HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept
{
"count": 17752,
"next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=916",
"previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=914",
"results": [
{
"id": 17354,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પન્ના નાયક",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>નાયક પન્ના ધીરજલાલ </h4>\n\t\t(૨૮-૧૨-૧૯૩૩) : કવિ. જન્મસ્થળ મુંબઈ, વતન સુરત. ૧૯૫૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૬માં એમ.એ. ૧૯૬૨માં અમેરિકાના ફિલાડેલ્ફીઆની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એલ.ની લાયબ્રેરી \n\t\tસાયન્સની ડિગ્રી અને ૧૯૭૨માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીઆ યુનિવર્સિટીમાંથી એમ.એસ. અત્યારે પેન્સિલવેનીઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તરીકે કામગીરી.\n\t\t<br/><br/>\n\t\t‘પ્રવેશ’ (૧૯૭૫), ‘ફિલાડેલ્ફીઆ’ (૧૯૮૦) અને ‘નિસ્બત’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. પરદેશમાં આધુનિક નગરસંસ્કૃતિ અને તેની સગવડો વચ્ચે જીવતી એક સ્ત્રીના મનોગતને પ્રગટ કરતી આ કવિતા છે. કોઈ સંઘર્ષ, \n\t\tવિસ્મય કે તાણ વગરના, ભૌતિક સુખસગવડથી ભરેલા એકવિધ જીવનમાં અનુભવાતાં સુસ્તી ને કંટાળો, એ વચ્ચે મૃતપ્રાયઃ બનતી ચેતના ને તેમાંથી જન્મતો વિષાદ-એ આ કાવ્યોના કેન્દ્રવર્તી ભાવ છે. આ ભાવથી બંધાયેલી કવિની દ્રષ્ટિ પોતાના દાંપત્યજીવનમા, \n\t\tપોતાની આસપાસના જીવનમાં એકલતાનો, પારાયાપણાનો, ઉષ્માવિહીનતાનો અનુભવ કરે છે. એ ઝંખે છે વતનને અને સ્નેહસભર જીવનને. સરળ તોપણ ભાવક્ષમ ભાષા આ કવિતાની લાક્ષણિકતા છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: નાયક પન્ના ધીરજલાલ \t\t(૨૮-૧૨-૧૯૩૩) : કવિ. જન્મસ્થળ મુંબઈ, વતન સુરત. ૧૯૫૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૬માં એમ.એ. ૧૯૬૨માં અમેરિકાના ફિલાડેલ્ફીઆની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એલ.ની લાયબ્રેરી \t\tસાયન્સની ડિગ્રી અને ૧૯૭૨માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીઆ યુનિવર્સિટીમાંથી એમ.એસ. અત્યારે પેન્સિલવેનીઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તરીકે કામગીરી. \t\t \t\t‘પ્રવેશ’ (૧૯૭૫), ‘ફિલાડેલ્ફીઆ’ (૧૯૮૦) અને ‘નિસ્બત’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. પરદેશમાં આધુનિક નગરસંસ્કૃતિ અને તેની સગવડો વચ્ચે જીવતી એક સ્ત્રીના મનોગતને પ્રગટ કરતી આ કવિતા છે. કોઈ સંઘર્ષ, \t\tવિસ્મય કે તાણ વગરના, ભૌતિક સુખસગવડથી ભરેલા એકવિધ જીવનમાં અનુભવાતાં સુસ્તી ને કંટાળો, એ વચ્ચે મૃતપ્રાયઃ બનતી ચેતના ને તેમાંથી જન્મતો વિષાદ-એ આ કાવ્યોના કેન્દ્રવર્તી ભાવ છે. આ ભાવથી બંધાયેલી કવિની દ્રષ્ટિ પોતાના દાંપત્યજીવનમા, \t\tપોતાની આસપાસના જીવનમાં એકલતાનો, પારાયાપણાનો, ઉષ્માવિહીનતાનો અનુભવ કરે છે. એ ઝંખે છે વતનને અને સ્નેહસભર જીવનને. સરળ તોપણ ભાવક્ષમ ભાષા આ કવિતાની લાક્ષણિકતા છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "panna-nayaka",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/panna-nayaka",
"tags": null,
"created": "2024-02-03T20:39:09.743752",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17355,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પીતાંબર પટેલ",
"bio": "<td>\n<br/><br/>\n<h4>પટેલ પીતાંબર નરસિંહભાઈ, ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’ </h4>\n\t\t(૧૦-૮-૧૯૧૮, ૨૪-૫-૧૯૭૭) : નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને \n\t\tપાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. ૧૯૩૬માં મૅટ્રિક. ૧૯૩૬-૧૯૪૦માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી બી.એ. ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. ૧૯૫૬થી આકાશવાણી, \t\n\t\tઅમદાવાદમાં. ભવાઈ-મંડળના પ્રણેતા. અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. ‘સંદેશ’ના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ‘આરામ’ વાર્તામાસિકના સંપાદક. ફિલ્મના નિર્માણમાં પણ સક્રિય.\n\t\t<br/><br/>\n\t\tગાંધીયુગના પ્રભાવ તળે લખતા થયેલા, પન્નાલાલ અને પેટલીકરના અનુગામી આ લેખક પ્રાદેશિક નવલકથાકાર છે. ‘રસિયો જીવ’ (૧૯૪૨), ‘પરિવર્તન’ (૧૯૪૪), ‘ઊગ્યું પ્રભાત’ (૧૯૫૦), ‘ખેતરને ખોળે’-ભા. ૧-૨ \t(૧૯૫૨), ‘તેજરેખા’ \n\t\t(૧૯૫૨), ‘આશાભરી’ (૧૯૫૪), ‘અંતરનાં અજવાળાં’ (૧૯૬૦), ‘ચિરંતન જ્યોત’ (૧૯૬૦), ‘ધરતીનાં અમી’ (૧૯૬૨), ‘કેવડિયાનો કાંટો’ (૧૯૬૫), ‘ધરતીનાં મોજાં’ (૧૯૬૬) વગેરે નવલકથાઓમાં એમણે ગુજરાતનું સમાજજીવનનું \n\t\tવાસ્તવિક છતાં માંગલ્યલક્ષી નિરૂપણ કર્યું છે. ઉત્તર ગુજરાતના સમાજને આલેખતી એમની પ્રાદેશિક નવલકથાઓમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણનો સંદેશ છે. ‘ખેતરને ખોળે’ એમની ઉત્તમ નવલકથા ગણાય છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે ‘વગડાનાં ફૂલ’ (૧૯૪૪), ‘મિલાપ’ (૧૯૫૦), ‘શ્રદ્ધાદીપ’ (૧૯૫૨), ‘કલ્પના’ (૧૯૫૪), ‘છૂટાછેડા’ (૧૯૫૫), ‘શમણાંની રાખ’ (૧૯૫૬), ‘સૌભાગ્યનો શણગાર’ (૧૯૬૩), ‘નીલ ગગનનાં પંખી’ (૧૯૬૪), ‘રૂડા \n\t\tસરોવરિયાની પાળ’ (૧૯૬૪), ‘સતનો દીવો’ (૧૯૬૫), ‘ઝૂલતા મિનારા’ (૧૯૬૬) વગેરે વાર્તાસંગ્રહો આપ્યા છે. આ વાર્તાઓમાં ગુજરાતી ગ્રામજીવન, સમાજજીવન, શહેરીજીવન ઉપરાંત ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો નિરૂપાયા છે.\n\t\t<br/><br/>\n\t\tએમનાં પ્રકીર્ણ પ્રકાશનોમાં ‘ભારતના નવા યાત્રાધામો’ નવી દ્રષ્ટિના પ્રવાસગ્રંથ તરીકે વિશિષ્ટ ભાત પાડે છે. એમણે ‘માણસાઈની વાતો’ અને ‘મંગલ વાતો’ જેવાં સંપાદનો પણ આપ્યાં છે.\n\t\t<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": " પટેલ પીતાંબર નરસિંહભાઈ, ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’ \t\t(૧૦-૮-૧૯૧૮, ૨૪-૫-૧૯૭૭) : નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને \t\tપાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. ૧૯૩૬માં મૅટ્રિક. ૧૯૩૬-૧૯૪૦માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી બી.એ. ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. ૧૯૫૬થી આકાશવાણી, \t \t\tઅમદાવાદમાં. ભવાઈ-મંડળના પ્રણેતા. અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. ‘સંદેશ’ના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ‘આરામ’ વાર્તામાસિકના સંપાદક. ફિલ્મના નિર્માણમાં પણ સક્રિય. \t\t \t\tગાંધીયુગના પ્રભાવ તળે લખતા થયેલા, પન્નાલાલ અને પેટલીકરના અનુગામી આ લેખક પ્રાદેશિક નવલકથાકાર છે. ‘રસિયો જીવ’ (૧૯૪૨), ‘પરિવર્તન’ (૧૯૪૪), ‘ઊગ્યું પ્રભાત’ (૧૯૫૦), ‘ખેતરને ખોળે’-ભા. ૧-૨ \t(૧૯૫૨), ‘તેજરેખા’ \t\t(૧૯૫૨), ‘આશાભરી’ (૧૯૫૪), ‘અંતરનાં અજવાળાં’ (૧૯૬૦), ‘ચિરંતન જ્યોત’ (૧૯૬૦), ‘ધરતીનાં અમી’ (૧૯૬૨), ‘કેવડિયાનો કાંટો’ (૧૯૬૫), ‘ધરતીનાં મોજાં’ (૧૯૬૬) વગેરે નવલકથાઓમાં એમણે ગુજરાતનું સમાજજીવનનું \t\tવાસ્તવિક છતાં માંગલ્યલક્ષી નિરૂપણ કર્યું છે. ઉત્તર ગુજરાતના સમાજને આલેખતી એમની પ્રાદેશિક નવલકથાઓમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણનો સંદેશ છે. ‘ખેતરને ખોળે’ એમની ઉત્તમ નવલકથા ગણાય છે. \t\t \t\tએમણે ‘વગડાનાં ફૂલ’ (૧૯૪૪), ‘મિલાપ’ (૧૯૫૦), ‘શ્રદ્ધાદીપ’ (૧૯૫૨), ‘કલ્પના’ (૧૯૫૪), ‘છૂટાછેડા’ (૧૯૫૫), ‘શમણાંની રાખ’ (૧૯૫૬), ‘સૌભાગ્યનો શણગાર’ (૧૯૬૩), ‘નીલ ગગનનાં પંખી’ (૧૯૬૪), ‘રૂડા \t\tસરોવરિયાની પાળ’ (૧૯૬૪), ‘સતનો દીવો’ (૧૯૬૫), ‘ઝૂલતા મિનારા’ (૧૯૬૬) વગેરે વાર્તાસંગ્રહો આપ્યા છે. આ વાર્તાઓમાં ગુજરાતી ગ્રામજીવન, સમાજજીવન, શહેરીજીવન ઉપરાંત ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો નિરૂપાયા છે. \t\t \t\tએમનાં પ્રકીર્ણ પ્રકાશનોમાં ‘ભારતના નવા યાત્રાધામો’ નવી દ્રષ્ટિના પ્રવાસગ્રંથ તરીકે વિશિષ્ટ ભાત પાડે છે. એમણે ‘માણસાઈની વાતો’ અને ‘મંગલ વાતો’ જેવાં સંપાદનો પણ આપ્યાં છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "pitambara-patela",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/pitambara-patela",
"tags": null,
"created": "2024-02-03T20:39:09.984730",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17356,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પ્રબોધ પંડિત",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પંડિત પ્રબોધ બેચરદાસ </h4>\n\t\t(૨૩-૬-૧૯૨૩, ૨૮-૧૧-૧૯૭૫) : ભાષાવિજ્ઞાની. જન્મ ભાવનગર જિલ્લાના વળા ગામે. પ્રાથમિક શિક્ષણ પ્રીતમનગર, અમદાવાદની મ્યુનિસિપલ શાળામાં તથા અમરેલીમાં. ૧૯૩૫માં ફરી અમદાવાદમાં નવચેતન માધ્યમિક શાળામાં પ્રવેશ. \n\t\t૧૯૩૯માં ત્યાંથી જ મૅટ્રિક ૧૯૪૨ની ચળવળ દરમિયાન જેલવાસ. ૧૯૪૩માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે બી.એ. ૧૯૪૬માં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી સંસ્કૃત મુખ્ય અને ભાષાવિજ્ઞાન ગૌણ વિષયમાં એમ.એ. ૧૯૪૯માં લંડનમાં સ્કૂલ ઑવ \n\t\tઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડૉ. રાલ્ફ ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. ત્યાં જ ઐતિહાસિક ભાષાશાસ્ત્ર ઉપરાંત ધ્વનિવિજ્ઞાનના અભ્યાસક્રમો કર્યા. ૧૯૫૦માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક. \n\t\t૧૯૫૫ થી ૧૯૫૬ સુધી અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં સિનિયર ફેલો. ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. ૧૯૬૪-૬૫માં પૂનાની ડેક્કન કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૬ થી ૧૯૭૫ સુધી દિલ્હી \n\t\tયુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. આ દરમિયાન ૧૯૬૭માં ગ્રીષ્મવર્ગ માટે મીશીગન, ૧૯૬૮ માં પરિસંવાદ માટે નાઈરોબી અને ૧૯૬૯ માં કૉર્નેલ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તેમ જ બર્કલી યુનિવર્સિટીમાં પૂર્ણ સમયના અધ્યાપક. ૧૯૬૭ નું સાહિત્ય \n\t\tઅકાદમી, દિલ્હીનું પારિતોષિક. ૧૯૭૩ નો રણજિતરામ સુવર્ણચંદ્રક.\n\t\t<br/><br/>\n\t\tગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર આ લેખકે પ્રાથમિક કક્ષાના ભાષાભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂક્યો છે અને મૂલગામી દ્રષ્ટિથી ભાષાવિજ્ઞાનક્ષેત્રે કેટલુંક સંગીન પ્રકારનું પ્રદાન કર્યું છે. વીસમી સદીમાં \n\t\tભાષાવિજ્ઞાનમાં જે ક્રાંતિકારી પરિવર્તનો થતાં રહ્યાં અને છેલ્લાં દાયકાઓમાં એની ક્ષિતિજો વિસ્તરતી રહી એ સર્વ આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથેનો ભાષાવિજ્ઞાનના આ અભ્યાસીનો સાવધ સંપર્ક અનુભવાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને પદ્ધતિથી \n\t\tલખાયેલા એમના લેખોનો ઘણો બધો ભાગ અગ્રંથસ્થ હોવા છતાં એમના પ્રકાશિત છ ગ્રંથો મૂલ્યવાન છે.\n\t\t<br/><br/>\n\t\t‘પ્રાકૃત ભાષા’ (૧૯૫૪) હિંદીમાં અપાયેલાં ત્રણ વ્યાખ્યાનોનો સંચય છે. ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬)માં ભાષાના સ્વરૂપ અને ઇતિહાસને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. અહીં પ્રસ્તુત થયેલું ગુજરાતીના \n\t\t‘મર્મર સ્વરો’ વિશેનું વિશ્લેષણ આ લેખકનું ભાષાવિજ્ઞાનક્ષેત્રે મૌલિક પ્રદાન છે. ભાષાના સાંકેતોથી માંડી છેક બોલીનું સ્વરૂપ અને બોલીઓના ક્રમિક વિભાજન સુધીના વિષયોને અહીં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતીમાં ભાષાવિજ્ઞાનક્ષેત્રે \n\t\tઆ પુસ્તક કીમતી છે. ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩)માં નવા વિચારો અને નવા પ્રવાહો આવતાં ભાષાસંશોધનનો જે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે તેને અનુલક્ષીને ઇતિહાસ, સમાજ તેમ જ માનવના ચિત્તતંત્રની વાગ્વિષયક \n\t\tક્ષમતા જેવાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા, ભાષાવિષયક પ્રશ્નો અહીં પ્રસ્તુત કર્યા છે. ‘ષડાવશ્યકબાલાવબોધવૃત્તિ’ (૧૯૭૬) એમનો શોધપ્રબંધ છે. ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ (૧૯૭૮)માં ચોમ્સ્કી તેમ જ ફિલમોરનાં મૉડેલોને અનુલક્ષીને એમણે \n\t\tસંરચનાવાદી અભિગમથી ગુજરાતી વ્યાકરણ અંગેના અભ્યાસ માટે નવી પદ્ધતિઓને અખત્યાર કરી છે. ‘પંચરંગી સમાજમાં ભાષા’ (૧૯૮૩) મૂળે એમના અંગ્રેજીમાં લખાયેલા ‘લૅન્ગ્વેજ ઇન એ પ્લુરલ સોસાયટીનો’ ગુજરાતી અનુવાદ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬) : ડૉ. પ્રબોધ પંડિતનો કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલો ગુજરાતી ભાષાવિચાર અંગેનો વૈજ્ઞાનિક ગ્રંથ. ‘ભાષાના સંકેતો’ નામના પહેલા પ્રકરણમાં લેખકે ભાષાના સ્વરૂપ અંગેની \n\t\tતાત્ત્વિક ચર્ચા કરી છે. લેખકના મતે ભાષાને ભાષા તરીકે જોવાની જ તેનું સ્વરૂપ સમજી શકાય. પ્રત્યેક ભાષાની અનંત ધ્વનિવ્યવસ્થામાંથી ભાષાવિજ્ઞાની જે તે ભાષાના મર્યાદિત ઘટકો જ એકઠા કરે છે. ભાષાના સંકેતો ધ્વનિઓના બનેલા \n\t\tછે, તેથી તે તપાસવા માટે ઉચ્ચારણપ્રક્રિયાની તપાસ જરૂરી બને છે. બીજા પ્રકરણમાં ‘ઉચ્ચારણપ્રક્રિયા’ શીર્ષક તળે ઉચ્ચારણકાર્યમાં કાર્યશીલ થતા અવયવો અને તેમનાં કાર્યોનું આકૃતિઓ સાથે વિગતે વર્ણન આપ્યું છે. ત્રીજા પ્રકરણ \t‘ધ્વનિઘટક’માં ધ્વનિઘટકના \n\t\tસંપ્રત્યયની તથા તે નિર્ધારિત કરવાની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે. ચોથા પ્રકરણમાં ગુજરાતી ભાષાના ધ્વનિતંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાષાના અનંત ધ્વનિઓમાંથી ભાષાવિજ્ઞાની ભાષાના ધ્વનિઘટકો કઈ રીતે તારવે છે તેની તપાસનો આ એક \n\t\tઉત્તમ નમૂનો છે.\n\t\t<br/><br/>\n\t\tપુસ્તકનાં પાંચથી આઠ સુધીનાં ચાર પ્રકરણો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની ચર્ચાનાં છે. પરિવર્તનની પ્રક્રિયા, ધ્વનિપરિવર્તન, સાદ્દશ્યમૂલક પરિવર્તન વગેરેની ચર્ચા જુદી જુદી ભાષાઓનાં ઉદાહરણો સાથે કરવામાં આવી છે. ‘ગુજરાતી \n\t\tસ્વરવ્યવસ્થાનું પરિવર્તન’ નામના આઠમા પ્રકરણમાં સંસ્કૃતકાળની સ્વરવ્યવસ્થાથી ગુજરાતી સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તેની વિશદ ચર્ચા થઈ છે. આ વ્યવસ્થા સમજાવવામાં લિપિની ભૂમિકા તેમ જ લહિયાઓની ભૂલો કેવી રીતે \n\t\tમદદરૂપ નીવડે છે અને આવી ઘટનાઓની સંગતિ માટે તર્કનિષ્ઠ વિચારસરણીની કેવી જરૂર પડે છે તેની પ્રતીતિ આ પ્રકરણ કરાવે છે. છેલ્લાં બે પ્રકરણો બોલીવિષયક ચર્ચાનાં છે. કોઈ પણ ભાષાસમુદાયમાં કાલગત પરિવર્તનની જેમ \n\t\tસ્થળગત પરિવર્તન હોય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે.\n\t\t<br/><br/>\n\t\tભાષા વિશેની ભાષા કેવી હોઈ શકે તેના ઉદાહરણરૂપ આ ગ્રંથ છે. ગુજરાતી ભાષાના ધ્વનિ સ્વરૂપની ચર્ચા કરેતો આ ગ્રંથ ગુજરાતી ભાષાના તદવિષયક સાહિત્યમાં એના વૈજ્ઞાનિક અભિગમને કારણે અત્યંત નોંધપાત્ર છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પંડિત પ્રબોધ બેચરદાસ \t\t(૨૩-૬-૧૯૨૩, ૨૮-૧૧-૧૯૭૫) : ભાષાવિજ્ઞાની. જન્મ ભાવનગર જિલ્લાના વળા ગામે. પ્રાથમિક શિક્ષણ પ્રીતમનગર, અમદાવાદની મ્યુનિસિપલ શાળામાં તથા અમરેલીમાં. ૧૯૩૫માં ફરી અમદાવાદમાં નવચેતન માધ્યમિક શાળામાં પ્રવેશ. \t\t૧૯૩૯માં ત્યાંથી જ મૅટ્રિક ૧૯૪૨ની ચળવળ દરમિયાન જેલવાસ. ૧૯૪૩માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે બી.એ. ૧૯૪૬માં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી સંસ્કૃત મુખ્ય અને ભાષાવિજ્ઞાન ગૌણ વિષયમાં એમ.એ. ૧૯૪૯માં લંડનમાં સ્કૂલ ઑવ \t\tઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડૉ. રાલ્ફ ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. ત્યાં જ ઐતિહાસિક ભાષાશાસ્ત્ર ઉપરાંત ધ્વનિવિજ્ઞાનના અભ્યાસક્રમો કર્યા. ૧૯૫૦માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક. \t\t૧૯૫૫ થી ૧૯૫૬ સુધી અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં સિનિયર ફેલો. ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. ૧૯૬૪-૬૫માં પૂનાની ડેક્કન કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૬ થી ૧૯૭૫ સુધી દિલ્હી \t\tયુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. આ દરમિયાન ૧૯૬૭માં ગ્રીષ્મવર્ગ માટે મીશીગન, ૧૯૬૮ માં પરિસંવાદ માટે નાઈરોબી અને ૧૯૬૯ માં કૉર્નેલ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તેમ જ બર્કલી યુનિવર્સિટીમાં પૂર્ણ સમયના અધ્યાપક. ૧૯૬૭ નું સાહિત્ય \t\tઅકાદમી, દિલ્હીનું પારિતોષિક. ૧૯૭૩ નો રણજિતરામ સુવર્ણચંદ્રક. \t\t \t\tગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર આ લેખકે પ્રાથમિક કક્ષાના ભાષાભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂક્યો છે અને મૂલગામી દ્રષ્ટિથી ભાષાવિજ્ઞાનક્ષેત્રે કેટલુંક સંગીન પ્રકારનું પ્રદાન કર્યું છે. વીસમી સદીમાં \t\tભાષાવિજ્ઞાનમાં જે ક્રાંતિકારી પરિવર્તનો થતાં રહ્યાં અને છેલ્લાં દાયકાઓમાં એની ક્ષિતિજો વિસ્તરતી રહી એ સર્વ આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથેનો ભાષાવિજ્ઞાનના આ અભ્યાસીનો સાવધ સંપર્ક અનુભવાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને પદ્ધતિથી \t\tલખાયેલા એમના લેખોનો ઘણો બધો ભાગ અગ્રંથસ્થ હોવા છતાં એમના પ્રકાશિત છ ગ્રંથો મૂલ્યવાન છે. \t\t \t\t‘પ્રાકૃત ભાષા’ (૧૯૫૪) હિંદીમાં અપાયેલાં ત્રણ વ્યાખ્યાનોનો સંચય છે. ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬)માં ભાષાના સ્વરૂપ અને ઇતિહાસને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. અહીં પ્રસ્તુત થયેલું ગુજરાતીના \t\t‘મર્મર સ્વરો’ વિશેનું વિશ્લેષણ આ લેખકનું ભાષાવિજ્ઞાનક્ષેત્રે મૌલિક પ્રદાન છે. ભાષાના સાંકેતોથી માંડી છેક બોલીનું સ્વરૂપ અને બોલીઓના ક્રમિક વિભાજન સુધીના વિષયોને અહીં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતીમાં ભાષાવિજ્ઞાનક્ષેત્રે \t\tઆ પુસ્તક કીમતી છે. ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩)માં નવા વિચારો અને નવા પ્રવાહો આવતાં ભાષાસંશોધનનો જે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે તેને અનુલક્ષીને ઇતિહાસ, સમાજ તેમ જ માનવના ચિત્તતંત્રની વાગ્વિષયક \t\tક્ષમતા જેવાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા, ભાષાવિષયક પ્રશ્નો અહીં પ્રસ્તુત કર્યા છે. ‘ષડાવશ્યકબાલાવબોધવૃત્તિ’ (૧૯૭૬) એમનો શોધપ્રબંધ છે. ‘વ્યાકરણ : અર્થ અને આકાર’ (૧૯૭૮)માં ચોમ્સ્કી તેમ જ ફિલમોરનાં મૉડેલોને અનુલક્ષીને એમણે \t\tસંરચનાવાદી અભિગમથી ગુજરાતી વ્યાકરણ અંગેના અભ્યાસ માટે નવી પદ્ધતિઓને અખત્યાર કરી છે. ‘પંચરંગી સમાજમાં ભાષા’ (૧૯૮૩) મૂળે એમના અંગ્રેજીમાં લખાયેલા ‘લૅન્ગ્વેજ ઇન એ પ્લુરલ સોસાયટીનો’ ગુજરાતી અનુવાદ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬) : ડૉ. પ્રબોધ પંડિતનો કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલો ગુજરાતી ભાષાવિચાર અંગેનો વૈજ્ઞાનિક ગ્રંથ. ‘ભાષાના સંકેતો’ નામના પહેલા પ્રકરણમાં લેખકે ભાષાના સ્વરૂપ અંગેની \t\tતાત્ત્વિક ચર્ચા કરી છે. લેખકના મતે ભાષાને ભાષા તરીકે જોવાની જ તેનું સ્વરૂપ સમજી શકાય. પ્રત્યેક ભાષાની અનંત ધ્વનિવ્યવસ્થામાંથી ભાષાવિજ્ઞાની જે તે ભાષાના મર્યાદિત ઘટકો જ એકઠા કરે છે. ભાષાના સંકેતો ધ્વનિઓના બનેલા \t\tછે, તેથી તે તપાસવા માટે ઉચ્ચારણપ્રક્રિયાની તપાસ જરૂરી બને છે. બીજા પ્રકરણમાં ‘ઉચ્ચારણપ્રક્રિયા’ શીર્ષક તળે ઉચ્ચારણકાર્યમાં કાર્યશીલ થતા અવયવો અને તેમનાં કાર્યોનું આકૃતિઓ સાથે વિગતે વર્ણન આપ્યું છે. ત્રીજા પ્રકરણ \t‘ધ્વનિઘટક’માં ધ્વનિઘટકના \t\tસંપ્રત્યયની તથા તે નિર્ધારિત કરવાની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે. ચોથા પ્રકરણમાં ગુજરાતી ભાષાના ધ્વનિતંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાષાના અનંત ધ્વનિઓમાંથી ભાષાવિજ્ઞાની ભાષાના ધ્વનિઘટકો કઈ રીતે તારવે છે તેની તપાસનો આ એક \t\tઉત્તમ નમૂનો છે. \t\t \t\tપુસ્તકનાં પાંચથી આઠ સુધીનાં ચાર પ્રકરણો ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની ચર્ચાનાં છે. પરિવર્તનની પ્રક્રિયા, ધ્વનિપરિવર્તન, સાદ્દશ્યમૂલક પરિવર્તન વગેરેની ચર્ચા જુદી જુદી ભાષાઓનાં ઉદાહરણો સાથે કરવામાં આવી છે. ‘ગુજરાતી \t\tસ્વરવ્યવસ્થાનું પરિવર્તન’ નામના આઠમા પ્રકરણમાં સંસ્કૃતકાળની સ્વરવ્યવસ્થાથી ગુજરાતી સ્વરવ્યવસ્થા કઈ રીતે જુદી પડે છે તેની વિશદ ચર્ચા થઈ છે. આ વ્યવસ્થા સમજાવવામાં લિપિની ભૂમિકા તેમ જ લહિયાઓની ભૂલો કેવી રીતે \t\tમદદરૂપ નીવડે છે અને આવી ઘટનાઓની સંગતિ માટે તર્કનિષ્ઠ વિચારસરણીની કેવી જરૂર પડે છે તેની પ્રતીતિ આ પ્રકરણ કરાવે છે. છેલ્લાં બે પ્રકરણો બોલીવિષયક ચર્ચાનાં છે. કોઈ પણ ભાષાસમુદાયમાં કાલગત પરિવર્તનની જેમ \t\tસ્થળગત પરિવર્તન હોય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે. \t\t \t\tભાષા વિશેની ભાષા કેવી હોઈ શકે તેના ઉદાહરણરૂપ આ ગ્રંથ છે. ગુજરાતી ભાષાના ધ્વનિ સ્વરૂપની ચર્ચા કરેતો આ ગ્રંથ ગુજરાતી ભાષાના તદવિષયક સાહિત્યમાં એના વૈજ્ઞાનિક અભિગમને કારણે અત્યંત નોંધપાત્ર છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "prabodha-pandita",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/prabodha-pandita",
"tags": null,
"created": "2024-02-03T20:39:10.233615",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17357,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પ્રફુલ્લ દવે",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દવે પ્રફુલ્લ નંદશંકર, ‘ઈવા ડેવ’ </h4>\n\t\t(૫-૩-૧૯૩૧) : વાર્તાકાર, નવલકથાકાર. જન્મસ્થળ વડોદરા. વતન નડિયાદ (જિ.ખેડા). પ્રાથમિક-માધ્યમિક કેળવણી નડિયાદમાં. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૫૭માં \n\t\tઅમેરિકા જઈ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમ.એ. ઈન ઍજ્યુકેશન. ૧૯૬૩માં એ જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૨-૫૬ દરમિયાન વલ્લભવિદ્યાનગરની શાળામાં શિક્ષક. ૧૯૫૫માં અલીણાની શાળામાં આચાર્ય. ૧૯૬૦-૬૨ દરમિયાન \n\t\tવૉશિંગ્ટન યુનિવર્સિટીમાં રિસર્ચ આસિસ્ટંટ. ૧૯૬૩માં અમેરિકાની સેન્ટ લૂઈસ મેન્ટલ હૉસ્પિટલમાં રિસર્ચ ઍસોસિયેટ. ૧૯૬૪-૭૨ દરમિયાન ભારતની મૈસુર રિજિયોનલ કૉલેજ ઑફ ઍજ્યુકેશનમાં રીડર ને ૧૯૭૨-૭૪ દરમિયાન પ્રોફેસર. \n\t\t૧૯૭૪-૭૭ દરમિયાન અજમેર રિજિયોનલ કૉલેજ ઑફ ઍજ્યુકેશનમાં કાર્યવાહક આચાર્ય. ૧૯૭૭-૭૯ દરમિયાન એન.સી.ઈ.આર.ટી., દિલ્હીમાં અધ્યાપક.\n\t\t<br/><br/>\n\t\t‘આગંતુક’ (૧૯૬૯), ‘તરંગિણીનું સ્વપ્ન’ (૧૯૭૧) અને ‘તહોમતદાર’ (૧૯૮૦) સંગ્રહોની વાર્તાઓએ એમને ગુજરાતીના ધ્યાનપાત્ર આધુનિક વાર્તાકારોમાં સ્થાન અપાવ્યું છે. એક જ ઘટનાનો આશ્રય, ‘હું’ પાત્રની રીતિથી વાર્તાકથન અને \n\t\tચોટદાર વળાંકથી વાર્તાનો અંત એ એમની વાર્તાઓની મુખ્ય લાક્ષણિકતાઓ છે. વિજાતીય આકર્ષણ અને કુટુંબજીવનની વ્યક્તિઓ સાથેના સંબંધમાંથી જન્મતી વિભિન્ન પરિસ્થિતિઓ વિશેષતઃ એમની વાર્તાઓના વિષય બને છે. ‘ચોન્ટી’, \n\t\t‘તમને તો ગમીને ?’, ‘તરંગિણીનું સ્વપ્ન’ ઇત્યાદિ એમની ધ્યાનપાત્ર વાર્તાઓ છે.\n\t\t<br/><br/>\n\t\t‘ઈસુને ચરણેઃ પ્રેયસી’ (૧૯૭૦)માં પ્રણયજીવનની વિલક્ષણ પરિસ્થિતિઓને આલેખતી બે લઘુનવલો છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\n\t\tઆગન્તુક (૧૯૬૯) : ઈવા ડેવની પચ્ચીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. ચીલેચલુ કરતાં જુદી પડતી અને ઘટના સાથે કામ પાડી ઘટનાનો વિશેષ રીતે ઉપયોગ કરતી આ વાર્તાઓ રહસ્યવળાંકો અને ભાષાની માવજતને કારણે જુદી પડે છે. ઘણી વાર્તાઓ વિદેશી \n\t\tવાતાવરણમાં મુકાયેલી છે. વળી, પાત્રસહજ ભાષાને ઉપસાવવામાં અને ખાસ તો બાળકના દ્રષ્ટિકોણથી લખાયેલી ‘ચોન્ટી’, ‘મારી બા’, જેવી વાર્તાઓમાં બાળકની મનોદશા અને એની અભિવ્યક્તિમાં પ્રમાણભૂતતા પ્રવેશેલી છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દવે પ્રફુલ્લ નંદશંકર, ‘ઈવા ડેવ’ \t\t(૫-૩-૧૯૩૧) : વાર્તાકાર, નવલકથાકાર. જન્મસ્થળ વડોદરા. વતન નડિયાદ (જિ.ખેડા). પ્રાથમિક-માધ્યમિક કેળવણી નડિયાદમાં. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩માં બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૫૭માં \t\tઅમેરિકા જઈ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમ.એ. ઈન ઍજ્યુકેશન. ૧૯૬૩માં એ જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૨-૫૬ દરમિયાન વલ્લભવિદ્યાનગરની શાળામાં શિક્ષક. ૧૯૫૫માં અલીણાની શાળામાં આચાર્ય. ૧૯૬૦-૬૨ દરમિયાન \t\tવૉશિંગ્ટન યુનિવર્સિટીમાં રિસર્ચ આસિસ્ટંટ. ૧૯૬૩માં અમેરિકાની સેન્ટ લૂઈસ મેન્ટલ હૉસ્પિટલમાં રિસર્ચ ઍસોસિયેટ. ૧૯૬૪-૭૨ દરમિયાન ભારતની મૈસુર રિજિયોનલ કૉલેજ ઑફ ઍજ્યુકેશનમાં રીડર ને ૧૯૭૨-૭૪ દરમિયાન પ્રોફેસર. \t\t૧૯૭૪-૭૭ દરમિયાન અજમેર રિજિયોનલ કૉલેજ ઑફ ઍજ્યુકેશનમાં કાર્યવાહક આચાર્ય. ૧૯૭૭-૭૯ દરમિયાન એન.સી.ઈ.આર.ટી., દિલ્હીમાં અધ્યાપક. \t\t \t\t‘આગંતુક’ (૧૯૬૯), ‘તરંગિણીનું સ્વપ્ન’ (૧૯૭૧) અને ‘તહોમતદાર’ (૧૯૮૦) સંગ્રહોની વાર્તાઓએ એમને ગુજરાતીના ધ્યાનપાત્ર આધુનિક વાર્તાકારોમાં સ્થાન અપાવ્યું છે. એક જ ઘટનાનો આશ્રય, ‘હું’ પાત્રની રીતિથી વાર્તાકથન અને \t\tચોટદાર વળાંકથી વાર્તાનો અંત એ એમની વાર્તાઓની મુખ્ય લાક્ષણિકતાઓ છે. વિજાતીય આકર્ષણ અને કુટુંબજીવનની વ્યક્તિઓ સાથેના સંબંધમાંથી જન્મતી વિભિન્ન પરિસ્થિતિઓ વિશેષતઃ એમની વાર્તાઓના વિષય બને છે. ‘ચોન્ટી’, \t\t‘તમને તો ગમીને ?’, ‘તરંગિણીનું સ્વપ્ન’ ઇત્યાદિ એમની ધ્યાનપાત્ર વાર્તાઓ છે. \t\t \t\t‘ઈસુને ચરણેઃ પ્રેયસી’ (૧૯૭૦)માં પ્રણયજીવનની વિલક્ષણ પરિસ્થિતિઓને આલેખતી બે લઘુનવલો છે. \t\t -જયંત ગાડીત \t\tઆગન્તુક (૧૯૬૯) : ઈવા ડેવની પચ્ચીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. ચીલેચલુ કરતાં જુદી પડતી અને ઘટના સાથે કામ પાડી ઘટનાનો વિશેષ રીતે ઉપયોગ કરતી આ વાર્તાઓ રહસ્યવળાંકો અને ભાષાની માવજતને કારણે જુદી પડે છે. ઘણી વાર્તાઓ વિદેશી \t\tવાતાવરણમાં મુકાયેલી છે. વળી, પાત્રસહજ ભાષાને ઉપસાવવામાં અને ખાસ તો બાળકના દ્રષ્ટિકોણથી લખાયેલી ‘ચોન્ટી’, ‘મારી બા’, જેવી વાર્તાઓમાં બાળકની મનોદશા અને એની અભિવ્યક્તિમાં પ્રમાણભૂતતા પ્રવેશેલી છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "praphulla-dave",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/praphulla-dave",
"tags": null,
"created": "2024-02-03T20:39:10.514130",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17358,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પ્રહલાદ પારેખ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પારેખ પ્રહલાદ જેઠાલાલ </h4>\n\t\t(૧૨-૧૦-૧૯૧૨, ૨-૧-૧૯૬૨) : કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. શિક્ષણ દરમિયાન સંસ્થાના દ્રષ્ટિસંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને આચાર્ય હરભાઈ ત્રિવેદીની અસર નીચે સાંસ્કારિક ઘડતરનો પાયો. \n\t\t૧૯૩૦માં આઝાદીની ચળવળમાં જોડાવા અભ્યાસત્યાગ અને જેલવાસ. એ પછી પુનઃઅભ્યાસ દક્ષિણામૂર્તિની વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ, પછી અભ્યાસાર્થે ગૂજરાતવિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૩૩માં ‘શાંતિનિકેતન’ જઈ ચાર વર્ષ અભ્યાસ. ત્યાં રવીન્દ્રનાથના \n\t\tસાંનિધ્યે એમના કાવ્યસર્જનને પ્રેર્યું. ૧૯૩૭માં વિલેપારલેની પ્યુપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક. બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫ થી છેવટ સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક.\n\t\t<br/><br/> \n\t\tએમના કાવ્યસંગ્રહ ‘બારીબહાર’ (૧૯૪૦)માં ગાંધીયુગની સાહિત્યધારાથી જુદી પડતી નવીન કાવ્યધારા વહે છે. એમની કવિતાનું મુખ્ય લક્ષણ છે: બહિર્મુખી રાષ્ટ્રચેતના કે સામાજચેતનાને સ્થાને કવિતામાં પ્રસ્થાપિત થયેલી સૌંદર્યચેતના. \n\t\t‘સરવાણી’ (૧૯૪૮)નાં કાવ્યો પણ ‘બારીબહાર’ની બીજી આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યાં છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રેમ એ એમની કવિતાના મુખ્ય વિષયો છે. એમની કવિ તરીકેની સિદ્ધિમાં ગીતોનો ફાળો વિશેષ છે. એમનાં ગીતોમાં \n\t\tધ્યાનાકર્ષક છે લયસમૃદ્ધિ અને ભાવની ઇન્દ્રિયગ્રાહ્ય રજૂઆત. એમની સમગ્ર કવિતાનું બીજું મુખ્ય લક્ષણ છે સૌંદર્યાભિમુખતા.\n\t\t<br/><br/> \n\t\tકરુણમંગલ ગદ્યકથા ‘ગુલાબ અને શિવલી’ (૧૯૩૮)માં એમણે ભાઈબહેનના શૈશવજીવનનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મિસીસ લૉરા ઇન્ગોલ્સ બાઇલ્ડરની ગદ્યકથાનો કવિએ ‘રૂપેરી સરોવરને કિનારે’ (૧૯૬૨) નામે, તો સ્ટિફન ઝ્વાઈગની \n\t\tનવલકથાનો ‘અજાણીનું અંતર’ નામે અનુવાદો પ્રગટ કર્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) એમની પરિચયપુસ્તિકા છે. ‘રાજકુમારની શોધમાં’ અને ‘કરુણાનો સ્વયંવર’ નામેક દીર્ઘ બાળવાર્તાઓ તથા ‘તનમનિયાં’ નામક બાળકાવ્યોનો સંગ્રહ \n\t\tઅદ્યાપિ અપ્રગટ છે. \n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/> \n\t\tબારી બહાર (૧૯૪૦) : પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ ગાંધીયુગોત્તર કવિતાને માટે સૌંદર્યાભિમુખતાની દિશા ખોલનારો છે. આથી ડહોળાણ પછીનાં ‘નીતરાં નીર’ એમાં જોવાયાં છે. વળી, તત્કાલીન પરિસ્થિતિ અને યુગચેતનાનું \n\t\tપ્રતિબિંબ જેટલાં મહત્વનાં નથી એટલાં માનવહૃદયના છટકણા ભાવો અને ભાવોનાં તીવ્ર ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદનો અહીં મહત્વનાં છે. રચનાઓ મધુર, સુરેખ અને સંવેદ્ય છે. કવિની સૌરભપ્રીતિ અજોડ છે. ‘બનાવટી ફૂલોને’ અને ‘આજ’ એમનાં \n\t\tપ્રસિદ્ધ કાવ્યો છે. વૃત્તબદ્ધ કાવ્યો તથા સૉનેટ સ્વરૂપમાં તેઓ સફળ રહ્યા છે, છતાં એમનાં ગીતોનો લયહિલ્લોળ એમની વિશેષ સિદ્ધિ છે. લાંબા કાવ્યો-કથાકાવ્યોમાં એમને ઝાઝી ફાવટ નથી. ઉમાશંકરે એમની કવિતાની ‘આંખ, કાન અને \n\t\tનાકની કવિતા’ તરીકે સાચી ઓળખ આપી છે. ૧૯૬૦ની બીજી સંવર્ધિત આવૃત્તિમાં કેટલાંક વધુ કાવ્યોનું ઉમેરણ થયું છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પારેખ પ્રહલાદ જેઠાલાલ \t\t(૧૨-૧૦-૧૯૧૨, ૨-૧-૧૯૬૨) : કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. શિક્ષણ દરમિયાન સંસ્થાના દ્રષ્ટિસંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને આચાર્ય હરભાઈ ત્રિવેદીની અસર નીચે સાંસ્કારિક ઘડતરનો પાયો. \t\t૧૯૩૦માં આઝાદીની ચળવળમાં જોડાવા અભ્યાસત્યાગ અને જેલવાસ. એ પછી પુનઃઅભ્યાસ દક્ષિણામૂર્તિની વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ, પછી અભ્યાસાર્થે ગૂજરાતવિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૩૩માં ‘શાંતિનિકેતન’ જઈ ચાર વર્ષ અભ્યાસ. ત્યાં રવીન્દ્રનાથના \t\tસાંનિધ્યે એમના કાવ્યસર્જનને પ્રેર્યું. ૧૯૩૭માં વિલેપારલેની પ્યુપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક. બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫ થી છેવટ સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક. \t\t \t\tએમના કાવ્યસંગ્રહ ‘બારીબહાર’ (૧૯૪૦)માં ગાંધીયુગની સાહિત્યધારાથી જુદી પડતી નવીન કાવ્યધારા વહે છે. એમની કવિતાનું મુખ્ય લક્ષણ છે: બહિર્મુખી રાષ્ટ્રચેતના કે સામાજચેતનાને સ્થાને કવિતામાં પ્રસ્થાપિત થયેલી સૌંદર્યચેતના. \t\t‘સરવાણી’ (૧૯૪૮)નાં કાવ્યો પણ ‘બારીબહાર’ની બીજી આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યાં છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રેમ એ એમની કવિતાના મુખ્ય વિષયો છે. એમની કવિ તરીકેની સિદ્ધિમાં ગીતોનો ફાળો વિશેષ છે. એમનાં ગીતોમાં \t\tધ્યાનાકર્ષક છે લયસમૃદ્ધિ અને ભાવની ઇન્દ્રિયગ્રાહ્ય રજૂઆત. એમની સમગ્ર કવિતાનું બીજું મુખ્ય લક્ષણ છે સૌંદર્યાભિમુખતા. \t\t \t\tકરુણમંગલ ગદ્યકથા ‘ગુલાબ અને શિવલી’ (૧૯૩૮)માં એમણે ભાઈબહેનના શૈશવજીવનનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મિસીસ લૉરા ઇન્ગોલ્સ બાઇલ્ડરની ગદ્યકથાનો કવિએ ‘રૂપેરી સરોવરને કિનારે’ (૧૯૬૨) નામે, તો સ્ટિફન ઝ્વાઈગની \t\tનવલકથાનો ‘અજાણીનું અંતર’ નામે અનુવાદો પ્રગટ કર્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) એમની પરિચયપુસ્તિકા છે. ‘રાજકુમારની શોધમાં’ અને ‘કરુણાનો સ્વયંવર’ નામેક દીર્ઘ બાળવાર્તાઓ તથા ‘તનમનિયાં’ નામક બાળકાવ્યોનો સંગ્રહ \t\tઅદ્યાપિ અપ્રગટ છે. \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ \t\tબારી બહાર (૧૯૪૦) : પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ ગાંધીયુગોત્તર કવિતાને માટે સૌંદર્યાભિમુખતાની દિશા ખોલનારો છે. આથી ડહોળાણ પછીનાં ‘નીતરાં નીર’ એમાં જોવાયાં છે. વળી, તત્કાલીન પરિસ્થિતિ અને યુગચેતનાનું \t\tપ્રતિબિંબ જેટલાં મહત્વનાં નથી એટલાં માનવહૃદયના છટકણા ભાવો અને ભાવોનાં તીવ્ર ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદનો અહીં મહત્વનાં છે. રચનાઓ મધુર, સુરેખ અને સંવેદ્ય છે. કવિની સૌરભપ્રીતિ અજોડ છે. ‘બનાવટી ફૂલોને’ અને ‘આજ’ એમનાં \t\tપ્રસિદ્ધ કાવ્યો છે. વૃત્તબદ્ધ કાવ્યો તથા સૉનેટ સ્વરૂપમાં તેઓ સફળ રહ્યા છે, છતાં એમનાં ગીતોનો લયહિલ્લોળ એમની વિશેષ સિદ્ધિ છે. લાંબા કાવ્યો-કથાકાવ્યોમાં એમને ઝાઝી ફાવટ નથી. ઉમાશંકરે એમની કવિતાની ‘આંખ, કાન અને \t\tનાકની કવિતા’ તરીકે સાચી ઓળખ આપી છે. ૧૯૬૦ની બીજી સંવર્ધિત આવૃત્તિમાં કેટલાંક વધુ કાવ્યોનું ઉમેરણ થયું છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "prahalada-parekha",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/prahalada-parekha",
"tags": null,
"created": "2024-02-03T20:39:10.744692",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17359,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પ્રજારામ રાવળ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>રાવળ પ્રજારામ નરોત્તમ</h4>\n\t\t(૩-૫-૧૯૧૭) : કવિ, અનુવાદક. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. મૅટ્રિક થઈ ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક. ૧૯૫૪ થી ૧૯૭૨ \n\t\tસુધી ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને એ પછી ૧૯૭૫ સુધી આચાર્ય. વ્યવસાયે વૈદ.\n\t\t<br/><br/> \n\t\tએમનું કાવ્યસર્જન શરૂ થયું ગાંધીયુગના કવિઓની સાથે. ગોવિંદસ્વામી સાથે પ્રગટ કરેલી ‘મહાયુદ્ધ’ (૧૯૪૦) નામની ત્રણ કાવ્યોને સમાવતી પુસ્તિકામાં ‘આગામી મહાયુદ્ધ’ કાવ્ય એમણે રચેલું છે. વિશ્વયુદ્ધની \n\t\tભયંકરતાના નિર્દેશ સાથે વિશ્વપ્રેમની ઝંખના એમાં પ્રગટ થઈ છે. એમનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ ‘પદ્મા’ (૧૯૫૬) ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબત સૂચક છે, કારણ કે સૉનેટનું સ્વરૂપ કે વિશ્વપ્રેમની ભાવનાને બાદ કરતાં \n\t\tગાંધીયુગની કવિતાનો પ્રભાવ એમની કવિતા પર નહિવત્ છે. એમના બીજા બે કાવ્યસંગ્રહો ‘નાન્દી’ (૧૯૬૩) અને ‘નૈવેદ્ય’ (૧૯૮૦) દર્શાવે છે કે અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે; અને \n\t\tતેથી એમની મોટા ભાગની કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ-અનુભવ વિશેની છે. વિવિધ ઋતુઓ અને પ્રકૃતિનાં વિવિધ દ્રશ્યોને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિકાવ્યો રચ્યાં છે; તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી \n\t\tમાતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યક્ત કરી છે. ગીત, સૉનેટ અને છંદોબદ્ધ રચનાઓ કવિએ કરી છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગીતમાં છે. ‘ઝાલાવાડી ધરતી’ વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું \n\t\tધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે.\n\t\t<br/><br/> \n ‘પરબ્રહ્મ’ (૧૯૬૬)માં શ્રી અરવિંદનાં કાવ્યો અનૂદિત છે; તો ‘રઘુવંશ’ (૧૯૮૫) એમનો કાલિદાસના મહાકાવ્યનો સમશ્લોકી અનુવાદ છે. ‘પ્રતિપદા’ (૧૯૪૮) એ એમનો ગોવિંદસ્વામીનાં કાવ્યોનો સહસંપાદનનો ગ્રંથ \n\t\tછે. ‘બુદ્ધિનો બાદશાહ’ (૧૯૬૮) અને ‘આયુર્વેદનું અમૃત’ એમના અન્ય ગ્રંથો છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-જયંત ગાડીત</p>\n\t\tપદ્મા (૧૯૫૬) : પ્રજારામ રાવળનો કાવ્યસંગ્રહ. કુલ ૧૨૧ રચનાઓમાં કેટલાંક ગીતો છે, તો કેટલાંક છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને લઘુકાવ્યો છે. મુખ્યત્વે ઊર્ધ્વ ચેતનાનો કવિનો અભિગ્રહ સર્વત્ર જોવાય છે; તેમ છતાં પ્રકૃતિ \n\t\tઅને ખાસ તો ઋતુઓને વર્ણવતી રચનાઓ સંગ્રહનું આકર્ષણ છે. એમાંય, ‘ઝાલાવાડી ધરતી’ એમના વતનની ભૂમિને હૂબહૂ કરતી નખશિખ ગીતરચના છે. સંસ્કૃતના સંસ્કારવાળી છતાં સુગમ અને સુશ્લિષ્ટ પદાવલિ નોંધપાત્ર છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: રાવળ પ્રજારામ નરોત્તમ \t\t(૩-૫-૧૯૧૭) : કવિ, અનુવાદક. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. મૅટ્રિક થઈ ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક. ૧૯૫૪ થી ૧૯૭૨ \t\tસુધી ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને એ પછી ૧૯૭૫ સુધી આચાર્ય. વ્યવસાયે વૈદ. \t\t \t\tએમનું કાવ્યસર્જન શરૂ થયું ગાંધીયુગના કવિઓની સાથે. ગોવિંદસ્વામી સાથે પ્રગટ કરેલી ‘મહાયુદ્ધ’ (૧૯૪૦) નામની ત્રણ કાવ્યોને સમાવતી પુસ્તિકામાં ‘આગામી મહાયુદ્ધ’ કાવ્ય એમણે રચેલું છે. વિશ્વયુદ્ધની \t\tભયંકરતાના નિર્દેશ સાથે વિશ્વપ્રેમની ઝંખના એમાં પ્રગટ થઈ છે. એમનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ ‘પદ્મા’ (૧૯૫૬) ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબત સૂચક છે, કારણ કે સૉનેટનું સ્વરૂપ કે વિશ્વપ્રેમની ભાવનાને બાદ કરતાં \t\tગાંધીયુગની કવિતાનો પ્રભાવ એમની કવિતા પર નહિવત્ છે. એમના બીજા બે કાવ્યસંગ્રહો ‘નાન્દી’ (૧૯૬૩) અને ‘નૈવેદ્ય’ (૧૯૮૦) દર્શાવે છે કે અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે; અને \t\tતેથી એમની મોટા ભાગની કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ-અનુભવ વિશેની છે. વિવિધ ઋતુઓ અને પ્રકૃતિનાં વિવિધ દ્રશ્યોને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિકાવ્યો રચ્યાં છે; તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી \t\tમાતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યક્ત કરી છે. ગીત, સૉનેટ અને છંદોબદ્ધ રચનાઓ કવિએ કરી છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગીતમાં છે. ‘ઝાલાવાડી ધરતી’ વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું \t\tધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે. \t\t ‘પરબ્રહ્મ’ (૧૯૬૬)માં શ્રી અરવિંદનાં કાવ્યો અનૂદિત છે; તો ‘રઘુવંશ’ (૧૯૮૫) એમનો કાલિદાસના મહાકાવ્યનો સમશ્લોકી અનુવાદ છે. ‘પ્રતિપદા’ (૧૯૪૮) એ એમનો ગોવિંદસ્વામીનાં કાવ્યોનો સહસંપાદનનો ગ્રંથ \t\tછે. ‘બુદ્ધિનો બાદશાહ’ (૧૯૬૮) અને ‘આયુર્વેદનું અમૃત’ એમના અન્ય ગ્રંથો છે. \t\t -જયંત ગાડીત \t\tપદ્મા (૧૯૫૬) : પ્રજારામ રાવળનો કાવ્યસંગ્રહ. કુલ ૧૨૧ રચનાઓમાં કેટલાંક ગીતો છે, તો કેટલાંક છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને લઘુકાવ્યો છે. મુખ્યત્વે ઊર્ધ્વ ચેતનાનો કવિનો અભિગ્રહ સર્વત્ર જોવાય છે; તેમ છતાં પ્રકૃતિ \t\tઅને ખાસ તો ઋતુઓને વર્ણવતી રચનાઓ સંગ્રહનું આકર્ષણ છે. એમાંય, ‘ઝાલાવાડી ધરતી’ એમના વતનની ભૂમિને હૂબહૂ કરતી નખશિખ ગીતરચના છે. સંસ્કૃતના સંસ્કારવાળી છતાં સુગમ અને સુશ્લિષ્ટ પદાવલિ નોંધપાત્ર છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "prajarama-ravala",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/prajarama-ravala",
"tags": null,
"created": "2024-02-03T20:39:11.105236",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17360,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પ્રમોદકુમાર પટેલ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પટેલ પ્રમોદકુમાર ભગુભાઈ </h4>\n\t\t(૨૦-૯-૧૯૩૩) : વિવેચક. જન્મ ખારા-અબ્રાહ્મા (જિ. વલસાડ)માં. વતન મોટી કરોડ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખારા-અબ્રાહ્મામાં. ૧૯૫૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે \n\t\tબી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૯માં ‘ગુજરાતીમાં કાવ્યતત્વવિચાર : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દીવેટીયા અને મણિલાલ દ્વિવેદીના કાવ્યવિચારનું સમીક્ષાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. \n\t\tઅત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન.\n\t\t<br/><br/>\n\t\t‘રસસિદ્ધાંત-એક પરિચય’ (૧૯૮૦), ‘પન્નાલાલ પટેલ’ (૧૯૮૪) અને ‘ગુજરાતીમાં વિવેચન તત્વવિચાર’ (૧૯૮૫) એમના સળંગ પ્રકરણબદ્ધ ગ્રંથો છે. પહેલા ગ્રંથમાં ભારતીય કાવ્યશાસ્ત્રમાં એક મહત્વના સિદ્ધાંતનું તેની \n\t\tપરિભાષા તેમ જ પરંપરા સાથેનું નિરૂપણ છે; બીજા ગ્રંથમાં પન્નાલાલનું વ્યક્તિત્વ, તેમના પર પ્રભાવ પાડનારાં અને તેમનું ઘડતર કરનારાં પરિબળો, તેમની સર્જકતાનો વિકાસ, તેમના સમગ્ર સાહિત્યના ગુણદોષ, તેમની \n\t\tસર્જનપ્રક્રિયા, તેમનું સાહિત્ય-ઇતિહાસમાં સ્થાન અને પ્રદાન-એ મુદ્દાઓની છણાવટ છે; તો ત્રીજામાં ગુજરાતી વિવેચનસાહિત્યમાં આરંભકાળથી આધુનિક કાળ સુધીમાં થયેલી તાત્વિક પ્રશ્નવિચારણાનો આલેખ છે.\n\t\t<br/><br/>\n\t\tવિવેચનસંગ્રહો પૈકી ‘વિભાવના’ (૧૯૭૭)માં સર્જનાત્મક સાહિત્ય અને વિવેચનની અદ્યતન વિભાવના અને વલણો તેમ જ ગુજરાતી વિવેચનની સામ્પ્રત સ્થિતિ વિશે વિમર્શ કરતા લેખો ઉપરાંત આપણે ત્યાં થયેલી \n\t\tકાવ્યતત્વવિચારણાનો સ્વાધ્યાય છે; ‘શબ્દલોક’ (૧૯૭૮)માં સિદ્ધાંતચર્ચા, આધુનિક ગુજરાતી કવિતા અને નવલિકા વિશેના અને એ નિમિત્તે એ સ્વરૂપોની બદલાયેલી વિભાવનાને સ્પષ્ટ કરતા લેખો છે; ‘સંકેતવિસ્તાર’ \n\t\t(૧૯૮૦)માં કાવ્ય અને વિવેચનને લગતી તાત્ત્વિક ચર્ચા તથા જુદા જુદા સમયગાળાના વિભિન્ન દ્રષ્ટિબિંદુ ધરાવતા ગુજરાતી વિવેચકોની પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે; ‘કથાવિવેચન પ્રતિ’ (૧૯૮૨)માં નવલકથા અને ટૂંકીવાર્તાની \n\t\tસ્વરૂપચર્ચા તથા મુનશી, ધૂમકેતુ, મડિયા, જયંત ખત્રીના સાહિત્યનું, ‘મળેલા જીવ’ અને ‘ઉપરવાસ’- ત્રયીનું તથા કેટલીક પ્રયોગશીલ વાર્તાઓનું કૃતિનિષ્ઠ વિવેચન છે; તો ‘અનુભાવન’ (૧૯૮૪)માં કલ્પન-પ્રતીકને લગતી \n\t\tતાત્ત્વિક વિચારણા, આધુનિક ગુજરાતી કવિતાની ભાષા, આકૃતિ, રચનાવિધાનની દ્રષ્ટિએ તપાસ તેમ જ કેટલાક મહત્વના કવિઓની જુદાં જુદાં દ્રષ્ટિબિંદુથી થયેલી વિવેચના છે.\n\t\t‘પરિશેષ’ (૧૯૭૮), ‘ગદ્યસંચય’-૧ (૧૯૮૨), ‘શેષવિશેષ-૮૪’ (૧૯૮૬) વગેરે એમનાં સંપાદનો-સહસંપાદનો છે. \n\t\t<p align=\"right\">-ધીરેન્દ્ર મહેતા</p>\n<br/><br/>\n\t\tવિભાવના (૧૯૭૭) : પ્રમોદકુમાર પટેલના વિવેચનલેખોનો સંગ્રહ. એમાં વિસ્તૃત આઠ અભ્યાસપૂર્ણ અને એક અનૂદિત એમ કુલ નવ લખાણો સમાવ્યાં છે. મુખ્યત્વે સિદ્ધાંતચર્ચાના આ લેખોમાં સાહિત્યશાસ્ત્ર અને સૌન્દર્યશાસ્ત્રના પાયાના પ્રશ્નોને સમજવાનો અને \n\t\tતપાસવાનો ગંભીર ઉપક્રમ છે. કોઈ આગ્રહ કે અભિનિવેશ વગરની આ વિવેચકની વિશ્લેષણમૂલક અને વિસ્તારમૂલક પદ્ધતિ નોંધપાત્ર છે. ‘સુરેશ જોશીની કળાવિચારણા’ આ ગ્રંથનો મહત્વનો લેખ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પટેલ પ્રમોદકુમાર ભગુભાઈ \t\t(૨૦-૯-૧૯૩૩) : વિવેચક. જન્મ ખારા-અબ્રાહ્મા (જિ. વલસાડ)માં. વતન મોટી કરોડ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખારા-અબ્રાહ્મામાં. ૧૯૫૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે \t\tબી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૯માં ‘ગુજરાતીમાં કાવ્યતત્વવિચાર : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દીવેટીયા અને મણિલાલ દ્વિવેદીના કાવ્યવિચારનું સમીક્ષાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. \t\tઅત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન. \t\t \t\t‘રસસિદ્ધાંત-એક પરિચય’ (૧૯૮૦), ‘પન્નાલાલ પટેલ’ (૧૯૮૪) અને ‘ગુજરાતીમાં વિવેચન તત્વવિચાર’ (૧૯૮૫) એમના સળંગ પ્રકરણબદ્ધ ગ્રંથો છે. પહેલા ગ્રંથમાં ભારતીય કાવ્યશાસ્ત્રમાં એક મહત્વના સિદ્ધાંતનું તેની \t\tપરિભાષા તેમ જ પરંપરા સાથેનું નિરૂપણ છે; બીજા ગ્રંથમાં પન્નાલાલનું વ્યક્તિત્વ, તેમના પર પ્રભાવ પાડનારાં અને તેમનું ઘડતર કરનારાં પરિબળો, તેમની સર્જકતાનો વિકાસ, તેમના સમગ્ર સાહિત્યના ગુણદોષ, તેમની \t\tસર્જનપ્રક્રિયા, તેમનું સાહિત્ય-ઇતિહાસમાં સ્થાન અને પ્રદાન-એ મુદ્દાઓની છણાવટ છે; તો ત્રીજામાં ગુજરાતી વિવેચનસાહિત્યમાં આરંભકાળથી આધુનિક કાળ સુધીમાં થયેલી તાત્વિક પ્રશ્નવિચારણાનો આલેખ છે. \t\t \t\tવિવેચનસંગ્રહો પૈકી ‘વિભાવના’ (૧૯૭૭)માં સર્જનાત્મક સાહિત્ય અને વિવેચનની અદ્યતન વિભાવના અને વલણો તેમ જ ગુજરાતી વિવેચનની સામ્પ્રત સ્થિતિ વિશે વિમર્શ કરતા લેખો ઉપરાંત આપણે ત્યાં થયેલી \t\tકાવ્યતત્વવિચારણાનો સ્વાધ્યાય છે; ‘શબ્દલોક’ (૧૯૭૮)માં સિદ્ધાંતચર્ચા, આધુનિક ગુજરાતી કવિતા અને નવલિકા વિશેના અને એ નિમિત્તે એ સ્વરૂપોની બદલાયેલી વિભાવનાને સ્પષ્ટ કરતા લેખો છે; ‘સંકેતવિસ્તાર’ \t\t(૧૯૮૦)માં કાવ્ય અને વિવેચનને લગતી તાત્ત્વિક ચર્ચા તથા જુદા જુદા સમયગાળાના વિભિન્ન દ્રષ્ટિબિંદુ ધરાવતા ગુજરાતી વિવેચકોની પ્રવૃત્તિનું મૂલ્યાંકન છે; ‘કથાવિવેચન પ્રતિ’ (૧૯૮૨)માં નવલકથા અને ટૂંકીવાર્તાની \t\tસ્વરૂપચર્ચા તથા મુનશી, ધૂમકેતુ, મડિયા, જયંત ખત્રીના સાહિત્યનું, ‘મળેલા જીવ’ અને ‘ઉપરવાસ’- ત્રયીનું તથા કેટલીક પ્રયોગશીલ વાર્તાઓનું કૃતિનિષ્ઠ વિવેચન છે; તો ‘અનુભાવન’ (૧૯૮૪)માં કલ્પન-પ્રતીકને લગતી \t\tતાત્ત્વિક વિચારણા, આધુનિક ગુજરાતી કવિતાની ભાષા, આકૃતિ, રચનાવિધાનની દ્રષ્ટિએ તપાસ તેમ જ કેટલાક મહત્વના કવિઓની જુદાં જુદાં દ્રષ્ટિબિંદુથી થયેલી વિવેચના છે. \t\t‘પરિશેષ’ (૧૯૭૮), ‘ગદ્યસંચય’-૧ (૧૯૮૨), ‘શેષવિશેષ-૮૪’ (૧૯૮૬) વગેરે એમનાં સંપાદનો-સહસંપાદનો છે. \t\t -ધીરેન્દ્ર મહેતા \t\tવિભાવના (૧૯૭૭) : પ્રમોદકુમાર પટેલના વિવેચનલેખોનો સંગ્રહ. એમાં વિસ્તૃત આઠ અભ્યાસપૂર્ણ અને એક અનૂદિત એમ કુલ નવ લખાણો સમાવ્યાં છે. મુખ્યત્વે સિદ્ધાંતચર્ચાના આ લેખોમાં સાહિત્યશાસ્ત્ર અને સૌન્દર્યશાસ્ત્રના પાયાના પ્રશ્નોને સમજવાનો અને \t\tતપાસવાનો ગંભીર ઉપક્રમ છે. કોઈ આગ્રહ કે અભિનિવેશ વગરની આ વિવેચકની વિશ્લેષણમૂલક અને વિસ્તારમૂલક પદ્ધતિ નોંધપાત્ર છે. ‘સુરેશ જોશીની કળાવિચારણા’ આ ગ્રંથનો મહત્વનો લેખ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "pramodakumara-patela",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/pramodakumara-patela",
"tags": null,
"created": "2024-02-03T20:39:11.441207",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17361,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પ્રવીણ દરજી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દરજી પ્રવીણ શનિલાલ </h4>\n\t\t(૨૩-૮-૧૯૪૪) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલમાં. ૧૯૬૧ માં એસ.એસ.સી. ૧૯૬૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. \n\t\t૧૯૭૩માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી મોડાસા કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી લુણાવાડા કૉલેજમાં અધ્યાપક.\n\t\t<br/><br/>\n\t\t‘ચીસ’ (૧૯૭૩) અને ‘ઉત્સેધ’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. ‘અડખેપડખે’ (૧૯૮૨)માં લઘુ ચિંતનાત્મક નિબંધો અને ‘લીલા પર્ણ’ (૧૯૮૪) માં લલિતનિબંધો સંચિત છે.\n\t\t<br/><br/>\n\t\t‘સ્પંદ’ (૧૯૭૬), ‘ચર્વણા’ (૧૯૭૬), ‘દયારામ’ (૧૯૭૮), ‘પ્રત્યગ્ર’ (૧૯૭૮), ‘પશ્ચાત્’ (૧૯૮૨), ‘નવલકથા સ્વરૂપ’ (૧૯૮૬), ‘લલિત નિબંધ’ (૧૯૮૬) એમના વિવેચનસંગ્રહો છે. ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ (૧૯૭૫) એ \n\t\tએમનો શોધપ્રબંધ છે. ‘ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ’ (૧૯૮૪) એમનું સંપાદન છે; જયારે ‘શબ્દશ્રી’ (૧૯૮૦) તથા ‘ગદ્યસંચય’- ૨ (૧૯૮૨) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. \n\t\t<p align=\"right\">-હર્ષવદન ત્રિવેદી</p>\n<br/><br/>\n\t\tનિબંધ : સ્વરૂપ અને વિકાસ (૧૯૭૫) : પ્રવિણ દરજીનો મહાનિબંધ. નિબંધના લલિત અને લલિતતેતર એવા ઉભય પ્રકારોમાં ગત સવાસો વર્ષ દરમિયાન થયેલ સ્વરૂપબંધારણ અને ખેડાણની અહીં વ્યાપક તપાસ થઈ \n\t\tછે. વળી, વિષયની સ્વરૂપચર્ચા તથા અન્ય સાહિત્યસ્વરૂપો સાથેના નિબંધના પારસ્પરિક સંબંધની ચર્ચા પછી ગુજરાતી નિબંધને જાગૃતિકાળ, પંડિતયુગ, ગાંધીયુગ અને આધુનિકયુગ જેવા વિવિધ યુગ-તબક્કાઓમાં વિભાજિત \n\t\tકરીને તેની સર્વગ્રાહી સમીક્ષા પણ અપાઈ છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દરજી પ્રવીણ શનિલાલ \t\t(૨૩-૮-૧૯૪૪) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલમાં. ૧૯૬૧ માં એસ.એસ.સી. ૧૯૬૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. \t\t૧૯૭૩માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી મોડાસા કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી લુણાવાડા કૉલેજમાં અધ્યાપક. \t\t \t\t‘ચીસ’ (૧૯૭૩) અને ‘ઉત્સેધ’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. ‘અડખેપડખે’ (૧૯૮૨)માં લઘુ ચિંતનાત્મક નિબંધો અને ‘લીલા પર્ણ’ (૧૯૮૪) માં લલિતનિબંધો સંચિત છે. \t\t \t\t‘સ્પંદ’ (૧૯૭૬), ‘ચર્વણા’ (૧૯૭૬), ‘દયારામ’ (૧૯૭૮), ‘પ્રત્યગ્ર’ (૧૯૭૮), ‘પશ્ચાત્’ (૧૯૮૨), ‘નવલકથા સ્વરૂપ’ (૧૯૮૬), ‘લલિત નિબંધ’ (૧૯૮૬) એમના વિવેચનસંગ્રહો છે. ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ (૧૯૭૫) એ \t\tએમનો શોધપ્રબંધ છે. ‘ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ’ (૧૯૮૪) એમનું સંપાદન છે; જયારે ‘શબ્દશ્રી’ (૧૯૮૦) તથા ‘ગદ્યસંચય’- ૨ (૧૯૮૨) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. \t\t -હર્ષવદન ત્રિવેદી \t\tનિબંધ : સ્વરૂપ અને વિકાસ (૧૯૭૫) : પ્રવિણ દરજીનો મહાનિબંધ. નિબંધના લલિત અને લલિતતેતર એવા ઉભય પ્રકારોમાં ગત સવાસો વર્ષ દરમિયાન થયેલ સ્વરૂપબંધારણ અને ખેડાણની અહીં વ્યાપક તપાસ થઈ \t\tછે. વળી, વિષયની સ્વરૂપચર્ચા તથા અન્ય સાહિત્યસ્વરૂપો સાથેના નિબંધના પારસ્પરિક સંબંધની ચર્ચા પછી ગુજરાતી નિબંધને જાગૃતિકાળ, પંડિતયુગ, ગાંધીયુગ અને આધુનિકયુગ જેવા વિવિધ યુગ-તબક્કાઓમાં વિભાજિત \t\tકરીને તેની સર્વગ્રાહી સમીક્ષા પણ અપાઈ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "pravina-daraji",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/pravina-daraji",
"tags": null,
"created": "2024-02-03T20:39:11.661221",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17362,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પ્રિયકાંત મણિયાર",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ</h4>\r\n\t\t(૨૪-૧-૧૯૨૭, ૨૫-૬-૧૯૭૬) : કવિ. જન્મ વિરમગામમાં. વતન અમરેલી. નવ ધોરણ સુધીનો અભ્યાસ. પોતાના જાતિગત વ્યવસાયની સાથોસાથ કાવ્યલેખન. કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ૧૯૭૨-૭૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. અમદાવાદમાં અવસાન.\t\t\r\n\t\t<br/><br/>\r\n\t\t‘કુમાર’ની બુધસભામાં મકરન્દ-નિરંજન આદિ કવિમિત્રોના સંપર્કે એમની કાવ્યભાવના કેળવાઈ અને કાવ્યસંગ્રહ ‘પ્રતીક’ (૧૯૫૩) પ્રગટ થયો. એમાં વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાકર્ષક છે, તેમ માત્રામેળ છંદોનું અભ્યસ્ત સ્વરૂપ \r\n\t\tકથયિતવ્યને અનુરૂપ ખીલવવાની ફાવટ પણ અસાધારણ છે. મત્તયૌવનોર્મિનો છાક એમનાં લયમધુર ગીતોમાં તરવરે છે, તો ઊર્મિરસિત વિચારરમણા એમની કૃતિઓનું મુખ્ય લક્ષણ બની રહે છે. ‘પ્રતીક’નું બળકટ અંગ છે માનવવાદથી \r\n\t\tઅનુપ્રાણિત થયેલી યથાર્થલક્ષી રચનાઓ. ‘એક ગાય’ આનું ઉત્તમ ઉદાહરણ છે. સોળ રચનાઓ ધરાવતો સંગ્રહ ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯) કાવ્યબાની અને કાવ્યવિષયની દ્રષ્ટિએ સર્વથા નવીન છે. ‘પ્રતીક’ની જેમ ‘અશબ્દ રાત્રિ’માં પણ \r\n\t\tકવિની ઉત્કટ સંવેદનશક્તિ અને વિલક્ષણ કલ્પનકળાનો ઉત્તમ સમન્વય થયેલો જોવા મળે છે. ‘સ્પર્શ’ (૧૯૬૬)માં સંગૃહીત રચનાઓમાં અડધા ઉપરાંતની સંખ્યા ગીતોની છે. ‘ઉચાટ’, ‘સાંજ સમાનો દીપ’ ઉપરાંત વ્રજભૂમિની કૃષ્ણવ્યાપી \r\n\t\tભાવલીલા પ્રકટ કરતાં ગીતોમાં કાવ્યત્વની પરાકાષ્ઠા જોવાય છે. એમાંની છંદોબદ્ધ રચનાઓ પણ સરસ છે. ‘ક્યાં?’ અને ‘નદીકાંઠે હાથ’ વિલક્ષણ કૃતિઓ છે. ‘સમીપ’ (૧૯૭૨)માં વૃત્તબદ્ધ રચનાઓ જૂજ છે અને અહીં ગદ્યકાવ્યો પહેલીવાર \r\n\t\tઆવે છે. કવિના અમેરિકાપ્રવાસના ફલરૂપ કાવ્યોનો સંગ્રહ ‘પ્રબલ ગતિ’ (૧૯૭૪) મુખ્યત્વે ગદ્યકાવ્યોનો સંગ્રહ છે. ‘એ લોકો’ ઉત્તમ ગદ્યકાવ્ય છે. સામાજિક વિષમતાઓને લક્ષ્ય કરતો પ્રબળ લાગણીપ્રસ્ફોટ અહીં છે. ‘વ્યોમલિપિ’ અને \r\n\t\t‘લીલેરો ઢાળ’ એમનાં મરણોત્તર પ્રકાશનો (૧૯૭૯) છે. આધુનિક મનુષ્યનાં સંકુલ સંવેદનો ‘વ્યોમલિપિ’નાં કાવ્યોમાં ગૂંથાયાં છે, તો ‘લીલેરો ઢાળ’ સાદ્યંત લયમધુર ગીતરચનાઓથી સમૃદ્ધ છે. \r\n\t\t<p align=\"right\">-નલિન રાવળ</p>\n<br/><br/>\r\n\t\tપ્રતીક (૧૯૫૩) : પ્રિયકાન્ત મણિયારની ૧૯૪૮ થી ૧૯૫૩ સુધીમાં રચાયેલી પાંસઠ જેટલી રચનાઓને સમાવતો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં બાવીસ જેટલાં ગીતો છે. રચનાઓના નૈસર્ગિક આવિષ્કારમાં અપૂર્વ તાજગી, પ્રતીકાત્મક લાઘવ \r\n\t\tઅને મુગ્ધકર વ્યંજકતા છે. વિસ્મય અને વિષાદના ભાવનિરૂપણ સાથે વિવિધ છંદોનું પ્રાધાન્ય અને સુઘડ રચનાવિધાન છે. પ્રશ્નાર્થચિહ્નો ને આશ્ચર્યચિહ્નો સાર્થક ઉપયોગ પણ છે. અહીં રાધાકેન્દ્રી ગીતોના ઊર્મિવિસ્ફોટમાં નવાં ભાવપ્રતીકો છે. \r\n\t\t‘કંચૂકીબંધ છૂટયા ને’ અને ‘ખીલા’ જેવી છાંદસ રચનાઓ તેમ જ ‘કૃષ્ણરાધા’ અને ‘શ્રાવણની સાંજનો તડકો’ જેવી ગીતરચનાઓ અત્યંત લોકપ્રિય નીવડી છે. \r\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\r\n\t\tસ્પર્શ (૧૯૬૬) : પ્રિયકાન્ત મણિયારનો બ્યાસી રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. એમાં ત્રીસ ગીતો છે. કવિની શરૂ શરૂની રચનાઓમાં સ્વાભાવિકતા અને સાહજિકતાને સ્થાને પ્રમાણમાં આયાસ વધુ છે. કાવ્યપ્રતીકો ક્યારેક \r\n\t\tકલ્પન-કોટિની કક્ષાએ રહી જાય છે, ક્યારેક શબ્દ-સંયોજનો તરડાયેલાં જોવાય છે, અને વિષયનો સમન્વય ઓછો સધાયો છે; તેમ છતાં કવિના અવાજનું નોખાપણું અળપાયું નથી. આ કારણે ‘સંયોગ’, ‘ક્યાં?’, ‘સમયનું સોનું’, ‘ફૂલનો \r\n\t\tપવન લોચન મારે વાયો’ જેવી માતબર રચનાઓ આ સંગ્રહમાં સાંપડી છે. \r\n\t\t\r\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ \r \t\t(૨૪-૧-૧૯૨૭, ૨૫-૬-૧૯૭૬) : કવિ. જન્મ વિરમગામમાં. વતન અમરેલી. નવ ધોરણ સુધીનો અભ્યાસ. પોતાના જાતિગત વ્યવસાયની સાથોસાથ કાવ્યલેખન. કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ૧૯૭૨-૭૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. અમદાવાદમાં અવસાન.\t\t\r \t\t \r \t\t‘કુમાર’ની બુધસભામાં મકરન્દ-નિરંજન આદિ કવિમિત્રોના સંપર્કે એમની કાવ્યભાવના કેળવાઈ અને કાવ્યસંગ્રહ ‘પ્રતીક’ (૧૯૫૩) પ્રગટ થયો. એમાં વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાકર્ષક છે, તેમ માત્રામેળ છંદોનું અભ્યસ્ત સ્વરૂપ \r \t\tકથયિતવ્યને અનુરૂપ ખીલવવાની ફાવટ પણ અસાધારણ છે. મત્તયૌવનોર્મિનો છાક એમનાં લયમધુર ગીતોમાં તરવરે છે, તો ઊર્મિરસિત વિચારરમણા એમની કૃતિઓનું મુખ્ય લક્ષણ બની રહે છે. ‘પ્રતીક’નું બળકટ અંગ છે માનવવાદથી \r \t\tઅનુપ્રાણિત થયેલી યથાર્થલક્ષી રચનાઓ. ‘એક ગાય’ આનું ઉત્તમ ઉદાહરણ છે. સોળ રચનાઓ ધરાવતો સંગ્રહ ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯) કાવ્યબાની અને કાવ્યવિષયની દ્રષ્ટિએ સર્વથા નવીન છે. ‘પ્રતીક’ની જેમ ‘અશબ્દ રાત્રિ’માં પણ \r \t\tકવિની ઉત્કટ સંવેદનશક્તિ અને વિલક્ષણ કલ્પનકળાનો ઉત્તમ સમન્વય થયેલો જોવા મળે છે. ‘સ્પર્શ’ (૧૯૬૬)માં સંગૃહીત રચનાઓમાં અડધા ઉપરાંતની સંખ્યા ગીતોની છે. ‘ઉચાટ’, ‘સાંજ સમાનો દીપ’ ઉપરાંત વ્રજભૂમિની કૃષ્ણવ્યાપી \r \t\tભાવલીલા પ્રકટ કરતાં ગીતોમાં કાવ્યત્વની પરાકાષ્ઠા જોવાય છે. એમાંની છંદોબદ્ધ રચનાઓ પણ સરસ છે. ‘ક્યાં?’ અને ‘નદીકાંઠે હાથ’ વિલક્ષણ કૃતિઓ છે. ‘સમીપ’ (૧૯૭૨)માં વૃત્તબદ્ધ રચનાઓ જૂજ છે અને અહીં ગદ્યકાવ્યો પહેલીવાર \r \t\tઆવે છે. કવિના અમેરિકાપ્રવાસના ફલરૂપ કાવ્યોનો સંગ્રહ ‘પ્રબલ ગતિ’ (૧૯૭૪) મુખ્યત્વે ગદ્યકાવ્યોનો સંગ્રહ છે. ‘એ લોકો’ ઉત્તમ ગદ્યકાવ્ય છે. સામાજિક વિષમતાઓને લક્ષ્ય કરતો પ્રબળ લાગણીપ્રસ્ફોટ અહીં છે. ‘વ્યોમલિપિ’ અને \r \t\t‘લીલેરો ઢાળ’ એમનાં મરણોત્તર પ્રકાશનો (૧૯૭૯) છે. આધુનિક મનુષ્યનાં સંકુલ સંવેદનો ‘વ્યોમલિપિ’નાં કાવ્યોમાં ગૂંથાયાં છે, તો ‘લીલેરો ઢાળ’ સાદ્યંત લયમધુર ગીતરચનાઓથી સમૃદ્ધ છે. \r \t\t -નલિન રાવળ \r \t\tપ્રતીક (૧૯૫૩) : પ્રિયકાન્ત મણિયારની ૧૯૪૮ થી ૧૯૫૩ સુધીમાં રચાયેલી પાંસઠ જેટલી રચનાઓને સમાવતો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં બાવીસ જેટલાં ગીતો છે. રચનાઓના નૈસર્ગિક આવિષ્કારમાં અપૂર્વ તાજગી, પ્રતીકાત્મક લાઘવ \r \t\tઅને મુગ્ધકર વ્યંજકતા છે. વિસ્મય અને વિષાદના ભાવનિરૂપણ સાથે વિવિધ છંદોનું પ્રાધાન્ય અને સુઘડ રચનાવિધાન છે. પ્રશ્નાર્થચિહ્નો ને આશ્ચર્યચિહ્નો સાર્થક ઉપયોગ પણ છે. અહીં રાધાકેન્દ્રી ગીતોના ઊર્મિવિસ્ફોટમાં નવાં ભાવપ્રતીકો છે. \r \t\t‘કંચૂકીબંધ છૂટયા ને’ અને ‘ખીલા’ જેવી છાંદસ રચનાઓ તેમ જ ‘કૃષ્ણરાધા’ અને ‘શ્રાવણની સાંજનો તડકો’ જેવી ગીતરચનાઓ અત્યંત લોકપ્રિય નીવડી છે. \r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \r \t\tસ્પર્શ (૧૯૬૬) : પ્રિયકાન્ત મણિયારનો બ્યાસી રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. એમાં ત્રીસ ગીતો છે. કવિની શરૂ શરૂની રચનાઓમાં સ્વાભાવિકતા અને સાહજિકતાને સ્થાને પ્રમાણમાં આયાસ વધુ છે. કાવ્યપ્રતીકો ક્યારેક \r \t\tકલ્પન-કોટિની કક્ષાએ રહી જાય છે, ક્યારેક શબ્દ-સંયોજનો તરડાયેલાં જોવાય છે, અને વિષયનો સમન્વય ઓછો સધાયો છે; તેમ છતાં કવિના અવાજનું નોખાપણું અળપાયું નથી. આ કારણે ‘સંયોગ’, ‘ક્યાં?’, ‘સમયનું સોનું’, ‘ફૂલનો \r \t\tપવન લોચન મારે વાયો’ જેવી માતબર રચનાઓ આ સંગ્રહમાં સાંપડી છે. \r \t\t\r આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "priyakanta-maniyara",
"DOB": "1976-06-25",
"DateOfDemise": "1927-01-26",
"location": null,
"url": "/sootradhar/priyakanta-maniyara",
"tags": "",
"created": "2024-02-03T20:39:11.891037",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17363,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "પૂજાલાલ દલવાડી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દલવાડી પૂજાલાલ રણછોડદાસ </h4>\n\t\t(૧૭-૬-૧૯૦૧, ૨૭-૧૨-૧૯૮૫) : કવિ. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં. વતન ખેડા જિલ્લાનું નાપા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા અને નડિયાદમાં. ૧૯૧૮માં મૅટ્રિક. ઈન્ટર સુધી જઈ \n\t\tઅભ્યાસ છોડી દીધો. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર. ૧૯૨૩માં એકાદ \n\t\tવર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક. ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ.\n\t\t<br/><br/>\n\t\tઆધ્યાત્મિક પ્રકૃતિને લીધે સ્વદેશપ્રેમ અને કવચિત્ કુટુંબપ્રેમને બાદ કરતાં વિષય પરત્વે ગાંધીયુગના અન્ય કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પહેલેથી એમની કવિતામાં નથી, પરંતુ અભિવ્યક્તિ પરત્વે તે બ. ક. ઠાકોરની કવિતાનો \n\t\tપ્રભાવ ઝીલે છે; એટલે એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પારિજાત’ (૧૯૩૮)માં અધ્યાત્મભાવ સૉનેટના સ્વરૂપમાં સંસ્કૃતાઢય શૈલીમાં ઝિલાયો છે. પોંડિચેરીનિવાસ દરમિયાન એમની કવિતા ગીતો અને દુહા-સોરઠા તરફ વિશેષ વળે છે તથા \n\t\tઅક્ષરમેળ છંદોને છોડી માત્રામેળ છંદો અને સરળ ભાષાનો વધુ આશ્રય લે છે તોપણ પ્રારંભકાળની કવિતાની દીપ્તિ ફરી એમની કવિતા બતાવી શકી નહીં. ‘પ્રભાતગીત’ (૧૯૪૭), ‘શ્રી અરવિંદ વંદના’ (૧૯૫૧), ‘શ્રી અરવિંદ મહાપ્રભુ’ \n\t\t(૧૯૭૨) અને ‘સાવિત્રી પ્રશસ્તિ’ (૧૯૭૬)માં અરવિંદપ્રશસ્તિનાં કાવ્યો છે. ‘જપમાળા’ (૧૯૪૫), ‘ઊર્મિમાળા’ (૧૯૪૫), ‘ગીતિકા’ (૧૯૪૫), ‘શુભાક્ષરી’ (૧૯૪૬), ‘આરાધિકા’ (૧૯૪૮) અને ‘મા ભગવતી’ (૧૯૭૪) નાં કાવ્યોને એકત્ર કરી પ્રગટ \n\t\tથયેલા ‘મહાભગવતી’ (૧૯૭૭) સંગ્રહમાં શ્રી માતાજીની પ્રશસ્તિનાં મુક્તકો અને ગીતો છે.\n\t\t<br/><br/>\n\t\t‘બાલગુંજાર’ (૧૯૪૫), ‘કાવ્યકિશોરી’ (૧૯૪૬), ‘ગીતગુંજરી’ (૧૯૫૨), ‘બાલબંસરી’ (૧૯૬૦) અને એ ચારેને એકત્ર કરી પ્રગટ કરેલ ‘બાલગુર્જરી’ (૧૯૮૦)માં તેમ જ ‘કિશોરકાવ્યો’ (૧૯૭૯), ‘કિશોરકુંજ’ (૧૯૭૯), ‘કિશોરકાનન’ \n\t\t(૧૯૭૯) અને ‘કિશોરકેસરી’ (૧૯૭૯)માં બાળકો અને કિશોરો માટેનાં ગીતો છે. ‘પાંચજન્ય’ (૧૯૫૭)માં વીરસનાં ગીતો છે. ‘મુક્તાવલી’ (૧૯૭૮), ‘શુક્તિકા’ (૧૯૭૯) અને ‘દુહરાવલી’ (૧૯૮૦)માં અધ્યાત્મ અને વીરભાવનાં મુક્તકો છે. \n\t\t‘ગુર્જરી’ (૧૯૫૯) એ સૉનેટસંગ્રહ છે. ‘વૈજ્યન્તિ’ (૧૯૬૨), ‘અપરાજિતા’ (૧૯૭૯), ‘કાવ્યકેતુ’ (૧૯૭૯), ‘સોપાનિકા’ (૧૯૮૦), ‘શતાવરી’ (૧૯૮૦), ‘દુઃખગાથા’ (૧૯૮૩) વગેરેમાં અધ્યાત્મભાવ, પ્રાંતપ્રેમ અને રાષ્ટ્રપ્રેમનાં છંદોબદ્ધ કાવ્યો \n\t\tઅને ગીતો છે. ‘ધ્રુવપદી’ (૧૯૭૮) અને ‘શબરી’ (૧૯૭૮) એ તે તે ભક્તના મહાત્મ્યને આલેખતાં કથાલક્ષી કાવ્યો છે. ‘મીરાંબાઈ’ (૧૯૮૦) એ બાળકો માટે રચાયેલી ગીતનાટિકા છે.\n\t\t<br/><br/>\n\t\t‘છંદપ્રવેશ’ (૧૯૭૯), ‘શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય’ (૧૯૭૯), ‘સાવિત્રી સારસંહિતા’ (૧૯૭૬) વગેરે એમના ગદ્યગ્રંથો છે. એ સિવાય એમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો લખ્યા છે.\n\t\t<br/><br/>\n\t\t‘સાવિત્રી’-ભા.૧-૬, ‘મેઘદૂત’ (૧૯૮૦) વગેરે એમના પદ્યાનુવાદના તથા ‘પરમ શોધ’ (૧૯૪૫), ‘શ્રી અરવિંદનાં નાટકો’ (૧૯૭૦), ‘માતાજીની શબ્દસુધા’ (૧૯૭૨) વગેરે એમના ગદ્યાનુવાદના ગ્રંથો છે.\n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\n\t\tપારિજાત (૧૯૩૮) : પૂજાલાલ રણછોડદાસ દલવાડીનો કાવ્યસંગ્રહ. સૉનેટ, મુક્તક, ગીત, લાંબાં વૃત્તાંતાત્મક અને ઉદબોધન કાવ્યો મળીને કુલ ૧૨૧ રચનાઓનો અહીં સમાવેશ થયો છે. પ્રારંભમાં બ. ક. ઠાકોરે પ્રવેશક લખ્યો છે. \n\t\tસંગ્રહમાંનાં સંખ્યાબંધ સુઘડ સૉનેટો ધ્યાન ખેંચે છે. ગાંધીયુગીન પરંપરામાં રહીને અરવિંદના સાધક હોવા છતાં સાંપ્રદાયિકતાથી મુક્ત એવો ભક્તિભાવ અને શ્રદ્ધાનો અવાજ એમની રચનાઓમાં પ્રગટ્યો છે. અલબત્ત, ગીતો કવિને હસ્તગત \n\t\tથયાં લાગતાં નથી. ‘પ્રિયા કવિતાને’ અને ‘સદગત પિતાજીને શ્રદ્ધાંજલિ’ એમની નોંધપાત્ર રચનાઓ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દલવાડી પૂજાલાલ રણછોડદાસ \t\t(૧૭-૬-૧૯૦૧, ૨૭-૧૨-૧૯૮૫) : કવિ. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં. વતન ખેડા જિલ્લાનું નાપા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા અને નડિયાદમાં. ૧૯૧૮માં મૅટ્રિક. ઈન્ટર સુધી જઈ \t\tઅભ્યાસ છોડી દીધો. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર. ૧૯૨૩માં એકાદ \t\tવર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક. ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ. \t\t \t\tઆધ્યાત્મિક પ્રકૃતિને લીધે સ્વદેશપ્રેમ અને કવચિત્ કુટુંબપ્રેમને બાદ કરતાં વિષય પરત્વે ગાંધીયુગના અન્ય કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પહેલેથી એમની કવિતામાં નથી, પરંતુ અભિવ્યક્તિ પરત્વે તે બ. ક. ઠાકોરની કવિતાનો \t\tપ્રભાવ ઝીલે છે; એટલે એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પારિજાત’ (૧૯૩૮)માં અધ્યાત્મભાવ સૉનેટના સ્વરૂપમાં સંસ્કૃતાઢય શૈલીમાં ઝિલાયો છે. પોંડિચેરીનિવાસ દરમિયાન એમની કવિતા ગીતો અને દુહા-સોરઠા તરફ વિશેષ વળે છે તથા \t\tઅક્ષરમેળ છંદોને છોડી માત્રામેળ છંદો અને સરળ ભાષાનો વધુ આશ્રય લે છે તોપણ પ્રારંભકાળની કવિતાની દીપ્તિ ફરી એમની કવિતા બતાવી શકી નહીં. ‘પ્રભાતગીત’ (૧૯૪૭), ‘શ્રી અરવિંદ વંદના’ (૧૯૫૧), ‘શ્રી અરવિંદ મહાપ્રભુ’ \t\t(૧૯૭૨) અને ‘સાવિત્રી પ્રશસ્તિ’ (૧૯૭૬)માં અરવિંદપ્રશસ્તિનાં કાવ્યો છે. ‘જપમાળા’ (૧૯૪૫), ‘ઊર્મિમાળા’ (૧૯૪૫), ‘ગીતિકા’ (૧૯૪૫), ‘શુભાક્ષરી’ (૧૯૪૬), ‘આરાધિકા’ (૧૯૪૮) અને ‘મા ભગવતી’ (૧૯૭૪) નાં કાવ્યોને એકત્ર કરી પ્રગટ \t\tથયેલા ‘મહાભગવતી’ (૧૯૭૭) સંગ્રહમાં શ્રી માતાજીની પ્રશસ્તિનાં મુક્તકો અને ગીતો છે. \t\t \t\t‘બાલગુંજાર’ (૧૯૪૫), ‘કાવ્યકિશોરી’ (૧૯૪૬), ‘ગીતગુંજરી’ (૧૯૫૨), ‘બાલબંસરી’ (૧૯૬૦) અને એ ચારેને એકત્ર કરી પ્રગટ કરેલ ‘બાલગુર્જરી’ (૧૯૮૦)માં તેમ જ ‘કિશોરકાવ્યો’ (૧૯૭૯), ‘કિશોરકુંજ’ (૧૯૭૯), ‘કિશોરકાનન’ \t\t(૧૯૭૯) અને ‘કિશોરકેસરી’ (૧૯૭૯)માં બાળકો અને કિશોરો માટેનાં ગીતો છે. ‘પાંચજન્ય’ (૧૯૫૭)માં વીરસનાં ગીતો છે. ‘મુક્તાવલી’ (૧૯૭૮), ‘શુક્તિકા’ (૧૯૭૯) અને ‘દુહરાવલી’ (૧૯૮૦)માં અધ્યાત્મ અને વીરભાવનાં મુક્તકો છે. \t\t‘ગુર્જરી’ (૧૯૫૯) એ સૉનેટસંગ્રહ છે. ‘વૈજ્યન્તિ’ (૧૯૬૨), ‘અપરાજિતા’ (૧૯૭૯), ‘કાવ્યકેતુ’ (૧૯૭૯), ‘સોપાનિકા’ (૧૯૮૦), ‘શતાવરી’ (૧૯૮૦), ‘દુઃખગાથા’ (૧૯૮૩) વગેરેમાં અધ્યાત્મભાવ, પ્રાંતપ્રેમ અને રાષ્ટ્રપ્રેમનાં છંદોબદ્ધ કાવ્યો \t\tઅને ગીતો છે. ‘ધ્રુવપદી’ (૧૯૭૮) અને ‘શબરી’ (૧૯૭૮) એ તે તે ભક્તના મહાત્મ્યને આલેખતાં કથાલક્ષી કાવ્યો છે. ‘મીરાંબાઈ’ (૧૯૮૦) એ બાળકો માટે રચાયેલી ગીતનાટિકા છે. \t\t \t\t‘છંદપ્રવેશ’ (૧૯૭૯), ‘શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય’ (૧૯૭૯), ‘સાવિત્રી સારસંહિતા’ (૧૯૭૬) વગેરે એમના ગદ્યગ્રંથો છે. એ સિવાય એમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો લખ્યા છે. \t\t \t\t‘સાવિત્રી’-ભા.૧-૬, ‘મેઘદૂત’ (૧૯૮૦) વગેરે એમના પદ્યાનુવાદના તથા ‘પરમ શોધ’ (૧૯૪૫), ‘શ્રી અરવિંદનાં નાટકો’ (૧૯૭૦), ‘માતાજીની શબ્દસુધા’ (૧૯૭૨) વગેરે એમના ગદ્યાનુવાદના ગ્રંથો છે. \t\t -જયંત ગાડીત \t\tપારિજાત (૧૯૩૮) : પૂજાલાલ રણછોડદાસ દલવાડીનો કાવ્યસંગ્રહ. સૉનેટ, મુક્તક, ગીત, લાંબાં વૃત્તાંતાત્મક અને ઉદબોધન કાવ્યો મળીને કુલ ૧૨૧ રચનાઓનો અહીં સમાવેશ થયો છે. પ્રારંભમાં બ. ક. ઠાકોરે પ્રવેશક લખ્યો છે. \t\tસંગ્રહમાંનાં સંખ્યાબંધ સુઘડ સૉનેટો ધ્યાન ખેંચે છે. ગાંધીયુગીન પરંપરામાં રહીને અરવિંદના સાધક હોવા છતાં સાંપ્રદાયિકતાથી મુક્ત એવો ભક્તિભાવ અને શ્રદ્ધાનો અવાજ એમની રચનાઓમાં પ્રગટ્યો છે. અલબત્ત, ગીતો કવિને હસ્તગત \t\tથયાં લાગતાં નથી. ‘પ્રિયા કવિતાને’ અને ‘સદગત પિતાજીને શ્રદ્ધાંજલિ’ એમની નોંધપાત્ર રચનાઓ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "pujalala-dalavadi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/pujalala-dalavadi",
"tags": null,
"created": "2024-02-03T20:39:12.143193",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17364,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રાજેન્દ્ર શુકલ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>શુકલ રાજેન્દ્ર અનંતરાય </h4>\n\t\t(૧૨-૧૦-૧૯૪૨) : કવિ. જન્મ વતન જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. માધ્યમિક શિક્ષણ વતનમાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજમાંથી \n\t\tસંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ. એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહારશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો માટે શાળાહીન \n\t\tતાલીમનો પ્રયોગ.\n\t\t<br/><br/> \n\t\tએમના કાવ્યસંગ્રહો ‘કોમલ રિષભ’ (૧૯૭૦) અને ‘અંતર ગંધાર’ (૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જ્યોતિષ, ઇતિહાસ, \n\t\tતત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજ્જતા જોઈ શકાય છે. એમની કવિતામાં અદ્યતન ભાવ-વિભાવનો તેમ જ કલાન્તિ, નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવનો સ્પર્શ પમાય છે. કૃતિનિર્મિતિમાં \n\t\tઝીણું નકશીકામ કરવાનો કલા-કસબ, કલા-આકૃતિ અંગેની સભાનતા અને પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. આધુનિક જગતનો \n\t\tપૂરો પરિવેશ આ કવિ પાસે છે; પણ એમનું માનસ, એમનું કવિસંવિત્ નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: શુકલ રાજેન્દ્ર અનંતરાય \t\t(૧૨-૧૦-૧૯૪૨) : કવિ. જન્મ વતન જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. માધ્યમિક શિક્ષણ વતનમાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજમાંથી \t\tસંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ. એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહારશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો માટે શાળાહીન \t\tતાલીમનો પ્રયોગ. \t\t \t\tએમના કાવ્યસંગ્રહો ‘કોમલ રિષભ’ (૧૯૭૦) અને ‘અંતર ગંધાર’ (૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જ્યોતિષ, ઇતિહાસ, \t\tતત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજ્જતા જોઈ શકાય છે. એમની કવિતામાં અદ્યતન ભાવ-વિભાવનો તેમ જ કલાન્તિ, નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવનો સ્પર્શ પમાય છે. કૃતિનિર્મિતિમાં \t\tઝીણું નકશીકામ કરવાનો કલા-કસબ, કલા-આકૃતિ અંગેની સભાનતા અને પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. આધુનિક જગતનો \t\tપૂરો પરિવેશ આ કવિ પાસે છે; પણ એમનું માનસ, એમનું કવિસંવિત્ નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "rajendra-sukala",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/rajendra-sukala",
"tags": null,
"created": "2024-02-03T20:39:12.379650",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17365,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "રમણભાઈ નીલકં",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>નીલકંઠ રમણભાઈ મહીપતરામ </h4>\n\t\t\t(૧૩-૩-૧૮૬૮, ૬-૩-૧૯૨૮) : નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, હાસ્યલેખક, કવિ.''' જન્મસ્થળ અમદાવાદમાં. ૧૮૮૩માં મૅટ્રિક ૧૮૮૪માં ગુજરાત કૉલેજમાં પ્રવેશ. ૧૮૮૭માં \n\t\t\tએલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈથી બી.એ. પછી એલએલ.બી. ગોધરા સબ-જજની થોડા સમયની નોકરી પછી સ્વતંત્ર વકીલાતનો વ્યવસાય આરંભેલો. પહેલાં પત્ની હસવદનબહેનનું અવસાન થતાં બીજું લગ્ન વિદ્યાબહેન સાથે થયું \n\t\t\tઅને એ સુખી દાંપત્યે સાહિત્ય અને સમાજસેવાના કાર્યો માટે નોંધપાત્ર પીઠિકા પૂરી પાડી. તેઓ એકાધિક સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ ઉપપ્રમુખ. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. \n\t\t<br/><br/>\n\t\t\t‘ભદ્રં ભદ્ર’ (૧૯૦૦), ‘શોધમાં’ (અધૂરી, ૧૯૧૫) જેવી નવલકથાઓ, ‘રાઈનો પર્વત’ (૧૯૧૩) નાટક; ‘હાસ્યમંદિર’ (વિદ્યાબેન સાથે, ૧૯૧૫)ના હળવા નિબંધો; ‘કવિતા અને સાહિત્ય’-૧ (૧૯૦૪), ‘કવિતા અને સાહિત્ય’-૨ \n\t\t\t(૧૯૦૪), ‘કવિતા અને સાહિત્ય’-૩ (૧૯૨૮), ‘વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના’ (૧૯૦૩) જેવા ગ્રંથોના વિવેચન - વ્યાખ્યાનો અને ભાષાવિચારણા; ‘કવિતા અને સાહિત્ય’-૪ (૧૯૨૯) ની કવિતા - વાર્તાપ્રવૃત્તિ; ‘ધર્મ અને \n\t\t\tસમાજ’-૧ (૧૯૩૨) ‘ધર્મ અને સમાજ-૨’ (૧૯૩૫)નાં ધર્મ અને સમાજ વિષેની તત્વચર્ચાને લગતાં વ્યાખ્યાનો; ‘ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘વિવાહવિધિ’ (૧૮૮૯) જેવાં ઇતિહાસ - સંસ્કાર આલેખતાં પુ્સ્તકો અને \n\t\t\t‘જ્ઞાનસુધા’નું સંપાદન-એમ અનેકવિધ સાહિત્યિક પ્રદાન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત થયા છે.\n\t\t<br/><br/>\n\t\t\tગુજરાતી ભવાઈ, પાશ્ચાત્ય નાટક અને સંસ્કૃત નાટકનાં તત્વો જાળવીને રચાયેલા ‘રાઈનો પર્વત’ નાટકમાં મણિલાલ નભુભાઈના ‘કાન્તા’ નાટકની પણ ઠીકઠીક અસર જોવાય છે. શુદ્ધ સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધનની \n\t\t\tઅશુદ્ધિનો સ્વીકાર કરી નિમંત્રેલા સંઘર્ષનું અને એ સંઘર્ષમાંથી છેવટે સુ્પ્રાપ્ય બનતી સર્વાંગશુદ્ધિનું આ નાટક છે. પુ્ત્ર જગદીપના સાચા હકની રાજગાદી તેને મળે એ માટે અમૃતદેવી સાધનની અશૃદ્ધિ સ્વીકારે છે અને માતાના \n\t\t\tપ્રેમાગ્રહને વશ થયેલો જગદીપ એમાં સંકળાય પણ છે. માતા પુત્રનાં અનુક્રમે જાલકા અને રાઈ એમ બનાવટી નામ ધારણ કરી જાલકા જે પ્રપંચો આચરે છે એના પરિણામસ્વરૂપે રાજગાદી મળી હોવા છતાં રાઈ એને ભોગવી \n\t\t\tશકતો નથી. બંને પાત્રોનો સ્વભાવભેદ, વિચારભેદ અને એમાંથી પ્રગટતો આચારભેદ નાટ્યાત્મક સંઘર્ષનું નિમિત્ત બને છે. છેલ્લા બે અંકોમાં વિધવાવિવાહની સમાજસુધારણાનો આદર્શ નજર સમક્ષ રખાયો હોવાનું કળાય છે; \n\t\t\tછતાં લેખકની સાહિત્યિક સજ્જતાના અનેકવિધ સંકેતો એમાં મોજૂદ છે. એમનું આ નાટક આજે પણ એટલું જ પ્રભાવક હોઈ અન્ય નાટ્યકારોએ એના વસ્તુરૂપને નવા દ્રષ્ટિકોણથી અપનાવી નાટકો સર્જયા-ભજવ્યાં છે.\n\t\t<br/><br/>\n\t\t\tઆ લેખકની સક્ષમ પ્રતિભા એમની હાસ્યરસિક નવલકથા ‘ભદ્રં ભદ્ર’ માં નીવડી આવે છે. પશ્ચિમની ‘પિકવિક પેપર્સ’ કે ‘ડોન કિહોટે’ જેવી કૃતિઓમાંથી પ્રેરણા મેળવીને લખાયેલી આ નવલકથાનો વિષય સુધારાવિરોધનો \n\t\t\tઉપહાસ છે. દોલતશંકર જેવા યાવનીસંસ્કારથી દૂષિત નામનો ત્યાગ કરીને ભદ્રં ભદ્ર બનેલા એક અલ્પજ્ઞ બ્રાહ્મણની સર્વજ્ઞ તરીકે નીવડી આવવાની દાંભિક પરિસ્થિતિઓ દ્વારા હાસ્યકટાક્ષઉપહાસાદિને વિકસાવીને લેખકે \n\t\t\tનવલકથા અને પાત્રને અમર કરી દીધાં છે. જીવનચરિત્રના ઢાંચામાં ઢાળવામાં આવેલી આ નવલકથાની સંસ્કૃતપ્રચુર શૈલી પાછળનાં પ્રકરણોમાં એકતાનતાનો અનુભવ કરાવે છે અને છેવટના ભાગમાં શૈલી અને-જીવનકથારૂપ \n\t\t\tનિરૂપણ નબળું પડતું હોવાને લીધે નવલકથાનું સ્વરૂપ પણ શિથિલ બનતાં જણાય છે. એમ છતાં, ગુજરાતી નવલકથાસાહિત્યમાં અને હાસ્યસાહિત્યમાં એક વિશિષ્ટ અનનુવાદ્ય કૃતિ તરીકે ‘ભદ્રં ભદ્ર’ ચિરસ્મરણીય રહેશે.\n\t\t<br/><br/>\n\t\t\t‘કવિતા અને સાહિત્ય’- ભા. ૧-૨-૩માં લેખકનાં કાવ્યપર્યેષણા દાખવતા લેખો અને ગ્રંથાવલોકનો સંગ્રહાયાં છે. ગુજરાતી વિવેચનમાં નવલરામે કરેલા ગંભીર પ્રદાનનું અહીં લગભગ અનુસરણ છે. એટલે પાશ્ચાત્ય \n\t\t\tસાહિત્યવિચારણાનાં તત્કાલે પ્રસિદ્ધ થયેલ અલબત્ત મૂલ્યવાન-સિદ્ધાંતદર્શનોનું એમણે વિવરણાત્મક આલેખન કર્યું છે. ‘કવિતા’, ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’, રાગધ્વનિકાવ્ય’, ‘વૃત્તિમય ભાવાભાસ’, ‘કવિતા અને નીતિ’, \n\t\t\t‘કવિતા અને સત્ય’ જેવા મુદ્દાઓની વિચારણાનું એમનું વિવરણાત્મક આલેખન પાશ્ચાત્ય સિદ્ધાંત અંગેની એમની સૂઝસમજનું અને એને ગુજરાતીમાં અવતારતી વેળાએ સહજસાધ્ય બનતી સર્વસ્પર્શી અને સમન્વયકારી \n\t\t\tનિરૂપણકલાનું દ્યોતક બને છે. ‘કાવ્યનંદ’, ‘કવિત્વરીતિ’ જેવા મુદ્દાઓની વિચારણાનો મુખ્યાધાર સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં રહેલો જોઈ શકાય છે, પણ એનો વિષયવિસ્તાર પાશ્ચાત્ય કાવ્યવિચારણાનો આધાર પણ લે છે. ‘છંદ અને \n\t\t\tપ્રાસ’ને ‘કવિતાની વાણી’ ના સંદર્ભમાં વિચારવાની એમની દ્રષ્ટિ કવિતાનાં અંગેઅંગને એના આત્મભાવના અનુસંધાનમાં જ પામવાની પ્રવૃત્તિનો પરિચય કરાવે છે. ‘પૃથુરાજ રાસા’, ‘કુસુમમાળા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘અભંગમાળા’, \n\t\t\t‘હૃદયવીણા’ વગેરે કૃતિઓનાં ચર્ચા-વિચારણા-અવલોકનમાં પણ એમની સાહિત્યિક નિષ્ઠા, બહુશ્રુતતા, રસિકતા અને મર્મગ્રાહિતાનાં વલણો પ્રેરક પરિણામો આપે છે. એમનાં વિવાદાસ્પદ વલણો પણ, સરવાળે, તો, \n\t\t\tસાહિત્યનિષ્ઠ મૂલ્યવત્તાનો અનુભવ કરાવતાં હોવાથી ધ્યાનપાત્ર બને છે.\n\t\t<br/><br/>\n\t\t\t‘કવિતા અને સાહિત્ય’-૪માં ‘હાસ્યરસ’ વિષેના નિબંધ ઉપરાંત એમની કવિતા-વાર્તાલેખનની પ્રવૃત્તિનો પણ પરિચય મળે છે. ભોળાનાથની ભક્તિકવિતાના પ્રભાવ તળે જ જાણે લખાયેલાં હોય એવાં એમનાં ભક્તિકાવ્યોમાં ઊર્મિ \n\t\t\tકરતાં ચિંતન તરફનો ઝોક વધુ પડતો જણાય છે, જે એમણે જ વિચારેલા ઊર્મિકાવ્યના માનદંડોથી ભિન્ન પડે છે. એમની કવિતામાં ભક્તિની સાથે સંકળાતી જ્ઞાનનિષ્ઠા અને શ્રદ્ધાનું જયાં સંયોજન થાય છે ત્યાં કવિતા નીવડી \n\t\t\tઆવતી જણાય છે. વાર્તાકાર તરીકે એમણે આર્થર કોનન ડોઈલની વાર્તાનુ રૂપાંતર પણ કર્યું છે અને એમની મૌલિક વાર્તા ‘ચતુર્મુખ’ પર પણ ડોઈલનો પ્રભાવ જણાય છે. એમની વાર્તાલેખનપ્રવૃત્તિમાં અભ્યાસીઓ ‘ચિઠ્ઠી’ અને \n\t\t\t‘ટપ્પાની મુસાફરી’ જેવી હાસ્યકૃતિઓને પણ જોડી દે છે.\n\t\t<br/><br/>\n\t\t\t‘કવિતા અને સાહિત્ય’ માં ‘હાસ્યરસ’ વિષેનો દોઢસો પાનાંનો નિબંધ, જે ‘હાસ્યમંદિર’માં પણ મુકાયો છે તેમાં જે કાંઈ અભ્યાસ દેખાય છે તે ‘હાસ્યમંદિર’ની હાસ્યકૃતિઓમાં લેખે લાગ્યો છે. એમની હાસ્યરસિક કૃતિઓને કોઈ \n\t\t\tચોક્કસ સ્વરૂપના ઢાંચામાં ઢાળી શકાય એમ નથી, કારણ કે એમાં તો હાસ્યરસિક સંવાદકૃતિઓનોય સમાવેશ થયો છે જે ભૂતકાળમાં રંગમંચ પર પણ આકર્ષણ પેદા, કરી શકી હતી. અહીં નિબંધિકા, વાર્તા, ટુચકા જેવા \n\t\t\tઅનેકવિધ પ્રકારનાં લખાણોમાં નર્મ-મર્મ-કટાક્ષનું વૈવિધ્ય માણી શકાય છે.\n\t\t<br/><br/>\n\t\t\t‘ધર્મ અને સમાજ’ ના પહેલા ભાગમાં માત્ર ધર્મતત્વ-ચિંતન અને એના આનુષંગિક વિષયો છે; જયારે બીજા ભાગમાં ધર્મ અને સમાજસુધારણા વિષેના લેખો સાથે રજૂ કરીને શીર્ષકનો સ્થૂળ અર્થ પણ જાળવવામાં આવ્યો છે. \n\t\t\tઅહીં લેખકની ધર્મભાવના લાગણી અને તર્કના સમન્વયરૂપ છે, પણ સરવાળે લાગણી-ઊર્મિનો હાથ ઊંચો રહે છે. મૂર્તિપૂજાનો વિરોધ કે અવતારનિષેધ જેવા મુદ્દાઓમાં તર્કનું પ્રમાણ જોવા મળે છે; જ્યારે ભક્તિ, મુક્તિ, \n\t\t\tપ્રાર્થના જેવા વિષયોમાં લાગણીનું વજન વિશેષ છે. બંને ભાગોના અધ્યયનનો ફલિતાર્થ આટલો જ છે- ‘રમણભાઈની ધર્મભાવના અને નીતિભાવના અલગ કરીને જોઈ શકાય એમ નથી.’\n\t\t\t‘જ્ઞાનસુધા’ ના સંપાદનકાર્યનો અને લેખકની ધર્મતત્વમીમાંસાનો વિચાર સાથે કરવો જોઈએ. ધર્મને નામે બુદ્ધિશાળી વર્ગમાં પણ ફેલાતી દ્વિધાઓ અને ગેરસમજો નિવારવા ‘જ્ઞાનસુધા’ નો જન્મ થયો હતો, આમ, \n\t\t\tધર્મતત્વચિંતન એ ‘જ્ઞાનસુધા’ ના ઉદભવ માટે પાયાનું નિમિત્ત હતું, સાહિત્ય અને સંસારસુધારો એના સંપાદકની વ્યક્તિગત રુચિનો નિમિત્તો હતાં તથા સુનીતિ અને સદાચાર લેખકનાં સ્વભાવલક્ષી વલણો હતા-એ સર્વનું \n\t\t\tપ્રતિબિંબ ‘જ્ઞાનસુધા’ ની સામગ્રીમાં સામર્થ્યથી ઝિલાય છે.\n\t\t<p align=\"right\">-ચં.પૂ.વ્યાસ</p>\n<br/><br/>\n\t\t\tભદ્રંભદ્ર (૧૯૦૦) : રમણભાઈ નીલકંઠની, પ્રથમ કકડે કકડે માસિક પત્ર ‘જ્ઞાનસુધા’માં છપાયેલી, પછી ગ્રંથસ્થ, સળંગ હાસ્યરસિક નવલકથા. સર્વાન્તીસની કૃતિ ‘ડૉન કિહોટે’ ને અનુલક્ષીને અંબારામ અને ભદ્રંભદ્ર જેવા બે \n\t\t\tહાસ્યપાત્રોને કેન્દ્રમાં રાખી આ કથા વિકસી છે. એનું નિરૂપણ અંબાલાલ દ્વારા થયું છે. પ્રથમ પુરુષ નિરૂપણશૈલીમાં લખાયેલી આ પહેલી નવલકથા છે, તેથી દ્રષ્ટિબિંદુના નિયંત્રણનો લાભ કથાને મળ્યો છે. અહીં રૂઢિચુસ્તો અને \n\t\t\tપરંપરાવાદીઓ પરનો સુધારક રમણભાઈનો ઉપહાસ તત્કાલીન વિડંબિત વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને મહદંશે ઉલ્લંઘી ગયો છે, એ નવલકથા-કલાનો વિજય છે. ભદ્રંભદ્રની પ્રચુર સંસ્કૃતશૈલી કટાક્ષપરનો નવલકથાકારનો \n\t\t\tકાબૂ પ્રશસ્ય છે. ભદ્રંભદ્રના ‘નામધારણ’ થી શરૂ કરી ભદ્રંભદ્રના જેલમાં અને ખેલમાં જવા પર્યંતનું આ નર્મહાસ્ય ગુજરાતી સાહિત્યમાં હજી સુધી અજોડ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: નીલકંઠ રમણભાઈ મહીપતરામ \t\t\t(૧૩-૩-૧૮૬૮, ૬-૩-૧૯૨૮) : નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, હાસ્યલેખક, કવિ.''' જન્મસ્થળ અમદાવાદમાં. ૧૮૮૩માં મૅટ્રિક ૧૮૮૪માં ગુજરાત કૉલેજમાં પ્રવેશ. ૧૮૮૭માં \t\t\tએલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈથી બી.એ. પછી એલએલ.બી. ગોધરા સબ-જજની થોડા સમયની નોકરી પછી સ્વતંત્ર વકીલાતનો વ્યવસાય આરંભેલો. પહેલાં પત્ની હસવદનબહેનનું અવસાન થતાં બીજું લગ્ન વિદ્યાબહેન સાથે થયું \t\t\tઅને એ સુખી દાંપત્યે સાહિત્ય અને સમાજસેવાના કાર્યો માટે નોંધપાત્ર પીઠિકા પૂરી પાડી. તેઓ એકાધિક સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ ઉપપ્રમુખ. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. \t\t \t\t\t‘ભદ્રં ભદ્ર’ (૧૯૦૦), ‘શોધમાં’ (અધૂરી, ૧૯૧૫) જેવી નવલકથાઓ, ‘રાઈનો પર્વત’ (૧૯૧૩) નાટક; ‘હાસ્યમંદિર’ (વિદ્યાબેન સાથે, ૧૯૧૫)ના હળવા નિબંધો; ‘કવિતા અને સાહિત્ય’-૧ (૧૯૦૪), ‘કવિતા અને સાહિત્ય’-૨ \t\t\t(૧૯૦૪), ‘કવિતા અને સાહિત્ય’-૩ (૧૯૨૮), ‘વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના’ (૧૯૦૩) જેવા ગ્રંથોના વિવેચન - વ્યાખ્યાનો અને ભાષાવિચારણા; ‘કવિતા અને સાહિત્ય’-૪ (૧૯૨૯) ની કવિતા - વાર્તાપ્રવૃત્તિ; ‘ધર્મ અને \t\t\tસમાજ’-૧ (૧૯૩૨) ‘ધર્મ અને સમાજ-૨’ (૧૯૩૫)નાં ધર્મ અને સમાજ વિષેની તત્વચર્ચાને લગતાં વ્યાખ્યાનો; ‘ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘વિવાહવિધિ’ (૧૮૮૯) જેવાં ઇતિહાસ - સંસ્કાર આલેખતાં પુ્સ્તકો અને \t\t\t‘જ્ઞાનસુધા’નું સંપાદન-એમ અનેકવિધ સાહિત્યિક પ્રદાન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત થયા છે. \t\t \t\t\tગુજરાતી ભવાઈ, પાશ્ચાત્ય નાટક અને સંસ્કૃત નાટકનાં તત્વો જાળવીને રચાયેલા ‘રાઈનો પર્વત’ નાટકમાં મણિલાલ નભુભાઈના ‘કાન્તા’ નાટકની પણ ઠીકઠીક અસર જોવાય છે. શુદ્ધ સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધનની \t\t\tઅશુદ્ધિનો સ્વીકાર કરી નિમંત્રેલા સંઘર્ષનું અને એ સંઘર્ષમાંથી છેવટે સુ્પ્રાપ્ય બનતી સર્વાંગશુદ્ધિનું આ નાટક છે. પુ્ત્ર જગદીપના સાચા હકની રાજગાદી તેને મળે એ માટે અમૃતદેવી સાધનની અશૃદ્ધિ સ્વીકારે છે અને માતાના \t\t\tપ્રેમાગ્રહને વશ થયેલો જગદીપ એમાં સંકળાય પણ છે. માતા પુત્રનાં અનુક્રમે જાલકા અને રાઈ એમ બનાવટી નામ ધારણ કરી જાલકા જે પ્રપંચો આચરે છે એના પરિણામસ્વરૂપે રાજગાદી મળી હોવા છતાં રાઈ એને ભોગવી \t\t\tશકતો નથી. બંને પાત્રોનો સ્વભાવભેદ, વિચારભેદ અને એમાંથી પ્રગટતો આચારભેદ નાટ્યાત્મક સંઘર્ષનું નિમિત્ત બને છે. છેલ્લા બે અંકોમાં વિધવાવિવાહની સમાજસુધારણાનો આદર્શ નજર સમક્ષ રખાયો હોવાનું કળાય છે; \t\t\tછતાં લેખકની સાહિત્યિક સજ્જતાના અનેકવિધ સંકેતો એમાં મોજૂદ છે. એમનું આ નાટક આજે પણ એટલું જ પ્રભાવક હોઈ અન્ય નાટ્યકારોએ એના વસ્તુરૂપને નવા દ્રષ્ટિકોણથી અપનાવી નાટકો સર્જયા-ભજવ્યાં છે. \t\t \t\t\tઆ લેખકની સક્ષમ પ્રતિભા એમની હાસ્યરસિક નવલકથા ‘ભદ્રં ભદ્ર’ માં નીવડી આવે છે. પશ્ચિમની ‘પિકવિક પેપર્સ’ કે ‘ડોન કિહોટે’ જેવી કૃતિઓમાંથી પ્રેરણા મેળવીને લખાયેલી આ નવલકથાનો વિષય સુધારાવિરોધનો \t\t\tઉપહાસ છે. દોલતશંકર જેવા યાવનીસંસ્કારથી દૂષિત નામનો ત્યાગ કરીને ભદ્રં ભદ્ર બનેલા એક અલ્પજ્ઞ બ્રાહ્મણની સર્વજ્ઞ તરીકે નીવડી આવવાની દાંભિક પરિસ્થિતિઓ દ્વારા હાસ્યકટાક્ષઉપહાસાદિને વિકસાવીને લેખકે \t\t\tનવલકથા અને પાત્રને અમર કરી દીધાં છે. જીવનચરિત્રના ઢાંચામાં ઢાળવામાં આવેલી આ નવલકથાની સંસ્કૃતપ્રચુર શૈલી પાછળનાં પ્રકરણોમાં એકતાનતાનો અનુભવ કરાવે છે અને છેવટના ભાગમાં શૈલી અને-જીવનકથારૂપ \t\t\tનિરૂપણ નબળું પડતું હોવાને લીધે નવલકથાનું સ્વરૂપ પણ શિથિલ બનતાં જણાય છે. એમ છતાં, ગુજરાતી નવલકથાસાહિત્યમાં અને હાસ્યસાહિત્યમાં એક વિશિષ્ટ અનનુવાદ્ય કૃતિ તરીકે ‘ભદ્રં ભદ્ર’ ચિરસ્મરણીય રહેશે. \t\t \t\t\t‘કવિતા અને સાહિત્ય’- ભા. ૧-૨-૩માં લેખકનાં કાવ્યપર્યેષણા દાખવતા લેખો અને ગ્રંથાવલોકનો સંગ્રહાયાં છે. ગુજરાતી વિવેચનમાં નવલરામે કરેલા ગંભીર પ્રદાનનું અહીં લગભગ અનુસરણ છે. એટલે પાશ્ચાત્ય \t\t\tસાહિત્યવિચારણાનાં તત્કાલે પ્રસિદ્ધ થયેલ અલબત્ત મૂલ્યવાન-સિદ્ધાંતદર્શનોનું એમણે વિવરણાત્મક આલેખન કર્યું છે. ‘કવિતા’, ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’, રાગધ્વનિકાવ્ય’, ‘વૃત્તિમય ભાવાભાસ’, ‘કવિતા અને નીતિ’, \t\t\t‘કવિતા અને સત્ય’ જેવા મુદ્દાઓની વિચારણાનું એમનું વિવરણાત્મક આલેખન પાશ્ચાત્ય સિદ્ધાંત અંગેની એમની સૂઝસમજનું અને એને ગુજરાતીમાં અવતારતી વેળાએ સહજસાધ્ય બનતી સર્વસ્પર્શી અને સમન્વયકારી \t\t\tનિરૂપણકલાનું દ્યોતક બને છે. ‘કાવ્યનંદ’, ‘કવિત્વરીતિ’ જેવા મુદ્દાઓની વિચારણાનો મુખ્યાધાર સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં રહેલો જોઈ શકાય છે, પણ એનો વિષયવિસ્તાર પાશ્ચાત્ય કાવ્યવિચારણાનો આધાર પણ લે છે. ‘છંદ અને \t\t\tપ્રાસ’ને ‘કવિતાની વાણી’ ના સંદર્ભમાં વિચારવાની એમની દ્રષ્ટિ કવિતાનાં અંગેઅંગને એના આત્મભાવના અનુસંધાનમાં જ પામવાની પ્રવૃત્તિનો પરિચય કરાવે છે. ‘પૃથુરાજ રાસા’, ‘કુસુમમાળા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘અભંગમાળા’, \t\t\t‘હૃદયવીણા’ વગેરે કૃતિઓનાં ચર્ચા-વિચારણા-અવલોકનમાં પણ એમની સાહિત્યિક નિષ્ઠા, બહુશ્રુતતા, રસિકતા અને મર્મગ્રાહિતાનાં વલણો પ્રેરક પરિણામો આપે છે. એમનાં વિવાદાસ્પદ વલણો પણ, સરવાળે, તો, \t\t\tસાહિત્યનિષ્ઠ મૂલ્યવત્તાનો અનુભવ કરાવતાં હોવાથી ધ્યાનપાત્ર બને છે. \t\t \t\t\t‘કવિતા અને સાહિત્ય’-૪માં ‘હાસ્યરસ’ વિષેના નિબંધ ઉપરાંત એમની કવિતા-વાર્તાલેખનની પ્રવૃત્તિનો પણ પરિચય મળે છે. ભોળાનાથની ભક્તિકવિતાના પ્રભાવ તળે જ જાણે લખાયેલાં હોય એવાં એમનાં ભક્તિકાવ્યોમાં ઊર્મિ \t\t\tકરતાં ચિંતન તરફનો ઝોક વધુ પડતો જણાય છે, જે એમણે જ વિચારેલા ઊર્મિકાવ્યના માનદંડોથી ભિન્ન પડે છે. એમની કવિતામાં ભક્તિની સાથે સંકળાતી જ્ઞાનનિષ્ઠા અને શ્રદ્ધાનું જયાં સંયોજન થાય છે ત્યાં કવિતા નીવડી \t\t\tઆવતી જણાય છે. વાર્તાકાર તરીકે એમણે આર્થર કોનન ડોઈલની વાર્તાનુ રૂપાંતર પણ કર્યું છે અને એમની મૌલિક વાર્તા ‘ચતુર્મુખ’ પર પણ ડોઈલનો પ્રભાવ જણાય છે. એમની વાર્તાલેખનપ્રવૃત્તિમાં અભ્યાસીઓ ‘ચિઠ્ઠી’ અને \t\t\t‘ટપ્પાની મુસાફરી’ જેવી હાસ્યકૃતિઓને પણ જોડી દે છે. \t\t \t\t\t‘કવિતા અને સાહિત્ય’ માં ‘હાસ્યરસ’ વિષેનો દોઢસો પાનાંનો નિબંધ, જે ‘હાસ્યમંદિર’માં પણ મુકાયો છે તેમાં જે કાંઈ અભ્યાસ દેખાય છે તે ‘હાસ્યમંદિર’ની હાસ્યકૃતિઓમાં લેખે લાગ્યો છે. એમની હાસ્યરસિક કૃતિઓને કોઈ \t\t\tચોક્કસ સ્વરૂપના ઢાંચામાં ઢાળી શકાય એમ નથી, કારણ કે એમાં તો હાસ્યરસિક સંવાદકૃતિઓનોય સમાવેશ થયો છે જે ભૂતકાળમાં રંગમંચ પર પણ આકર્ષણ પેદા, કરી શકી હતી. અહીં નિબંધિકા, વાર્તા, ટુચકા જેવા \t\t\tઅનેકવિધ પ્રકારનાં લખાણોમાં નર્મ-મર્મ-કટાક્ષનું વૈવિધ્ય માણી શકાય છે. \t\t \t\t\t‘ધર્મ અને સમાજ’ ના પહેલા ભાગમાં માત્ર ધર્મતત્વ-ચિંતન અને એના આનુષંગિક વિષયો છે; જયારે બીજા ભાગમાં ધર્મ અને સમાજસુધારણા વિષેના લેખો સાથે રજૂ કરીને શીર્ષકનો સ્થૂળ અર્થ પણ જાળવવામાં આવ્યો છે. \t\t\tઅહીં લેખકની ધર્મભાવના લાગણી અને તર્કના સમન્વયરૂપ છે, પણ સરવાળે લાગણી-ઊર્મિનો હાથ ઊંચો રહે છે. મૂર્તિપૂજાનો વિરોધ કે અવતારનિષેધ જેવા મુદ્દાઓમાં તર્કનું પ્રમાણ જોવા મળે છે; જ્યારે ભક્તિ, મુક્તિ, \t\t\tપ્રાર્થના જેવા વિષયોમાં લાગણીનું વજન વિશેષ છે. બંને ભાગોના અધ્યયનનો ફલિતાર્થ આટલો જ છે- ‘રમણભાઈની ધર્મભાવના અને નીતિભાવના અલગ કરીને જોઈ શકાય એમ નથી.’ \t\t\t‘જ્ઞાનસુધા’ ના સંપાદનકાર્યનો અને લેખકની ધર્મતત્વમીમાંસાનો વિચાર સાથે કરવો જોઈએ. ધર્મને નામે બુદ્ધિશાળી વર્ગમાં પણ ફેલાતી દ્વિધાઓ અને ગેરસમજો નિવારવા ‘જ્ઞાનસુધા’ નો જન્મ થયો હતો, આમ, \t\t\tધર્મતત્વચિંતન એ ‘જ્ઞાનસુધા’ ના ઉદભવ માટે પાયાનું નિમિત્ત હતું, સાહિત્ય અને સંસારસુધારો એના સંપાદકની વ્યક્તિગત રુચિનો નિમિત્તો હતાં તથા સુનીતિ અને સદાચાર લેખકનાં સ્વભાવલક્ષી વલણો હતા-એ સર્વનું \t\t\tપ્રતિબિંબ ‘જ્ઞાનસુધા’ ની સામગ્રીમાં સામર્થ્યથી ઝિલાય છે. \t\t -ચં.પૂ.વ્યાસ \t\t\tભદ્રંભદ્ર (૧૯૦૦) : રમણભાઈ નીલકંઠની, પ્રથમ કકડે કકડે માસિક પત્ર ‘જ્ઞાનસુધા’માં છપાયેલી, પછી ગ્રંથસ્થ, સળંગ હાસ્યરસિક નવલકથા. સર્વાન્તીસની કૃતિ ‘ડૉન કિહોટે’ ને અનુલક્ષીને અંબારામ અને ભદ્રંભદ્ર જેવા બે \t\t\tહાસ્યપાત્રોને કેન્દ્રમાં રાખી આ કથા વિકસી છે. એનું નિરૂપણ અંબાલાલ દ્વારા થયું છે. પ્રથમ પુરુષ નિરૂપણશૈલીમાં લખાયેલી આ પહેલી નવલકથા છે, તેથી દ્રષ્ટિબિંદુના નિયંત્રણનો લાભ કથાને મળ્યો છે. અહીં રૂઢિચુસ્તો અને \t\t\tપરંપરાવાદીઓ પરનો સુધારક રમણભાઈનો ઉપહાસ તત્કાલીન વિડંબિત વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને મહદંશે ઉલ્લંઘી ગયો છે, એ નવલકથા-કલાનો વિજય છે. ભદ્રંભદ્રની પ્રચુર સંસ્કૃતશૈલી કટાક્ષપરનો નવલકથાકારનો \t\t\tકાબૂ પ્રશસ્ય છે. ભદ્રંભદ્રના ‘નામધારણ’ થી શરૂ કરી ભદ્રંભદ્રના જેલમાં અને ખેલમાં જવા પર્યંતનું આ નર્મહાસ્ય ગુજરાતી સાહિત્યમાં હજી સુધી અજોડ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "ramanabhai-nilakam",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/ramanabhai-nilakam",
"tags": null,
"created": "2024-02-03T20:39:12.679563",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
}
],
"description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
"image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}