GET /sootradhar/authors/?format=api&page=912
HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept

{
    "count": 17752,
    "next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=913",
    "previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=911",
    "results": [
        {
            "id": 17318,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મકરંદ દવે",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દવે મકરંદ વજેશંકર </h4>\n\t\t(૧૩-૧૧-૧૯૨૨) : કવિ, ચરિત્રકાર. જન્મ ગોંડલમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આર્ટસ કૉલેજમાં દાખલ થયા પછી ૪૨ની લડત માટે ઈન્ટર આર્ટસથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’, \n\t\t‘જયહિંદ’ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીનો પ્રયોગ કરી સંસ્થાના સર્જક, ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.\n\t\t<br/><br/>\n\t\tસંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ-મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યક્તિતા-આ બધો મકરંદ \n\t\tદવેની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ‘તરણાં’ (૧૯૫૧), ‘જયભેરી’ (૧૯૫૨), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી’ (૧૯૬૧), \n\t\t‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહોમાં આની પ્રતીતિ થયા વગર રહેશે નહિં. ‘ઝબૂક વીજળી ઝબૂક’ (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ છે, તો ‘શેણી વિજાણંદ’ (૧૯૫૬) ગીતનાટિકા છે. \n\t\t<br/><br/>\n\t\t‘માટીનો મ્હેકતો સાદ’ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; ‘બે ભાઈ’ (૧૯૫૮), અને ‘તાઈકો’ (૧૯૬૮) બાળનાટકો છે; ‘પીડ પરાઈ’ (૧૯૭૩)માં પ્રસંગચિત્રો છે; તો ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ (ત્રી. આ. ૧૯૭૭) \n\t\tવ્યક્તિપરિચય છે.\n\t\t<br/><br/>\n\t\tએમનું અધ્યાત્મચિંતન ‘અંતર્વેદી’ (૧૯૭૮), ‘યોગપથ’ (૧૯૭૮), ‘સહજને કિનારે’ (૧૯૮૦), ‘ભાગવતી સાધના’ (૧૯૮૨), ‘ગર્ભદીપ’ (૧૯૮૩), ‘ચિરંતના’ (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. ‘વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ’ (૧૯૮૪)માં \n\t\tકાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. ‘એક પગલું આગળ’ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે.\n\t\t<br/><br/>\n\t\t‘સત કેરી વાણી’ (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ‘ઘટને મારગે’ (૧૯૪૬) અને ‘ટારઝનઃ જંગલોનો રાજા’ (૧૯૪૭) એમના અનુવાદો છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દવે મકરંદ વજેશંકર   \t\t(૧૩-૧૧-૧૯૨૨) : કવિ, ચરિત્રકાર. જન્મ ગોંડલમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આર્ટસ કૉલેજમાં દાખલ થયા પછી ૪૨ની લડત માટે ઈન્ટર આર્ટસથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’,  \t\t‘જયહિંદ’ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીનો પ્રયોગ કરી સંસ્થાના સર્જક, ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. \t\t  \t\tસંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ-મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યક્તિતા-આ બધો મકરંદ  \t\tદવેની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ‘તરણાં’ (૧૯૫૧), ‘જયભેરી’ (૧૯૫૨), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી’ (૧૯૬૧),  \t\t‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહોમાં આની પ્રતીતિ થયા વગર રહેશે નહિં. ‘ઝબૂક વીજળી ઝબૂક’ (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ છે, તો ‘શેણી વિજાણંદ’ (૧૯૫૬) ગીતનાટિકા છે.  \t\t  \t\t‘માટીનો મ્હેકતો સાદ’ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; ‘બે ભાઈ’ (૧૯૫૮), અને ‘તાઈકો’ (૧૯૬૮) બાળનાટકો છે; ‘પીડ પરાઈ’ (૧૯૭૩)માં પ્રસંગચિત્રો છે; તો ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ (ત્રી. આ. ૧૯૭૭)  \t\tવ્યક્તિપરિચય છે. \t\t  \t\tએમનું અધ્યાત્મચિંતન ‘અંતર્વેદી’ (૧૯૭૮), ‘યોગપથ’ (૧૯૭૮), ‘સહજને કિનારે’ (૧૯૮૦), ‘ભાગવતી સાધના’ (૧૯૮૨), ‘ગર્ભદીપ’ (૧૯૮૩), ‘ચિરંતના’ (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. ‘વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ’ (૧૯૮૪)માં  \t\tકાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. ‘એક પગલું આગળ’ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે. \t\t  \t\t‘સત કેરી વાણી’ (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ‘ઘટને મારગે’ (૧૯૪૬) અને ‘ટારઝનઃ જંગલોનો રાજા’ (૧૯૪૭) એમના અનુવાદો છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "makaranda-dave",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/makaranda-dave",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:02.050240",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17319,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મનહર મોદી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>મોદી મનહર શાંતિલાલ  </h4>\n\t\t(૧૫-૪-૧૯૩૭) : કવિ. જન્મ અમદાવાદમાં. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૪માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૬માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેક્ષ્ટાઈલ ડિઝાઈન સેલ્સમૅન. \n\t\t૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક. ૧૯૬૬માં ભવન્સ કૉલેજમાં અને પછી ડાકોરમાં વ્યાખ્યાતા. અત્યારે ભક્ત વલ્લભ ધોળા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. ‘નિરીક્ષક’ અને ‘ઉદગાર’ના તંત્રી.\n\t\t<br/><br/> \n\t\t‘રે મઠ’ની સાહિત્યપ્રવૃત્તિ અને બળવાખોરીમાં તેઓ આરંભથી જ સક્રિય રહેલા. સાહિત્યની સમજણથી એમણે આંદોલનો કર્યાં ને ગુજરાતી કવિતામાં વળાંક આવ્યો. ‘આકૃતિ’ (૧૯૬૩) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે. એમનો બીજો ‘ઓમ તત્ સત્’ (૧૯૬૭) \n\t\tનામક કાવ્યગ્રંથ અત્યંત પ્રયોગશીલ છે. એમની ‘ડાકોર ઉમરેઠ’, ‘તરડાયેલા પડછાયા’, ‘જૂ’ જેવી કૃતિઓ એક કાળે ચર્ચાનો વિષય હતી. છંદ-લયમાંથી બહાર આવીને જીવનની વિચ્છિન્નતાને છિન્નલયમાં અભિવ્યક્ત કરતી એમની કવિતા અર્થથી મુક્ત થઈને \n\t\t‘નર્થ’ સુધી જાય છે. એમની ગઝલને પણ આ વાત લાગુ પડે છે. એમની લગભગ બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’ (૧૯૮૬) પ્રગટ થયો છે. એમની રચનારીતિથી ગુજરાતી ગઝલને નૂતન પરિવેશ મળ્યો છે. અત્યંત પ્રયોગશીલતામાં સરી \n\t\tપડેલી એમની ગઝલ પછીથી પરંપરા અને પ્રયોગનો સુભગ સમન્વય સાધે છે. ‘હસુમતી અને બીજા’ (૧૯૮૭)માં એમની લાક્ષણિક રચનાઓ સંગૃહીત છે. એમણે ‘રે’ કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી’ (૧૯૭૪) તેમ જ ચિનુ મોદી અને આદિલ મન્સૂરી \n\t\tસાથે ‘ગાઈ તે ગઝલ’ (૧૯૮૦) જેવં સંપાદનો આપ્યાં છે. ‘સુરેશ જોશી : મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ’, ‘અધીત’- ૧૦-૧૧-૧૨, ‘વિવેચનના વિવિધ અભિગમો’ અને ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ’ (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે. \n\t\t<p align=\"right\">-મણિલાલ પટેલ</p>\n<br/><br/> \n\t\t૧૧ દરિયા (૧૯૮૫) : મનહર મોદીનો ગઝલસંગ્રહ. ગઝલોને અહીં કાલાનુક્રમે નહિ પણ કાલવ્યુત્ક્રમમાં ગોઠવવામાં આવી છે : ૧૯૮૩-૮૫ ની તદ્દન નવી ૩૨ ગઝલો, પછી ૧૯૮૨-૬૮ની ૨૧ ગઝલો, પછી ૧૯૬૭-૬૪ ની ૩૩ ગઝલો અને છેલ્લે ૧૯૬૩-૫૬ ની ૧૧ \n\t\tગઝલો. આને કારણે કવિની પરિપકવતાનાં સમર્થનો રૂપે એની ભૂતકાલીન ગઝલના સ્તરો ગોઠવાયેલા લાગે છે. પૂર્વે નરી આત્યંતિકતાને વરેલો આ કવિ અહીં પરંપરા સાથે સમન્વય રચી શક્યો છે. ‘૧૧ દરિયા’ રચના એવા સમન્વયમાંથી ઊપસેલી \n\t\tઆ સંગ્રહની સશકત ગઝલ છે. એકંદરે ભાષાની તાજગી ધ્યાનપાત્ર છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      મોદી મનહર શાંતિલાલ    \t\t(૧૫-૪-૧૯૩૭) : કવિ. જન્મ અમદાવાદમાં. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૪માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૬માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેક્ષ્ટાઈલ ડિઝાઈન સેલ્સમૅન.  \t\t૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક. ૧૯૬૬માં ભવન્સ કૉલેજમાં અને પછી ડાકોરમાં વ્યાખ્યાતા. અત્યારે ભક્ત વલ્લભ ધોળા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. ‘નિરીક્ષક’ અને ‘ઉદગાર’ના તંત્રી. \t\t   \t\t‘રે મઠ’ની સાહિત્યપ્રવૃત્તિ અને બળવાખોરીમાં તેઓ આરંભથી જ સક્રિય રહેલા. સાહિત્યની સમજણથી એમણે આંદોલનો કર્યાં ને ગુજરાતી કવિતામાં વળાંક આવ્યો. ‘આકૃતિ’ (૧૯૬૩) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે. એમનો બીજો ‘ઓમ તત્ સત્’ (૧૯૬૭)  \t\tનામક કાવ્યગ્રંથ અત્યંત પ્રયોગશીલ છે. એમની ‘ડાકોર ઉમરેઠ’, ‘તરડાયેલા પડછાયા’, ‘જૂ’ જેવી કૃતિઓ એક કાળે ચર્ચાનો વિષય હતી. છંદ-લયમાંથી બહાર આવીને જીવનની વિચ્છિન્નતાને છિન્નલયમાં અભિવ્યક્ત કરતી એમની કવિતા અર્થથી મુક્ત થઈને  \t\t‘નર્થ’ સુધી જાય છે. એમની ગઝલને પણ આ વાત લાગુ પડે છે. એમની લગભગ બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’ (૧૯૮૬) પ્રગટ થયો છે. એમની રચનારીતિથી ગુજરાતી ગઝલને નૂતન પરિવેશ મળ્યો છે. અત્યંત પ્રયોગશીલતામાં સરી  \t\tપડેલી એમની ગઝલ પછીથી પરંપરા અને પ્રયોગનો સુભગ સમન્વય સાધે છે. ‘હસુમતી અને બીજા’ (૧૯૮૭)માં એમની લાક્ષણિક રચનાઓ સંગૃહીત છે. એમણે ‘રે’ કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી’ (૧૯૭૪) તેમ જ ચિનુ મોદી અને આદિલ મન્સૂરી  \t\tસાથે ‘ગાઈ તે ગઝલ’ (૧૯૮૦) જેવં સંપાદનો આપ્યાં છે. ‘સુરેશ જોશી : મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ’, ‘અધીત’- ૧૦-૧૧-૧૨, ‘વિવેચનના વિવિધ અભિગમો’ અને ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ’ (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે.  \t\t -મણિલાલ પટેલ     \t\t૧૧ દરિયા (૧૯૮૫) : મનહર મોદીનો ગઝલસંગ્રહ. ગઝલોને અહીં કાલાનુક્રમે નહિ પણ કાલવ્યુત્ક્રમમાં ગોઠવવામાં આવી છે : ૧૯૮૩-૮૫ ની તદ્દન નવી ૩૨ ગઝલો, પછી ૧૯૮૨-૬૮ની ૨૧ ગઝલો, પછી ૧૯૬૭-૬૪ ની ૩૩ ગઝલો અને છેલ્લે ૧૯૬૩-૫૬ ની ૧૧  \t\tગઝલો. આને કારણે કવિની પરિપકવતાનાં સમર્થનો રૂપે એની ભૂતકાલીન ગઝલના સ્તરો ગોઠવાયેલા લાગે છે. પૂર્વે નરી આત્યંતિકતાને વરેલો આ કવિ અહીં પરંપરા સાથે સમન્વય રચી શક્યો છે. ‘૧૧ દરિયા’ રચના એવા સમન્વયમાંથી ઊપસેલી  \t\tઆ સંગ્રહની સશકત ગઝલ છે. એકંદરે ભાષાની તાજગી ધ્યાનપાત્ર છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "manahara-modi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/manahara-modi",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:02.269663",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17320,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મણિલાલ દ્વિવેદી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દ્વિવેદી મણિલાલ નભુભાઈ,  ‘એક બ્રાહ્મણ’, ‘એક વિદ્યાર્થી’, ‘અભેદમાર્ગપ્રવાસી’ </h4>\n\t\t(૨૬-૯-૧૮૫૮, ૧-૧૦-૧૮૯૮) : નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક,સંશોધક, સંપાદક. જન્મ નડિયાદમાં. ૧૮૭૫માં મૅટ્રિકની પરીક્ષામાં સંસ્કૃતમાં નાપાસ થયેલા. બીજે વર્ષે યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ થયેલા. શિષ્યવૃત્તિઓ મળતાં \n\t\tઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. ઇતિહાસ-રાજનીતિશાસ્ત્ર વિષયોમાં જેમ્સ ટેલર પારિતોષિક. દરમિયાન કમાવા માટે પિતાનો તકાદો થતાં ૧૮૮૦ માં નડિયાદ હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૮૧માં સરકારી કન્યાશાળાઓના નિરીક્ષક તરીકે \n\t\tમુંબઈ ગયા. ૧૮૮૫ થી ભાવનગરની શામળદાસ કૉલેજના સંસ્કૃતના પ્રાધ્યાપક. માંગદીને કારણે ૧૮૮૮માં ત્યાંથી નિવૃત્ત. ડિસેમ્બર ૧૮૯૩થી જુલાઈ ૧૮૯૫ સુધી વડોદરા રાજ્ય તરફથી શરૂ કરાયેલા પ્રાચ્યવિદ્યા વિભાગના અધ્યક્ષ. નડિયાદમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tસમાજસુધારા પરત્વે એમની દ્રષ્ટિ આંતરિક એટલે હૃદય અને ચારિત્ર્યના સુધારા પર મંડાયેલી હતી. એમણે સમાજના ઉપયોગી અંગ તરીકે વ્યક્તિનો વિચાર કરેલો છે. શિક્ષણમાં પણ આત્માની અને હૃદયની કેળવણી દ્વારા બૃદ્ધિવિકાસ પર્યન્ત પહોંચવાની માર્ગરેખા \n\t\tએમણે દોરી આપેલી. રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના માટે તેઓ પાશ્ચાત્યોનું ઋણ સ્વીકારે છે. નેશનલ કૉંગ્રેસની પ્રવૃત્તિમાં એમણે સક્રિય ભાગ લીધેલો. એમણે ટિળકને સજા થઈ ત્યારે સ્વમાની પત્રકાર તરીકે એનો વિરોધ દર્શાવેલો. ધર્મચિંતક તરીકે એમનું કાર્ય અધિક \n\t\tસત્ત્વવાળું છે. નડિયાદ અને મુંબઈ રહ્યા તે દરમિયાન પાશ્ચાત્ય તત્ત્વજ્ઞોનાં ઇતિહાસ અને ફિલસૂફી વિશેનાં પુસ્તકોનો તથા ‘ગીતા’, ‘બ્રહ્મસૂત્રો’, ‘સર્વદર્શનસંગ્રહ’ તેમ જ વેદાંતના ‘પંચદશી’, ‘શારીરક’ વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી શાંકરવેદાંત \n\t\tપર એમની શ્રદ્ધા દ્રઢ થઈ અને અદ્વૈતસિદ્ધાંત એમની સમગ્ર ચિંતનપ્રવૃત્તિનું ચાલકબળ બન્યો. તેનો ચૈતન્યભાવનારૂપે એમણે ‘પ્રિયંવદા’ (૧૮૮૫-૧૮૯૦) અને ‘સુદર્શન’ (૧૮૯૦-૧૮૯૮) માસિકો દ્વારા આમરણ ઉપદેશ આપ્યો.\n\t\t<br/><br/>\n\t\tસામાન્ય ગુજરાતી સમાજ, સુધરેલો ગણાતો શિક્ષિત સમુદાય અને પશ્ચિમના વિદ્વાનો-એ ત્રણ વર્ગને ઉદ્દેશીને એમણે કરેલાં ધર્મતત્ત્વ-વિષયક  લખાણોના પણ ત્રણ વિભાગ પડે : ધર્મતત્ત્વની એટલે કે અદ્વૈતસિદ્ધાંતને આધારે મનુષ્ય-જીવનનાં હેતુ અને કર્તવ્યની સાદી \n\t\tપણ શાસ્ત્રીય સમજ આપતા ‘સુદર્શન’ અને ‘પ્રિયવંદા’માંના લેખો; સુધારાની સામે આર્યધર્મ ને ફિલસૂફીનો સબળ પક્ષવાદ કરતા એ જ પત્રોમાંના લેખો તથા ‘સિદ્ધાંતસાર’; વેદ, ઉપનિષદો તથા પુરાણોનો રહસ્યસ્ફોટ કરીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિની \n\t\tસર્વોપરી શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથતાં એમનાં અંગ્રેજી લખાણો. ‘સુદર્શન ગદ્યાવલી’ (૧૯૧૯) એ ઉક્ત ત્રણે વિષયો પરના ગુજરાતી નિબંધોનો બૃહત્ સંગ્રહ છે. અહીં વેદાન્તસાધ્યને એમણે ‘પ્રેમ’ કે ‘અભેદ’ એવું નામ આપ્યું છે. પ્રેમ કે અભેદ એટલે ફિલસૂફીના \n\t\tઆચાર અને વિચારની એકતા સાધનારું ક્રિયાપ્રેરક બળ. શંકરાચાર્યે અદ્વૈતના અનુભવનો આનંદ કહ્યો તેને મણિલાલે પ્રવૃત્તિપ્રેરક જીવનબળ તરીકે ઉપસાવી આપ્યો શાંકરસિદ્ધાંતના વિકાસમાં એમનું આ વિશિષ્ટ પ્રદાન છે. જોકે, ઉદ્દેશની એકલક્ષિતાને લીધે એમના \n\t\tસિદ્ધાંતનિરૂપણમાં તર્કશૈથિલ્ય, અસંગતિ, એકપક્ષી સમર્થન વગેરે દોષો આવ્યા છે. એમનાં લખાણોમાં વિચાર અને વાણીનું સામંજસ્ય છે. સ્વયમેવ સ્ફુરતા વિચારોને સુનિશ્ચિત આકૃતિવાળા નિબંધમા વહેતા કરવાની કુશળતા એમને સહજસિદ્ધ છે. એમના નિબંધોમાં \n\t\tગદ્યનું સુઘટ્ટ પોત અને વેધક તેજ પ્રતીત થાય છે.\n\t\t<br/><br/>\n\t\tએમને લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ અપાવેલો ‘કાન્તા’ (૧૮૮૨) નાટકે. એમાં એમની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતાનો પરિચય થાય છે. એ નાટકના પ્રયોગથી શરૂ થયેલી મુંબઈ ગુજરાતી નાટક મંડળીની વિનંતીથી એમણે ઉત્તરવયમાં ‘નૃસિંહાવતાર’ (૧૮૯૫) \n\t\tનાટક લખેલું. આ સળંગ સંસ્કૃતપદ્ધતિના પૌરાણિક નાટકમાં ચમત્કારોથી ભરપૂર વસ્તુની ગૂંથણી કર્તવ્યભાવનાને કેન્દ્રમાં રાખીને થયેલી છે. સંખ્યાબંધ ગીતોથી રંગભૂમિ પર આકર્ષણ જમાવી ચૂકેલું આ નાટક રચનાની દ્રષ્ટિએ, ‘કાન્તા’ને મુકાબલે, કૃત્રિમ લાગે છે.\n\t\t<br/><br/>\n\t\tવિદ્યાર્થીકાળમાં છંદ અને પ્રાસના વ્યાયામરૂપે દલપતશૈલીએ કરેલી ‘શિક્ષાશતક’માંની રચનાઓ તથા નાટકોની પદ્યરચનાઓ ઉપરાંત એમણે ‘બે ઘડી આનંદ માટે’ છુટક પદ્યો રચેલાં, તેમાં ગઝલો, ગીતો, ભજનો અને વૃત્તબદ્ધ રચનાઓનો સમાવેશ થાય છે. \n\t\tહૃદયરોધક અનુભવ, મધુર લય, અર્થપૂર્ણ કાવ્યબાની અને પદ્યપ્રભુત્વ એ એમના કાવ્યસંગ્રહ ‘આત્મનિમજજન’ (૧૮૯૫)ની કવિતામાં પ્રમુખ ગુણલક્ષણો છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે સાહિત્યતત્ત્વોનો વિચાર ઘણું ખરું ગ્રંથાવલોકન-નિમિત્તે કરેલો છે અને તેથી ગુજરાતી વિવેચનને શુદ્ધ સંસ્કૃત કાવ્ય અને રસશાસ્ત્રના સંસ્કાર મળ્યા છે. પણ એ જ કારણે એમનાં વિવેચનો વિષયચર્ચા કરતાં વાર્તિકો જેવાં બન્યાં છે. વળી, આર્યસંસ્કૃતિ પ્રત્યેનો \n\t\tએમનો પક્ષપાત વિવેચનોમાં અનુચિત રીતે ઘૂસી ગયો છે.\n\t\t<br/><br/>\n\t\tએમની બીજી નોંધપાત્ર સાહિત્યકૃતિઓ છે : કરુણ સંઘર્ષમય સ્વજીવનના વાસ્તવિક હેવાલથી તેમ જ નિખાલસ સત્યકથનથી ચકચાર જગાવનારું એમનું અનોખું ‘આત્મચરિત્ર’ (૧૯૭૯) અને લિટનકૃત અધ્યાત્મરસિક નવલકથા ‘ઝેનોની’નું ભારતીય રૂપાંતર \n\t\t‘ગુલાબસિંહ’ (૧૮૯૭). આ ઉપરાંત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે લખેલું ‘ન્યાયહાસ્ય’ અને વડોદરાની ‘જ્ઞાનમંજુષા’ માટે તૈયાર કરેલું ‘ચેતનશાસ્ત્ર’ અનુક્રમે તર્કશાસ્ત્ર અને માનસશાસ્ત્રનાં સ્વતંત્ર ગુજરાતી સર્જનો છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે વડોદરાનરેશની આજ્ઞાથી આઠ મહિના પાટણમાં રહીને ત્યાંના ગ્રંથભંડારોની તપાસ કરેલી, તેનો ૨,૬૧૯ હસ્તલિખિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ સહિત વિસ્તૃત સંશોધનાત્મક હેવાલ વડોદરા રાજ્ય તરફથી ‘પ્રસિદ્ધ જૈન પુસ્તક મંદિરસ્થ હસ્તલિખિત ગ્રંથાનામ્ ક્રમપ્રદર્શક \n\t\tપત્રમ્’ (૧૮૯૬) એવા લાંબા શીર્ષકથી પ્રસિદ્ધ થયેલો, કે જેના આધારે રાજ્ય તરફથી પ્રાચ્યવિદ્યામંદિર અને ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ નામની ગ્રંથમાળાની સ્થાપના થયેલી. આ સંસ્થા માટે એમણે ૧૭ હસ્તલિખિત સંસ્કૃતગ્રંથોનું ભાષાંતર સહિત સંપાદન કરેલું, \n\t\tજેમાં ‘સમાધિશતક’, ‘ભોજપ્રબંધ’, ‘તર્કભાષા’, ‘શ્રી દ્વયાશ્રય મહાકાવ્ય’, ‘ષડ્દર્શન સમુચ્ચય’, ‘યોગબિન્દુ’, ‘કુમારપાલચરિત’ વગેરે મુખ્ય છે. એમણે ‘રામગીતા’, ‘હનુમન્ નાટક’, ‘મહાવીરચરિત’, ‘સમરાદિત્યચરિત’ના ગુજરાતી \n\t\tઅનુવાદ કરેલા છે, જે અદ્યાપિ અપ્રગટ છે. ‘તર્કકૌમુદી’, ‘યોગસૂત્ર’, ‘જીવન્મુક્તિ વિવેક’, ‘સમાધિશતક’ અને ‘માંડુક્યોપનિષદ’નાં એમણે તૈયાર કરેલાં અંગ્રેજી ભાષાંતર-સંપાદન પ્રસિદ્ધ થયાં છે. બોમ્બે સંસ્કૃત સીરીઝ માટે એમણે કરેલું ‘સ્યાદવાદ \n\t\tમંજરી’નું અંગ્રેજી ભાષાંતર-સંપાદન અધૂરું રહેલું, જે પાછળથી આનંદશંકર ધ્રુવે પૂરું કરેલું અને તે ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલું. એમણે સ્વેચ્છાએ અનુવાદ માટે પસંદ કરેલા ગ્રંથોમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’, ભવભૂતિનાં ત્રણ નાટકો, સ્માઈલ્સકૃત ‘કેરેકટર’, સેમ્યુઅલ \n\t\tનીલકૃત ‘કલ્ચર ઍન્ડ સેલ્ફકલ્ચર’, ‘વિવાદતાંડવ’ તથા ‘ચતુઃસૂત્રી’નો સમાવેશ થાય છે.\n\t\t<p align=\"right\">-ધીરુભાઈ ઠાકર</p>\n<br/><br/>\n\t\tસુદર્શન ગદ્યાવલિ (૧૯૧૯) : મણિલાન ન. દ્વિવેદીના, ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’માં પ્રગટ થયેલા નિબંધોનો બૃહત્ સંગ્રહ. એમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, કલા એમ લગભગ તમામ ક્ષેત્રોના મહત્ત્વના વિષયોની તાત્ત્વિક તેમ જ વ્યાવહારિક વિચારણા \n\t\tછે. વિભિન્ન રુચિ અને અધિકારવાળા વાચકોને રસ પડે તેવી વિષયસામગ્રી ધરાવતા આ નિબંધોની મુખ્ય વિશેષતાઓ છે : ઉચ્ચ કોટિની વિચારસંપત્તિ અને વિષયનું સુદ્દઢ ગ્રથન તથા નિરૂપણ. તત્ત્વચર્ચા  અને સિદ્ધાંતનિરૂપણના પ્રસંગે એમની શૈલી સ્વસ્થતા અને \n\t\tગૌરવ સાથે ઊંડી પર્યેષકતા ધારણ કરે છે. આ નિબંધોમાં થયેલી વિચારણા અને તેથી ચાલેલા વિવાદોને લીધે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીય ચર્ચાની ક્ષમતા ઘડાઈ હતી એ કારણે આ ગ્રંથ ‘ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર’ ગણાયો છે અને એના લેખકને અર્વાચીન \n\t\tયુગના ત્રણ શ્રેષ્ઠ નિબંધકારોમાં સ્થાન મળ્યું છે.\n\t\t<p align=\"right\">-ધીરુભાઈ ઠાકર</p>\n<br/><br/>\n\t\tકાન્તા (૧૮૮૨) : મણિલાલ ન. દ્વિવેદીની પહેલી સાહિત્યકૃતિ. જયશિખરી-સુરપાળ-ભુવડના ઐતિહાસિક વૃત્તાંતમાં કલ્પના અને સ્વાનુભવ મિશ્રિત કરીને એમણે આ નાટકના વસ્તુની ગૂંથણી કરેલી છે. નાન્દી-પ્રસ્તાવના કે ભરતવાક્ય વિનાનું, કરુણ અંતવાળું, \n\t\tપાશ્ચાત્ય પદ્ધતિનું નાટક રચવાનો આ પ્રયત્ન છે. સુરસેન-કાન્તાનું મધુર દામ્પત્ય દર્શાવતો આરંભનો પ્રસંગ અનેક વિપત્તિઓમાં પલટાતો જઈને છેવટે કાન્તા-સુરસેનના ચિતાપ્રવેશ રૂપે પર્યવસાન પામે છે. નાટકની ક્રિયા સાથે તાલ લેતા પાત્રના મનોવેગનું આકર્ષક \n\t\tનિરૂપણ, જીવંત પાત્રચિત્રણ અને કવિતાના સમુચિત ઉપયોગ દ્વારા થતી રસનિષ્પત્તિને કારણે જ, વસ્તુસંકલના શિથિલ અને સંવાદો દીર્ઘસૂત્રી હોવા છતાં, રમણભાઈ નીલકંઠે ‘કાન્તા’ને છેક ૧૯૦૯ સુધીના ગુજરાતી નાટ્યસાહિત્યમાં ‘એક જ આશ્વાસનસ્થાન’ \n\t\tતરીકે બિરદાવ્યું છે.\n\t\t<p align=\"right\">-ધીરુભાઈ ઠાકર</p>\n<br/><br/>\n\t\tઆત્મનિમજજન (૧૯૫૯) : મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આ કાવ્યસંગ્રહમાં ભજનો, ગીતો, ગઝલો અને વૃત્તબદ્ધ રચનાઓ મળીને કુલ પંચાવન કૃતિઓ છે. મણિલાલની કવિતાના મૂળમાં એમના અંગત જીવનના તીવ્ર આઘાતજનક અનુભવો રહેલા છે, જેની નિખાલસ \n\t\tવાત એમણે ‘આત્મવૃત્તાન્ત’માં કરેલી છે. ગીતોઅને ગઝલોમાં બુદ્ધિ અને હૃદયના ઉદાત્ત સમન્વયરૂપ અધ્યાત્મ-અનુભવ ધ્યાન ખેંચે છે. એ દ્રષ્ટિએ ‘ગગને આજ પ્રેમની ઝલક’ અને ‘દ્દગ રસભર’ જેવાં ગીતો તથા ‘અમર આશા’, ‘કિસ્મત’ અને ‘આ જામે \n\t\tઈશ્કમાં’ જેવી ગઝલો ઉત્તમ છે. શિષ્ટતા, રસિકતા, અર્થલક્ષિતા, સુવાચ્યતા અને અર્થપ્રેરકતા એ વૃત્તબદ્ધ રચનાઓનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૮૯ માં લખેલું ‘ગરીબાઈ’ કાવ્ય અને પૃથ્વી છંદનો પ્રયોગ-એમાં કોઈને ત્રીસીની કવિતાની આગાહી દેખાય.\n\t\t<br/><br/>\n\t\tઆત્મવૃત્તાન્ત (આત્મચરિત્ર) (૧૯૭૯) : ૧૮૮૬ આસપાસ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૨૮ વર્ષની ઉંમરે કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭-૧૧-૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરને હાથે સંપાદિત થઈ ઘણાં વર્ષે \n\t\tપ્રગટ થયું. તેમાં લેખકે, કોઈ પરમ વિશ્વાસુ મિત્ર સમક્ષ હૃદય ખોલતા હોય તેમ, નિખાલસભાવે કરેલું આ સ્વાનુભવકથન છે, જે મણિલાલના માનસને તેમ એમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી છે. ખરું જોતાં આ આત્મવૃત્તાંતમાં લેખક, ચિંતક, \n\t\tપંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા છે. તેમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝિલાયું છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દ્વિવેદી મણિલાલ નભુભાઈ,  ‘એક બ્રાહ્મણ’, ‘એક વિદ્યાર્થી’, ‘અભેદમાર્ગપ્રવાસી’   \t\t(૨૬-૯-૧૮૫૮, ૧-૧૦-૧૮૯૮) : નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક,સંશોધક, સંપાદક. જન્મ નડિયાદમાં. ૧૮૭૫માં મૅટ્રિકની પરીક્ષામાં સંસ્કૃતમાં નાપાસ થયેલા. બીજે વર્ષે યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ થયેલા. શિષ્યવૃત્તિઓ મળતાં  \t\tઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. ઇતિહાસ-રાજનીતિશાસ્ત્ર વિષયોમાં જેમ્સ ટેલર પારિતોષિક. દરમિયાન કમાવા માટે પિતાનો તકાદો થતાં ૧૮૮૦ માં નડિયાદ હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૮૧માં સરકારી કન્યાશાળાઓના નિરીક્ષક તરીકે  \t\tમુંબઈ ગયા. ૧૮૮૫ થી ભાવનગરની શામળદાસ કૉલેજના સંસ્કૃતના પ્રાધ્યાપક. માંગદીને કારણે ૧૮૮૮માં ત્યાંથી નિવૃત્ત. ડિસેમ્બર ૧૮૯૩થી જુલાઈ ૧૮૯૫ સુધી વડોદરા રાજ્ય તરફથી શરૂ કરાયેલા પ્રાચ્યવિદ્યા વિભાગના અધ્યક્ષ. નડિયાદમાં અવસાન. \t\t  \t\tસમાજસુધારા પરત્વે એમની દ્રષ્ટિ આંતરિક એટલે હૃદય અને ચારિત્ર્યના સુધારા પર મંડાયેલી હતી. એમણે સમાજના ઉપયોગી અંગ તરીકે વ્યક્તિનો વિચાર કરેલો છે. શિક્ષણમાં પણ આત્માની અને હૃદયની કેળવણી દ્વારા બૃદ્ધિવિકાસ પર્યન્ત પહોંચવાની માર્ગરેખા  \t\tએમણે દોરી આપેલી. રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના માટે તેઓ પાશ્ચાત્યોનું ઋણ સ્વીકારે છે. નેશનલ કૉંગ્રેસની પ્રવૃત્તિમાં એમણે સક્રિય ભાગ લીધેલો. એમણે ટિળકને સજા થઈ ત્યારે સ્વમાની પત્રકાર તરીકે એનો વિરોધ દર્શાવેલો. ધર્મચિંતક તરીકે એમનું કાર્ય અધિક  \t\tસત્ત્વવાળું છે. નડિયાદ અને મુંબઈ રહ્યા તે દરમિયાન પાશ્ચાત્ય તત્ત્વજ્ઞોનાં ઇતિહાસ અને ફિલસૂફી વિશેનાં પુસ્તકોનો તથા ‘ગીતા’, ‘બ્રહ્મસૂત્રો’, ‘સર્વદર્શનસંગ્રહ’ તેમ જ વેદાંતના ‘પંચદશી’, ‘શારીરક’ વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી શાંકરવેદાંત  \t\tપર એમની શ્રદ્ધા દ્રઢ થઈ અને અદ્વૈતસિદ્ધાંત એમની સમગ્ર ચિંતનપ્રવૃત્તિનું ચાલકબળ બન્યો. તેનો ચૈતન્યભાવનારૂપે એમણે ‘પ્રિયંવદા’ (૧૮૮૫-૧૮૯૦) અને ‘સુદર્શન’ (૧૮૯૦-૧૮૯૮) માસિકો દ્વારા આમરણ ઉપદેશ આપ્યો. \t\t  \t\tસામાન્ય ગુજરાતી સમાજ, સુધરેલો ગણાતો શિક્ષિત સમુદાય અને પશ્ચિમના વિદ્વાનો-એ ત્રણ વર્ગને ઉદ્દેશીને એમણે કરેલાં ધર્મતત્ત્વ-વિષયક  લખાણોના પણ ત્રણ વિભાગ પડે : ધર્મતત્ત્વની એટલે કે અદ્વૈતસિદ્ધાંતને આધારે મનુષ્ય-જીવનનાં હેતુ અને કર્તવ્યની સાદી  \t\tપણ શાસ્ત્રીય સમજ આપતા ‘સુદર્શન’ અને ‘પ્રિયવંદા’માંના લેખો; સુધારાની સામે આર્યધર્મ ને ફિલસૂફીનો સબળ પક્ષવાદ કરતા એ જ પત્રોમાંના લેખો તથા ‘સિદ્ધાંતસાર’; વેદ, ઉપનિષદો તથા પુરાણોનો રહસ્યસ્ફોટ કરીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિની  \t\tસર્વોપરી શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથતાં એમનાં અંગ્રેજી લખાણો. ‘સુદર્શન ગદ્યાવલી’ (૧૯૧૯) એ ઉક્ત ત્રણે વિષયો પરના ગુજરાતી નિબંધોનો બૃહત્ સંગ્રહ છે. અહીં વેદાન્તસાધ્યને એમણે ‘પ્રેમ’ કે ‘અભેદ’ એવું નામ આપ્યું છે. પ્રેમ કે અભેદ એટલે ફિલસૂફીના  \t\tઆચાર અને વિચારની એકતા સાધનારું ક્રિયાપ્રેરક બળ. શંકરાચાર્યે અદ્વૈતના અનુભવનો આનંદ કહ્યો તેને મણિલાલે પ્રવૃત્તિપ્રેરક જીવનબળ તરીકે ઉપસાવી આપ્યો શાંકરસિદ્ધાંતના વિકાસમાં એમનું આ વિશિષ્ટ પ્રદાન છે. જોકે, ઉદ્દેશની એકલક્ષિતાને લીધે એમના  \t\tસિદ્ધાંતનિરૂપણમાં તર્કશૈથિલ્ય, અસંગતિ, એકપક્ષી સમર્થન વગેરે દોષો આવ્યા છે. એમનાં લખાણોમાં વિચાર અને વાણીનું સામંજસ્ય છે. સ્વયમેવ સ્ફુરતા વિચારોને સુનિશ્ચિત આકૃતિવાળા નિબંધમા વહેતા કરવાની કુશળતા એમને સહજસિદ્ધ છે. એમના નિબંધોમાં  \t\tગદ્યનું સુઘટ્ટ પોત અને વેધક તેજ પ્રતીત થાય છે. \t\t  \t\tએમને લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ અપાવેલો ‘કાન્તા’ (૧૮૮૨) નાટકે. એમાં એમની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતાનો પરિચય થાય છે. એ નાટકના પ્રયોગથી શરૂ થયેલી મુંબઈ ગુજરાતી નાટક મંડળીની વિનંતીથી એમણે ઉત્તરવયમાં ‘નૃસિંહાવતાર’ (૧૮૯૫)  \t\tનાટક લખેલું. આ સળંગ સંસ્કૃતપદ્ધતિના પૌરાણિક નાટકમાં ચમત્કારોથી ભરપૂર વસ્તુની ગૂંથણી કર્તવ્યભાવનાને કેન્દ્રમાં રાખીને થયેલી છે. સંખ્યાબંધ ગીતોથી રંગભૂમિ પર આકર્ષણ જમાવી ચૂકેલું આ નાટક રચનાની દ્રષ્ટિએ, ‘કાન્તા’ને મુકાબલે, કૃત્રિમ લાગે છે. \t\t  \t\tવિદ્યાર્થીકાળમાં છંદ અને પ્રાસના વ્યાયામરૂપે દલપતશૈલીએ કરેલી ‘શિક્ષાશતક’માંની રચનાઓ તથા નાટકોની પદ્યરચનાઓ ઉપરાંત એમણે ‘બે ઘડી આનંદ માટે’ છુટક પદ્યો રચેલાં, તેમાં ગઝલો, ગીતો, ભજનો અને વૃત્તબદ્ધ રચનાઓનો સમાવેશ થાય છે.  \t\tહૃદયરોધક અનુભવ, મધુર લય, અર્થપૂર્ણ કાવ્યબાની અને પદ્યપ્રભુત્વ એ એમના કાવ્યસંગ્રહ ‘આત્મનિમજજન’ (૧૮૯૫)ની કવિતામાં પ્રમુખ ગુણલક્ષણો છે. \t\t  \t\tએમણે સાહિત્યતત્ત્વોનો વિચાર ઘણું ખરું ગ્રંથાવલોકન-નિમિત્તે કરેલો છે અને તેથી ગુજરાતી વિવેચનને શુદ્ધ સંસ્કૃત કાવ્ય અને રસશાસ્ત્રના સંસ્કાર મળ્યા છે. પણ એ જ કારણે એમનાં વિવેચનો વિષયચર્ચા કરતાં વાર્તિકો જેવાં બન્યાં છે. વળી, આર્યસંસ્કૃતિ પ્રત્યેનો  \t\tએમનો પક્ષપાત વિવેચનોમાં અનુચિત રીતે ઘૂસી ગયો છે. \t\t  \t\tએમની બીજી નોંધપાત્ર સાહિત્યકૃતિઓ છે : કરુણ સંઘર્ષમય સ્વજીવનના વાસ્તવિક હેવાલથી તેમ જ નિખાલસ સત્યકથનથી ચકચાર જગાવનારું એમનું અનોખું ‘આત્મચરિત્ર’ (૧૯૭૯) અને લિટનકૃત અધ્યાત્મરસિક નવલકથા ‘ઝેનોની’નું ભારતીય રૂપાંતર  \t\t‘ગુલાબસિંહ’ (૧૮૯૭). આ ઉપરાંત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે લખેલું ‘ન્યાયહાસ્ય’ અને વડોદરાની ‘જ્ઞાનમંજુષા’ માટે તૈયાર કરેલું ‘ચેતનશાસ્ત્ર’ અનુક્રમે તર્કશાસ્ત્ર અને માનસશાસ્ત્રનાં સ્વતંત્ર ગુજરાતી સર્જનો છે. \t\t  \t\tએમણે વડોદરાનરેશની આજ્ઞાથી આઠ મહિના પાટણમાં રહીને ત્યાંના ગ્રંથભંડારોની તપાસ કરેલી, તેનો ૨,૬૧૯ હસ્તલિખિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ સહિત વિસ્તૃત સંશોધનાત્મક હેવાલ વડોદરા રાજ્ય તરફથી ‘પ્રસિદ્ધ જૈન પુસ્તક મંદિરસ્થ હસ્તલિખિત ગ્રંથાનામ્ ક્રમપ્રદર્શક  \t\tપત્રમ્’ (૧૮૯૬) એવા લાંબા શીર્ષકથી પ્રસિદ્ધ થયેલો, કે જેના આધારે રાજ્ય તરફથી પ્રાચ્યવિદ્યામંદિર અને ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ નામની ગ્રંથમાળાની સ્થાપના થયેલી. આ સંસ્થા માટે એમણે ૧૭ હસ્તલિખિત સંસ્કૃતગ્રંથોનું ભાષાંતર સહિત સંપાદન કરેલું,  \t\tજેમાં ‘સમાધિશતક’, ‘ભોજપ્રબંધ’, ‘તર્કભાષા’, ‘શ્રી દ્વયાશ્રય મહાકાવ્ય’, ‘ષડ્દર્શન સમુચ્ચય’, ‘યોગબિન્દુ’, ‘કુમારપાલચરિત’ વગેરે મુખ્ય છે. એમણે ‘રામગીતા’, ‘હનુમન્ નાટક’, ‘મહાવીરચરિત’, ‘સમરાદિત્યચરિત’ના ગુજરાતી  \t\tઅનુવાદ કરેલા છે, જે અદ્યાપિ અપ્રગટ છે. ‘તર્કકૌમુદી’, ‘યોગસૂત્ર’, ‘જીવન્મુક્તિ વિવેક’, ‘સમાધિશતક’ અને ‘માંડુક્યોપનિષદ’નાં એમણે તૈયાર કરેલાં અંગ્રેજી ભાષાંતર-સંપાદન પ્રસિદ્ધ થયાં છે. બોમ્બે સંસ્કૃત સીરીઝ માટે એમણે કરેલું ‘સ્યાદવાદ  \t\tમંજરી’નું અંગ્રેજી ભાષાંતર-સંપાદન અધૂરું રહેલું, જે પાછળથી આનંદશંકર ધ્રુવે પૂરું કરેલું અને તે ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલું. એમણે સ્વેચ્છાએ અનુવાદ માટે પસંદ કરેલા ગ્રંથોમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’, ભવભૂતિનાં ત્રણ નાટકો, સ્માઈલ્સકૃત ‘કેરેકટર’, સેમ્યુઅલ  \t\tનીલકૃત ‘કલ્ચર ઍન્ડ સેલ્ફકલ્ચર’, ‘વિવાદતાંડવ’ તથા ‘ચતુઃસૂત્રી’નો સમાવેશ થાય છે. \t\t -ધીરુભાઈ ઠાકર    \t\tસુદર્શન ગદ્યાવલિ (૧૯૧૯) : મણિલાન ન. દ્વિવેદીના, ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’માં પ્રગટ થયેલા નિબંધોનો બૃહત્ સંગ્રહ. એમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, કલા એમ લગભગ તમામ ક્ષેત્રોના મહત્ત્વના વિષયોની તાત્ત્વિક તેમ જ વ્યાવહારિક વિચારણા  \t\tછે. વિભિન્ન રુચિ અને અધિકારવાળા વાચકોને રસ પડે તેવી વિષયસામગ્રી ધરાવતા આ નિબંધોની મુખ્ય વિશેષતાઓ છે : ઉચ્ચ કોટિની વિચારસંપત્તિ અને વિષયનું સુદ્દઢ ગ્રથન તથા નિરૂપણ. તત્ત્વચર્ચા  અને સિદ્ધાંતનિરૂપણના પ્રસંગે એમની શૈલી સ્વસ્થતા અને  \t\tગૌરવ સાથે ઊંડી પર્યેષકતા ધારણ કરે છે. આ નિબંધોમાં થયેલી વિચારણા અને તેથી ચાલેલા વિવાદોને લીધે ગુજરાતી ગદ્યની શાસ્ત્રીય ચર્ચાની ક્ષમતા ઘડાઈ હતી એ કારણે આ ગ્રંથ ‘ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર’ ગણાયો છે અને એના લેખકને અર્વાચીન  \t\tયુગના ત્રણ શ્રેષ્ઠ નિબંધકારોમાં સ્થાન મળ્યું છે. \t\t -ધીરુભાઈ ઠાકર    \t\tકાન્તા (૧૮૮૨) : મણિલાલ ન. દ્વિવેદીની પહેલી સાહિત્યકૃતિ. જયશિખરી-સુરપાળ-ભુવડના ઐતિહાસિક વૃત્તાંતમાં કલ્પના અને સ્વાનુભવ મિશ્રિત કરીને એમણે આ નાટકના વસ્તુની ગૂંથણી કરેલી છે. નાન્દી-પ્રસ્તાવના કે ભરતવાક્ય વિનાનું, કરુણ અંતવાળું,  \t\tપાશ્ચાત્ય પદ્ધતિનું નાટક રચવાનો આ પ્રયત્ન છે. સુરસેન-કાન્તાનું મધુર દામ્પત્ય દર્શાવતો આરંભનો પ્રસંગ અનેક વિપત્તિઓમાં પલટાતો જઈને છેવટે કાન્તા-સુરસેનના ચિતાપ્રવેશ રૂપે પર્યવસાન પામે છે. નાટકની ક્રિયા સાથે તાલ લેતા પાત્રના મનોવેગનું આકર્ષક  \t\tનિરૂપણ, જીવંત પાત્રચિત્રણ અને કવિતાના સમુચિત ઉપયોગ દ્વારા થતી રસનિષ્પત્તિને કારણે જ, વસ્તુસંકલના શિથિલ અને સંવાદો દીર્ઘસૂત્રી હોવા છતાં, રમણભાઈ નીલકંઠે ‘કાન્તા’ને છેક ૧૯૦૯ સુધીના ગુજરાતી નાટ્યસાહિત્યમાં ‘એક જ આશ્વાસનસ્થાન’  \t\tતરીકે બિરદાવ્યું છે. \t\t -ધીરુભાઈ ઠાકર    \t\tઆત્મનિમજજન (૧૯૫૯) : મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આ કાવ્યસંગ્રહમાં ભજનો, ગીતો, ગઝલો અને વૃત્તબદ્ધ રચનાઓ મળીને કુલ પંચાવન કૃતિઓ છે. મણિલાલની કવિતાના મૂળમાં એમના અંગત જીવનના તીવ્ર આઘાતજનક અનુભવો રહેલા છે, જેની નિખાલસ  \t\tવાત એમણે ‘આત્મવૃત્તાન્ત’માં કરેલી છે. ગીતોઅને ગઝલોમાં બુદ્ધિ અને હૃદયના ઉદાત્ત સમન્વયરૂપ અધ્યાત્મ-અનુભવ ધ્યાન ખેંચે છે. એ દ્રષ્ટિએ ‘ગગને આજ પ્રેમની ઝલક’ અને ‘દ્દગ રસભર’ જેવાં ગીતો તથા ‘અમર આશા’, ‘કિસ્મત’ અને ‘આ જામે  \t\tઈશ્કમાં’ જેવી ગઝલો ઉત્તમ છે. શિષ્ટતા, રસિકતા, અર્થલક્ષિતા, સુવાચ્યતા અને અર્થપ્રેરકતા એ વૃત્તબદ્ધ રચનાઓનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૮૯ માં લખેલું ‘ગરીબાઈ’ કાવ્ય અને પૃથ્વી છંદનો પ્રયોગ-એમાં કોઈને ત્રીસીની કવિતાની આગાહી દેખાય. \t\t  \t\tઆત્મવૃત્તાન્ત (આત્મચરિત્ર) (૧૯૭૯) : ૧૮૮૬ આસપાસ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૨૮ વર્ષની ઉંમરે કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭-૧૧-૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરને હાથે સંપાદિત થઈ ઘણાં વર્ષે  \t\tપ્રગટ થયું. તેમાં લેખકે, કોઈ પરમ વિશ્વાસુ મિત્ર સમક્ષ હૃદય ખોલતા હોય તેમ, નિખાલસભાવે કરેલું આ સ્વાનુભવકથન છે, જે મણિલાલના માનસને તેમ એમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી છે. ખરું જોતાં આ આત્મવૃત્તાંતમાં લેખક, ચિંતક,  \t\tપંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા છે. તેમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝિલાયું છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "manilala-dvivedi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/manilala-dvivedi",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:02.600968",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17321,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મણિલાલ પટેલ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પટેલ મણિલાલ હરિદાસ </h4>\n\t\t\t(૯-૧૧-૧૯૪૯) :  કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ લુણાવાડા તાલુકાના મોટાપાલ્લામાં. ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૧માં  ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૯માં \n\t\t\t‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઈડરમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૮૭થી સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે સંલગ્ન.\n\t\t<br/><br/>\n\t\t\tએમના ‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ’ (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહોમાં ઈડરના સ્થળવિશેષના આગવા અસબાબથી અને ઈન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને \n\t\t\tઅનુસંધિત રાખીને ચાલે છે. ‘તરસઘર’ (૧૯૭૪), ‘ઘેરો’ (૧૯૮૪) અને ‘કિલ્લો’ (૧૯૮૬) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’ (૧૯૮૫) એમનો \n\t\t\tલલિતનિબંધોનો સંગ્રહ છે; એમાં અંગત આપવીતી ક્યાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘જીવનકથા’ (૧૯૮૬) એમના વિવેચનગ્રંથો છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પટેલ મણિલાલ હરિદાસ   \t\t\t(૯-૧૧-૧૯૪૯) :  કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ લુણાવાડા તાલુકાના મોટાપાલ્લામાં. ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૧માં  ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૯માં  \t\t\t‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઈડરમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૮૭થી સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે સંલગ્ન. \t\t  \t\t\tએમના ‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ’ (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહોમાં ઈડરના સ્થળવિશેષના આગવા અસબાબથી અને ઈન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને  \t\t\tઅનુસંધિત રાખીને ચાલે છે. ‘તરસઘર’ (૧૯૭૪), ‘ઘેરો’ (૧૯૮૪) અને ‘કિલ્લો’ (૧૯૮૬) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’ (૧૯૮૫) એમનો  \t\t\tલલિતનિબંધોનો સંગ્રહ છે; એમાં અંગત આપવીતી ક્યાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘જીવનકથા’ (૧૯૮૬) એમના વિવેચનગ્રંથો છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "manilala-patela",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/manilala-patela",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:02.972117",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17322,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મણિશંકર ભટ્ટ  ‘કાન્ત’",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>ભટ્ટ મણિશંકર રત્નજી,  ‘કાન્ત’  </h4>\n\t\t(૨૦-૧૧-૧૮૬૭, ૧૬-૬-૧૯૨૩) : કવિ, નાટ્યકાર. જન્મ ચાવંડ (જિ. અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં \n\t\tજ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ \n\t\tકવિતાવિલાસનો ફાળો હોવાનો સંભવ છે. ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર \n\t\tપ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. ૧૮૮૯માં થોડો વખથ સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના \n\t\tકલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા. આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જેણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના સ્નેહાતુર \n\t\tકલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને \n\t\tસ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે, ૧૮૯૮માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. ૧૮૯૮માં \n\t\tએમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત બની રહ્યો.\n\t\t<br/><br/> \n\t\t૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે ખ્રિસ્તી ધર્મ-સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવન ઑફિસમાં કામગીરી બજાવી. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, \n\t\tત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું.\n\t\t<br/><br/> \n\t\tસાહિત્યક્ષેત્રે એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન કવિ તરીકેનું છે. અંગ્રેજીના પ્રભાવ નીચે વિકસતી આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાધીન રૂપ પહેલીવાર એમની કવિતામાં પ્રગટ થાય છે. ‘પૂર્વાલાપ’ (૧૯૨૩)માં \n\t\tએમણે પોતાનાં કાવ્યોનો સંચય કર્યા પછી ૧૯૨૬ ની રા. વિ. પાઠક સંપાદિત આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે કેટલાંક કાવ્યો ઉમેરાયેલાં છે તેમ છતાં હજુ કેટલાંક કાવ્યો અપ્રગટ રહેલાં તથા સામયિકો ને નાટક કે સંગીતના ગ્રંથોમાં \n\t\tકાન્તના નામે કે નામ વગર પડ્યાં રહેલાં છે. ૧૮૮૬ કે તે પૂર્વેથી માંડીને ૧૯૨૩ સુધીના કાવ્યસર્જનના આ પ્રવાહની દિશા અને ગતિ ૧૮૯૧ પછી એકદમ બદલાઈ જતી ભાસે છે. ત્યાં સુધી વૃત્તબદ્ધ અને એમાંયે વિશેષે લાંબાં \n\t\tવૃત્તાંતકાવ્યો આપનાર કવિ પાસેથી પછીથી અંગત ઊર્મિનાં થોડાં વૃત્તબદ્ધ કાવ્યો, તો વિશેષે ગઝલ, કવ્વાલી, અંજલી વગેરે પ્રકારની ગીતરચનાઓ અને સંગીતાનુકૂલ શબ્દરચનાઓ મળે છે; કાવ્યબાની સંસ્કૃતની શિષ્ટમિષ્ટ \n\t\tછટાથી તળપદી સરલતા અને સીધાપણા તરફ ઢળતી જાય છે; પ્રયોગશીલતા શાંત પડે છે અને કવિતાની સિદ્ધિઓથી ભરેલો અંક પૂરો થતો અનુભવાય છે. સૌન્દર્યતત્વના ઉપાસક કવિ હવે શિવતત્વના ઉપાસક પ્રતીત થાય \n\t\tછે. કવિતાના આ અસાધારણ દિશા-ગતિના પલટામાં ઊંચા કાવ્યાદર્શ અને અત્યંત સભાન, આયાસપૂર્ણ કાવ્યલેખનરીતિના થાકથી પ્રસંગોપાત્ત ઉદભવતી નિરાશા, પત્નીના મૃત્યુ જેવા અંગત જીવનના આઘાતો, વડોદરાના \n\t\tકલાભવનમાં ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવા ગ્રંથની કામગીરીનો બોજ અને સૌથી વિશેષ સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્વીકારમાં પરિણમેલું કવિનું આંતરમંથન કારણભૂત હોવાનો સંભવ છે.\n\t\t<br/><br/> \n\t\tકાવ્યની કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ, પછીથી ‘ખંડકાવ્ય’ એ સંજ્ઞાથી ઓળખાયેલાં એમનાં વૃત્તાંતકાવ્યો છે. પુરાણકથા કે કવિસમયનો આશ્રય, માર્મિક જીવનક્ષણનું રહસ્યગર્ભી વસ્તુલક્ષી સ્વસ્થ આલેખન અને વૃત્તવૈવિધ્યથી \n\t\tસિદ્ધ કરેલું મનોરમ કાવ્યસ્થાપત્ય-એ એનાં લક્ષણો પછીથી ખંડકાવ્યનાં સ્વરૂપવિધાયક લક્ષણો બની ગયાં છે અને ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ એ ત્રણ કાવ્યોમાં એમની સિદ્ધિ અદ્યપર્યત અનુપમ રહી છે. \n\t\tઆ ખંડકાવ્યોમાં પ્રણયની અતૃપ્તિની વેદના અને તે નિમિત્તે કઠોર વિધિશાસનનું કરુણ જીવનદર્શન વ્યક્ત થયેલું છે. \n\t\t<br/><br/> \n\t\tનવેકની સંખ્યામાં મળતાં એમનાં ખંડકાવ્યો કરતાં એમનાં ઊર્મિકાવ્યો જથ્થામાં ઘણા વધારે છે. એમાં પણ ‘ઉપહાર’, ‘ઉદગાર’, ‘વત્સલનાં નયનો’, ‘સાગર અને શશી’ જેવી ગહન ભાવભરી, મૂર્ત શૈલીની સ્થાપત્ય સુંદર \n\t\tરચનાઓ છે; પરંતુ ઘણા ઊર્મિકાવ્યો કવિના અંગત જીવન સાથે સંકળાયેલાં છે અને વિવિધ પ્રસંગોની એમની લાગણીઓનું વહન કરે છે. એમાં મિત્રોને અને સ્વજનોને અનુલક્ષીને રચાયેલાં કાવ્યો છે, તેમ કેવળ પ્રાસંગિક \n\t\tકાવ્યો પણ છે. આ ઊર્મિકાવ્યો સર્જકના સચ્ચાઈભર્યા સંવેદન અને પારદર્શક અભિવ્યક્તિથી આસ્વાદ્ય બન્યાં છે.\n\t\t<br/><br/> \n\t\tએમનાં ચાર નાટકો ‘સલીમશાહ અથવા અશ્રુમતી’, ‘રોમન આત્મશાસન અથવા રોમન સ્વરાજ્ય’, ‘દુઃખી સંસાર’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ અનુક્રમે ૧૯૦૮ થી ૧૯૧૪ દરમિયાન લખાયાં છે. એમાંથી ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ \n\t\tગોવિંદસિંહ’ (બે નાટકો) ૧૯૨૪માં તથા ‘દુઃખી સંસાર’ ૧૯૧૫માં પ્રસિદ્ધ થયેલાં છે. ‘ગુરુ ગોવિંદસિંહ’ સિવાય ત્રણે નાટકો ભજવાયેલાં; તેમાં ‘રોમન સ્વરાજ્ય’ દેશી નાટક સમજે ફેરફાર સાથે ભજવેલું, જે કાન્તના નામ વિના \n\t\t‘જાલિમ ટુલીયા’ નામથી ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલું છે. આ નાટકો મહારાજા ભાવસિંહજીની ઈચ્છાથી અને તેમનાં સૂચનો અનુસાર તેમ જ તત્કાલીન રંગભૂમિની અપેક્ષાઓને પણ નજરમાં રાખીને લખાયાં હતાં. ‘સલીમશાહ’ અને \n\t\t‘દુઃખી સંસાર’માં તો, ખાસ કરીને એના પ્રહસન-અંશોમાં, ડાહ્યાલાલ શિવરામ કવિનું સહકર્તુત્વ છે. આમ, આ નાટકોને કાન્તની સ્વતંત્ર સર્ગશક્તિના પરિણામરૂપે જોવામાં મુશ્કેલી છે. તેમ છતાં એમાં જમાનાની ખરી \n\t\tસમસ્યાઓને વ્યવહારુ રીતે સ્પર્શ કરવાનો એમનો પ્રયત્ન તથા એમનાં વ્યક્તિત્વ અને વિચારોનો પ્રભાવ જોઈ શકાય છે. ‘સલીમશાહ’માં જાતિભેદ અને તજજ્ન્ય વૈરની દીવાલને તોડવા મથતી પ્રતાપપુત્રી અશ્રુમતી અને \n\t\tસલીમશાહના પ્રેમની કરુણ-કોમલ કલ્પિત કથા વર્ણવાયેલી છે; તો ‘ગુરુ ગોવિંદસિંહ’માં પણ સ્વદેશીનો સીમાડો છોડી સર્વદેશીપણા સુધી આંબવા જતી હિન્દુ-મુસ્લિમ ઐક્યની ભાવના આલેખાઈ છે. ‘રોમન સ્વરાજ્ય’માં બીજરૂપે \n\t\tરાજાશાહી વિરુદ્ધ પ્રજાશાસનનો નવીન અને પ્રભાવશાળી વિચાર પડેલો છે. ‘દુઃખી સંસાર’ આવા કશા નવીન વિચારના અનુપ્રવેશ વિનાનું એક સંસારચિત્ર માત્ર છે. સંસ્કૃતાઢ્ય શિષ્ટ વાણીને સ્થાને વ્યવહારુ બોલચાલની \n\t\tવાગ્ભંગિઓને પ્રયોજવા મથતું આ નાટકોનું ગદ્ય પણ તત્કાલીન સાહિત્યિક નાટકોમાં કંઈક જુદી ભાત પાડે છે. વ્યક્તત્વચિત્રણ અને લાગણીવિચારના આલેખનમાં કાન્તને કેટલીક સફળતા મળી હોવા છતાં આ નાટકોમાં \n\t\tનાટ્યવસ્તુનાં કલ્પન ને ગ્રથનમાં ઘણી શિથિલતાઓ રહી ગઈ છે. ‘દુઃખી સંસાર’ અને ‘જાલિમ ટુલીયા’માં વ્યવસાયી રંગભૂમિને છાજતું અતિરંજકતાનું વાતાવરણ છે; પરંતુ અન્ય નાટકોમાં લોકભોગ્યતાના અંશો હોવા છતાં \n\t\tએકંદરે શિષ્ટ રુચિ અને સાહિત્યિકતાની આબોહવા પ્રવર્તે છે.\n\t\t<br/><br/> \n\t\tકાન્તના સંભવતઃ ૧૮૯૭ના અરસામાં લખાયેલાં પાંચ સંવાદો (‘કલાપી-કાન્તના સંવાદો’, બી. આ. ૧૯૨૩) કાલ્પનિક કે ઐતિહાસિક પાત્રોનાં જીવનની માર્મિક પળનું અવલંબન લેતા હોવા છતાં એકંદરે વિચારચર્ચાના નિબંધો છે \n\t\tઅને ધર્મ, કર્તવ્ય, ઈશ્વર વગેરે પરત્વેનાં કાન્તનાં લાક્ષણિક વિચારવલણોની દ્રષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે. કાન્તની અધૂરી વાર્તા ‘કુમાર અને ગૌરી’ (૧૯૧૦)માં પણ કાન્તનું કેટલુંક વિચારમંથન છે; જ્યારે બીજી વાર્તા \n\t\t‘હીરામાણેકની એક મોટી ખાણ’ (બી. આ. ૧૯૧૨)માં હેતુલક્ષી બોધપ્રધાન જીવનવિશ્લેષણ છે. કિશોરવયમાં કાન્તે દલપતરામ વલ્લભદાસ પાઠકના સહકર્તૃત્વથી લખેલી ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ (૧૮૮૨) \n\t\tબાણની વર્ણનશૈલીનો પ્રભાવ દર્શાવતી તથા વિવિધ છંદો-ઢાળોના વિનિયોગવાળી એક લાક્ષણિક પ્રેમવાર્તા છે.\n\t\t<br/><br/> \n\t\t‘શિક્ષણનો ઇતિહાસ’ (૧૮૯૫); કાન્તની ઊંડી અભ્યાસશીલતા અને પર્યેષકબુદ્ધિના ફળ સમો આકરગ્રંથ છે. જગતમાં જુદા જુદા દેશકાળમાં જે શૈક્ષણિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી, જે શૈક્ષણિક પ્રયોગો થયા, \n\t\tકેળવણીવિષયક જે વિચારો પ્રવર્ત્યા તેની વિગતવાર માહિતી અને ચર્ચા રજૂ કરતા આ ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ યુરોપીય પ્રજાનો શિક્ષણઇતિહાસ કેન્દ્રમાં રહ્યો છે. મુખ્યત્વે અંગ્રેજી ગ્રંથોના દોહનરૂપે રચાયેલા આ ગ્રંથના \n\t\tગદ્યમાં કેટલીક કિલષ્ટતા અને કેટલુંક ભારેખમપણું રહી ગયેલાં છે, તો ઘણે સ્થાને નોંધપાત્ર પ્રાસાદિક્તા અને વિશદતા સિદ્ધ કરી શકાયાં છે. \n\t\t<br/><br/> \n\t\t‘સિદ્ધાંતસારનું અવલોકન’ (૧૯૨૦) કાન્તની એક વિશિષ્ટ ને વિરલ કૃતિ છે. ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૫માં ક્રમશઃ પ્રગટ થયેલી મણિલાલના ‘સિદ્ધાંતસાર’ની આ સમીક્ષા વેદાંતવિચારનું તીવ્ર ખંડન કરે છે અને કાન્તના લાક્ષણિક \n\t\tધર્મવિચારને વ્યક્ત કરે છે; પણ એ વિશેષ ધ્યાનપાત્ર તો બને છે એનાં આકાર અને અભિવ્યક્તિથી. કલ્પિત કાન્તના વિધવા કાન્તા પર લખાયેલા પત્રોના રૂપમાં ચાલતી આ સમીક્ષા એ રસિક સંદર્ભમાં સરસ લાભ લે છે \n\t\tઉપરાંત કાન્તનાં તર્કપાટવ, કટાક્ષકલા અને વિનોદવૃત્તિનો પણ મનોરમ અનુભવ કરાવે છે.\n\t\t<br/><br/> \n\t\t‘કલાપીનો કેકારવ’ (૧૯૦૩) તથા કલાપીના અન્ય બે ગ્રંથો ‘માલા અને મુદ્રિકા’ (૧૯૧૨) અને ‘હમીરજી ગોહેલ’ (૧૯૧૩)નાં પોતે પ્રગટ કરેલાં સંપાદનોમાં મૂકેલી પ્રસ્તાવનાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદના પહેલા \n\t\tઅધિવેશન (૧૯૦૫)માં રજૂ કરેલો ‘આપણું નવીન કાવ્યસાહિત્ય’ નામનો નિબંધ તથા કલાપી વિશેનાં વ્યાખ્યાનોમાં કાન્તનું સાહિત્યવિવેચન સમાયેલું છે. એમાં એમની સૂક્ષ્મ કાવ્યરસજ્ઞતા, વિવેકવંત મૂલ્યદ્રષ્ટિ અને સુઘડ \n\t\tઉદગારની શક્તિનો પરિચય થાય છે. ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ એમ કહીને કાન્ત જેટલી સરળતાથી ન્હાનાલાલનું પહેલવહેલું ઉમળકાભર્યું સ્વાગત કરે છે એટલી જ તટસ્થતાથી કલાપી અને ન્હાનાલાલ જેવા \n\t\tમિત્રોની કવિતાની મર્યાદા પણ સૂચવી શકે છે.\n\t\t<br/><br/> \n\t\tકાશ્મીરથી મોકલેલી અને ‘પ્રસ્થાન’-જયેષ્ઠ ૧૯૮૩ (૧૯૨૭)માં પ્રગટ થયેલી કાન્તની આત્મકથાત્મક બે અધૂરી ટૂંકી નોંધ (‘મણિશંકર રત્નજી ભટ્ટ’ અને ‘નર્મદ એક પ્રેમકથા’)માં એમના હૃદયની સરલતાનું પ્રતિબિંબ પડ્યું છે \n\t\tઅને એમાં સ્ફૂર્તિલી ગદ્યશૈલી પણ આકર્ષક છે. ‘કાન્તમાલા’ (૧૯૨૪)માં તથા ‘પ્રસ્થાન’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા કાન્તના અનેક પાત્રોમાં એમનું કોમળ લાગણીશીલ હૃદય, એમની કોઈક અંગત જરૂરિયાતથી પ્રેરાયેલી \n\t\tઉત્કટ ધર્મશોધ અને એમનો તીવ્ર જીવનસંઘર્ષ-એ સર્વને પારદર્શક અભિવ્યક્તિ મળી છે. કાન્તનું અદ્વિતીય સ્મારક બની શકે એટલી માતબર આ પત્રસામગ્રી છે.\n\t\t<br/><br/> \n\t\tકાન્તના અનૂદિત ગ્રંથો પૈકી કેટલાક એમની નવી ધર્મશ્રદ્ધાને પ્રેરકપોષક કૃતિઓના અનુવાદો છે- જેમ- કે સ્વીડનબોર્ગના બે અનુવાદો ‘લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો’ (૧૮૯૭) તથા ‘સ્વર્ગ અને નરક’ (૧૮૯૯), \n\t\tબાઈબલનાં બે પ્રકરણોના અનુવાદો ‘નવું યારૂશાલેમ અને તેનો સ્વર્ગીય સિદ્ધાંત’ (૧૯૧૬) તથા ‘સેન્ટ જહોનનું ભાગવત’ (૧૯૨૩); તો કેટલાક જગતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો છે- જેમ કે ગ્યોથના ‘વિલ્હેમ માઇસ્ટર’ના \n\t\tએક પ્રકરણનો અનુવાદ ‘એક દેવીનો આત્મવૃત્તાંત’ (૧૮૯૭), ‘ઍરિસ્ટોટલનું નિકોમિકિઅન નીતિશાસ્ત્ર’ (૧૯૧૨), ટાગોરકૃત ‘ગીતાંજલિ’ (મહારાણી નંદકુંવરબાના નામે, ૧૯૧૯) તથા ‘પ્લેટોકૃત ફીડ્રસ’ (૧૯૨૧). આ ઉપરાંત \n\t\t‘પ્રેસિડેન્ટ લિકનનું ચરિત્ર’ (૧૮૯૫) અને ‘ઇજિપ્ત’ (૧૮૯૫) અન્ય ઉપયોગી ગ્રંથોના એમના અનુવાદો છે. એમનું અનુવાદસાહિત્ય એમની જીવનભાવનાઓ, વિદ્યાપ્રીતિ અને ભાષાસામર્થ્યની પ્રતીતિ કરાવે છે.\n\t\tકાન્તના જીવનવિચારને વણી લેતો એક નાનકડો લેખ ‘દિનચર્યા’ (૧૯૦૦) સ્વતંત્ર પુસ્તિકારૂપે મળ્યો છે. ઉપરાંત એમણે ‘બ્રિટીશ અને હિંદી વિક્રમ’ (૧૯૧૪-૧૯૧૯) તથા ‘ધ હાર્ટ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૫) સમાયિકો ચલાવેલાં \n\t\tતેમાં તથા અન્યત્ર પ્રકાશિત એમનાં પ્રકીર્ણ અનૂદિત-સ્વતંત્ર ગદ્યલખાણો હજી અગ્રંથસ્થ છે. \n\t\t<br/><br/>\n<p align=\"right\">-જયંત કોઠારી</p>\n\t\tપૂર્વાલાપ (૧૯૨૬) : ગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’નો કાવ્યસંગ્રહ. ઉત્તમ નાદમાધુર્ય, ચમત્કૃતિપૂર્ણ પ્રાસનિબંધન, ચુસ્ત-સંયત શ્લોકબંધ અર્થઘન અભિવ્યક્તિ, \n\t\tઉત્કટ ભાવનિરૂપણ, લલિતકાન્ત શૈલી, સપ્રાણ અલંકારવૈભવ અને ઘનીભૂત અંગત વેદનાના કલાત્મક કરુણાવિષ્કારની બાબતમાં કાન્તની આ રચનાઓ અનન્ય છે. ધર્માન્તર પછી પાંખું પડેલું ઉત્તરવયનું સર્જન બાદ કરતાં \n\t\tકવિનાં દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યક્તિપ્રેમ નિરૂપતાં ઊર્મિકાવ્યો અને એમાંય સંમોહક વર્ણસંયોજનથી ઊંડો અર્થપ્રભાવ જન્માવતું ‘સાગર અને શશી’ અત્યંત દ્યોતક છે. ખંડકાવ્ય કાન્તની સિસૃક્ષામાંથી પ્રગટેલું તદ્દન નવું \n\t\tકાવ્યસ્વરૂપ છે; અને ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’, ‘વસન્તવિજય’ તેમ જ ‘દેવયાની’ એ ચાર ખંડકાવ્યોમાં એનું સર્વાંગ સૌંદર્ય પ્રગટ થયું છે. ભાષારાગ, ઈન્દ્રિયસંવેદ્યતા અને સંદર્ભદ્યોતક અલંકાર-પ્રતીક-કલ્પનો દ્વારા આ \n\t\tખંડકાવ્યો કેવળ પ્રસંગો નથી રહ્યાં, પણ એમાં અખંડ કવિકર્મનો સંસ્પર્શ અનુભવાય છે. જીવનરહસ્ય નહીં, પણ કલારહસ્ય અહીં કવિની સફળતાનું કેન્દ્ર છે. અતૃપ્ત પ્રણયની ભાવસૃષ્ટિ, સંસ્કૃતનો સંનિવેશ, ગ્રીક કરુણ \n\t\tનાટકોનો સંસ્કાર અને છાંદસ તરેહોનું અનોખું શિલ્પ-ખંડકાવ્યોની સંસિદ્ધિની સામગ્રી છે. ખંડશિખરિણી અને અંજની જેવા, કાન્તને હાથે પહેલીવાર પ્રયોજાયેલા છંદોનું આકૃતિમાધુર્ય પણ અજોડ છે. \n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n\t\tસિદ્ધાન્તરનું અવલોકન (૧૯૨૦) : મણિલાલ ન. દ્વિવેદીકૃત ‘સિદ્ધાંતસાર’નું કાન્તે કરેલું અવલોકન. મૂળે ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રી કાન્તા ઉપરના પત્રો તથા \n\t\tકાન્તા પરના એક પત્ર રૂપે છે. મણિલાલના વેદાન્તવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવનો તથા એમની વિનોદશક્તિનો હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રનો ધારદાર ઉપયોગ થયો \n\t\tછે. ધર્મનો બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતો અને તત્વજ્ઞાન કરતાં ધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખતો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યક્તિત્વોનું આકર્ષણ વ્યક્ત કરતો તથા \n\t\tવાસ્તવનિષ્ઠ કહી શકાય એવો કાન્તનો ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય છે. \n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ભટ્ટ મણિશંકર રત્નજી,  ‘કાન્ત’    \t\t(૨૦-૧૧-૧૮૬૭, ૧૬-૬-૧૯૨૩) : કવિ, નાટ્યકાર. જન્મ ચાવંડ (જિ. અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં  \t\tજ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ  \t\tકવિતાવિલાસનો ફાળો હોવાનો સંભવ છે. ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર  \t\tપ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી. ૧૮૮૯માં થોડો વખથ સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦ થી ૧૮૯૮ સુધી વડોદરાના  \t\tકલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઇસ પ્રિન્સિપાલ અને એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા. આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, જેણે એમને તીવ્ર મર્માઘાત કર્યો. એમના સ્નેહાતુર  \t\tકલ્યાણવાંછુ હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પૂર્વે પ્રબળપણે આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને  \t\tસ્વીકારતા થઈ જાય છે અને વિભિન્ન ખેંચાણોની અનુભૂતિ સાથે, ૧૮૯૮માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈ વિરમે છે. ૧૮૯૮માં  \t\tએમણે ખ્રિસ્તી ધર્મનો કરેલો સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી ૧૯૦૦માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત બની રહ્યો. \t\t   \t\t૧૮૯૮ થી ૧૯૨૩ સુધી એમણે ખ્રિસ્તી ધર્મ-સ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવન ઑફિસમાં કામગીરી બજાવી. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા,  \t\tત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં એમનું અવસાન થયું. \t\t   \t\tસાહિત્યક્ષેત્રે એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન કવિ તરીકેનું છે. અંગ્રેજીના પ્રભાવ નીચે વિકસતી આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાધીન રૂપ પહેલીવાર એમની કવિતામાં પ્રગટ થાય છે. ‘પૂર્વાલાપ’ (૧૯૨૩)માં  \t\tએમણે પોતાનાં કાવ્યોનો સંચય કર્યા પછી ૧૯૨૬ ની રા. વિ. પાઠક સંપાદિત આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે કેટલાંક કાવ્યો ઉમેરાયેલાં છે તેમ છતાં હજુ કેટલાંક કાવ્યો અપ્રગટ રહેલાં તથા સામયિકો ને નાટક કે સંગીતના ગ્રંથોમાં  \t\tકાન્તના નામે કે નામ વગર પડ્યાં રહેલાં છે. ૧૮૮૬ કે તે પૂર્વેથી માંડીને ૧૯૨૩ સુધીના કાવ્યસર્જનના આ પ્રવાહની દિશા અને ગતિ ૧૮૯૧ પછી એકદમ બદલાઈ જતી ભાસે છે. ત્યાં સુધી વૃત્તબદ્ધ અને એમાંયે વિશેષે લાંબાં  \t\tવૃત્તાંતકાવ્યો આપનાર કવિ પાસેથી પછીથી અંગત ઊર્મિનાં થોડાં વૃત્તબદ્ધ કાવ્યો, તો વિશેષે ગઝલ, કવ્વાલી, અંજલી વગેરે પ્રકારની ગીતરચનાઓ અને સંગીતાનુકૂલ શબ્દરચનાઓ મળે છે; કાવ્યબાની સંસ્કૃતની શિષ્ટમિષ્ટ  \t\tછટાથી તળપદી સરલતા અને સીધાપણા તરફ ઢળતી જાય છે; પ્રયોગશીલતા શાંત પડે છે અને કવિતાની સિદ્ધિઓથી ભરેલો અંક પૂરો થતો અનુભવાય છે. સૌન્દર્યતત્વના ઉપાસક કવિ હવે શિવતત્વના ઉપાસક પ્રતીત થાય  \t\tછે. કવિતાના આ અસાધારણ દિશા-ગતિના પલટામાં ઊંચા કાવ્યાદર્શ અને અત્યંત સભાન, આયાસપૂર્ણ કાવ્યલેખનરીતિના થાકથી પ્રસંગોપાત્ત ઉદભવતી નિરાશા, પત્નીના મૃત્યુ જેવા અંગત જીવનના આઘાતો, વડોદરાના  \t\tકલાભવનમાં ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવા ગ્રંથની કામગીરીનો બોજ અને સૌથી વિશેષ સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્વીકારમાં પરિણમેલું કવિનું આંતરમંથન કારણભૂત હોવાનો સંભવ છે. \t\t   \t\tકાવ્યની કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ, પછીથી ‘ખંડકાવ્ય’ એ સંજ્ઞાથી ઓળખાયેલાં એમનાં વૃત્તાંતકાવ્યો છે. પુરાણકથા કે કવિસમયનો આશ્રય, માર્મિક જીવનક્ષણનું રહસ્યગર્ભી વસ્તુલક્ષી સ્વસ્થ આલેખન અને વૃત્તવૈવિધ્યથી  \t\tસિદ્ધ કરેલું મનોરમ કાવ્યસ્થાપત્ય-એ એનાં લક્ષણો પછીથી ખંડકાવ્યનાં સ્વરૂપવિધાયક લક્ષણો બની ગયાં છે અને ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ એ ત્રણ કાવ્યોમાં એમની સિદ્ધિ અદ્યપર્યત અનુપમ રહી છે.  \t\tઆ ખંડકાવ્યોમાં પ્રણયની અતૃપ્તિની વેદના અને તે નિમિત્તે કઠોર વિધિશાસનનું કરુણ જીવનદર્શન વ્યક્ત થયેલું છે.  \t\t   \t\tનવેકની સંખ્યામાં મળતાં એમનાં ખંડકાવ્યો કરતાં એમનાં ઊર્મિકાવ્યો જથ્થામાં ઘણા વધારે છે. એમાં પણ ‘ઉપહાર’, ‘ઉદગાર’, ‘વત્સલનાં નયનો’, ‘સાગર અને શશી’ જેવી ગહન ભાવભરી, મૂર્ત શૈલીની સ્થાપત્ય સુંદર  \t\tરચનાઓ છે; પરંતુ ઘણા ઊર્મિકાવ્યો કવિના અંગત જીવન સાથે સંકળાયેલાં છે અને વિવિધ પ્રસંગોની એમની લાગણીઓનું વહન કરે છે. એમાં મિત્રોને અને સ્વજનોને અનુલક્ષીને રચાયેલાં કાવ્યો છે, તેમ કેવળ પ્રાસંગિક  \t\tકાવ્યો પણ છે. આ ઊર્મિકાવ્યો સર્જકના સચ્ચાઈભર્યા સંવેદન અને પારદર્શક અભિવ્યક્તિથી આસ્વાદ્ય બન્યાં છે. \t\t   \t\tએમનાં ચાર નાટકો ‘સલીમશાહ અથવા અશ્રુમતી’, ‘રોમન આત્મશાસન અથવા રોમન સ્વરાજ્ય’, ‘દુઃખી સંસાર’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ અનુક્રમે ૧૯૦૮ થી ૧૯૧૪ દરમિયાન લખાયાં છે. એમાંથી ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ  \t\tગોવિંદસિંહ’ (બે નાટકો) ૧૯૨૪માં તથા ‘દુઃખી સંસાર’ ૧૯૧૫માં પ્રસિદ્ધ થયેલાં છે. ‘ગુરુ ગોવિંદસિંહ’ સિવાય ત્રણે નાટકો ભજવાયેલાં; તેમાં ‘રોમન સ્વરાજ્ય’ દેશી નાટક સમજે ફેરફાર સાથે ભજવેલું, જે કાન્તના નામ વિના  \t\t‘જાલિમ ટુલીયા’ નામથી ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલું છે. આ નાટકો મહારાજા ભાવસિંહજીની ઈચ્છાથી અને તેમનાં સૂચનો અનુસાર તેમ જ તત્કાલીન રંગભૂમિની અપેક્ષાઓને પણ નજરમાં રાખીને લખાયાં હતાં. ‘સલીમશાહ’ અને  \t\t‘દુઃખી સંસાર’માં તો, ખાસ કરીને એના પ્રહસન-અંશોમાં, ડાહ્યાલાલ શિવરામ કવિનું સહકર્તુત્વ છે. આમ, આ નાટકોને કાન્તની સ્વતંત્ર સર્ગશક્તિના પરિણામરૂપે જોવામાં મુશ્કેલી છે. તેમ છતાં એમાં જમાનાની ખરી  \t\tસમસ્યાઓને વ્યવહારુ રીતે સ્પર્શ કરવાનો એમનો પ્રયત્ન તથા એમનાં વ્યક્તિત્વ અને વિચારોનો પ્રભાવ જોઈ શકાય છે. ‘સલીમશાહ’માં જાતિભેદ અને તજજ્ન્ય વૈરની દીવાલને તોડવા મથતી પ્રતાપપુત્રી અશ્રુમતી અને  \t\tસલીમશાહના પ્રેમની કરુણ-કોમલ કલ્પિત કથા વર્ણવાયેલી છે; તો ‘ગુરુ ગોવિંદસિંહ’માં પણ સ્વદેશીનો સીમાડો છોડી સર્વદેશીપણા સુધી આંબવા જતી હિન્દુ-મુસ્લિમ ઐક્યની ભાવના આલેખાઈ છે. ‘રોમન સ્વરાજ્ય’માં બીજરૂપે  \t\tરાજાશાહી વિરુદ્ધ પ્રજાશાસનનો નવીન અને પ્રભાવશાળી વિચાર પડેલો છે. ‘દુઃખી સંસાર’ આવા કશા નવીન વિચારના અનુપ્રવેશ વિનાનું એક સંસારચિત્ર માત્ર છે. સંસ્કૃતાઢ્ય શિષ્ટ વાણીને સ્થાને વ્યવહારુ બોલચાલની  \t\tવાગ્ભંગિઓને પ્રયોજવા મથતું આ નાટકોનું ગદ્ય પણ તત્કાલીન સાહિત્યિક નાટકોમાં કંઈક જુદી ભાત પાડે છે. વ્યક્તત્વચિત્રણ અને લાગણીવિચારના આલેખનમાં કાન્તને કેટલીક સફળતા મળી હોવા છતાં આ નાટકોમાં  \t\tનાટ્યવસ્તુનાં કલ્પન ને ગ્રથનમાં ઘણી શિથિલતાઓ રહી ગઈ છે. ‘દુઃખી સંસાર’ અને ‘જાલિમ ટુલીયા’માં વ્યવસાયી રંગભૂમિને છાજતું અતિરંજકતાનું વાતાવરણ છે; પરંતુ અન્ય નાટકોમાં લોકભોગ્યતાના અંશો હોવા છતાં  \t\tએકંદરે શિષ્ટ રુચિ અને સાહિત્યિકતાની આબોહવા પ્રવર્તે છે. \t\t   \t\tકાન્તના સંભવતઃ ૧૮૯૭ના અરસામાં લખાયેલાં પાંચ સંવાદો (‘કલાપી-કાન્તના સંવાદો’, બી. આ. ૧૯૨૩) કાલ્પનિક કે ઐતિહાસિક પાત્રોનાં જીવનની માર્મિક પળનું અવલંબન લેતા હોવા છતાં એકંદરે વિચારચર્ચાના નિબંધો છે  \t\tઅને ધર્મ, કર્તવ્ય, ઈશ્વર વગેરે પરત્વેનાં કાન્તનાં લાક્ષણિક વિચારવલણોની દ્રષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે. કાન્તની અધૂરી વાર્તા ‘કુમાર અને ગૌરી’ (૧૯૧૦)માં પણ કાન્તનું કેટલુંક વિચારમંથન છે; જ્યારે બીજી વાર્તા  \t\t‘હીરામાણેકની એક મોટી ખાણ’ (બી. આ. ૧૯૧૨)માં હેતુલક્ષી બોધપ્રધાન જીવનવિશ્લેષણ છે. કિશોરવયમાં કાન્તે દલપતરામ વલ્લભદાસ પાઠકના સહકર્તૃત્વથી લખેલી ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ (૧૮૮૨)  \t\tબાણની વર્ણનશૈલીનો પ્રભાવ દર્શાવતી તથા વિવિધ છંદો-ઢાળોના વિનિયોગવાળી એક લાક્ષણિક પ્રેમવાર્તા છે. \t\t   \t\t‘શિક્ષણનો ઇતિહાસ’ (૧૮૯૫); કાન્તની ઊંડી અભ્યાસશીલતા અને પર્યેષકબુદ્ધિના ફળ સમો આકરગ્રંથ છે. જગતમાં જુદા જુદા દેશકાળમાં જે શૈક્ષણિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી, જે શૈક્ષણિક પ્રયોગો થયા,  \t\tકેળવણીવિષયક જે વિચારો પ્રવર્ત્યા તેની વિગતવાર માહિતી અને ચર્ચા રજૂ કરતા આ ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ યુરોપીય પ્રજાનો શિક્ષણઇતિહાસ કેન્દ્રમાં રહ્યો છે. મુખ્યત્વે અંગ્રેજી ગ્રંથોના દોહનરૂપે રચાયેલા આ ગ્રંથના  \t\tગદ્યમાં કેટલીક કિલષ્ટતા અને કેટલુંક ભારેખમપણું રહી ગયેલાં છે, તો ઘણે સ્થાને નોંધપાત્ર પ્રાસાદિક્તા અને વિશદતા સિદ્ધ કરી શકાયાં છે.  \t\t   \t\t‘સિદ્ધાંતસારનું અવલોકન’ (૧૯૨૦) કાન્તની એક વિશિષ્ટ ને વિરલ કૃતિ છે. ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૫માં ક્રમશઃ પ્રગટ થયેલી મણિલાલના ‘સિદ્ધાંતસાર’ની આ સમીક્ષા વેદાંતવિચારનું તીવ્ર ખંડન કરે છે અને કાન્તના લાક્ષણિક  \t\tધર્મવિચારને વ્યક્ત કરે છે; પણ એ વિશેષ ધ્યાનપાત્ર તો બને છે એનાં આકાર અને અભિવ્યક્તિથી. કલ્પિત કાન્તના વિધવા કાન્તા પર લખાયેલા પત્રોના રૂપમાં ચાલતી આ સમીક્ષા એ રસિક સંદર્ભમાં સરસ લાભ લે છે  \t\tઉપરાંત કાન્તનાં તર્કપાટવ, કટાક્ષકલા અને વિનોદવૃત્તિનો પણ મનોરમ અનુભવ કરાવે છે. \t\t   \t\t‘કલાપીનો કેકારવ’ (૧૯૦૩) તથા કલાપીના અન્ય બે ગ્રંથો ‘માલા અને મુદ્રિકા’ (૧૯૧૨) અને ‘હમીરજી ગોહેલ’ (૧૯૧૩)નાં પોતે પ્રગટ કરેલાં સંપાદનોમાં મૂકેલી પ્રસ્તાવનાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદના પહેલા  \t\tઅધિવેશન (૧૯૦૫)માં રજૂ કરેલો ‘આપણું નવીન કાવ્યસાહિત્ય’ નામનો નિબંધ તથા કલાપી વિશેનાં વ્યાખ્યાનોમાં કાન્તનું સાહિત્યવિવેચન સમાયેલું છે. એમાં એમની સૂક્ષ્મ કાવ્યરસજ્ઞતા, વિવેકવંત મૂલ્યદ્રષ્ટિ અને સુઘડ  \t\tઉદગારની શક્તિનો પરિચય થાય છે. ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ’ એમ કહીને કાન્ત જેટલી સરળતાથી ન્હાનાલાલનું પહેલવહેલું ઉમળકાભર્યું સ્વાગત કરે છે એટલી જ તટસ્થતાથી કલાપી અને ન્હાનાલાલ જેવા  \t\tમિત્રોની કવિતાની મર્યાદા પણ સૂચવી શકે છે. \t\t   \t\tકાશ્મીરથી મોકલેલી અને ‘પ્રસ્થાન’-જયેષ્ઠ ૧૯૮૩ (૧૯૨૭)માં પ્રગટ થયેલી કાન્તની આત્મકથાત્મક બે અધૂરી ટૂંકી નોંધ (‘મણિશંકર રત્નજી ભટ્ટ’ અને ‘નર્મદ એક પ્રેમકથા’)માં એમના હૃદયની સરલતાનું પ્રતિબિંબ પડ્યું છે  \t\tઅને એમાં સ્ફૂર્તિલી ગદ્યશૈલી પણ આકર્ષક છે. ‘કાન્તમાલા’ (૧૯૨૪)માં તથા ‘પ્રસ્થાન’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા કાન્તના અનેક પાત્રોમાં એમનું કોમળ લાગણીશીલ હૃદય, એમની કોઈક અંગત જરૂરિયાતથી પ્રેરાયેલી  \t\tઉત્કટ ધર્મશોધ અને એમનો તીવ્ર જીવનસંઘર્ષ-એ સર્વને પારદર્શક અભિવ્યક્તિ મળી છે. કાન્તનું અદ્વિતીય સ્મારક બની શકે એટલી માતબર આ પત્રસામગ્રી છે. \t\t   \t\tકાન્તના અનૂદિત ગ્રંથો પૈકી કેટલાક એમની નવી ધર્મશ્રદ્ધાને પ્રેરકપોષક કૃતિઓના અનુવાદો છે- જેમ- કે સ્વીડનબોર્ગના બે અનુવાદો ‘લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો’ (૧૮૯૭) તથા ‘સ્વર્ગ અને નરક’ (૧૮૯૯),  \t\tબાઈબલનાં બે પ્રકરણોના અનુવાદો ‘નવું યારૂશાલેમ અને તેનો સ્વર્ગીય સિદ્ધાંત’ (૧૯૧૬) તથા ‘સેન્ટ જહોનનું ભાગવત’ (૧૯૨૩); તો કેટલાક જગતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો છે- જેમ કે ગ્યોથના ‘વિલ્હેમ માઇસ્ટર’ના  \t\tએક પ્રકરણનો અનુવાદ ‘એક દેવીનો આત્મવૃત્તાંત’ (૧૮૯૭), ‘ઍરિસ્ટોટલનું નિકોમિકિઅન નીતિશાસ્ત્ર’ (૧૯૧૨), ટાગોરકૃત ‘ગીતાંજલિ’ (મહારાણી નંદકુંવરબાના નામે, ૧૯૧૯) તથા ‘પ્લેટોકૃત ફીડ્રસ’ (૧૯૨૧). આ ઉપરાંત  \t\t‘પ્રેસિડેન્ટ લિકનનું ચરિત્ર’ (૧૮૯૫) અને ‘ઇજિપ્ત’ (૧૮૯૫) અન્ય ઉપયોગી ગ્રંથોના એમના અનુવાદો છે. એમનું અનુવાદસાહિત્ય એમની જીવનભાવનાઓ, વિદ્યાપ્રીતિ અને ભાષાસામર્થ્યની પ્રતીતિ કરાવે છે. \t\tકાન્તના જીવનવિચારને વણી લેતો એક નાનકડો લેખ ‘દિનચર્યા’ (૧૯૦૦) સ્વતંત્ર પુસ્તિકારૂપે મળ્યો છે. ઉપરાંત એમણે ‘બ્રિટીશ અને હિંદી વિક્રમ’ (૧૯૧૪-૧૯૧૯) તથા ‘ધ હાર્ટ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૫) સમાયિકો ચલાવેલાં  \t\tતેમાં તથા અન્યત્ર પ્રકાશિત એમનાં પ્રકીર્ણ અનૂદિત-સ્વતંત્ર ગદ્યલખાણો હજી અગ્રંથસ્થ છે.  \t\t   -જયંત કોઠારી  \t\tપૂર્વાલાપ (૧૯૨૬) : ગુજરાતી સાહિત્યમાં આજ સુધી અપૂર્વ કહી શકાય એવો મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’નો કાવ્યસંગ્રહ. ઉત્તમ નાદમાધુર્ય, ચમત્કૃતિપૂર્ણ પ્રાસનિબંધન, ચુસ્ત-સંયત શ્લોકબંધ અર્થઘન અભિવ્યક્તિ,  \t\tઉત્કટ ભાવનિરૂપણ, લલિતકાન્ત શૈલી, સપ્રાણ અલંકારવૈભવ અને ઘનીભૂત અંગત વેદનાના કલાત્મક કરુણાવિષ્કારની બાબતમાં કાન્તની આ રચનાઓ અનન્ય છે. ધર્માન્તર પછી પાંખું પડેલું ઉત્તરવયનું સર્જન બાદ કરતાં  \t\tકવિનાં દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યક્તિપ્રેમ નિરૂપતાં ઊર્મિકાવ્યો અને એમાંય સંમોહક વર્ણસંયોજનથી ઊંડો અર્થપ્રભાવ જન્માવતું ‘સાગર અને શશી’ અત્યંત દ્યોતક છે. ખંડકાવ્ય કાન્તની સિસૃક્ષામાંથી પ્રગટેલું તદ્દન નવું  \t\tકાવ્યસ્વરૂપ છે; અને ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’, ‘વસન્તવિજય’ તેમ જ ‘દેવયાની’ એ ચાર ખંડકાવ્યોમાં એનું સર્વાંગ સૌંદર્ય પ્રગટ થયું છે. ભાષારાગ, ઈન્દ્રિયસંવેદ્યતા અને સંદર્ભદ્યોતક અલંકાર-પ્રતીક-કલ્પનો દ્વારા આ  \t\tખંડકાવ્યો કેવળ પ્રસંગો નથી રહ્યાં, પણ એમાં અખંડ કવિકર્મનો સંસ્પર્શ અનુભવાય છે. જીવનરહસ્ય નહીં, પણ કલારહસ્ય અહીં કવિની સફળતાનું કેન્દ્ર છે. અતૃપ્ત પ્રણયની ભાવસૃષ્ટિ, સંસ્કૃતનો સંનિવેશ, ગ્રીક કરુણ  \t\tનાટકોનો સંસ્કાર અને છાંદસ તરેહોનું અનોખું શિલ્પ-ખંડકાવ્યોની સંસિદ્ધિની સામગ્રી છે. ખંડશિખરિણી અને અંજની જેવા, કાન્તને હાથે પહેલીવાર પ્રયોજાયેલા છંદોનું આકૃતિમાધુર્ય પણ અજોડ છે.  \t\t   -ચંદ્રકાન્ત ટોપીવાળા  \t\tસિદ્ધાન્તરનું અવલોકન (૧૯૨૦) : મણિલાલ ન. દ્વિવેદીકૃત ‘સિદ્ધાંતસાર’નું કાન્તે કરેલું અવલોકન. મૂળે ‘જ્ઞાનસુધા’માં ૧૮૯૪-૯૬ દરમિયાન પ્રગટ થયેલું આ અવલોકન કાન્તના એક વિધવા સ્ત્રી કાન્તા ઉપરના પત્રો તથા  \t\tકાન્તા પરના એક પત્ર રૂપે છે. મણિલાલના વેદાન્તવિચારની તીક્ષ્ણ પરીક્ષા કરતા આ લઘુગ્રંથમાં કાન્તના તર્કપાટવનો તથા એમની વિનોદશક્તિનો હૃદ્ય પરિચય થાય છે. એમાં ઉપહાસ-વ્યંગના શસ્ત્રનો ધારદાર ઉપયોગ થયો  \t\tછે. ધર્મનો બુદ્ધિ કરતાં વિશેષે હૃદયની લાગણી સાથે સંબંધ સ્થાપતો અને તત્વજ્ઞાન કરતાં ધર્મમય જીવન નીપજાવવામાં એની સફળતા લેખતો, બુદ્ધ-ઈશુ-મહંમદ વગેરે પ્રભાવક વ્યક્તિત્વોનું આકર્ષણ વ્યક્ત કરતો તથા  \t\tવાસ્તવનિષ્ઠ કહી શકાય એવો કાન્તનો ધર્મવિચાર પણ આ અવલોકનમાંથી પ્રગટ થતો જોવાય છે.  \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "manisankara-bhatta-kanta",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/manisankara-bhatta-kanta",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:03.245959",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17323,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મનોજ ખંડેરિયા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>ખંડેરિયા મનોજ વ્રજલાલ </h4>\n\t\t\t(૬-૭-૧૯૪૩) : કવિ. જન્મ જૂનાગઢમાં. ૧૯૬૧માં એસ.એસ.સી. ૧૯૬૫ માં બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢથી રસાયણશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્ર વિષયો સાથે બી.એસસી. ૧૯૬૭માં એલએલ.બી. ૧૯૭૨ થી ૧૯૮૪ સુધી લૉના \n\t\t\tખંડસમયના વ્યાખ્યાતા. સાથે સાથે ૧૯૬૮ થી વકીલાત. \t\t\n\t\t\t<br/><br/> \n\t\t\tઆધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન છે. નાજુક અભિવ્યક્તિ અને પ્રયોગમુખર બન્યા વગર સંવેદનશીલ રીતે ઊભા થતા ભાષાકર્મથી એમની ગઝલોનો વિશેષ કમાલ છે. સૌરાષ્ટ્ર અને ખાસ \n\t\t\tતો જૂનાગઢના અધ્યાસોનો વિનિયોગ પણ એમની ગઝલોમાં વિશિષ્ટ બન્યો છે. ‘અચાનક’ (૧૯૭૦)માં ‘પીછું’ કે ‘રસ્તા વસંતના’ જેવી ગઝલો કે ‘શાહમૃગો’ જેવી લાંબી રચના સર્જકતાની એંધાણી આપે છે. ‘અટકળ’ (૧૯૭૯) સંગ્રહમાં ‘ક્ષણોને \n\t\t\tતોડવા બેસું તો’ જેવી અત્યંત સર્જક ગઝલ સાંપડે છે. આ ઉપરાંત કેટલાંક ગીતો અને અછાંદસ રચનાઓ છે. \n\t\t\tઅંજનીગીતના પ્રયોગો ઝાઝા સફળ નથી છતાં ધ્યાન ખેંચે છે. \n\t\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\t\tઅટકળ (૧૯૭૯) : મનોજ ખંડેરિયાનો કાવ્યસંગ્રહ. અહીં ૭૨ ગઝલો-મુકતકો, ૧૧ ગીત, ૧૦ અછાંદસ અને ૭ દીર્ઘકાવ્ય રચનાઓ સંગૃહિત છે. ગઝલની સંખ્યા તેમ જ ઈયત્તા સૂચવે છે કે સર્જકનો મુખ્ય ઝોક ગઝલ પરત્વે છે. શબ્દનું ગયા \n\t\t\tભવનું લેણું ચૂકવવા કાવ્યસર્જન થઈ રહ્યું છે-એવી કવિશ્રદ્ધા વ્યકત કરતાં સંખ્યાબંધ શેર અને ગઝલો સંગ્રહની વિશિષતા બને છે. ‘વરસોના વરસ લાગે’ એવી સુદીર્ઘ રદીફ-કાફિયા ધરાવતી ગઝલથી આરંભાતો કવિનો આ બીજો સંગ્રહ તેમની \n\t\t\tવિકાસગતિ પણ આલેખે છે. \n\t\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ખંડેરિયા મનોજ વ્રજલાલ   \t\t\t(૬-૭-૧૯૪૩) : કવિ. જન્મ જૂનાગઢમાં. ૧૯૬૧માં એસ.એસ.સી. ૧૯૬૫ માં બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢથી રસાયણશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્ર વિષયો સાથે બી.એસસી. ૧૯૬૭માં એલએલ.બી. ૧૯૭૨ થી ૧૯૮૪ સુધી લૉના  \t\t\tખંડસમયના વ્યાખ્યાતા. સાથે સાથે ૧૯૬૮ થી વકીલાત. \t\t \t\t\t   \t\t\tઆધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન છે. નાજુક અભિવ્યક્તિ અને પ્રયોગમુખર બન્યા વગર સંવેદનશીલ રીતે ઊભા થતા ભાષાકર્મથી એમની ગઝલોનો વિશેષ કમાલ છે. સૌરાષ્ટ્ર અને ખાસ  \t\t\tતો જૂનાગઢના અધ્યાસોનો વિનિયોગ પણ એમની ગઝલોમાં વિશિષ્ટ બન્યો છે. ‘અચાનક’ (૧૯૭૦)માં ‘પીછું’ કે ‘રસ્તા વસંતના’ જેવી ગઝલો કે ‘શાહમૃગો’ જેવી લાંબી રચના સર્જકતાની એંધાણી આપે છે. ‘અટકળ’ (૧૯૭૯) સંગ્રહમાં ‘ક્ષણોને  \t\t\tતોડવા બેસું તો’ જેવી અત્યંત સર્જક ગઝલ સાંપડે છે. આ ઉપરાંત કેટલાંક ગીતો અને અછાંદસ રચનાઓ છે.  \t\t\tઅંજનીગીતના પ્રયોગો ઝાઝા સફળ નથી છતાં ધ્યાન ખેંચે છે.  \t\t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\t\tઅટકળ (૧૯૭૯) : મનોજ ખંડેરિયાનો કાવ્યસંગ્રહ. અહીં ૭૨ ગઝલો-મુકતકો, ૧૧ ગીત, ૧૦ અછાંદસ અને ૭ દીર્ઘકાવ્ય રચનાઓ સંગૃહિત છે. ગઝલની સંખ્યા તેમ જ ઈયત્તા સૂચવે છે કે સર્જકનો મુખ્ય ઝોક ગઝલ પરત્વે છે. શબ્દનું ગયા  \t\t\tભવનું લેણું ચૂકવવા કાવ્યસર્જન થઈ રહ્યું છે-એવી કવિશ્રદ્ધા વ્યકત કરતાં સંખ્યાબંધ શેર અને ગઝલો સંગ્રહની વિશિષતા બને છે. ‘વરસોના વરસ લાગે’ એવી સુદીર્ઘ રદીફ-કાફિયા ધરાવતી ગઝલથી આરંભાતો કવિનો આ બીજો સંગ્રહ તેમની  \t\t\tવિકાસગતિ પણ આલેખે છે.  \t\t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "manoja-khanderiya",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/manoja-khanderiya",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:03.507622",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17324,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મનુભાઈ પંચોળી ‘દર્શક’",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પંચોલી મનુભાઈ રાજારામ, ‘દર્શક’ </h4>\n\t\t(૧૫-૧૦-૧૯૧૪) : નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી \n\t\tપ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી \n\t\tસણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક. નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિદાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં \n\t\tગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના \n\t\tસૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધની ઊંડી અસર, પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. \n\t\t૧૯૮૭માં ‘ઝેર તો પીધાં’ ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.\n\t\t<br/><br/>\n\t\tનવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ ‘દર્શક’ની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અધ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી \n\t\tઅભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા ‘બંદીઘર’ (૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ ના રાષ્ટ્રીય વાતાવરણના \n\t\tનિરૂપણમાં લેખકના નિજી અનુભવનો સ્પર્શ છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે.\n\t\t<br/><br/>\n\t\t૧૮૫૭ના મુક્તિસંગ્રામની પશ્વાદભૂમાં સર્જાયેલી નવલકથા ‘બંધન અને મુક્તિ’ (૧૯૩૯)માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીનો સ્પષ્ટ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન \n\t\tઅને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે.\n\t\t<br/><br/>\n\t\tપરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપતી નવલકથા ‘દીપનિર્માણ’ (૧૯૪૪) બે હજાર વર્ષ પહેલાંનાં ભારતનાં ગણરાજ્યો-ખાસ કરીને બ્રાહ્મણક, માલવ અને કઠના ઐતિહાસિક સંદર્ભોની સાથે એક મહાનિર્વાણની કથા ગૂંથી આપે \n\t\tછે. આનંદ, સુચરિતા અને સુદત્તના પ્રણયત્રિકોણની કથા સાથે વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા અહીં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશક્તિ સાથે ઇતિહાસમાંથી પોતાના \n\t\tયુગને ઉપકારક એવું ઉદ્રિષ્ટ અર્થઘટન તારવવાની સર્જકની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ છે.\n\t\t<br/><br/>\n\t\tએમની બહુખ્યાત નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’- ભા. ૧, ૨, ૩ (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) ઐતિહાસિક નથી, છતાં એનાં બહુવિધ પ્રતિભાશાળી પાત્રોના આંતરવિશ્વનું ઉદઘાટન, તેમનો ભાવનાત્મક વિકાસ ઐતિહાસિક ઘટનાઓના \n\t\tસંદર્ભે થાય છે. લેખક અહીં દૈવને-પ્રારબ્ધને મૂક્તભાવે સ્વીકારે છે, આવકારે છે, પણ મહિમા તો પુરુષાર્થનો જ કરે છે. કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પુનિત-ભાવભર્યું વાતાવરણ, સંન્યસ્ત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, \n\t\tવૈધવ્ય, આશ્રમજીવન-એ બધાં ને ભારતીયતાથી રસીને, કંઈક આધ્યાત્મિકતાનો સ્પર્શ આપીને, ભાતીગળ રીતે કથાના પહેલા ભાગમાં રજૂ કરાયાં છે; તો પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા ધરાવતા બીજા ભાગમાં યહૂદીઓ તરફના જર્મનોના \n\t\tવિદ્વેષપૂર્ણ અને વૈમનસ્યભર્યા વાતાવરણમાં સત્યકામને રેથન્યુ અને ક્રિશ્વાઈન દ્વારા સહિષ્ણુતા, ક્ષમાશીલતા અને ઔદાર્યની અવધિના થતા દર્શનનું નિરૂપણ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં માનવજીવનના અંતસ્તલને સ્પર્શતી \n\t\tસર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ પણ અહીં છે. લેખકે અહીં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાને ભારતવર્ષના જ નહિ, યુરોપના યુદ્ધાક્રાન્ત પ્રજાજીવનના ફલક પર આલેખી બતાવ્યાં છે. સ્થળ-કાળના સુવિશાળ પર વિહરતાં \n\t\tવિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજુ આલેખન સાથે લેખકે ત્રીજા ભાગમાં ‘મધુરેણ સમાપયેત્’ ની પરંપરા સ્વીકારી છે. શીંગોડાનાં કોતરોમાં આરંભાતી કથાનો અંત પણ ત્યાં જ આવે છે. ગોવર્ધનરામની \n\t\tસ્પષ્ટ અસર ઝીલતી આ કૃતિમાં જીવનનું બહુપરિમાણી ચિત્ર ઊપસ્યું છે.  અલબત્ત, અહીં ચિંતન ગોવર્ધનરામની હદે જતુ નથી. ક્યારેક તો ટૂંકા, માર્મિક અને સચોટ ઉદગારો દ્વારા વ્યકત થતું લેખકનું જીવનદર્શન વીજળીના એક ઝબકારાની \n\t\tજેમ બધું પ્રકાશિત કરી દે છે. સંવાદો, પાત્રો કે ડાયરીના માધ્યમે વ્યકત થતું ચિંતન પાત્રના હૃદયસંવેદનનો સ્પર્શ પામીને ભાવવાહી ગદ્યના સુંદર નમૂનારૂપે નીવડી આવે છે.\n\t\t<br/><br/>\n\t\t‘સોક્રેટીસ’ (૧૯૭૪) મહત્વકાંક્ષી ઐતિહાસિક નવલકથા હોવાની સાથે ઘટનાપ્રધાન, ભાવનાવાદી અને ચિંતનપ્રેરક નવલકથા છે. ભારતમાંની વર્તમાન લોકશાહીની થતી વિડંબનાએ આ લેખકને, સોક્રેટીસને આપણી વચ્ચે હરતોફરતો કરવા \n\t\tપ્રેર્યા છે. ગ્રીક પ્રજાની બહિર્મુખી જીવનદ્રષ્ટિ, પાર્થિવ સૌંદર્ય ઉપાસના અને તે સાથે આંતરસત્યની ખોજ માટે મથામણ અનુભવતા સોક્રેટીસના નિરૂપણમાં સર્જકની વિદ્વતા અને ઉત્તરોઉત્તર પક્વ બનેલી સર્ગશક્તિનો વિશિષ્ટ પરિચય મળે છે. \n\t\tકૃતિની રસાત્મકતાને અખંડ રાખીને તેની ચિંતનસમૃદ્ધિ ઝીલતી મનોહારી શૈલી નવલકથાને અનુરૂપ અને સાદ્યંત ગરિમા જાળવી રાખનારી છે.\n\t\t<br/><br/>\n\t\t‘દર્શક માને છે કે ‘હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય’ સર્જાવું જોઈએ; એટલે જ એમની નવલકથાઓમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો જે અદ્રષ્ટિ બલિષ્ઠ રણકો ઉઠે છે એ જ તેની મૂલ્યવાન ઉપલબ્ધિ બની રહે છે.\n\t\t<br/><br/>\n\t\tએમનું ગદ્ય રસાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણનો તેઓ અચૂક આપે છે. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણનો પ્રતીતિકર અને મનોહર હોય છે. \n\t\t<br/><br/>\n\t\tપ્રકૃતિદ્રશ્ય કે પ્રણયનાં કોમળ-મધુર સંવેદનોના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસૌંદર્યનો અનુભવ કરાવે છે. એમનું ભાષાસામર્થ્ય અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્વનાં પરિબળો છે.\n\t\t<br/><br/>\n\t\t‘જલિયાંવાલા’ (૧૯૩૪) એમની પ્રથમ નાટ્યકૃતિ છે. ૧૯૧૯ના એપ્રિલની ૧૩મી તારીખે પંજાબના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર અને તેના સૈનિકોએ કરેલી ક્રૂર કત્લેઆમની ઐતિહાસિક ઘટનાના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી \n\t\tમાટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે. એકવીસ દ્રશ્યોમાં વહેંચાયેલા નાટક ‘અઢારસો સત્તાવન’ (૧૯૩૫)માં અહિંસક માનવીય અભિગમ અને ગાંધીયુગના ભાવનાવાદનું ગૌરવ થયું છે. ત્રણ અંક અને નવ પ્રવેશવાળા નાટક \n\t\t‘પરિત્રાણ’ (૧૯૬૭)માં સ્વધર્મના દેવતાનો મહિમા થયો છે. ‘સોદો’ અને ‘હેલન’ જેવાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીવાદીઓના આંતકનો ભોગ બનેલી અને તેનો પ્રતિકાર કરનારી યહૂદી પ્રજાની વેદનાને આલેખતાં બે નાટકો સહિતનો \n\t\tનાટ્યસંગ્રહ ‘અંતિમ અધ્યાય’ (૧૯૮૩) હિટલર જેવા અમાનુષી સરમુખત્યારનો કરુણ અને નાટકીય અંજામ રજૂ કરે છે. આ નાટકોમાં જીવનની જટિલ સમસ્યાઓને માનવીય દ્રષ્ટિકોણથી ઉકેલવાની વાત છે. નવલકથાઓની જેમ એમનાં \n\t\tનાટકોનું વિષયવસ્તુ પણ ઇતિહાસનાં પૃષ્ઠો પર આધારિત છે. નાટકોનું મુખ્ય આકર્ષણ હૃદયદ્રાવક એવું સાર્વત્રિક કથાવસ્તુ અને ચોટદાર સંવાદો છે. તખ્તા પર બનતી ઘટનાઓ મોટે ભાગ આંતરિક કે સૂક્ષ્મ છે. ઘણીબધી બાબતો સૂચિત છે. \n\t\t<br/><br/>\n\t\tઆ નાટકોમાં બાહ્ય ઘટના કે ગતિશીલ ક્રિયાઓનો અભાવ હોવા છતાં ચોટદાર સંવાદો દ્વારા માનવીય મૂલ્યોના ઉપસ્થિત થતા પ્રશ્નો વિચારપ્રેરક છે અંતરને સ્પર્શી જાય છે.\n\t\t<br/><br/>\n\t\t‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ (૧૯૬૩) અને ‘મંદારમાલા’ (૧૯૮૫) એમની સાહિત્યિક વિચારસરણીને વ્યકત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથો છે. ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ માં એમણે લોકભારતી વિદ્યાપીઠમાં આપેલા પાંચ વ્યાખ્યાનો સમાવિષ્ટ છે.\n\t\t<br/><br/>\n\t\t‘ગ્રીસ’ : ભા.૧, ૨ (૧૯૪૬) ‘રોમ’ (૧૯૪૬)ની ઇતિહાસ કથાઓ પૈકીની કેટલીક ઘટનાઓને ટૂંકીવાર્તાના સ્વરૂપમાં એમણે રસપ્રદ રીતે રજૂ કરી છે. ‘મંગળકથાઓ’ (૧૯૫૬) અને ‘માનવ કુળકથાઓ’ (૧૯૫૬) ઇતિહાસ-પુરાણ પર આધારિત \n\t\tઅને પ્રેરક, સરળ, ઋજુ શૈલીમાં લખાયેલી પ્રસંગકથાઓના સંચયો છે.\n\t\t<br/><br/>\n\t\t‘આપણો વારસો અને વૈભવ’ (૧૯૫૩)માં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તેવો ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજ્કીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તનો સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાયો છે. ‘ઇતિહાસ અને \n\t\tકેળવણી’ (૧૯૭૩) પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. ‘બે વિચારધારા’ (૧૯૪૫), ‘લોકશાહી’ (૧૯૭૩) અને ‘સોક્રેટીસ-લોકશાહીના સંદર્ભમાં’ (૧૯૮૨) એ એમની વિચારપ્રધાન રાજનીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. ‘નઈ તાલીમ અને \n\t\tનવવિધાન’ (૧૯૫૭) તથા ‘સર્વોદય અને્ શિક્ષણ’ (૧૯૬૩) એમનાં શિક્ષણવિષયક પુસ્તકો છે.\n\t\t<br/><br/>\n\t\t‘સોક્રેટીસ’ (૧૯૫૩), ‘ત્રિવેણીતીર્થ’ (૧૯૫૫), ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ’ (૧૯૫૬), ‘નાનાભાઈ’ (મૂ.મો.ભટ્ટ સાથે, ૧૯૬૧), ‘ટોલ્સ્ટોય’ (૧૯૭૯) વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે.\n\t\t‘ધર્મચક્રપ્રવર્તન’ (૧૯૫૬), ‘શાંતિના પાયા’ (૧૯૬૩), ‘અમૃતવલ્લરી’ (૧૯૭૩), ‘મહાભારતનો મર્મ’ (૧૯૭૮), ‘રામાયણનો મર્મ’ (૧૯૮૩) વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે.\n\t\t<br/><br/>\n\t\t‘મારી વાચનકથા’ (૧૯૬૯) ઉત્તમ પુસ્તકોના સહવાસનો ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, ‘ચેતોવિસ્તારની યાત્રા’ (૧૯૮૭)માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્રો છે. ‘સદભિ : સંગ : ’ (૧૯૮૯)માં \n\t\tગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સરણોસરાની ઘડતરકથા છે. \n\t\t<p align=\"right\">-નિરંજન વોરા</p>\n<br/><br/>\n\t\tબંધન અને મુક્તિ (૧૯૩૯) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની નવલકથા. ૧૮૫૭ના વિપ્લવની કથા નરસિંહપુરના રાજ્યના સીમિત સંદર્ભે આલેખાયેલી છે અને મૃત્યુદંડથી આરંભી મૃત્યુદંડ આગળ પૂરી થયેલી છે. પરંતુ આરંભ અને અંતના \n\t\tમૃત્યુદંડ વચ્ચેનો વિકાસ લક્ષ્યગામી અને સુયોજિત છે. વાસુદેવ અને અર્જુનની પૂર્વકથા તેમ જ સુભગા અને રાજશેખ ની આનુષંગિક પ્રેમશૌર્યકથા ઇતિહાસના આભાસ દ્વારા માનવધર્મને પ્રગટાવવામાં સફળ નીવડી છે. \n\t\t<p align=\"right\">-રમેશ ર. દવે</p>\n<br/><br/>\n\t\tદીપનિર્વાણ (૧૯૪૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની ઐતિહાસિક નવલકથા. પ્રાચીન ભારતનાં પ્રજાસત્તાક ત્રણ રાજ્યોએ મગધની સામ્રાજ્યલિપ્સાની સામે પોતાની આઝાદીની ખુમારી શી રીતે દાખવી એનું ભવ્યોજજ્વલ નિરૂપણ અહીં \n\t\tથયું છે. પ્રથમ ખંડનાં ચૌદ પ્રકરણોમાં કથાનાયક આનંદનાં માતા-પિતા આર્યા ગૌતમી અને દેવહુતિનાં પ્રણય-પરિણય અને દીક્ષા તેમ જ માતાવિહોણા બાળક આનંદના, માતામહ આત્રેય પાસેના ઉછેરની પૂર્વકથા તથા મહાશિલ્પી સુદત્ત \n\t\tદ્વારા મૌગલ્લાનવિહાર અને પદ્મપાણિની શિલ્પરચના, તેની કલા પર વારી જઈ મહાકાશ્યપની પુત્રી સુચરિતા દ્વારા સુદત્તને થતું વાગ્દાન, બ્રાહ્મણક ગણના સેનાની તરીકે આનંદનું મહાકાશ્યપ પાસે ઔષધવિદ્યાના અભ્યાસ માટે આવવું, \n\t\tસુચરિતા સાથેની તેની આત્મીયતાથી ઈર્ષા અનુભવતાં સુદત્ત દ્વારા રથસ્પર્ધામાં આનંદના ઘોડાને ઘાયલ કરી રથસ્પર્ધા જીતવાનો પ્રયાસ કરવો, એના આનુષંગે મળેલી ગણસમિતિ સમક્ષ આનંદને ગણનાગરિક તરીકે અપાત્ર ઠેરવી \n\t\tદેશનિર્વાચન અપાવવું, સુદત્તવધૂ બનવાના વિકલ્પને સુચરિતા દ્વારા પ્રવજ્યા લેવી, ગણદ્રોહી બની સુદત્ત દ્વારા મગધ-આક્રમણ કરાવવું-જેવી ઘટનાઓના આલેખન નિમિત્તે સુચરિતા, સુદત્ત અને આનંદના પ્રણયત્રિકોણનું નિરૂપણ થયું છે; \n\t\tતો મગધના આક્રમણ સામે લડી લેવાની ગણરાજ્યોની તૈયારી, સંભવિત શક-આક્રમણની શક્યાશક્યતાની તપાસ માટે હરૌવતી જતાં આનંદનું તક્ષશિલામાં મહર્ષિ ઐલને મળવું, એમનાં અંતેવાસી કૃષ્ણા-મૈનેન્દ્રના પ્રેમ-પ્રસંગો, મગધના \n\t\tઆક્રમણ સામે ઘોર વિનાશ વહોરીને લડી રહેલાં ગણરાજ્યો, પશ્ચાત્તાપશુદ્ધ સુદત્તની પરોક્ષ મદદથી થતા વિજય સાથે પૂરા થતા બીજા ખંડ પછી મગધના ઈન્દુકુમારના મોંએ કહેવાયેલી કથારૂપે મુકાયેલ ઉપસંહાર સાથે કથા પૂરી થાય છે.\n\t\tવિવિધ પાત્રો અને દેશકાળ વચ્ચે વહેંચાઈને દ્વિકેન્દ્રી બનવા છતાં ઐતિહાસિક નવલકથાને અનુરૂપ રહેતું ગદ્ય, પ્રતીતિકર પાત્રનિરૂપણ અને વર્ણનકલાને કારણે કૃતિ ધ્યાનાર્હ બને છે. \n\t\t<p align=\"right\">-રમેશ ર. દવે</p>\n<br/><br/>\n\t\tઝેર તો પીધાં છે જાણી જાણી- ખંડ ૧ (૧૯૫૨), ખંડ ૨ (૧૯૫૮), ખંડ ૩ (૧૯૮૫) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ ની બૃહદ્ નવલકથા. લેખકે એમાં, બે વિશ્વયુદ્ધોની વિભીષિકાનાં સાક્ષી બનતાં પાત્રોની વિવિધ ધર્મ પરત્વેની શ્રદ્ધાના સમાન્તર \n\t\tનિરૂપણ દ્વારા, કોઈ એક જ ધર્મનો આશ્રય ન લેતાં, સર્વધર્મોનાં શુભ-તત્ત્વોનો સમન્વય સાધતાં કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે.\n\t\t<br/><br/>\n\t\tકૃતિના પ્રથમ ખંડમાં નાયક-નાયિકા સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દ્રષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, \n\t\tતેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધધર્મના વિશેષ અભ્યાસ નિમિત્તે વિદેશગમન, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ દ્વારા લેખકે ગોપાળબાપાની \n\t\tધર્મપરાયણ સેવાવૃત્તિ અને સત્યકામ-રોહિણીની રુચિર પ્રણયકથાનું આલેખન કર્યું છે.\n\t\t<br/><br/>\n\t\tપ્રથમ વિશ્વયુદ્ધે યુરોપમાં સર્જેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની વચ્ચે વસતા પંડિત \n\t\tકેશવદાસની નોંધપોથીરૂપે લખાયેલા કથાના બીજા ખંડમાં યુરોપનો ઇતિહાસ વિશેષ સ્થાન પામે છે. કૃતિના ત્રીજા ખંડમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતના ચરિત્રનો વિકાસ પણ આ ખંડમાં જ દર્શાવાયો છે.\n\t\t<br/><br/>\n\t\tવર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોની ભાળવણ માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, બીજા વિશ્વયુદ્ધ નિમિત્તે ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન \n\t\tએમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું, તેમ જ કથાંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખતા ત્રીજા ખંડમાં \n\t\tનવલકથાનું કથયિતવ્ય, યુદ્ધનાં તાદ્દશ વર્ણનો અને સ્થવીર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસારૂપે નિરૂપાયું છે.\n\t\t<br/><br/>\n\t\tવિશાળ ફલક પર પથરાયેલી આ કૃતિનું વસ્તુવિધાન અકસ્માતોના અતિરેકપૂર્ણ ઉપયોગને લીધે શિથિલ હોવા છતાં પ્રતીતિકર પાત્રનિરૂપણ અને પ્રસંગયોજના તથા ધ્યાનાર્હ ગદ્યથી કૃતિની મહત્તા પ્રગટ થાય છે. \n\t\t<p align=\"right\">-રમેશ ર. દવે</p>\n<br/><br/>\n\t\tસોક્રેટિસ (૧૯૭૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની ઐતિહાસિક નવલકથા. એમાં સોક્રેટિસના દ્રશ્ય-અદ્રશ્ય કે શ્રાવ્ય-અશ્રાવ્ય વ્યક્તિત્વની આબોહવા ઊભી કરવાનો આદર્શ નવલકથાકારે દ્રષ્ટિ સમક્ષ રાખ્યો છે. સમાન્તર ચાલતી કાલ્પનિક \n\t\tપાત્રો મીડિયા અને એપોલોડોરસની પ્રેમકથા નાયક સોક્રેટિસની વ્યક્તિત્વકથાને બલિષ્ઠ કરે છે. તત્કાલીન ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રજાજીવનનું ચિત્રણ પ્રતીતિજનક છે. લેખક પોતે પણ આ કૃતિને પોતાની મહત્ત્વની કૃતિ ગણે છે.  \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tપરિત્રાણ (૧૯૬૭) : મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ‘મહાભારત’ના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રયવાસિકપર્વ પર આધારિત ત્રિઅંકી નાટક. નાટ્યકારે મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું \tછે એવું દર્શન \n\t\tઉપસાવ્યું છે. રસ્તો હોય અને છતાં રસ્તો લેવાય નહિં એવા સંકુલ સંસારમાં બળનું સત્ય નહિ પણ સત્યનું બળ એ જ ધર્મ છે એવો ધ્વનિ અહીં કેન્દ્રવર્તી છે. ભીષ્મ-શિખંડીનો પ્રસંગ કે શકુનિ-કૃષ્ણનો  કુરુક્ષેત્રનો પ્રસંગ નાટકની અત્યંત ભાવાત્મક અને માર્મિક ક્ષણો છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tઅંતિમ અધ્યાય (૧૯૮૩) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ નાટ્યગ્રંથમાં ત્રણ એકાંકીઓનો સમાવેશ થયો છે. નાટ્યવસ્તુ બીજા વિશ્વયુદ્ધમાંથી લીધું છે. નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત આ ત્રણ એકાંકીઓ-‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ \n\t\tઅને ‘હેલન’ ને એકસૂત્રે પરોવે છે. આ પ્રત્યેક એકાંકી પરિસ્થિતિની પાર જઈ દશાંગુલ ઊંચા ઊઠનારા માનવીઓની જિજિવિષાના જયને નિરૂપે છે. મનુષ્ય કદી નાશ નહીં પામે એ શ્રદ્ધા આ કૃતિઓને સમકાલીન ન રહેવા દેતાં સર્વકાલીન સ્થાપિત કરે છે.\n\t\t<p align=\"right\">-મૃદુલા માત્રાવાડિયા</p>\n<br/><br/>\n\t\tવાગીશ્વરીનાં કર્ણફૂલો (૧૯૬૩) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ના સાહિત્યવિવેચનલેખોનો સંચય. કુલ બાર લેખોનું રૂપ અભ્યાસસ્વાધ્યાયનું છે. મૂળ કૃતિનાં સૌંદર્યતત્વો –રસસ્થાનો ચીંધી બતાવીને એની મુલવણી કરતા અભ્યાસલેખો \n\t\tગુજરાતી વિવેચનમાં, એમાંના માનવતાવાદી અભિગમને કારણે ઉલ્લેખનીય છે.\n\t\t<br/><br/>\n\t\t‘વૉર ઍન્ડ પીસ’, ‘ડૉ. જિવાગો’, ‘સિબિલ’, ‘આરણ્યક’, ‘ઘરે બાહિરે’, ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ’ અને ‘માનવીની ભવાઈ’ જેવા અહીં કૃતિલક્ષી સ્વાધ્યાયલેખો છે; તો ‘મીરાંની સાધના’ અને ‘શરચ્ચંદ્રની ઉપાસના’ જેવા, સર્જકની \n\t\tસમગ્રલક્ષી પ્રતિભાને મૂલવતા અભ્યાસલેખો પણ છે. આમાં લેખકની નીતિવાદી-કલાવાદી સાહિત્યવિભાવનાનો પરિચય થાય છે.\n\t\t<p align=\"right\">-બળવંત જાની</p>\n<br/><br/>\n\t\tઆપણો વારસો અને વૈભવ (૧૯૬૧) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ નું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું આ અધ્યયન તત્કાલીન પ્રજાજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શે છે. આ અધ્યયન રાજ્કીય ઇતિહાસ નથી, સાંસ્કૃતિક ઇતિહાસ \n\t\tછે. વેદયુગીન ભારતીય સંસ્કૃતિથી માંડીને હર્ષવર્ધન (ઈ.૬૪૭) સુધીના ભારતના સાંસ્કૃતિક જીવનનું અહીં નિરૂપણ થયું છે. ઇતિહાસની તથ્યલક્ષિતાની સાથોસાથ એની દાર્શનિક દ્રષ્ટિભૂમિ પણ લેખકે અહીં પૂરી પાડી છે.\n\t\t<br/><br/>\n\t\tસમગ્ર ગ્રંથ તેર પ્રકરણોમાં વહેંચાયેલો છે. પહેલા પ્રકરણમાં ઋગ્વેદના આધારે આર્યોની સંસ્કૃતિનું નિરૂપણ થયું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યો વચ્ચેના સંબંધની પૂર્વભૂમિકા, તેનો વિકાસ, તેના પુરસ્કર્તાઓ વગેરેનું \n\t\tવાલ્મીકિ, વ્યાસ વગેરેનાં દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગમાં યજ્ઞાદિના થયેલા વિકાસનું નિરૂપણ છે. પાંચમાં અને છઠ્ઠા પ્રકરણમાં મહાભારત, ઉપનિષદ વગેરે ગ્રંથો, તેમાંનું વાતાવરણ, તેમાં વ્યકત થયેલાં \n\t\tપ્રકરણ બુદ્ધ અને મહાવીરના આચારવિચારોનું તુલનાત્મક અધ્યયન છે. નવમા પ્રકરણમાં આર્યોની સંસ્કૃતિનાં ચાર મુખ્ય અંગો-વિવિધતામાં  એકતા જોવાની દ્રષ્ટિ અને અહિંસા, સ્ત્રી-સન્માન, વર્ણાશ્રમવ્યવસ્થા, તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર \n\t\tકરવાની ટેવ-બાબતે ઉલ્લેખ થયો છે. દસમાં પ્રકરણમાં વેદયુગથી માંડીને બુ્દ્ધ સુધીની વિવિધ રાજ્યપદ્ધતિઓનું નિરૂપણ છે. અગિયારમાં પ્રરકરણમાં હિંદુસ્તાનની અંદર અને એની બહાર એશિયામાં બૌદ્ધભિક્ષુકો, શિલ્પીઓ, વ્યાપારીઓ \n\t\tવગેરેએ સંસ્કૃતિનો વિસ્તાર કઈ રીતે સાધ્યો તે દર્શાવવામાં આવ્યું છે. બારમા અને તેરમા પ્રકરણમાં ‘અશ્વમેઘ-પુનરુદ્ધારયુગ’ નું,- લગભગ છસો વર્ષના ઇતિહાસનું નિરૂપણ છે. આમ, વેદ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીના સાંસ્કૃતિક \n\t\tઇતિહાસનું નિરૂપણ કરતો આ ગ્રંથ નોંધપાત્ર પ્રદાન છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પંચોલી મનુભાઈ રાજારામ, ‘દર્શક’   \t\t(૧૫-૧૦-૧૯૧૪) : નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી  \t\tપ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી  \t\tસણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક. નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિદાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં  \t\tગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથોનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના  \t\tસૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધની ઊંડી અસર, પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.  \t\t૧૯૮૭માં ‘ઝેર તો પીધાં’ ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. \t\t  \t\tનવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિષ્ઠ ‘દર્શક’ની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અધ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી  \t\tઅભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલકથાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા ‘બંદીઘર’ (૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ ના રાષ્ટ્રીય વાતાવરણના  \t\tનિરૂપણમાં લેખકના નિજી અનુભવનો સ્પર્શ છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે. \t\t  \t\t૧૮૫૭ના મુક્તિસંગ્રામની પશ્વાદભૂમાં સર્જાયેલી નવલકથા ‘બંધન અને મુક્તિ’ (૧૯૩૯)માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીનો સ્પષ્ટ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન  \t\tઅને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. \t\t  \t\tપરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપતી નવલકથા ‘દીપનિર્માણ’ (૧૯૪૪) બે હજાર વર્ષ પહેલાંનાં ભારતનાં ગણરાજ્યો-ખાસ કરીને બ્રાહ્મણક, માલવ અને કઠના ઐતિહાસિક સંદર્ભોની સાથે એક મહાનિર્વાણની કથા ગૂંથી આપે  \t\tછે. આનંદ, સુચરિતા અને સુદત્તના પ્રણયત્રિકોણની કથા સાથે વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા અહીં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશક્તિ સાથે ઇતિહાસમાંથી પોતાના  \t\tયુગને ઉપકારક એવું ઉદ્રિષ્ટ અર્થઘટન તારવવાની સર્જકની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ છે. \t\t  \t\tએમની બહુખ્યાત નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’- ભા. ૧, ૨, ૩ (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) ઐતિહાસિક નથી, છતાં એનાં બહુવિધ પ્રતિભાશાળી પાત્રોના આંતરવિશ્વનું ઉદઘાટન, તેમનો ભાવનાત્મક વિકાસ ઐતિહાસિક ઘટનાઓના  \t\tસંદર્ભે થાય છે. લેખક અહીં દૈવને-પ્રારબ્ધને મૂક્તભાવે સ્વીકારે છે, આવકારે છે, પણ મહિમા તો પુરુષાર્થનો જ કરે છે. કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પુનિત-ભાવભર્યું વાતાવરણ, સંન્યસ્ત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય,  \t\tવૈધવ્ય, આશ્રમજીવન-એ બધાં ને ભારતીયતાથી રસીને, કંઈક આધ્યાત્મિકતાનો સ્પર્શ આપીને, ભાતીગળ રીતે કથાના પહેલા ભાગમાં રજૂ કરાયાં છે; તો પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા ધરાવતા બીજા ભાગમાં યહૂદીઓ તરફના જર્મનોના  \t\tવિદ્વેષપૂર્ણ અને વૈમનસ્યભર્યા વાતાવરણમાં સત્યકામને રેથન્યુ અને ક્રિશ્વાઈન દ્વારા સહિષ્ણુતા, ક્ષમાશીલતા અને ઔદાર્યની અવધિના થતા દર્શનનું નિરૂપણ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં માનવજીવનના અંતસ્તલને સ્પર્શતી  \t\tસર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ પણ અહીં છે. લેખકે અહીં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાને ભારતવર્ષના જ નહિ, યુરોપના યુદ્ધાક્રાન્ત પ્રજાજીવનના ફલક પર આલેખી બતાવ્યાં છે. સ્થળ-કાળના સુવિશાળ પર વિહરતાં  \t\tવિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજુ આલેખન સાથે લેખકે ત્રીજા ભાગમાં ‘મધુરેણ સમાપયેત્’ ની પરંપરા સ્વીકારી છે. શીંગોડાનાં કોતરોમાં આરંભાતી કથાનો અંત પણ ત્યાં જ આવે છે. ગોવર્ધનરામની  \t\tસ્પષ્ટ અસર ઝીલતી આ કૃતિમાં જીવનનું બહુપરિમાણી ચિત્ર ઊપસ્યું છે.  અલબત્ત, અહીં ચિંતન ગોવર્ધનરામની હદે જતુ નથી. ક્યારેક તો ટૂંકા, માર્મિક અને સચોટ ઉદગારો દ્વારા વ્યકત થતું લેખકનું જીવનદર્શન વીજળીના એક ઝબકારાની  \t\tજેમ બધું પ્રકાશિત કરી દે છે. સંવાદો, પાત્રો કે ડાયરીના માધ્યમે વ્યકત થતું ચિંતન પાત્રના હૃદયસંવેદનનો સ્પર્શ પામીને ભાવવાહી ગદ્યના સુંદર નમૂનારૂપે નીવડી આવે છે. \t\t  \t\t‘સોક્રેટીસ’ (૧૯૭૪) મહત્વકાંક્ષી ઐતિહાસિક નવલકથા હોવાની સાથે ઘટનાપ્રધાન, ભાવનાવાદી અને ચિંતનપ્રેરક નવલકથા છે. ભારતમાંની વર્તમાન લોકશાહીની થતી વિડંબનાએ આ લેખકને, સોક્રેટીસને આપણી વચ્ચે હરતોફરતો કરવા  \t\tપ્રેર્યા છે. ગ્રીક પ્રજાની બહિર્મુખી જીવનદ્રષ્ટિ, પાર્થિવ સૌંદર્ય ઉપાસના અને તે સાથે આંતરસત્યની ખોજ માટે મથામણ અનુભવતા સોક્રેટીસના નિરૂપણમાં સર્જકની વિદ્વતા અને ઉત્તરોઉત્તર પક્વ બનેલી સર્ગશક્તિનો વિશિષ્ટ પરિચય મળે છે.  \t\tકૃતિની રસાત્મકતાને અખંડ રાખીને તેની ચિંતનસમૃદ્ધિ ઝીલતી મનોહારી શૈલી નવલકથાને અનુરૂપ અને સાદ્યંત ગરિમા જાળવી રાખનારી છે. \t\t  \t\t‘દર્શક માને છે કે ‘હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય’ સર્જાવું જોઈએ; એટલે જ એમની નવલકથાઓમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો જે અદ્રષ્ટિ બલિષ્ઠ રણકો ઉઠે છે એ જ તેની મૂલ્યવાન ઉપલબ્ધિ બની રહે છે. \t\t  \t\tએમનું ગદ્ય રસાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણનો તેઓ અચૂક આપે છે. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણનો પ્રતીતિકર અને મનોહર હોય છે.  \t\t  \t\tપ્રકૃતિદ્રશ્ય કે પ્રણયનાં કોમળ-મધુર સંવેદનોના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસૌંદર્યનો અનુભવ કરાવે છે. એમનું ભાષાસામર્થ્ય અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્વનાં પરિબળો છે. \t\t  \t\t‘જલિયાંવાલા’ (૧૯૩૪) એમની પ્રથમ નાટ્યકૃતિ છે. ૧૯૧૯ના એપ્રિલની ૧૩મી તારીખે પંજાબના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર અને તેના સૈનિકોએ કરેલી ક્રૂર કત્લેઆમની ઐતિહાસિક ઘટનાના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી  \t\tમાટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે. એકવીસ દ્રશ્યોમાં વહેંચાયેલા નાટક ‘અઢારસો સત્તાવન’ (૧૯૩૫)માં અહિંસક માનવીય અભિગમ અને ગાંધીયુગના ભાવનાવાદનું ગૌરવ થયું છે. ત્રણ અંક અને નવ પ્રવેશવાળા નાટક  \t\t‘પરિત્રાણ’ (૧૯૬૭)માં સ્વધર્મના દેવતાનો મહિમા થયો છે. ‘સોદો’ અને ‘હેલન’ જેવાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીવાદીઓના આંતકનો ભોગ બનેલી અને તેનો પ્રતિકાર કરનારી યહૂદી પ્રજાની વેદનાને આલેખતાં બે નાટકો સહિતનો  \t\tનાટ્યસંગ્રહ ‘અંતિમ અધ્યાય’ (૧૯૮૩) હિટલર જેવા અમાનુષી સરમુખત્યારનો કરુણ અને નાટકીય અંજામ રજૂ કરે છે. આ નાટકોમાં જીવનની જટિલ સમસ્યાઓને માનવીય દ્રષ્ટિકોણથી ઉકેલવાની વાત છે. નવલકથાઓની જેમ એમનાં  \t\tનાટકોનું વિષયવસ્તુ પણ ઇતિહાસનાં પૃષ્ઠો પર આધારિત છે. નાટકોનું મુખ્ય આકર્ષણ હૃદયદ્રાવક એવું સાર્વત્રિક કથાવસ્તુ અને ચોટદાર સંવાદો છે. તખ્તા પર બનતી ઘટનાઓ મોટે ભાગ આંતરિક કે સૂક્ષ્મ છે. ઘણીબધી બાબતો સૂચિત છે.  \t\t  \t\tઆ નાટકોમાં બાહ્ય ઘટના કે ગતિશીલ ક્રિયાઓનો અભાવ હોવા છતાં ચોટદાર સંવાદો દ્વારા માનવીય મૂલ્યોના ઉપસ્થિત થતા પ્રશ્નો વિચારપ્રેરક છે અંતરને સ્પર્શી જાય છે. \t\t  \t\t‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ (૧૯૬૩) અને ‘મંદારમાલા’ (૧૯૮૫) એમની સાહિત્યિક વિચારસરણીને વ્યકત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથો છે. ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ માં એમણે લોકભારતી વિદ્યાપીઠમાં આપેલા પાંચ વ્યાખ્યાનો સમાવિષ્ટ છે. \t\t  \t\t‘ગ્રીસ’ : ભા.૧, ૨ (૧૯૪૬) ‘રોમ’ (૧૯૪૬)ની ઇતિહાસ કથાઓ પૈકીની કેટલીક ઘટનાઓને ટૂંકીવાર્તાના સ્વરૂપમાં એમણે રસપ્રદ રીતે રજૂ કરી છે. ‘મંગળકથાઓ’ (૧૯૫૬) અને ‘માનવ કુળકથાઓ’ (૧૯૫૬) ઇતિહાસ-પુરાણ પર આધારિત  \t\tઅને પ્રેરક, સરળ, ઋજુ શૈલીમાં લખાયેલી પ્રસંગકથાઓના સંચયો છે. \t\t  \t\t‘આપણો વારસો અને વૈભવ’ (૧૯૫૩)માં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તેવો ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજ્કીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તનો સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાયો છે. ‘ઇતિહાસ અને  \t\tકેળવણી’ (૧૯૭૩) પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. ‘બે વિચારધારા’ (૧૯૪૫), ‘લોકશાહી’ (૧૯૭૩) અને ‘સોક્રેટીસ-લોકશાહીના સંદર્ભમાં’ (૧૯૮૨) એ એમની વિચારપ્રધાન રાજનીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. ‘નઈ તાલીમ અને  \t\tનવવિધાન’ (૧૯૫૭) તથા ‘સર્વોદય અને્ શિક્ષણ’ (૧૯૬૩) એમનાં શિક્ષણવિષયક પુસ્તકો છે. \t\t  \t\t‘સોક્રેટીસ’ (૧૯૫૩), ‘ત્રિવેણીતીર્થ’ (૧૯૫૫), ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ’ (૧૯૫૬), ‘નાનાભાઈ’ (મૂ.મો.ભટ્ટ સાથે, ૧૯૬૧), ‘ટોલ્સ્ટોય’ (૧૯૭૯) વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે. \t\t‘ધર્મચક્રપ્રવર્તન’ (૧૯૫૬), ‘શાંતિના પાયા’ (૧૯૬૩), ‘અમૃતવલ્લરી’ (૧૯૭૩), ‘મહાભારતનો મર્મ’ (૧૯૭૮), ‘રામાયણનો મર્મ’ (૧૯૮૩) વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે. \t\t  \t\t‘મારી વાચનકથા’ (૧૯૬૯) ઉત્તમ પુસ્તકોના સહવાસનો ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, ‘ચેતોવિસ્તારની યાત્રા’ (૧૯૮૭)માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્રો છે. ‘સદભિ : સંગ : ’ (૧૯૮૯)માં  \t\tગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સરણોસરાની ઘડતરકથા છે.  \t\t -નિરંજન વોરા    \t\tબંધન અને મુક્તિ (૧૯૩૯) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની નવલકથા. ૧૮૫૭ના વિપ્લવની કથા નરસિંહપુરના રાજ્યના સીમિત સંદર્ભે આલેખાયેલી છે અને મૃત્યુદંડથી આરંભી મૃત્યુદંડ આગળ પૂરી થયેલી છે. પરંતુ આરંભ અને અંતના  \t\tમૃત્યુદંડ વચ્ચેનો વિકાસ લક્ષ્યગામી અને સુયોજિત છે. વાસુદેવ અને અર્જુનની પૂર્વકથા તેમ જ સુભગા અને રાજશેખ ની આનુષંગિક પ્રેમશૌર્યકથા ઇતિહાસના આભાસ દ્વારા માનવધર્મને પ્રગટાવવામાં સફળ નીવડી છે.  \t\t -રમેશ ર. દવે    \t\tદીપનિર્વાણ (૧૯૪૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની ઐતિહાસિક નવલકથા. પ્રાચીન ભારતનાં પ્રજાસત્તાક ત્રણ રાજ્યોએ મગધની સામ્રાજ્યલિપ્સાની સામે પોતાની આઝાદીની ખુમારી શી રીતે દાખવી એનું ભવ્યોજજ્વલ નિરૂપણ અહીં  \t\tથયું છે. પ્રથમ ખંડનાં ચૌદ પ્રકરણોમાં કથાનાયક આનંદનાં માતા-પિતા આર્યા ગૌતમી અને દેવહુતિનાં પ્રણય-પરિણય અને દીક્ષા તેમ જ માતાવિહોણા બાળક આનંદના, માતામહ આત્રેય પાસેના ઉછેરની પૂર્વકથા તથા મહાશિલ્પી સુદત્ત  \t\tદ્વારા મૌગલ્લાનવિહાર અને પદ્મપાણિની શિલ્પરચના, તેની કલા પર વારી જઈ મહાકાશ્યપની પુત્રી સુચરિતા દ્વારા સુદત્તને થતું વાગ્દાન, બ્રાહ્મણક ગણના સેનાની તરીકે આનંદનું મહાકાશ્યપ પાસે ઔષધવિદ્યાના અભ્યાસ માટે આવવું,  \t\tસુચરિતા સાથેની તેની આત્મીયતાથી ઈર્ષા અનુભવતાં સુદત્ત દ્વારા રથસ્પર્ધામાં આનંદના ઘોડાને ઘાયલ કરી રથસ્પર્ધા જીતવાનો પ્રયાસ કરવો, એના આનુષંગે મળેલી ગણસમિતિ સમક્ષ આનંદને ગણનાગરિક તરીકે અપાત્ર ઠેરવી  \t\tદેશનિર્વાચન અપાવવું, સુદત્તવધૂ બનવાના વિકલ્પને સુચરિતા દ્વારા પ્રવજ્યા લેવી, ગણદ્રોહી બની સુદત્ત દ્વારા મગધ-આક્રમણ કરાવવું-જેવી ઘટનાઓના આલેખન નિમિત્તે સુચરિતા, સુદત્ત અને આનંદના પ્રણયત્રિકોણનું નિરૂપણ થયું છે;  \t\tતો મગધના આક્રમણ સામે લડી લેવાની ગણરાજ્યોની તૈયારી, સંભવિત શક-આક્રમણની શક્યાશક્યતાની તપાસ માટે હરૌવતી જતાં આનંદનું તક્ષશિલામાં મહર્ષિ ઐલને મળવું, એમનાં અંતેવાસી કૃષ્ણા-મૈનેન્દ્રના પ્રેમ-પ્રસંગો, મગધના  \t\tઆક્રમણ સામે ઘોર વિનાશ વહોરીને લડી રહેલાં ગણરાજ્યો, પશ્ચાત્તાપશુદ્ધ સુદત્તની પરોક્ષ મદદથી થતા વિજય સાથે પૂરા થતા બીજા ખંડ પછી મગધના ઈન્દુકુમારના મોંએ કહેવાયેલી કથારૂપે મુકાયેલ ઉપસંહાર સાથે કથા પૂરી થાય છે. \t\tવિવિધ પાત્રો અને દેશકાળ વચ્ચે વહેંચાઈને દ્વિકેન્દ્રી બનવા છતાં ઐતિહાસિક નવલકથાને અનુરૂપ રહેતું ગદ્ય, પ્રતીતિકર પાત્રનિરૂપણ અને વર્ણનકલાને કારણે કૃતિ ધ્યાનાર્હ બને છે.  \t\t -રમેશ ર. દવે    \t\tઝેર તો પીધાં છે જાણી જાણી- ખંડ ૧ (૧૯૫૨), ખંડ ૨ (૧૯૫૮), ખંડ ૩ (૧૯૮૫) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ ની બૃહદ્ નવલકથા. લેખકે એમાં, બે વિશ્વયુદ્ધોની વિભીષિકાનાં સાક્ષી બનતાં પાત્રોની વિવિધ ધર્મ પરત્વેની શ્રદ્ધાના સમાન્તર  \t\tનિરૂપણ દ્વારા, કોઈ એક જ ધર્મનો આશ્રય ન લેતાં, સર્વધર્મોનાં શુભ-તત્ત્વોનો સમન્વય સાધતાં કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે. \t\t  \t\tકૃતિના પ્રથમ ખંડમાં નાયક-નાયિકા સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દ્રષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ,  \t\tતેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધધર્મના વિશેષ અભ્યાસ નિમિત્તે વિદેશગમન, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ દ્વારા લેખકે ગોપાળબાપાની  \t\tધર્મપરાયણ સેવાવૃત્તિ અને સત્યકામ-રોહિણીની રુચિર પ્રણયકથાનું આલેખન કર્યું છે. \t\t  \t\tપ્રથમ વિશ્વયુદ્ધે યુરોપમાં સર્જેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની વચ્ચે વસતા પંડિત  \t\tકેશવદાસની નોંધપોથીરૂપે લખાયેલા કથાના બીજા ખંડમાં યુરોપનો ઇતિહાસ વિશેષ સ્થાન પામે છે. કૃતિના ત્રીજા ખંડમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતના ચરિત્રનો વિકાસ પણ આ ખંડમાં જ દર્શાવાયો છે. \t\t  \t\tવર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોની ભાળવણ માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, બીજા વિશ્વયુદ્ધ નિમિત્તે ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન  \t\tએમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું, તેમ જ કથાંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખતા ત્રીજા ખંડમાં  \t\tનવલકથાનું કથયિતવ્ય, યુદ્ધનાં તાદ્દશ વર્ણનો અને સ્થવીર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસારૂપે નિરૂપાયું છે. \t\t  \t\tવિશાળ ફલક પર પથરાયેલી આ કૃતિનું વસ્તુવિધાન અકસ્માતોના અતિરેકપૂર્ણ ઉપયોગને લીધે શિથિલ હોવા છતાં પ્રતીતિકર પાત્રનિરૂપણ અને પ્રસંગયોજના તથા ધ્યાનાર્હ ગદ્યથી કૃતિની મહત્તા પ્રગટ થાય છે.  \t\t -રમેશ ર. દવે    \t\tસોક્રેટિસ (૧૯૭૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ ની ઐતિહાસિક નવલકથા. એમાં સોક્રેટિસના દ્રશ્ય-અદ્રશ્ય કે શ્રાવ્ય-અશ્રાવ્ય વ્યક્તિત્વની આબોહવા ઊભી કરવાનો આદર્શ નવલકથાકારે દ્રષ્ટિ સમક્ષ રાખ્યો છે. સમાન્તર ચાલતી કાલ્પનિક  \t\tપાત્રો મીડિયા અને એપોલોડોરસની પ્રેમકથા નાયક સોક્રેટિસની વ્યક્તિત્વકથાને બલિષ્ઠ કરે છે. તત્કાલીન ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રજાજીવનનું ચિત્રણ પ્રતીતિજનક છે. લેખક પોતે પણ આ કૃતિને પોતાની મહત્ત્વની કૃતિ ગણે છે.   \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tપરિત્રાણ (૧૯૬૭) : મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ‘મહાભારત’ના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રયવાસિકપર્વ પર આધારિત ત્રિઅંકી નાટક. નાટ્યકારે મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું \tછે એવું દર્શન  \t\tઉપસાવ્યું છે. રસ્તો હોય અને છતાં રસ્તો લેવાય નહિં એવા સંકુલ સંસારમાં બળનું સત્ય નહિ પણ સત્યનું બળ એ જ ધર્મ છે એવો ધ્વનિ અહીં કેન્દ્રવર્તી છે. ભીષ્મ-શિખંડીનો પ્રસંગ કે શકુનિ-કૃષ્ણનો  કુરુક્ષેત્રનો પ્રસંગ નાટકની અત્યંત ભાવાત્મક અને માર્મિક ક્ષણો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tઅંતિમ અધ્યાય (૧૯૮૩) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ નાટ્યગ્રંથમાં ત્રણ એકાંકીઓનો સમાવેશ થયો છે. નાટ્યવસ્તુ બીજા વિશ્વયુદ્ધમાંથી લીધું છે. નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત આ ત્રણ એકાંકીઓ-‘સોદો’, ‘અંતિમ અધ્યાય’  \t\tઅને ‘હેલન’ ને એકસૂત્રે પરોવે છે. આ પ્રત્યેક એકાંકી પરિસ્થિતિની પાર જઈ દશાંગુલ ઊંચા ઊઠનારા માનવીઓની જિજિવિષાના જયને નિરૂપે છે. મનુષ્ય કદી નાશ નહીં પામે એ શ્રદ્ધા આ કૃતિઓને સમકાલીન ન રહેવા દેતાં સર્વકાલીન સ્થાપિત કરે છે. \t\t -મૃદુલા માત્રાવાડિયા    \t\tવાગીશ્વરીનાં કર્ણફૂલો (૧૯૬૩) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ના સાહિત્યવિવેચનલેખોનો સંચય. કુલ બાર લેખોનું રૂપ અભ્યાસસ્વાધ્યાયનું છે. મૂળ કૃતિનાં સૌંદર્યતત્વો –રસસ્થાનો ચીંધી બતાવીને એની મુલવણી કરતા અભ્યાસલેખો  \t\tગુજરાતી વિવેચનમાં, એમાંના માનવતાવાદી અભિગમને કારણે ઉલ્લેખનીય છે. \t\t  \t\t‘વૉર ઍન્ડ પીસ’, ‘ડૉ. જિવાગો’, ‘સિબિલ’, ‘આરણ્યક’, ‘ઘરે બાહિરે’, ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ’ અને ‘માનવીની ભવાઈ’ જેવા અહીં કૃતિલક્ષી સ્વાધ્યાયલેખો છે; તો ‘મીરાંની સાધના’ અને ‘શરચ્ચંદ્રની ઉપાસના’ જેવા, સર્જકની  \t\tસમગ્રલક્ષી પ્રતિભાને મૂલવતા અભ્યાસલેખો પણ છે. આમાં લેખકની નીતિવાદી-કલાવાદી સાહિત્યવિભાવનાનો પરિચય થાય છે. \t\t -બળવંત જાની    \t\tઆપણો વારસો અને વૈભવ (૧૯૬૧) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ નું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું આ અધ્યયન તત્કાલીન પ્રજાજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શે છે. આ અધ્યયન રાજ્કીય ઇતિહાસ નથી, સાંસ્કૃતિક ઇતિહાસ  \t\tછે. વેદયુગીન ભારતીય સંસ્કૃતિથી માંડીને હર્ષવર્ધન (ઈ.૬૪૭) સુધીના ભારતના સાંસ્કૃતિક જીવનનું અહીં નિરૂપણ થયું છે. ઇતિહાસની તથ્યલક્ષિતાની સાથોસાથ એની દાર્શનિક દ્રષ્ટિભૂમિ પણ લેખકે અહીં પૂરી પાડી છે. \t\t  \t\tસમગ્ર ગ્રંથ તેર પ્રકરણોમાં વહેંચાયેલો છે. પહેલા પ્રકરણમાં ઋગ્વેદના આધારે આર્યોની સંસ્કૃતિનું નિરૂપણ થયું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યો વચ્ચેના સંબંધની પૂર્વભૂમિકા, તેનો વિકાસ, તેના પુરસ્કર્તાઓ વગેરેનું  \t\tવાલ્મીકિ, વ્યાસ વગેરેનાં દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગમાં યજ્ઞાદિના થયેલા વિકાસનું નિરૂપણ છે. પાંચમાં અને છઠ્ઠા પ્રકરણમાં મહાભારત, ઉપનિષદ વગેરે ગ્રંથો, તેમાંનું વાતાવરણ, તેમાં વ્યકત થયેલાં  \t\tપ્રકરણ બુદ્ધ અને મહાવીરના આચારવિચારોનું તુલનાત્મક અધ્યયન છે. નવમા પ્રકરણમાં આર્યોની સંસ્કૃતિનાં ચાર મુખ્ય અંગો-વિવિધતામાં  એકતા જોવાની દ્રષ્ટિ અને અહિંસા, સ્ત્રી-સન્માન, વર્ણાશ્રમવ્યવસ્થા, તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર  \t\tકરવાની ટેવ-બાબતે ઉલ્લેખ થયો છે. દસમાં પ્રકરણમાં વેદયુગથી માંડીને બુ્દ્ધ સુધીની વિવિધ રાજ્યપદ્ધતિઓનું નિરૂપણ છે. અગિયારમાં પ્રરકરણમાં હિંદુસ્તાનની અંદર અને એની બહાર એશિયામાં બૌદ્ધભિક્ષુકો, શિલ્પીઓ, વ્યાપારીઓ  \t\tવગેરેએ સંસ્કૃતિનો વિસ્તાર કઈ રીતે સાધ્યો તે દર્શાવવામાં આવ્યું છે. બારમા અને તેરમા પ્રકરણમાં ‘અશ્વમેઘ-પુનરુદ્ધારયુગ’ નું,- લગભગ છસો વર્ષના ઇતિહાસનું નિરૂપણ છે. આમ, વેદ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીના સાંસ્કૃતિક  \t\tઇતિહાસનું નિરૂપણ કરતો આ ગ્રંથ નોંધપાત્ર પ્રદાન છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "manubhai-pancoli-darsaka",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/manubhai-pancoli-darsaka",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:03.743017",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17325,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મનુભાઈ ત્રિવેદી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ, ‘સરોદ’, ‘ગાફિલ’ </h4>\t\n\t\t(૨૬-૭-૧૯૧૪, ૯-૪-૧૯૭૨) : કવિ. જન્મ રાજકોટમાં. વતન માણાવદર. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. જૂનાગઢની કૉલેજમાં અભ્યાસ. એલએલ.બી. થઈને થઈને \n\t\tવકીલાત કર્યો બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, ગોંડલ વગેરે સ્થળે કામગીરી કર્યા બાદ અંતે સ્મોલ કૉઝ કોર્ટ, અમદાવાદમાં ન્યાયાધીશપદે. અમદાવાદમાં હૃદયરોગથી અવસાન.\n\t\t<br/><br/>\n\t\tએમની કવિત્વશક્તિ મુખ્યત્વે ભજન-ગઝલમાં વ્યક્ત થઈ છે. ‘રામરસ’ (૧૯૫૬) અને ‘સુરતા’ (૧૯૭૦) એમના ભજનસંગ્રહો છે. આધ્યાત્મિક રહસ્યછાયાની અંકિત એમની પદાવલીમાં સૌરાષ્ટ્રની ભજન-પરંપરાનો પાસ છે; તો એમના \n\t\t‘બંદગી’ (૧૯૭૩) ગઝલસંગ્રહમાં પરંપરાની સાદગીનું આકર્ષણ છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ, ‘સરોદ’, ‘ગાફિલ’  \t \t\t(૨૬-૭-૧૯૧૪, ૯-૪-૧૯૭૨) : કવિ. જન્મ રાજકોટમાં. વતન માણાવદર. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. જૂનાગઢની કૉલેજમાં અભ્યાસ. એલએલ.બી. થઈને થઈને  \t\tવકીલાત કર્યો બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, ગોંડલ વગેરે સ્થળે કામગીરી કર્યા બાદ અંતે સ્મોલ કૉઝ કોર્ટ, અમદાવાદમાં ન્યાયાધીશપદે. અમદાવાદમાં હૃદયરોગથી અવસાન. \t\t  \t\tએમની કવિત્વશક્તિ મુખ્યત્વે ભજન-ગઝલમાં વ્યક્ત થઈ છે. ‘રામરસ’ (૧૯૫૬) અને ‘સુરતા’ (૧૯૭૦) એમના ભજનસંગ્રહો છે. આધ્યાત્મિક રહસ્યછાયાની અંકિત એમની પદાવલીમાં સૌરાષ્ટ્રની ભજન-પરંપરાનો પાસ છે; તો એમના  \t\t‘બંદગી’ (૧૯૭૩) ગઝલસંગ્રહમાં પરંપરાની સાદગીનું આકર્ષણ છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "manubhai-trivedi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/manubhai-trivedi",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:03.978851",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17326,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મરીઝ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>વાસી અબ્બાસ અબ્દુલઅલી, ‘મરીઝ’ </h4>\n\t\t(૨૨-૧-૧૯૧૭, ૧૯-૧૦-૧૦૮૩) : ગઝલકાર. જન્મ સુરતમાં, અભ્યાસ બે ધોરણ સુધી, વ્યવસાયે પત્રકાર.\n\t\t<br/><br/>\n\t\tએમણે થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો \n\t\t‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે.\n\t\t<br/><br/>\n\t\t‘મરીઝ’ની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી ઊંચી કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા ઘણી છે. કેટલીક તો સાદ્યન્તસિદ્ધ ગઝલો છે. એમણે જીવન વિશે, પોતાની અવદશા વિશે, \n\t\tભગ્નપ્રણયની વ્યથા વિશે, દોસ્તો વિશે અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યક્તિવાળા અશઆર આપ્યા છે, જેમાંના ઘણા યાદગાર છે. એમના શેરની વિશેષતા એ છે કે તે સાદી સરળ વાણીમાં અર્થઘન અને માર્મિક વાત \n\t\tકહે છે. એમાં કવિનો મર્મ કે ક્યારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા છે. તેઓ ગુજરાતી \n\t\tગઝલક્ષેત્રે સાચકલી કવિતાના સર્જક છે. \n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      વાસી અબ્બાસ અબ્દુલઅલી, ‘મરીઝ’   \t\t(૨૨-૧-૧૯૧૭, ૧૯-૧૦-૧૦૮૩) : ગઝલકાર. જન્મ સુરતમાં, અભ્યાસ બે ધોરણ સુધી, વ્યવસાયે પત્રકાર. \t\t  \t\tએમણે થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો  \t\t‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે. \t\t  \t\t‘મરીઝ’ની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી ઊંચી કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા ઘણી છે. કેટલીક તો સાદ્યન્તસિદ્ધ ગઝલો છે. એમણે જીવન વિશે, પોતાની અવદશા વિશે,  \t\tભગ્નપ્રણયની વ્યથા વિશે, દોસ્તો વિશે અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યક્તિવાળા અશઆર આપ્યા છે, જેમાંના ઘણા યાદગાર છે. એમના શેરની વિશેષતા એ છે કે તે સાદી સરળ વાણીમાં અર્થઘન અને માર્મિક વાત  \t\tકહે છે. એમાં કવિનો મર્મ કે ક્યારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા છે. તેઓ ગુજરાતી  \t\tગઝલક્ષેત્રે સાચકલી કવિતાના સર્જક છે.  \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "marijha",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/marijha",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:04.168969",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17327,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મીનું એડનવાળા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>એડનવાળા મીનું દોરાબ</h4>\n\t\t(૨૧-૧૦-૧૯૨૭) : નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં અમેરિકાની નોર્થ-વેસ્ટર્ન \n\t\tયુનિવર્સિટિમાંથી એમ.એસ. અને ૧૯૫૬માં રાજ્યશાસ્ત્રમાં પીએચ.ડી. હાલ વિસ્કોન્સિની લૉરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગના વડા.\n\t\t<br/><br/> \n\t\tઅમેરિકાનાં ભૂતકાળ, બંધારણ, રાજ્યપદ્ધતિ, કુટુંબવ્યવસ્થા, ભારત-અમેરિકાની તુલના અને અજંપ, અધીરા, જિજ્ઞાસુ અમેરિકનોનો પરિચય કરાવતી પુસ્તિકા ‘અમેરિકા આવું છે’ (૧૯૬૯) એમણે લખેલી છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      એડનવાળા મીનું દોરાબ  \t\t(૨૧-૧૦-૧૯૨૭) : નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં અમેરિકાની નોર્થ-વેસ્ટર્ન  \t\tયુનિવર્સિટિમાંથી એમ.એસ. અને ૧૯૫૬માં રાજ્યશાસ્ત્રમાં પીએચ.ડી. હાલ વિસ્કોન્સિની લૉરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગના વડા. \t\t   \t\tઅમેરિકાનાં ભૂતકાળ, બંધારણ, રાજ્યપદ્ધતિ, કુટુંબવ્યવસ્થા, ભારત-અમેરિકાની તુલના અને અજંપ, અધીરા, જિજ્ઞાસુ અમેરિકનોનો પરિચય કરાવતી પુસ્તિકા ‘અમેરિકા આવું છે’ (૧૯૬૯) એમણે લખેલી છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "minum-edanavala",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/minum-edanavala",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:04.330596",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17328,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મોહનભાઈ પટેલ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પટેલ મોહનભાઈ શંકરભાઈ,  ‘કૃષ્ણ દ્વૈપાયન’, ‘સનાતન યાત્રી’ </h4>\n\t\t(૮-૬-૧૯૨૦) :  વિવેચક, સંશોધક. જન્મ પેટલાદ તાલુકાના વડદલામાં. ૧૯૪૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ, ૧૯૪૮માં એ જ \n\t\tયુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૪૬માં વડોદરા કૉલેજમાં ફેલો નિમાયા. વિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળે અધ્યાપન. પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક, આચાર્ય અને વિનયન વિભાગના ડીન. \n\t\tત્યાંથી જ નિવૃત્ત. ‘વાણી’, ‘વિદ્યાપીઠ’ સામયિકોના તંત્રી. પછીથી ‘શિશુલોક’ અનિયતકાલિકના તંત્રી.\n\t\t<br/><br/>\n\t\t‘ઉપનયન’ (૧૯૬૬)માં એમનાં સંશોધનો અને અભ્યાસલેખો સંગૃહીત છે. ગુજરાતી કહેવતો અને એમાં સગાઈસંબંધો વિશેના એમના બે લેખોમાં આવા ઉપેક્ષિત પણ આવશ્યક કાર્યને એમણે મૂલવ્યું છે. મધ્યકાલીન ફાગુનું \n\t\tસ્વરૂપ અને પ્રેમાનંદની કવિતામાં સંસ્કૃતિસંદર્ભ જેવા વિષયો પરનું એમનું સંશોધન ધ્યાનપાત્ર છે. ગોવર્ધનરામ, ગાંધીજી, રાજેન્દ્રની કવિતા, આધુનિક કવિતામાં પ્રકૃતિ, સુંદરમ્ નું એક કાવ્ય, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ \n\t\tઇત્યાદિ વિષયોને વિવિધ લેખોમાં મૂલવવાનો અહીં સંનિષ્ઠ પ્રયાસ છે. ‘ધૃતિ’ (૧૯૭૦) એમનો બીજો લેખસંચય છે. એમાં જીવનકથાના સ્વરૂપ પરનો લેખ નોંધપાત્ર છે. આ ઉપરાંત સાહિત્યકૃતિઓ અને સર્જકોવિશેના એમના \n\t\tવિચારો તથા અભ્યાસો આ સંચયમાં ગ્રંથસ્થ થયેલા છે. ‘ચન્દ્રવદન ચી. મહેતા’ (૧૯૮૧) એમનો લઘુપ્રબંધ છે. વિવેચક તરીકે તેઓ સ્પષ્ટવક્તા છે અને કૃતિની સર્વાંગીણ તપાસ કરવાને બદલે કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરે છે.\n\t\t<br/><br/>\n\t\tભાષા, વ્યાકરણ, જોડણી, અનુવાદ વગેરેમાં એમનું સંશોધન જાણીતું છે. ‘અનુવાદ વિજ્ઞાન’ (૧૯૭૦), ‘ગુજરાતીમાં વિરામચિન્હો’ (અન્ય સાથે, ૧૯૭૩), ‘ભાષાસાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ (૧૯૮૧), ‘અનુવાદની સમસ્યાઓ : \n\t\tએખ સંગોષ્ઠિ’ (૧૯૮૨) વગેરે એમનાં ઉપયોગી પુસ્તકો છે.\n\t\t<br/><br/>\n\t\t‘આલ્બર્ટ સ્વાઈત્ઝર’ (૧૯૬૪), ‘બાલ ભારતી’- ભા. ૧-૧૦ (૧૯૭૦), ‘ગુજરાતીમાં બાલસાહિત્ય’ (૧૯૮૪) વગેરે એમનાં બાળસાહિત્યવિષયક પુસ્તકો છે.\n\t\t<br/><br/>\n\t\t‘ચાર ફાગુ’ (૧૯૬૨), ‘ગાંધીજીની જીવનદ્રષ્ટિ’ (૧૯૬૪), ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’ ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૭૩), ‘બૃહદ ગુજરાતી કાવ્યપરિચય’- ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૭૩), ‘વાગ્વ્યાપાર અને વાગ્છટા’ (૧૯૭૩) \n\t\t‘ચઢો રે શિખર રાજા રામના’ (૧૯૭૫) વગેરે એમનાં સંપાદનો-સહસંપાદનો છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પટેલ મોહનભાઈ શંકરભાઈ,  ‘કૃષ્ણ દ્વૈપાયન’, ‘સનાતન યાત્રી’   \t\t(૮-૬-૧૯૨૦) :  વિવેચક, સંશોધક. જન્મ પેટલાદ તાલુકાના વડદલામાં. ૧૯૪૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ, ૧૯૪૮માં એ જ  \t\tયુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૪૬માં વડોદરા કૉલેજમાં ફેલો નિમાયા. વિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળે અધ્યાપન. પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક, આચાર્ય અને વિનયન વિભાગના ડીન.  \t\tત્યાંથી જ નિવૃત્ત. ‘વાણી’, ‘વિદ્યાપીઠ’ સામયિકોના તંત્રી. પછીથી ‘શિશુલોક’ અનિયતકાલિકના તંત્રી. \t\t  \t\t‘ઉપનયન’ (૧૯૬૬)માં એમનાં સંશોધનો અને અભ્યાસલેખો સંગૃહીત છે. ગુજરાતી કહેવતો અને એમાં સગાઈસંબંધો વિશેના એમના બે લેખોમાં આવા ઉપેક્ષિત પણ આવશ્યક કાર્યને એમણે મૂલવ્યું છે. મધ્યકાલીન ફાગુનું  \t\tસ્વરૂપ અને પ્રેમાનંદની કવિતામાં સંસ્કૃતિસંદર્ભ જેવા વિષયો પરનું એમનું સંશોધન ધ્યાનપાત્ર છે. ગોવર્ધનરામ, ગાંધીજી, રાજેન્દ્રની કવિતા, આધુનિક કવિતામાં પ્રકૃતિ, સુંદરમ્ નું એક કાવ્ય, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’  \t\tઇત્યાદિ વિષયોને વિવિધ લેખોમાં મૂલવવાનો અહીં સંનિષ્ઠ પ્રયાસ છે. ‘ધૃતિ’ (૧૯૭૦) એમનો બીજો લેખસંચય છે. એમાં જીવનકથાના સ્વરૂપ પરનો લેખ નોંધપાત્ર છે. આ ઉપરાંત સાહિત્યકૃતિઓ અને સર્જકોવિશેના એમના  \t\tવિચારો તથા અભ્યાસો આ સંચયમાં ગ્રંથસ્થ થયેલા છે. ‘ચન્દ્રવદન ચી. મહેતા’ (૧૯૮૧) એમનો લઘુપ્રબંધ છે. વિવેચક તરીકે તેઓ સ્પષ્ટવક્તા છે અને કૃતિની સર્વાંગીણ તપાસ કરવાને બદલે કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરે છે. \t\t  \t\tભાષા, વ્યાકરણ, જોડણી, અનુવાદ વગેરેમાં એમનું સંશોધન જાણીતું છે. ‘અનુવાદ વિજ્ઞાન’ (૧૯૭૦), ‘ગુજરાતીમાં વિરામચિન્હો’ (અન્ય સાથે, ૧૯૭૩), ‘ભાષાસાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ (૧૯૮૧), ‘અનુવાદની સમસ્યાઓ :  \t\tએખ સંગોષ્ઠિ’ (૧૯૮૨) વગેરે એમનાં ઉપયોગી પુસ્તકો છે. \t\t  \t\t‘આલ્બર્ટ સ્વાઈત્ઝર’ (૧૯૬૪), ‘બાલ ભારતી’- ભા. ૧-૧૦ (૧૯૭૦), ‘ગુજરાતીમાં બાલસાહિત્ય’ (૧૯૮૪) વગેરે એમનાં બાળસાહિત્યવિષયક પુસ્તકો છે. \t\t  \t\t‘ચાર ફાગુ’ (૧૯૬૨), ‘ગાંધીજીની જીવનદ્રષ્ટિ’ (૧૯૬૪), ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’ ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૭૩), ‘બૃહદ ગુજરાતી કાવ્યપરિચય’- ભા. ૧-૨ (અન્ય સાથે, ૧૯૭૩), ‘વાગ્વ્યાપાર અને વાગ્છટા’ (૧૯૭૩)  \t\t‘ચઢો રે શિખર રાજા રામના’ (૧૯૭૫) વગેરે એમનાં સંપાદનો-સહસંપાદનો છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "mohanabhai-patela",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/mohanabhai-patela",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:04.511083",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17329,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "મોહનલાલ દવે",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દવે મોહનલાલ પાર્વતીશંકર</h4>\n\t\t(૨૦-૪-૧૮૮૩, ૨-૨-૧૯૭૪) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૫માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કૉલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા \n\t\tકૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. સુરતમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tએમણે આપેલાં પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહો ‘તરંગ’ (૧૯૪૨) અને ‘સંસ્કાર’ (૧૯૪૪); વિવેચનસંગ્રહો ‘સાહિત્યકળા’ (૧૯૩૮), ‘કાવ્યકળા’ (૧૯૩૮), ‘વિવેચન’ (૧૯૪૧) અને ‘રસપાન’ (૧૯૪૨); મહંમદ \n\t\tપયગંબર, માર્ટિન લ્યૂથર, અશોક અને મહર્ષિ દયાનંદનાં જીવનચરિત્રો આપતું ‘વીરપૂજા’ (૧૯૪૧) તેમ જ ‘લેન્ડોરની જીવનકથા’ (૧૯૫૭) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘ગદ્યકુસુમો’ (વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે, ૧૯૩૧) નું સંપાદન કર્યું છે. \n\t\t<br/><br/>\n\t\t‘લેન્ડોરના કાલ્પનિક સંવાદો’–ભા. ૧, ૨ (૧૯૧૧, ૧૯૧૨), પ્રો. મેકડૉનલકૃત ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૨૪), ‘મહાભારતની સમાલોચના’ (૧૯૧૪) વગેરે એમના અનુવાદો છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દવે મોહનલાલ પાર્વતીશંકર  \t\t(૨૦-૪-૧૮૮૩, ૨-૨-૧૯૭૪) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૫માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કૉલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા  \t\tકૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. સુરતમાં અવસાન. \t\t  \t\tએમણે આપેલાં પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહો ‘તરંગ’ (૧૯૪૨) અને ‘સંસ્કાર’ (૧૯૪૪); વિવેચનસંગ્રહો ‘સાહિત્યકળા’ (૧૯૩૮), ‘કાવ્યકળા’ (૧૯૩૮), ‘વિવેચન’ (૧૯૪૧) અને ‘રસપાન’ (૧૯૪૨); મહંમદ  \t\tપયગંબર, માર્ટિન લ્યૂથર, અશોક અને મહર્ષિ દયાનંદનાં જીવનચરિત્રો આપતું ‘વીરપૂજા’ (૧૯૪૧) તેમ જ ‘લેન્ડોરની જીવનકથા’ (૧૯૫૭) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘ગદ્યકુસુમો’ (વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે, ૧૯૩૧) નું સંપાદન કર્યું છે.  \t\t  \t\t‘લેન્ડોરના કાલ્પનિક સંવાદો’–ભા. ૧, ૨ (૧૯૧૧, ૧૯૧૨), પ્રો. મેકડૉનલકૃત ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૨૪), ‘મહાભારતની સમાલોચના’ (૧૯૧૪) વગેરે એમના અનુવાદો છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "mohanalala-dave",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/mohanalala-dave",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:04.700178",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        }
    ],
    "description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
    "image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}