{"count":17752,"next":"http://admin.kavishala.in/sootradhar/authors/?format=json&page=906","previous":"http://admin.kavishala.in/sootradhar/authors/?format=json&page=904","results":[{"id":17227,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" બહેરામજી મલબારી","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મલબારી બહેરામજી મહેરવાનજી</u>\n\t\t(૧૮-૫-૧૮૫૩, ૧૧-૭-૧૯૧૨) : કવિ, ગદ્યકાર. જન્મ વડોદરામાં. મૂળ પિતા ધનજીભાઈ મહેતા પરંતુ પિતાના અવસાન બાદ પાંચ વર્ષની વયે મા ભીખીબાઈ સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયા. બાલ્યવય સુરતમાં વીત્યું.\n\t\t પહેલાં દેશી પદ્ધતિએ ચાલતી નરભેરામ મહેતાની શાળામાં, પછી પારસી પંચાયતની સ્કૂલમાં, પછી સર જમશેદજી એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં અને પછી મિશન સ્કૂલમાં અભ્યાસ. ૧૮૭૧માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, પણ ઉચ્ચશિક્ષણમાં દાખલ થતા નહિ; \n\t\t છતાં ગુજરાતી અને અંગ્રેજી પર પ્રભુત્વ. શરૂમાં શિક્ષકનો વ્યવસાય. ડૉ. વિલ્સનનું અને ડૉ. ટેલરનું પ્રોત્સાહન. પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત. ૧૮૭૯ થી મરણપર્યંત ‘ઈન્ડિયન સ્પેકટેટર’ના તંત્રી. ‘વોઈસ ઑવ ઈન્ડિયા’ નામે પત્ર દ્વારા પણ \n\t\t પ્રજાસેવા. પત્રકાર તરીકે નિર્ભીકપણે બાળલગ્ન અને પુનર્લગ્ન બાબતે સુધારાવાદી વિચારોની અભિવ્યક્તિ. ૧૮૯૦માં યુરોપના પ્રવાસે ગયા. ૧૯૦૧ માં ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ’ નામના માસિકની શરૂઆત. હૃદય એકાએક બંધ પડવાથી સીમલામાં અચાનક મૃત્યુ.\n\t\t<br/><br/>\n\t\tસંસારસુધારો, દેશદાઝ અને નીતિબોધને લક્ષ્ય કરતી રચનાઓના એમના છએક કાવ્યસંગ્રહો છે. ‘નીતિવિનોદ’ (૧૮૭૫) મધુર અને કરુણ ગરબીઓનો સંગ્રહ છે. એમાં બાળવિધવા, કજોડાવાળી સ્ત્રી, પરણેલી બાળપત્ની વગેરેના સ્ત્રીદુઃખના \n\t\tવિલાપો છે. ‘વિલ્સનવિરહ’ (૧૮૭૮) મિત્ર ડૉ. જહોન વિલ્સનના મૃત્યુ પરનું શોકકાવ્ય છે. એમાં તેઓ દલપતરામના ‘ફોર્બસવિરહ’ને જ અનુસર્યા છે. ‘સરોદ-ઈ-ઈત્તેફાક’ (૧૮૮૧)માં ફારસી શૈલીનાં ગીતો અને કવિતા છે. આ ઉપરાંત એમના \n\t\t‘અનુભવિકા’ (૧૮૯૪), ‘આદમી અને તેની દુનિયા’ (૧૮૯૮), અને ‘સાંસરિકા’ (૧૮૯૮) કાવ્યસંગ્રહો છે. ‘ઇતિહાસની આરસી’ જેવી ‘સાંસરિકા’માં સચવાયેલી પ્રચલિત રચના ભાષાની પ્રૌઢિ દર્શાવે છે. મુખ્યત્વે દલપતરામ અને નર્મદની \n\t\tશૈલીનું અનુસંધાન આ કવિની રચનાઓમાં હોવા છતાં પારસી બોલીને અતિક્રમી ગુજરાતી શુદ્ધ ભાષા લખવાનો અને ગુજરાતી પિંગળને અનુસરવાનો એમનો પુરુષાર્થ નોંધપાત્ર છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે અંગ્રેજી ભાષામાં જે રચનાઓ કરી તેનો સંચય ‘ઇન્ડિયન ન્યૂઝ ઇન ઇગ્લિશ ગાર્બ’ (૧૮૭૬) નામે પ્રસિદ્ધ થયો છે. એમાં અંગ્રેજી પિંગળનો સારો અભ્યાસ નજરે ચડે છે. કવિએ હિંદને લગતા દેશી પ્રશ્નો એમાં ચર્ચ્યા છે. \n\t\t૧૯૭૮ માં કરેલા ગુજરાત-કાઠિયાવાડના પ્રવાસના પરિણામ રૂપે મળતું ‘ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ’ તથા ૧૮૯૦ ની યુરોપયાત્રાના પરિણામરૂપે મળતું ‘ઇન્ડિયન આઈ ઑન ઇંગ્લિશ લાઈફ’- બંને પુસ્તકો અંગ્રેજીમાં છે. આ ઉપરાંત, હિંદુ \n\t\tધર્મની ફિલસૂફીને લગતાં મેકસમૂલરનાં ‘હિબર્ટ લૅકચર્સ’નું મનચેરજી મોબેદજીના સહયોગમાં ગુજરાતી ભાષાંતર એમણે આપ્યું છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tસાંસરિકા (૧૮૯૮) : બહેરામજી મહેરવાનજી મલબારીનો, સંસારના અવલોકને સૂચવેલા વિચારો દર્શાવતાં પ્રસંગાનુસારી પાંત્રીસ કાવ્યો ધરાવતો સંગ્રહ. આ પારસી કવિને હાથે અહીં નૈતિક, સાંસારિક અને ઐતિહાસિક વિષયો ગુજરાતી \n\t\tપિંગળની જાણકારી સાથે સરલતાથી રજૂઆત પામ્યા છે. સંસારસુધારો અહીં મુખ્ય સૂત્ર છે. ‘કજોડું-સ્વભાવનું’ અને ‘કજોડું-ઉંમરનું’, ‘સુઘડ-ફૂવડનો ઘર સંસાર’, ‘પારકા પૈસા નસાથી બૂરા’, ‘પારકી સ્ત્રી મરકીથી બૂરી’ વગેરે રચનાઓ આનાં \n\t\tઉદાહરણો છે. ‘સુરતી લાલા સહેલાણી’માં નફરા નકટા સુરતી લાલાઓને પડતીને પાર કરવાનો ઉપદેશ છે. ‘ઇતિહાસની આરસી’માં રહેલી ભાષાની પ્રૌઢિ એને આ સંગ્રહની ઉત્તમ રચના ઠેરવે છે. ‘મૌનની મઝા’માં છેડાતો મૌન જેવો વિષય \n\t\tએ જમાનામાં અરૂઢ છે. છેલ્લી ત્રણેક પદરચનાઓમાંની વ્રજછાંટ ધ્યાનાર્હ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      મલબારી બહેરામજી મહેરવાનજી  \t\t(૧૮-૫-૧૮૫૩, ૧૧-૭-૧૯૧૨) : કવિ, ગદ્યકાર. જન્મ વડોદરામાં. મૂળ પિતા ધનજીભાઈ મહેતા પરંતુ પિતાના અવસાન બાદ પાંચ વર્ષની વયે મા ભીખીબાઈ સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયા. બાલ્યવય સુરતમાં વીત્યું. \t\t પહેલાં દેશી પદ્ધતિએ ચાલતી નરભેરામ મહેતાની શાળામાં, પછી પારસી પંચાયતની સ્કૂલમાં, પછી સર જમશેદજી એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં અને પછી મિશન સ્કૂલમાં અભ્યાસ. ૧૮૭૧માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, પણ ઉચ્ચશિક્ષણમાં દાખલ થતા નહિ;  \t\t છતાં ગુજરાતી અને અંગ્રેજી પર પ્રભુત્વ. શરૂમાં શિક્ષકનો વ્યવસાય. ડૉ. વિલ્સનનું અને ડૉ. ટેલરનું પ્રોત્સાહન. પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત. ૧૮૭૯ થી મરણપર્યંત ‘ઈન્ડિયન સ્પેકટેટર’ના તંત્રી. ‘વોઈસ ઑવ ઈન્ડિયા’ નામે પત્ર દ્વારા પણ  \t\t પ્રજાસેવા. પત્રકાર તરીકે નિર્ભીકપણે બાળલગ્ન અને પુનર્લગ્ન બાબતે સુધારાવાદી વિચારોની અભિવ્યક્તિ. ૧૮૯૦માં યુરોપના પ્રવાસે ગયા. ૧૯૦૧ માં ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ’ નામના માસિકની શરૂઆત. હૃદય એકાએક બંધ પડવાથી સીમલામાં અચાનક મૃત્યુ. \t\t  \t\tસંસારસુધારો, દેશદાઝ અને નીતિબોધને લક્ષ્ય કરતી રચનાઓના એમના છએક કાવ્યસંગ્રહો છે. ‘નીતિવિનોદ’ (૧૮૭૫) મધુર અને કરુણ ગરબીઓનો સંગ્રહ છે. એમાં બાળવિધવા, કજોડાવાળી સ્ત્રી, પરણેલી બાળપત્ની વગેરેના સ્ત્રીદુઃખના  \t\tવિલાપો છે. ‘વિલ્સનવિરહ’ (૧૮૭૮) મિત્ર ડૉ. જહોન વિલ્સનના મૃત્યુ પરનું શોકકાવ્ય છે. એમાં તેઓ દલપતરામના ‘ફોર્બસવિરહ’ને જ અનુસર્યા છે. ‘સરોદ-ઈ-ઈત્તેફાક’ (૧૮૮૧)માં ફારસી શૈલીનાં ગીતો અને કવિતા છે. આ ઉપરાંત એમના  \t\t‘અનુભવિકા’ (૧૮૯૪), ‘આદમી અને તેની દુનિયા’ (૧૮૯૮), અને ‘સાંસરિકા’ (૧૮૯૮) કાવ્યસંગ્રહો છે. ‘ઇતિહાસની આરસી’ જેવી ‘સાંસરિકા’માં સચવાયેલી પ્રચલિત રચના ભાષાની પ્રૌઢિ દર્શાવે છે. મુખ્યત્વે દલપતરામ અને નર્મદની  \t\tશૈલીનું અનુસંધાન આ કવિની રચનાઓમાં હોવા છતાં પારસી બોલીને અતિક્રમી ગુજરાતી શુદ્ધ ભાષા લખવાનો અને ગુજરાતી પિંગળને અનુસરવાનો એમનો પુરુષાર્થ નોંધપાત્ર છે. \t\t  \t\tએમણે અંગ્રેજી ભાષામાં જે રચનાઓ કરી તેનો સંચય ‘ઇન્ડિયન ન્યૂઝ ઇન ઇગ્લિશ ગાર્બ’ (૧૮૭૬) નામે પ્રસિદ્ધ થયો છે. એમાં અંગ્રેજી પિંગળનો સારો અભ્યાસ નજરે ચડે છે. કવિએ હિંદને લગતા દેશી પ્રશ્નો એમાં ચર્ચ્યા છે.  \t\t૧૯૭૮ માં કરેલા ગુજરાત-કાઠિયાવાડના પ્રવાસના પરિણામ રૂપે મળતું ‘ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ’ તથા ૧૮૯૦ ની યુરોપયાત્રાના પરિણામરૂપે મળતું ‘ઇન્ડિયન આઈ ઑન ઇંગ્લિશ લાઈફ’- બંને પુસ્તકો અંગ્રેજીમાં છે. આ ઉપરાંત, હિંદુ  \t\tધર્મની ફિલસૂફીને લગતાં મેકસમૂલરનાં ‘હિબર્ટ લૅકચર્સ’નું મનચેરજી મોબેદજીના સહયોગમાં ગુજરાતી ભાષાંતર એમણે આપ્યું છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tસાંસરિકા (૧૮૯૮) : બહેરામજી મહેરવાનજી મલબારીનો, સંસારના અવલોકને સૂચવેલા વિચારો દર્શાવતાં પ્રસંગાનુસારી પાંત્રીસ કાવ્યો ધરાવતો સંગ્રહ. આ પારસી કવિને હાથે અહીં નૈતિક, સાંસારિક અને ઐતિહાસિક વિષયો ગુજરાતી  \t\tપિંગળની જાણકારી સાથે સરલતાથી રજૂઆત પામ્યા છે. સંસારસુધારો અહીં મુખ્ય સૂત્ર છે. ‘કજોડું-સ્વભાવનું’ અને ‘કજોડું-ઉંમરનું’, ‘સુઘડ-ફૂવડનો ઘર સંસાર’, ‘પારકા પૈસા નસાથી બૂરા’, ‘પારકી સ્ત્રી મરકીથી બૂરી’ વગેરે રચનાઓ આનાં  \t\tઉદાહરણો છે. ‘સુરતી લાલા સહેલાણી’માં નફરા નકટા સુરતી લાલાઓને પડતીને પાર કરવાનો ઉપદેશ છે. ‘ઇતિહાસની આરસી’માં રહેલી ભાષાની પ્રૌઢિ એને આ સંગ્રહની ઉત્તમ રચના ઠેરવે છે. ‘મૌનની મઝા’માં છેડાતો મૌન જેવો વિષય  \t\tએ જમાનામાં અરૂઢ છે. છેલ્લી ત્રણેક પદરચનાઓમાંની વ્રજછાંટ ધ્યાનાર્હ છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"baheramaji-malabari","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/baheramaji-malabari","tags":null,"created":"2024-02-03T20:38:45.908688","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17228,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ભગવતસિંહજી જાડેજા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી </u>\n\t\t\t(૨૪-૧૦-૧૮૬૫, ૯-૩-૧૯૪૪) : કોશકાર. જન્મ ધોરાજીમાં. નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩ માં ઉચ્ચ કેળવણી માટે યુરોપનો \n\t\t\tપ્રવાસ. ૧૮૮૪ માં ગોંડલ રાજ્યની કુલ સત્તા યુવક રાજ્વીને હસ્તક. ૧૮૮૫ માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ. ૧૮૯૨ માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી ૧૮૯૫ માં \n\t\t\tએડિનબરો યુનિવર્સિટી તરફથી ‘આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પર એમ.ડી.ગોંડલ રાજ્યનાં પ્રજાકલ્યાણનાં અનેક કામો ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠ્યપુસ્તકમાળા વગેરેનું આયોજન.\n\t\t<br/><br/> \n\t\t\tગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ ગોમંડલ’-ભા.૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\t\tભગવદ્ ગોમંડલ (૧૯૪૪-૪૬) ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા નવ ભાગમાં તૈયાર થયેલો બૃહદ્ ગુજરાતી શબ્દકોશ. ગુજરાતી ભાષા અને સાહિત્યનું મૂલ્ય વધારવામાં આનો અનન્ય ફાળો છે. ગુજરાતી ભાષાના ૨,૮૧,૩૭૦ શબ્દોનો \n\t\t\tએમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન શબ્દભંડોળમાં માન્ય, દેશ્ય અને રૂઢ શબ્દોનો પણ સંગ્રહ છે. ઉપરાંત, વિસ્તૃત ઐતિહાસિક બાબતો અને અગત્યની વીગતોને પણ એમાં આવરી લેવામાં આવી છે. \n\t\t\tશબ્દના અર્થસમર્થનમાં જાણીતાં લખાણોમાંથી દ્રષ્ટાંતો અપાયાં છે આ દ્રષ્ટાંતો બેવડી કામગીરી બજાવે છે : અર્થને સ્પષ્ટ કરે છે, સાથે સાથે શબ્દનું ગુજરાતીપણું પણ સમર્પિત કરે છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી   \t\t\t(૨૪-૧૦-૧૮૬૫, ૯-૩-૧૯૪૪) : કોશકાર. જન્મ ધોરાજીમાં. નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩ માં ઉચ્ચ કેળવણી માટે યુરોપનો  \t\t\tપ્રવાસ. ૧૮૮૪ માં ગોંડલ રાજ્યની કુલ સત્તા યુવક રાજ્વીને હસ્તક. ૧૮૮૫ માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ. ૧૮૯૨ માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી ૧૮૯૫ માં  \t\t\tએડિનબરો યુનિવર્સિટી તરફથી ‘આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પર એમ.ડી.ગોંડલ રાજ્યનાં પ્રજાકલ્યાણનાં અનેક કામો ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠ્યપુસ્તકમાળા વગેરેનું આયોજન. \t\t   \t\t\tગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ ગોમંડલ’-ભા.૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\t\tભગવદ્ ગોમંડલ (૧૯૪૪-૪૬) ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા નવ ભાગમાં તૈયાર થયેલો બૃહદ્ ગુજરાતી શબ્દકોશ. ગુજરાતી ભાષા અને સાહિત્યનું મૂલ્ય વધારવામાં આનો અનન્ય ફાળો છે. ગુજરાતી ભાષાના ૨,૮૧,૩૭૦ શબ્દોનો  \t\t\tએમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન શબ્દભંડોળમાં માન્ય, દેશ્ય અને રૂઢ શબ્દોનો પણ સંગ્રહ છે. ઉપરાંત, વિસ્તૃત ઐતિહાસિક બાબતો અને અગત્યની વીગતોને પણ એમાં આવરી લેવામાં આવી છે.  \t\t\tશબ્દના અર્થસમર્થનમાં જાણીતાં લખાણોમાંથી દ્રષ્ટાંતો અપાયાં છે આ દ્રષ્ટાંતો બેવડી કામગીરી બજાવે છે : અર્થને સ્પષ્ટ કરે છે, સાથે સાથે શબ્દનું ગુજરાતીપણું પણ સમર્પિત કરે છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"bhagavatasinhaji-jadeja","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/bhagavatasinhaji-jadeja","tags":null,"created":"2024-02-03T20:38:46.115780","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17229,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ભોગીલાલ સાંડેસરા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ </u>\r\n\t\t(૧૩-૪-૧૯૧૭) : વિવેચક, સંપાદક. જન્મ પાટણ તાલુકાના સંડેરમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. ૧૯૪૧માં ગુજરાત \r\n\t\tકૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૪૩ થી ૧૯૫૦ સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક-સંશોધક. \r\n\t\t<br/><br/> \r\n\t\t૧૯૫૦માં પીએચ.ડી. ૧૯૫૦ થી ૧૯૭૫ સુધી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. ૧૯૫૮ થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક. ૧૯૫૫માં \r\n\t\tનડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ. ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. ૧૯૬૨-૬૪ દરમિયાન \r\n\t\tગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ. ૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક. ૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.\r\n\t\t<br/><br/> \r\n\t\tપ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્વત્તાથી આ \tલેખકે કાર્ય કર્યું છે. જરૂરી સારદર્શન દ્વારા, \r\n\t\tજરૂરી અનુવાદો અને ટિપ્પણો દ્વારા શાસ્ત્રીય રીતે સંકલિત અને સંપાદિત કરેલી સામગ્રી સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાયો તેમ જ ગુણદર્શી પ્રતિભાવ આપતું એમનું લેખન મુખ્યત્વે વસ્તુલક્ષી ગદ્યનો આશ્રય લે છે. \r\n\t\t<br/><br/> \r\n\t\tપ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની વૃત્તરચનાથઈ આગળ વધતું ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ (૧૯૪૧), ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરનાં પાંચ વ્યાખ્યાનો આપતું ‘શબ્દ અને અર્થ’ (૧૯૫૪), શોધપ્રબંધ \r\n\t\t‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ (૧૯૫૭), પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા વર્ણવતું ‘પ્રદક્ષિણા’ (૧૯૫૯), ‘દયારામ’ (૧૯૬૦), લેખસંગ્રહ ‘સંશોધનની કેડી’ (૧૯૬૧), ‘ઇતિહાસ અને \r\n\t\tસાહિત્ય’ (૧૯૬૬), ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહો ‘અન્વેષણા’ (૧૯૬૭) અને ‘અનુસ્મૃતિ’ (૧૯૭૩), ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’ (૧૯૭૮) વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે.\r\n\t\t<br/><br/> \r\n       ‘વાઘેલાઓનું ગુજરાત’ (૧૯૩૯), ‘ઇતિહાસની કેડી’ (૧૯૪૫), ‘જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ’ (૧૯૪૮), ‘જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો’ (૧૯૫૧), ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’ (૧૯૫૨) \r\n\t\tવગેરે એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ-વિષયક પુસ્તકો છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tએમનાં સંપાદનોમાં સંઘવિજયકૃત ‘સિંહાસનબત્રીસી’ (૧૯૩૩), ‘માધવકૃત રૂપસુન્દરકથા’ (૧૯૩૪), ‘વીરસિંહકૃત ઉષાહરણ’ (૧૯૩૮), ‘મતિસાર કર્પૂરમંજરી’ (૧૯૪૧), ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય’ (૧૯૪૮), \r\n\t\t‘મહીરાજકૃત નલદવદંતીરાસ’ (૧૯૫૪), ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’ (૧૯૫૫), ‘વર્ણકસમુચ્ચય’ –ભા. ૧, ૨ (૧૯૫૬, ૧૯૫૯), ‘શ્રી સોમેશ્વરદેવરચિતં ઉલ્લાસરાઘવનાટકમ્’ (૧૯૬૧), ‘યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબોધ’ –ભા.૧ \r\n\t\t(૧૯૬૩), ‘મલ્લપુરાણ’ (૧૯૬૪), ‘શ્રી સોમેશ્વરદેવરચિતં રામશતકમ્’ (૧૯૬૫), ‘ગંઘાધરપ્રણીતં ગંગાદાસપ્રતાપવિલાસનાટક્મ્’ (૧૯૭૩) અને ‘અમૃતકલશકૃત હમ્મીર પ્રબંધ’ (૧૯૭૩) મહત્વનાં છે.\r\n       ‘સંઘદાસગણિકૃત વસુદેવદિંડી’ (૧૯૪૬) પ્રાકૃતમાંથી એમણે આપેલો અનુવાદ છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ  \r \t\t(૧૩-૪-૧૯૧૭) : વિવેચક, સંપાદક. જન્મ પાટણ તાલુકાના સંડેરમાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. ૧૯૪૧માં ગુજરાત \r \t\tકૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૪૩ થી ૧૯૫૦ સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક-સંશોધક. \r \t\t  \r \t\t૧૯૫૦માં પીએચ.ડી. ૧૯૫૦ થી ૧૯૭૫ સુધી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. ૧૯૫૮ થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક. ૧૯૫૫માં \r \t\tનડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ. ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. ૧૯૬૨-૬૪ દરમિયાન \r \t\tગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ. ૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક. ૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.\r \t\t  \r \t\tપ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્વત્તાથી આ \tલેખકે કાર્ય કર્યું છે. જરૂરી સારદર્શન દ્વારા, \r \t\tજરૂરી અનુવાદો અને ટિપ્પણો દ્વારા શાસ્ત્રીય રીતે સંકલિત અને સંપાદિત કરેલી સામગ્રી સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાયો તેમ જ ગુણદર્શી પ્રતિભાવ આપતું એમનું લેખન મુખ્યત્વે વસ્તુલક્ષી ગદ્યનો આશ્રય લે છે. \r \t\t  \r \t\tપ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની વૃત્તરચનાથઈ આગળ વધતું ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ (૧૯૪૧), ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરનાં પાંચ વ્યાખ્યાનો આપતું ‘શબ્દ અને અર્થ’ (૧૯૫૪), શોધપ્રબંધ \r \t\t‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ (૧૯૫૭), પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા વર્ણવતું ‘પ્રદક્ષિણા’ (૧૯૫૯), ‘દયારામ’ (૧૯૬૦), લેખસંગ્રહ ‘સંશોધનની કેડી’ (૧૯૬૧), ‘ઇતિહાસ અને \r \t\tસાહિત્ય’ (૧૯૬૬), ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહો ‘અન્વેષણા’ (૧૯૬૭) અને ‘અનુસ્મૃતિ’ (૧૯૭૩), ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’ (૧૯૭૮) વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે.\r \t\t  \r        ‘વાઘેલાઓનું ગુજરાત’ (૧૯૩૯), ‘ઇતિહાસની કેડી’ (૧૯૪૫), ‘જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ’ (૧૯૪૮), ‘જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો’ (૧૯૫૧), ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’ (૧૯૫૨) \r \t\tવગેરે એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ-વિષયક પુસ્તકો છે.\r \t\t  \r \t\tએમનાં સંપાદનોમાં સંઘવિજયકૃત ‘સિંહાસનબત્રીસી’ (૧૯૩૩), ‘માધવકૃત રૂપસુન્દરકથા’ (૧૯૩૪), ‘વીરસિંહકૃત ઉષાહરણ’ (૧૯૩૮), ‘મતિસાર કર્પૂરમંજરી’ (૧૯૪૧), ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય’ (૧૯૪૮), \r \t\t‘મહીરાજકૃત નલદવદંતીરાસ’ (૧૯૫૪), ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’ (૧૯૫૫), ‘વર્ણકસમુચ્ચય’ –ભા. ૧, ૨ (૧૯૫૬, ૧૯૫૯), ‘શ્રી સોમેશ્વરદેવરચિતં ઉલ્લાસરાઘવનાટકમ્’ (૧૯૬૧), ‘યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબોધ’ –ભા.૧ \r \t\t(૧૯૬૩), ‘મલ્લપુરાણ’ (૧૯૬૪), ‘શ્રી સોમેશ્વરદેવરચિતં રામશતકમ્’ (૧૯૬૫), ‘ગંઘાધરપ્રણીતં ગંગાદાસપ્રતાપવિલાસનાટક્મ્’ (૧૯૭૩) અને ‘અમૃતકલશકૃત હમ્મીર પ્રબંધ’ (૧૯૭૩) મહત્વનાં છે.\r        ‘સંઘદાસગણિકૃત વસુદેવદિંડી’ (૧૯૪૬) પ્રાકૃતમાંથી એમણે આપેલો અનુવાદ છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"bhogilala-sandesara","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/bhogilala-sandesara","tags":null,"created":"2024-02-03T20:38:46.256453","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17230,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ભોળાભાઈ  પટેલ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પટેલ ભોળાભાઈ શંકરભાઈ </u>\r\n\t\t\tનિબંધકાર, વિવેચક, સંપાદક અનુવાદક. જન્મ વતન સોજા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી. ૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. \r\n\t\t\t૧૯૭૦માં અંગ્રેજી - ભાષાવિજ્ઞાન વિષયોમાં પુનઃ એમ.એ. ૧૯૭૮માં હિંદીમાં ‘અજ્ઞેય : એક અધ્ધયન’ વિષય પર પીએચ.ડી. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. \r\n\t\t<br/><br/>\r\n\t\t\tગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ૧૯૬૯થી હિદીના વ્યાખ્યતા અને ૧૯૮૦થી રીડર. હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત. ૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો. \r\n\t\t\t‘પરબ’ નાં તંત્રી-સંપાદક તરીકે પચીસ વર્ષ સુધી સેવા આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ. ૨૦૧૨-૨૦૧૩ના વર્ષો માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ.\r\n\t\t\t આ કાર્યકાળ દરમ્યાન જ ૨૦ મે ૨૦૧૨ના દિવસે તેમનું અવસાન થયું. \t\t\r\n\t\t<br/><br/>\r\n\t\t\tતેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા સૌહાર્દ પુરસ્કાર (૧૯૮૮), ગુજરાત સાહિત્યસભા દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૯૫) હિન્દી સાહિત્યસેવી સન્માન, \r\n\t\t\tગાંધીનગર ૨૦૦૦; શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૫; સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૦૫ ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ ૨૦૦૮ અને સાહિત્ય અકાદેમી દિલ્હી તરફથી તેનું સર્વોચ્ચ સન્માન \r\n\t\t\t‘મહત્તર સદસ્યતા’ ‘Fellowship’ થી ૨૦૧૦માં બહુમાન કરવામાં આવ્યું છે. તેમ જ શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, ૧૯૯૬; ‘ભારતીય ઉપન્યાસ પરંપરા ઔર ગ્રામ કેન્દ્રી ઉપન્યાસ’, હિન્દી ગ્રંથને રાષ્ટ્રીય પુરસ્કાર,\r\n\t\t\t કેન્દ્રીય હિન્દી નિદેશાલય, દિલ્હી ૨૦૦૨-૨૦૦૩; સારસ્વત ગૌરવ એવોર્ડ અમદાવાદ, ૨૦૦૩. મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ ૨૦૦૭ વગેરે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના અનેક પુસ્તકોને \r\n\t\t\t પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં છે. \r\n\t\t<br/><br/>\r\n\t\t\tપ્રવાસનિબંધના લલિત નિરૂપણમાં એમણે પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે. એમાં સ્થળકાળનાં સંવેદનોએ અંગત સંવેદનાની અર્થછાયાઓ સુપેરે ઝીલી છે; આથી જ ‘વિદિશા’ (૧૯૮૦) નિબંધસંગ્રહની અગિયાર રચનાઓમાં લેખકનું પરિભ્રમણ નહીં, \r\n\t\t\tપણ સૌંદર્યભ્રમણ વિશેષ ધ્યાનાકર્ષક બને છે. પ્રવાસ, પ્રસંગ, સ્થળ વગેરે તો નિમિત્ત બન્યાં છે; સર્જકની રસિકતા જ સંગ્રહની મોટા ભાગની રચનાઓનું ચાલકબળ બની છે. સંગ્રહની ‘વિદિશા’ અને ‘માંડુ’ ઉત્તમ કૃતિઓ છે. \r\n\t\t\tસંગ્રહની અંતિમ રચના ‘તેષાં દિક્ષુ’ અન્ય દશેય પ્રવાસ-લલિતનિબંધોને લાક્ષણિક રીતે જોડી આપતા તંતુ સમાન છે. ‘પૂર્વોત્તર’ (૧૯૮૧)માં ઈશાન ભારતનું પ્રવાસ આલેખન છે. એમાં એ પ્રદેશની પ્રાકૃતિક સુષમાને, \r\n\t\t\tરમણીયતાને તેમના વૃત્તમાં ઉચિત રીતે ઉપસાવાઈ છે. ‘રાધે તારા ડુંગરિયા પર’ (૧૯૮૭), ‘દેવોની ઘાટી’ (૧૯૮૯) ‘દેવતાત્મા હિમાલય’ (૧૯૯૦), ‘દશ્યાવલી’ (૨૦૦૦), ‘ચિત્રકૂટના ઘાટ પર’ (૨૦૦૧), \r\n\t\t\t‘યુરોપ અનુભવ’ (૨૦૦૪) એમના અન્ય પ્રવાસનિબંધસંગ્રહો છે. એમની ગદ્યશૈલી રોજનીશીના ગદ્યને અનુરૂપ અને એકંદરે પ્રવાહી-પ્રાસાદિક છે. એમના લલિત નિબંધો ‘બોલે ઝીણા મોર’ (૧૯૯૨), ‘શાલભંજિકા’ (૧૯૯૨), \r\n\t\t\t‘ચૈતર ચમકે ચાંદની’ (૧૯૯૬) માં તેમના સૌંદર્યપ્રણિત, સંવેદનશીલ વ્યક્તિત્વનો સ્પર્શ અનુભવાય છે.\t\t\r\n\t\t<br/><br/>\r\n\t\t\tઅંગ્રેજી, જર્મન, હિંદી, મરાઠી, બંગાળી, ઓડિયા, અસમિયા વગેરે ભાષાસાહિત્યનો એમનો અભ્યાસ એમના વિવેચનને તુલનામૂલક બનાવે છે;  તો એમની રસજ્ઞતા અને સહૃદયતા તેને શુષ્ક થતું અટકાવીને આસ્વાદ્ય બનાવે છે.\r\n\t\t<br/><br/>\r\n\t\t\tએમના પ્રથમ પુસ્તક ‘સુરદાસની કવિતા’ (૧૯૭૨) પછી ‘અધુના’ (૧૯૭૩), ‘ભારતીય ટૂંકીવાર્તા’ (૧૯૭૩), ‘પૂર્વાપર’ (૧૯૭૬), ‘કાલપુરુષ’ (૧૯૭૯), ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’ (૧૯૮૭) \r\n\t\t\t‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’ (૧૯૯૬), ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ (૧૯૯૭), ‘આવ ગિરા ગુજરાતી’ (૨૦૦૩) વગેરે વિવેચનગ્રંથો પ્રગટ થયા છે. ‘અધુના’ના પંદર લેખો પૈકી મોટા ભાગના લેખો સાહિત્યકૃતિ, \r\n\t\t\tકર્તા કે સાહિત્ય સ્વરૂપવિષયક છે; ‘પૂર્વાપર’ના ચોવીસ લેખોમાંના કેટલાક પરદેશી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિમાં ડોકિયું કરાવે છે; કેટલાક ઓડિયા - બંગાળી ભાષાના અગ્રણી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિનો પરિચય કરાવે છે; તો કેટલાક \r\n\t\t\tગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓ વિષેનો અભ્યાસ નિરૂપે છે. સંગ્રહના પ્રથમલેખ ‘ગીત એ અસ્તિત્વ’ માં જર્મન કવિ રાઈનેર મારિયા રિલ્કેની મહત્વપૂર્ણ કૃતિ (ઓર્ફિયસ પ્રતિ-સૉનેટ)ના એકાદ-બે મહત્વના પહેલુઓને વણી લેવાનો \r\n\t\t\tલેખકનો પ્રયત્ન છે. ‘ભારતીય ટૂંકીવાર્તા’ એમનું વિશિષ્ટ વિવેચનાત્મક પુસ્તક છે. ભારતની ચૌદ વિવિધ ભાષાઓમાં લખાયેલી ટૂંકીવાર્તાઓનો અહીં એમણે રસાસ્વાદ કરાવ્યો છે. એમનું વલણ અહીં પણ, અલબત્ત, તુલનાત્મક છે. \r\n\t\t\t‘મળી માતૃભાષા મને ગુજરાતી’ અને ‘આવ, ગિરા ગુજરાતી’માં ‘પરબ’ નિમિત્તે લખાયેલા સંપાદકીય-તંત્રીલેખોના ચયનો છે.  \r\n\t\t<br/><br/>\r\n\t\t\tએમણે કરેલાં સંપાદનોમાં મુખ્યત્વે ‘અસમિયા-ગુજરાતી કવિતા’ (૧૯૮૧) તથા ‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો’ (૧૯૮૨) ‘તુલનાત્મક કાવ્યશાસ્ત્ર કેટલાંક પરિમાણ’ (૧૯૯૪, સંયુ.), ‘રવીન્દ્રસંચય’ (સંયુ.), \r\n\t\t\t‘વૃંદાવન મોરલી વાગે છે’ (૨૦૦૫, સંયુ.) ઉલ્લેખનીય છે. \r\n\t\t<br/><br/>\r\n\t\t\tએમણે વિનાયક આઠવલેકૃત ‘વિષ્ણુ દિગમ્બર’ (૧૯૬૭), ગોપાલસિંગકૃત ‘ગુરુનાનક’ (૧૯૬૯), મહેશ્વર નેઓગકૃત ‘શંકરદેવ’ (૧૯૭૦), જીવનાનંદકૃત કાવ્યસંગ્રહ ‘વનલતાસેન’ (૧૯૭૬) અને ‘નગ્ન નિર્જન હાથ’\r\n\t\t\t(૨૦૦૫), સુનીલ ગંગોપાધ્યાયકૃત નવલકથા ‘સ્વર્ગની નીચે મનુષ્ય’ (૧૯૭૭), બુદ્ધદેવ બસુકૃત નાટક ‘તપસ્વી અને તરંગિણી’ (૧૯૮૨), સુકુમાર સેન લિખિત ‘બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (૧૯૮૨)\r\n\t\t\t રવીન્દ્રનાથા ઠાકુર કૃત નવલકથા ‘ચાર અધ્યાય’ (૧૯૮૮), સૈયદ અબ્દુલ મલિકની નવલકથા ‘સૂરજમુખીનું સ્વપ્ન’ (૧૯૯૪), ‘આધુનિક બંગાળી કવિતા’ (૨૦૦૪) વગેરે અનુવાદો આપ્યાં છે. આ ઉપરાંત એમણે રઘુવીર ચૌધરીના \r\n\t\t\t સહયોગમાં ઉમાશંકર જોષીના કાવ્યસંગ્રહો ‘પ્રાચીના’ (૧૯૬૮) અને ‘નિશીથ’ (૧૯૬૮) ના હિન્દી અનુવાદો કર્યાં છે; તો હિંદી કવિ સુમિત્રાનંદન પંતના કાવ્યસંગ્રહ ‘ચિદમ્બરા’ (૧૯૬૯) નો ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. \r\n\t\t\t નગીનદાસ પારેખ તથા અન્ય અનુવાદકોના સહયોગથી એમણે રવીન્દ્રનાથ ઠાકુરકૃત ‘ગીત પંચશતી’ (૧૯૭૮) ને ગુજરાતીમાં ઉતારી છે. એમના મોટા ભાગના અનુવાદો એકંદરે પ્રવાહી, સુરેખ અને આસ્વાદ્ય છે.\t\t\r\n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/>\r\n\t\t\tવિદિશા (૧૯૮૦) : ભોળાભાઈ પટેલનો પ્રવાસનિબંધોનો સંગ્રહ. આ નિબંધોમાં લેખકના જણાવ્યા પ્રમાણે મુખ્ય સંવેદના ભ્રમણની છે. આ ભ્રમણ ક્યારેક એકાકી, ક્યારેક સમૂહમાં થયું છે. \r\n\t\t\t‘વિદિશા’, ‘ભૂવનેશ્વર’, ‘માંડું’, ‘ઈમ્ફાલ’, ‘જેસલમેર’, ‘ચિલિકા’, ‘બ્રહ્મા’, ‘ખજુરાહો’, ‘કાશી’, ‘રામેશ્વરમ્’- એમ કુલ દશ સ્થાનોના પ્રવાસો ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં દાખલ કર્યું છે.\r\n\t\t\t ગામથી વિદિશા અને વિદિશાથી ગામનું જે ચક્ર પૂરું થયું છે તેમાં લેખનની ભાવવ્યંજક્તા, સૂક્ષ્મતા અને રસિકતા ઊપસી આવે છે. એકંદરે પ્રવાસનાં સંવેદનોને લાલિત્યપૂર્ણ એકાત્મકતા આપવાનો પ્રયાસ છે.\r\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      પટેલ ભોળાભાઈ શંકરભાઈ  \r \t\t\tનિબંધકાર, વિવેચક, સંપાદક અનુવાદક. જન્મ વતન સોજા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી. ૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. \r \t\t\t૧૯૭૦માં અંગ્રેજી - ભાષાવિજ્ઞાન વિષયોમાં પુનઃ એમ.એ. ૧૯૭૮માં હિંદીમાં ‘અજ્ઞેય : એક અધ્ધયન’ વિષય પર પીએચ.ડી. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. \r \t\t \r \t\t\tગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ૧૯૬૯થી હિદીના વ્યાખ્યતા અને ૧૯૮૦થી રીડર. હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત. ૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો. \r \t\t\t‘પરબ’ નાં તંત્રી-સંપાદક તરીકે પચીસ વર્ષ સુધી સેવા આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ. ૨૦૧૨-૨૦૧૩ના વર્ષો માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ.\r \t\t\t આ કાર્યકાળ દરમ્યાન જ ૨૦ મે ૨૦૧૨ના દિવસે તેમનું અવસાન થયું. \t\t\r \t\t \r \t\t\tતેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા સૌહાર્દ પુરસ્કાર (૧૯૮૮), ગુજરાત સાહિત્યસભા દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૯૫) હિન્દી સાહિત્યસેવી સન્માન, \r \t\t\tગાંધીનગર ૨૦૦૦; શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૫; સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૦૫ ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ ૨૦૦૮ અને સાહિત્ય અકાદેમી દિલ્હી તરફથી તેનું સર્વોચ્ચ સન્માન \r \t\t\t‘મહત્તર સદસ્યતા’ ‘Fellowship’ થી ૨૦૧૦માં બહુમાન કરવામાં આવ્યું છે. તેમ જ શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, ૧૯૯૬; ‘ભારતીય ઉપન્યાસ પરંપરા ઔર ગ્રામ કેન્દ્રી ઉપન્યાસ’, હિન્દી ગ્રંથને રાષ્ટ્રીય પુરસ્કાર,\r \t\t\t કેન્દ્રીય હિન્દી નિદેશાલય, દિલ્હી ૨૦૦૨-૨૦૦૩; સારસ્વત ગૌરવ એવોર્ડ અમદાવાદ, ૨૦૦૩. મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ ૨૦૦૭ વગેરે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના અનેક પુસ્તકોને \r \t\t\t પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં છે. \r \t\t \r \t\t\tપ્રવાસનિબંધના લલિત નિરૂપણમાં એમણે પોતાની આગવી મુદ્રા ઉપસાવી છે. એમાં સ્થળકાળનાં સંવેદનોએ અંગત સંવેદનાની અર્થછાયાઓ સુપેરે ઝીલી છે; આથી જ ‘વિદિશા’ (૧૯૮૦) નિબંધસંગ્રહની અગિયાર રચનાઓમાં લેખકનું પરિભ્રમણ નહીં, \r \t\t\tપણ સૌંદર્યભ્રમણ વિશેષ ધ્યાનાકર્ષક બને છે. પ્રવાસ, પ્રસંગ, સ્થળ વગેરે તો નિમિત્ત બન્યાં છે; સર્જકની રસિકતા જ સંગ્રહની મોટા ભાગની રચનાઓનું ચાલકબળ બની છે. સંગ્રહની ‘વિદિશા’ અને ‘માંડુ’ ઉત્તમ કૃતિઓ છે. \r \t\t\tસંગ્રહની અંતિમ રચના ‘તેષાં દિક્ષુ’ અન્ય દશેય પ્રવાસ-લલિતનિબંધોને લાક્ષણિક રીતે જોડી આપતા તંતુ સમાન છે. ‘પૂર્વોત્તર’ (૧૯૮૧)માં ઈશાન ભારતનું પ્રવાસ આલેખન છે. એમાં એ પ્રદેશની પ્રાકૃતિક સુષમાને, \r \t\t\tરમણીયતાને તેમના વૃત્તમાં ઉચિત રીતે ઉપસાવાઈ છે. ‘રાધે તારા ડુંગરિયા પર’ (૧૯૮૭), ‘દેવોની ઘાટી’ (૧૯૮૯) ‘દેવતાત્મા હિમાલય’ (૧૯૯૦), ‘દશ્યાવલી’ (૨૦૦૦), ‘ચિત્રકૂટના ઘાટ પર’ (૨૦૦૧), \r \t\t\t‘યુરોપ અનુભવ’ (૨૦૦૪) એમના અન્ય પ્રવાસનિબંધસંગ્રહો છે. એમની ગદ્યશૈલી રોજનીશીના ગદ્યને અનુરૂપ અને એકંદરે પ્રવાહી-પ્રાસાદિક છે. એમના લલિત નિબંધો ‘બોલે ઝીણા મોર’ (૧૯૯૨), ‘શાલભંજિકા’ (૧૯૯૨), \r \t\t\t‘ચૈતર ચમકે ચાંદની’ (૧૯૯૬) માં તેમના સૌંદર્યપ્રણિત, સંવેદનશીલ વ્યક્તિત્વનો સ્પર્શ અનુભવાય છે.\t\t\r \t\t \r \t\t\tઅંગ્રેજી, જર્મન, હિંદી, મરાઠી, બંગાળી, ઓડિયા, અસમિયા વગેરે ભાષાસાહિત્યનો એમનો અભ્યાસ એમના વિવેચનને તુલનામૂલક બનાવે છે;  તો એમની રસજ્ઞતા અને સહૃદયતા તેને શુષ્ક થતું અટકાવીને આસ્વાદ્ય બનાવે છે.\r \t\t \r \t\t\tએમના પ્રથમ પુસ્તક ‘સુરદાસની કવિતા’ (૧૯૭૨) પછી ‘અધુના’ (૧૯૭૩), ‘ભારતીય ટૂંકીવાર્તા’ (૧૯૭૩), ‘પૂર્વાપર’ (૧૯૭૬), ‘કાલપુરુષ’ (૧૯૭૯), ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’ (૧૯૮૭) \r \t\t\t‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’ (૧૯૯૬), ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ (૧૯૯૭), ‘આવ ગિરા ગુજરાતી’ (૨૦૦૩) વગેરે વિવેચનગ્રંથો પ્રગટ થયા છે. ‘અધુના’ના પંદર લેખો પૈકી મોટા ભાગના લેખો સાહિત્યકૃતિ, \r \t\t\tકર્તા કે સાહિત્ય સ્વરૂપવિષયક છે; ‘પૂર્વાપર’ના ચોવીસ લેખોમાંના કેટલાક પરદેશી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિમાં ડોકિયું કરાવે છે; કેટલાક ઓડિયા - બંગાળી ભાષાના અગ્રણી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિનો પરિચય કરાવે છે; તો કેટલાક \r \t\t\tગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓ વિષેનો અભ્યાસ નિરૂપે છે. સંગ્રહના પ્રથમલેખ ‘ગીત એ અસ્તિત્વ’ માં જર્મન કવિ રાઈનેર મારિયા રિલ્કેની મહત્વપૂર્ણ કૃતિ (ઓર્ફિયસ પ્રતિ-સૉનેટ)ના એકાદ-બે મહત્વના પહેલુઓને વણી લેવાનો \r \t\t\tલેખકનો પ્રયત્ન છે. ‘ભારતીય ટૂંકીવાર્તા’ એમનું વિશિષ્ટ વિવેચનાત્મક પુસ્તક છે. ભારતની ચૌદ વિવિધ ભાષાઓમાં લખાયેલી ટૂંકીવાર્તાઓનો અહીં એમણે રસાસ્વાદ કરાવ્યો છે. એમનું વલણ અહીં પણ, અલબત્ત, તુલનાત્મક છે. \r \t\t\t‘મળી માતૃભાષા મને ગુજરાતી’ અને ‘આવ, ગિરા ગુજરાતી’માં ‘પરબ’ નિમિત્તે લખાયેલા સંપાદકીય-તંત્રીલેખોના ચયનો છે.  \r \t\t \r \t\t\tએમણે કરેલાં સંપાદનોમાં મુખ્યત્વે ‘અસમિયા-ગુજરાતી કવિતા’ (૧૯૮૧) તથા ‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો’ (૧૯૮૨) ‘તુલનાત્મક કાવ્યશાસ્ત્ર કેટલાંક પરિમાણ’ (૧૯૯૪, સંયુ.), ‘રવીન્દ્રસંચય’ (સંયુ.), \r \t\t\t‘વૃંદાવન મોરલી વાગે છે’ (૨૦૦૫, સંયુ.) ઉલ્લેખનીય છે. \r \t\t \r \t\t\tએમણે વિનાયક આઠવલેકૃત ‘વિષ્ણુ દિગમ્બર’ (૧૯૬૭), ગોપાલસિંગકૃત ‘ગુરુનાનક’ (૧૯૬૯), મહેશ્વર નેઓગકૃત ‘શંકરદેવ’ (૧૯૭૦), જીવનાનંદકૃત કાવ્યસંગ્રહ ‘વનલતાસેન’ (૧૯૭૬) અને ‘નગ્ન નિર્જન હાથ’\r \t\t\t(૨૦૦૫), સુનીલ ગંગોપાધ્યાયકૃત નવલકથા ‘સ્વર્ગની નીચે મનુષ્ય’ (૧૯૭૭), બુદ્ધદેવ બસુકૃત નાટક ‘તપસ્વી અને તરંગિણી’ (૧૯૮૨), સુકુમાર સેન લિખિત ‘બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (૧૯૮૨)\r \t\t\t રવીન્દ્રનાથા ઠાકુર કૃત નવલકથા ‘ચાર અધ્યાય’ (૧૯૮૮), સૈયદ અબ્દુલ મલિકની નવલકથા ‘સૂરજમુખીનું સ્વપ્ન’ (૧૯૯૪), ‘આધુનિક બંગાળી કવિતા’ (૨૦૦૪) વગેરે અનુવાદો આપ્યાં છે. આ ઉપરાંત એમણે રઘુવીર ચૌધરીના \r \t\t\t સહયોગમાં ઉમાશંકર જોષીના કાવ્યસંગ્રહો ‘પ્રાચીના’ (૧૯૬૮) અને ‘નિશીથ’ (૧૯૬૮) ના હિન્દી અનુવાદો કર્યાં છે; તો હિંદી કવિ સુમિત્રાનંદન પંતના કાવ્યસંગ્રહ ‘ચિદમ્બરા’ (૧૯૬૯) નો ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. \r \t\t\t નગીનદાસ પારેખ તથા અન્ય અનુવાદકોના સહયોગથી એમણે રવીન્દ્રનાથ ઠાકુરકૃત ‘ગીત પંચશતી’ (૧૯૭૮) ને ગુજરાતીમાં ઉતારી છે. એમના મોટા ભાગના અનુવાદો એકંદરે પ્રવાહી, સુરેખ અને આસ્વાદ્ય છે.\t\t\r \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ   \r \t\t\tવિદિશા (૧૯૮૦) : ભોળાભાઈ પટેલનો પ્રવાસનિબંધોનો સંગ્રહ. આ નિબંધોમાં લેખકના જણાવ્યા પ્રમાણે મુખ્ય સંવેદના ભ્રમણની છે. આ ભ્રમણ ક્યારેક એકાકી, ક્યારેક સમૂહમાં થયું છે. \r \t\t\t‘વિદિશા’, ‘ભૂવનેશ્વર’, ‘માંડું’, ‘ઈમ્ફાલ’, ‘જેસલમેર’, ‘ચિલિકા’, ‘બ્રહ્મા’, ‘ખજુરાહો’, ‘કાશી’, ‘રામેશ્વરમ્’- એમ કુલ દશ સ્થાનોના પ્રવાસો ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં દાખલ કર્યું છે.\r \t\t\t ગામથી વિદિશા અને વિદિશાથી ગામનું જે ચક્ર પૂરું થયું છે તેમાં લેખનની ભાવવ્યંજક્તા, સૂક્ષ્મતા અને રસિકતા ઊપસી આવે છે. એકંદરે પ્રવાસનાં સંવેદનોને લાલિત્યપૂર્ણ એકાત્મકતા આપવાનો પ્રયાસ છે.\r \t\t    આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"bholabhai-patela","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/bholabhai-patela","tags":null,"created":"2024-02-03T20:38:46.450018","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17231,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ભૂપતભાઈ વડોદરિયા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>વડોદરિયા ભૂપતભાઈ છોટાલાલ</u>\r\n\t\t(૧૯-૨-૧૯૨૯) : નવલકથાકાર, નિબંધકાર. જન્મ ધ્રાંગધ્રામાં. ૧૯૪૬માં બી.એસસી. ‘લોકશક્તિ’માં કામ કર્યા પછી ૧૯૫૫ થી ‘ફૂલછાબ’ના મુખ્ય તંત્રી. ‘સંદેશ’માં ન્યૂઝ ઍડિટર તરીકેની અને \r\n\t\t‘ગુજરાત સમાચાર’માં સહાયક તંત્રી તરીકેની કામગીરી. ૧૯૮૨ થી ૧૯૮૬ સુધી ગુજરાત સરકારમાં માહિતી નિયામક. સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યના એકવારના અધ્યક્ષ. ‘સમભાવ’ દૈનિકના તંત્રી.\r\n\t\t<br/><br/> \r\n       ‘પ્રેમ એક પૂજા’ (૧૯૭૯) જેવી અનેક નવલકથાઓ એમના નામે છે. ‘કસુંબીનો રંગ’ (૧૯૫૨), ‘જીવન જીવવાનું બળ’ (૧૯૫૫), ‘અંતરના રૂપ’ (૧૯૫૮) એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ‘ઘરે બાહિરે’- ભા. ૧-૫ \r\n\t\t(૧૯૫૮-૮૨)માં અને ‘આબાદીની આબોહવા’ (૧૯૮૭)માં એમના નિબંધો સંચિત થયા છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      વડોદરિયા ભૂપતભાઈ છોટાલાલ \r \t\t(૧૯-૨-૧૯૨૯) : નવલકથાકાર, નિબંધકાર. જન્મ ધ્રાંગધ્રામાં. ૧૯૪૬માં બી.એસસી. ‘લોકશક્તિ’માં કામ કર્યા પછી ૧૯૫૫ થી ‘ફૂલછાબ’ના મુખ્ય તંત્રી. ‘સંદેશ’માં ન્યૂઝ ઍડિટર તરીકેની અને \r \t\t‘ગુજરાત સમાચાર’માં સહાયક તંત્રી તરીકેની કામગીરી. ૧૯૮૨ થી ૧૯૮૬ સુધી ગુજરાત સરકારમાં માહિતી નિયામક. સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યના એકવારના અધ્યક્ષ. ‘સમભાવ’ દૈનિકના તંત્રી.\r \t\t  \r        ‘પ્રેમ એક પૂજા’ (૧૯૭૯) જેવી અનેક નવલકથાઓ એમના નામે છે. ‘કસુંબીનો રંગ’ (૧૯૫૨), ‘જીવન જીવવાનું બળ’ (૧૯૫૫), ‘અંતરના રૂપ’ (૧૯૫૮) એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ‘ઘરે બાહિરે’- ભા. ૧-૫ \r \t\t(૧૯૫૮-૮૨)માં અને ‘આબાદીની આબોહવા’ (૧૯૮૭)માં એમના નિબંધો સંચિત થયા છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"bhupatabhai-vadodariya","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/bhupatabhai-vadodariya","tags":null,"created":"2024-02-03T20:38:46.628977","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17232,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"  ભૂપેન્દ્ર ત્રિવેદી","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ </u>\t\n\t\t(૯-૯-૧૯૧૩) : વિવેચક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૬માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૭થી ૧૯૭૨ દરમ્યાન ઈસ્માઈલ કૉલેજ, મુંબઈ, \n\t\tઍલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને ગુજરાત કૉલેજ, અમદાવાદમાં જુદે જુદે સમયે અધ્યાપન. થોડો વખત ‘શ્રી ફોર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ ના સંપાદક.\n\t\t<br/><br/>\n\t\tપરિચયપુસ્તિકા ‘અખાની કવિતા’ (૧૯૬૯) તેમ જ ‘અખો’ (ગુજરાતી ગ્રંથકાર શ્રેણી, ૧૯૭૮) અને ‘અખો’ (સાહિત્ય અકાદમી, ૧૯૮૨) એમનાં મુખ્ય પ્રદાન છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે કરેલાં સંપાદનોમાં ‘અખેગીતા’ (૧૯૫૮), ‘લીલાવતી જીવનકલા’ (૧૯૬૧), ‘નંદશંકર જીવનચરિત્ર’ (૧૯૬૧), ‘મીરાંના પદો’ (૧૯૬૨), ‘મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો અને જીવન કવન’ (૧૯૬૯), ‘શિવદાસકૃત કામાવતી’ (૧૯૭૨), \n\t\t‘અખા ભગતના છપ્પા-દશ અંગ’ (૧૯૭૨) વગેરેનો સમાવેશ થાય છે; તો સહસંપાદનોમાં ‘નરસિંહકૃત જ્ઞાનગીતા’ (૧૯૬૪), ‘અખાકૃત અનુભવબિન્દુ’ (૧૯૬૪), ‘પૃથ્વીચન્દ્રચરિત’ (૧૯૬૬), ‘માધવાનલ કામકંદલા પ્રબંધ’- અંગ ૬ (૧૯૭૫), \n\t\t‘અખા ભગતના છપ્પા’- ભા.૧, ૨, ૩ (૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૨), ‘અખા ભગતનાં ગુજરાતી પદ’ (૧૯૮૦) વગેરે ઉલ્લેખપાત્ર છે. એમણે ‘પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશ’ (૧૯૫૪), ‘ભરતમુનિનાટ્યશાસ્ત્ર’- અધ્યાય ૧ થી ૭ (૧૯૬૭) જેવા \n\t\tઅનુવાદગ્રંથો પણ આપ્યા છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ  \t \t\t(૯-૯-૧૯૧૩) : વિવેચક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૬માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૭થી ૧૯૭૨ દરમ્યાન ઈસ્માઈલ કૉલેજ, મુંબઈ,  \t\tઍલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને ગુજરાત કૉલેજ, અમદાવાદમાં જુદે જુદે સમયે અધ્યાપન. થોડો વખત ‘શ્રી ફોર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ ના સંપાદક. \t\t  \t\tપરિચયપુસ્તિકા ‘અખાની કવિતા’ (૧૯૬૯) તેમ જ ‘અખો’ (ગુજરાતી ગ્રંથકાર શ્રેણી, ૧૯૭૮) અને ‘અખો’ (સાહિત્ય અકાદમી, ૧૯૮૨) એમનાં મુખ્ય પ્રદાન છે. \t\t  \t\tએમણે કરેલાં સંપાદનોમાં ‘અખેગીતા’ (૧૯૫૮), ‘લીલાવતી જીવનકલા’ (૧૯૬૧), ‘નંદશંકર જીવનચરિત્ર’ (૧૯૬૧), ‘મીરાંના પદો’ (૧૯૬૨), ‘મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો અને જીવન કવન’ (૧૯૬૯), ‘શિવદાસકૃત કામાવતી’ (૧૯૭૨),  \t\t‘અખા ભગતના છપ્પા-દશ અંગ’ (૧૯૭૨) વગેરેનો સમાવેશ થાય છે; તો સહસંપાદનોમાં ‘નરસિંહકૃત જ્ઞાનગીતા’ (૧૯૬૪), ‘અખાકૃત અનુભવબિન્દુ’ (૧૯૬૪), ‘પૃથ્વીચન્દ્રચરિત’ (૧૯૬૬), ‘માધવાનલ કામકંદલા પ્રબંધ’- અંગ ૬ (૧૯૭૫),  \t\t‘અખા ભગતના છપ્પા’- ભા.૧, ૨, ૩ (૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૨), ‘અખા ભગતનાં ગુજરાતી પદ’ (૧૯૮૦) વગેરે ઉલ્લેખપાત્ર છે. એમણે ‘પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશ’ (૧૯૫૪), ‘ભરતમુનિનાટ્યશાસ્ત્ર’- અધ્યાય ૧ થી ૭ (૧૯૬૭) જેવા  \t\tઅનુવાદગ્રંથો પણ આપ્યા છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"bhupendra-trivedi","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/bhupendra-trivedi","tags":null,"created":"2024-02-03T20:38:46.825951","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17233,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ભૂપેશ અધ્વર્યુ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ </u>\n\t\t(૫-૫-૧૯૫૦, ૨૧-૫-૧૯૮૨) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વલસાડ તાલુકાના ચીખલીમાં. ૧૯૬૬માં એસ.એસ.સી.; ૧૯૭૦માં બીલીમોરાની કૉલેજમાંથી ગુજરાતી સાથે બી.એ.; ૧૯૭૨માં એ જ \n\t\tવિષય સાથે એમ.એ. ૧૯૭૨-૭૩ પાલનપુરમાં, ૧૯૭૩-૭૪ બાલાસિનોરમાં, ૧૯૭૪-૭૭ મોડાસામાં અધ્યાપન. પરંતુ વ્યવસાયની નિરર્થકતા જણાતાં અધ્યાપન છોડ્યું અને સ્વતંત્ર સાહિત્યલેખન સ્વીકાર્યું. છેલ્લે કલા અને \n\t\tસાહિત્યની સાર્થકતા અંગે પણ સાશંક. ગણદેવીની નદીમાં ડૂબી જવાથી અવસાન.\n\t\t<br/><br/>\n\t\t‘હનુમાન લવ કુશ મિલન’ (૧૯૮૨) રમણ સોની, જયદે શુકલ અને ધીરેશ અધ્વર્યુ દ્વારા સંપાદિત મરણોત્તર વાર્તાસંગ્રહ છે. અહીં ૧૬ વાર્તાઓમાં ભાષાના વિવિધ સ્તરેથી જન્મતાં સંવેદનો તેમ જ સંદિગ્ધતાઓના આલેખ છે. \n\t\tદ્રશ્યાંકન અને મનોસ્થિતિનો દ્યોતક આલેખ સવિશેષ ધ્યાન ખેંચે છે. ‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬) મરણોત્તર કાવ્યસંગ્રહ છે. એમાં અર્થના વિષમ વ્યાપારો અને વિચિત્ર અધ્યાહારો આપતી એમની કવિતાની ઓળખ નાદથી જ થઈ \n\t\tશકે એવું બધી રચનાઓનું ક્લેવર છે. છતાં આ રચનાઓ નાદ આગળ નથી અટકતી; પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંતર્મુખતા અને પ્રતિબદ્ધતા સાથે પરાવૃત્ત થતી કવિતાની બહિર્મુખતા વચ્ચે અહીં રચનાઓએ \n\t\tરસ્તો કર્યો છે. ‘પ્રથમ સ્નાન’ કે ‘બૂટકાવ્યો’ જેવી વિલક્ષણ કૃતિઓ અત્યંત નોંધપાત્ર છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ   \t\t(૫-૫-૧૯૫૦, ૨૧-૫-૧૯૮૨) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વલસાડ તાલુકાના ચીખલીમાં. ૧૯૬૬માં એસ.એસ.સી.; ૧૯૭૦માં બીલીમોરાની કૉલેજમાંથી ગુજરાતી સાથે બી.એ.; ૧૯૭૨માં એ જ  \t\tવિષય સાથે એમ.એ. ૧૯૭૨-૭૩ પાલનપુરમાં, ૧૯૭૩-૭૪ બાલાસિનોરમાં, ૧૯૭૪-૭૭ મોડાસામાં અધ્યાપન. પરંતુ વ્યવસાયની નિરર્થકતા જણાતાં અધ્યાપન છોડ્યું અને સ્વતંત્ર સાહિત્યલેખન સ્વીકાર્યું. છેલ્લે કલા અને  \t\tસાહિત્યની સાર્થકતા અંગે પણ સાશંક. ગણદેવીની નદીમાં ડૂબી જવાથી અવસાન. \t\t  \t\t‘હનુમાન લવ કુશ મિલન’ (૧૯૮૨) રમણ સોની, જયદે શુકલ અને ધીરેશ અધ્વર્યુ દ્વારા સંપાદિત મરણોત્તર વાર્તાસંગ્રહ છે. અહીં ૧૬ વાર્તાઓમાં ભાષાના વિવિધ સ્તરેથી જન્મતાં સંવેદનો તેમ જ સંદિગ્ધતાઓના આલેખ છે.  \t\tદ્રશ્યાંકન અને મનોસ્થિતિનો દ્યોતક આલેખ સવિશેષ ધ્યાન ખેંચે છે. ‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬) મરણોત્તર કાવ્યસંગ્રહ છે. એમાં અર્થના વિષમ વ્યાપારો અને વિચિત્ર અધ્યાહારો આપતી એમની કવિતાની ઓળખ નાદથી જ થઈ  \t\tશકે એવું બધી રચનાઓનું ક્લેવર છે. છતાં આ રચનાઓ નાદ આગળ નથી અટકતી; પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંતર્મુખતા અને પ્રતિબદ્ધતા સાથે પરાવૃત્ત થતી કવિતાની બહિર્મુખતા વચ્ચે અહીં રચનાઓએ  \t\tરસ્તો કર્યો છે. ‘પ્રથમ સ્નાન’ કે ‘બૂટકાવ્યો’ જેવી વિલક્ષણ કૃતિઓ અત્યંત નોંધપાત્ર છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"bhupesa-adhvaryu","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/bhupesa-adhvaryu","tags":null,"created":"2024-02-03T20:38:47.004759","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17234,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" બિપિન આશર ","bio":"<td>\n<br/><br/>\n<u>આશર બિપિન વલ્લભદાસ</u>\r\n\t\t(૧૫-૬-૧૯૫૮) : પ્રોફેસર. ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ એમ.એ., પીએચ.ડી.\r\n\t\t<br/><br/> \r\n\t\tશ્રી ગુરુજી : વ્યક્તિત્વ અને કૃતિત્વ, ૨૦૦૫; નિબંધ : અને એવું બધું, ૨૦૦૧; વાર્તાસંગ્રહ : ડાયવર્ઝન, ૨૦૦૧; વિવેચન : મધુ રાય : વિદગ્ધ આધુનિક કથાસર્જક, ૧૯૯૭; ચંદ્રકાન્ત બક્ષીનું નવલકથાવિશ્વ, ૧૯૯૮; \r\n\t\tમાઈલસ્ટોન, ૧૯૯૯; અતીત અને સામ્પ્રત, ૨૦૦૦; અતિક્રમણ, ૨૦૦૧; કાવ્યગત, ૨૦૦૩; અભ્યાસ અને આલોચના, ૨૦૦૩; ભારતીય કવિતાનું રમણીય શૃંગ : ‘શ્રીરાધા’, ૨૦૦૪; કાવ્યસાત્, ૨૦૦૪; અભ્યસ્ત, ૨૦૦૫; \r\n\t\tવાસ્તવવાદ અને...., ૨૦૦૬; સર્જક અને કૃતિ, ૨૦૦૬; ગુજરાતીમાં અંગવિષયક રૂઢિપ્રયોગો, ૨૦૦૭; કાવ્યસત્ ૨૦૦૮; કથાન્તર્ગત, ૨૦૦૮; સ્વાધ્યાય, ૨૦૦૮; સંશોધન : આધુનિકતા : એક સંકુલ સમ્પ્રત્ય, ૨૦૦૭; સંપાદન \r\n\t\t:૨૦૦૭ ગઝલ મંથન, ૨૦૦૬\r\n\t\t<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"    આશર બિપિન વલ્લભદાસ \r \t\t(૧૫-૬-૧૯૫૮) : પ્રોફેસર. ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ એમ.એ., પીએચ.ડી.\r \t\t  \r \t\tશ્રી ગુરુજી : વ્યક્તિત્વ અને કૃતિત્વ, ૨૦૦૫; નિબંધ : અને એવું બધું, ૨૦૦૧; વાર્તાસંગ્રહ : ડાયવર્ઝન, ૨૦૦૧; વિવેચન : મધુ રાય : વિદગ્ધ આધુનિક કથાસર્જક, ૧૯૯૭; ચંદ્રકાન્ત બક્ષીનું નવલકથાવિશ્વ, ૧૯૯૮; \r \t\tમાઈલસ્ટોન, ૧૯૯૯; અતીત અને સામ્પ્રત, ૨૦૦૦; અતિક્રમણ, ૨૦૦૧; કાવ્યગત, ૨૦૦૩; અભ્યાસ અને આલોચના, ૨૦૦૩; ભારતીય કવિતાનું રમણીય શૃંગ : ‘શ્રીરાધા’, ૨૦૦૪; કાવ્યસાત્, ૨૦૦૪; અભ્યસ્ત, ૨૦૦૫; \r \t\tવાસ્તવવાદ અને...., ૨૦૦૬; સર્જક અને કૃતિ, ૨૦૦૬; ગુજરાતીમાં અંગવિષયક રૂઢિપ્રયોગો, ૨૦૦૭; કાવ્યસત્ ૨૦૦૮; કથાન્તર્ગત, ૨૦૦૮; સ્વાધ્યાય, ૨૦૦૮; સંશોધન : આધુનિકતા : એક સંકુલ સમ્પ્રત્ય, ૨૦૦૭; સંપાદન \r \t\t:૨૦૦૭ ગઝલ મંથન, ૨૦૦૬\r \t\t   આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"bipina-asara","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/bipina-asara","tags":null,"created":"2024-02-03T20:38:47.229872","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17235,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ચંદ્રવદન મહેતા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મહેતા ચંદ્રવદન ચીમનલાલ, ‘ચં. ચી. મહેતા’  </u>\n\t\t(૬-૪-૧૯૦૧) : કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૪ માં મુંબઈ \n\t\tઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક. નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના \n\t\tનાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસપ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. આજે નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ. \n\t\t૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨-૪૬ નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.\n\t\t<br/><br/> \n\t\tમંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષથી સ્વીકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ-એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.\n\t\t<br/><br/> \n\t\tરંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખ્તાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે ને એમાં વૈવિધ્ય પણ છે. ટ્રેજેડી, કૉમેડી, ફારસ, ભાંડભવાઈ ઉપરાંત ઐતિહાસિક, સામાજિક, પૌરાણિક તેમ જ જીવનચરિત્રવિષયક સામગ્રીનો એમણે \n\t\tઉપયોગ કર્યો છે. નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે. એમણે ઓગણત્રીસ જેટલા નાટ્યગ્રંથો આપ્યા છે : ‘અખો’ (૧૯૨૭), ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭), ‘અખો વરવહુ અને બીજાં \n\t\tનાટકો’ (૧૯૩૩), ‘આગગાડી’ (૧૯૩૩), ‘રમકડાંની દુકાન’ (૧૯૩૪) ‘નર્મદ’ (૧૯૩૭), ‘નાગાબાવા’ (૧૯૩૭), ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭), ‘સીતા’ (૧૯૪૩), ‘શિખરિણી’ (૧૯૪૬), ‘પાંજરાપોળ’ (૧૯૪૭), ‘મેના પોપટ અથવા \n\t\tહાથીઘોડા’ (૧૯૫૧), ‘રંગભંડાર’ (૧૯૫૩), ‘સોનાવાટકડી’ (૧૯૫૫), ‘માઝમરાત’ (૧૯૫૫), ‘મદીરા’ (મિડિયા) (૧૯૫૫), ‘કિશોર નાટકો’- ભા. 1-2 (૧૯૫૬), ‘હોહોલિકા’ (૧૯૫૭), ‘કપૂરનો દીવો’ (૧૯૬૦), ‘પરમ માહેશ્વર’ (૧૯૬૦), ‘સતી’ \n\t\t(૧૯૬૦), ‘કરોળિયાનું જાળું’ (૧૯૬૧), ‘શકુંતલા અથવા કન્યાવિદાય’ (૧૯૬૬), ‘ધરાગુર્જરી’ (૧૯૬૮), ‘અંદર અંદર’ (૧૯૬૯), ‘અબોલા રાણી’ (૧૯૭૨), ‘સંતાકૂકડી’ (૧૯૭૨), ‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૪), ‘અંતર-બહિર \n\t\tઅને બીજાં નાટકો’ (૧૯૭૫).\n\t\t<br/><br/> \n\t\tએમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકોરના કાવ્યાદર્શનો સ્વીકાર અને બીજી બાજુ ભગિનીપ્રેમના છદ્મ ભાવાવેગની સંદિગ્ધતાનો પુરસ્કાર છે. ‘યમલ’ (૧૯૨૬)માં ચૌદ સૉનેટોનો સંચય છે. ‘ઇલાકાવ્યો’ (૧૯૩૩)માં ‘યમલ’નું પુનમુર્દ્રણ \n\t\tઅને ‘કંચનજંઘા’ની સૉનેટમાલા સમેત કુલ પાંત્રીસ સૉનેટ છે. ‘ચાંદરણાં’ (૧૯૩૫) બાલગીતસંગ્રહ છે તો ‘રતન’ (૧૯૩૭) સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંક્તિનું કથાકાવ્ય છે. આ કાવ્યમાં બહેન રતનનો ત્યાગ અને એનું મૃત્યુ નિરૂપાયાં છે. \n\t\t‘રૂડો રબારી’ (૧૯૪૦) કથાકાવ્ય પછી ‘ચડો રે શિખર રાજા રામનાં’ (૧૯૭૫)માં એમનાં વીસ જેટલાં પ્રતિનિધિકાવ્યો છે, જેમાં ‘ઓ ન્યૂયોર્ક’, ‘કોલોક્વિલ ગુજરાતીમાં કવિતા’ જેવી રચનાઓ વિશિષ્ટ છે.\n\t\t<br/><br/> \n\t\t‘ખમ્મા બાપુ’ (૧૯૫૦) અને ‘વાતચકરાવો’ (૧૯૬૭) કથાસંગ્રહો છે;  તો ‘મંગલમયી’ (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે. એમણે ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે.\n\t\t<br/><br/> \n\t\tનાટ્યકાર પછી આ લેખકનું સૌથી બળુકું અંગ ગદ્યકારનું છે. પ્રશિષ્ટ છટાઓ ને તળપદા સ્તરોથી પ્રગટતી ભાવભંગીઓ સાથે વ્યક્તિત્વનો પ્રબળ અંશ સામિલ કરી જીવંત પુદગલ રચતું એમનું ગદ્ય એણની આત્મકથાઓમાં ને પ્રવાસકથાઓમાં \n\t\tજોઈ શકાય છે. એમની વિવિધ ‘ગઠરિયાં’ વિવિધ વિષયસંદર્ભે છૂટેલી વિશેષ ભાષાગઠરિયાં છે : ‘બાંધ ગઠરિયાં’- ભા. ૧-૨ (૧૯૫૪), ‘છોડ ગઠરિયાં’ (૧૯૫૬), ‘સફર ગઠરિયાં’ (૧૯૫૬), ‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે’ (૧૯૬૨), ‘રંગ \n\t\tગઠરિયાં’ (૧૯૬૫), ‘રૂપ ગઠરિયાં’ (૧૯૬૫), ‘નાટ્ય ગઠરિયાં’ (૧૯૭૧), ‘અંતર ગઠરિયાં’- ભા.૧-૨ (૧૯૭૩), ‘ધ્રુવ ગઠરિયાં’ (૧૯૭૬) અને ‘ગાંઠ બંધનિયાં’ (૧૯૭૬).\n\t\t<br/><br/> \n\t\tએમણે નાટ્યમર્મજ્ઞ તરીકે જે કેટલુંક નિરીક્ષણ કર્યું છે એમાં થિયેટરથી માંડી નાટકની ભજવણી સુધીની વિચારણા સાથે વિદેશોની નાટ્યસૃષ્ટિનો અનુભવ ભળેલો છે. એમના નાટ્યવિષયક વિવેચનના ગ્રંથોની સંખ્યા અગિયાર જેટલી છે : \n\t\t‘કવિ શ્રી નાનાલાલનાં નાટકો અને અકબરશાહની રંગભૂમિ પર રજૂઆત’ (૧૯૫૯), ‘નાટક ભજવતાં’ (૧૯૬૨), ‘લિરિક’ (૧૯૬૨), ‘લિરિક અને લગરિક’ (૧૯૬૫), ‘નાટ્યરંગ’ (૧૯૭૩), ‘અમેરિકન થિયેટર’ (૧૯૭૪), ‘યુરોપના દેશોની \n\t\tનાટ્યસૃષ્ટિ’ (૧૯૭૪), ‘જાપાનનું થિયેટર’ (૧૯૭૫), ‘વાક્’ (૧૯૭૫), ‘એકાંકી : ક્યારે ક્યાં અને કેવાં ઉપરાંત બીજા નાટ્યવિષયક લેખો’ (૧૯૭૫). એમનું અંગ્રેજી પુસ્તક ‘બિબ્લિઓગ્રાફી ઑવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેઝિસ’- ભા. ૧,૨ \n\t\t(૧૯૬૪, ૧૯૬૫) નાટ્યસંશોધનનો ગ્રંથ છે. આ ગ્રંથ દ્વારા યુરોપના નાટ્યક્ષેત્રે એમની પ્રસિદ્ધિ થઈ. એમાં ૧૯મી અને ૨૦મી સદીમાં ભારતમાં ભજવાયેલાં-લખાયેલાં નાટકોની સાલ, કર્તા, પાત્રવાર યાદી એમણે દશ વર્ષની મહેનતથી તૈયાર કરેલી છે.\n\t\t<br/><br/> \n\t\tએમના બીજા પ્રકીર્ણગ્રંથોમાં ‘રેડિયો રૂપકો’, ‘પ્રેમનો તંત’, ‘નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈના જીવન પર બાર રૂપકો’ વગેરેનો સમાવેશ થાય છે.\n\t\t<p align=\"right\">- ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tઆગગાડી : ચંદ્રવદન મહેતાનું કરુણાન્ત નાટક. એમાં રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની શાસકમિજાજી ગોરા સાહેબોના અત્યાચારથી થતી અવદશા, ક્યાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત \n\t\tસંદર્ભમાં નાટ્યોચિત નિરૂપણને કારણે નિર્વાહ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગસંદર્ભાનુકૂલ છે, છતાં બદલાયેલા સમયસંદર્ભમાં પણ કૃતિ પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના \n\t\tકરુણાત્મક-કરુણાન્ત નિરૂપણ ઉપરાંત વિશેષતઃ તો તેની ગુજરાતી નાટ્યક્ષેત્રે તત્કાલપર્યન્ત અપરિમિત એવી નવતર નાટ્યશૈલી અને તખ્તાપરકતાને કારણે. આ નાટક, આ રીતે, ગુજરાતી નાટક તેમ જ રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ \n\t\tમહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નાટક’થી ગુજરાતી નાટક અને રંગભૂમિને પરંપરાગત ખ્યાલો અને રીતિપદ્ધતિથી મુક્ત કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી આપ્યાં છે.\n\t\t<p align=\"right\">- વિનોદ અધ્વર્યુ</p>\n<br/><br/> \n\t\tઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩) : ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા \n\t\tઅને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો કાવ્યગત \n\t\tભાવને તાદ્દશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે.\n\t\t<p align=\"right\">- નિરંજન વોરા</p>\n<br/><br/> \n\t\tબાંધ ગઠરિયાં – ભા. ૧-૨ (૧૯૫૪) : ચન્દ્રવદન મહેતાની વિસ્તરેલી આત્મકથાનો એક ખંડ. પહેલા ભાગમાં વડોદરા અને સુરતમાં વીતેલા સદીની શરૂઆતના બે દાયકા અને બીજા ભાગમાં મુંબઈમાં વીતેલો ત્રીજો દાયકો નિરૂપાયા છે. \n\t\tખાસ તો રેલવેજીવન, કૉલેજજીવન અને સ્નેહજીવનને આવરી લેતાં વર્ણનો બોલચાલની લઢણવાળા જીવંત ગદ્યથી પ્રાણવાન બન્યાં છે. લખાણમાં બને ત્યાં સુધી અન્ય વ્યક્તિઓની એમના પર પડેલી છાપ ઉપસાવવાનો એમનો આશય \n\t\tસ્પષ્ટ રહ્યો છે. આપવડાઈ ને જાતડંફાસના ભયની લેખકને જાણકારી હોવાથી નાટ્યાત્મક હળવાશનો એમણે વારંવાર આશ્રય લીધો છે.\n\t\t<p align=\"right\">- ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tનાટ્ય ગઠરિયા  (૧૯૭૦) : ચંદ્રવદન ચી. મહેતાનો પ્રવાસગ્રંથ. આત્મકથાત્મક અને પ્રવાસના અંશોવાળી લેખકની ગઠરિયા ગ્રંથશ્રેણીના આ ગ્રંથમાં મુખ્યત્વે સ્પેન, ઑસ્ટ્રિયા, ઈટલી, પોલૅન્ડ અને જર્મની જેવા દેશોમાં ચાલતી કળાપ્રવૃત્તિ \n\t\tઅને વિશેષ તો નાટ્યપ્રવૃત્તિનો આલેખ મળે છે. વચ્ચેવચ્ચે, સ્પેનમાં પ્રચલિત આખલા-યુ્દ્ધ કે જર્મનીમાં હિટલરે તૈયાર કરેલા કૉન્સસ્ટ્રેશન કેમ્પ વિશેની માહિતી પણ અલબત્ત મળે છે;  પરંતુ લેખકનું લક્ષ્ય તો ત્યાંનાં નટ, નાટક, નાટ્યકાર \n\t\tઅને નાટ્યગૃહો વિશેની વાતો કરવાનું છે. એટલે વીએનાનાં ઑપેરા હાઉસ, બર્ગ થિયેટર ને ત્યાંનાં સંગીતકારો; મિલાનનું લા સ્કાલા ઑપેરા હાઉસ; પોલૅન્ડની નાટ્યશાળાઓ ને ત્યાંનો ખ્યાતનામ કલાકાર તેમ જ દિગ્દર્શક લીઓ શીલર;  \n\t\tફ્રાંસના નાનકડા ગામ નૉંસીની નાટ્યશાળા ને ત્યાં થતી નાટ્યહરિફાઈઓ; ઈસ્ટ બર્લિનની બ્રેખ્ત નાટકશાળા, ત્યાંના એક ઑપેરા હાઉસનો ખ્યાતનામ નટ વૉલ્ટર ફેલસેનસ્ટાઈન; પેર્ટન દંપતી; લાઈપઝિકનું ભવ્ય ઑપેરા હાઉસ ઇત્યાદિ \n\t\tવિશેની વિગતો ઉમળકાભરી શૈલીમાં નિરૂપાઈ છે. યુરોપીય પ્રજાના કળાપ્રેમની, તેમની વ્યવસ્થાશક્તિની લેખક અહીં મુક્તકંઠે પ્રશંસા કરે છે, તો ગુજરાતીમાં જોવા મળતી કળાવિમુખતાથી તેઓ ઉદાસ બને છે. સમગ્ર પ્રવાસ દરમિયાન \n\t\tપોતાના સંપર્કમાં આવેલાં અનેક વિદેશી અને વિદેશમાં રહેતાં ભારતીયોનાં જે ટૂંકાં રેખાચિત્રો એમણે આપ્યાં છે તેનાથી અને લેખકનાં અંગત સંવેદનોના ધબકારાથી આખોય ગ્રંથ પ્રચુર વિગતોની વચ્ચે પણ રસાવહ બન્યો છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      મહેતા ચંદ્રવદન ચીમનલાલ, ‘ચં. ચી. મહેતા’    \t\t(૬-૪-૧૯૦૧) : કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૪ માં મુંબઈ  \t\tઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક. નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના  \t\tનાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસપ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. આજે નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ.  \t\t૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨-૪૬ નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. \t\t   \t\tમંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષથી સ્વીકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ-એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે. \t\t   \t\tરંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખ્તાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે ને એમાં વૈવિધ્ય પણ છે. ટ્રેજેડી, કૉમેડી, ફારસ, ભાંડભવાઈ ઉપરાંત ઐતિહાસિક, સામાજિક, પૌરાણિક તેમ જ જીવનચરિત્રવિષયક સામગ્રીનો એમણે  \t\tઉપયોગ કર્યો છે. નાટકકાર તરીકેની એમની સિદ્ધિ હાસ્યરસમાં છે અને હાસ્યરસમાં પણ એમને અટ્ટહાસ વિશેષ ફાવે છે. એમણે ઓગણત્રીસ જેટલા નાટ્યગ્રંથો આપ્યા છે : ‘અખો’ (૧૯૨૭), ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭), ‘અખો વરવહુ અને બીજાં  \t\tનાટકો’ (૧૯૩૩), ‘આગગાડી’ (૧૯૩૩), ‘રમકડાંની દુકાન’ (૧૯૩૪) ‘નર્મદ’ (૧૯૩૭), ‘નાગાબાવા’ (૧૯૩૭), ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭), ‘સીતા’ (૧૯૪૩), ‘શિખરિણી’ (૧૯૪૬), ‘પાંજરાપોળ’ (૧૯૪૭), ‘મેના પોપટ અથવા  \t\tહાથીઘોડા’ (૧૯૫૧), ‘રંગભંડાર’ (૧૯૫૩), ‘સોનાવાટકડી’ (૧૯૫૫), ‘માઝમરાત’ (૧૯૫૫), ‘મદીરા’ (મિડિયા) (૧૯૫૫), ‘કિશોર નાટકો’- ભા. 1-2 (૧૯૫૬), ‘હોહોલિકા’ (૧૯૫૭), ‘કપૂરનો દીવો’ (૧૯૬૦), ‘પરમ માહેશ્વર’ (૧૯૬૦), ‘સતી’  \t\t(૧૯૬૦), ‘કરોળિયાનું જાળું’ (૧૯૬૧), ‘શકુંતલા અથવા કન્યાવિદાય’ (૧૯૬૬), ‘ધરાગુર્જરી’ (૧૯૬૮), ‘અંદર અંદર’ (૧૯૬૯), ‘અબોલા રાણી’ (૧૯૭૨), ‘સંતાકૂકડી’ (૧૯૭૨), ‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૪), ‘અંતર-બહિર  \t\tઅને બીજાં નાટકો’ (૧૯૭૫). \t\t   \t\tએમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકોરના કાવ્યાદર્શનો સ્વીકાર અને બીજી બાજુ ભગિનીપ્રેમના છદ્મ ભાવાવેગની સંદિગ્ધતાનો પુરસ્કાર છે. ‘યમલ’ (૧૯૨૬)માં ચૌદ સૉનેટોનો સંચય છે. ‘ઇલાકાવ્યો’ (૧૯૩૩)માં ‘યમલ’નું પુનમુર્દ્રણ  \t\tઅને ‘કંચનજંઘા’ની સૉનેટમાલા સમેત કુલ પાંત્રીસ સૉનેટ છે. ‘ચાંદરણાં’ (૧૯૩૫) બાલગીતસંગ્રહ છે તો ‘રતન’ (૧૯૩૭) સળંગ પૃથ્વી છંદમાં ૧,૬૩૬ પંક્તિનું કથાકાવ્ય છે. આ કાવ્યમાં બહેન રતનનો ત્યાગ અને એનું મૃત્યુ નિરૂપાયાં છે.  \t\t‘રૂડો રબારી’ (૧૯૪૦) કથાકાવ્ય પછી ‘ચડો રે શિખર રાજા રામનાં’ (૧૯૭૫)માં એમનાં વીસ જેટલાં પ્રતિનિધિકાવ્યો છે, જેમાં ‘ઓ ન્યૂયોર્ક’, ‘કોલોક્વિલ ગુજરાતીમાં કવિતા’ જેવી રચનાઓ વિશિષ્ટ છે. \t\t   \t\t‘ખમ્મા બાપુ’ (૧૯૫૦) અને ‘વાતચકરાવો’ (૧૯૬૭) કથાસંગ્રહો છે;  તો ‘મંગલમયી’ (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે. એમણે ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે. \t\t   \t\tનાટ્યકાર પછી આ લેખકનું સૌથી બળુકું અંગ ગદ્યકારનું છે. પ્રશિષ્ટ છટાઓ ને તળપદા સ્તરોથી પ્રગટતી ભાવભંગીઓ સાથે વ્યક્તિત્વનો પ્રબળ અંશ સામિલ કરી જીવંત પુદગલ રચતું એમનું ગદ્ય એણની આત્મકથાઓમાં ને પ્રવાસકથાઓમાં  \t\tજોઈ શકાય છે. એમની વિવિધ ‘ગઠરિયાં’ વિવિધ વિષયસંદર્ભે છૂટેલી વિશેષ ભાષાગઠરિયાં છે : ‘બાંધ ગઠરિયાં’- ભા. ૧-૨ (૧૯૫૪), ‘છોડ ગઠરિયાં’ (૧૯૫૬), ‘સફર ગઠરિયાં’ (૧૯૫૬), ‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે’ (૧૯૬૨), ‘રંગ  \t\tગઠરિયાં’ (૧૯૬૫), ‘રૂપ ગઠરિયાં’ (૧૯૬૫), ‘નાટ્ય ગઠરિયાં’ (૧૯૭૧), ‘અંતર ગઠરિયાં’- ભા.૧-૨ (૧૯૭૩), ‘ધ્રુવ ગઠરિયાં’ (૧૯૭૬) અને ‘ગાંઠ બંધનિયાં’ (૧૯૭૬). \t\t   \t\tએમણે નાટ્યમર્મજ્ઞ તરીકે જે કેટલુંક નિરીક્ષણ કર્યું છે એમાં થિયેટરથી માંડી નાટકની ભજવણી સુધીની વિચારણા સાથે વિદેશોની નાટ્યસૃષ્ટિનો અનુભવ ભળેલો છે. એમના નાટ્યવિષયક વિવેચનના ગ્રંથોની સંખ્યા અગિયાર જેટલી છે :  \t\t‘કવિ શ્રી નાનાલાલનાં નાટકો અને અકબરશાહની રંગભૂમિ પર રજૂઆત’ (૧૯૫૯), ‘નાટક ભજવતાં’ (૧૯૬૨), ‘લિરિક’ (૧૯૬૨), ‘લિરિક અને લગરિક’ (૧૯૬૫), ‘નાટ્યરંગ’ (૧૯૭૩), ‘અમેરિકન થિયેટર’ (૧૯૭૪), ‘યુરોપના દેશોની  \t\tનાટ્યસૃષ્ટિ’ (૧૯૭૪), ‘જાપાનનું થિયેટર’ (૧૯૭૫), ‘વાક્’ (૧૯૭૫), ‘એકાંકી : ક્યારે ક્યાં અને કેવાં ઉપરાંત બીજા નાટ્યવિષયક લેખો’ (૧૯૭૫). એમનું અંગ્રેજી પુસ્તક ‘બિબ્લિઓગ્રાફી ઑવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેઝિસ’- ભા. ૧,૨  \t\t(૧૯૬૪, ૧૯૬૫) નાટ્યસંશોધનનો ગ્રંથ છે. આ ગ્રંથ દ્વારા યુરોપના નાટ્યક્ષેત્રે એમની પ્રસિદ્ધિ થઈ. એમાં ૧૯મી અને ૨૦મી સદીમાં ભારતમાં ભજવાયેલાં-લખાયેલાં નાટકોની સાલ, કર્તા, પાત્રવાર યાદી એમણે દશ વર્ષની મહેનતથી તૈયાર કરેલી છે. \t\t   \t\tએમના બીજા પ્રકીર્ણગ્રંથોમાં ‘રેડિયો રૂપકો’, ‘પ્રેમનો તંત’, ‘નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈના જીવન પર બાર રૂપકો’ વગેરેનો સમાવેશ થાય છે. \t\t - ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tઆગગાડી : ચંદ્રવદન મહેતાનું કરુણાન્ત નાટક. એમાં રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની શાસકમિજાજી ગોરા સાહેબોના અત્યાચારથી થતી અવદશા, ક્યાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત  \t\tસંદર્ભમાં નાટ્યોચિત નિરૂપણને કારણે નિર્વાહ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગસંદર્ભાનુકૂલ છે, છતાં બદલાયેલા સમયસંદર્ભમાં પણ કૃતિ પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના  \t\tકરુણાત્મક-કરુણાન્ત નિરૂપણ ઉપરાંત વિશેષતઃ તો તેની ગુજરાતી નાટ્યક્ષેત્રે તત્કાલપર્યન્ત અપરિમિત એવી નવતર નાટ્યશૈલી અને તખ્તાપરકતાને કારણે. આ નાટક, આ રીતે, ગુજરાતી નાટક તેમ જ રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ  \t\tમહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નાટક’થી ગુજરાતી નાટક અને રંગભૂમિને પરંપરાગત ખ્યાલો અને રીતિપદ્ધતિથી મુક્ત કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી આપ્યાં છે. \t\t - વિનોદ અધ્વર્યુ     \t\tઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩) : ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા  \t\tઅને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો કાવ્યગત  \t\tભાવને તાદ્દશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે. \t\t - નિરંજન વોરા     \t\tબાંધ ગઠરિયાં – ભા. ૧-૨ (૧૯૫૪) : ચન્દ્રવદન મહેતાની વિસ્તરેલી આત્મકથાનો એક ખંડ. પહેલા ભાગમાં વડોદરા અને સુરતમાં વીતેલા સદીની શરૂઆતના બે દાયકા અને બીજા ભાગમાં મુંબઈમાં વીતેલો ત્રીજો દાયકો નિરૂપાયા છે.  \t\tખાસ તો રેલવેજીવન, કૉલેજજીવન અને સ્નેહજીવનને આવરી લેતાં વર્ણનો બોલચાલની લઢણવાળા જીવંત ગદ્યથી પ્રાણવાન બન્યાં છે. લખાણમાં બને ત્યાં સુધી અન્ય વ્યક્તિઓની એમના પર પડેલી છાપ ઉપસાવવાનો એમનો આશય  \t\tસ્પષ્ટ રહ્યો છે. આપવડાઈ ને જાતડંફાસના ભયની લેખકને જાણકારી હોવાથી નાટ્યાત્મક હળવાશનો એમણે વારંવાર આશ્રય લીધો છે. \t\t - ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tનાટ્ય ગઠરિયા  (૧૯૭૦) : ચંદ્રવદન ચી. મહેતાનો પ્રવાસગ્રંથ. આત્મકથાત્મક અને પ્રવાસના અંશોવાળી લેખકની ગઠરિયા ગ્રંથશ્રેણીના આ ગ્રંથમાં મુખ્યત્વે સ્પેન, ઑસ્ટ્રિયા, ઈટલી, પોલૅન્ડ અને જર્મની જેવા દેશોમાં ચાલતી કળાપ્રવૃત્તિ  \t\tઅને વિશેષ તો નાટ્યપ્રવૃત્તિનો આલેખ મળે છે. વચ્ચેવચ્ચે, સ્પેનમાં પ્રચલિત આખલા-યુ્દ્ધ કે જર્મનીમાં હિટલરે તૈયાર કરેલા કૉન્સસ્ટ્રેશન કેમ્પ વિશેની માહિતી પણ અલબત્ત મળે છે;  પરંતુ લેખકનું લક્ષ્ય તો ત્યાંનાં નટ, નાટક, નાટ્યકાર  \t\tઅને નાટ્યગૃહો વિશેની વાતો કરવાનું છે. એટલે વીએનાનાં ઑપેરા હાઉસ, બર્ગ થિયેટર ને ત્યાંનાં સંગીતકારો; મિલાનનું લા સ્કાલા ઑપેરા હાઉસ; પોલૅન્ડની નાટ્યશાળાઓ ને ત્યાંનો ખ્યાતનામ કલાકાર તેમ જ દિગ્દર્શક લીઓ શીલર;   \t\tફ્રાંસના નાનકડા ગામ નૉંસીની નાટ્યશાળા ને ત્યાં થતી નાટ્યહરિફાઈઓ; ઈસ્ટ બર્લિનની બ્રેખ્ત નાટકશાળા, ત્યાંના એક ઑપેરા હાઉસનો ખ્યાતનામ નટ વૉલ્ટર ફેલસેનસ્ટાઈન; પેર્ટન દંપતી; લાઈપઝિકનું ભવ્ય ઑપેરા હાઉસ ઇત્યાદિ  \t\tવિશેની વિગતો ઉમળકાભરી શૈલીમાં નિરૂપાઈ છે. યુરોપીય પ્રજાના કળાપ્રેમની, તેમની વ્યવસ્થાશક્તિની લેખક અહીં મુક્તકંઠે પ્રશંસા કરે છે, તો ગુજરાતીમાં જોવા મળતી કળાવિમુખતાથી તેઓ ઉદાસ બને છે. સમગ્ર પ્રવાસ દરમિયાન  \t\tપોતાના સંપર્કમાં આવેલાં અનેક વિદેશી અને વિદેશમાં રહેતાં ભારતીયોનાં જે ટૂંકાં રેખાચિત્રો એમણે આપ્યાં છે તેનાથી અને લેખકનાં અંગત સંવેદનોના ધબકારાથી આખોય ગ્રંથ પ્રચુર વિગતોની વચ્ચે પણ રસાવહ બન્યો છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"candravadana-maheta","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/candravadana-maheta","tags":null,"created":"2024-02-03T20:38:47.390247","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17236,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ચંદ્રકાન્ત મહેતા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્’ </u>\n\t\t\t(૬-૮-૧૯૩૯) : કવિ, વાર્તાકાર, સંપાદક. જન્મ અમદાવાદમાં. વતન સરોડા (જિ. અમદાવાદ). હિંદી વિષયમાં એમ.એ., પીએચ.ડી. અમદાવાદની નવગુજરાત આર્ટસ કૉલેજમાં હિંદીના અધ્યાપક. અત્યારે નવગુજરાત \n\t\t\tમલ્ટિકોર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટના માનદ નિયામક.\n\t\t<br/><br/> \n\t\t\t‘ધીરે વહે છે ગીત’ (૧૯૭૩) એમનો ગઝલ અને ગીતનો સંગ્રહ છે. ‘મન મધુવન’ (૧૯૮૦) અને ‘સ્વપ્નલોક’ (૧૯૮૨)માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે. ‘સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ’ (૧૯૭૭), \n\t\t\t‘ડૉ. આંબેડકર’ (૧૯૭૯) ઇત્યાદિ એમની કિશોરોપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. ‘કેસરક્યારી’ (૧૯૮૩) તથા ‘નારી, તારાં નવલખ રૂપ’માં પ્રેરક પ્રસંગો છે. ‘એક જ દે ચિનગારી’ (૧૯૮૩) તથા ‘અંતર્દ્વાર’ (૧૯૮૪) એમનાં \n\t\t\tચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. ‘ગુજરાત સમાચાર’માં ચાલતી એમની ‘ગુફતેગો’ કૉલમ નિમિત્તે ‘ગુફતેગો-યુવાનો અને પરિણય’ (૧૯૮૫) જેવાં કેટલાંક સાંસારિક બોધનાં પુસ્તકો મળ્યાં છે.\n\t\t<br/><br/> \n\t\t\t‘લોકકવિ મીર મુરાદ’ (૧૯૭૯) એમનો મુસલમાન કવિ મુરાદના જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં ‘મુરાદવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટ કર્યો છે. \n\t\t\tઆ ઉપરાંત પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી કવિતાઓના કેટલાક સંપાદનગ્રંથો પણ એમણે પ્રકાશિત કર્યા છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્’   \t\t\t(૬-૮-૧૯૩૯) : કવિ, વાર્તાકાર, સંપાદક. જન્મ અમદાવાદમાં. વતન સરોડા (જિ. અમદાવાદ). હિંદી વિષયમાં એમ.એ., પીએચ.ડી. અમદાવાદની નવગુજરાત આર્ટસ કૉલેજમાં હિંદીના અધ્યાપક. અત્યારે નવગુજરાત  \t\t\tમલ્ટિકોર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટના માનદ નિયામક. \t\t   \t\t\t‘ધીરે વહે છે ગીત’ (૧૯૭૩) એમનો ગઝલ અને ગીતનો સંગ્રહ છે. ‘મન મધુવન’ (૧૯૮૦) અને ‘સ્વપ્નલોક’ (૧૯૮૨)માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે. ‘સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ’ (૧૯૭૭),  \t\t\t‘ડૉ. આંબેડકર’ (૧૯૭૯) ઇત્યાદિ એમની કિશોરોપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. ‘કેસરક્યારી’ (૧૯૮૩) તથા ‘નારી, તારાં નવલખ રૂપ’માં પ્રેરક પ્રસંગો છે. ‘એક જ દે ચિનગારી’ (૧૯૮૩) તથા ‘અંતર્દ્વાર’ (૧૯૮૪) એમનાં  \t\t\tચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. ‘ગુજરાત સમાચાર’માં ચાલતી એમની ‘ગુફતેગો’ કૉલમ નિમિત્તે ‘ગુફતેગો-યુવાનો અને પરિણય’ (૧૯૮૫) જેવાં કેટલાંક સાંસારિક બોધનાં પુસ્તકો મળ્યાં છે. \t\t   \t\t\t‘લોકકવિ મીર મુરાદ’ (૧૯૭૯) એમનો મુસલમાન કવિ મુરાદના જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં ‘મુરાદવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટ કર્યો છે.  \t\t\tઆ ઉપરાંત પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી કવિતાઓના કેટલાક સંપાદનગ્રંથો પણ એમણે પ્રકાશિત કર્યા છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"candrakanta-maheta","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/candrakanta-maheta","tags":null,"created":"2024-02-03T20:38:47.595098","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17237,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":"ચંદ્રકાન્ત શેઠ","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>શેઠ ચંદ્રકાન્ત ત્રિકમલાલ, ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’ </u>\r\n\t\t\t(૩-૨-૧૯૩૮) : કવિ. નિબંધકાર, વિવેચક, સંપાદક. જન્મ કાલોલ (જિ. પંચમહાલ)માં વતન ઠાસરા (જિ. ખેડા). ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાત \r\n\t\t\tયુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૯માં ‘ઉમાશંકર જોશી-સર્જક અને વિવેચક’ વિષય પર ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧-૬૨માં સૅન્ટ ઝેવિયર્સ કૉલેજ, \r\n\t\t\tઅમદાવાદમાં ખંડસમયના અધ્યાપક. ૧૯૬૨-૬૩માં કપજવંજ કૉલેજમાં, ૧૯૬૩થી ૧૯૬૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં, ૧૯૬૬થી ૧૯૭૨ સુધી ભક્ત વલ્લભ ધોળા કૉલેજમાં અને 1972 થી 1979 સુધી પુનઃ ગૂજરાત \r\n\t\t\tવિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત. ક. લા. સ્વાધ્યાયમંદિરમાં નિયામકપદે. અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૬૪માં કુમારચંદ્રક. નર્મદચંદ્રક-વિજેતા. ૧૯૮૪-૮૫ નું \r\n\t\t\tઉમાસ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવોર્ડ.\r\n\t\t<br/><br/> \r\n\t\t\tસાતમા દાયકામાં પ્રભાવક બનેલા ‘રે મઠ’ના કવિઓના સંપર્કને કારણે એમનો ‘પવન રૂપેરી’ (૧૯૭૨) કાવ્યસંગ્રહ સંવેદન અને અભિવ્યક્તિ પરત્વે આધુનિક મિજાજ દાખવે છે. જીવનની કૃતકતામાંથી જન્મતો ખાલીપો, \r\n\t\t\tસાચું જીવન ન જીવી શકવાને લીધે અનુભવાતી ગૂંગળામણ, મથામણોની વંધ્યતા, ચૈતન્યહ્રાસ જેવાં સંવેદનો તથા ભાષા અને કલ્પનોની તાજપ, આકારની સુરેખતા, કટાવનો લય આદિ અભિવ્યક્તિગત લાક્ષણિકતાઓથી યુક્ત \r\n\t\t\tસંગ્રહની આધુનિક મુદ્રાવાળી કવિતામાંથી કેટલીક નીવડેલી ધ્યાનાર્હ રચનાઓ છે. અલબત્ત ગીત, ગઝલ, સૉનેટ જેવા કાવ્યપ્રકારોનો આશ્રય લઈ પુરોગામી સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પણ અહીં છે. \r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘ઊઘડતી દીવાલો’ (૧૯૭૪)ની રચનાઓમાં શબ્દની વ્યર્થતાનો અનુભવ, જીવનની અગતિક્તામાંથી જન્મતો વિષાદ, નિરૂપણમાં હળવાશ, અછાંદસ તરફની ગતિ આદિ લાક્ષણિકતાઓથી આધુનિક વલણ બળવત્તર બન્યું છે. \r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘ચાંદલિયાની ગાડી’ (૧૯૮૦) બાળકો માટે, તો ‘પ્રોઢશિક્ષણ ગીતમાળા’ (૧૯૮૬) પ્રૌઢો માટે રચાયેલાં ગીતોના સંગ્રહો છે. ‘પડઘાની પેલે પાર’ (૧૯૮૭) કાવ્યસંગ્રહમાં આત્મશોધકનું ઉક્તિવૈચિત્ર્ય છે.\r\n\t\t<br/><br/> \r\n\t       ‘નંદ સામવેદી’ (૧૯૮૦)માં અંગત સંવેદનને અભિવ્યક્ત કરતા લલિતનિબંધો છે. નંદના કલ્પિત પાત્ર દ્વારા લેખકે ‘સ્વ’ સાથે વાત કરી છે. માનવમાનવ વચ્ચેના સંબંધમાં જ્યાં સંકુચિતતા, કૃતકતા, કુટિલતા છે ત્યાં \r\n\t\t\tનંદ ગૂંગળામણ ને વિષાદ અનુભવે છે. શૈશવને સ્મૃતિમાં વાગોળતી કૃતિ ‘ઘૂળમાંથી પગલીઓ’ (૧૯૮૪)ના પ્રસંગોની કથા આત્મચરિત્ર અને લલિતનિબંધ-બંનેના સંધિસ્થાને ઊભી છે. ‘ચહેરા ભીતર ચહેરા’ (૧૯૮૬)માં \r\n\t\t\tસમાજનાં સામાન્ય માનવીઓના ચહેરાઓને ઊજળી બાજુએથી જોઈને, આલેખાયેલા ચરિત્રલક્ષી નિબંધો છે. ‘હેત અને હળવાશ’ (૧૯૯૦)માં વિનોદરસિક લેખો છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘કાવ્યપ્રત્યક્ષ’ (૧૯૭૬) મુખ્યત્વે કાવ્યસર્જનની પ્રક્રિયા, કવિતા અને છંદ, કાવ્યમાં ઔચિત્ય જેવા કાવ્યસિદ્ધાંતોની અને અર્વાચીન ગુજરાતી કવિતાના કેટલાક અગ્રણી કવિઓની કવિતાની તપાસ કરતો વિવેચનગ્રંથ છે. \r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘અર્થાન્તર’ (૧૯૭૮)માં નાટક, નવલકથા, ગુજરાતી ગદ્ય આદિ વિશેના સૈદ્ધાંતિક પ્રશ્નોની ચર્ચાથી પર રહેતી, ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર નવલકથાઓની ચર્ચા છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની ‘રામનારાયણ વિ. \r\n\t\t\tપાઠક’ (૧૯૭૯) પુસ્તિકામાં સર્જકના વાઙમયપુરુષાર્થની તપાસ છે. ‘આય્ રનીનું સ્વરૂપ’ (૧૯૮૪) નાની પરિચયપુસ્તિકા છે. ‘સ્વામિનારાયણ સંતકવિતા’ (૧૯૮૪)માં સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની કેટલીક નોંધપાત્ર \r\n\t\t\tકવિતાઓ પરના આસ્વાદલેખો છે. \r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘સ્વપ્નપિંજર’ (૧૯૭૩)નાં એકાંકીઓ નિરૂપણ પરત્વે ઍબ્સર્ડ નાટ્યશૈલીનો પ્રભાવ દર્શાવે છે. ‘ગુજરાતીમાં વિરામચિહ્નો’ (મોહનભાઈ પટેલ સાથે, ૧૯૭૩) ગુજરાતી વિરામચિહ્નો વિશે શાસ્ત્રીય દ્રષ્ટિથી સર્વગ્રાહી ચર્ચા કરતું \r\n\t\t\tગુજરાતીમાં પ્રથમ પુસ્તક છે. ‘દાંમ્પત્યમંગલ’ (૧૯૭૯) દામ્પત્યવિષયક કાવ્યો અને વિચારોનો સહસંપાદિતગ્રંથ છે. ‘પૃષ્ટિદર્શન’ (૧૯૮૬) આચાર્ય વ્રજરાયજીએ પુષ્ટિદર્શન વિશે આપેલાં વ્યાખ્યાનોનું સંપાદન છે. ‘માતૃદર્શન’ \r\n\t\t\t(૧૯૮૧) માતૃભક્તિનાં ગુજરાતી કાવ્યોનું સહસંપાદન છે. ‘ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા’ (૧૯૭૭) મુખ્યત્વે ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસીઓના સાહિત્ય દ્વરા સધાતી રાષ્ટ્રીય એકતા વિશેના વિચારોનું સહસંપાદન \r\n\t\t\tછે. ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’- ભા. ૧-૨ (૧૯૭૩) તથા મધ્યકાલીન ગુજરાતી કાવ્યગ્રંથોમાં વપરાયેલી સંખ્યાનો નિર્દેશ કરતા શબ્દોની માહિતી આપતું ‘સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ’ (૧૯૮૩) એ એમનાં અન્ય સહસંપાદનો \r\n\t\t\tછે. ‘પંડિત ભાતખંડે’ (૧૯૬૭) એ ડૉ. એસ. એન. રાતંજનકરના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ છે. ‘મલયાળમ સાહિત્યની રૂપરેખા’ (૧૯૭૮) પણ એમનો અનુવાદગ્રંથ છે.\r\n\t\t<br/><br/>\n<p align=\"right\">-જયંત ગાડીત</p>\r\n\t\t\tધૂળમાંની પગલીઓ (૧૯૮૪) : ચંદ્રકાન્ત શેઠનો બાળપણનાં સંસ્મણરણો આલેખતો ગ્રંથ. દૂરના ભૂતકાળને વર્તમાનની ક્ષણથી જોવાનું કુતૂહલ અને એમ કરવામાં સ્મૃતિ સાથે કલ્પનાને ભેળવવાનો સર્જક કીમિયો અહીં મહદંશે \r\n\t\t\tસફળ નીવડ્યો છે. આત્મકથાની પ્રમાણભૂતતા કરતાં આત્મકથાની સામગ્રીના સંવેદનનો પ્રશ્ન લેખક માટે મહત્વનો છે, એવો પ્રચ્છન્ન અભિગમ આ ગ્રંથ સાથે સંકળાયેલો છે. એટલે જ, શબ્દેશબ્દમાં લેખકે પોતાની ઉપસ્થિતિ \r\n\t\t\tહુંપદની રીતે નહિં, પણ સર્જનકર્મ માટે અનિવાર્ય એવા ધ્રુવપદ તરીકે સ્વીકારી છે. સંવેદનશીલ ગદ્યના કેટલાક નમૂનેદાર ખંડો અહીં જોવા મળે છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      શેઠ ચંદ્રકાન્ત ત્રિકમલાલ, ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’  \r \t\t\t(૩-૨-૧૯૩૮) : કવિ. નિબંધકાર, વિવેચક, સંપાદક. જન્મ કાલોલ (જિ. પંચમહાલ)માં વતન ઠાસરા (જિ. ખેડા). ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાત \r \t\t\tયુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૯માં ‘ઉમાશંકર જોશી-સર્જક અને વિવેચક’ વિષય પર ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧-૬૨માં સૅન્ટ ઝેવિયર્સ કૉલેજ, \r \t\t\tઅમદાવાદમાં ખંડસમયના અધ્યાપક. ૧૯૬૨-૬૩માં કપજવંજ કૉલેજમાં, ૧૯૬૩થી ૧૯૬૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં, ૧૯૬૬થી ૧૯૭૨ સુધી ભક્ત વલ્લભ ધોળા કૉલેજમાં અને 1972 થી 1979 સુધી પુનઃ ગૂજરાત \r \t\t\tવિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત. ક. લા. સ્વાધ્યાયમંદિરમાં નિયામકપદે. અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૬૪માં કુમારચંદ્રક. નર્મદચંદ્રક-વિજેતા. ૧૯૮૪-૮૫ નું \r \t\t\tઉમાસ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવોર્ડ.\r \t\t  \r \t\t\tસાતમા દાયકામાં પ્રભાવક બનેલા ‘રે મઠ’ના કવિઓના સંપર્કને કારણે એમનો ‘પવન રૂપેરી’ (૧૯૭૨) કાવ્યસંગ્રહ સંવેદન અને અભિવ્યક્તિ પરત્વે આધુનિક મિજાજ દાખવે છે. જીવનની કૃતકતામાંથી જન્મતો ખાલીપો, \r \t\t\tસાચું જીવન ન જીવી શકવાને લીધે અનુભવાતી ગૂંગળામણ, મથામણોની વંધ્યતા, ચૈતન્યહ્રાસ જેવાં સંવેદનો તથા ભાષા અને કલ્પનોની તાજપ, આકારની સુરેખતા, કટાવનો લય આદિ અભિવ્યક્તિગત લાક્ષણિકતાઓથી યુક્ત \r \t\t\tસંગ્રહની આધુનિક મુદ્રાવાળી કવિતામાંથી કેટલીક નીવડેલી ધ્યાનાર્હ રચનાઓ છે. અલબત્ત ગીત, ગઝલ, સૉનેટ જેવા કાવ્યપ્રકારોનો આશ્રય લઈ પુરોગામી સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પણ અહીં છે. \r \t\t  \r \t\t\t‘ઊઘડતી દીવાલો’ (૧૯૭૪)ની રચનાઓમાં શબ્દની વ્યર્થતાનો અનુભવ, જીવનની અગતિક્તામાંથી જન્મતો વિષાદ, નિરૂપણમાં હળવાશ, અછાંદસ તરફની ગતિ આદિ લાક્ષણિકતાઓથી આધુનિક વલણ બળવત્તર બન્યું છે. \r \t\t  \r \t\t\t‘ચાંદલિયાની ગાડી’ (૧૯૮૦) બાળકો માટે, તો ‘પ્રોઢશિક્ષણ ગીતમાળા’ (૧૯૮૬) પ્રૌઢો માટે રચાયેલાં ગીતોના સંગ્રહો છે. ‘પડઘાની પેલે પાર’ (૧૯૮૭) કાવ્યસંગ્રહમાં આત્મશોધકનું ઉક્તિવૈચિત્ર્ય છે.\r \t\t  \r \t       ‘નંદ સામવેદી’ (૧૯૮૦)માં અંગત સંવેદનને અભિવ્યક્ત કરતા લલિતનિબંધો છે. નંદના કલ્પિત પાત્ર દ્વારા લેખકે ‘સ્વ’ સાથે વાત કરી છે. માનવમાનવ વચ્ચેના સંબંધમાં જ્યાં સંકુચિતતા, કૃતકતા, કુટિલતા છે ત્યાં \r \t\t\tનંદ ગૂંગળામણ ને વિષાદ અનુભવે છે. શૈશવને સ્મૃતિમાં વાગોળતી કૃતિ ‘ઘૂળમાંથી પગલીઓ’ (૧૯૮૪)ના પ્રસંગોની કથા આત્મચરિત્ર અને લલિતનિબંધ-બંનેના સંધિસ્થાને ઊભી છે. ‘ચહેરા ભીતર ચહેરા’ (૧૯૮૬)માં \r \t\t\tસમાજનાં સામાન્ય માનવીઓના ચહેરાઓને ઊજળી બાજુએથી જોઈને, આલેખાયેલા ચરિત્રલક્ષી નિબંધો છે. ‘હેત અને હળવાશ’ (૧૯૯૦)માં વિનોદરસિક લેખો છે.\r \t\t  \r \t\t\t‘કાવ્યપ્રત્યક્ષ’ (૧૯૭૬) મુખ્યત્વે કાવ્યસર્જનની પ્રક્રિયા, કવિતા અને છંદ, કાવ્યમાં ઔચિત્ય જેવા કાવ્યસિદ્ધાંતોની અને અર્વાચીન ગુજરાતી કવિતાના કેટલાક અગ્રણી કવિઓની કવિતાની તપાસ કરતો વિવેચનગ્રંથ છે. \r \t\t  \r \t\t\t‘અર્થાન્તર’ (૧૯૭૮)માં નાટક, નવલકથા, ગુજરાતી ગદ્ય આદિ વિશેના સૈદ્ધાંતિક પ્રશ્નોની ચર્ચાથી પર રહેતી, ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર નવલકથાઓની ચર્ચા છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની ‘રામનારાયણ વિ. \r \t\t\tપાઠક’ (૧૯૭૯) પુસ્તિકામાં સર્જકના વાઙમયપુરુષાર્થની તપાસ છે. ‘આય્ રનીનું સ્વરૂપ’ (૧૯૮૪) નાની પરિચયપુસ્તિકા છે. ‘સ્વામિનારાયણ સંતકવિતા’ (૧૯૮૪)માં સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની કેટલીક નોંધપાત્ર \r \t\t\tકવિતાઓ પરના આસ્વાદલેખો છે. \r \t\t  \r \t\t\t‘સ્વપ્નપિંજર’ (૧૯૭૩)નાં એકાંકીઓ નિરૂપણ પરત્વે ઍબ્સર્ડ નાટ્યશૈલીનો પ્રભાવ દર્શાવે છે. ‘ગુજરાતીમાં વિરામચિહ્નો’ (મોહનભાઈ પટેલ સાથે, ૧૯૭૩) ગુજરાતી વિરામચિહ્નો વિશે શાસ્ત્રીય દ્રષ્ટિથી સર્વગ્રાહી ચર્ચા કરતું \r \t\t\tગુજરાતીમાં પ્રથમ પુસ્તક છે. ‘દાંમ્પત્યમંગલ’ (૧૯૭૯) દામ્પત્યવિષયક કાવ્યો અને વિચારોનો સહસંપાદિતગ્રંથ છે. ‘પૃષ્ટિદર્શન’ (૧૯૮૬) આચાર્ય વ્રજરાયજીએ પુષ્ટિદર્શન વિશે આપેલાં વ્યાખ્યાનોનું સંપાદન છે. ‘માતૃદર્શન’ \r \t\t\t(૧૯૮૧) માતૃભક્તિનાં ગુજરાતી કાવ્યોનું સહસંપાદન છે. ‘ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા’ (૧૯૭૭) મુખ્યત્વે ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસીઓના સાહિત્ય દ્વરા સધાતી રાષ્ટ્રીય એકતા વિશેના વિચારોનું સહસંપાદન \r \t\t\tછે. ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’- ભા. ૧-૨ (૧૯૭૩) તથા મધ્યકાલીન ગુજરાતી કાવ્યગ્રંથોમાં વપરાયેલી સંખ્યાનો નિર્દેશ કરતા શબ્દોની માહિતી આપતું ‘સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ’ (૧૯૮૩) એ એમનાં અન્ય સહસંપાદનો \r \t\t\tછે. ‘પંડિત ભાતખંડે’ (૧૯૬૭) એ ડૉ. એસ. એન. રાતંજનકરના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ છે. ‘મલયાળમ સાહિત્યની રૂપરેખા’ (૧૯૭૮) પણ એમનો અનુવાદગ્રંથ છે.\r \t\t   -જયંત ગાડીત \r \t\t\tધૂળમાંની પગલીઓ (૧૯૮૪) : ચંદ્રકાન્ત શેઠનો બાળપણનાં સંસ્મણરણો આલેખતો ગ્રંથ. દૂરના ભૂતકાળને વર્તમાનની ક્ષણથી જોવાનું કુતૂહલ અને એમ કરવામાં સ્મૃતિ સાથે કલ્પનાને ભેળવવાનો સર્જક કીમિયો અહીં મહદંશે \r \t\t\tસફળ નીવડ્યો છે. આત્મકથાની પ્રમાણભૂતતા કરતાં આત્મકથાની સામગ્રીના સંવેદનનો પ્રશ્ન લેખક માટે મહત્વનો છે, એવો પ્રચ્છન્ન અભિગમ આ ગ્રંથ સાથે સંકળાયેલો છે. એટલે જ, શબ્દેશબ્દમાં લેખકે પોતાની ઉપસ્થિતિ \r \t\t\tહુંપદની રીતે નહિં, પણ સર્જનકર્મ માટે અનિવાર્ય એવા ધ્રુવપદ તરીકે સ્વીકારી છે. સંવેદનશીલ ગદ્યના કેટલાક નમૂનેદાર ખંડો અહીં જોવા મળે છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t","slug":"candrakanta-setha","DOB":null,"DateOfDemise":null,"location":null,"url":"/sootradhar/candrakanta-setha","tags":"","created":"2024-02-03T20:38:47.770263","is_has_special_post":false,"is_special_author":false,"language":20},{"id":17238,"image":"https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png","name":" ચંદ્રકાન્ત ટોપીવાળા","bio":"<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ટોપીવાળા ચંદ્રકાન્ત અમૃતલાલ </u>\n\t\t\t(૭-૮-૧૯૩૬) કવિ, વિવેચક. જન્મ વડોદરામાં. ૧૯૫૮ માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦ માં એમ.એ. ૧૯૮૨ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૧ \n\t\t\tથી ૧૯૬૫ દરમ્યાન પોરબંદરની કે. એચ. માધવાણી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૫ માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા.  ૧૯૭૧ થી ૧૯૮૪ સુધી એ જ કૉલેજના \n\t\t\tઆચાર્ય. ૧૯૮૪ થી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાય મંદિરના નિયામક. ૧૯૮૭ માં જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોનો યુરોપ-પ્રવાસ.\n\t\t<br/><br/>\n\t\t\t‘મહેરામણ’ (૧૯૬૨) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે; પણ એમની પ્રતિભાનો વિલક્ષણ આવિષ્કાર તો થયો એમના બીજા કાવ્યસંગ્રહ ‘કાન્ત તારી રાણી’ (૧૯૭૧) માં. એમાં અનુભૂતિને વિશિષ્ટ ભાષાભિવ્યક્તિમાં ઢાળતી દુર્ગમ પ્રયોગશીલતા છે; \n\t\t\tતો ‘પક્ષીતીર્થ’ (૧૯૮૮) ની કાવ્યરચનાઓ વધુ ખુલ્લી અને વધુ પારદર્શક બનવા તરફ ઢળેલી છે. ‘બ્લેક ફૉરેસ્ટ’ (૧૯૮૯) યુરોપીય સંવેદના નિરૂપતો કાવ્યસંગ્રહ છે. વિવેચનની ભાષાભિમુખ તરેહ આપતો ‘અપરિચિત (अ) અપરિચિત (ब)’ \n\t\t\t(૧૯૭૫) એમનો વિવેચન સંગ્રહ છે. ‘હદ પરના હંસ અને આલ્બેટ્રોસ’ (૧૯૭૫) માં ફ્રેન્ચ પ્રતીકવાદી કવિતાના અનુવાદો અને પ્રતીકવાદ પરનો લઘુપ્રબંધ છે. ‘મધ્યમાલા’ (૧૯૮૨)માં મધ્યકાલીન કવિઓની રચનાઓને નવા અભિગમથી \n\t\t\tમૂલવવાનો ઉપક્રમ ધ્યાનાર્હ છે. ‘પ્રતિભાષાનું કવચ’ (૧૯૮૪) વિવેચનસંગ્રહ પશ્ચિમમાં પ્રગટેલી-વિકસેલી ભાષાવિજ્ઞાનલક્ષી, સંરચનાલક્ષી અને શૈલીવિજ્ઞાનલક્ષી વિવેચનના સંસ્કારો દર્શાવે છે. ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’ (૧૯૮૫) નૉઅમ \n\t\t\tચોમ્સ્કીના સંસર્જનાત્મક રૂપાંતરણ વ્યાકરણને આધારે કાવ્યનો વિચલન સિદ્ધાંત આપતો એમનો શોધપ્રબંધ છે. ‘આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ’ (અન્ય સાથે, ૧૯૮૬), ‘વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોશ’ (૧૯૮૮) પણ એમણે આપ્યા છે. \n\t\t<br/><br/>\n\t\t\tએમના અનુવાદ-ગ્રંથોમાં બેકેટની અણુનવલ ‘કલ્પો કે કલ્પના મરી પરવારી છે’ (૧૯૭૦) તેમ જ રિલ્કેની બે કૃતિઓ ‘દુઈનો કરુણિકાઓ’ (૧૯૭૬) અને ‘ઓર્ફિયસ પ્રતિ સૉનેટો’ (૧૯૭૭)નો સમાવેશ થાય છે. એમણે આધુનિક ગુજરાતી \n\t\t\tકાવ્યરચનાઓના અંગ્રેજી અનુવાદનું પુસ્તક ‘કન્ટેમ્પરરી ગુજરાતી પોએટ્રી’ (૧૯૭૨) પણ આપ્યું છે. ‘મૈથિલી સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૮૭) અનુવાદગ્રંથ પણ એમના નામે છે. \n\t\t\t<p align=\"right\">-સતીશ વ્યાસ</p>\n<br/><br/>\n\t\t\tઅપરિચિત अ અપરિચિત ब (૧૯૭૫) : ચન્દ્રકાન્ત ટોપીવાળાનો, ચાર ખંડોમાં વહેંચાયેલો આ પ્રથમ વિવેચનસંગ્રહ છે. પહેલા વિભાગમાં ‘કવિ અને શબ્દાયન’, ‘કવિતાની નવતર મુદ્રા’, ‘આજની કવિતા : ભાષાભિમુખ અભિગમ’ ‘આધુનિક \n\t\t\tગુજરાતી કવિતામાં અર્થ-વિલંબન’ જેવા ભાષાભિમુખ આધુનિક કવિતા વિશેના ભાષાલક્ષી લેખો છે; બીજા વિભાગમાં ‘અભિજ્ઞા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘સંગતિ’, ‘સ્પંદ અને છંદ’, ‘તારીખનું ઘર’, ‘એકાન્ત’, ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’, \n\t\t\t‘માણસની વાત’, ‘બીજો સૂર્ય’ અને ‘અંગત’ એ કાવ્યસંગ્રહોનાં વિવેચનાત્મક અવલોકનો છે; ત્રીજા વિભાગમાં અગિયાર કાવ્યોની વસ્તુનિષ્ઠ અને સૌંદર્ય-ભાષાનિષ્ઠ તપાસ છે; જયારે ચોથા ખંડમાં બોદલેર, લોર્કા, વાલેરી, ચેઝારે વાલે’જો, \n\t\t\tઓકટેવિયો પાઝ, નેરુદા, કેવેફી વગેરેના કાવ્યસર્જન-વિષયક વિવેચનાત્મક પરિચયલેખો છે.\n\t\t<br/><br/>\n\t\t\tએમના મતે અદ્યતન કવિતાનું વ્યાવર્તક લક્ષણ એ તેની ભાષાભિમુખતા છે. આધુનિક કવિતાની સર્જનપ્રક્રિયામાં અનુભવનું ભાષાકરણ નથી થતું, પણ ભાષાનું અનુભવીકરણ સિદ્ધ થાય છે. સર્જનપ્રક્રિયા એ સંકેતવૈજ્ઞાનિક તપાસનો વિષય \n\t\t\tછે, જયારે કાવ્યભાષા એ ભાષાવિજ્ઞાન અને ભાષાતત્ત્વ ચિંતનનો વિષય છે. વિવેચક અહીં કૃતિની સર્જનપ્રક્રિયા વર્ણવવા સંકેતવિજ્ઞાન, સૌંદર્યશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન જેવી હાલની અનેક વિદ્યાશાખાઓની સહાય લે છે. વસ્તુનિષ્ઠ વૈજ્ઞાનિકતાનો \n\t\t\tસ્વીકાર, વિવિધ વિદ્યાશાખાઓની સંપ્રજ્ઞતા, તાટસ્થ્યપૂર્ણ તપાસ વગેરે આ ગ્રંથનાં નોંધપાત્ર લક્ષણો છે. \n\t\t\t<p align=\"right\">-હર્ષવદન ત્રિવેદી</p>\n<br/><br/>\n\t\t\tસંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (૧૯૮૫) : ચંદ્રકાન્ત ટોપીવાળાનો મહાનિબંધ, પ્રવેશ, પરિપ્રેક્ષ્ય, તત્ત્વનિરૂપણ ને તત્ત્વપરીક્ષા જેવા ચાર પ્રમુખ વિભાગોમાં વિભાજિત આ અભ્યાસમાં, આધુનિક કવિતાની સર્જકતાની તપાસ પૂર્વપરંપરિત \n\t\t\tચિત્ત-સંસ્કાર માત્રથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક ઉપાદાનો સમેત થવી જોઈએ એવા ભાષાવિજ્ઞાનની અભિગમનું નિરૂપણ થયું છે. કવિતાની ભાષાસ્થિતિ, ભાષાની તેમ જ કવિની સર્જકતા, આધુનિક કવિતા અને ભાવકગત સક્રિયતા, રશિયન \n\t\t\tસ્વરૂપવાદ, સંરચનાવાદ, અમેરિકન નવ્ય વિવેચન, સંસર્જનાત્મક વ્યાકરણ, વિચલન અને તેનાં સ્વરૂપ-કાર્ય વગેરે અભ્યાસ-ઘટકોની ચર્ચા ઉપરાંત કેટલીક ઉલ્લેખનીય ગુજરાતી કાવ્યકૃતિઓની તત્ત્વપરીક્ષા પણ આ અભ્યાસમાં \n\t\t\tસામેલ છે. \n\t\t<p align=\"right\">-રમેશ ર. દવે</p>\n<br/><br/>\n\t\t\tઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૬) : ગુજરાતી સાહિત્ય પરિષદને આશ્રયે ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી સંપાદિત, સાહિત્યની સંજ્ઞાઓનો પરિચય આપતો આ કોશ ગુજરાતી ભાષામાં પહેલો છે. લગભગ ૧,૦૦૦ \n\t\t\tઉપરાંતની સંજ્ઞાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક અંગ્રેજી સાહિત્યસંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, એ સંજ્ઞાની સમજૂતી અને એની સમજૂતી માટેનું શક્ય હોય ત્યાં ગુજરાતી ઉદાહરણ આપેલું છે. આ સંજ્ઞાઓ તૈયાર કરવામાં અન્ય \n\t\t\tકોશોની સંજ્ઞાઓના સાર રૂપે, ક્યારેક કોઈક પુસ્તકની સામગ્રીને આધારે, ક્યારેક સ્વતંત્ર રીતે એમ ત્રિવિધ સ્તરે લેખન થયું છે. કોશનું ધ્યેય સંશોધનવિવેચનમાં પર્યાયની નિશ્ચિતતા, સાથે સાથે વર્ણનાત્મક ઓજારો પૂરાં પાડવાનું છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\t\tવિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૮) આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ પછીનો, વિશ્વસાહિત્યના આંતરસાંસ્કૃતિક અને તુલ્નાત્મક અભ્યાસની ભૂમિકાએ ઉપયોગી નીવડતો, ચંદ્રકાન્ત ટોપીવાળાએ સંપાદિત કરેલો સાહિત્યસંજ્ઞાકોશ. કોશમાં વર્ણાનુક્રમે \n\t\t\tયોજાયેલી મૂળ અંગ્રેજી સંજ્ઞાઓના ગુજરાતી પર્યાય આપીને તેની વિભાવના સ્પષ્ટ કરવામાં આવી છે. આવશ્યકતાનુસાર જે તે સંજ્ઞાનું દ્રષ્ટાંત પણ આપેલું છે. ‘વેન એન્ડ વુ’ જેવી ચીની નાટ્યપરંપરાની સાથે સંકળાયેલી સંજ્ઞા કોશની \n\t\t\tવ્યાપકતા સૂચવે છે, તો ‘વીક ટેકસ્ટ’ સંજ્ઞાનો પર્યાય આપવા ઉપરાંત ‘સ્ટ્રોંગ ટેક્સટ’ જોવા માટે મુકાયેલો પ્રતિનિર્દેશ કોશની શાસ્ત્રીયતા અને ઉપાદેયતા સૂચવે છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>","raw_bio":"સવિશેષ પરિચય:      ટોપીવાળા ચંદ્રકાન્ત અમૃતલાલ   \t\t\t(૭-૮-૧૯૩૬) કવિ, વિવેચક. જન્મ વડોદરામાં. ૧૯૫૮ માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦ માં એમ.એ. ૧૯૮૨ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૧  \t\t\tથી ૧૯૬૫ દરમ્યાન પોરબંદરની કે. એચ. માધવાણી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૫ માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા.  ૧૯૭૧ થી ૧૯૮૪ સુધી એ જ કૉલેજના  \t\t\tઆચાર્ય. ૧૯૮૪ થી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાય મંદિરના નિયામક. ૧૯૮૭ માં જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોનો યુરોપ-પ્રવાસ. \t\t  \t\t\t‘મહેરામણ’ (૧૯૬૨) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે; પણ એમની પ્રતિભાનો વિલક્ષણ આવિષ્કાર તો થયો એમના બીજા કાવ્યસંગ્રહ ‘કાન્ત તારી રાણી’ (૧૯૭૧) માં. એમાં અનુભૂતિને વિશિષ્ટ ભાષાભિવ્યક્તિમાં ઢાળતી દુર્ગમ પ્રયોગશીલતા છે;  \t\t\tતો ‘પક્ષીતીર્થ’ (૧૯૮૮) ની કાવ્યરચનાઓ વધુ ખુલ્લી અને વધુ પારદર્શક બનવા તરફ ઢળેલી છે. ‘બ્લેક ફૉરેસ્ટ’ (૧૯૮૯) યુરોપીય સંવેદના નિરૂપતો કાવ્યસંગ્રહ છે. વિવેચનની ભાષાભિમુખ તરેહ આપતો ‘અપરિચિત (अ) અપરિચિત (ब)’  \t\t\t(૧૯૭૫) એમનો વિવેચન સંગ્રહ છે. ‘હદ પરના હંસ અને આલ્બેટ્રોસ’ (૧૯૭૫) માં ફ્રેન્ચ પ્રતીકવાદી કવિતાના અનુવાદો અને પ્રતીકવાદ પરનો લઘુપ્રબંધ છે. ‘મધ્યમાલા’ (૧૯૮૨)માં મધ્યકાલીન કવિઓની રચનાઓને નવા અભિગમથી  \t\t\tમૂલવવાનો ઉપક્રમ ધ્યાનાર્હ છે. ‘પ્રતિભાષાનું કવચ’ (૧૯૮૪) વિવેચનસંગ્રહ પશ્ચિમમાં પ્રગટેલી-વિકસેલી ભાષાવિજ્ઞાનલક્ષી, સંરચનાલક્ષી અને શૈલીવિજ્ઞાનલક્ષી વિવેચનના સંસ્કારો દર્શાવે છે. ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’ (૧૯૮૫) નૉઅમ  \t\t\tચોમ્સ્કીના સંસર્જનાત્મક રૂપાંતરણ વ્યાકરણને આધારે કાવ્યનો વિચલન સિદ્ધાંત આપતો એમનો શોધપ્રબંધ છે. ‘આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ’ (અન્ય સાથે, ૧૯૮૬), ‘વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોશ’ (૧૯૮૮) પણ એમણે આપ્યા છે.  \t\t  \t\t\tએમના અનુવાદ-ગ્રંથોમાં બેકેટની અણુનવલ ‘કલ્પો કે કલ્પના મરી પરવારી છે’ (૧૯૭૦) તેમ જ રિલ્કેની બે કૃતિઓ ‘દુઈનો કરુણિકાઓ’ (૧૯૭૬) અને ‘ઓર્ફિયસ પ્રતિ સૉનેટો’ (૧૯૭૭)નો સમાવેશ થાય છે. એમણે આધુનિક ગુજરાતી  \t\t\tકાવ્યરચનાઓના અંગ્રેજી અનુવાદનું પુસ્તક ‘કન્ટેમ્પરરી ગુજરાતી પોએટ્રી’ (૧૯૭૨) પણ આપ્યું છે. ‘મૈથિલી સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૮૭) અનુવાદગ્રંથ પણ એમના નામે છે.  \t\t\t -સતીશ વ્યાસ    \t\t\tઅપરિચિત अ અપરિચિત ब (૧૯૭૫) : ચન્દ્રકાન્ત ટોપીવાળાનો, ચાર ખંડોમાં વહેંચાયેલો આ પ્રથમ વિવેચનસંગ્રહ છે. પહેલા વિભાગમાં ‘કવિ અને શબ્દાયન’, ‘કવિતાની નવતર મુદ્રા’, ‘આજની કવિતા : ભાષાભિમુખ અભિગમ’ ‘આધુનિક  \t\t\tગુજરાતી કવિતામાં અર્થ-વિલંબન’ જેવા ભાષાભિમુખ આધુનિક કવિતા વિશેના ભાષાલક્ષી લેખો છે; બીજા વિભાગમાં ‘અભિજ્ઞા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘સંગતિ’, ‘સ્પંદ અને છંદ’, ‘તારીખનું ઘર’, ‘એકાન્ત’, ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’,  \t\t\t‘માણસની વાત’, ‘બીજો સૂર્ય’ અને ‘અંગત’ એ કાવ્યસંગ્રહોનાં વિવેચનાત્મક અવલોકનો છે; ત્રીજા વિભાગમાં અગિયાર કાવ્યોની વસ્તુનિષ્ઠ અને સૌંદર્ય-ભાષાનિષ્ઠ તપાસ છે; જયારે ચોથા ખંડમાં બોદલેર, લોર્કા, વાલેરી, ચેઝારે વાલે’જો,  \t\t\tઓકટેવિયો પાઝ, નેરુદા, કેવેફી વગેરેના કાવ્યસર્જન-વિષયક વિવેચનાત્મક પરિચયલેખો છે. \t\t  \t\t\tએમના મતે અદ્યતન કવિતાનું વ્યાવર્તક લક્ષણ એ તેની ભાષાભિમુખતા છે. આધુનિક કવિતાની સર્જનપ્રક્રિયામાં અનુભવનું ભાષાકરણ નથી થતું, પણ ભાષાનું અનુભવીકરણ સિદ્ધ થાય છે. સર્જનપ્રક્રિયા એ સંકેતવૈજ્ઞાનિક તપાસનો વિષય  \t\t\tછે, જયારે કાવ્યભાષા એ ભાષાવિજ્ઞાન અને ભાષાતત્ત્વ ચિંતનનો વિષય છે. વિવેચક અહીં કૃતિની સર્જનપ્રક્રિયા વર્ણવવા સંકેતવિજ્ઞાન, સૌંદર્યશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન જેવી હાલની અનેક વિદ્યાશાખાઓની સહાય લે છે. વસ્તુનિષ્ઠ વૈજ્ઞાનિકતાનો  \t\t\tસ્વીકાર, વિવિધ વિદ્યાશાખાઓની સંપ્રજ્ઞતા, તાટસ્થ્યપૂર્ણ તપાસ વગેરે આ ગ્રંથનાં નોંધપાત્ર લક્ષણો છે.  \t\t\t -હર્ષવદન ત્રિવેદી    \t\t\tસંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (૧૯૮૫) : ચંદ્રકાન્ત ટોપીવાળાનો મહાનિબંધ, પ્રવેશ, પરિપ્રેક્ષ્ય, તત્ત્વનિરૂપણ ને તત્ત્વપરીક્ષા જેવા ચાર પ્રમુખ વિભાગોમાં વિભાજિત આ અભ્યાસમાં, આધુનિક કવિતાની સર્જકતાની તપાસ પૂર્વપરંપરિત  \t\t\tચિત્ત-સંસ્કાર માત્રથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક ઉપાદાનો સમેત થવી જોઈએ એવા ભાષાવિજ્ઞાનની અભિગમનું નિરૂપણ થયું છે. કવિતાની ભાષાસ્થિતિ, ભાષાની તેમ જ કવિની સર્જકતા, આધુનિક કવિતા અને ભાવકગત સક્રિયતા, રશિયન  \t\t\tસ્વરૂપવાદ, સંરચનાવાદ, અમેરિકન નવ્ય વિવેચન, સંસર્જનાત્મક વ્યાકરણ, વિચલન અને તેનાં સ્વરૂપ-કાર્ય વગેરે અભ્યાસ-ઘટકોની ચર્ચા ઉપરાંત કેટલીક ઉલ્લેખનીય ગુજરાતી કાવ્યકૃતિઓની તત્ત્વપરીક્ષા પણ આ અભ્યાસમાં  \t\t\tસામેલ છે.  \t\t -રમેશ ર. દવે    \t\t\tઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૬) : ગુજરાતી સાહિત્ય પરિષદને આશ્રયે ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી સંપાદિત, સાહિત્યની સંજ્ઞાઓનો પરિચય આપતો આ કોશ ગુજરાતી ભાષામાં પહેલો છે. લગભગ ૧,૦૦૦  \t\t\tઉપરાંતની સંજ્ઞાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક અંગ્રેજી સાહિત્યસંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, એ સંજ્ઞાની સમજૂતી અને એની સમજૂતી માટેનું શક્ય હોય ત્યાં ગુજરાતી ઉદાહરણ આપેલું છે. આ સંજ્ઞાઓ તૈયાર કરવામાં અન્ય  \t\t\tકોશોની સંજ્ઞાઓના સાર રૂપે, ક્યારેક કોઈક પુસ્તકની સામગ્રીને આધારે, ક્યારેક સ્વતંત્ર રીતે એમ ત્રિવિધ સ્તરે લેખન થયું છે. કોશનું ધ્યેય સંશોધનવિવેચનમાં પર્યાયની નિશ્ચિતતા, સાથે સાથે વર્ણનાત્મક ઓજારો પૂરાં પાડવાનું છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\t\tવિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૮) આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ પછીનો, વિશ્વસાહિત્યના આંતરસાંસ્કૃતિક અને તુલ્નાત્મક અભ્યાસની ભૂમિકાએ ઉપયોગી નીવડતો, ચંદ્રકાન્ત ટોપીવાળાએ સંપાદિત કરેલો સાહિત્યસંજ્ઞાકોશ. કોશમાં વર્ણાનુક્રમે  \t\t\tયોજાયેલી મૂળ અંગ્રેજી સંજ્ઞાઓના ગુજરાતી પર્યાય આપીને તેની વિભાવના સ્પષ્ટ કરવામાં આવી છે. આવશ્યકતાનુસાર જે તે સંજ્ઞાનું દ્રષ્ટાંત પણ આપેલું છે. ‘વેન એન્ડ વુ’ જેવી ચીની નાટ્યપરંપરાની સાથે સંકળાયેલી સંજ્ઞા કોશની  \t\t\tવ્યાપકતા સૂચવે છે, તો ‘વીક ટેકસ્ટ’ સંજ્ઞાનો પર્યાય આપવા ઉપરાંત ‘સ્ટ્રોંગ ટેક્સટ’ જોવા માટે મુકાયેલો પ્રતિનિર્દેશ કોશની શાસ્ત્રીયતા અને ઉપાદેયતા સૂચવે છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t","slug":"candrakanta-topivala","DOB":null,"DateOfDemise":null,"location":"","url":"/sootradhar/candrakanta-topivala","tags":null,"created":"2024-02-03T20:38:47.938672","is_has_special_post":false,"is_special_author":false,"language":20}],"description":"<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>","image":"https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"}