{"count":17752,"next":"http://admin.kavishala.in/sootradhar/authors/?format=json&page=908","previous":"http://admin.kavishala.in/sootradhar/authors/?format=json&page=906","results":[{"id":17252,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ધીરુબેન પટેલ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પટેલ ધીરુબેન ગોરધનભાઈ  </u>\n\t\t(૨૫-૫-૧૯૨૬) : નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઊચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની \n\t\tભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન ૧૯૬૩-૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક.\n\t\t<br/><br/>\n\t\t‘અધૂરો કોલ’ (૧૯૫૫) ‘એક લહર’ (૧૯૫૭) અને ‘વિશ્રંભકથા’ (૧૯૬૬) એમના વાર્તાસંગ્રહો છે. રોચક વસ્તુગુંફન, પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનનાં ઊંડાણોને તાગવાની \n\t\tમથામણ-એ એમની વાર્તાઓની વિશેષતા છે; તે લાંબી ભૂમિકા અને ક્વચિત્ બિનજરૂરી કે અસંબદ્ધ પ્રસંગોની પસંદગીથી આવતું પાંખાપણું એ મર્યાદા છે. છતાં ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’, ‘મયંકની મા’ જેવી વાર્તાઓ \n\t\tસફળ છે. ‘વડવાનલ’ (૧૯૬૩), ‘શીમળાનાં ફૂલ’ (૧૯૭૬), ‘વાવંટોળ’ (૧૯૭૯) અને ‘વમળ’ (૧૯૭૯) એ નવલકથાઓ પૈકી ‘વાવંટોળ’ સુદીર્ઘ, મહત્વાકાંક્ષી અને પ્રભાવશાળી કૃતિ છે; તો ધીમી ગતિની ‘શીમળાનાં ફૂલ’માં \n\t\tએમણે નરનારીના નાજુક સંબંધના સંદર્ભમાં આળા હૈયાના નારીત્વને લાગણીના નમણા શિલ્પરૂપે ઉપસાવ્યું છે. વિશિષ્ટ વસ્તુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવમનની સંકુલતાને તાગે છે.\n\t\t<br/><br/>\n\t\tએમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ (૧૯૬૮)માં સર્જનશક્તિનો ઉન્મેષ દેખાય છે. દાદાજીના લાડીલા, તીવ્ર સંવેદનશીલતા ધરાવતા યુવાન કેશવના દિલમાં એમની જ સામે વાંસના અંકુરની પેઠે ફૂટી નીકળતી વિદ્રોહવૃત્તિનું \n\t\t<br/><br/>\n\t\tપ્રાકૃતિક સાદ્રશ્યો-કલ્પનોને સહારે અત્યંત કલાપૂર્ણ અને લાઘવયુક્ત નિરૂપણ એમાં થયું છે; ‘એક ભલો માણસ’ (૧૯૭૯)માં સીધી લીટીના ગભરું મહેતાજી ઓચ્છવલાલના દાણચોર ઉત્સવ પરીખમાં થતા રૂપાંતરનું અતિરેકપૂર્ણ  અને અપ્રતીતિકર આલેખન છે; \n\t\tતો ‘આંધળી ગલી’ (૧૯૮૩)માં નાયિકા કુંદનના જીવનની સ્થગિતતાની પડખે પરેશ-શુભાંગીનું જીવંત-તરલ-ઉન્માદક દાંપત્ય મુકાયું છે, જે કુંદનની ઘેરી ઉદાસીના પહાડને તોડે છે પણ ક્ષણ માટે જ- એવા સુયોજિત કથાનકને સહારે ઘેરી કરુણતા પ્રગટે છે.\n\t\t<br/><br/>\n\t\tહાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષા જન્માવે છે. એમની ‘પરદુઃખભંજન પેસ્તનજી’ (૧૯૭૮) કૃતિ ડૉન કિહોટેનું સ્મરણ કરાવતી, પેસ્તનજીનાં ઉરાંગઉટાંગ પરાક્રમોની કથા છે; તો ‘ગગનનાં લગ્ન’ (૧૯૮૪) સામાન્ય લાગતાં \n\t\tપાત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓને ઝીણી નજરે પકડી પાડી તેને બિલોરી કાચમાંથી બતાવતું નરવું હાસ્ય પીરસે છે.\n\t\t<br/><br/>\n\t\tએમનાં ‘પહેલું ઈનામ’ (૧૯૫૫), ‘પંખીનો માળો’ (અન્ય સાથે, ૧૯૫૬) અને ‘વિનાશને પંથે’ (૧૯૬૧) જેવાં નાટકો; રેડિયો નાટક ‘મનનો માનેલો’ (૧૯૫૯); એકાંકીસંગ્રહ ‘નમણી નાગરવેલ’ (૧૯૬૧) તથા બાળનાટક ‘અંડેરી \n\t\tગંડેરી ટીપરીટેન’ (૧૯૬૬) એમની સર્જક-નાટ્યશક્તિનો પરિચય કરાવે છે. એમની બાળવાર્તા ‘બતકનું બચ્ચું’ (૧૯૮૨) અને બાળકવિતા ‘મિત્રનાં જોડકણાં’ (૧૯૭૩) પણ ધ્યાનાર્હ છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે માર્ક ટ્વેઈનની પ્રશિષ્ટ કૃતિ ગણાયેલી સુખ્યાત કિશોરકથાઓના આસ્વાદ્ય અનુવાદ ‘ટૉમ સૉયર’-ભા.૧, ૨ (૧૯૬૦, ૧૯૬૬) અને ‘હકલબ ટી ફિનનાં પરાક્રમો’ (૧૯૬૭) નામે આપ્યા છે.\n\t\t<p align=\"right\">-દક્ષા વ્યાસ</p>\n<br/><br/>\n\t\tવડવાનલ (૧૯૬૩) : ધીરુબહેન પટેલની નવલકથા. અનાથ અંજના એનાં ફૈબાને ત્યાં અભ્યાસાર્થે આવે છે અને ફૈબાની સમવયસ્ક પુત્રી રેખા અંજનાની ઈર્ષ્યાનો ભોગ થઈ પડે છે. અંજનાથી ત્રસ્ત એવી રેખાનો ઉછેર રેખા \n\t\tપાસે અંજનાના ખૂનનું પગલું ભરાવે છે. જેલમાં રહેતી રેખા કોઈને મળવા ઉત્સુક નથી. પોતાની બાળકીને ખરી વિગતો મળી રહે એ હેતુથી પોતાના અંતરમાં ઊઠેલી જ્વાલાઓરૂપી વેદનાની ગાથા એ સાધ્વીજીને ડાયરીરૂપે \n\t\tઆપે છે. એક નારીના ચિત્તની મનોવ્યથા અહીં કેન્દ્રમાં છે. મનોવૈજ્ઞાનિક કથા વસ્તુવાળી નવલકથા તરીકે આ કૃતિ ઉલ્લેખનીય છે.\n\t\t<p align=\"right\">-બળવંત જાની</p>\n<br/><br/>\n\t\tવાંસનો અંકુર (૧૯૬૮) : ધીરુબહેન પટેલની લઘુનવલ. કથાનાયક કેશવની નસોમાં સ્વાભિમાની માતા સુશીલાનું બંડખોર લોહી વહે છે. પતિને ઘરજમાઈ ન થવા દેતાં સુશીલાએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારેલી. પુત્રને જન્મ \n\t\tઆપી એ મૃત્યુ પામેલી ત્યારે કેશવનો હવાલો દાદાજીએ લીધેલો. હવે કેશવે એમની પ્રતિકૃતિ બનવાનું હતું. કેશવ બળવો કરે છે, તે પણ દાદાજીની શૈલીએ જ ! અંકુર ખરો, પરંતુ તે વાંસનો જ. કેશવના લાગણીતંત્રના \n\t\tઆઘાત-પ્રત્યાઘાત અને સાત્વિક સંઘર્ષનું સ્પર્શક્ષમ ઘટનાઓ, પ્રાકૃતિક સાદ્દશ્યો અને કલ્પનોને સહારે અહીં કલાપૂર્ણ નિરૂપણ થયું છે. દોહિત્ર કેશવ, જમાઈ મોતીલાલ અને દાદાજીનાં મનોગતને સૂચક રીતે વ્યક્ત કરતી \n\t\tકથનરીતિ, પાત્ર સામે પડકારરૂપે ઉપસ્થિત થતી ઘટનાઓ પરિસ્થિતિઓ, સંવેદનનો સાક્ષાત્કાર કરાવતાં કલ્પનો, લાઘવ અને વ્યંજના-આ સર્વથી કૃતિ કલાત્મક બની છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      પટેલ ધીરુબેન ગોરધનભાઈ    \t\t(૨૫-૫-૧૯૨૬) : નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઊચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની  \t\tભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન ૧૯૬૩-૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. \t\t  \t\t‘અધૂરો કોલ’ (૧૯૫૫) ‘એક લહર’ (૧૯૫૭) અને ‘વિશ્રંભકથા’ (૧૯૬૬) એમના વાર્તાસંગ્રહો છે. રોચક વસ્તુગુંફન, પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનનાં ઊંડાણોને તાગવાની  \t\tમથામણ-એ એમની વાર્તાઓની વિશેષતા છે; તે લાંબી ભૂમિકા અને ક્વચિત્ બિનજરૂરી કે અસંબદ્ધ પ્રસંગોની પસંદગીથી આવતું પાંખાપણું એ મર્યાદા છે. છતાં ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’, ‘મયંકની મા’ જેવી વાર્તાઓ  \t\tસફળ છે. ‘વડવાનલ’ (૧૯૬૩), ‘શીમળાનાં ફૂલ’ (૧૯૭૬), ‘વાવંટોળ’ (૧૯૭૯) અને ‘વમળ’ (૧૯૭૯) એ નવલકથાઓ પૈકી ‘વાવંટોળ’ સુદીર્ઘ, મહત્વાકાંક્ષી અને પ્રભાવશાળી કૃતિ છે; તો ધીમી ગતિની ‘શીમળાનાં ફૂલ’માં  \t\tએમણે નરનારીના નાજુક સંબંધના સંદર્ભમાં આળા હૈયાના નારીત્વને લાગણીના નમણા શિલ્પરૂપે ઉપસાવ્યું છે. વિશિષ્ટ વસ્તુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવમનની સંકુલતાને તાગે છે. \t\t  \t\tએમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ (૧૯૬૮)માં સર્જનશક્તિનો ઉન્મેષ દેખાય છે. દાદાજીના લાડીલા, તીવ્ર સંવેદનશીલતા ધરાવતા યુવાન કેશવના દિલમાં એમની જ સામે વાંસના અંકુરની પેઠે ફૂટી નીકળતી વિદ્રોહવૃત્તિનું  \t\t  \t\tપ્રાકૃતિક સાદ્રશ્યો-કલ્પનોને સહારે અત્યંત કલાપૂર્ણ અને લાઘવયુક્ત નિરૂપણ એમાં થયું છે; ‘એક ભલો માણસ’ (૧૯૭૯)માં સીધી લીટીના ગભરું મહેતાજી ઓચ્છવલાલના દાણચોર ઉત્સવ પરીખમાં થતા રૂપાંતરનું અતિરેકપૂર્ણ  અને અપ્રતીતિકર આલેખન છે;  \t\tતો ‘આંધળી ગલી’ (૧૯૮૩)માં નાયિકા કુંદનના જીવનની સ્થગિતતાની પડખે પરેશ-શુભાંગીનું જીવંત-તરલ-ઉન્માદક દાંપત્ય મુકાયું છે, જે કુંદનની ઘેરી ઉદાસીના પહાડને તોડે છે પણ ક્ષણ માટે જ- એવા સુયોજિત કથાનકને સહારે ઘેરી કરુણતા પ્રગટે છે. \t\t  \t\tહાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષા જન્માવે છે. એમની ‘પરદુઃખભંજન પેસ્તનજી’ (૧૯૭૮) કૃતિ ડૉન કિહોટેનું સ્મરણ કરાવતી, પેસ્તનજીનાં ઉરાંગઉટાંગ પરાક્રમોની કથા છે; તો ‘ગગનનાં લગ્ન’ (૧૯૮૪) સામાન્ય લાગતાં  \t\tપાત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓને ઝીણી નજરે પકડી પાડી તેને બિલોરી કાચમાંથી બતાવતું નરવું હાસ્ય પીરસે છે. \t\t  \t\tએમનાં ‘પહેલું ઈનામ’ (૧૯૫૫), ‘પંખીનો માળો’ (અન્ય સાથે, ૧૯૫૬) અને ‘વિનાશને પંથે’ (૧૯૬૧) જેવાં નાટકો; રેડિયો નાટક ‘મનનો માનેલો’ (૧૯૫૯); એકાંકીસંગ્રહ ‘નમણી નાગરવેલ’ (૧૯૬૧) તથા બાળનાટક ‘અંડેરી  \t\tગંડેરી ટીપરીટેન’ (૧૯૬૬) એમની સર્જક-નાટ્યશક્તિનો પરિચય કરાવે છે. એમની બાળવાર્તા ‘બતકનું બચ્ચું’ (૧૯૮૨) અને બાળકવિતા ‘મિત્રનાં જોડકણાં’ (૧૯૭૩) પણ ધ્યાનાર્હ છે. \t\t  \t\tએમણે માર્ક ટ્વેઈનની પ્રશિષ્ટ કૃતિ ગણાયેલી સુખ્યાત કિશોરકથાઓના આસ્વાદ્ય અનુવાદ ‘ટૉમ સૉયર’-ભા.૧, ૨ (૧૯૬૦, ૧૯૬૬) અને ‘હકલબ ટી ફિનનાં પરાક્રમો’ (૧૯૬૭) નામે આપ્યા છે. \t\t -દક્ષા વ્યાસ    \t\tવડવાનલ (૧૯૬૩) : ધીરુબહેન પટેલની નવલકથા. અનાથ અંજના એનાં ફૈબાને ત્યાં અભ્યાસાર્થે આવે છે અને ફૈબાની સમવયસ્ક પુત્રી રેખા અંજનાની ઈર્ષ્યાનો ભોગ થઈ પડે છે. અંજનાથી ત્રસ્ત એવી રેખાનો ઉછેર રેખા  \t\tપાસે અંજનાના ખૂનનું પગલું ભરાવે છે. જેલમાં રહેતી રેખા કોઈને મળવા ઉત્સુક નથી. પોતાની બાળકીને ખરી વિગતો મળી રહે એ હેતુથી પોતાના અંતરમાં ઊઠેલી જ્વાલાઓરૂપી વેદનાની ગાથા એ સાધ્વીજીને ડાયરીરૂપે  \t\tઆપે છે. એક નારીના ચિત્તની મનોવ્યથા અહીં કેન્દ્રમાં છે. મનોવૈજ્ઞાનિક કથા વસ્તુવાળી નવલકથા તરીકે આ કૃતિ ઉલ્લેખનીય છે. \t\t -બળવંત જાની    \t\tવાંસનો અંકુર (૧૯૬૮) : ધીરુબહેન પટેલની લઘુનવલ. કથાનાયક કેશવની નસોમાં સ્વાભિમાની માતા સુશીલાનું બંડખોર લોહી વહે છે. પતિને ઘરજમાઈ ન થવા દેતાં સુશીલાએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારેલી. પુત્રને જન્મ  \t\tઆપી એ મૃત્યુ પામેલી ત્યારે કેશવનો હવાલો દાદાજીએ લીધેલો. હવે કેશવે એમની પ્રતિકૃતિ બનવાનું હતું. કેશવ બળવો કરે છે, તે પણ દાદાજીની શૈલીએ જ ! અંકુર ખરો, પરંતુ તે વાંસનો જ. કેશવના લાગણીતંત્રના  \t\tઆઘાત-પ્રત્યાઘાત અને સાત્વિક સંઘર્ષનું સ્પર્શક્ષમ ઘટનાઓ, પ્રાકૃતિક સાદ્દશ્યો અને કલ્પનોને સહારે અહીં કલાપૂર્ણ નિરૂપણ થયું છે. દોહિત્ર કેશવ, જમાઈ મોતીલાલ અને દાદાજીનાં મનોગતને સૂચક રીતે વ્યક્ત કરતી  \t\tકથનરીતિ, પાત્ર સામે પડકારરૂપે ઉપસ્થિત થતી ઘટનાઓ પરિસ્થિતિઓ, સંવેદનનો સાક્ષાત્કાર કરાવતાં કલ્પનો, લાઘવ અને વ્યંજના-આ સર્વથી કૃતિ કલાત્મક બની છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"dhirubena-patela","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/dhirubena-patela","tags":null,"created":"2024-02-03T20:38:50.159480","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17253,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ધીરુભાઈ ઠાકર","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર, ‘સવ્યસાચી’</u>\n\t\t(૨૭-૬-૧૯૧૮) : સંશોધક, વિવેચક, સંપાદક, ચરિત્રકાર. જન્મ કોડીનારમાં. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્મા સિદ્ધપુરમાં. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ \n\t\tસમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૬ માં પીએચ.ડી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત. હાલ ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક.\n\t\t<br/><br/> \n\t\t‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત \n\t\tસમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી \n\t\tબહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે. \n\t\t‘મણિભાઈ નભુભાઈ : જીવનરંગ’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’ \n\t\t(૧૯૮૦) એ સ્વ.કસ્તૂરભાઈ લાલભાઈનું એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.\n\t\t<br/><br/> \n\t\t‘રંગકસુંબી’ (૧૯૬૩), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. ‘સફર સો દિવસની’-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન \n\t\tસાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે.\n\t\tવ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘મણિલાલની વિચારધારા’ (૧૯૪૮), ‘મણિલાલના ત્રણ લેખો’ (૧૯૪૯), ‘કાન્તા’ (૧૯૫૪), \n\t\t‘નૃસિંહાવતાર’ (૧૯૫૫), ‘ધૂમકેતુ વાર્તાસૌરભ’-ભા.૧-૨ (૧૯૫૫), ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ (૧૯૫૫), ‘આત્મનિમજજન’ (૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાંત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક \n\t\t: સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે ‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. ‘અભિનય નાટકો’ (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રિયંવદા’ \n\t\t(૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.  \n\t\t<p align=\"right\">-પ્રવીણ દરજી</p>\n<br/><br/> \n\t\tઅર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬) : ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-\n\t\t૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.\n\t\t<br/><br/> \n\t\tપરિવર્તન પામતા જતા સામાજિક, રાજ્કીય અને સાંસ્કૃતિક પરિવેશની વચ્ચે વહેતા રહેલા ગુજરાતી સાહિત્યના પ્રવાહનો આલેખ આપવાનો અહીં પ્રયત્ન થયો છે. વિકાસના વિવિધ તબક્કાવાર મહત્વનું સાહિત્યિક પ્રદાન કરનાર \n\t\tસાહિત્યકારોનાં જીવન અને સર્જન વિશેની નાની-મોટી રસપ્રદ વિગતો અહીં કુશળતાથી ગૂંથી લેવાયેલી છે. લેખકે કે કૃતિ વિષે અંગત અભિપ્રાયથી દોરવાયા વગર તેનું તટસ્થ અને સમભાવી વિવેચન લેખકે આપ્યું છે. અદ્યતન \n\t\tસાહિત્યપ્રવાહની ગતિવિધિ, તેની પશ્વાદભૂમિકા અને નવી વિભાવનાઓ સહિત પ્રયોગલક્ષી સર્જકો અને કૃતિઓની વિગતવાર ચર્ચા એમણે કરી છે. કવિતા, નવલકથા, નાટક, નવલિકા, એકાંકી વગેરે સાહિત્યસ્વરૂપોનો સંક્ષેપમાં પરિચય \n\t\tઆપવાની સાથે તેનું રચનાવિધાન સમજાવવાનો પ્રયત્ન પણ એમણે કર્યો છે. ઇતિહાસલક્ષી વિપુલ સામગ્રીની રજૂઆતમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રસ્તુત ગ્રંથ લેખકનું મૂલ્યવાન પ્રદાન છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર, ‘સવ્યસાચી’  \t\t(૨૭-૬-૧૯૧૮) : સંશોધક, વિવેચક, સંપાદક, ચરિત્રકાર. જન્મ કોડીનારમાં. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્મા સિદ્ધપુરમાં. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ  \t\tસમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૬ માં પીએચ.ડી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત. હાલ ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક. \t\t   \t\t‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત  \t\tસમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી  \t\tબહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે.  \t\t‘મણિભાઈ નભુભાઈ : જીવનરંગ’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’  \t\t(૧૯૮૦) એ સ્વ.કસ્તૂરભાઈ લાલભાઈનું એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે. \t\t   \t\t‘રંગકસુંબી’ (૧૯૬૩), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. ‘સફર સો દિવસની’-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન  \t\tસાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. \t\tવ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘મણિલાલની વિચારધારા’ (૧૯૪૮), ‘મણિલાલના ત્રણ લેખો’ (૧૯૪૯), ‘કાન્તા’ (૧૯૫૪),  \t\t‘નૃસિંહાવતાર’ (૧૯૫૫), ‘ધૂમકેતુ વાર્તાસૌરભ’-ભા.૧-૨ (૧૯૫૫), ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ (૧૯૫૫), ‘આત્મનિમજજન’ (૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાંત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક  \t\t: સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે ‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. ‘અભિનય નાટકો’ (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રિયંવદા’  \t\t(૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.   \t\t -પ્રવીણ દરજી     \t\tઅર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬) : ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧- \t\t૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે. \t\t   \t\tપરિવર્તન પામતા જતા સામાજિક, રાજ્કીય અને સાંસ્કૃતિક પરિવેશની વચ્ચે વહેતા રહેલા ગુજરાતી સાહિત્યના પ્રવાહનો આલેખ આપવાનો અહીં પ્રયત્ન થયો છે. વિકાસના વિવિધ તબક્કાવાર મહત્વનું સાહિત્યિક પ્રદાન કરનાર  \t\tસાહિત્યકારોનાં જીવન અને સર્જન વિશેની નાની-મોટી રસપ્રદ વિગતો અહીં કુશળતાથી ગૂંથી લેવાયેલી છે. લેખકે કે કૃતિ વિષે અંગત અભિપ્રાયથી દોરવાયા વગર તેનું તટસ્થ અને સમભાવી વિવેચન લેખકે આપ્યું છે. અદ્યતન  \t\tસાહિત્યપ્રવાહની ગતિવિધિ, તેની પશ્વાદભૂમિકા અને નવી વિભાવનાઓ સહિત પ્રયોગલક્ષી સર્જકો અને કૃતિઓની વિગતવાર ચર્ચા એમણે કરી છે. કવિતા, નવલકથા, નાટક, નવલિકા, એકાંકી વગેરે સાહિત્યસ્વરૂપોનો સંક્ષેપમાં પરિચય  \t\tઆપવાની સાથે તેનું રચનાવિધાન સમજાવવાનો પ્રયત્ન પણ એમણે કર્યો છે. ઇતિહાસલક્ષી વિપુલ સામગ્રીની રજૂઆતમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રસ્તુત ગ્રંથ લેખકનું મૂલ્યવાન પ્રદાન છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"dhirubhai-thakara","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/dhirubhai-thakara","tags":null,"created":"2024-02-03T20:38:50.364027","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17254,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ધીરુભાઈ પરીખ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ</u>\n\t\t(૩૧-૮-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વીરમગામમાં. ત્યાં જ મૅટ્રિક સુધીનું શિક્ષણ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૫માં બી.એ. ૧૯૫૮માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. ૧૯૫૫ થી સી.યુ.શાહ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી ૧૯૬૯ સુધી \n\t\tએસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન. વઢવાણની મહિલા આર્ટસ કૉલેજમાં આચાર્ય. પછી થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ગુજરાતી કવિતાના દ્વૈમાસિક ‘કવિલોક’ના તંત્રી. ૧૯૭૧માં કુમારચંદ્રક.\n\t\t<br/><br/>\n\t\tએમની પ્રથમ કૃતિ ૧૯૫૧માં પ્રગટ થયેલી વાર્તા ‘પહેલું રુદન’ છે. વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪)માં બાવીસ વાર્તાઓ છે. કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ (૧૯૭૯)ની કવિતામાં પંખી કે વૃક્ષનાં ભાવપ્રતીકો છે. એમની કવિત્વશક્તિ પરંપરિત \n\t\tમાત્રામંડળ છંદની રચનાઓમાં વિશેષ નીખરી રહે છે. સંગ્રહની લગભઘ બધી રચનાઓમાં કલ્પન દ્વારા નહીં પણ કથન દ્વારા અર્થની ગતિ એક સ્તરે થતી અનુભવાય છે. સંગ્રહમાં થોડાંક ગદ્યકાવ્યો પણ છે, જેમાં આધુનિક મનુષ્યે સાચો \n\t\tચહેરો ખોઈ નાખ્યો છે એ વાત કરતી રચના ‘માણસને ઊગતી નથી ડાળીઓ’ ઉલ્લેખનીય છે. ‘અંગ પચીસી’ (૧૯૮૨)માં છપ્પાશૈલીનાં પચીસ કટાક્ષકાવ્યો છે. છપ્પાની મધ્યકાલીન પરંપરાનો સ્વીકાર કરીને કવિએ ‘આચાર્ય અંગ’, \n\t\t‘અધ્યાપક અંગ’, ‘વિદ્યાર્થી અંગ’ વગેરે પર નર્મમર્મપૂર્ણ છપ્પા રચ્યાં છે. ‘આગિયા’ (૧૯૮૨) એમનો હાઈકુસંગ્રહ છે.\n\t\t<br/><br/>\n\t\tગુજરાતી ગ્રંથાકાર શ્રેણી અંતર્ગત એમણે ‘રાજેન્દ્ર શાહ’ (૧૯૭૭) પુસ્તક લખ્યું છે. ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ (૧૯૭૮) એમનો શોધપ્રબંધ છે. ‘અત્રત્ય તત્રત્ય’ (૧૯૭૮)માં ગુજરાતી કવિઓની સાથે સી. કે. લૂઈ અને ઑડેન જેવા અંગ્રેજી \n\t\tકવિઓ, પાબ્લો નેરુદા જેવા ચીલી કવિ, મોન્તાલે જેવા ઈટાલિયન કવિ તથા યેવતુશેન્કો જેવા રશિયન કવિ વિશેના પરિચયલેખો છે. ‘નરસિંહ મહેતા’ (૧૯૮૧)માં નરસિંહના જીવનકવનનું વિસ્તૃત અવલોકન છે. ‘ક્ષરાક્ષર’ (૧૯૮૨)માં એમણે \n\t\tદયારામ, દલપતરામ, નર્મદથી માંડી પ્રિયકાંત મણિયાર, જગદીશ જોષી, મણિલાલ દેસાઈ સુધીના દિવંગત ગુજરાતી કવિઓનાં જીવનકવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. ‘સમકાલીન કવિઓ’ (૧૯૮૩)માં લાભશંકર ઠાકર, સિતાંશુ \n\t\tયશશ્વન્દ્ર, રાજેન્દ્ર શુક્લ, રાવજી પટેલ, આદિલ મન્સુરી વગેરે આધુનિક કવિઓની કવિતાને મૂલવી છે. ‘તુલનાત્મક સાહિત્ય’ (૧૯૮૪)માં સાહિત્ય-અભ્યાસી તુલના, ભૂમિકાનો ઇતિહાસ અને પરિચય છે. ‘ઉભયાન્વય’ (૧૯૮૬)માં વિવેચનલેખો \n\t\tછે. ‘કાળમાં કોર્યાં નામ’ (૧૯૭૭)માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મોટા જેવા મહાનુભાવોનાં પ્રેરક ચરિત્રો આલેખાયાં છે.\n\t\t<br/><br/>\n\t\t‘નિષ્કુળાનંદ પદાવલી’ (૧૯૮૧), ‘સાત મહાકાવ્યો’ (૧૯૮૩), ‘પંચ મહાકાવ્યો’ (૧૯૮૪) અને ‘ટી. એસ. એલિયટ’ (૧૯૮૯) એમના સંપાદનગ્રંથો છે.\n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/>\n\t\tતુલનાત્મક સાહિત્ય (૧૯૮૪) : ધીરુ પરીખનો ગ્રંથ. અહીં નવા વિષયને લગતી સામગ્રી ગુજરાતીમાં ઉપલબ્ધ થાય અને વિષયને સહાય અને પ્રોત્સાહન મળે એનો ખ્યાલ મુખ્યત્વે રાખવામાં આવ્યો છે. તુલનાત્મક સાહિત્યની અર્થચર્ચા \n\t\tઅને સ્વરૂપચર્ચાથી માંડી સાદ્દશ્ય, પરંપરા, અનુવાદ, પુરાણસંદર્ભ વગેરે પાસાંઓનો સદ્દષ્ટાંત સ્પર્શ કરવામાં આવ્યો છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ  \t\t(૩૧-૮-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વીરમગામમાં. ત્યાં જ મૅટ્રિક સુધીનું શિક્ષણ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૫માં બી.એ. ૧૯૫૮માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. ૧૯૫૫ થી સી.યુ.શાહ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી ૧૯૬૯ સુધી  \t\tએસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન. વઢવાણની મહિલા આર્ટસ કૉલેજમાં આચાર્ય. પછી થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ગુજરાતી કવિતાના દ્વૈમાસિક ‘કવિલોક’ના તંત્રી. ૧૯૭૧માં કુમારચંદ્રક. \t\t  \t\tએમની પ્રથમ કૃતિ ૧૯૫૧માં પ્રગટ થયેલી વાર્તા ‘પહેલું રુદન’ છે. વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪)માં બાવીસ વાર્તાઓ છે. કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ (૧૯૭૯)ની કવિતામાં પંખી કે વૃક્ષનાં ભાવપ્રતીકો છે. એમની કવિત્વશક્તિ પરંપરિત  \t\tમાત્રામંડળ છંદની રચનાઓમાં વિશેષ નીખરી રહે છે. સંગ્રહની લગભઘ બધી રચનાઓમાં કલ્પન દ્વારા નહીં પણ કથન દ્વારા અર્થની ગતિ એક સ્તરે થતી અનુભવાય છે. સંગ્રહમાં થોડાંક ગદ્યકાવ્યો પણ છે, જેમાં આધુનિક મનુષ્યે સાચો  \t\tચહેરો ખોઈ નાખ્યો છે એ વાત કરતી રચના ‘માણસને ઊગતી નથી ડાળીઓ’ ઉલ્લેખનીય છે. ‘અંગ પચીસી’ (૧૯૮૨)માં છપ્પાશૈલીનાં પચીસ કટાક્ષકાવ્યો છે. છપ્પાની મધ્યકાલીન પરંપરાનો સ્વીકાર કરીને કવિએ ‘આચાર્ય અંગ’,  \t\t‘અધ્યાપક અંગ’, ‘વિદ્યાર્થી અંગ’ વગેરે પર નર્મમર્મપૂર્ણ છપ્પા રચ્યાં છે. ‘આગિયા’ (૧૯૮૨) એમનો હાઈકુસંગ્રહ છે. \t\t  \t\tગુજરાતી ગ્રંથાકાર શ્રેણી અંતર્ગત એમણે ‘રાજેન્દ્ર શાહ’ (૧૯૭૭) પુસ્તક લખ્યું છે. ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ (૧૯૭૮) એમનો શોધપ્રબંધ છે. ‘અત્રત્ય તત્રત્ય’ (૧૯૭૮)માં ગુજરાતી કવિઓની સાથે સી. કે. લૂઈ અને ઑડેન જેવા અંગ્રેજી  \t\tકવિઓ, પાબ્લો નેરુદા જેવા ચીલી કવિ, મોન્તાલે જેવા ઈટાલિયન કવિ તથા યેવતુશેન્કો જેવા રશિયન કવિ વિશેના પરિચયલેખો છે. ‘નરસિંહ મહેતા’ (૧૯૮૧)માં નરસિંહના જીવનકવનનું વિસ્તૃત અવલોકન છે. ‘ક્ષરાક્ષર’ (૧૯૮૨)માં એમણે  \t\tદયારામ, દલપતરામ, નર્મદથી માંડી પ્રિયકાંત મણિયાર, જગદીશ જોષી, મણિલાલ દેસાઈ સુધીના દિવંગત ગુજરાતી કવિઓનાં જીવનકવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. ‘સમકાલીન કવિઓ’ (૧૯૮૩)માં લાભશંકર ઠાકર, સિતાંશુ  \t\tયશશ્વન્દ્ર, રાજેન્દ્ર શુક્લ, રાવજી પટેલ, આદિલ મન્સુરી વગેરે આધુનિક કવિઓની કવિતાને મૂલવી છે. ‘તુલનાત્મક સાહિત્ય’ (૧૯૮૪)માં સાહિત્ય-અભ્યાસી તુલના, ભૂમિકાનો ઇતિહાસ અને પરિચય છે. ‘ઉભયાન્વય’ (૧૯૮૬)માં વિવેચનલેખો  \t\tછે. ‘કાળમાં કોર્યાં નામ’ (૧૯૭૭)માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મોટા જેવા મહાનુભાવોનાં પ્રેરક ચરિત્રો આલેખાયાં છે. \t\t  \t\t‘નિષ્કુળાનંદ પદાવલી’ (૧૯૮૧), ‘સાત મહાકાવ્યો’ (૧૯૮૩), ‘પંચ મહાકાવ્યો’ (૧૯૮૪) અને ‘ટી. એસ. એલિયટ’ (૧૯૮૯) એમના સંપાદનગ્રંથો છે. \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ    \t\tતુલનાત્મક સાહિત્ય (૧૯૮૪) : ધીરુ પરીખનો ગ્રંથ. અહીં નવા વિષયને લગતી સામગ્રી ગુજરાતીમાં ઉપલબ્ધ થાય અને વિષયને સહાય અને પ્રોત્સાહન મળે એનો ખ્યાલ મુખ્યત્વે રાખવામાં આવ્યો છે. તુલનાત્મક સાહિત્યની અર્થચર્ચા  \t\tઅને સ્વરૂપચર્ચાથી માંડી સાદ્દશ્ય, પરંપરા, અનુવાદ, પુરાણસંદર્ભ વગેરે પાસાંઓનો સદ્દષ્ટાંત સ્પર્શ કરવામાં આવ્યો છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"dhirubhai-parikha","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/dhirubhai-parikha","tags":null,"created":"2024-02-03T20:38:50.578224","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17255,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ગૌરીશંકર  જોશી 'ધૂમકેતુ'","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ, ‘ધૂમકેતુ’ </u>\n\t\t(૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫) : નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં. ૧૯૧૪ માં મૅટ્રિક. ૧૯૨૦ માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો \n\t\tસાથે બી.એ. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની \n\t\tખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૩૫ \n\t\tમાં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના \n\t\tગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય.\n\t\t<br/><br/> \n\t\tએમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના \n\t\tસર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા. ‘તણખા’ મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫), ‘અવશેષ’ (૧૯૩૨), ‘પ્રદીપ’ (૧૯૩૩), ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’ (૧૯૩૭), ‘ત્રિભેટો’ (૧૯૩૮), ‘આકાશદીપ’ \n\t\t(૧૯૪૭), ‘પરિશેષ’ (૧૯૪૯), ‘અનામિકા’ (૧૯૪૯), ‘વનછાયા’ (૧૯૪૯), ‘પ્રતિબિંબ’ (૧૯૫૧), ‘વનરેખા’ (૧૯૫૨), ‘જલદીપ’ (૧૯૫૩), ‘વનકુંજ’ (૧૯૫૪), ‘વનરેણુ’ (૧૯૫૬), ‘મંગલદીપ’ (૧૯૫૭), ‘ચન્દ્રરેખા’ \n\t\t(૧૯૫૯), ‘નિકુંજ’ (૧૯૬૦), ‘સાન્ધ્યરંગ’ (૧૯૬૧), ‘સાન્ધ્યતેજ’ (૧૯૬૨), ‘વસંતકુંજ’ (૧૯૬૪) અને ‘છેલ્લો ઝબકારો’ (૧૯૬૪) એ ચોવીસ સંગ્રહોની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી \n\t\tનવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તો વાસ્તવલક્ષી પણ છે. ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે. \n\t\tવાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણો, લાગણીઓ, નારીની વેદના, કરુણા તથા વત્સલતા, માનવઅંતરનાં દ્રન્દ્ર વિષાદ કે આનંદનાં નિરૂપણો તેમાં \n\t\tછે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને નિરૂપતી વર્તાઓ પણ અહીં છે.\n\t\t<br/><br/> \n\t\tધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક છે, પરિણામે લાગણી-નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ક્યારેક ચિંતન તેમ જ ધૂની-તરંગી પાત્રો એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે. એમની વાર્તાકથનની \n\t\tનિજી લાક્ષણિક શૈલી છે. લોકબોલીનો લહેજો, કાવ્યમય આલંકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય તથા સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે. કટાક્ષ તથા હાસ્યનો પણ એમાં ઉપયોગ થયો છે.\n\t\tએમની નવલિકાઓમાં અતિપ્રસ્તારને કારણે ક્યારેક સંવિધાન કથળે છે. ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત, નગર-યંત્ર-સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો, જૂનાં મૂલ્યોની પ્રતિષ્ઠા, ઊર્મિનો અતિરેક, ચિંતનનો અનુચિત મોહ, અતિમુખરતા, લેખકનું ભાષ્ય \n\t\tઆદિ એમની વાર્તાઓની સીમાઓ છે. આમ છતાં ‘પોસ્ટઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ’, ‘રતિનો શાપ’, ‘રજપૂતાણી’, \n\t\t‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત કલાત્મક કૃતિઓ છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ વિપુલ પ્રમાણમાં આપી છે. એમની ‘પૃથ્વીશ’ (૧૯૨૩), ‘રાજમુગુટ’ (૧૯૨૪), ‘રુદ્રશરણ’ (૧૯૩૭), ‘અજિતા’ (૧૯૩૯), ‘પરાજય’ (૧૯૩૯), ‘જીવનનાં ખંડેર’ (૧૯૬૩), ‘મંઝિલ નહીં કિનારા’ (૧૯૬૪) \n\t\tવગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા છે. દેશી રજવાડાંની ખટપટોને આલેખતી તે નવલકથાઓમાં નૂતન પરિસ્થિતિમાં પ્રગટતી લોકજાગૃતિ નિરૂપાઈ છે, તો સાથોસાથ લોકતંત્ર, ગ્રામસ્વરાજ આદિ ભાવનાના \n\t\tનિરૂપણ સાથે રાજખટપટનો યથાર્થ ચિતાર પણ છે. એમની નવલકથાઓમાં પાત્રવસ્તુમાં આદર્શમયતાનું નિરૂપણ છે, ગામડાં પ્રત્યેનો પક્ષપાત છે; છતાં કથાવેગ, ચરિત્રચિત્રણ, રહસ્યમતા અને શૈલીને કારણે વાચનક્ષમતા છે. ‘ચૌલાદેવી’ \n\t\t(૧૯૪૦), ‘રાજસંન્યાસી’ (૧૯૪૨), ‘કર્ણાવતી’ (૧૯૪૨), ‘રાજકન્યા’ (૧૯૪૩), ‘વાચિનીદેવી’ (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (બર્બરજિષ્ણુ) (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (ત્રિભુવન ખંડ) (૧૯૪૭), ‘જયસિંહ સિદ્ધરાજ’ (અવંતીનાથ) (૧૯૪૮), \n\t\t‘ગુર્જરેશ્વર કુમારપાળ’ (૧૯૪૮), ‘રાજર્ષિ કુમારપાળ’ (૧૯૫૦), ‘નાયિકાદેવી’ (૧૯૫૧), ‘રાય કરણ ઘેલો’ (૧૯૫૨), ‘અજિત ભીમદેવ’ (૧૯૫૩), ‘આમ્રપાલી’ (૧૯૫૪), ‘વૈશાલી’ (૧૯૫૪), ‘મગધપતિ’ (૧૯૫૫), ‘મહાઅમાત્ય ચાણક્ય’ \n\t\t(૧૯૫૫), ‘ચન્દ્રગુપ્ત મોર્ય’ (૧૯૫૬), ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ (૧૯૫૭), ‘પ્રિયદર્શી અશોક’ (૧૯૫૮), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક’ (૧૯૫૮), ‘મગધસેનાપતિ પુષ્પમિત્ર’ (૧૯૫૯), ‘કુમારદેવી’ (૧૯૬૦), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’ : ૧-૨ (૧૯૬૧), \n\t\t‘પરાધીન ગુજરાત’ (૧૯૬૨), ‘ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત’ : ૧,૨ (૧૯૬૩, ૧૯૬૪), ‘ધ્રુવદેવી’ (૧૯૬૬) વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુપ્તયુગ અને ચૌલુકયુગનું નિરૂપણ છે. ગુપ્તયુગની નવલકથાઓ દ્વારા ભારતની અને \n\t\tચૌલુકયયુગની નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતા પ્રગટ કરવાનો એમનો ઉદ્દેશ જણાય છે. એમાં રસજિજ્ઞાસા સંતોષતી કથા-ઘટનાનું સંયોજન છે, છતાં સંવિધાન-શિથિલતા, પ્રસંગો-પાત્રોની એકવિધવા, \n\t\tરહસ્ય-ભેદભરમ-સાહસ-અદભૂત રસાદિનું સાયાસ નિરૂપણ તેમ જ વર્ણન-પ્રસ્તારને કારણે એમની ઐતિહાસિક નવલકથા સીમિત રહે છે.\n\t\t<br/><br/> \n\t\t‘જીવનવિચારણા’ (૧૯૭૦)માં એમના સમાજવિષયક નિબંધો છે, તો ‘સાહિત્યવિચારણા’ (૧૯૬૯) માં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા છે. પ્રથમ કૃતિમાં સમાજહિતચિંતક ધૂમકેતુ દેખા દે છે અને તેમાં સુબદ્ધ વિચારોનું ઊંડાણ છે, તો બીજી કૃતિમાં \n\t\tટૂંકીવાર્તા અંગે વિચારણા તથા કેટલાક અંજલિલેખો છે. અહીં નિબંધસ્વરૂપ કંઈક શિથિલ છે. નિબંધો ચિંતનપ્રેરક ઓછા, ઊર્મિપ્રેરક વિશેષ છે. અહીં એમની સૂત્રાત્મક સબળ શૈલી છે. ‘પાનગોષ્ઠિ’ (૧૯૪૨) માં પણ ચિંતન છે, પણ એમાં બહુધા હાસ્યનિબંધિકાઓ છે. \n\t\tજોકે અહીં એમનો હાસ્યકાર તરીકે પ્રગટ થવાનો આયાસ દેખાઈ આવે છે. ‘પગદંડી’ (૧૯૪૦) માં એમણે પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનોને અનુભૂતિની સાહજિકતા અને આલંકારિક ગદ્યનો સ્પર્શ આપ્યો છે. સ્થળોનાં ઐતિહાસિક સંદર્ભો એમની બહુશ્રુતતાનો અહીં પરિચય કરાવે છે.\n\t\t<br/><br/> \n\t\t‘રજકણ’ (૧૯૩૪), ‘જલબિંદુ’ (૧૯૩૬), ‘મેઘબિંદુ’ (૧૯૫૦), ‘પદ્મરેણુ’ (૧૯૫૧) જેવી કૃતિઓમાં ચિંતનકણિકાઓનું દર્શન થાય છે. એમાં સુરમ્ય વિચારકંડિકાઓ, લઘુલેખો અને નિબંધો છે. સૂત્રાત્મક શૈલીની સાથોસાથ ગદ્યના કુશળ કસબી \n\t\tધૂમકેતુનો સન્નિષ્ઠ નિબંધલેખક તરીકેનો એમાં પરિચય મળે છે. એમનો જીવનોત્સાહ, એમની સૌંદર્યભક્તિ તથા ભાવનાશીલતા એમાં નીતરે છે. ‘કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય’ (૧૯૪૦) એમનો ચરિત્રગ્રંથ છે, તો ‘જીવનપંથ’ (૧૯૪૯) અને ‘જીવનરંગ’ (૧૯૫૬) \n\t\tએમની આત્મકથા છે. પ્રથમ કૃતિમાં હેમચન્દ્રાચાર્યના વ્યક્તિત્વનું મૂલ્યાંકન છે પણ વિગતોમાં તટસ્થતાનો અભાવ અને ઇતિહાસનો બોજ વરતાય છે. ‘જીવનપંથ’ અને ‘જીવનરંગ’ માં ૧૮૯૨ થી ૧૯૨૬ સુધીનાં સંસ્મરણોનું આલેખન છે. પ્રકૃતિનાં કલ્પનાશીલ ચિત્રાત્મક \n\t\tવર્ણનો, વિવિધ પાત્રસૃષ્ટિ, વીતેલા જમાનાની ઘટનાઓ આદિ સુંદર રીતે આલેખાયાં છે; ઉપરાંત એમાં લેખકનું વિદ્યાર્થી, મિત્ર, શિક્ષક અને સાહિત્યકારનું સ્વરૂપ પ્રગટે છે. સત્યકથન અને સુવાચ્ય શૈલી એ એની લાક્ષણિકતા છે.\n\t\t<br/><br/> \n\t\t‘એકલવ્ય અને બીજાં નાટકો’ (૧૯૩૩) તેમ જ ‘ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો’ (૧૯૪૨) એમના નાટ્યસંગ્રહો છે.\n\t\t<br/><br/> \n\t\tજિબ્રાનની કૃતિઓ અને ટાગોરની ‘ગીતાંજલિ’ ના એમણે કરેલા ભાવાનુવાદમાં તે તે સર્જક સાથે હૃદયસંવાદ સાધી એમણે કાવ્યમય ભાષાશૈલી અને ચિંતનમાધુર્યના સ્વ-સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત, સ્વરાજપ્રાપ્તિ પછી \n\t\tસામાન્યજનના સંસ્કારશિક્ષણને પોષતી બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની સરળ ને બોધક સાઠેક પુસ્તિકાઓ એમણે લખી છે. ‘ઇતિહાસદર્શન’, ‘ઇતિહાસની તેજમૂર્તિઓ’ (૧૯૫૫) અને ‘ઇલિયડ’ (૧૯૬૧) એમનાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો છે. \n\t\t<p align=\"right\">-રવીન્દ્ર ઠાકોર</p>\n<br/><br/> \n\t\tતણખા : મંડળ ૧,૨,૩,૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫) : ધૂમકેતુના ટૂંકીવાર્તાઓના સંગ્રહો. કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું છે તેનો માત્ર ધ્વનિ જ-તણખો-જ-મૂકે છે એવું, નિજી કલાશ્રદ્ધામાંથી જન્મેલું ધૂમકેતુનું વાર્તાવિશ્વ \n\t\tઊર્મિપ્રધાન, ભાવનાપ્રધાન, રંગદર્શી અને વૈવિધ્યસભર છે. ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં અને ભારત બહાર પણ આ વાર્તાઓની પ્રસિદ્ધિ છે. વિપુલ સર્જનનો સંદર્ભ હોય કે વાર્તાકૌશલનો સંદર્ભ હોય, પાત્રમાનસના નિરૂપણનો સંદર્ભ \n\t\tહોય કે સર્જકતાની કોટિનો સંદર્ભ હોય-આ સર્વ સંદર્ભોમાં ધૂમકેતુ અગ્રણી વાર્તાકાર છે. આ વાર્તાઓ ‘વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી’ જવાનો અને ‘બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને \n\t\tસૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી’ કાઢવાનો મનસૂબો ધરાવે છે. ક્યારેક ઊર્મિના અતિરેકથી આવતો ઘેરો રંગ, ક્યારેક આદર્શઘેલછા, ક્યારેક ગ્રામજીવન તરફનો અકારણ પક્ષપાત, ક્યારેક \n\t\tઅવાસ્તવિક રીતે આવતા ઓચિંતા પલટાઓ એ આ વાર્તાઓની મર્યાદાઓ હોવા છતાં ‘પોસ્ટઓફિસ’, ‘ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘રજપૂતાણી’, ‘જીવનનું પ્રભાત’ જેવી વાર્તાઓમાં ધૂમકેતુનો સર્જન-વિશેષ જોઈ શકાય \n\t\tછે. આ વાર્તાઓમાં કલાનિર્મિત સાથે જીવનમૂલ્યોનું જીવંત રસાયણ થયેલું છે. ગુજરાતી ટૂંકીવાર્તા ધૂમકેતુથી પ્રસ્થાપિત થઈ એ વાતની સાક્ષી આ ચાર મંડળો અવશ્ય પૂરે છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tપોસ્ટઑફિસ : પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tભૈયાદાદા : ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે \n\t\tખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tરજપૂતાણી : ધૂમકેતુની ટૂંકીવાર્તા. એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tચૌલાદેવી (૧૯૪૦) : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ની ચૌલુક્યવંશીની નવલકથા. એમાં રાજા ભીમદેવના સમયની કથા છે. સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના \n\t\tદેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતનો રાજ્વી ઉપહાસપાત્ર બન્યો હતો; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું. બહારનાં ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, \n\t\tસંધિવિગ્રહિક દામોદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તત્તાનો અને સ્વપ્નમંડિત ભાવનાનો સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ, ‘ધૂમકેતુ’   \t\t(૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫) : નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં. ૧૯૧૪ માં મૅટ્રિક. ૧૯૨૦ માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો  \t\tસાથે બી.એ. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની  \t\tખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૩૫  \t\tમાં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના  \t\tગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય. \t\t   \t\tએમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના  \t\tસર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા. ‘તણખા’ મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫), ‘અવશેષ’ (૧૯૩૨), ‘પ્રદીપ’ (૧૯૩૩), ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’ (૧૯૩૭), ‘ત્રિભેટો’ (૧૯૩૮), ‘આકાશદીપ’  \t\t(૧૯૪૭), ‘પરિશેષ’ (૧૯૪૯), ‘અનામિકા’ (૧૯૪૯), ‘વનછાયા’ (૧૯૪૯), ‘પ્રતિબિંબ’ (૧૯૫૧), ‘વનરેખા’ (૧૯૫૨), ‘જલદીપ’ (૧૯૫૩), ‘વનકુંજ’ (૧૯૫૪), ‘વનરેણુ’ (૧૯૫૬), ‘મંગલદીપ’ (૧૯૫૭), ‘ચન્દ્રરેખા’  \t\t(૧૯૫૯), ‘નિકુંજ’ (૧૯૬૦), ‘સાન્ધ્યરંગ’ (૧૯૬૧), ‘સાન્ધ્યતેજ’ (૧૯૬૨), ‘વસંતકુંજ’ (૧૯૬૪) અને ‘છેલ્લો ઝબકારો’ (૧૯૬૪) એ ચોવીસ સંગ્રહોની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી  \t\tનવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તો વાસ્તવલક્ષી પણ છે. ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે.  \t\tવાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણો, લાગણીઓ, નારીની વેદના, કરુણા તથા વત્સલતા, માનવઅંતરનાં દ્રન્દ્ર વિષાદ કે આનંદનાં નિરૂપણો તેમાં  \t\tછે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને નિરૂપતી વર્તાઓ પણ અહીં છે. \t\t   \t\tધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક છે, પરિણામે લાગણી-નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ક્યારેક ચિંતન તેમ જ ધૂની-તરંગી પાત્રો એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે. એમની વાર્તાકથનની  \t\tનિજી લાક્ષણિક શૈલી છે. લોકબોલીનો લહેજો, કાવ્યમય આલંકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય તથા સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે. કટાક્ષ તથા હાસ્યનો પણ એમાં ઉપયોગ થયો છે. \t\tએમની નવલિકાઓમાં અતિપ્રસ્તારને કારણે ક્યારેક સંવિધાન કથળે છે. ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત, નગર-યંત્ર-સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો, જૂનાં મૂલ્યોની પ્રતિષ્ઠા, ઊર્મિનો અતિરેક, ચિંતનનો અનુચિત મોહ, અતિમુખરતા, લેખકનું ભાષ્ય  \t\tઆદિ એમની વાર્તાઓની સીમાઓ છે. આમ છતાં ‘પોસ્ટઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ’, ‘રતિનો શાપ’, ‘રજપૂતાણી’,  \t\t‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત કલાત્મક કૃતિઓ છે. \t\t   \t\tએમણે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ વિપુલ પ્રમાણમાં આપી છે. એમની ‘પૃથ્વીશ’ (૧૯૨૩), ‘રાજમુગુટ’ (૧૯૨૪), ‘રુદ્રશરણ’ (૧૯૩૭), ‘અજિતા’ (૧૯૩૯), ‘પરાજય’ (૧૯૩૯), ‘જીવનનાં ખંડેર’ (૧૯૬૩), ‘મંઝિલ નહીં કિનારા’ (૧૯૬૪)  \t\tવગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા છે. દેશી રજવાડાંની ખટપટોને આલેખતી તે નવલકથાઓમાં નૂતન પરિસ્થિતિમાં પ્રગટતી લોકજાગૃતિ નિરૂપાઈ છે, તો સાથોસાથ લોકતંત્ર, ગ્રામસ્વરાજ આદિ ભાવનાના  \t\tનિરૂપણ સાથે રાજખટપટનો યથાર્થ ચિતાર પણ છે. એમની નવલકથાઓમાં પાત્રવસ્તુમાં આદર્શમયતાનું નિરૂપણ છે, ગામડાં પ્રત્યેનો પક્ષપાત છે; છતાં કથાવેગ, ચરિત્રચિત્રણ, રહસ્યમતા અને શૈલીને કારણે વાચનક્ષમતા છે. ‘ચૌલાદેવી’  \t\t(૧૯૪૦), ‘રાજસંન્યાસી’ (૧૯૪૨), ‘કર્ણાવતી’ (૧૯૪૨), ‘રાજકન્યા’ (૧૯૪૩), ‘વાચિનીદેવી’ (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (બર્બરજિષ્ણુ) (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (ત્રિભુવન ખંડ) (૧૯૪૭), ‘જયસિંહ સિદ્ધરાજ’ (અવંતીનાથ) (૧૯૪૮),  \t\t‘ગુર્જરેશ્વર કુમારપાળ’ (૧૯૪૮), ‘રાજર્ષિ કુમારપાળ’ (૧૯૫૦), ‘નાયિકાદેવી’ (૧૯૫૧), ‘રાય કરણ ઘેલો’ (૧૯૫૨), ‘અજિત ભીમદેવ’ (૧૯૫૩), ‘આમ્રપાલી’ (૧૯૫૪), ‘વૈશાલી’ (૧૯૫૪), ‘મગધપતિ’ (૧૯૫૫), ‘મહાઅમાત્ય ચાણક્ય’  \t\t(૧૯૫૫), ‘ચન્દ્રગુપ્ત મોર્ય’ (૧૯૫૬), ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ (૧૯૫૭), ‘પ્રિયદર્શી અશોક’ (૧૯૫૮), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક’ (૧૯૫૮), ‘મગધસેનાપતિ પુષ્પમિત્ર’ (૧૯૫૯), ‘કુમારદેવી’ (૧૯૬૦), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’ : ૧-૨ (૧૯૬૧),  \t\t‘પરાધીન ગુજરાત’ (૧૯૬૨), ‘ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત’ : ૧,૨ (૧૯૬૩, ૧૯૬૪), ‘ધ્રુવદેવી’ (૧૯૬૬) વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુપ્તયુગ અને ચૌલુકયુગનું નિરૂપણ છે. ગુપ્તયુગની નવલકથાઓ દ્વારા ભારતની અને  \t\tચૌલુકયયુગની નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતા પ્રગટ કરવાનો એમનો ઉદ્દેશ જણાય છે. એમાં રસજિજ્ઞાસા સંતોષતી કથા-ઘટનાનું સંયોજન છે, છતાં સંવિધાન-શિથિલતા, પ્રસંગો-પાત્રોની એકવિધવા,  \t\tરહસ્ય-ભેદભરમ-સાહસ-અદભૂત રસાદિનું સાયાસ નિરૂપણ તેમ જ વર્ણન-પ્રસ્તારને કારણે એમની ઐતિહાસિક નવલકથા સીમિત રહે છે. \t\t   \t\t‘જીવનવિચારણા’ (૧૯૭૦)માં એમના સમાજવિષયક નિબંધો છે, તો ‘સાહિત્યવિચારણા’ (૧૯૬૯) માં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા છે. પ્રથમ કૃતિમાં સમાજહિતચિંતક ધૂમકેતુ દેખા દે છે અને તેમાં સુબદ્ધ વિચારોનું ઊંડાણ છે, તો બીજી કૃતિમાં  \t\tટૂંકીવાર્તા અંગે વિચારણા તથા કેટલાક અંજલિલેખો છે. અહીં નિબંધસ્વરૂપ કંઈક શિથિલ છે. નિબંધો ચિંતનપ્રેરક ઓછા, ઊર્મિપ્રેરક વિશેષ છે. અહીં એમની સૂત્રાત્મક સબળ શૈલી છે. ‘પાનગોષ્ઠિ’ (૧૯૪૨) માં પણ ચિંતન છે, પણ એમાં બહુધા હાસ્યનિબંધિકાઓ છે.  \t\tજોકે અહીં એમનો હાસ્યકાર તરીકે પ્રગટ થવાનો આયાસ દેખાઈ આવે છે. ‘પગદંડી’ (૧૯૪૦) માં એમણે પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનોને અનુભૂતિની સાહજિકતા અને આલંકારિક ગદ્યનો સ્પર્શ આપ્યો છે. સ્થળોનાં ઐતિહાસિક સંદર્ભો એમની બહુશ્રુતતાનો અહીં પરિચય કરાવે છે. \t\t   \t\t‘રજકણ’ (૧૯૩૪), ‘જલબિંદુ’ (૧૯૩૬), ‘મેઘબિંદુ’ (૧૯૫૦), ‘પદ્મરેણુ’ (૧૯૫૧) જેવી કૃતિઓમાં ચિંતનકણિકાઓનું દર્શન થાય છે. એમાં સુરમ્ય વિચારકંડિકાઓ, લઘુલેખો અને નિબંધો છે. સૂત્રાત્મક શૈલીની સાથોસાથ ગદ્યના કુશળ કસબી  \t\tધૂમકેતુનો સન્નિષ્ઠ નિબંધલેખક તરીકેનો એમાં પરિચય મળે છે. એમનો જીવનોત્સાહ, એમની સૌંદર્યભક્તિ તથા ભાવનાશીલતા એમાં નીતરે છે. ‘કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય’ (૧૯૪૦) એમનો ચરિત્રગ્રંથ છે, તો ‘જીવનપંથ’ (૧૯૪૯) અને ‘જીવનરંગ’ (૧૯૫૬)  \t\tએમની આત્મકથા છે. પ્રથમ કૃતિમાં હેમચન્દ્રાચાર્યના વ્યક્તિત્વનું મૂલ્યાંકન છે પણ વિગતોમાં તટસ્થતાનો અભાવ અને ઇતિહાસનો બોજ વરતાય છે. ‘જીવનપંથ’ અને ‘જીવનરંગ’ માં ૧૮૯૨ થી ૧૯૨૬ સુધીનાં સંસ્મરણોનું આલેખન છે. પ્રકૃતિનાં કલ્પનાશીલ ચિત્રાત્મક  \t\tવર્ણનો, વિવિધ પાત્રસૃષ્ટિ, વીતેલા જમાનાની ઘટનાઓ આદિ સુંદર રીતે આલેખાયાં છે; ઉપરાંત એમાં લેખકનું વિદ્યાર્થી, મિત્ર, શિક્ષક અને સાહિત્યકારનું સ્વરૂપ પ્રગટે છે. સત્યકથન અને સુવાચ્ય શૈલી એ એની લાક્ષણિકતા છે. \t\t   \t\t‘એકલવ્ય અને બીજાં નાટકો’ (૧૯૩૩) તેમ જ ‘ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો’ (૧૯૪૨) એમના નાટ્યસંગ્રહો છે. \t\t   \t\tજિબ્રાનની કૃતિઓ અને ટાગોરની ‘ગીતાંજલિ’ ના એમણે કરેલા ભાવાનુવાદમાં તે તે સર્જક સાથે હૃદયસંવાદ સાધી એમણે કાવ્યમય ભાષાશૈલી અને ચિંતનમાધુર્યના સ્વ-સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત, સ્વરાજપ્રાપ્તિ પછી  \t\tસામાન્યજનના સંસ્કારશિક્ષણને પોષતી બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની સરળ ને બોધક સાઠેક પુસ્તિકાઓ એમણે લખી છે. ‘ઇતિહાસદર્શન’, ‘ઇતિહાસની તેજમૂર્તિઓ’ (૧૯૫૫) અને ‘ઇલિયડ’ (૧૯૬૧) એમનાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો છે.  \t\t -રવીન્દ્ર ઠાકોર     \t\tતણખા : મંડળ ૧,૨,૩,૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫) : ધૂમકેતુના ટૂંકીવાર્તાઓના સંગ્રહો. કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું છે તેનો માત્ર ધ્વનિ જ-તણખો-જ-મૂકે છે એવું, નિજી કલાશ્રદ્ધામાંથી જન્મેલું ધૂમકેતુનું વાર્તાવિશ્વ  \t\tઊર્મિપ્રધાન, ભાવનાપ્રધાન, રંગદર્શી અને વૈવિધ્યસભર છે. ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં અને ભારત બહાર પણ આ વાર્તાઓની પ્રસિદ્ધિ છે. વિપુલ સર્જનનો સંદર્ભ હોય કે વાર્તાકૌશલનો સંદર્ભ હોય, પાત્રમાનસના નિરૂપણનો સંદર્ભ  \t\tહોય કે સર્જકતાની કોટિનો સંદર્ભ હોય-આ સર્વ સંદર્ભોમાં ધૂમકેતુ અગ્રણી વાર્તાકાર છે. આ વાર્તાઓ ‘વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી’ જવાનો અને ‘બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને  \t\tસૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી’ કાઢવાનો મનસૂબો ધરાવે છે. ક્યારેક ઊર્મિના અતિરેકથી આવતો ઘેરો રંગ, ક્યારેક આદર્શઘેલછા, ક્યારેક ગ્રામજીવન તરફનો અકારણ પક્ષપાત, ક્યારેક  \t\tઅવાસ્તવિક રીતે આવતા ઓચિંતા પલટાઓ એ આ વાર્તાઓની મર્યાદાઓ હોવા છતાં ‘પોસ્ટઓફિસ’, ‘ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘રજપૂતાણી’, ‘જીવનનું પ્રભાત’ જેવી વાર્તાઓમાં ધૂમકેતુનો સર્જન-વિશેષ જોઈ શકાય  \t\tછે. આ વાર્તાઓમાં કલાનિર્મિત સાથે જીવનમૂલ્યોનું જીવંત રસાયણ થયેલું છે. ગુજરાતી ટૂંકીવાર્તા ધૂમકેતુથી પ્રસ્થાપિત થઈ એ વાતની સાક્ષી આ ચાર મંડળો અવશ્ય પૂરે છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tપોસ્ટઑફિસ : પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tભૈયાદાદા : ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે  \t\tખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tરજપૂતાણી : ધૂમકેતુની ટૂંકીવાર્તા. એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tચૌલાદેવી (૧૯૪૦) : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ની ચૌલુક્યવંશીની નવલકથા. એમાં રાજા ભીમદેવના સમયની કથા છે. સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના  \t\tદેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતનો રાજ્વી ઉપહાસપાત્ર બન્યો હતો; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું. બહારનાં ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ,  \t\tસંધિવિગ્રહિક દામોદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તત્તાનો અને સ્વપ્નમંડિત ભાવનાનો સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"gaurisankara-josi-dhumaketu","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/gaurisankara-josi-dhumaketu","tags":null,"created":"2024-02-03T20:38:50.791839","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17256,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" દિગન્ત ઓઝા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ઓઝા દિગન્ત બાલચન્દ્ર</u>\r\n\t\t(૨૫-૧૦-૧૯૩૯) : નવલકથાકાર એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ‘નવા પડકાર’, ‘ચિત્રરંજન’ તથા ‘આજ’ના તંત્રી. અત્યારે ‘જનસત્તા’ના કૉ-ઑર્ડિનેટર તંત્રી. \r\n\t\t<br/><br/>\r\n\t\tસાંપ્રત સમયના વાતાવરણને આલેખતી હૃદયસ્પર્શી ‘ગંદીગલી બદમાશ બસ્તી’ (૧૯૬૯) અને ‘રથચક્ર’ (૧૯૮૦) નવલકથાઓ એમણે લખી છે. ઉપરાંત એમણે ‘શાસક વર્ગ : ચહેરો એક મ્હોરાં અનેક’ તથા નાટકોના અનુવાદ \r\n\t\tપણ આપ્યા છે.\r\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      ઓઝા દિગન્ત બાલચન્દ્ર \r \t\t(૨૫-૧૦-૧૯૩૯) : નવલકથાકાર એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ‘નવા પડકાર’, ‘ચિત્રરંજન’ તથા ‘આજ’ના તંત્રી. અત્યારે ‘જનસત્તા’ના કૉ-ઑર્ડિનેટર તંત્રી. \r \t\t \r \t\tસાંપ્રત સમયના વાતાવરણને આલેખતી હૃદયસ્પર્શી ‘ગંદીગલી બદમાશ બસ્તી’ (૧૯૬૯) અને ‘રથચક્ર’ (૧૯૮૦) નવલકથાઓ એમણે લખી છે. ઉપરાંત એમણે ‘શાસક વર્ગ : ચહેરો એક મ્હોરાં અનેક’ તથા નાટકોના અનુવાદ \r \t\tપણ આપ્યા છે.\r \t\t    આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"diganta-ojha","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/diganta-ojha","tags":null,"created":"2024-02-03T20:38:50.998138","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17257,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" દિગીશ મહેતા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મહેતા દિગીશ નાનુભાઈ  </u>\n\t\t(૧૨-૭-૧૯૩૪) : નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ પાટણમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિડ્સમાંથી એમ.એ. અત્યારે ગુજરાત \n\t\tયુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક.\n\t\t<br/><br/> \n\t\t‘આપણો ઘડીક સંગ’ (૧૯૬૨) એમની વિનોદશૈલીની એક પ્રયોગસભર લઘુનવલ છે. ૧૫૮ પૃષ્ઠ અને બાવીસ પ્રકરણોમાં વહેંચાયેલી આ કથાના તાણાવાણા ગૂંથાયા છે અર્વાચીના અને ધૂર્જટિના તદ્દન સાદાસીધા પ્રણવ વડે; પણ લેખકે આ કથાને રૂઢ રૂપે નહિ, \n\t\tઅરૂઢ રૂપે રજૂ કરી છે. અહીં ઘટનાઓ ઓછી છે, પણ જે કંઈ કથાંશો છે તેને તેઓ સચોટ પાત્રનિરૂપણ દ્વારા અને એ પાત્રોના આંતરજગતને કળામય રીતે અભિવ્યાંજિત કરતા પદાર્થો-પરિસ્થિતિઓ દ્વારા સઘન કરે છે. હાસ્ય-મજાકવાળી વિલક્ષણ શૈલી વડે \n\t\tએમણે જીવનના અનેક મર્મોને અહીં લીલયા ઉદઘાટિત કરી આપ્યા છે. એક લાક્ષણિક પ્રયોગ લેખે આ લઘુનવલનું ઐતિહાસિક મૂલ્ય ગણાયું છે.\n\t\t<br/><br/> \n\t\t‘દૂરના એ સૂર’ (૧૯૭૦)ની લલિતનિબંધની ચૌદ રચનાઓમાં એમની લેખિની ‘મનુષ્ય’ને, તેના માનવિવર્તોને, તેના સ્વભાવની વિસંગતિઓ અને વિચિત્રતાઓને તાગવા-તાકવાનું વલણ વિશેષ ધરાવે છે. પ્રસંગનું માત્ર નિરૂપણ કરવાને બદલે તેને \n\t\tઅનેક સંદર્ભો વચ્ચે ખીલવીને મનુષ્યચિંત્તના કોઈક ને કોઈક ખૂણાને અનાવૃત્ત કરી આપવો-એ પ્રકારની એમની રીત વિશિષ્ટ છે. વસ્તુ કે પાત્રને ચિત્રાત્મક ઉઠાવ આપવાની શક્તિ એમની કલમમાં છે. ‘પાત્રો’, ‘લોક’ કે ‘દ્રશ્યો’ જેવી રચનાઓમાં \n\t\tએમની આ શક્તિ વિશેષ ખીલેલી જોવાય છે. નિબંધકારનાં અભ્યાસ, અનુભવ, કલ્પના અને તીવ્ર નિરીક્ષણમાંથી પ્રકટતી ઉપમાઓ-ઉત્પ્રેક્ષાઓ એમના નિબંધોને અન્નય સૌંદર્ય અર્પી રહે છે.\n\t\t<br/><br/> \n\t\t‘પરિધિ’ (૧૯૭૬) એમની અભ્યાસનિષ્ઠાનો દ્યોતક વિવેચનસંગ્રહ છે. વિદેશના કેટલાક સર્જકોની મહત્ત્વપૂર્ણ કૃતિઓની વિચારણા, કેટલાક સૈદ્ધાંતિક મુદ્દાઓની વિશદ ચર્ચા તથા ગુજરાતી સર્જક કે ગુજરાતી કળાકૃતિ ઉપરના આ લેખોમાં એમની નિજી દ્રષ્ટિનો \n\t\tપરિચય થાય છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે અંગ્રેજીમાં ‘શ્રીમદ્ રાજચન્દ્ર’ (૧૯૮૦) નામક લઘુચરિત્રપુસ્તક લખ્યું છે.\n\t\t<p align=\"right\">-પ્રવીણ દરજી</p>\n<br/><br/> \n\t\tઆપણો ઘડીક સંગ (૧૯૬૨) : દિગીશ મહેતાની પ્રયોગશીલ લઘુનવલ. કૉલેજકન્યા અર્વાચીના અને પ્રોફેસર ધ્રૂર્જટિનાં પ્રણયસગપણના વસ્તુને અહીં અમદાવાદના શહેરી જીવનની પડછે હળવીગંભીર શૈલીએ મૂર્ત રૂપ મળ્યું છે. પાત્ર કે પરિસ્થિતિ પરત્વે \n\t\tલેખકની વક્રતા અને એમનો વ્યંગ્ય વિનોદને પ્રેરે છે, છતાં એકંદરે લાગણીનો પુટ આ હાસ્યકથાને વિશિષ્ટ બનાવે છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tદુરના એ સૂર (૧૯૭૦) : દિગીશ મહેતાના અંગત અને લલિતાત્મક નિબંધોનો સંગ્રહ. બાળપણના સંસ્કારોનાં અંગત સાહચર્યો અને ઉત્તમ સાહિત્યજગતના ઉલ્લેખોથી તૈયાર થયેલું આ નિબંધોનું સ્વરૂપ આસ્વાદ્ય અને સંવેદનશીલ છે. આ નિબંધોની બાબતમાં\n\t\t નિબંધકાર એકરાર કરે છે તેમ, એમનું મન શહેરમાંથી ઊડીને પચાસ માઈલ દૂર આવેલા એમના ગામના એક મંદિરના કોટની ભીંત આગળ પથરાયેલા એક બીજા વૃક્ષની છાયા તરફ ફરે છે અને એમ એ પોતાની દિશા મેળવી લે છે. માનવીય પરિમાણને \n\t\t લક્ષમાં રાખી બૃહદ્ સંવેદન ઉપસાવતા એમના નિબંધોનું ગદ્ય તળપદા સંસ્કારો સહિત સાહિત્યપુષ્ટ છે. આ સંગ્રહના ‘ઘર’, ‘પુલ’, ‘પ્રવાહ’, ‘દ્રશ્યો’ જેવા નિબંધો ગુજરાતી નિબંધસાહિત્યના અત્યંત આસ્વાદ્ય નિબંધોમાં સ્થાન પામેલા છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      મહેતા દિગીશ નાનુભાઈ    \t\t(૧૨-૭-૧૯૩૪) : નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ પાટણમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિડ્સમાંથી એમ.એ. અત્યારે ગુજરાત  \t\tયુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. \t\t   \t\t‘આપણો ઘડીક સંગ’ (૧૯૬૨) એમની વિનોદશૈલીની એક પ્રયોગસભર લઘુનવલ છે. ૧૫૮ પૃષ્ઠ અને બાવીસ પ્રકરણોમાં વહેંચાયેલી આ કથાના તાણાવાણા ગૂંથાયા છે અર્વાચીના અને ધૂર્જટિના તદ્દન સાદાસીધા પ્રણવ વડે; પણ લેખકે આ કથાને રૂઢ રૂપે નહિ,  \t\tઅરૂઢ રૂપે રજૂ કરી છે. અહીં ઘટનાઓ ઓછી છે, પણ જે કંઈ કથાંશો છે તેને તેઓ સચોટ પાત્રનિરૂપણ દ્વારા અને એ પાત્રોના આંતરજગતને કળામય રીતે અભિવ્યાંજિત કરતા પદાર્થો-પરિસ્થિતિઓ દ્વારા સઘન કરે છે. હાસ્ય-મજાકવાળી વિલક્ષણ શૈલી વડે  \t\tએમણે જીવનના અનેક મર્મોને અહીં લીલયા ઉદઘાટિત કરી આપ્યા છે. એક લાક્ષણિક પ્રયોગ લેખે આ લઘુનવલનું ઐતિહાસિક મૂલ્ય ગણાયું છે. \t\t   \t\t‘દૂરના એ સૂર’ (૧૯૭૦)ની લલિતનિબંધની ચૌદ રચનાઓમાં એમની લેખિની ‘મનુષ્ય’ને, તેના માનવિવર્તોને, તેના સ્વભાવની વિસંગતિઓ અને વિચિત્રતાઓને તાગવા-તાકવાનું વલણ વિશેષ ધરાવે છે. પ્રસંગનું માત્ર નિરૂપણ કરવાને બદલે તેને  \t\tઅનેક સંદર્ભો વચ્ચે ખીલવીને મનુષ્યચિંત્તના કોઈક ને કોઈક ખૂણાને અનાવૃત્ત કરી આપવો-એ પ્રકારની એમની રીત વિશિષ્ટ છે. વસ્તુ કે પાત્રને ચિત્રાત્મક ઉઠાવ આપવાની શક્તિ એમની કલમમાં છે. ‘પાત્રો’, ‘લોક’ કે ‘દ્રશ્યો’ જેવી રચનાઓમાં  \t\tએમની આ શક્તિ વિશેષ ખીલેલી જોવાય છે. નિબંધકારનાં અભ્યાસ, અનુભવ, કલ્પના અને તીવ્ર નિરીક્ષણમાંથી પ્રકટતી ઉપમાઓ-ઉત્પ્રેક્ષાઓ એમના નિબંધોને અન્નય સૌંદર્ય અર્પી રહે છે. \t\t   \t\t‘પરિધિ’ (૧૯૭૬) એમની અભ્યાસનિષ્ઠાનો દ્યોતક વિવેચનસંગ્રહ છે. વિદેશના કેટલાક સર્જકોની મહત્ત્વપૂર્ણ કૃતિઓની વિચારણા, કેટલાક સૈદ્ધાંતિક મુદ્દાઓની વિશદ ચર્ચા તથા ગુજરાતી સર્જક કે ગુજરાતી કળાકૃતિ ઉપરના આ લેખોમાં એમની નિજી દ્રષ્ટિનો  \t\tપરિચય થાય છે. \t\t   \t\tએમણે અંગ્રેજીમાં ‘શ્રીમદ્ રાજચન્દ્ર’ (૧૯૮૦) નામક લઘુચરિત્રપુસ્તક લખ્યું છે. \t\t -પ્રવીણ દરજી     \t\tઆપણો ઘડીક સંગ (૧૯૬૨) : દિગીશ મહેતાની પ્રયોગશીલ લઘુનવલ. કૉલેજકન્યા અર્વાચીના અને પ્રોફેસર ધ્રૂર્જટિનાં પ્રણયસગપણના વસ્તુને અહીં અમદાવાદના શહેરી જીવનની પડછે હળવીગંભીર શૈલીએ મૂર્ત રૂપ મળ્યું છે. પાત્ર કે પરિસ્થિતિ પરત્વે  \t\tલેખકની વક્રતા અને એમનો વ્યંગ્ય વિનોદને પ્રેરે છે, છતાં એકંદરે લાગણીનો પુટ આ હાસ્યકથાને વિશિષ્ટ બનાવે છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tદુરના એ સૂર (૧૯૭૦) : દિગીશ મહેતાના અંગત અને લલિતાત્મક નિબંધોનો સંગ્રહ. બાળપણના સંસ્કારોનાં અંગત સાહચર્યો અને ઉત્તમ સાહિત્યજગતના ઉલ્લેખોથી તૈયાર થયેલું આ નિબંધોનું સ્વરૂપ આસ્વાદ્ય અને સંવેદનશીલ છે. આ નિબંધોની બાબતમાં \t\t નિબંધકાર એકરાર કરે છે તેમ, એમનું મન શહેરમાંથી ઊડીને પચાસ માઈલ દૂર આવેલા એમના ગામના એક મંદિરના કોટની ભીંત આગળ પથરાયેલા એક બીજા વૃક્ષની છાયા તરફ ફરે છે અને એમ એ પોતાની દિશા મેળવી લે છે. માનવીય પરિમાણને  \t\t લક્ષમાં રાખી બૃહદ્ સંવેદન ઉપસાવતા એમના નિબંધોનું ગદ્ય તળપદા સંસ્કારો સહિત સાહિત્યપુષ્ટ છે. આ સંગ્રહના ‘ઘર’, ‘પુલ’, ‘પ્રવાહ’, ‘દ્રશ્યો’ જેવા નિબંધો ગુજરાતી નિબંધસાહિત્યના અત્યંત આસ્વાદ્ય નિબંધોમાં સ્થાન પામેલા છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"digisa-maheta","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/digisa-maheta","tags":null,"created":"2024-02-03T20:38:51.159755","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17258,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" દિલીપ રાણપુરા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>રાણપુરા દિલીપ નાગજીભાઈ </u>\r\n\t\t(૧૪-૧૧-૧૯૩૨) : નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ ધંધુકામાં. ૧૯૫૦માં વર્નાક્યુલર ફાઈનલ. ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી. શરૂમાં સર્વોદય યોજનામાં જોડાયા પછી શિક્ષણવ્યવસાયમાં. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં \r\n\t\tશિક્ષક તરીકે રહ્યા પછી અત્યારે બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય.\r\n\t\t<br/><br/> \r\n\t\t‘સૂકી ધરતી સૂકા હોઠ’ (૧૯૬૭), ‘હું આવું છું’ (૧૯૬૯), ‘હળાહળ અમી’ (૧૯૬૯), ‘આતમ વીંઝે પાંખ’ (૧૯૭૦), ‘ભીંસ’ (૧૯૭૦), ‘મધુડંખ’ (૧૯૭૨), ‘હરિયાળાં વેરાન’ (૧૯૭૨), ‘કોઈ વરદાન આપો’ (૧૯૭૬), \r\n\t\t‘કારવાં ગુજર ગયા’ (૧૯૭૬), ‘નિયતિ’ (૧૯૭૬), ‘કાન તમે સાંભળો તો’ (૧૯૭૭), ‘અમે તરસ્યાં પૂનમનાં’ (૧૯૭૮), ‘રે અમે કોમળ કોમળ’ (૧૯૭૯), ‘મને પૂછશો નહીં’ (૧૯૮૦), ‘વાસંતી ડૂસકાં’ (૧૯૮૧), \r\n\t\t‘કૂંપળ ફૂટ્યાની વાત’ (૧૯૮૩), ‘આંસુભીનો ઉજાસ’ (૧૯૮૪), ‘મીરાંની રહી મહેક’ (૧૯૮૫), ‘પીઠે પાંગર્યો પીપળો’ (૧૯૮૭), ‘અંતરિયાળ’ (૧૯૮૯) વગેરે એમની નવલકથાઓ છે. આ ઉપરાંત વાર્તાસંગ્રહો ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૭૫) \r\n\t\tઅને ‘પણ માંડેલી વારતાનું શું ?’ (૧૯૮૬);  સંસ્મરણકથા ‘દીવા તળે ઓછાયા’ (૧૯૭૭) તથા ચરિત્રનિબંધસંગ્રહો ‘વાત એક માણસની’ (૧૯૮૫) અને ‘છવિ’ (૧૯૮૮) પણ એમના નામે છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      રાણપુરા દિલીપ નાગજીભાઈ  \r \t\t(૧૪-૧૧-૧૯૩૨) : નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર. જન્મ ધંધુકામાં. ૧૯૫૦માં વર્નાક્યુલર ફાઈનલ. ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી. શરૂમાં સર્વોદય યોજનામાં જોડાયા પછી શિક્ષણવ્યવસાયમાં. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં \r \t\tશિક્ષક તરીકે રહ્યા પછી અત્યારે બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય.\r \t\t  \r \t\t‘સૂકી ધરતી સૂકા હોઠ’ (૧૯૬૭), ‘હું આવું છું’ (૧૯૬૯), ‘હળાહળ અમી’ (૧૯૬૯), ‘આતમ વીંઝે પાંખ’ (૧૯૭૦), ‘ભીંસ’ (૧૯૭૦), ‘મધુડંખ’ (૧૯૭૨), ‘હરિયાળાં વેરાન’ (૧૯૭૨), ‘કોઈ વરદાન આપો’ (૧૯૭૬), \r \t\t‘કારવાં ગુજર ગયા’ (૧૯૭૬), ‘નિયતિ’ (૧૯૭૬), ‘કાન તમે સાંભળો તો’ (૧૯૭૭), ‘અમે તરસ્યાં પૂનમનાં’ (૧૯૭૮), ‘રે અમે કોમળ કોમળ’ (૧૯૭૯), ‘મને પૂછશો નહીં’ (૧૯૮૦), ‘વાસંતી ડૂસકાં’ (૧૯૮૧), \r \t\t‘કૂંપળ ફૂટ્યાની વાત’ (૧૯૮૩), ‘આંસુભીનો ઉજાસ’ (૧૯૮૪), ‘મીરાંની રહી મહેક’ (૧૯૮૫), ‘પીઠે પાંગર્યો પીપળો’ (૧૯૮૭), ‘અંતરિયાળ’ (૧૯૮૯) વગેરે એમની નવલકથાઓ છે. આ ઉપરાંત વાર્તાસંગ્રહો ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૭૫) \r \t\tઅને ‘પણ માંડેલી વારતાનું શું ?’ (૧૯૮૬);  સંસ્મરણકથા ‘દીવા તળે ઓછાયા’ (૧૯૭૭) તથા ચરિત્રનિબંધસંગ્રહો ‘વાત એક માણસની’ (૧૯૮૫) અને ‘છવિ’ (૧૯૮૮) પણ એમના નામે છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"dilipa-ranapura","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/dilipa-ranapura","tags":null,"created":"2024-02-03T20:38:51.379875","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17259,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" દીપક મહેતા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મહેતા દીપક ભૂપતરાય </u>\n\t\t\t(૨૬-૧૧-૧૯૩૯) : વિવેચક, અનુવાદક. જન્મસ્થળ મુંબઈ. ૧૯૫૭માં મુંબઈની ન્યુ ઈરા સ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૩ માં એમ.એ. ૧૯૬૩ થી \n\t\t\t૧૯૭૪ સુધી કે.જે. સોમૈયા કૉલેજ, મુંબઈમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૭૪-૧૯૭૬ દરમિયાન પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક. ૧૯૭૬ થી ૧૯૮૨ સુધી યુ.એસ. લાયબ્રેરી ઑવ કૉંગ્રેસ, નવી દિલ્હીના ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ \n\t\t\tઅને પછીથી કાર્યકારી અધ્યક્ષ. ગુજરાતી સાહિત્ય સભા, દિલ્હીના સંવાહક.\n\t\t<br/><br/> \n\t\t\tએમણે ‘નવલકથા : કસબ અને કલા’ (૧૯૭૬) તથા ‘કથાવલોકન’ (૧૯૭૮) એ બે વિવેચનગ્રંથો ઉપરાંત ‘રમણલાલ વ. દેસાઈ’ (૧૯૮૦) નામક લઘુપ્રબંધ આપ્યો છે. ‘પરીકથામાળા’ (અન્ય સાથે, ૧૯૮૦), ‘સબરસ કથામાળા’ (અન્ય સાથે, \n\t\t\t૧૯૭૭) એમનું બાળસાહિત્ય છે. ‘શામળની કવિતા’ (૧૯૭૨), ‘જગતની શ્રેષ્ઠ નવલકથાઓ’ (૧૯૭૫) અને ‘રમણલાલ વ. દેસાઈ’ (૧૯૭૯) તથા ‘કનૈયાલાલ મુનશી’ જેવી પરિચય પુસ્તિકાઓ એમણે લખી છે. આ ઉપરાંત ૧૯૬૦ થી ૧૯૮૦ \n\t\t\tદરમિયાન પ્રગટ થયેલી નવલકથાઓની શીર્ષકસૂચિ ‘કથાસંદર્ભ’ (અન્ય સાથે, ૧૯૮૪), ‘સમિધ’ (અન્ય સાથે, ૧૯૬૫) અને ‘માતૃવંદના’- ભા. ૧-૨ (૧૯૮૩) જેવા સંપાદનો પણ આપ્યાં છે. મરાઠીમાંથી ‘માહીમની ખાડી’ તથા અંગ્રેજીમાંથી ‘એક \n\t\t\tકોડીનું સ્વપ્નું’ (૧૯૭૯) અને ‘સરદાર પટેલનો પસંદ કરેલો પત્રવ્યવહાર’ : ૧-૨ (૧૯૭૭) એ એમના અનુવાદો છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      મહેતા દીપક ભૂપતરાય   \t\t\t(૨૬-૧૧-૧૯૩૯) : વિવેચક, અનુવાદક. જન્મસ્થળ મુંબઈ. ૧૯૫૭માં મુંબઈની ન્યુ ઈરા સ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૩ માં એમ.એ. ૧૯૬૩ થી  \t\t\t૧૯૭૪ સુધી કે.જે. સોમૈયા કૉલેજ, મુંબઈમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૭૪-૧૯૭૬ દરમિયાન પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક. ૧૯૭૬ થી ૧૯૮૨ સુધી યુ.એસ. લાયબ્રેરી ઑવ કૉંગ્રેસ, નવી દિલ્હીના ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ  \t\t\tઅને પછીથી કાર્યકારી અધ્યક્ષ. ગુજરાતી સાહિત્ય સભા, દિલ્હીના સંવાહક. \t\t   \t\t\tએમણે ‘નવલકથા : કસબ અને કલા’ (૧૯૭૬) તથા ‘કથાવલોકન’ (૧૯૭૮) એ બે વિવેચનગ્રંથો ઉપરાંત ‘રમણલાલ વ. દેસાઈ’ (૧૯૮૦) નામક લઘુપ્રબંધ આપ્યો છે. ‘પરીકથામાળા’ (અન્ય સાથે, ૧૯૮૦), ‘સબરસ કથામાળા’ (અન્ય સાથે,  \t\t\t૧૯૭૭) એમનું બાળસાહિત્ય છે. ‘શામળની કવિતા’ (૧૯૭૨), ‘જગતની શ્રેષ્ઠ નવલકથાઓ’ (૧૯૭૫) અને ‘રમણલાલ વ. દેસાઈ’ (૧૯૭૯) તથા ‘કનૈયાલાલ મુનશી’ જેવી પરિચય પુસ્તિકાઓ એમણે લખી છે. આ ઉપરાંત ૧૯૬૦ થી ૧૯૮૦  \t\t\tદરમિયાન પ્રગટ થયેલી નવલકથાઓની શીર્ષકસૂચિ ‘કથાસંદર્ભ’ (અન્ય સાથે, ૧૯૮૪), ‘સમિધ’ (અન્ય સાથે, ૧૯૬૫) અને ‘માતૃવંદના’- ભા. ૧-૨ (૧૯૮૩) જેવા સંપાદનો પણ આપ્યાં છે. મરાઠીમાંથી ‘માહીમની ખાડી’ તથા અંગ્રેજીમાંથી ‘એક  \t\t\tકોડીનું સ્વપ્નું’ (૧૯૭૯) અને ‘સરદાર પટેલનો પસંદ કરેલો પત્રવ્યવહાર’ : ૧-૨ (૧૯૭૭) એ એમના અનુવાદો છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"dipaka-maheta","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/dipaka-maheta","tags":null,"created":"2024-02-03T20:38:51.545192","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17260,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ડોલરરાય માંકડ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>માંકડ ડોલરરાય રંગીલદાસ </u>\n\t\t(૨૩-૧-૧૯૦૨, ૨૯-૮-૧૯૭૦) : વિવેચક, સંશોધક, કવિ. જન્મ કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં. વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં \n\t\tકરાંચીની ડી.જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. અને ૧૯૨૭માં એમ.એ. અભ્યાસકાળ દરમ્યાન થોડો સમય કરાંચીની શાળામાં શિક્ષક અને આચાર્ય. ૧૯૨૭ થી ૧૯૪૭ સુધી ડી.જે. સિંધ કૉલેજમાં સંસ્કૃત અને \t\n\t\tગુજરાતીના અધ્યાપક. ૧૯૪૭ થી ૧૯૫૩ સુધી વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઈ પટેલ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક. વચ્ચે બે વર્ષ એ જ સંસ્થામાં આચાર્ય. ૧૯૫૩ થી ૧૯૬૪ સુધી જામનગર પાસે અલિયાબાડામાં સ્થપાયેલાં દરબાર \n\t\tગોપાળદાસ મહાવિદ્યાલયમાં આચાર્યપદે. ૧૯૬૦ થી ૧૯૬૬ સુધી અલિયાબાડાના હરિભાઈ સંશોધન મંદિરના નિયામક. ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ૧૯૪૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૪માં સાહિત્ય \n\t\tઅકાદમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારીમાં મળેલા અઢારમા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ. ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ની સ્થાપનામાં પ્રેરક.\n\t\t<br/><br/> \n\t\tએમની વિવેચનપ્રવૃત્તિનો પ્રારંભ આમ તો ૧૯૨૭થી થયો, પરંતુ એમનું પ્રથમ પુસ્તક ‘સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા’ ૧૯૪૩માં પ્રગટ થયું. એમાં એમણે ઐતિહાસિક દ્રષ્ટિએ સંસ્કૃત નાટ્યવિવેચનનો અભ્યાસ કર્યો છે. એમનો \n\t\tબીજો વિવેચનગ્રંથ ‘કાવ્યવિવેચન’ (૧૯૪૯) પ્રગટ થયો ત્યારે ગાંધીયુગના અગ્રણી ગુજરાતી વિવેચકોમાં એમનું નામ પ્રતિષ્ઠિત થઈ ગયેલું. સંસ્કૃત સાહિત્ય અને વિવેચન સાથેનો ઘનિષ્ઠ સંબંધ, સાહિત્યને સામાજિક-સાંસ્કૃતિક-નૈતિક \n\t\tભૂમિકાએ જોવાનું વલણ, વિષયની પાછળ રહેલા તાત્વિક મુદ્દાને પકડવા તરફનું લક્ષ, દ્રષ્ટિમાં શાસ્ત્રીયતા, મૌલિકતા અને વિશદતા એ એમના વિવેચનગુણો આ ગ્રંથમાં પૂરેપૂરા ઊપસી આવે છે. ‘સાધારણીકરણ વ્યાપાર’, ‘ઊર્મિજન્ય \n\t\tભાવાભાસ’, ‘ધ્વનિના પ્રભેદો’, ‘અનુભાવના શક્તિ’, ‘સંગીતકાવ્યો’ ઇત્યાદિ સૈદ્ધાંતિક ચર્ચાના લેખો, કેટલીક કાવ્યસમીક્ષાઓ અને ગ્રંથાવલોકનો એનાં દ્યોતક છે. પછીના ગ્રંથોમાં એમની આ વિવેચનદ્રષ્ટિ એવી ને એવી એકનિષ્ઠ ચાલુ રહી \n\t\tછે. ‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો’ (૧૯૫૮) નામક પુસ્તિકામાં ‘રસાભાસનું સ્વરૂપ’ અને ‘અલંકારની વ્યંગતા’ એ વ્યાખ્યાનરૂપે અપાયેલા બે અભ્યાસલેખો છે. ‘નૈવેધ’ (૧૯૬૨)માં ‘કલામાં ધ્વનિ’, ‘એકાંકી નાટકો’ જેવા સિદ્ધાંતચર્ચા ને \n\t\tસ્વરૂપચર્ચાના લેખો છે; ‘સરસ્વતીચંદ્ર’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘શર્વિલક’ જેવી પ્રશિષ્ટ કૃતિઓ પરના સમીક્ષામૂલક લેખો છે; તો સંશોધન અને ભાષા વિશેના લેખો પણ છે. ‘ભગવજ્જુકમ્’નો અનુવાદ પણ એમાં છે. \n\t\t‘ગુજરાતીકાવ્યપ્રકારો’ (૧૯૬૪)માં એમણે માનવજીવન-નિરૂપણ, વસ્તુ-ઊદ્દીપન અને વસ્તુ-આલંબનની દ્રષ્ટિએ ગુજરાતીના કાવ્યપ્રકારો પાડી જે ચર્ચા કરી છે તેમાં કેટલોક નવો અભિગમ છે.\n\n\t\t‘ભગવાનની લીલા’ (૧૯૪૮) અનુષ્ટુપમાં રચાયેલું એમનું લાંબું કથાકાવ્ય છે. ‘કર્ણ’ (૧૯૩૯) એમનું બાળવાર્તાનું પુસ્તક છે.\n\n\t\t‘એકસૂત્રી શિક્ષણ યોજના’ (૧૯૫૦), ‘વિક્રમોર્વશીયમ્’ (૧૯૫૮) ઇત્યાદિ એમની શિક્ષણવિષયક કૃતિઓ છે; ‘ઋગ્વેદમાં વશિષ્ઠનું દર્શન’ (૧૯૬૪), ‘હિંદુ ધર્મમાં મધ્યમમાર્ગ’ (૧૯૬૪), ‘ધર્મસંસ્થાપકોની વાણી’ (૧૯૬૮), ‘ગીતાનો બુદ્ધિયોગ’ \n\t\t(૧૯૬૯), મરણોત્તર પ્રકાશન ‘રાસપંચાધ્યાયી’ (૧૯૭૩) ઇત્યાદિ એમનાં ધર્મ અને તત્વજ્ઞાનનાં પુસ્તકો છે; તો ‘શક્રાદયસ્તોત્ર’ (૧૯૨૯), ‘અહુનવર’ (૧૯૩૫), ‘પ્રાચીન ભારતમાં શિક્ષણ યોજના’ (૧૯૫૦) ઇત્યાદિ એમના અનુવાદગ્રંથો છે.  \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\tકાવ્યવિવેચન (૧૯૪૯) : ડોલરરાય માંકડનાં કાવ્યશાસ્ત્રવિષયક લેખો, નોંધો, કાવ્યાસ્વાદો, અવલોકનોનો સંગ્રહ. એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રનું પરિશીલન દેખાય છે. સિદ્ધાંતવિચારના ત્રણ લેખોમાં, ‘સાધારણીકરણ વ્યાપાર’ જે ભટ્ટ નાયકે \n\t\tભાવકના સંદર્ભમાં સ્થાપ્યો છે તેની પ્રયોજકતા સર્જકના સંદર્ભમાં પણ દર્શાવી છે; ‘કાવ્યસ્વરૂપ’માં કવિસૃષ્ટિની અનન્યતા તથા કુન્તકની સર્જકપ્રતિભાના પરિસ્પન્દની કલ્પનાને વિશદ કરીને સર્જનપ્રક્રિયા સમજાવી છે; ‘ધ્વનિના પ્રભેદો’ \n\t\tમુખ્યત્વે આનંદવર્ધનના ‘ધ્વન્યાલોક’ને આધારે વર્ણવ્યા છે. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને લગતી ત્રણ નોંધોમાં ‘પેથેટિક ફૅલસી’ માટે ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ શબ્દસમૂહની યોગ્યતા, ‘મેટાફર’માં રૂપક અને સમાસોક્તિ ઉભયનો સમાવેશ અને \n\t\t‘આઈરની’માં વિપરીત લક્ષણામૂલક અત્યન્ત તિરસ્કૃતવાચ્યધ્વનિ હોવાનું દર્શાવ્યું છે. મુનશીનો સચોટતાવાદ, ખબરદારનો કાવ્યાનંદ ને ‘ડોલન’નો સંબંધ, કાન્તકૃત ‘દેવયાની’ના રસસંક્રમણ સંદર્ભે રા. વિ. પાઠક તથા મનસુખલાલ \n\t\tઝવેરીની રસવિભાગ-રસોદય અંગેની ચર્ચા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ‘અનુભાવના’નો પ્રત્યય-એ ચાર સંપ્રત્યયોની સૂક્ષ્મ તપાસ કરતા નિબંધો ‘વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની આવશ્યકતા’ દર્શાવે છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં કાવ્યાસ્વાદ \n\t\tવિષયક લેખો તથા અવલોકનો છે. \n\t\t<p align=\"right\">-રાજેન્દ્ર નાણાવટી</p>\n<br/><br/> \n\t\tનૈવેધ (૧૯૬૨) : ડોલરરાય માંકડનો એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે પ્રગટ થયેલો લેખસંગ્રહ. વિવિધ સામયિકોમાં વિભિન્ન સમયે પ્રગટ થયેલા એમના લેખોને અહીં એકત્રિત કરવામાં આવ્યાં છે. વિવિધ વિષયોવાળા આ લેખોમાં ‘અનુશ્રુતિનું \n\t\tયાથાતથ્ય’, ‘કલ્કિ અવતાર’, ‘ઋગ્વેદમાં ઉત્તરધ્રુવ’ એ પુરાતત્વના લેખો છે; તો ‘નાટ્યશાસ્ત્રનાં કેટલાંક રૂપો’, ‘એકાંકી નાટકો’, ‘કાલિદાસની નાટ્યભાવના’ ઇત્યાદિ સંસ્કૃત નાટ્યસાહિત્ય પરના લેખો છે. ‘નવલકથા અને નવલિકા’ જેવો \n\t\tઅર્વાચીન સાહિત્યપ્રકારના સ્વરૂપની ચર્ચા કરતો લેખ એક જ છે, પરંતુ ગુજરાતી સાહિત્યકૃતિઓ પરના અભ્યાસલેખોનું ઠીકઠીક પ્રમાણ છે. ‘સરસ્વતીચંદ્ર સકલકથા’, ‘શર્વિલક’, ‘વસંતોત્સવ-એક ઉપમાકાવ્ય’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ \n\t\tજેવા લેખોમાં લેખકનો મૌલિક દ્રષ્ટિકોણ જોઈ શકાય છે. ‘પાંડિત્યમંડિત રસિકતા’ અને ‘દી. બ. કેશવલાલ હ. ધ્રુવની વાઙ્ મય સેવાની સૂચિ’ એ કે. હ. ધ્રુવ વિશેના બે મહત્વના લેખો છે. ‘ભાષા’, ‘વાક્યવિચાર’, ‘ગુજરાતીમાં મૂર્ધન્ય’, ‘ડ’ \n\t\tઅને મૂર્ધન્યેતર ‘ડ’, ‘હોળીનું મૂળ’ ઇત્યાદિ ભાષા અને વ્યાકરણના લેખો છે. ‘ભગવજ્જુકમ્’ એક સંસ્કૃત પ્રહસનનો અનુવાદ છે. ‘નિરુકતનું ભાષાંતર’માં નિરુકતના બીજા અધ્યાયના એકથી ચાર ખંડનો અનુવાદ છે. શાસ્ત્રીય સંશોધનાત્મક \n\t\tદ્રષ્ટિ, વિશદ રજૂઆત અને અનાક્રમક મતદર્શનને લીધે આ લેખો અભ્યાસીઓને ઉપયોગી નીવડે એવા છે.\n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\tગુજરાતી કાવ્યપ્રકારો (૧૯૬૪) : ડોલરરાય માંકડે ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ (મુંબઈ યુનિવર્સિટી)માં ૧૯૫૭-૫૮માં આપેલા પાંચ વ્યાખ્યાનોનું ગ્રંથસ્વરૂપ. પહેલા વ્યાખ્યાનમાં તેઓ કાવ્યોના વર્ગીકરણ માટે ભાષાસ્વરૂપ, \n\t\tભાષાપ્રકાર, વસ્તુનું મૂળ, કાવ્યસ્વરૂપ અને કાવ્યનું અંતસ્તત્વ એ પાંચ સિદ્ધાંતો તારવે છે. તેમાં છેલ્લા અર્થાત્ માનવજીવનના નિરૂપણના સિદ્ધાંતને ઉત્તમ ઠેરવી તેને આધારે તેઓ કાવ્યના મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય એ ત્રણ \n\t\tપ્રકારોને તર્કસંગત ઠેરવે છે : જેનું કાવ્યવસ્તુ અનુશ્રુતિજન્ય, પ્રખ્યાત, લોકસ્વભાવયુક્ત, વિશાળ ફલકવાળું, સમગ્ર માનવજીવનને પ્રતિબિંત કરતું, બધા પુરુષાર્થો અને મહાપુરુષના ચરિતને નિરૂપતું વીરત્વસભર સદવસ્તુ હોય અને જેનું \n\t\tનિરૂપણ વર્ણન-કથનાત્મક, અગ્રામ્ય, સંમાર્જિત, પ્રસંગાનુકૂલ, નમનીય શૈલીમાં તથા કુશળ સંવિધાનપૂર્વક થયું હોય તે મહાકાવ્ય; વ્યક્તિજીવનના વૃત્તાંતને, માનવજીવનના એકાદ ખંડને, એકાદ પુરુષાર્થને નિરૂપતું હોય તે \n\t\tખંડકાવ્ય-પૌરાણિક ઉપાખ્યાનો, મધ્યકાલીન આખ્યાનો-વાર્તાઓ, પ્રબન્ધો, રાસા આમાં આવી જાય;  જયારે વ્યક્તિજીવનના પ્રસંગ-પરિસ્થિતિ પર અવલંબતું હોય તે લઘુકાવ્ય. લિરિકનો જુદો પ્રકાર અહીં સ્વીકાર્યો નથી. લેખકનો અભિગમ \n\t\tશાસ્ત્રીય અને તર્કનિષ્ઠ છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      માંકડ ડોલરરાય રંગીલદાસ   \t\t(૨૩-૧-૧૯૦૨, ૨૯-૮-૧૯૭૦) : વિવેચક, સંશોધક, કવિ. જન્મ કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં. વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં  \t\tકરાંચીની ડી.જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. અને ૧૯૨૭માં એમ.એ. અભ્યાસકાળ દરમ્યાન થોડો સમય કરાંચીની શાળામાં શિક્ષક અને આચાર્ય. ૧૯૨૭ થી ૧૯૪૭ સુધી ડી.જે. સિંધ કૉલેજમાં સંસ્કૃત અને \t \t\tગુજરાતીના અધ્યાપક. ૧૯૪૭ થી ૧૯૫૩ સુધી વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઈ પટેલ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક. વચ્ચે બે વર્ષ એ જ સંસ્થામાં આચાર્ય. ૧૯૫૩ થી ૧૯૬૪ સુધી જામનગર પાસે અલિયાબાડામાં સ્થપાયેલાં દરબાર  \t\tગોપાળદાસ મહાવિદ્યાલયમાં આચાર્યપદે. ૧૯૬૦ થી ૧૯૬૬ સુધી અલિયાબાડાના હરિભાઈ સંશોધન મંદિરના નિયામક. ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ૧૯૪૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૪માં સાહિત્ય  \t\tઅકાદમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારીમાં મળેલા અઢારમા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ. ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ની સ્થાપનામાં પ્રેરક. \t\t   \t\tએમની વિવેચનપ્રવૃત્તિનો પ્રારંભ આમ તો ૧૯૨૭થી થયો, પરંતુ એમનું પ્રથમ પુસ્તક ‘સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા’ ૧૯૪૩માં પ્રગટ થયું. એમાં એમણે ઐતિહાસિક દ્રષ્ટિએ સંસ્કૃત નાટ્યવિવેચનનો અભ્યાસ કર્યો છે. એમનો  \t\tબીજો વિવેચનગ્રંથ ‘કાવ્યવિવેચન’ (૧૯૪૯) પ્રગટ થયો ત્યારે ગાંધીયુગના અગ્રણી ગુજરાતી વિવેચકોમાં એમનું નામ પ્રતિષ્ઠિત થઈ ગયેલું. સંસ્કૃત સાહિત્ય અને વિવેચન સાથેનો ઘનિષ્ઠ સંબંધ, સાહિત્યને સામાજિક-સાંસ્કૃતિક-નૈતિક  \t\tભૂમિકાએ જોવાનું વલણ, વિષયની પાછળ રહેલા તાત્વિક મુદ્દાને પકડવા તરફનું લક્ષ, દ્રષ્ટિમાં શાસ્ત્રીયતા, મૌલિકતા અને વિશદતા એ એમના વિવેચનગુણો આ ગ્રંથમાં પૂરેપૂરા ઊપસી આવે છે. ‘સાધારણીકરણ વ્યાપાર’, ‘ઊર્મિજન્ય  \t\tભાવાભાસ’, ‘ધ્વનિના પ્રભેદો’, ‘અનુભાવના શક્તિ’, ‘સંગીતકાવ્યો’ ઇત્યાદિ સૈદ્ધાંતિક ચર્ચાના લેખો, કેટલીક કાવ્યસમીક્ષાઓ અને ગ્રંથાવલોકનો એનાં દ્યોતક છે. પછીના ગ્રંથોમાં એમની આ વિવેચનદ્રષ્ટિ એવી ને એવી એકનિષ્ઠ ચાલુ રહી  \t\tછે. ‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો’ (૧૯૫૮) નામક પુસ્તિકામાં ‘રસાભાસનું સ્વરૂપ’ અને ‘અલંકારની વ્યંગતા’ એ વ્યાખ્યાનરૂપે અપાયેલા બે અભ્યાસલેખો છે. ‘નૈવેધ’ (૧૯૬૨)માં ‘કલામાં ધ્વનિ’, ‘એકાંકી નાટકો’ જેવા સિદ્ધાંતચર્ચા ને  \t\tસ્વરૂપચર્ચાના લેખો છે; ‘સરસ્વતીચંદ્ર’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘શર્વિલક’ જેવી પ્રશિષ્ટ કૃતિઓ પરના સમીક્ષામૂલક લેખો છે; તો સંશોધન અને ભાષા વિશેના લેખો પણ છે. ‘ભગવજ્જુકમ્’નો અનુવાદ પણ એમાં છે.  \t\t‘ગુજરાતીકાવ્યપ્રકારો’ (૧૯૬૪)માં એમણે માનવજીવન-નિરૂપણ, વસ્તુ-ઊદ્દીપન અને વસ્તુ-આલંબનની દ્રષ્ટિએ ગુજરાતીના કાવ્યપ્રકારો પાડી જે ચર્ચા કરી છે તેમાં કેટલોક નવો અભિગમ છે.  \t\t‘ભગવાનની લીલા’ (૧૯૪૮) અનુષ્ટુપમાં રચાયેલું એમનું લાંબું કથાકાવ્ય છે. ‘કર્ણ’ (૧૯૩૯) એમનું બાળવાર્તાનું પુસ્તક છે.  \t\t‘એકસૂત્રી શિક્ષણ યોજના’ (૧૯૫૦), ‘વિક્રમોર્વશીયમ્’ (૧૯૫૮) ઇત્યાદિ એમની શિક્ષણવિષયક કૃતિઓ છે; ‘ઋગ્વેદમાં વશિષ્ઠનું દર્શન’ (૧૯૬૪), ‘હિંદુ ધર્મમાં મધ્યમમાર્ગ’ (૧૯૬૪), ‘ધર્મસંસ્થાપકોની વાણી’ (૧૯૬૮), ‘ગીતાનો બુદ્ધિયોગ’  \t\t(૧૯૬૯), મરણોત્તર પ્રકાશન ‘રાસપંચાધ્યાયી’ (૧૯૭૩) ઇત્યાદિ એમનાં ધર્મ અને તત્વજ્ઞાનનાં પુસ્તકો છે; તો ‘શક્રાદયસ્તોત્ર’ (૧૯૨૯), ‘અહુનવર’ (૧૯૩૫), ‘પ્રાચીન ભારતમાં શિક્ષણ યોજના’ (૧૯૫૦) ઇત્યાદિ એમના અનુવાદગ્રંથો છે.   \t\t -જયંત ગાડીત     \t\tકાવ્યવિવેચન (૧૯૪૯) : ડોલરરાય માંકડનાં કાવ્યશાસ્ત્રવિષયક લેખો, નોંધો, કાવ્યાસ્વાદો, અવલોકનોનો સંગ્રહ. એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રનું પરિશીલન દેખાય છે. સિદ્ધાંતવિચારના ત્રણ લેખોમાં, ‘સાધારણીકરણ વ્યાપાર’ જે ભટ્ટ નાયકે  \t\tભાવકના સંદર્ભમાં સ્થાપ્યો છે તેની પ્રયોજકતા સર્જકના સંદર્ભમાં પણ દર્શાવી છે; ‘કાવ્યસ્વરૂપ’માં કવિસૃષ્ટિની અનન્યતા તથા કુન્તકની સર્જકપ્રતિભાના પરિસ્પન્દની કલ્પનાને વિશદ કરીને સર્જનપ્રક્રિયા સમજાવી છે; ‘ધ્વનિના પ્રભેદો’  \t\tમુખ્યત્વે આનંદવર્ધનના ‘ધ્વન્યાલોક’ને આધારે વર્ણવ્યા છે. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને લગતી ત્રણ નોંધોમાં ‘પેથેટિક ફૅલસી’ માટે ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ શબ્દસમૂહની યોગ્યતા, ‘મેટાફર’માં રૂપક અને સમાસોક્તિ ઉભયનો સમાવેશ અને  \t\t‘આઈરની’માં વિપરીત લક્ષણામૂલક અત્યન્ત તિરસ્કૃતવાચ્યધ્વનિ હોવાનું દર્શાવ્યું છે. મુનશીનો સચોટતાવાદ, ખબરદારનો કાવ્યાનંદ ને ‘ડોલન’નો સંબંધ, કાન્તકૃત ‘દેવયાની’ના રસસંક્રમણ સંદર્ભે રા. વિ. પાઠક તથા મનસુખલાલ  \t\tઝવેરીની રસવિભાગ-રસોદય અંગેની ચર્ચા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ‘અનુભાવના’નો પ્રત્યય-એ ચાર સંપ્રત્યયોની સૂક્ષ્મ તપાસ કરતા નિબંધો ‘વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની આવશ્યકતા’ દર્શાવે છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં કાવ્યાસ્વાદ  \t\tવિષયક લેખો તથા અવલોકનો છે.  \t\t -રાજેન્દ્ર નાણાવટી     \t\tનૈવેધ (૧૯૬૨) : ડોલરરાય માંકડનો એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે પ્રગટ થયેલો લેખસંગ્રહ. વિવિધ સામયિકોમાં વિભિન્ન સમયે પ્રગટ થયેલા એમના લેખોને અહીં એકત્રિત કરવામાં આવ્યાં છે. વિવિધ વિષયોવાળા આ લેખોમાં ‘અનુશ્રુતિનું  \t\tયાથાતથ્ય’, ‘કલ્કિ અવતાર’, ‘ઋગ્વેદમાં ઉત્તરધ્રુવ’ એ પુરાતત્વના લેખો છે; તો ‘નાટ્યશાસ્ત્રનાં કેટલાંક રૂપો’, ‘એકાંકી નાટકો’, ‘કાલિદાસની નાટ્યભાવના’ ઇત્યાદિ સંસ્કૃત નાટ્યસાહિત્ય પરના લેખો છે. ‘નવલકથા અને નવલિકા’ જેવો  \t\tઅર્વાચીન સાહિત્યપ્રકારના સ્વરૂપની ચર્ચા કરતો લેખ એક જ છે, પરંતુ ગુજરાતી સાહિત્યકૃતિઓ પરના અભ્યાસલેખોનું ઠીકઠીક પ્રમાણ છે. ‘સરસ્વતીચંદ્ર સકલકથા’, ‘શર્વિલક’, ‘વસંતોત્સવ-એક ઉપમાકાવ્ય’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’  \t\tજેવા લેખોમાં લેખકનો મૌલિક દ્રષ્ટિકોણ જોઈ શકાય છે. ‘પાંડિત્યમંડિત રસિકતા’ અને ‘દી. બ. કેશવલાલ હ. ધ્રુવની વાઙ્ મય સેવાની સૂચિ’ એ કે. હ. ધ્રુવ વિશેના બે મહત્વના લેખો છે. ‘ભાષા’, ‘વાક્યવિચાર’, ‘ગુજરાતીમાં મૂર્ધન્ય’, ‘ડ’  \t\tઅને મૂર્ધન્યેતર ‘ડ’, ‘હોળીનું મૂળ’ ઇત્યાદિ ભાષા અને વ્યાકરણના લેખો છે. ‘ભગવજ્જુકમ્’ એક સંસ્કૃત પ્રહસનનો અનુવાદ છે. ‘નિરુકતનું ભાષાંતર’માં નિરુકતના બીજા અધ્યાયના એકથી ચાર ખંડનો અનુવાદ છે. શાસ્ત્રીય સંશોધનાત્મક  \t\tદ્રષ્ટિ, વિશદ રજૂઆત અને અનાક્રમક મતદર્શનને લીધે આ લેખો અભ્યાસીઓને ઉપયોગી નીવડે એવા છે. \t\t -જયંત ગાડીત     \t\tગુજરાતી કાવ્યપ્રકારો (૧૯૬૪) : ડોલરરાય માંકડે ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ (મુંબઈ યુનિવર્સિટી)માં ૧૯૫૭-૫૮માં આપેલા પાંચ વ્યાખ્યાનોનું ગ્રંથસ્વરૂપ. પહેલા વ્યાખ્યાનમાં તેઓ કાવ્યોના વર્ગીકરણ માટે ભાષાસ્વરૂપ,  \t\tભાષાપ્રકાર, વસ્તુનું મૂળ, કાવ્યસ્વરૂપ અને કાવ્યનું અંતસ્તત્વ એ પાંચ સિદ્ધાંતો તારવે છે. તેમાં છેલ્લા અર્થાત્ માનવજીવનના નિરૂપણના સિદ્ધાંતને ઉત્તમ ઠેરવી તેને આધારે તેઓ કાવ્યના મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય એ ત્રણ  \t\tપ્રકારોને તર્કસંગત ઠેરવે છે : જેનું કાવ્યવસ્તુ અનુશ્રુતિજન્ય, પ્રખ્યાત, લોકસ્વભાવયુક્ત, વિશાળ ફલકવાળું, સમગ્ર માનવજીવનને પ્રતિબિંત કરતું, બધા પુરુષાર્થો અને મહાપુરુષના ચરિતને નિરૂપતું વીરત્વસભર સદવસ્તુ હોય અને જેનું  \t\tનિરૂપણ વર્ણન-કથનાત્મક, અગ્રામ્ય, સંમાર્જિત, પ્રસંગાનુકૂલ, નમનીય શૈલીમાં તથા કુશળ સંવિધાનપૂર્વક થયું હોય તે મહાકાવ્ય; વ્યક્તિજીવનના વૃત્તાંતને, માનવજીવનના એકાદ ખંડને, એકાદ પુરુષાર્થને નિરૂપતું હોય તે  \t\tખંડકાવ્ય-પૌરાણિક ઉપાખ્યાનો, મધ્યકાલીન આખ્યાનો-વાર્તાઓ, પ્રબન્ધો, રાસા આમાં આવી જાય;  જયારે વ્યક્તિજીવનના પ્રસંગ-પરિસ્થિતિ પર અવલંબતું હોય તે લઘુકાવ્ય. લિરિકનો જુદો પ્રકાર અહીં સ્વીકાર્યો નથી. લેખકનો અભિગમ  \t\tશાસ્ત્રીય અને તર્કનિષ્ઠ છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"dolararaya-mankada","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/dolararaya-mankada","tags":null,"created":"2024-02-03T20:38:51.699873","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17261,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" દોલતરામ પંડ્યા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પંડ્યા દોલતરામ કૃપાશંકર </u>\n\t\t(૮-૩-૧૮૫૬, ૧૮-૧૧-૧૯૧૬) : કવિ, નાટ્યકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન નડિયાદમાં. પિતાના મૃત્યુને કારણે મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. પ્રારંભમાં \n\t\tવકીલાત. એ પછી તેર વર્ષ લુણાવાડાના દીવાન. ગુજરાત બેંચ મેજિટ્રેસી નામની લોકોપયોગી સંસ્થા સ્થાપી. ટોલ જેવો દુઃખકર વેરો રદ કરવાની લડતમાં ભાગ લીધો. નડિયાદમાં અંત્યજ સહકારી મંડળી સ્થાપી. નડિયાદમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tએમનું ‘ઇન્દ્રિજિત વધ’ (૧૮૮૭) ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગ તરીકે ઉલ્લેખાય છે. છવ્વીસ સર્ગોમાં વિભાજિત, સર્ગાંતે છંદપલટો અને સર્ગ પ્રમાણે શીર્ષકયોજના દર્શાવતી તથા અંગ-ઉપાંગોમાં ચુસ્ત રીતે સંસ્કૃત \n\t\tમહાકાવ્યને અનુસરતી આ રચના ચિત્રાત્મકતા અને અલંકારનું સૌંદર્ય ધરાવે છે; પણ એનું આંતરિક સત્ત્વ મહાકાવ્યનું નથી. દલપતશૈલીની અસર અને સળંગસૂત્રતાનો અભાવ પણ રચનાને શિથિલ બનાવે છે. એમના કાવ્યસંગ્રહ \n\t\t‘સુમનગુચ્છ’ (૧૮૯૯) ની પ્રકૃતિસૌંદર્ય, નીતિરીતિ, ઉપદેશાદિ વિષયોનું નિરૂપણ કરતી રચનાઓ પણ દલપતશૈલીનો અતિરેક અને મધ્યકાલીન કવિતાનું નબળું અનુસરણ જેવી મર્યાદાઓ ધરાવે છે.\n\t\t<br/><br/>\n\t\t‘કુસુમાવલિ’ (૧૮૮૯) કાદંબરીશૈલીની સળંગ કથા છે. એના સર્જકની શિષ્ટ ગુજરાતી ગદ્યકાર તરીકેની છબી એમાંથી ઊભી થાય છે. ‘અમરસત્ર’ (૧૯૦૨) સંસ્કૃતશૈલીનું, અસત્ય પર સત્યના જયને લક્ષતું, પણ કથાઘટકોના સંયોજનમાં \n\t\tશિથિલતા દર્શાવતું એમનું સપ્તાંકી નાટક છે. ‘સ્વીકૃત નવીન ભાગવત’ એમની અપૂર્ણ રહેલી રચના છે. \n\t\t<p align=\"right\">-બારીન મહેતા</p>\n<br/><br/>\n\t\tઇન્દ્રજિતવધ (૧૮૮૭) : દોલતરામ કૃપારામ પંડ્યાની કાવ્યકૃતિ. સંસ્કૃત મહાકાવ્યની વ્યાખ્યાને લક્ષમાં રાખી એ ઘાટીએ ગુજરાતી ભાષામાં કાવ્ય અવતારવાનો આ પહેલો આયાસ છે. ઐતિહાસિક વસ્તુને વિષય બનાવવા છતાં સંવિધાન \n\t\tઅત્યંત શિથિલ છે અને અર્થપ્રૌઢિનો પ્રયત્ન છતાં અલંકારોની કૃતકતા છે - એ કારણે આ કૃતિ ઊંચી ગુણવત્તા પ્રગટ કરતી નથી. એકંદરે કવિનું ધ્યાન મહાકાવ્યના રચનાકર્મ કરતાં મહાકાવ્યની વ્યાખ્યાના અનુસરણમાં વધું રોકાયેલું વરતાય છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      પંડ્યા દોલતરામ કૃપાશંકર   \t\t(૮-૩-૧૮૫૬, ૧૮-૧૧-૧૯૧૬) : કવિ, નાટ્યકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન નડિયાદમાં. પિતાના મૃત્યુને કારણે મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. પ્રારંભમાં  \t\tવકીલાત. એ પછી તેર વર્ષ લુણાવાડાના દીવાન. ગુજરાત બેંચ મેજિટ્રેસી નામની લોકોપયોગી સંસ્થા સ્થાપી. ટોલ જેવો દુઃખકર વેરો રદ કરવાની લડતમાં ભાગ લીધો. નડિયાદમાં અંત્યજ સહકારી મંડળી સ્થાપી. નડિયાદમાં અવસાન. \t\t  \t\tએમનું ‘ઇન્દ્રિજિત વધ’ (૧૮૮૭) ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગ તરીકે ઉલ્લેખાય છે. છવ્વીસ સર્ગોમાં વિભાજિત, સર્ગાંતે છંદપલટો અને સર્ગ પ્રમાણે શીર્ષકયોજના દર્શાવતી તથા અંગ-ઉપાંગોમાં ચુસ્ત રીતે સંસ્કૃત  \t\tમહાકાવ્યને અનુસરતી આ રચના ચિત્રાત્મકતા અને અલંકારનું સૌંદર્ય ધરાવે છે; પણ એનું આંતરિક સત્ત્વ મહાકાવ્યનું નથી. દલપતશૈલીની અસર અને સળંગસૂત્રતાનો અભાવ પણ રચનાને શિથિલ બનાવે છે. એમના કાવ્યસંગ્રહ  \t\t‘સુમનગુચ્છ’ (૧૮૯૯) ની પ્રકૃતિસૌંદર્ય, નીતિરીતિ, ઉપદેશાદિ વિષયોનું નિરૂપણ કરતી રચનાઓ પણ દલપતશૈલીનો અતિરેક અને મધ્યકાલીન કવિતાનું નબળું અનુસરણ જેવી મર્યાદાઓ ધરાવે છે. \t\t  \t\t‘કુસુમાવલિ’ (૧૮૮૯) કાદંબરીશૈલીની સળંગ કથા છે. એના સર્જકની શિષ્ટ ગુજરાતી ગદ્યકાર તરીકેની છબી એમાંથી ઊભી થાય છે. ‘અમરસત્ર’ (૧૯૦૨) સંસ્કૃતશૈલીનું, અસત્ય પર સત્યના જયને લક્ષતું, પણ કથાઘટકોના સંયોજનમાં  \t\tશિથિલતા દર્શાવતું એમનું સપ્તાંકી નાટક છે. ‘સ્વીકૃત નવીન ભાગવત’ એમની અપૂર્ણ રહેલી રચના છે.  \t\t -બારીન મહેતા    \t\tઇન્દ્રજિતવધ (૧૮૮૭) : દોલતરામ કૃપારામ પંડ્યાની કાવ્યકૃતિ. સંસ્કૃત મહાકાવ્યની વ્યાખ્યાને લક્ષમાં રાખી એ ઘાટીએ ગુજરાતી ભાષામાં કાવ્ય અવતારવાનો આ પહેલો આયાસ છે. ઐતિહાસિક વસ્તુને વિષય બનાવવા છતાં સંવિધાન  \t\tઅત્યંત શિથિલ છે અને અર્થપ્રૌઢિનો પ્રયત્ન છતાં અલંકારોની કૃતકતા છે - એ કારણે આ કૃતિ ઊંચી ગુણવત્તા પ્રગટ કરતી નથી. એકંદરે કવિનું ધ્યાન મહાકાવ્યના રચનાકર્મ કરતાં મહાકાવ્યની વ્યાખ્યાના અનુસરણમાં વધું રોકાયેલું વરતાય છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"dolatarama-pandya","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/dolatarama-pandya","tags":null,"created":"2024-02-03T20:38:51.889037","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17262,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" દુલા ભાયા ‘કાગ’","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>દુલા ભાયા ‘કાગ’</u>\n\t\t(૨૫-૧૧-૧૯૦૨, ૨૨-૨-૧૯૭૭) : કવિ. જન્મસ્થળ મજાદર (જિ. ભાવનગર). પ્રાથમિક પાંચ ધોરણ સુધીનો અભ્યાસ. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી \n\t\tઅને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા. મજાદરમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tજ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ ‘કાગવાણી’ ભા. ૧ (૧૯૩૫), ભા. ૨ (૧૯૩૮), ભા. ૩ (૧૯૫૦), ભા. ૪ (૧૯૫૬), ભા. ૫ (૧૯૫૮), \n\t\tભા. ૬ (૧૯૫૮) અને ભા. ૭ (૧૯૬૪)માં લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ‘વિનોબાબાવની’ (૧૯૫૮), ‘તો ઘર જાશે, જાશે ધરમ’ (૧૯૫૯), ‘શક્તિચાલીસા’ (૧૯૬૦) ઉપરાંત \n\t\t‘ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવની’ વગેરે કૃતિઓ પણ એમણે રચી છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      દુલા ભાયા ‘કાગ’  \t\t(૨૫-૧૧-૧૯૦૨, ૨૨-૨-૧૯૭૭) : કવિ. જન્મસ્થળ મજાદર (જિ. ભાવનગર). પ્રાથમિક પાંચ ધોરણ સુધીનો અભ્યાસ. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી  \t\tઅને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા. મજાદરમાં અવસાન. \t\t  \t\tજ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ ‘કાગવાણી’ ભા. ૧ (૧૯૩૫), ભા. ૨ (૧૯૩૮), ભા. ૩ (૧૯૫૦), ભા. ૪ (૧૯૫૬), ભા. ૫ (૧૯૫૮),  \t\tભા. ૬ (૧૯૫૮) અને ભા. ૭ (૧૯૬૪)માં લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ‘વિનોબાબાવની’ (૧૯૫૮), ‘તો ઘર જાશે, જાશે ધરમ’ (૧૯૫૯), ‘શક્તિચાલીસા’ (૧૯૬૦) ઉપરાંત  \t\t‘ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવની’ વગેરે કૃતિઓ પણ એમણે રચી છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"dula-bhaya-kaga","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/dula-bhaya-kaga","tags":null,"created":"2024-02-03T20:38:52.081713","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17263,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ફાધર વાલેસ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>વાલેસ કાર્લોસ જોસે, ‘ફાધર વાલેસ’</u>\r\n\t\t(૪-૧૧-૧૯૨૫) : નિબંધલેખક. જન્મ સ્પેનના લોગ્રોનોમાં. ૧૯૪૧માં એસ.એસ.સી. ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી \r\n\t\tગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૬૦ થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક. ૧૯૬૬માં કુમારચંદ્રક અને ૧૯૭૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.\r\n\t\t<br/><br/> \r\n\t       જીવનઘડતરના ધ્યેયથી ‘સદાચાર’ (૧૯૬૦), ‘તરુણાશ્રમ’ (૧૯૬૫), ‘ગાંધીજી અને નવી પેઢી’ (૧૯૭૧) વગેરે સંખ્યાબંધ નિબંધસંગ્રહો એમણે આપ્યાં છે. ‘આત્મકથાના ટુકડા’ (૧૯૭૯)માં એમના જીવનની વીગતો રસપ્રદ છે. \r\n\t\t   એમનાં લખાણોમાં સરલ ગદ્યની કેટલીક નોખી અભિવ્યક્તિઓ એમના હાથે સહજ બની છે. ઉપરાંત એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ ‘શબ્દલોક’ (૧૯૮૭) પણ આપ્યો છે.\r\n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\r\n\t\tઆત્મકથાના ટુકડા (૧૯૫૯) : ૧૮૮૬ આસપાસ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૨૮ વર્ષની ઉંમરે કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭-૧૧-૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરને હાથે સંપાદિત થઈ ઘણાં \r\n\t\tવર્ષે પ્રગટ થયું. તેમાં લેખકે, કોઈ પરમ વિશ્વાસુ મિત્ર સમક્ષ હૃદય ખોલતા હોય તેમ, નિખાલસભાવે કરેલું આ સ્વાનુભવકથન છે, જે મણિલાલના માનસને તેમ એમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી છે. ખરું જોતાં આ આત્મવૃત્તાંતમાં લેખક, \r\n\t\tચિતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા છે. તેમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝિલાયું છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      વાલેસ કાર્લોસ જોસે, ‘ફાધર વાલેસ’ \r \t\t(૪-૧૧-૧૯૨૫) : નિબંધલેખક. જન્મ સ્પેનના લોગ્રોનોમાં. ૧૯૪૧માં એસ.એસ.સી. ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી \r \t\tગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૬૦ થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક. ૧૯૬૬માં કુમારચંદ્રક અને ૧૯૭૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.\r \t\t  \r \t       જીવનઘડતરના ધ્યેયથી ‘સદાચાર’ (૧૯૬૦), ‘તરુણાશ્રમ’ (૧૯૬૫), ‘ગાંધીજી અને નવી પેઢી’ (૧૯૭૧) વગેરે સંખ્યાબંધ નિબંધસંગ્રહો એમણે આપ્યાં છે. ‘આત્મકથાના ટુકડા’ (૧૯૭૯)માં એમના જીવનની વીગતો રસપ્રદ છે. \r \t\t   એમનાં લખાણોમાં સરલ ગદ્યની કેટલીક નોખી અભિવ્યક્તિઓ એમના હાથે સહજ બની છે. ઉપરાંત એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ ‘શબ્દલોક’ (૧૯૮૭) પણ આપ્યો છે.\r \t\t   -ચંદ્રકાન્ત ટોપીવાળા \r \t\tઆત્મકથાના ટુકડા (૧૯૫૯) : ૧૮૮૬ આસપાસ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૨૮ વર્ષની ઉંમરે કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭-૧૧-૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરને હાથે સંપાદિત થઈ ઘણાં \r \t\tવર્ષે પ્રગટ થયું. તેમાં લેખકે, કોઈ પરમ વિશ્વાસુ મિત્ર સમક્ષ હૃદય ખોલતા હોય તેમ, નિખાલસભાવે કરેલું આ સ્વાનુભવકથન છે, જે મણિલાલના માનસને તેમ એમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી છે. ખરું જોતાં આ આત્મવૃત્તાંતમાં લેખક, \r \t\tચિતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા છે. તેમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝિલાયું છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"phadhara-valesa","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/phadhara-valesa","tags":null,"created":"2024-02-03T20:38:52.308242","is_has_special_post":false,"is_special_author":false,"language":20}],"description":"<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>","image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"}