n\t\t‘તાજમહાલ’ (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર \n\t\tકટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો’ નોંધનીય છે.\n\t\t<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"    આબુવાલા શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન, ‘શેખાદમ’  \t\t(૧૫-૧૦-૧૯૨૯, ૨૦-૫-૧૯૮૫) : કવિ, નવલકથાકાર. અમદાવાદમાં જન્મ. ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક. ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકિર્દીની  \t\tશરૂઆત. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી પશ્ચિમ જર્મનીમાં નિવાસ. ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું  \t\tસંચાલન કર્યું. ભારતમાં પરત આવ્યા પછી પત્રકાર રહ્યા. આંતરડાની બીમારીથી અવસાન. \t\t   \t\t‘ચાંદની’ (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. ‘અજંપો’ (૧૯૫૯), ‘હવાની હવેલી’ (૧૯૭૮), ‘સોનેરી લટ’ (૧૯૫૯), ‘ખુરશી’ (૧૯૭૫),  \t\t‘તાજમહાલ’ (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર  \t\tકટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો’ નોંધનીય છે. \t\t   આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"sekha-adama-abuvala","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/sekha-adama-abuvala","tags":null,"created":"2024-02-03T20:39:26.331308","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":27852,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/%E0%A4%89%E0%A4%AE%E0%A4%B6%E0%A4%95%E0%A4%B0_%E0%A4%9C%E0%A4%B6.png","name":"उमाशंकर जोशी","bio":"<p class=\"poetDetailPara\">गुजराती भाषा के समादृत कवि-साहित्यकार और शिक्षाविद। ज्ञानपीठ पुरस्कार से सम्मानित।</p> <div class=\"poetProfileDesc\">\r\n<p><span class=\"pPDTitle\">जन्म :</span><span><bdi id=\"poetDOB\"> 21/07/1911</bdi> | सबर्कथा, गुजरात</span\r\n<p><span class=\"pPDTitle\">निधन :</span><span><bdi id=\"poetDOD\"> 19/12/1988</bdi> | मुंबई, महाराष्ट्र</span\r\n</div> <br> <p\r\n<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\r\n<a href=\"/prakashan/photo-gallery/sahitya-sarjako/Umashankar-Joshi.html\">ફોટો: ઉમાશંકર જોશી</a><br/><br/>\r\n<u>જોશી ઉમાશંકર ‘વાસુકિ’, ‘શ્રવણ’ </u>\r\n\t\t(૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮), કવિ, વાર્તાકાર, નવકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં \r\n\t\tકરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાકોરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં \r\n\t\tઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઇન્ટર આટર્સ વખતે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, \r\n\t\t૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઈતિહાસના વિષયો સાથે બી.એ. ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ \r\n\t\tહાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં \r\n\t\t‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી \r\n\t\tઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના પણ કુલપતિ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. \r\n\t\t<br/><br/> \r\n\t\t૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૮માં ગુજરાત સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ. ૧૯૫૨માં ચીન, જાવા, \r\n\t\tબાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષિક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, \r\n\t\t૧૯૬૫માં ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ. કે. વી. પુટપ્પા સાથે વહેંચાઈને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લેન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્, \r\n\t\tઆશાન પુરસ્કાર, કેન્સરથી મુંબઈમાં અવસાન.\r\n\t\t<br/><br/> \r\n\t\tસાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તત્કાલીન ચેતનાનું સ્વસ્થ પ્રજ્ઞા અને ભાવપરક ઈન્દ્રિયગ્રાહિતાથી સૌન્દર્યનિષ્ઠ રૂપાંતર કરનાર ગાંધીયુગના આ અગ્રણી સર્જક છે. મુક્તકના ચમત્કૃતિપૂર્ણ લઘુફલકથી માંડી પદ્યરૂપકના નાટ્યપૂર્ણ \r\n\t\tદીર્ઘફલકનું કલ્પનાસંયોજન દર્શાવતી એમની કાવ્યરચનાઓ, ગ્રામીણ સ્તરેથી ઘટનાને ઊંચકી બોલીનાં સંવેદનો પ્રસારતી એમની નાટ્યરચનાઓ, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકીવાર્તાઓ, \r\n\t\tહૃદયની વિવિધ છબીઓ આપતાં એમનાં નિબંધો અને વ્યક્તિચિત્રો, સહૃદયસંવિદનો સતત વિકાસ દર્શાવતાં એમનાં વિવેચન-સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યને થયેલું વિશિષ્ટ પ્રદાન છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tઉમાશંકરની ગાંધીદર્શનથી પ્રભાવિત ભાવોત્કટ કવિતા સંસ્કૃતિનાં બૃહદ્ પરિમાણોને લક્ષ્ય કરીને ચાલી છે ને સત્યાગ્રહની છાવણીઓ તેમ જ જેલોથી શરૂ કરી વિદેશના સાંસ્કૃતિક સમાજો સુધી એ વિસ્તરી છે. શબ્દવિન્યાસ અને \r\n\t\tઅર્થવિન્યાસ સાથે રહસ્યવિન્યાસના હિલ્લોલરૂપ લયને સેવતી એમની કવિતા આત્માની માતૃભાષા થવા ઝંખી છે; અને તેથી મનુષ્યના આંતરબાહ્ય સકલસંદર્ભને બાથમાં લેવાની જીવનદષ્ટિ એમાં અનુસ્યૂત અને ક્યારેક \r\n\t\tઅગ્રવર્તી રહી છે. એમનું પ્રથમ કાવ્યપુસ્તક ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) છ ખંડોમાં વહેંચાયેલું, ગાંધીયુગનો અને ગાંધીજીનો મહિમા કરતું વિશિષ્ટ અર્થમાં ખંડકાવ્ય છે. સુશ્લિષ્ટ આયોજનનો અભાવ છતાં ભાવોદ્રેક અને ગૃહીતના \r\n\t\tપ્રતિપાદનનો ઉત્કર્ષ ધ્યાન ખેંચે છે. જીવનનું નિયામક તત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત અહિંસા અને શાંતિ પર ખડી કરવાની નેમનો અહીં વિસ્તાર છે. આસ્વાદ્ય કાકુઓ અને \r\n\t\tકહેવત કક્ષાએ પહોંચતી કેટલીક ઉક્તિઓનો બંધ આ કાવ્યને કેટલુંક સ્થાપત્ય અર્પણ કરે છે. ‘ગંગોત્રી’ (૧૯૩૪)માં તત્કાલીન ગુજરાતના વિશિષ્ય જીવનનું પ્રતિબિંબ ઝિલાયું છે. ભારતીય નવોત્થાનને કારણે ઊભા થયેલા \r\n\t\tસંઘર્ષના અને સ્વતંત્ર્યઝંખનાના પ્રબળ ઉદગારો વચ્ચે વિશ્વપ્રેમનો મર્મ એમની અનેક કૃતિઓમાં ધબકતો જોવાય છે. એમાં સમાજાભિમુખતા અને વાસ્તવાભિમુખતાના વિવિધ આવિષ્કારો પ્રગટ થયા છે. ‘બળતા પાણી’, ‘પીંછું’, \r\n\t\t‘સમરકંદ બુખારા’ કે ‘જઠરાગ્નિ’ જેવી રચનાઓની સિદ્ધિ ધ્યાનપાત્ર છે. ‘નિશીથ’ (૧૯૩૯)માં સમાજ અને વાસ્તવની તત્કાલીનતાને અતિક્રમી જીવનનાં શાશ્વતમૂલ્યોના અમૂર્ત કે નવીન આવિર્ભાવો તરફનું વલણ છે. માનવ \r\n\t\tઅસ્તિત્વનાં તેમ જ માનવ સંવિત્તિના જુદાં જુદાં પાસાંઓને પાદતત્વના આગવા પ્રયોગ સાથે અહીં સાકાર કરવાનો પ્રયત્ન થયો છે. ‘નિશીથ’, ‘વિરાટ પ્રણય’, ‘સદગત મોટાભાઈને’, ‘અન્નબ્રહ્મ’, ‘આત્માનાં ખંડેર’ આદિ એના \r\n\t\tઉત્તમ નમૂનાઓ છે. ચિંતનશીલતા અને સંવેદનશીલતાથી રસાયેલી કવિતા અહીં ગુજરાતી ભાષાની મહત્વની સિદ્ધિઓ બતાવે છે. લયબદ્ધ ગીતોની સંખ્યા પણ સંગ્રહનું આગવું આકર્ષણ છે. ‘પ્રાચીના’ (૧૯૪૪) કાવ્યસંગ્રહ \r\n\t\t‘ત્રીજા અવાજ’ તરફ વળેલો છે. એટલે કાવ્યના નાટ્યરૂપનો શોધ પ્રસંગકાવ્યોમાંથી કવિને સંવાદકાવ્યો તરફ, પદ્યરૂપકો તરફ લઈ ગઈ છે. પાત્રોના સંવાદોમાંથી ઊભો થતો ઘટનાનો સંઘર્ષ  રહસ્યદોરથી અવલંબિત છે. \r\n\t\tપ્રાસબદ્ધ છંદોવિધાન નિરૂપણની તીક્ષ્ણતા અને વેગને ઉપસાવવામાં ક્યાંક કારગત નીવડ્યું છે. અહીં મહાભારત, ભાગવત અને જાતકકથામાંથી ઘટના ગૂંથીને સાત પદ્યરૂપકો મૂકેલાં છે. ક્રિયાત્મકતા કરતાં ભાવાવિષ્કાર એનું \r\n\t\tમુખ્ય લક્ષ્ય છે. સાંપ્રત જગતથી દૂરના અતીતમાં હટીને અને વ્યક્તિજગતથી દૂર ઊર્મિનિરપેક્ષ વસ્તુજગતમાં ખસીને કવિતા અવતારવાનો આ પુરુષાર્થ પ્રગલ્ભ છે. ‘આતિથ્ય’ (૧૯૪૬)માં જુદા જ અનુભવો અંગેનાં કાવ્યગુચ્છો \r\n\t\tસંગ્રહાયાં છે. લલિતકલાઓ અંગેનું – એમ વિવિધ કાવ્યગુચ્છો તથા ‘નારી : કેટલાક રૂપો’ અંગેનું સોનેટગુચ્છ અને સરવડાં અંગેનું ગીતોનું ગુચ્છ ધ્યાનપાત્ર છે. ‘વસંતવર્ષા’ (૧૯૫૪), સ્વાતંત્ર્યોત્તર જીવનની પ્રસન્નતા અને \r\n\t\tકરુણતાને ઝીલે છે. ‘હીરોશીમાની’ નૃશંસ હત્યાથી છેક ‘રડો ન મુજ મૃત્યુને’ની ગાંધીહત્યાને સમાવતી કવિની સંવેદના ‘મુર્દાની વાસ’ને સહેવા છતાં ‘મનુષ્યપ્રેમ’ કે પૃથ્વીપ્રેમની શ્રદ્ધાને અકબંધ રાખે છે. તેથી જ ઋતુગીતો તેમ \r\n\t\tજ ઋતુચિત્રોની ઇન્દ્રિયસંવેદ્ય છબીઓ ઉપસાવે છે. અહીં પચીસ જેટલાં આસ્વાદ્ય સોનેટોમાં ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો’ તેમાં એ સોનેટયુગ્મ પ્રસિદ્ધ છે. ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫)માં ‘પ્રાચીના’નું અનુસંધાન છે. અને નાટ્યકવિતાનું \r\n\t\tઆહવાન આગળ વધ્યું છે. મહાભારતમાંથી, રામાયણમાંથી અને બુદ્ધના જીવનમાંથી લીધેલા નાટ્યવસ્તુઓ પર આધારિત અહીં બીજાં સાત પદ્યરૂપકો સંગ્રહાયાં છે. સંવાદતત્વથી વધુ નાત્યતત્વ તરફ વળતી આ રચનાઓ \r\n\t\tબોલચાલની ભાષાને છંદમાં વધુ પ્રવાહી બનાવી શકી છે. મંથરામાં નાટ્યક્ષણનો પ્રબળ ઉન્મેષ છે, તો ‘કચ’માં નાટ્યાત્મક એકોકિતનો બંધ ધ્યાનાર્હ છે. ‘અભિજ્ઞા’ (૧૯૬૭)માં ‘છિન્નભિન્ન’ છું જેવી રચના દ્વારા આ કવિએ \r\n\t\tછંદોમુક્તિનો પ્રયોગ કરી ભવિષ્યમાં આવેલી પછીની કવિતાદિશા માટે વૈતાલિક કાર્ય કર્યું છે. અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ, લયમેળ ઉપરાંત ગદ્યના ટુકડાઓનો એમાં વિનિયોગ થયો છે. આ સંગ્રહમાં મુક્તપદ્ય અને \r\n\t\tપદ્યમુક્તિના પ્રયોગોનો આરંભ થયો, તેમાં ‘મારી શોધ’, ‘રાજસ્થાનમાં પસાર થતાં’ અને ‘ગાડી ઘણા ગાઉ કાપે’ જેવી પરિપક્વ રચનાઓ મળી શકી છે. ‘ધારાવસ્ત્ર’ (૧૯૮૧) ‘માઈલોના માઈલો મારી અંદર’ જેવી અત્યંત સર્જક \r\n\t\tઅને પાસાદાર કૃતિ તો આપે જ છે, સાથે સાથે ‘ધારાવસ્ત્ર’ જેવી રહસ્યપૂર્ણ અને ‘એક ઝાડ’ જેવી સંવેદનપૂર્ણ કૃતિઓ પણ આપે છે. બાળકાવ્યો પહેલીવાર એક ગુચ્છ તરીકે અહીં મુકાયાં છે. કેટલીક રચનાઓ નૈમિત્તિક કે \r\n\t\tપ્રસંગોચિત છે અને શીઘ્ર સંવેદનાઓ પર નભવા પ્રયત્ન કરે છે. ‘સપ્તપદી’ (૧૯૮૧) સાત રચનાઓનો સંગ્રહ છે. પચીસ વર્ષના લાંબા પટ પર આ ‘સપ્તપદી’ તૈયાર થઈ હોવાથી એમાં સર્જનની વિષમતા, સ્તરની \r\n\t\tઉચ્ચાવચતા અને અભિવ્યક્તિના તરીકાઓની અલગ અલગ અજમાયશો છે. વિશ્વપ્રેમ અને વ્યક્તિની અશાંતિનો દ્વિવિધ દોર આ રચનાઓને સાંકળે છે. ‘છિન્નભિન્ન છું’ ના ખેદથી ‘પંખીલોક’ના આનંદઘોષ સુધીની કવિની \r\n\t\tઆંતરયાત્રા સૌન્દર્યભાવ કરતાં ભાવસૌન્દર્યને અનુલક્ષીને થયેલી છે. ‘પંખીલોક’ સાતે કાવ્યોમાં સળંગ તાજગીનો અનુભવ કરાવે છે. ‘સમગ્ર કવિતા’ (૧૯૮૧)માં એમના દસ કાવ્યપુસ્તકોનાં બધાં કાવ્યોને સમાવવામાં આવ્યાં છે \r\n\t\tઅને અંતે ‘કાવ્યશીર્ષક સૂચિ’ તેમ જ ‘પ્રથમ પંક્તિ સૂચિ’ પણ આપવામાં આવી છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tપાત્રગત ભાષાની ભિન્ન ભંગીઓ, વસ્તુનો આકર્ષક ઉઠાવ અને વિવિધ પરિસ્થિતિઓની કલ્પકતા દ્વારા એમણે એકાંકીને એક સુશ્લિષ્ટ ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો છે. સંઘર્ષ, વેગ, વિકાસ અને ભાષાના કસબની મુખ્યત્વે \r\n\t\tસામાજિક કે રાજકીય ભૂમિકા પર સ્થિર એમની એકાંકીકલાએ સામાજિક ચેતનાની ઉપરવટ જવાનો પ્રયત્ન કર્યો છે.  અહીં ભાવપરાયણતા અને વાસ્તવપરાયણતાનો તાણોવાણો માર્મિક કરુણતા અને સૂક્ષ્મ વિનોદથી ગૂંથાયેલો \r\n\t\tછે. ‘સાપના ભારા’ (૧૯૩૬)માં અગિયાર એકાંકીઓ છે તેમાં સાબરકાંઠાના ઇડરિયા પ્રદેશની બોલીભંગીઓ અને ગ્રામીણ વાતાવરણ વચ્ચે નર્યા વાસ્તવલોકનાં પાત્રોની જીવંત સૃષ્ટિ છે. ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ \r\n\t\tચરકલડી’, મહત્વના એકાંકીઓ છે. ‘શહીદ’ (૧૯૫૧)માં બીજા અગિયાર એકાંકીઓ છે. એમાંના ગ્રામીણ ભૂમિકાવાળાં ત્રણેકને બાદ કરતાં બાકીનાં દેશની વ્યાપક પરિસ્થિતિઓને સ્પર્શે છે ને ક્યાં બુદ્ધિપૂર્વક હળવાશથી કામ લે \r\n\t\tછે. ‘હવેલી’ (૧૯૭૭)માં અગાઉના શહીદ સંગ્રહનાં બધાં એકાંકીઓ ઉપરાંત ‘હવેલી’ અને ‘હળવા કર્મનો હું નરસૈયો’ જેવાં બે મૌલિક એકાંકીઓ તેમ જ યુરિપિડિસના ઈફિજિનિયા ઇન ટોરિસની અનૂદિત રચનાનો સમાવેશ \r\n\t\tકરવામાં આવ્યો છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tવતનના અનુભવોને અને વતનની ભાષાને સંવેદનશીલ તરીકાઓથી અખત્યાર કરી વિવિધ પાત્રસૃષ્ટિના માનસ પર કેન્દ્રિત થતી એમની ટૂંકીવાર્તાઓ સંયમિત રીતે મર્મને ઉઘાડે છે. એમાંય સ્ત્રીમાનસના સંસ્કારજગતનું નિરૂપણ \r\n\t\tકરવામાં વરતાતી એમની કુશળતા પ્રશસ્ય છે. શ્રાવણી મેળો (૧૯૩૭)ની ‘પગલીનો પાડનાર’, ‘છેલ્લું છાણું’, ‘મારી ચંપાનો વર’ જેવી વાર્તાઓમાં ગુજરાતી વાર્તાસાહિત્યની વિશેષ સિદ્ધિ જોવાય છે. ઉપરાંત, ‘ત્રણ અર્ધુ બે’ \r\n\t\t(૧૯૩૮) અને ‘અંતરાય’ (૧૯૪૭) જેવા વચ્ચેના વાર્તાસંગ્રહોમાંથી જાળવવા જેવી પસંદ કરેલી બાવીસ વાર્તાઓનો સંગ્રહ ‘વિસામો’ (૧૯૫૯) પણ મળ્યો છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t‘પારકાં જણ્યાં’ (૧૯૪૦) એમની એકમાત્ર નવલકથા છે. ત્રણ પેઢીની વાતના આલેખનમાં સળંગસૂત્રતા પૂરી જળવાઈ નથી અને તેથી બસો પાનની કૃતિ વિસ્તૃત ફલક પર અશ્લિષ્ટ રહી છે.\r\n\t\t‘હૃદયમાં પડેલી છબીઓ’ (૧૯૭૭) ના બે ખંડોમાં છિન્નભિન્ન પ્રસંગે આલેખાયેલાં વ્યક્તિચિત્રો છે. વ્યક્તિત્વની ખાસિયતોને લસરકામાત્રથી ઝાલવા સાથે એમાં સમભાવ અને ઉષ્મા સંકળાયેલાં છે. ‘ઈસામુશિદા અને અન્ય’ \r\n\t\t(૧૯૮૬) પણ ‘હૃદયના હક્ક’થી લખાયેલાં, દેશપરદેશની દિવંગત વ્યક્તિઓનાં વસ્તુલક્ષી યથાર્થ ચરિત્રચિત્રણો છે. ‘ગાંધીકથા’ (૧૯૬૯) ચરિત્રમૂલક છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tઅંગતતાના સ્વાદવાળું અને વ્યક્તિત્વની હૂંફવાળું ગોષ્ઠિની કક્ષાનું નિબંધનું સ્વરૂપ ગદ્યની સ્વસ્થ અને લાઘવપૂર્ણ તાસીર ઉપસાવતું જોવાય છે. કવિતાવેડાથી દૂર એ ઝાઝું વાસ્તવની ભોંય પર મંડાયેલું છતાં ભાવપૂર્ણ છે. એમાં \r\n\t\tહળવી ચાલની નિરાંત છે. ‘ગોષ્ઠિ’ (૧૯૫૧)માં આવા બાવીસ નિબંધો છે. તો, ‘ઉઘાડી બારી’ (૧૯૫૯) ૧૯૪૭ પછીનાં બાર વર્ષમાં ‘સંસ્કૃતિ’ના પહેલા પાન પર છપાયેલાં લખાણોમાંથી કુલ એકાણું લઘુલેખોનો સંચય છે. \r\n\t\tકર્મયોગ, ચરિત્રો, પ્રકૃતિપ્રેમ, વિદ્યા, કલા, રંગભૂમિ, કેળવણી, લોકશાહી, ભારત અને જગતરંગ જેવાં ક્ષેત્રો પર ટૂંકી પણ દ્યોતક પ્રતિક્રિયાઓ ચિંતનગર્ભ છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tસૌન્દર્યદષ્ટિ, સમભાવ અને બુદ્ધિમત્તાથી નિયંત્રિત ઉમાશંકરનું વિવેચન સંવેદનશીલ છે. અખા અંગેનો તેજસ્વી અભ્યાસ આપતો ‘અખો એક અધ્યયન’ (૧૯૪૧), ભાવકના છેડેથી સમુચિત ચિંતા કરતો ‘સમસંવેદન’ (૧૯૪૮), \r\n\t\tમહાભારત જેવા પુરાણગ્રંથથી માંડી કાલિદાસ-રવીન્દ્રનાથની ચેતના સાથે અનુસંધાન કરતો ‘અભિરુચિ’ (૧૯૫૯), સાહિત્યનાં વિવિધ સ્વરૂપો પર મર્મગ્રાહી તારણો આપતો ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦), મહત્વની કૃતિઓની \r\n\t\tવિસ્તૃત આલોચના આપતો ‘નિરીક્ષા’ (૧૯૬૦), કવિ અને કવિતા અંગે મૌલિક નિરીક્ષણો આપતો ‘કવિની સાધના’ (૧૯૬૧), સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓનો આત્મીયતાથી પરિચય આપતો ‘શ્રી અને સૌરભ’ (૧૯૬૩), \r\n\t\tપરિચયાત્મક આલેખ આપતો ‘શેક્સપિયર’ (૧૯૬૪), કર્તાઓ અને કૃતિઓ તેમ જ સાહિત્યિક વીગતો પર પ્રકાશ પાડતા લઘુલેખો આપતો ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭), પરિચયાત્મક ‘કવિતા વાચનની કલા’ (૧૯૭૧), ગુજરાતી તેમ \r\n\t\tજ વિદેશી કવિઓ અને કવિતાઓ પર સ્વાધ્યાયલેખો આપતો ‘કવિની શ્રદ્ધા’ (૧૯૭૨), પ્રાર્થનાકાવ્યોનો આસ્વાદ આપતો ‘નિશ્રેના મહેલમાં’ (૧૯૮૬) વગરે એમના વિવેચનગ્રંથો છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tએમના સંશોધન-સંપાદનના ગ્રંથોમાં ‘કલાન્ત કવિ’ (૧૯૪૨), ‘અખાના છપ્પા’ (૧૯૫૩), ‘મ્હારાં સોનેટ’ (૧૯૬૨), ‘દશમસ્કંધ  - ૧’ (અન્ય સાથે, ૧૯૬૬), ‘અખેગીતા’ (અન્ય સાથે, ૧૯૩૭), ‘કાવ્યતત્વવિચાર’ (અન્ય, સાથે \r\n\t\t૧૯૪૦), ‘વિચારમાધુરી’ (અન્ય, સાથે ૧૯૪૬), ‘દિગ્દર્શન’ (અન્ય સાથે, ૧૯૪૨), આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારકગ્રંથ (અન્ય સાથે, ૧૯૪૪), ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ (અન્ય, સાથે ૧૯૬૧), ‘મડિયાનું મનોરાજ્ય’ (૧૯૭૦) પણ \r\n\t\tએમનાં નોંધપાત્ર સંવેદનો છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t‘પુરાણોમાં ગુજરાત’ (૧૯૪૬), ‘સમયરંગ’ (૧૯૬૩), ‘ઈશાન ભારત’ અને અંદામાનમાં ટહુક્યા મોર (૧૯૭૬), ‘ઓગણીસમો એકત્રીસમાં ડોકિયું’ (૧૯૭૭), ‘કેળવણીનો કીમિયો’ (૧૯૭૭) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે.\r\n\t\tએમણે આપેલા અનુવાદોમાં ‘ગુલે પોલાંડ’ (૧૯૩૯), ‘ઉત્તરરામચરિત’ (૧૯૫૦), ‘શાકુન્તલ’ (૧૯૫૫), ‘એકોત્તર શતી’ (અન્ય સાથે, ૧૯૬૩) મુખ્ય છે.\r\n\t\t<br/><br/>\r\n\r\n<br/><br/>\r\n<a href=\"http://gu.wikipedia.org/wiki/શ્રેણી:ગુજરાતી_સાહિત્યકાર\">વિકીપીડિયામાં</a> આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"गुजराती भाषा के समादृत कवि-साहित्यकार और शिक्षाविद। ज्ञानपीठ पुरस्कार से सम्मानित।     जन्म :  21/07/1911  | सबर्कथा, गुजरात निधन :  19/12/1988  | मुंबई, महाराष्ट्र     સવિશેષ પરિચય:    ફોટો: ઉમાશંકર જોશી   જોશી ઉમાશંકર ‘વાસુકિ’, ‘શ્રવણ’  \r \t\t(૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮), કવિ, વાર્તાકાર, નવકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં \r \t\tકરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાકોરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં \r \t\tઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઇન્ટર આટર્સ વખતે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, \r \t\t૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઈતિહાસના વિષયો સાથે બી.એ. ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ \r \t\tહાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં \r \t\t‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી \r \t\tઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના પણ કુલપતિ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. \r \t\t  \r \t\t૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૮માં ગુજરાત સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ. ૧૯૫૨માં ચીન, જાવા, \r \t\tબાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષિક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, \r \t\t૧૯૬૫માં ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ. કે. વી. પુટપ્પા સાથે વહેંચાઈને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લેન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્, \r \t\tઆશાન પુરસ્કાર, કેન્સરથી મુંબઈમાં અવસાન.\r \t\t  \r \t\tસાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તત્કાલીન ચેતનાનું સ્વસ્થ પ્રજ્ઞા અને ભાવપરક ઈન્દ્રિયગ્રાહિતાથી સૌન્દર્યનિષ્ઠ રૂપાંતર કરનાર ગાંધીયુગના આ અગ્રણી સર્જક છે. મુક્તકના ચમત્કૃતિપૂર્ણ લઘુફલકથી માંડી પદ્યરૂપકના નાટ્યપૂર્ણ \r \t\tદીર્ઘફલકનું કલ્પનાસંયોજન દર્શાવતી એમની કાવ્યરચનાઓ, ગ્રામીણ સ્તરેથી ઘટનાને ઊંચકી બોલીનાં સંવેદનો પ્રસારતી એમની નાટ્યરચનાઓ, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકીવાર્તાઓ, \r \t\tહૃદયની વિવિધ છબીઓ આપતાં એમનાં નિબંધો અને વ્યક્તિચિત્રો, સહૃદયસંવિદનો સતત વિકાસ દર્શાવતાં એમનાં વિવેચન-સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યને થયેલું વિશિષ્ટ પ્રદાન છે.\r \t\t  \r \t\tઉમાશંકરની ગાંધીદર્શનથી પ્રભાવિત ભાવોત્કટ કવિતા સંસ્કૃતિનાં બૃહદ્ પરિમાણોને લક્ષ્ય કરીને ચાલી છે ને સત્યાગ્રહની છાવણીઓ તેમ જ જેલોથી શરૂ કરી વિદેશના સાંસ્કૃતિક સમાજો સુધી એ વિસ્તરી છે. શબ્દવિન્યાસ અને \r \t\tઅર્થવિન્યાસ સાથે રહસ્યવિન્યાસના હિલ્લોલરૂપ લયને સેવતી એમની કવિતા આત્માની માતૃભાષા થવા ઝંખી છે; અને તેથી મનુષ્યના આંતરબાહ્ય સકલસંદર્ભને બાથમાં લેવાની જીવનદષ્ટિ એમાં અનુસ્યૂત અને ક્યારેક \r \t\tઅગ્રવર્તી રહી છે. એમનું પ્રથમ કાવ્યપુસ્તક ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) છ ખંડોમાં વહેંચાયેલું, ગાંધીયુગનો અને ગાંધીજીનો મહિમા કરતું વિશિષ્ટ અર્થમાં ખંડકાવ્ય છે. સુશ્લિષ્ટ આયોજનનો અભાવ છતાં ભાવોદ્રેક અને ગૃહીતના \r \t\tપ્રતિપાદનનો ઉત્કર્ષ ધ્યાન ખેંચે છે. જીવનનું નિયામક તત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત અહિંસા અને શાંતિ પર ખડી કરવાની નેમનો અહીં વિસ્તાર છે. આસ્વાદ્ય કાકુઓ અને \r \t\tકહેવત કક્ષાએ પહોંચતી કેટલીક ઉક્તિઓનો બંધ આ કાવ્યને કેટલુંક સ્થાપત્ય અર્પણ કરે છે. ‘ગંગોત્રી’ (૧૯૩૪)માં તત્કાલીન ગુજરાતના વિશિષ્ય જીવનનું પ્રતિબિંબ ઝિલાયું છે. ભારતીય નવોત્થાનને કારણે ઊભા થયેલા \r \t\tસંઘર્ષના અને સ્વતંત્ર્યઝંખનાના પ્રબળ ઉદગારો વચ્ચે વિશ્વપ્રેમનો મર્મ એમની અનેક કૃતિઓમાં ધબકતો જોવાય છે. એમાં સમાજાભિમુખતા અને વાસ્તવાભિમુખતાના વિવિધ આવિષ્કારો પ્રગટ થયા છે. ‘બળતા પાણી’, ‘પીંછું’, \r \t\t‘સમરકંદ બુખારા’ કે ‘જઠરાગ્નિ’ જેવી રચનાઓની સિદ્ધિ ધ્યાનપાત્ર છે. ‘નિશીથ’ (૧૯૩૯)માં સમાજ અને વાસ્તવની તત્કાલીનતાને અતિક્રમી જીવનનાં શાશ્વતમૂલ્યોના અમૂર્ત કે નવીન આવિર્ભાવો તરફનું વલણ છે. માનવ \r \t\tઅસ્તિત્વનાં તેમ જ માનવ સંવિત્તિના જુદાં જુદાં પાસાંઓને પાદતત્વના આગવા પ્રયોગ સાથે અહીં સાકાર કરવાનો પ્રયત્ન થયો છે. ‘નિશીથ’, ‘વિરાટ પ્રણય’, ‘સદગત મોટાભાઈને’, ‘અન્નબ્રહ્મ’, ‘આત્માનાં ખંડેર’ આદિ એના \r \t\tઉત્તમ નમૂનાઓ છે. ચિંતનશીલતા અને સંવેદનશીલતાથી રસાયેલી કવિતા અહીં ગુજરાતી ભાષાની મહત્વની સિદ્ધિઓ બતાવે છે. લયબદ્ધ ગીતોની સંખ્યા પણ સંગ્રહનું આગવું આકર્ષણ છે. ‘પ્રાચીના’ (૧૯૪૪) કાવ્યસંગ્રહ \r \t\t‘ત્રીજા અવાજ’ તરફ વળેલો છે. એટલે કાવ્યના નાટ્યરૂપનો શોધ પ્રસંગકાવ્યોમાંથી કવિને સંવાદકાવ્યો તરફ, પદ્યરૂપકો તરફ લઈ ગઈ છે. પાત્રોના સંવાદોમાંથી ઊભો થતો ઘટનાનો સંઘર્ષ  રહસ્યદોરથી અવલંબિત છે. \r \t\tપ્રાસબદ્ધ છંદોવિધાન નિરૂપણની તીક્ષ્ણતા અને વેગને ઉપસાવવામાં ક્યાંક કારગત નીવડ્યું છે. અહીં મહાભારત, ભાગવત અને જાતકકથામાંથી ઘટના ગૂંથીને સાત પદ્યરૂપકો મૂકેલાં છે. ક્રિયાત્મકતા કરતાં ભાવાવિષ્કાર એનું \r \t\tમુખ્ય લક્ષ્ય છે. સાંપ્રત જગતથી દૂરના અતીતમાં હટીને અને વ્યક્તિજગતથી દૂર ઊર્મિનિરપેક્ષ વસ્તુજગતમાં ખસીને કવિતા અવતારવાનો આ પુરુષાર્થ પ્રગલ્ભ છે. ‘આતિથ્ય’ (૧૯૪૬)માં જુદા જ અનુભવો અંગેનાં કાવ્યગુચ્છો \r \t\tસંગ્રહાયાં છે. લલિતકલાઓ અંગેનું – એમ વિવિધ કાવ્યગુચ્છો તથા ‘નારી : કેટલાક રૂપો’ અંગેનું સોનેટગુચ્છ અને સરવડાં અંગેનું ગીતોનું ગુચ્છ ધ્યાનપાત્ર છે. ‘વસંતવર્ષા’ (૧૯૫૪), સ્વાતંત્ર્યોત્તર જીવનની પ્રસન્નતા અને \r \t\tકરુણતાને ઝીલે છે. ‘હીરોશીમાની’ નૃશંસ હત્યાથી છેક ‘રડો ન મુજ મૃત્યુને’ની ગાંધીહત્યાને સમાવતી કવિની સંવેદના ‘મુર્દાની વાસ’ને સહેવા છતાં ‘મનુષ્યપ્રેમ’ કે પૃથ્વીપ્રેમની શ્રદ્ધાને અકબંધ રાખે છે. તેથી જ ઋતુગીતો તેમ \r \t\tજ ઋતુચિત્રોની ઇન્દ્રિયસંવેદ્ય છબીઓ ઉપસાવે છે. અહીં પચીસ જેટલાં આસ્વાદ્ય સોનેટોમાં ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો’ તેમાં એ સોનેટયુગ્મ પ્રસિદ્ધ છે. ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫)માં ‘પ્રાચીના’નું અનુસંધાન છે. અને નાટ્યકવિતાનું \r \t\tઆહવાન આગળ વધ્યું છે. મહાભારતમાંથી, રામાયણમાંથી અને બુદ્ધના જીવનમાંથી લીધેલા નાટ્યવસ્તુઓ પર આધારિત અહીં બીજાં સાત પદ્યરૂપકો સંગ્રહાયાં છે. સંવાદતત્વથી વધુ નાત્યતત્વ તરફ વળતી આ રચનાઓ \r \t\tબોલચાલની ભાષાને છંદમાં વધુ પ્રવાહી બનાવી શકી છે. મંથરામાં નાટ્યક્ષણનો પ્રબળ ઉન્મેષ છે, તો ‘કચ’માં નાટ્યાત્મક એકોકિતનો બંધ ધ્યાનાર્હ છે. ‘અભિજ્ઞા’ (૧૯૬૭)માં ‘છિન્નભિન્ન’ છું જેવી રચના દ્વારા આ કવિએ \r \t\tછંદોમુક્તિનો પ્રયોગ કરી ભવિષ્યમાં આવેલી પછીની કવિતાદિશા માટે વૈતાલિક કાર્ય કર્યું છે. અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ, લયમેળ ઉપરાંત ગદ્યના ટુકડાઓનો એમાં વિનિયોગ થયો છે. આ સંગ્રહમાં મુક્તપદ્ય અને \r \t\tપદ્યમુક્તિના પ્રયોગોનો આરંભ થયો, તેમાં ‘મારી શોધ’, ‘રાજસ્થાનમાં પસાર થતાં’ અને ‘ગાડી ઘણા ગાઉ કાપે’ જેવી પરિપક્વ રચનાઓ મળી શકી છે. ‘ધારાવસ્ત્ર’ (૧૯૮૧) ‘માઈલોના માઈલો મારી અંદર’ જેવી અત્યંત સર્જક \r \t\tઅને પાસાદાર કૃતિ તો આપે જ છે, સાથે સાથે ‘ધારાવસ્ત્ર’ જેવી રહસ્યપૂર્ણ અને ‘એક ઝાડ’ જેવી સંવેદનપૂર્ણ કૃતિઓ પણ આપે છે. બાળકાવ્યો પહેલીવાર એક ગુચ્છ તરીકે અહીં મુકાયાં છે. કેટલીક રચનાઓ નૈમિત્તિક કે \r \t\tપ્રસંગોચિત છે અને શીઘ્ર સંવેદનાઓ પર નભવા પ્રયત્ન કરે છે. ‘સપ્તપદી’ (૧૯૮૧) સાત રચનાઓનો સંગ્રહ છે. પચીસ વર્ષના લાંબા પટ પર આ ‘સપ્તપદી’ તૈયાર થઈ હોવાથી એમાં સર્જનની વિષમતા, સ્તરની \r \t\tઉચ્ચાવચતા અને અભિવ્યક્તિના તરીકાઓની અલગ અલગ અજમાયશો છે. વિશ્વપ્રેમ અને વ્યક્તિની અશાંતિનો દ્વિવિધ દોર આ રચનાઓને સાંકળે છે. ‘છિન્નભિન્ન છું’ ના ખેદથી ‘પંખીલોક’ના આનંદઘોષ સુધીની કવિની \r \t\tઆંતરયાત્રા સૌન્દર્યભાવ કરતાં ભાવસૌન્દર્યને અનુલક્ષીને થયેલી છે. ‘પંખીલોક’ સાતે કાવ્યોમાં સળંગ તાજગીનો અનુભવ કરાવે છે. ‘સમગ્ર કવિતા’ (૧૯૮૧)માં એમના દસ કાવ્યપુસ્તકોનાં બધાં કાવ્યોને સમાવવામાં આવ્યાં છે \r \t\tઅને અંતે ‘કાવ્યશીર્ષક સૂચિ’ તેમ જ ‘પ્રથમ પંક્તિ સૂચિ’ પણ આપવામાં આવી છે.\r \t\t  \r \t\tપાત્રગત ભાષાની ભિન્ન ભંગીઓ, વસ્તુનો આકર્ષક ઉઠાવ અને વિવિધ પરિસ્થિતિઓની કલ્પકતા દ્વારા એમણે એકાંકીને એક સુશ્લિષ્ટ ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો છે. સંઘર્ષ, વેગ, વિકાસ અને ભાષાના કસબની મુખ્યત્વે \r \t\tસામાજિક કે રાજકીય ભૂમિકા પર સ્થિર એમની એકાંકીકલાએ સામાજિક ચેતનાની ઉપરવટ જવાનો પ્રયત્ન કર્યો છે.  અહીં ભાવપરાયણતા અને વાસ્તવપરાયણતાનો તાણોવાણો માર્મિક કરુણતા અને સૂક્ષ્મ વિનોદથી ગૂંથાયેલો \r \t\tછે. ‘સાપના ભારા’ (૧૯૩૬)માં અગિયાર એકાંકીઓ છે તેમાં સાબરકાંઠાના ઇડરિયા પ્રદેશની બોલીભંગીઓ અને ગ્રામીણ વાતાવરણ વચ્ચે નર્યા વાસ્તવલોકનાં પાત્રોની જીવંત સૃષ્ટિ છે. ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ \r \t\tચરકલડી’, મહત્વના એકાંકીઓ છે. ‘શહીદ’ (૧૯૫૧)માં બીજા અગિયાર એકાંકીઓ છે. એમાંના ગ્રામીણ ભૂમિકાવાળાં ત્રણેકને બાદ કરતાં બાકીનાં દેશની વ્યાપક પરિસ્થિતિઓને સ્પર્શે છે ને ક્યાં બુદ્ધિપૂર્વક હળવાશથી કામ લે \r \t\tછે. ‘હવેલી’ (૧૯૭૭)માં અગાઉના શહીદ સંગ્રહનાં બધાં એકાંકીઓ ઉપરાંત ‘હવેલી’ અને ‘હળવા કર્મનો હું નરસૈયો’ જેવાં બે મૌલિક એકાંકીઓ તેમ જ યુરિપિડિસના ઈફિજિનિયા ઇન ટોરિસની અનૂદિત રચનાનો સમાવેશ \r \t\tકરવામાં આવ્યો છે.\r \t\t  \r \t\tવતનના અનુભવોને અને વતનની ભાષાને સંવેદનશીલ તરીકાઓથી અખત્યાર કરી વિવિધ પાત્રસૃષ્ટિના માનસ પર કેન્દ્રિત થતી એમની ટૂંકીવાર્તાઓ સંયમિત રીતે મર્મને ઉઘાડે છે. એમાંય સ્ત્રીમાનસના સંસ્કારજગતનું નિરૂપણ \r \t\tકરવામાં વરતાતી એમની કુશળતા પ્રશસ્ય છે. શ્રાવણી મેળો (૧૯૩૭)ની ‘પગલીનો પાડનાર’, ‘છેલ્લું છાણું’, ‘મારી ચંપાનો વર’ જેવી વાર્તાઓમાં ગુજરાતી વાર્તાસાહિત્યની વિશેષ સિદ્ધિ જોવાય છે. ઉપરાંત, ‘ત્રણ અર્ધુ બે’ \r \t\t(૧૯૩૮) અને ‘અંતરાય’ (૧૯૪૭) જેવા વચ્ચેના વાર્તાસંગ્રહોમાંથી જાળવવા જેવી પસંદ કરેલી બાવીસ વાર્તાઓનો સંગ્રહ ‘વિસામો’ (૧૯૫૯) પણ મળ્યો છે.\r \t\t  \r \t\t‘પારકાં જણ્યાં’ (૧૯૪૦) એમની એકમાત્ર નવલકથા છે. ત્રણ પેઢીની વાતના આલેખનમાં સળંગસૂત્રતા પૂરી જળવાઈ નથી અને તેથી બસો પાનની કૃતિ વિસ્તૃત ફલક પર અશ્લિષ્ટ રહી છે.\r \t\t‘હૃદયમાં પડેલી છબીઓ’ (૧૯૭૭) ના બે ખંડોમાં છિન્નભિન્ન પ્રસંગે આલેખાયેલાં વ્યક્તિચિત્રો છે. વ્યક્તિત્વની ખાસિયતોને લસરકામાત્રથી ઝાલવા સાથે એમાં સમભાવ અને ઉષ્મા સંકળાયેલાં છે. ‘ઈસામુશિદા અને અન્ય’ \r \t\t(૧૯૮૬) પણ ‘હૃદયના હક્ક’થી લખાયેલાં, દેશપરદેશની દિવંગત વ્યક્તિઓનાં વસ્તુલક્ષી યથાર્થ ચરિત્રચિત્રણો છે. ‘ગાંધીકથા’ (૧૯૬૯) ચરિત્રમૂલક છે.\r \t\t  \r \t\tઅંગતતાના સ્વાદવાળું અને વ્યક્તિત્વની હૂંફવાળું ગોષ્ઠિની કક્ષાનું નિબંધનું સ્વરૂપ ગદ્યની સ્વસ્થ અને લાઘવપૂર્ણ તાસીર ઉપસાવતું જોવાય છે. કવિતાવેડાથી દૂર એ ઝાઝું વાસ્તવની ભોંય પર મંડાયેલું છતાં ભાવપૂર્ણ છે. એમાં \r \t\tહળવી ચાલની નિરાંત છે. ‘ગોષ્ઠિ’ (૧૯૫૧)માં આવા બાવીસ નિબંધો છે. તો, ‘ઉઘાડી બારી’ (૧૯૫૯) ૧૯૪૭ પછીનાં બાર વર્ષમાં ‘સંસ્કૃતિ’ના પહેલા પાન પર છપાયેલાં લખાણોમાંથી કુલ એકાણું લઘુલેખોનો સંચય છે. \r \t\tકર્મયોગ, ચરિત્રો, પ્રકૃતિપ્રેમ, વિદ્યા, કલા, રંગભૂમિ, કેળવણી, લોકશાહી, ભારત અને જગતરંગ જેવાં ક્ષેત્રો પર ટૂંકી પણ દ્યોતક પ્રતિક્રિયાઓ ચિંતનગર્ભ છે.\r \t\t  \r \t\tસૌન્દર્યદષ્ટિ, સમભાવ અને બુદ્ધિમત્તાથી નિયંત્રિત ઉમાશંકરનું વિવેચન સંવેદનશીલ છે. અખા અંગેનો તેજસ્વી અભ્યાસ આપતો ‘અખો એક અધ્યયન’ (૧૯૪૧), ભાવકના છેડેથી સમુચિત ચિંતા કરતો ‘સમસંવેદન’ (૧૯૪૮), \r \t\tમહાભારત જેવા પુરાણગ્રંથથી માંડી કાલિદાસ-રવીન્દ્રનાથની ચેતના સાથે અનુસંધાન કરતો ‘અભિરુચિ’ (૧૯૫૯), સાહિત્યનાં વિવિધ સ્વરૂપો પર મર્મગ્રાહી તારણો આપતો ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦), મહત્વની કૃતિઓની \r \t\tવિસ્તૃત આલોચના આપતો ‘નિરીક્ષા’ (૧૯૬૦), કવિ અને કવિતા અંગે મૌલિક નિરીક્ષણો આપતો ‘કવિની સાધના’ (૧૯૬૧), સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓનો આત્મીયતાથી પરિચય આપતો ‘શ્રી અને સૌરભ’ (૧૯૬૩), \r \t\tપરિચયાત્મક આલેખ આપતો ‘શેક્સપિયર’ (૧૯૬૪), કર્તાઓ અને કૃતિઓ તેમ જ સાહિત્યિક વીગતો પર પ્રકાશ પાડતા લઘુલેખો આપતો ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭), પરિચયાત્મક ‘કવિતા વાચનની કલા’ (૧૯૭૧), ગુજરાતી તેમ \r \t\tજ વિદેશી કવિઓ અને કવિતાઓ પર સ્વાધ્યાયલેખો આપતો ‘કવિની શ્રદ્ધા’ (૧૯૭૨), પ્રાર્થનાકાવ્યોનો આસ્વાદ આપતો ‘નિશ્રેના મહેલમાં’ (૧૯૮૬) વગરે એમના વિવેચનગ્રંથો છે.\r \t\t  \r \t\tએમના સંશોધન-સંપાદનના ગ્રંથોમાં ‘કલાન્ત કવિ’ (૧૯૪૨), ‘અખાના છપ્પા’ (૧૯૫૩), ‘મ્હારાં સોનેટ’ (૧૯૬૨), ‘દશમસ્કંધ  - ૧’ (અન્ય સાથે, ૧૯૬૬), ‘અખેગીતા’ (અન્ય સાથે, ૧૯૩૭), ‘કાવ્યતત્વવિચાર’ (અન્ય, સાથે \r \t\t૧૯૪૦), ‘વિચારમાધુરી’ (અન્ય, સાથે ૧૯૪૬), ‘દિગ્દર્શન’ (અન્ય સાથે, ૧૯૪૨), આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારકગ્રંથ (અન્ય સાથે, ૧૯૪૪), ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ (અન્ય, સાથે ૧૯૬૧), ‘મડિયાનું મનોરાજ્ય’ (૧૯૭૦) પણ \r \t\tએમનાં નોંધપાત્ર સંવેદનો છે.\r \t\t  \r \t\t‘પુરાણોમાં ગુજરાત’ (૧૯૪૬), ‘સમયરંગ’ (૧૯૬૩), ‘ઈશાન ભારત’ અને અંદામાનમાં ટહુક્યા મોર (૧૯૭૬), ‘ઓગણીસમો એકત્રીસમાં ડોકિયું’ (૧૯૭૭), ‘કેળવણીનો કીમિયો’ (૧૯૭૭) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે.\r \t\tએમણે આપેલા અનુવાદોમાં ‘ગુલે પોલાંડ’ (૧૯૩૯), ‘ઉત્તરરામચરિત’ (૧૯૫૦), ‘શાકુન્તલ’ (૧૯૫૫), ‘એકોત્તર શતી’ (અન્ય સાથે, ૧૯૬૩) મુખ્ય છે.\r \t\t     વિકીપીડિયામાં  આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"umasankara-josi","DOB":"1911-07-21","DateOfDemise":"1988-12-19","location":"सबर्कथा, गुजरात","url":"/sootradhar/umasankara-josi","tags":"","created":"2024-01-15T15:32:42.106827","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":27919,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/%E0%A4%9A%E0%A4%A8%E0%A4%A8%E0%A4%B5%E0%A4%B0_%E0%A4%95%E0%A4%A3%E0%A4%B5.png","name":"चेन्नवीर कणवि","bio":"<p class=\"poetDetailPara\">सुप्रतिष्ठित कन्नड़ कवि-लेखक। साहित्य अकादेमी पुरस्कार से सम्मानित।</p>  \r\n<div class=\"about_author\">\r\n<p dir=\"ltr\">‘ಸಮನ್ವಯ ಕವಿ’ ಎಂದು ಗುರುತಿಸಲಾಗುವ ಚೆನ್ನವೀರ ಕಣವಿ ಅವರು ನವೋದಯ ಮತ್ತು ನವ್ಯ ಸಾಹಿತ್ಯಗಳೆರಡರಲ್ಲಿಯೂ ಸಕ್ರಿಯವಾಗಿ ಪಾಲುಗೊಂಡವರು. ಧಾರವಾಡ ಜಿಲ್ಲೆಯ ಹೊಂಬಳ ಗ್ರಾಮದಲ್ಲಿ 1928ರ ಜೂನ್ 28ರಂದು ಜನಿಸಿದರು. ತಂದೆ ಸಕ್ರಪ್ಪ- ತಾಯಿ ಪಾರ್ವತವ್ವ. ಶಿರುಂಡ, ಗರಗಗಳಲ್ಲಿ ಪ್ರಾಥಮಿಕ ಅಭ್ಯಾಸ ಮುಗಿಸಿದ ಮೇಲೆ ಧಾರವಾಡದ ಕರ್ನಾಟಕ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ೧೯೫0ರಲ್ಲಿ ಬಿ.ಎ. ಪದವಿ (1950), ಕರ್ನಾಟಕ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಿಂದ ಎಂ.ಎ.ಪದವಿ (1952) ಗಳಿಸಿದರು.</p>\r\n<p dir=\"ltr\">ಕರ್ನಾಟಕದ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯದ ಪ್ರಸಾರಾಂಗದಲ್ಲಿ ಕಾರ್ಯದರ್ಶಿ (1952) ಯಾಗಿ ಸೇವೆ ಪ್ರಾರಂಭಿಸಿದ ಕಣವಿ ಅವರು ಅನಂತರ 1958ರಲ್ಲಿ ಅದರ ನಿರ್ದೇಶಕರಾದರು.</p>\r\n<p dir=\"ltr\">ಹಲವಾರು ಪ್ರಶಸ್ತಿಗಳು ಕಣವಿ ಅವರ ಸಾಹಿತ್ಯ ಸಾಧನೆಗಾಗಿ ಬಂದಿವೆ. ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಪ್ರಶಸ್ತಿ (1981), ಕರ್ನಾಟಕ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಪ್ರಶಸ್ತಿ (1985), ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯೋತ್ಸವ ಪ್ರಶಸ್ತಿ (1989), ಭಾರತ ಸರಕಾರದ ಮಾನವ ಸಂಪನ್ಮೂಲ ಇಲಾಖೆಯ ಸಂಸ್ಕೃತಿ ವಿಭಾಗದ ಎಮರಿಟಿಸ್ ಫೆಲೋಷಿಪ್ (1996-98), ಪಂಪ ಪ್ರಶಸ್ತಿ (1999), ಇತ್ಯಾದಿ. 65ನೇ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನ (1996) ಹಾಸನದಲ್ಲಿ ಜರುಗಿದಾಗ ಕಣವಿ ಅವರು ಸಮ್ಮೇಳನಾಧ್ಯಕ್ಷರಾಗಿದ್ದರು.</p>\r\n<p dir=\"ltr\">ಕಣವಿ ಅವರು ಕವಿತೆ, ವಿಮರ್ಶೆ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ನಾಡಿನ ಚಳವಳಿಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದಾರೆ. ಕಣವಿ ಅವರ ಕಾವ್ಯಸಂಕಲನಗಳಲ್ಲಿ ಕಾವ್ಯಾಕ್ಷಿ, ಭಾವಜೀವಿ, ಆಕಾಶಬುಟ್ಟಿ, ದೀಪಧಾರಿ, ಮೆರವಣಿಗೆ, ಜೀವಧ್ವನಿ, ನಗರದಲ್ಲಿ ನೆರಳು, ಚಿರಂತನದಾಸ ಪ್ರಸಿದ್ಧವಾಗಿವೆ. ಸಾಹಿತ್ಯ ಚಿಂತನ, ಕಾವ್ಯಾನುಸಂಧಾನ, ಸಮಾಹಿತ, ಸಮತೋಲನ ಇತ್ಯಾದಿ ವಿಮರ್ಶಾ ಗ್ರಂಥಗಳು ಜನಪ್ರಿಯವಾಗಿವೆ.</p>\r\n<p dir=\"ltr\">ಧಾರವಾಡದ ಕಲ್ಯಾಣ ನಗರದ ಚೆಂಬೆಳಕು ನಿವಾಸದಲ್ಲಿ ಕಣವಿ ಅವರು ನಿವೃತ್ತಜೀವನ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ ಮತ್ತು ಸಾಹಿತ್ಯಿಕ ಚಟುವಟಿಕೆಗಳಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ.</p>\r\n<p> </p>\r\n</div>","raw_bio":"सुप्रतिष्ठित कन्नड़ कवि-लेखक। साहित्य अकादेमी पुरस्कार से सम्मानित।     ‘ಸಮನ್ವಯ ಕವಿ’ ಎಂದು ಗುರುತಿಸಲಾಗುವ ಚೆನ್ನವೀರ ಕಣವಿ ಅವರು ನವೋದಯ ಮತ್ತು ನವ್ಯ ಸಾಹಿತ್ಯಗಳೆರಡರಲ್ಲಿಯೂ ಸಕ್ರಿಯವಾಗಿ ಪಾಲುಗೊಂಡವರು. ಧಾರವಾಡ ಜಿಲ್ಲೆಯ ಹೊಂಬಳ ಗ್ರಾಮದಲ್ಲಿ 1928ರ ಜೂನ್ 28ರಂದು ಜನಿಸಿದರು. ತಂದೆ ಸಕ್ರಪ್ಪ- ತಾಯಿ ಪಾರ್ವತವ್ವ. ಶಿರುಂಡ, ಗರಗಗಳಲ್ಲಿ ಪ್ರಾಥಮಿಕ ಅಭ್ಯಾಸ ಮುಗಿಸಿದ ಮೇಲೆ ಧಾರವಾಡದ ಕರ್ನಾಟಕ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ೧೯೫0ರಲ್ಲಿ ಬಿ.ಎ. ಪದವಿ (1950), ಕರ್ನಾಟಕ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಿಂದ ಎಂ.ಎ.ಪದವಿ (1952) ಗಳಿಸಿದರು.   ಕರ್ನಾಟಕದ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯದ ಪ್ರಸಾರಾಂಗದಲ್ಲಿ ಕಾರ್ಯದರ್ಶಿ (1952) ಯಾಗಿ ಸೇವೆ ಪ್ರಾರಂಭಿಸಿದ ಕಣವಿ ಅವರು ಅನಂತರ 1958ರಲ್ಲಿ ಅದರ ನಿರ್ದೇಶಕರಾದರು.   ಹಲವಾರು ಪ್ರಶಸ್ತಿಗಳು ಕಣವಿ ಅವರ ಸಾಹಿತ್ಯ ಸಾಧನೆಗಾಗಿ ಬಂದಿವೆ. ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಪ್ರಶಸ್ತಿ (1981), ಕರ್ನಾಟಕ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಪ್ರಶಸ್ತಿ (1985), ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯೋತ್ಸವ ಪ್ರಶಸ್ತಿ (1989), ಭಾರತ ಸರಕಾರದ ಮಾನವ ಸಂಪನ್ಮೂಲ ಇಲಾಖೆಯ ಸಂಸ್ಕೃತಿ ವಿಭಾಗದ ಎಮರಿಟಿಸ್ ಫೆಲೋಷಿಪ್ (1996-98), ಪಂಪ ಪ್ರಶಸ್ತಿ (1999), ಇತ್ಯಾದಿ. 65ನೇ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನ (1996) ಹಾಸನದಲ್ಲಿ ಜರುಗಿದಾಗ ಕಣವಿ ಅವರು ಸಮ್ಮೇಳನಾಧ್ಯಕ್ಷರಾಗಿದ್ದರು.   ಕಣವಿ ಅವರು ಕವಿತೆ, ವಿಮರ್ಶೆ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ನಾಡಿನ ಚಳವಳಿಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದಾರೆ. ಕಣವಿ ಅವರ ಕಾವ್ಯಸಂಕಲನಗಳಲ್ಲಿ ಕಾವ್ಯಾಕ್ಷಿ, ಭಾವಜೀವಿ, ಆಕಾಶಬುಟ್ಟಿ, ದೀಪಧಾರಿ, ಮೆರವಣಿಗೆ, ಜೀವಧ್ವನಿ, ನಗರದಲ್ಲಿ ನೆರಳು, ಚಿರಂತನದಾಸ ಪ್ರಸಿದ್ಧವಾಗಿವೆ. ಸಾಹಿತ್ಯ ಚಿಂತನ, ಕಾವ್ಯಾನುಸಂಧಾನ, ಸಮಾಹಿತ, ಸಮತೋಲನ ಇತ್ಯಾದಿ ವಿಮರ್ಶಾ ಗ್ರಂಥಗಳು ಜನಪ್ರಿಯವಾಗಿವೆ.   ಧಾರವಾಡದ ಕಲ್ಯಾಣ ನಗರದ ಚೆಂಬೆಳಕು ನಿವಾಸದಲ್ಲಿ ಕಣವಿ ಅವರು ನಿವೃತ್ತಜೀವನ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ ಮತ್ತು ಸಾಹಿತ್ಯಿಕ ಚಟುವಟಿಕೆಗಳಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ.      ","slug":"cennavira-kanavi","DOB":null,"DateOfDemise":null,"location":"गदग, कर्नाटक","url":"/sootradhar/cennavira-kanavi","tags":"","created":"2024-01-15T15:03:17.772069","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":117,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/ozair-rahman.png","name":"OZAIR RAHMAN","bio":"<br>\r\nOzair Rahman taught as an Associate Professor of English literature in the University of Delhi for 44 years. Initially, he used to write in English and came back to his first love Urdu by the end of his teaching career. He got into Civil Services in mid 70s but he preferred to take up teaching as a profession. \r\n<br><br>\r\nMany of his poetries have been read by his daughter RJ Sayema in her national show Purani Jeans and poems are frequently recited on radio across India. Ravish Kumar, NDTV also read one of his poems ‘Azaadi’ in a path-breaking program. <i>(Via Rekhta!)</i>","raw_bio":"\r Ozair Rahman taught as an Associate Professor of English literature in the University of Delhi for 44 years. Initially, he used to write in English and came back to his first love Urdu by the end of his teaching career. He got into Civil Services in mid 70s but he preferred to take up teaching as a profession. \r  \r Many of his poetries have been read by his daughter RJ Sayema in her national show Purani Jeans and poems are frequently recited on radio across India. Ravish Kumar, NDTV also read one of his poems ‘Azaadi’ in a path-breaking program.  (Via Rekhta!)","slug":"ozair-rahman","DOB":null,"DateOfDemise":null,"location":null,"url":"/sootradhar/ozair-rahman","tags":null,"created":"2023-09-22T12:18:15.371891","is_has_special_post":false,"is_special_author":false,"language":21},{"id":245,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/Gul_Khan_Nasir.png","name":"Gul Khan Nasir","bio":"Mir Gul Khan Naseer (Urdu: میر گل خان نصیر‎), also widely regarded as Malek o-Sho'arā Balochistan (Urdu: ملک‌ شعراء بلوچستان‎; May 14, 1914 – 6 December 1983) was a prominent politician, poet, historian, and journalist from Balochistan, Pakistan. Born on 14 May 1914 in Noshki, Gul Khan Naseer was at the forefront of the Baloch nationalist movement and was most active between 1935 and 1980. His father's name was Mir Habib Khan and he belonged to the Paindzai family of the Zagar Mengal sub branch of the Mengal tribe. Mir Gul Khan's mother “Bibi Hooran” belonged to the Rakhshani branch of the Bolazai Badini. Mir Habib Khan had five sons and three daughters. Mir Gul Khan Nasir was number seven among his eight siblings and he was the fourth amongst his brothers (i.e.) Mir Samand Khan, Mir Lawang Khan, Mir Lal Bux, Mir Gul Khan and Col. Sultan Mohammad Khan.","raw_bio":"Mir Gul Khan Naseer (Urdu: میر گل خان نصیر‎), also widely regarded as Malek o-Sho'arā Balochistan (Urdu: ملک‌ شعراء بلوچستان‎; May 14, 1914 – 6 December 1983) was a prominent politician, poet, historian, and journalist from Balochistan, Pakistan. Born on 14 May 1914 in Noshki, Gul Khan Naseer was at the forefront of the Baloch nationalist movement and was most active between 1935 and 1980. His father's name was Mir Habib Khan and he belonged to the Paindzai family of the Zagar Mengal sub branch of the Mengal tribe. Mir Gul Khan's mother “Bibi Hooran” belonged to the Rakhshani branch of the Bolazai Badini. Mir Habib Khan had five sons and three daughters. Mir Gul Khan Nasir was number seven among his eight siblings and he was the fourth amongst his brothers (i.e.) Mir Samand Khan, Mir Lawang Khan, Mir Lal Bux, Mir Gul Khan and Col. Sultan Mohammad Khan.","slug":"gul-khan-nasir","DOB":"1914-05-14","DateOfDemise":"1983-12-06","location":"Noshki, British India (present-day Balochistan, Pakistan)","url":"/sootradhar/gul-khan-nasir","tags":null,"created":"2023-09-22T12:18:15.393357","is_has_special_post":false,"is_special_author":false,"language":21},{"id":276,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/Screenshot_2020-05-24_at_11.27.02_AM.png","name":"Majrooh Sultanpuri","bio":"<br>Asrar ul Hassan Khan (1 October 1919 − 24 May 2000), better known as Majrooh Sultanpuri, was an Indian Urdu poet. He is known for his work as an Urdu poet, and as a lyricist and songwriter in the Bollywood film industry, where he wrote Hindustani lyrics for numerous Bollywood soundtracks.\r\n<br>\r\nHe was one of the dominating musical forces in Indian cinema in the 1950s and early 1960s and was an important figure in the Progressive Writers' Movement. He is considered one of the finest avant-garde Urdu poets of 20th century literature.\r\n<br>\r\nIn his career spanning six decades, he worked with many music directors. He won the Filmfare Best Lyricist Award in 1965 for \"Chahunga Main Tujhe\" in the film Dosti, and the highest award in Indian cinema, the Dadasaheb Phalke Award for lifetime achievement in 1993. In the 1980s and 1990s, most of his work was with Anand-Milind, their most notable collaborations being Qayamat Se Qayamat Tak, Lal Dupatta Malmal Ka, Love, Kurbaan and Dahek.\r\n<br>\r\nHe also wrote timeless classics with Jatin-Lalit for films like Jo Jeeta Wohi Sikander (including the song Pehla Nasha) and Yaara Dildara (including the song Bin Tere Sanam), which are still heard to this day on the airwaves.<br>","raw_bio":"Asrar ul Hassan Khan (1 October 1919 − 24 May 2000), better known as Majrooh Sultanpuri, was an Indian Urdu poet. He is known for his work as an Urdu poet, and as a lyricist and songwriter in the Bollywood film industry, where he wrote Hindustani lyrics for numerous Bollywood soundtracks.\r  \r He was one of the dominating musical forces in Indian cinema in the 1950s and early 1960s and was an important figure in the Progressive Writers' Movement. He is considered one of the finest avant-garde Urdu poets of 20th century literature.\r  \r In his career spanning six decades, he worked with many music directors. He won the Filmfare Best Lyricist Award in 1965 for \"Chahunga Main Tujhe\" in the film Dosti, and the highest award in Indian cinema, the Dadasaheb Phalke Award for lifetime achievement in 1993. In the 1980s and 1990s, most of his work was with Anand-Milind, their most notable collaborations being Qayamat Se Qayamat Tak, Lal Dupatta Malmal Ka, Love, Kurbaan and Dahek.\r  \r He also wrote timeless classics with Jatin-Lalit for films like Jo Jeeta Wohi Sikander (including the song Pehla Nasha) and Yaara Dildara (including the song Bin Tere Sanam), which are still heard to this day on the airwaves.","slug":"majrooh-sultanpuri","DOB":"1919-10-01","DateOfDemise":"2000-05-24","location":"Sultanpur, India","url":"/sootradhar/majrooh-sultanpuri","tags":null,"created":"2023-09-22T12:40:14.915983","is_has_special_post":true,"is_special_author":false,"language":21},{"id":277,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/Screenshot_2020-05-24_at_5.10.10_PM.png","name":"Faiz Ahmad Faiz","bio":"Faiz Ahmad Faiz MBE, NI , was a Pakistani Marxist, poet, and author in Urdu. He was one of the most celebrated writers of the Urdu language in Pakistan. Outside literature, he has been described as \"a man of wide experience\" having been a teacher, an army officer, a journalist, a trade unionist and a broadcaster.","raw_bio":"Faiz Ahmad Faiz MBE, NI , was a Pakistani Marxist, poet, and author in Urdu. He was one of the most celebrated writers of the Urdu language in Pakistan. Outside literature, he has been described as \"a man of wide experience\" having been a teacher, an army officer, a journalist, a trade unionist and a broadcaster.","slug":"faiz-ahmad-faiz","DOB":"1911-02-13","DateOfDemise":"1984-11-20","location":"Sialkot, Pakistan","url":"/sootradhar/faiz-ahmad-faiz","tags":null,"created":"2023-09-22T12:18:15.424102","is_has_special_post":false,"is_special_author":false,"language":21},{"id":299,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/shahryar.png","name":"Shahryar","bio":"Akhlaq Mohammad Khan (16 June 1936 – 13 February 2012), better known by his takhallus Shahryar, was an Indian academician, and a doyen of Urdu poetry in India. As a Hindi film lyricist, he is best known for his lyrics in Gaman (1978) and Umrao Jaan (1981) directed by Muzaffar Ali. He retired as the head of Urdu Department at the Aligarh Muslim University, and thereafter he remained sought after name in mushairas or poetic gatherings, and also co-edited the literary magazine Sher-o-Hikmat.\r\n<br><br>\r\nHe was awarded the Sahitya Akademi Award in Urdu for Khwab Ka Dar Band Hai (1987), and in 2008 he won the Jnanpith Award, the highest literary award and only the fourth Urdu poet to win the award. He has been widely acknowledged as the finest exponent of modern Urdu poetry.","raw_bio":"Akhlaq Mohammad Khan (16 June 1936 – 13 February 2012), better known by his takhallus Shahryar, was an Indian academician, and a doyen of Urdu poetry in India. As a Hindi film lyricist, he is best known for his lyrics in Gaman (1978) and Umrao Jaan (1981) directed by Muzaffar Ali. He retired as the head of Urdu Department at the Aligarh Muslim University, and thereafter he remained sought after name in mushairas or poetic gatherings, and also co-edited the literary magazine Sher-o-Hikmat.\r  \r He was awarded the Sahitya Akademi Award in Urdu for Khwab Ka Dar Band Hai (1987), and in 2008 he won the Jnanpith Award, the highest literary award and only the fourth Urdu poet to win the award. He has been widely acknowledged as the finest exponent of modern Urdu poetry.","slug":"shahryar","DOB":"1936-06-16","DateOfDemise":"1912-02-13","location":"Aligarh","url":"/sootradhar/shahryar","tags":null,"created":"2023-09-22T12:40:33.381641","is_has_special_post":true,"is_special_author":false,"language":21},{"id":360,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/Screenshot_2020-07-06_at_3.10.40_AM.png","name":"Anwar Jalalpuri","bio":"Anwar Jalalpuri (6 July 1947 – 2 January 2018) was an Indian Urdu poet from Jalalpur, Uttar Pradesh, known for translating the Bhagavad Gita from Sanskrit to Urdu.\r\n<br>\r\nHe received the Padma Shri posthumously from the President of India, and the Yash Bharti Award from the government of Uttar Pradesh.<br>\r\n<br>\r\nHe died from a brain stroke on 2 January 2018, and is survived by his wife and three sons.","raw_bio":"Anwar Jalalpuri (6 July 1947 – 2 January 2018) was an Indian Urdu poet from Jalalpur, Uttar Pradesh, known for translating the Bhagavad Gita from Sanskrit to Urdu.\r  \r He received the Padma Shri posthumously from the President of India, and the Yash Bharti Award from the government of Uttar Pradesh.   \r He died from a brain stroke on 2 January 2018, and is survived by his wife and three sons.","slug":"anwar-jalalpuri","DOB":"1947-07-06","DateOfDemise":"2018-01-02","location":"Lucknow, India","url":"/sootradhar/anwar-jalalpuri","tags":null,"created":"2023-09-22T12:18:15.464130","is_has_special_post":false,"is_special_author":false,"language":21},{"id":382,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/220px-Javed_Aktar_2010.jpg","name":"Javed Akhtar","bio":"Javed Akhtar (born 17 January 1945) is an Indian political activist, poet, lyricist and screenwriter, originally from Gwalior area. He is a recipient of the Padma Shri (1999), Padma Bhushan (2007), the Sahitya Akademi Award as well as five National Film Awards. In early part of his career he was a screenplay writer, creating movies like Deewar, Zanjeer and Sholay. Later he left screenplay writing and became a lyricist and social-political activist . He also remained member of Rajya Sabha.. In 2020 he received the Richard Dawkins Award for his contribution to secularism, free thinking, for critical thinking, holding religious dogma up to scrutiny, advancing human progress and humanist values. Javed Akhtar was chosen as a recipient for the Richard Dawkins Award for being \"the bright light for reason, freethought, and atheism in a dark time\"","raw_bio":"Javed Akhtar (born 17 January 1945) is an Indian political activist, poet, lyricist and screenwriter, originally from Gwalior area. He is a recipient of the Padma Shri (1999), Padma Bhushan (2007), the Sahitya Akademi Award as well as five National Film Awards. In early part of his career he was a screenplay writer, creating movies like Deewar, Zanjeer and Sholay. Later he left screenplay writing and became a lyricist and social-political activist . He also remained member of Rajya Sabha.. In 2020 he received the Richard Dawkins Award for his contribution to secularism, free thinking, for critical thinking, holding religious dogma up to scrutiny, advancing human progress and humanist values. Javed Akhtar was chosen as a recipient for the Richard Dawkins Award for being \"the bright light for reason, freethought, and atheism in a dark time\"","slug":"javed-akhtar","DOB":"1945-01-17","DateOfDemise":null,"location":"Gwalior, India","url":"/sootradhar/javed-akhtar","tags":null,"created":"2023-09-22T12:42:46.600241","is_has_special_post":true,"is_special_author":false,"language":21},{"id":391,"image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/D_nVFR2W4AENKXQ.jpeg","name":"Himayat Ali Shair","bio":"Himayat Ali Shair (Urdu: حمایت علی شاعر‎; July 14, 1926 – July 16, 2019) was an Urdu poet, writer, film songwriter, actor and radio drama artist from Pakistan. He received the 2002 Pride of Performance Award for his literary services in Urdu literature from the president of Pakistan. He also received 2 Nigar Awards in 1962 and 1963 for 'Best Song Lyricist' for the Pakistani films \"Aanchal\" (1962) and \"Daman\" (1963). <br>\r\n<div class=\"text-container text-default  \">\r\n<p>&nbsp;</p>\r\n<h2><span id=\"Personal_life\" class=\"mw-headline\">Personal life</span></h2>\r\n<p>Himayat Ali Shair married Meraj Naseem in 1949, they were together for 52&nbsp;years when his wife died in&nbsp;<a title=\"Toronto\" href=\"https://en.wikipedia.org/wiki/Toronto\">Toronto, Ontario</a>, Canada of&nbsp;<a title=\"Liver cancer\" href=\"https://en.wikipedia.org/wiki/Liver_cancer\">liver cancer</a>. She is buried in&nbsp;<a title=\"Pickering, Ontario\" href=\"https://en.wikipedia.org/wiki/Pickering,_Ontario\">Pickering</a>, Ontario, Canada where their children live.</p>\r\n<p>Himayat Ali Shair spent most of his time in Pakistan and Canada where his children live and frequently visited his hometown in India, where his siblings reside.</p>\r\n<h2><span id=\"Filmography\" class=\"mw-headline\">Filmography</span></h2>\r\n<p>Himayat Ali Shair wrote film songs for the following Pakistani films:</p>\r\n<ul>\r\n<li><em>Aanchal</em>&nbsp;(1962)</li>\r\n<li><em>Jab Se Dekha Hai Tumhein</em>&nbsp;(1962)</li>\r\n<li><em>Daaman</em>&nbsp;(1963)</li>\r\n<li><em>Dil Ne Tujhe Maan Liya</em></li>\r\n<li><em>Ek Tera Sahara</em>&nbsp;(1963)</li>\r\n<li><em>Khamosh Raho</em>&nbsp;(1964)</li>\r\n<li><a title=\"Kaneez (1965 film)\" href=\"https://en.wikipedia.org/wiki/Kaneez_(1965_film)\">Kaneez (1965 film)</a></li>\r\n<li><em>Naila</em>&nbsp;(1965) (Himayat Ali Shair wrote only one song for this popular film, the rest were written by&nbsp;<a title=\"Qateel Shifai\" href=\"https://en.wikipedia.org/wiki/Qateel_Shifai\">Qateel Shifai</a>)</li>\r\n<li><em>Mujahid</em>&nbsp;(1965)</li>\r\n<li><em>Lori</em>&nbsp;(1966) [wrote a highly popular&nbsp;<em>lori</em>&nbsp;(lullaby song) for this film]</li>\r\n<li><em>Tasveer</em>&nbsp;(1966)</li>\r\n<li><em>Wali-Ehad</em>&nbsp;(1968)</li>\r\n</ul>\r\n<h2><span id=\"List_of_Works.2FBibliography\"></span><span id=\"List_of_Works/Bibliography\" class=\"mw-headline\">List of Works/Bibliography</span></h2>\r\n<ul>\r\n<li><em>An Kahi</em>&nbsp;(a short story)</li>\r\n<li><em>Aag Mein Phool</em>&nbsp;(this collection of poetry won him a Presidential Award in 1959)</li>\r\n<li><em>Shikast-e-Aarzoo</em></li>\r\n<li><em>Mitti Ka Qarz</em>&nbsp;(poetry)</li>\r\n<li><em>Harf Harf Roshani</em>&nbsp;(poetry)</li>\r\n</ul>\r\n<h2><span id=\"Awards_and_recognition\" class=\"mw-headline\">Awards and recognition</span></h2>\r\n<ul>\r\n<li><a title=\"Pride of Performance\" href=\"https://en.wikipedia.org/wiki/Pride_of_Performance\">Pride of Performance</a>&nbsp;Award by the&nbsp;<a title=\"President of Pakistan\" href=\"https://en.wikipedia.org/wiki/President_of_Pakistan\">President of Pakistan</a>&nbsp;in 2002</li>\r\n<li><a class=\"mw-redirect\" title=\"Nigar Award\" href=\"https://en.wikipedia.org/wiki/Nigar_Award\">Nigar Award</a>&nbsp;for film&nbsp;<em>Aanchal</em>&nbsp;(1962) and&nbsp;<em>Daaman (1963) as 'Best Film Song Lyricist'</em></li>\r\n<li><em><a title=\"Makhdoom Mohiuddin\" href=\"https://en.wikipedia.org/wiki/Makhdoom_Mohiuddin\">Makhdoom Mohiuddin</a>&nbsp;International Award</em>&nbsp;in&nbsp;<a title=\"Delhi\" href=\"https://en.wikipedia.org/wiki/Delhi\">Delhi</a>, India in 1989</li>\r\n<li><em>Life Achievement Award</em>&nbsp;in Washington in 2001</li>\r\n<li><em><a class=\"mw-redirect\" title=\"Allama Iqbal\" href=\"https://en.wikipedia.org/wiki/Allama_Iqbal\">Allama Iqbal</a>&nbsp;Award</em></li>\r\n<li><em>Naqoosh Award</em></li>\r\n</ul>\r\n</div>","raw_bio":"Himayat Ali Shair (Urdu: حمایت علی شاعر‎; July 14, 1926 – July 16, 2019) was an Urdu poet, writer, film songwriter, actor and radio drama artist from Pakistan. He received the 2002 Pride of Performance Award for his literary services in Urdu literature from the president of Pakistan. He also received 2 Nigar Awards in 1962 and 1963 for 'Best Song Lyricist' for the Pakistani films \"Aanchal\" (1962) and \"Daman\" (1963).          Personal life   Himayat Ali Shair married Meraj Naseem in 1949, they were together for 52 years when his wife died in  Toronto, Ontario , Canada of  liver cancer . She is buried in  Pickering , Ontario, Canada where their children live.   Himayat Ali Shair spent most of his time in Pakistan and Canada where his children live and frequently visited his hometown in India, where his siblings reside.   Filmography   Himayat Ali Shair wrote film songs for the following Pakistani films:     Aanchal  (1962)   Jab Se Dekha Hai Tumhein  (1962)   Daaman  (1963)   Dil Ne Tujhe Maan Liya   Ek Tera Sahara  (1963)   Khamosh Raho  (1964)   Kaneez (1965 film)   Naila  (1965) (Himayat Ali Shair wrote only one song for this popular film, the rest were written by  Qateel Shifai )   Mujahid  (1965)   Lori  (1966) [wrote a highly popular  lori  (lullaby song) for this film]   Tasveer  (1966)   Wali-Ehad  (1968)     List of Works/Bibliography     An Kahi  (a short story)   Aag Mein Phool  (this collection of poetry won him a Presidential Award in 1959)   Shikast-e-Aarzoo   Mitti Ka Qarz  (poetry)   Harf Harf Roshani  (poetry)     Awards and recognition     Pride of Performance  Award by the  President of Pakistan  in 2002   Nigar Award  for film  Aanchal  (1962) and  Daaman (1963) as 'Best Film Song Lyricist'   Makhdoom Mohiuddin  International Award  in  Delhi , India in 1989   Life Achievement Award  in Washington in 2001   Allama Iqbal  Award   Naqoosh Award    ","slug":"himayat-ali-shair","DOB":"1926-07-14","DateOfDemise":"2019-07-14","location":"Aurangabad, Hyderabad Deccan, India","url":"/sootradhar/himayat-ali-shair","tags":null,"created":"2023-09-22T12:42:51.575588","is_has_special_post":true,"is_special_author":false,"language":21}],"description":"<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>","image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"}