HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept
{
"count": 17752,
"next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=917",
"previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=915",
"results": [
{
"id": 17366,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રમણલાલ દેસાઈ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દેસાઈ રમણલાલ વસંતલાલ </h4>\n\t\t(૧૨-૫-૧૮૯૨, ૨૦-૯-૧૯૫૪) : નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ. જન્મ શિનોર (જિ. વડોદરા)માં. વતન કાલોલ (જિ. પંચમહાલ). પ્રાથમિક શિક્ષણ શિનોરમાં. માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં. અંગ્રેજી મુખ્ય વિષય સાથે \n\t\t૧૯૧૪માં બી.એ. અને ૧૯૧૬માં એમ.એ. ૧૯૪૮માં નિવૃત્ત થયાં ત્યાં સુધી વડોદરા રાજ્યની નોકરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખરા, પણ સ્વાતંત્ર્ય-આંદોલનમાં સીધી રીતે ક્યારેય સંકળાયેલાં નહીં. ૧૯૫૨માં વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ \n\t\tપરિષદના પ્રતિનિધિ તરીકે વિયેનાની મુલાકાત. ત્યાંથી રશિયાનો પ્રવાસ. ૧૯૩૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૧ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી વડોદરામાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tએમણે લેખનપ્રવૃત્તિનો પ્રારંભ ૧૯૧૫માં સુરતમાં ભરાયેલી સાહિત્યપરિષદ વખતે ભજવવા માટે લખેલા ‘સંયુક્તા’ નાટકથી કર્યો, જે પછી પુસ્તકરૂપે ૧૯૨૩માં પ્રગટ થયું. પછી વડોદરામાં સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે સયાજીરાવે આપેલા \n\t\tદાનની યોજના અન્વયે એમણે ‘મહારાણા પ્રતાપ’ (૧૯૧૯) અને ‘નાના ફડનવીસ’ (૧૯૨૨) એ ચરિત્રો, ‘પાવાગઢ’ (૧૯૨૦) પ્રવાસગ્રંથ અને ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ (૧૯૨૮) અનુવાદગ્રંથ પ્રસિદ્ધ કર્યાં. પરંતુ એમને લેખક તરીકે ખ્યાતિ તો \n\t\tઅપાવી, ૧૯૨૪-૨૫ દરમિયાન ‘નવગુજરાત’ સામયિક માટે એમણે લખેલી અને પછીથી ૧૯૩૮માં પ્રગટ થયેલી ‘ઠગ’ નવલકથાએ.\n\t\t<br/><br/> \n\t\tપાશ્ચાત્ય નવલકથાકારો કે તેમની નવલકથાઓ કરતાં ગુજરાતી નવલકથાકારો અને સર્જકો તથા ગાંધીજીની ભાવનાઓ અને સામ્યવાદી વિચારોની અસર એમણે ઝીલી, તત્કાલીન ગાંધીયુગીન સામાજિક ને રાજ્કીય પ્રશ્નો, શિક્ષિત \n\t\tસુખીમધ્યમાવર્ગીય જીવનમાંથી આવતાં આદર્શપરાયણ અને આદર્શને ખાતર દુન્યવી સુખોનો ત્યાગ કરવાની તમન્નાવાળાં યુવાન-યુવતી પાત્રો, એ પાત્રો વચ્ચે બંધાતા પ્રણયત્રિકોણો અને તજજન્ય ઘર્ષણો, એકાદ ખલપાત્ર, કાવ્યન્યાય \n\t\tમુજબ આવતો ભાવનાપોષક અંત, કથાનાં એક-બે પાત્રોનો રહસ્યમય ભૂતકાળ, કથાની વચ્ચેવચ્ચે આવતી સામાન્ય લૌકિક અનુભવો વિશેની ચિંતનકણિકાઓ, સરળ લોકભોગ્ય ભાષા ઇત્યાદિ તત્વોવાળું નવલકથાનું એક એવું રૂપ એમણે \n\t\tનિપજાવ્યું કે આ નવલકથાઓએ ૧૯૩૦-૪૦નાં વર્ષો દરમિયાન ગુજરાતના બહોળા વાચકવર્ગમાં એમને લોકપ્રિય નવલકથાકાર બનાવી દીધા. ગ્રંથરૂપે પ્રગટ થયેલી એમની પહેલી સામાજિક નવલકથા ‘જયંત’ (૧૯૨૫)માં રચનારીતિનો જે \n\t\tઢાંચો બંધાયો તે જ સામાન્ય પરિવર્તન સિવાય એમની પછીની મોટા ભાગની નવલકથાઓમાં પણ જોવા મળે છે.\n\t\t<br/><br/> \n\t\tપ્રારંભથી જ એમની નવલકથાઓમાં ગાંધીવિચારો પ્રત્યેનો પક્ષપાત દેખાય છે. ‘શિરીષ’ (૧૯૨૭) અને ‘હૃદયવિભૂતિ’ (૧૯૪૦)માં ગુનેગાર ગણાતી કોમોની સેવાનો પ્રશ્ન કે ‘પૂર્ણિમા’ (૧૯૩૨)માંનો વેશ્યાજીવનનો પ્રશ્ન ગાંધીયુગીન \n\t\tપતિતોદ્ધારની ભાવનામાંથી આવે છે. ‘હૃદયનાથ’ (૧૯૩૨)માં વ્યાયામ અને અખાડાપ્રવૃત્તિના વિકાસનો પ્રશ્ન છે. પરંતુ ગાંધીયુગીન આદર્શો અને જનજીવનને વ્યાપકરૂપે મૂર્ત કરતી અને સાહિત્યિક દ્રષ્ટિએ પણ વિશેષ સંતર્પક નવલકથા \n\t\t‘દિવ્યચક્ષુ’ (૧૯૩૨) છે. અસ્પૃશ્યતા, સ્વદેશી-આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભાસરઘસ, પોલીસના અત્યાચાર, અંગ્રેજરાજ્યના અમલદારોની સીધી કે આડકતરી જોહુકમી, રૂઢિચુસ્ત અને અંગ્રેજપરસ્ત સુખી વર્ગની ગાંધીજીની પ્રવૃત્તિઓ પ્રતિ \n\t\tઅશ્રદ્ધા વગેરે સમકાલીન વિચારો-ભાવનાઓને આ કૃતિમાં લેખકે ઝીલ્યાં છે અને અંતે હિંસા પર અહિંસાનો વિજય બતાવ્યો છે. એવી જ બીજી ધ્યાનપાત્ર સામાજિક નવલકથા ‘ગ્રામલક્ષ્મી’- ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭)માં \n\t\tઅસ્પૃશ્યતા, વિધવાવિવાહ, ગ્રામસફાઈ, હિંદુમુસ્લીમઐક્ય ઇત્યાદિ ગ્રામોન્નતિના પ્રશ્નોને વણી લીધા છે. ‘કોકિલા’ (૧૯૨૭)માં મજૂરજીવનનો પ્રશ્ન છે ખરો, પણ દાંપત્યપ્રેમનો મહિમા કૃતિના કેન્દ્રમાં છે. ‘સ્નેહયજ્ઞ’ (૧૯૩૧), મરણોત્તર પ્રકાશિત \n\t\t‘ત્રિશંકુ’ (૧૯૫૫) તથા ‘આંખ અને અંજન’ (૧૯૬૦) એમની અન્ય સામાજિક નવલકથાઓ છે.\n\t\t<br/><br/> \n\t\tગાંધીવિચાર સાથે સામ્યવાદી વિચાર ધરાવતાં પાત્રોનું આલેખન એમની નવલકથાઓમાં પ્રારંભથી દેખાય છે, પરંતુ ગાંધીયુગીન મૂલ્યો તરફનો એમનો અનુરાગ કૃતિને અંતે વિજયી બને છે. વચ્ચે થોડાંક વર્ષો દરમિયાન એમની દ્રષ્ટિમાં \n\t\tપરિવર્તન અનુભવાય છે. ‘શોભના’ (૧૯૩૯)માં પરાશરના પાત્રને કેન્દ્રમાં લાવી પહેલી વખત સામ્યવાદી વિચારો તરફ તેનો તટસ્થ ભાવથી જુએ છે. ‘છાયાનટ’ (૧૯૪૧)માં વાસ્તવવાદી અભિગમ છે. એમની નવલકથાઓના પ્રચલિત \n\t\tઢાંચાથી કેટલેક અંશે જુદી પડતી આ નવલકથામાં આદર્શઘેલો ગૌતમ કૃતિને અંતે આદર્શ મૂકી મૂલ્યહા્સવાળા જગતની વાસ્તવિકતાને સ્વીકારી લે છે. ‘ઝંઝાવાત’- ભા. ૧-૨ (૧૯૪૮, ૧૯૪૯)માં સામ્યવાદી વિચારો પ્રત્યેની સહાનુભૂતિ વિશેષ \n\t\tપ્રગટ થાય છે. ‘પ્રલય’ (૧૯૫૦)માં ઈ.સ. ૨૦૦૫ ના સમયના વિશ્વની કલ્પના કરી શસ્ત્રદોડ અને યુદ્ધ એ જ માનવજાતની નિયતિ છે એવો નિરાશાવાદી સૂર વ્યક્ત કર્યો છે. પરંતુ આ વાસ્તવવાદી ને નિરાશાવાદી દ્રષ્ટિ ફરી ભાવનાવાદ \n\t\tતરફ વળે છે તે ‘સૌંદર્યજ્યોત’ (૧૯૫૧)માં ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવનાના અને ‘સ્નેહસૃષ્ટિ (૧૯૫૩)માં ગાંધીરંગ્યા સામ્યવાદના પુરસ્કાર પરથી વ્યક્ત થાય છે. છેલ્લી કૃતિમાં તો ગાંધીવિચાર અને સામ્યવાદી વિચારના સમન્વયનું વલણ રહ્યું છે. \n\t\t<br/><br/> \n\t\tઐતિહાસિક-પૌરાણિક વસ્તુ લઈ રચાયેલી એમની આઠ નવલકથાઓમાંથી ઘણીમાં ગાંધીયુગીન ભાવનાઓ ઐતિહાસિક વાતાવરણમાં પ્રવેશી છે, તો ક્યાંક ઇતિહાસ કરતાં અન્ય લોકરંજક તત્વો બળવાન બન્યાં છે. ૧૮૫૭ના \n\t\tસ્વાતંત્ર્યસંગ્રામને વિષય તરીકે લઈ રચાયેલી, કળાકીય દ્રષ્ટિએ ધ્યાનપાત્ર ‘ભારેલો અગ્નિ’ નવલકથામાં રૂદ્રદત્તના કાલ્પનિક પાત્ર દ્વારા ગાંધીકથિત અહિંસાની ભાવના વણી લીધી છે. ‘ક્ષિતિજ’ –ભા. ૧, ૨ (૧૯૩૮, ૧૯૪૧)માં ગુપ્તસામ્રાજ્ય \n\t\tપૂર્વેના અલ્પ-ઐતિહાસિક સામગ્રીવાળા નાગ જાતિના સામ્રાજ્યને વિષય તરીકે લીધું છે એટલું જ, અન્યથા ગાંધીવાદી ભાવનાઓ કૃતિમાં પ્રવેશીને ઐતિહાસિકતાને જોખમાવે છે. ‘પહાડનાં પુષ્પો’- ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૯), ‘કાલભોજ’ \n\t\t(૧૯૫૦) તથા ‘શૌર્યતર્પણ’ (૧૯૫૧) એ મધ્યકાલીન રાજપૂત ઇતિહાસના સમયની કૃતિઓમાં ઐતિહાસિક વાતાવરણ પ્રમાણમાં વિશષ જળવાયું છે. ‘બાલાજોગણ’ (૧૯૫૨) મીરાંના જીવન અને વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખી રચાયેલી \n\t\tચરિત્રનવલકથા છે. ‘શચી પૌલોમી’ (૧૯૫૪) વીરતા, પ્રેમ અને ચમત્કારના રસાયણમાંથી બનેલી પૌરાણિક વસ્તુવાળી નવલકથા છે. ‘ઠગ’ (૧૯૩૮) નવલકથા ઐતિહાસિક કરતાં ભેદભરમ અને પ્રણયનાં લોકરંજક તત્વોવાળી વિશેષ છે. \n\t\t‘બંસરી’ (૧૯૩૩) જાસૂસી નવલકથા છે. ‘ઝાકળ’ (૧૯૩૨), ‘પંકજ’ (૧૯૩૫), ‘રસબિંદુ’ (૧૯૪૨), ‘કાંચન અને ગેરું’ (૧૯૪૯), ‘દીવડી’ (૧૯૫૧), ‘ભાગ્યચક્ર’ (૧૯૫૨), ‘સતી અને સ્વર્ગ’ (૧૯૫૩), ‘ધબકતાં હૈયાં’ \n\t\t(૧૯૫૪) અને ‘હીરાની ચમક’ (૧૯૫૮) એ વાર્તાસંગ્રહોમાંની દોઢસો જેટલી વાર્તાઓમાં દાંપત્યજીવનની પ્રસન્નતા ને વેદના, પ્રેમની ભગ્નતા, કવિ-કલાકારનું માનસ, સામ્યવાદી વિચારોથી રંગાયેલાં પાત્રોની ભાવનાઓ આદિ વિવિધ વિષયો અને ભાવોનું \n\t\tનિરૂપણ છે, છતાં પાંખા કળાતત્વને લીધે એ ધ્યાનપાત્ર ઓછી બને છે.\n\t\t<br/><br/> \n\t\t‘સંયુક્તા’, ‘શંકિત હૃદય’ (૧૯૨૫), ‘અંજની’ (૧૯૩૮) તથા ‘ગ્રામસેવા’ (૧૯૪૧) એ લેખકનાં દીર્ઘનાટકો અને ‘પરી અને રાજકુમાર’ (૧૯૩૮), ‘તપ અને રૂપ’ (૧૯૫૦), ‘પુષ્પોની સૃષ્ટિમાં’ (૧૯૫૨), ‘ઉશ્કેરાયેલો આત્મા’ (૧૯૫૪), \n\t\t‘કવિદર્શન’ (૧૯૫૭), ‘બૈજુ બાવરા’ (૧૯૫૯) તથા ‘વિદેહી’ (૧૯૬૦)માં સંગૃહીત એકાંકીઓ લેખકનો છેક સુધી જળવાયેલો નાટ્યશોખ સૂચવે છે. તત્કાલીન વ્યવસાયી રંગભૂમિમાં નાટકોનો પ્રભાવ દાખવતી ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક \n\t\tવસ્તુવાળી આ નાટ્યરચનાઓમાં કળાતત્વ પાખું છે, પણ તખ્તાલાયકી છે.\n\t\t<br/><br/> \n\t\tએમના કાવ્યસંગ્રહો ‘નિહારીકા’ (૧૯૩૫) અને ‘શમણાં’ (૧૯૫૯)ની કવિતા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતાના સંસ્કારવાળી છે.\n\t\t<br/><br/> \n\t\t‘ગઈકાલ’ (૧૯૫૦) અને ‘મધ્યાહ્નનાં મૃગજળ’ (૧૯૫૬) એ એમના ૧૯૩૧ સુધીના જીવનપટને આલેખતી આત્મકથાત્મક કૃતિઓ છે. ‘રશિયા અને માનવશાંતિ’ (૧૯૫૩) પ્રવાસવર્ણનનો ગ્રંથ છે, તોપણ કેટલાક આત્મકથાત્મક અંશો એમાં દાખલ \n\t\tથયા છે. ‘તેજચિત્રો’ (૧૯૪૨), ‘માનવસૌરભ’ (૧૯૬૦) અને ‘સ્વામી વિદ્યાનંદજી’ (૧૯૫૦) એમની ચરિત્રાત્મક કૃતિઓ છે.\n\t\t<br/><br/> \n\t\t‘જીવન અને સાહિત્ય’- ભા. ૧, ૨ (૧૯૩૬, ૧૯૩૮), ‘સાહિત્ય અને ચિંતન’ (૧૯૫૨), ‘કલાભાવના’ (૧૯૬૨), ‘તાવડિયા ગામનું આર્થિક અવલોકન’ (૧૯૩૩), ‘ગ્રામોન્નતિ’ (૧૯૪૦), ‘રાજબંધારણ’ (૧૯૪૨), ગણિકાઓના જીવનનો સર્વાંગી \n\t\tઅભ્યાસ કરતા ગ્રંથ ‘અપ્સરા’ના પાંચ ભાગ (૧૯૪૩, ૧૯૪૬, ૧૯૪૮, ૧૯૪૮, ૧૯૪૯), ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો ‘ગુજરાતનું ઘડતર’ (૧૯૪૫), ‘ઊર્મિ અને વિચાર’ (૧૯૪૬), ‘ગુલાબ અને કંટક’ (૧૯૪૮), \n\t\t‘ભારતીય સંસ્કૃતિ’ (૧૯૫૪) એ એમના સાહિત્યવિવેચન, અભ્યાસચિંતન તથા ઇતિહાસના ગ્રંથો છે. ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ તથા ‘મારું જીવન અને કાર્યક્ષેત્ર’ (૧૯૪૦) એ એમના અનુવાદગ્રંથો છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\tદિવ્યચક્ષુ (૧૯૩૨) : ૧૯૩૦ ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચારણા ને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી, રમણલાલ વ. દેસાઈની લોકપ્રિય નીવડેલી નવલકથા. અહિંસાત્મક પ્રતિકાર, \n\t\tઅસ્પૃશ્યતાનિવારણ, સમાજસેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી વગેરે એ જમાનાની અનેક વૃત્તિઓ-પ્રવૃત્તિઓને અહીં સ્થાન મળ્યું છે. સાથોસાથ અરુણ અને રંજનના \n\t\tપરસ્પરના પ્રેમની, અરુણ પ્રત્યે પુષ્પાની અને રંજન પ્રત્યે વિમોચનની આસકિતની કથા પણ કહેવાઈ છે. કૃતિને અંતે એક અંગ્રેજ કુટુંબને આગમાંથી બચાવવા જતાં અરુણ અંધ બને છે, પણ રંજન જેવી સુશીલ પત્નીના નિષ્ઠા તથા \n\t\tઅહિંસાના આદર્શમાંની સ્થાયી શ્રદ્ધા રૂપે દિવ્યચક્ષુની પ્રાપ્તિ કરે છે. \n\t\t<p align=\"right\">-દીપક મહેતા</p>\n<br/><br/> \n\t\tગ્રામલક્ષ્મી – ભા. ૧-૪ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭) : રમણલાલ વ. દેસાઈની ૧,૨૩૩ પાનાંમાં વિસ્તરેલી આ આદર્શવાદી નવલકથા તત્કાલીન ભારતની દુર્દશા માટે પરાધીનતા ઉપરાંત ગામડાંની અવદશાને આગળ કરે છે અને \n\t\tગ્રામોદ્ધારના અનેક કાર્યક્રમો કથાનાયક અશ્વિન દ્વારા અમલમાં મુકાતાં બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે. નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં અશ્વિન તળાવમાં ડૂબીને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યાં તેની સમક્ષ ગ્રામલક્ષ્મી \n\t\tપ્રગટ થઈને તેને ગામડાંની સેવા કરવાનો આદેશ આપે છે. ત્યાર પછી ગામડાંના ઉદ્ધાર માટે અશ્વિન એક પછી એક પ્રવૃત્તિઓ આરંભે છે અને તેમાં સફળતા મેળવે છે- એવું કથાનક છે. ગાંધીવિચારને ચરિતાર્થ કરવા તાકતી આ કથામાં \n\t\tકેટલાક વિચારકોએ ગ્રામજીવનના સજીવ સ્પર્શની ઓછપ, પાત્રનુરૂપ ભાષાનો અભાવ, બીબાંઢાળ પાત્રો અને સંવેદનાત્મક ઊંડાણની ઓછપ જેવી ઊણપો જોઈ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દેસાઈ રમણલાલ વસંતલાલ \t\t(૧૨-૫-૧૮૯૨, ૨૦-૯-૧૯૫૪) : નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ. જન્મ શિનોર (જિ. વડોદરા)માં. વતન કાલોલ (જિ. પંચમહાલ). પ્રાથમિક શિક્ષણ શિનોરમાં. માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં. અંગ્રેજી મુખ્ય વિષય સાથે \t\t૧૯૧૪માં બી.એ. અને ૧૯૧૬માં એમ.એ. ૧૯૪૮માં નિવૃત્ત થયાં ત્યાં સુધી વડોદરા રાજ્યની નોકરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખરા, પણ સ્વાતંત્ર્ય-આંદોલનમાં સીધી રીતે ક્યારેય સંકળાયેલાં નહીં. ૧૯૫૨માં વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ \t\tપરિષદના પ્રતિનિધિ તરીકે વિયેનાની મુલાકાત. ત્યાંથી રશિયાનો પ્રવાસ. ૧૯૩૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૧ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી વડોદરામાં અવસાન. \t\t \t\tએમણે લેખનપ્રવૃત્તિનો પ્રારંભ ૧૯૧૫માં સુરતમાં ભરાયેલી સાહિત્યપરિષદ વખતે ભજવવા માટે લખેલા ‘સંયુક્તા’ નાટકથી કર્યો, જે પછી પુસ્તકરૂપે ૧૯૨૩માં પ્રગટ થયું. પછી વડોદરામાં સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે સયાજીરાવે આપેલા \t\tદાનની યોજના અન્વયે એમણે ‘મહારાણા પ્રતાપ’ (૧૯૧૯) અને ‘નાના ફડનવીસ’ (૧૯૨૨) એ ચરિત્રો, ‘પાવાગઢ’ (૧૯૨૦) પ્રવાસગ્રંથ અને ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ (૧૯૨૮) અનુવાદગ્રંથ પ્રસિદ્ધ કર્યાં. પરંતુ એમને લેખક તરીકે ખ્યાતિ તો \t\tઅપાવી, ૧૯૨૪-૨૫ દરમિયાન ‘નવગુજરાત’ સામયિક માટે એમણે લખેલી અને પછીથી ૧૯૩૮માં પ્રગટ થયેલી ‘ઠગ’ નવલકથાએ. \t\t \t\tપાશ્ચાત્ય નવલકથાકારો કે તેમની નવલકથાઓ કરતાં ગુજરાતી નવલકથાકારો અને સર્જકો તથા ગાંધીજીની ભાવનાઓ અને સામ્યવાદી વિચારોની અસર એમણે ઝીલી, તત્કાલીન ગાંધીયુગીન સામાજિક ને રાજ્કીય પ્રશ્નો, શિક્ષિત \t\tસુખીમધ્યમાવર્ગીય જીવનમાંથી આવતાં આદર્શપરાયણ અને આદર્શને ખાતર દુન્યવી સુખોનો ત્યાગ કરવાની તમન્નાવાળાં યુવાન-યુવતી પાત્રો, એ પાત્રો વચ્ચે બંધાતા પ્રણયત્રિકોણો અને તજજન્ય ઘર્ષણો, એકાદ ખલપાત્ર, કાવ્યન્યાય \t\tમુજબ આવતો ભાવનાપોષક અંત, કથાનાં એક-બે પાત્રોનો રહસ્યમય ભૂતકાળ, કથાની વચ્ચેવચ્ચે આવતી સામાન્ય લૌકિક અનુભવો વિશેની ચિંતનકણિકાઓ, સરળ લોકભોગ્ય ભાષા ઇત્યાદિ તત્વોવાળું નવલકથાનું એક એવું રૂપ એમણે \t\tનિપજાવ્યું કે આ નવલકથાઓએ ૧૯૩૦-૪૦નાં વર્ષો દરમિયાન ગુજરાતના બહોળા વાચકવર્ગમાં એમને લોકપ્રિય નવલકથાકાર બનાવી દીધા. ગ્રંથરૂપે પ્રગટ થયેલી એમની પહેલી સામાજિક નવલકથા ‘જયંત’ (૧૯૨૫)માં રચનારીતિનો જે \t\tઢાંચો બંધાયો તે જ સામાન્ય પરિવર્તન સિવાય એમની પછીની મોટા ભાગની નવલકથાઓમાં પણ જોવા મળે છે. \t\t \t\tપ્રારંભથી જ એમની નવલકથાઓમાં ગાંધીવિચારો પ્રત્યેનો પક્ષપાત દેખાય છે. ‘શિરીષ’ (૧૯૨૭) અને ‘હૃદયવિભૂતિ’ (૧૯૪૦)માં ગુનેગાર ગણાતી કોમોની સેવાનો પ્રશ્ન કે ‘પૂર્ણિમા’ (૧૯૩૨)માંનો વેશ્યાજીવનનો પ્રશ્ન ગાંધીયુગીન \t\tપતિતોદ્ધારની ભાવનામાંથી આવે છે. ‘હૃદયનાથ’ (૧૯૩૨)માં વ્યાયામ અને અખાડાપ્રવૃત્તિના વિકાસનો પ્રશ્ન છે. પરંતુ ગાંધીયુગીન આદર્શો અને જનજીવનને વ્યાપકરૂપે મૂર્ત કરતી અને સાહિત્યિક દ્રષ્ટિએ પણ વિશેષ સંતર્પક નવલકથા \t\t‘દિવ્યચક્ષુ’ (૧૯૩૨) છે. અસ્પૃશ્યતા, સ્વદેશી-આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભાસરઘસ, પોલીસના અત્યાચાર, અંગ્રેજરાજ્યના અમલદારોની સીધી કે આડકતરી જોહુકમી, રૂઢિચુસ્ત અને અંગ્રેજપરસ્ત સુખી વર્ગની ગાંધીજીની પ્રવૃત્તિઓ પ્રતિ \t\tઅશ્રદ્ધા વગેરે સમકાલીન વિચારો-ભાવનાઓને આ કૃતિમાં લેખકે ઝીલ્યાં છે અને અંતે હિંસા પર અહિંસાનો વિજય બતાવ્યો છે. એવી જ બીજી ધ્યાનપાત્ર સામાજિક નવલકથા ‘ગ્રામલક્ષ્મી’- ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭)માં \t\tઅસ્પૃશ્યતા, વિધવાવિવાહ, ગ્રામસફાઈ, હિંદુમુસ્લીમઐક્ય ઇત્યાદિ ગ્રામોન્નતિના પ્રશ્નોને વણી લીધા છે. ‘કોકિલા’ (૧૯૨૭)માં મજૂરજીવનનો પ્રશ્ન છે ખરો, પણ દાંપત્યપ્રેમનો મહિમા કૃતિના કેન્દ્રમાં છે. ‘સ્નેહયજ્ઞ’ (૧૯૩૧), મરણોત્તર પ્રકાશિત \t\t‘ત્રિશંકુ’ (૧૯૫૫) તથા ‘આંખ અને અંજન’ (૧૯૬૦) એમની અન્ય સામાજિક નવલકથાઓ છે. \t\t \t\tગાંધીવિચાર સાથે સામ્યવાદી વિચાર ધરાવતાં પાત્રોનું આલેખન એમની નવલકથાઓમાં પ્રારંભથી દેખાય છે, પરંતુ ગાંધીયુગીન મૂલ્યો તરફનો એમનો અનુરાગ કૃતિને અંતે વિજયી બને છે. વચ્ચે થોડાંક વર્ષો દરમિયાન એમની દ્રષ્ટિમાં \t\tપરિવર્તન અનુભવાય છે. ‘શોભના’ (૧૯૩૯)માં પરાશરના પાત્રને કેન્દ્રમાં લાવી પહેલી વખત સામ્યવાદી વિચારો તરફ તેનો તટસ્થ ભાવથી જુએ છે. ‘છાયાનટ’ (૧૯૪૧)માં વાસ્તવવાદી અભિગમ છે. એમની નવલકથાઓના પ્રચલિત \t\tઢાંચાથી કેટલેક અંશે જુદી પડતી આ નવલકથામાં આદર્શઘેલો ગૌતમ કૃતિને અંતે આદર્શ મૂકી મૂલ્યહા્સવાળા જગતની વાસ્તવિકતાને સ્વીકારી લે છે. ‘ઝંઝાવાત’- ભા. ૧-૨ (૧૯૪૮, ૧૯૪૯)માં સામ્યવાદી વિચારો પ્રત્યેની સહાનુભૂતિ વિશેષ \t\tપ્રગટ થાય છે. ‘પ્રલય’ (૧૯૫૦)માં ઈ.સ. ૨૦૦૫ ના સમયના વિશ્વની કલ્પના કરી શસ્ત્રદોડ અને યુદ્ધ એ જ માનવજાતની નિયતિ છે એવો નિરાશાવાદી સૂર વ્યક્ત કર્યો છે. પરંતુ આ વાસ્તવવાદી ને નિરાશાવાદી દ્રષ્ટિ ફરી ભાવનાવાદ \t\tતરફ વળે છે તે ‘સૌંદર્યજ્યોત’ (૧૯૫૧)માં ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવનાના અને ‘સ્નેહસૃષ્ટિ (૧૯૫૩)માં ગાંધીરંગ્યા સામ્યવાદના પુરસ્કાર પરથી વ્યક્ત થાય છે. છેલ્લી કૃતિમાં તો ગાંધીવિચાર અને સામ્યવાદી વિચારના સમન્વયનું વલણ રહ્યું છે. \t\t \t\tઐતિહાસિક-પૌરાણિક વસ્તુ લઈ રચાયેલી એમની આઠ નવલકથાઓમાંથી ઘણીમાં ગાંધીયુગીન ભાવનાઓ ઐતિહાસિક વાતાવરણમાં પ્રવેશી છે, તો ક્યાંક ઇતિહાસ કરતાં અન્ય લોકરંજક તત્વો બળવાન બન્યાં છે. ૧૮૫૭ના \t\tસ્વાતંત્ર્યસંગ્રામને વિષય તરીકે લઈ રચાયેલી, કળાકીય દ્રષ્ટિએ ધ્યાનપાત્ર ‘ભારેલો અગ્નિ’ નવલકથામાં રૂદ્રદત્તના કાલ્પનિક પાત્ર દ્વારા ગાંધીકથિત અહિંસાની ભાવના વણી લીધી છે. ‘ક્ષિતિજ’ –ભા. ૧, ૨ (૧૯૩૮, ૧૯૪૧)માં ગુપ્તસામ્રાજ્ય \t\tપૂર્વેના અલ્પ-ઐતિહાસિક સામગ્રીવાળા નાગ જાતિના સામ્રાજ્યને વિષય તરીકે લીધું છે એટલું જ, અન્યથા ગાંધીવાદી ભાવનાઓ કૃતિમાં પ્રવેશીને ઐતિહાસિકતાને જોખમાવે છે. ‘પહાડનાં પુષ્પો’- ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૯), ‘કાલભોજ’ \t\t(૧૯૫૦) તથા ‘શૌર્યતર્પણ’ (૧૯૫૧) એ મધ્યકાલીન રાજપૂત ઇતિહાસના સમયની કૃતિઓમાં ઐતિહાસિક વાતાવરણ પ્રમાણમાં વિશષ જળવાયું છે. ‘બાલાજોગણ’ (૧૯૫૨) મીરાંના જીવન અને વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખી રચાયેલી \t\tચરિત્રનવલકથા છે. ‘શચી પૌલોમી’ (૧૯૫૪) વીરતા, પ્રેમ અને ચમત્કારના રસાયણમાંથી બનેલી પૌરાણિક વસ્તુવાળી નવલકથા છે. ‘ઠગ’ (૧૯૩૮) નવલકથા ઐતિહાસિક કરતાં ભેદભરમ અને પ્રણયનાં લોકરંજક તત્વોવાળી વિશેષ છે. \t\t‘બંસરી’ (૧૯૩૩) જાસૂસી નવલકથા છે. ‘ઝાકળ’ (૧૯૩૨), ‘પંકજ’ (૧૯૩૫), ‘રસબિંદુ’ (૧૯૪૨), ‘કાંચન અને ગેરું’ (૧૯૪૯), ‘દીવડી’ (૧૯૫૧), ‘ભાગ્યચક્ર’ (૧૯૫૨), ‘સતી અને સ્વર્ગ’ (૧૯૫૩), ‘ધબકતાં હૈયાં’ \t\t(૧૯૫૪) અને ‘હીરાની ચમક’ (૧૯૫૮) એ વાર્તાસંગ્રહોમાંની દોઢસો જેટલી વાર્તાઓમાં દાંપત્યજીવનની પ્રસન્નતા ને વેદના, પ્રેમની ભગ્નતા, કવિ-કલાકારનું માનસ, સામ્યવાદી વિચારોથી રંગાયેલાં પાત્રોની ભાવનાઓ આદિ વિવિધ વિષયો અને ભાવોનું \t\tનિરૂપણ છે, છતાં પાંખા કળાતત્વને લીધે એ ધ્યાનપાત્ર ઓછી બને છે. \t\t \t\t‘સંયુક્તા’, ‘શંકિત હૃદય’ (૧૯૨૫), ‘અંજની’ (૧૯૩૮) તથા ‘ગ્રામસેવા’ (૧૯૪૧) એ લેખકનાં દીર્ઘનાટકો અને ‘પરી અને રાજકુમાર’ (૧૯૩૮), ‘તપ અને રૂપ’ (૧૯૫૦), ‘પુષ્પોની સૃષ્ટિમાં’ (૧૯૫૨), ‘ઉશ્કેરાયેલો આત્મા’ (૧૯૫૪), \t\t‘કવિદર્શન’ (૧૯૫૭), ‘બૈજુ બાવરા’ (૧૯૫૯) તથા ‘વિદેહી’ (૧૯૬૦)માં સંગૃહીત એકાંકીઓ લેખકનો છેક સુધી જળવાયેલો નાટ્યશોખ સૂચવે છે. તત્કાલીન વ્યવસાયી રંગભૂમિમાં નાટકોનો પ્રભાવ દાખવતી ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક \t\tવસ્તુવાળી આ નાટ્યરચનાઓમાં કળાતત્વ પાખું છે, પણ તખ્તાલાયકી છે. \t\t \t\tએમના કાવ્યસંગ્રહો ‘નિહારીકા’ (૧૯૩૫) અને ‘શમણાં’ (૧૯૫૯)ની કવિતા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતાના સંસ્કારવાળી છે. \t\t \t\t‘ગઈકાલ’ (૧૯૫૦) અને ‘મધ્યાહ્નનાં મૃગજળ’ (૧૯૫૬) એ એમના ૧૯૩૧ સુધીના જીવનપટને આલેખતી આત્મકથાત્મક કૃતિઓ છે. ‘રશિયા અને માનવશાંતિ’ (૧૯૫૩) પ્રવાસવર્ણનનો ગ્રંથ છે, તોપણ કેટલાક આત્મકથાત્મક અંશો એમાં દાખલ \t\tથયા છે. ‘તેજચિત્રો’ (૧૯૪૨), ‘માનવસૌરભ’ (૧૯૬૦) અને ‘સ્વામી વિદ્યાનંદજી’ (૧૯૫૦) એમની ચરિત્રાત્મક કૃતિઓ છે. \t\t \t\t‘જીવન અને સાહિત્ય’- ભા. ૧, ૨ (૧૯૩૬, ૧૯૩૮), ‘સાહિત્ય અને ચિંતન’ (૧૯૫૨), ‘કલાભાવના’ (૧૯૬૨), ‘તાવડિયા ગામનું આર્થિક અવલોકન’ (૧૯૩૩), ‘ગ્રામોન્નતિ’ (૧૯૪૦), ‘રાજબંધારણ’ (૧૯૪૨), ગણિકાઓના જીવનનો સર્વાંગી \t\tઅભ્યાસ કરતા ગ્રંથ ‘અપ્સરા’ના પાંચ ભાગ (૧૯૪૩, ૧૯૪૬, ૧૯૪૮, ૧૯૪૮, ૧૯૪૯), ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો ‘ગુજરાતનું ઘડતર’ (૧૯૪૫), ‘ઊર્મિ અને વિચાર’ (૧૯૪૬), ‘ગુલાબ અને કંટક’ (૧૯૪૮), \t\t‘ભારતીય સંસ્કૃતિ’ (૧૯૫૪) એ એમના સાહિત્યવિવેચન, અભ્યાસચિંતન તથા ઇતિહાસના ગ્રંથો છે. ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ તથા ‘મારું જીવન અને કાર્યક્ષેત્ર’ (૧૯૪૦) એ એમના અનુવાદગ્રંથો છે. \t\t -જયંત ગાડીત \t\tદિવ્યચક્ષુ (૧૯૩૨) : ૧૯૩૦ ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચારણા ને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી, રમણલાલ વ. દેસાઈની લોકપ્રિય નીવડેલી નવલકથા. અહિંસાત્મક પ્રતિકાર, \t\tઅસ્પૃશ્યતાનિવારણ, સમાજસેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી વગેરે એ જમાનાની અનેક વૃત્તિઓ-પ્રવૃત્તિઓને અહીં સ્થાન મળ્યું છે. સાથોસાથ અરુણ અને રંજનના \t\tપરસ્પરના પ્રેમની, અરુણ પ્રત્યે પુષ્પાની અને રંજન પ્રત્યે વિમોચનની આસકિતની કથા પણ કહેવાઈ છે. કૃતિને અંતે એક અંગ્રેજ કુટુંબને આગમાંથી બચાવવા જતાં અરુણ અંધ બને છે, પણ રંજન જેવી સુશીલ પત્નીના નિષ્ઠા તથા \t\tઅહિંસાના આદર્શમાંની સ્થાયી શ્રદ્ધા રૂપે દિવ્યચક્ષુની પ્રાપ્તિ કરે છે. \t\t -દીપક મહેતા \t\tગ્રામલક્ષ્મી – ભા. ૧-૪ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭) : રમણલાલ વ. દેસાઈની ૧,૨૩૩ પાનાંમાં વિસ્તરેલી આ આદર્શવાદી નવલકથા તત્કાલીન ભારતની દુર્દશા માટે પરાધીનતા ઉપરાંત ગામડાંની અવદશાને આગળ કરે છે અને \t\tગ્રામોદ્ધારના અનેક કાર્યક્રમો કથાનાયક અશ્વિન દ્વારા અમલમાં મુકાતાં બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે. નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં અશ્વિન તળાવમાં ડૂબીને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યાં તેની સમક્ષ ગ્રામલક્ષ્મી \t\tપ્રગટ થઈને તેને ગામડાંની સેવા કરવાનો આદેશ આપે છે. ત્યાર પછી ગામડાંના ઉદ્ધાર માટે અશ્વિન એક પછી એક પ્રવૃત્તિઓ આરંભે છે અને તેમાં સફળતા મેળવે છે- એવું કથાનક છે. ગાંધીવિચારને ચરિતાર્થ કરવા તાકતી આ કથામાં \t\tકેટલાક વિચારકોએ ગ્રામજીવનના સજીવ સ્પર્શની ઓછપ, પાત્રનુરૂપ ભાષાનો અભાવ, બીબાંઢાળ પાત્રો અને સંવેદનાત્મક ઊંડાણની ઓછપ જેવી ઊણપો જોઈ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramanalala-desai",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramanalala-desai",
"tags": null,
"created": "2024-02-03T20:39:12.947464",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17367,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રમણલાલ જોશી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>જોશી રમણલાલ જેઠાલાલ </h4>\n\t\t(૨૨-૫-૧૯૨૬) : વિવેચક, સંપાદક. જન્મ વિજાપુર તાલુકાના હિરપુરા ગામે. પ્રાથમિક શિક્ષણ વડનગરમાં. માધ્યમિક શિક્ષણ પિલવાઈમાં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૪માં એમ.એ. ૧૯૬૨માં પીએચ.ડી. ૧૯૫૪ થી \n\t\t૧૯૫૯ સુધી ભાષાભવન, ગુજરાતી યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો. ૧૯૫૯ થી ૧૯૬૨ સુધી અમદાવાદની સર એચ.એ.આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યાપક, ૧૯૭૯માં રીડર, પછી \n\t\tગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને છેલ્લે ભાષાભવનના અધ્યક્ષપદેથી ૧૯૮૬માં નિવૃત્ત. તે પછી કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત યુનિવર્સિટીમાં ડાયરેકટર તથા ૧૯૮૮માં યુ.જી.સી તરફથી એમિરિટસ પ્રોફેસર. ગુજરાતી સાહિત્ય \n\t\tઅકાદમીના પ્રમુખ. ૧૯૮૪ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.\n\t\t<br/><br/> \n\t\t‘ગોવર્ધનરામ એક અધ્યયન’ (૧૯૬૩), ‘અભીપ્સા’ (૧૯૬૮), ‘પરિમાણ’ (૧૯૭૯), ‘શબ્દસેતુ’ (૧૯૭૦), ‘પ્રત્યય’ (૧૯૭૦), ‘ભારતીય નવલકથા’-૧ (૧૯૭૪), ‘સમાન્તર’ (૧૯૭૬), ‘વિનિયોગ’ (૧૯૭૭), ‘ગુજરાતી સાહિત્યની \n\t\tકાર્યવાહી-૧૯૬૩ નું ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૭૭), ‘ગોવર્ધનરામ(અંગ્રેજીમાં) (૧૯૭૯)’, ‘વિવેચનની પ્રક્રિયા’ (૧૯૮૧), ‘પ્રજ્ઞામૂર્તિ ગોવર્ધનરામ’ (૧૯૮૬), ‘નિષ્પત્તિ’ (૧૯૮૮), ‘પરિવેશ’ (૧૯૮૮), ‘વિવેચનની આબોહવા’ (૧૯૮૯) એમના \n\t\tવિવેચનસંગ્રહો છે. એમના પાશ્ચાત્ય કાવ્યતત્વવિચારકો વિષયક સિદ્ધાંતલેખો અને ચોક્કસ અભિગમથી કૃતિની આલોચના કરતા વિવેચનલેખોમાં તુલનાત્મક દ્રષ્ટિકોણ જોવાય છે. પોતાને અભિમત વિચારને તેઓ પશ્ચિમના વિવેચકોનાં વિધાનોથી સમર્થિત કરે છે.\n\t\t‘સ્વ.સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિજીવન’ (૧૯૬૬) તથા ‘શબ્દલોકના યાત્રીઓ’-૧-૨ (૧૯૮૩) એ એમના ચરિત્રાત્મક ગ્રંથો છે.\n\t\t<br/><br/> \n\t\t‘અખેગીતા’ (અન્ય સાથે, ૧૯૬૭) સંશોધન-સંપાદનમાં એમના મધ્યકાલીન સાહિત્યના સ્વાધ્યાયનો પરિચય મળી રહે છે. ‘અખાની કવિતા’ (૧૯૮૫) એ એમનું અખાની કાવ્યતત્વની દ્રષ્ટિએ બળુકી રચનાઓનું સંપાદન છે. એ ઉપરાંત \n\t\t‘કાવ્યસંચય’ (અન્ય સાથે, ૧૯૮૧), ‘ઉત્તમલાલની ગદ્યસિદ્ધિ’ (અન્ય સાથે, ૧૯૭૨), ‘ગોવર્ધન પ્રતિભા’ (અન્ય સાથે, ૧૯૮૩) સંપાદનો પણ એમણે આપ્યાં છે. ૧૯૭૬ થી ગુજરાતી સર્જકોનો લઘુપરિચય આપતી ગ્રંથશ્રેણીનું તેઓ સંપાદન કરે \n\t\tછે; તદનુસાર આજ સુધીમાં જુદા જુદા અભ્યાસીઓ દ્વારા લખાયેલા ૪૦ જેટલા ગ્રંથો પ્રકાશન પામ્યા છે.\n\t\t<p align=\"right\">-બળવંત જાની</p>\n<br/><br/> \n\t\tગોવર્ધનરામ-એક અધ્યયન (૧૯૬૩) : રમણલાલ જોશીનો મહાનિબંધ. એ પાંચ ખંડોમાં વહેંચાયેલો છે. એમાં ગોવર્ધનરામના જીવનનાં સમગ્ર પાસાં આવરી લેવાયાં છે. ખંડ ૧ ‘પ્રાક કથન’માં ગોવર્ધનરામના જન્મસમયની \t\n\t\tસાંસ્કૃતિક-ઐતિહાસિક પૃષ્ઠભૂમિનું નિરૂપણ થયું છે. ખંડ ૨ ‘સ્નેહજીવન’ બે પ્રકરણોમાં આલેખાયેલો છે અને એમાં ગોવર્ધનરામની ૧૮૫૫ થી ૧૮૮૩ સુધીની જીવનકથાનું વિગતે નિરૂપણ કરીને, એમની ‘વિધિકુણ્ઠિતમ્’, ‘હૃદયરુદિતશતકમ્’ \n\t\tઅને ‘સ્નેહમુદ્રા’ જેવી સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓની સર્જક-જીવનકથાના સંદર્ભમાં તપાસ કરવામાં આવી છે. ‘સાક્ષરજીવન’ નામના ત્રીજા અને ચોથા ખંડોમાં જીવનકથાનો બીજો અને ત્રીજો ભાગ રજૂ થયો છે અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી \n\t\tમહત્વની કૃતિ અંગે વિસ્તારથી વાત થઈ છે. તદુપરાંત ‘સાક્ષરજીવન’ આદિ સુદીર્ઘ રચનાઓ, લેખો, વ્યાખ્યાન-નિબંધો વગેરે પ્રકીર્ણ કૃતિઓનું અવલોકનાત્મક નિરૂપણ છે. છેલ્લા, પાંચમા ખંડ ‘અધ્યાત્મજીવન’માં ગોવર્ધનરામના \n\t\tઆધ્યાત્મિક ચિંતનનું એમના કૃતિગત તેમ જ જીવનગત સંદર્ભોને આધારે નિરૂપણ થયું છે. પુસ્તકનું મહત્વનું પ્રદાન એ છે કે ગોવર્ધનરામનાં અંગ્રેજી લખાણોનો અહીં પ્રવાહી શૈલીમાં સારગ્રાહી પરિચય કરાવ્યો છે. ગોવર્ધનરામ વિશેનાં પૂર્વે \n\t\tલખાયેલાં લખાણોમાં રહેલા વિગતદોષોની પણ અનેક સ્થળે શુદ્ધિ થઈ છે. ગોવર્ધનરામની ઇતિહાસ દ્રષ્ટિ, એમનો કલા તેમ જ જીવન પ્રત્યેનો અભિગમ, એમની તત્વવિચારણા વગેરેનું સર્વાંગી નિરૂપણ કરતો આ ગ્રંથ તદ્રિધ સાહિત્યમાં મહત્વનું પ્રદાન છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: જોશી રમણલાલ જેઠાલાલ \t\t(૨૨-૫-૧૯૨૬) : વિવેચક, સંપાદક. જન્મ વિજાપુર તાલુકાના હિરપુરા ગામે. પ્રાથમિક શિક્ષણ વડનગરમાં. માધ્યમિક શિક્ષણ પિલવાઈમાં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૪માં એમ.એ. ૧૯૬૨માં પીએચ.ડી. ૧૯૫૪ થી \t\t૧૯૫૯ સુધી ભાષાભવન, ગુજરાતી યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો. ૧૯૫૯ થી ૧૯૬૨ સુધી અમદાવાદની સર એચ.એ.આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યાપક, ૧૯૭૯માં રીડર, પછી \t\tગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને છેલ્લે ભાષાભવનના અધ્યક્ષપદેથી ૧૯૮૬માં નિવૃત્ત. તે પછી કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત યુનિવર્સિટીમાં ડાયરેકટર તથા ૧૯૮૮માં યુ.જી.સી તરફથી એમિરિટસ પ્રોફેસર. ગુજરાતી સાહિત્ય \t\tઅકાદમીના પ્રમુખ. ૧૯૮૪ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક. \t\t \t\t‘ગોવર્ધનરામ એક અધ્યયન’ (૧૯૬૩), ‘અભીપ્સા’ (૧૯૬૮), ‘પરિમાણ’ (૧૯૭૯), ‘શબ્દસેતુ’ (૧૯૭૦), ‘પ્રત્યય’ (૧૯૭૦), ‘ભારતીય નવલકથા’-૧ (૧૯૭૪), ‘સમાન્તર’ (૧૯૭૬), ‘વિનિયોગ’ (૧૯૭૭), ‘ગુજરાતી સાહિત્યની \t\tકાર્યવાહી-૧૯૬૩ નું ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૭૭), ‘ગોવર્ધનરામ(અંગ્રેજીમાં) (૧૯૭૯)’, ‘વિવેચનની પ્રક્રિયા’ (૧૯૮૧), ‘પ્રજ્ઞામૂર્તિ ગોવર્ધનરામ’ (૧૯૮૬), ‘નિષ્પત્તિ’ (૧૯૮૮), ‘પરિવેશ’ (૧૯૮૮), ‘વિવેચનની આબોહવા’ (૧૯૮૯) એમના \t\tવિવેચનસંગ્રહો છે. એમના પાશ્ચાત્ય કાવ્યતત્વવિચારકો વિષયક સિદ્ધાંતલેખો અને ચોક્કસ અભિગમથી કૃતિની આલોચના કરતા વિવેચનલેખોમાં તુલનાત્મક દ્રષ્ટિકોણ જોવાય છે. પોતાને અભિમત વિચારને તેઓ પશ્ચિમના વિવેચકોનાં વિધાનોથી સમર્થિત કરે છે. \t\t‘સ્વ.સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિજીવન’ (૧૯૬૬) તથા ‘શબ્દલોકના યાત્રીઓ’-૧-૨ (૧૯૮૩) એ એમના ચરિત્રાત્મક ગ્રંથો છે. \t\t \t\t‘અખેગીતા’ (અન્ય સાથે, ૧૯૬૭) સંશોધન-સંપાદનમાં એમના મધ્યકાલીન સાહિત્યના સ્વાધ્યાયનો પરિચય મળી રહે છે. ‘અખાની કવિતા’ (૧૯૮૫) એ એમનું અખાની કાવ્યતત્વની દ્રષ્ટિએ બળુકી રચનાઓનું સંપાદન છે. એ ઉપરાંત \t\t‘કાવ્યસંચય’ (અન્ય સાથે, ૧૯૮૧), ‘ઉત્તમલાલની ગદ્યસિદ્ધિ’ (અન્ય સાથે, ૧૯૭૨), ‘ગોવર્ધન પ્રતિભા’ (અન્ય સાથે, ૧૯૮૩) સંપાદનો પણ એમણે આપ્યાં છે. ૧૯૭૬ થી ગુજરાતી સર્જકોનો લઘુપરિચય આપતી ગ્રંથશ્રેણીનું તેઓ સંપાદન કરે \t\tછે; તદનુસાર આજ સુધીમાં જુદા જુદા અભ્યાસીઓ દ્વારા લખાયેલા ૪૦ જેટલા ગ્રંથો પ્રકાશન પામ્યા છે. \t\t -બળવંત જાની \t\tગોવર્ધનરામ-એક અધ્યયન (૧૯૬૩) : રમણલાલ જોશીનો મહાનિબંધ. એ પાંચ ખંડોમાં વહેંચાયેલો છે. એમાં ગોવર્ધનરામના જીવનનાં સમગ્ર પાસાં આવરી લેવાયાં છે. ખંડ ૧ ‘પ્રાક કથન’માં ગોવર્ધનરામના જન્મસમયની \t \t\tસાંસ્કૃતિક-ઐતિહાસિક પૃષ્ઠભૂમિનું નિરૂપણ થયું છે. ખંડ ૨ ‘સ્નેહજીવન’ બે પ્રકરણોમાં આલેખાયેલો છે અને એમાં ગોવર્ધનરામની ૧૮૫૫ થી ૧૮૮૩ સુધીની જીવનકથાનું વિગતે નિરૂપણ કરીને, એમની ‘વિધિકુણ્ઠિતમ્’, ‘હૃદયરુદિતશતકમ્’ \t\tઅને ‘સ્નેહમુદ્રા’ જેવી સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓની સર્જક-જીવનકથાના સંદર્ભમાં તપાસ કરવામાં આવી છે. ‘સાક્ષરજીવન’ નામના ત્રીજા અને ચોથા ખંડોમાં જીવનકથાનો બીજો અને ત્રીજો ભાગ રજૂ થયો છે અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી \t\tમહત્વની કૃતિ અંગે વિસ્તારથી વાત થઈ છે. તદુપરાંત ‘સાક્ષરજીવન’ આદિ સુદીર્ઘ રચનાઓ, લેખો, વ્યાખ્યાન-નિબંધો વગેરે પ્રકીર્ણ કૃતિઓનું અવલોકનાત્મક નિરૂપણ છે. છેલ્લા, પાંચમા ખંડ ‘અધ્યાત્મજીવન’માં ગોવર્ધનરામના \t\tઆધ્યાત્મિક ચિંતનનું એમના કૃતિગત તેમ જ જીવનગત સંદર્ભોને આધારે નિરૂપણ થયું છે. પુસ્તકનું મહત્વનું પ્રદાન એ છે કે ગોવર્ધનરામનાં અંગ્રેજી લખાણોનો અહીં પ્રવાહી શૈલીમાં સારગ્રાહી પરિચય કરાવ્યો છે. ગોવર્ધનરામ વિશેનાં પૂર્વે \t\tલખાયેલાં લખાણોમાં રહેલા વિગતદોષોની પણ અનેક સ્થળે શુદ્ધિ થઈ છે. ગોવર્ધનરામની ઇતિહાસ દ્રષ્ટિ, એમનો કલા તેમ જ જીવન પ્રત્યેનો અભિગમ, એમની તત્વવિચારણા વગેરેનું સર્વાંગી નિરૂપણ કરતો આ ગ્રંથ તદ્રિધ સાહિત્યમાં મહત્વનું પ્રદાન છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramanalala-josi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramanalala-josi",
"tags": null,
"created": "2024-02-03T20:39:13.289246",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17368,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રમણલાલ સોની",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>સોની રમણલાલ પીતાંબરદાસ, ‘સુદામો’</h4>\n\t\t(૨૫-૧-૧૯૦૧૮) : બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૪૫માં \n\t\tબી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય. સત્યાગ્રહની લડતમાં સક્રિયતા અને જેલગમન. ૧૯૪૫માં નોકરી છોડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય. ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધહાર માટે અનેક \n\t\tપ્રવૃત્તિઓનું સંચાલન. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી મુંબઈ ધારાસભાના સભ્ય.\n\t\t<br/><br/> \n\t\tએમનો બાળસાહિત્યમાં કલ્પના, વસ્તુ અને નિર્માણનું વૈવિધ્ય છે. ‘શિશુકથા’ (૧૯૩૫), ‘શિશુસંસ્કારમાળા’ (૧૯૪૬), ‘ગલબા શિયાળનાં પરાક્રમો’ (૧૯૪૭), ‘શિશુભારતી ગ્રંથમાળા’ (૧૯૫૦), ‘ખવડાવીને \n\t\tખાવું-જિવાડીને જીવવું’ (૧૯૬૨), ‘ખાટી દ્રાક્ષ’, ‘પૂંછકટ્ટો’, ‘રોહંત અને નંદિય’ (૧૯૭૨), ‘ધનોતપનોતની ધડાધડ’,(૧૯૭૭), ‘ભોળા ભાભા’ (૧૯૭૭), ‘ચટકચંદ ચટણી’ (૧૯૭૭) વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત \n\t\tબાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે. ‘રામાયણ કથામંગલ’ (૧૯૪૬), ‘ઉપનિષદ કથામંગલ’ (૧૯૪૬), ‘ભાગવત કથામંગલ’, ‘રામરાજ્યના મોતી’ (૧૯૬૨) વગેરે પુસ્તકોમાં પૌરાણિક વાર્તાઓને બાળભોગ્ય શૈલીમાં નિરૂપી છે. \n\t\t<br/><br/> \n\t\t‘સિંહાસનબત્રીસી’ (૧૯૪૨), ‘અરેબિયન નાઇટ્સની વાતો’ (૧૯૪૬), ‘વીર વિક્રમ’, ‘ઇસપની બાલવાતો’ (૧૯૮૨) વગેરેમાં અદ્- ભુતરસિક બાળવાર્તામાળાઓ છે. ‘છબીલો લાલ’ (૧૯૫૯), ‘થાથા ! થેઈ ! થેઈ !’ (૧૯૫૯) \n\t\t‘અમથો કારભારી ને ફૂલો ઠાકર’ (૧૯૫૯), ‘ભગવો ઝંડો’ (૧૯૫૯) અને ‘બાલમંદિરનાં નાટકો’ (૧૯૬૨)માં બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાનાં બીજ વાવે તેવી અભિનયક્ષમ નાટિકાઓ છે. આ બધાં નાટકોનું સંપાદન \n\t\t‘રમણ સોનીનાં બાળનાટકો’ (૧૯૭૯)માં થયું છે. ‘રમણ સોનીનાં બાળકાવ્યો’ (૧૯૭૯)માં બાળકોને ગાવાં ગમે તેવા સરળ, પ્રેરક અને પ્રાસાદિક કાવ્યો-ગીતો છે. એમનાં અભિનય-ગીતો બાળકોની કલાભિરુચીને જાગ્રત કરે \n\t\tતેવાં છે. ‘રમણ સોનીનાં બાળજોડકણાં’ (૧૯૭૯)ના લય-પ્રાસ અને તાલ આકર્ષક છે. ‘કિશોર રહસ્યકથામાળા’ (૧૯૬૭), ‘ટાગોરની દ્રષ્ટાંતકથાઓ’, ‘કુમારકથા’ (૧૯૭૯) વગેરે કિશોરો માટેના વાર્તાસંગ્રહો છે. ‘જગતના \n\t\tઇતિહાસની વીરકથાઓ’ તથા ‘પૂંછડિયાના પ્રદેશમાં’ (૧૯૩૫)ની વાર્તાઓ બાળકોને શૂરવીર અને સાહસપ્રિય બનવા પ્રેરણારૂપ છે. ‘શંકરાચાર્ય’ (૧૯૪૮), ‘શ્રી કેશવચંદ્રસેન’ (૧૯૪૮), ‘શ્રી દાદાભાઈ નવરોજજી’ (૧૯૪૮), \n\t\t‘ગુરુદેવ રવીન્દ્રનાથ’ (૧૯૬૪), ‘આણદાબાવા’ (૧૯૭૯) વગેરે ચરિત્રકૃતિઓ બાળકોની વૃત્તિઓને સંસ્કારે, કેળવે અને ઉદાત્ત બનાવે તેવી છે. ‘અમૃતકથા’ (૧૯૭૯)માં પ્રાચીન જાતકકથાઓ સંચિત થઈ છે. ‘વિશ્વની \n\t\tલોકકથાઓ’ (૧૯૮૨), ‘પ્રબોધક કથાઓ’ (૧૯૮૨) અને ‘વિશ્વનો લોકકથાભંડાર’ (૧૯૮૩)માં દેશપરદેશની લોકકથાઓ સંકલિત થઈ છે.\n\t\t<br/><br/> \n\t\tએમના વાર્તાસંગ્રહ ‘ચબૂતરો’ (૧૯૩૨)માં બાઇબલ-બોધિત પ્રેમ, દયા, ક્ષમા આદિ ગુણોને સ્વતંત્ર વાર્તારૂપે આલેખવાનો પ્રયાસ છે. ‘બ્રહ્મપુરીનો બ્રાહ્મણ’ (૧૯૬૬) ચરિત્રાત્મક લાંબી વાર્તા છે. ‘ગુજરાતનાં \n\t\tયાત્રાધામો’ (૧૯૭૧) એમનું પ્રવાસપુસ્તક છે. ‘ભારતીય કથામંગલ’ (૧૯૬૪)માં ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લોકભોગ્ય શૈલીમાં આલેખન થયું છે.\n\t\t<br/><br/> \n\t\tબંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદબાબુ, રવીન્દ્રનાથ, દેવેશદાસ, નરેશબાબુ વગેરેની વાર્તા-નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે. ‘સ્વામી’ (૧૯૩૪), ‘શ્રીકાંત’ \n\t\t(૧૯૩૭), ‘કથા ઓ કાહિની’ (૧૯૪૧), ‘સંન્યાસિની’ (૧૯૪૩), ‘ચોખેરવાલી’ (૧૯૪૬), ‘ગોરા’ –ભા. ૧-૨ (૧૯૪૬), ‘પથેરદાબી’ (૧૯૫૭), ‘વિરાજવહુ’ (૧૯૫૭), ‘બડી દીદી’ (૧૯૫૭) વગેરે એમના સફળ અને સંનિષ્ઠ \n\t\tઅનુવાદો છે. ‘ભારતની કહાણી’ (૧૯૫૪), ‘ચમત્કારો આજે પણ બને છે’ (૧૯૭૫), ‘અનંતના યાત્રીઓ’ (૧૯૭૭), ‘શ્રીકૃષ્ણપ્રેમ’ વગેરે એમનાં અન્ય અનુવાદપુસ્તકો છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: સોની રમણલાલ પીતાંબરદાસ, ‘સુદામો’ \t\t(૨૫-૧-૧૯૦૧૮) : બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૪૫માં \t\tબી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય. સત્યાગ્રહની લડતમાં સક્રિયતા અને જેલગમન. ૧૯૪૫માં નોકરી છોડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય. ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધહાર માટે અનેક \t\tપ્રવૃત્તિઓનું સંચાલન. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી મુંબઈ ધારાસભાના સભ્ય. \t\t \t\tએમનો બાળસાહિત્યમાં કલ્પના, વસ્તુ અને નિર્માણનું વૈવિધ્ય છે. ‘શિશુકથા’ (૧૯૩૫), ‘શિશુસંસ્કારમાળા’ (૧૯૪૬), ‘ગલબા શિયાળનાં પરાક્રમો’ (૧૯૪૭), ‘શિશુભારતી ગ્રંથમાળા’ (૧૯૫૦), ‘ખવડાવીને \t\tખાવું-જિવાડીને જીવવું’ (૧૯૬૨), ‘ખાટી દ્રાક્ષ’, ‘પૂંછકટ્ટો’, ‘રોહંત અને નંદિય’ (૧૯૭૨), ‘ધનોતપનોતની ધડાધડ’,(૧૯૭૭), ‘ભોળા ભાભા’ (૧૯૭૭), ‘ચટકચંદ ચટણી’ (૧૯૭૭) વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત \t\tબાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે. ‘રામાયણ કથામંગલ’ (૧૯૪૬), ‘ઉપનિષદ કથામંગલ’ (૧૯૪૬), ‘ભાગવત કથામંગલ’, ‘રામરાજ્યના મોતી’ (૧૯૬૨) વગેરે પુસ્તકોમાં પૌરાણિક વાર્તાઓને બાળભોગ્ય શૈલીમાં નિરૂપી છે. \t\t \t\t‘સિંહાસનબત્રીસી’ (૧૯૪૨), ‘અરેબિયન નાઇટ્સની વાતો’ (૧૯૪૬), ‘વીર વિક્રમ’, ‘ઇસપની બાલવાતો’ (૧૯૮૨) વગેરેમાં અદ્- ભુતરસિક બાળવાર્તામાળાઓ છે. ‘છબીલો લાલ’ (૧૯૫૯), ‘થાથા ! થેઈ ! થેઈ !’ (૧૯૫૯) \t\t‘અમથો કારભારી ને ફૂલો ઠાકર’ (૧૯૫૯), ‘ભગવો ઝંડો’ (૧૯૫૯) અને ‘બાલમંદિરનાં નાટકો’ (૧૯૬૨)માં બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાનાં બીજ વાવે તેવી અભિનયક્ષમ નાટિકાઓ છે. આ બધાં નાટકોનું સંપાદન \t\t‘રમણ સોનીનાં બાળનાટકો’ (૧૯૭૯)માં થયું છે. ‘રમણ સોનીનાં બાળકાવ્યો’ (૧૯૭૯)માં બાળકોને ગાવાં ગમે તેવા સરળ, પ્રેરક અને પ્રાસાદિક કાવ્યો-ગીતો છે. એમનાં અભિનય-ગીતો બાળકોની કલાભિરુચીને જાગ્રત કરે \t\tતેવાં છે. ‘રમણ સોનીનાં બાળજોડકણાં’ (૧૯૭૯)ના લય-પ્રાસ અને તાલ આકર્ષક છે. ‘કિશોર રહસ્યકથામાળા’ (૧૯૬૭), ‘ટાગોરની દ્રષ્ટાંતકથાઓ’, ‘કુમારકથા’ (૧૯૭૯) વગેરે કિશોરો માટેના વાર્તાસંગ્રહો છે. ‘જગતના \t\tઇતિહાસની વીરકથાઓ’ તથા ‘પૂંછડિયાના પ્રદેશમાં’ (૧૯૩૫)ની વાર્તાઓ બાળકોને શૂરવીર અને સાહસપ્રિય બનવા પ્રેરણારૂપ છે. ‘શંકરાચાર્ય’ (૧૯૪૮), ‘શ્રી કેશવચંદ્રસેન’ (૧૯૪૮), ‘શ્રી દાદાભાઈ નવરોજજી’ (૧૯૪૮), \t\t‘ગુરુદેવ રવીન્દ્રનાથ’ (૧૯૬૪), ‘આણદાબાવા’ (૧૯૭૯) વગેરે ચરિત્રકૃતિઓ બાળકોની વૃત્તિઓને સંસ્કારે, કેળવે અને ઉદાત્ત બનાવે તેવી છે. ‘અમૃતકથા’ (૧૯૭૯)માં પ્રાચીન જાતકકથાઓ સંચિત થઈ છે. ‘વિશ્વની \t\tલોકકથાઓ’ (૧૯૮૨), ‘પ્રબોધક કથાઓ’ (૧૯૮૨) અને ‘વિશ્વનો લોકકથાભંડાર’ (૧૯૮૩)માં દેશપરદેશની લોકકથાઓ સંકલિત થઈ છે. \t\t \t\tએમના વાર્તાસંગ્રહ ‘ચબૂતરો’ (૧૯૩૨)માં બાઇબલ-બોધિત પ્રેમ, દયા, ક્ષમા આદિ ગુણોને સ્વતંત્ર વાર્તારૂપે આલેખવાનો પ્રયાસ છે. ‘બ્રહ્મપુરીનો બ્રાહ્મણ’ (૧૯૬૬) ચરિત્રાત્મક લાંબી વાર્તા છે. ‘ગુજરાતનાં \t\tયાત્રાધામો’ (૧૯૭૧) એમનું પ્રવાસપુસ્તક છે. ‘ભારતીય કથામંગલ’ (૧૯૬૪)માં ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લોકભોગ્ય શૈલીમાં આલેખન થયું છે. \t\t \t\tબંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદબાબુ, રવીન્દ્રનાથ, દેવેશદાસ, નરેશબાબુ વગેરેની વાર્તા-નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે. ‘સ્વામી’ (૧૯૩૪), ‘શ્રીકાંત’ \t\t(૧૯૩૭), ‘કથા ઓ કાહિની’ (૧૯૪૧), ‘સંન્યાસિની’ (૧૯૪૩), ‘ચોખેરવાલી’ (૧૯૪૬), ‘ગોરા’ –ભા. ૧-૨ (૧૯૪૬), ‘પથેરદાબી’ (૧૯૫૭), ‘વિરાજવહુ’ (૧૯૫૭), ‘બડી દીદી’ (૧૯૫૭) વગેરે એમના સફળ અને સંનિષ્ઠ \t\tઅનુવાદો છે. ‘ભારતની કહાણી’ (૧૯૫૪), ‘ચમત્કારો આજે પણ બને છે’ (૧૯૭૫), ‘અનંતના યાત્રીઓ’ (૧૯૭૭), ‘શ્રીકૃષ્ણપ્રેમ’ વગેરે એમનાં અન્ય અનુવાદપુસ્તકો છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramanalala-soni",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramanalala-soni",
"tags": null,
"created": "2024-02-03T20:39:13.539791",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17369,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રમણ સોની",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>સોની રમણ કાન્તિલાલ </h4>\n\t\t(૭-૭-૧૯૪૬) : વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૬૭માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી \n\t\tબી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. ૧૯૭૦-૭૧માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૧થી ઈડરની આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ. ૧૯૮૦-૮૪ \n\t\tદરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં સંપાદકની કામગીરી.\n\t\t<br/><br/>\n\t\t‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૮) કવિતાનાં આંતરબાહ્ય તત્વો વિશે સમજ આપતું પુસ્તક છે. પુસ્તિકા ‘ખબરદાર’ (૧૯૮૧)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમગ્રદર્શી અભ્યાસ તેમ જ તેમની કવિતા \n\t\tવિશે ફેરતપાસ કરતું સ્વતંત્ર મૂલ્યાંકન છે. મહાનિબંધ ‘ઉશનસ્-સર્જક અને વિવેચક’ (૧૯૮૪)માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત \n\t\t‘ગુજરાતી વ્યાકરણવિચાર’ (અન્ય સાથે, ૧૯૮૪) પુસ્તક પણ પ્રગટ કર્યું છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું ‘હનુમાન લવકુશ મિલન’ (૧૯૮૨) નામે અન્ય સાથે કરેલું સંપાદન તેમ જ ‘ગુજરાતીનો \n\t\tઅધ્યાપક સંઘ’નાં વાર્ષિકો ‘અધીત’ -૭ (૧૯૮૩) અને ‘અધીત’ -૮ (૧૯૮૪)નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: સોની રમણ કાન્તિલાલ \t\t(૭-૭-૧૯૪૬) : વિવેચક, સંપાદક. જન્મ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૬૭માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી \t\tબી.એ. ૧૯૬૯માં એમ.એ. ૧૯૮૧માં પીએચ.ડી. ૧૯૭૦-૭૧માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૧થી ઈડરની આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ. ૧૯૮૦-૮૪ \t\tદરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં સંપાદકની કામગીરી. \t\t \t\t‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૮) કવિતાનાં આંતરબાહ્ય તત્વો વિશે સમજ આપતું પુસ્તક છે. પુસ્તિકા ‘ખબરદાર’ (૧૯૮૧)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમગ્રદર્શી અભ્યાસ તેમ જ તેમની કવિતા \t\tવિશે ફેરતપાસ કરતું સ્વતંત્ર મૂલ્યાંકન છે. મહાનિબંધ ‘ઉશનસ્-સર્જક અને વિવેચક’ (૧૯૮૪)માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત \t\t‘ગુજરાતી વ્યાકરણવિચાર’ (અન્ય સાથે, ૧૯૮૪) પુસ્તક પણ પ્રગટ કર્યું છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું ‘હનુમાન લવકુશ મિલન’ (૧૯૮૨) નામે અન્ય સાથે કરેલું સંપાદન તેમ જ ‘ગુજરાતીનો \t\tઅધ્યાપક સંઘ’નાં વાર્ષિકો ‘અધીત’ -૭ (૧૯૮૩) અને ‘અધીત’ -૮ (૧૯૮૪)નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramana-soni",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramana-soni",
"tags": null,
"created": "2024-02-03T20:39:13.800030",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17370,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રમેશચંદ્ર શુકલ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>શુકલ રમેશચંદ્ર મહાશંકર</h4>\n\t\t(૨૭-૧૧-૧૯૨૯) : વિવેચક, સંશોધક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૪-૮૦ \n\t\tદરમિયાન સર કે.પી. કૉલેજ ઑફ કૉમર્સ, સુરતમાં; લાલન કૉલેજ, ભુજમાં; શામળદાસ કૉલેજ, ભાવનગરમાં; એમ.પી.શાહ કૉલેજ, સુરેન્દ્રનગરમાં અને બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં અધ્યાપન. ૧૯૮૦ની સૌરાષ્ટ્ર \n\t\tયુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્યભવનમાં રીડર.\n \t<br/><br/> \n ‘પ્રેમાનંદ – એક સમાલોચના’ (૧૯૬૫), ‘નર્મદ – એક સમાલોચના’ (૧૯૬૬), ‘અનુવાક્’ (૧૯૭૬), ‘કુન્તકનો વક્રોક્તિવિચાર’ (૧૯૭૮), ‘અનુસર્ગ’ (૧૯૭૯), ‘અન્વર્થ’ (૧૯૮૧), ‘નવલરામ’ (૧૯૮૩), ‘અનુમોદ’ \n\t\t(૧૯૮૪), ‘સંભૂતિ’ (૧૯૮૪) અને ‘નર્મદદર્શન’ (૧૯૮૪) એમના વિવેચન અને સંશોધનના ગ્રંથો છે. પ્રેમાનંદ, નર્મદ અને નવલરામ વિશેનાં સમગ્રલક્ષી મૂલ્યાંકન આપવાનો તેમ જ કુંતકના વક્રોક્તિવિચારને ગુજરાતી \n\t\tકવિતામાંથી ઉદાહરણો શોધી બતાવીને સમજાવવાનો એમનો પ્રયત્ન ધ્યાનાર્હ છે. ‘કલાપી અને સંચિત’ (૧૯૮૧) અને ‘સ્નેહાધીન સુરસિંહ’ (૧૯૮૫) એમના સંશોધનમૂલક ગ્રંથો છે.\n \t<br/><br/> \n\t\tપ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૯૬૬), ભાલણકૃત ‘કાદંબરી’ (૧૯૬૭), ‘વસંતવિલાસ’ (૧૯૬૯ બી. આ. ૧૯૮૨) એમનાં મધ્યકાલીન કૃતિલક્ષી સંપાદનો છે. ‘ચંદ્રહાસ આખ્યાન’ (૧૯૬૧), ‘અખાના છપ્પા’ (૧૯૬૩), \n\t\t‘કુંવરબાઈનું મામેરું’ (૧૯૬૪) અને ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૭) એમનાં અન્ય સાથેનાં વિદ્યાર્થીભોગ્ય સંપાદનો છે. ‘ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ’ (૧૯૭૭) અને ‘પ્રલંબિતા’ (૧૯૮૧) પણ એમનાં સંપાદનો છે. ‘ટૂંકીવાર્તા : \n\t\tસ્વરૂપ અને સાહિત્ય’ (૧૯૬૭) અને ‘સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકાર ચર્ચા’ (૧૯૭૪) અન્યના સહયોગમાં તૈયાર થયેલા ગ્રંથો છે. ‘ગુજરાતનું સંસ્કૃતિદર્શન’ (૧૯૬૪)માં એમણે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ રસળતી શૈલીમાં નિરૂપ્યો છે.\n \t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: શુકલ રમેશચંદ્ર મહાશંકર \t\t(૨૭-૧૧-૧૯૨૯) : વિવેચક, સંશોધક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૪-૮૦ \t\tદરમિયાન સર કે.પી. કૉલેજ ઑફ કૉમર્સ, સુરતમાં; લાલન કૉલેજ, ભુજમાં; શામળદાસ કૉલેજ, ભાવનગરમાં; એમ.પી.શાહ કૉલેજ, સુરેન્દ્રનગરમાં અને બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં અધ્યાપન. ૧૯૮૦ની સૌરાષ્ટ્ર \t\tયુનિવર્સિટીના ગુજરાતી ભાષાસાહિત્યભવનમાં રીડર. \t ‘પ્રેમાનંદ – એક સમાલોચના’ (૧૯૬૫), ‘નર્મદ – એક સમાલોચના’ (૧૯૬૬), ‘અનુવાક્’ (૧૯૭૬), ‘કુન્તકનો વક્રોક્તિવિચાર’ (૧૯૭૮), ‘અનુસર્ગ’ (૧૯૭૯), ‘અન્વર્થ’ (૧૯૮૧), ‘નવલરામ’ (૧૯૮૩), ‘અનુમોદ’ \t\t(૧૯૮૪), ‘સંભૂતિ’ (૧૯૮૪) અને ‘નર્મદદર્શન’ (૧૯૮૪) એમના વિવેચન અને સંશોધનના ગ્રંથો છે. પ્રેમાનંદ, નર્મદ અને નવલરામ વિશેનાં સમગ્રલક્ષી મૂલ્યાંકન આપવાનો તેમ જ કુંતકના વક્રોક્તિવિચારને ગુજરાતી \t\tકવિતામાંથી ઉદાહરણો શોધી બતાવીને સમજાવવાનો એમનો પ્રયત્ન ધ્યાનાર્હ છે. ‘કલાપી અને સંચિત’ (૧૯૮૧) અને ‘સ્નેહાધીન સુરસિંહ’ (૧૯૮૫) એમના સંશોધનમૂલક ગ્રંથો છે. \t \t\tપ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૯૬૬), ભાલણકૃત ‘કાદંબરી’ (૧૯૬૭), ‘વસંતવિલાસ’ (૧૯૬૯ બી. આ. ૧૯૮૨) એમનાં મધ્યકાલીન કૃતિલક્ષી સંપાદનો છે. ‘ચંદ્રહાસ આખ્યાન’ (૧૯૬૧), ‘અખાના છપ્પા’ (૧૯૬૩), \t\t‘કુંવરબાઈનું મામેરું’ (૧૯૬૪) અને ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૭) એમનાં અન્ય સાથેનાં વિદ્યાર્થીભોગ્ય સંપાદનો છે. ‘ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ’ (૧૯૭૭) અને ‘પ્રલંબિતા’ (૧૯૮૧) પણ એમનાં સંપાદનો છે. ‘ટૂંકીવાર્તા : \t\tસ્વરૂપ અને સાહિત્ય’ (૧૯૬૭) અને ‘સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકાર ચર્ચા’ (૧૯૭૪) અન્યના સહયોગમાં તૈયાર થયેલા ગ્રંથો છે. ‘ગુજરાતનું સંસ્કૃતિદર્શન’ (૧૯૬૪)માં એમણે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ રસળતી શૈલીમાં નિરૂપ્યો છે. \t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramesacandra-sukala",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramesacandra-sukala",
"tags": null,
"created": "2024-02-03T20:39:14.117185",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17371,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રમેશ પારેખ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પારેખ રમેશ મોહનલાલ </h4>\n\t\t(૨૭-૧૧-૧૯૪૦) : કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મૅટ્રિક. ૧૯૬૦ થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ \n\t\tજોષીએ ‘કૃતિ’ના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત.\n\t\t<br/><br/> \n\t\tએમની સર્જક-સંવેદનાના મૂળમાં ‘કશાકથી છૂટા પડી ગયાની વેદના’ અને પરિસ્થિતિને પડકારવાની પ્રકૃતિ છે. લોકબોલીના લહેકા, લોકસંગીત અને એનું હાર્દ એમના અજ્ઞાત મનમાં સંઘરાતાં રહ્યાં અને એમના સર્જનના મૂળમાં તે ખાતર \n\t\tરૂપે પુરાયાં. આથી એમના સર્જનમાં આગવી મુદ્રા પ્રગટી. ‘ક્યાં’ (૧૯૭૦), ‘ખડિંગ’ (૧૯૭૯), ‘ત્વ’ (૧૯૮૦), ‘સનનન’ (૧૯૮૧), ‘ખમ્મા આલાબાપુને’ (૧૯૮૫) અને ‘વિતાન સુદ બીજ’ (૧૯૮૯) એમના પ્રકાશિત કાવ્યસંગ્રહો છે. એમણે ગીત, \n\t\tગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપોને ખેડ્યાં છે; થોડાંક સૉનેટ પણ લખ્યાં છે. ગીત અને ગઝલ ઉપર એમનું વિશેષ પ્રભુત્વ છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. નવી નકોર \n\t\tકાવ્યબાની, નૂતન અભિવ્યક્તિ સાધતી ધારદાર પોતીકી ભંગિ, એનો લાક્ષણિક તળપદ રણકો, અપૂર્વ પ્રાસરચના, અસાધારણ ભાષાકર્મ, નવીન પ્રતિરૂપો, કલ્પનની તાજગી તથા સહજ લયસિદ્ધિ એમની કવિતાના ઉત્તમાંશ છે. ઝંખના, \n\t\tઅભાવ, વેદના, વિફલતા, એકલતા, વંધ્યતાના ભાવો એમની ગઝલોમાં વારંવાર વ્યકત થાય છે તો ગદ્યકવિતામાં નિરૂપાય છે નગરસંસ્કૃતિની વિરૂપતા.\n\t\t<br/><br/> \n\t\tમધ્યકાલીન સોરઠી ગોપગામઠી લેબાશવાળાં તથા ન્હાનાલાલનું અનુસંધાન કરતાં સૌંદર્યમંડિત ઊર્મિગીતો દ્વારા તેઓ રાવજી-મણિલાલ દ્વારા સિદ્ધ થયેલા આધુનિક ગુજરાતી ગીતને સફળતાઓ પહોંચાડે છે. એમનાં ગીતોમાં વિવિધ વયની \n\t\tનારીના હૈયાના પ્રેમ, વિરહ, અજંપો, એકલતા, અભીપ્સા, ઝંખના ઇત્યાદિ ભાવોનું અભિનવ આલેખન થયું છે. લોકગીતોમાં આવતી ત્રાજવાં ત્રોફાવતી નાયિકા ગોપવધૂ સોનલ, ગ્રામીણ પરિવેશ, કંકુના થાપા-પાળિયા-આભલાનાં \n\t\tતોરણ-ઓળીપો-સાથિયા-ચાકળા-ગોર્યમાનાં વ્રત જેવો અસબાબ, સ્પર્શક્ષમ તળપદ લહેકા, લોકલયના વિવિધ પ્રયોગો અને ઇન્દ્રિયવ્યત્યય એમનાં ગીતોને નિજી વ્યક્તિતા અર્પે છે. સોનલને ઉદ્દેશીને લખાયેલાં ગીતો તથા મીરાંકાવ્યો ખાસ \n\t\tધ્યાન ખેંચે છે. ‘ખમ્મા આલાબાપુને’ સંગ્રહમાં તેઓ કૃતક મધ્યકાલીન સામંતી વૈભવ અને વીરતામાં રાચતા જર્જર આલાખાચરના પાત્રને કેન્દ્રમાં રાખીને વિવિધ વસ્તુ, પાત્ર, વાતાવરણ, પ્રસંગ અને અસબાબને આધારે માનવીના \n\t\tમિથ્યાભિમાનની વિડંબના કરે છે. વ્યંગવિનોદથી ભરપૂર આ હાસ્યચરિત્રાવલિમાં તેઓ ગીતનો ઢાળ-બાળલય-પ્રસંગકાવ્ય-સૉનેટ-અછાંદસ એમ વિવિધ અભિવ્યક્તિરૂપો અજમાવે છે; નવીન તાજગીભર્યાં પ્રતીકો, વાકછટા, નાટયાત્મકતા \n\t\tઅને તળપદ બોલીના બળકટ પ્રયોગો કરે છે; તો વ્યાજવીર દ્વારા માનવજીવનની ઘેરી કરુણતાને વ્યંજિત કરે છે. ભવ્ય ભૂતકાળના જર્જર પ્રતિરૂપ સમા આલાબાપુનું કૃતક અસ્મિતાનું ગૌરવ દલપતરામના ‘મિથ્યાભિમાન’ના જીવરામ ભટ્ટની યાદ આપે છે.\n\t\t<br/><br/> \n\t\t‘સ્તનપૂર્વક’ (૧૯૮૩) નામના વાર્તાસંગ્રહથી એમણે આધુનિક ટૂંકીવાર્તાના ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. માનવમન-પ્રકૃતિ-સંબંધની સંકુલતાઓને તથા માનવીની કશાક કામ્ય માટેની ઉત્કટ ઝંખના, તેનો પ્રાપ્તિ માટેનો દારુણ સંઘર્ષ અને અંતે \n\t\tમળતી વિફલતાને આલેખતી આ વિવાદાસ્પદ વાર્તાઓમાં એમણે પરીકથા અને લોકકથાના મોટિફનો પ્રયોગ, તરંગલીલા, ઉરાંગઉટાંગ ચેતનાપ્રવાહ, દુઃસ્વપ્ન, પ્રતીક, નાટ્યાત્મક ભંગિ અને નિરૂપણરીતિની નવીનતા જેવા વિવિધ કસબ \n\t\tદ્વારા શબ્દને અભિધાથી દૂર લઈ જવાની અને વાયવ્ય ભાવાનુભૂતિઓને અનુભવના ક્ષેત્રમાં લઈ આવવાની મથામણ કરી છે.\n\t\t<br/><br/> \n\t\tબાળસાહિત્યના ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમાં પણ તાજગી, નવીનતા અને સહજસિદ્ધ પ્રતિભાનાં દર્શન થાય છે. બાળકાવ્યોના સંગ્રહો ‘હાઉક’ (૧૯૭૯) અને ‘ચી’ (૧૯૮૦)ના કાવ્યો ભાષાની સાદગી, સરળતા, શિશુસહજ કલ્પના \n\t\tને બાનીનો વિનિયોગ, સહજ સરી આવતી રમતિયાળ પ્રાસ ને લયની લીલા, હળવાશ-મસ્તી અને ગેયતાને કારણે આકર્ષક બન્યાં છે. ‘હફરક લફરક’ (૧૯૮૬)માંની બાળવાર્તાઓમાં પણ તેઓ ભાષાની શક્તિને નવેસરથી કામે લગાડે છે, \n\t\tજોડકણાંના ઉપયોગથી વાર્તાને શ્રાવ્યતા આપે છે અને એ સંદર્ભમાં જ શબ્દોના અન્વયો ને લહેકાઓની પસંદગી કરે છે; તેથી એમની વાર્તાઓ સર્જકતા અને બાળસુલભ મનોહરતા ધારણ કરે છે. પશુપંખી સાથે ફળો, સાઈકલ અને ખિસ્સું \n\t\tપણ એમની વાર્તાઓમાં પાત્ર બનીને આવે છે, તેથી બાળકનું વિશાળ સંવેદનવિશ્વ પ્રત્યક્ષ થાય છે. \n\t\t<p align=\"right\">-દક્ષા વ્યાસ</p>\n<br/><br/> \n\t\tક્યાં (૧૯૭૦) : રમેશ પારેખનો ગીત, ગઝલ અને અછાંદસ રચનાઓનો સંગ્રહ. રાજેન્દ્ર-નિરંજનના ગીતથી જુદી પડી રાવજી-મણિલાલથી આગળ વધેલા ગીતે આ કવિની અપૂર્વ વ્યક્તિમત્તાને કારણે નવું કલેવર ધારણ કર્યું છે, એની \n\t\tપ્રતીતિ આપતાં છેતાલીસ જેટલાં ગીતો અહીં છે. સોરઠી લોકલય, ગોપપરિવેશ, ગ્રામીણ નારીનાં વિવિધ સ્વરૂપો તેમ જ એમની તળપદી ચેતનામાંથી વ્યક્ત બોલી-લહેકાઓ, ક્યારેક સોનલ જેવી કાલ્પનિક નાયિકાને કેન્દ્રમાં રાખીને આવતી \n\t\tઉક્તિઓ-વગેરેમાં નવી તાજગી જોવાય છે. ‘ગોરમાંને પાંચે આંગળીએ પૂજ્યાં’ ‘તારો મેવાડ મીરાં છોડશે’ જેવાં લોકપ્રિય ગીતોમાં કલ્પનપ્રચુર ઈન્દ્રિયાનુરાગી નિરૂપણ અને મનોહર પ્રાસયુક્ત આસ્વાદ્ય લય છે. ઓગણત્રીસ ગઝલોમાં કવિ \n\t\tગઝલને ખૂબ ચુસ્ત સ્વરૂપમાં સ્વીકારતા નથી, તેમ છતાં ‘હવાઓ’ અને ‘ચશ્માના કાચ પર’ જેવી તેજસ્વી ગઝલો અહીં છે. અન્ય પરંપરિત લયાન્વિત રચનાઓમાં ‘તમને ફૂલ દીધાનું યાદ’ અત્યંત આકર્ષક છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પારેખ રમેશ મોહનલાલ \t\t(૨૭-૧૧-૧૯૪૦) : કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મૅટ્રિક. ૧૯૬૦ થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ \t\tજોષીએ ‘કૃતિ’ના અંકો આપી, એમાં છપાય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત. \t\t \t\tએમની સર્જક-સંવેદનાના મૂળમાં ‘કશાકથી છૂટા પડી ગયાની વેદના’ અને પરિસ્થિતિને પડકારવાની પ્રકૃતિ છે. લોકબોલીના લહેકા, લોકસંગીત અને એનું હાર્દ એમના અજ્ઞાત મનમાં સંઘરાતાં રહ્યાં અને એમના સર્જનના મૂળમાં તે ખાતર \t\tરૂપે પુરાયાં. આથી એમના સર્જનમાં આગવી મુદ્રા પ્રગટી. ‘ક્યાં’ (૧૯૭૦), ‘ખડિંગ’ (૧૯૭૯), ‘ત્વ’ (૧૯૮૦), ‘સનનન’ (૧૯૮૧), ‘ખમ્મા આલાબાપુને’ (૧૯૮૫) અને ‘વિતાન સુદ બીજ’ (૧૯૮૯) એમના પ્રકાશિત કાવ્યસંગ્રહો છે. એમણે ગીત, \t\tગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપોને ખેડ્યાં છે; થોડાંક સૉનેટ પણ લખ્યાં છે. ગીત અને ગઝલ ઉપર એમનું વિશેષ પ્રભુત્વ છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. નવી નકોર \t\tકાવ્યબાની, નૂતન અભિવ્યક્તિ સાધતી ધારદાર પોતીકી ભંગિ, એનો લાક્ષણિક તળપદ રણકો, અપૂર્વ પ્રાસરચના, અસાધારણ ભાષાકર્મ, નવીન પ્રતિરૂપો, કલ્પનની તાજગી તથા સહજ લયસિદ્ધિ એમની કવિતાના ઉત્તમાંશ છે. ઝંખના, \t\tઅભાવ, વેદના, વિફલતા, એકલતા, વંધ્યતાના ભાવો એમની ગઝલોમાં વારંવાર વ્યકત થાય છે તો ગદ્યકવિતામાં નિરૂપાય છે નગરસંસ્કૃતિની વિરૂપતા. \t\t \t\tમધ્યકાલીન સોરઠી ગોપગામઠી લેબાશવાળાં તથા ન્હાનાલાલનું અનુસંધાન કરતાં સૌંદર્યમંડિત ઊર્મિગીતો દ્વારા તેઓ રાવજી-મણિલાલ દ્વારા સિદ્ધ થયેલા આધુનિક ગુજરાતી ગીતને સફળતાઓ પહોંચાડે છે. એમનાં ગીતોમાં વિવિધ વયની \t\tનારીના હૈયાના પ્રેમ, વિરહ, અજંપો, એકલતા, અભીપ્સા, ઝંખના ઇત્યાદિ ભાવોનું અભિનવ આલેખન થયું છે. લોકગીતોમાં આવતી ત્રાજવાં ત્રોફાવતી નાયિકા ગોપવધૂ સોનલ, ગ્રામીણ પરિવેશ, કંકુના થાપા-પાળિયા-આભલાનાં \t\tતોરણ-ઓળીપો-સાથિયા-ચાકળા-ગોર્યમાનાં વ્રત જેવો અસબાબ, સ્પર્શક્ષમ તળપદ લહેકા, લોકલયના વિવિધ પ્રયોગો અને ઇન્દ્રિયવ્યત્યય એમનાં ગીતોને નિજી વ્યક્તિતા અર્પે છે. સોનલને ઉદ્દેશીને લખાયેલાં ગીતો તથા મીરાંકાવ્યો ખાસ \t\tધ્યાન ખેંચે છે. ‘ખમ્મા આલાબાપુને’ સંગ્રહમાં તેઓ કૃતક મધ્યકાલીન સામંતી વૈભવ અને વીરતામાં રાચતા જર્જર આલાખાચરના પાત્રને કેન્દ્રમાં રાખીને વિવિધ વસ્તુ, પાત્ર, વાતાવરણ, પ્રસંગ અને અસબાબને આધારે માનવીના \t\tમિથ્યાભિમાનની વિડંબના કરે છે. વ્યંગવિનોદથી ભરપૂર આ હાસ્યચરિત્રાવલિમાં તેઓ ગીતનો ઢાળ-બાળલય-પ્રસંગકાવ્ય-સૉનેટ-અછાંદસ એમ વિવિધ અભિવ્યક્તિરૂપો અજમાવે છે; નવીન તાજગીભર્યાં પ્રતીકો, વાકછટા, નાટયાત્મકતા \t\tઅને તળપદ બોલીના બળકટ પ્રયોગો કરે છે; તો વ્યાજવીર દ્વારા માનવજીવનની ઘેરી કરુણતાને વ્યંજિત કરે છે. ભવ્ય ભૂતકાળના જર્જર પ્રતિરૂપ સમા આલાબાપુનું કૃતક અસ્મિતાનું ગૌરવ દલપતરામના ‘મિથ્યાભિમાન’ના જીવરામ ભટ્ટની યાદ આપે છે. \t\t \t\t‘સ્તનપૂર્વક’ (૧૯૮૩) નામના વાર્તાસંગ્રહથી એમણે આધુનિક ટૂંકીવાર્તાના ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. માનવમન-પ્રકૃતિ-સંબંધની સંકુલતાઓને તથા માનવીની કશાક કામ્ય માટેની ઉત્કટ ઝંખના, તેનો પ્રાપ્તિ માટેનો દારુણ સંઘર્ષ અને અંતે \t\tમળતી વિફલતાને આલેખતી આ વિવાદાસ્પદ વાર્તાઓમાં એમણે પરીકથા અને લોકકથાના મોટિફનો પ્રયોગ, તરંગલીલા, ઉરાંગઉટાંગ ચેતનાપ્રવાહ, દુઃસ્વપ્ન, પ્રતીક, નાટ્યાત્મક ભંગિ અને નિરૂપણરીતિની નવીનતા જેવા વિવિધ કસબ \t\tદ્વારા શબ્દને અભિધાથી દૂર લઈ જવાની અને વાયવ્ય ભાવાનુભૂતિઓને અનુભવના ક્ષેત્રમાં લઈ આવવાની મથામણ કરી છે. \t\t \t\tબાળસાહિત્યના ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમાં પણ તાજગી, નવીનતા અને સહજસિદ્ધ પ્રતિભાનાં દર્શન થાય છે. બાળકાવ્યોના સંગ્રહો ‘હાઉક’ (૧૯૭૯) અને ‘ચી’ (૧૯૮૦)ના કાવ્યો ભાષાની સાદગી, સરળતા, શિશુસહજ કલ્પના \t\tને બાનીનો વિનિયોગ, સહજ સરી આવતી રમતિયાળ પ્રાસ ને લયની લીલા, હળવાશ-મસ્તી અને ગેયતાને કારણે આકર્ષક બન્યાં છે. ‘હફરક લફરક’ (૧૯૮૬)માંની બાળવાર્તાઓમાં પણ તેઓ ભાષાની શક્તિને નવેસરથી કામે લગાડે છે, \t\tજોડકણાંના ઉપયોગથી વાર્તાને શ્રાવ્યતા આપે છે અને એ સંદર્ભમાં જ શબ્દોના અન્વયો ને લહેકાઓની પસંદગી કરે છે; તેથી એમની વાર્તાઓ સર્જકતા અને બાળસુલભ મનોહરતા ધારણ કરે છે. પશુપંખી સાથે ફળો, સાઈકલ અને ખિસ્સું \t\tપણ એમની વાર્તાઓમાં પાત્ર બનીને આવે છે, તેથી બાળકનું વિશાળ સંવેદનવિશ્વ પ્રત્યક્ષ થાય છે. \t\t -દક્ષા વ્યાસ \t\tક્યાં (૧૯૭૦) : રમેશ પારેખનો ગીત, ગઝલ અને અછાંદસ રચનાઓનો સંગ્રહ. રાજેન્દ્ર-નિરંજનના ગીતથી જુદી પડી રાવજી-મણિલાલથી આગળ વધેલા ગીતે આ કવિની અપૂર્વ વ્યક્તિમત્તાને કારણે નવું કલેવર ધારણ કર્યું છે, એની \t\tપ્રતીતિ આપતાં છેતાલીસ જેટલાં ગીતો અહીં છે. સોરઠી લોકલય, ગોપપરિવેશ, ગ્રામીણ નારીનાં વિવિધ સ્વરૂપો તેમ જ એમની તળપદી ચેતનામાંથી વ્યક્ત બોલી-લહેકાઓ, ક્યારેક સોનલ જેવી કાલ્પનિક નાયિકાને કેન્દ્રમાં રાખીને આવતી \t\tઉક્તિઓ-વગેરેમાં નવી તાજગી જોવાય છે. ‘ગોરમાંને પાંચે આંગળીએ પૂજ્યાં’ ‘તારો મેવાડ મીરાં છોડશે’ જેવાં લોકપ્રિય ગીતોમાં કલ્પનપ્રચુર ઈન્દ્રિયાનુરાગી નિરૂપણ અને મનોહર પ્રાસયુક્ત આસ્વાદ્ય લય છે. ઓગણત્રીસ ગઝલોમાં કવિ \t\tગઝલને ખૂબ ચુસ્ત સ્વરૂપમાં સ્વીકારતા નથી, તેમ છતાં ‘હવાઓ’ અને ‘ચશ્માના કાચ પર’ જેવી તેજસ્વી ગઝલો અહીં છે. અન્ય પરંપરિત લયાન્વિત રચનાઓમાં ‘તમને ફૂલ દીધાનું યાદ’ અત્યંત આકર્ષક છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramesa-parekha",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramesa-parekha",
"tags": null,
"created": "2024-02-03T20:39:14.440244",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17372,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રામજીભાઈ કડિયા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>કડિયા રામજીભાઈ મોહનલાલ </h4>\n\t\t\t(૨૬-૫-૧૯૩૧) : નવલકથાકાર. વતન મહેસાણા જિલ્લાનું ધીણોજ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની ઝવેરી આર. ટી. હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક.\n\t\t<br/><br/>\n\t\t\tએમનું સર્જનકાર્ય ‘એક માળાના વીસ મણકા’ (૧૯૬૭) વાર્તા સંગ્રહથી શરૂ થયું છે. ‘ઢાંકેલી હથેળીઓ’ (૧૯૮૩) એમનો બીજો વાર્તાસંગ્રહ છે. ‘કાચની દીવાલ’ (૧૯૭૪), ‘પૂર્વક્ષણ’ (૧૯૭૬), \n\t\t\t‘આથમતા સૂરજનાં અજવાળાં’ (૧૯૭૭), ‘હૈયું ખોવાયું આંખમાં’ (૧૯૮૦), ‘ગુલમહોરનો સ્પર્શ’ (૧૯૮૨), ‘ટહુકામાં ખોવાયેલું પંખી’ (૧૯૮૨) અને ‘તરસ મૃગજળની’ (૧૯૮૩) એ એમની નવલકથાઓ છે. \n\t\t\t‘રંગભર્યા સપનાં’ (૧૯૭૮) કથાકૃતિ મનોવૈજ્ઞાનિક પ્રશ્નનું નિરૂપણ કરે છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: કડિયા રામજીભાઈ મોહનલાલ \t\t\t(૨૬-૫-૧૯૩૧) : નવલકથાકાર. વતન મહેસાણા જિલ્લાનું ધીણોજ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની ઝવેરી આર. ટી. હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક. \t\t \t\t\tએમનું સર્જનકાર્ય ‘એક માળાના વીસ મણકા’ (૧૯૬૭) વાર્તા સંગ્રહથી શરૂ થયું છે. ‘ઢાંકેલી હથેળીઓ’ (૧૯૮૩) એમનો બીજો વાર્તાસંગ્રહ છે. ‘કાચની દીવાલ’ (૧૯૭૪), ‘પૂર્વક્ષણ’ (૧૯૭૬), \t\t\t‘આથમતા સૂરજનાં અજવાળાં’ (૧૯૭૭), ‘હૈયું ખોવાયું આંખમાં’ (૧૯૮૦), ‘ગુલમહોરનો સ્પર્શ’ (૧૯૮૨), ‘ટહુકામાં ખોવાયેલું પંખી’ (૧૯૮૨) અને ‘તરસ મૃગજળની’ (૧૯૮૩) એ એમની નવલકથાઓ છે. \t\t\t‘રંગભર્યા સપનાં’ (૧૯૭૮) કથાકૃતિ મનોવૈજ્ઞાનિક પ્રશ્નનું નિરૂપણ કરે છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramajibhai-kadiya",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramajibhai-kadiya",
"tags": null,
"created": "2024-02-03T20:39:14.807523",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17373,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રમણિક અરાલવાળા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>અરાલવાળા રમણિક બલદેવદાસ, ‘સાંદીપનિ’</h4>\n\t\t(૬-૯-૧૯૧૦, ૨૪-૪-૧૯૮૧) : કવિ. જન્મ ખેડા જિલ્લાના ખેડાલમાં. વતન અરાલ. સાતમા ધોરણ સુધીનું શિક્ષણ વતન પાસેના છીપડી ગામે. નબળી આર્થિક સ્થિતિને કારણે \n\t\tપિતાના ધીરધાર ને ખેતીના ધંધામાં જોડાયા. ૧૯૩૧માં અમદાવાદ આવી જ્યુપિટર મિલ્સ ઇત્યાદિ મિલોમાં ફેન્સી જોબર તરીકે કામ કર્યું. અહીં ‘કુમાર’માં ચાલતી બુધસભાના સંસર્ગે કાવ્ય-લેખન આરંભાયું. \n\t\t<br/><br/> \n\t\t૧૯૪૦થી ફરી અંગ્રેજી શિક્ષણ આરંભી ૧૯૪૪માં મૅટ્રિક ને ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ સમાચારપત્રોમાં પત્રકાર. છેક ૧૯૫૧માં ભો. જે. વિદ્યાસભામાંથી \n\t\tઅનુસ્નાતક થઈ ૧૯૫૨માં શિક્ષકના વ્યવસાયનો આરંભ. ૧૯૫૪માં બી.એડ. થઈ માધ્યમિક શાળાના શિક્ષક તરીકે છ વર્ષ કામ કર્યું. ૧૯૬૦માં મોડાસાની આર્ટ્સ અને સાયન્સ કૉલેજમાં તેમ જ ૧૯૬૨થી થોડોક સમય \n\t\tઅમદાવાદની પી.ડી. ઠક્કર કૉલેજમાં અધ્યાપક. સાત વર્ષ ‘પ્રભાત’માં ભાષાંતરકાર તરીકેની કામગીરી. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tચાલીસીના દસકામાં અત્રતત્ર પ્રકાશિત થતાં રહેલાં એમનાં કાવ્યો ‘પ્રતીક્ષા’ રૂપે ૧૯૪૧માં ગ્રંથસ્થ થયાં. એમનાં કાવ્યોમાં દીનજનસમભાવ, દેશપ્રેમ અને પ્રકૃતિપ્રેમ જેવા વિષયો છે; ને છંદોવિધાન પર કાબૂ જોવા મળે છે. \n\t\t‘નગીનાવાડી’ (૧૯૪૧)માં સુગેય અને બાળકોને સ્પર્શે એવાં બાળકાવ્યો છે. ઋતુ, નદી, ગામ, પશુ જેવાં પ્રકૃતિતત્ત્વો અને દીવાળી-જન્માષ્ટમી જેવાં પર્વોના સંદર્ભમાં બાળમાનસની અસર ઝીલતાં બાળકાવ્યો ‘રસપોળી’ \n\t\t(૧૯૪૫)માં સંગ્રહાયાં છે. ભિન્ન વર્ગ અને પ્રકૃતિ ધરાવતા માનવોનાં ચરિત્રો તેમ જ પ્રસંગાલેખનોનો સંગ્રહ ‘સાંદીપનિનાં રેખાચિત્રો’ (૧૯૪૫) વાર્તારસ પોષે એવી શૈલી ધરાવે છે. દેશ-વિદેશની વૈવિધ્યપૂર્ણ સાહસકથાઓના \n\t\tઅનુવાદ ‘સાહસકથાઓ’ (૧૯૪૬) અને ટોલ્સ્ટૉયની બોધક ટૂંકીવાર્તાઓનો અનુવાદ ‘સાચી જાત્રા’ એમનો ભાષાંતરકાર તરીકેનો પરિચય આપે છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: અરાલવાળા રમણિક બલદેવદાસ, ‘સાંદીપનિ’ \t\t(૬-૯-૧૯૧૦, ૨૪-૪-૧૯૮૧) : કવિ. જન્મ ખેડા જિલ્લાના ખેડાલમાં. વતન અરાલ. સાતમા ધોરણ સુધીનું શિક્ષણ વતન પાસેના છીપડી ગામે. નબળી આર્થિક સ્થિતિને કારણે \t\tપિતાના ધીરધાર ને ખેતીના ધંધામાં જોડાયા. ૧૯૩૧માં અમદાવાદ આવી જ્યુપિટર મિલ્સ ઇત્યાદિ મિલોમાં ફેન્સી જોબર તરીકે કામ કર્યું. અહીં ‘કુમાર’માં ચાલતી બુધસભાના સંસર્ગે કાવ્ય-લેખન આરંભાયું. \t\t \t\t૧૯૪૦થી ફરી અંગ્રેજી શિક્ષણ આરંભી ૧૯૪૪માં મૅટ્રિક ને ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ સમાચારપત્રોમાં પત્રકાર. છેક ૧૯૫૧માં ભો. જે. વિદ્યાસભામાંથી \t\tઅનુસ્નાતક થઈ ૧૯૫૨માં શિક્ષકના વ્યવસાયનો આરંભ. ૧૯૫૪માં બી.એડ. થઈ માધ્યમિક શાળાના શિક્ષક તરીકે છ વર્ષ કામ કર્યું. ૧૯૬૦માં મોડાસાની આર્ટ્સ અને સાયન્સ કૉલેજમાં તેમ જ ૧૯૬૨થી થોડોક સમય \t\tઅમદાવાદની પી.ડી. ઠક્કર કૉલેજમાં અધ્યાપક. સાત વર્ષ ‘પ્રભાત’માં ભાષાંતરકાર તરીકેની કામગીરી. અમદાવાદમાં અવસાન. \t\t \t\tચાલીસીના દસકામાં અત્રતત્ર પ્રકાશિત થતાં રહેલાં એમનાં કાવ્યો ‘પ્રતીક્ષા’ રૂપે ૧૯૪૧માં ગ્રંથસ્થ થયાં. એમનાં કાવ્યોમાં દીનજનસમભાવ, દેશપ્રેમ અને પ્રકૃતિપ્રેમ જેવા વિષયો છે; ને છંદોવિધાન પર કાબૂ જોવા મળે છે. \t\t‘નગીનાવાડી’ (૧૯૪૧)માં સુગેય અને બાળકોને સ્પર્શે એવાં બાળકાવ્યો છે. ઋતુ, નદી, ગામ, પશુ જેવાં પ્રકૃતિતત્ત્વો અને દીવાળી-જન્માષ્ટમી જેવાં પર્વોના સંદર્ભમાં બાળમાનસની અસર ઝીલતાં બાળકાવ્યો ‘રસપોળી’ \t\t(૧૯૪૫)માં સંગ્રહાયાં છે. ભિન્ન વર્ગ અને પ્રકૃતિ ધરાવતા માનવોનાં ચરિત્રો તેમ જ પ્રસંગાલેખનોનો સંગ્રહ ‘સાંદીપનિનાં રેખાચિત્રો’ (૧૯૪૫) વાર્તારસ પોષે એવી શૈલી ધરાવે છે. દેશ-વિદેશની વૈવિધ્યપૂર્ણ સાહસકથાઓના \t\tઅનુવાદ ‘સાહસકથાઓ’ (૧૯૪૬) અને ટોલ્સ્ટૉયની બોધક ટૂંકીવાર્તાઓનો અનુવાદ ‘સાચી જાત્રા’ એમનો ભાષાંતરકાર તરીકેનો પરિચય આપે છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramanika-aralavala",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramanika-aralavala",
"tags": null,
"created": "2024-02-03T20:39:15.091927",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17374,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રામપ્રસાદ બક્ષી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર </h4>\n\t\t(૨૭-૬-૧૮૯૪, ૨૨-૩-૧૯૮૯) : વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ જૂનાગઢમાં. વતન મોરબી. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક. ૧૯૧૪માં \n\t\tસંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૧૫ થી મુંબઈમાં નિવાસ. ૧૯૨૭ થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, સાન્તાક્રૂઝના આચાર્ય. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં \n\t\tત્રણ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર. ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૦-૬૪નો નર્મદચંદ્રક. મુંબઈમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tપંડિતયુગનું પ્રતિબિંબ આપતી વ્યક્તિત્વમુદ્રાથી અંકિત આ લેખકની સંસ્કૃતસાહિત્યની સમજનો અંગ્રેજીસાહિત્યની સમજથી સંયોગ થયેલો જોવાય છે. બહુશ્રુતતાનો સ્પર્શ, અર્થઘટનની દ્યોતકતા, શાસ્ત્રીયતાનો અભિગમ, વિવરણપ્રધાન શૈલી \n\t\tવગેરેથી એમનું વિવેચન મુખ્યત્વે સંસ્કૃતપરિપાટીએ તત્વચર્ચાને ઉપસાવે છે.\n\t\t<br/><br/> \n\t\t‘વાઙમયવિમર્શ’ (૧૯૬૩)માં સાહિત્ય તત્વની મીમાંસા કરતા લેખો છે. કાવ્યતત્વ, રસ અને અલંકાર તથા નાટ્યકલા એમ ત્રણેક વિભાગોમાં પથરાયેલા એમના લેખોના પ્રધાન સૂરમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રોનો સંસ્કાર છે. ‘નાટ્યરસ’ (૧૯૫૯) \n\t\tઅને ‘કરુણરસ’ (૧૯૬૩)માં ભારતીય સંગીતનૃત્યનાટ્ય મહાવિદ્યાલય, વડોદરાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનોમાં સંસ્કૃત નાટ્યસિદ્ધાંતની ભૂમિકાની તત્વચર્ચાને સ્પષ્ટ કરતાં કરતાં પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનાં ધોરણો તુલનાત્મક પરિમાણરૂપે \n\t\tદાખલ કરાયેલાં છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ (૧૯૭૬)માં ગોવર્ધનરામની તત્વમીમાંસા અને સાહિત્યિક વિશિષ્ટતા વિશેના એમના લેખોનો સંગ્રહ છે.\n\t\t<br/><br/> \n\t\t‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીઝ સ્ક્રેપબુક’ (૧૯૫૭), ‘નરસિંહરાવની રોજનીશી’ (૧૯૫૯), ‘છોટુભાઈ કોરા જીવનજ્યોતિ’ (૧૯૫૯) કરસનદાસ માણેક ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના’ (અન્ય સાથે, ૧૯૬૨), ‘ગોકુળભાઈ ભટ્ટ અભિનંદનગ્રંથ’ \n\t\t(૧૯૬૩), જયોતીન્દ્ર દવે ષષ્ઠિપૂર્તિ ગ્રંથ ‘વાઙમયવિહાર’ (અન્ય સાથે ૧૯૬૪), ‘ગોવર્ધનરામની મનનનોંધ’ (૧૯૬૯), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ (અન્ય સાથે, ૧૯૭૧), ગુલાબદાસ બ્રોકર ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘સંવાદ’ (અન્ય સાથે, ૧૯૭૪) \n\t\tવગેરે એમનાં સંપાદનો છે.\n\t\t<br/><br/> \n\t\tએમના અનુવાદોમાં ‘કથાસરિતા’ (૧૯૧૧), નરસિંહરાવનાં વ્યાખ્યાનો ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’- ભા. ૧-૨ (૧૯૩૬, ૧૯૫૭), શીખ ધર્મસ્તો ‘સુખમની’ (૧૯૩૫) વગેરે મુખ્ય છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tવાઙમયવિમર્શ (૧૯૬૩) : રામપ્રસાદ બક્ષીનો વિવેચનસંગ્રહ. આ ગ્રંથમાં બે લેખ સિવાય બાકીના લેખ સિદ્ધાંતચર્ચાના છે. બધા લેખો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગના અઢાર લેખો કાવ્યત્વચર્ચાના છે; એમાં કાવ્યપ્રયોજન, \n\t\tપ્રતિભા, અલંકાર, છંદ, પ્રાસ, રસ ઇત્યાદિ કાવ્યની સાથે સંકળાયેલાં તત્વોની ચર્ચા છે. બીજા વિભાગમાં રસ અને અલંકારની ચર્ચા કરતા લેખો છે. આ બંને વિભાગમાં રસ અને અલંકારની આધુનિક સાહિત્યના સંદર્ભમાં તપાસ અને તેમની \n\t\tપ્રસ્તુતતાની લેખકે કરેલી ચર્ચા મહત્વની છે. ત્રીજા વિભાગના સત્તર લેખોમાંથી ચૌદ લેખો નાટક વિશે છે; એમાં નાટકનું પ્રાણભૂત તત્વ, નાટકના તાત્વિક પ્રકારો, રસ અને નાટ્ય, સાધારણીકરણ અને અભિનય, સંસ્કૃત એકાંકીનું સ્વરૂપ \n\t\tઇત્યાદિ વિશેની માર્મિક ચર્ચા છે. બીજા બે લેખોમાં ટૂંકીવાર્તાના સ્વરૂપની ચર્ચા છે. બીજા વિભાગનો ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ’ અને ત્રીજા વિભાગનો ‘હળવા નિબંધો’ એ બે લેખ ગુજરાતી સાહિત્યમાં તે તે સ્વરૂપના વિકાસને આલેખે છે. \n\t\tસંસ્કૃત સાહિત્યનું ઊંડું પરિશીલન, રજૂઆતમાં શાસ્ત્રીયતા, વિશદતા અને મૌલિકતા આ લેખોની લાક્ષણિકતાઓ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર \t\t(૨૭-૬-૧૮૯૪, ૨૨-૩-૧૯૮૯) : વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ જૂનાગઢમાં. વતન મોરબી. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક. ૧૯૧૪માં \t\tસંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૧૫ થી મુંબઈમાં નિવાસ. ૧૯૨૭ થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, સાન્તાક્રૂઝના આચાર્ય. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં \t\tત્રણ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર. ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૦-૬૪નો નર્મદચંદ્રક. મુંબઈમાં અવસાન. \t\t \t\tપંડિતયુગનું પ્રતિબિંબ આપતી વ્યક્તિત્વમુદ્રાથી અંકિત આ લેખકની સંસ્કૃતસાહિત્યની સમજનો અંગ્રેજીસાહિત્યની સમજથી સંયોગ થયેલો જોવાય છે. બહુશ્રુતતાનો સ્પર્શ, અર્થઘટનની દ્યોતકતા, શાસ્ત્રીયતાનો અભિગમ, વિવરણપ્રધાન શૈલી \t\tવગેરેથી એમનું વિવેચન મુખ્યત્વે સંસ્કૃતપરિપાટીએ તત્વચર્ચાને ઉપસાવે છે. \t\t \t\t‘વાઙમયવિમર્શ’ (૧૯૬૩)માં સાહિત્ય તત્વની મીમાંસા કરતા લેખો છે. કાવ્યતત્વ, રસ અને અલંકાર તથા નાટ્યકલા એમ ત્રણેક વિભાગોમાં પથરાયેલા એમના લેખોના પ્રધાન સૂરમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રોનો સંસ્કાર છે. ‘નાટ્યરસ’ (૧૯૫૯) \t\tઅને ‘કરુણરસ’ (૧૯૬૩)માં ભારતીય સંગીતનૃત્યનાટ્ય મહાવિદ્યાલય, વડોદરાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનોમાં સંસ્કૃત નાટ્યસિદ્ધાંતની ભૂમિકાની તત્વચર્ચાને સ્પષ્ટ કરતાં કરતાં પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનાં ધોરણો તુલનાત્મક પરિમાણરૂપે \t\tદાખલ કરાયેલાં છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ (૧૯૭૬)માં ગોવર્ધનરામની તત્વમીમાંસા અને સાહિત્યિક વિશિષ્ટતા વિશેના એમના લેખોનો સંગ્રહ છે. \t\t \t\t‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીઝ સ્ક્રેપબુક’ (૧૯૫૭), ‘નરસિંહરાવની રોજનીશી’ (૧૯૫૯), ‘છોટુભાઈ કોરા જીવનજ્યોતિ’ (૧૯૫૯) કરસનદાસ માણેક ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના’ (અન્ય સાથે, ૧૯૬૨), ‘ગોકુળભાઈ ભટ્ટ અભિનંદનગ્રંથ’ \t\t(૧૯૬૩), જયોતીન્દ્ર દવે ષષ્ઠિપૂર્તિ ગ્રંથ ‘વાઙમયવિહાર’ (અન્ય સાથે ૧૯૬૪), ‘ગોવર્ધનરામની મનનનોંધ’ (૧૯૬૯), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ (અન્ય સાથે, ૧૯૭૧), ગુલાબદાસ બ્રોકર ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘સંવાદ’ (અન્ય સાથે, ૧૯૭૪) \t\tવગેરે એમનાં સંપાદનો છે. \t\t \t\tએમના અનુવાદોમાં ‘કથાસરિતા’ (૧૯૧૧), નરસિંહરાવનાં વ્યાખ્યાનો ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’- ભા. ૧-૨ (૧૯૩૬, ૧૯૫૭), શીખ ધર્મસ્તો ‘સુખમની’ (૧૯૩૫) વગેરે મુખ્ય છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tવાઙમયવિમર્શ (૧૯૬૩) : રામપ્રસાદ બક્ષીનો વિવેચનસંગ્રહ. આ ગ્રંથમાં બે લેખ સિવાય બાકીના લેખ સિદ્ધાંતચર્ચાના છે. બધા લેખો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગના અઢાર લેખો કાવ્યત્વચર્ચાના છે; એમાં કાવ્યપ્રયોજન, \t\tપ્રતિભા, અલંકાર, છંદ, પ્રાસ, રસ ઇત્યાદિ કાવ્યની સાથે સંકળાયેલાં તત્વોની ચર્ચા છે. બીજા વિભાગમાં રસ અને અલંકારની ચર્ચા કરતા લેખો છે. આ બંને વિભાગમાં રસ અને અલંકારની આધુનિક સાહિત્યના સંદર્ભમાં તપાસ અને તેમની \t\tપ્રસ્તુતતાની લેખકે કરેલી ચર્ચા મહત્વની છે. ત્રીજા વિભાગના સત્તર લેખોમાંથી ચૌદ લેખો નાટક વિશે છે; એમાં નાટકનું પ્રાણભૂત તત્વ, નાટકના તાત્વિક પ્રકારો, રસ અને નાટ્ય, સાધારણીકરણ અને અભિનય, સંસ્કૃત એકાંકીનું સ્વરૂપ \t\tઇત્યાદિ વિશેની માર્મિક ચર્ચા છે. બીજા બે લેખોમાં ટૂંકીવાર્તાના સ્વરૂપની ચર્ચા છે. બીજા વિભાગનો ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ’ અને ત્રીજા વિભાગનો ‘હળવા નિબંધો’ એ બે લેખ ગુજરાતી સાહિત્યમાં તે તે સ્વરૂપના વિકાસને આલેખે છે. \t\tસંસ્કૃત સાહિત્યનું ઊંડું પરિશીલન, રજૂઆતમાં શાસ્ત્રીયતા, વિશદતા અને મૌલિકતા આ લેખોની લાક્ષણિકતાઓ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramaprasada-baksi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramaprasada-baksi",
"tags": null,
"created": "2024-02-03T20:39:15.507339",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17375,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રણછોડભાઈ દવે",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દવે રણછોડભાઈ ઉદયરામ </h4>\n\t\t(૯-૮-૧૮૩૭, ૯-૪-૧૯૨૩) : નાટ્યલેખક, નિબંધકાર, પિંગળશાસ્ત્રી.''' જન્મ ખેડા જિલ્લાના મહુધામાં. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લઈ ૧૮૫૨માં અંગ્રેજીના અભ્યાસાર્થે નડિયાદ ગયા. ૧૮૫૭માં અમદાવાદમાં ‘લૉ \n\t\tકલાસ’માં દાખલ થયા. પહેલા સરકારી ખાતામાં ત્યાંના કલેકટરની ઑફિસમાં, પછી ૧૮૬૩માં અમદાવાદના અગ્રણી વેપારી બહેચરદાસ અંબાઈદાસની વતી મેસર્સ લોરેન્સની કંપનીમાં જોડાવા મુંબઈ ગયા. મુંબઈમાં જ ગોંડલ, પાલનપુર \n\t\tઅને ઈડર રાજ્યના મુંબઈ ખાતેના પ્રતિનિધિ તરીકેની કામગીરી. મુંબઈનિવાસ દરમિયાન મનઃસુખરામ ત્રિપાઠી સાથે અન્નય મૈત્રી. ૧૮૮૪માં કચ્છનરેશ મહારાજાધિરાજ મહારાવ શ્રી ૭ ખેંગારજી સવાઈ બહાદુરે પહેલાં ‘હુઝૂર આસિસ્ટન્ટ’ નું \n\t\tમાનપદ આપ્યું, ત્યારપછી પ્રધાનપદ આપ્યું. ૧૯૦૪ માં નિવૃત્ત. ૧૯૧૨માં વડોદરામાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૧૫માં બ્રિટિશ સરકારે દીવાન બહાદુરનો ઈલ્કાબ આપ્યો. ત્રિદોષના હુમલાથી ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tગુજરાતીના આદ્ય નાટ્યકાર કે ગુજરાતી નાટકના પિતા તરીકે આ લેખકે તત્કાલીન ભવાઈની ગ્રામ્યતા અને અશ્લીલતાથી તેમ જ પારસી રંગભૂમિની ગુજરાતીની અશુદ્ધિથી સુગાઈને અંગ્રેજી, સંસ્કૃત અને તળપદી નાટ્યપરંપરાના સંસ્કારોથી \n\t\tનાટકને લોકશિક્ષણના સાધનમાં પલટાવ્યું; અને દશેક મૌલિક નાટકો તેમ જ ચારેક સંસ્કૃત નાટકોના અનુવાદો દ્વારા નાટ્યક્ષેત્રે નાટકની ગંભીર પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો. નાટ્યકલાની દ્રષ્ટિએ એમનાં નાટકો ઊંચી કક્ષાનાં નથી, પરંતુ \n\t\tગુજરાતી નાટકની સ્થાપનામાં એમનું ઐતિહાસિક મૂલ્ય છે. એમનાં નાટકો સામાજિક અને પૌરાણિક વિષયને લઈને ચાલે છે. ‘જયકુમારીવિજય નાટક’ (૧૮૬૪), ‘લલિતાદુઃખદર્શક નાટક’ (૧૮૬૬), ‘તારામતીસ્વયંવર’ (૧૮૭૧), ‘હરિશ્ચંદ્ર’ \n\t\t(૧૮૭૧), ‘પ્રેમરાય અને ચારુમતી’ (૧૮૭૬), ‘બાણા્સુર મદમર્દન’ (૧૮૭૮), ‘મદાલસા અને ઋતુધ્વજ’ (૧૮૭૮), ‘નળદમયંતી નાટક’ (૧૮૯૩), ‘નિંદ્ય શૃંગારનિષેધક રૂપક’ (૧૯૨૦), ‘વેરનો વાંસે વશ્યો વારસો’ (૧૯૨૨), ‘વંઠેલ વિરહાનાં કૂંડા \n\t\tકૃત્યો’ (૧૯૨૩) વગેરે એમનાં સ્વતંત્ર નાટકો છે.\n\t\t<br/><br/>\n\t\tનર્મદ-દલપતના પાયાના પિંગળકાર્ય પછી આ લેખકે પિંગળ અંગેનું આકર અને સર્વગ્રાહી કાર્ય કર્યું છે. છંદનું શાસ્ત્રીય બંધારણ ને તુલનાત્મક અભ્યાસ આપતો ગ્રંથ ‘રણપિંગળ’- ભા.૧, ૨, ૩ (૧૯૦૨, ૧૯૦૫, ૧૯૦૭) પાંડિત્યપૂર્ણ છે. કુલ પંદરસો કરતાં વધુ \n\t\tપૃષ્ઠોમાં વિસ્તરેલા આ ગ્રંથના પ્રથમ ભાગમાં માત્રામેળ અને અક્ષરમેળ છંદો તેમ જ તેના પેટાવિભાગોની ચર્ચા છે; બીજા ભાગમાં છંદોનું ગણિત આપ્યું છે; જયારે ત્રીજો ભાગ વૈદિક છંદપ્રકરણ, ડિંગળ, ગીતરચના અને ફારસી કવિતારચનાને તપાસે છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે ‘આરોગ્યતાસૂચક’ (૧૮૫૯), ‘કુલ વિશે નિબંધ’ (૧૮૬૭) અને ‘નાટ્યપ્રકાશ’ (૧૯૯૦) જેવા નિબંધગ્રંથો આપ્યા છે; તો ‘સંતોષસુરતરુ’ (૧૮૬૬), ‘પ્રાસ્તાવિક કથાસંગ્રહ’ (૧૮૬૬), ‘પાદશાહી રાજનીતિ’ (૧૮૯૦) જેવા પ્રકીર્ણ ગ્રંથો પણ \n\t\tઆપ્યાં છે. ‘યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર’ ભા.૧, ૪, ૩ (૧૯૧૬), ભા. ૨ (૧૯૧૫), ભા. ૫ (૧૯૧૮) એમના વેપારવિષયક ગ્રંથો છે.\n\t\t<br/><br/>\n\t\tએમના અનુવાદગ્રંથોમાં ઇતિહાસ સંબંધી ‘રાસમાળા’- ભા. ૧,૨ (૧૮૭૦, ૧૮૯૨), સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતારેલાં ‘માલવિકાગ્નિમિત્ર’ (૧૮૭૦), ‘વિક્રમોર્વશીયત્રોટક’ (૧૮૬૮), ‘રત્નાવલી’ (૧૮૮૯) જેવાં નાટકો તેમ જ ‘ગુજરાતી હિતોપદેશ’ \n\t\t(૧૮૮૯), ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ (૧૮૭૪) મુખ્ય છે. ‘શૅક્સપિયર કથાસમાજ’ (૧૮૭૮) તથા ‘બર્થોલ્ડ’ (૧૮૬૫) એ અંગ્રેજીમાંથી કરેલા અનુવાદ છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tલલિતાદુઃખદર્શક (૧૮૬૬) : રણછોડભાઈ ઉદયરામ દવેનું સામાજિક વાસ્તવને આલેખતું પંચાંકી નાટક. એના કેન્દ્રમાં ભવાઈનો કજોડાનો વેશ છે. લલિતા નામની એક સુશીલ સ્ત્રીના ચારિત્રભ્રષ્ટ ધનિક નંદન સાથે લગ્ન થયેલાં છે. \n\t\tનંદનકુમાર પત્ની લલિતાને ત્રાસ આપી મારઝૂડ કરીને કાઢી મૂકે છે, પણ પૂરણમલ ભૈયો નંદનનું ખૂન કરીને લલિતાનું અપહરણ કરવા જાય છે ત્યાં પંથીરામ આવી પહોંચે છે અને લલિતાનું રક્ષણ કરતાં માર્યો જાય છે. ત્યાંથી પર્વતપુરના \n\t\tરાજાના હાથમાં સપડાયેલી લલિતા નદીમાં ઝંપલાવે છે, તો ખારવાઓ તેને બચાવે છે; પણ પછી પ્રિયંવદાની બહેન ચંદ્રાવલિના પંજામાં તે સપડાય છે. આ પછી કુભાંડીના પંજામાં સપડાય છે. કુભાંડીને વાઘ મારી નાખે છે એટલે \n\t\tઅથડાતી-કુટાતી લલિતા પોતાના ગામ ચંપાનગરીમાં આવે છે. અહીં બધાં તેને ભૂત ગણીને મારે છે પણ અંતે લલિતા પોતાના પિતાને ખરી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે અને નાટક અહીં પૂરું થાય છે. કજોડાના લગ્નની અવદશાનો ઉપદેશ \n\t\tઆપતું આ નાટક મુંબઈમાં મહેતાજીઓએ ભજવેલું, ત્યારથી ગુજરાતી નાટકની મંડળી સ્થપાઈ અને પછીથી રણછોડભાઈ પારસી રંગભૂમિથી જુદા પડેલા. આમ, રંગભૂમિના ઉદભવ અને વિકાસના સંદર્ભે આ નાટકનું ઐતિહાસિક મૂલ્ય પણ છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દવે રણછોડભાઈ ઉદયરામ \t\t(૯-૮-૧૮૩૭, ૯-૪-૧૯૨૩) : નાટ્યલેખક, નિબંધકાર, પિંગળશાસ્ત્રી.''' જન્મ ખેડા જિલ્લાના મહુધામાં. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લઈ ૧૮૫૨માં અંગ્રેજીના અભ્યાસાર્થે નડિયાદ ગયા. ૧૮૫૭માં અમદાવાદમાં ‘લૉ \t\tકલાસ’માં દાખલ થયા. પહેલા સરકારી ખાતામાં ત્યાંના કલેકટરની ઑફિસમાં, પછી ૧૮૬૩માં અમદાવાદના અગ્રણી વેપારી બહેચરદાસ અંબાઈદાસની વતી મેસર્સ લોરેન્સની કંપનીમાં જોડાવા મુંબઈ ગયા. મુંબઈમાં જ ગોંડલ, પાલનપુર \t\tઅને ઈડર રાજ્યના મુંબઈ ખાતેના પ્રતિનિધિ તરીકેની કામગીરી. મુંબઈનિવાસ દરમિયાન મનઃસુખરામ ત્રિપાઠી સાથે અન્નય મૈત્રી. ૧૮૮૪માં કચ્છનરેશ મહારાજાધિરાજ મહારાવ શ્રી ૭ ખેંગારજી સવાઈ બહાદુરે પહેલાં ‘હુઝૂર આસિસ્ટન્ટ’ નું \t\tમાનપદ આપ્યું, ત્યારપછી પ્રધાનપદ આપ્યું. ૧૯૦૪ માં નિવૃત્ત. ૧૯૧૨માં વડોદરામાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૧૫માં બ્રિટિશ સરકારે દીવાન બહાદુરનો ઈલ્કાબ આપ્યો. ત્રિદોષના હુમલાથી ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાન. \t\t \t\tગુજરાતીના આદ્ય નાટ્યકાર કે ગુજરાતી નાટકના પિતા તરીકે આ લેખકે તત્કાલીન ભવાઈની ગ્રામ્યતા અને અશ્લીલતાથી તેમ જ પારસી રંગભૂમિની ગુજરાતીની અશુદ્ધિથી સુગાઈને અંગ્રેજી, સંસ્કૃત અને તળપદી નાટ્યપરંપરાના સંસ્કારોથી \t\tનાટકને લોકશિક્ષણના સાધનમાં પલટાવ્યું; અને દશેક મૌલિક નાટકો તેમ જ ચારેક સંસ્કૃત નાટકોના અનુવાદો દ્વારા નાટ્યક્ષેત્રે નાટકની ગંભીર પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો. નાટ્યકલાની દ્રષ્ટિએ એમનાં નાટકો ઊંચી કક્ષાનાં નથી, પરંતુ \t\tગુજરાતી નાટકની સ્થાપનામાં એમનું ઐતિહાસિક મૂલ્ય છે. એમનાં નાટકો સામાજિક અને પૌરાણિક વિષયને લઈને ચાલે છે. ‘જયકુમારીવિજય નાટક’ (૧૮૬૪), ‘લલિતાદુઃખદર્શક નાટક’ (૧૮૬૬), ‘તારામતીસ્વયંવર’ (૧૮૭૧), ‘હરિશ્ચંદ્ર’ \t\t(૧૮૭૧), ‘પ્રેમરાય અને ચારુમતી’ (૧૮૭૬), ‘બાણા્સુર મદમર્દન’ (૧૮૭૮), ‘મદાલસા અને ઋતુધ્વજ’ (૧૮૭૮), ‘નળદમયંતી નાટક’ (૧૮૯૩), ‘નિંદ્ય શૃંગારનિષેધક રૂપક’ (૧૯૨૦), ‘વેરનો વાંસે વશ્યો વારસો’ (૧૯૨૨), ‘વંઠેલ વિરહાનાં કૂંડા \t\tકૃત્યો’ (૧૯૨૩) વગેરે એમનાં સ્વતંત્ર નાટકો છે. \t\t \t\tનર્મદ-દલપતના પાયાના પિંગળકાર્ય પછી આ લેખકે પિંગળ અંગેનું આકર અને સર્વગ્રાહી કાર્ય કર્યું છે. છંદનું શાસ્ત્રીય બંધારણ ને તુલનાત્મક અભ્યાસ આપતો ગ્રંથ ‘રણપિંગળ’- ભા.૧, ૨, ૩ (૧૯૦૨, ૧૯૦૫, ૧૯૦૭) પાંડિત્યપૂર્ણ છે. કુલ પંદરસો કરતાં વધુ \t\tપૃષ્ઠોમાં વિસ્તરેલા આ ગ્રંથના પ્રથમ ભાગમાં માત્રામેળ અને અક્ષરમેળ છંદો તેમ જ તેના પેટાવિભાગોની ચર્ચા છે; બીજા ભાગમાં છંદોનું ગણિત આપ્યું છે; જયારે ત્રીજો ભાગ વૈદિક છંદપ્રકરણ, ડિંગળ, ગીતરચના અને ફારસી કવિતારચનાને તપાસે છે. \t\t \t\tએમણે ‘આરોગ્યતાસૂચક’ (૧૮૫૯), ‘કુલ વિશે નિબંધ’ (૧૮૬૭) અને ‘નાટ્યપ્રકાશ’ (૧૯૯૦) જેવા નિબંધગ્રંથો આપ્યા છે; તો ‘સંતોષસુરતરુ’ (૧૮૬૬), ‘પ્રાસ્તાવિક કથાસંગ્રહ’ (૧૮૬૬), ‘પાદશાહી રાજનીતિ’ (૧૮૯૦) જેવા પ્રકીર્ણ ગ્રંથો પણ \t\tઆપ્યાં છે. ‘યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર’ ભા.૧, ૪, ૩ (૧૯૧૬), ભા. ૨ (૧૯૧૫), ભા. ૫ (૧૯૧૮) એમના વેપારવિષયક ગ્રંથો છે. \t\t \t\tએમના અનુવાદગ્રંથોમાં ઇતિહાસ સંબંધી ‘રાસમાળા’- ભા. ૧,૨ (૧૮૭૦, ૧૮૯૨), સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતારેલાં ‘માલવિકાગ્નિમિત્ર’ (૧૮૭૦), ‘વિક્રમોર્વશીયત્રોટક’ (૧૮૬૮), ‘રત્નાવલી’ (૧૮૮૯) જેવાં નાટકો તેમ જ ‘ગુજરાતી હિતોપદેશ’ \t\t(૧૮૮૯), ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ (૧૮૭૪) મુખ્ય છે. ‘શૅક્સપિયર કથાસમાજ’ (૧૮૭૮) તથા ‘બર્થોલ્ડ’ (૧૮૬૫) એ અંગ્રેજીમાંથી કરેલા અનુવાદ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tલલિતાદુઃખદર્શક (૧૮૬૬) : રણછોડભાઈ ઉદયરામ દવેનું સામાજિક વાસ્તવને આલેખતું પંચાંકી નાટક. એના કેન્દ્રમાં ભવાઈનો કજોડાનો વેશ છે. લલિતા નામની એક સુશીલ સ્ત્રીના ચારિત્રભ્રષ્ટ ધનિક નંદન સાથે લગ્ન થયેલાં છે. \t\tનંદનકુમાર પત્ની લલિતાને ત્રાસ આપી મારઝૂડ કરીને કાઢી મૂકે છે, પણ પૂરણમલ ભૈયો નંદનનું ખૂન કરીને લલિતાનું અપહરણ કરવા જાય છે ત્યાં પંથીરામ આવી પહોંચે છે અને લલિતાનું રક્ષણ કરતાં માર્યો જાય છે. ત્યાંથી પર્વતપુરના \t\tરાજાના હાથમાં સપડાયેલી લલિતા નદીમાં ઝંપલાવે છે, તો ખારવાઓ તેને બચાવે છે; પણ પછી પ્રિયંવદાની બહેન ચંદ્રાવલિના પંજામાં તે સપડાય છે. આ પછી કુભાંડીના પંજામાં સપડાય છે. કુભાંડીને વાઘ મારી નાખે છે એટલે \t\tઅથડાતી-કુટાતી લલિતા પોતાના ગામ ચંપાનગરીમાં આવે છે. અહીં બધાં તેને ભૂત ગણીને મારે છે પણ અંતે લલિતા પોતાના પિતાને ખરી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે અને નાટક અહીં પૂરું થાય છે. કજોડાના લગ્નની અવદશાનો ઉપદેશ \t\tઆપતું આ નાટક મુંબઈમાં મહેતાજીઓએ ભજવેલું, ત્યારથી ગુજરાતી નાટકની મંડળી સ્થપાઈ અને પછીથી રણછોડભાઈ પારસી રંગભૂમિથી જુદા પડેલા. આમ, રંગભૂમિના ઉદભવ અને વિકાસના સંદર્ભે આ નાટકનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ranachodabhai-dave",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ranachodabhai-dave",
"tags": null,
"created": "2024-02-03T20:39:15.874335",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17376,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રણજિતરામ પટેલ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પટેલ રણજિતરામ મોહનલાલ, ‘અનામી’ </h4>\n\t\t(૨૬-૬-૧૯૧૮) : કવિ, ગદ્યકાર, વિવેચક. જન્મ ગાંધીનગર જિલ્લાના ડભોડામાં. ૧૯૪૨માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૪માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૬માં મ. સ. યુનિવર્સિટી, વડોદરામાંથી \n\t\tમલયચન્દ્રકૃત ‘સિંહાસનબત્રીસી’ પર પીએચ.ડી. ગુજરાતની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા પછી ૧૯૫૮ થી ૧૯૭૭ સુધી મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં રીડર, પ્રોફેસર અને અધ્યક્ષ.\n\t\t<br/><br/>\n\t\tએમના કાવ્યસંગ્રહો ‘કાવ્યસંહિતા’ (૧૯૩૮) અને ‘ચક્રવાક’ (૧૯૪૬)માં મુખ્યત્વે પ્રણયકાવ્યો છે. ‘સારસ’ (૧૯૫૭)માં આકાશવાણી પરથી રજૂ થયેલાં ગીતો સંગૃહીત છે. ‘સ્નેહહશતક’ (૧૯૫૭)માં છંદોબદ્ધ ને ગેય એવાં સો નાનાં કાવ્યોનો સમાવેશ \n\t\tછે. ‘પરિમલ’ એમણે પોતે ચૂંટેલી પોતાની પ્રતિનિધિ કાવ્યરચનાઓનો સંચય છે. ‘રટણા’(૧૯૮૩) કાવ્યસંગ્રહમાં પ્રકૃતિ, ઈશ્વર અને ભક્તિ પ્રધાનસ્થાને છે. ‘ભણેલી ભીખ અને બીજી વાતો (૧૯૫૭) નવલિકાસંગ્રહમાં આકાશવાણીના મજૂરવર્ગ માટેના \n\t\tકાર્યક્રમોમાં રજૂ થયેલી એકવીસ વાતો સંગૃહીત છે, જેમાં સત્યઘટનાનો અંશ વધુ છે.\n\t\t<br/><br/>\n\t\tએમના વિવેચનગ્રંર્થોમાં ‘મણિલાલ શતાબ્દી ગ્રંથ’ (સંપાદન, ૧૯૫૮), ‘શામળ’ (૧૯૬૧), ‘સિંહાસનબત્રીસી’ (૧૯૭૦) અને ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ’ (૧૯૫૮) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘રણજિત \n\t\tરત્નાવલિ’ (૧૯૩૫), ‘ત્રિવેણી’ (૧૯૫૭), ‘ટાગોરનું જીવનકવન’ (૧૯૬૫) જેવાં પ્રકીર્ણ પુસ્તકો પણ આપ્યાં છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પટેલ રણજિતરામ મોહનલાલ, ‘અનામી’ \t\t(૨૬-૬-૧૯૧૮) : કવિ, ગદ્યકાર, વિવેચક. જન્મ ગાંધીનગર જિલ્લાના ડભોડામાં. ૧૯૪૨માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૪માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૬માં મ. સ. યુનિવર્સિટી, વડોદરામાંથી \t\tમલયચન્દ્રકૃત ‘સિંહાસનબત્રીસી’ પર પીએચ.ડી. ગુજરાતની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા પછી ૧૯૫૮ થી ૧૯૭૭ સુધી મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં રીડર, પ્રોફેસર અને અધ્યક્ષ. \t\t \t\tએમના કાવ્યસંગ્રહો ‘કાવ્યસંહિતા’ (૧૯૩૮) અને ‘ચક્રવાક’ (૧૯૪૬)માં મુખ્યત્વે પ્રણયકાવ્યો છે. ‘સારસ’ (૧૯૫૭)માં આકાશવાણી પરથી રજૂ થયેલાં ગીતો સંગૃહીત છે. ‘સ્નેહહશતક’ (૧૯૫૭)માં છંદોબદ્ધ ને ગેય એવાં સો નાનાં કાવ્યોનો સમાવેશ \t\tછે. ‘પરિમલ’ એમણે પોતે ચૂંટેલી પોતાની પ્રતિનિધિ કાવ્યરચનાઓનો સંચય છે. ‘રટણા’(૧૯૮૩) કાવ્યસંગ્રહમાં પ્રકૃતિ, ઈશ્વર અને ભક્તિ પ્રધાનસ્થાને છે. ‘ભણેલી ભીખ અને બીજી વાતો (૧૯૫૭) નવલિકાસંગ્રહમાં આકાશવાણીના મજૂરવર્ગ માટેના \t\tકાર્યક્રમોમાં રજૂ થયેલી એકવીસ વાતો સંગૃહીત છે, જેમાં સત્યઘટનાનો અંશ વધુ છે. \t\t \t\tએમના વિવેચનગ્રંર્થોમાં ‘મણિલાલ શતાબ્દી ગ્રંથ’ (સંપાદન, ૧૯૫૮), ‘શામળ’ (૧૯૬૧), ‘સિંહાસનબત્રીસી’ (૧૯૭૦) અને ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ’ (૧૯૫૮) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘રણજિત \t\tરત્નાવલિ’ (૧૯૩૫), ‘ત્રિવેણી’ (૧૯૫૭), ‘ટાગોરનું જીવનકવન’ (૧૯૬૫) જેવાં પ્રકીર્ણ પુસ્તકો પણ આપ્યાં છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ranajitarama-patela",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ranajitarama-patela",
"tags": null,
"created": "2024-02-03T20:39:16.155487",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17377,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રસિકલાલ પરીખ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પરીખ રસિકલાલ છોટાલાલ, ‘મૂસિકાર’, ‘સંજય’ </h4>\n\t\t(૨૦-૮-૧૮૯૭, ૧-૧૧-૧૯૮૨) : કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક. જન્મ સાદરામાં. ૧૯૧૩માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૧૮માં પૂનાથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ત્યારબાદ \n\t\tશંકરાચાર્ય સેમિનારમાં ‘કમ્પરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી’ ની ફેલોશિપ. પૂનામાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યનો તથા તત્વજ્ઞાનનો અભ્યાસ. મુનિશ્રી જિનવિજ્યજી પાસેથી ઇતિહાસ તેમજ વ્યાકરણનું અધ્યયન. ૧૯૧૯માં ભાંડારકર \n\t\tરિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, પૂનામાં ‘હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કેટલૉગ’ ના કાર્યમાં સહાયક તરીકે કામગીરી. ૧૯૨૦ના અરસામાં અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં \n\t\tઆચાર્ય. અહીં ‘પુરાતત્વ’, ‘પ્રસ્થાન’ અને ‘યુગધર્મ’ના તંત્રી-સંપાદક. ૧૯૩૦માં વિદ્યાપીઠ છોડી. ૧૯૩૦ થી ૧૯૩૭ દરમિયાન સંશોધન, નાટ્યલેખન તેમ જ દેશાટન. ૧૯૩૭ માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી. ૧૯૩૯-૧૯૪૦માં ગુજરાત \n\t\tવિદ્યાસભાના અધ્યક્ષ. ૧૯૪૧ થી નિવૃત્તિ સુધી એના નિયામક. ૧૯૪૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૪માં વિલેપાર્લે મુંબઈમાં ગુજરાતી પરિષદના પ્રમુખ. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\t‘સ્મૃતિ’ (૧૯૫૨) એમની રંગદર્શી કાવ્યરચનાઓનો સંગ્રહ છે. છંદોબદ્ધ રચનાઓ, ખંડકાવ્યો, સંવાદ-કથાકાવ્યો, રંગભૂમિનાં ગીતોનો ઢાળ પર લખાયેલાં ગીતો વગેરેમાં સર્જકતાની મધ્યમ માત્રા જોવા મળે છે. સુદીર્ઘ કાવ્ય ‘શિખરણીશતક’ તત્કાલીન \n\t\tકાવ્યસાહિત્યમાં નોંધપાત્ર ઠરેલું છે. એમના ‘જીવનનાં વહેણો’ (૧૯૦૧) વાર્તાસંગ્રહમાં જીવનનાં અનેક પાસાંઓનું નર્મ-મર્મ નિરીક્ષણ છે; પણ એક પ્રકારની પ્રતિબદ્ધતાનો અંશ તથા લાંબાંલાંબાં સંભાષણો સમગ્ર કથાનિરૂપણને અરૈખિક તેમ જ શિથિલ બનાવે છે.\n\t\t<br/><br/>\n\t\tએમનું પહેલું નાટક ‘રૂપિયાનું ઝાડ’ (૧૯૩૧) પ્રયોગાભિમુખતા, પાશ્ચાત્ય નાટ્યપદ્ધતિનો સક્ષમ વિનિયોગ, માર્મિક નિરૂપણશૈલી વગેરેના કારણે ધ્યાનાકર્ષક છે. ‘પહેલો કલાસ’ (૧૯૩૧) તથા ‘પ્રેમનું મૂલ્ય’ (૧૯૫૦) એ બે એમનાં અનૂદિત નાટકો છે. \n\t\t‘શર્વિલક’ (૧૯૫૭) તેમ જ ‘મેના ગુર્જરી’ (૧૯૭૭) એમનાં પ્રાણવાન સર્જનો ગણાયાં છે. શિષ્ટ નાટ્યસાહિત્યની પરંપરામાં ‘શર્વિલક’ એક મહત્વપૂર્ણ પ્રદાન છે. શુદ્રકના ‘મૃચ્છકટિક’માંના રાજપરિવર્તનના ગૌણ વસ્તુને મુખ્ય \tકથાઘટના બનાવી શર્વિલકના \n\t\tદ્રષ્ટિપૂર્ણ વિપ્લવકાર્યની આસપાસ દરિદ્ર ચારુદત્ત તથા મૃચ્છકટિકનાં મહત્વનાં પાત્રો તેમ જ કથાતંતુઓને ગૂંથીને આ નાટક રચાયું છે. સંસ્કૃતમંડિત બાહ્ય પરિવેશ અને શૈલી તથા ભવાઈશૈલીની લાક્ષણિકતાઓ, શિષ્ટ બાની, વિલક્ષણ નર્મશક્તિ, ગતિશીલ ઘટનાઓ \n\t\tવગેરેથી આ નાટક ગુજરાતી નાટ્યસાહિત્યનાં મહત્વનાં નાટકોમાં સ્થાન પામ્યું છે. ‘મેનાગુર્જરી’માં અભિનયક્ષમતા ‘શવિંલક’ કરતાં વધુ છે, જેમાં એમનો નાટ્યકાર તરીકેનો વિશેષ જોવા મળે છે.\n\t\t<br/><br/>\n\t\tએમની લેખનવૃત્તિમાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન વગેરેના અભ્યાસથી સંમાજિત રુચિને કારણે એમની દ્રષ્ટિ તુલનાત્મક રહી છે; ઉપરાંત સંકુલ કહી શકાય તેવી વિચારણા અને મુદ્દાસર ને વિશદ નિરૂપણ એમની વિવેચક \n\t\tતરીકે આગવી પ્રતિભા ઉપસાવે છે. ‘આનંદમીમાંસા’ (૧૯૬૩) એમમે મ. સ. યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં મહારાજા સયાજીરાવ વ્યાખ્યાનમાળાનાં ત્રણ વ્યાખ્યાનોનું ગ્રંથસ્થ રૂપ છે. ભારતીય તત્વજ્ઞાનની પ્રમુખ ભૂમિકારૂપ ‘સત્, ચિત્ અને \n\t\tઆનંદ’માંના આનંદતત્વ પર અહીં દાર્શનિક મીમાંસા થઈ છે અને એના કેન્દ્રમાં અભિનવગુપ્તની રસમીમાંસા તેમ જ તેમાંના ‘આનંદમય સંવિદ’ નો ખ્યાલ છે; ઉપરાંત પશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના ‘સૌંદર્ય’ના ખ્યાલનો પણ સમુચિત \n\t\tવિનિયોગ છે. પારિભાષિક ચોકસાઈ, વિષયાનુરૂપ ભાષા, ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્વવિચાર ને સૌંદર્યવિચારનું અધિકૃત જ્ઞાન અને વિષયની શાસ્ત્રીય રજૂઆત એ આ ગ્રંથના મહત્વના ગુણો છે. ‘આકાશભાષિત’ (૧૯૭૪)માં એમણે \n\t\tવિવિધ વિષયો પર આપેલા રેડિયોવાર્તાલાપો છે. ‘સંસ્કૃત નાટક સાહિત્ય’ (૧૯૮૦)માં મુખ્યત્વે ભાસની નાટ્યકૃતિઓની સવિગત સમીક્ષા છે. ‘પુરોવચન અને વિવેચન’ (૧૯૬૫) એ એમનો પ્રત્યક્ષ વિવેચનલેખોનો સંગ્રહ છે. ‘સરસ્વતીચંદ્રનો \n\t\tમહિમા-એની પાત્રસૃષ્ટિમાં’ (૧૯૭૬)માં એમનાં ૧૯૭૨માં અપાયેલાં વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે.\n\t\t<br/><br/>\n\t\tતત્વજ્ઞાન-ઇતિહાસના ઊંડા અભ્યાસને કારણે સાહિત્ય ઉપરાંત તત્વજ્ઞાન તેમ જ ઇતિહાસના ગ્રંથો પણ એમની પાસેથી મળ્યા છે. ‘તત્વજિજ્ઞાસા’ (૧૯૪૧) ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના તત્વજ્ઞાન વિભાગનું પ્રમુખીય \n\t\tપ્રવચન છે. એમના ઇતિહાસવિષયક ગ્રંથોમાં ‘ગુજરાતની રાજધાનીઓ’ (૧૯૫૮) અને ‘ઇતિહાસ-સ્વરૂપ અને પદ્ધતિ’ (૧૯૬૯) ઉલ્લેખનીય છે. વ્યાકરણ તેમ જ દર્શનશાસ્ત્રના કેટલાક ગ્રંથોના અનુવાદ-સંપાદન નિમિત્તે એમણે કરેલું \n\t\tસંશોધન-સંપાદનકાર્ય પણ મહત્વનું છે. મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’નો અનુવાદ (૧૯૨૪), વૈદિક્સંહિતા અને બ્રાહ્મણગ્રંથોમાંથી કરેલુ સટિપ્પણ સંપાદન ‘વૈદિક પાઠાવલી’ (૧૯૨૭), ‘હેમચંદ્રનું કાવ્યાનુંશાસન’ (૧૯૩૮), જયરાશિ ભટ્ટકૃત \n\t\t‘તત્વોપપ્લવસિંહ’ (અન્ય સાથે, ૧૯૪૦), સિદ્ધિચંદ્રકૃત ‘કાવ્યપ્રકાશ ખંડન’ (૧૯૫૩), ભટ્ટ સોમેશ્વરનું ‘સંકેત’ સહિતનું ‘કાવ્યાદર્શ’ (૧૯૫૯) તેમ જ ‘નૃત્યરત્નકોશ’- ભા.૧, ૨ (અન્ય સાથે, ૧૯૫૭, ૧૯૬૮) વગેરે એમનાં મહત્વનાં પ્રદાન છે. \n\t\t‘ગુજરાતનો રાજ્કીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’- ગ્રંથ ૧ થી ૬ (અન્ય સાથે) એમનું અન્ય સંપાદન છે. \n\t\t<p align=\"right\">-હર્ષવદન ત્રિવેદી</p>\n<br/><br/>\n\t\tશર્વિલક (૧૯૫૭) : રસિકલાલ છોટોલાલ પરીખનું નાટક. ‘દરિદ્રચારુદત્ત’ અને ‘મૃચ્છકટિક’ને આધારે ઘડાયેલું આ પાંચ અંકનું નાટક અનુવાદ નથી તેમ રૂપાંતર પણ નથી; પરંતુ મૂળ સંસ્કૃત નાટકોમાં જે ગૌણકથા તરીકે શર્વિલકની \n\t\tસાહસકથા અને ક્રાંતિકથા આવે છે તેને અહીં સ્વતંત્ર નાટ્યસ્વરૂપ આપવામાં આવ્યું છે અને નાયક તરીકે શર્વિલકની સ્થાપના કરવામાં આવી છે. શર્વિલક રાજ્યપરિવર્તન માટે ષડયંત્ર રચે છે એ ષડયંત્રનો પ્રારંભ તેમ જ વિકાસ આ \n\t\tનાટકમાં જોઈ શકાય છે. સંસ્કૃતશૈલીને ચુસ્તપણે અનુસરતું આ, એક રીતે જોઈએ તો સ્વતંત્ર નાટક છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tમેના ગુર્જરી (૧૯૭૭) : ૧૯૩૦ ના ‘પ્રસ્થાન’- માર્ચના અંકમા ‘એક કથા : પાંચ દ્રશ્યો’ એવી ઓળખે છપાયેલી રસિકલાલ છો. પરીખની સાહિત્યિક નાટ્યરચનાનો આ નવો વિકસિત ઘાટ છે. ‘મેના ગુર્જરી’ નો લોકગરબો આ નાટકની મૂળ \n\t\tપ્રેરણા છે. સાસુની વારી છતાં કુતૂહલથી બાદશાહની છાવણી જોવા ગયેલી મેના કેદ થાય છે; ગુર્જરનો શૌર્યથી છૂટી પાછી ફરેલી મેના સાસુ-નણંદના મહેણાના તિરસ્કારથી અંતે મહાકાળીમાં ભળી જાય છે-એવા કથાનકના નિર્માણમાં લેખકે \n\t\tકાવ્ય, નાટક, પાત્ર અને સંવાદની નિર્મિતિમાં કૌશલ દાખવ્યું છે અને તળપદા લોકનાટ્યને ઉપસાવ્યું છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પરીખ રસિકલાલ છોટાલાલ, ‘મૂસિકાર’, ‘સંજય’ \t\t(૨૦-૮-૧૮૯૭, ૧-૧૧-૧૯૮૨) : કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક. જન્મ સાદરામાં. ૧૯૧૩માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૧૮માં પૂનાથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ત્યારબાદ \t\tશંકરાચાર્ય સેમિનારમાં ‘કમ્પરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી’ ની ફેલોશિપ. પૂનામાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યનો તથા તત્વજ્ઞાનનો અભ્યાસ. મુનિશ્રી જિનવિજ્યજી પાસેથી ઇતિહાસ તેમજ વ્યાકરણનું અધ્યયન. ૧૯૧૯માં ભાંડારકર \t\tરિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, પૂનામાં ‘હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કેટલૉગ’ ના કાર્યમાં સહાયક તરીકે કામગીરી. ૧૯૨૦ના અરસામાં અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં \t\tઆચાર્ય. અહીં ‘પુરાતત્વ’, ‘પ્રસ્થાન’ અને ‘યુગધર્મ’ના તંત્રી-સંપાદક. ૧૯૩૦માં વિદ્યાપીઠ છોડી. ૧૯૩૦ થી ૧૯૩૭ દરમિયાન સંશોધન, નાટ્યલેખન તેમ જ દેશાટન. ૧૯૩૭ માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી. ૧૯૩૯-૧૯૪૦માં ગુજરાત \t\tવિદ્યાસભાના અધ્યક્ષ. ૧૯૪૧ થી નિવૃત્તિ સુધી એના નિયામક. ૧૯૪૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૪માં વિલેપાર્લે મુંબઈમાં ગુજરાતી પરિષદના પ્રમુખ. અમદાવાદમાં અવસાન. \t\t \t\t‘સ્મૃતિ’ (૧૯૫૨) એમની રંગદર્શી કાવ્યરચનાઓનો સંગ્રહ છે. છંદોબદ્ધ રચનાઓ, ખંડકાવ્યો, સંવાદ-કથાકાવ્યો, રંગભૂમિનાં ગીતોનો ઢાળ પર લખાયેલાં ગીતો વગેરેમાં સર્જકતાની મધ્યમ માત્રા જોવા મળે છે. સુદીર્ઘ કાવ્ય ‘શિખરણીશતક’ તત્કાલીન \t\tકાવ્યસાહિત્યમાં નોંધપાત્ર ઠરેલું છે. એમના ‘જીવનનાં વહેણો’ (૧૯૦૧) વાર્તાસંગ્રહમાં જીવનનાં અનેક પાસાંઓનું નર્મ-મર્મ નિરીક્ષણ છે; પણ એક પ્રકારની પ્રતિબદ્ધતાનો અંશ તથા લાંબાંલાંબાં સંભાષણો સમગ્ર કથાનિરૂપણને અરૈખિક તેમ જ શિથિલ બનાવે છે. \t\t \t\tએમનું પહેલું નાટક ‘રૂપિયાનું ઝાડ’ (૧૯૩૧) પ્રયોગાભિમુખતા, પાશ્ચાત્ય નાટ્યપદ્ધતિનો સક્ષમ વિનિયોગ, માર્મિક નિરૂપણશૈલી વગેરેના કારણે ધ્યાનાકર્ષક છે. ‘પહેલો કલાસ’ (૧૯૩૧) તથા ‘પ્રેમનું મૂલ્ય’ (૧૯૫૦) એ બે એમનાં અનૂદિત નાટકો છે. \t\t‘શર્વિલક’ (૧૯૫૭) તેમ જ ‘મેના ગુર્જરી’ (૧૯૭૭) એમનાં પ્રાણવાન સર્જનો ગણાયાં છે. શિષ્ટ નાટ્યસાહિત્યની પરંપરામાં ‘શર્વિલક’ એક મહત્વપૂર્ણ પ્રદાન છે. શુદ્રકના ‘મૃચ્છકટિક’માંના રાજપરિવર્તનના ગૌણ વસ્તુને મુખ્ય \tકથાઘટના બનાવી શર્વિલકના \t\tદ્રષ્ટિપૂર્ણ વિપ્લવકાર્યની આસપાસ દરિદ્ર ચારુદત્ત તથા મૃચ્છકટિકનાં મહત્વનાં પાત્રો તેમ જ કથાતંતુઓને ગૂંથીને આ નાટક રચાયું છે. સંસ્કૃતમંડિત બાહ્ય પરિવેશ અને શૈલી તથા ભવાઈશૈલીની લાક્ષણિકતાઓ, શિષ્ટ બાની, વિલક્ષણ નર્મશક્તિ, ગતિશીલ ઘટનાઓ \t\tવગેરેથી આ નાટક ગુજરાતી નાટ્યસાહિત્યનાં મહત્વનાં નાટકોમાં સ્થાન પામ્યું છે. ‘મેનાગુર્જરી’માં અભિનયક્ષમતા ‘શવિંલક’ કરતાં વધુ છે, જેમાં એમનો નાટ્યકાર તરીકેનો વિશેષ જોવા મળે છે. \t\t \t\tએમની લેખનવૃત્તિમાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન વગેરેના અભ્યાસથી સંમાજિત રુચિને કારણે એમની દ્રષ્ટિ તુલનાત્મક રહી છે; ઉપરાંત સંકુલ કહી શકાય તેવી વિચારણા અને મુદ્દાસર ને વિશદ નિરૂપણ એમની વિવેચક \t\tતરીકે આગવી પ્રતિભા ઉપસાવે છે. ‘આનંદમીમાંસા’ (૧૯૬૩) એમમે મ. સ. યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં મહારાજા સયાજીરાવ વ્યાખ્યાનમાળાનાં ત્રણ વ્યાખ્યાનોનું ગ્રંથસ્થ રૂપ છે. ભારતીય તત્વજ્ઞાનની પ્રમુખ ભૂમિકારૂપ ‘સત્, ચિત્ અને \t\tઆનંદ’માંના આનંદતત્વ પર અહીં દાર્શનિક મીમાંસા થઈ છે અને એના કેન્દ્રમાં અભિનવગુપ્તની રસમીમાંસા તેમ જ તેમાંના ‘આનંદમય સંવિદ’ નો ખ્યાલ છે; ઉપરાંત પશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના ‘સૌંદર્ય’ના ખ્યાલનો પણ સમુચિત \t\tવિનિયોગ છે. પારિભાષિક ચોકસાઈ, વિષયાનુરૂપ ભાષા, ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્વવિચાર ને સૌંદર્યવિચારનું અધિકૃત જ્ઞાન અને વિષયની શાસ્ત્રીય રજૂઆત એ આ ગ્રંથના મહત્વના ગુણો છે. ‘આકાશભાષિત’ (૧૯૭૪)માં એમણે \t\tવિવિધ વિષયો પર આપેલા રેડિયોવાર્તાલાપો છે. ‘સંસ્કૃત નાટક સાહિત્ય’ (૧૯૮૦)માં મુખ્યત્વે ભાસની નાટ્યકૃતિઓની સવિગત સમીક્ષા છે. ‘પુરોવચન અને વિવેચન’ (૧૯૬૫) એ એમનો પ્રત્યક્ષ વિવેચનલેખોનો સંગ્રહ છે. ‘સરસ્વતીચંદ્રનો \t\tમહિમા-એની પાત્રસૃષ્ટિમાં’ (૧૯૭૬)માં એમનાં ૧૯૭૨માં અપાયેલાં વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે. \t\t \t\tતત્વજ્ઞાન-ઇતિહાસના ઊંડા અભ્યાસને કારણે સાહિત્ય ઉપરાંત તત્વજ્ઞાન તેમ જ ઇતિહાસના ગ્રંથો પણ એમની પાસેથી મળ્યા છે. ‘તત્વજિજ્ઞાસા’ (૧૯૪૧) ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના તત્વજ્ઞાન વિભાગનું પ્રમુખીય \t\tપ્રવચન છે. એમના ઇતિહાસવિષયક ગ્રંથોમાં ‘ગુજરાતની રાજધાનીઓ’ (૧૯૫૮) અને ‘ઇતિહાસ-સ્વરૂપ અને પદ્ધતિ’ (૧૯૬૯) ઉલ્લેખનીય છે. વ્યાકરણ તેમ જ દર્શનશાસ્ત્રના કેટલાક ગ્રંથોના અનુવાદ-સંપાદન નિમિત્તે એમણે કરેલું \t\tસંશોધન-સંપાદનકાર્ય પણ મહત્વનું છે. મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’નો અનુવાદ (૧૯૨૪), વૈદિક્સંહિતા અને બ્રાહ્મણગ્રંથોમાંથી કરેલુ સટિપ્પણ સંપાદન ‘વૈદિક પાઠાવલી’ (૧૯૨૭), ‘હેમચંદ્રનું કાવ્યાનુંશાસન’ (૧૯૩૮), જયરાશિ ભટ્ટકૃત \t\t‘તત્વોપપ્લવસિંહ’ (અન્ય સાથે, ૧૯૪૦), સિદ્ધિચંદ્રકૃત ‘કાવ્યપ્રકાશ ખંડન’ (૧૯૫૩), ભટ્ટ સોમેશ્વરનું ‘સંકેત’ સહિતનું ‘કાવ્યાદર્શ’ (૧૯૫૯) તેમ જ ‘નૃત્યરત્નકોશ’- ભા.૧, ૨ (અન્ય સાથે, ૧૯૫૭, ૧૯૬૮) વગેરે એમનાં મહત્વનાં પ્રદાન છે. \t\t‘ગુજરાતનો રાજ્કીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’- ગ્રંથ ૧ થી ૬ (અન્ય સાથે) એમનું અન્ય સંપાદન છે. \t\t -હર્ષવદન ત્રિવેદી \t\tશર્વિલક (૧૯૫૭) : રસિકલાલ છોટોલાલ પરીખનું નાટક. ‘દરિદ્રચારુદત્ત’ અને ‘મૃચ્છકટિક’ને આધારે ઘડાયેલું આ પાંચ અંકનું નાટક અનુવાદ નથી તેમ રૂપાંતર પણ નથી; પરંતુ મૂળ સંસ્કૃત નાટકોમાં જે ગૌણકથા તરીકે શર્વિલકની \t\tસાહસકથા અને ક્રાંતિકથા આવે છે તેને અહીં સ્વતંત્ર નાટ્યસ્વરૂપ આપવામાં આવ્યું છે અને નાયક તરીકે શર્વિલકની સ્થાપના કરવામાં આવી છે. શર્વિલક રાજ્યપરિવર્તન માટે ષડયંત્ર રચે છે એ ષડયંત્રનો પ્રારંભ તેમ જ વિકાસ આ \t\tનાટકમાં જોઈ શકાય છે. સંસ્કૃતશૈલીને ચુસ્તપણે અનુસરતું આ, એક રીતે જોઈએ તો સ્વતંત્ર નાટક છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tમેના ગુર્જરી (૧૯૭૭) : ૧૯૩૦ ના ‘પ્રસ્થાન’- માર્ચના અંકમા ‘એક કથા : પાંચ દ્રશ્યો’ એવી ઓળખે છપાયેલી રસિકલાલ છો. પરીખની સાહિત્યિક નાટ્યરચનાનો આ નવો વિકસિત ઘાટ છે. ‘મેના ગુર્જરી’ નો લોકગરબો આ નાટકની મૂળ \t\tપ્રેરણા છે. સાસુની વારી છતાં કુતૂહલથી બાદશાહની છાવણી જોવા ગયેલી મેના કેદ થાય છે; ગુર્જરનો શૌર્યથી છૂટી પાછી ફરેલી મેના સાસુ-નણંદના મહેણાના તિરસ્કારથી અંતે મહાકાળીમાં ભળી જાય છે-એવા કથાનકના નિર્માણમાં લેખકે \t\tકાવ્ય, નાટક, પાત્ર અને સંવાદની નિર્મિતિમાં કૌશલ દાખવ્યું છે અને તળપદા લોકનાટ્યને ઉપસાવ્યું છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "rasikalala-parikha",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/rasikalala-parikha",
"tags": null,
"created": "2024-02-03T20:39:16.394737",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
}
],
"description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
"image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}