GET /sootradhar/authors/?format=api&page=917
HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept

{
    "count": 17752,
    "next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=918",
    "previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=916",
    "results": [
        {
            "id": 17378,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "રતિલાલ બોરીસાગર",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>બોરીસાગર રતિલાલ મોહનલાલ </h4>\n\t\t(૩૧-૮-૧૯૩૮) : હાસ્યલેખક, નિબંધકાર. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૯માં \n\t\t‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૧માં સાવરકુંડલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪ થી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં ઍકેડેમિક સેક્રેટરી.\n\t\t<br/><br/> \n\t\tલેખનકાર્યનો આરંભ ટૂંકીવાર્તાથી કર્યો; પરંતુ સાથે સાથે હાસ્યલેખો લખવા માંડ્યા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધિ મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક’ (૧૯૭૭) અને ‘આનંદલોક’ (૧૯૮૩) છે. એમનું હાસ્ય વાચકને મરકમરક હસાવે \n\t\tતેવું છે. બહુશ્રુતતાનો હાસ્યાર્થે સહજ કૌશલથી વિનિયોગ થયો હોવાથી માનવીય નિર્બળતાઓ હાસ્યનો વિષય બને છે, છતાં એમનું હાસ્ય દંશદ્વેષથી સદંતર મુક્ત છે અને સાથે જ જીવન પર પ્રકાશ પાથરવાના ધ્યેયથી યુક્ત છે. એમણે \n\t\tકેટલાક ગંભીર નિબંધો આપ્યા છે, તેમ જ કેટલીક લઘુકથાઓ પણ લખી છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      બોરીસાગર રતિલાલ મોહનલાલ   \t\t(૩૧-૮-૧૯૩૮) : હાસ્યલેખક, નિબંધકાર. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૯માં  \t\t‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૧માં સાવરકુંડલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪ થી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં ઍકેડેમિક સેક્રેટરી. \t\t   \t\tલેખનકાર્યનો આરંભ ટૂંકીવાર્તાથી કર્યો; પરંતુ સાથે સાથે હાસ્યલેખો લખવા માંડ્યા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધિ મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક’ (૧૯૭૭) અને ‘આનંદલોક’ (૧૯૮૩) છે. એમનું હાસ્ય વાચકને મરકમરક હસાવે  \t\tતેવું છે. બહુશ્રુતતાનો હાસ્યાર્થે સહજ કૌશલથી વિનિયોગ થયો હોવાથી માનવીય નિર્બળતાઓ હાસ્યનો વિષય બને છે, છતાં એમનું હાસ્ય દંશદ્વેષથી સદંતર મુક્ત છે અને સાથે જ જીવન પર પ્રકાશ પાથરવાના ધ્યેયથી યુક્ત છે. એમણે  \t\tકેટલાક ગંભીર નિબંધો આપ્યા છે, તેમ જ કેટલીક લઘુકથાઓ પણ લખી છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "ratilala-borisagara",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/ratilala-borisagara",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:16.665476",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17379,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "રતિલાલ રૂપાવાળા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>રૂપાવાળા રતિલાલ મૂળચંદદાસ, ‘અનિલ’, ‘સાંદીપનિ’, ‘ટચાક’, ‘કલ્કિ’ </h4>\n\t\t(૧૯૧૯) : ગઝલકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. પ્રાથમિક બે ધોરણ સુધીનો અભ્યાસ. ૮ થી ૧૪ વર્ષની વય સુધી જરી વણકર. ૧૯૪૪ સુધી \n\t\tપારવરલૂમ્સ વણકર. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધી ‘પ્યારા બાપુ’ માસિકનું સંપાદન. ૧૯૬૧માં સુરતના હરિહર પુસ્તકાલયમાં પુસ્તક પ્રકાશન અધિકારી. ૧૯૬૨-૬૩માં ‘લોકવાણી’ દૈનિક, દૈનિક સુરતમાં સહતંત્રી. ૧૯૬૪ થી ૧૯૭૭ \n\t\tસુધી ‘ગુજરાત મિત્ર’ દૈનિક, સુરતમાં સહતંત્રી. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી ‘ગુજરાત સમાચાર’, સુરતમાં ઉપતંત્રી. ૧૯૮૩માં ‘ગુજરાત કેસરી’, સુરતમાં સહતંત્રી. ‘કંકાવટી’નું સંપાદન. \n\t\t<br/><br/> \n\t\tગઝલનો મિજાજ પ્રગટાવતી કેટલીક રચનાઓ એમના ‘ડમરો અને તુલસી’ (૧૯૫૫) ગઝલસંગ્રહમાં મળી છે. ‘મસ્તીની પળોમાં’ (૧૯૫૬) મુખ્યત્વે રૂબાઈસંગ્રહ છે. એમાં વિચાર અને અભિવ્યક્તિની ચારુતા છે. ‘આવા \n\t\tહતા બાપુ’- ભા. ૧-૨-૩ (૧૯૫૭) અને ‘ઇન્દિરા ગાંધી’ (૧૯૬૮) એમનાં જીવનચરિત્રો છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      રૂપાવાળા રતિલાલ મૂળચંદદાસ, ‘અનિલ’, ‘સાંદીપનિ’, ‘ટચાક’, ‘કલ્કિ’   \t\t(૧૯૧૯) : ગઝલકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. પ્રાથમિક બે ધોરણ સુધીનો અભ્યાસ. ૮ થી ૧૪ વર્ષની વય સુધી જરી વણકર. ૧૯૪૪ સુધી  \t\tપારવરલૂમ્સ વણકર. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધી ‘પ્યારા બાપુ’ માસિકનું સંપાદન. ૧૯૬૧માં સુરતના હરિહર પુસ્તકાલયમાં પુસ્તક પ્રકાશન અધિકારી. ૧૯૬૨-૬૩માં ‘લોકવાણી’ દૈનિક, દૈનિક સુરતમાં સહતંત્રી. ૧૯૬૪ થી ૧૯૭૭  \t\tસુધી ‘ગુજરાત મિત્ર’ દૈનિક, સુરતમાં સહતંત્રી. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી ‘ગુજરાત સમાચાર’, સુરતમાં ઉપતંત્રી. ૧૯૮૩માં ‘ગુજરાત કેસરી’, સુરતમાં સહતંત્રી. ‘કંકાવટી’નું સંપાદન.  \t\t   \t\tગઝલનો મિજાજ પ્રગટાવતી કેટલીક રચનાઓ એમના ‘ડમરો અને તુલસી’ (૧૯૫૫) ગઝલસંગ્રહમાં મળી છે. ‘મસ્તીની પળોમાં’ (૧૯૫૬) મુખ્યત્વે રૂબાઈસંગ્રહ છે. એમાં વિચાર અને અભિવ્યક્તિની ચારુતા છે. ‘આવા  \t\tહતા બાપુ’- ભા. ૧-૨-૩ (૧૯૫૭) અને ‘ઇન્દિરા ગાંધી’ (૧૯૬૮) એમનાં જીવનચરિત્રો છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "ratilala-rupavala",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/ratilala-rupavala",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:17.011744",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17380,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "રામનારાયણ વિ. પાઠક",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પાઠક રામનારાયણ વિશ્વનાથ, ‘દ્વિરેફ’, ‘શેષ’, ‘સ્વૈરવિહારી’</h4>\n\t\t(૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં. શિક્ષકની નોકરી કરતા પિતાની \n\t\tબદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં. ઉચ્ચશિક્ષણ ભાવનગર તેમ જ મુંબઈમાં. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ૧૯૦૮માં બી.એ. વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી \n\t\tન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ૧૯૧૧માં એલએલ.બી.ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા. પ્રર્યાપ્ત આર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી \n\t\tશેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાનો નિર્ણય કરેલો, પણ ૧૯૧૯ના અંતમાં એમણે માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ \n\t\tજે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનમાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં \n\t\tપ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યાં કે \n\t\t‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડ્યા પછી ‘પ્રસ્થાન’ની નિઃશુલ્ક સેવા કરતાં એમણે ખાનગી ટ્યૂશનોથી આજીવિકા ચલાવી. દરમિયાન ગાંધીજીના વિવિધ સત્યાગ્રહોમાં ભાગ લઈ, એક વખત જેલ પણ \n\t\tવેઠી. ૧૯૩૫માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી ૧૯૫૨ સુધી ત્યાં તથા અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજ, ગૂજરાત વિદ્યાસભા, મુંબઈની ભવન્સ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવનમાં \n\t\tજુદા જુદા સમયે અધ્યાપક. ૧૯૫૩ માં આકાશવાણી મુંબઈના સલાહકાર. ૧૯૪૬માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૫૬નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tવિદ્યાભ્યાસે તત્ત્વવિદ તેઓ કલા તેમ જ શાસ્ત્ર ઉભય ક્ષેત્રની પ્રતિભા ધરાવતા હતા, પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેઓ વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે. તેમની સાહિત્યિક કારકિર્દી ૧૯૨૨ માં ‘સાબરમતી’ના પહેલા અંકમાં પ્રસિદ્ધ \n\t\tથયેલા વિવેચનલેખ ‘કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં કાવ્યો’ થી અને એ જ અરસામાં ‘યુગધર્મ’ માં લખાયેલાં અવલોકનોથી સંભળાય છે. ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’ (૧૯૩૩), ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં \n\t\tવહેણો’ (૧૯૩૮) ‘કાવ્યની શક્તિ’ (૧૯૩૯), ‘સાહિત્યવિમર્શ’ (૧૯૩૯), ‘આલોચના’ (૧૯૪૪), ‘નર્મદાશંકર કવિ’ (૧૯૩૬)ને સમાવતો ‘નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’ (૧૯૪૫), ‘સાહિત્યાલોક’ (૧૯૫૪), ‘નભોવિહાર’ \n\t\t(૧૯૬૧) અને ‘આકલન’ (૧૯૬૪) એ ગ્રંથોમાં સંઘરાયેલા લેખો દર્શાવે છે કે એમનું ઘણું ગ્રંથાવલોકનકાર્ય જેમ ‘યુગધર્મ’ને ‘પ્રસ્થાન’ ને નિમિત્તે થયું છે તેમ અન્ય કેટલુંક વિવેચનકાર્ય વ્યાખ્યાનો ને સંપાદનોને નિમિત્તે થયું છે. \n\t\tઆમાંથી ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ અને ‘નભોવિહાર’ ગુજરાતી કાવ્ય સાહિત્યની ઐતિહાસિક સમાલોચના આપતા ગ્રંથો તરીકે જુદા તરી આવે છે. ગુજરાતી કવિતાની પદ્યરચનાના \n\t\tઇતિહાસને તપાસતા ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’માં ગુજરાત વિદ્યાસભા તરફથી સોંપાયેલાં છ વ્યાખ્યાનોમાંથી ત્રણ વ્યાખ્યાનોની સામગ્રી રજૂ થઈ છે તે જોતાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોને \n\t\tસમાવતા ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’માં એનું અનુસંધાન જોઈ શકાય. ‘કાવ્યસમુચ્ચય’-ભાગ ૨ (૧૯૨૪)ની ભૂમિકારૂપે કવિઓના વ્યક્તિગત પ્રદાનને અનુલક્ષીને જે પરિચયાત્મક ઇતિહાસ અપાયો હતો તેનાથી, વિવિધ \n\t\tપાસાંઓને અનુલક્ષીને પ્રવાહદર્શન અને વિકાસનિરૂપણની રીતે થયેલું આ આલેખન આગળ જાય છે અને આમ વિવેચકની સમગ્રદર્શનની વિશેષ શક્તિનો પરિચય કરાવે છે. ‘નભોવિહાર’માં મધ્યકાળનો સર્જકલક્ષી અને \n\t\tઅર્વાચીનકાળનો સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી-વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણાં નોંધપાત્ર નિરીક્ષણોને પણ ગૂંથી લે છે. સુરત અને મુંબઈ ખાતે અપાયેલાં બે વ્યાખ્યાનોને સમાવતો ‘નર્મદ : અર્વાચીન \n\t\tગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’ ગ્રંથ ઇતિહાસલક્ષી દ્રષ્ટિએ અને બારીકાઈથી થયેલા સર્જક અભ્યાસ તરીકે નમૂનારૂપ છે. ‘પૂર્વાલાપ’ના સંપાદન (૧૯૨૬)માં મુકાયેલા કાન્ત અને તેમની કવિતાના સઘન અભ્યાસ પછીનો આ પ્રયત્ન \n\t\tએની સર્વગ્રાહિતાથી ધ્યાન ખેંચનારો બન્યો છે.\n\t\t<br/><br/> \n\t\t‘કાવ્યની શક્તિ’ અને ‘સાહિત્યવિમર્શ’માં અન્ય લેખોની સાથે ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે. તે સંક્ષિપ્ત છતાં કૃતિના હાર્દને પ્રગટ કરનારાં છે અને રામનારાયણનો સર્જાતા સાહિત્ય સાથેનો \n\t\tસહૃદય ને સૂઝભર્યો સંબંધ સૂચવે છે. આ ઉપરાંત એમણે કૃતિસમીક્ષાઓ પણ આપી છે. ‘નળાખ્યાન’, ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘આપણો ધર્મ’, ‘વિશ્વગીતા’ વગેરે વિશેના સર્વાંગી અભ્યાસ રજૂ કરતા નિબંધો એમની \n\t\tમૌલિક વિવેચનદ્રષ્ટિથી ખાસ લક્ષ ખેંચે છે. ‘શરદસમીક્ષા’ (૧૯૮૦)માં સંઘરાયેલી શરદબાબુની કૃતિઓના અનુવાદોની તથા રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદોની પણ એમણે લખેલી પ્રસ્વનાઓ ઈતર ભાષાની કૃતિઓની સમીક્ષા \n\t\tતરીકે ધ્યાનાર્હ છે. ‘કાવ્યપરિશીલન’ (૧૯૬૫)માં એમના કેટલાક વિદ્યાર્થીભોગ્ય આસ્વાદો પણ ગ્રંથસ્થ થયા છે.\n\t\t<br/><br/> \n\t\tએમનું પ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચનની નાનકડી નોંધ પણ કશોક નવો પ્રકાશ પાડનાર હોય છે;  કેમ કે એમના પ્રત્યક્ષ વિવેચનને પ્રગટ યા પરોક્ષ તત્ત્વવિચારની ભૂમિકા સાંપડેલી હોય છે. \n\t\t‘કાવ્યની શક્તિ’ લેખમાં પોતાનાં મૂળભૂત સર્વ પ્રતિપાદનો રજૂ કરી દેતો અને અન્ય લેખોમાં વિસ્તરતો રહેલો એમનો સાહિત્યતત્ત્વવિચાર સાહિત્યમાં ઊર્મિ કે વિચારનું એકાન્તિક મહત્ત્વ કરવાને સ્થાને ‘લાગણીમય વિચાર’ કે \n\t\t‘રહસ્ય’ ને કેન્દ્રરૂપે સ્થાપે છે ને એમાં સાહિત્યની એક કલા તરીકેની સ્વાયત્તતાના સ્વીકાર સાથે જીવન, સત્ય, નીતિ વગેરે સાથેના એના સંબંધોની માર્મિક છણાવટ કરે છે. એમની વિવેચનામાં કાવ્યની વર્ણરચનાથી માંડીને \n\t\tસાહિત્યકૃતિની સમગ્ર આકૃતિની તપાસ છે, ખંડકાવ્યાદિ સાહિત્યપ્રકારોની દ્યોતક વિચારણા છે તથા જીવન અને ઇતિહાસના વિશાળ સંદર્ભમાં થયેલું સાહિત્યચિંતન પણ છે. એમણે સંસ્કૃત કાવ્યવિચારને સવિશેષપણે ઝીલ્યો છે \n\t\tઅને એને આજના સંદર્ભમાં નવેસરથી ઘટાવી એની ઉપયુક્તતા સ્થાપિત કરી છે. પણ, યુરોપીય કાવ્યવિચારનોયે લાભ લેવાનું તેઓ ચૂક્યા નથી. પ્રમાણશાસ્ત્રી એવા એમનું વિવેચન તર્કની ઝીણવટ છતાં સમુચિત દ્રષ્ટાંતોના \n\t\tવિનિયોગથી અને પારદર્શક ગદ્યશૈલીથી સદ્યોગમ્ય બને છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે ઘણાં સંપાદનોમાં પણ ઉપોદધાત કે ટિપ્પણ રૂપે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. ‘પૂર્વાલાપ’ની સટિપ્પણ આવૃત્તિ; ઉમાશંકર જોશી સાથે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૩૯), ‘સાહિત્યવિચાર’ \n\t\t(૧૯૪૨), ‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ : ૧ (૧૯૪૬) એ ગ્રંથો; પોતે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘આપણો ધર્મ’ની ત્રીજી આવૃત્તિ (૧૯૪૨) તથા ગોવર્ધન પંચાલ સાથે સંપાદિત કરેલ ‘રાસ અને ગરબા’ \n\t\t(૧૯૫૪)માં એમના નાના યા મોટા ઉપોદઘાતો છે. નરસિંહ મહેતાને નામે ચડેલા ‘ગોવિંદગમન’નું નરહરિ પરીખ સાથે કરેલું સટીક સંપાદન (૧૯૨૩) પાઠ્યક્રમની જરૂરિતાયને વશ વર્તીને થયેલું, પરંતુ એવા જ હેતુથી થયેલાં \n\t\t‘કાવ્યસમુચ્ચય’- ભા. ૧-૨ (સટીક, ૧૯૨૪) તથા ‘કાવ્યપરિચય’-ભા. ૧-૨ (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૮)નાં સંપાદનો ગુજરાતી કવિતાના ચોક્કસ દ્રષ્ટિપૂર્વકના સંચય લેખે લાંબો સમય ઉપયોગી નીવડેલાં. આ સિવાય પણ \n\t\tઅન્યોની સાથે કેટલાંક શાલેય વગેરે સંકલનો એમણે કર્યાં છે.\n\t\t<br/><br/> \n\t\tમમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ : ઉલ્લાસ ૧ થી ૬ નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ (૧૯૨૪) એક પ્રમાણભૂત ને પ્રાસાદિક અનુવાદ લેખે તથા થોડી પણ ચાવીરૂપ પરિભાષા-આદિને સ્ફુટ કરી આપતાં ટિપ્પણોને કારણે \n\t\tચોક્કસ મૂલ્ય ધરાવે છે અને લેખકોની સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સજ્જતાને પ્રગટ કરે છે.\n\t\t<br/><br/> \n\t\tકાવ્યમર્મજ્ઞ તરીકે ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’ થી જ છંદોવિધાનમાં ઉત્કટ રસ લઈ રહેલા એમને એમની શાસ્ત્રબુદ્ધિ પિંગળચર્ચા તરફ સ્વાભાવિક રીતે જ લઈ જાય છે. ‘પ્રાચીન ગુજરાતી છંદો-એક ઐતિહાસિક \n\t\tસમાલોચના’ (૧૯૪૮) અપભ્રંશકાળથી દયારામ સુધીની પદ્યરચનાની શાસ્ત્રીય સમીક્ષા આપીને, કે. હ. ધ્રુવની ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’નો પૂરક ગ્રંથ બને છે. તે ઉપરાંત એમાં દેશીઓને પિંગળબદ્ધ કરવાનો પ્રથમ \n\t\tસમર્થ પ્રયાસ થયેલો છે તે એની વિશેષતા છે. મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના આશ્રયે ૧૯૫૧માં આપેલાં ત્રણ વ્યાખ્યાનો ‘ગુજરાતી પિંગળ :  નવી દ્રષ્ટિએ’  (૧૯૫૨) ‘બૃહત્ પિંગલ’ \n\t\t(૧૯૫૫)ના પૂર્વાસારરૂપ છે; છતાં એમાં એમની વિકસતી જતી ને વિશદ બનતી જતી છંદોવિચારણા જોઈ શકાય છે. સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ‘બૃહત્ પિંગલ’ તો વેદકાળથી આધુનિક આધુનિક સમય સુધીના ડિંગળ, \n\t\tદિંડી, ગઝલ, બ્લેન્ક વર્સ વગેરે સમેત-છંદોનો ઇતિહાસ, છંદોના સ્વરૂપ અને એમનાં આંતરબાહ્ય કલેવરમાં થયેલા ફેરફારો, છંદનાં માત્રા, યતિ, આદિ ઘટકોની કેટલીક કૂટસમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતાઓ વગેરે સર્વ \n\t\tબાબતોને શાસ્ત્રીય ભૂમિકાએ સૂક્ષ્મતાથી ને સવીગત, સાધકબાધક દલીલો સાથે ચર્ચતો એક શકવર્તી આકરગ્રંથ બની રહે છે. ચાર પ્રકરણે અધૂરા રહેલા અને ચિમનલાલ ત્રિવેદી તથા કાન્તિલાલ કાલાણી દ્વારા પૂરા થયેલા \n\t\t‘મધ્યમ પિંગળ’ (૧૯૮૧)માં કાવ્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી આ જ વિષયની સરળ સંક્ષિપ્ત રજૂઆત થયેલી છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે સર્જક તરીકે કવિતા, નાટક, વાર્તા, નિબંધ એમ વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે. તેઓ નાટકના ક્ષેત્રમાં વિદ્યાલયોની, તો વાર્તા-નિબંધનાં ક્ષેત્રોમાં ‘યુગધર્મ’- ‘પ્રસ્થાન’ ની જરૂરિયાતને લઈને ખેંચાયા હતા. કવિતા એમનો \n\t\tસ્વતઃસંભવી વ્યાપાર કહેવાય. ૧૯૨૧માં ‘જાત્રાળુ’ ઉપનામથી લખેલા ‘રાણકદેવી’ થી એમની કાવ્યયાત્રાનો થયેલો આરંભ છેક ૧૯૫૫માં લખાયેલા ‘સાલમુબારક’ સુધી ચાલુ રહ્યો. પહેલા કાવ્યના ‘જાત્રાળુ’ અને પછીથી એક \n\t\tવખત પ્રયોજાયેલા ‘ભૂલારામ’ સિવાય એમણે કાવ્યો પરત્વે ‘શેષ’ ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષના કાવ્યો’ (૧૯૩૮) નામ આપ્યું. પહેલી આવૃત્તિમાં માત્ર સડસઠ અને બીજી આવૃત્તિ (૧૯૫૧)માં તોતેર જેટલાં \n\t\tકાવ્યો તથા થોડાંક પ્રકીર્ણ મુક્તકો આદિને સમાવતો આ સંગ્રહ વિષયના વૈવિધ્યથી નહીં પણ રૂપબંધ, છંદોવિધાન, શૈલી અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાન ખેંચે છે. ગુજરાતી પ્રાકતન  અને અદ્યતન કાવ્યપરંપરામાં \n\t\tપોતીકા, પ્રયોગો કરનાર ‘શેષ’ ની કવિતા સભાન ઘડતરનું પરિણામ હોઈ ‘કાવ્યજ્ઞની કવિતા’ તરીકે ઓળખાઈ છે. ‘શેષ’ ગાંધીયુગને અનુરૂપ જીવનમાંગલ્યનું ગંભીર ગાન કરે છે તે સાથે હાસ્યકટાક્ષવિનોદની રચનાઓ આપે \n\t\tછે, પ્રસન્નદામ્પત્યના રસિકચાતુરીના સંવાદો રચે છે તે સાથે વિરહના શાંતકરુણ સૂરો પણ રેલાવે છે, સ્વભાવોક્તિ સમાં વાસ્તવચિત્રણો કરે છે તેમ ઉપમાચિત્રોની કલ્પનારંગી શૈલી પણ યોજે છે, સૂક્ષ્મ ચિંતનાત્મકતાની સાથે \n\t\tઊંડી ભાવાર્દ્રતા વ્યક્ત કરે છે અને આ રીતે કવિતામાં પોતાની આગવી મુદ્રા અંકિત કરે છે. ‘શેષનાં કાવ્યો’ની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતો મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો’ (૧૯૫૯) ‘શેષ’ની સર્વ \n\t\tલાક્ષણિકતાઓની જાળવણી અને ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવાં ખંડકાવ્યોના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે.\n\t\t<br/><br/> \n\t\tકવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. ૧૯૨૩ થી ‘દ્વિરેફ’ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર આ લેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ \n\t\t‘દ્વિરેફની વાતો’-ભા. ૧ (૧૯૨૮) ધૂમકેતુના ‘તણખા’-મંડળ ૧ (૧૯૨૬)ની સાથે ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપની દ્રઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું  સીમાચિહ્ન બને છે. બહુધા ૧૯૪૧ સુધી લખાયેલી વાર્તાઓના પછીના સંગ્રહો \n\t\tછે ‘દ્વિરેફની વાતો’-ભા. ૨ (૧૯૩૫) અને ‘દ્વિરેફની વાતો’- ભા. ૩ (૧૯૪૨; સંવ.ત્રી.આ. ૧૯૬૧). પોતાની રચનાઓને ‘વાતો’ તરીકે ઓળખાવી આ વાર્તાકારે કોયડાઓ, કિસ્સાઓ, દ્રષ્ટાંતો, પરિસ્થિતિચિત્રણો આદિને સમાવી \n\t\tસમાવી લેવાની અને ગદ્યકાવ્યની શૈલીથી માંડીને દ્રશ્યશૈલી (નાટ્યાત્મક રચના) સુધીની જાતભાતની કથનરીતિને પ્રયોજવાની મોકળાશ મેળવી લીધી છે તે નોંધપાત્ર છે. વિશાળ જીવનમાં શોધેલાં અનેકવિધ માનવપરિસ્થિતિઓ અને જીવનમર્મો, \n\t\tપરિસ્થિતિનું વાસ્તવનિષ્ઠ ને વીગતપૂર્ણ આકલન, મનોવૈજ્ઞાનિક અભિગમ તથા વાર્તાનું આવેગરહિત ઘડતર એ ‘દ્વિરેફ’ની વાર્તાકાર તરીકેની લાક્ષણિકતાઓ છે. ‘મુકુંદરાય’, ‘ખેમી’ જેવી એમની ઘણી વાર્તાઓ પ્રભાવક બનેલી છે.\n\t\t<br/><br/> \n\t\tએમનું નાટ્યસર્જન વિદ્યાર્થીઓને ભજવવા માટેની કૃતિઓ પૂરી પાડવા માટે થયેલું હોઈ કેવળ પ્રાસંગિક છે. અનૂદિત નાટ્યરચનાઓ અને નાટ્યાંશોને પણ સમાવતા મરણોત્તર સંગ્રહ ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’ (૧૯૫૯)માં \n\t\tઅનુક્રમે સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા લઈને આવતી ‘કુલાંગાર’ અને ‘દેવી કે રાક્ષસી?’ એ બે નોંધપાત્ર મૌલિક રચનાઓ છે, જે અગાઉ ‘દ્વિરેફની વાતો’- ભા. ૩ માં ગ્રંથસ્થ થઈ હતી.\n\t\t‘પ્રસ્થાન’ના પ્રકાશન અંગે હળવી શૈલીએ થયેલાં ખુલાસારૂપ લખાણો વાચકોને ગમી જવાથી આવા લખાણને સામયિકનું એક નિયમિત અંગ બનાવીને એમણે ‘સ્વૈરવિહાર’ના ઉપનામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહો \n\t\t‘સ્વૈરવિહાર’-ભા. ૧ (૧૯૩૧) અને ‘સ્વૈરવિહાર’-ભા. ૨ (૧૯૩૭) થયા છે. ‘સ્વૈરવિહાર’ નામને અનુરૂપ આ લખાણોમાં વિષયવસ્તુ તેમ જ નિરૂપણશૈલી બંને પરત્વે લેખકે કોઈ પણ બંધનો સ્વીકાર્યાં નથી અને સાહિત્ય, સમાજ, \n\t\tધર્મ, રાજકારણ, કેળવણી, મનુષ્યસ્વભાવ વગેરે વિષયો અંગેની ટૂચકાથી માંડીને નિબંધ પ્રકાર સુધીની રચનાઓ આપી છે. ક્યાંક ક્યાંક પ્રાસંગિકતા, વિશૃંખલતા અને હેતુલક્ષિતા પ્રગટ કરતાં આ લખાણો ઉપહાસ, કટાક્ષ, \n\t\tકરુણા, રોષ આદિ વિવિધ ભાષાચ્છટાઓ, તાર્કિક ને વાચિક વિલક્ષણ અભિવ્યક્તિપ્રયોગો તથા લેખકની તીક્ષ્ણ બૌદ્ધિકતા, સૂક્ષ્મ સંવેદનશીલતા ને રમતિયાળ કલ્પકતાને લીધે ગુજરાતી નિબંધસાહિત્યમાં પોતાનું ચોક્કસ સ્થાન મેળવી લે છે. \n\t\t<br/><br/> \n\t\tઆ સર્જક માત્ર સાહિત્યના નહીં, પણ વિશાળ જીવનના ઉપાસક છે. એમના વિવેચનસંગ્રહોમાંયે કલા અને સંસ્કારની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનાં એમનાં વિચારસંક્રમણો થયેલાં છે, પરંતુ ‘મનોવિહાર’ (૧૯૫૬) એમની તેજસ્વી \n\t\tવિચારક્તાનો ગાઢ પરિચય કરાવે છે. ‘મનોવિહાર’માં અનેક વિષયો પરત્વેનો એમનો ગંભીર વિચારવિમર્શ રજૂ થયો છે. તે ઉપરાંત એમાં વ્યક્તિચિત્ર, સ્થળવર્ણન વગેરે પ્રકારની રચનાઓ પણ મળે છે.\n\t\t<br/><br/> \n\t\tપ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તૈયાર કરેલી ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ (૧૯૨૨), આચારધર્મનું નિરૂપણ કરતી ‘નિત્યનો આચાર’ (૧૯૪૫) અને યુરોપીય વાર્તાઓનો અનુવાદ ‘ચુંબન અને બીજી વાતો’ (નગીનદાસ પારેખ સાથે, \n\t\t૧૯૨૪; બી.આ. : ‘વામા’ નામે) એ એમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથો છે. આ સિવાય ‘કાવ્યશાસ્ત્ર’ અને ‘આનંદમીમાંસા’ પરની લેખમાળા જેવી એમણે આપેલી કેટલીક ઉપયોગી સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-રમેશ. ર. દવે</p>\n\t\tઅર્વાચીન સાહિત્યના વહેણો (૧૯૩૮): રામનારાયણ વિ. પાઠકનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતો આલોચનગ્રંથ. ગુજરાતી કવિતાના વિકાસનો અહીં તટસ્થપણે સર્વાશ્લેષી આલેખ \n\t\tઆપવાનો સહૃદય પ્રયત્ન છે. શરૂમાં અર્વાચીન કાવ્યના સ્વરૂપને ઘડતાં સામાન્ય ઐતિહાસિક બળોની ચર્ચા કર્યા પછી ભાષા અને પ્રાસની સદ્રષ્ટાંત સમીક્ષા કરી છે. અલંકાર અને રીત પર વિવરણ કર્યું છે; ઉપરાંત કાવ્યમાં \n\t\tસૂક્ષ્મ ઉપાદાન રૂપે આવતાં વિચાર અને લાગણીનું પણ પરીક્ષણ કર્યું છે. છેલ્લે, કાવ્યના પ્રકારો બતાવી ઉપસંહાર કર્યો છે. કવિ કે વ્યક્તિને ગૌણ કરી કેવળ ઐતિહાસિક પ્રવાહો ઉપર ઠેરવેલું લક્ષ તેમ જ દ્રષ્ટાંતોમાં કૃતિ કે \n\t\tકર્તાના મહત્ત્વ કરતાં વક્તવ્યના નિદર્શનનો આશય આ ગ્રંથને વસ્તુલક્ષી પરિમાણ આપે છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n\t\tકાવ્યની શક્તિ (૧૯૩૯) : રામનારાયણ વિ. પાઠકનાં વિવેચનાત્મક વ્યાખ્યાનો, લેખો તેમ જ ગ્રંથાવલોકનોનો સર્વપ્રથમ સંગ્રહ. ૧૯૨૨ થી ૧૯૩૯ સુધીનાં લખાણોને સમાવતા આ ગ્રંથના પહેલા વિભાગના ૧૭ માંથી ૮ લેખો \n\t\tસંગીત, ચિત્રકલા, નૃત્ય આદિ કલાઓને અને સામાજિક ઉત્સવને લગતા છે એ લેખકની વિશાળ કલાદ્રષ્ટિ અને જીવનનિષ્ઠા સૂચવે છે. આ વિભાગમાં મુકાયેલો ‘કાવ્યની શક્તિ’ એ લેખ એમની કાવ્યવિભાવનાનો સુરેખ ને \n\t\tસર્વાંગી આલેખ રજૂ કરતો, એમની સાહિત્યવિચારણાની પીઠિકારૂપ બની રહેતો, સંગ્રહનો સર્વોત્તમ લેખ છે. કળાના એક પ્રકાર લેખે કાવ્યની વિશેષતા ભાવનું નિરૂપણ કરવામાં છે તે સ્ફૂટ કરી અલંકાર, પદ્ય વગેરે તત્ત્વો \n\t\tકાવ્યભાવને પ્રત્યક્ષીકૃત કરવામાં કેવાં કામે લાગે છે અને આ કાવ્યપ્રતીતિ વ્યવહારપ્રતીતિથી કઈ રીતે જુદી પડીને નિરતિશય આનંદ આપનારી બને છે તે અહીં સૂક્ષ્મ તત્ત્વપરામર્શ અને રસજ્ઞતાપૂર્વક સમજાવ્યું છે. લેખક \n\t\tઅહીં કાવ્યનો સત્ય, નીતિ વગેરે સાથેનો સંબંધ ચર્ચવા સુધી જાય છે અને કાવ્યની સ્વાયત્તતા સ્વીકારવા સાથે જીવનની દ્રષ્ટિબિંદુ આપે છે એ સાહિત્યવિચારક તરીકેની એમની એક આગવી લાક્ષણિકતા પ્રગટ કરે છે.\n\t\t<br/><br/> \n\t\tસંગ્રહમાં વર્ણરચના તથા અલંકારરચનાના વિષયને સદ્રષ્ટાંત અને વિગતે નિરૂપતા લેખો છે એ લેખકનો રચનાપરક અભિગમ સૂચવે છે. તો, પ્રેમાનંદની ત્રણ કૃતિઓના હાસ્યરસની સમીક્ષાના લેખોમાં સંસ્કૃત રસમીમાંસાનો \n\t\tસુંદર વ્યવહારુ વિનિયોગ થયો છે. ‘કવિશ્રી ન્હાનાલાલનું સાહિત્યજીવન’ અમુક અંશે કર્તા-અભ્યાસ હોવા ઉપરાંત ન્હાનાલાલની ભાવનાઓને સ્ફૂટ કરતો હોઈ વિષયલક્ષી અભ્યાસ પણ બને છે. ‘મહાભારતનું નલોપાખ્યાન અને \n\t\tપ્રેમાનંદનું નળાખ્યાન’ એક બારીકાઈભરેલા તુલનાત્મક અભ્યાસ લેખે ધ્યાનાર્હ બને છે. આમ, આટલા લેખો પણ રા. વિ. પાઠક કવિતાસાહિત્ય સાથે કેવા ભિન્નભિન્ન સ્તરે કામ પાડે છે તેના પરિચાયક બને છે.\n\t\tગ્રંથના બીજા વિભાગમાં ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે અને તે સર્જાતા સાહિત્ય સાથેનો લેખકનો સહૃદયતાપૂર્ણ અને સમજદારીભર્યો સંબંધ પ્રગટ કરે છે. સંક્ષિપ્ત છતાં મર્મગ્રાહી એવાં આ \n\t\tઅવલોકનોમાંનાં ઘણાં નિરીક્ષણો આજેય ટકી શકે તેવાં ને ધ્યાન ખેંચનારાં છે. ૩૬માંથી ૩૦ ગ્રંથાવલોકનો તો કાવ્યગ્રંથોનાં છે, જેમાં ‘ભણકાર-ધારા બીજી’, ‘વિશ્વશાંતિ’, ‘કાવ્યમંગલા’, ‘ગંગોત્રી’ ઇત્યાદિ કેટલાક મહત્ત્વના \n\t\tકાવ્યગ્રંથોનો સમાવેશ થયેલા છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત શેઠ</p>\n\t\tનર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા (૧૯૪૫) : રામનારાયણ વિ. પાઠકનું નર્મદ પરનું પુસ્તક. ‘નર્મદશંકર કવિ’ અને ‘નર્મદનું ગદ્ય’ એમ જુદે જુદે સમયે અપાયેલાં બે વ્યાખ્યાનો અહીં ગ્રંથસ્થ કર્યાં છે. બીજું વ્યાખ્યાન \n\t\tપહેલાના અનુસંધાનમાં અને એની પૂર્તિરૂપે હોવાથી વિષયની સમગ્રતા ઊભી થઈ છે. નર્મદનાં બંને પાસાંઓનું તટસ્થ અને તાકિક મૂલ્યાંકન અહીં થયું છે. ખાસ તો, આ વિવેચકે જમાનાથી આગળ જઈને નર્મદના ગદ્યની \n\t\tખાસિયતોને તપાસવા અને એને વિશ્લેષવા ઊભાં કરેલાં કામચલાઉ છતાં વિરલ ઓજારો ધ્યાન ખેંચે છે. દરેક કથનનું પ્રમાણ આપવા અહીં અવતરણોનો છૂટથી ઉપયોગી કરી લેખનને શાસ્ત્રીય બનાવવાનો ઉપક્રમ પણ અભિનંદનીય છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n\t\tબૃહત્ પિંગળ (૧૯૫૫) : રામનારાયણ વિ. પાઠકનો છંદશાસ્ત્ર પરનો શાસ્ત્રીય ગ્રંથ. પંદર પ્રકરણો અને વીસ પરિશિષ્ટોમાં વહેંચાયેલો, લગભગ સાતસો પૃષ્ઠોમાં વિસ્તરેલો આ ગ્રંથ ગુજરાતી કવિતામાં છેક દલપતરામથી \n\t\tરચાવા શરૂ થયેલા છંદશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપણની દ્રષ્ટિએ સહુથી વિશેષ સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિવાળો છે. ગાંધીયુગ સુધીની ગુજરાતી કવિતામાં થયેલાં છંદવિષયક બધા પ્રયોગોની શાસ્ત્રીય વિચારણા અહીં થઈ છે. \n\t\tકાવ્યમાં છંદનું સ્થાન, ગુજરાતી ઉચ્ચારણોના સંદર્ભમાં લઘુગુરુની ચર્ચા, અક્ષરનું સ્વરૂપ, વૈદિક છંદોનું સ્વરૂપ અને તેમના પ્રકારો, અક્ષરમેળ છંદોનું સ્વરૂપ અને તેમનાં મેળ-મિશ્રણો, માત્રામેળ છંદો, સંખ્યામેળ છંદો, \n\t\tમરાઠીમાંથી આવેલા ઓવિ - અભંગ આદિ છંદો, સંખ્યામેળ છંદ, દેશી, પદ, ગઝલનું સ્વરૂપ તેમજ પ્રવાહી છંદ કે સળંગ પદ્યરચનાના પ્રયોગો-એ સર્વની ઝીણવટભરી ચર્ચામાં પોતાના પુરોગામી પિંગળશાસ્ત્રીઓએ આપેલાં \n\t\tમંતવ્યોની ફેરતપાસ છે અને ઘણી જગ્યાએ પોતાનાં મૌલિક પ્રતિપાદન છે. સંધિ અને પદ્યભાર વચ્ચેનો સંબંધ તપાસી ભારતતત્ત્વને લક્ષમાં રાખ્યા વગર સંધિઓનું કરેલું પૃથથક્કરણ; માત્રામેળ છંદોના સંધિઓના તાલ અને \n\t\tસંગીતના તાલ વચ્ચે બતાવેલો સંબંધ; ગઝલના છંદોને માત્રામેળ છંદો જેવા આવૃત્તસંધિ છંદો બતાવવા; ઘનાક્ષરી, મનહર અને અનુષ્ટુપની સંખ્યામેળ છંદો તરીકે ગણના કરવી અને આ છંદોનું અક્ષરમેળ કરતાં માત્રામેળ \n\t\tછંદો સાથેનું મળતાપણું બતાવવું; માત્રામેળ છંદોમાં બ્લૅન્કવર્સ જેવો પ્રવાહી છંદ બનવાની અક્ષમતા, પૃથ્વીમાં પ્રવાહી છંદ બનવાની આંશિક ક્ષમતા અને વનવેલીમાં પ્રવાહી છંદ બનવાની વધુમાં વધુ ક્ષમતા બતાવવી – \n\t\tવગેરે - છંદશાસ્ત્ર વિશેનાં એમણે કરેલાં નિરીક્ષણો મૌલિક અને માર્મિક છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-જયંત ગાડીત</p>\n\t\tશેષનાં કાવ્યો (૧૯૩૮) : રામનારાયણ વિ. પાઠક, ‘શેષ’નો કાવ્યસંગ્રહ. એમાં તોત્તેર જેટલી વિષય, સ્વરૂપ અને વૃત્તના વૈવિધ્યવાળી કૃતિઓ છે; જે ગાંધીયુગનું પ્રતિનિધિત્વ તો કરે જ છે, સાથે નિજી વિશિષ્ટતાને પણ પ્રગટ \n\t\tકરે છે. અભિવ્યક્તિમાં ઠાકોરશાઈ રહેવા છતાં કવિએ અહીં સૉનેટ ઉપરાંત મુક્તકો, ગીતો, ભજનો આપ્યાં છે; મધ્યકાલીન સ્વરૂપોને પણ અર્વાચીન રીતે પ્રયોજ્યાં છે; ને કાવ્યશાસ્ત્રની પૂરી જાણકારી અને સૂઝબૂઝથી \n\t\tપ્રયોગમાંય લગભગ પ્રતિભાની બરાબરીનું કવિકર્મ સિદ્ધ કર્યું છે. આ કાવ્યોની બીજી વિશિષ્ટતા છે, કવિની બૌદ્ધિક સજજતા. પ્રેરણાવશતાને બદલે એમાં બુદ્ધિનું પ્રબુદ્ધ કર્મ જોવાય છે. કોઈ એક ભાવ કે વિષયનું એમાં ઘેઘૂર આલેખન નથી; પણ કલાનાં સંયમ, \n\t\tપ્રકાશ અને પ્રસન્નતા છે. આવાં નોંધપાત્ર કાવ્યો ‘ડુંગરની કોરે’, ‘એક સંધ્યા’, ‘છેલ્લું દર્શન’, ‘ઓચિંતી ઊર્મિ’, ‘એક કારમી કહાણી’, ‘રાણકદેવી’, ‘વૈશાખનો બપોર’, ‘આતમરામને’, ‘સિંધુનું આમંત્રણ’ વગેરે છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-નરોત્તમ પલાણ</p>\n\t\tદ્વિરેફની વાતો- ભા. ૧, ૨, ૩ (૧૯૨૮, ૧૯૩૫, ૧૯૪૨) : રામનારાયણ વિ. પાઠકે ‘દ્વિરેફ’ના ઉપનામથી લકેલી વાર્તાઓના સંગ્રહો. ધૂમકેતુની ભાવનામય અને કૌતુકરાગી વસ્તુસામગ્રી અને નિરૂપણપદ્ધતિની સામે જઈ, એની \n\t\tપૂરક હોય  એવી સ્વસ્થ બૌદ્ધિક સંવેદનશીલ ભૂમિમાં વાર્તાને રોપવાનું કામ આ સંગ્રહોએ કર્યું છે. પ્રયોગશીલ નિરૂપણભંગીઓની અને સાર્થક પ્રવિધિઓની વિવિધતા અહીં ધ્યાન ખેંચે છે. મનોવિશ્લેષણની વિલંબનરીતિ ને એ \n\t\tદ્વારા જળવાઈ રહી અંતે પ્રગટતું રહસ્ય આ વાર્તાઓની વિશિષ્ટતા છે. હાસ્યના વિવિધ પ્રકારો નીચે પ્રચ્છન્ન વહેતો કરુણ કેટલીક વાર્તાઓને સ્થાયીત્વ બક્ષે છે; તો ક્યારેક અનિષ્ટ સાથેનો સ્વસ્થ સમભાવ પણ આકર્ષક રીતે \n\t\tવાર્તાઓને જિવાડી જાય છે. સઘન પ્રતીકાત્મકતા ધારણ કરતી ‘જમનાનું પૂર’, વાર્તા અંતર્ગત વાર્તાના કરુણગર્ભને પોષતી ‘મુકુન્દરાય’, પ્રસન્નદાંપત્યની લાક્ષણિક મુદ્રા બનાવતી ‘જક્ષણી’, વિશેષ સામાજિક પરિવેશ વચ્ચે \n\t\tનારીના સંકલ્પબળ સુધી પહોંચતી ‘ખેમી’, દાંપત્યવિષમતાને હળવી રીતે ભાણપદ્ધતિએ ઉઘાડતી ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’- આ સંગ્રહોની જ નહિ, ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n\t\tસ્વૈરવિહાર – ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૭) : રામનારાયણ વિ. પાઠકના નિબંધોના સંગ્રહો. ‘પ્રસ્થાન’ નિમિત્તે અને સ્વૈરવિહાર અર્થે લખાયેલા આ લેખો છે. યદ્દચ્છાથી વિષયો, વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રસંગોને થતો યત્કિંચિત્ સ્પર્શ \n\t\tઅને એ નિમિત્તે રચાતાં સાદ્દશ્યોમાંથી ઊભો થતો સ્વૈરવિહાર આ લેખોનો ઘાટ રચે છે. સપાટી પરથી મર્મ તરફ અને મર્મથી સપાટી તરફ સરકતા વિનોદ સાથે હળવાશનો એક પુટ આ લેખોમાં જોવાય છે. એમાં તરંગતુક્કા, \n\t\tતર્કાતર્કનાં સ્થિત્યંતરો, વ્યંગકટાક્ષ-વિડંબનાના અનેકાનેક સ્તરો અને આંતરબાહ્ય આવાગમનનાં સંક્રમણો આહલાદક છે. વિવિધ વાક્યપ્રયોગો, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, અલંકારો, અવતરણો, કહેવતોથી ઉદબોધન, ચિંતન, \n\t\tસંવાદ અને કથનનાં શૈલીરૂપોમાં સરતું એમનું ગદ્ય નર્મ-મર્મની અનેક સીમાઓમાં અનુનેયશીલ છે. રમતિયાળપણાથી, છટકિયાળપણાથી અને જીવંતપણાથી આ સ્વૈરવિહારોએ નિબંધના સ્વરૂપની નવી તરેહો નિપજાવી છે. \n\t\t‘ખરાબ કરવાની કળા’, ‘જેલવિહાર’, ‘મુંબઈ વિશે’ જેવાં લખાણો એ હકીકતનાં સુંદર ઉદાહરણો છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પાઠક રામનારાયણ વિશ્વનાથ, ‘દ્વિરેફ’, ‘શેષ’, ‘સ્વૈરવિહારી’  \t\t(૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં. શિક્ષકની નોકરી કરતા પિતાની  \t\tબદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં. ઉચ્ચશિક્ષણ ભાવનગર તેમ જ મુંબઈમાં. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ૧૯૦૮માં બી.એ. વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી  \t\tન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ૧૯૧૧માં એલએલ.બી.ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા. પ્રર્યાપ્ત આર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી  \t\tશેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાનો નિર્ણય કરેલો, પણ ૧૯૧૯ના અંતમાં એમણે માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ  \t\tજે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનમાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં  \t\tપ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યાં કે  \t\t‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડ્યા પછી ‘પ્રસ્થાન’ની નિઃશુલ્ક સેવા કરતાં એમણે ખાનગી ટ્યૂશનોથી આજીવિકા ચલાવી. દરમિયાન ગાંધીજીના વિવિધ સત્યાગ્રહોમાં ભાગ લઈ, એક વખત જેલ પણ  \t\tવેઠી. ૧૯૩૫માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી ૧૯૫૨ સુધી ત્યાં તથા અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજ, ગૂજરાત વિદ્યાસભા, મુંબઈની ભવન્સ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવનમાં  \t\tજુદા જુદા સમયે અધ્યાપક. ૧૯૫૩ માં આકાશવાણી મુંબઈના સલાહકાર. ૧૯૪૬માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૫૬નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન. \t\t   \t\tવિદ્યાભ્યાસે તત્ત્વવિદ તેઓ કલા તેમ જ શાસ્ત્ર ઉભય ક્ષેત્રની પ્રતિભા ધરાવતા હતા, પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેઓ વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે. તેમની સાહિત્યિક કારકિર્દી ૧૯૨૨ માં ‘સાબરમતી’ના પહેલા અંકમાં પ્રસિદ્ધ  \t\tથયેલા વિવેચનલેખ ‘કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં કાવ્યો’ થી અને એ જ અરસામાં ‘યુગધર્મ’ માં લખાયેલાં અવલોકનોથી સંભળાય છે. ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’ (૧૯૩૩), ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં  \t\tવહેણો’ (૧૯૩૮) ‘કાવ્યની શક્તિ’ (૧૯૩૯), ‘સાહિત્યવિમર્શ’ (૧૯૩૯), ‘આલોચના’ (૧૯૪૪), ‘નર્મદાશંકર કવિ’ (૧૯૩૬)ને સમાવતો ‘નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’ (૧૯૪૫), ‘સાહિત્યાલોક’ (૧૯૫૪), ‘નભોવિહાર’  \t\t(૧૯૬૧) અને ‘આકલન’ (૧૯૬૪) એ ગ્રંથોમાં સંઘરાયેલા લેખો દર્શાવે છે કે એમનું ઘણું ગ્રંથાવલોકનકાર્ય જેમ ‘યુગધર્મ’ને ‘પ્રસ્થાન’ ને નિમિત્તે થયું છે તેમ અન્ય કેટલુંક વિવેચનકાર્ય વ્યાખ્યાનો ને સંપાદનોને નિમિત્તે થયું છે.  \t\tઆમાંથી ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ અને ‘નભોવિહાર’ ગુજરાતી કાવ્ય સાહિત્યની ઐતિહાસિક સમાલોચના આપતા ગ્રંથો તરીકે જુદા તરી આવે છે. ગુજરાતી કવિતાની પદ્યરચનાના  \t\tઇતિહાસને તપાસતા ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’માં ગુજરાત વિદ્યાસભા તરફથી સોંપાયેલાં છ વ્યાખ્યાનોમાંથી ત્રણ વ્યાખ્યાનોની સામગ્રી રજૂ થઈ છે તે જોતાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોને  \t\tસમાવતા ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’માં એનું અનુસંધાન જોઈ શકાય. ‘કાવ્યસમુચ્ચય’-ભાગ ૨ (૧૯૨૪)ની ભૂમિકારૂપે કવિઓના વ્યક્તિગત પ્રદાનને અનુલક્ષીને જે પરિચયાત્મક ઇતિહાસ અપાયો હતો તેનાથી, વિવિધ  \t\tપાસાંઓને અનુલક્ષીને પ્રવાહદર્શન અને વિકાસનિરૂપણની રીતે થયેલું આ આલેખન આગળ જાય છે અને આમ વિવેચકની સમગ્રદર્શનની વિશેષ શક્તિનો પરિચય કરાવે છે. ‘નભોવિહાર’માં મધ્યકાળનો સર્જકલક્ષી અને  \t\tઅર્વાચીનકાળનો સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી-વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણાં નોંધપાત્ર નિરીક્ષણોને પણ ગૂંથી લે છે. સુરત અને મુંબઈ ખાતે અપાયેલાં બે વ્યાખ્યાનોને સમાવતો ‘નર્મદ : અર્વાચીન  \t\tગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’ ગ્રંથ ઇતિહાસલક્ષી દ્રષ્ટિએ અને બારીકાઈથી થયેલા સર્જક અભ્યાસ તરીકે નમૂનારૂપ છે. ‘પૂર્વાલાપ’ના સંપાદન (૧૯૨૬)માં મુકાયેલા કાન્ત અને તેમની કવિતાના સઘન અભ્યાસ પછીનો આ પ્રયત્ન  \t\tએની સર્વગ્રાહિતાથી ધ્યાન ખેંચનારો બન્યો છે. \t\t   \t\t‘કાવ્યની શક્તિ’ અને ‘સાહિત્યવિમર્શ’માં અન્ય લેખોની સાથે ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે. તે સંક્ષિપ્ત છતાં કૃતિના હાર્દને પ્રગટ કરનારાં છે અને રામનારાયણનો સર્જાતા સાહિત્ય સાથેનો  \t\tસહૃદય ને સૂઝભર્યો સંબંધ સૂચવે છે. આ ઉપરાંત એમણે કૃતિસમીક્ષાઓ પણ આપી છે. ‘નળાખ્યાન’, ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘આપણો ધર્મ’, ‘વિશ્વગીતા’ વગેરે વિશેના સર્વાંગી અભ્યાસ રજૂ કરતા નિબંધો એમની  \t\tમૌલિક વિવેચનદ્રષ્ટિથી ખાસ લક્ષ ખેંચે છે. ‘શરદસમીક્ષા’ (૧૯૮૦)માં સંઘરાયેલી શરદબાબુની કૃતિઓના અનુવાદોની તથા રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદોની પણ એમણે લખેલી પ્રસ્વનાઓ ઈતર ભાષાની કૃતિઓની સમીક્ષા  \t\tતરીકે ધ્યાનાર્હ છે. ‘કાવ્યપરિશીલન’ (૧૯૬૫)માં એમના કેટલાક વિદ્યાર્થીભોગ્ય આસ્વાદો પણ ગ્રંથસ્થ થયા છે. \t\t   \t\tએમનું પ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચનની નાનકડી નોંધ પણ કશોક નવો પ્રકાશ પાડનાર હોય છે;  કેમ કે એમના પ્રત્યક્ષ વિવેચનને પ્રગટ યા પરોક્ષ તત્ત્વવિચારની ભૂમિકા સાંપડેલી હોય છે.  \t\t‘કાવ્યની શક્તિ’ લેખમાં પોતાનાં મૂળભૂત સર્વ પ્રતિપાદનો રજૂ કરી દેતો અને અન્ય લેખોમાં વિસ્તરતો રહેલો એમનો સાહિત્યતત્ત્વવિચાર સાહિત્યમાં ઊર્મિ કે વિચારનું એકાન્તિક મહત્ત્વ કરવાને સ્થાને ‘લાગણીમય વિચાર’ કે  \t\t‘રહસ્ય’ ને કેન્દ્રરૂપે સ્થાપે છે ને એમાં સાહિત્યની એક કલા તરીકેની સ્વાયત્તતાના સ્વીકાર સાથે જીવન, સત્ય, નીતિ વગેરે સાથેના એના સંબંધોની માર્મિક છણાવટ કરે છે. એમની વિવેચનામાં કાવ્યની વર્ણરચનાથી માંડીને  \t\tસાહિત્યકૃતિની સમગ્ર આકૃતિની તપાસ છે, ખંડકાવ્યાદિ સાહિત્યપ્રકારોની દ્યોતક વિચારણા છે તથા જીવન અને ઇતિહાસના વિશાળ સંદર્ભમાં થયેલું સાહિત્યચિંતન પણ છે. એમણે સંસ્કૃત કાવ્યવિચારને સવિશેષપણે ઝીલ્યો છે  \t\tઅને એને આજના સંદર્ભમાં નવેસરથી ઘટાવી એની ઉપયુક્તતા સ્થાપિત કરી છે. પણ, યુરોપીય કાવ્યવિચારનોયે લાભ લેવાનું તેઓ ચૂક્યા નથી. પ્રમાણશાસ્ત્રી એવા એમનું વિવેચન તર્કની ઝીણવટ છતાં સમુચિત દ્રષ્ટાંતોના  \t\tવિનિયોગથી અને પારદર્શક ગદ્યશૈલીથી સદ્યોગમ્ય બને છે. \t\t   \t\tએમણે ઘણાં સંપાદનોમાં પણ ઉપોદધાત કે ટિપ્પણ રૂપે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. ‘પૂર્વાલાપ’ની સટિપ્પણ આવૃત્તિ; ઉમાશંકર જોશી સાથે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૩૯), ‘સાહિત્યવિચાર’  \t\t(૧૯૪૨), ‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ : ૧ (૧૯૪૬) એ ગ્રંથો; પોતે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘આપણો ધર્મ’ની ત્રીજી આવૃત્તિ (૧૯૪૨) તથા ગોવર્ધન પંચાલ સાથે સંપાદિત કરેલ ‘રાસ અને ગરબા’  \t\t(૧૯૫૪)માં એમના નાના યા મોટા ઉપોદઘાતો છે. નરસિંહ મહેતાને નામે ચડેલા ‘ગોવિંદગમન’નું નરહરિ પરીખ સાથે કરેલું સટીક સંપાદન (૧૯૨૩) પાઠ્યક્રમની જરૂરિતાયને વશ વર્તીને થયેલું, પરંતુ એવા જ હેતુથી થયેલાં  \t\t‘કાવ્યસમુચ્ચય’- ભા. ૧-૨ (સટીક, ૧૯૨૪) તથા ‘કાવ્યપરિચય’-ભા. ૧-૨ (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૮)નાં સંપાદનો ગુજરાતી કવિતાના ચોક્કસ દ્રષ્ટિપૂર્વકના સંચય લેખે લાંબો સમય ઉપયોગી નીવડેલાં. આ સિવાય પણ  \t\tઅન્યોની સાથે કેટલાંક શાલેય વગેરે સંકલનો એમણે કર્યાં છે. \t\t   \t\tમમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ : ઉલ્લાસ ૧ થી ૬ નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ (૧૯૨૪) એક પ્રમાણભૂત ને પ્રાસાદિક અનુવાદ લેખે તથા થોડી પણ ચાવીરૂપ પરિભાષા-આદિને સ્ફુટ કરી આપતાં ટિપ્પણોને કારણે  \t\tચોક્કસ મૂલ્ય ધરાવે છે અને લેખકોની સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સજ્જતાને પ્રગટ કરે છે. \t\t   \t\tકાવ્યમર્મજ્ઞ તરીકે ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’ થી જ છંદોવિધાનમાં ઉત્કટ રસ લઈ રહેલા એમને એમની શાસ્ત્રબુદ્ધિ પિંગળચર્ચા તરફ સ્વાભાવિક રીતે જ લઈ જાય છે. ‘પ્રાચીન ગુજરાતી છંદો-એક ઐતિહાસિક  \t\tસમાલોચના’ (૧૯૪૮) અપભ્રંશકાળથી દયારામ સુધીની પદ્યરચનાની શાસ્ત્રીય સમીક્ષા આપીને, કે. હ. ધ્રુવની ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’નો પૂરક ગ્રંથ બને છે. તે ઉપરાંત એમાં દેશીઓને પિંગળબદ્ધ કરવાનો પ્રથમ  \t\tસમર્થ પ્રયાસ થયેલો છે તે એની વિશેષતા છે. મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના આશ્રયે ૧૯૫૧માં આપેલાં ત્રણ વ્યાખ્યાનો ‘ગુજરાતી પિંગળ :  નવી દ્રષ્ટિએ’  (૧૯૫૨) ‘બૃહત્ પિંગલ’  \t\t(૧૯૫૫)ના પૂર્વાસારરૂપ છે; છતાં એમાં એમની વિકસતી જતી ને વિશદ બનતી જતી છંદોવિચારણા જોઈ શકાય છે. સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ‘બૃહત્ પિંગલ’ તો વેદકાળથી આધુનિક આધુનિક સમય સુધીના ડિંગળ,  \t\tદિંડી, ગઝલ, બ્લેન્ક વર્સ વગેરે સમેત-છંદોનો ઇતિહાસ, છંદોના સ્વરૂપ અને એમનાં આંતરબાહ્ય કલેવરમાં થયેલા ફેરફારો, છંદનાં માત્રા, યતિ, આદિ ઘટકોની કેટલીક કૂટસમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતાઓ વગેરે સર્વ  \t\tબાબતોને શાસ્ત્રીય ભૂમિકાએ સૂક્ષ્મતાથી ને સવીગત, સાધકબાધક દલીલો સાથે ચર્ચતો એક શકવર્તી આકરગ્રંથ બની રહે છે. ચાર પ્રકરણે અધૂરા રહેલા અને ચિમનલાલ ત્રિવેદી તથા કાન્તિલાલ કાલાણી દ્વારા પૂરા થયેલા  \t\t‘મધ્યમ પિંગળ’ (૧૯૮૧)માં કાવ્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી આ જ વિષયની સરળ સંક્ષિપ્ત રજૂઆત થયેલી છે. \t\t   \t\tએમણે સર્જક તરીકે કવિતા, નાટક, વાર્તા, નિબંધ એમ વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે. તેઓ નાટકના ક્ષેત્રમાં વિદ્યાલયોની, તો વાર્તા-નિબંધનાં ક્ષેત્રોમાં ‘યુગધર્મ’- ‘પ્રસ્થાન’ ની જરૂરિયાતને લઈને ખેંચાયા હતા. કવિતા એમનો  \t\tસ્વતઃસંભવી વ્યાપાર કહેવાય. ૧૯૨૧માં ‘જાત્રાળુ’ ઉપનામથી લખેલા ‘રાણકદેવી’ થી એમની કાવ્યયાત્રાનો થયેલો આરંભ છેક ૧૯૫૫માં લખાયેલા ‘સાલમુબારક’ સુધી ચાલુ રહ્યો. પહેલા કાવ્યના ‘જાત્રાળુ’ અને પછીથી એક  \t\tવખત પ્રયોજાયેલા ‘ભૂલારામ’ સિવાય એમણે કાવ્યો પરત્વે ‘શેષ’ ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષના કાવ્યો’ (૧૯૩૮) નામ આપ્યું. પહેલી આવૃત્તિમાં માત્ર સડસઠ અને બીજી આવૃત્તિ (૧૯૫૧)માં તોતેર જેટલાં  \t\tકાવ્યો તથા થોડાંક પ્રકીર્ણ મુક્તકો આદિને સમાવતો આ સંગ્રહ વિષયના વૈવિધ્યથી નહીં પણ રૂપબંધ, છંદોવિધાન, શૈલી અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાન ખેંચે છે. ગુજરાતી પ્રાકતન  અને અદ્યતન કાવ્યપરંપરામાં  \t\tપોતીકા, પ્રયોગો કરનાર ‘શેષ’ ની કવિતા સભાન ઘડતરનું પરિણામ હોઈ ‘કાવ્યજ્ઞની કવિતા’ તરીકે ઓળખાઈ છે. ‘શેષ’ ગાંધીયુગને અનુરૂપ જીવનમાંગલ્યનું ગંભીર ગાન કરે છે તે સાથે હાસ્યકટાક્ષવિનોદની રચનાઓ આપે  \t\tછે, પ્રસન્નદામ્પત્યના રસિકચાતુરીના સંવાદો રચે છે તે સાથે વિરહના શાંતકરુણ સૂરો પણ રેલાવે છે, સ્વભાવોક્તિ સમાં વાસ્તવચિત્રણો કરે છે તેમ ઉપમાચિત્રોની કલ્પનારંગી શૈલી પણ યોજે છે, સૂક્ષ્મ ચિંતનાત્મકતાની સાથે  \t\tઊંડી ભાવાર્દ્રતા વ્યક્ત કરે છે અને આ રીતે કવિતામાં પોતાની આગવી મુદ્રા અંકિત કરે છે. ‘શેષનાં કાવ્યો’ની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતો મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો’ (૧૯૫૯) ‘શેષ’ની સર્વ  \t\tલાક્ષણિકતાઓની જાળવણી અને ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવાં ખંડકાવ્યોના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે. \t\t   \t\tકવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. ૧૯૨૩ થી ‘દ્વિરેફ’ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર આ લેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ  \t\t‘દ્વિરેફની વાતો’-ભા. ૧ (૧૯૨૮) ધૂમકેતુના ‘તણખા’-મંડળ ૧ (૧૯૨૬)ની સાથે ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપની દ્રઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું  સીમાચિહ્ન બને છે. બહુધા ૧૯૪૧ સુધી લખાયેલી વાર્તાઓના પછીના સંગ્રહો  \t\tછે ‘દ્વિરેફની વાતો’-ભા. ૨ (૧૯૩૫) અને ‘દ્વિરેફની વાતો’- ભા. ૩ (૧૯૪૨; સંવ.ત્રી.આ. ૧૯૬૧). પોતાની રચનાઓને ‘વાતો’ તરીકે ઓળખાવી આ વાર્તાકારે કોયડાઓ, કિસ્સાઓ, દ્રષ્ટાંતો, પરિસ્થિતિચિત્રણો આદિને સમાવી  \t\tસમાવી લેવાની અને ગદ્યકાવ્યની શૈલીથી માંડીને દ્રશ્યશૈલી (નાટ્યાત્મક રચના) સુધીની જાતભાતની કથનરીતિને પ્રયોજવાની મોકળાશ મેળવી લીધી છે તે નોંધપાત્ર છે. વિશાળ જીવનમાં શોધેલાં અનેકવિધ માનવપરિસ્થિતિઓ અને જીવનમર્મો,  \t\tપરિસ્થિતિનું વાસ્તવનિષ્ઠ ને વીગતપૂર્ણ આકલન, મનોવૈજ્ઞાનિક અભિગમ તથા વાર્તાનું આવેગરહિત ઘડતર એ ‘દ્વિરેફ’ની વાર્તાકાર તરીકેની લાક્ષણિકતાઓ છે. ‘મુકુંદરાય’, ‘ખેમી’ જેવી એમની ઘણી વાર્તાઓ પ્રભાવક બનેલી છે. \t\t   \t\tએમનું નાટ્યસર્જન વિદ્યાર્થીઓને ભજવવા માટેની કૃતિઓ પૂરી પાડવા માટે થયેલું હોઈ કેવળ પ્રાસંગિક છે. અનૂદિત નાટ્યરચનાઓ અને નાટ્યાંશોને પણ સમાવતા મરણોત્તર સંગ્રહ ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’ (૧૯૫૯)માં  \t\tઅનુક્રમે સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા લઈને આવતી ‘કુલાંગાર’ અને ‘દેવી કે રાક્ષસી?’ એ બે નોંધપાત્ર મૌલિક રચનાઓ છે, જે અગાઉ ‘દ્વિરેફની વાતો’- ભા. ૩ માં ગ્રંથસ્થ થઈ હતી. \t\t‘પ્રસ્થાન’ના પ્રકાશન અંગે હળવી શૈલીએ થયેલાં ખુલાસારૂપ લખાણો વાચકોને ગમી જવાથી આવા લખાણને સામયિકનું એક નિયમિત અંગ બનાવીને એમણે ‘સ્વૈરવિહાર’ના ઉપનામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહો  \t\t‘સ્વૈરવિહાર’-ભા. ૧ (૧૯૩૧) અને ‘સ્વૈરવિહાર’-ભા. ૨ (૧૯૩૭) થયા છે. ‘સ્વૈરવિહાર’ નામને અનુરૂપ આ લખાણોમાં વિષયવસ્તુ તેમ જ નિરૂપણશૈલી બંને પરત્વે લેખકે કોઈ પણ બંધનો સ્વીકાર્યાં નથી અને સાહિત્ય, સમાજ,  \t\tધર્મ, રાજકારણ, કેળવણી, મનુષ્યસ્વભાવ વગેરે વિષયો અંગેની ટૂચકાથી માંડીને નિબંધ પ્રકાર સુધીની રચનાઓ આપી છે. ક્યાંક ક્યાંક પ્રાસંગિકતા, વિશૃંખલતા અને હેતુલક્ષિતા પ્રગટ કરતાં આ લખાણો ઉપહાસ, કટાક્ષ,  \t\tકરુણા, રોષ આદિ વિવિધ ભાષાચ્છટાઓ, તાર્કિક ને વાચિક વિલક્ષણ અભિવ્યક્તિપ્રયોગો તથા લેખકની તીક્ષ્ણ બૌદ્ધિકતા, સૂક્ષ્મ સંવેદનશીલતા ને રમતિયાળ કલ્પકતાને લીધે ગુજરાતી નિબંધસાહિત્યમાં પોતાનું ચોક્કસ સ્થાન મેળવી લે છે.  \t\t   \t\tઆ સર્જક માત્ર સાહિત્યના નહીં, પણ વિશાળ જીવનના ઉપાસક છે. એમના વિવેચનસંગ્રહોમાંયે કલા અને સંસ્કારની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનાં એમનાં વિચારસંક્રમણો થયેલાં છે, પરંતુ ‘મનોવિહાર’ (૧૯૫૬) એમની તેજસ્વી  \t\tવિચારક્તાનો ગાઢ પરિચય કરાવે છે. ‘મનોવિહાર’માં અનેક વિષયો પરત્વેનો એમનો ગંભીર વિચારવિમર્શ રજૂ થયો છે. તે ઉપરાંત એમાં વ્યક્તિચિત્ર, સ્થળવર્ણન વગેરે પ્રકારની રચનાઓ પણ મળે છે. \t\t   \t\tપ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તૈયાર કરેલી ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ (૧૯૨૨), આચારધર્મનું નિરૂપણ કરતી ‘નિત્યનો આચાર’ (૧૯૪૫) અને યુરોપીય વાર્તાઓનો અનુવાદ ‘ચુંબન અને બીજી વાતો’ (નગીનદાસ પારેખ સાથે,  \t\t૧૯૨૪; બી.આ. : ‘વામા’ નામે) એ એમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથો છે. આ સિવાય ‘કાવ્યશાસ્ત્ર’ અને ‘આનંદમીમાંસા’ પરની લેખમાળા જેવી એમણે આપેલી કેટલીક ઉપયોગી સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે. \t\t   -રમેશ. ર. દવે  \t\tઅર્વાચીન સાહિત્યના વહેણો (૧૯૩૮): રામનારાયણ વિ. પાઠકનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતો આલોચનગ્રંથ. ગુજરાતી કવિતાના વિકાસનો અહીં તટસ્થપણે સર્વાશ્લેષી આલેખ  \t\tઆપવાનો સહૃદય પ્રયત્ન છે. શરૂમાં અર્વાચીન કાવ્યના સ્વરૂપને ઘડતાં સામાન્ય ઐતિહાસિક બળોની ચર્ચા કર્યા પછી ભાષા અને પ્રાસની સદ્રષ્ટાંત સમીક્ષા કરી છે. અલંકાર અને રીત પર વિવરણ કર્યું છે; ઉપરાંત કાવ્યમાં  \t\tસૂક્ષ્મ ઉપાદાન રૂપે આવતાં વિચાર અને લાગણીનું પણ પરીક્ષણ કર્યું છે. છેલ્લે, કાવ્યના પ્રકારો બતાવી ઉપસંહાર કર્યો છે. કવિ કે વ્યક્તિને ગૌણ કરી કેવળ ઐતિહાસિક પ્રવાહો ઉપર ઠેરવેલું લક્ષ તેમ જ દ્રષ્ટાંતોમાં કૃતિ કે  \t\tકર્તાના મહત્ત્વ કરતાં વક્તવ્યના નિદર્શનનો આશય આ ગ્રંથને વસ્તુલક્ષી પરિમાણ આપે છે. \t\t   -ચંદ્રકાન્ત ટોપીવાળા  \t\tકાવ્યની શક્તિ (૧૯૩૯) : રામનારાયણ વિ. પાઠકનાં વિવેચનાત્મક વ્યાખ્યાનો, લેખો તેમ જ ગ્રંથાવલોકનોનો સર્વપ્રથમ સંગ્રહ. ૧૯૨૨ થી ૧૯૩૯ સુધીનાં લખાણોને સમાવતા આ ગ્રંથના પહેલા વિભાગના ૧૭ માંથી ૮ લેખો  \t\tસંગીત, ચિત્રકલા, નૃત્ય આદિ કલાઓને અને સામાજિક ઉત્સવને લગતા છે એ લેખકની વિશાળ કલાદ્રષ્ટિ અને જીવનનિષ્ઠા સૂચવે છે. આ વિભાગમાં મુકાયેલો ‘કાવ્યની શક્તિ’ એ લેખ એમની કાવ્યવિભાવનાનો સુરેખ ને  \t\tસર્વાંગી આલેખ રજૂ કરતો, એમની સાહિત્યવિચારણાની પીઠિકારૂપ બની રહેતો, સંગ્રહનો સર્વોત્તમ લેખ છે. કળાના એક પ્રકાર લેખે કાવ્યની વિશેષતા ભાવનું નિરૂપણ કરવામાં છે તે સ્ફૂટ કરી અલંકાર, પદ્ય વગેરે તત્ત્વો  \t\tકાવ્યભાવને પ્રત્યક્ષીકૃત કરવામાં કેવાં કામે લાગે છે અને આ કાવ્યપ્રતીતિ વ્યવહારપ્રતીતિથી કઈ રીતે જુદી પડીને નિરતિશય આનંદ આપનારી બને છે તે અહીં સૂક્ષ્મ તત્ત્વપરામર્શ અને રસજ્ઞતાપૂર્વક સમજાવ્યું છે. લેખક  \t\tઅહીં કાવ્યનો સત્ય, નીતિ વગેરે સાથેનો સંબંધ ચર્ચવા સુધી જાય છે અને કાવ્યની સ્વાયત્તતા સ્વીકારવા સાથે જીવનની દ્રષ્ટિબિંદુ આપે છે એ સાહિત્યવિચારક તરીકેની એમની એક આગવી લાક્ષણિકતા પ્રગટ કરે છે. \t\t   \t\tસંગ્રહમાં વર્ણરચના તથા અલંકારરચનાના વિષયને સદ્રષ્ટાંત અને વિગતે નિરૂપતા લેખો છે એ લેખકનો રચનાપરક અભિગમ સૂચવે છે. તો, પ્રેમાનંદની ત્રણ કૃતિઓના હાસ્યરસની સમીક્ષાના લેખોમાં સંસ્કૃત રસમીમાંસાનો  \t\tસુંદર વ્યવહારુ વિનિયોગ થયો છે. ‘કવિશ્રી ન્હાનાલાલનું સાહિત્યજીવન’ અમુક અંશે કર્તા-અભ્યાસ હોવા ઉપરાંત ન્હાનાલાલની ભાવનાઓને સ્ફૂટ કરતો હોઈ વિષયલક્ષી અભ્યાસ પણ બને છે. ‘મહાભારતનું નલોપાખ્યાન અને  \t\tપ્રેમાનંદનું નળાખ્યાન’ એક બારીકાઈભરેલા તુલનાત્મક અભ્યાસ લેખે ધ્યાનાર્હ બને છે. આમ, આટલા લેખો પણ રા. વિ. પાઠક કવિતાસાહિત્ય સાથે કેવા ભિન્નભિન્ન સ્તરે કામ પાડે છે તેના પરિચાયક બને છે. \t\tગ્રંથના બીજા વિભાગમાં ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે અને તે સર્જાતા સાહિત્ય સાથેનો લેખકનો સહૃદયતાપૂર્ણ અને સમજદારીભર્યો સંબંધ પ્રગટ કરે છે. સંક્ષિપ્ત છતાં મર્મગ્રાહી એવાં આ  \t\tઅવલોકનોમાંનાં ઘણાં નિરીક્ષણો આજેય ટકી શકે તેવાં ને ધ્યાન ખેંચનારાં છે. ૩૬માંથી ૩૦ ગ્રંથાવલોકનો તો કાવ્યગ્રંથોનાં છે, જેમાં ‘ભણકાર-ધારા બીજી’, ‘વિશ્વશાંતિ’, ‘કાવ્યમંગલા’, ‘ગંગોત્રી’ ઇત્યાદિ કેટલાક મહત્ત્વના  \t\tકાવ્યગ્રંથોનો સમાવેશ થયેલા છે. \t\t   -ચંદ્રકાન્ત શેઠ  \t\tનર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા (૧૯૪૫) : રામનારાયણ વિ. પાઠકનું નર્મદ પરનું પુસ્તક. ‘નર્મદશંકર કવિ’ અને ‘નર્મદનું ગદ્ય’ એમ જુદે જુદે સમયે અપાયેલાં બે વ્યાખ્યાનો અહીં ગ્રંથસ્થ કર્યાં છે. બીજું વ્યાખ્યાન  \t\tપહેલાના અનુસંધાનમાં અને એની પૂર્તિરૂપે હોવાથી વિષયની સમગ્રતા ઊભી થઈ છે. નર્મદનાં બંને પાસાંઓનું તટસ્થ અને તાકિક મૂલ્યાંકન અહીં થયું છે. ખાસ તો, આ વિવેચકે જમાનાથી આગળ જઈને નર્મદના ગદ્યની  \t\tખાસિયતોને તપાસવા અને એને વિશ્લેષવા ઊભાં કરેલાં કામચલાઉ છતાં વિરલ ઓજારો ધ્યાન ખેંચે છે. દરેક કથનનું પ્રમાણ આપવા અહીં અવતરણોનો છૂટથી ઉપયોગી કરી લેખનને શાસ્ત્રીય બનાવવાનો ઉપક્રમ પણ અભિનંદનીય છે. \t\t   -ચંદ્રકાન્ત ટોપીવાળા  \t\tબૃહત્ પિંગળ (૧૯૫૫) : રામનારાયણ વિ. પાઠકનો છંદશાસ્ત્ર પરનો શાસ્ત્રીય ગ્રંથ. પંદર પ્રકરણો અને વીસ પરિશિષ્ટોમાં વહેંચાયેલો, લગભગ સાતસો પૃષ્ઠોમાં વિસ્તરેલો આ ગ્રંથ ગુજરાતી કવિતામાં છેક દલપતરામથી  \t\tરચાવા શરૂ થયેલા છંદશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપણની દ્રષ્ટિએ સહુથી વિશેષ સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિવાળો છે. ગાંધીયુગ સુધીની ગુજરાતી કવિતામાં થયેલાં છંદવિષયક બધા પ્રયોગોની શાસ્ત્રીય વિચારણા અહીં થઈ છે.  \t\tકાવ્યમાં છંદનું સ્થાન, ગુજરાતી ઉચ્ચારણોના સંદર્ભમાં લઘુગુરુની ચર્ચા, અક્ષરનું સ્વરૂપ, વૈદિક છંદોનું સ્વરૂપ અને તેમના પ્રકારો, અક્ષરમેળ છંદોનું સ્વરૂપ અને તેમનાં મેળ-મિશ્રણો, માત્રામેળ છંદો, સંખ્યામેળ છંદો,  \t\tમરાઠીમાંથી આવેલા ઓવિ - અભંગ આદિ છંદો, સંખ્યામેળ છંદ, દેશી, પદ, ગઝલનું સ્વરૂપ તેમજ પ્રવાહી છંદ કે સળંગ પદ્યરચનાના પ્રયોગો-એ સર્વની ઝીણવટભરી ચર્ચામાં પોતાના પુરોગામી પિંગળશાસ્ત્રીઓએ આપેલાં  \t\tમંતવ્યોની ફેરતપાસ છે અને ઘણી જગ્યાએ પોતાનાં મૌલિક પ્રતિપાદન છે. સંધિ અને પદ્યભાર વચ્ચેનો સંબંધ તપાસી ભારતતત્ત્વને લક્ષમાં રાખ્યા વગર સંધિઓનું કરેલું પૃથથક્કરણ; માત્રામેળ છંદોના સંધિઓના તાલ અને  \t\tસંગીતના તાલ વચ્ચે બતાવેલો સંબંધ; ગઝલના છંદોને માત્રામેળ છંદો જેવા આવૃત્તસંધિ છંદો બતાવવા; ઘનાક્ષરી, મનહર અને અનુષ્ટુપની સંખ્યામેળ છંદો તરીકે ગણના કરવી અને આ છંદોનું અક્ષરમેળ કરતાં માત્રામેળ  \t\tછંદો સાથેનું મળતાપણું બતાવવું; માત્રામેળ છંદોમાં બ્લૅન્કવર્સ જેવો પ્રવાહી છંદ બનવાની અક્ષમતા, પૃથ્વીમાં પ્રવાહી છંદ બનવાની આંશિક ક્ષમતા અને વનવેલીમાં પ્રવાહી છંદ બનવાની વધુમાં વધુ ક્ષમતા બતાવવી –  \t\tવગેરે - છંદશાસ્ત્ર વિશેનાં એમણે કરેલાં નિરીક્ષણો મૌલિક અને માર્મિક છે. \t\t   -જયંત ગાડીત  \t\tશેષનાં કાવ્યો (૧૯૩૮) : રામનારાયણ વિ. પાઠક, ‘શેષ’નો કાવ્યસંગ્રહ. એમાં તોત્તેર જેટલી વિષય, સ્વરૂપ અને વૃત્તના વૈવિધ્યવાળી કૃતિઓ છે; જે ગાંધીયુગનું પ્રતિનિધિત્વ તો કરે જ છે, સાથે નિજી વિશિષ્ટતાને પણ પ્રગટ  \t\tકરે છે. અભિવ્યક્તિમાં ઠાકોરશાઈ રહેવા છતાં કવિએ અહીં સૉનેટ ઉપરાંત મુક્તકો, ગીતો, ભજનો આપ્યાં છે; મધ્યકાલીન સ્વરૂપોને પણ અર્વાચીન રીતે પ્રયોજ્યાં છે; ને કાવ્યશાસ્ત્રની પૂરી જાણકારી અને સૂઝબૂઝથી  \t\tપ્રયોગમાંય લગભગ પ્રતિભાની બરાબરીનું કવિકર્મ સિદ્ધ કર્યું છે. આ કાવ્યોની બીજી વિશિષ્ટતા છે, કવિની બૌદ્ધિક સજજતા. પ્રેરણાવશતાને બદલે એમાં બુદ્ધિનું પ્રબુદ્ધ કર્મ જોવાય છે. કોઈ એક ભાવ કે વિષયનું એમાં ઘેઘૂર આલેખન નથી; પણ કલાનાં સંયમ,  \t\tપ્રકાશ અને પ્રસન્નતા છે. આવાં નોંધપાત્ર કાવ્યો ‘ડુંગરની કોરે’, ‘એક સંધ્યા’, ‘છેલ્લું દર્શન’, ‘ઓચિંતી ઊર્મિ’, ‘એક કારમી કહાણી’, ‘રાણકદેવી’, ‘વૈશાખનો બપોર’, ‘આતમરામને’, ‘સિંધુનું આમંત્રણ’ વગેરે છે. \t\t   -નરોત્તમ પલાણ  \t\tદ્વિરેફની વાતો- ભા. ૧, ૨, ૩ (૧૯૨૮, ૧૯૩૫, ૧૯૪૨) : રામનારાયણ વિ. પાઠકે ‘દ્વિરેફ’ના ઉપનામથી લકેલી વાર્તાઓના સંગ્રહો. ધૂમકેતુની ભાવનામય અને કૌતુકરાગી વસ્તુસામગ્રી અને નિરૂપણપદ્ધતિની સામે જઈ, એની  \t\tપૂરક હોય  એવી સ્વસ્થ બૌદ્ધિક સંવેદનશીલ ભૂમિમાં વાર્તાને રોપવાનું કામ આ સંગ્રહોએ કર્યું છે. પ્રયોગશીલ નિરૂપણભંગીઓની અને સાર્થક પ્રવિધિઓની વિવિધતા અહીં ધ્યાન ખેંચે છે. મનોવિશ્લેષણની વિલંબનરીતિ ને એ  \t\tદ્વારા જળવાઈ રહી અંતે પ્રગટતું રહસ્ય આ વાર્તાઓની વિશિષ્ટતા છે. હાસ્યના વિવિધ પ્રકારો નીચે પ્રચ્છન્ન વહેતો કરુણ કેટલીક વાર્તાઓને સ્થાયીત્વ બક્ષે છે; તો ક્યારેક અનિષ્ટ સાથેનો સ્વસ્થ સમભાવ પણ આકર્ષક રીતે  \t\tવાર્તાઓને જિવાડી જાય છે. સઘન પ્રતીકાત્મકતા ધારણ કરતી ‘જમનાનું પૂર’, વાર્તા અંતર્ગત વાર્તાના કરુણગર્ભને પોષતી ‘મુકુન્દરાય’, પ્રસન્નદાંપત્યની લાક્ષણિક મુદ્રા બનાવતી ‘જક્ષણી’, વિશેષ સામાજિક પરિવેશ વચ્ચે  \t\tનારીના સંકલ્પબળ સુધી પહોંચતી ‘ખેમી’, દાંપત્યવિષમતાને હળવી રીતે ભાણપદ્ધતિએ ઉઘાડતી ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’- આ સંગ્રહોની જ નહિ, ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ છે. \t\t   -ચંદ્રકાન્ત ટોપીવાળા  \t\tસ્વૈરવિહાર – ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૭) : રામનારાયણ વિ. પાઠકના નિબંધોના સંગ્રહો. ‘પ્રસ્થાન’ નિમિત્તે અને સ્વૈરવિહાર અર્થે લખાયેલા આ લેખો છે. યદ્દચ્છાથી વિષયો, વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રસંગોને થતો યત્કિંચિત્ સ્પર્શ  \t\tઅને એ નિમિત્તે રચાતાં સાદ્દશ્યોમાંથી ઊભો થતો સ્વૈરવિહાર આ લેખોનો ઘાટ રચે છે. સપાટી પરથી મર્મ તરફ અને મર્મથી સપાટી તરફ સરકતા વિનોદ સાથે હળવાશનો એક પુટ આ લેખોમાં જોવાય છે. એમાં તરંગતુક્કા,  \t\tતર્કાતર્કનાં સ્થિત્યંતરો, વ્યંગકટાક્ષ-વિડંબનાના અનેકાનેક સ્તરો અને આંતરબાહ્ય આવાગમનનાં સંક્રમણો આહલાદક છે. વિવિધ વાક્યપ્રયોગો, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, અલંકારો, અવતરણો, કહેવતોથી ઉદબોધન, ચિંતન,  \t\tસંવાદ અને કથનનાં શૈલીરૂપોમાં સરતું એમનું ગદ્ય નર્મ-મર્મની અનેક સીમાઓમાં અનુનેયશીલ છે. રમતિયાળપણાથી, છટકિયાળપણાથી અને જીવંતપણાથી આ સ્વૈરવિહારોએ નિબંધના સ્વરૂપની નવી તરેહો નિપજાવી છે.  \t\t‘ખરાબ કરવાની કળા’, ‘જેલવિહાર’, ‘મુંબઈ વિશે’ જેવાં લખાણો એ હકીકતનાં સુંદર ઉદાહરણો છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "ramanarayana-vi-pathaka",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/ramanarayana-vi-pathaka",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:17.535370",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17381,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "રવિશંકર રાવળ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>રાવળ રવિશંકર મહાશંકર </h4>\n\t\t(૧-૮-૧૮૯૨, ૯-૧૨-૧૯૭૭) : આત્મકથાલેખક, પ્રવાસલેખક. જન્મ ભાવનગરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૧૦માં મૅટ્રિક. મુંબઈની આર્ટ સોસાયટીમાં પાંચ વર્ષના ચિત્રકલાના \n\t\tઅભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ૧૯૧૬માં મેયો મૅડલ. હાજી મોહમ્મદ અલારખિયાના સંપર્કથી પ્રેરાઈને ૧૯૨૪માં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયની સ્થાપના અને તેનું સંચાલન. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ \n\t\tકલા-અધ્યાપક. કલાપ્રવૃત્તિ માટે ગુજરાત વિદ્યાસભા દ્વારા ૧૯૩૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૫માં ભારત સરકારનો પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦માં લલિતકલા અકાદમીના ફેલો. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t       જાપાન અને ઉત્તરભારત તથા કુલુમનાલીની કલાયાત્રાનું વર્ણન કરતું ‘કલાકારની સંસારયાત્રા’ (૧૯૪૭) તથા વિયેના અને મોસ્કોની વિશ્વશાંતિ પરિષદ નિમિત્તે કરેલી વિદેશયાત્રાના અનુભવો નિરૂપતું ‘મેં દીઠાં નવાં \n\t\tમાનવી’ (૧૯૫૬) એમનાં પ્રવાસપુસ્તકો છે. ગુજરાતી કલા અને સંસ્કૃતિની વિકાસરેખા નિરૂપતી એમની આત્મકથા ‘આત્મકથાનક’ (૧૯૬૭) પણ નોંધપાત્ર છે. \n\t\t<br/><br/> \n\t       એમણે અવનીન્દ્રનાથ, જમનબાબુ, બુરાકામી અને કાર્ટૂનિસ્ટ શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્રલેખોનો સંગ્રહ ‘કલાકારની કલમે’ (૧૯૫૬) અને ‘ભારતની સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝીન્સ’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં \n\t\tછે. ઉપરાંત એમણે અજંતાની શિલ્પચિત્રસમૃદ્ધિનું નિરૂપણ કરતું, રંગીન ચિત્રોથી યુક્ત પુસ્તક ‘અજંતાના કલામંડપો’ (૧૯૩૬) ઉપરાંત કલાનું સ્વરૂપ, તેનું મહત્વ અને મૂલ્ય સમજાવતાં કલાવિષયક લખાણો અને ભાષણોનો \n\t\tસંગ્રહ ‘કલાચિંતન’ (૧૯૪૭) તેમ જ ‘સોળ સુંદર ચિત્રો’ (૧૯૨૫) જેવાં કલાવિવેચનો પણ આપ્યાં છે.\n\t\t<br/><br/> \n\t       ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન ‘ચિત્રસૃષ્ટિ’ (૧૯૩૭), મુનશી ષષ્ઠિપૂર્તિ નિમિત્તે દોરેલાં તેમની કથાસૃષ્ટિનાં પાત્રોનાં કાલ્પનિક રંગીન ચિત્રો \n\t\t‘ક. મા. મુનશીની પાત્રસૃષ્ટિ’ (૧૯૫૩), ચરોતર ચિત્રશિક્ષક સંઘ અયોજિત વિદ્યાર્થી ચિત્રપ્રદર્શનના ઉદઘાટન નિમિત્તે કરેલ પ્રવચન ‘ચિત્રશિક્ષા’ (૧૯૩૯) વગેરે એમનું તદ્વિષયક પ્રકીર્ણ પ્રદાન છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      રાવળ રવિશંકર મહાશંકર   \t\t(૧-૮-૧૮૯૨, ૯-૧૨-૧૯૭૭) : આત્મકથાલેખક, પ્રવાસલેખક. જન્મ ભાવનગરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૧૦માં મૅટ્રિક. મુંબઈની આર્ટ સોસાયટીમાં પાંચ વર્ષના ચિત્રકલાના  \t\tઅભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ૧૯૧૬માં મેયો મૅડલ. હાજી મોહમ્મદ અલારખિયાના સંપર્કથી પ્રેરાઈને ૧૯૨૪માં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયની સ્થાપના અને તેનું સંચાલન. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ  \t\tકલા-અધ્યાપક. કલાપ્રવૃત્તિ માટે ગુજરાત વિદ્યાસભા દ્વારા ૧૯૩૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૫માં ભારત સરકારનો પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦માં લલિતકલા અકાદમીના ફેલો. અમદાવાદમાં અવસાન. \t\t   \t       જાપાન અને ઉત્તરભારત તથા કુલુમનાલીની કલાયાત્રાનું વર્ણન કરતું ‘કલાકારની સંસારયાત્રા’ (૧૯૪૭) તથા વિયેના અને મોસ્કોની વિશ્વશાંતિ પરિષદ નિમિત્તે કરેલી વિદેશયાત્રાના અનુભવો નિરૂપતું ‘મેં દીઠાં નવાં  \t\tમાનવી’ (૧૯૫૬) એમનાં પ્રવાસપુસ્તકો છે. ગુજરાતી કલા અને સંસ્કૃતિની વિકાસરેખા નિરૂપતી એમની આત્મકથા ‘આત્મકથાનક’ (૧૯૬૭) પણ નોંધપાત્ર છે.  \t\t   \t       એમણે અવનીન્દ્રનાથ, જમનબાબુ, બુરાકામી અને કાર્ટૂનિસ્ટ શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્રલેખોનો સંગ્રહ ‘કલાકારની કલમે’ (૧૯૫૬) અને ‘ભારતની સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝીન્સ’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં  \t\tછે. ઉપરાંત એમણે અજંતાની શિલ્પચિત્રસમૃદ્ધિનું નિરૂપણ કરતું, રંગીન ચિત્રોથી યુક્ત પુસ્તક ‘અજંતાના કલામંડપો’ (૧૯૩૬) ઉપરાંત કલાનું સ્વરૂપ, તેનું મહત્વ અને મૂલ્ય સમજાવતાં કલાવિષયક લખાણો અને ભાષણોનો  \t\tસંગ્રહ ‘કલાચિંતન’ (૧૯૪૭) તેમ જ ‘સોળ સુંદર ચિત્રો’ (૧૯૨૫) જેવાં કલાવિવેચનો પણ આપ્યાં છે. \t\t   \t       ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન ‘ચિત્રસૃષ્ટિ’ (૧૯૩૭), મુનશી ષષ્ઠિપૂર્તિ નિમિત્તે દોરેલાં તેમની કથાસૃષ્ટિનાં પાત્રોનાં કાલ્પનિક રંગીન ચિત્રો  \t\t‘ક. મા. મુનશીની પાત્રસૃષ્ટિ’ (૧૯૫૩), ચરોતર ચિત્રશિક્ષક સંઘ અયોજિત વિદ્યાર્થી ચિત્રપ્રદર્શનના ઉદઘાટન નિમિત્તે કરેલ પ્રવચન ‘ચિત્રશિક્ષા’ (૧૯૩૯) વગેરે એમનું તદ્વિષયક પ્રકીર્ણ પ્રદાન છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "ravisankara-ravala",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/ravisankara-ravala",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:17.848340",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17382,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "રાવજીભાઈ મણિભાઈ પટેલ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પટેલ રાવજીભાઈ મણિભાઈ </h4>\n\t\t(૧૮૮૬, ૨૦-૧-૧૯૬૨) : ચરિત્રકાર. જન્મ સોજિત્રા (જિ.ખેડા)માં. એમના ઘડતરમાં પુસ્તકાલયપ્રવૃત્તિના આદ્યપ્રવર્તક અને સંસ્કારપુરુષ મોતીભાઈ અમીનનો તેમ જ નિષ્ઠાવાન શિક્ષક કરુણાશંકર ભટ્ટનો મોટો ફાળો છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો પ્રત્યક્ષ \n\t\tપરિચય થતાં ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની તેમ જ પાછળથી હિન્દની ઘણીબધી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાયેલા. નર્મદ સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.\n\t\t<br/><br/>\n\t\tએમણે કેટલીક નોંધપાત્ર ચરિત્રાત્મક કૃતિઓ આપી છે. ‘ગાંધીજીની સાધના’ (૧૯૩૯) એ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાનની ત્યાંની સત્યાગ્રહની લડત તેમ જ ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિઓના આધારભૂત અને \n\t\tસવિગત ઇતિહાસને સરળ અને રોચક શૈલીમાં આલેખતી કૃતિ છે. ‘હિન્દના સરદાર’ (૧૯૬૨) સરદારના આંતરબાહ્ય વ્યક્તિત્વને ઉપસાવી આપતી ચરિત્રકૃતિ છે. ‘જીવનઝરણાં’- ભા. ૧,૨ (૧૯૪૧, ૧૯૬૦) એમની વિશિષ્ટ કહી \n\t\tશકાય તેવી આત્મચરિત્રાત્મક કૃતિ છે. પ્રથમ ભાગમાં એમના જીવનના ૧૯૦૭ થી ૧૯૩૭ સુધીના ત્રણ દાયકાની અને બીજા ભાગમાં ૧૯૩૭ થી ૧૯૫૭ સુધીના બે દાયકાની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ આલેખાઈ છે. ફિનિક્સ આશ્રમવાસી, \n\t\tદક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતના સૈનિક, આદર્શ પુત્ર, મમતાળુ મિત્ર, ગાંધીજીના આદર્શ ભક્ત, નિષ્ઠાવાન પતિ, પ્રેમાળ પિતા, સમાજસુધારક, જીવનપર્યેષક-એમ એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં અહીં ઉઠાવ પામ્યાં \n\t\tછે. બીજા ભાગમાં એમણે પોતાના પરિવારની મુખ્ય કથા સાથે તે કાળની સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, નંદાજી વગેરે વિભૂતિઓનાં શબ્દચિત્રો આલેખ્યાં છે. અહીં, આ બંને ભાગોમાં લેખકનો ‘હું’ કોઈ જગ્યાએ \n\t\tઅશોભનીય રીતે ડોકાતો અનુભવાય છે, પણ તત્કાલીન દક્ષિણ આફ્રિકા, હિન્દ અને ગુજરાતનું ચિત્ર એમાં તાદ્દશતાથી અને સત્યતાથી અંકિત થયું હોઈ તે એક નોંધપાત્ર દસ્તાવેજી કૃતિ બની રહે છે.\n\t\t<br/><br/>\n\t\tઆ ઉપરાંત એમણે ‘મહાત્મા ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો’ (અન્ય સાથે, ૧૯૨૨), ‘કુલીન વિધવા’ (૧૯૩૧), ‘બાળકોનો પોકાર’ (૧૯૩૫), ‘ગાંધીજીની સાધના’ (૧૯૩૯), ‘સમાજશુદ્ધિ યા વ્યવહારશુદ્ધિ’ (૧૯૫૮) જેવાં \n\t\tપુસ્તકો લખ્યાં છે, જે એમના જીવન-અનુભવના નિચોડરૂપ છે. માનવમૂત્ર વિશે પણ એમણે એક ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.\n\t\t<p align=\"right\">-પ્રવીણ દરજી</p>\n<br/><br/>\n\t\tજીવનનાં ઝરણાં – ભા. ૧,૨ (૧૯૪૧, ૧૯૬૦) : રાવજીભાઈ મણિભાઈ પટેલનું આત્મવૃતાંત. ગુજરાતનું સામાજિક અને રાજ્કીય વાતાવરણ ભેગું વણાતું આવે એ રીતે લેખકે ૧૯૦૭ થી ૧૯૫૭ સુધીનો પોતાનો ૫૦ વર્ષનો \n\t\tજીવનપટ આલેખ્યો છે. સત્યાગ્રહી દેશભક્ત, સ્નેહાળ પિતા, સમાજસુધારક એવાં પોતાનાં વિવિધ સ્વરૂપો અહીં રજૂ કર્યાં છે. ગાંધીજી સાથેની નિકટતા બતાવવામાં તેમ જ અન્યત્ર ક્યારેક આત્મશ્લાઘાની અને આત્મપ્રદર્શનની \n\t\tવૃત્તિ ડોકાતી હોવા છતાં કેટલીક પ્રમાણભૂત ઇતિહાસની દસ્તાવેજી સામગ્રી અને એમની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં ટૂંકા કાર્યવિવરણો મૂલ્યવાન છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પટેલ રાવજીભાઈ મણિભાઈ   \t\t(૧૮૮૬, ૨૦-૧-૧૯૬૨) : ચરિત્રકાર. જન્મ સોજિત્રા (જિ.ખેડા)માં. એમના ઘડતરમાં પુસ્તકાલયપ્રવૃત્તિના આદ્યપ્રવર્તક અને સંસ્કારપુરુષ મોતીભાઈ અમીનનો તેમ જ નિષ્ઠાવાન શિક્ષક કરુણાશંકર ભટ્ટનો મોટો ફાળો છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો પ્રત્યક્ષ  \t\tપરિચય થતાં ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની તેમ જ પાછળથી હિન્દની ઘણીબધી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાયેલા. નર્મદ સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત. \t\t  \t\tએમણે કેટલીક નોંધપાત્ર ચરિત્રાત્મક કૃતિઓ આપી છે. ‘ગાંધીજીની સાધના’ (૧૯૩૯) એ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાનની ત્યાંની સત્યાગ્રહની લડત તેમ જ ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિઓના આધારભૂત અને  \t\tસવિગત ઇતિહાસને સરળ અને રોચક શૈલીમાં આલેખતી કૃતિ છે. ‘હિન્દના સરદાર’ (૧૯૬૨) સરદારના આંતરબાહ્ય વ્યક્તિત્વને ઉપસાવી આપતી ચરિત્રકૃતિ છે. ‘જીવનઝરણાં’- ભા. ૧,૨ (૧૯૪૧, ૧૯૬૦) એમની વિશિષ્ટ કહી  \t\tશકાય તેવી આત્મચરિત્રાત્મક કૃતિ છે. પ્રથમ ભાગમાં એમના જીવનના ૧૯૦૭ થી ૧૯૩૭ સુધીના ત્રણ દાયકાની અને બીજા ભાગમાં ૧૯૩૭ થી ૧૯૫૭ સુધીના બે દાયકાની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ આલેખાઈ છે. ફિનિક્સ આશ્રમવાસી,  \t\tદક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતના સૈનિક, આદર્શ પુત્ર, મમતાળુ મિત્ર, ગાંધીજીના આદર્શ ભક્ત, નિષ્ઠાવાન પતિ, પ્રેમાળ પિતા, સમાજસુધારક, જીવનપર્યેષક-એમ એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં અહીં ઉઠાવ પામ્યાં  \t\tછે. બીજા ભાગમાં એમણે પોતાના પરિવારની મુખ્ય કથા સાથે તે કાળની સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, નંદાજી વગેરે વિભૂતિઓનાં શબ્દચિત્રો આલેખ્યાં છે. અહીં, આ બંને ભાગોમાં લેખકનો ‘હું’ કોઈ જગ્યાએ  \t\tઅશોભનીય રીતે ડોકાતો અનુભવાય છે, પણ તત્કાલીન દક્ષિણ આફ્રિકા, હિન્દ અને ગુજરાતનું ચિત્ર એમાં તાદ્દશતાથી અને સત્યતાથી અંકિત થયું હોઈ તે એક નોંધપાત્ર દસ્તાવેજી કૃતિ બની રહે છે. \t\t  \t\tઆ ઉપરાંત એમણે ‘મહાત્મા ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો’ (અન્ય સાથે, ૧૯૨૨), ‘કુલીન વિધવા’ (૧૯૩૧), ‘બાળકોનો પોકાર’ (૧૯૩૫), ‘ગાંધીજીની સાધના’ (૧૯૩૯), ‘સમાજશુદ્ધિ યા વ્યવહારશુદ્ધિ’ (૧૯૫૮) જેવાં  \t\tપુસ્તકો લખ્યાં છે, જે એમના જીવન-અનુભવના નિચોડરૂપ છે. માનવમૂત્ર વિશે પણ એમણે એક ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. \t\t -પ્રવીણ દરજી    \t\tજીવનનાં ઝરણાં – ભા. ૧,૨ (૧૯૪૧, ૧૯૬૦) : રાવજીભાઈ મણિભાઈ પટેલનું આત્મવૃતાંત. ગુજરાતનું સામાજિક અને રાજ્કીય વાતાવરણ ભેગું વણાતું આવે એ રીતે લેખકે ૧૯૦૭ થી ૧૯૫૭ સુધીનો પોતાનો ૫૦ વર્ષનો  \t\tજીવનપટ આલેખ્યો છે. સત્યાગ્રહી દેશભક્ત, સ્નેહાળ પિતા, સમાજસુધારક એવાં પોતાનાં વિવિધ સ્વરૂપો અહીં રજૂ કર્યાં છે. ગાંધીજી સાથેની નિકટતા બતાવવામાં તેમ જ અન્યત્ર ક્યારેક આત્મશ્લાઘાની અને આત્મપ્રદર્શનની  \t\tવૃત્તિ ડોકાતી હોવા છતાં કેટલીક પ્રમાણભૂત ઇતિહાસની દસ્તાવેજી સામગ્રી અને એમની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં ટૂંકા કાર્યવિવરણો મૂલ્યવાન છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "ravajibhai-manibhai-patela",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/ravajibhai-manibhai-patela",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:18.127850",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17383,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "રાવજી પટેલ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પટેલ રાવજી છોટાલાલ </h4>\n\t\t(૧૫-૧૧-૧૯૩૯, ૧૦-૮-૧૯૬૮) :  કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના વલ્લવપુરામાં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં. અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. આર્ટસ \n\t\tકૉલેજમાં બે વર્ષ સુધીનો અભ્યાસ. અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, ‘કુમાર’ કાર્યાલયમાં-એમ વિવિધ સ્થળે નોકરી. થોડો સમય ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન. મૃત્યુ \n\t\tપહેલાંના સાત-આઠ મહિના અમરગઢના ક્ષયચિકિત્સાલયમાં. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tગ્રામીણ કૃષિચેતના અને આધુનિક ચેતનાના સંયોજનથી મનોહર ભાષારૂપો અવતારતી આ કવિની રચનાઓમાં અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ ઈન્દ્રિયવ્યત્યયોની તેમ જ પ્રતીકોની રમણીય સંદિગ્ધતાઓ રચે છે. \n\t\tભાવતર્ક અને શબ્દસાહચર્યનાં અવલંબનો પર ઘૂંટાતા લયની તરેહો એનું મુખ્ય આકર્ષણ છે. ઊર્મિકાવ્યો અને ગીતકાવ્યોથી માંડી દીર્ઘકાવ્યો પર્યંત બુદ્ધિ કરતાં લાગણીનું ને આયાસ કરતાં સહજાનુભૂતિનું રંગદર્શી વર્ચસ નોખું \n\t\tતરી આવે છે. ક્યાંક કટાક્ષનો ભળતો સૂર પણ આસ્વાદ્ય છે. મૃત્યુ અને જિજીવિષાની ધરીઓએ આ કવિની સર્જકતાને વેગ આપ્યો છે. એમના મરણોત્તર કાવ્યસંગ્રહ ‘અંગત’ (૧૯૭૦)માં ‘આભાસી મૃત્યુનું ગીત’, ‘સ્વ. \n\t\tહુંશીલાલની યાદમાં’, ‘સંબંધ’ જેવી કેટલીક યશસ્વી રચનાઓનો સમાવેશ છે.\n\t\t<br/><br/>\n\t\t‘અશ્રુઘર’ (૧૯૬૬) એમની નવલકથા છે. ક્ષયગ્રસ્ત નાયકના રોગમૃત્યુની કરુણકથાનો, આમ તો સામાન્ય ગણી શકાય એવો વિષય કલ્પનસંવેગથી ભરીને ભાષાની કવિત્વપૂર્ણ અભિવ્યક્તિથી નિરૂપણમાં એકદમ વિશિષ્ટ બન્યો \n\t\tછે. એમની ‘ઝંઝા’ (૧૯૬૭) નવલકથા પૂર્વાર્ધના વિકાસ પછી ઉતરાર્ધમાં કથળતી જતી રીતિગતિનો અનુભવ કરાવે છે. છતાં ડાયરી, નવલ રચાતી હોય એવો રચનાપ્રપંચ અને કાવ્યાત્મક ગદ્ય-એ સર્વ, નાયક પૃથ્વી જે રીતે \n\t\tઅભિવ્યક્ત થવા માગે છે તેમાં રાક્ષમ નીવડ્યાં છે.\n\t\t<br/><br/>\n\t\t‘વૃત્તિ અને વાર્તા’ (૧૯૭૭) રઘુવીર ચૌધરીના ટૂંકા આમુખ સાથેનું એમનું મરણોત્તર પ્રકાશન છે. એમાં આઠમા પ્રકરણે અધૂરી રહેલી નવલકથા ‘વૃત્તિ’ અને અગિયાર ટૂંકીવાર્તાઓનો સમાવેશ થયો છે. ‘વૃત્તિ’માં જાનપદી અને \n\t\tનગરજીવનની ભૂમિકાની પડછે ઊપસેલું ભાષાકર્મ આસ્વાદ્ય છે; તો એમની વાર્તાઓમાં રચનારીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. ‘કીડી કેમેરા અને નાયક’ જેવી પ્રયોગશીલ વાર્તા કે ‘છબિલકાકાનો બીજો પગ’ જેવી પ્રભાવક વાર્તા \n\t\tનોંધપાત્ર છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tઅંગત (૧૯૭૧) : રાવજી પટેલનો છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ અને દીર્ઘ રચનાઓને સમાવતો મરણોત્તર કાવ્યસંગ્રહ. ઉત્તમ અને લોકપ્રિય તત્વોના સંમિશ્રણમાંથી જન્મેલું રાવજીની કવિતાનું ક્લેવર ‘દગ્ધ ઋષિકવિ’નું \n\t\tછે. અહીં નગરમાં આવી પડવાથી છિનવાઈ ગયેલા ગ્રામીણ અસબાબની ઝંખા છે. ક્ષયની શય્યાગ્રસ્ત રુગ્ણતા અને નિષ્ક્રયતા સાથે બહારના જગતના થયેલા વિયોગની વેદના છે તેમ જ મૃત્યુનું વૈયક્તિતક વેદન છે. રાવજીની \n\t\tકવિતામાં શબ્દબળ સાથે રહેલું ઈન્દ્રિયબળ પણ નોંધપાત્ર છે. અહીં પરંપરાનું જમા પાસું છે, તો શબ્દના અર્થને પરંપરાની તર્કસીમામાંથી છોડાવવાની જહેમત પણ છે. મૃત્યુનો હળવો ઉપહાસ રચતી ‘સ્વ. હુંશીલાલની યાદમાં’, \n\t\tભિન્ન ભિન્ન મિજાજમુદ્રાઓ અને બદલાતાં વાસ્તવ પરિમાણો બતાવતી ‘સંબંધ’ અને આરંભથી અંત સુધી ઈન્દ્રિયગત ચમત્કૃતિઓની હારમાળા સર્જતી ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ મહત્વની રચનાઓ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tઅશ્રુધર (૧૯૬૬) : રાવજી પટેલની પહેલી નવલકથા. ક્ષયથી પીડાતા કથાનાયક સત્યનું પાત્ર કથાના કેન્દ્રમાં છે. સૅનેટોરિયામથી વતન ભણી અને ફરીને વતનથી સૅનેટોરિયમ ભણીની નાયકની યાત્રા વચ્ચે આપ્તજનની \n\t\tહૂંફ જેવું પાત્ર છે નાયિકા લલિતાનું. પરંતુ લલિતાની પ્રથમ પ્રાપ્તિથી માંડી લલિતાની અંતિમ પ્રાપ્તિ વચ્ચે વેદનાની જે ગતિવિધિ નવલકથાકારે ઉપસાવી છે, ભાવવળાંકો અને ભાવસંક્રમણો જે રીતે નિરૂપ્યાં છે, અભિવ્યક્તિની \n\t\tજે તાજગી અને ભાષાની જે કાવ્યાત્મકતા ઉપસાવી છે તે આ નવલકથાને આકર્ષક ઠેરવે છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tઝંઝા (૧૯૬૬) : રાવજી પટેલની નવલકથા. ક્યાંક બેએક પત્રનો આશ્રય લેવાયો છે, એ સિવાય મુખ્યત્વે મુખ્યપાત્ર પૃથ્વીની ડાયરીરૂપે આ કથા રજૂ થઈ છે. આ કથામાં નાયકનું અસ્તિત્વ સંબંધોનાં સંવેદનો વચ્ચે \n\t\tઉપસાવવાનો પ્રયત્ન છે. સંબંધોને જ લક્ષમાં રાખી નાયકનો શરૂનો ગૃહત્યાગ અને અંતનો ગૃહપ્રવેશ મૂલવી શકાય. પૂર્વાર્ધ સુધી વિકસતી રહેલી આ નવલકથાનું ઈન્દ્રિયસંવેદ્ય ગદ્ય એનું બળુકું અંગ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પટેલ રાવજી છોટાલાલ   \t\t(૧૫-૧૧-૧૯૩૯, ૧૦-૮-૧૯૬૮) :  કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના વલ્લવપુરામાં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં. અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. આર્ટસ  \t\tકૉલેજમાં બે વર્ષ સુધીનો અભ્યાસ. અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, ‘કુમાર’ કાર્યાલયમાં-એમ વિવિધ સ્થળે નોકરી. થોડો સમય ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન. મૃત્યુ  \t\tપહેલાંના સાત-આઠ મહિના અમરગઢના ક્ષયચિકિત્સાલયમાં. અમદાવાદમાં અવસાન. \t\t  \t\tગ્રામીણ કૃષિચેતના અને આધુનિક ચેતનાના સંયોજનથી મનોહર ભાષારૂપો અવતારતી આ કવિની રચનાઓમાં અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ ઈન્દ્રિયવ્યત્યયોની તેમ જ પ્રતીકોની રમણીય સંદિગ્ધતાઓ રચે છે.  \t\tભાવતર્ક અને શબ્દસાહચર્યનાં અવલંબનો પર ઘૂંટાતા લયની તરેહો એનું મુખ્ય આકર્ષણ છે. ઊર્મિકાવ્યો અને ગીતકાવ્યોથી માંડી દીર્ઘકાવ્યો પર્યંત બુદ્ધિ કરતાં લાગણીનું ને આયાસ કરતાં સહજાનુભૂતિનું રંગદર્શી વર્ચસ નોખું  \t\tતરી આવે છે. ક્યાંક કટાક્ષનો ભળતો સૂર પણ આસ્વાદ્ય છે. મૃત્યુ અને જિજીવિષાની ધરીઓએ આ કવિની સર્જકતાને વેગ આપ્યો છે. એમના મરણોત્તર કાવ્યસંગ્રહ ‘અંગત’ (૧૯૭૦)માં ‘આભાસી મૃત્યુનું ગીત’, ‘સ્વ.  \t\tહુંશીલાલની યાદમાં’, ‘સંબંધ’ જેવી કેટલીક યશસ્વી રચનાઓનો સમાવેશ છે. \t\t  \t\t‘અશ્રુઘર’ (૧૯૬૬) એમની નવલકથા છે. ક્ષયગ્રસ્ત નાયકના રોગમૃત્યુની કરુણકથાનો, આમ તો સામાન્ય ગણી શકાય એવો વિષય કલ્પનસંવેગથી ભરીને ભાષાની કવિત્વપૂર્ણ અભિવ્યક્તિથી નિરૂપણમાં એકદમ વિશિષ્ટ બન્યો  \t\tછે. એમની ‘ઝંઝા’ (૧૯૬૭) નવલકથા પૂર્વાર્ધના વિકાસ પછી ઉતરાર્ધમાં કથળતી જતી રીતિગતિનો અનુભવ કરાવે છે. છતાં ડાયરી, નવલ રચાતી હોય એવો રચનાપ્રપંચ અને કાવ્યાત્મક ગદ્ય-એ સર્વ, નાયક પૃથ્વી જે રીતે  \t\tઅભિવ્યક્ત થવા માગે છે તેમાં રાક્ષમ નીવડ્યાં છે. \t\t  \t\t‘વૃત્તિ અને વાર્તા’ (૧૯૭૭) રઘુવીર ચૌધરીના ટૂંકા આમુખ સાથેનું એમનું મરણોત્તર પ્રકાશન છે. એમાં આઠમા પ્રકરણે અધૂરી રહેલી નવલકથા ‘વૃત્તિ’ અને અગિયાર ટૂંકીવાર્તાઓનો સમાવેશ થયો છે. ‘વૃત્તિ’માં જાનપદી અને  \t\tનગરજીવનની ભૂમિકાની પડછે ઊપસેલું ભાષાકર્મ આસ્વાદ્ય છે; તો એમની વાર્તાઓમાં રચનારીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. ‘કીડી કેમેરા અને નાયક’ જેવી પ્રયોગશીલ વાર્તા કે ‘છબિલકાકાનો બીજો પગ’ જેવી પ્રભાવક વાર્તા  \t\tનોંધપાત્ર છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tઅંગત (૧૯૭૧) : રાવજી પટેલનો છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ અને દીર્ઘ રચનાઓને સમાવતો મરણોત્તર કાવ્યસંગ્રહ. ઉત્તમ અને લોકપ્રિય તત્વોના સંમિશ્રણમાંથી જન્મેલું રાવજીની કવિતાનું ક્લેવર ‘દગ્ધ ઋષિકવિ’નું  \t\tછે. અહીં નગરમાં આવી પડવાથી છિનવાઈ ગયેલા ગ્રામીણ અસબાબની ઝંખા છે. ક્ષયની શય્યાગ્રસ્ત રુગ્ણતા અને નિષ્ક્રયતા સાથે બહારના જગતના થયેલા વિયોગની વેદના છે તેમ જ મૃત્યુનું વૈયક્તિતક વેદન છે. રાવજીની  \t\tકવિતામાં શબ્દબળ સાથે રહેલું ઈન્દ્રિયબળ પણ નોંધપાત્ર છે. અહીં પરંપરાનું જમા પાસું છે, તો શબ્દના અર્થને પરંપરાની તર્કસીમામાંથી છોડાવવાની જહેમત પણ છે. મૃત્યુનો હળવો ઉપહાસ રચતી ‘સ્વ. હુંશીલાલની યાદમાં’,  \t\tભિન્ન ભિન્ન મિજાજમુદ્રાઓ અને બદલાતાં વાસ્તવ પરિમાણો બતાવતી ‘સંબંધ’ અને આરંભથી અંત સુધી ઈન્દ્રિયગત ચમત્કૃતિઓની હારમાળા સર્જતી ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ મહત્વની રચનાઓ છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tઅશ્રુધર (૧૯૬૬) : રાવજી પટેલની પહેલી નવલકથા. ક્ષયથી પીડાતા કથાનાયક સત્યનું પાત્ર કથાના કેન્દ્રમાં છે. સૅનેટોરિયામથી વતન ભણી અને ફરીને વતનથી સૅનેટોરિયમ ભણીની નાયકની યાત્રા વચ્ચે આપ્તજનની  \t\tહૂંફ જેવું પાત્ર છે નાયિકા લલિતાનું. પરંતુ લલિતાની પ્રથમ પ્રાપ્તિથી માંડી લલિતાની અંતિમ પ્રાપ્તિ વચ્ચે વેદનાની જે ગતિવિધિ નવલકથાકારે ઉપસાવી છે, ભાવવળાંકો અને ભાવસંક્રમણો જે રીતે નિરૂપ્યાં છે, અભિવ્યક્તિની  \t\tજે તાજગી અને ભાષાની જે કાવ્યાત્મકતા ઉપસાવી છે તે આ નવલકથાને આકર્ષક ઠેરવે છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tઝંઝા (૧૯૬૬) : રાવજી પટેલની નવલકથા. ક્યાંક બેએક પત્રનો આશ્રય લેવાયો છે, એ સિવાય મુખ્યત્વે મુખ્યપાત્ર પૃથ્વીની ડાયરીરૂપે આ કથા રજૂ થઈ છે. આ કથામાં નાયકનું અસ્તિત્વ સંબંધોનાં સંવેદનો વચ્ચે  \t\tઉપસાવવાનો પ્રયત્ન છે. સંબંધોને જ લક્ષમાં રાખી નાયકનો શરૂનો ગૃહત્યાગ અને અંતનો ગૃહપ્રવેશ મૂલવી શકાય. પૂર્વાર્ધ સુધી વિકસતી રહેલી આ નવલકથાનું ઈન્દ્રિયસંવેદ્ય ગદ્ય એનું બળુકું અંગ છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "ravaji-patela",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/ravaji-patela",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:18.358450",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17384,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "રૂપશંકર ઓઝા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>ઓઝા રૂપશંકર ઉદયશંકર, ‘પાન્થ’, ‘સંચિત્’</h4>\n\t\t(૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨) : કવિ અને નાટ્યકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડામાં. વતન ગોંડલ. અભ્યાસ અંગ્રેજી ચાર ધોરણ. સોળ વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી \n\t\tછાપખાનામાં. તે વખતે ‘જ્ઞાનદીપક’ માસિક શરૂ કર્યું. પછી બગસરા પાસેના લુંધિયા તાલુકાના કાઠી દરબારના કારભારી. ૧૮૯૧માં હડાળાના વાજસૂરવાળા અને કવિ કલાપી સાતે પરિચય તથા તેમની સાથે હિંદની મુસાફરી. \n\t\tપ્રવાસ દરમિયાન કલાપી સાથે મૈત્રીસંબંધ. ૧૮૯૫માં કલાપીના આમંત્રણથી લાઠીમાં, ‘કલાપીનો સાહિત્યદરબાર’ના સંચાલક. થોડો વખત લાઠીમાં ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી. પછી થોડો સમય હડાળામાં. કેટલોક \n\t\tવખત મુંબઈ જઈ વેપાર. આયુષ્યનાં છેલ્લાં વર્ષોમાં મોરબી આવી ત્યાં ખેતીનાં ઓજારો વેચવાનું કામ. આ બધાં વર્ષો દરમિયાન કલાપીના સાહિત્યને પ્રગટ કરવામાં ઘણી વ્યક્તિઓને સહાય.\n\t\t<br/><br/> \n\t\t‘મહાબત વિરહ’ (૧૮૮૪) એ જૂનાગઢના નવાબ મહાબતખાનના મૃત્યુ નિમિત્તે મહાબતખાનના જીવનને આલેખતી ગદ્યપદ્યમિશ્રિત રચના એમના સહકર્તૃત્વની નીપજ છે. ‘સંચિત્ નાં કાવ્યો’ (૧૯૩૮)માં ભજન, ગઝલ, ખંડકાવ્ય \n\t\tપ્રકારનાં કાવ્યો છે, જેમાં ઈશ્વરભક્તિ, પ્રણય અને દેશભક્તિ મુખ્ય ભાવ છે. એમની ઘણી રચનાઓ પર કલાપીની અસર છે.\n\t\t<br/><br/> \n\t\t‘કલાપીનું સાક્ષરજીવન’ (૧૯૧૬) એ પોરબંદરમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે લખેલો કલાપીના સાક્ષરજીવન અને વ્યક્તિત્વનો પરિચય કરાવતો નિબંધ છે. ‘કલાપીના સંવાદો’ (૧૯૦૯), ‘કાશિમરનો પ્રવાસ \n\t\tઅથવા સ્વર્ગનું સ્વપ્ન’ (૧૯૧૨) એમનાં સંપાદનો છે. ‘જ્ઞાનદીપક’ અને ‘સૌરાષ્ટ્રદર્પણ’ સામયિકોમાં પ્રગટ થયેલી સહલેખનની ‘ઉદયપ્રકાશ’, ‘રાણકદેવી-રાખેંગાર’ વગેરે નાટ્યરચનાઓ તથા બીજાં કેટલાક પ્રકીર્ણ કાવ્યો અને \n\t\tલેખો એમની પાસેથી મળ્યાં છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ઓઝા રૂપશંકર ઉદયશંકર, ‘પાન્થ’, ‘સંચિત્’  \t\t(૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨) : કવિ અને નાટ્યકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડામાં. વતન ગોંડલ. અભ્યાસ અંગ્રેજી ચાર ધોરણ. સોળ વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી  \t\tછાપખાનામાં. તે વખતે ‘જ્ઞાનદીપક’ માસિક શરૂ કર્યું. પછી બગસરા પાસેના લુંધિયા તાલુકાના કાઠી દરબારના કારભારી. ૧૮૯૧માં હડાળાના વાજસૂરવાળા અને કવિ કલાપી સાતે પરિચય તથા તેમની સાથે હિંદની મુસાફરી.  \t\tપ્રવાસ દરમિયાન કલાપી સાથે મૈત્રીસંબંધ. ૧૮૯૫માં કલાપીના આમંત્રણથી લાઠીમાં, ‘કલાપીનો સાહિત્યદરબાર’ના સંચાલક. થોડો વખત લાઠીમાં ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી. પછી થોડો સમય હડાળામાં. કેટલોક  \t\tવખત મુંબઈ જઈ વેપાર. આયુષ્યનાં છેલ્લાં વર્ષોમાં મોરબી આવી ત્યાં ખેતીનાં ઓજારો વેચવાનું કામ. આ બધાં વર્ષો દરમિયાન કલાપીના સાહિત્યને પ્રગટ કરવામાં ઘણી વ્યક્તિઓને સહાય. \t\t   \t\t‘મહાબત વિરહ’ (૧૮૮૪) એ જૂનાગઢના નવાબ મહાબતખાનના મૃત્યુ નિમિત્તે મહાબતખાનના જીવનને આલેખતી ગદ્યપદ્યમિશ્રિત રચના એમના સહકર્તૃત્વની નીપજ છે. ‘સંચિત્ નાં કાવ્યો’ (૧૯૩૮)માં ભજન, ગઝલ, ખંડકાવ્ય  \t\tપ્રકારનાં કાવ્યો છે, જેમાં ઈશ્વરભક્તિ, પ્રણય અને દેશભક્તિ મુખ્ય ભાવ છે. એમની ઘણી રચનાઓ પર કલાપીની અસર છે. \t\t   \t\t‘કલાપીનું સાક્ષરજીવન’ (૧૯૧૬) એ પોરબંદરમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે લખેલો કલાપીના સાક્ષરજીવન અને વ્યક્તિત્વનો પરિચય કરાવતો નિબંધ છે. ‘કલાપીના સંવાદો’ (૧૯૦૯), ‘કાશિમરનો પ્રવાસ  \t\tઅથવા સ્વર્ગનું સ્વપ્ન’ (૧૯૧૨) એમનાં સંપાદનો છે. ‘જ્ઞાનદીપક’ અને ‘સૌરાષ્ટ્રદર્પણ’ સામયિકોમાં પ્રગટ થયેલી સહલેખનની ‘ઉદયપ્રકાશ’, ‘રાણકદેવી-રાખેંગાર’ વગેરે નાટ્યરચનાઓ તથા બીજાં કેટલાક પ્રકીર્ણ કાવ્યો અને  \t\tલેખો એમની પાસેથી મળ્યાં છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "rupasankara-ojha",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/rupasankara-ojha",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:18.652135",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17385,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "સરોજ પાઠક",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પાઠક સરોજ રમણલાલ/ ઉદ્દેશી સરોજ નારણદાસ, ‘વાચા’  </h4>\n\t\t(૧-૬-૧૯૨૯, ૧૬-૪-૧૯૮૯) : વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર. જન્મ કચ્છ જિલ્લાના ઝેખઉમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ. \n\t\t૧૯૫૬-૫૭માં આકાશવાણી સાથે સંલગ્ન. ૧૯૫૭-૫૮માં સોવિયેટ ઈન્ફર્મેશન સર્વિસ સાથે સંલગ્ન. ૧૯૬૪ થી બારડોલીની કૉલેજમાં અધ્યાપક. બારડોલીમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tઆધુનિક વાર્તારીતિનો કસબ ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાને અતિક્રમી ક્યારેક સંવેદનશીલ અભિવ્યક્તિમાં સિદ્ધિ મેળવી શક્યો હોય એવી નોંધપાત્ર વાર્તાઓ એમના ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ (૧૯૫૯), ‘મારો અસબાબ મારો રાગ’ \n\t\t(૧૯૬૬), ‘વિરાટ ટપકું’ (૧૯૬૬), ‘તથાસ્તુ’ (૧૯૭૨) વગેરે વાર્તાસંગ્રહોમાં સંચિત થઈ છે. ‘નાઈંટમેર’ (૧૯૬૯) નવલકથા આસ્તિત્વની સમસ્યાને વિશિષ્ટ નિરૂપણરીતિથી દ્યોતક બનાવે છે. ‘નિઃશેષ’ (૧૯૭૯) અને ‘પ્રિય \n\t\tપુનમ’ (૧૯૮૦) પણ એમની નવલકથાઓ છે. ‘સાંસારિક’ (૧૯૬૭) અને ‘અર્વાચીન’ (૧૯૭૫) એમના નિબંધસંગ્રહો છે. ‘પ્રતિપદા’ (૧૯૬૨) એમનો અનુવાદ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tવિરાટ ટપકું (૧૯૬૬): સરોજ પાઠકની બાવીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાતી સભાન બન્યા વગર મનોચેતનાના અંશોને વાર્તાના અભ્યન્તરમાં ભેળવતી એમની કેટલીક વાર્તાઓ નોંધપાત્ર છે. ‘ન કૌંસમાં ન કૌંસ બહાર’ એનું અહીં ઉત્તમ \n\t\tઉદાહરણ છે. ઉપરાંત, ‘વિરાટ ટપકું’, ‘સ્વયંવર’, ‘સંજીવની’ જેવી વાર્તાઓ પણ ઉલ્લેખનીય છે. કથાને માત્ર કહી જવામાં નહિ પરંતુ કથાને વાર્તાની કલાત્મક કક્ષાએ ઊંચકવામાં આ વાર્તાકાર સફળ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tનાટઈમેર (૧૯૬૯) : સરોજ પાઠકકૃત મનોવૈજ્ઞાનિક નવલકથા. પ્રિયતમ સાર્થને બદલે તેના મોટાભાઈ અનન્ય સાથે નિયતિનું લગ્ન થયેલું છે; એટલું જ નહિ એ ત્રણેને એક જ ઘરમાં રહેવાનું બને છે. આ પરિસ્થિતિના \n\t\tઅનેક ઘટકો રચીને આ ત્રણે પાત્રોનાં મનોવિવર્તોનું સૂક્ષ્મતાથી અહીં આલેખન થયું છે. નિયતિને કેન્દ્રમાં રાખીને સાર્થ તથા અનન્ય તરફ એની ત્રિજ્યાઓ ખેંચાઈ છે, પરિણામે સાર્થ અને અનન્યની મનોવ્યાથાઓથી ને તાણથી \n\t\tપણ અવગત થવાય છે. વસ્તુનો નિર્વાહ સાદ્યંતપણે ચૈતસિક સ્તરેથી થયેલો હોઈ એમાં સ્થૂળ ઘટનાઓનું નિરૂપણ થયું નથી, છતાં આ પાત્રોના બાહ્યજગતમાં જે કંઈ બને છે તેને કુશળતાથી પાત્રોનાં સંવેદનો સાથે સાંકળવાનું \n\t\tબન્યું છે. સ્મૃતિસાહચર્ય, સ્વગતોક્તિ, મનોમંથન જેવી પ્રયુક્તિઓનો અહીં સૂઝપૂર્વક વિનિયોગ થયેલો છે અને ભાષાના વિવિધ સ્તરોનો પણ. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પાઠક સરોજ રમણલાલ/ ઉદ્દેશી સરોજ નારણદાસ, ‘વાચા’    \t\t(૧-૬-૧૯૨૯, ૧૬-૪-૧૯૮૯) : વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર. જન્મ કચ્છ જિલ્લાના ઝેખઉમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ.  \t\t૧૯૫૬-૫૭માં આકાશવાણી સાથે સંલગ્ન. ૧૯૫૭-૫૮માં સોવિયેટ ઈન્ફર્મેશન સર્વિસ સાથે સંલગ્ન. ૧૯૬૪ થી બારડોલીની કૉલેજમાં અધ્યાપક. બારડોલીમાં અવસાન. \t\t  \t\tઆધુનિક વાર્તારીતિનો કસબ ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાને અતિક્રમી ક્યારેક સંવેદનશીલ અભિવ્યક્તિમાં સિદ્ધિ મેળવી શક્યો હોય એવી નોંધપાત્ર વાર્તાઓ એમના ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ (૧૯૫૯), ‘મારો અસબાબ મારો રાગ’  \t\t(૧૯૬૬), ‘વિરાટ ટપકું’ (૧૯૬૬), ‘તથાસ્તુ’ (૧૯૭૨) વગેરે વાર્તાસંગ્રહોમાં સંચિત થઈ છે. ‘નાઈંટમેર’ (૧૯૬૯) નવલકથા આસ્તિત્વની સમસ્યાને વિશિષ્ટ નિરૂપણરીતિથી દ્યોતક બનાવે છે. ‘નિઃશેષ’ (૧૯૭૯) અને ‘પ્રિય  \t\tપુનમ’ (૧૯૮૦) પણ એમની નવલકથાઓ છે. ‘સાંસારિક’ (૧૯૬૭) અને ‘અર્વાચીન’ (૧૯૭૫) એમના નિબંધસંગ્રહો છે. ‘પ્રતિપદા’ (૧૯૬૨) એમનો અનુવાદ છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tવિરાટ ટપકું (૧૯૬૬): સરોજ પાઠકની બાવીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાતી સભાન બન્યા વગર મનોચેતનાના અંશોને વાર્તાના અભ્યન્તરમાં ભેળવતી એમની કેટલીક વાર્તાઓ નોંધપાત્ર છે. ‘ન કૌંસમાં ન કૌંસ બહાર’ એનું અહીં ઉત્તમ  \t\tઉદાહરણ છે. ઉપરાંત, ‘વિરાટ ટપકું’, ‘સ્વયંવર’, ‘સંજીવની’ જેવી વાર્તાઓ પણ ઉલ્લેખનીય છે. કથાને માત્ર કહી જવામાં નહિ પરંતુ કથાને વાર્તાની કલાત્મક કક્ષાએ ઊંચકવામાં આ વાર્તાકાર સફળ છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tનાટઈમેર (૧૯૬૯) : સરોજ પાઠકકૃત મનોવૈજ્ઞાનિક નવલકથા. પ્રિયતમ સાર્થને બદલે તેના મોટાભાઈ અનન્ય સાથે નિયતિનું લગ્ન થયેલું છે; એટલું જ નહિ એ ત્રણેને એક જ ઘરમાં રહેવાનું બને છે. આ પરિસ્થિતિના  \t\tઅનેક ઘટકો રચીને આ ત્રણે પાત્રોનાં મનોવિવર્તોનું સૂક્ષ્મતાથી અહીં આલેખન થયું છે. નિયતિને કેન્દ્રમાં રાખીને સાર્થ તથા અનન્ય તરફ એની ત્રિજ્યાઓ ખેંચાઈ છે, પરિણામે સાર્થ અને અનન્યની મનોવ્યાથાઓથી ને તાણથી  \t\tપણ અવગત થવાય છે. વસ્તુનો નિર્વાહ સાદ્યંતપણે ચૈતસિક સ્તરેથી થયેલો હોઈ એમાં સ્થૂળ ઘટનાઓનું નિરૂપણ થયું નથી, છતાં આ પાત્રોના બાહ્યજગતમાં જે કંઈ બને છે તેને કુશળતાથી પાત્રોનાં સંવેદનો સાથે સાંકળવાનું  \t\tબન્યું છે. સ્મૃતિસાહચર્ય, સ્વગતોક્તિ, મનોમંથન જેવી પ્રયુક્તિઓનો અહીં સૂઝપૂર્વક વિનિયોગ થયેલો છે અને ભાષાના વિવિધ સ્તરોનો પણ.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "saroja-pathaka",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/saroja-pathaka",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:18.868208",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17386,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "સતીશ વ્યાસ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>વ્યાસ સતીશ ઘનશ્યામ </h4>\n\t\t(૧૦-૧૦-૧૯૪૩) : નાટ્યકાર, વિવેચક, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજકામાં. વતન સુરત. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ, \n\t\tવિનિયોગ અને સિદ્ધિ’ એ વિષય પર પીએચ.ડી. ૧૯૬૭થી કીકાણી આટ્સ(*) ઍન્ડ કૉમર્સ કૉલેજ, ધંધુકામાં ગુજરાતીના અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક.\n\t\t<br/><br/> \n       ‘નો પાર્કિંગ’ (૧૯૮૪) એમનો એકાંકીસંગ્રહ છે. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘આત્મકથા’ (૧૯૮૩), શોધપ્રબંધ ‘આધુનિક એકાંકી’ (૧૯૮૪) એમના વિવેચનગ્રંથો છે. એમના વિવેચનમાં સ્વસ્થ અભ્યાસીની મુદ્રા છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      વ્યાસ સતીશ ઘનશ્યામ   \t\t(૧૦-૧૦-૧૯૪૩) : નાટ્યકાર, વિવેચક, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજકામાં. વતન સુરત. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ,  \t\tવિનિયોગ અને સિદ્ધિ’ એ વિષય પર પીએચ.ડી. ૧૯૬૭થી કીકાણી આટ્સ(*) ઍન્ડ કૉમર્સ કૉલેજ, ધંધુકામાં ગુજરાતીના અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક. \t\t          ‘નો પાર્કિંગ’ (૧૯૮૪) એમનો એકાંકીસંગ્રહ છે. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘આત્મકથા’ (૧૯૮૩), શોધપ્રબંધ ‘આધુનિક એકાંકી’ (૧૯૮૪) એમના વિવેચનગ્રંથો છે. એમના વિવેચનમાં સ્વસ્થ અભ્યાસીની મુદ્રા છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "satisa-vyasa",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/satisa-vyasa",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:19.121785",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17387,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "શિરિષ પંચાલ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પંચાલ શિરિષ જગજીવનદાસ </u>\n\t\t(૭-૩-૧૯૪૩) : વિવેચક, સંપાદક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૪માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૬૬માં એ જ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ. \n\t\tઅને ૧૯૮૦માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બિલિમોરાની કૉલેજમાં અને ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી પાદરાની કૉલેજમાં અધ્યાપક. ૧૯૮૦ થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા.\n\t\t<br/><br/>\n\t\tડૉ. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી અંતર્ગત ‘નવલકથા’ (૧૯૮૪) પર લખાયેલા એમના લઘુપ્રબંધમાં અભ્યાસ અને વિષય પરની પકડ જોઈ શકાય છે. ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ (૧૯૮૫) એમનો શોધનિબંધ છે. \n\t\tએમાં ગુજરાતી કાવ્યવિવેચનને અનુષંગે ઐતિહાસિક ને ઉત્ક્રમિક ચર્ચા છે. નર્મદથી માંડીને અત્યાર સુધીના મહત્વના પ્રશ્નોની વિચારણા કરવાનો અહીં ઉપક્રમ છે. નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, રા. વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, \n\t\tઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી વગેરેના વિચારોની તપાસમાં રૂપરચના, ભાષા, અલંકારપ્રતીકરચના, જીવનદર્શન જેવાં વિવિધ પાસાંઓનો સ્પર્શ કરાયો છે. એમનો ‘રૂપરચનાથી વિઘટન’ (૧૯૮૬) વિવેચનસંગ્રહ સાંપ્રત વિવેચનના \n\t\tવિવિધ પ્રવાહોનું પ્રમાણિત દિગ્દર્શન આપે છે. \n\t\t<br/><br/>\n\t\t‘વૈદેહી’ (૧૯૮૮) એમની નવલકથા છે. ‘જરા મોટેથી’ (૧૯૮૮) એમનો નિબંધસંગ્રહો છે. આ ઉપરાંત એમણે સુરેશ જોષીની વાર્તાઓનું સંપાદન ‘માનીતીઅણમાનીતી’ (૧૯૮૨)માં સુરેશ જોષીના નિબંધોનું સંપાદન ‘ભાવયામિ’ (૧૯૮૪)માં કર્યું \n\t\tછે. આ સંપાદનો સાથે જોડાયેલા એમના પ્રાસ્તાવિક અભ્યાસલેખો તલસ્પર્શી છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tરૂપરચનાથી વિઘટન (૧૯૮૬) : આધુનિકતાની વિભાવનાને નવેસરથી તપાસતો શિરિષ પંચાલનો વિવેચનગ્રંથ. એમાં રૂપરચનાથી વિઘટન સુધીના સાહિત્યસિદ્ધાંતોને આવરી લઈ સર્જક, અનુ-આધુનિકતા, પરંપરાભંજકતા, સાહિત્યનું  સમાજશાસ્ત્ર, \n\t\tસાહિત્યના વ્યાપક સંદર્ભો, આધુનિક માનવસંદર્ભ-વગેરેની પુનર્વિચારણા કરી છે;  અને વિવેચનના સંકોચાઈ ગયેલા ક્ષેત્ર પરત્વે સભાન બની કૃતિની સાથે સંબંધ ધરાવતાં સ્થલકાલસાપેક્ષ પરિમાણોના મહત્વને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પંચાલ શિરિષ જગજીવનદાસ   \t\t(૭-૩-૧૯૪૩) : વિવેચક, સંપાદક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૪માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૬૬માં એ જ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ.  \t\tઅને ૧૯૮૦માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બિલિમોરાની કૉલેજમાં અને ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી પાદરાની કૉલેજમાં અધ્યાપક. ૧૯૮૦ થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા. \t\t  \t\tડૉ. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી અંતર્ગત ‘નવલકથા’ (૧૯૮૪) પર લખાયેલા એમના લઘુપ્રબંધમાં અભ્યાસ અને વિષય પરની પકડ જોઈ શકાય છે. ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ (૧૯૮૫) એમનો શોધનિબંધ છે.  \t\tએમાં ગુજરાતી કાવ્યવિવેચનને અનુષંગે ઐતિહાસિક ને ઉત્ક્રમિક ચર્ચા છે. નર્મદથી માંડીને અત્યાર સુધીના મહત્વના પ્રશ્નોની વિચારણા કરવાનો અહીં ઉપક્રમ છે. નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, રા. વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી,  \t\tઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી વગેરેના વિચારોની તપાસમાં રૂપરચના, ભાષા, અલંકારપ્રતીકરચના, જીવનદર્શન જેવાં વિવિધ પાસાંઓનો સ્પર્શ કરાયો છે. એમનો ‘રૂપરચનાથી વિઘટન’ (૧૯૮૬) વિવેચનસંગ્રહ સાંપ્રત વિવેચનના  \t\tવિવિધ પ્રવાહોનું પ્રમાણિત દિગ્દર્શન આપે છે.  \t\t  \t\t‘વૈદેહી’ (૧૯૮૮) એમની નવલકથા છે. ‘જરા મોટેથી’ (૧૯૮૮) એમનો નિબંધસંગ્રહો છે. આ ઉપરાંત એમણે સુરેશ જોષીની વાર્તાઓનું સંપાદન ‘માનીતીઅણમાનીતી’ (૧૯૮૨)માં સુરેશ જોષીના નિબંધોનું સંપાદન ‘ભાવયામિ’ (૧૯૮૪)માં કર્યું  \t\tછે. આ સંપાદનો સાથે જોડાયેલા એમના પ્રાસ્તાવિક અભ્યાસલેખો તલસ્પર્શી છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tરૂપરચનાથી વિઘટન (૧૯૮૬) : આધુનિકતાની વિભાવનાને નવેસરથી તપાસતો શિરિષ પંચાલનો વિવેચનગ્રંથ. એમાં રૂપરચનાથી વિઘટન સુધીના સાહિત્યસિદ્ધાંતોને આવરી લઈ સર્જક, અનુ-આધુનિકતા, પરંપરાભંજકતા, સાહિત્યનું  સમાજશાસ્ત્ર,  \t\tસાહિત્યના વ્યાપક સંદર્ભો, આધુનિક માનવસંદર્ભ-વગેરેની પુનર્વિચારણા કરી છે;  અને વિવેચનના સંકોચાઈ ગયેલા ક્ષેત્ર પરત્વે સભાન બની કૃતિની સાથે સંબંધ ધરાવતાં સ્થલકાલસાપેક્ષ પરિમાણોના મહત્વને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "sirisa-pancala",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/sirisa-pancala",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:19.377764",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17388,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "શિવકુમાર જોશી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>જોશી શિવકુમાર ગિરિજાશંકર </u>\n\t\t(૧૬-૧૧-૧૯૧૬, ૪-૭-૧૯૮૮) : નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૩ માં મૅટ્રિક. ૧૯૩૭ માં ગુજરાત કૉલેજ, અમદાવાદમાંથી \n\t\tસંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૭ થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કપડાનો વ્યવસાય. ૧૯૫૮ થી કલકત્તામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય. \n\t\t૧૯૫૨માં કુમારચંદ્રક. ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. \n\t\t<br/><br/> \n\t\t‘પાંખ વિનાનાં પારેવાં અને બીજાં નાટકો’  (૧૯૫૨) થી એકાંકી-નાટક ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું, તે પછી અનંત સાધના’ (૧૯૫૫), ‘સોનાની હાંસડી રૂપાની હાંસડી’ (૧૯૫૯) તથા ‘નીલાંચલ’ (૧૯૬૨), ‘નીરદ છાયા’ (૧૯૬૬), ‘ગંગા વહે છે \n\t\tઆપની’ (૧૯૭૭) વગેરે એકાંકીસંગ્રહો એમણે આપ્યા છે. તેઓ મુખ્યત્વે શહેરી જીવનમાંથી વસ્તુ પસંદ કરે છે. શિષ્ટતા તરફ એમનું વલણ વિશેષ હોવાથી એમનું કલાફલક અંતર્મુખ વિશેષ છે. એમનાં નાટકોનો સંઘર્ષ મુખ્યત્વે પાત્રલક્ષી \n\t\tહોય છે. એમનાં મોટા ભાગનાં નાટકો સામાજિક છે. એમની રંગવિતરણ દ્રષ્ટિ રંગભૂમિયોગ્ય છે. એમણે ‘બે તખ્તા’ જેવા પ્રયોગો કર્યા છે તથા રેડિયો નાટક પણ મોટી સંખ્યામાં લખ્યાં છે. ‘અંધારા ઉલેચો’ (૧૯૫૫), ‘અંગારભસ્મ’ (૧૯૫૬), \n\t\t‘સાંધ્યદીપિકા’ (૧૯૫૭), ‘દુર્વાંકુર’ (૧૯૫૭), ‘ઘટા ઘીરી ઘીરી આઈ’ (૧૯૫૯), ‘એકને ટકોરે’ (૧૯૬૦), ‘સુવર્ણરેખા’ (૧૯૬૧), ‘શતરંજ’ (૧૯૬૨), ‘કૃતિવાસ’ (૧૯૬૫), ‘સાપઉતારા’ (૧૯૬૬), ‘સંધિકાળ’ (૧૯૬૭), ‘બીજલ’ (૧૯૬૯), ‘અજરામર’ \n\t\t(૧૯૭૦), ‘કહત કબીરા’ (૧૯૭૧), ‘કાકા સાગરિકા’ (૧૯૭૩), ‘બાણશય્યા’, ‘નકુલા’ અને ‘ત્રિપર્ણ’ (૧૯૭૩), ‘લક્ષ્મણરેખા’, ‘નીલ આકાશ’, ‘લીલી ધરા’-‘દ્રિપર્ણ’ (૧૯૭૬), ‘અમર-અમર મર’ (૧૯૮૨), ‘માશંકરની ઐસી તૈસી’ (૧૯૮૨) વગેરે \n\t\tએમનાં દીર્ઘ નાટકો છે. એમની પાસે દીર્ઘ નાટકો માટે યોગ્ય સંકુલ સંઘર્ષયુક્ત સામાજિક વસ્તુ, સ્વતંત્ર વ્યક્તિત્વવાળાં પાત્રો, પાત્રાનુરૂપ રંગમંચક્ષમ ભાષાશૈલી તથા તખ્તાલાયકી છે. આ ઉપરાંત એમણે શરદબાબુની પ્રસિદ્ધ નવલકથાઓ \n\t\t‘વિરાજવહુ’ (૧૯૫૨) તથા ‘દેવદાસ’ (૧૯૫૯) નાં સફળતાપૂર્વક નાટ્યરૂપાંતર કર્યાં છે. \n\t\t<br/><br/> \n\t\tએમણે પચીસેક નવલકથાઓ લખી છે. એમની શૈલી પ્રવાહી અને પ્રાસાદિક છે. પ્રસ્તારી આલેખન એમની ખાસિયત છે. મોટા ભાગની નવલોમાં તેઓ વર્તમાનમાંથી અને નજીકના ભૂતકાળમાંથી મહત્વનાં સામાજિક-રાજ્કીય પરિબળોને \n\t\tપશ્વાદભૂમાં રાખી પ્રણયકથાની ગૂંથણી કરે છે. એમની નવલોના નાયકો ભાવનાશાળી યુવાનો છે. ખુમારીભર્યા સ્ત્રી પાત્રોને છેવટે તેઓ ભાવુક બનાવી દે છે. નવલોના પ્રસ્તારને પ્રવાસી પાત્રોનાં પ્રવાસવર્ણનો સાથે સંબંધ છે. ‘આભ રુવે \n\t\tએની નવલખધારે’ (૧૯૬૪) ૭૯૯ પૃષ્ઠની કથા છે. ‘કમલ કાનન કોલોની’ (૧૯૬૮) એમની લઘુનવલ છે. એમણે આપેલી અન્ય નવલો આ પ્રમાણે છે. ‘અનંગ રાગ’ (૧૯૫૮), ‘શ્રાવણી’ (૧૯૬૧), ‘એસ. એસ. રૂપનારાયણ’ (૧૯૬૬), ‘દિયો \n\t\tઅભયનાં દાન’ (૧૯૬૭), ‘સોનલ છાંય’ (૧૯૬૭), ‘કેફ કસુંબલ’ (૧૯૬૭), ‘રજત રેખ’ (૧૯૬૭), ‘એક કણ રે આપો’ (૧૯૬૮), ‘નથી હું નારાયણી’ (૧૯૬૯), ‘અયનાંશુ’ (૧૯૭૦), ‘અસીમ પડછાયા’ (૧૯૭૧), ‘લછમન ઉર મૈલા’ (૧૯૭૨), \n\t\t‘વસંતનું એ વન’ (૧૯૭૩), ‘ચિરાગ’ (૧૯૭૫), ‘મરીચિકા’ (૧૯૭૫), ‘પોપટ આંબા કેરી ડાળ’ (૧૯૭૬), ‘આ અવધપુરી ! આ રામ !!’ (૧૯૭૮), ‘ઊડી ઊડી જાવ પારેવાં’ (૧૯૭૯), ‘પ્રિય રમ્ય વિભાવરી’ (૧૯૮૦), ‘ગંગા બહૈ, નહિ રૈન’ \n\t\t(૧૯૮૧), ‘કલહંસી’ (૧૯૮૩) અને ‘કેસૂડે કામણ ઘોળ્યાં’ (૧૯૮૪).\n\t\t<br/><br/> \n\t\tએમણે ટૂંકીવાર્તાઓ પણ વિપુલ પ્રમાણમાં લખી છે. ‘રજનીગંધા’ (૧૯૫૫), ‘ત્રિશૂળ’ (૧૯૫૭), ‘રહસ્યનગરી’ (૧૯૫૯), ‘રાત અંધારી’ (૧૯૬૨), ‘અભિસાર’ (૧૯૬૫), ‘કનકકટોરો’ (૧૯૬૯), ‘કોમલ ગંધાર’ (૧૯૭૦), ‘કાજલ કોટડી’ (૧૯૭૩), \n\t\t‘નવપદ’ (૧૯૭૬), ‘છલછલ’ (૧૯૭૭), ‘શાંતિ પારાવાર’ (૧૯૭૮), અને ‘સકલ તીરથ’ (૧૯૮૦) એમના વાર્તાસંગ્રહો છે. એમની વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય અને પાત્રમાનસનું નાટ્યાત્મક નિરૂપણ કરતી ભાષાશૈલી છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે પ્રવાસકથાનાં પુસ્તકો આપ્યાં છે : ‘જોવી’ તી કોતરો ને....જોવી’ તી કંદરા’ તથા ‘પગલાં પડી ગયા છે’ (૧૯૮૨). આ ઉપરાંત, લેખકના રંગભૂમિના અનુભવો ચિતાર આપતી, નાટ્યજગતનાં સંસ્મરણો આલેખતી સ્મૃતિકથા ‘મારગ આ \n\t\tપણ છે શૂરાનો’ (૧૯૮૦) સુવાચ્ય અને માહિતીપૂર્ણ છે. એમણે બંગાળીમાંથી ચારેક અનુવાદો પણ આપ્યા છે, જેમાં રવીન્દ્રનાથની નવલકથા ‘જોગાજોગ’ (૧૯૬૯), વિભૂતિભૂષણની નવલકથા ‘આદર્શ હિન્દુ હોટલ’ (૧૯૭૭) તથા વિજય \n\t\tભટ્ટાચાર્યની કૃતિ ‘નવું ધાન’ (૧૯૭૭)નો સમાવેશ થાય છે.  \n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/> \n\t\tઆભ રુવે એની નવલખ ધારે- ભાગ ૧-૨ (૧૯૬૪) : શિવકુમાર જોશીની આ નવલકથા બંગાળની પાર્શ્વભૂમિ, સામ્યવાદી વિચારસરણી અને પ્રવૃત્તિઓ તથા ભારતીય ઇતિહાસના ૧૯૪૧ થી ૧૯૫૦ના મહત્ત્વના સમયગાળાને આવરે છે. \n\t\tદેશપ્રેમની ભાવનાથી રંગાયેલ જયમનબહેનનો સ્વૈરાચારી પુત્ર અશેષ; તેની સુંદર, સંસ્કારી, સુશિક્ષિત બંગાળી પત્ની કાજલ; સામ્યવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો તેનો ભાઈ ઉત્પલ-કથાનાં મુખ્ય પાત્રો છે. અશેષ-કાજલનું પ્રેમલગ્ન \n\t\tઅશેષની સિદ્ધાંતવિહોણી જીવનરીતિ અને સ્ત્રીસંગ-લોલુપતાને કારણે છિન્નભિન્ન થતું જોવાય છે. કથા ફલેશબેક પદ્ધતિથી રજૂ થઈ છે, પણ લેખક વચ્ચે વચ્ચે કથાનાયક તેમ જ વાચક સાથે વાત કરી લે છે. ઐતિહાસિક સામગ્રીનું આકલન \n\t\tપાત્રોના અંગત જીવનની સાથે નહીં સાંધો નહીં રેણ સમું થઈ શકયું નથી.\n\t\t<p align=\"right\">-દીપક મહેતા</p>\n<br/><br/> \n\t\tસોનલ છાંય (૧૯૬૭) : પિયૂ, શરદ અને અમૂલ્ય વચ્ચેના પ્રણયત્રિકોણની કથા અપરંપરાગત રીતે કહેતી, શિવકુમાર જોશીની લઘુનવલ. કથામાં અમૂલ્ય વાચકની નજર સામે મોટે ભાગે હાજર નથી; હાજર છે તેની ડાયરી. ડાયરીના \n\t\tઅંશોને શરદના આત્મકથન સાથે વણી લઈને લેખકે એકસાથે બે જુદાં દ્રષ્ટિબિંદુઓથી કથા રજૂ કરી છે. કૃતિમાં સાહિત્યિક સ્તરની અને બોલચાલની ભાષાનું મિશ્રણ કુશળતાપૂર્વક થયું છે. દીર્ઘ વ્યાપવાળી પોતાની બીજી અનેક \n\t\tનવલકથાઓની સરખામણીમાં લેખક, આ કૃતિમાં વધુ કલાત્મકતા સિદ્ધ કરી શકયા છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      જોશી શિવકુમાર ગિરિજાશંકર   \t\t(૧૬-૧૧-૧૯૧૬, ૪-૭-૧૯૮૮) : નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૩ માં મૅટ્રિક. ૧૯૩૭ માં ગુજરાત કૉલેજ, અમદાવાદમાંથી  \t\tસંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૭ થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કપડાનો વ્યવસાય. ૧૯૫૮ થી કલકત્તામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય.  \t\t૧૯૫૨માં કુમારચંદ્રક. ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક.  \t\t   \t\t‘પાંખ વિનાનાં પારેવાં અને બીજાં નાટકો’  (૧૯૫૨) થી એકાંકી-નાટક ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું, તે પછી અનંત સાધના’ (૧૯૫૫), ‘સોનાની હાંસડી રૂપાની હાંસડી’ (૧૯૫૯) તથા ‘નીલાંચલ’ (૧૯૬૨), ‘નીરદ છાયા’ (૧૯૬૬), ‘ગંગા વહે છે  \t\tઆપની’ (૧૯૭૭) વગેરે એકાંકીસંગ્રહો એમણે આપ્યા છે. તેઓ મુખ્યત્વે શહેરી જીવનમાંથી વસ્તુ પસંદ કરે છે. શિષ્ટતા તરફ એમનું વલણ વિશેષ હોવાથી એમનું કલાફલક અંતર્મુખ વિશેષ છે. એમનાં નાટકોનો સંઘર્ષ મુખ્યત્વે પાત્રલક્ષી  \t\tહોય છે. એમનાં મોટા ભાગનાં નાટકો સામાજિક છે. એમની રંગવિતરણ દ્રષ્ટિ રંગભૂમિયોગ્ય છે. એમણે ‘બે તખ્તા’ જેવા પ્રયોગો કર્યા છે તથા રેડિયો નાટક પણ મોટી સંખ્યામાં લખ્યાં છે. ‘અંધારા ઉલેચો’ (૧૯૫૫), ‘અંગારભસ્મ’ (૧૯૫૬),  \t\t‘સાંધ્યદીપિકા’ (૧૯૫૭), ‘દુર્વાંકુર’ (૧૯૫૭), ‘ઘટા ઘીરી ઘીરી આઈ’ (૧૯૫૯), ‘એકને ટકોરે’ (૧૯૬૦), ‘સુવર્ણરેખા’ (૧૯૬૧), ‘શતરંજ’ (૧૯૬૨), ‘કૃતિવાસ’ (૧૯૬૫), ‘સાપઉતારા’ (૧૯૬૬), ‘સંધિકાળ’ (૧૯૬૭), ‘બીજલ’ (૧૯૬૯), ‘અજરામર’  \t\t(૧૯૭૦), ‘કહત કબીરા’ (૧૯૭૧), ‘કાકા સાગરિકા’ (૧૯૭૩), ‘બાણશય્યા’, ‘નકુલા’ અને ‘ત્રિપર્ણ’ (૧૯૭૩), ‘લક્ષ્મણરેખા’, ‘નીલ આકાશ’, ‘લીલી ધરા’-‘દ્રિપર્ણ’ (૧૯૭૬), ‘અમર-અમર મર’ (૧૯૮૨), ‘માશંકરની ઐસી તૈસી’ (૧૯૮૨) વગેરે  \t\tએમનાં દીર્ઘ નાટકો છે. એમની પાસે દીર્ઘ નાટકો માટે યોગ્ય સંકુલ સંઘર્ષયુક્ત સામાજિક વસ્તુ, સ્વતંત્ર વ્યક્તિત્વવાળાં પાત્રો, પાત્રાનુરૂપ રંગમંચક્ષમ ભાષાશૈલી તથા તખ્તાલાયકી છે. આ ઉપરાંત એમણે શરદબાબુની પ્રસિદ્ધ નવલકથાઓ  \t\t‘વિરાજવહુ’ (૧૯૫૨) તથા ‘દેવદાસ’ (૧૯૫૯) નાં સફળતાપૂર્વક નાટ્યરૂપાંતર કર્યાં છે.  \t\t   \t\tએમણે પચીસેક નવલકથાઓ લખી છે. એમની શૈલી પ્રવાહી અને પ્રાસાદિક છે. પ્રસ્તારી આલેખન એમની ખાસિયત છે. મોટા ભાગની નવલોમાં તેઓ વર્તમાનમાંથી અને નજીકના ભૂતકાળમાંથી મહત્વનાં સામાજિક-રાજ્કીય પરિબળોને  \t\tપશ્વાદભૂમાં રાખી પ્રણયકથાની ગૂંથણી કરે છે. એમની નવલોના નાયકો ભાવનાશાળી યુવાનો છે. ખુમારીભર્યા સ્ત્રી પાત્રોને છેવટે તેઓ ભાવુક બનાવી દે છે. નવલોના પ્રસ્તારને પ્રવાસી પાત્રોનાં પ્રવાસવર્ણનો સાથે સંબંધ છે. ‘આભ રુવે  \t\tએની નવલખધારે’ (૧૯૬૪) ૭૯૯ પૃષ્ઠની કથા છે. ‘કમલ કાનન કોલોની’ (૧૯૬૮) એમની લઘુનવલ છે. એમણે આપેલી અન્ય નવલો આ પ્રમાણે છે. ‘અનંગ રાગ’ (૧૯૫૮), ‘શ્રાવણી’ (૧૯૬૧), ‘એસ. એસ. રૂપનારાયણ’ (૧૯૬૬), ‘દિયો  \t\tઅભયનાં દાન’ (૧૯૬૭), ‘સોનલ છાંય’ (૧૯૬૭), ‘કેફ કસુંબલ’ (૧૯૬૭), ‘રજત રેખ’ (૧૯૬૭), ‘એક કણ રે આપો’ (૧૯૬૮), ‘નથી હું નારાયણી’ (૧૯૬૯), ‘અયનાંશુ’ (૧૯૭૦), ‘અસીમ પડછાયા’ (૧૯૭૧), ‘લછમન ઉર મૈલા’ (૧૯૭૨),  \t\t‘વસંતનું એ વન’ (૧૯૭૩), ‘ચિરાગ’ (૧૯૭૫), ‘મરીચિકા’ (૧૯૭૫), ‘પોપટ આંબા કેરી ડાળ’ (૧૯૭૬), ‘આ અવધપુરી ! આ રામ !!’ (૧૯૭૮), ‘ઊડી ઊડી જાવ પારેવાં’ (૧૯૭૯), ‘પ્રિય રમ્ય વિભાવરી’ (૧૯૮૦), ‘ગંગા બહૈ, નહિ રૈન’  \t\t(૧૯૮૧), ‘કલહંસી’ (૧૯૮૩) અને ‘કેસૂડે કામણ ઘોળ્યાં’ (૧૯૮૪). \t\t   \t\tએમણે ટૂંકીવાર્તાઓ પણ વિપુલ પ્રમાણમાં લખી છે. ‘રજનીગંધા’ (૧૯૫૫), ‘ત્રિશૂળ’ (૧૯૫૭), ‘રહસ્યનગરી’ (૧૯૫૯), ‘રાત અંધારી’ (૧૯૬૨), ‘અભિસાર’ (૧૯૬૫), ‘કનકકટોરો’ (૧૯૬૯), ‘કોમલ ગંધાર’ (૧૯૭૦), ‘કાજલ કોટડી’ (૧૯૭૩),  \t\t‘નવપદ’ (૧૯૭૬), ‘છલછલ’ (૧૯૭૭), ‘શાંતિ પારાવાર’ (૧૯૭૮), અને ‘સકલ તીરથ’ (૧૯૮૦) એમના વાર્તાસંગ્રહો છે. એમની વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય અને પાત્રમાનસનું નાટ્યાત્મક નિરૂપણ કરતી ભાષાશૈલી છે. \t\t   \t\tએમણે પ્રવાસકથાનાં પુસ્તકો આપ્યાં છે : ‘જોવી’ તી કોતરો ને....જોવી’ તી કંદરા’ તથા ‘પગલાં પડી ગયા છે’ (૧૯૮૨). આ ઉપરાંત, લેખકના રંગભૂમિના અનુભવો ચિતાર આપતી, નાટ્યજગતનાં સંસ્મરણો આલેખતી સ્મૃતિકથા ‘મારગ આ  \t\tપણ છે શૂરાનો’ (૧૯૮૦) સુવાચ્ય અને માહિતીપૂર્ણ છે. એમણે બંગાળીમાંથી ચારેક અનુવાદો પણ આપ્યા છે, જેમાં રવીન્દ્રનાથની નવલકથા ‘જોગાજોગ’ (૧૯૬૯), વિભૂતિભૂષણની નવલકથા ‘આદર્શ હિન્દુ હોટલ’ (૧૯૭૭) તથા વિજય  \t\tભટ્ટાચાર્યની કૃતિ ‘નવું ધાન’ (૧૯૭૭)નો સમાવેશ થાય છે.   \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ     \t\tઆભ રુવે એની નવલખ ધારે- ભાગ ૧-૨ (૧૯૬૪) : શિવકુમાર જોશીની આ નવલકથા બંગાળની પાર્શ્વભૂમિ, સામ્યવાદી વિચારસરણી અને પ્રવૃત્તિઓ તથા ભારતીય ઇતિહાસના ૧૯૪૧ થી ૧૯૫૦ના મહત્ત્વના સમયગાળાને આવરે છે.  \t\tદેશપ્રેમની ભાવનાથી રંગાયેલ જયમનબહેનનો સ્વૈરાચારી પુત્ર અશેષ; તેની સુંદર, સંસ્કારી, સુશિક્ષિત બંગાળી પત્ની કાજલ; સામ્યવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો તેનો ભાઈ ઉત્પલ-કથાનાં મુખ્ય પાત્રો છે. અશેષ-કાજલનું પ્રેમલગ્ન  \t\tઅશેષની સિદ્ધાંતવિહોણી જીવનરીતિ અને સ્ત્રીસંગ-લોલુપતાને કારણે છિન્નભિન્ન થતું જોવાય છે. કથા ફલેશબેક પદ્ધતિથી રજૂ થઈ છે, પણ લેખક વચ્ચે વચ્ચે કથાનાયક તેમ જ વાચક સાથે વાત કરી લે છે. ઐતિહાસિક સામગ્રીનું આકલન  \t\tપાત્રોના અંગત જીવનની સાથે નહીં સાંધો નહીં રેણ સમું થઈ શકયું નથી. \t\t -દીપક મહેતા     \t\tસોનલ છાંય (૧૯૬૭) : પિયૂ, શરદ અને અમૂલ્ય વચ્ચેના પ્રણયત્રિકોણની કથા અપરંપરાગત રીતે કહેતી, શિવકુમાર જોશીની લઘુનવલ. કથામાં અમૂલ્ય વાચકની નજર સામે મોટે ભાગે હાજર નથી; હાજર છે તેની ડાયરી. ડાયરીના  \t\tઅંશોને શરદના આત્મકથન સાથે વણી લઈને લેખકે એકસાથે બે જુદાં દ્રષ્ટિબિંદુઓથી કથા રજૂ કરી છે. કૃતિમાં સાહિત્યિક સ્તરની અને બોલચાલની ભાષાનું મિશ્રણ કુશળતાપૂર્વક થયું છે. દીર્ઘ વ્યાપવાળી પોતાની બીજી અનેક  \t\tનવલકથાઓની સરખામણીમાં લેખક, આ કૃતિમાં વધુ કલાત્મકતા સિદ્ધ કરી શકયા છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "sivakumara-josi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/sivakumara-josi",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:19.672573",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17389,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "શિવલાલ કવિ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>કવિ શિવલાલ ધનેશ્વર, ‘અનુપ’</u>\r\n\t\t(૧૮૫૦, ૧૮૯૯) : કવિ, અનુવાદક. પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં. શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું. પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કૉલેજમાં \r\n\t\tઅભ્યાસ શરૂ કર્યો, પણ મહીપતરામે ઠપકો આપતાં અભ્યાસ છોડી દેવાતજ ગામમાં ગામઠી નિશાળ કાઢી. ત્યાંથી ઘોઘા જઈ કન્યાશાળામાં જોડાયા. ૧૮૬૯માં મુંબઈ ગયા. પહેલાં કન્યાશાળામાં, પછી છાપખાનામાં નોકરી કરી. \r\n\t\tપ્રતિકૂળ આર્થિક સ્થિતિમાં પોતાનું પુસ્તક પૈસા લઈ પારસી ગૃહસ્થને નામે ચડાવી આપ્યું. ૧૮૭૫ થી કચ્છના રાજવી કુટુંબના શિક્ષક. ૧૮૮૭માં કચ્છના મહારાજા સાથે ઈંગ્લૅન્ડનો પ્રવાસ. ત્યાંથી આવ્યા પછી કચ્છના કાયદાનો \r\n\t\tઅભ્યાસ કરી પહેલાં અંજારમાં પછી ૧૮૯૪ થી મુંદ્રામાં ન્યાયધીશ. મૃત્યુ વતન મુંદ્રામાં.\r\n\t\t<br/><br/> \r\n\t\t૧૮૭૧ માં, એક માસિક શરૂ કરવાના ઉદ્દેશથી ‘પ્રાસ્તાવિક કાવ્યઃઅંક-૧’નું  એમણે પ્રકાશન કર્યું ત્યારથી એમની કવન-પ્રવૃત્તિ આરંભાઈ, ‘પ્રાસ્તાવિક કાવ્ય’માંનાં પ્રાસંગિક અને ઈશ્વરપ્રીતિનાં કાવ્યો ઉપર મધ્યકાલીન કવિઓની \r\n\t\tઅસર છે. ‘શ્રીનાથજીની પેઢીમાં રૂ. ૭૨,૦૦૦ ચોરી થઈ તે વીશે તથા તે ચોરી પકડવામાં શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ જે યત્ન કરયા તે વીશે’ (૧૮૭૧) એ પ્રાસંગિક પદ્યકૃતિ જ છે. કચ્છના મહારાજા સાથે કવિએ કરેલા \r\n\t\tમહાબળેશ્વરના પ્રવાસને નિરૂપતી કાવ્યકૃતિ ‘પ્રવાસવર્ણન’ (૧૮૮૬) અલંકારસૌંદર્ય ધરાવતી છતાં રાજા અને અંગ્રેજોની અતિસ્તુતિ તેમ જ બિનજરૂરી વિગતોને કારણે શિથિલ બનેલી છે. ‘કચ્છભૂપતિ વિવાહ વર્ણન’ (૧૮૮૫) એ \r\n\t\tએમણે આશ્રયદાતા રાજાની પદ્યરૂપમાં કરેલી સ્તુતિ જ છે. ‘સોક્યનું સાલ : ૧-૨’ એ પ્રાસંગિક પદ્યરચના છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tએમણે તુલસીકૃત ‘રામચરિતમાનસ’નું ભાષાંતર ‘રામાયણ’ (૧૮૭૫) કર્યું છે. કાળજીથી થયેલું આ ભાષાંતર શુદ્ધ ભાષા અને સાહજિક પદ્યબંધ ધરાવે છે. પૂર્વમેઘમાં સળંગ પૃથ્વી અને ઉત્તમમેઘમાં સળંગ સ્રગ્ધરાનો વિનિયોગ \r\n\t\tકરતું ‘મેઘદૂત’ (૧૮૯૮) ભાષાતર ગુણવત્તામાં સરેરાશ છે. કાલિદાસાદિ સંસ્કૃત કવિઓની કૃતિઓને છપ્પા-દોહરામાં ઉતારતી રચના ‘કાવ્યકલાપ’ (૧૮૭૨) પણ અનુવાદ છે. ‘શૃંગારતિલક’, ‘શૃંગારાષ્ટક’, ‘વૈરાગ્યશતક’ અને \r\n\t\t‘હંસદૂત’ આદિ અન્ય અનુવાદોનું સામટું પુસ્તક કરવાની એમને ઉમેદ હતી. જીવનના અંતકાળે ‘મહાભારત’નો અનુવાદ કરવા તરફ એ વળ્યા હતા. ‘વિરાટપર્વ’નું ભાષાંતર આરંભ્યું હતું.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      કવિ શિવલાલ ધનેશ્વર, ‘અનુપ’ \r \t\t(૧૮૫૦, ૧૮૯૯) : કવિ, અનુવાદક. પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં. શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું. પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કૉલેજમાં \r \t\tઅભ્યાસ શરૂ કર્યો, પણ મહીપતરામે ઠપકો આપતાં અભ્યાસ છોડી દેવાતજ ગામમાં ગામઠી નિશાળ કાઢી. ત્યાંથી ઘોઘા જઈ કન્યાશાળામાં જોડાયા. ૧૮૬૯માં મુંબઈ ગયા. પહેલાં કન્યાશાળામાં, પછી છાપખાનામાં નોકરી કરી. \r \t\tપ્રતિકૂળ આર્થિક સ્થિતિમાં પોતાનું પુસ્તક પૈસા લઈ પારસી ગૃહસ્થને નામે ચડાવી આપ્યું. ૧૮૭૫ થી કચ્છના રાજવી કુટુંબના શિક્ષક. ૧૮૮૭માં કચ્છના મહારાજા સાથે ઈંગ્લૅન્ડનો પ્રવાસ. ત્યાંથી આવ્યા પછી કચ્છના કાયદાનો \r \t\tઅભ્યાસ કરી પહેલાં અંજારમાં પછી ૧૮૯૪ થી મુંદ્રામાં ન્યાયધીશ. મૃત્યુ વતન મુંદ્રામાં.\r \t\t  \r \t\t૧૮૭૧ માં, એક માસિક શરૂ કરવાના ઉદ્દેશથી ‘પ્રાસ્તાવિક કાવ્યઃઅંક-૧’નું  એમણે પ્રકાશન કર્યું ત્યારથી એમની કવન-પ્રવૃત્તિ આરંભાઈ, ‘પ્રાસ્તાવિક કાવ્ય’માંનાં પ્રાસંગિક અને ઈશ્વરપ્રીતિનાં કાવ્યો ઉપર મધ્યકાલીન કવિઓની \r \t\tઅસર છે. ‘શ્રીનાથજીની પેઢીમાં રૂ. ૭૨,૦૦૦ ચોરી થઈ તે વીશે તથા તે ચોરી પકડવામાં શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ જે યત્ન કરયા તે વીશે’ (૧૮૭૧) એ પ્રાસંગિક પદ્યકૃતિ જ છે. કચ્છના મહારાજા સાથે કવિએ કરેલા \r \t\tમહાબળેશ્વરના પ્રવાસને નિરૂપતી કાવ્યકૃતિ ‘પ્રવાસવર્ણન’ (૧૮૮૬) અલંકારસૌંદર્ય ધરાવતી છતાં રાજા અને અંગ્રેજોની અતિસ્તુતિ તેમ જ બિનજરૂરી વિગતોને કારણે શિથિલ બનેલી છે. ‘કચ્છભૂપતિ વિવાહ વર્ણન’ (૧૮૮૫) એ \r \t\tએમણે આશ્રયદાતા રાજાની પદ્યરૂપમાં કરેલી સ્તુતિ જ છે. ‘સોક્યનું સાલ : ૧-૨’ એ પ્રાસંગિક પદ્યરચના છે.\r \t\t  \r \t\tએમણે તુલસીકૃત ‘રામચરિતમાનસ’નું ભાષાંતર ‘રામાયણ’ (૧૮૭૫) કર્યું છે. કાળજીથી થયેલું આ ભાષાંતર શુદ્ધ ભાષા અને સાહજિક પદ્યબંધ ધરાવે છે. પૂર્વમેઘમાં સળંગ પૃથ્વી અને ઉત્તમમેઘમાં સળંગ સ્રગ્ધરાનો વિનિયોગ \r \t\tકરતું ‘મેઘદૂત’ (૧૮૯૮) ભાષાતર ગુણવત્તામાં સરેરાશ છે. કાલિદાસાદિ સંસ્કૃત કવિઓની કૃતિઓને છપ્પા-દોહરામાં ઉતારતી રચના ‘કાવ્યકલાપ’ (૧૮૭૨) પણ અનુવાદ છે. ‘શૃંગારતિલક’, ‘શૃંગારાષ્ટક’, ‘વૈરાગ્યશતક’ અને \r \t\t‘હંસદૂત’ આદિ અન્ય અનુવાદોનું સામટું પુસ્તક કરવાની એમને ઉમેદ હતી. જીવનના અંતકાળે ‘મહાભારત’નો અનુવાદ કરવા તરફ એ વળ્યા હતા. ‘વિરાટપર્વ’નું ભાષાંતર આરંભ્યું હતું.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "sivalala-kavi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/sivalala-kavi",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:19.893009",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        }
    ],
    "description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
    "image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}