HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept
{
"count": 17752,
"next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=912",
"previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=910",
"results": [
{
"id": 17305,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "કનૈયાલાલ મુનશી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>મુનશી કનૈયાલાલ માણેકલાલ, ‘ઘનશ્યામ વ્યાસ’ </h4>\n\t\t(૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧) : નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ભરૂચમાં. ૧૯૦૧માં મૅટ્રિક. ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ. ઓગણીસમે વર્ષે એલિસ પ્રાઈઝ સાથે બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં \n\t\tમુંબઈમાં વકીલાતનો પ્રારંભ. ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ. ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન. ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય. એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ \n\t\tતરીકે નિયુક્તિ. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ. મુંબઈમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tસાહિત્યસર્જક મુનશીને વિશેષ ખ્યાતિ નવલકથાકાર તરીકે મળી છે. ‘વેરની વસુલાત’ (૧૯૧૩)માં જગતકિશોર અને તનમનની કરુણાન્ત પ્રેમકથા અંતર્ગત એમણે રત્નગઢની રાજખટપટો, જાસૂસી, ભેદભરમ ઇત્યાદિ ગૂંથી લીધાં છે. ‘કોનો \n\t\tવાંક ?’ (૧૯૧૫)માં બંડખોર સમાજલક્ષિતા આગળ તરી આવે છે. ‘સ્વપ્નદ્રષ્ટા’ (૧૯૨૪)માં વીસમી સદીના પ્રથમ દશકની આપણી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને અરવિંદ, ટિળક વગેરે નેતાઓના પ્રભાવ તળે આવેલા નવયુવકોના માનસનો ચિતાર \n\t\tઅપાયો છે. ‘સ્નેહસંભ્રમ’ (૧૯૩૧) માણસની નબળાઈ અને બેવકૂફી પર વ્યંગકટાક્ષ કરતી સફળ ફાર્સકૃતિ છે. ‘તપસ્વિની’ -ભા. ૧-૨ (૧૯૫૭), ભા.૩ (૧૯૫૮)માં લેખકની નેમ ગુજરાતી જીવનના ૧૯૨૦ થી ૧૯૩૭ સુધીના સામાજિક તેમ જ \n\t\tરાજ્કીય પ્રવાહોને પ્રતિબિંબિત કરવાની છે; જોકે નવલકથાની વસ્તુસંકલના વિશૃંખલ છે. પોતાની આ પાંચેય સામાજિક નવલકથાઓમાં જ્યાં એમણે વિનોદ ઉપહાસનો આશ્રય લીધો છે ત્યાં એમને સારી સફળતા મળી છે.\n\n\t\tઐતિહાસિક નવલકથાઓમાં તેઓ ઐતિહાસિક સત્યનું ગૌરવ કરતા નથી. એમના મતે ઇતિહાસ સાહિત્યમાત્રની જેમ ‘સરસતા’ને કારણે આસ્વાદ્ય છે. એમની ઐતિહાસિક નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર ઍલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ \n\t\tસ્પષ્ટ છે. ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬) એમની સોલંકીયુગની નવલત્રયીની પ્રથમ કડી છે. તેનું વસ્તુ સંકલિત-સુગ્રથિત છે ને તેમાં સત્તાસંઘર્ષની કથાની સાથે જ મીનળ-મુંજાલ, ત્રિભુવન-પ્રસન્ન અને હંસા-દેવપ્રસાદની પ્રણયકથાઓ ગૂંથાયેલી \n\t\tછે. મીનળ-મુંજાલ ઐતિહાસિક પાત્રો હોવા છતાં તેમની વચ્ચેનો પ્રેમ અનૈતિહાસિક-કાલ્પનિક છે. તેમાંનું પાત્ર આનંદસૂરિ પણ કાલ્પનિક છે. ‘ગુજરાતનો નાથ’ (૧૯૫૮) ‘પાટણની પ્રભુતા’ના કથાતંતુને આગળ વધારે છે. પાટણ પર આક્રમણ \n\t\tકરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત્ કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ દશાનો લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રા’નવઘણની હાર એ આ નવલની મુખ્ય રાજ્કીય ઘટનાઓ છે; પણ વાસ્તવમાં કૃતિ કાકની \n\t\tપરાક્રમગાથા છે. ‘રાજાધિરાજ’ (૧૯૨૨) નવલત્રયીની છેલ્લી કડી છે. જયસિંહદેવનો જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે. વર્ણનાત્મકતા, પથરાટ અને કથનપ્રાધાન્યનું પ્રમાણ અહીં વધ્યું છે ને નાટ્યાત્મક પ્રસંગો ઘટયા છે. રાણકનો \n\t\tસતી થવાનો અને મંજરીના મૃત્યુનો- બંને પ્રસંગ રસાવહ બન્યા છે. પ્રબળ કાર્યવેગ ને રહસ્યમયતાનું અસરકારક નિરૂપણ કથાત્રયીને વાચનક્ષમ બનાવે છે. ગાંધીયુગના આરંભે આવતી આ કૃતિઓમાં જીવનમૂલ્યોનો અભાવ વરતાય છે. \n\t\tકૌતુકપ્રિયતા અને બૌદ્ધિકતાનું લેખકે કરેલું મિશ્રણ કારગત પુરવાર થયું છે. ત્રણે કૃતિઓ નાટ્યાત્મકતા ધરાવે છે.\n\n\t\t‘પૃથિવીવલ્લભ’ (૧૯૨૦) એમની પાત્રપ્રધાન ઐતિહાસિક લઘુનવલ છે. રસજ્ઞ માલવપતિ મુંજનું, તેના હાથે સોળ-સોળવાર પરાજય પામેલા તૈલંગણના ચાલુક્યરાજ તૈલપ દ્વારા કેદ પકડાવું અને કેદમાંથી ભાગી છૂટવાના વિફળ કાવતરાની \n\t\tસજારૂપે હાથીના પગ તળે કચરાવું એ કથાની પ્રમુખ ઘટનાઓ છે; સાથોસાથ કેદી મુંજ અને તૈલપની કઠોર વૈરાગ્યવ્રતી વિધવા બહેન મૃણાલનો પ્રેમપ્રસંગ કથાને રસાવહ બનાવે છે. નિત્શેના ‘સુપરમૅન’ના સંપ્રત્યયને મુંજના પાત્ર દ્વારા મૂર્ત \n\t\tકરવાનો લેખકનો પ્રયાસ છે. ‘ભગવાન કૌટિલ્ય’ (૧૯૨૪)માં આચાર્ય વિષ્ણુગુપ્ત ચારણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને બ્રાહ્મણદ્વેષી મહાપદ્મ નંદની કેદમાંથી છોડાવી નસાડે છે એ કથા કહેવામાં આવી છે. કૌટિલ્યનું પ્રભાવક વ્યક્તિત્વ નવલકથાનું \n\t\tપ્રભાવકેન્દ્ર છે. ‘જય સોમનાથ’ (૧૯૪૦)માં મહંમદ ગઝનીએ સોમનાથના સંસ્કૃતિકેન્દ્ર પર આક્રમણ કર્યું ત્યારે દેશની અને ગુજરાતની શી સ્થિતિ હતી તે દર્શાવવાનો લેખકનો પ્રયાસ છે. અલબત્ત, કૃતિનો સબળ અંશ છે-વિશાળ ફલક પર \n\t\tઆલેખાયેલાં ‘રણ અને આંધી’ જેવાં વર્ણનચિત્રો અને કવિત્વપૂર્ણ સ્મરણચિત્રો. ‘ભગ્નપાદુકા’ (૧૯૫૫)માં ગુજરાતના અંતિમ હિંદુ રાજા કરણ વાઘેલાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખીલજી દ્વારા ગુજરાત પર થયેલા આક્રમણની અને \n\t\tગુજરાતે કરેલ તેના પ્રતિરોધની કથા આલેખાઈ છે.\n\n\t\tમુનશીનો ઇતિહાસપ્રેમ એમને પુરાણો સુધી ખેંચી જાય છે. વેદ-પુરાણકળાને નિરૂપીને એક સંસ્કૃતિકથા રચવાની એમની ઇચ્છા પૌરાણિક નવલકથાઓ અને નાટકો દ્વારા ચરિતાર્થ થઈ છે. ‘લોકમહર્ષિણી’ (૧૯૪૫) ઋગ્વેદકાળની કથા છે. તેમાં \n\t\tદાશરાજ્ઞયુદ્ધ અને સહસ્રાર્જુ નસંહારની તથા શુનઃશેપની કથા કહેવાયેલી છે. ‘ભગવાન પરશુરામ’ (૧૯૪૬)માં ‘લોકમહર્ષિણી’ની કથા આગળ વધે છે. તેમાં રામ-લોપાના યૌવનકાળની કથા છે અને મુખ્યત્વે પરશુરામનાં પરાક્રમો આલેખાયાં \n\t\tછે. ‘કૃષ્ણાવતાર’-ખંડ ૧ થી ૮ (૧૯૬૩-૧૯૬૪)માં કૃષ્ણના જીવન અને પરાક્રમોની કથા નિરૂપાયેલી છે. આકૃતિવિધાનની શિથિલતા વિશાળ ફલક પર આલેખાયેલી આ નવલકથાને કલાકૃતિ બનતી અટકાવે છે.\n\t\t\n\t\t‘સરસ્વતીચંદ્ર’ પછી મુનશીની નવલો ગુજરાતી નવલકથાવિકાસનું એક વિશિષ્ટ પ્રકરણ બની રહે છે. નાટ્યાત્મક નવલકથા મુનશીનું નોંધપાત્ર પ્રદાન છે. ડ્યૂમાની અસર નીચે તેઓ પોતાની નવલકથાઓમાં ત્વરિત ગતિથી વહેતો રસપૂર્ણ \n\t\tવસ્તુપ્રવાહ, સુશ્લિષ્ણ વસ્તુગૂંફન, સ્પષ્ટરેખ સજીવ પાત્રાલેખન, નાટ્યાત્મકતા, ચમકદાર સંવાદરચના આદિ નવલકથાનાં અંગોને આકર્ષક રીતે વિકસાવે છે. ચેતનથી તરવરતાં, અસાધારણ શક્તિવાળાં-પ્રભાવશાળી પાત્રો એમણે સજર્યાં \n\t\tછે. નવલકથા માટેની સમુચિત ભાષાશૈલી તેઓ પહેલીવાર સફળતાપૂર્વક સર્જે છે. બોલાતી જીવંત ભાષાનો રણકાર એમની ભાષામાં સંભળાય છે.\n\n\t\tએમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક-ત્રણે પ્રકારનાં નાટકો લખ્યાં છે. સામાજિક નાટકો મુખ્યત્વે પ્રહસનરૂપ છે. તેમાં શ્રીમંત વર્ગનાં દંભ અને અભિમાન પર કાતિલ પ્રહારો કરી લેખકે તેમની પોકળતા હાસ્યાસ્પદ સ્વરૂપમાં પ્રગટ કરી છે. \n\t\t‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ (૧૯૨૧) ‘ફારસ’ની નજીક જતું લેખકની મજાકશક્તિનું દ્રષ્ટાંત છે. ‘બે ખરાબ જણ’ (૧૯૨૪)માં હાસ્યોત્પાદક પરિસ્થિતિઓ છે. ‘આજ્ઞાંકિત’ (૧૯૨૭)માં હૃદયપરિવર્તન બહુ પ્રતીતિકર લાગતું નથી. ત્રણે નાટકોના કેન્દ્રમાં \n\t\tલગ્નનો પ્રશ્ન છે. ઉપરાંત વ્યંગકટાક્ષનું પ્રાધાન્ય હોવાથી અતિશયોક્તિનો આશ્રય લેવામાં આવ્યો છે. ‘કાકાની શશી’ (૧૯૨૮) પ્રહસન હોવા છતાં તેમાં ફાર્સિકલ તત્વનો અભાવ છે. ઈબ્સનશૈલીનું આ નાટક મુનશીની નાટકકાર તરીકેની \n\t\tઅનેક લાક્ષણિકતાઓને પ્રગટ કરતું, રંગભૂમિ પર સફળ નીવડેલું ઉલ્લેખનીય નાટક છે. ‘બ્રહ્મચર્યાશ્રમ’ (૧૯૩૧)માં લેખકે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની ઠેકડી ઉડાવી છે. ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ (૧૯૩૩) એમની જ \n\t\tનવલકથા ‘સ્નેહસંભ્રમ’નું નાટ્યરૂપાંતર છે. ‘ડૉ. મધુરિકા’ (૧૯૩૬) આધુનિક નારીની મુક્ત વિચારસરણીના સંદર્ભમાં આપણા સમાજજીવનમાં ઉદભવતી સમસ્યાને હળવાશથી વ્યક્ત કરતું સરેરાશ કક્ષાનું નાટક છે. ‘છીએ તે જ ઠીક’ (૧૯૪૮) \n\t\tઅને ‘વાહ રે મેં વાહ !’ (૧૯૪૯) પ્રહસનો છે.\n\n\t\t‘ધ્રુવસ્વામિની દેવી’ (૧૯૨૯) એમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. વિશાખદત્તના ખંડિત સ્વરૂપે મળતા નાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’નો આધાર લેવાયો છે. રંગક્ષમ નાટક અને રસપ્રદ ઉત્તમ સાહિત્યકૃતિ-ઉભયરૂપે આ રચના ઉલ્લેખનીય છે. ધ્રુવસ્વામિની અને \n\t\tચંદ્રગુપ્ત વચ્ચેનો પ્રેમ કાલ્પનિક છે. ચાર અંકોમાં વહેંચાયેલું આ નાટક વીસેક વર્ષના વિશાળ સમયપટને આવરી લેતું છતાં વસ્તુગ્રથનની દ્રષ્ટિએ શિથિલતા બતાવતું નથી. સુરેખ અને જીવંત પાત્રાલેખન એનું અન્ય જમા પાસું છે.\n\n\t\tએમના સંગ્રહ ‘પૌરાણિક નાટકો’માં ‘પુરંદર પરાજય’ (૧૯૨૨), ‘અવિભક્ત આત્મા’ (૧૯૨૩), ‘તર્પણ’ (૧૯૨૪) અને ‘પુત્રસમોવડી’ (૧૯૨૪) સંગૃહીત છે. આ નાટકોમાં અનુક્રમે ચ્યવનસુકન્યા, વસિષ્ઠ-અરુંધતી, સગર-સુવર્ણા અને \n\t\tકચ-દેવયાનીની કથા નિરૂપવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના ઉગમકાળની આ કથાઓમાં આપણી સંસ્કૃતિનાં પાયાનાં મૂલ્યોની સ્થાપના કરવાનો લેખકનો પ્રયાસ છે. પૌરાણિક પરિવેશને અનુરૂપ સંસ્કૃતાઢ્ય સંવાદભાષા તથા \n\t\tવાગ્મિતાપૂર્ણ છટા નાટ્યાત્મકતાને ઉપકારક નીવડે છે. ‘લોપામુદ્રા’નો પ્રથમ ખંડ નવલકથારૂપે આપ્યા પછી લેખકે એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા છે- ખંડ ૨ : ‘શંબરકન્યા’ (૧૯૩૩), ખંડ 3 : ‘દેવે દીધેલી’ (૧૯૩૩), ખંડ ૪ : ‘ઋષિ \n\t\tવિશ્વામિત્ર’ (૧૯૩૪). આ નાટ્યત્રયીમાં ભરતકુળનો આર્યરાજા વિશ્વરથ ઋષિ વિશ્વામિત્ર કેવી રીતે બને છે તે લેખકે દર્શાવ્યું છે. એકંદરે મુનશીનાં પૌરાણિક નાટકોમાં વાચનક્ષમતા અને રંગભૂમિક્ષમતાનો ઠીકઠીક સમન્વય સધાયો છે.\n\t\tમુનશી પાસેથી એક જ વાર્તાસંગ્રહ ‘મારી કમલા’ અને ‘બીજી વાતો’ (૧૯૨૧, પછીથી ‘નવલિકાઓ’) મળ્યો છે. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ અને ‘ખાનગી કારભારી’માં રમૂજ, કટાક્ષની સાથે સાથે લેખકની વસ્તુગ્રથનની દ્રષ્ટિ પણ જોવા મળે \n\t\tછે. ‘શામળશાનો વિવાહ’માં મોટી ઉંમરે નાની બાળકી સાથે લગ્ન કરતા ધનિક શેઠની ઠેકડી ઉડાવાઈ છે. ‘મારી કમલા’ના વસ્તુમાં પરિસ્થિતિજન્ય કરુણ નિષ્પન્ન થવાની શક્યતા છે, પણ લેખક તેનો તાગ કાઢી શક્યા નથી. મોટા ભાગની \n\t\tવાર્તાઓમાં લેખકે કથિતવાર્તાની આયોજનરીતિ સ્વીકારી છે.\n\n\t\tગાંધીજીના પ્રભાવથી સત્યપ્રિયતાને વરેલી ગુજરાતી આત્મકથાને મુનશી સરસતા પ્રતિ વાળે છે. આત્મકથા અને નવલકથા સહોદર સાહિત્યપ્રકારો છે. એની પ્રતીતિ મુનશીની સુદીર્ઘ રસિક આત્મકથા કરાવી રહે છે. ‘અડધે રસ્તે’ (૧૯૪૨)માં \n\t\tએમણે પોતાનાં બાલ્યકાળ અને કૉલેજજીવનનાં (૧૮૮૭ થી ૧૯૦૬ સુધીનાં) સંસ્મરણો આલેખ્યાં છે; ‘સીધા ચઢાણ’ (૧૯૪૩)માં ૧૯૦૭ થી ૧૯૨૨ના સમયખંડને, તો ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (૧૯૫૩)માં ૧૯૨૩ થી ૧૯૨૬ ના સમયખંડને આવરી \n\t\tલીધો છે. આત્મકથામાં અવારનવાર ધ્યાન ખેંચતો લેખકનો અહંરસાસ્વાદમાં વિધ્નરૂપ બને છે. ‘શિશુ અને સખી’ (૧૯૩૨) પ્રકારાન્તરે આત્મકથા જ છે. અહીં ત્રીજા પુરુષ એકવચનમાં વાર્તારૂપે રજૂઆત થઈ છે; અને અંત કાલ્પનિક છે. ‘મારી \n\t\tબિનજવાબદાર કહાણી’ (૧૯૪૩)માં યુરોપપ્રવાસનાં સંસ્મરણો અગંભીર રીતે રજૂ થયાં છે.\n\n\t\t‘નરસૈંયો-ભક્ત હરિનો’ (૧૯૩૩) અને ‘નર્મદ-અર્વાચીનોમાં આદ્ય’ (૧૯૩૯) એ બંને ચરિત્રાત્મક કૃતિઓ છે. બંને ચરિત્રો લેખકની રસપ્રધાન સર્જનાત્મક શૈલી અને પાત્રોના વ્યક્તિત્વને જીવંત કરવાના પ્રયાસને લીધે શુષ્ક જીવનકથાને બદલે \n\t\tજીવંત વાર્તાઓ સમાં બન્યાં છે.\n\n\t\t‘કેટલાક લેખો’ (૧૯૨૪)માં સંચિત કરેલો લેખ ‘ગુજરાતના જ્યોતિર્ધરો’માં મુનશીએ સહસ્રાર્જુન કાર્તવીર્ય અને પરશુરામથી માંડી ગાંધીજી સુધીના, ગુજરાતના કેટલાક સમર્થ સંસ્કારપુરુષોનાં મિતાક્ષરી ચરિત્રો આલેખ્યાં છે. ‘નરસિંહયુગના \n\t\tકવિઓ’ (૧૯૬૨) પંદરમી શતાબ્દીના મધ્યકાલીન ગુજરાતી કવિઓ તથા કૃતિઓ વિશેનું મુખ્યત્વે માહિતીલક્ષી પુસ્તક છે.\n\n\t\t‘કેટલાક લેખો’ –ભા. ૧-૨ (૧૯૨૬), ‘થોડાંક રસદર્શનો’ (૧૯૩૩) તથા ‘ગુજરાતની અસ્મિતા’ (૧૯૩૯)માં એમના નિબંધો સંચિત થયા છે. ‘કેટલાક લેખો’માં સંગૃહીત ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ, સામાજિક સુધારણા, કેળવણી વગેરે વિશેના લેખો \n\t\tલેખકને અનેક ક્ષેત્રોમાં જીવંત રસ છે એની પ્રતીતિરૂપ છે. ‘આદિવચનો’ –ભા. ૧ (૧૯૩૩) અને ભા. ૨ (૧૯૪૩)માં ઘણાખરા લેખો ઉદબોધનો જ છે. સાહિત્ય સંસદના પ્રમુખ તરીકે એમણે આપેલાં વ્યાખ્યાનો પ્રથમ ભાગમાં અને અન્યત્ર \n\t\tપ્રમુખસ્થાનેથી આપેલાં છ વ્યાખ્યાનો દ્વિતીય ભાગમાં સંગૃહીત કરવામાં આવ્યાં છે.\n\n\t\tઆ ઉપરાંત એમણે ‘ગુજરાતની કીર્તિગાથા’ (૧૯૫૨), ‘ચક્રવર્તી ગુર્જરો’, ‘આત્મશિલ્પની કેળવણી’, ‘અખંડ હિંદુસ્તાન’, ‘પરિષદને પ્રમુખપદેથી’ (૧૯૫૫) વગેરે પુસ્તકો આપ્યાં છે. એમાંનાં કેટલાંક મૂળ અંગ્રેજીનાં ભાષાંતરો છે.\n\t\tએમની પાસેથી અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથો સાંપડ્યા છે. તે પૈકી ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ (૧૯૩૫) સાહિત્યના ઇતિહાસનું પુસ્તક છે. \n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/> \n\t\tપાટણની પ્રભુતા (૧૯૧૬) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાત્રયીમાંની પહેલી નવલકથા. કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી \n\t\tતથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા \n\t\tજતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક \n\t\tઅહં અને પતનની કથા બની રહે છે. કૃતિમાં નિરૂપાયેલા સંઘર્ષોમાં ઐતિહાસિકતા કરતાં કલ્પનાનું વિશેષ પ્રમાણ, પાત્રો વચ્ચેના પ્રણયના તથા અન્ય સંબંધોમાં કાલ્પનિકતા, રહસ્યમય અને રોમાંચક ઘટનાઓનું આલેખન ઇત્યાદિ તત્વો \n\t\tઆ કૃતિને ‘ઐતિહાસિક રોમાન્સ’ની કોટિમાં મૂકે છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત </p>\n<br/><br/> \n\t\tગુજરાતનો નાથ (૧૯૧૭) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘પાટણની પ્રભુતા’ પછીની બીજી નવલકથા. ચાર ભાગમાં વિભક્ત આ કૃતિમાં બનતી ઘટનાઓને મુખ્યત્વે સંબંધ છે \n\t\tપાટણના રાજ્યતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યક્તિઓના અંગત જીવન સાથે. એમાં જૂનાગઢના રા’નવઘણના પાટણના રાજ્ય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજ્કીય દાવપેચની વાત \n\t\tછે; જયદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજ્કીય \n\t\tવિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતોનું સ્થાન ગૌણ છે. કથામાં ખરેખર ધ્યાન તો ખેંચે છે ભૃગુકચ્છ-લાટથી આવેલો ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા. અન્ય ઘટનાઓ એખ યા બીજી રીતે \n\t\tકાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે.\n\n\t\tનવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે. ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજ્યતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીનો પ્રેમ. કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય \n\t\tછે. પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રા’નવઘણનો પરાજય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે. મંજરીના સૌંદર્યથી કાક એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત \n\t\tમંજરી અભણ કાકને દયાભાવથી જુએ છે. બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસોના હાથમાંથી મંજરીને છોડાવે છે. ઉદાથી \n\t\tબચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે. ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાના હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવે છે. \n\t\tકીર્તિદેવને મોઢે કાકની શક્તિની પ્રશંસા સાંભળી મંજરીનો કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે. ચોથા ભાગમાં રા’ખેંગારને પકડવા નીકળેલો કાક રા’ખેંગારનો મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, \n\t\tખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના વર્ગનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે.\n\n\t\tઅપ્રસ્તુત વિદ્વતચર્ચા, ચિંતન તથા લાંબાં સ્થળકાળનાં વર્ણનો ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણોનો ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ \n\t\tનવલકથાએ ‘સરસ્વતીચંદ્ર’ પછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પાત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને \n\t\tપ્રાપ્ત થતો મંજરીનો પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્વોને લીધે આ નવલકથા પણ ‘પાટણની પ્રભુતા’ની માફક ‘ઐતિહાસિક રોમાન્સ’ની છાપ ચિત્ત પર પાડે છે.\n\t\t<p align=\"right\">-જયંત ગાડીત </p>\n<br/><br/> \n\t\tરાજાધિરાજ (૧૯૨૫) : કનૈયાલાલ મુનશીની ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘ગુજરાતનો નાથ’ પછીની નવલકથા. ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને \n\t\tલાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો \n\t\tકરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા \n\t\tપણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે.\n\t\t<br/><br/> \n\t\tકાકના પાત્રનું અતિગૌરવ અને મહત્વની ઘટનાઓમાં એનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ’ની જેમ અહીં પણ અનુભવાય છે. અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત </p>\n<br/><br/> \n\t\tપૃથિવીવલ્લભ (૧૯૨૧) : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંની એક. ધારાનગરીનો રાજા મુંજ અહીં વધુ કાલ્પનિક અને ઓછો ઐતિહાસિક હોવા છતાં શત્રુ તૈલપની કઠોર વૈરાગ્યધારિણી બહેન મૃણાલવતીના \n\t\tચરિત્રની પડખે નર્યા જીવનોલ્લાસરૂપે મુકાયો છે. મુંજના પ્રતાપમાં ઓગળી જતી મૃણાલની કઠોરતા-મૃણાલનું પરિવર્તન-આ પ્રણયકથાનો મુખ્ય આશય છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી \n\t\tચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે. સંકુલ નહિ એવું એનું સુઘટ્ટ કથાસંયોજન આકર્ષક છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tજયસોમનાથ (૧૯૪૦) : સોલંકીયુગનો સંદર્ભ આપતી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. મહંમદ ગઝનીએ સોમનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ સર્વ રાજપૂતોની સાથે રહી કઈ રીતે ખાળ્યું અને ચૌલાદેવી \n\t\tસાથેનો ભીમદેવનો પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમ્યો, એની જીવંત માંડણી કરતી આ પ્રેમશૌર્યની કથાનું સૌથી મહત્વનું અંગ વર્ણન છે. યુદ્ધના આલેખનમાં કચાશ કે અસંગતિઓ જરૂર મળી આવે છે, તેમ છતાં રણની આંધી, \n\t\tઘોઘારાણાની યશગાથા, ચૌલાનું નૃત્ય આદિ વર્ણનો આ નવલકથાનાં જબરાં આકર્ષણો છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tકાકાની શશી (૧૯૨૮) : કનૈયાલાલ મુનશીનું ત્રિઅંકી પ્રહસન. એમાં જમાનાના જાણતલ પણ પ્રેમાળ સજ્જન મનહરલાલ (કાકા) તથા તેમણે ઉછેરેલી, સંસારનાં છલછદ્મથી અનભિજ્ઞ શશિકલાના આલંબને મધુરગંભીર સંવેદનસભરતા \n\t\tવિકસે છે; તો અન્ય પાત્રોને અનુલક્ષીને પ્રયોજાયેલાં ઉપહાસો-કટાક્ષો-વિડંબનાઓ હાસ્યનિષ્પત્તિના વિભાવો બની રહે છે. પાત્રોનાં પરસ્પર વૃત્તિઓ અને વ્યવહારથી સ્ત્રી-પુરુષ-સંબંધ વિષયક નિદર્શાત્મક મીમાંસા સમી આ નાટ્યકૃતિમાં \n\t\tમનુષ્યની સહજવૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના આડંબરી ઓઠા નીચે કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી ભદ્રજનોની ભીતરી જંતુવૃત્તિની ઠાવકી ઠેકડી કરાયેલી છે; અને કથયિતવ્યની કઠોર \n\t\tકરવતધાર હાસ્યવ્યંગ્યની હળવાશથી સહ્ય બનાવાયેલી છે. લેખકની ઉદ્દામ આઘાતક વૃત્તિએ અંતને વિવાદાસ્પદ બનાવ્યો છે; પરંતુ સમગ્રકૃતિગત યથાર્થ દ્રષ્ટિ, બૌદ્ધિક વિચક્ષણતા, પ્રહસનોચિત સ્વાભાવિકતા તથા રંગમંચક્ષમતાને કારણે \n\t\tઆ નાટ્યકૃતિ સફળ નીવડે છે. સમકાલીન રંગભૂમિની લાક્ષણિકતાઓ સાથે સાહિત્યગુણને પણ જાળવતી આ કૃતિ ગુજરાતી નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની કડી તરીકે પણ મહત્વની છે.\n\t\t<p align=\"right\">-વિનોદ અધ્વર્યુ</p>\n<br/><br/> \n\t\tવાહ રે મેં વાહ (૧૯૫૩) : કનૈયાલાલ મુનશીનું સામાજિક પ્રહસન. લેખક તેને ‘ફેન્ટેસી’ - ‘અસંભવ’ તરીકે ઓળખાવે છે. ભારત સરકારના પોલિટિકલ એજન્ટની જવાબદારી સ્વીકારી હૈદ્રાબાદ જવાની તૈયારી કરતી વેળાના નિરૂપાયેલાં \n\t\tપ્રસંગમાં લેખક પોતાની ઠેકડી ઉડાડે છે. જતાં પહેલાં મુનશીને સપનું આવે છે અને એમનાં વિવિધ પાત્રો ફરિયાદ કરે છે, સલાહ પણ આપે છે. આમાં આયોજનનો નવતર પ્રયોગ થયો છે છતાં નાટક ઊપસતું નથી. નાટ્યાત્મક સંઘર્ષ, \n\t\tપરિસ્થિતિ, વળાંક, પરાકોટી કે નાટ્યાત્મક ગતિ, કાર્યવેગ કે જીવંત ચરિત્રચિત્રણનો ઝાઝો અનુભવ થતો નથી. સંવાદો બોલકા છે અને ઘટનાના અંકોડા સુગ્રથિત નથી. અન્ય સામાજિક નાટકો જેવી હાસ્યની માવજત પણ અહીં થઈ નથી.\n\t\t<p align=\"right\">-રીવન્દ્ર ઠાકોરુ</p>\n<br/><br/> \n\t\tધ્રુવસ્વામિનીદેવી (૧૯૨૯) : કનૈયાલાલ મુનશી રચિત ચતુરંકી ઐતિહાસિક નાટક. કથાનક પરત્વે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’ પર આધારિત છતાં સમગ્ર કૃતિ તરીકે આ નાટક મુનશીનું જ સર્જન \n\t\tછે. નિર્વીય સમગુપ્તની જાજવલ્યમાન સામ્રાજ્ઞી ધ્રુવાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લઘુબન્ધુ ચંદ્રગુપ્તની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્તનું બનાવટી ગાંડપણ, કાયર રામગુપ્ત અને બર્બર શકક્ષત્રપ વચ્ચે \n\t\tઅવદશામાં મુકાતી ધ્રુવાદેવીની ચંદ્રગુપ્તના પરાક્રમથી મુક્તિ, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હઠાવી તેનાં સામ્રાજ્ય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ-વગેરે નાટ્યાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ \n\t\tપ્રયોગાનુકૂલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠ્યકૃતિ તરીકે વધુ આવકાર્ય બની છે. \n\t\t<p align=\"right\">-વિનોદ અધ્વર્યુ</p>\n<br/><br/> \n\t\tઅડધે રસ્તે (૧૯૪૩) : કનૈયાલાલ મુનશીની ૧૯૦૬ સુધીનાં સંસ્મરણો આપતી આત્મકથા. આના અનુસંધાનમાં ‘સીધાં ચઢાણ’ (૧૯૪૩)ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં આત્મકથા આગળ વધે છે; અને એમાં ૧૯૦૭ થી ૧૯૨૨ સુધીનાં સંસ્મરણો \n\t\tમળે છે; જ્યારે ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (૧૯૫૩) ૧૯૨૩ થી ૧૯૨૬ સુધીના ગાળાનાં સંસ્મરણો આલેખે છે. આમ, કુલ ત્રણ ગ્રંથમાં વિસ્તરેલી મુનશીની આત્મકથાના પહેલા ગ્રંથમાં ટેકરીના મુનશીઓ, બાલ્યકાળ અને વડોદરા કૉલેજના અનુભવ \n\t\tછે, તો બીજા ગ્રંથમાં મુંબઈની શેરીઓમાં અને હાઈકોર્ટમાં જે બન્યું એનું બ્યાન છે; સાથે ‘મધ્વરણ્ય’ની નોંધો છે. ત્રીજા ગ્રંથમાં પહેલીવારનાં પત્ની અતિલક્ષ્મીબેન હયાત હોવા છતાં લીલાબેન તરફના આકર્ષણથી ઊભી થયેલી મનોસ્થિતિનાં \n\t\tચિત્રણો છે. આત્મકથામાં પ્રવેશી જતા કલ્પનાના અંશો, તરંગલીલાનો લેવાયેલો આશ્રય, અહંનો વર્તાયા કરતો સૂર, લેખનમાં કંઈક અંશે વર્તાતી વિશૃંખલતા જેવાં તત્વોને બાદ કરતાં મુનશીની આત્મકથા ચરિત્રલેખનની જીવંત પદ્ધતિને \t\n\t\tકારણે સુવાચ્ય છે. આત્મનિરીક્ષણ કરતાં આત્મસન્માનવૃત્તિ આ આત્મકથાની શક્તિ અને મર્યાદા છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર (૧૯૩૫) : મહાત્મા ગાંધીના પુરોવચન સાથે મળતું કનૈયાલાલ મા. મુનશીનું અંગ્રેજી પુસ્તક. એમાં પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધીનાં સાહિત્યનું ઐતિહાસિક અવલોકન છે. ગુજરાતનો ઇતિહાસ, એની \n\t\tભૌગોલિક સીમાઓના વિસ્તારસંકોચ, ગુર્જરપ્રજાની ખાસિયતો, એના આર્થિક-સામાજિક પ્રશ્નો, એની જ્ઞાતિવ્યવસ્થા, એની સંસ્કૃતિપરંપરા-આ બધાં પરિમાણોને પડછે પહેલો ખંડ ‘પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ’ પરનો છે; બીજો ખંડ ‘જૂની \n\t\tગુજરાતી’ પરનો છે; અને ત્રીજો ખંડ ‘અર્વાચીન ગુજરાતી’નો છે; પહેલા ખંડમાં ગુજરાત, એની પ્રજા, પ્રારંભની અસરો, હેમચન્દ્ર અને સોમેશ્વરનો સમય વગેરેની ચર્ચા છે; બીજા ખંડમાં પદ્મનાભની વીરકવિતા, નવું ગુજરાત, મીરાં અને \n\t\tનરસિંહ, પ્રચલિત કથાસાહિત્ય, અખો, પ્રેમાનંદ અને દયારામનો સમાવેશ છે; ત્રીજો ખંડ અર્વાચીનકાળના સાહિત્યને, સંસ્કૃતના પુનરુત્થાનને, મહાત્મા ગાંધીના પ્રભાવને અને અર્વાચીન સાહિત્યનાં વલણોને તપાસે છે. અર્વાચીનકાળ કરતાં \tપ્રાચીનકાળ અને \n\t\tમધ્યકાળને અહીં વધુ ન્યાય મળ્યો છે. ક્યાંક પૂર્વગ્રહો નડ્યા છે, ક્યાંક પ્રમાણભાન ચુકાયું છે, ક્યાંક ઐતિહાસિક સામગ્રીની ચોકસાઈ જળવાયેલી નથી, તેમ છતાં મુનશીના આ ગ્રંથમાં સોદાહરણ જે રસલક્ષી ચર્ચા થઈ છે તેનું મૂલ્ય ઓછું નથી. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: મુનશી કનૈયાલાલ માણેકલાલ, ‘ઘનશ્યામ વ્યાસ’ \t\t(૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧) : નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ભરૂચમાં. ૧૯૦૧માં મૅટ્રિક. ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ. ઓગણીસમે વર્ષે એલિસ પ્રાઈઝ સાથે બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં \t\tમુંબઈમાં વકીલાતનો પ્રારંભ. ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ. ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન. ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય. એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ \t\tતરીકે નિયુક્તિ. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ. મુંબઈમાં અવસાન. \t\t \t\tસાહિત્યસર્જક મુનશીને વિશેષ ખ્યાતિ નવલકથાકાર તરીકે મળી છે. ‘વેરની વસુલાત’ (૧૯૧૩)માં જગતકિશોર અને તનમનની કરુણાન્ત પ્રેમકથા અંતર્ગત એમણે રત્નગઢની રાજખટપટો, જાસૂસી, ભેદભરમ ઇત્યાદિ ગૂંથી લીધાં છે. ‘કોનો \t\tવાંક ?’ (૧૯૧૫)માં બંડખોર સમાજલક્ષિતા આગળ તરી આવે છે. ‘સ્વપ્નદ્રષ્ટા’ (૧૯૨૪)માં વીસમી સદીના પ્રથમ દશકની આપણી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને અરવિંદ, ટિળક વગેરે નેતાઓના પ્રભાવ તળે આવેલા નવયુવકોના માનસનો ચિતાર \t\tઅપાયો છે. ‘સ્નેહસંભ્રમ’ (૧૯૩૧) માણસની નબળાઈ અને બેવકૂફી પર વ્યંગકટાક્ષ કરતી સફળ ફાર્સકૃતિ છે. ‘તપસ્વિની’ -ભા. ૧-૨ (૧૯૫૭), ભા.૩ (૧૯૫૮)માં લેખકની નેમ ગુજરાતી જીવનના ૧૯૨૦ થી ૧૯૩૭ સુધીના સામાજિક તેમ જ \t\tરાજ્કીય પ્રવાહોને પ્રતિબિંબિત કરવાની છે; જોકે નવલકથાની વસ્તુસંકલના વિશૃંખલ છે. પોતાની આ પાંચેય સામાજિક નવલકથાઓમાં જ્યાં એમણે વિનોદ ઉપહાસનો આશ્રય લીધો છે ત્યાં એમને સારી સફળતા મળી છે. \t\tઐતિહાસિક નવલકથાઓમાં તેઓ ઐતિહાસિક સત્યનું ગૌરવ કરતા નથી. એમના મતે ઇતિહાસ સાહિત્યમાત્રની જેમ ‘સરસતા’ને કારણે આસ્વાદ્ય છે. એમની ઐતિહાસિક નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર ઍલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ \t\tસ્પષ્ટ છે. ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬) એમની સોલંકીયુગની નવલત્રયીની પ્રથમ કડી છે. તેનું વસ્તુ સંકલિત-સુગ્રથિત છે ને તેમાં સત્તાસંઘર્ષની કથાની સાથે જ મીનળ-મુંજાલ, ત્રિભુવન-પ્રસન્ન અને હંસા-દેવપ્રસાદની પ્રણયકથાઓ ગૂંથાયેલી \t\tછે. મીનળ-મુંજાલ ઐતિહાસિક પાત્રો હોવા છતાં તેમની વચ્ચેનો પ્રેમ અનૈતિહાસિક-કાલ્પનિક છે. તેમાંનું પાત્ર આનંદસૂરિ પણ કાલ્પનિક છે. ‘ગુજરાતનો નાથ’ (૧૯૫૮) ‘પાટણની પ્રભુતા’ના કથાતંતુને આગળ વધારે છે. પાટણ પર આક્રમણ \t\tકરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત્ કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ દશાનો લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રા’નવઘણની હાર એ આ નવલની મુખ્ય રાજ્કીય ઘટનાઓ છે; પણ વાસ્તવમાં કૃતિ કાકની \t\tપરાક્રમગાથા છે. ‘રાજાધિરાજ’ (૧૯૨૨) નવલત્રયીની છેલ્લી કડી છે. જયસિંહદેવનો જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે. વર્ણનાત્મકતા, પથરાટ અને કથનપ્રાધાન્યનું પ્રમાણ અહીં વધ્યું છે ને નાટ્યાત્મક પ્રસંગો ઘટયા છે. રાણકનો \t\tસતી થવાનો અને મંજરીના મૃત્યુનો- બંને પ્રસંગ રસાવહ બન્યા છે. પ્રબળ કાર્યવેગ ને રહસ્યમયતાનું અસરકારક નિરૂપણ કથાત્રયીને વાચનક્ષમ બનાવે છે. ગાંધીયુગના આરંભે આવતી આ કૃતિઓમાં જીવનમૂલ્યોનો અભાવ વરતાય છે. \t\tકૌતુકપ્રિયતા અને બૌદ્ધિકતાનું લેખકે કરેલું મિશ્રણ કારગત પુરવાર થયું છે. ત્રણે કૃતિઓ નાટ્યાત્મકતા ધરાવે છે. \t\t‘પૃથિવીવલ્લભ’ (૧૯૨૦) એમની પાત્રપ્રધાન ઐતિહાસિક લઘુનવલ છે. રસજ્ઞ માલવપતિ મુંજનું, તેના હાથે સોળ-સોળવાર પરાજય પામેલા તૈલંગણના ચાલુક્યરાજ તૈલપ દ્વારા કેદ પકડાવું અને કેદમાંથી ભાગી છૂટવાના વિફળ કાવતરાની \t\tસજારૂપે હાથીના પગ તળે કચરાવું એ કથાની પ્રમુખ ઘટનાઓ છે; સાથોસાથ કેદી મુંજ અને તૈલપની કઠોર વૈરાગ્યવ્રતી વિધવા બહેન મૃણાલનો પ્રેમપ્રસંગ કથાને રસાવહ બનાવે છે. નિત્શેના ‘સુપરમૅન’ના સંપ્રત્યયને મુંજના પાત્ર દ્વારા મૂર્ત \t\tકરવાનો લેખકનો પ્રયાસ છે. ‘ભગવાન કૌટિલ્ય’ (૧૯૨૪)માં આચાર્ય વિષ્ણુગુપ્ત ચારણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને બ્રાહ્મણદ્વેષી મહાપદ્મ નંદની કેદમાંથી છોડાવી નસાડે છે એ કથા કહેવામાં આવી છે. કૌટિલ્યનું પ્રભાવક વ્યક્તિત્વ નવલકથાનું \t\tપ્રભાવકેન્દ્ર છે. ‘જય સોમનાથ’ (૧૯૪૦)માં મહંમદ ગઝનીએ સોમનાથના સંસ્કૃતિકેન્દ્ર પર આક્રમણ કર્યું ત્યારે દેશની અને ગુજરાતની શી સ્થિતિ હતી તે દર્શાવવાનો લેખકનો પ્રયાસ છે. અલબત્ત, કૃતિનો સબળ અંશ છે-વિશાળ ફલક પર \t\tઆલેખાયેલાં ‘રણ અને આંધી’ જેવાં વર્ણનચિત્રો અને કવિત્વપૂર્ણ સ્મરણચિત્રો. ‘ભગ્નપાદુકા’ (૧૯૫૫)માં ગુજરાતના અંતિમ હિંદુ રાજા કરણ વાઘેલાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખીલજી દ્વારા ગુજરાત પર થયેલા આક્રમણની અને \t\tગુજરાતે કરેલ તેના પ્રતિરોધની કથા આલેખાઈ છે. \t\tમુનશીનો ઇતિહાસપ્રેમ એમને પુરાણો સુધી ખેંચી જાય છે. વેદ-પુરાણકળાને નિરૂપીને એક સંસ્કૃતિકથા રચવાની એમની ઇચ્છા પૌરાણિક નવલકથાઓ અને નાટકો દ્વારા ચરિતાર્થ થઈ છે. ‘લોકમહર્ષિણી’ (૧૯૪૫) ઋગ્વેદકાળની કથા છે. તેમાં \t\tદાશરાજ્ઞયુદ્ધ અને સહસ્રાર્જુ નસંહારની તથા શુનઃશેપની કથા કહેવાયેલી છે. ‘ભગવાન પરશુરામ’ (૧૯૪૬)માં ‘લોકમહર્ષિણી’ની કથા આગળ વધે છે. તેમાં રામ-લોપાના યૌવનકાળની કથા છે અને મુખ્યત્વે પરશુરામનાં પરાક્રમો આલેખાયાં \t\tછે. ‘કૃષ્ણાવતાર’-ખંડ ૧ થી ૮ (૧૯૬૩-૧૯૬૪)માં કૃષ્ણના જીવન અને પરાક્રમોની કથા નિરૂપાયેલી છે. આકૃતિવિધાનની શિથિલતા વિશાળ ફલક પર આલેખાયેલી આ નવલકથાને કલાકૃતિ બનતી અટકાવે છે. \t\t \t\t‘સરસ્વતીચંદ્ર’ પછી મુનશીની નવલો ગુજરાતી નવલકથાવિકાસનું એક વિશિષ્ટ પ્રકરણ બની રહે છે. નાટ્યાત્મક નવલકથા મુનશીનું નોંધપાત્ર પ્રદાન છે. ડ્યૂમાની અસર નીચે તેઓ પોતાની નવલકથાઓમાં ત્વરિત ગતિથી વહેતો રસપૂર્ણ \t\tવસ્તુપ્રવાહ, સુશ્લિષ્ણ વસ્તુગૂંફન, સ્પષ્ટરેખ સજીવ પાત્રાલેખન, નાટ્યાત્મકતા, ચમકદાર સંવાદરચના આદિ નવલકથાનાં અંગોને આકર્ષક રીતે વિકસાવે છે. ચેતનથી તરવરતાં, અસાધારણ શક્તિવાળાં-પ્રભાવશાળી પાત્રો એમણે સજર્યાં \t\tછે. નવલકથા માટેની સમુચિત ભાષાશૈલી તેઓ પહેલીવાર સફળતાપૂર્વક સર્જે છે. બોલાતી જીવંત ભાષાનો રણકાર એમની ભાષામાં સંભળાય છે. \t\tએમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક-ત્રણે પ્રકારનાં નાટકો લખ્યાં છે. સામાજિક નાટકો મુખ્યત્વે પ્રહસનરૂપ છે. તેમાં શ્રીમંત વર્ગનાં દંભ અને અભિમાન પર કાતિલ પ્રહારો કરી લેખકે તેમની પોકળતા હાસ્યાસ્પદ સ્વરૂપમાં પ્રગટ કરી છે. \t\t‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ (૧૯૨૧) ‘ફારસ’ની નજીક જતું લેખકની મજાકશક્તિનું દ્રષ્ટાંત છે. ‘બે ખરાબ જણ’ (૧૯૨૪)માં હાસ્યોત્પાદક પરિસ્થિતિઓ છે. ‘આજ્ઞાંકિત’ (૧૯૨૭)માં હૃદયપરિવર્તન બહુ પ્રતીતિકર લાગતું નથી. ત્રણે નાટકોના કેન્દ્રમાં \t\tલગ્નનો પ્રશ્ન છે. ઉપરાંત વ્યંગકટાક્ષનું પ્રાધાન્ય હોવાથી અતિશયોક્તિનો આશ્રય લેવામાં આવ્યો છે. ‘કાકાની શશી’ (૧૯૨૮) પ્રહસન હોવા છતાં તેમાં ફાર્સિકલ તત્વનો અભાવ છે. ઈબ્સનશૈલીનું આ નાટક મુનશીની નાટકકાર તરીકેની \t\tઅનેક લાક્ષણિકતાઓને પ્રગટ કરતું, રંગભૂમિ પર સફળ નીવડેલું ઉલ્લેખનીય નાટક છે. ‘બ્રહ્મચર્યાશ્રમ’ (૧૯૩૧)માં લેખકે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની ઠેકડી ઉડાવી છે. ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ (૧૯૩૩) એમની જ \t\tનવલકથા ‘સ્નેહસંભ્રમ’નું નાટ્યરૂપાંતર છે. ‘ડૉ. મધુરિકા’ (૧૯૩૬) આધુનિક નારીની મુક્ત વિચારસરણીના સંદર્ભમાં આપણા સમાજજીવનમાં ઉદભવતી સમસ્યાને હળવાશથી વ્યક્ત કરતું સરેરાશ કક્ષાનું નાટક છે. ‘છીએ તે જ ઠીક’ (૧૯૪૮) \t\tઅને ‘વાહ રે મેં વાહ !’ (૧૯૪૯) પ્રહસનો છે. \t\t‘ધ્રુવસ્વામિની દેવી’ (૧૯૨૯) એમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. વિશાખદત્તના ખંડિત સ્વરૂપે મળતા નાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’નો આધાર લેવાયો છે. રંગક્ષમ નાટક અને રસપ્રદ ઉત્તમ સાહિત્યકૃતિ-ઉભયરૂપે આ રચના ઉલ્લેખનીય છે. ધ્રુવસ્વામિની અને \t\tચંદ્રગુપ્ત વચ્ચેનો પ્રેમ કાલ્પનિક છે. ચાર અંકોમાં વહેંચાયેલું આ નાટક વીસેક વર્ષના વિશાળ સમયપટને આવરી લેતું છતાં વસ્તુગ્રથનની દ્રષ્ટિએ શિથિલતા બતાવતું નથી. સુરેખ અને જીવંત પાત્રાલેખન એનું અન્ય જમા પાસું છે. \t\tએમના સંગ્રહ ‘પૌરાણિક નાટકો’માં ‘પુરંદર પરાજય’ (૧૯૨૨), ‘અવિભક્ત આત્મા’ (૧૯૨૩), ‘તર્પણ’ (૧૯૨૪) અને ‘પુત્રસમોવડી’ (૧૯૨૪) સંગૃહીત છે. આ નાટકોમાં અનુક્રમે ચ્યવનસુકન્યા, વસિષ્ઠ-અરુંધતી, સગર-સુવર્ણા અને \t\tકચ-દેવયાનીની કથા નિરૂપવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના ઉગમકાળની આ કથાઓમાં આપણી સંસ્કૃતિનાં પાયાનાં મૂલ્યોની સ્થાપના કરવાનો લેખકનો પ્રયાસ છે. પૌરાણિક પરિવેશને અનુરૂપ સંસ્કૃતાઢ્ય સંવાદભાષા તથા \t\tવાગ્મિતાપૂર્ણ છટા નાટ્યાત્મકતાને ઉપકારક નીવડે છે. ‘લોપામુદ્રા’નો પ્રથમ ખંડ નવલકથારૂપે આપ્યા પછી લેખકે એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા છે- ખંડ ૨ : ‘શંબરકન્યા’ (૧૯૩૩), ખંડ 3 : ‘દેવે દીધેલી’ (૧૯૩૩), ખંડ ૪ : ‘ઋષિ \t\tવિશ્વામિત્ર’ (૧૯૩૪). આ નાટ્યત્રયીમાં ભરતકુળનો આર્યરાજા વિશ્વરથ ઋષિ વિશ્વામિત્ર કેવી રીતે બને છે તે લેખકે દર્શાવ્યું છે. એકંદરે મુનશીનાં પૌરાણિક નાટકોમાં વાચનક્ષમતા અને રંગભૂમિક્ષમતાનો ઠીકઠીક સમન્વય સધાયો છે. \t\tમુનશી પાસેથી એક જ વાર્તાસંગ્રહ ‘મારી કમલા’ અને ‘બીજી વાતો’ (૧૯૨૧, પછીથી ‘નવલિકાઓ’) મળ્યો છે. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ અને ‘ખાનગી કારભારી’માં રમૂજ, કટાક્ષની સાથે સાથે લેખકની વસ્તુગ્રથનની દ્રષ્ટિ પણ જોવા મળે \t\tછે. ‘શામળશાનો વિવાહ’માં મોટી ઉંમરે નાની બાળકી સાથે લગ્ન કરતા ધનિક શેઠની ઠેકડી ઉડાવાઈ છે. ‘મારી કમલા’ના વસ્તુમાં પરિસ્થિતિજન્ય કરુણ નિષ્પન્ન થવાની શક્યતા છે, પણ લેખક તેનો તાગ કાઢી શક્યા નથી. મોટા ભાગની \t\tવાર્તાઓમાં લેખકે કથિતવાર્તાની આયોજનરીતિ સ્વીકારી છે. \t\tગાંધીજીના પ્રભાવથી સત્યપ્રિયતાને વરેલી ગુજરાતી આત્મકથાને મુનશી સરસતા પ્રતિ વાળે છે. આત્મકથા અને નવલકથા સહોદર સાહિત્યપ્રકારો છે. એની પ્રતીતિ મુનશીની સુદીર્ઘ રસિક આત્મકથા કરાવી રહે છે. ‘અડધે રસ્તે’ (૧૯૪૨)માં \t\tએમણે પોતાનાં બાલ્યકાળ અને કૉલેજજીવનનાં (૧૮૮૭ થી ૧૯૦૬ સુધીનાં) સંસ્મરણો આલેખ્યાં છે; ‘સીધા ચઢાણ’ (૧૯૪૩)માં ૧૯૦૭ થી ૧૯૨૨ના સમયખંડને, તો ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (૧૯૫૩)માં ૧૯૨૩ થી ૧૯૨૬ ના સમયખંડને આવરી \t\tલીધો છે. આત્મકથામાં અવારનવાર ધ્યાન ખેંચતો લેખકનો અહંરસાસ્વાદમાં વિધ્નરૂપ બને છે. ‘શિશુ અને સખી’ (૧૯૩૨) પ્રકારાન્તરે આત્મકથા જ છે. અહીં ત્રીજા પુરુષ એકવચનમાં વાર્તારૂપે રજૂઆત થઈ છે; અને અંત કાલ્પનિક છે. ‘મારી \t\tબિનજવાબદાર કહાણી’ (૧૯૪૩)માં યુરોપપ્રવાસનાં સંસ્મરણો અગંભીર રીતે રજૂ થયાં છે. \t\t‘નરસૈંયો-ભક્ત હરિનો’ (૧૯૩૩) અને ‘નર્મદ-અર્વાચીનોમાં આદ્ય’ (૧૯૩૯) એ બંને ચરિત્રાત્મક કૃતિઓ છે. બંને ચરિત્રો લેખકની રસપ્રધાન સર્જનાત્મક શૈલી અને પાત્રોના વ્યક્તિત્વને જીવંત કરવાના પ્રયાસને લીધે શુષ્ક જીવનકથાને બદલે \t\tજીવંત વાર્તાઓ સમાં બન્યાં છે. \t\t‘કેટલાક લેખો’ (૧૯૨૪)માં સંચિત કરેલો લેખ ‘ગુજરાતના જ્યોતિર્ધરો’માં મુનશીએ સહસ્રાર્જુન કાર્તવીર્ય અને પરશુરામથી માંડી ગાંધીજી સુધીના, ગુજરાતના કેટલાક સમર્થ સંસ્કારપુરુષોનાં મિતાક્ષરી ચરિત્રો આલેખ્યાં છે. ‘નરસિંહયુગના \t\tકવિઓ’ (૧૯૬૨) પંદરમી શતાબ્દીના મધ્યકાલીન ગુજરાતી કવિઓ તથા કૃતિઓ વિશેનું મુખ્યત્વે માહિતીલક્ષી પુસ્તક છે. \t\t‘કેટલાક લેખો’ –ભા. ૧-૨ (૧૯૨૬), ‘થોડાંક રસદર્શનો’ (૧૯૩૩) તથા ‘ગુજરાતની અસ્મિતા’ (૧૯૩૯)માં એમના નિબંધો સંચિત થયા છે. ‘કેટલાક લેખો’માં સંગૃહીત ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ, સામાજિક સુધારણા, કેળવણી વગેરે વિશેના લેખો \t\tલેખકને અનેક ક્ષેત્રોમાં જીવંત રસ છે એની પ્રતીતિરૂપ છે. ‘આદિવચનો’ –ભા. ૧ (૧૯૩૩) અને ભા. ૨ (૧૯૪૩)માં ઘણાખરા લેખો ઉદબોધનો જ છે. સાહિત્ય સંસદના પ્રમુખ તરીકે એમણે આપેલાં વ્યાખ્યાનો પ્રથમ ભાગમાં અને અન્યત્ર \t\tપ્રમુખસ્થાનેથી આપેલાં છ વ્યાખ્યાનો દ્વિતીય ભાગમાં સંગૃહીત કરવામાં આવ્યાં છે. \t\tઆ ઉપરાંત એમણે ‘ગુજરાતની કીર્તિગાથા’ (૧૯૫૨), ‘ચક્રવર્તી ગુર્જરો’, ‘આત્મશિલ્પની કેળવણી’, ‘અખંડ હિંદુસ્તાન’, ‘પરિષદને પ્રમુખપદેથી’ (૧૯૫૫) વગેરે પુસ્તકો આપ્યાં છે. એમાંનાં કેટલાંક મૂળ અંગ્રેજીનાં ભાષાંતરો છે. \t\tએમની પાસેથી અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથો સાંપડ્યા છે. તે પૈકી ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ (૧૯૩૫) સાહિત્યના ઇતિહાસનું પુસ્તક છે. \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ \t\tપાટણની પ્રભુતા (૧૯૧૬) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાત્રયીમાંની પહેલી નવલકથા. કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી \t\tતથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા \t\tજતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક \t\tઅહં અને પતનની કથા બની રહે છે. કૃતિમાં નિરૂપાયેલા સંઘર્ષોમાં ઐતિહાસિકતા કરતાં કલ્પનાનું વિશેષ પ્રમાણ, પાત્રો વચ્ચેના પ્રણયના તથા અન્ય સંબંધોમાં કાલ્પનિકતા, રહસ્યમય અને રોમાંચક ઘટનાઓનું આલેખન ઇત્યાદિ તત્વો \t\tઆ કૃતિને ‘ઐતિહાસિક રોમાન્સ’ની કોટિમાં મૂકે છે. \t\t -જયંત ગાડીત \t\tગુજરાતનો નાથ (૧૯૧૭) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘પાટણની પ્રભુતા’ પછીની બીજી નવલકથા. ચાર ભાગમાં વિભક્ત આ કૃતિમાં બનતી ઘટનાઓને મુખ્યત્વે સંબંધ છે \t\tપાટણના રાજ્યતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યક્તિઓના અંગત જીવન સાથે. એમાં જૂનાગઢના રા’નવઘણના પાટણના રાજ્ય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજ્કીય દાવપેચની વાત \t\tછે; જયદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજ્કીય \t\tવિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતોનું સ્થાન ગૌણ છે. કથામાં ખરેખર ધ્યાન તો ખેંચે છે ભૃગુકચ્છ-લાટથી આવેલો ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા. અન્ય ઘટનાઓ એખ યા બીજી રીતે \t\tકાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે. \t\tનવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે. ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજ્યતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીનો પ્રેમ. કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય \t\tછે. પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રા’નવઘણનો પરાજય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે. મંજરીના સૌંદર્યથી કાક એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત \t\tમંજરી અભણ કાકને દયાભાવથી જુએ છે. બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસોના હાથમાંથી મંજરીને છોડાવે છે. ઉદાથી \t\tબચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે. ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાના હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવે છે. \t\tકીર્તિદેવને મોઢે કાકની શક્તિની પ્રશંસા સાંભળી મંજરીનો કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે. ચોથા ભાગમાં રા’ખેંગારને પકડવા નીકળેલો કાક રા’ખેંગારનો મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, \t\tખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના વર્ગનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે. \t\tઅપ્રસ્તુત વિદ્વતચર્ચા, ચિંતન તથા લાંબાં સ્થળકાળનાં વર્ણનો ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણોનો ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ \t\tનવલકથાએ ‘સરસ્વતીચંદ્ર’ પછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પાત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને \t\tપ્રાપ્ત થતો મંજરીનો પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્વોને લીધે આ નવલકથા પણ ‘પાટણની પ્રભુતા’ની માફક ‘ઐતિહાસિક રોમાન્સ’ની છાપ ચિત્ત પર પાડે છે. \t\t -જયંત ગાડીત \t\tરાજાધિરાજ (૧૯૨૫) : કનૈયાલાલ મુનશીની ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘ગુજરાતનો નાથ’ પછીની નવલકથા. ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને \t\tલાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો \t\tકરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા \t\tપણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે. \t\t \t\tકાકના પાત્રનું અતિગૌરવ અને મહત્વની ઘટનાઓમાં એનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ’ની જેમ અહીં પણ અનુભવાય છે. અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે. \t\t -જયંત ગાડીત \t\tપૃથિવીવલ્લભ (૧૯૨૧) : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંની એક. ધારાનગરીનો રાજા મુંજ અહીં વધુ કાલ્પનિક અને ઓછો ઐતિહાસિક હોવા છતાં શત્રુ તૈલપની કઠોર વૈરાગ્યધારિણી બહેન મૃણાલવતીના \t\tચરિત્રની પડખે નર્યા જીવનોલ્લાસરૂપે મુકાયો છે. મુંજના પ્રતાપમાં ઓગળી જતી મૃણાલની કઠોરતા-મૃણાલનું પરિવર્તન-આ પ્રણયકથાનો મુખ્ય આશય છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી \t\tચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે. સંકુલ નહિ એવું એનું સુઘટ્ટ કથાસંયોજન આકર્ષક છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tજયસોમનાથ (૧૯૪૦) : સોલંકીયુગનો સંદર્ભ આપતી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. મહંમદ ગઝનીએ સોમનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ સર્વ રાજપૂતોની સાથે રહી કઈ રીતે ખાળ્યું અને ચૌલાદેવી \t\tસાથેનો ભીમદેવનો પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમ્યો, એની જીવંત માંડણી કરતી આ પ્રેમશૌર્યની કથાનું સૌથી મહત્વનું અંગ વર્ણન છે. યુદ્ધના આલેખનમાં કચાશ કે અસંગતિઓ જરૂર મળી આવે છે, તેમ છતાં રણની આંધી, \t\tઘોઘારાણાની યશગાથા, ચૌલાનું નૃત્ય આદિ વર્ણનો આ નવલકથાનાં જબરાં આકર્ષણો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tકાકાની શશી (૧૯૨૮) : કનૈયાલાલ મુનશીનું ત્રિઅંકી પ્રહસન. એમાં જમાનાના જાણતલ પણ પ્રેમાળ સજ્જન મનહરલાલ (કાકા) તથા તેમણે ઉછેરેલી, સંસારનાં છલછદ્મથી અનભિજ્ઞ શશિકલાના આલંબને મધુરગંભીર સંવેદનસભરતા \t\tવિકસે છે; તો અન્ય પાત્રોને અનુલક્ષીને પ્રયોજાયેલાં ઉપહાસો-કટાક્ષો-વિડંબનાઓ હાસ્યનિષ્પત્તિના વિભાવો બની રહે છે. પાત્રોનાં પરસ્પર વૃત્તિઓ અને વ્યવહારથી સ્ત્રી-પુરુષ-સંબંધ વિષયક નિદર્શાત્મક મીમાંસા સમી આ નાટ્યકૃતિમાં \t\tમનુષ્યની સહજવૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના આડંબરી ઓઠા નીચે કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી ભદ્રજનોની ભીતરી જંતુવૃત્તિની ઠાવકી ઠેકડી કરાયેલી છે; અને કથયિતવ્યની કઠોર \t\tકરવતધાર હાસ્યવ્યંગ્યની હળવાશથી સહ્ય બનાવાયેલી છે. લેખકની ઉદ્દામ આઘાતક વૃત્તિએ અંતને વિવાદાસ્પદ બનાવ્યો છે; પરંતુ સમગ્રકૃતિગત યથાર્થ દ્રષ્ટિ, બૌદ્ધિક વિચક્ષણતા, પ્રહસનોચિત સ્વાભાવિકતા તથા રંગમંચક્ષમતાને કારણે \t\tઆ નાટ્યકૃતિ સફળ નીવડે છે. સમકાલીન રંગભૂમિની લાક્ષણિકતાઓ સાથે સાહિત્યગુણને પણ જાળવતી આ કૃતિ ગુજરાતી નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની કડી તરીકે પણ મહત્વની છે. \t\t -વિનોદ અધ્વર્યુ \t\tવાહ રે મેં વાહ (૧૯૫૩) : કનૈયાલાલ મુનશીનું સામાજિક પ્રહસન. લેખક તેને ‘ફેન્ટેસી’ - ‘અસંભવ’ તરીકે ઓળખાવે છે. ભારત સરકારના પોલિટિકલ એજન્ટની જવાબદારી સ્વીકારી હૈદ્રાબાદ જવાની તૈયારી કરતી વેળાના નિરૂપાયેલાં \t\tપ્રસંગમાં લેખક પોતાની ઠેકડી ઉડાડે છે. જતાં પહેલાં મુનશીને સપનું આવે છે અને એમનાં વિવિધ પાત્રો ફરિયાદ કરે છે, સલાહ પણ આપે છે. આમાં આયોજનનો નવતર પ્રયોગ થયો છે છતાં નાટક ઊપસતું નથી. નાટ્યાત્મક સંઘર્ષ, \t\tપરિસ્થિતિ, વળાંક, પરાકોટી કે નાટ્યાત્મક ગતિ, કાર્યવેગ કે જીવંત ચરિત્રચિત્રણનો ઝાઝો અનુભવ થતો નથી. સંવાદો બોલકા છે અને ઘટનાના અંકોડા સુગ્રથિત નથી. અન્ય સામાજિક નાટકો જેવી હાસ્યની માવજત પણ અહીં થઈ નથી. \t\t -રીવન્દ્ર ઠાકોરુ \t\tધ્રુવસ્વામિનીદેવી (૧૯૨૯) : કનૈયાલાલ મુનશી રચિત ચતુરંકી ઐતિહાસિક નાટક. કથાનક પરત્વે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’ પર આધારિત છતાં સમગ્ર કૃતિ તરીકે આ નાટક મુનશીનું જ સર્જન \t\tછે. નિર્વીય સમગુપ્તની જાજવલ્યમાન સામ્રાજ્ઞી ધ્રુવાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લઘુબન્ધુ ચંદ્રગુપ્તની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્તનું બનાવટી ગાંડપણ, કાયર રામગુપ્ત અને બર્બર શકક્ષત્રપ વચ્ચે \t\tઅવદશામાં મુકાતી ધ્રુવાદેવીની ચંદ્રગુપ્તના પરાક્રમથી મુક્તિ, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હઠાવી તેનાં સામ્રાજ્ય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ-વગેરે નાટ્યાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ \t\tપ્રયોગાનુકૂલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠ્યકૃતિ તરીકે વધુ આવકાર્ય બની છે. \t\t -વિનોદ અધ્વર્યુ \t\tઅડધે રસ્તે (૧૯૪૩) : કનૈયાલાલ મુનશીની ૧૯૦૬ સુધીનાં સંસ્મરણો આપતી આત્મકથા. આના અનુસંધાનમાં ‘સીધાં ચઢાણ’ (૧૯૪૩)ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં આત્મકથા આગળ વધે છે; અને એમાં ૧૯૦૭ થી ૧૯૨૨ સુધીનાં સંસ્મરણો \t\tમળે છે; જ્યારે ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (૧૯૫૩) ૧૯૨૩ થી ૧૯૨૬ સુધીના ગાળાનાં સંસ્મરણો આલેખે છે. આમ, કુલ ત્રણ ગ્રંથમાં વિસ્તરેલી મુનશીની આત્મકથાના પહેલા ગ્રંથમાં ટેકરીના મુનશીઓ, બાલ્યકાળ અને વડોદરા કૉલેજના અનુભવ \t\tછે, તો બીજા ગ્રંથમાં મુંબઈની શેરીઓમાં અને હાઈકોર્ટમાં જે બન્યું એનું બ્યાન છે; સાથે ‘મધ્વરણ્ય’ની નોંધો છે. ત્રીજા ગ્રંથમાં પહેલીવારનાં પત્ની અતિલક્ષ્મીબેન હયાત હોવા છતાં લીલાબેન તરફના આકર્ષણથી ઊભી થયેલી મનોસ્થિતિનાં \t\tચિત્રણો છે. આત્મકથામાં પ્રવેશી જતા કલ્પનાના અંશો, તરંગલીલાનો લેવાયેલો આશ્રય, અહંનો વર્તાયા કરતો સૂર, લેખનમાં કંઈક અંશે વર્તાતી વિશૃંખલતા જેવાં તત્વોને બાદ કરતાં મુનશીની આત્મકથા ચરિત્રલેખનની જીવંત પદ્ધતિને \t \t\tકારણે સુવાચ્ય છે. આત્મનિરીક્ષણ કરતાં આત્મસન્માનવૃત્તિ આ આત્મકથાની શક્તિ અને મર્યાદા છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર (૧૯૩૫) : મહાત્મા ગાંધીના પુરોવચન સાથે મળતું કનૈયાલાલ મા. મુનશીનું અંગ્રેજી પુસ્તક. એમાં પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધીનાં સાહિત્યનું ઐતિહાસિક અવલોકન છે. ગુજરાતનો ઇતિહાસ, એની \t\tભૌગોલિક સીમાઓના વિસ્તારસંકોચ, ગુર્જરપ્રજાની ખાસિયતો, એના આર્થિક-સામાજિક પ્રશ્નો, એની જ્ઞાતિવ્યવસ્થા, એની સંસ્કૃતિપરંપરા-આ બધાં પરિમાણોને પડછે પહેલો ખંડ ‘પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ’ પરનો છે; બીજો ખંડ ‘જૂની \t\tગુજરાતી’ પરનો છે; અને ત્રીજો ખંડ ‘અર્વાચીન ગુજરાતી’નો છે; પહેલા ખંડમાં ગુજરાત, એની પ્રજા, પ્રારંભની અસરો, હેમચન્દ્ર અને સોમેશ્વરનો સમય વગેરેની ચર્ચા છે; બીજા ખંડમાં પદ્મનાભની વીરકવિતા, નવું ગુજરાત, મીરાં અને \t\tનરસિંહ, પ્રચલિત કથાસાહિત્ય, અખો, પ્રેમાનંદ અને દયારામનો સમાવેશ છે; ત્રીજો ખંડ અર્વાચીનકાળના સાહિત્યને, સંસ્કૃતના પુનરુત્થાનને, મહાત્મા ગાંધીના પ્રભાવને અને અર્વાચીન સાહિત્યનાં વલણોને તપાસે છે. અર્વાચીનકાળ કરતાં \tપ્રાચીનકાળ અને \t\tમધ્યકાળને અહીં વધુ ન્યાય મળ્યો છે. ક્યાંક પૂર્વગ્રહો નડ્યા છે, ક્યાંક પ્રમાણભાન ચુકાયું છે, ક્યાંક ઐતિહાસિક સામગ્રીની ચોકસાઈ જળવાયેલી નથી, તેમ છતાં મુનશીના આ ગ્રંથમાં સોદાહરણ જે રસલક્ષી ચર્ચા થઈ છે તેનું મૂલ્ય ઓછું નથી. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "kanaiyalala-munasi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/kanaiyalala-munasi",
"tags": null,
"created": "2024-02-03T20:38:59.557640",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17306,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "કૃષ્ણકાન્ત કડકિયા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>કડકિયા કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ</h4>\n\t\t\t(૨૯-૯-૧૯૪૦) જન્મ સ્થળ : દેવગઢ બારીયા, જિ. પંચમહાલ, એમ.એ.; પીએચ.ડી. ; ડિપ્લોમાં ઈન ડ્રામા\n\t\t<br/><br/> \n\t\t\tપ્રવૃત્તિ : નિવૃત્ત અધ્યાપક : સાબરમતી આર્ટ્સ કૉલેજ, અમદાવાદ, વિદેશ યાત્રા : ભારત અને વિદેશમાં યોજાતા ‘લોક ઉત્સવ’માં પ્રતિનિધિ તરીકે, પારિતોષિક : ભવાઈ, નટ, \n\t\t\tનર્તન, અને સંગીત; વિવેચન, ૧૯૯૪; ભવાઈ : સ્વરૂપ અને લક્ષણો, સંશોધન, ૧૯૯૬ ગુ. સા. અકાદમી દ્વારા \n\t\t<br/><br/> \n\t\t\tપ્રકાશનો : નવલકથા : સ્વરૂપ, ૧૯૭૦; પાનમ તારાં પાણીડાં કોણ પીશે, ૧૯૯૩; નિબંધ : શર્વિલક, નાટ્ય પ્રયોગ શિલ્પની દ્રષ્ટિએ, ૧૯૭૯; વિવેચન : ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૪૯ સુધીની ગુજરાતી અને હિન્દીની ઐતિહાસિક \n\t\t\tનવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ ખંડ-૧, ૧૯૭૮; ખંડ-૨, ૧૯૮૧; રૂપિત, ૧૯૮૨; અભિનિત, ૧૯૮૬; જસમાં : લોકનાટ્ય પ્રયોગ, ૧૯૮૮; લોકનાટ્ય-ભવાઈ, ૧૯૯૦; સંપાદન : કાવ્ય ગંગ-દ્રુમ છાયા, ૧૯૬૦; દેવદર્શન; \n\t\t\t૨૨ નિબંધો, ૧૯૬૧; શબ્દ સિદ્ધિ, ૧૯૯૨; બકુલ જોશીપુરાનાં નાટકો, ૨૦૦૮\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: કડકિયા કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ \t\t\t(૨૯-૯-૧૯૪૦) જન્મ સ્થળ : દેવગઢ બારીયા, જિ. પંચમહાલ, એમ.એ.; પીએચ.ડી. ; ડિપ્લોમાં ઈન ડ્રામા \t\t \t\t\tપ્રવૃત્તિ : નિવૃત્ત અધ્યાપક : સાબરમતી આર્ટ્સ કૉલેજ, અમદાવાદ, વિદેશ યાત્રા : ભારત અને વિદેશમાં યોજાતા ‘લોક ઉત્સવ’માં પ્રતિનિધિ તરીકે, પારિતોષિક : ભવાઈ, નટ, \t\t\tનર્તન, અને સંગીત; વિવેચન, ૧૯૯૪; ભવાઈ : સ્વરૂપ અને લક્ષણો, સંશોધન, ૧૯૯૬ ગુ. સા. અકાદમી દ્વારા \t\t \t\t\tપ્રકાશનો : નવલકથા : સ્વરૂપ, ૧૯૭૦; પાનમ તારાં પાણીડાં કોણ પીશે, ૧૯૯૩; નિબંધ : શર્વિલક, નાટ્ય પ્રયોગ શિલ્પની દ્રષ્ટિએ, ૧૯૭૯; વિવેચન : ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૪૯ સુધીની ગુજરાતી અને હિન્દીની ઐતિહાસિક \t\t\tનવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ ખંડ-૧, ૧૯૭૮; ખંડ-૨, ૧૯૮૧; રૂપિત, ૧૯૮૨; અભિનિત, ૧૯૮૬; જસમાં : લોકનાટ્ય પ્રયોગ, ૧૯૮૮; લોકનાટ્ય-ભવાઈ, ૧૯૯૦; સંપાદન : કાવ્ય ગંગ-દ્રુમ છાયા, ૧૯૬૦; દેવદર્શન; \t\t\t૨૨ નિબંધો, ૧૯૬૧; શબ્દ સિદ્ધિ, ૧૯૯૨; બકુલ જોશીપુરાનાં નાટકો, ૨૦૦૮ \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "krsnakanta-kadakiya",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/krsnakanta-kadakiya",
"tags": null,
"created": "2024-02-03T20:38:59.758557",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17307,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "કૃષ્ણલાલ શ્રીધરાણી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ </h4>\n\t\t(૧૬-૯-૧૯૧૧, ૨૩-૭-૧૯૬૦) : કવિ, નાટ્યકાર. જન્મ ઉમરાળા (ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ – વિનયમંદિરમાં. ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ, \n\t\tઅમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડીકૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી \n\t\t૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક. બીજે વર્ષે કવિવર ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર \n\t\tઅને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજ્કીય તત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી \n\t\tપીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી ‘અમૃતબઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા \n\t\tપછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ. ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો. હૃદય બંધ \n\t\tપડવાથી દિલ્હીમાં અવસાન.\n\t\t<br/><br/> \n ‘કોડિયાં’ (૧૯૩૯)માં સંગૃહીત એમની કવિતા લોકપ્રિય બની છે. બાળકાવ્યો અને પ્રણયકાવ્યોમાં કવિના સંવેદનની વૈયક્તિકતા જણાઈ આવે છે. યુગની મહોર વાગી હોય એવાં અનેક કાવ્યોમાં વિચાર કે અર્થના \n\t\tપ્રાધાન્યને બદલે રસ અને સૌન્દર્યની ચમક દેખાય છે. અગેય પદ્યરચનાનો બહુ આદર નથી. શ્લોકબંધ(*), પ્રાસ જાળવવાનું વલણ તેમ જ ગેયતા તરફનો પક્ષપાત રહ્યો છે; તેથી રૂપમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદોમાં \n\t\tરચાયેલાં કાવ્યોમાં તેમ જ સૉનેટ કરતાં ગીતોમાં સિદ્ધિ વિશેષ છે. સંવેદનમાં ઈન્દ્રિયસંતર્પકતા છે; ભાષામાં ઓજસ અને વ્યંજના છે; તેમ જ નાટ્યાત્મકતા વિશેષ ગુણલક્ષણ બની રહે છે. અનુગાંધીયુગમાં રવીન્દ્રનાથનો પ્રભાવ \n\t\tવિશેષ કાર્યાન્વિત થઈ રહ્યો હતો અને શુદ્ધ કવિતાની જિકર વધતી હતી ત્યારે એમણે રવીન્દ્રપ્રભાવને પર્યાપ્ત રીતે આત્મસાત્ કરી કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓનું સર્જન કરેલું.\n\t\t<br/><br/> \n\t\tરાજકારણ અને સમાજકારણ સાથેના ઘનિષ્ટ સંપર્કને કારણે નિર્ભ્રાન્ત બનેલા આ કવિ ૧૯૪૮ પછી પુનઃ કાવ્યલેખન આરંભે છે. ‘કોડિયાં’ (૧૯૫૭)- નવી આવૃત્તિમાં ઉમેરેલાં અગિયાર જેટલાં કાવ્યો તેમ જ મરણોત્તર \n\t\tપ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘પુનરપિ’ (૧૯૬૧)માં સંગૃહીત બાવીસ રચનાઓમાં ઊપસતું ઉત્તર શ્રીધરાણીનું કવિવ્યક્તિત્વ વિશિષ્ટ છે. કવિના ઊંડા વાસ્તવદર્શન અને વેધક કટાક્ષનિરૂપણની દ્રષ્ટિએ ‘આઠમું દિલ્હી’ અત્યંત \n\t\tનોંધપાત્ર કાવ્ય ગણાય. કટાક્ષ અને હાસ્ય એમની નવતર રચનાઓનાં સંઘટક તત્વો છે. તાજગીભર્યાં કલ્પનો અને પ્રતીકો ઉપરાંત ભાષાની સખ્તાઈ પણ ધ્યાન ખેંચે છે. સવૈયા અને ચોપાઈ જેવા છંદોને પરંપરિત કરવામાં \n\t\tતેમ જ એમાં ગદ્યના અધ્યાસો જગવી પ્રયોગ લેખે પદ્યમુક્તિની દિશા ચીંધવામાં એમની વિશેષતા છે. આ સંદર્ભમાં, ૧૯૫૬માં રચાયેલાં બે કાવ્યો ઉમાશંકરકૃત ‘છિન્ન-ભિન્ન છું’ અને આ કવિનું ‘આઠમું દિલ્હી’ ગુજરાતી \n\t\tકવિતાક્ષેત્રે નવપ્રસ્થાન બનેલાં છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે નાનાં-મોટાં મળી સોળ નાટકો લખ્યાં છે. ‘વડલો’ (૧૯૩૧) અને ‘પીળાં પલાશ’ (૧૯૩૩)માં સંગૃહીત બાળનાટકોમાં જે રંગદર્શિતા, કલ્પકતા, ઊર્મિકવિત્વ અને ધ્વનિસુગંધ છે તે બીજા કોઈ સમકાલીન લેખકનાં \n\t\tબાળનાટકોમાં નથી. ‘વડલો’ નાટક તો હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષાનો વેશ પહેરી ગુજરાત બહાર પણ પ્રસર્યું છે. ‘પિયો ગોરી’ (બી. આ. ૧૯૪૬)માંનાં નાટકોનો બંધ દ્રશ્યબાહુલ્ય, સંવાદોમાં આવતાં ગીતો તેમ જ \n\t\tઘટનાપ્રવાહની મંદગતિને કારણે શિથિલ લાગે છે; પરંતુ ‘ડૂસકું’ અને ‘પિયો ગોરી’માં થયેલો નાટ્યતત્વને કાવ્યતત્વનો સુમેળ એ કૃતિઓને વિશેષ રમણીય બનાવે છે. ‘ડુંગળીનો દડો’, ‘વીજળી’ અને ‘વૃષલ’ રંગભૂમિની \n\t\tજરૂરીયાતોને ઉપેક્ષે છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે લખેલા ત્રિઅંકી નાટકો પૈકીનું ‘મોરના ઈંડા’ (૧૯૩૪) વાસ્તવાલેખન, વસ્તુને મળતો કવચિત્ રહસ્યનો ઓપ, પ્રતીકમયતા, નાટકમાં થિસીસને મળતું પ્રાધાન્ય જેવી બાબતોને લીધે ઈબ્સનશૈલીનો; તો એમાંની \n\t\tભાવનામયતા, રંગદર્શિતા અને કાવ્યતત્વ ન્હાનાલાલ કે ટાગોરની શૈલીનો પ્રભાવ સૂચવે છે. પરંતુ સમગ્ર રીતે એ નાટકમાં લેખકની પોતીકી છાપ અંકિત થયેલી જોવાય છે. બીજું ‘પદ્મિની’ (૧૯૩૪) ઐતિહાસિક નાટક છે. \n\t\t<br/><br/> \n\t\tપોતાના દેશને અને હજારો દેશબંધુઓને બચાવી લેવા પોતાના શિયળનું બલિદાન આપતી ‘મોના વાના’ (મોરિસ મેટરલિન્કકૃત)ના અભિગમની પ્રતિક્રિયારૂપે સર્જાયેલું ‘પદ્મિની’, એને સમસ્યાનાટક બનાવવાની લેખકની ધૂનને \n\t\tકારણે, ઇતિહાસના વાસ્તવને જોખમાવતું, પાત્રાલેખનમાં વિસંગતિ જન્માવતું અસ્વાભાવિક નાટક બન્યું છે. \n\t\t<br/><br/> \n\t\tદાંડિકૂચના એક સૈનિક તરીકે નાસિકમાં કારાવાસની સજા થઈ એ વખતે કેટલાક કેદીઓની આપવીતી સાંભળી, એ સત્યકથાઓને આધારે એમણે ટૂંકી નવલકથા ‘ઇન્સાન મિટા દૂંગા’ લખેલી; એમાં એમનું વાર્તાકાર \n\t\tતરીકેનું સામર્થ્ય પ્રગટ થયું છે; પરંતુ ઉશ્કેરાટભર્યા પ્રસંગો નિરૂપવા જતાં કલાસંયમ ચૂકી જવાયો છે. આ ‘ઇન્સાન મિટા દૂંગા’ (૧૯૩૨) સંગ્રહમાં બીજી આઠ વાર્તાઓ છે, જે વાર્તા તરીકે સામાન્ય કક્ષાની છે.\n\t\t<br/><br/> \n\t\tઆ ઉપરાંત ‘આપણી પરદેશ નીતિ’ (૧૯૪૮) એમના નામે છે. ‘વૉર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯), ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧), ‘ધ બિગ ફોર ઑવ ઇન્ડિયા’ (૧૯૪૧), ‘વોર્નિંગ ટુ ધ વેસ્ટ’ (૧૯૪૩), ‘ધ \n\t\tમહાત્મા એન્ડ ધ વર્લ્ડ’ (૧૯૪૬), ‘જનરલ નૉલેજ ઍન્સાઇક્લોપીડિયા’ (૧૯૪૯), ‘સ્ટોરી ઑવ ધી ઇન્ડિયન ટેલિગ્રાફ’ (૧૯૫૩), ‘ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા’ (૧૯૫૬), ‘ધી ઍડવેન્ચર્સ ઑવ અપસાઈડ ડાઉન ટ્રી’ (૧૯૫૬) અને \n\t\t‘સ્પાય્ કસ ફ્રોમ કશ્મીર’ (૧૯૫૯) એમના અંગ્રેજી ગ્રંથો છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-તૃષિત પારેખ</p>\n\t\tકોડિયાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનો કાવ્યસંગ્રહ. એમની સિસૃક્ષાને દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ પોષણ આપ્યું છે. ગાંધીવાદને પગલે સમાજવાદની અસર અનુભવતા છતાં \n\t\tવાસ્તવના લેખનથી દૂર રહી એમણે કાવ્યના રસસૌન્દર્યની માવજત કરી છે. અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભક્તિ, પ્રણય અને પ્રકૃતિ જેવા વિષયોનું આકર્ષણ છે. ‘પતંગિયું ને ચંબેલી’ જેવાં કાવ્યોમાં ટાગોરનાં \n\t\tશિશુકાવ્યોની મોહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યોમાં ભાવનાત્મક અભિગમ છે. ‘સ્વરાજ રક્ષક’માં ખેડૂતનો પ્રસ્વેદ જ શેલડીના મિષ્ટરસમાં રૂપાંતર પામે એ વકતવ્ય સૂચક છે. ‘આજ મારો અપરાધ \n\t\tછે, રાજા !’માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુક્તક પ્રકારની લઘુ ગેયરચનાઓ આપી છે ઉપરાંત સૉનેટ, ગીત અને પ્રસંગકાવ્યોની અજમાયેશ કરી છે. એમાં સૉનેટમાં સિદ્ધિ અલ્પ છે; \n\t\tપ્રસંગકાવ્યોમાં લાગણીના બળની સાથે નાટ્યાત્મકતા ભળે છે ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યોમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. ‘આઠમું દિલ્હી’, ‘બુદ્ધનું પુનરાગમન’ આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને \n\t\tવક્રતાપ્રેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુક્તિ અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-તૃષિત પારેખ</p>\n\t\tવડલો (૧૯૩૧) : કૃષ્ણલાલ શ્રીધરાણીએ વીસ વર્ષની વયે રચેલું નાટક. એમાં કાવ્યતત્વ, નાટ્યતત્ત્વ સંગીત અને નૃત્યનો સમન્વય થયો છે; તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. ‘વડલો’ની સૃષ્ટિમાં વૃક્ષો છે, પુષ્પો છે, \n\t\tસમીર છે, ગ્રહો અને નક્ષત્રો છે, મેઘ છે, ઝંઝાવાત છે. આ બધા પદાર્થો અહીં સચેત પાત્રો તરીકે વર્તે છે. એ સૃષ્ટિમાં ભથવારી અને બાળકો પણ છે. પરંતુ આ નાટકમાં કોઈ રૂપક હોવાની સંભાવના જણાતી નથી. ઝંઝાવાત \n\t\tએ પ્રકૃતિની એક શક્તિ છે, તો વડલો તેની બીજી શક્તિ છે. આ બંને શક્તિઓ એકબીજા સાથે ટકરાય છે. વડલો પરાજિત થાય છે પણ પરાધીન થતો નથી; તેથી એનો પરાભવ ભવ્ય લાગે છે. આ નાટક અનેકવાર ભજવાયું \n\t\tછે. એના પૂર્વાર્ધમાં કાર્યવેગ થોડો છે, તેમ જ એના કથાઘટકો પરસ્પર નિઃશેષપણે સંયોજાયા જણાતા નથી. આમ છતાં, ટાગોરના ‘ડાકઘર’ની જેમ આ નાટક અને એની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-તૃષિત પારેખ</p>\n\t\tમોરના ઈંડાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનું સંસ્કૃત-પ્રાકૃત તત્વોના સંઘર્ષનું પ્રતીક શૈલીનું નાટક. અહીં નિસર્ગના સંતાન સમા તીરથને ભણાવવા માટે છાત્રાલયમાં રખાય છે. પુસ્તકના અક્ષરો અને છાત્રાલયની શિસ્ત એની \n\t\tચેતનાને રુંધે છે. ગામમાં મિયાણાની ઘાડ પડી ત્યારે કોઈને પૂછ્યા વગર તત્ક્ષણ છાત્રાલયમાંથી છટકી તેણે મિયાણાનો સમાનો કર્યો અને શહાદત વહોરી લીધી. આશ્રમનાં જ્ઞાન, શિસ્ત અને અભ્યાસની સામે લેખકે તીરથના \n\t\tજીવનનાં પ્રેમ, શૌર્ય અને કર્તવ્યને વિરોધાવી સભ્યતાને ઝાંખી પાડી છે. અહીં લેખક રુસોના કેળવણીવિષયક પ્રકૃતિવાદથી પ્રભાવિત જણાય છે. નાટકનું ગદ્ય કાવ્યમય છે. તીરથમાં ક્યાંક પ્રવેશતું સુધરેલાપણું, ખેંચાતો \n\t\tચર્ચા-અંશ અને ઉદભવતું ક્રિયામાંદ્ય લેખકની સિદ્ધિને ખાસ ઢાંકી શકતાં નથી.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-તૃષિત પારેખ</p>\n\t\tપદ્મિની (૧૯૩૪) : પદ્મિનીની ઇતિહાસકથાને નીતિશાસ્ત્રના ફૂટપ્રશ્નના ઉકેલ અર્થે પ્રયોજતું કૃષ્ણલાલ શ્રીધરાણીનું નાટક. ક્ષત્રિય નરનારીઓનાં ટેક, પરાક્રમ, સતીત્વ અને કુલાભિમાન જાણીતાં છે, તેથી એ પાત્રો, નાટકકાર \n\t\tબતાવે છે તેમ, પસંદગીના સંઘર્ષમાં સંડોવાય જ નહિ. મેટરલિન્કની વાનાની જેમ પદ્મિનીને એક સ્ત્રી તરીકે નિર્ણય કરવાનો હોઈ શકે. પદ્મિનીના અંતરમાં આવો કોઈ સંઘર્ષ બતાવ્યો હોત તો કદાચ નિર્વાહ્ય ગણાત. આ \n\t\tનાટકમાં નાટકકારનું અમુક સામર્થ્ય પ્રગટ થયું છે, પણ એ નિરપવાદ નથી.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ \t\t(૧૬-૯-૧૯૧૧, ૨૩-૭-૧૯૬૦) : કવિ, નાટ્યકાર. જન્મ ઉમરાળા (ભાવનગર)માં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ – વિનયમંદિરમાં. ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ, \t\tઅમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડીકૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી \t\t૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક. બીજે વર્ષે કવિવર ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર \t\tઅને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજ્કીય તત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી \t\tપીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી ‘અમૃતબઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા \t\tપછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ. ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો. હૃદય બંધ \t\tપડવાથી દિલ્હીમાં અવસાન. \t\t ‘કોડિયાં’ (૧૯૩૯)માં સંગૃહીત એમની કવિતા લોકપ્રિય બની છે. બાળકાવ્યો અને પ્રણયકાવ્યોમાં કવિના સંવેદનની વૈયક્તિકતા જણાઈ આવે છે. યુગની મહોર વાગી હોય એવાં અનેક કાવ્યોમાં વિચાર કે અર્થના \t\tપ્રાધાન્યને બદલે રસ અને સૌન્દર્યની ચમક દેખાય છે. અગેય પદ્યરચનાનો બહુ આદર નથી. શ્લોકબંધ(*), પ્રાસ જાળવવાનું વલણ તેમ જ ગેયતા તરફનો પક્ષપાત રહ્યો છે; તેથી રૂપમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદોમાં \t\tરચાયેલાં કાવ્યોમાં તેમ જ સૉનેટ કરતાં ગીતોમાં સિદ્ધિ વિશેષ છે. સંવેદનમાં ઈન્દ્રિયસંતર્પકતા છે; ભાષામાં ઓજસ અને વ્યંજના છે; તેમ જ નાટ્યાત્મકતા વિશેષ ગુણલક્ષણ બની રહે છે. અનુગાંધીયુગમાં રવીન્દ્રનાથનો પ્રભાવ \t\tવિશેષ કાર્યાન્વિત થઈ રહ્યો હતો અને શુદ્ધ કવિતાની જિકર વધતી હતી ત્યારે એમણે રવીન્દ્રપ્રભાવને પર્યાપ્ત રીતે આત્મસાત્ કરી કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓનું સર્જન કરેલું. \t\t \t\tરાજકારણ અને સમાજકારણ સાથેના ઘનિષ્ટ સંપર્કને કારણે નિર્ભ્રાન્ત બનેલા આ કવિ ૧૯૪૮ પછી પુનઃ કાવ્યલેખન આરંભે છે. ‘કોડિયાં’ (૧૯૫૭)- નવી આવૃત્તિમાં ઉમેરેલાં અગિયાર જેટલાં કાવ્યો તેમ જ મરણોત્તર \t\tપ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘પુનરપિ’ (૧૯૬૧)માં સંગૃહીત બાવીસ રચનાઓમાં ઊપસતું ઉત્તર શ્રીધરાણીનું કવિવ્યક્તિત્વ વિશિષ્ટ છે. કવિના ઊંડા વાસ્તવદર્શન અને વેધક કટાક્ષનિરૂપણની દ્રષ્ટિએ ‘આઠમું દિલ્હી’ અત્યંત \t\tનોંધપાત્ર કાવ્ય ગણાય. કટાક્ષ અને હાસ્ય એમની નવતર રચનાઓનાં સંઘટક તત્વો છે. તાજગીભર્યાં કલ્પનો અને પ્રતીકો ઉપરાંત ભાષાની સખ્તાઈ પણ ધ્યાન ખેંચે છે. સવૈયા અને ચોપાઈ જેવા છંદોને પરંપરિત કરવામાં \t\tતેમ જ એમાં ગદ્યના અધ્યાસો જગવી પ્રયોગ લેખે પદ્યમુક્તિની દિશા ચીંધવામાં એમની વિશેષતા છે. આ સંદર્ભમાં, ૧૯૫૬માં રચાયેલાં બે કાવ્યો ઉમાશંકરકૃત ‘છિન્ન-ભિન્ન છું’ અને આ કવિનું ‘આઠમું દિલ્હી’ ગુજરાતી \t\tકવિતાક્ષેત્રે નવપ્રસ્થાન બનેલાં છે. \t\t \t\tએમણે નાનાં-મોટાં મળી સોળ નાટકો લખ્યાં છે. ‘વડલો’ (૧૯૩૧) અને ‘પીળાં પલાશ’ (૧૯૩૩)માં સંગૃહીત બાળનાટકોમાં જે રંગદર્શિતા, કલ્પકતા, ઊર્મિકવિત્વ અને ધ્વનિસુગંધ છે તે બીજા કોઈ સમકાલીન લેખકનાં \t\tબાળનાટકોમાં નથી. ‘વડલો’ નાટક તો હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષાનો વેશ પહેરી ગુજરાત બહાર પણ પ્રસર્યું છે. ‘પિયો ગોરી’ (બી. આ. ૧૯૪૬)માંનાં નાટકોનો બંધ દ્રશ્યબાહુલ્ય, સંવાદોમાં આવતાં ગીતો તેમ જ \t\tઘટનાપ્રવાહની મંદગતિને કારણે શિથિલ લાગે છે; પરંતુ ‘ડૂસકું’ અને ‘પિયો ગોરી’માં થયેલો નાટ્યતત્વને કાવ્યતત્વનો સુમેળ એ કૃતિઓને વિશેષ રમણીય બનાવે છે. ‘ડુંગળીનો દડો’, ‘વીજળી’ અને ‘વૃષલ’ રંગભૂમિની \t\tજરૂરીયાતોને ઉપેક્ષે છે. \t\t \t\tએમણે લખેલા ત્રિઅંકી નાટકો પૈકીનું ‘મોરના ઈંડા’ (૧૯૩૪) વાસ્તવાલેખન, વસ્તુને મળતો કવચિત્ રહસ્યનો ઓપ, પ્રતીકમયતા, નાટકમાં થિસીસને મળતું પ્રાધાન્ય જેવી બાબતોને લીધે ઈબ્સનશૈલીનો; તો એમાંની \t\tભાવનામયતા, રંગદર્શિતા અને કાવ્યતત્વ ન્હાનાલાલ કે ટાગોરની શૈલીનો પ્રભાવ સૂચવે છે. પરંતુ સમગ્ર રીતે એ નાટકમાં લેખકની પોતીકી છાપ અંકિત થયેલી જોવાય છે. બીજું ‘પદ્મિની’ (૧૯૩૪) ઐતિહાસિક નાટક છે. \t\t \t\tપોતાના દેશને અને હજારો દેશબંધુઓને બચાવી લેવા પોતાના શિયળનું બલિદાન આપતી ‘મોના વાના’ (મોરિસ મેટરલિન્કકૃત)ના અભિગમની પ્રતિક્રિયારૂપે સર્જાયેલું ‘પદ્મિની’, એને સમસ્યાનાટક બનાવવાની લેખકની ધૂનને \t\tકારણે, ઇતિહાસના વાસ્તવને જોખમાવતું, પાત્રાલેખનમાં વિસંગતિ જન્માવતું અસ્વાભાવિક નાટક બન્યું છે. \t\t \t\tદાંડિકૂચના એક સૈનિક તરીકે નાસિકમાં કારાવાસની સજા થઈ એ વખતે કેટલાક કેદીઓની આપવીતી સાંભળી, એ સત્યકથાઓને આધારે એમણે ટૂંકી નવલકથા ‘ઇન્સાન મિટા દૂંગા’ લખેલી; એમાં એમનું વાર્તાકાર \t\tતરીકેનું સામર્થ્ય પ્રગટ થયું છે; પરંતુ ઉશ્કેરાટભર્યા પ્રસંગો નિરૂપવા જતાં કલાસંયમ ચૂકી જવાયો છે. આ ‘ઇન્સાન મિટા દૂંગા’ (૧૯૩૨) સંગ્રહમાં બીજી આઠ વાર્તાઓ છે, જે વાર્તા તરીકે સામાન્ય કક્ષાની છે. \t\t \t\tઆ ઉપરાંત ‘આપણી પરદેશ નીતિ’ (૧૯૪૮) એમના નામે છે. ‘વૉર વિધાઉટ વાયોલન્સ’ (૧૯૩૯), ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (૧૯૪૧), ‘ધ બિગ ફોર ઑવ ઇન્ડિયા’ (૧૯૪૧), ‘વોર્નિંગ ટુ ધ વેસ્ટ’ (૧૯૪૩), ‘ધ \t\tમહાત્મા એન્ડ ધ વર્લ્ડ’ (૧૯૪૬), ‘જનરલ નૉલેજ ઍન્સાઇક્લોપીડિયા’ (૧૯૪૯), ‘સ્ટોરી ઑવ ધી ઇન્ડિયન ટેલિગ્રાફ’ (૧૯૫૩), ‘ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા’ (૧૯૫૬), ‘ધી ઍડવેન્ચર્સ ઑવ અપસાઈડ ડાઉન ટ્રી’ (૧૯૫૬) અને \t\t‘સ્પાય્ કસ ફ્રોમ કશ્મીર’ (૧૯૫૯) એમના અંગ્રેજી ગ્રંથો છે. \t\t -તૃષિત પારેખ \t\tકોડિયાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનો કાવ્યસંગ્રહ. એમની સિસૃક્ષાને દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ પોષણ આપ્યું છે. ગાંધીવાદને પગલે સમાજવાદની અસર અનુભવતા છતાં \t\tવાસ્તવના લેખનથી દૂર રહી એમણે કાવ્યના રસસૌન્દર્યની માવજત કરી છે. અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભક્તિ, પ્રણય અને પ્રકૃતિ જેવા વિષયોનું આકર્ષણ છે. ‘પતંગિયું ને ચંબેલી’ જેવાં કાવ્યોમાં ટાગોરનાં \t\tશિશુકાવ્યોની મોહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યોમાં ભાવનાત્મક અભિગમ છે. ‘સ્વરાજ રક્ષક’માં ખેડૂતનો પ્રસ્વેદ જ શેલડીના મિષ્ટરસમાં રૂપાંતર પામે એ વકતવ્ય સૂચક છે. ‘આજ મારો અપરાધ \t\tછે, રાજા !’માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુક્તક પ્રકારની લઘુ ગેયરચનાઓ આપી છે ઉપરાંત સૉનેટ, ગીત અને પ્રસંગકાવ્યોની અજમાયેશ કરી છે. એમાં સૉનેટમાં સિદ્ધિ અલ્પ છે; \t\tપ્રસંગકાવ્યોમાં લાગણીના બળની સાથે નાટ્યાત્મકતા ભળે છે ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યોમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. ‘આઠમું દિલ્હી’, ‘બુદ્ધનું પુનરાગમન’ આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને \t\tવક્રતાપ્રેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુક્તિ અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે. \t\t -તૃષિત પારેખ \t\tવડલો (૧૯૩૧) : કૃષ્ણલાલ શ્રીધરાણીએ વીસ વર્ષની વયે રચેલું નાટક. એમાં કાવ્યતત્વ, નાટ્યતત્ત્વ સંગીત અને નૃત્યનો સમન્વય થયો છે; તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. ‘વડલો’ની સૃષ્ટિમાં વૃક્ષો છે, પુષ્પો છે, \t\tસમીર છે, ગ્રહો અને નક્ષત્રો છે, મેઘ છે, ઝંઝાવાત છે. આ બધા પદાર્થો અહીં સચેત પાત્રો તરીકે વર્તે છે. એ સૃષ્ટિમાં ભથવારી અને બાળકો પણ છે. પરંતુ આ નાટકમાં કોઈ રૂપક હોવાની સંભાવના જણાતી નથી. ઝંઝાવાત \t\tએ પ્રકૃતિની એક શક્તિ છે, તો વડલો તેની બીજી શક્તિ છે. આ બંને શક્તિઓ એકબીજા સાથે ટકરાય છે. વડલો પરાજિત થાય છે પણ પરાધીન થતો નથી; તેથી એનો પરાભવ ભવ્ય લાગે છે. આ નાટક અનેકવાર ભજવાયું \t\tછે. એના પૂર્વાર્ધમાં કાર્યવેગ થોડો છે, તેમ જ એના કથાઘટકો પરસ્પર નિઃશેષપણે સંયોજાયા જણાતા નથી. આમ છતાં, ટાગોરના ‘ડાકઘર’ની જેમ આ નાટક અને એની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે. \t\t -તૃષિત પારેખ \t\tમોરના ઈંડાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનું સંસ્કૃત-પ્રાકૃત તત્વોના સંઘર્ષનું પ્રતીક શૈલીનું નાટક. અહીં નિસર્ગના સંતાન સમા તીરથને ભણાવવા માટે છાત્રાલયમાં રખાય છે. પુસ્તકના અક્ષરો અને છાત્રાલયની શિસ્ત એની \t\tચેતનાને રુંધે છે. ગામમાં મિયાણાની ઘાડ પડી ત્યારે કોઈને પૂછ્યા વગર તત્ક્ષણ છાત્રાલયમાંથી છટકી તેણે મિયાણાનો સમાનો કર્યો અને શહાદત વહોરી લીધી. આશ્રમનાં જ્ઞાન, શિસ્ત અને અભ્યાસની સામે લેખકે તીરથના \t\tજીવનનાં પ્રેમ, શૌર્ય અને કર્તવ્યને વિરોધાવી સભ્યતાને ઝાંખી પાડી છે. અહીં લેખક રુસોના કેળવણીવિષયક પ્રકૃતિવાદથી પ્રભાવિત જણાય છે. નાટકનું ગદ્ય કાવ્યમય છે. તીરથમાં ક્યાંક પ્રવેશતું સુધરેલાપણું, ખેંચાતો \t\tચર્ચા-અંશ અને ઉદભવતું ક્રિયામાંદ્ય લેખકની સિદ્ધિને ખાસ ઢાંકી શકતાં નથી. \t\t -તૃષિત પારેખ \t\tપદ્મિની (૧૯૩૪) : પદ્મિનીની ઇતિહાસકથાને નીતિશાસ્ત્રના ફૂટપ્રશ્નના ઉકેલ અર્થે પ્રયોજતું કૃષ્ણલાલ શ્રીધરાણીનું નાટક. ક્ષત્રિય નરનારીઓનાં ટેક, પરાક્રમ, સતીત્વ અને કુલાભિમાન જાણીતાં છે, તેથી એ પાત્રો, નાટકકાર \t\tબતાવે છે તેમ, પસંદગીના સંઘર્ષમાં સંડોવાય જ નહિ. મેટરલિન્કની વાનાની જેમ પદ્મિનીને એક સ્ત્રી તરીકે નિર્ણય કરવાનો હોઈ શકે. પદ્મિનીના અંતરમાં આવો કોઈ સંઘર્ષ બતાવ્યો હોત તો કદાચ નિર્વાહ્ય ગણાત. આ \t\tનાટકમાં નાટકકારનું અમુક સામર્થ્ય પ્રગટ થયું છે, પણ એ નિરપવાદ નથી. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "krsnalala-sridharani",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/krsnalala-sridharani",
"tags": null,
"created": "2024-02-03T20:38:59.961283",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17308,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "ડૉ.કુમારપાળ દેસાઈ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<h4>ડૉ.કુમારપાળ દેસાઈ </h4>\n<br/><br/>\n<img src=\"/photos/pramukho/kumarpal-desai.jpg\"/>\n<h4>દેસાઈ કુમારપાળ બાલાભાઈ</h4> (૩૦-૮-૧૯૪૨) : ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, બાળસાહિત્ય, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય, નવલિકા અને ધર્મદર્શન વિશે એકસોથી વધુ ગ્રંથો લખનાર. એમ.એ., પીએચ.ડી. તથા એમના માર્ગદર્શન હેઠળ \n વીસ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. મેળવી છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના ડિરેક્ટર અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે કુલ ૩૮ વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું. \n\t\t<br/><br/>\n\t\t“નાની ઉંમર મોટું કામ” પુસ્તક સમગ્ર દેશની તમામ ભાષાઓમાં એ વર્ષનું બાળસાહિત્યનું શ્રેષ્ઠ પુસ્તક ગણાયું તેમજ કુમારપાળ દેસાઈએ ત્રણેય ભાષામાં લખેલું “અપંગના ઓજસ” (૮ આવૃત્તિ), “अपाहिज तन, अडिग मन” (૪ આવૃત્તિ) \n અને “The Brave Hearts” (૩ આવૃત્તિ) તથા એનું બ્રેઇલ લિપિમાં રૂપાંતર થયું. પીએચ.ડી.ના એમના વિષય “આનંદઘન” પર ગુજરાતીમાં ત્રણ પુસ્તકો અને હિંદીમાં એક પુસ્તક તેમજ “Jainism : The Cosmic Vision”, \n “Journey of Ahimsa”, “A pinnacle of Spirituality” જેવાં અંગ્રેજીમાં સોળ પુસ્તકો, “એકાંતે કોલાહલ” (વાર્તાસંગ્રહ), “જીવતરની વાટે અક્ષરનો દીવો”, “મહામાનવ શાસ્ત્રી” અને “મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું\n શિખર” (ચરિત્ર), “અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ” (સંશોધન), “શબ્દસમીપ”, “ભાવન વિભાવન” (વિવેચન), “હૈયું નાનું હિંમત મોતી”, “બિરાદરી” (બાળસાહિત્ય), “નવવધૂ” (અનુવાદ) તથા “નર્મદ આજના સંદર્ભમાં”, “હૈમસ્મૃતિ” (સંપાદન) \n અને “જીવનનું અમૃત” અને “ઝાકળ બન્યું મોતી” (ચિંતન) જેવાં કુલ એકસોને દસ પુસ્તકો. ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વપ્રમુખ, ગુજરાત સાહિત્ય સભાના પ્રમુખ, ગુજરાત વિદ્યાસભાના ઉપપ્રમુખ તથા ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિઓ સાથે \n પ્રારંભથી જોડાયેલા એના મેનેજિંગ ટ્રસ્ટી.\n\t\t<br/><br/> \n\t\tઅગિયાર વર્ષની વયે લેખનની શરૂઆત. “ગુજરાત સમાચાર”માં “ઈંટ અને ઇમારત” (૧૯૭૦) જેવી લોકચાહના ધરાવનારી કૉલમના લેખક. અનેક સેવાભાવી સંસ્થાઓમાં ટ્રસ્ટી.\n\t\t<br/><br/>\n\t\tવિશ્વના અનેક દેશોમાં જૈનદર્શન અને ગુજરાતી સાહિત્ય વિશે પ્રવચનો. ૨૦૦૪માં ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલાં કાર્યો માટે પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન.\n\t\t\n\t\t\n<br/><br/>\n<br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: ડૉ.કુમારપાળ દેસાઈ દેસાઈ કુમારપાળ બાલાભાઈ (૩૦-૮-૧૯૪૨) : ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, બાળસાહિત્ય, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય, નવલિકા અને ધર્મદર્શન વિશે એકસોથી વધુ ગ્રંથો લખનાર. એમ.એ., પીએચ.ડી. તથા એમના માર્ગદર્શન હેઠળ વીસ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. મેળવી છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના ડિરેક્ટર અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે કુલ ૩૮ વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું. \t\t \t\t“નાની ઉંમર મોટું કામ” પુસ્તક સમગ્ર દેશની તમામ ભાષાઓમાં એ વર્ષનું બાળસાહિત્યનું શ્રેષ્ઠ પુસ્તક ગણાયું તેમજ કુમારપાળ દેસાઈએ ત્રણેય ભાષામાં લખેલું “અપંગના ઓજસ” (૮ આવૃત્તિ), “अपाहिज तन, अडिग मन” (૪ આવૃત્તિ) અને “The Brave Hearts” (૩ આવૃત્તિ) તથા એનું બ્રેઇલ લિપિમાં રૂપાંતર થયું. પીએચ.ડી.ના એમના વિષય “આનંદઘન” પર ગુજરાતીમાં ત્રણ પુસ્તકો અને હિંદીમાં એક પુસ્તક તેમજ “Jainism : The Cosmic Vision”, “Journey of Ahimsa”, “A pinnacle of Spirituality” જેવાં અંગ્રેજીમાં સોળ પુસ્તકો, “એકાંતે કોલાહલ” (વાર્તાસંગ્રહ), “જીવતરની વાટે અક્ષરનો દીવો”, “મહામાનવ શાસ્ત્રી” અને “મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર” (ચરિત્ર), “અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ” (સંશોધન), “શબ્દસમીપ”, “ભાવન વિભાવન” (વિવેચન), “હૈયું નાનું હિંમત મોતી”, “બિરાદરી” (બાળસાહિત્ય), “નવવધૂ” (અનુવાદ) તથા “નર્મદ આજના સંદર્ભમાં”, “હૈમસ્મૃતિ” (સંપાદન) અને “જીવનનું અમૃત” અને “ઝાકળ બન્યું મોતી” (ચિંતન) જેવાં કુલ એકસોને દસ પુસ્તકો. ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વપ્રમુખ, ગુજરાત સાહિત્ય સભાના પ્રમુખ, ગુજરાત વિદ્યાસભાના ઉપપ્રમુખ તથા ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિઓ સાથે પ્રારંભથી જોડાયેલા એના મેનેજિંગ ટ્રસ્ટી. \t\t \t\tઅગિયાર વર્ષની વયે લેખનની શરૂઆત. “ગુજરાત સમાચાર”માં “ઈંટ અને ઇમારત” (૧૯૭૦) જેવી લોકચાહના ધરાવનારી કૉલમના લેખક. અનેક સેવાભાવી સંસ્થાઓમાં ટ્રસ્ટી. \t\t \t\tવિશ્વના અનેક દેશોમાં જૈનદર્શન અને ગુજરાતી સાહિત્ય વિશે પ્રવચનો. ૨૦૦૪માં ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલાં કાર્યો માટે પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન. \t\t \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "dokumarapala-desai",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/dokumarapala-desai",
"tags": null,
"created": "2024-02-03T20:39:00.404044",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17310,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "લાલજી કાનપરિયા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>કાનપરિયા લાલજી મોહનલાલ </h4>\n\t\t(૧૩-૮-૧૯૪૩) જન્મ સ્થળ : વિઠ્ઠલપુર, જિ. અમરેલી, એમ.એ., નિવૃત્ત અધ્યાપક, પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલી.\n\t\t<br/><br/> \n\t\tપારિતોષિક : ઝલમલ, ટાણું, કાવ્યસંગ્રહ, ૧૯૯૪, ગુ. સા. પરિષદ; શ્રી જયંત પાઠક કવિતા પુરસ્કાર; ચંદુલાલ સેલારકા પારિતોષિક; ચંદરયા ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર, સ્વ. વ્રજલાલ દવે પારિતોષિક, ૧૯૯૮,\n\t\t એવૉર્ડ : મેન ઓફ ધ ઈયર-૨૦૦૩, યુ.એસ.એ.; નવા ચંદ્રની કુંપળ, કાવ્યસંગ્રહ, ૧૯૯૯ને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવૉર્ડ, નડિયાદ; કવિશ્રી રમેશ પારેખ સાહિત્યરત્ન એવૉર્ડ, અમરેલી, ૨૦૦૭ દ્વારા\n\t\t<br/><br/> \t\t \n\t\tપ્રકાશનો : કવિતાસંગ્રહ : શમણાનાં ચિતરામણ, ૨૦૦૫; હરિના હસ્તાક્ષર, ૨૦૦૬; સૂર્ય-ચન્દ્રની સાખે, ૨૦૦૭\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: કાનપરિયા લાલજી મોહનલાલ \t\t(૧૩-૮-૧૯૪૩) જન્મ સ્થળ : વિઠ્ઠલપુર, જિ. અમરેલી, એમ.એ., નિવૃત્ત અધ્યાપક, પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલી. \t\t \t\tપારિતોષિક : ઝલમલ, ટાણું, કાવ્યસંગ્રહ, ૧૯૯૪, ગુ. સા. પરિષદ; શ્રી જયંત પાઠક કવિતા પુરસ્કાર; ચંદુલાલ સેલારકા પારિતોષિક; ચંદરયા ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર, સ્વ. વ્રજલાલ દવે પારિતોષિક, ૧૯૯૮, \t\t એવૉર્ડ : મેન ઓફ ધ ઈયર-૨૦૦૩, યુ.એસ.એ.; નવા ચંદ્રની કુંપળ, કાવ્યસંગ્રહ, ૧૯૯૯ને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવૉર્ડ, નડિયાદ; કવિશ્રી રમેશ પારેખ સાહિત્યરત્ન એવૉર્ડ, અમરેલી, ૨૦૦૭ દ્વારા \t\t \t\t \t\tપ્રકાશનો : કવિતાસંગ્રહ : શમણાનાં ચિતરામણ, ૨૦૦૫; હરિના હસ્તાક્ષર, ૨૦૦૬; સૂર્ય-ચન્દ્રની સાખે, ૨૦૦૭ \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "lalaji-kanapariya",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/lalaji-kanapariya",
"tags": null,
"created": "2024-02-03T20:39:00.600430",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17311,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "માધવ રામાનુજ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>રામાનુજ માધવ ઓધવદાસ </h4>\n\t\t(૨૨-૪-૧૯૪૫) : કવિ. જન્મ પચ્છમ (જિ. અમદાવાદ)માં. ૧૯૭૩માં અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ ફાઈન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમાં ઑવ આર્ટ. ૧૯૬૯માં ‘અખંડઆનંદ’ \n\t\tસામયિકના તંત્રીવિભાગમાં. ૧૯૬૯ થી ૧૯૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન-માસિકપત્રિકાના સંપાદનવિભાગમાં. ૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન આર.આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી. \n\t\t૧૯૭૩ થી અદ્યપર્યત સી.એન.ફાઈન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક.\n\t\t<br/><br/>\n\t\tનેવું ઉપરાંત કાવ્યરચનાઓનાં સંગ્રહ ‘તેમ’ (૧૯૭૨)માં મુખ્યત્વે પરાંપરિત લય-ઢાળોના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવોને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. ગ્રામીણ-તળપદા ભાવો તથા રાધા-કૃષ્ણ જેવા પરિચિત સંદર્ભોની \n\t\tરજૂઆત થયેલી છે. ઉપરાંત સૉનેટ, ગઝલ, અછાંદસ, મુક્તક વગેરે સ્વરૂપની પણ કેટલીક રચનાઓ અહીં છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: રામાનુજ માધવ ઓધવદાસ \t\t(૨૨-૪-૧૯૪૫) : કવિ. જન્મ પચ્છમ (જિ. અમદાવાદ)માં. ૧૯૭૩માં અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ ફાઈન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમાં ઑવ આર્ટ. ૧૯૬૯માં ‘અખંડઆનંદ’ \t\tસામયિકના તંત્રીવિભાગમાં. ૧૯૬૯ થી ૧૯૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન-માસિકપત્રિકાના સંપાદનવિભાગમાં. ૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન આર.આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી. \t\t૧૯૭૩ થી અદ્યપર્યત સી.એન.ફાઈન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક. \t\t \t\tનેવું ઉપરાંત કાવ્યરચનાઓનાં સંગ્રહ ‘તેમ’ (૧૯૭૨)માં મુખ્યત્વે પરાંપરિત લય-ઢાળોના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવોને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. ગ્રામીણ-તળપદા ભાવો તથા રાધા-કૃષ્ણ જેવા પરિચિત સંદર્ભોની \t\tરજૂઆત થયેલી છે. ઉપરાંત સૉનેટ, ગઝલ, અછાંદસ, મુક્તક વગેરે સ્વરૂપની પણ કેટલીક રચનાઓ અહીં છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "madhava-ramanuja",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/madhava-ramanuja",
"tags": null,
"created": "2024-02-03T20:39:00.804152",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17312,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મધુસૂદન પારેખ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પારેખ મધુસૂદન હીરાલાલ, ‘કીમિયાગર’, ‘પ્રિયદર્શી’, ‘વક્રદર્શી’ </h4>\n\t\t(૧૪-૭-૧૯૨૩) : હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. વતન સુરત. ૧૯૩૯માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદથી મૅટ્રિક. ૧૯૪૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૫૨માં ગુજરાત \n\t\tયુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૮માં ‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો’ પર પીએચ.ડી. ૧૯૪૫ થી ૧૯૫૫ સુધી ભારતી વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક. ૧૯૫૫ થી ૧૯૮૩ સુધી હ. કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં \n\t\tગુજરાતીના અધ્યાપક. ૧૯૮૩માં નિવૃત્ત. ૧૯૬૧ થી ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી. ૧૯૭૪ થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી. ૧૯૭૨નો કુમારચંદ્રક.\n\t\t<br/><br/> \n\t\t‘ગુજરાત સમાચાર’ ઉપરાંત ‘ગુજરાત ટાઈમ્સ’, ‘શ્રી’ વગેરેમાં પ્રગટ થયેલા એમના હાસ્યલેખોમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહો ‘હું’, શાણી અને શકરાભાઈ’ (૧૯૬૫), ‘સૂડી સોપારી’ (૧૯૬૭), ‘રવિવારની સવાર’ (૧૯૭૧), \n\t\t‘હું, રાધા અને રાયજી’ (૧૯૭૪), ‘આપણે બધા’ (૧૯૭૫), ‘વિનોદાયન’ (૧૯૮૨), ‘પેથાભાઈ પુરાણ’ (૧૯૮૫) વગેરે પ્રકાશિત થયા છે. એમાંનો હાસ્યરસ મધુર અને પ્રસન્નકર છે.\n\t\t<br/><br/> \n\t\tશાળા-કૉલેજોમાં ભજવી શકાય એવાં એમનાં હાસ્યરસિક એકાંકીઓ ‘નાટ્યકુસુમો’ (૧૯૬૨) અને ‘પ્રિયદર્શીનાં પ્રહસનો’ (૧૯૮૧)માં સંગૃહીત છે. શૅક્સપિયરનાં નાટકો પરથી વાર્તાંતરો સ્વરૂપે ‘શૅક્સપિયરની નાટ્યકથાઓ’ (૧૯૬૫) એમણે આપી છે. સંસ્કૃત \n\t\tનાટકોની રૂપાંતરિત ‘સંસ્કૃત સાહિત્યની નાટ્યકથાઓ’ (૧૯૭૫) પણ નોંધપાત્ર છે.\n\t\t<br/><br/> \n\t\t‘આવિર્ભાવ’ (૧૯૭૩), ‘દલપતરામ’ (૧૯૮૦), ‘દલપતરામ અને સ્વામિનારાયણ’ (૧૯૮૦), ગુજરાત સાહિત્ય સભાની ‘કાર્યવાહી’ (૧૯૬૧, ૧૯૬૩, ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩) તેમ જ અંગ્રેજી સાહિત્યના ઉદયકાળથી મિલ્ટન સુધીના સાહિત્યના \n\t\tઇતિહાસનો સરળ ગુજરાતી ભાષામાં કિંચિત્ પરિચય આપતો ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ (૧૯૭૯) વગેરે એમના વિવેચનગ્રંથો છે. \n\t\t<br/><br/> \n\t\tઆ ઉપરાંત એમના અનુવાદ તથા સંપાદનગ્રંથોમાં ‘અમેરિકન સમાજ’ (૧૯૬૬), ‘હેન્રી જેમ્સની વાર્તાઓ’ (૧૯૬૯), ‘કનૈયાલાલ મા. મુનશી : સાહિત્ય જીવન અને પ્રતિભા’ (૧૯૬૭), ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ \n\t\t(અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ, ૧૯૮૧), ‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝૂપડું’ (૧૯૬૮) વગેરેનો સમાવેશ થાય છે.\n\t\t<br/><br/> \n\t\tકિશોરો અને બાળકો માટે એમણે ‘શામળ ભટ્ટની વાર્તાઓ’ (૧૯૬૬), ‘વૈતાલપચીસી’ (૧૯૬૭), ‘સિંહાસનબત્રીસી’- ૧-૨ (૧૯૭૦), ‘બુધિયાનાં પરાક્રમો’, ‘અડવાનાં પરાક્રમો’, ‘ખાટીમીઠી વાતો’ (૧૯૭૩), ‘મૂરખરાજ’ (૧૯૭૬), ‘ડાકુની દીકરી’ (૧૯૭૮), \n\t\t‘બાર પૂતળીની વાતો’ (૧૯૮૧) વગેરે પુસ્તકો આપ્યાં છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પારેખ મધુસૂદન હીરાલાલ, ‘કીમિયાગર’, ‘પ્રિયદર્શી’, ‘વક્રદર્શી’ \t\t(૧૪-૭-૧૯૨૩) : હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. વતન સુરત. ૧૯૩૯માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદથી મૅટ્રિક. ૧૯૪૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૫૨માં ગુજરાત \t\tયુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૫૮માં ‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો’ પર પીએચ.ડી. ૧૯૪૫ થી ૧૯૫૫ સુધી ભારતી વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક. ૧૯૫૫ થી ૧૯૮૩ સુધી હ. કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં \t\tગુજરાતીના અધ્યાપક. ૧૯૮૩માં નિવૃત્ત. ૧૯૬૧ થી ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી. ૧૯૭૪ થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી. ૧૯૭૨નો કુમારચંદ્રક. \t\t \t\t‘ગુજરાત સમાચાર’ ઉપરાંત ‘ગુજરાત ટાઈમ્સ’, ‘શ્રી’ વગેરેમાં પ્રગટ થયેલા એમના હાસ્યલેખોમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહો ‘હું’, શાણી અને શકરાભાઈ’ (૧૯૬૫), ‘સૂડી સોપારી’ (૧૯૬૭), ‘રવિવારની સવાર’ (૧૯૭૧), \t\t‘હું, રાધા અને રાયજી’ (૧૯૭૪), ‘આપણે બધા’ (૧૯૭૫), ‘વિનોદાયન’ (૧૯૮૨), ‘પેથાભાઈ પુરાણ’ (૧૯૮૫) વગેરે પ્રકાશિત થયા છે. એમાંનો હાસ્યરસ મધુર અને પ્રસન્નકર છે. \t\t \t\tશાળા-કૉલેજોમાં ભજવી શકાય એવાં એમનાં હાસ્યરસિક એકાંકીઓ ‘નાટ્યકુસુમો’ (૧૯૬૨) અને ‘પ્રિયદર્શીનાં પ્રહસનો’ (૧૯૮૧)માં સંગૃહીત છે. શૅક્સપિયરનાં નાટકો પરથી વાર્તાંતરો સ્વરૂપે ‘શૅક્સપિયરની નાટ્યકથાઓ’ (૧૯૬૫) એમણે આપી છે. સંસ્કૃત \t\tનાટકોની રૂપાંતરિત ‘સંસ્કૃત સાહિત્યની નાટ્યકથાઓ’ (૧૯૭૫) પણ નોંધપાત્ર છે. \t\t \t\t‘આવિર્ભાવ’ (૧૯૭૩), ‘દલપતરામ’ (૧૯૮૦), ‘દલપતરામ અને સ્વામિનારાયણ’ (૧૯૮૦), ગુજરાત સાહિત્ય સભાની ‘કાર્યવાહી’ (૧૯૬૧, ૧૯૬૩, ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩) તેમ જ અંગ્રેજી સાહિત્યના ઉદયકાળથી મિલ્ટન સુધીના સાહિત્યના \t\tઇતિહાસનો સરળ ગુજરાતી ભાષામાં કિંચિત્ પરિચય આપતો ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ (૧૯૭૯) વગેરે એમના વિવેચનગ્રંથો છે. \t\t \t\tઆ ઉપરાંત એમના અનુવાદ તથા સંપાદનગ્રંથોમાં ‘અમેરિકન સમાજ’ (૧૯૬૬), ‘હેન્રી જેમ્સની વાર્તાઓ’ (૧૯૬૯), ‘કનૈયાલાલ મા. મુનશી : સાહિત્ય જીવન અને પ્રતિભા’ (૧૯૬૭), ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ \t\t(અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ, ૧૯૮૧), ‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝૂપડું’ (૧૯૬૮) વગેરેનો સમાવેશ થાય છે. \t\t \t\tકિશોરો અને બાળકો માટે એમણે ‘શામળ ભટ્ટની વાર્તાઓ’ (૧૯૬૬), ‘વૈતાલપચીસી’ (૧૯૬૭), ‘સિંહાસનબત્રીસી’- ૧-૨ (૧૯૭૦), ‘બુધિયાનાં પરાક્રમો’, ‘અડવાનાં પરાક્રમો’, ‘ખાટીમીઠી વાતો’ (૧૯૭૩), ‘મૂરખરાજ’ (૧૯૭૬), ‘ડાકુની દીકરી’ (૧૯૭૮), \t\t‘બાર પૂતળીની વાતો’ (૧૯૮૧) વગેરે પુસ્તકો આપ્યાં છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "madhusudana-parekha",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/madhusudana-parekha",
"tags": null,
"created": "2024-02-03T20:39:00.959055",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17313,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મધુસૂદન ઠાકર",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>ઠાકર મધુસૂદન વલ્લભદાસ, ‘મધુરાય’ (</h4>\n\t\t(૧૯-૭-૧૯૪૨) : વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખંભાળિયામાં. કલકત્તાની સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાંથી જનરલ વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં અમદાવાદ. નવનીતલાલ ઍન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના કાર્ય સાથે સંલગ્ન. ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની સ્થાપના. ૧૯૭૦માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજવામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા. ૧૯૭૨માં ભારત પરત. ૧૯૭૪માં ફરી અમેરિકા. ત્યાં સર્જનાત્મક સાહિત્યલેખન વિષયમાં એમ.એ. ૧૯૭૮માં અમેરિકામાં ‘ગુજરાતી’ નામક સાપ્તાહિકનો પ્રારંભ. હાલ અમેરિકામાંથી ‘મમતા’ વાર્તામાસિકનું સંપાદન. નર્મદચન્દ્રવિજેતા. આધુનિક કથાસાહિત્ય અને નાટ્યસાહિત્યમાં કપોલકલ્પિતના વિનિયોગ સાથે તેમ જ નાટ્યાત્મક પરિસ્થિતિઓ અને ઉઠાવદાર પાત્રરેખાઓ સાથે પ્રયોગશીલતાની વિવિધ સંવેદનાઓ ઊભી કરતી અને ભાષાની અપૂર્વ અનુનેયતા સિદ્ધ કરી બતાવતી આ લેખકની કૃતિઓ અત્યંત ધ્યાનપાત્ર છે. \n\t\t<br/><br/> \n\t\tપ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪) માં આધુનિક વાર્તાનાં સશકત મંડાણ જોઈ શકાય છે. રચનારીતિ અને ભાષાભિવ્યક્તિથી જુદી પડતી આ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાન્તરે છે. ‘રૂપકથા’ (૧૯૭૨)માં પારંપરિક \t\t\n\t\tશૈલીની વાર્તાઓ ઉપરાંત આઠેક જેટલા હાર્મોનિકાના પ્રયોગો વાર્તાનું આગવું સ્વરૂપ બતાવે છે. વર્ણાવલંબિત નાદ પર અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. ‘કાલસર્પ’ (૧૯૭૨)માં હરિયાજૂથની વાર્તાઓ સર્જક-આવિષ્કારનું \n\t\tએક સંપન્ન પાસું ઊભું કરે છે. વિનોદ અને કપોલકલ્પિતનો વિનિયોગ પરિણામગામી છે.\n\t\t<br/><br/> \n\t\t‘ચહેરા’ (૧૯૬૬) નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી પ્રયોગશીલ નવલકથા છે; અને નાયકના વિષાદની ત્રૂટક સ્મૃતિકથા રૂપે કહેવાયેલી છે. એમાં ઘટકો પરસ્પરથી સંલગ્ન થયા વગર કથાની એક વિશિષ્ટ સૃષ્ટિ ઊભી કરે છે અને \n\t\tકૃતક મહોરાં ધારણ કરીને આવતા વર્તમાનના ચહેરાનું ઉપહાસચિત્ર પ્રાણવાન ભાષામાં ઉપસાવે છે. ‘કિમ્બલ રેવન્સવુડ’ (૧૯૮૧)માં અમેરિકાની ધરતી પર જ્યોતિષવિદ્યાના સહારે હળવી માવજતથી ક્પોલલ્પિતનાં તત્વો ગૂંથીને કરેલી \n\t\tરજૂઆત છે. ‘કલ્પતરુ’ (૧૯૮૭) એમની કૉમ્પ્યુટર નવલકથા છે. એમણે પોતાનાં જ નાટકો પરથી કરેલાં નવલકથા-રૂપાન્તરો રૂપે ત્રણ કૃતિઓ આપી છે. ‘કામિની’ (૧૯૭૦) એ ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ (૧૯૬૮)નું, ‘સભા’ (૧૯૭૨) એ \n\t\t‘કુમારની અગાશી’ (૧૯૭૫) નું અને ‘સાપબાજી’ (૧૯૭૩) એ ‘આપણે કલબમાં મળ્યાં હતાં’ નું રૂપાન્તર છે. ખૂન અને રહસ્ય જેવા વિષયવસ્તુની આસપાસ ગૂંથાયેલી આ કૃતિઓમાં સંવાદો આકર્ષક છે. બોલચાલની નજીક પહોંચી જતી \n\t\tપાત્રોની ભાષાનું પોત જીવંત છે. ‘અશ્વત્થામા’ (૧૯૭૩) એમનો તખ્તાલાયક એકાંકીઓનો સંગ્રહ છે. એમાં એબ્સર્ડ રંગભૂમિની સભાનતા છે, છતાં નાટ્યાત્મક પરિસ્થિતિ અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થ-અધ્યાસો જન્માવવામાં નાટકકાર સફળ રહ્યા છે.\n\t\t<br/><br/> \n\t\t‘આકંઠ’ (૧૯૭૪)માં ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની પ્રવૃત્તિના ફાલ રૂપ ઊતરેલાં, વિવિધ લેખકોનાં પચાસેક નાટકોમાંથી અભિનવ અખતરા હોય એવાં તેવીસ નાટકોનું ચયન-સંપાદન છે.\n\t\tશૉના ‘પિગ્મેલિયન’નું ‘સંતુ રંગીલી’ અને ફ્રેડરિક ડુરેન માત્તના ‘ધ વિઝિટ’ નું ‘શરત’ તેમ જ સ્લુથની કૃતિનું ‘ખેલંદો’ એ એમનાં અત્યંત સફળ નીવડેલાં નાટ્યરૂપાન્તરો છે. આ ઉપરાંત યુસિસ સંસ્થા માટે એમણે ત્રણેક સાહિત્યકૃતિઓના અનુવાદ પણ કર્યા છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા </p>\n<br/><br/> \n\t\tબાંશી નામની એક છોકરી (૧૯૬૪) : મધુ રાયનો પહેલો વાર્તાસંગ્રહ. આધુનિક વાર્તાના મંડાણ વખતે સશક્ત રચનારીતિથી અને ભાષાની અનુનેયતાથી નોખી તરી આવતી આ બાવીસ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાંતરો છે. આ \n\t\tવિષાદ પાછળ યુવાવસ્થાની સ્ત્રીઝંખના અને ગરીબાઈની વાસ્તવિકતા વચ્ચેના વિરોધનો તણાવ છે. આ તણાવ વક્રતા તેમ જ વિનોદના દ્વિવિધ સ્તરે આસ્વાદ્ય બનતો વિશિષ્ટ કલા-આકૃતિ ધારણ કરે છે. પ્રયોગોની નવીનતા ને ભાષાનાં \n\t\tપોતીકાં સંવેદનોથી આ વાર્તાઓ તાજગીપૂર્ણ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા </p>\n<br/><br/> \n\t\tરૂપકથા (૧૯૭૨) : મધુ રાયનો વાર્તાસંગ્રહ. અઠ્ઠાવીસ વાર્તાઓમાંથી પારંપરિક શૈલીની થોડીક વાર્તાઓ ઉપરાંતની અહીં આઠેક હાર્મોનિકાના પ્રયોગો દ્વારા વાર્તાસાહિત્યમાં જે આગવું સ્વરૂપ ઊભું થયું છે તે આ સંગ્રહનું મુખ્ય આકર્ષણ છે. \n\t\tવાર્તા એ લેખકે વાચકને લખેલો પત્ર નથી અને તેથી ખરેખર વાર્તા વાચકના મનમાં જન્મે છે, એવા નિરધાર સાથે થયેલા હાર્મોનિકાના પ્રયત્નોમાં અવ્યાખ્યેય બનતી વાર્તા અંગત સ્વતંત્ર યથાર્થ જન્માવે છે. વર્ણાવલંબિત નાદ પર \n\t\tવિકસતું આ વાર્તાઓનું દેખીતું અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઊદ્દીપકનું કાર્ય કરે છે. આ સર્વમાં ‘કાચ સામે કાચ’ પરિણામગામી હાર્મોનિકા છે. હાર્મોનિકાઓ સિવાયની વાર્તાઓમાં ‘ઈંટોના સાત રંગ’ વાર્તા અસંગત અને તરંગના દોર પર \n\t\tરચાયેલી વિશિષ્ટ નિરૂપણરીતિથી પ્રભાવક છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા </p>\n<br/><br/> \n\t\tચહેરા (૧૯૬૬) : નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી મધુ રાયની પ્રયોગશીલ નવલકથા. એમાં, દ્વારિકામાં જન્મેલો બ્રાહ્મણનો પુત્ર કલકત્તા જઈ ચડે છે અને વિવિધ સંબંધોમાં ગોઠવાતો-ઊખડતો જાય છે. આમ, કાલાનુક્રમે રજૂ \n\t\tથતા પ્રસંગોની શ્રેણી અને વિકસિત પાત્રોને સ્થાને નાયક નિષાદની ચેતના ફરતે સંપર્કમાં આવતો પરિવેશ અને બદલાતાં પાત્રોની આ કથા છે. કથાનકના જાણીતા ઘટકને સ્થાને અહીં ઘટનાઓના છૂટાછવાયા તંતુઓની સંકુલ-સૂત્રતા છે. \n\t\tચહેરાઓ પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની કરુણા આ નવલકથાને આગવી મુદ્રા આપે છે. ભાષા નવલકથાના વાતાવરણને અનુરૂપ, ભભક વગરની છતાં અત્યંત પ્રાણવાન છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા </p>\n<br/><br/> \n\t\tકલ્પતરુ (૧૯૮૭) મધુ રાયની રહસ્યગર્ભ વૈજ્ઞાનિક નવલકથા. ગણતરીની સેકંડોમાં, માણસ માગે તે સઘળું સરજી દેવાની, કલ્પવૃક્ષ સમી શક્તિ ધરાવતા કમ્પ્યુટર દ્વારા ‘તેન ત્યકતેન ભૂજિથા:’ જેવો સહઅસ્તિત્વનો મંત્ર સાકાર કરવા \n\t\tમાગતા કથાનાયક કિરણ કામદાર એમની કલ્પતરુ નામની અદભુત અને અપૂર્વ યોજના શી રીતે પાર પાડે છે એનું રોચક નિરૂપણ કથામાં થયું છે.\n\t\t<br/><br/> \n\t\t૧૯૯૫ની સાલને કથાસમય તરીકે પસંદ કરીને ચાલેલા સર્જકની દીર્ઘદ્રષ્ટિ વિજ્ઞાનના વિકરાળ વિકાસ અંગેના અંદેશાને પારખી શકી છે. યુદ્ધ અને તજ્જન્ય વિભીષિકાઓ વધતાં જ રહે એ માટે સામૂહિક પ્રયત્ન કરતી મહાસત્તાઓ કિરણ \n\t\tકામદારને પરેશાન કરવા શી શી ચાલ ચાલે છે તેના નિરૂપણ દ્વારા કથામાં ઉમેરાયેલું રહસ્ય વાચનરસમાં સહાયક નીવડે છે. કથાપ્રસંગો વચ્ચે વિક્ષેપ સરજી, સૂત્રધારની રૂએ, હવે પછીનાં પ્રકરણોમાં શી સામગ્રી આલેખાશે એવી ઘોષણા \n\t\tકથાનિરૂપણની તરેહ તરીકે નોંધપાત્ર છે.\n\t\t<p align=\"right\">-રમેશ ર. દવે</p>\n<br/><br/> \n\t\tકામિની (૧૯૭૦) : પોતાના ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો ?’ નાટકનું મધુ રાયે કરેલું નવલકથારૂપાન્તર. ચાર વિભાગ અને સાત પ્રકરણમાં વહેંચાયેલી આ કૃતિ એની રજૂઆતની વિલક્ષણતા અને સંકુલતાને કારણે નોંધપાત્ર છે. \n\t\tવાર્તાના કેન્દ્રમાં શેખર ખોસલાની એક કલ્પિત કથા છે; અને એનું ખૂન વાર્તાની પરાકાષ્ઠા છે. નાટક અને જીવન, પાત્રો અને માણસો, વાસ્તવ અને કલ્પના, ચિત્તના વ્યવહાર અને શરીરના બાહ્ય વ્યવહાર-આ બધાંને ગૂંચવી નાખતી આ \n\t\tરહસ્યકથા લેખકની અત્યંત પોતીકી રચનારીતિથી આકર્ષક છે. ભાષાની પ્રસંગોચિત તેમ જ પાત્રોચિત લવચીકતા અને પરંપરાગત મૂલ્યોની નવી અર્થસમજ નવલકથાને આસ્વાદ્ય બનાવે છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા </p>\n<br/><br/> \n\t\tકુમારની અગાશી (૧૯૭૫) : મધુ રાયની મૌલિક ત્રિઅંકી નાટ્યકૃતિ. એનું વસ્તુ અવૈધ જાતીય સંબંધને આલેખતું અરૂઢ છે. હર્ષદ-નિશાના સાતેક વર્ષના ઔપચારિક દાંપત્યમાં પતિની બેવફાઈનું વેર લેવા નિશા દિયર કુમાર સાથે સંકળાય \n\t\tછે, પરંતુ ભાભીની ચંચલવૃત્તિ જોઈ ચલિત થયેલો કુમાર અગાશીની પાળ પરથી પડતું મૂકે છે. આ કથાને, પાર્ટીના વાતાવરણ વચ્ચે અને કુમારની ફરી સદેહે થતી ઉપસ્થિતિ વચ્ચે રહસ્ય-કથાનકની કક્ષાએ પહોંચાડી છે. કુમારનું મૃત્યુ એ \n\t\tઅન્ય લોકો માટે જીવવાનું બહાનું બને છે, એવો મર્મ ઉપસાવી શમતું આ નાટક, એનાં ધારદાર સંવાદો ને જીવંતતાને કારણે તેમ જ મંચનપ્રયોગની આકર્ષકતાને કારણે નોંધપાત્ર છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા </p>\n<br/><br/> \n\t\tઅશ્વત્થામા (૧૯૭૩) : મધુ રાયનો ભજવી શકાય તેવાં એકાંકીઓનો સંગ્રહ. એમાં ‘ઝેરવું’, ‘કાગડી ? કાગડાં ? માણસો ?’, ‘અશ્વત્થામા’, ‘ઝૂમરી તલૈયા’ અને ‘તું એવું માને છે’ એમ કુલ પાંચ નાટ્ય- કૃતિઓ છે. આ સર્વ, ઇયનેસ્કો અને \n\t\tબૅકિટના નાટ્યલેખનના પ્રભાવ હેઠળ જન્મેલી આધુનિક ‘ઍબ્સર્ડ’ રંગભૂમિની સભાનતાથી લખાયેલી છે. નાટ્યકારની પરિસ્થિતિ-નિર્માણકલા અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થસ્તરો સર્જવાની ગદ્યશક્તિ લેખકને સફળ નાટકકાર તરીકે \n\t\tસાબિત કરે છે. ‘ઝેરવું’ પ્રયોગશીલ અને પ્રચલિત એકાંકી છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: ઠાકર મધુસૂદન વલ્લભદાસ, ‘મધુરાય’ ( \t\t(૧૯-૭-૧૯૪૨) : વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખંભાળિયામાં. કલકત્તાની સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાંથી જનરલ વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં અમદાવાદ. નવનીતલાલ ઍન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના કાર્ય સાથે સંલગ્ન. ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની સ્થાપના. ૧૯૭૦માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજવામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા. ૧૯૭૨માં ભારત પરત. ૧૯૭૪માં ફરી અમેરિકા. ત્યાં સર્જનાત્મક સાહિત્યલેખન વિષયમાં એમ.એ. ૧૯૭૮માં અમેરિકામાં ‘ગુજરાતી’ નામક સાપ્તાહિકનો પ્રારંભ. હાલ અમેરિકામાંથી ‘મમતા’ વાર્તામાસિકનું સંપાદન. નર્મદચન્દ્રવિજેતા. આધુનિક કથાસાહિત્ય અને નાટ્યસાહિત્યમાં કપોલકલ્પિતના વિનિયોગ સાથે તેમ જ નાટ્યાત્મક પરિસ્થિતિઓ અને ઉઠાવદાર પાત્રરેખાઓ સાથે પ્રયોગશીલતાની વિવિધ સંવેદનાઓ ઊભી કરતી અને ભાષાની અપૂર્વ અનુનેયતા સિદ્ધ કરી બતાવતી આ લેખકની કૃતિઓ અત્યંત ધ્યાનપાત્ર છે. \t\t \t\tપ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪) માં આધુનિક વાર્તાનાં સશકત મંડાણ જોઈ શકાય છે. રચનારીતિ અને ભાષાભિવ્યક્તિથી જુદી પડતી આ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાન્તરે છે. ‘રૂપકથા’ (૧૯૭૨)માં પારંપરિક \t\t \t\tશૈલીની વાર્તાઓ ઉપરાંત આઠેક જેટલા હાર્મોનિકાના પ્રયોગો વાર્તાનું આગવું સ્વરૂપ બતાવે છે. વર્ણાવલંબિત નાદ પર અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. ‘કાલસર્પ’ (૧૯૭૨)માં હરિયાજૂથની વાર્તાઓ સર્જક-આવિષ્કારનું \t\tએક સંપન્ન પાસું ઊભું કરે છે. વિનોદ અને કપોલકલ્પિતનો વિનિયોગ પરિણામગામી છે. \t\t \t\t‘ચહેરા’ (૧૯૬૬) નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી પ્રયોગશીલ નવલકથા છે; અને નાયકના વિષાદની ત્રૂટક સ્મૃતિકથા રૂપે કહેવાયેલી છે. એમાં ઘટકો પરસ્પરથી સંલગ્ન થયા વગર કથાની એક વિશિષ્ટ સૃષ્ટિ ઊભી કરે છે અને \t\tકૃતક મહોરાં ધારણ કરીને આવતા વર્તમાનના ચહેરાનું ઉપહાસચિત્ર પ્રાણવાન ભાષામાં ઉપસાવે છે. ‘કિમ્બલ રેવન્સવુડ’ (૧૯૮૧)માં અમેરિકાની ધરતી પર જ્યોતિષવિદ્યાના સહારે હળવી માવજતથી ક્પોલલ્પિતનાં તત્વો ગૂંથીને કરેલી \t\tરજૂઆત છે. ‘કલ્પતરુ’ (૧૯૮૭) એમની કૉમ્પ્યુટર નવલકથા છે. એમણે પોતાનાં જ નાટકો પરથી કરેલાં નવલકથા-રૂપાન્તરો રૂપે ત્રણ કૃતિઓ આપી છે. ‘કામિની’ (૧૯૭૦) એ ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ (૧૯૬૮)નું, ‘સભા’ (૧૯૭૨) એ \t\t‘કુમારની અગાશી’ (૧૯૭૫) નું અને ‘સાપબાજી’ (૧૯૭૩) એ ‘આપણે કલબમાં મળ્યાં હતાં’ નું રૂપાન્તર છે. ખૂન અને રહસ્ય જેવા વિષયવસ્તુની આસપાસ ગૂંથાયેલી આ કૃતિઓમાં સંવાદો આકર્ષક છે. બોલચાલની નજીક પહોંચી જતી \t\tપાત્રોની ભાષાનું પોત જીવંત છે. ‘અશ્વત્થામા’ (૧૯૭૩) એમનો તખ્તાલાયક એકાંકીઓનો સંગ્રહ છે. એમાં એબ્સર્ડ રંગભૂમિની સભાનતા છે, છતાં નાટ્યાત્મક પરિસ્થિતિ અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થ-અધ્યાસો જન્માવવામાં નાટકકાર સફળ રહ્યા છે. \t\t \t\t‘આકંઠ’ (૧૯૭૪)માં ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની પ્રવૃત્તિના ફાલ રૂપ ઊતરેલાં, વિવિધ લેખકોનાં પચાસેક નાટકોમાંથી અભિનવ અખતરા હોય એવાં તેવીસ નાટકોનું ચયન-સંપાદન છે. \t\tશૉના ‘પિગ્મેલિયન’નું ‘સંતુ રંગીલી’ અને ફ્રેડરિક ડુરેન માત્તના ‘ધ વિઝિટ’ નું ‘શરત’ તેમ જ સ્લુથની કૃતિનું ‘ખેલંદો’ એ એમનાં અત્યંત સફળ નીવડેલાં નાટ્યરૂપાન્તરો છે. આ ઉપરાંત યુસિસ સંસ્થા માટે એમણે ત્રણેક સાહિત્યકૃતિઓના અનુવાદ પણ કર્યા છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tબાંશી નામની એક છોકરી (૧૯૬૪) : મધુ રાયનો પહેલો વાર્તાસંગ્રહ. આધુનિક વાર્તાના મંડાણ વખતે સશક્ત રચનારીતિથી અને ભાષાની અનુનેયતાથી નોખી તરી આવતી આ બાવીસ વાર્તાઓમાં વિષાદનાં વિવિધ રૂપાંતરો છે. આ \t\tવિષાદ પાછળ યુવાવસ્થાની સ્ત્રીઝંખના અને ગરીબાઈની વાસ્તવિકતા વચ્ચેના વિરોધનો તણાવ છે. આ તણાવ વક્રતા તેમ જ વિનોદના દ્વિવિધ સ્તરે આસ્વાદ્ય બનતો વિશિષ્ટ કલા-આકૃતિ ધારણ કરે છે. પ્રયોગોની નવીનતા ને ભાષાનાં \t\tપોતીકાં સંવેદનોથી આ વાર્તાઓ તાજગીપૂર્ણ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tરૂપકથા (૧૯૭૨) : મધુ રાયનો વાર્તાસંગ્રહ. અઠ્ઠાવીસ વાર્તાઓમાંથી પારંપરિક શૈલીની થોડીક વાર્તાઓ ઉપરાંતની અહીં આઠેક હાર્મોનિકાના પ્રયોગો દ્વારા વાર્તાસાહિત્યમાં જે આગવું સ્વરૂપ ઊભું થયું છે તે આ સંગ્રહનું મુખ્ય આકર્ષણ છે. \t\tવાર્તા એ લેખકે વાચકને લખેલો પત્ર નથી અને તેથી ખરેખર વાર્તા વાચકના મનમાં જન્મે છે, એવા નિરધાર સાથે થયેલા હાર્મોનિકાના પ્રયત્નોમાં અવ્યાખ્યેય બનતી વાર્તા અંગત સ્વતંત્ર યથાર્થ જન્માવે છે. વર્ણાવલંબિત નાદ પર \t\tવિકસતું આ વાર્તાઓનું દેખીતું અર્થશૂન્ય સ્વરૂપ વાચકને માટે ઊદ્દીપકનું કાર્ય કરે છે. આ સર્વમાં ‘કાચ સામે કાચ’ પરિણામગામી હાર્મોનિકા છે. હાર્મોનિકાઓ સિવાયની વાર્તાઓમાં ‘ઈંટોના સાત રંગ’ વાર્તા અસંગત અને તરંગના દોર પર \t\tરચાયેલી વિશિષ્ટ નિરૂપણરીતિથી પ્રભાવક છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tચહેરા (૧૯૬૬) : નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી મધુ રાયની પ્રયોગશીલ નવલકથા. એમાં, દ્વારિકામાં જન્મેલો બ્રાહ્મણનો પુત્ર કલકત્તા જઈ ચડે છે અને વિવિધ સંબંધોમાં ગોઠવાતો-ઊખડતો જાય છે. આમ, કાલાનુક્રમે રજૂ \t\tથતા પ્રસંગોની શ્રેણી અને વિકસિત પાત્રોને સ્થાને નાયક નિષાદની ચેતના ફરતે સંપર્કમાં આવતો પરિવેશ અને બદલાતાં પાત્રોની આ કથા છે. કથાનકના જાણીતા ઘટકને સ્થાને અહીં ઘટનાઓના છૂટાછવાયા તંતુઓની સંકુલ-સૂત્રતા છે. \t\tચહેરાઓ પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની કરુણા આ નવલકથાને આગવી મુદ્રા આપે છે. ભાષા નવલકથાના વાતાવરણને અનુરૂપ, ભભક વગરની છતાં અત્યંત પ્રાણવાન છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tકલ્પતરુ (૧૯૮૭) મધુ રાયની રહસ્યગર્ભ વૈજ્ઞાનિક નવલકથા. ગણતરીની સેકંડોમાં, માણસ માગે તે સઘળું સરજી દેવાની, કલ્પવૃક્ષ સમી શક્તિ ધરાવતા કમ્પ્યુટર દ્વારા ‘તેન ત્યકતેન ભૂજિથા:’ જેવો સહઅસ્તિત્વનો મંત્ર સાકાર કરવા \t\tમાગતા કથાનાયક કિરણ કામદાર એમની કલ્પતરુ નામની અદભુત અને અપૂર્વ યોજના શી રીતે પાર પાડે છે એનું રોચક નિરૂપણ કથામાં થયું છે. \t\t \t\t૧૯૯૫ની સાલને કથાસમય તરીકે પસંદ કરીને ચાલેલા સર્જકની દીર્ઘદ્રષ્ટિ વિજ્ઞાનના વિકરાળ વિકાસ અંગેના અંદેશાને પારખી શકી છે. યુદ્ધ અને તજ્જન્ય વિભીષિકાઓ વધતાં જ રહે એ માટે સામૂહિક પ્રયત્ન કરતી મહાસત્તાઓ કિરણ \t\tકામદારને પરેશાન કરવા શી શી ચાલ ચાલે છે તેના નિરૂપણ દ્વારા કથામાં ઉમેરાયેલું રહસ્ય વાચનરસમાં સહાયક નીવડે છે. કથાપ્રસંગો વચ્ચે વિક્ષેપ સરજી, સૂત્રધારની રૂએ, હવે પછીનાં પ્રકરણોમાં શી સામગ્રી આલેખાશે એવી ઘોષણા \t\tકથાનિરૂપણની તરેહ તરીકે નોંધપાત્ર છે. \t\t -રમેશ ર. દવે \t\tકામિની (૧૯૭૦) : પોતાના ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો ?’ નાટકનું મધુ રાયે કરેલું નવલકથારૂપાન્તર. ચાર વિભાગ અને સાત પ્રકરણમાં વહેંચાયેલી આ કૃતિ એની રજૂઆતની વિલક્ષણતા અને સંકુલતાને કારણે નોંધપાત્ર છે. \t\tવાર્તાના કેન્દ્રમાં શેખર ખોસલાની એક કલ્પિત કથા છે; અને એનું ખૂન વાર્તાની પરાકાષ્ઠા છે. નાટક અને જીવન, પાત્રો અને માણસો, વાસ્તવ અને કલ્પના, ચિત્તના વ્યવહાર અને શરીરના બાહ્ય વ્યવહાર-આ બધાંને ગૂંચવી નાખતી આ \t\tરહસ્યકથા લેખકની અત્યંત પોતીકી રચનારીતિથી આકર્ષક છે. ભાષાની પ્રસંગોચિત તેમ જ પાત્રોચિત લવચીકતા અને પરંપરાગત મૂલ્યોની નવી અર્થસમજ નવલકથાને આસ્વાદ્ય બનાવે છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tકુમારની અગાશી (૧૯૭૫) : મધુ રાયની મૌલિક ત્રિઅંકી નાટ્યકૃતિ. એનું વસ્તુ અવૈધ જાતીય સંબંધને આલેખતું અરૂઢ છે. હર્ષદ-નિશાના સાતેક વર્ષના ઔપચારિક દાંપત્યમાં પતિની બેવફાઈનું વેર લેવા નિશા દિયર કુમાર સાથે સંકળાય \t\tછે, પરંતુ ભાભીની ચંચલવૃત્તિ જોઈ ચલિત થયેલો કુમાર અગાશીની પાળ પરથી પડતું મૂકે છે. આ કથાને, પાર્ટીના વાતાવરણ વચ્ચે અને કુમારની ફરી સદેહે થતી ઉપસ્થિતિ વચ્ચે રહસ્ય-કથાનકની કક્ષાએ પહોંચાડી છે. કુમારનું મૃત્યુ એ \t\tઅન્ય લોકો માટે જીવવાનું બહાનું બને છે, એવો મર્મ ઉપસાવી શમતું આ નાટક, એનાં ધારદાર સંવાદો ને જીવંતતાને કારણે તેમ જ મંચનપ્રયોગની આકર્ષકતાને કારણે નોંધપાત્ર છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tઅશ્વત્થામા (૧૯૭૩) : મધુ રાયનો ભજવી શકાય તેવાં એકાંકીઓનો સંગ્રહ. એમાં ‘ઝેરવું’, ‘કાગડી ? કાગડાં ? માણસો ?’, ‘અશ્વત્થામા’, ‘ઝૂમરી તલૈયા’ અને ‘તું એવું માને છે’ એમ કુલ પાંચ નાટ્ય- કૃતિઓ છે. આ સર્વ, ઇયનેસ્કો અને \t\tબૅકિટના નાટ્યલેખનના પ્રભાવ હેઠળ જન્મેલી આધુનિક ‘ઍબ્સર્ડ’ રંગભૂમિની સભાનતાથી લખાયેલી છે. નાટ્યકારની પરિસ્થિતિ-નિર્માણકલા અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થસ્તરો સર્જવાની ગદ્યશક્તિ લેખકને સફળ નાટકકાર તરીકે \t\tસાબિત કરે છે. ‘ઝેરવું’ પ્રયોગશીલ અને પ્રચલિત એકાંકી છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "madhusudana-thakara",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/madhusudana-thakara",
"tags": null,
"created": "2024-02-03T20:39:01.159790",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17314,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મફત ઓઝા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>ઓઝા મફત જીવરામ </h4>\n\t\t(૧-૩-૧૯૪૪): કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૬૭માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે \n\t\tગુજરાતી યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ., ૧૯૭૮માં પીએચ.ડી. અમદાવાદની સરસપુર આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપક. \n\t\tપછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અધ્યાપક.\n\t\t<br/><br/> \n\t\t‘ધુમ્મસનું આ નગર’ (૧૯૭૪), ‘પડઘાનું ચકરાતું આકાશ’ (૧૯૭૫), ‘અશુભ’ (૧૯૭૬), ‘શ્વાસ ભીતરથી ફોરે’ (૧૯૭૮), ‘અપડાઉન’ (૧૯૮૪) આધુનિકવલણોને પ્રગટ કરનારા એમના કાવ્યસંગ્રહો છે. \n\t\tપરંપરાથી સહેજ જુદી પડતી એમની નવલકથાઓમાં ‘ઘુઘવતા સાગરનાં મૌન’ (૧૯૭૩), ‘પીળું કરેણનું ફૂલ’ (૧૯૭૫), ‘પથ્થરની કાયા આંસુના દર્પણ’ (૧૯૭૬), ‘સપનાં બધાં મજાનાં’ (૧૯૭૭), ‘અમે તો પાનખરનાં ફૂલ’ (૧૯૭૮), ‘અમે \n\t\tતરસ્યા સાજન’ (૧૯૭૯), ‘સૂરજ ડૂબે મૃગજળમાં’ (૧૯૮૧), ‘સાતમો પુરુષ’ (૧૯૮૨), ‘સોનેરી સપનાંની રાખ’ (૧૯૮૪), ‘આંસુનો ઊગ્યો ગુલમહોર’ (૧૯૮૪), ‘મૃગજળ તો દૂરનાં દૂર’ (૧૯૮૫), ‘ચહેરા વચ્ચે લોહીની નદી’ (૧૯૮૫) મુખ્ય છે.\n\t\t‘કાચના મહેલની રાણી’ (૧૯૭૪), ‘તડકામાં ઓગળતો સૂર્ય’ (૧૯૮૩) એમનાં વાર્તાસંગ્રહો છે; તો ‘લીલા પીળા જ્વાલામુખી’ (૧૯૭૮) એમનો એકાંકીસંગ્રહ છે. ‘પળપળનાં પ્રતિબિંબ’ (૧૯૮૫) એમનો નિબંધસંગ્રહ છે.\n\t\t‘ઉન્નતભ્રૂ’ (૧૯૭૫), ‘ઉદઘોષ’ (૧૯૭૭), ‘ઉન્મિતિ’ (૧૯૭૮), ‘રાવજી પટેલ’ (૧૯૮૧), ‘સંવિત્તિ’ (૧૯૮૫) એમના વિવેચનસંગ્રહો છે.\n\t\t<br/><br/> \n\t\t‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’ (૧૯૮૦) એમનો શોધનિબંધ છે. આપણાં સાહિત્યસ્વરૂપો પર, આપણી સર્જકપ્રતિભાઓ પર, તેમ જ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન પર એમણે \n\t\tસંપાદનો કરેલાં છે. ‘પ્રયોગશીલ ગુજરાતી ટૂંકીવાર્તા’ (૧૯૮૬) અને ‘એકોક્તિસંચય’ (૧૯૮૬) એમના સંપાદનો છે, તો ‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ’ (૧૯૭૩), ‘શબ્દયોગ’ (૧૯૮૪)ના એ સહ-સંપાદક છે.\n\t\t\n<br/><br/> \n\t\tધુમ્મસનું આ નગર (૧૯૭૪): મફત ઓઝાનો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં ગ્રામીણ પરિવેશથી વિખૂટા પડી જવાયા પછીની, કાવ્યનાયકની નાગરિક-સમાજ-સંસ્કૃતિ પરત્વેની અકળામણને વાચા આપતાં ગીત-ગઝલ અને મુક્ત-છંદ \n\t\tકાવ્યરચનાઓ સંગ્રહીત છે ‘પથ્થરનું પંખેરુ’ અને ‘પથ્થરની લીલેય કાયા’ જેવા પ્રયોગોમાં ડોકાતાં પથ્થર અને પંખી અહીં અદ્યતન કવિતાના વિવિધ પ્રભાવોને ઝીલે છે.\n\t\t<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: ઓઝા મફત જીવરામ \t\t(૧-૩-૧૯૪૪): કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૬૭માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે \t\tગુજરાતી યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ., ૧૯૭૮માં પીએચ.ડી. અમદાવાદની સરસપુર આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપક. \t\tપછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અધ્યાપક. \t\t \t\t‘ધુમ્મસનું આ નગર’ (૧૯૭૪), ‘પડઘાનું ચકરાતું આકાશ’ (૧૯૭૫), ‘અશુભ’ (૧૯૭૬), ‘શ્વાસ ભીતરથી ફોરે’ (૧૯૭૮), ‘અપડાઉન’ (૧૯૮૪) આધુનિકવલણોને પ્રગટ કરનારા એમના કાવ્યસંગ્રહો છે. \t\tપરંપરાથી સહેજ જુદી પડતી એમની નવલકથાઓમાં ‘ઘુઘવતા સાગરનાં મૌન’ (૧૯૭૩), ‘પીળું કરેણનું ફૂલ’ (૧૯૭૫), ‘પથ્થરની કાયા આંસુના દર્પણ’ (૧૯૭૬), ‘સપનાં બધાં મજાનાં’ (૧૯૭૭), ‘અમે તો પાનખરનાં ફૂલ’ (૧૯૭૮), ‘અમે \t\tતરસ્યા સાજન’ (૧૯૭૯), ‘સૂરજ ડૂબે મૃગજળમાં’ (૧૯૮૧), ‘સાતમો પુરુષ’ (૧૯૮૨), ‘સોનેરી સપનાંની રાખ’ (૧૯૮૪), ‘આંસુનો ઊગ્યો ગુલમહોર’ (૧૯૮૪), ‘મૃગજળ તો દૂરનાં દૂર’ (૧૯૮૫), ‘ચહેરા વચ્ચે લોહીની નદી’ (૧૯૮૫) મુખ્ય છે. \t\t‘કાચના મહેલની રાણી’ (૧૯૭૪), ‘તડકામાં ઓગળતો સૂર્ય’ (૧૯૮૩) એમનાં વાર્તાસંગ્રહો છે; તો ‘લીલા પીળા જ્વાલામુખી’ (૧૯૭૮) એમનો એકાંકીસંગ્રહ છે. ‘પળપળનાં પ્રતિબિંબ’ (૧૯૮૫) એમનો નિબંધસંગ્રહ છે. \t\t‘ઉન્નતભ્રૂ’ (૧૯૭૫), ‘ઉદઘોષ’ (૧૯૭૭), ‘ઉન્મિતિ’ (૧૯૭૮), ‘રાવજી પટેલ’ (૧૯૮૧), ‘સંવિત્તિ’ (૧૯૮૫) એમના વિવેચનસંગ્રહો છે. \t\t \t\t‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’ (૧૯૮૦) એમનો શોધનિબંધ છે. આપણાં સાહિત્યસ્વરૂપો પર, આપણી સર્જકપ્રતિભાઓ પર, તેમ જ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન પર એમણે \t\tસંપાદનો કરેલાં છે. ‘પ્રયોગશીલ ગુજરાતી ટૂંકીવાર્તા’ (૧૯૮૬) અને ‘એકોક્તિસંચય’ (૧૯૮૬) એમના સંપાદનો છે, તો ‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ’ (૧૯૭૩), ‘શબ્દયોગ’ (૧૯૮૪)ના એ સહ-સંપાદક છે. \t\t \t\tધુમ્મસનું આ નગર (૧૯૭૪): મફત ઓઝાનો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં ગ્રામીણ પરિવેશથી વિખૂટા પડી જવાયા પછીની, કાવ્યનાયકની નાગરિક-સમાજ-સંસ્કૃતિ પરત્વેની અકળામણને વાચા આપતાં ગીત-ગઝલ અને મુક્ત-છંદ \t\tકાવ્યરચનાઓ સંગ્રહીત છે ‘પથ્થરનું પંખેરુ’ અને ‘પથ્થરની લીલેય કાયા’ જેવા પ્રયોગોમાં ડોકાતાં પથ્થર અને પંખી અહીં અદ્યતન કવિતાના વિવિધ પ્રભાવોને ઝીલે છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "maphata-ojha",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/maphata-ojha",
"tags": null,
"created": "2024-02-03T20:39:01.407030",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17315,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મહાદેવ દેસાઈ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દેસાઈ મહાદેવ હરિભાઈ, ‘ત્રિલોચન’ </h4>\n\t\t(૧-૧-૧૮૯૨, ૧૫-૮-૧૯૪૨) : ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક. જન્મ સરસ (જિ. સુરત)માં. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં ને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. બી.એ. એલએલ.બી. થઈ અમદાવાદમાં \n\t\tવકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી. સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર. કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે અવસાન.\n\t\t<br/><br/> \n\t\t‘અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાંસિસ’ (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, ૧૯૪૬)પણ એમનો ચરિત્રગ્રંથ છે. સ્વરાજ \n\t\tઆંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે; ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ (૧૯૨૮) અને ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ (૧૯૧૬) પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હોઈ \n\t\tધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ (૧૯૩૬) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ (નરહરિ પરીખ સાથે, ૧૯૩૭) \n\t\tતથા ‘ખેતીની જમીન’ (માર્તન્ડ પંડ્યા સાથે, ૧૯૪૨) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે.\n\t\t<br/><br/> \n\t\tઆ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણે. ૧૯૪૮માં ‘મહાદેવભાઈની ડાયરી’ – ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશઃ ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલો છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી \n\t\tમહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે.\n\t\t<br/><br/> \n\t\t‘ચિત્રાંગદા’ (૧૯૧૫), ‘પ્રાચીન સાહિત્ય’ (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨), ‘ત્રણ વાર્તાઓ’ (૧૯૨૩) અને ‘વિરાજવહુ’ (૧૯૨૪) એમના અનુવાદો છે. ‘મારી જીવનકથા’ (૧૯૩૬) જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે. મૂળ ભાવ ક્યાંય \n\t\tખંડિત ન થાય એની પૂરી કાળજી રાખીને રસળતી શૈલીમાં તેઓએ કરેલા આ અનુવાદો લોકપ્રિય નીવડેલા છે.\n\t\t<br/><br/> \n\t\t‘ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ’ (૧૯૨૭), ‘વીથ ગાંધીજી ઈન સિલોન’ (૧૯૨૮), ‘ધ સ્ટોરી ઑવ બારડોલી’ (૧૯૨૧), ‘અનવર્ધી ઑવ વર્ધા’ (૧૯૫૩) જેવા એમના અંગ્રેજી ગ્રંથોમાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વનો પરિચય મળી રહે છે. ઉપરાંત, \n\t\tગાંધીજીના પુસ્તકોના અને વ્યાખ્યાનોના એમણે કરેલા ઘણા અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દેસાઈ મહાદેવ હરિભાઈ, ‘ત્રિલોચન’ \t\t(૧-૧-૧૮૯૨, ૧૫-૮-૧૯૪૨) : ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક. જન્મ સરસ (જિ. સુરત)માં. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં ને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. બી.એ. એલએલ.બી. થઈ અમદાવાદમાં \t\tવકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી. સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર. કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે અવસાન. \t\t \t\t‘અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાંસિસ’ (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, ૧૯૪૬)પણ એમનો ચરિત્રગ્રંથ છે. સ્વરાજ \t\tઆંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે; ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ (૧૯૨૮) અને ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ (૧૯૧૬) પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હોઈ \t\tધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ (૧૯૩૬) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ (નરહરિ પરીખ સાથે, ૧૯૩૭) \t\tતથા ‘ખેતીની જમીન’ (માર્તન્ડ પંડ્યા સાથે, ૧૯૪૨) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે. \t\t \t\tઆ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણે. ૧૯૪૮માં ‘મહાદેવભાઈની ડાયરી’ – ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશઃ ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલો છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી \t\tમહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે. \t\t \t\t‘ચિત્રાંગદા’ (૧૯૧૫), ‘પ્રાચીન સાહિત્ય’ (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨), ‘ત્રણ વાર્તાઓ’ (૧૯૨૩) અને ‘વિરાજવહુ’ (૧૯૨૪) એમના અનુવાદો છે. ‘મારી જીવનકથા’ (૧૯૩૬) જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે. મૂળ ભાવ ક્યાંય \t\tખંડિત ન થાય એની પૂરી કાળજી રાખીને રસળતી શૈલીમાં તેઓએ કરેલા આ અનુવાદો લોકપ્રિય નીવડેલા છે. \t\t \t\t‘ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ’ (૧૯૨૭), ‘વીથ ગાંધીજી ઈન સિલોન’ (૧૯૨૮), ‘ધ સ્ટોરી ઑવ બારડોલી’ (૧૯૨૧), ‘અનવર્ધી ઑવ વર્ધા’ (૧૯૫૩) જેવા એમના અંગ્રેજી ગ્રંથોમાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વનો પરિચય મળી રહે છે. ઉપરાંત, \t\tગાંધીજીના પુસ્તકોના અને વ્યાખ્યાનોના એમણે કરેલા ઘણા અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "mahadeva-desai",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/mahadeva-desai",
"tags": null,
"created": "2024-02-03T20:39:01.607198",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17316,
"image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/Mahatma-Gandhi_studio_1931.jpg",
"name": "મહાત્મા ગાંધીજી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\r\n<a href=\"/prakashan/photo-gallery/sahitya-sarjako/M-K-Gandhi.html\">ફોટો : મહાત્મા ગાંધીજી</a><br/><br/>\r\n<h4>ગાંધી મોહનદાસ કરમચંદ</h4>\r\n\t\t\t(૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮) : આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક. જન્મ પોરબંદરમાં. ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા \r\n\t\t\tપછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન \r\n\t\t\tરસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ \r\n\t\t\tસાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી \t\r\n\t\t\tઅમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦ \r\n\t\t\tમાં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪ \r\n\t\t\tમાં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને \r\n\t\t\tમાર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ \r\n\t\t\tછોડો’ ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ \r\n\t\t\tમહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.\r\n\t\t<br/><br/> \r\n\t\t\tગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે \r\n\t\t\tજન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો \r\n\t\t\tપુરસ્કાર થયો છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\tએમનું સાહિત્ય હેતુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારનો સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, \r\n\t\t\tનૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે. એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે. પ્રજાના હૃદય \r\n\t\t\tસુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાનો અંગીકાર કરીને ચાલે છે. એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન, નવી દિશા આપ્યાં છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\tએમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં \r\n\t\t\tજન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના \r\n\t\t\tમુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે, એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ \r\n\t\t\tઅને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. \r\n\t\t\tએમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ, રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં \r\n\t\t\tએક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે. લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને \r\n\t\t\tનૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, \r\n\t\t\tશારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો પણ પ્રયત્ન છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\tઆ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦), ‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨), \r\n\t\t\t‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭), ‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), \r\n\t\t\t‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮) વગેરે એમના અનેક પુસ્તકો છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\tએમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ \r\n\t\t\tપરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયાં છે. \r\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\r\n<br/><br/> \r\n\t\t\tસત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’ માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો \r\n\t\t\tજ બહાર તરી આવ્યા છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, \r\n\t\t\tપરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઈતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય સર્વોપરી છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય \r\n\t\t\tબીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. \r\n\t\t\tઆત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિવર્યાજ સરલતાને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરઃસર \r\n\t\t\tવિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ-આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે \r\n\t\t\tસ્થાન છે. \r\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\r\n<br/><br/> \r\n\t\t\tદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લેખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઈતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ગાંધીજીના પ્રારંભિક \r\n\t\t\tજીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ \r\n\t\t\tકરેલા પુરુષાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામો—આ બધું અહીં મોજૂદ છે. \r\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\r\n<br/><br/> \r\n\t\t\tમંગળપ્રભાત (૧૯૧૧) : મોહનદાસ કરમસદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે આશ્રમવાસીઓ માટે મોકલેલા પ્રવચનલેખોનો સંગ્રહ. આ લેખોમાં એમણે સાબરમતી આશ્રમવાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ \r\n\t\t\tસમજાયું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તો આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ \r\n\t\t\tઅન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતોના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે. \r\n\t\t\r\n<br/><br/>\r\n<a href=\"http://gu.wikipedia.org/wiki/શ્રેણી:ગુજરાતી_સાહિત્યકાર\">વિકીપીડિયામાં</a> આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: ફોટો : મહાત્મા ગાંધીજી ગાંધી મોહનદાસ કરમચંદ \r \t\t\t(૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮) : આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક. જન્મ પોરબંદરમાં. ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા \r \t\t\tપછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન \r \t\t\tરસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ \r \t\t\tસાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી \t\r \t\t\tઅમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦ \r \t\t\tમાં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪ \r \t\t\tમાં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને \r \t\t\tમાર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ \r \t\t\tછોડો’ ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ \r \t\t\tમહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.\r \t\t \r \t\t\tગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે \r \t\t\tજન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો \r \t\t\tપુરસ્કાર થયો છે.\r \t\t \r \t\t\tએમનું સાહિત્ય હેતુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારનો સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, \r \t\t\tનૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે. એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે. પ્રજાના હૃદય \r \t\t\tસુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાનો અંગીકાર કરીને ચાલે છે. એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન, નવી દિશા આપ્યાં છે.\r \t\t \r \t\t\tએમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં \r \t\t\tજન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના \r \t\t\tમુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે, એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ \r \t\t\tઅને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે.\r \t\t \r \t\t\t‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. \r \t\t\tએમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ, રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે.\r \t\t \r \t\t\t‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં \r \t\t\tએક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે. લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.\r \t\t \r \t\t\t‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને \r \t\t\tનૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.\r \t\t \r \t\t\t‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, \r \t\t\tશારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો પણ પ્રયત્ન છે.\r \t\t \r \t\t\tઆ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦), ‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨), \r \t\t\t‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭), ‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), \r \t\t\t‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮) વગેરે એમના અનેક પુસ્તકો છે.\r \t\t \r \t\t\tએમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ \r \t\t\tપરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયાં છે. \r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \r \t\t\tસત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’ માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો \r \t\t\tજ બહાર તરી આવ્યા છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, \r \t\t\tપરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઈતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય સર્વોપરી છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય \r \t\t\tબીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. \r \t\t\tઆત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિવર્યાજ સરલતાને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરઃસર \r \t\t\tવિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ-આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે \r \t\t\tસ્થાન છે. \r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \r \t\t\tદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લેખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઈતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ગાંધીજીના પ્રારંભિક \r \t\t\tજીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ \r \t\t\tકરેલા પુરુષાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામો—આ બધું અહીં મોજૂદ છે. \r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \r \t\t\tમંગળપ્રભાત (૧૯૧૧) : મોહનદાસ કરમસદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે આશ્રમવાસીઓ માટે મોકલેલા પ્રવચનલેખોનો સંગ્રહ. આ લેખોમાં એમણે સાબરમતી આશ્રમવાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ \r \t\t\tસમજાયું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તો આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ \r \t\t\tઅન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતોના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે. \r \t\t\r વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "mahatma-gandhiji",
"DOB": "1869-10-02",
"DateOfDemise": "1948-01-30",
"location": "Porbandar, Gujarat",
"url": "/sootradhar/mahatma-gandhiji",
"tags": "",
"created": "2024-01-29T16:24:38.909751",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17317,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મહીપતરામ નીલકંઠ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>નીલકંઠ મહીપતરામ રૂપરામ</h4>\n\t\t(૩-૧૨-૧૮૨૯, ૩-૯-૧૮૯૧) : કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર. સુરતની ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યાંની સરકારી અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ \n\t\t૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. એ પછી ૧૮૫૨માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબઈના હાઈસ્કૂલ વિભાગમાં દાખલ થયા અને ૧૮૫૪માં ત્યાં શિક્ષક નિમાયા. ૧૮૫૭માં અમદાવાદની માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક ને \n\t\tપછી નિરીક્ષક. ૧૮૫૯માં ‘હોપ વાચનમાળા’ સમિતિના સભ્ય તરીકે પસંદગી પામેલા એમને ટ્રેનિંગ કૉલેજોના અનુભવ લેવા સરકારે ૧૮૬૦માં ઈંગ્લેન્ડ મોકલ્યા. પરત આવીને ૧૮૬૧થી નિવૃત્તિપર્યંત અમદાવાદની પ્રે.ર. ટ્રેનિંગ \n\t\tકૉલેજના આચાર્ય રહ્યા. ૧૮૫૦માં ‘પરહેજગાર’ નામના પત્રનું સંપાદન કરી ચૂકેલ એમણે ૧૮૬૨ થી કેટલાંક વર્ષો સુધી ‘ગુજરાત શાળાપત્ર’ના સંપાદક તરીકે રહી મહત્વની કામગીરી બજાવેલી. ૧૮૮૫માં એમને \n\t\tસી.આઈ.ઈ.નો સરકારી ઈલકાબ મળેલો. ‘પ્રાર્થનાસમાજ’ અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ જેવી અનેક સંસ્થાઓમાં મંત્રી ને પ્રમુખ તરીકે તેમ જ સક્રિય કાર્યકર તરીકે તથા અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર અને \n\t\tચૅરમૅન તરીકે પણ એમણે સેવાઓ આપેલી. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tગુજરાતી સાહિત્યનો પ્રથમ પ્રવાસગ્રંથ ગણાયેલી એમની કૃતિ ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ (૧૮૬૨)માં ઇંગ્લૅંડનાં પ્રસિદ્ધ સ્થળોના પરિચય ઉપરાંત ત્યાંની તત્કાલીન રાજ્કીય-સામાજિક-શૈક્ષણિક સ્થિતિનું મુગ્ધ પ્રશંસામૂલક \n\t\tઆલેખન થયેલું છે. ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી’ (૧૮૭૭) એમનું, સમાનધર્મા મિત્ર કરસનદાસના જાહેરજીવનને મૂલવતું, નર્મ-મર્મની ચમકવાળું, સરળ અને રસભરી શૈલી ધરાવતું ગુજરાતી સાહિત્યનું નોંધપાત્ર ચરિત્ર \n\t\tછે. ‘મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર’ (૧૮૭૯) ની પ્રધાન સામગ્રી દુર્ગારામની રોજનીશી હોવા છતાં મહેતાજીનું ચરિત્ર ઊભુ થાય એવી મૂલ્યાંકનરીતિ એમણે પ્રયોજી છે. ‘પાર્વતીકુંવર આખ્યાન’ (બી.આ. ૧૮૮૧) પત્નીનું \n\t\tગુણદર્શી ચરિત્ર આલેખતી ગદ્યકૃતિ છે. ‘અકબરચરિત્ર’ (બી.આ.૧૮૮૭) એમનું ઇતિહાસવિષયક ચરિત્ર છે.\n\t\t<br/><br/>\n\t\tગુજરાતી સાહિત્યની પ્રારંભકાળની, પ્રાથમિક સ્વરૂપની, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વની એમની ત્રણ નવલકથાઓમાંથી ‘સાસુવહુની લડાઈ’(૧૮૬૬)માં હિંદુ કુટુંબજીવનનાં પાત્રો, એમના સ્વભાવ અને પ્રસંગોનું હાસ્યની \n\t\tછાંટવાળું નિરૂપણ છે. તત્કાલીન લગ્નગીતોનો અને દંતકથાઓનો વિનિયોગ સાધતી એમની ઐતિહાસિક નવલકથાઓ ‘સધરા જેસંગ’ (૧૮૮૦) અને ‘વનરાજ ચાવડો’ (૧૮૮૧) કેવળ પ્રસંગ-વર્ણનો આપતી કથાઓ જેવી છે. \n\t\tલાંબી પ્રસ્તાવનામાં લોકકલાના એક સ્વરૂપ લેખે ભવાઈની પુનઃસ્થાપનાની ઈચ્છા વ્યક્ત કરતા એમણે સંપાદિત કરેલો ભવાઈના ઓગણીસવેશોનો, સર્વપ્રથમ સંકલનરૂપ ‘ભવાઈસંગ્રહ’ એમની અગત્યની સાહિત્યસેવા છે. \n\t\tકોલંબસ, ગેલેલીઓ, ન્યૂટન વગેરેનાં જીવનવૃત્તાંતો નિરૂપતું ‘ચરિત્રનિરૂપણ’ (૧૮૫૬) તથા નાનાભાઈ હરિદાસ સાથે મળીને એમણે કરેલું ચૅમ્બરના પુસ્તકનું ભાષાંતર બોધક છે. ‘ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ’ (૧૮૮૩) અને \n\t\t‘વ્યુત્પત્તિપ્રકાશ’ (૧૮૮૯) એમના શાળોપયોગી ગ્રંથો છે. આ ઉપરાંત શિક્ષણ, ભૂગોળ, ખગોળ, ભૂસ્તરવિદ્યા, વિજ્ઞાન, વૈદક આદિ વિષયો ઉપરનાં એમનાં પુસ્તકો પૈકી મોટા ભાગના ભાષાંતરિત ને વિદ્યાર્થી-ઉપયોગી છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: નીલકંઠ મહીપતરામ રૂપરામ \t\t(૩-૧૨-૧૮૨૯, ૩-૯-૧૮૯૧) : કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર. સુરતની ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યાંની સરકારી અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ \t\t૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. એ પછી ૧૮૫૨માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબઈના હાઈસ્કૂલ વિભાગમાં દાખલ થયા અને ૧૮૫૪માં ત્યાં શિક્ષક નિમાયા. ૧૮૫૭માં અમદાવાદની માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક ને \t\tપછી નિરીક્ષક. ૧૮૫૯માં ‘હોપ વાચનમાળા’ સમિતિના સભ્ય તરીકે પસંદગી પામેલા એમને ટ્રેનિંગ કૉલેજોના અનુભવ લેવા સરકારે ૧૮૬૦માં ઈંગ્લેન્ડ મોકલ્યા. પરત આવીને ૧૮૬૧થી નિવૃત્તિપર્યંત અમદાવાદની પ્રે.ર. ટ્રેનિંગ \t\tકૉલેજના આચાર્ય રહ્યા. ૧૮૫૦માં ‘પરહેજગાર’ નામના પત્રનું સંપાદન કરી ચૂકેલ એમણે ૧૮૬૨ થી કેટલાંક વર્ષો સુધી ‘ગુજરાત શાળાપત્ર’ના સંપાદક તરીકે રહી મહત્વની કામગીરી બજાવેલી. ૧૮૮૫માં એમને \t\tસી.આઈ.ઈ.નો સરકારી ઈલકાબ મળેલો. ‘પ્રાર્થનાસમાજ’ અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ જેવી અનેક સંસ્થાઓમાં મંત્રી ને પ્રમુખ તરીકે તેમ જ સક્રિય કાર્યકર તરીકે તથા અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર અને \t\tચૅરમૅન તરીકે પણ એમણે સેવાઓ આપેલી. અમદાવાદમાં અવસાન. \t\t \t\tગુજરાતી સાહિત્યનો પ્રથમ પ્રવાસગ્રંથ ગણાયેલી એમની કૃતિ ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ (૧૮૬૨)માં ઇંગ્લૅંડનાં પ્રસિદ્ધ સ્થળોના પરિચય ઉપરાંત ત્યાંની તત્કાલીન રાજ્કીય-સામાજિક-શૈક્ષણિક સ્થિતિનું મુગ્ધ પ્રશંસામૂલક \t\tઆલેખન થયેલું છે. ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી’ (૧૮૭૭) એમનું, સમાનધર્મા મિત્ર કરસનદાસના જાહેરજીવનને મૂલવતું, નર્મ-મર્મની ચમકવાળું, સરળ અને રસભરી શૈલી ધરાવતું ગુજરાતી સાહિત્યનું નોંધપાત્ર ચરિત્ર \t\tછે. ‘મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર’ (૧૮૭૯) ની પ્રધાન સામગ્રી દુર્ગારામની રોજનીશી હોવા છતાં મહેતાજીનું ચરિત્ર ઊભુ થાય એવી મૂલ્યાંકનરીતિ એમણે પ્રયોજી છે. ‘પાર્વતીકુંવર આખ્યાન’ (બી.આ. ૧૮૮૧) પત્નીનું \t\tગુણદર્શી ચરિત્ર આલેખતી ગદ્યકૃતિ છે. ‘અકબરચરિત્ર’ (બી.આ.૧૮૮૭) એમનું ઇતિહાસવિષયક ચરિત્ર છે. \t\t \t\tગુજરાતી સાહિત્યની પ્રારંભકાળની, પ્રાથમિક સ્વરૂપની, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વની એમની ત્રણ નવલકથાઓમાંથી ‘સાસુવહુની લડાઈ’(૧૮૬૬)માં હિંદુ કુટુંબજીવનનાં પાત્રો, એમના સ્વભાવ અને પ્રસંગોનું હાસ્યની \t\tછાંટવાળું નિરૂપણ છે. તત્કાલીન લગ્નગીતોનો અને દંતકથાઓનો વિનિયોગ સાધતી એમની ઐતિહાસિક નવલકથાઓ ‘સધરા જેસંગ’ (૧૮૮૦) અને ‘વનરાજ ચાવડો’ (૧૮૮૧) કેવળ પ્રસંગ-વર્ણનો આપતી કથાઓ જેવી છે. \t\tલાંબી પ્રસ્તાવનામાં લોકકલાના એક સ્વરૂપ લેખે ભવાઈની પુનઃસ્થાપનાની ઈચ્છા વ્યક્ત કરતા એમણે સંપાદિત કરેલો ભવાઈના ઓગણીસવેશોનો, સર્વપ્રથમ સંકલનરૂપ ‘ભવાઈસંગ્રહ’ એમની અગત્યની સાહિત્યસેવા છે. \t\tકોલંબસ, ગેલેલીઓ, ન્યૂટન વગેરેનાં જીવનવૃત્તાંતો નિરૂપતું ‘ચરિત્રનિરૂપણ’ (૧૮૫૬) તથા નાનાભાઈ હરિદાસ સાથે મળીને એમણે કરેલું ચૅમ્બરના પુસ્તકનું ભાષાંતર બોધક છે. ‘ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ’ (૧૮૮૩) અને \t\t‘વ્યુત્પત્તિપ્રકાશ’ (૧૮૮૯) એમના શાળોપયોગી ગ્રંથો છે. આ ઉપરાંત શિક્ષણ, ભૂગોળ, ખગોળ, ભૂસ્તરવિદ્યા, વિજ્ઞાન, વૈદક આદિ વિષયો ઉપરનાં એમનાં પુસ્તકો પૈકી મોટા ભાગના ભાષાંતરિત ને વિદ્યાર્થી-ઉપયોગી છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "mahipatarama-nilakantha",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/mahipatarama-nilakantha",
"tags": null,
"created": "2024-02-03T20:39:01.860531",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
}
],
"description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
"image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}