{"count":17752,"next":"http://admin.kavishala.in/sootradhar/authors/?format=json&page=920","previous":"http://admin.kavishala.in/sootradhar/authors/?format=json&page=918","results":[{"id":17403,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"વાઘજી ઓઝા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ઓઝા વાઘજી આશારામ </u>\r\n\t\t(૧૮૫૦, ૧૮૯૬) : નાટ્યલેખક. વતન મોરબી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ધોરાજી અને ગોંડલમાં. રાજકોટની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મોરબીની અંગ્રેજી શાળામાં શિક્ષક. નાદુરસ્ત \r\n\t\tતબિયતને લીધે દસ વર્ષે નિવૃત્ત. પછીથી મોરબીના ઠાકોરના પુત્રના શિક્ષક. વચ્ચે જામનગરની અંગ્રેજી સ્કૂલમાં શિક્ષક. ૧૮૭૯માં ‘મોરબી આર્ય સુબોધ નાટક મંડળી’ની સ્થાપના અને નાટ્યલેખન તથા નાટકોની ભજવણી. \r\n\t\tગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષમાં સક્રિય યોગદાન. વઢવાણમાં અવસાન.\r\n\t\t<br/><br/> \r\n\t\tએમણે વિષયવસ્તુની દ્રષ્ટિએ ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો લખ્યાં છે, પરંતુ નાટકની ફલશ્રુતિ સંદર્ભે એમનો અભિગમ સત્યનો જય ને પાપનો ક્ષય-ના કવિન્યાયને અનુસરવા ઉપરાંત સુધારાવાદી રહ્યો છે. દરેક \r\n\t\tવર્ષે ત્રણ-ચાર સફળ નાટકો આપનાર આ નાટ્યકાર પાસેથી ‘સીતાસ્વંયવર’ (૧૮૭૮), ‘રાવણવધ’ (૧૮૮૦), ‘ઓખાહરણ’ (૧૮૮૦), ‘ચિત્રસેન ગંધર્વ’ (૧૮૮૧), ‘પૃથુરાજ રાઠોડ’ (૧૮૮૧), ‘ત્રિવિક્રમ’ (૧૮૮૨), ‘ચાંપરાજ \t\r\n\t\tહાડો’ (૧૮૮૪), ‘કેસરસિંહ પરમાર’ (૧૮૮૬), ‘ભર્તૃ હરિ’ (૧૮૮૬), ‘ત્રિયારાજ’ (૧૮૯૨), ‘રાજસિંહ (વીરબાળક)’ (૧૮૯૨) ‘સતી રાણકદેવી’ (૧૮૯૨), ‘ચન્દ્રહાસ’ (૧૯૦૩) વગેરે નાટકો મળ્યાં છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      ઓઝા વાઘજી આશારામ  \r \t\t(૧૮૫૦, ૧૮૯૬) : નાટ્યલેખક. વતન મોરબી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ધોરાજી અને ગોંડલમાં. રાજકોટની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મોરબીની અંગ્રેજી શાળામાં શિક્ષક. નાદુરસ્ત \r \t\tતબિયતને લીધે દસ વર્ષે નિવૃત્ત. પછીથી મોરબીના ઠાકોરના પુત્રના શિક્ષક. વચ્ચે જામનગરની અંગ્રેજી સ્કૂલમાં શિક્ષક. ૧૮૭૯માં ‘મોરબી આર્ય સુબોધ નાટક મંડળી’ની સ્થાપના અને નાટ્યલેખન તથા નાટકોની ભજવણી. \r \t\tગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષમાં સક્રિય યોગદાન. વઢવાણમાં અવસાન.\r \t\t  \r \t\tએમણે વિષયવસ્તુની દ્રષ્ટિએ ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો લખ્યાં છે, પરંતુ નાટકની ફલશ્રુતિ સંદર્ભે એમનો અભિગમ સત્યનો જય ને પાપનો ક્ષય-ના કવિન્યાયને અનુસરવા ઉપરાંત સુધારાવાદી રહ્યો છે. દરેક \r \t\tવર્ષે ત્રણ-ચાર સફળ નાટકો આપનાર આ નાટ્યકાર પાસેથી ‘સીતાસ્વંયવર’ (૧૮૭૮), ‘રાવણવધ’ (૧૮૮૦), ‘ઓખાહરણ’ (૧૮૮૦), ‘ચિત્રસેન ગંધર્વ’ (૧૮૮૧), ‘પૃથુરાજ રાઠોડ’ (૧૮૮૧), ‘ત્રિવિક્રમ’ (૧૮૮૨), ‘ચાંપરાજ \t\r \t\tહાડો’ (૧૮૮૪), ‘કેસરસિંહ પરમાર’ (૧૮૮૬), ‘ભર્તૃ હરિ’ (૧૮૮૬), ‘ત્રિયારાજ’ (૧૮૯૨), ‘રાજસિંહ (વીરબાળક)’ (૧૮૯૨) ‘સતી રાણકદેવી’ (૧૮૯૨), ‘ચન્દ્રહાસ’ (૧૯૦૩) વગેરે નાટકો મળ્યાં છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"vaghaji-ojha","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/vaghaji-ojha","tags":null,"created":"2024-02-03T20:39:23.309467","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17404,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"વર્ષા અડાલજા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>અડાલજા વર્ષા મહેન્દ્રભાઈ/આચાર્ય વર્ષા ગુણવંતરાય</u>\n\t\t(૧૦-૪-૧૯૪૦): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. વતન જામનગર. ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃતક સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી આકાશવાણી મુંબઈમાં \n\t\tપ્રવકતા. ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા’ નાં તંત્રી. ૧૯૬૬ થી લેખન-વ્યવસાય.\n\t\t<img src=\"/photos/pramukho/varsha-adalaja.jpg\"/><br/><br/> \n\t\t‘શ્રાવણ તારાં સરવડાં’ (૧૯૬૮), વિયેટનામના ભીષણ નરમેઘને આલેખતી ‘આતશ’ (૧૯૭૬), ‘ગાંઠ છૂટયાની વેળા’ (૧૯૮૦), જેલજીવનના વ્યાપક ભ્રષ્ટાચારને આલેખતી ‘બંદીવાન’ (૧૯૮૬) સુવાચ્ય નવલકથાઓ છે. તે ઉપરાંત સુવાચ્ય \n\t\tલઘુનવલોમાં ‘મારે પણ એક ઘર હોય’ (૧૯૭૧), ‘રેતપંખી’ (૧૯૭૪) અને ‘ખરી પડેલો ટહુકો’ (૧૯૮૩) સ્પર્શક્ષમ છે. ‘તિમિરના પડછાયા’ (૧૯૬૯)માં  છિન્નભિન્ન બનતું માનવ્યક્તિત્વ તથા ‘એક પળની પરખ’ (૧૯૬૯)માં રજૂ થયેલી \n\t\tઅંતર્યાતના સ્પર્શે છે. ‘પગલાં’ (૧૯૮૩) એક સરસ રહસ્યકથા બની છે. ‘પાંચ ને એક પાંચ’ (૧૯૬૯) રહસ્મયકથાનું વિષયવસ્તુ આકર્ષક છે. તેમ જ ‘અવાજનો આકાર’ (૧૯૭૫), ‘છેવટનું છેવટ’ (૧૯૭૬) તથા ‘પાછાં ફરતાં’ (૧૯૮૧) \n\t\tસુવાચ્ય રહસ્યકૃતિઓ છે. ‘નીલિમા મૃત્યુ પામી છે’ (૧૯૭૭)માં નાના નાના અંકોડા વડે કથાગૂંથણી થઈ છે. રહસ્યકથાઓના લેખનમાં એમણે પેરીમેસનનો પ્રભાવ ઝીલ્યો છે. ‘સાંજને ઉંબર’ (૧૯૮૩) અને ‘એ’ (૧૯૭૯) એમની \n\t\tટૂંકીવાર્તાઓના સંગ્રહો છે. \n\t\t<p align=\"right\">-દક્ષા વ્યાસ</p>\n<br/><br/> \n\t\tરેતપંખી (૧૯૭૪): એક પાત્રની આસપાસ ફરતી, વર્ષા અડાલજાની લઘુનવલ. નાયિકા સુનંદા બીજવર જગમોહનદાસને પરણીને પૂર્વપત્નીના મૃતવ્યક્તિત્વની છાયામાં, શ્રીધર તરફના આકર્ષણમાં, વયસ્ક સાવકાં પુત્રપુત્રી \n\t\tઅમલા-વિનયના પ્રતિકારમાં અને કાકાની દીકરી બહેન તારાના પુનઃપરિચયમાં કઈ રીતે પોતાની વિવિધ સંબંધરેખાઓ ઉપસાવે છે એની મનોગતિનો અહીં આલેખ છે. માનસિક સ્તર પર પહોંચવા જતી આ લઘુનવલમાં ફિલ્મી મનો વિશ્લેષણ \n\t\tપદ્ધતિના પડેલા ઓછાયા રોચક ન હોવા છતાં, સંવાદ કક્ષાએ એકંદરે જળવાયેલી તાજગી નોંધપાત્ર છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      અડાલજા વર્ષા મહેન્દ્રભાઈ/આચાર્ય વર્ષા ગુણવંતરાય  \t\t(૧૦-૪-૧૯૪૦): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. વતન જામનગર. ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃતક સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી આકાશવાણી મુંબઈમાં  \t\tપ્રવકતા. ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા’ નાં તંત્રી. ૧૯૬૬ થી લેખન-વ્યવસાય. \t\t   \t\t‘શ્રાવણ તારાં સરવડાં’ (૧૯૬૮), વિયેટનામના ભીષણ નરમેઘને આલેખતી ‘આતશ’ (૧૯૭૬), ‘ગાંઠ છૂટયાની વેળા’ (૧૯૮૦), જેલજીવનના વ્યાપક ભ્રષ્ટાચારને આલેખતી ‘બંદીવાન’ (૧૯૮૬) સુવાચ્ય નવલકથાઓ છે. તે ઉપરાંત સુવાચ્ય  \t\tલઘુનવલોમાં ‘મારે પણ એક ઘર હોય’ (૧૯૭૧), ‘રેતપંખી’ (૧૯૭૪) અને ‘ખરી પડેલો ટહુકો’ (૧૯૮૩) સ્પર્શક્ષમ છે. ‘તિમિરના પડછાયા’ (૧૯૬૯)માં  છિન્નભિન્ન બનતું માનવ્યક્તિત્વ તથા ‘એક પળની પરખ’ (૧૯૬૯)માં રજૂ થયેલી  \t\tઅંતર્યાતના સ્પર્શે છે. ‘પગલાં’ (૧૯૮૩) એક સરસ રહસ્યકથા બની છે. ‘પાંચ ને એક પાંચ’ (૧૯૬૯) રહસ્મયકથાનું વિષયવસ્તુ આકર્ષક છે. તેમ જ ‘અવાજનો આકાર’ (૧૯૭૫), ‘છેવટનું છેવટ’ (૧૯૭૬) તથા ‘પાછાં ફરતાં’ (૧૯૮૧)  \t\tસુવાચ્ય રહસ્યકૃતિઓ છે. ‘નીલિમા મૃત્યુ પામી છે’ (૧૯૭૭)માં નાના નાના અંકોડા વડે કથાગૂંથણી થઈ છે. રહસ્યકથાઓના લેખનમાં એમણે પેરીમેસનનો પ્રભાવ ઝીલ્યો છે. ‘સાંજને ઉંબર’ (૧૯૮૩) અને ‘એ’ (૧૯૭૯) એમની  \t\tટૂંકીવાર્તાઓના સંગ્રહો છે.  \t\t -દક્ષા વ્યાસ     \t\tરેતપંખી (૧૯૭૪): એક પાત્રની આસપાસ ફરતી, વર્ષા અડાલજાની લઘુનવલ. નાયિકા સુનંદા બીજવર જગમોહનદાસને પરણીને પૂર્વપત્નીના મૃતવ્યક્તિત્વની છાયામાં, શ્રીધર તરફના આકર્ષણમાં, વયસ્ક સાવકાં પુત્રપુત્રી  \t\tઅમલા-વિનયના પ્રતિકારમાં અને કાકાની દીકરી બહેન તારાના પુનઃપરિચયમાં કઈ રીતે પોતાની વિવિધ સંબંધરેખાઓ ઉપસાવે છે એની મનોગતિનો અહીં આલેખ છે. માનસિક સ્તર પર પહોંચવા જતી આ લઘુનવલમાં ફિલ્મી મનો વિશ્લેષણ  \t\tપદ્ધતિના પડેલા ઓછાયા રોચક ન હોવા છતાં, સંવાદ કક્ષાએ એકંદરે જળવાયેલી તાજગી નોંધપાત્ર છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"varsa-adalaja","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/varsa-adalaja","tags":null,"created":"2024-02-03T20:39:23.526987","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17405,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"વઝીરુદ્દીન અલવી","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>અલવી વઝીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજૂ માતરી’ </u>\r\n\t\t(૧-૧-૧૯૩૧) : કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર.\r\n\t\t‘અહેવાલના’ (૧૯૭૯)માંની આધુનિક અછાંદસ કવિતાની સગોત્ર આઝાદ નઝમો કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. ‘સરગમ’ (૧૯૭૩)માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યોનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્રો છે. \r\n\t\t‘ઊંડા કૂવા ને ટૂંકા દોરડા’ (૧૯૭૯) તથા ‘કાંટે કાંટે ગુલાબ’ (૧૯૮૧) મુસ્લિમ ગ્રામસમાજના વાતાવરણ વચ્ચે આકાર લેતા માણસની નવલકથાઓ છે.\r\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      અલવી વઝીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજૂ માતરી’  \r \t\t(૧-૧-૧૯૩૧) : કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર.\r \t\t‘અહેવાલના’ (૧૯૭૯)માંની આધુનિક અછાંદસ કવિતાની સગોત્ર આઝાદ નઝમો કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. ‘સરગમ’ (૧૯૭૩)માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યોનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્રો છે. \r \t\t‘ઊંડા કૂવા ને ટૂંકા દોરડા’ (૧૯૭૯) તથા ‘કાંટે કાંટે ગુલાબ’ (૧૯૮૧) મુસ્લિમ ગ્રામસમાજના વાતાવરણ વચ્ચે આકાર લેતા માણસની નવલકથાઓ છે.\r \t\t    આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"vajhiruddina-alavi","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/vajhiruddina-alavi","tags":null,"created":"2024-02-03T20:39:23.748094","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17406,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"વેણીભાઈ પુરોહિત","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પુરોહિત વેણીભાઈ જમનાદાસ, ‘સંત ખુરશીદાસ’ </u>\n\t\t(૧-૨-૧૯૧૬, ૩-૧-૧૯૮૦) : કવિ, વાર્તાકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. વ્યવસાયાર્થે મુંબઈમાં ‘બે ઘડી મોજ’માં જોડાયા. \n\t\t૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં ‘પ્રભાત’ દૈનિક, ‘ભારતી સાહિત્ય સંઘ’ અને ‘સસ્તું સાહિત્ય’માં પ્રુફફરીડિંગ. ૧૯૪૨ ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪ થી ૧૯૪૯ સુધી ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર. ૧૯૪૯થી \t\t\n\t\tજીવનના અંત સુધી મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં. મુંબઈમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tએમણે ‘સિંજારવ’ (૧૯૫૫), ‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨), ‘દીપ્તિ’ (૧૯૬૬) અને ‘આચમન’ (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. માત્રા \n\t\tમેળ દેશીઓ, સંસ્કૃતવૃત્તો ને અછાંદસમાં પણ એમણે રચનાઓ કરી છે. એમની કવિતાનું ઉત્તમાંગ ગીતો અને ભજનો છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમનાં ગીતોમાં શબ્દસંગીતથી સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. ‘નાનકડી \n\t\tનારનો મેળો’, ‘ઝરમર’, ‘અમારા મનમાં’, ‘પરોઢિયાની પદમણી’ વગેરે નોંધપાત્ર ગીતો છે. ભજનોમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લયઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે. \n\t\t‘નયણાં’, ‘અમલકટોરી’, ‘હેલી’, ‘વિસામો’, ‘સુખડ અને બાવળ’ વગેરે ઉત્તમ ભજનો છે. મસ્તી, માધુર્ય, ચિત્રાત્મકતા, પ્રવાહિતા અને મોકળાશ એ એમની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓ છે. પ્રણય, પ્રભુ, દેશભક્તિ, પ્રકૃતિ અને તત્કાલીન \n\t\tઘટનાઓનું નિરૂપણ એમણે રંગદર્શી દ્રષ્ટિથી કર્યું છે.\n\t\t<br/><br/> \n\t\tએમની કેટલીક ગઝલો સ્મરણીય છે; છતાં એકંદરે ગઝલ, સૉનેટ કે અછાંદસમાં એમને ખાસ સફળતા મળી નથી. ‘અખાભગત’ના ઉપનામથી એમણે ‘જન્મભૂમિ’માં કટાક્ષ-કટાર ચલાવી હતી, તેમાં તત્કાલીનતા વધુ અને કવિતા ઓછી છે. \n\t\t‘કાવ્યપ્રયાગ’ (૧૯૭૮)માં પ્રાચીન-અદ્યતન કાવ્યોનો અરૂઢ ભાષામાં ભાવલક્ષી આસ્વાદ કરાવેલો છે. એમણે ‘અત્તરના દીવા’ (૧૯૫૨), ‘વાંસનું વન’, ‘સેતુ’ નામના વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      પુરોહિત વેણીભાઈ જમનાદાસ, ‘સંત ખુરશીદાસ’   \t\t(૧-૨-૧૯૧૬, ૩-૧-૧૯૮૦) : કવિ, વાર્તાકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. વ્યવસાયાર્થે મુંબઈમાં ‘બે ઘડી મોજ’માં જોડાયા.  \t\t૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં ‘પ્રભાત’ દૈનિક, ‘ભારતી સાહિત્ય સંઘ’ અને ‘સસ્તું સાહિત્ય’માં પ્રુફફરીડિંગ. ૧૯૪૨ ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪ થી ૧૯૪૯ સુધી ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર. ૧૯૪૯થી \t\t \t\tજીવનના અંત સુધી મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં. મુંબઈમાં અવસાન. \t\t   \t\tએમણે ‘સિંજારવ’ (૧૯૫૫), ‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨), ‘દીપ્તિ’ (૧૯૬૬) અને ‘આચમન’ (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. માત્રા  \t\tમેળ દેશીઓ, સંસ્કૃતવૃત્તો ને અછાંદસમાં પણ એમણે રચનાઓ કરી છે. એમની કવિતાનું ઉત્તમાંગ ગીતો અને ભજનો છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમનાં ગીતોમાં શબ્દસંગીતથી સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. ‘નાનકડી  \t\tનારનો મેળો’, ‘ઝરમર’, ‘અમારા મનમાં’, ‘પરોઢિયાની પદમણી’ વગેરે નોંધપાત્ર ગીતો છે. ભજનોમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લયઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે.  \t\t‘નયણાં’, ‘અમલકટોરી’, ‘હેલી’, ‘વિસામો’, ‘સુખડ અને બાવળ’ વગેરે ઉત્તમ ભજનો છે. મસ્તી, માધુર્ય, ચિત્રાત્મકતા, પ્રવાહિતા અને મોકળાશ એ એમની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓ છે. પ્રણય, પ્રભુ, દેશભક્તિ, પ્રકૃતિ અને તત્કાલીન  \t\tઘટનાઓનું નિરૂપણ એમણે રંગદર્શી દ્રષ્ટિથી કર્યું છે. \t\t   \t\tએમની કેટલીક ગઝલો સ્મરણીય છે; છતાં એકંદરે ગઝલ, સૉનેટ કે અછાંદસમાં એમને ખાસ સફળતા મળી નથી. ‘અખાભગત’ના ઉપનામથી એમણે ‘જન્મભૂમિ’માં કટાક્ષ-કટાર ચલાવી હતી, તેમાં તત્કાલીનતા વધુ અને કવિતા ઓછી છે.  \t\t‘કાવ્યપ્રયાગ’ (૧૯૭૮)માં પ્રાચીન-અદ્યતન કાવ્યોનો અરૂઢ ભાષામાં ભાવલક્ષી આસ્વાદ કરાવેલો છે. એમણે ‘અત્તરના દીવા’ (૧૯૫૨), ‘વાંસનું વન’, ‘સેતુ’ નામના વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"venibhai-purohita","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/venibhai-purohita","tags":null,"created":"2024-02-03T20:39:23.946245","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17407,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"વિદ્યાગૌરી નીલકંઠ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ </u>\n\t\t(૧-૬-૧૮૭૬, ૭-૧૨-૧૯૫૮) : નિબંધકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. કેળવણીનો આરંભ રા. બા. મગનભાઈ કન્યાશાળામાં. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં. ૧૮૯૧માં \n\t\tમૅટ્રિક. એમનાં નાના બહેન શારદાબહેન સાથે ગુજરાત કૉલેજમાંથી ૧૯૦૧માં બી.એ. ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌપ્રથમ આ બે બહેનો. ૧૮૮૯માં એમનું લગ્ન સર રમણભાઈ નીલકંઠ સાથે થયું. અમદાવાદની \n\t\tસંખ્યાબંધ જાહેર સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં. ગુજરાત વિદ્યાસભાનાં મંત્રી અને ૧૯૪૬માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા સંમેલનમાં પ્રમુખ. ૧૯૪૭ થી ગુજરાત સાહિત્ય સભાનાં પ્રમુખ. \n\t\t<br/><br/>\n\t\tપ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ સક્રિય. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેટલાક સમય સરકાર નિયુક્ત સભાસદ. ૧૯૨૬માં ‘કૈસરે હિન્દ’ નો ઈલકાબ.\n\t\t<br/><br/>\n\t\tએમણે દૈનંદૈનીય જીવનના પ્રસંગો લઈ નર્મમર્મયુક્ત હાસ્ય પ્રગટ કરતા નિબંધો આપ્યાં છે; તો સુશ્લિષ્ટ ચરિત્રાત્મક લેખો પણ આપ્યાં છે. એમની સ્વસ્થ અને શિષ્ટમિષ્ટ શૈલી આકર્ષક છે. ‘ફોરમ’ (૧૯૫૫)માં પોતાને \n\t\tમાર્ગદર્શક બનેલા સ્વજનો, સ્નેહીઓ અને સંબંધીઓનાં સ્મૃતિચિત્રો આલેખી એમણે સ્વ-અતીતને સજીવ કર્યો છે. એમણે ‘ગૃહદીપિકા’ (૧૯૩૧), ‘નારીકુંજ’ (૧૯૫૬) અને ‘જ્ઞાનસુધા’ (૧૯૫૭) જેવા લેખસંગ્રહો પ્રકટ કર્યા છે. \n\t\tએમણે ‘પ્રો. ઘોંડો કેશવ ક્વે’ (૧૯૧૬) ચરિત્ર પણ લખ્યું છે. એમના છૂટક લેખોનો સમાવેશ ‘હાસ્યમંદિર’નાં થયો છે. એમણે રમેશ દત્તની વાર્તા ‘લેક ઑવ ધ સામ્સ’ નો ‘સુધાહાસિની’ (૧૯૦૭) નામે તથા વડોદરામાં \n\t\tમહારાણીશ્રીએ અંગ્રેજીમાં લખેલ પુ્સ્તક ‘પોઝિશન ઑવ વિમેન ઈન ઈન્ડિયા’ નો ‘હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ (૧૯૧૫) નામે અનુવાદ આપ્યા છે.\t\t\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ   \t\t(૧-૬-૧૮૭૬, ૭-૧૨-૧૯૫૮) : નિબંધકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. કેળવણીનો આરંભ રા. બા. મગનભાઈ કન્યાશાળામાં. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં. ૧૮૯૧માં  \t\tમૅટ્રિક. એમનાં નાના બહેન શારદાબહેન સાથે ગુજરાત કૉલેજમાંથી ૧૯૦૧માં બી.એ. ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌપ્રથમ આ બે બહેનો. ૧૮૮૯માં એમનું લગ્ન સર રમણભાઈ નીલકંઠ સાથે થયું. અમદાવાદની  \t\tસંખ્યાબંધ જાહેર સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં. ગુજરાત વિદ્યાસભાનાં મંત્રી અને ૧૯૪૬માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા સંમેલનમાં પ્રમુખ. ૧૯૪૭ થી ગુજરાત સાહિત્ય સભાનાં પ્રમુખ.  \t\t  \t\tપ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ સક્રિય. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેટલાક સમય સરકાર નિયુક્ત સભાસદ. ૧૯૨૬માં ‘કૈસરે હિન્દ’ નો ઈલકાબ. \t\t  \t\tએમણે દૈનંદૈનીય જીવનના પ્રસંગો લઈ નર્મમર્મયુક્ત હાસ્ય પ્રગટ કરતા નિબંધો આપ્યાં છે; તો સુશ્લિષ્ટ ચરિત્રાત્મક લેખો પણ આપ્યાં છે. એમની સ્વસ્થ અને શિષ્ટમિષ્ટ શૈલી આકર્ષક છે. ‘ફોરમ’ (૧૯૫૫)માં પોતાને  \t\tમાર્ગદર્શક બનેલા સ્વજનો, સ્નેહીઓ અને સંબંધીઓનાં સ્મૃતિચિત્રો આલેખી એમણે સ્વ-અતીતને સજીવ કર્યો છે. એમણે ‘ગૃહદીપિકા’ (૧૯૩૧), ‘નારીકુંજ’ (૧૯૫૬) અને ‘જ્ઞાનસુધા’ (૧૯૫૭) જેવા લેખસંગ્રહો પ્રકટ કર્યા છે.  \t\tએમણે ‘પ્રો. ઘોંડો કેશવ ક્વે’ (૧૯૧૬) ચરિત્ર પણ લખ્યું છે. એમના છૂટક લેખોનો સમાવેશ ‘હાસ્યમંદિર’નાં થયો છે. એમણે રમેશ દત્તની વાર્તા ‘લેક ઑવ ધ સામ્સ’ નો ‘સુધાહાસિની’ (૧૯૦૭) નામે તથા વડોદરામાં  \t\tમહારાણીશ્રીએ અંગ્રેજીમાં લખેલ પુ્સ્તક ‘પોઝિશન ઑવ વિમેન ઈન ઈન્ડિયા’ નો ‘હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ (૧૯૧૫) નામે અનુવાદ આપ્યા છે.\t\t \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"vidyagauri-nilakantha","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/vidyagauri-nilakantha","tags":null,"created":"2024-02-03T20:39:24.177988","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17408,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"વિનોદ અધ્વર્યુ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>અધ્વર્યુ વિનોદ બાપાલાલ </u>\n\t\t(૨૪-૧-૧૯૨૭) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ ડાકોરમાં. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ડાકોરમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં વિલ્સન કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. \n\t\tતથા ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાત મુખ્ય વિષય સાથે એમ.એ. ૧૯૫૪માં એ. જી. ટીચર્સ કૉલેજમાંથી બી.એડ. અને ૧૯૫૭માં એમ.એડ. ૧૯૫૭ થી ૧૯૬૯ સુધી અમદાવાદની બી. ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના \n\t\tપ્રાધ્યાપક. ૧૯૬૯ થી બાલાસિનોરની આર્ટસ-કૉમર્સ કૉલેજના આચાર્ય. ૧૯૮૭ થી નિવૃત્ત.\n\t\t<br/><br/> \t\n\t\tકાવ્યસંગ્રહ ‘નંદિતા’ (૧૯૬૦)માં પ્રયોગશીલ કવિતા છે. અર્થઘનતા, પ્રતીકાત્મકતા અને લાઘવ એમની કવિતાનાં પ્રમુખ લક્ષણો છે. એમણે નવલકથા સાહિત્યસ્વરૂપ પર ‘માયાલોક’ (કનુભાઈ જાની સાથે, ૧૯૬૫) નામક \n\t\tપુસ્તક આપ્યું છે. ‘ગુજરાતી નાટકનું ગદ્ય’ (૧૯૬૭)માં નાટકની ભાષા તપાસી છે. ‘રંગલોક’ (૧૯૮૭) નાટ્યસાહિત્યવિષયક લેખોનો સંગ્રહ છે. પ્રેમાનંદ તથા નરસિંહ કૃત ‘સુદામાચરિત’ (૧૯૬૬)ના સંપાદન ઉપરાંત એમણે \n\t\tપ્રેમાનંદકૃત ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૮)નું સંપાદન કર્યું છે. ‘ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૮૩) અને ‘સુવર્ણ કેસૂડાં-એકાંકી’ (૧૯૮૪) પણ એમનાં સંપાદનો છે. \n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      અધ્વર્યુ વિનોદ બાપાલાલ   \t\t(૨૪-૧-૧૯૨૭) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ ડાકોરમાં. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ડાકોરમાં. ૧૯૪૩માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં વિલ્સન કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.  \t\tતથા ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાત મુખ્ય વિષય સાથે એમ.એ. ૧૯૫૪માં એ. જી. ટીચર્સ કૉલેજમાંથી બી.એડ. અને ૧૯૫૭માં એમ.એડ. ૧૯૫૭ થી ૧૯૬૯ સુધી અમદાવાદની બી. ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના  \t\tપ્રાધ્યાપક. ૧૯૬૯ થી બાલાસિનોરની આર્ટસ-કૉમર્સ કૉલેજના આચાર્ય. ૧૯૮૭ થી નિવૃત્ત. \t\t  \t \t\tકાવ્યસંગ્રહ ‘નંદિતા’ (૧૯૬૦)માં પ્રયોગશીલ કવિતા છે. અર્થઘનતા, પ્રતીકાત્મકતા અને લાઘવ એમની કવિતાનાં પ્રમુખ લક્ષણો છે. એમણે નવલકથા સાહિત્યસ્વરૂપ પર ‘માયાલોક’ (કનુભાઈ જાની સાથે, ૧૯૬૫) નામક  \t\tપુસ્તક આપ્યું છે. ‘ગુજરાતી નાટકનું ગદ્ય’ (૧૯૬૭)માં નાટકની ભાષા તપાસી છે. ‘રંગલોક’ (૧૯૮૭) નાટ્યસાહિત્યવિષયક લેખોનો સંગ્રહ છે. પ્રેમાનંદ તથા નરસિંહ કૃત ‘સુદામાચરિત’ (૧૯૬૬)ના સંપાદન ઉપરાંત એમણે  \t\tપ્રેમાનંદકૃત ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૮)નું સંપાદન કર્યું છે. ‘ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૮૩) અને ‘સુવર્ણ કેસૂડાં-એકાંકી’ (૧૯૮૪) પણ એમનાં સંપાદનો છે.  \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"vinoda-adhvaryu","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/vinoda-adhvaryu","tags":null,"created":"2024-02-03T20:39:24.395402","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17409,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"વિનોદિની નીલકંઠ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>નીલકંઠ વિનોદિની રમણભાઈ </u>\n\t\t(૯-૨-૧૯૦૭, ૨૯-૯-૧૯૮૭) : નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર, બાળસાહિત્યલેખક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં. માધ્યમિક શિક્ષણ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં. ૧૯૨૮માં અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી\n\t\t અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયો સાથે બી.એ. ૧૯૩૦માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં એમ.એ. વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલનાં હેડમિસ્ટ્રેસ. એસ.એન.ડી.ટી. \n\t\t મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા. વિવિધ સમાચારપત્રોમાં કટારલેખિકા.\n\t\t<br/><br/>\n\t\t‘કદલીવન’ (૧૯૪૬) એમની નવલકથા છે. ‘આરસીની ભીતર’ (૧૯૪૨), ‘કાર્પાસી અને બીજી વાતો’ (૧૯૫૧), ‘દિલ દરિયાવનાં મોતી’ (૧૯૫૮), ‘અંગુલિનો સ્પર્શ’ (૧૯૬૫) વગેરે એમના નવલિકાગ્રંથો છે. ‘રસદ્વાર’ (૧૯૨૮) \n\t\tનિબંધસંગ્રહમાં નારીહૃદયનો કુમાશભર્યો ઉઘાડ છે. ‘ઘરઘરની જ્યોત’- ભા.૧, ૨, ૩, ૪ (૧૯૫૫, ૧૯૫૮, ૧૯૬૪, ૧૯૬૯)માં એમનાં પ્રસંગચિત્રોનો સંચય છે. ‘નિજાનંદ’ (૧૯૭૬)માં પ્રવાસચિત્રો છે. ‘વિદ્યાગૌરી નીલકંઠ’ જીવનચરિત્ર છે. \n\t\t‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ (૧૯૪૨) સંશોધનગ્રંથ છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે ‘શિશુરંજના’ (૧૯૫૦), ‘મેંદીની મંજરી’ (૧૯૫૬), ‘બાળકોની દુનિયામાં ડોકિયું’, ‘સફરચંદ’ (૧૯૬૪), ‘પડછંદ કઠિયારો’ (૧૯૬૪) વગેરે બાળસાહિત્ય પણ આપ્યું છે. ‘ઘરનો વહીવટ’ (૧૯૫૯), ‘બાળસુરક્ષા’ (૧૯૬૧), \n\t\t‘મુક્તજનોની ભૂમિ’ (૧૯૬૬), ‘સુખની સિદ્ધિ-સમાજવિદ્યા’ (૧૯૬૮) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      નીલકંઠ વિનોદિની રમણભાઈ   \t\t(૯-૨-૧૯૦૭, ૨૯-૯-૧૯૮૭) : નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર, બાળસાહિત્યલેખક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં. માધ્યમિક શિક્ષણ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં. ૧૯૨૮માં અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી \t\t અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયો સાથે બી.એ. ૧૯૩૦માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં એમ.એ. વનિતા વિશ્રામ, અમદાવાદનાં અધિષ્ઠાત્રી. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલનાં હેડમિસ્ટ્રેસ. એસ.એન.ડી.ટી.  \t\t મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા. વિવિધ સમાચારપત્રોમાં કટારલેખિકા. \t\t  \t\t‘કદલીવન’ (૧૯૪૬) એમની નવલકથા છે. ‘આરસીની ભીતર’ (૧૯૪૨), ‘કાર્પાસી અને બીજી વાતો’ (૧૯૫૧), ‘દિલ દરિયાવનાં મોતી’ (૧૯૫૮), ‘અંગુલિનો સ્પર્શ’ (૧૯૬૫) વગેરે એમના નવલિકાગ્રંથો છે. ‘રસદ્વાર’ (૧૯૨૮)  \t\tનિબંધસંગ્રહમાં નારીહૃદયનો કુમાશભર્યો ઉઘાડ છે. ‘ઘરઘરની જ્યોત’- ભા.૧, ૨, ૩, ૪ (૧૯૫૫, ૧૯૫૮, ૧૯૬૪, ૧૯૬૯)માં એમનાં પ્રસંગચિત્રોનો સંચય છે. ‘નિજાનંદ’ (૧૯૭૬)માં પ્રવાસચિત્રો છે. ‘વિદ્યાગૌરી નીલકંઠ’ જીવનચરિત્ર છે.  \t\t‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ (૧૯૪૨) સંશોધનગ્રંથ છે. \t\t  \t\tએમણે ‘શિશુરંજના’ (૧૯૫૦), ‘મેંદીની મંજરી’ (૧૯૫૬), ‘બાળકોની દુનિયામાં ડોકિયું’, ‘સફરચંદ’ (૧૯૬૪), ‘પડછંદ કઠિયારો’ (૧૯૬૪) વગેરે બાળસાહિત્ય પણ આપ્યું છે. ‘ઘરનો વહીવટ’ (૧૯૫૯), ‘બાળસુરક્ષા’ (૧૯૬૧),  \t\t‘મુક્તજનોની ભૂમિ’ (૧૯૬૬), ‘સુખની સિદ્ધિ-સમાજવિદ્યા’ (૧૯૬૮) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"vinodini-nilakantha","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/vinodini-nilakantha","tags":null,"created":"2024-02-03T20:39:24.672130","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17410,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"વિષ્ણુપ્રસાદ ત્રિવેદી","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ, ‘પ્રેરિત’ </u>\n\t\t(૪-૭-૧૮૯૯) : વિવેચક. જન્મ વતન ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં. ૧૯૧૬માં નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. એ જ વર્ષે \n\t\tઅમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા. આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિ પોષાઈ. ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે પ્રથમ વર્ગમાં બી.એ. થઈ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૨૧માં સુરતની \n\t\tએમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી અને સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૬૧માં એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત. ૧૯૪૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૫-૧૯૪૯નો નર્મદચંદ્રક. ૧૯૬૨માં \n\t\tસાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૪૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરીમાં મળેલા અધિવેશનમાં ભાષાવિજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૪૯માં જૂનાગઢ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. કલકત્તા ખાતે મળેલ સાહિત્ય પરિષદના \n\t\tઅધિવેશનમાં ૧૯૬૧ના અધ્યક્ષ. ૧૯૭૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી. ૧૯૭૪માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ.\n\t\t<br/><br/>\n\t\t‘વિવેચના’ (૧૯૩૯) એમનો પ્રથમ વિવેચનસંગ્રહ. એ પછી એમની પાસેથી ‘પરિશીલન’ (૧૯૪૯), ‘ઉપાયન’ (૧૯૬૧) અને ‘સાહિત્યસંસ્પર્શ’ (૧૯૭૯) નામક વિવેચનસંગ્રહો મળ્યા છે. એમણે ૧૯૪૬માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનો \n\t\t‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ (૧૯૫૦)માં ઉપલબ્ધ થયાં છે. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાં એમણે આપેલાં ગો. મા. ત્રિપાઠી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો ‘ગોવર્ધનરામઃ ચિંતક ને સર્જક’ (૧૯૬૩) નામે મળ્યાં છે.\n\t\t<br/><br/>\n\t\tએમની સાહિત્યરુચિ મુખ્યત્વે અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી ઘડાયેલી છે. ૧૯૨૪માં એમની પાસેથી પહેલો વિવેચનલેખ મળ્યો છે ‘સરસ્વતીચંદ્ર.’ છત્રીસ વર્ષ પછી, ૧૯૬૦માં ગોવર્ધનરામ પરની વ્યાખ્યાનમાળામાં એમનો ઉપક્રમ \n\t\t‘સરસ્વતીચંદ્ર’નાં પ્રભાવક તત્વો શોધવા-સારવવાનો જણાય છે. ‘ગોવર્ધનરામની શૈલી’ વિશેના બે લેખોમાં એમણે એ શૈલીની ત્રણ ભૂમિકાઓની સોદાહરણ ચર્ચા કરી છે. અન્ય વ્યાખ્યાનલેખોમાં એમણે ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા \n\t\tઅને સાક્ષરભાવનાની તપાસ કરી તેમના જીવનતત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા’ ની સર્જકતાનું મૂલ્યાંકન કર્યું છે તેમ જ ‘સરસ્વતીચંદ્ર’ નું રહસ્ય છતું કર્યું છે. ગોવર્ધનરામ વિષયક વિવેચનામાં એમની તત્વદર્શી ને \n\t\tસૌંદર્યગ્રાહી વિવેચકશક્તિનાં સુભગ દર્શન થાય છે.\n\t\t<br/><br/>\n\t\tએમના પ્રત્યક્ષ સાહિત્યવિવેચનમાં નિબંધસાહિત્યનું એમણે કરેલું વિવેચન માર્મિક છે. આનંદશંકર વિષયક લેખોમાં તેમના ધર્મચિન્તનને અવલોકવાનો પ્રયાસ છે. ‘ઇતિહાસ દિગ્દર્શન’ ની સમીક્ષામાં એમણે બ. ક. ઠાકોરની દીર્ઘદ્રષ્ટિ અને \n\t\tદેશભક્તિ તરફ ધ્યાન ખેંચ્યું છે. ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય’ નાં પાંચ વ્યાખ્યાનોમાં સુધારા ઉપરના વિવેચનાત્મક અને ધર્મવિચારધારાઓ વિશેના ગદ્યની સોદાહરણ તપાસ છે.\n\t\t<br/><br/>\n\t\tકવિઓ અને કાવ્યસંગ્રહોનાં વિવેચનોમાં એમની વિષયપસંદગી સામાન્ય સ્તરની છે, છતાં તેમાં એમની કાવ્યસમજ નિહિત છે. દલપતરામ, ખબરદાર, ‘શેષ’ વગેરે કવિઓનું એમણે કરેલું મૂલ્યાંકન ઉલ્લેખનીય છે. ‘મત્સ્યગંધા અને બીજાં \n\t\tનાટકો’ તથા ‘રાઈનો પર્વત’ પરનાં એમનાં લખાણો એમની નાટ્યવિવેચનની સૂઝ પ્રગટ કરે છે. નવલકથામાં ‘સરસ્વતીચંદ્ર’ ઉપરાંત ‘ગુજરાતનો નાથ’ ની એમણે કરેલી સમીક્ષા નોંધપાત્ર છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે ગ્રંથસમીક્ષાનું કાર્ય વર્ષો સુધી એકધારું કર્યું છે. કેટલીક ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક અભિગમ પણ જોવા મળે છે. એમનું ચિત્તતંત્ર સૂક્ષ્મસંવેદી અને સહૃદય હોવાને લીધે સાહિત્યકૃતિની મૂલ્યવત્તાને એમણે રસજ્ઞતાથી અને \n\t\tઅભ્યાસશીલતાથી ગ્રાહ્ય કરી છે. એમનાં અનેક નિરીક્ષણો માર્મિક, વેધક અને જે તે સાહિત્યકૃતિના રહસ્યને અનાવૃત્ત કરનારાં છે. વિવેચનમાં વિવેચકના વ્યક્તિત્વની મુદ્રા અંકિત થવી જોઈએ એવી માન્યતાને લીધે એમનાં ગ્રંથાવલોકનોમાં \n\t\tસંસ્કારગ્રાહી અંશો વિશેષ છે. એમની પાસેથી કૃતિનાં સર્વાશ્લેષી મૂલ્યાંકનો પ્રમાણમાં ઓછાં મળ્યાં છે. તાજગીપૂર્ણ અને મર્મદ્યોતક નિરીક્ષણો આપતાં ગ્રંથાવલોકનોમાં સુશ્વિલષ્ટતાની ઊણપ ક્યારેક જોવા મળે છે.\n\t\t<br/><br/>\n\t\tપ્રત્યક્ષ વિવેચન કરતાં કરતાં એમણે સાહિત્યસિદ્ધાંતોની ફેરતપાસ નિમિત્તે, ક્યારેક તત્વચર્ચાના પ્રત્યાધાત રૂપે તો ક્યારેક કોઈ મુદ્દા પર ઊહાપોહ જગવવા સાહિત્યતત્વચર્ચા કરી છે. એમની કવિતાકળાવિષયક વિચારણામાં કવિ, કાવ્ય અને \n\t\tભાવકના પરસ્પર સંબંધની ચર્ચા છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ એ લેખનો મોટો ભાગ કાવ્યની સ્વરૂપચર્ચામાં રોકાયેલો છે. તેઓ કલાકૃતિના સૌંદર્યાનુભવને ‘રમણીયતા’ તરીકે ઓળખાવે છે અને તેમાં મૂલ્યબોધનો સમાવેશ કરે છે. એમની આ \n\t\tવિચારણા પર મૅથ્યુ આર્નલ્ડ, ક્રોચે જેવા પાશ્ચાત્ય વિવેચકોનો પ્રભાવ છે. કૃતિની રૂપરચનાગત રમણીયતાને એમણે પૂરતું મહત્વ આપ્યું નથી.\n\t\t<br/><br/>\n\t\tએમના મતે વિવેચકનું કર્તવ્ય કલાકૃતિની રમણીયતાને સમજવાનું દ્રષ્ટિબિંદુ નિર્ધારી આપવાનું છે. ‘વિવેચનનો ઉદભવ’ માં તેઓ કહે છે કે વિવેચને આનંદપર્યવસાયી બનવાનું નથી, મૂળ કલાકૃતિએ અનુભવાયેલી આનંદસમાધિનું સ્વરૂપ \n\t\tતપાસવાનું છે. વિવેચન વિશેનો એમનો દ્રષ્ટિકોણ કૌતુકરાગી છે અને વિવેચનને સર્જનાત્મક આવિષ્કાર માનવાનું એમનું વલણ છે. વિવેચકને તેઓ ‘જીવનફિલસૂફ અને કલાફિલસૂફ’ કહે છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવોની ચર્ચા પણ કરી છે. એમને રસસિદ્ધાંત અને સાધારણીકરણની સમગ્ર ચર્ચા સાંપ્રત સાહિત્યના સંદર્ભે અપર્યાપ્ત લાગી છે. એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની કેટલીક સંજ્ઞાઓની પુનર્વિચારણા કરી \n\t\tતેની મર્યાદાઓ ચીંધી છે અને એ સંદર્ભે મૌલિક વિચારણા પ્રસ્તુત કરી છે. \n\t\t<br/><br/>\n\t\t‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ’ લેખમાં, કલકત્તા ખાતેના સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં તથા ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’માં એમણે વિભિન્ન નિમિત્તોએ હેમચંદ્રથી માંડી વર્તમાન સમય સુધીના ગુજરાતી \n\t\tસાહિત્યના મુખ્ય પ્રવાહોની ગતિવિધિનો આલેખ દોરી આપ્યો છે. એમણે કરેલી ગદ્યવિચારણા ગુજરાતી વિવેચનક્ષેત્રે આગવી ભાત પાડે છે.\n\t\t<br/><br/>\n\t\tએમની સમગ્ર વિવેચનામાં કૌતુકરાગી વિવેચનાની વિશેષતાઓ અને મર્યાદાઓ દ્રષ્ટિગોચર થાય છે. ઊંડી સૂઝ, માર્મિકતા, રસાન્વિત સૌંદર્યદ્રષ્ટિ, અભિજાત રુચિનીસ્નિગ્ધતા અને નિરૂપણની તાજપ એ વિશેષતાઓ છે; તો સુશ્વલિષ્ટતાનો \n\t\tઅભાવ, કૃતિનું ખંડદર્શન, વાગ્મિતા અને એખપક્ષી અભિનિવેશ એ મર્યાદાઓ છે. વાક્યાન્વયોના વિશિષ્ટ મરોડોમાં, લાક્ષણિક કાકુઓમાં, કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં અને અભિનિવેશોમાં પ્રગટતા ભાવોદ્રેકોમાં ઈષ્ટ અર્થપિંડને સાકાર કરતી \n\t\tએમની ગદ્યશૈલીની વિવિધ છટાઓ જોવા મળે છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે વિવેચનની સાથે સાથે મુખ્યત્વે લેખન-કારકિર્દીના પ્રારંભે કવિતા, વાર્તા, સર્જનાત્મક નિબંધ પ્રકારની કેટલીક રચનાઓ કરેલી. ‘ભાવનાસૃષ્ટિ’ (૧૯૨૪)માં ફેન્ટસીઝ પ્રકારનાં ભાવનારંગી અને નિબંધ લખાણો ગ્રંથસ્થ થયાં છે. એના પર \n\t\tન્હાનાલાલની ‘પાંખડીઓ’ નો પ્રભાવ વરતાય છે. ‘દ્રુમપર્ણ’ (૧૯૮૨)માં સાહિત્ય-શિક્ષણ-સંસ્કાર વિષયક નિબંધો અને ‘આશ્ચર્યવત્’ (૧૯૮૭)માં ચિંતનાત્મક લલિતનિબંધો સંગ્રહાયા છે. \n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/>\n\t\tપરિશીલન : (૧૯૪૯) : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનો, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સન્માન સમિતિ દ્વારા સંપાદિત વિવેચનસંગ્રહ. સાહિત્યિક સિદ્ધાંત તેમ જ પ્રત્યક્ષવિવેચનના આ લેખોમાં સાહિત્યરુચિની પરિષ્કૃતતા સ્પષ્ટ છે. ‘સાધારણીકરણ’ \n\t\tઅને ‘આચાર્ય આનંદશંકરનું ધર્મચિંતન’ જેવા લેખો મૂલ્યવાન છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ માં ભાષા અને છંદ વિશેના લેખકના અભિપ્રાયો તેમ જ વિવેચન વિશેનું મંતવ્ય વિવાદોત્તેજક છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tઉપાયન (૧૯૬૧) : વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો પષ્ઠિપૂર્તિ અભિનંદનગ્રંથ. પહેલા ત્રણ ખંડોમાં લેખકનાં વિવેચનાત્મક લખાણોમાંથી પસંદ કરાયેલા લેખો છે; તો ચોથા ખંડમાં લેખકના જીવનકાર્યને મૂલવતા, વિવિધ સાથીઓ દ્વારા લખાયેલા \n\t\tલેખો છે. પહેલા ખંડ ‘અનુભાવના’ માં સિદ્ધાંતચર્ચાના લેખો છે. ‘દ્વિજોત્તમ જાતિની કવિતા’, ‘અનુભાવના’, ‘સૌંદર્યની ઉપાસના’ જેવા લેખોમાં કાવ્યપદાર્થ તરફ જોવાનું એમનું કૌતુકરાગી વલણ પ્રગટ થાય છે. આનંદ આપવા સિવાય સત્યનું \n\t\tદર્શન કરાવવું તેને એ ઉત્તમ કવિતાનું લક્ષણ માને છે. સંસ્કૃત કાવ્યસિદ્ધાંતો પ્રત્યેનું એમનું ચિકિત્સક વલણ ‘રસ, સૌન્દર્ય અને આનંદ’ ‘રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’, ‘સાધારણીકરણ’ જેવા લેખોમાં દેખાય છે. એમને લાગે છે કે રસસિદ્ધાંત \n\t\tઆધુનિક સાહિત્યને મૂલવવા માટે અપર્યાપ્ત છે; તેથી રસને સ્થાને સૌંદર્ય-રમણીયતાને કાવ્યમૂલ્યાંકનમાં વધુ સ્વીકાર્ય માપદંડ એમણે ગણ્યો છે. ‘વિવેચનનો ઉદભવ’ ‘વિવેચકનો કાર્યપ્રદેશ’, ‘વિવેચનની પ્રતિષ્ઠા’, જેવા લેખો \n\t\tવિવેચનપ્રવૃત્તિ વિશેના એમના વિચારો પ્રગટ કરે છે. વિવેચન વિવેચકની વૈયક્તિક મુદ્રાથી અંકિત બને છે, એટલે વિવેચન પણ સર્જનાત્મક પ્રવૃત્તિ છે; -એટલી આત્યંતિકતાઓ એ ન ગયા હોય, પણ વિવેચન કળાકૃતિના સાક્ષાત્ અનુભવના \n\t\tઆનંદથી ધબકતું હોય તેને એ ઈષ્ટ જરૂર ગણે છે. બીજા ખંડમાં લેખકનાં ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ પરનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો મુકાયાં છે. નર્મદથી આનંદશંકર સુધી લખાયેલા \n\t\tગુજરાતી ચિંતનાત્મક ગદ્યમાં વ્યક્ત થયેલા વિચારોની તેમાં તપાસ છે. ત્રીજા ખંડમાં લેખકની કૌતુકરાગી વિવેચનની વિશેષતાઓથી પ્રભાવિત કૃતિ-સમીક્ષાના લેખો ભલે બહુ સુગ્રથિત ન હોય, તૂટકછૂટક હોય, પરંતુ મર્માળાં અને ઊંડી સૂઝ \n\t\tતથા રસજ્ઞતાથી ભરેલાં નિરીક્ષણોવાળાં જરૂર છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\n\t\tઅર્વાચીન ચિંતનાત્મક ગદ્ય (૧૯૫૦) : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનાં ૧૯૪૪-૪૫નાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતો ગ્રંથ. સાહિત્યનું પ્રવાહદર્શન કરાવતા આ ગ્રંથમાં દુર્ગારામ મહેતાથી આનંદશંકર \n\t\tસુધીના ગાળાની વિચારસામગ્રીનું અવલોકન કરવાનો પ્રયત્ન થયો છે. દુર્ગારામ મહેતા, પૂર્વ નર્મદ અને ઉત્તમ નર્મદ, તેમ જ નવલરામની વિચારણા રજૂ કર્યા પછી ભોળાનાથ, મહીપતરામ, રમણભાઈ, નરસિંહરાવ, કાન્ત વગેરેનો \n\t\tધર્મશોધક ચિંતનપ્રવાહ તપાસ્યો છે. આ પછી ગોકુળજી, મનઃસુખરામ, મણિલાલ, નથુરામ શર્મા, આનંદશંકર વગેરેની વેદાંતી વિચારધારાનું મૂલ્યાંકન કર્યું છે. ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુક રાગ’ જેવો લેખ ગ્રંથને અંતે પૂર્તિ \n\t\tરૂપે મૂકેલો છે. આ ગ્રંથમાંથી પ્રગટતો લેખકનો લાક્ષણિક દ્રષ્ટિકોણ મહત્વનો છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tગોવર્ધનરામ : ચિંતક અને સર્જક (૧૯૬૨) : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનો વિવેચનગ્રંથ. આમાં ‘ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યાખ્યનમાળા’ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીને આશ્રયે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો સંગ્રહિત છે. એમાં ગોવર્ધનરામની \n\t\tતત્વવિચારણા અને સાહિત્યવિચારણાને તપાસવાનો ઉપક્રમ છે.  ‘સ્નેહમુદ્રા’ અને ‘સરસ્વતીચંદ્ર’નાં મૂલ્યાંકનો પણ અહીં છે. અહીં નીતિગ્રાહી અને સત્યગ્રાહી વિવેચકની સૌન્દર્યદ્રષ્ટિનો પરિચય થાય છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ, ‘પ્રેરિત’   \t\t(૪-૭-૧૮૯૯) : વિવેચક. જન્મ વતન ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં. ૧૯૧૬માં નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. એ જ વર્ષે  \t\tઅમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા. આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિ પોષાઈ. ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે પ્રથમ વર્ગમાં બી.એ. થઈ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૨૧માં સુરતની  \t\tએમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી અને સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૬૧માં એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત. ૧૯૪૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૫-૧૯૪૯નો નર્મદચંદ્રક. ૧૯૬૨માં  \t\tસાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૪૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરીમાં મળેલા અધિવેશનમાં ભાષાવિજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૪૯માં જૂનાગઢ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. કલકત્તા ખાતે મળેલ સાહિત્ય પરિષદના  \t\tઅધિવેશનમાં ૧૯૬૧ના અધ્યક્ષ. ૧૯૭૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી. ૧૯૭૪માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ. \t\t  \t\t‘વિવેચના’ (૧૯૩૯) એમનો પ્રથમ વિવેચનસંગ્રહ. એ પછી એમની પાસેથી ‘પરિશીલન’ (૧૯૪૯), ‘ઉપાયન’ (૧૯૬૧) અને ‘સાહિત્યસંસ્પર્શ’ (૧૯૭૯) નામક વિવેચનસંગ્રહો મળ્યા છે. એમણે ૧૯૪૬માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનો  \t\t‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ (૧૯૫૦)માં ઉપલબ્ધ થયાં છે. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાં એમણે આપેલાં ગો. મા. ત્રિપાઠી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો ‘ગોવર્ધનરામઃ ચિંતક ને સર્જક’ (૧૯૬૩) નામે મળ્યાં છે. \t\t  \t\tએમની સાહિત્યરુચિ મુખ્યત્વે અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી ઘડાયેલી છે. ૧૯૨૪માં એમની પાસેથી પહેલો વિવેચનલેખ મળ્યો છે ‘સરસ્વતીચંદ્ર.’ છત્રીસ વર્ષ પછી, ૧૯૬૦માં ગોવર્ધનરામ પરની વ્યાખ્યાનમાળામાં એમનો ઉપક્રમ  \t\t‘સરસ્વતીચંદ્ર’નાં પ્રભાવક તત્વો શોધવા-સારવવાનો જણાય છે. ‘ગોવર્ધનરામની શૈલી’ વિશેના બે લેખોમાં એમણે એ શૈલીની ત્રણ ભૂમિકાઓની સોદાહરણ ચર્ચા કરી છે. અન્ય વ્યાખ્યાનલેખોમાં એમણે ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા  \t\tઅને સાક્ષરભાવનાની તપાસ કરી તેમના જીવનતત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા’ ની સર્જકતાનું મૂલ્યાંકન કર્યું છે તેમ જ ‘સરસ્વતીચંદ્ર’ નું રહસ્ય છતું કર્યું છે. ગોવર્ધનરામ વિષયક વિવેચનામાં એમની તત્વદર્શી ને  \t\tસૌંદર્યગ્રાહી વિવેચકશક્તિનાં સુભગ દર્શન થાય છે. \t\t  \t\tએમના પ્રત્યક્ષ સાહિત્યવિવેચનમાં નિબંધસાહિત્યનું એમણે કરેલું વિવેચન માર્મિક છે. આનંદશંકર વિષયક લેખોમાં તેમના ધર્મચિન્તનને અવલોકવાનો પ્રયાસ છે. ‘ઇતિહાસ દિગ્દર્શન’ ની સમીક્ષામાં એમણે બ. ક. ઠાકોરની દીર્ઘદ્રષ્ટિ અને  \t\tદેશભક્તિ તરફ ધ્યાન ખેંચ્યું છે. ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય’ નાં પાંચ વ્યાખ્યાનોમાં સુધારા ઉપરના વિવેચનાત્મક અને ધર્મવિચારધારાઓ વિશેના ગદ્યની સોદાહરણ તપાસ છે. \t\t  \t\tકવિઓ અને કાવ્યસંગ્રહોનાં વિવેચનોમાં એમની વિષયપસંદગી સામાન્ય સ્તરની છે, છતાં તેમાં એમની કાવ્યસમજ નિહિત છે. દલપતરામ, ખબરદાર, ‘શેષ’ વગેરે કવિઓનું એમણે કરેલું મૂલ્યાંકન ઉલ્લેખનીય છે. ‘મત્સ્યગંધા અને બીજાં  \t\tનાટકો’ તથા ‘રાઈનો પર્વત’ પરનાં એમનાં લખાણો એમની નાટ્યવિવેચનની સૂઝ પ્રગટ કરે છે. નવલકથામાં ‘સરસ્વતીચંદ્ર’ ઉપરાંત ‘ગુજરાતનો નાથ’ ની એમણે કરેલી સમીક્ષા નોંધપાત્ર છે. \t\t  \t\tએમણે ગ્રંથસમીક્ષાનું કાર્ય વર્ષો સુધી એકધારું કર્યું છે. કેટલીક ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક અભિગમ પણ જોવા મળે છે. એમનું ચિત્તતંત્ર સૂક્ષ્મસંવેદી અને સહૃદય હોવાને લીધે સાહિત્યકૃતિની મૂલ્યવત્તાને એમણે રસજ્ઞતાથી અને  \t\tઅભ્યાસશીલતાથી ગ્રાહ્ય કરી છે. એમનાં અનેક નિરીક્ષણો માર્મિક, વેધક અને જે તે સાહિત્યકૃતિના રહસ્યને અનાવૃત્ત કરનારાં છે. વિવેચનમાં વિવેચકના વ્યક્તિત્વની મુદ્રા અંકિત થવી જોઈએ એવી માન્યતાને લીધે એમનાં ગ્રંથાવલોકનોમાં  \t\tસંસ્કારગ્રાહી અંશો વિશેષ છે. એમની પાસેથી કૃતિનાં સર્વાશ્લેષી મૂલ્યાંકનો પ્રમાણમાં ઓછાં મળ્યાં છે. તાજગીપૂર્ણ અને મર્મદ્યોતક નિરીક્ષણો આપતાં ગ્રંથાવલોકનોમાં સુશ્વિલષ્ટતાની ઊણપ ક્યારેક જોવા મળે છે. \t\t  \t\tપ્રત્યક્ષ વિવેચન કરતાં કરતાં એમણે સાહિત્યસિદ્ધાંતોની ફેરતપાસ નિમિત્તે, ક્યારેક તત્વચર્ચાના પ્રત્યાધાત રૂપે તો ક્યારેક કોઈ મુદ્દા પર ઊહાપોહ જગવવા સાહિત્યતત્વચર્ચા કરી છે. એમની કવિતાકળાવિષયક વિચારણામાં કવિ, કાવ્ય અને  \t\tભાવકના પરસ્પર સંબંધની ચર્ચા છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ એ લેખનો મોટો ભાગ કાવ્યની સ્વરૂપચર્ચામાં રોકાયેલો છે. તેઓ કલાકૃતિના સૌંદર્યાનુભવને ‘રમણીયતા’ તરીકે ઓળખાવે છે અને તેમાં મૂલ્યબોધનો સમાવેશ કરે છે. એમની આ  \t\tવિચારણા પર મૅથ્યુ આર્નલ્ડ, ક્રોચે જેવા પાશ્ચાત્ય વિવેચકોનો પ્રભાવ છે. કૃતિની રૂપરચનાગત રમણીયતાને એમણે પૂરતું મહત્વ આપ્યું નથી. \t\t  \t\tએમના મતે વિવેચકનું કર્તવ્ય કલાકૃતિની રમણીયતાને સમજવાનું દ્રષ્ટિબિંદુ નિર્ધારી આપવાનું છે. ‘વિવેચનનો ઉદભવ’ માં તેઓ કહે છે કે વિવેચને આનંદપર્યવસાયી બનવાનું નથી, મૂળ કલાકૃતિએ અનુભવાયેલી આનંદસમાધિનું સ્વરૂપ  \t\tતપાસવાનું છે. વિવેચન વિશેનો એમનો દ્રષ્ટિકોણ કૌતુકરાગી છે અને વિવેચનને સર્જનાત્મક આવિષ્કાર માનવાનું એમનું વલણ છે. વિવેચકને તેઓ ‘જીવનફિલસૂફ અને કલાફિલસૂફ’ કહે છે. \t\t  \t\tએમણે સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવોની ચર્ચા પણ કરી છે. એમને રસસિદ્ધાંત અને સાધારણીકરણની સમગ્ર ચર્ચા સાંપ્રત સાહિત્યના સંદર્ભે અપર્યાપ્ત લાગી છે. એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની કેટલીક સંજ્ઞાઓની પુનર્વિચારણા કરી  \t\tતેની મર્યાદાઓ ચીંધી છે અને એ સંદર્ભે મૌલિક વિચારણા પ્રસ્તુત કરી છે.  \t\t  \t\t‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ’ લેખમાં, કલકત્તા ખાતેના સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં તથા ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’માં એમણે વિભિન્ન નિમિત્તોએ હેમચંદ્રથી માંડી વર્તમાન સમય સુધીના ગુજરાતી  \t\tસાહિત્યના મુખ્ય પ્રવાહોની ગતિવિધિનો આલેખ દોરી આપ્યો છે. એમણે કરેલી ગદ્યવિચારણા ગુજરાતી વિવેચનક્ષેત્રે આગવી ભાત પાડે છે. \t\t  \t\tએમની સમગ્ર વિવેચનામાં કૌતુકરાગી વિવેચનાની વિશેષતાઓ અને મર્યાદાઓ દ્રષ્ટિગોચર થાય છે. ઊંડી સૂઝ, માર્મિકતા, રસાન્વિત સૌંદર્યદ્રષ્ટિ, અભિજાત રુચિનીસ્નિગ્ધતા અને નિરૂપણની તાજપ એ વિશેષતાઓ છે; તો સુશ્વલિષ્ટતાનો  \t\tઅભાવ, કૃતિનું ખંડદર્શન, વાગ્મિતા અને એખપક્ષી અભિનિવેશ એ મર્યાદાઓ છે. વાક્યાન્વયોના વિશિષ્ટ મરોડોમાં, લાક્ષણિક કાકુઓમાં, કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં અને અભિનિવેશોમાં પ્રગટતા ભાવોદ્રેકોમાં ઈષ્ટ અર્થપિંડને સાકાર કરતી  \t\tએમની ગદ્યશૈલીની વિવિધ છટાઓ જોવા મળે છે. \t\t  \t\tએમણે વિવેચનની સાથે સાથે મુખ્યત્વે લેખન-કારકિર્દીના પ્રારંભે કવિતા, વાર્તા, સર્જનાત્મક નિબંધ પ્રકારની કેટલીક રચનાઓ કરેલી. ‘ભાવનાસૃષ્ટિ’ (૧૯૨૪)માં ફેન્ટસીઝ પ્રકારનાં ભાવનારંગી અને નિબંધ લખાણો ગ્રંથસ્થ થયાં છે. એના પર  \t\tન્હાનાલાલની ‘પાંખડીઓ’ નો પ્રભાવ વરતાય છે. ‘દ્રુમપર્ણ’ (૧૯૮૨)માં સાહિત્ય-શિક્ષણ-સંસ્કાર વિષયક નિબંધો અને ‘આશ્ચર્યવત્’ (૧૯૮૭)માં ચિંતનાત્મક લલિતનિબંધો સંગ્રહાયા છે.  \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ    \t\tપરિશીલન : (૧૯૪૯) : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનો, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સન્માન સમિતિ દ્વારા સંપાદિત વિવેચનસંગ્રહ. સાહિત્યિક સિદ્ધાંત તેમ જ પ્રત્યક્ષવિવેચનના આ લેખોમાં સાહિત્યરુચિની પરિષ્કૃતતા સ્પષ્ટ છે. ‘સાધારણીકરણ’  \t\tઅને ‘આચાર્ય આનંદશંકરનું ધર્મચિંતન’ જેવા લેખો મૂલ્યવાન છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ માં ભાષા અને છંદ વિશેના લેખકના અભિપ્રાયો તેમ જ વિવેચન વિશેનું મંતવ્ય વિવાદોત્તેજક છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tઉપાયન (૧૯૬૧) : વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો પષ્ઠિપૂર્તિ અભિનંદનગ્રંથ. પહેલા ત્રણ ખંડોમાં લેખકનાં વિવેચનાત્મક લખાણોમાંથી પસંદ કરાયેલા લેખો છે; તો ચોથા ખંડમાં લેખકના જીવનકાર્યને મૂલવતા, વિવિધ સાથીઓ દ્વારા લખાયેલા  \t\tલેખો છે. પહેલા ખંડ ‘અનુભાવના’ માં સિદ્ધાંતચર્ચાના લેખો છે. ‘દ્વિજોત્તમ જાતિની કવિતા’, ‘અનુભાવના’, ‘સૌંદર્યની ઉપાસના’ જેવા લેખોમાં કાવ્યપદાર્થ તરફ જોવાનું એમનું કૌતુકરાગી વલણ પ્રગટ થાય છે. આનંદ આપવા સિવાય સત્યનું  \t\tદર્શન કરાવવું તેને એ ઉત્તમ કવિતાનું લક્ષણ માને છે. સંસ્કૃત કાવ્યસિદ્ધાંતો પ્રત્યેનું એમનું ચિકિત્સક વલણ ‘રસ, સૌન્દર્ય અને આનંદ’ ‘રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’, ‘સાધારણીકરણ’ જેવા લેખોમાં દેખાય છે. એમને લાગે છે કે રસસિદ્ધાંત  \t\tઆધુનિક સાહિત્યને મૂલવવા માટે અપર્યાપ્ત છે; તેથી રસને સ્થાને સૌંદર્ય-રમણીયતાને કાવ્યમૂલ્યાંકનમાં વધુ સ્વીકાર્ય માપદંડ એમણે ગણ્યો છે. ‘વિવેચનનો ઉદભવ’ ‘વિવેચકનો કાર્યપ્રદેશ’, ‘વિવેચનની પ્રતિષ્ઠા’, જેવા લેખો  \t\tવિવેચનપ્રવૃત્તિ વિશેના એમના વિચારો પ્રગટ કરે છે. વિવેચન વિવેચકની વૈયક્તિક મુદ્રાથી અંકિત બને છે, એટલે વિવેચન પણ સર્જનાત્મક પ્રવૃત્તિ છે; -એટલી આત્યંતિકતાઓ એ ન ગયા હોય, પણ વિવેચન કળાકૃતિના સાક્ષાત્ અનુભવના  \t\tઆનંદથી ધબકતું હોય તેને એ ઈષ્ટ જરૂર ગણે છે. બીજા ખંડમાં લેખકનાં ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ પરનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો મુકાયાં છે. નર્મદથી આનંદશંકર સુધી લખાયેલા  \t\tગુજરાતી ચિંતનાત્મક ગદ્યમાં વ્યક્ત થયેલા વિચારોની તેમાં તપાસ છે. ત્રીજા ખંડમાં લેખકની કૌતુકરાગી વિવેચનની વિશેષતાઓથી પ્રભાવિત કૃતિ-સમીક્ષાના લેખો ભલે બહુ સુગ્રથિત ન હોય, તૂટકછૂટક હોય, પરંતુ મર્માળાં અને ઊંડી સૂઝ  \t\tતથા રસજ્ઞતાથી ભરેલાં નિરીક્ષણોવાળાં જરૂર છે.  \t\t -જયંત ગાડીત    \t\tઅર્વાચીન ચિંતનાત્મક ગદ્ય (૧૯૫૦) : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનાં ૧૯૪૪-૪૫નાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતો ગ્રંથ. સાહિત્યનું પ્રવાહદર્શન કરાવતા આ ગ્રંથમાં દુર્ગારામ મહેતાથી આનંદશંકર  \t\tસુધીના ગાળાની વિચારસામગ્રીનું અવલોકન કરવાનો પ્રયત્ન થયો છે. દુર્ગારામ મહેતા, પૂર્વ નર્મદ અને ઉત્તમ નર્મદ, તેમ જ નવલરામની વિચારણા રજૂ કર્યા પછી ભોળાનાથ, મહીપતરામ, રમણભાઈ, નરસિંહરાવ, કાન્ત વગેરેનો  \t\tધર્મશોધક ચિંતનપ્રવાહ તપાસ્યો છે. આ પછી ગોકુળજી, મનઃસુખરામ, મણિલાલ, નથુરામ શર્મા, આનંદશંકર વગેરેની વેદાંતી વિચારધારાનું મૂલ્યાંકન કર્યું છે. ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુક રાગ’ જેવો લેખ ગ્રંથને અંતે પૂર્તિ  \t\tરૂપે મૂકેલો છે. આ ગ્રંથમાંથી પ્રગટતો લેખકનો લાક્ષણિક દ્રષ્ટિકોણ મહત્વનો છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tગોવર્ધનરામ : ચિંતક અને સર્જક (૧૯૬૨) : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનો વિવેચનગ્રંથ. આમાં ‘ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યાખ્યનમાળા’ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીને આશ્રયે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો સંગ્રહિત છે. એમાં ગોવર્ધનરામની  \t\tતત્વવિચારણા અને સાહિત્યવિચારણાને તપાસવાનો ઉપક્રમ છે.  ‘સ્નેહમુદ્રા’ અને ‘સરસ્વતીચંદ્ર’નાં મૂલ્યાંકનો પણ અહીં છે. અહીં નીતિગ્રાહી અને સત્યગ્રાહી વિવેચકની સૌન્દર્યદ્રષ્ટિનો પરિચય થાય છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"visnuprasada-trivedi","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/visnuprasada-trivedi","tags":null,"created":"2024-02-03T20:39:24.951502","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17411,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"વિશ્વનાથ ભટ્ટ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ભટ્ટ વિશ્વનાથ મગનલાલ</u>\r\n\t\t(૨૦-૩-૧૮૯૮, ૨૭-૧૧-૧૯૬૮) : વિવેચક. જન્મ વતન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં. ૧૯૧૬માં મૅટ્રિક. ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. \r\n\t\t૧૯૨૦-૨૬ દરમિયાન ઉમરેઠ, અમદાવાદ, ભરૂચ આદિની શાળાઓમાં શિક્ષક. ૧૯૨૮-૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશની કામગીરીમાં જોડાયા. ૧૯૨૯-૩૦માં ગોંડલ ‘ભગવદ્-ગોમંડળ’ની કામગીરીમાં સામેલ. ૧૯૩૦-૩૯ \r\n\t\tદરમિયાન જુદી જુદી શાળાઓમાં શિક્ષક. ૧૯૪૪-૪૫માં અમદાવાદની એસ. એલ. યુ. કૉલેજ ફોર વિમેનમાં અને ૧૯૪૭-૪૮માં એલ. ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક.\r\n\t\t<br/><br/> \r\n\t\t‘સાહિત્યસમીક્ષા’ (૧૯૩૭), ‘વિવેચનમુકુર’ (૧૯૩૯), ‘નિકષરેખા’ (૧૯૪૫), ‘પૂજા અને પરીક્ષા’ (૧૯૬૨) એ વિવેચનસંગ્રહોમાંના ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘વિવેચકની સર્જકતા’, ‘વિવેચનની પવિત્રતા’ \r\n\t\tવગેરે લેખો દ્વારા ગાંધીયુગના આ અગ્રણી વિવેચકે વિવેચનપ્રવૃત્તિનું વિશ્લેષણ કરી સાહિત્યજગતમાં તેનું મૂલ્ય સમજાવવા નોંધપાત્ર પુરુષાર્થ કર્યો છે. વિવેચકનો સાહિત્યકૃતિ સાથેનો પહેલો મુકાબલો સૌંદર્યલક્ષી હોય છે એ \r\n\t\tખ્યાલને આગળ વિસ્તારી, વિવેચક પણ સર્જક છે એવા ખ્યાલને, એમના સમયના કે પછીના બધાએ ન સ્વીકાર્યો તોપણ અભિનિવેશપૂર્વક એમણે આગળ કર્યો. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’, ‘શીલ અને સાહિત્ય’ વગેરે \r\n\t\tએમના સિદ્ધાંતચર્ચાના લેખો છે. દલપતરામ, નર્મદ, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણીની સર્જનપ્રવૃત્તિની ચર્ચા કરતા સુદીર્ઘ લેખો તેમ જ ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘રાસતરંગિણી’, ‘નર્મદનું કાવ્યમંદિર’ ઇત્યાદિ લેખો દ્વારા \r\n\t\tઅનુક્રમે ગોવર્ધનરામ, બોટાદકર, નર્મદ ઇત્યાદિના સર્જનવિશેની તપાસ કરતા લેખો એમની સર્વાશ્લેષી વિવેચનપદ્ધતિના નિદર્શક છે. પ્રસ્તાર, ઊંડાણની ઊણપ, વિચારનું ઘેરું નિરૂપણ જેવી મર્યાદા એમના વિવેચનમાં \r\n\t\tઅનુભવાય છે, તો પણ સર્વગ્રાહિતા, નિર્ભીકતા અને સાહિત્યનિષ્ઠા જેવી ગુણસિદ્ધિ એમના વિવેચનનો વિશેષ છે. \r\n\t\t<br/><br/> \r\n\t\t‘સાહિત્યનો સ્વાધ્યાય’-પૂર્વાર્ધ (૧૯૬૩) એ હડસનના અંગ્રેજી ગ્રંથ ‘ઈન્ટ્રોડકશન ટુ ધ સ્ટડી ઑવ લિટરેચર’ને આધારે રચાયેલો સાહિત્યસિદ્ધાંતોની સમજૂતી આપતો ગ્રંથ છે. ગ્રંથનો ઉત્તરાર્ધ પ્રગટ થવાનો બાકી છે.\r\n\t\tએમણે ‘વીર નર્મદ’  (૧૯૩૩) જીવનચરિત્રમાં નર્મદના જીવનવીરયોદ્ધો, ઉત્સાહી આત્મરાગી સર્જક, વિલક્ષણ વિચારક અને સુધારક ઇત્યાદિ વ્યક્તિત્વરંગોને તત્કાલીન યુગની પશ્ચાદભૂમાં ઉપસાવ્યા છે.\r\n\t\t‘ગદ્યનવનીત’ (૧૯૨૬), ‘પારિભાષિક શબ્દકોશ’ (૧૯૩૦), ‘નર્મદનું મંદિર-પદ્યવિભાગ’ (૧૯૩૫), ‘નર્મદનું મંદિર-ગદ્યવિભાગ’ (૧૯૩૮) તથા ‘નિબંધમાલા’ (૧૯૪૦) એમનાં સંનિષ્ઠ સંપાદનગ્રંથો છે.\r\n\t\t‘આવું કેમ સૂઝ્યું ?’ (૧૯૨૮), ‘કથાવલિ’ –ભા. ૧, ૨  (૧૯૩૨, ૧૯૩૫), ‘નવો અવતાર’ –ભા. ૧, ૨, ૩ (૧૯૩૨, ૧૯૩૩, ૧૯૩૪),  ‘લગ્નસુખ’ (૧૯૩૬) ઇત્યાદિ તોલ્સ્તોયની વાર્તાઓ-નવલકથાઓના અનુવાદો છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tએમનું ઘણું વિવેચનલખાણ અદ્યાપિ અગ્રંથસ્થ છે.\r\n\t\t<br/><br/>\n<p align=\"right\">-જયંત ગાડીત</p>\r\n\t\tસાહિત્યસમીક્ષા (૧૯૩૭) : વિશ્વનાથ મગનલાલ ભટ્ટનો ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. પ્રમાણમાં ટૂંકા હોય, વૈવિધ્ય જળવાયું હોય અને લેખકને જે ઉત્તમ લાગ્યા હોય તેવા આ લેખોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાનો અહીં \r\n\t\tપ્રયત્ન થયો છે. પહેલો ગુચ્છ સિદ્ધાંતચર્ચાનો, બીજો ગુચ્છ નર્મદયુગીન સાહિત્યના અભ્યાસનો, તો ત્રીજો ગુચ્છ સમકાલીન સાહિત્યનાં અવલોકનોનો છે. નર્મદ, દલપતરામ, નંદશંકર, નરસિંહરાવ, બોટાદકર, બળવંતરાય \r\n\t\tઠાકોર, હરગોવિંદદાસ કાંટાવાળા વગેરે સાહિત્યકારો વિશે એમાં દ્યોતક સમીક્ષા છે. ‘વિવેચનનો આદર્શ’માં સત્યનિષ્ઠા, સ્વાતંત્ર્ય, તાટસ્થ્ય અને સમભાવના-એ ચાર અગત્યનાં લક્ષણો એમણે દર્શાવ્યાં છે તેનો વિનિયોગ આ \r\n\t\tગ્રંથમાં જોઈ શકાય છે. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’માંની સાહિત્યવલણોની વિસ્તૃત ચર્ચા ધ્યાન ખેંચે છે.\r\n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\r\n\t\tનિકષરેખા (૧૯૪૫) : વિશ્વનાથ મ. ભટ્ટનો વિવેચનગ્રંથ. ‘વિવેચન વિચાર’ ‘ગતકાલીન સાહિત્ય’, ‘સમકાલીન સાહિત્ય’, ‘વિદેશી સાહિત્ય’, ‘ગ્રંથેતર સાહિત્યસૃષ્ટિ’ વગેરે વિવેચનનાં વિવિધ પાસાંઓને નિરૂપતા ચૌદ \r\n\t\tલેખોનો અહીં સંગ્રહ છે. ભિન્નભિન્ન સાહિત્યપ્રકારોમાં ઉપેક્ષિત વિવેચનને સર્જનની સમકક્ષ ગણવા માટે કૌતુકરાગી વિવેચનના પુરસ્કર્તા આ લેખકે વિવાદાસ્પદ મુદ્દો છેડયો હતો એના ઘણાં મૂળ ‘વિવેચકની સર્જકતા’ અને ‘લોક \r\n\t\tભોગ્ય વિવેચક’ લેખોમાં પડેલા છે. ‘સરસ્વતીચંદ્ર’ ને સમર્થ રીતે મૂલવતો ‘પંડિતયુગનું મહાકાવ્ય’ લેખ નોંધપાત્ર છે. સુદીર્ઘતાની મર્યાદા હોવા છતાં આ લેખોની ઊર્મિલક્ષિતા અને સોંદર્યલક્ષિતા અનુપ્રેક્ષણીય છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      ભટ્ટ વિશ્વનાથ મગનલાલ \r \t\t(૨૦-૩-૧૮૯૮, ૨૭-૧૧-૧૯૬૮) : વિવેચક. જન્મ વતન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં. ૧૯૧૬માં મૅટ્રિક. ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. \r \t\t૧૯૨૦-૨૬ દરમિયાન ઉમરેઠ, અમદાવાદ, ભરૂચ આદિની શાળાઓમાં શિક્ષક. ૧૯૨૮-૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશની કામગીરીમાં જોડાયા. ૧૯૨૯-૩૦માં ગોંડલ ‘ભગવદ્-ગોમંડળ’ની કામગીરીમાં સામેલ. ૧૯૩૦-૩૯ \r \t\tદરમિયાન જુદી જુદી શાળાઓમાં શિક્ષક. ૧૯૪૪-૪૫માં અમદાવાદની એસ. એલ. યુ. કૉલેજ ફોર વિમેનમાં અને ૧૯૪૭-૪૮માં એલ. ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક.\r \t\t  \r \t\t‘સાહિત્યસમીક્ષા’ (૧૯૩૭), ‘વિવેચનમુકુર’ (૧૯૩૯), ‘નિકષરેખા’ (૧૯૪૫), ‘પૂજા અને પરીક્ષા’ (૧૯૬૨) એ વિવેચનસંગ્રહોમાંના ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘વિવેચકની સર્જકતા’, ‘વિવેચનની પવિત્રતા’ \r \t\tવગેરે લેખો દ્વારા ગાંધીયુગના આ અગ્રણી વિવેચકે વિવેચનપ્રવૃત્તિનું વિશ્લેષણ કરી સાહિત્યજગતમાં તેનું મૂલ્ય સમજાવવા નોંધપાત્ર પુરુષાર્થ કર્યો છે. વિવેચકનો સાહિત્યકૃતિ સાથેનો પહેલો મુકાબલો સૌંદર્યલક્ષી હોય છે એ \r \t\tખ્યાલને આગળ વિસ્તારી, વિવેચક પણ સર્જક છે એવા ખ્યાલને, એમના સમયના કે પછીના બધાએ ન સ્વીકાર્યો તોપણ અભિનિવેશપૂર્વક એમણે આગળ કર્યો. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’, ‘શીલ અને સાહિત્ય’ વગેરે \r \t\tએમના સિદ્ધાંતચર્ચાના લેખો છે. દલપતરામ, નર્મદ, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણીની સર્જનપ્રવૃત્તિની ચર્ચા કરતા સુદીર્ઘ લેખો તેમ જ ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘રાસતરંગિણી’, ‘નર્મદનું કાવ્યમંદિર’ ઇત્યાદિ લેખો દ્વારા \r \t\tઅનુક્રમે ગોવર્ધનરામ, બોટાદકર, નર્મદ ઇત્યાદિના સર્જનવિશેની તપાસ કરતા લેખો એમની સર્વાશ્લેષી વિવેચનપદ્ધતિના નિદર્શક છે. પ્રસ્તાર, ઊંડાણની ઊણપ, વિચારનું ઘેરું નિરૂપણ જેવી મર્યાદા એમના વિવેચનમાં \r \t\tઅનુભવાય છે, તો પણ સર્વગ્રાહિતા, નિર્ભીકતા અને સાહિત્યનિષ્ઠા જેવી ગુણસિદ્ધિ એમના વિવેચનનો વિશેષ છે. \r \t\t  \r \t\t‘સાહિત્યનો સ્વાધ્યાય’-પૂર્વાર્ધ (૧૯૬૩) એ હડસનના અંગ્રેજી ગ્રંથ ‘ઈન્ટ્રોડકશન ટુ ધ સ્ટડી ઑવ લિટરેચર’ને આધારે રચાયેલો સાહિત્યસિદ્ધાંતોની સમજૂતી આપતો ગ્રંથ છે. ગ્રંથનો ઉત્તરાર્ધ પ્રગટ થવાનો બાકી છે.\r \t\tએમણે ‘વીર નર્મદ’  (૧૯૩૩) જીવનચરિત્રમાં નર્મદના જીવનવીરયોદ્ધો, ઉત્સાહી આત્મરાગી સર્જક, વિલક્ષણ વિચારક અને સુધારક ઇત્યાદિ વ્યક્તિત્વરંગોને તત્કાલીન યુગની પશ્ચાદભૂમાં ઉપસાવ્યા છે.\r \t\t‘ગદ્યનવનીત’ (૧૯૨૬), ‘પારિભાષિક શબ્દકોશ’ (૧૯૩૦), ‘નર્મદનું મંદિર-પદ્યવિભાગ’ (૧૯૩૫), ‘નર્મદનું મંદિર-ગદ્યવિભાગ’ (૧૯૩૮) તથા ‘નિબંધમાલા’ (૧૯૪૦) એમનાં સંનિષ્ઠ સંપાદનગ્રંથો છે.\r \t\t‘આવું કેમ સૂઝ્યું ?’ (૧૯૨૮), ‘કથાવલિ’ –ભા. ૧, ૨  (૧૯૩૨, ૧૯૩૫), ‘નવો અવતાર’ –ભા. ૧, ૨, ૩ (૧૯૩૨, ૧૯૩૩, ૧૯૩૪),  ‘લગ્નસુખ’ (૧૯૩૬) ઇત્યાદિ તોલ્સ્તોયની વાર્તાઓ-નવલકથાઓના અનુવાદો છે.\r \t\t  \r \t\tએમનું ઘણું વિવેચનલખાણ અદ્યાપિ અગ્રંથસ્થ છે.\r \t\t   -જયંત ગાડીત \r \t\tસાહિત્યસમીક્ષા (૧૯૩૭) : વિશ્વનાથ મગનલાલ ભટ્ટનો ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. પ્રમાણમાં ટૂંકા હોય, વૈવિધ્ય જળવાયું હોય અને લેખકને જે ઉત્તમ લાગ્યા હોય તેવા આ લેખોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાનો અહીં \r \t\tપ્રયત્ન થયો છે. પહેલો ગુચ્છ સિદ્ધાંતચર્ચાનો, બીજો ગુચ્છ નર્મદયુગીન સાહિત્યના અભ્યાસનો, તો ત્રીજો ગુચ્છ સમકાલીન સાહિત્યનાં અવલોકનોનો છે. નર્મદ, દલપતરામ, નંદશંકર, નરસિંહરાવ, બોટાદકર, બળવંતરાય \r \t\tઠાકોર, હરગોવિંદદાસ કાંટાવાળા વગેરે સાહિત્યકારો વિશે એમાં દ્યોતક સમીક્ષા છે. ‘વિવેચનનો આદર્શ’માં સત્યનિષ્ઠા, સ્વાતંત્ર્ય, તાટસ્થ્ય અને સમભાવના-એ ચાર અગત્યનાં લક્ષણો એમણે દર્શાવ્યાં છે તેનો વિનિયોગ આ \r \t\tગ્રંથમાં જોઈ શકાય છે. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’માંની સાહિત્યવલણોની વિસ્તૃત ચર્ચા ધ્યાન ખેંચે છે.\r \t\t   -ચંદ્રકાન્ત ટોપીવાળા \r \t\tનિકષરેખા (૧૯૪૫) : વિશ્વનાથ મ. ભટ્ટનો વિવેચનગ્રંથ. ‘વિવેચન વિચાર’ ‘ગતકાલીન સાહિત્ય’, ‘સમકાલીન સાહિત્ય’, ‘વિદેશી સાહિત્ય’, ‘ગ્રંથેતર સાહિત્યસૃષ્ટિ’ વગેરે વિવેચનનાં વિવિધ પાસાંઓને નિરૂપતા ચૌદ \r \t\tલેખોનો અહીં સંગ્રહ છે. ભિન્નભિન્ન સાહિત્યપ્રકારોમાં ઉપેક્ષિત વિવેચનને સર્જનની સમકક્ષ ગણવા માટે કૌતુકરાગી વિવેચનના પુરસ્કર્તા આ લેખકે વિવાદાસ્પદ મુદ્દો છેડયો હતો એના ઘણાં મૂળ ‘વિવેચકની સર્જકતા’ અને ‘લોક \r \t\tભોગ્ય વિવેચક’ લેખોમાં પડેલા છે. ‘સરસ્વતીચંદ્ર’ ને સમર્થ રીતે મૂલવતો ‘પંડિતયુગનું મહાકાવ્ય’ લેખ નોંધપાત્ર છે. સુદીર્ઘતાની મર્યાદા હોવા છતાં આ લેખોની ઊર્મિલક્ષિતા અને સોંદર્યલક્ષિતા અનુપ્રેક્ષણીય છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"visvanatha-bhatta","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/visvanatha-bhatta","tags":null,"created":"2024-02-03T20:39:25.208116","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17412,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"યશવંત કડીકર","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>કડીકર યશવંત નાથાલાલ, ‘બિંદાસ’, ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’ </u>\r\n\t\t\t(૧૨-૫-૧૯૩૪) : નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી. સમાચારપત્રોમાં કટારલેખક.\r\n\t\t<br/><br/>\r\n\t\t\tએમની પાસેથી ‘નીલ ગગનનો તારો’ (૧૯૭૧), ‘અનામિકા’ (૧૯૭૨), ‘ઠગારી પ્રીત’ (૧૯૭૩), ‘વિસ્તરતાં વેદનાનાં વન’ (૧૯૭૪), ‘આંખ ઊઘડે તો આકાશ’ (૧૯૭૫), ‘શૂન્ય નિસાસા’ (૧૯૭૬), ‘માનવતાને મ્હેંકવા દો’ \r\n\t\t\t(૧૯૮૦), ‘સૂરજને કહો કે જરા થંભી જા’ (૧૯૮૧), ‘થીજી ગયેલાં આંસુ’ (૧૯૮૩) વગેરે યુવાન હૈયાંના ભાવોને વાચા આપતી નવલકથાઓ છે. ‘એક આંસુનું આકાશ’ (૧૯૭૯) એમનો લઘુકથાસંગ્રહ તથા ‘કડીની ગૌરવગાથા’\r\n\t\t\t (૧૯૭૯) એમનું સંશોધન-સંપાદન છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      કડીકર યશવંત નાથાલાલ, ‘બિંદાસ’, ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’  \r \t\t\t(૧૨-૫-૧૯૩૪) : નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી. સમાચારપત્રોમાં કટારલેખક.\r \t\t \r \t\t\tએમની પાસેથી ‘નીલ ગગનનો તારો’ (૧૯૭૧), ‘અનામિકા’ (૧૯૭૨), ‘ઠગારી પ્રીત’ (૧૯૭૩), ‘વિસ્તરતાં વેદનાનાં વન’ (૧૯૭૪), ‘આંખ ઊઘડે તો આકાશ’ (૧૯૭૫), ‘શૂન્ય નિસાસા’ (૧૯૭૬), ‘માનવતાને મ્હેંકવા દો’ \r \t\t\t(૧૯૮૦), ‘સૂરજને કહો કે જરા થંભી જા’ (૧૯૮૧), ‘થીજી ગયેલાં આંસુ’ (૧૯૮૩) વગેરે યુવાન હૈયાંના ભાવોને વાચા આપતી નવલકથાઓ છે. ‘એક આંસુનું આકાશ’ (૧૯૭૯) એમનો લઘુકથાસંગ્રહ તથા ‘કડીની ગૌરવગાથા’\r \t\t\t (૧૯૭૯) એમનું સંશોધન-સંપાદન છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"yasavanta-kadikara","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/yasavanta-kadikara","tags":null,"created":"2024-02-03T20:39:25.444102","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17413,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"યશવંત ત્રિવેદી","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<aયશવંત a=\"\" ત્રિવેદી<=\"\"><br/><br/>\n<u>ત્રિવેદી યશવંત રામશંકર  </u>\r\n\t\t(૧૬-૯-૧૯૩૪) : કવિ, વિવેચક, નિબંધકાર. વતન મહુવા. ૧૯૫૬માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૫માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી. અત્યારે મુંબઈ યુનિવર્સિટીના \r\n\t\tગુજરાતી વિભાગના અધ્યક્ષ. યુરોપ, અમેરિકા, કૅનેડા વગેરે દેશોનો પ્રવાસ. ૧૯૭૮ નો સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ.\r\n\t\t<br/><br/>\r\n\t\t‘ક્ષિતિજને વાંસવન’ (૧૯૭૧) અને ‘પરિપ્રશ્ન’ (૧૯૭૫) એમના કાવ્યસંગ્રહો છે. આધુનિક જીવનની સંકુલતાને આદિમતાનાં કલ્પનો તેમ જ પ્રતીકો, પુરાકલ્પનો દ્વારા નિરૂપતી કવિતામાં એમણે પ્રણય, પ્રકૃતિ અને ધરતીની અનેકવિધ \r\n\t\tછટાઓને ઝીલી છે. ‘બરફની ફર્શ નીચે’, ‘બુગેનવેલિયા લવંડેરિયા’, ‘પારમિતા !’ કે ‘હું, પુલ ને વસંતની રાતો !’ યા તો ‘મારો ફૂલોનો બેટ લઈને !’ જેવી કેટલીક રચનાઓમાં આ વૈયક્તિક મુદ્રા અંકિત થયેલી જોવાય છે. ‘પરિદેવના’ \r\n\t\t(૧૯૭૬) અને ‘પશ્ચિમા’ અનુક્રમે પ્રિયકાન્ત મણિયારના અવસાનનિમિત્તે અને વિદેશના પ્રવાસનિમિત્તે લખાયેલાં કાવ્યોના સંગ્રહો છે. ‘આશ્લેષા’ (૧૯૮૮) તાજેતરનો કાવ્યસંગ્રહ છે. ‘પરિશેષ’ (૧૯૭૮)માં એમનાં એકસો જેટલાં \r\n\t\tપ્રતિનિધિકાવ્યોનું પ્રમોદકુમાર પટેલે સંપાદન કર્યું છે. ‘પ્રલંબિતા’ (૧૯૮૧) એ કવિની છોત્તેર રચનાઓના જુદા જુદા વિવેચકો પાસે કરાવેલા આસ્વાદોનો રમેશ શુકલે સંપાદિત કરેલો ગ્રંથ છે. ‘કવિતાનો આનંદકોષ’ (૧૯૭૦) અને ‘ઝુમ્મરો’ \r\n\t\t(૧૯૭૬) એ બે એમનાં વિદ્યાર્થીભોગ્ય કાવ્યઆસ્વાદનાં પુસ્તકો છે. ‘કાવ્યની પરિભાષા’ (૧૯૭૮) સાહિત્યની સંજ્ઞાઓ વિશેનો એમનો વિસ્તૃત અધ્યયનગ્રંથ છે. ‘ઈષિકા’ અને ‘અશેષ આકાશ’ (૧૯૮૮) એમના વિવેચનસંગ્રહો છે. કવિતાની જેમ \r\n\t\tવિવેચનમાં પણ એમનો રંગરાગી અભિગમ આગળ તરી આવે છે.\r\n\t\t<br/><br/>\r\n\t\t‘ગ્રુસડાઈન ગોટ’ (૧૯૮૨) એમનું વિદેશપ્રવાસનું પુસ્તક છે. ‘થોડીક વસંત થોડાંક ભગવાનનાં આંસુ’ માં કવિતાની નિકટ જતી શૈલીમાં લખાયેલા લલિતનિબંધો છે. ‘અહિંસાનું દર્શન’ (૧૯૮૩), ‘મન અને પરબ્રહ્મ’ (૧૯૮૩), ‘પ્રેમધર્મનું \r\n\t\tજાગરણ’ (૧૯૮૩), ‘પૂર્ણતાનું આચ્છાદન’ (૧૯૮૩) વગેરેમાં એમનો ચિંતક અને ગદ્યકાર તરીકેનો પરિચય મળે છે. આ સિવાય વ્યાકરણવિષયક ‘ભાષાવિહાર’ (૧૯૬૩), સાહિત્યિક મુલાકાતોને આવરી લેતું ‘ઈન્ટરવ્યૂ’ (૧૯૮૬) જેવાં અન્ય \r\n\t\tપુસ્તકો પણ એમણે આપ્યાં છે.\r\n\t\t<br/><br/>\r\n\t\t‘ગાંધીકવિતા’ (૧૯૬૯), ‘સ્વાતંત્ર્યોત્તર કવિતા’ (૧૯૭૩)  ‘-અને સાહિત્ય’ (૧૯૭૫) વગેરે એમના સંપાદનગ્રંથો છે. ‘પ્રતિયુદ્ધકાવ્યો’ (૧૯૭૭), ‘પાબ્લો નેરુદાની કવિતા’ (૧૯૮૧), ‘આંતરરાષ્ટ્રીય કવિઓ’ (૧૯૮૩) વગેરે એમના અનુવાદગ્રંથો છે. \r\n\t\t‘યશવંત ત્રિવેદી-સિલેકટેડ ઓએમ્સ’ (૧૯૭૯), ‘ગુજરાતીઃ લેંગ્વિજ એન્ડ લિટરેચર’, ‘ધ બીકન લાઈટ’ વગેરે એમનાં અંગ્રેજી પુસ્તકો છે. \r\n\t\t\r\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</aયશવંત></td>","raw_bio":"સવિશેષ પરિચય:      ત્રિવેદી યશવંત રામશંકર   \r \t\t(૧૬-૯-૧૯૩૪) : કવિ, વિવેચક, નિબંધકાર. વતન મહુવા. ૧૯૫૬માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૫માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી. અત્યારે મુંબઈ યુનિવર્સિટીના \r \t\tગુજરાતી વિભાગના અધ્યક્ષ. યુરોપ, અમેરિકા, કૅનેડા વગેરે દેશોનો પ્રવાસ. ૧૯૭૮ નો સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ.\r \t\t \r \t\t‘ક્ષિતિજને વાંસવન’ (૧૯૭૧) અને ‘પરિપ્રશ્ન’ (૧૯૭૫) એમના કાવ્યસંગ્રહો છે. આધુનિક જીવનની સંકુલતાને આદિમતાનાં કલ્પનો તેમ જ પ્રતીકો, પુરાકલ્પનો દ્વારા નિરૂપતી કવિતામાં એમણે પ્રણય, પ્રકૃતિ અને ધરતીની અનેકવિધ \r \t\tછટાઓને ઝીલી છે. ‘બરફની ફર્શ નીચે’, ‘બુગેનવેલિયા લવંડેરિયા’, ‘પારમિતા !’ કે ‘હું, પુલ ને વસંતની રાતો !’ યા તો ‘મારો ફૂલોનો બેટ લઈને !’ જેવી કેટલીક રચનાઓમાં આ વૈયક્તિક મુદ્રા અંકિત થયેલી જોવાય છે. ‘પરિદેવના’ \r \t\t(૧૯૭૬) અને ‘પશ્ચિમા’ અનુક્રમે પ્રિયકાન્ત મણિયારના અવસાનનિમિત્તે અને વિદેશના પ્રવાસનિમિત્તે લખાયેલાં કાવ્યોના સંગ્રહો છે. ‘આશ્લેષા’ (૧૯૮૮) તાજેતરનો કાવ્યસંગ્રહ છે. ‘પરિશેષ’ (૧૯૭૮)માં એમનાં એકસો જેટલાં \r \t\tપ્રતિનિધિકાવ્યોનું પ્રમોદકુમાર પટેલે સંપાદન કર્યું છે. ‘પ્રલંબિતા’ (૧૯૮૧) એ કવિની છોત્તેર રચનાઓના જુદા જુદા વિવેચકો પાસે કરાવેલા આસ્વાદોનો રમેશ શુકલે સંપાદિત કરેલો ગ્રંથ છે. ‘કવિતાનો આનંદકોષ’ (૧૯૭૦) અને ‘ઝુમ્મરો’ \r \t\t(૧૯૭૬) એ બે એમનાં વિદ્યાર્થીભોગ્ય કાવ્યઆસ્વાદનાં પુસ્તકો છે. ‘કાવ્યની પરિભાષા’ (૧૯૭૮) સાહિત્યની સંજ્ઞાઓ વિશેનો એમનો વિસ્તૃત અધ્યયનગ્રંથ છે. ‘ઈષિકા’ અને ‘અશેષ આકાશ’ (૧૯૮૮) એમના વિવેચનસંગ્રહો છે. કવિતાની જેમ \r \t\tવિવેચનમાં પણ એમનો રંગરાગી અભિગમ આગળ તરી આવે છે.\r \t\t \r \t\t‘ગ્રુસડાઈન ગોટ’ (૧૯૮૨) એમનું વિદેશપ્રવાસનું પુસ્તક છે. ‘થોડીક વસંત થોડાંક ભગવાનનાં આંસુ’ માં કવિતાની નિકટ જતી શૈલીમાં લખાયેલા લલિતનિબંધો છે. ‘અહિંસાનું દર્શન’ (૧૯૮૩), ‘મન અને પરબ્રહ્મ’ (૧૯૮૩), ‘પ્રેમધર્મનું \r \t\tજાગરણ’ (૧૯૮૩), ‘પૂર્ણતાનું આચ્છાદન’ (૧૯૮૩) વગેરેમાં એમનો ચિંતક અને ગદ્યકાર તરીકેનો પરિચય મળે છે. આ સિવાય વ્યાકરણવિષયક ‘ભાષાવિહાર’ (૧૯૬૩), સાહિત્યિક મુલાકાતોને આવરી લેતું ‘ઈન્ટરવ્યૂ’ (૧૯૮૬) જેવાં અન્ય \r \t\tપુસ્તકો પણ એમણે આપ્યાં છે.\r \t\t \r \t\t‘ગાંધીકવિતા’ (૧૯૬૯), ‘સ્વાતંત્ર્યોત્તર કવિતા’ (૧૯૭૩)  ‘-અને સાહિત્ય’ (૧૯૭૫) વગેરે એમના સંપાદનગ્રંથો છે. ‘પ્રતિયુદ્ધકાવ્યો’ (૧૯૭૭), ‘પાબ્લો નેરુદાની કવિતા’ (૧૯૮૧), ‘આંતરરાષ્ટ્રીય કવિઓ’ (૧૯૮૩) વગેરે એમના અનુવાદગ્રંથો છે. \r \t\t‘યશવંત ત્રિવેદી-સિલેકટેડ ઓએમ્સ’ (૧૯૭૯), ‘ગુજરાતીઃ લેંગ્વિજ એન્ડ લિટરેચર’, ‘ધ બીકન લાઈટ’ વગેરે એમનાં અંગ્રેજી પુસ્તકો છે. \r \t\t\r    આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"yasavanta-trivedi","DOB":null,"DateOfDemise":null,"location":null,"url":"/sootradhar/yasavanta-trivedi","tags":"","created":"2024-02-03T20:39:25.669838","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17414,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"યોગેન્દ્ર વ્યાસ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>વ્યાસ યોગેન્દ્ર ધીરુભાઈ </u>\r\n\t\t(૬-૧૦-૧૯૪૦) : નવલકથાકાર, ભાષાવિદ. જન્મસ્થળ અમદાવાદ. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૬૩થી ૧૯૬૬ સુધી એમ. \r\n\t\tએમ. શાહ મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને આચાર્ય. ૧૯૬૬થી ૧૯૬૮ સુધી સરસપુર આટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા. ૧૯૮૦થી \r\n\t\tગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર.\r\n\t\t<br/><br/> \r\n       ‘બે કિનારાની વચ્ચે’ (૧૯૮૨) અને ‘કૃષ્ણજન્મ’ (૧૯૮૩) એમની લઘુનવલો છે. ‘ભીલીની કિશોરકથાઓ’ (૧૯૭૬) અને ‘મનોરંજક બોધકથાઓ’ (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે.\r\n\t\t<br/><br/> \r\n       ‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ’ (૧૯૬૭), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (૧૯૭૪), ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (૧૯૭૫), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૭૭), ‘ભાષા વિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ’ (૧૯૭૯), \r\n\t   ‘સામાજિક ભાષાવિજ્ઞાન’ (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      વ્યાસ યોગેન્દ્ર ધીરુભાઈ  \r \t\t(૬-૧૦-૧૯૪૦) : નવલકથાકાર, ભાષાવિદ. જન્મસ્થળ અમદાવાદ. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૬૩થી ૧૯૬૬ સુધી એમ. \r \t\tએમ. શાહ મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને આચાર્ય. ૧૯૬૬થી ૧૯૬૮ સુધી સરસપુર આટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા. ૧૯૮૦થી \r \t\tગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર.\r \t\t  \r        ‘બે કિનારાની વચ્ચે’ (૧૯૮૨) અને ‘કૃષ્ણજન્મ’ (૧૯૮૩) એમની લઘુનવલો છે. ‘ભીલીની કિશોરકથાઓ’ (૧૯૭૬) અને ‘મનોરંજક બોધકથાઓ’ (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે.\r \t\t  \r        ‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ’ (૧૯૬૭), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (૧૯૭૪), ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (૧૯૭૫), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૭૭), ‘ભાષા વિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ’ (૧૯૭૯), \r \t   ‘સામાજિક ભાષાવિજ્ઞાન’ (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"yogendra-vyasa","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/yogendra-vyasa","tags":null,"created":"2024-02-03T20:39:25.869082","is_has_special_post":false,"is_special_author":false,"language":20}],"description":"<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>","image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"}