HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept
{
"count": 17752,
"next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=911",
"previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=909",
"results": [
{
"id": 17292,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "જયંત પાઠક",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પાઠક જયંત હિંમતલાલ </u>\r\n\t\t(૨૦-૧૦-૧૯૨૦) : કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૩માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી- સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ \r\n\t\tવિષયોમાં વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીથી ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળો ને સિદ્ધિ’ વિષય પર પીએચ.ડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં \r\n\t\tશિક્ષક. ૧૯૪૭ થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ. ટી. બી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬ માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ \r\n\t\tસુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ ઍવોર્ડ ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ તથા ૧૯૯૦-૯૧’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.\r\n\t\t<br/><br/> \r\n\t\tએમના કાવ્યસંગ્રહો ‘મર્મર’ (૧૯૫૪), ‘સંકેત’ (૧૯૬૦), ‘વિસ્મય’ (૧૯૬૩), ‘સર્ગ’ (૧૯૬૯), ‘અંતરીક્ષ’ (૧૯૭૫), ‘અનુનય’ (૧૯૭૮), ‘મૃગયા’ (૧૯૮૩) અને ‘શૂળી ઉપર સેજ’ (૧૯૮૮) જોતાં જણાય છે કે પ્રકૃતિ, પ્રીતિ, \r\n\t\tપરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય અને માનવીનાં સુખદુઃખાત્મક સંવેદનો એમના સતત આરાધ્ય વિષયો રહ્યાં છે; અને તેઓ પ્રારંભે ગીત, સૉનેટ, મુક્તક, છંદોબદ્ધ રચનાઓ અને પછીથી ગઝલ, અછાંદસ રચનાઓ \r\n\t\tભણી પણ વળ્યાં છે. ‘મર્મર’ અને ‘વિસ્મય’માં સમકાલીન પ્રભાવ પ્રબળપણે ઝિલાયો છે; એની પ્રતીતિ પૃથ્વીછંદ અને સૉનેટનું આકર્ષણ, ચિંતનતત્ત્વ સામાજિક-સાંસ્કૃતિક પ્રશ્નોનું નિરૂપણ, માનવીનો ‘અમૃતનો વારસ’ તરીકે \r\n\t\tમહિમા ને ગૂઢ રહસ્યમય તત્ત્વ વિશેનાં ટાગોરશાઈ ગીતો કરાવે છે. ‘વિસ્મય’થી કવિની આરણ્યક વૃત્તિ ધ્યાન ખેંચવા લાગે છે. અહીં પ્રણયનાં આનંદ, ઉલ્લાસ, તૃપ્તિ સાથે એના વૈફલ્યનો વિષાદ પણ આલેખાય છે. ‘સંકેત’માં \r\n\t\tકવિ ચીલો ચાતરવા મથે છે અને ભાવાભિવ્યક્તિ તથા છંદોવિધાન પરત્વે પ્રયોગશીલતા દાખવે છે, પરંપરિતમાં રચનાઓ આપે છે એનું અનુસંધાન ‘સર્ગ’માં મળે છે. પરંતુ કવિનું લક્ષ, શૈલીનાવીન્ય પ્રગટાવવા કરતાં કાવ્યત્વ \r\n\t\tસિદ્ધ કરવા તરફ જ વિશેષ રહે છે. તેથી ‘સર્ગ’- માં છાંદસ રચનાઓ અને ગીતો ઉપરાંત અછાંદસ રચનાઓ અને ગઝલો પણ ધ્યાન ખેંચે છે. છતાં પ્રકૃતિનાં નર્યાં સૌંદર્યચિત્રો, પ્રકૃતિ સાથેના સંવેદનશીલ અનુભવો ને \r\n\t\tપ્રણયભાવમાં વિરહનો વિફલતાનો ઘેરો વિવાદ અત્યંત નાજુક રીતે આલેખાય છે. વિસ્મયભાવમાં વિદગ્ધતા અને કલાસંયમ ભળે છે. વતનપ્રીતિના ભવિષ્યમાં આવનારા કાવ્યફાલનો અંકુર પણ અહીં જ ફૂટતો જણાય છે.\r\n\t\tકવિએ વતનનાં સંસ્મરણોનું આલેખન કરતી ગદ્યકૃતિઓ ‘વનાંચલ’ (૧૯૬૭) અને ‘તરુરાગ’ (૧૯૮૮) રચી છે. વતનવિચ્છેદની એમાં વ્યક્ત તીવ્ર અનુભૂતિએ એમની કવિતાને અસલ વતન આપ્યું. એ ‘અસલ’ વતન એટલે \r\n\t\t‘પ્રકૃતિ’, આદિમતા અને અસલિયતની ભોંય’. એ પછી ‘અંતરીક્ષ’માં કવિની કાવ્યપ્રવૃત્તિએ સ્પષ્ટ વળાંક લીધો. કવિ જે વન, વતન, પ્રકૃતિ, શૈશવમાં જીવ્યા છે તેને પામવાની ઉત્કટ ઈચ્છા, ઝંખના અને એને ગુમાવ્યાની ઊંડી \r\n\t\tવેદનાનો -અતીતઝંખનાનો પ્રબલ સૂર કવિતામાંથી ઊઠે છે. ગુજરાતી કવિતામાં આવી અતીતઝંખા, આવી ભરપૂરતાથી પ્રથમવાર પ્રગટી છે. ‘અનુનય’માં આદિમતાની ખોજ સાથે એના જ એક ઉન્મેષરૂપે ઇન્દ્રિયરાગિતાની એક \r\n\t\tસરવાણી ઉમેરાય છે. કવિ બાહ્ય નિસર્ગનાં અને આપણી અંદરની પ્રકૃતિનાં આંતરિક સ્વરૂપોમાં ઊંડા જઈ તે દ્વારા હયાતીના મૂળને પામવાનો પુરુષાર્થ આદરે છે. ‘મૃગયા’માં અન્યોક્તિનો આશ્રય લઈને ઘણી આકર્ષક રચનાઓ \r\n\t\tથઈ છે. સ્પર્શક્ષમ રચનાઓ અહીં પ્રકૃતિના અનુપમ સૌંદર્યનું દર્શન કરાવે છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tકવિના છેલ્લા ત્રણ કાવ્યસંગ્રહોમાં પ્રગટતો વતનપ્રીતિનો પ્રબળ ઉદ્વેક ‘વનાંચલ’માં શિશુવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણો રૂપે માણવા મળે છે. પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ \r\n\t\tરહેલું નગરસંસ્કૃતિનું આક્રમણ, શિશુવયના સાથીઓ -એ સૌ સાથેના બાળક બચુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ્ર કથા છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tએમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપી છે. ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનાં પરિબળો અને સિદ્ધિને આલેખતું કવિતાના ઇતિહાસનું એમનું પુસ્તક ‘આધુનિક કવિતાપ્રવાહ’ (૧૯૬૫) એ \r\n\t\tસુન્દરમ્ ના ‘અર્વાચીન કવિતા’ ગ્રંથ પછીનો, ગુજરાતી કવિતાની છણાવટ કરતો ઇતિહાસગ્રંથ છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને મૌલિક અભિગમ જોવા મળે છે. ‘આલોક’ (૧૯૬૬) અને ‘ભાવયિત્રી’ (૧૯૭૪)માં વિવિધ \r\n\t\tલેખકો-કૃતિઓની તપાસ તથા સૈદ્ધાંતિક વિચારણા છે. કલા અને વાસ્તવ, કવિકર્મ, કવિતામાં છંદ-લય-અલંકાર-પ્રતિરૂપ જેવા મુદ્દાઓની એમણે વિશદ છણાવટ કરી છે. ‘વસન્તધર્મીનું વિદ્યામધુ’ (૧૯૮૫)માં એમનાં વસનજી \r\n\t\tઠક્કુર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે તો, ‘કિમપિદ્રવ્યમ્’ (૧૯૮૭)માં વિવેચન-લેખો છે. ‘ટૂંકીવાર્તાઃ સ્વરૂપ અને સાહિત્ય’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ઝવેરચંદ મેઘાણીઃ જીવન અને સાહિત્ય’ (અન્ય સાથે, ૧૯૬૮), \r\n\t\t‘રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચક)’ (૧૯૭૦) જેવા સ્વરૂપ અને સર્જન વિશેના અભ્યાસગ્રંથો; કવિતાનો રસાસ્વાદ કરાવતું પુસ્તક ‘કાવ્યલોક’ (૧૯૭૩), ‘ભાવચિત્ર’ (૧૯૭૪), ‘કાવ્યસંચય’ ભા. ૩ (અન્ય સાથે, \r\n\t\t૧૯૮૧), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો’ (૧૯૮૩) વગેરે એમનાં સંપાદનો છે; તો ‘ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ’ (૧૯૫૭), ‘ધીરે વહે છે દોન’- ભાગ. ૩ (૧૯૬૧), ‘ક્રાંતિની કથા’ (૧૯૭૮) વગેરે એમના અનુવાદો છે. \r\n\t\t<br/><br/>\n<p align=\"right\">-દક્ષા વ્યાસ</p>\r\n\t\tમર્મર (૧૯૫૪, બી. આ. ૧૯૫૭) : જયન્ત પાઠકનો કાવ્યસંગ્રહ. એમાં કવિતા-પ્રેયસીની આસનાવાસના કરતી કૃતિઓ; મુગ્ધતા અને પ્રસન્નતાના ભાવોને વણતાં પ્રણયકાવ્યો; સંતવાણીનું સ્મરણ; કરાવતાં જ્ઞાન, વૈરાગ્ય \r\n\t\tઅને ભક્તિનાં કાવ્યો; માનવપ્રેમ, ધરતીપ્રીતિ, વ્યક્તિ અને સ્થળવિશેષનાં કાવ્યો છે. વિવિધ ઋતુઓનો રૂપવૈભવ આલેખતાં કાવ્યો અહીં ખાસ ધ્યાન ખેંચે છે. ‘બીજ’, ‘જિંદગી ને મરણ’, ‘અબોલા’ જેવાં મર્માળાં મુક્તકો; \r\n\t\t‘ચંપાનો છોડ’, ‘ઉનાળો’, ‘પ્રેમઘટા ઝૂક આઈ’ જેવાં આકર્ષક ઉપાડનાં ગીતો તથા ‘મને થતું’ ‘ઉનાળાનો દિવસ’ જેવી સૌષ્ઠવયુક્ત સૉનેટરચનાઓ કવિની સૌન્દર્યાભિમુખતાની પ્રતીતિ કરાવે છે. \r\n\t\t<br/><br/>\n<p align=\"right\">-દક્ષા વ્યાસ</p>\r\n\t\tમૃગયા (૧૯૮૩) : ‘અનુનય’ના પ્રકાશન પછીના સમયગાળાની, જયન્ત પાઠકની ઇકોતેર કાવ્યરચનાઓનો સંગ્રહ. વન, નદી, પહાડ અને વરસાદને અંકે કરતી કૃતિઓમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોને મૂર્ત કરતાં કરતાં કવિ \r\n\t\tસ્વચિત્તની ભાવક્ષણોને પણ ઉઘાડ આપે છે. વર્ણનોની ચમત્કૃતિ આયાસપૂર્ણ નથી ત્યાં આસ્વાદ્ય છે. ફળવતી નદીને લક્ષ્ય કરીને લખાયેલી કેટલીક રચનાઓમાં આ સંગ્રહનો વિશેષ પ્રગટ્યો છે. \r\n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\r\n\t\tવનાંચલ (૧૯૬૭) : જયન્ત પાઠકની સ્મૃતિકથા. એમાં શૈશવના આનંદપર્વનું વિષાદમધુર સંસ્મરણ છે. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ કથાનો આરંભ પૂર્વ-પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલિક પરિવેશથી થાય છે. \r\n\t\tબાળક બચુના શિશુજીવનમાં એ સઘળું ક્રમેક્રમે અનાયાસ પરોવાતું જાય છે. અંતે સાડા ત્રણ દાયકા પછી ફરી વતનમાં ગયેલા લેખક પ્રકૃતિ પર આધુનિક સભ્યતાની-સંસ્કૃતિની સરસાઈ જુએ છે અને પોતાને પોતાના જ \r\n\t\tવતનમાં અજાણ્યા અનુભવે છે. અહીં શિશુવયના નિર્ભેળ રોમાંચની સુષ્ટિ તો ખૂલે જ છે, પણ સાથે વતનની આદિવાસી પ્રજાની ગરીબી, ભૂખમરો, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમના પર થતા જુલમ-સિતમ, એમના \r\n\t\tહરખશોકની આર્દ્ર-વેદનશીલ હૃદયમાં અંકિત છબિ પણ ઊપસે છે. કૃતિનું સર્જક ગદ્ય નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. \r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પાઠક જયંત હિંમતલાલ \r \t\t(૨૦-૧૦-૧૯૨૦) : કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૩માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી- સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ \r \t\tવિષયોમાં વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીથી ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળો ને સિદ્ધિ’ વિષય પર પીએચ.ડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં \r \t\tશિક્ષક. ૧૯૪૭ થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ. ટી. બી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬ માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ \r \t\tસુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ ઍવોર્ડ ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ તથા ૧૯૯૦-૯૧’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.\r \t\t \r \t\tએમના કાવ્યસંગ્રહો ‘મર્મર’ (૧૯૫૪), ‘સંકેત’ (૧૯૬૦), ‘વિસ્મય’ (૧૯૬૩), ‘સર્ગ’ (૧૯૬૯), ‘અંતરીક્ષ’ (૧૯૭૫), ‘અનુનય’ (૧૯૭૮), ‘મૃગયા’ (૧૯૮૩) અને ‘શૂળી ઉપર સેજ’ (૧૯૮૮) જોતાં જણાય છે કે પ્રકૃતિ, પ્રીતિ, \r \t\tપરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય અને માનવીનાં સુખદુઃખાત્મક સંવેદનો એમના સતત આરાધ્ય વિષયો રહ્યાં છે; અને તેઓ પ્રારંભે ગીત, સૉનેટ, મુક્તક, છંદોબદ્ધ રચનાઓ અને પછીથી ગઝલ, અછાંદસ રચનાઓ \r \t\tભણી પણ વળ્યાં છે. ‘મર્મર’ અને ‘વિસ્મય’માં સમકાલીન પ્રભાવ પ્રબળપણે ઝિલાયો છે; એની પ્રતીતિ પૃથ્વીછંદ અને સૉનેટનું આકર્ષણ, ચિંતનતત્ત્વ સામાજિક-સાંસ્કૃતિક પ્રશ્નોનું નિરૂપણ, માનવીનો ‘અમૃતનો વારસ’ તરીકે \r \t\tમહિમા ને ગૂઢ રહસ્યમય તત્ત્વ વિશેનાં ટાગોરશાઈ ગીતો કરાવે છે. ‘વિસ્મય’થી કવિની આરણ્યક વૃત્તિ ધ્યાન ખેંચવા લાગે છે. અહીં પ્રણયનાં આનંદ, ઉલ્લાસ, તૃપ્તિ સાથે એના વૈફલ્યનો વિષાદ પણ આલેખાય છે. ‘સંકેત’માં \r \t\tકવિ ચીલો ચાતરવા મથે છે અને ભાવાભિવ્યક્તિ તથા છંદોવિધાન પરત્વે પ્રયોગશીલતા દાખવે છે, પરંપરિતમાં રચનાઓ આપે છે એનું અનુસંધાન ‘સર્ગ’માં મળે છે. પરંતુ કવિનું લક્ષ, શૈલીનાવીન્ય પ્રગટાવવા કરતાં કાવ્યત્વ \r \t\tસિદ્ધ કરવા તરફ જ વિશેષ રહે છે. તેથી ‘સર્ગ’- માં છાંદસ રચનાઓ અને ગીતો ઉપરાંત અછાંદસ રચનાઓ અને ગઝલો પણ ધ્યાન ખેંચે છે. છતાં પ્રકૃતિનાં નર્યાં સૌંદર્યચિત્રો, પ્રકૃતિ સાથેના સંવેદનશીલ અનુભવો ને \r \t\tપ્રણયભાવમાં વિરહનો વિફલતાનો ઘેરો વિવાદ અત્યંત નાજુક રીતે આલેખાય છે. વિસ્મયભાવમાં વિદગ્ધતા અને કલાસંયમ ભળે છે. વતનપ્રીતિના ભવિષ્યમાં આવનારા કાવ્યફાલનો અંકુર પણ અહીં જ ફૂટતો જણાય છે.\r \t\tકવિએ વતનનાં સંસ્મરણોનું આલેખન કરતી ગદ્યકૃતિઓ ‘વનાંચલ’ (૧૯૬૭) અને ‘તરુરાગ’ (૧૯૮૮) રચી છે. વતનવિચ્છેદની એમાં વ્યક્ત તીવ્ર અનુભૂતિએ એમની કવિતાને અસલ વતન આપ્યું. એ ‘અસલ’ વતન એટલે \r \t\t‘પ્રકૃતિ’, આદિમતા અને અસલિયતની ભોંય’. એ પછી ‘અંતરીક્ષ’માં કવિની કાવ્યપ્રવૃત્તિએ સ્પષ્ટ વળાંક લીધો. કવિ જે વન, વતન, પ્રકૃતિ, શૈશવમાં જીવ્યા છે તેને પામવાની ઉત્કટ ઈચ્છા, ઝંખના અને એને ગુમાવ્યાની ઊંડી \r \t\tવેદનાનો -અતીતઝંખનાનો પ્રબલ સૂર કવિતામાંથી ઊઠે છે. ગુજરાતી કવિતામાં આવી અતીતઝંખા, આવી ભરપૂરતાથી પ્રથમવાર પ્રગટી છે. ‘અનુનય’માં આદિમતાની ખોજ સાથે એના જ એક ઉન્મેષરૂપે ઇન્દ્રિયરાગિતાની એક \r \t\tસરવાણી ઉમેરાય છે. કવિ બાહ્ય નિસર્ગનાં અને આપણી અંદરની પ્રકૃતિનાં આંતરિક સ્વરૂપોમાં ઊંડા જઈ તે દ્વારા હયાતીના મૂળને પામવાનો પુરુષાર્થ આદરે છે. ‘મૃગયા’માં અન્યોક્તિનો આશ્રય લઈને ઘણી આકર્ષક રચનાઓ \r \t\tથઈ છે. સ્પર્શક્ષમ રચનાઓ અહીં પ્રકૃતિના અનુપમ સૌંદર્યનું દર્શન કરાવે છે.\r \t\t \r \t\tકવિના છેલ્લા ત્રણ કાવ્યસંગ્રહોમાં પ્રગટતો વતનપ્રીતિનો પ્રબળ ઉદ્વેક ‘વનાંચલ’માં શિશુવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણો રૂપે માણવા મળે છે. પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ \r \t\tરહેલું નગરસંસ્કૃતિનું આક્રમણ, શિશુવયના સાથીઓ -એ સૌ સાથેના બાળક બચુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ્ર કથા છે.\r \t\t \r \t\tએમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપી છે. ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનાં પરિબળો અને સિદ્ધિને આલેખતું કવિતાના ઇતિહાસનું એમનું પુસ્તક ‘આધુનિક કવિતાપ્રવાહ’ (૧૯૬૫) એ \r \t\tસુન્દરમ્ ના ‘અર્વાચીન કવિતા’ ગ્રંથ પછીનો, ગુજરાતી કવિતાની છણાવટ કરતો ઇતિહાસગ્રંથ છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને મૌલિક અભિગમ જોવા મળે છે. ‘આલોક’ (૧૯૬૬) અને ‘ભાવયિત્રી’ (૧૯૭૪)માં વિવિધ \r \t\tલેખકો-કૃતિઓની તપાસ તથા સૈદ્ધાંતિક વિચારણા છે. કલા અને વાસ્તવ, કવિકર્મ, કવિતામાં છંદ-લય-અલંકાર-પ્રતિરૂપ જેવા મુદ્દાઓની એમણે વિશદ છણાવટ કરી છે. ‘વસન્તધર્મીનું વિદ્યામધુ’ (૧૯૮૫)માં એમનાં વસનજી \r \t\tઠક્કુર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે તો, ‘કિમપિદ્રવ્યમ્’ (૧૯૮૭)માં વિવેચન-લેખો છે. ‘ટૂંકીવાર્તાઃ સ્વરૂપ અને સાહિત્ય’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ઝવેરચંદ મેઘાણીઃ જીવન અને સાહિત્ય’ (અન્ય સાથે, ૧૯૬૮), \r \t\t‘રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચક)’ (૧૯૭૦) જેવા સ્વરૂપ અને સર્જન વિશેના અભ્યાસગ્રંથો; કવિતાનો રસાસ્વાદ કરાવતું પુસ્તક ‘કાવ્યલોક’ (૧૯૭૩), ‘ભાવચિત્ર’ (૧૯૭૪), ‘કાવ્યસંચય’ ભા. ૩ (અન્ય સાથે, \r \t\t૧૯૮૧), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો’ (૧૯૮૩) વગેરે એમનાં સંપાદનો છે; તો ‘ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ’ (૧૯૫૭), ‘ધીરે વહે છે દોન’- ભાગ. ૩ (૧૯૬૧), ‘ક્રાંતિની કથા’ (૧૯૭૮) વગેરે એમના અનુવાદો છે. \r \t\t -દક્ષા વ્યાસ \r \t\tમર્મર (૧૯૫૪, બી. આ. ૧૯૫૭) : જયન્ત પાઠકનો કાવ્યસંગ્રહ. એમાં કવિતા-પ્રેયસીની આસનાવાસના કરતી કૃતિઓ; મુગ્ધતા અને પ્રસન્નતાના ભાવોને વણતાં પ્રણયકાવ્યો; સંતવાણીનું સ્મરણ; કરાવતાં જ્ઞાન, વૈરાગ્ય \r \t\tઅને ભક્તિનાં કાવ્યો; માનવપ્રેમ, ધરતીપ્રીતિ, વ્યક્તિ અને સ્થળવિશેષનાં કાવ્યો છે. વિવિધ ઋતુઓનો રૂપવૈભવ આલેખતાં કાવ્યો અહીં ખાસ ધ્યાન ખેંચે છે. ‘બીજ’, ‘જિંદગી ને મરણ’, ‘અબોલા’ જેવાં મર્માળાં મુક્તકો; \r \t\t‘ચંપાનો છોડ’, ‘ઉનાળો’, ‘પ્રેમઘટા ઝૂક આઈ’ જેવાં આકર્ષક ઉપાડનાં ગીતો તથા ‘મને થતું’ ‘ઉનાળાનો દિવસ’ જેવી સૌષ્ઠવયુક્ત સૉનેટરચનાઓ કવિની સૌન્દર્યાભિમુખતાની પ્રતીતિ કરાવે છે. \r \t\t -દક્ષા વ્યાસ \r \t\tમૃગયા (૧૯૮૩) : ‘અનુનય’ના પ્રકાશન પછીના સમયગાળાની, જયન્ત પાઠકની ઇકોતેર કાવ્યરચનાઓનો સંગ્રહ. વન, નદી, પહાડ અને વરસાદને અંકે કરતી કૃતિઓમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોને મૂર્ત કરતાં કરતાં કવિ \r \t\tસ્વચિત્તની ભાવક્ષણોને પણ ઉઘાડ આપે છે. વર્ણનોની ચમત્કૃતિ આયાસપૂર્ણ નથી ત્યાં આસ્વાદ્ય છે. ફળવતી નદીને લક્ષ્ય કરીને લખાયેલી કેટલીક રચનાઓમાં આ સંગ્રહનો વિશેષ પ્રગટ્યો છે. \r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \r \t\tવનાંચલ (૧૯૬૭) : જયન્ત પાઠકની સ્મૃતિકથા. એમાં શૈશવના આનંદપર્વનું વિષાદમધુર સંસ્મરણ છે. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ કથાનો આરંભ પૂર્વ-પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલિક પરિવેશથી થાય છે. \r \t\tબાળક બચુના શિશુજીવનમાં એ સઘળું ક્રમેક્રમે અનાયાસ પરોવાતું જાય છે. અંતે સાડા ત્રણ દાયકા પછી ફરી વતનમાં ગયેલા લેખક પ્રકૃતિ પર આધુનિક સભ્યતાની-સંસ્કૃતિની સરસાઈ જુએ છે અને પોતાને પોતાના જ \r \t\tવતનમાં અજાણ્યા અનુભવે છે. અહીં શિશુવયના નિર્ભેળ રોમાંચની સુષ્ટિ તો ખૂલે જ છે, પણ સાથે વતનની આદિવાસી પ્રજાની ગરીબી, ભૂખમરો, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમના પર થતા જુલમ-સિતમ, એમના \r \t\tહરખશોકની આર્દ્ર-વેદનશીલ હૃદયમાં અંકિત છબિ પણ ઊપસે છે. કૃતિનું સર્જક ગદ્ય નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. \r \t\t આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "jayanta-pathaka",
"DOB": "1920-10-20",
"DateOfDemise": "2003-09-01",
"location": "पंचमहाल, गुजरात",
"url": "/sootradhar/jayanta-pathaka",
"tags": "",
"created": "2024-02-03T20:38:57.068939",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17293,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " જયમલ્લ પરમાર",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પરમાર જયમલ્લ પ્રાગજીભાઈ </u>\n\t\t(૬-૧૧-૧૯૧૦) : નવલકથાકાર, નાટ્યલેખક, બાળસાહિત્યકાર. જન્મ વાંકાનેરમાં. ધોરણ છ પછી દક્ષિણામૂર્તિ, કાશિ વિદ્યાપીઠ અને ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ. સત્યાગ્રહ દરમિયાન કરેલ સંકલ્પ \n\t\tઅનુસાર પરીક્ષા ન આપી પ્રમાણપત્રો ન મેળવ્યાં. ૧૯૩૩ થી ૧૯૪૨ દરમિયાન સત્યાગ્રહ અંગે અવારનવાર જેલવાસ. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ’ સાપ્તાહિકના સહતંત્રી. નિરંજન વર્મા સાથે વિવિધ રચનાત્મક \n\t\tપ્રવૃત્તિ. ૧૯૫૦ થી ૧૯૫૬ સુધી ‘ફૂલછાબ’ દૈનિક, ૧૯૬૦ થી ૧૯૬૫ સુધી ‘કલ્યાણયાત્રા’ અને ૧૯૬૭ થી અદ્યપર્યંત ‘ઊર્મિ નવરચના’ ના તંત્રી. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં લોકસાહિત્યનું અધ્યાપન.\n\t\t<br/><br/>\n\t\tએમણે નિરંજન વર્મા સાથેના સહિયારા લેખન દ્વારા, આઝાદી અને રાષ્ટ્રોત્થાનના વિષયવસ્તુવાળી ‘ખંડિત કલેવરો’ (૧૯૪૨), ‘અણખૂટ ધારા’ (૧૯૪૫), ‘કદમ કદમ બઢાયે જા’ (૧૯૪૬) જેવી નવલકથાઓ; ‘લોકકથા ગ્રંથાવલિ’- ૧, ૨, ૩ \n\t\t(૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૫)માં પ્રકાશિત કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ, રાજસ્થાન ઇત્યાદિની લોકવાર્તાઓ તથા ‘દોલતપરી’, ‘સોનાપદમણી’, ‘નાગકુમારી’, ‘ગંડુરાજા’, ‘પાકો પંડિત’, ‘નીલમણિ’, ‘ફૂલવંતી’ જેવી \n\t\tબાળવાર્તાઓ આપી છે. પક્ષીપરિચય ગ્રંથાવલિ (૧૯૪૫)માંની, વિવિધ વર્ગની પક્ષીઓની રસપ્રદ માહિતી આપતી એમની પુસ્તિકાઓ ‘આગણાંના શણગાર’, ‘ઊડતા ભંગી’, ‘વગડામાં વસનારાં’, ‘કંઠે સોહામણાં’ અને ‘પ્રેમી પંખીડા’ નોંધપાત્ર છે. \n\t\t<br/><br/>\n\t\t‘કાઠિયાવાડના ઘડવૈયા’ (૧૯૪૧), ‘જીવનશિલ્પીઓ’ (૧૯૪૧), ‘આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય’ (૧૯૪૫), ‘શાહ નવાઝની સંગાથે’ (૧૯૪૬), ‘સુભાષના સેનાનીઓ’ (૧૯૪૬) અને ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૪૭) એમની જીવનચરિત્રોની પુસ્તિકાઓ છે. \n\t\t<br/><br/>\n\t\t‘સાંબેલાં’ (૧૯૪૨) અને ‘અમથીડોશીની અવળવાણી’ (૧૯૪૬)માં વ્યંગચિત્રો છે. ‘ગગનને ગોખે’ (૧૯૪૪) અને ‘આકાશપોથી’ (૧૯૫૦) એમની વિજ્ઞાનવિષયક પુસ્તિકાઓ છે. આ ઉપરાંત એમણે નિરંજન વર્મા સાથે જ ‘સરહદ પાર સુભાષ’ \n\t\t(૧૯૪૩) નામનો અનુવાદ આપ્યો છે.\n\t\t<br/><br/>\n\t\tસહલેખકના અવસાન પછી એમણે લખેલાં ત્રિઅંકી નાટક ‘ભૂદાન’ (૧૯૫૫), એક-અંકી નાટક ‘ઉકરડાના ફૂલ’ (૧૯૫૬), ‘આપણી લોકસંસ્કૃતિ’ (૧૯૫૭), ‘આપણાં લોકનૃત્યો’ (૧૯૫૭), ‘ધરતીની અમીરાત’ (૧૯૭૧), ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ’ \n\t\t(૧૯૭૭), ‘લોકવાર્તાની રસલ્હાણ’ : ૧-૨ (૧૯૮૨), ‘જીવે ઘોડાં જીવે ઘોડાં’ (૧૯૮૩) તેમ જ બાળકો માટેની ‘શેખચલ્લી ગ્રંથાવલિ’ (૧૯૫૫) અને ‘નશાબંધી ગ્રંથાવલિ’ (૧૯૫૯) ઉપરાંત હિંદીમાં લખેલાં ‘ખાંભી ઔર પાળિયા’ (૧૯૭૬) ઇત્યાદિ \n\t\tલોકસાહિત્ય, બાળસાહિત્ય તથા પ્રચારસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પરમાર જયમલ્લ પ્રાગજીભાઈ \t\t(૬-૧૧-૧૯૧૦) : નવલકથાકાર, નાટ્યલેખક, બાળસાહિત્યકાર. જન્મ વાંકાનેરમાં. ધોરણ છ પછી દક્ષિણામૂર્તિ, કાશિ વિદ્યાપીઠ અને ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ. સત્યાગ્રહ દરમિયાન કરેલ સંકલ્પ \t\tઅનુસાર પરીક્ષા ન આપી પ્રમાણપત્રો ન મેળવ્યાં. ૧૯૩૩ થી ૧૯૪૨ દરમિયાન સત્યાગ્રહ અંગે અવારનવાર જેલવાસ. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ’ સાપ્તાહિકના સહતંત્રી. નિરંજન વર્મા સાથે વિવિધ રચનાત્મક \t\tપ્રવૃત્તિ. ૧૯૫૦ થી ૧૯૫૬ સુધી ‘ફૂલછાબ’ દૈનિક, ૧૯૬૦ થી ૧૯૬૫ સુધી ‘કલ્યાણયાત્રા’ અને ૧૯૬૭ થી અદ્યપર્યંત ‘ઊર્મિ નવરચના’ ના તંત્રી. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં લોકસાહિત્યનું અધ્યાપન. \t\t \t\tએમણે નિરંજન વર્મા સાથેના સહિયારા લેખન દ્વારા, આઝાદી અને રાષ્ટ્રોત્થાનના વિષયવસ્તુવાળી ‘ખંડિત કલેવરો’ (૧૯૪૨), ‘અણખૂટ ધારા’ (૧૯૪૫), ‘કદમ કદમ બઢાયે જા’ (૧૯૪૬) જેવી નવલકથાઓ; ‘લોકકથા ગ્રંથાવલિ’- ૧, ૨, ૩ \t\t(૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૫)માં પ્રકાશિત કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ, રાજસ્થાન ઇત્યાદિની લોકવાર્તાઓ તથા ‘દોલતપરી’, ‘સોનાપદમણી’, ‘નાગકુમારી’, ‘ગંડુરાજા’, ‘પાકો પંડિત’, ‘નીલમણિ’, ‘ફૂલવંતી’ જેવી \t\tબાળવાર્તાઓ આપી છે. પક્ષીપરિચય ગ્રંથાવલિ (૧૯૪૫)માંની, વિવિધ વર્ગની પક્ષીઓની રસપ્રદ માહિતી આપતી એમની પુસ્તિકાઓ ‘આગણાંના શણગાર’, ‘ઊડતા ભંગી’, ‘વગડામાં વસનારાં’, ‘કંઠે સોહામણાં’ અને ‘પ્રેમી પંખીડા’ નોંધપાત્ર છે. \t\t \t\t‘કાઠિયાવાડના ઘડવૈયા’ (૧૯૪૧), ‘જીવનશિલ્પીઓ’ (૧૯૪૧), ‘આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય’ (૧૯૪૫), ‘શાહ નવાઝની સંગાથે’ (૧૯૪૬), ‘સુભાષના સેનાનીઓ’ (૧૯૪૬) અને ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૪૭) એમની જીવનચરિત્રોની પુસ્તિકાઓ છે. \t\t \t\t‘સાંબેલાં’ (૧૯૪૨) અને ‘અમથીડોશીની અવળવાણી’ (૧૯૪૬)માં વ્યંગચિત્રો છે. ‘ગગનને ગોખે’ (૧૯૪૪) અને ‘આકાશપોથી’ (૧૯૫૦) એમની વિજ્ઞાનવિષયક પુસ્તિકાઓ છે. આ ઉપરાંત એમણે નિરંજન વર્મા સાથે જ ‘સરહદ પાર સુભાષ’ \t\t(૧૯૪૩) નામનો અનુવાદ આપ્યો છે. \t\t \t\tસહલેખકના અવસાન પછી એમણે લખેલાં ત્રિઅંકી નાટક ‘ભૂદાન’ (૧૯૫૫), એક-અંકી નાટક ‘ઉકરડાના ફૂલ’ (૧૯૫૬), ‘આપણી લોકસંસ્કૃતિ’ (૧૯૫૭), ‘આપણાં લોકનૃત્યો’ (૧૯૫૭), ‘ધરતીની અમીરાત’ (૧૯૭૧), ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ’ \t\t(૧૯૭૭), ‘લોકવાર્તાની રસલ્હાણ’ : ૧-૨ (૧૯૮૨), ‘જીવે ઘોડાં જીવે ઘોડાં’ (૧૯૮૩) તેમ જ બાળકો માટેની ‘શેખચલ્લી ગ્રંથાવલિ’ (૧૯૫૫) અને ‘નશાબંધી ગ્રંથાવલિ’ (૧૯૫૯) ઉપરાંત હિંદીમાં લખેલાં ‘ખાંભી ઔર પાળિયા’ (૧૯૭૬) ઇત્યાદિ \t\tલોકસાહિત્ય, બાળસાહિત્ય તથા પ્રચારસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "jayamalla-paramara",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/jayamalla-paramara",
"tags": null,
"created": "2024-02-03T20:38:57.229901",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17294,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " જયશંકર સુંદરી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ભોજક જયશંકર ભૂધરદાસ, ‘સુંદરી’</u>\n\t\t(૩૦-૧-૧૮૮૯, ૨૨-૧-૧૯૭૫) : આત્મકથાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વિસનગરમાં. બે ધોરણ સુધીનો અભ્યાસ. ૧૮૯૮-૧૯૦૧ દરમિયાન કલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં. વચ્ચે થોડો સમય બાદ \n\t\tકરીએ તો મુખ્યત્વે ૧૯૦૧-૧૯૩૨ દરમિયાન મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૪૮ થી ૧૯૬૨ સુધી અમદાવાદમાં રંગભૂમિની આબોહવા સર્જવા સક્રિય બન્યા. ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના \n\t\tબાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ. ૧૯૫૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૫૭માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક. ૧૯૭૧ માં પદ્મભૂષણનો ઇલ્કાબ. વિસનગરમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\t‘થોડાં આંસુ થોડાં ફૂલ’ (૧૯૭૬) એમની આત્મકથા છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિ અને નાટ્યસ્થિતિને સમજવા માટે મહત્ત્વ ધરાવે છે. લેખક-નિર્માતા-દિગ્દર્શક વચ્ચે સુમેળના અભાવે ગુજરાતી નાટક અને રંગભૂમિને પ્રતિકૂળ અસર \n\t\tપહોંચાડી છે એ મુખ્ય સૂર આ કૃતિમાંથી સંભળાય છે. કળાકારની સાધનાને સમજવા માટે પણ આ કૃતિ ઉપયોગી છે. અલબત્ત, નમ્ર, સ્વભાવ અને આત્મકથાના પ્રકાર સાથે કામ પાડવાની ઓછી આવડતને લીધે આત્મકથાકારનાં અંગત \n\t\tજીવન અને, વ્યક્તિત્વ ઓછાં ઊપસે છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\tથોડાં આંસુ : થોડાં ફૂલ (૧૯૭૬) : ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ અદાકાર જયશંકર ‘સુંદરી’ની આત્મકથા. સંનિષ્ઠ અને પારદર્શી વ્યક્તિત્વ ધરાવતા આ નટે ઉચ્ચ કોટિનું નાટ્યકૌશલ સિદ્ધ કરવા કેવી તપશ્ચર્યા કરી હતી તેની સંઘર્ષમય \n\t\tકથા અહીં પ્રગટ થઈ છે. તેમના અંગત જીવનના કરુણ પ્રસંગોનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. ગુજરાતી ધંધાદારી રંગભૂમિની અહીં મળતી અનેકવિધ વિગતો ઐતિહાસિક દ્રષ્ટિએ મૂલ્યવાન છે. તેમાં કેટલાક વ્યક્તિચિત્રો પણ સમાવિષ્ટ \n\t\tથયાં છે. આત્મકથાનું ત્રીજું પ્રકરણ ‘અંતરનાટક’ ત્રીજો પુરુ એકવચન પદ્ધતિએ લખાયું હોઈ લેખક તેમાં વધુ તટસ્થ બની શક્યા છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: ભોજક જયશંકર ભૂધરદાસ, ‘સુંદરી’ \t\t(૩૦-૧-૧૮૮૯, ૨૨-૧-૧૯૭૫) : આત્મકથાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વિસનગરમાં. બે ધોરણ સુધીનો અભ્યાસ. ૧૮૯૮-૧૯૦૧ દરમિયાન કલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં. વચ્ચે થોડો સમય બાદ \t\tકરીએ તો મુખ્યત્વે ૧૯૦૧-૧૯૩૨ દરમિયાન મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૪૮ થી ૧૯૬૨ સુધી અમદાવાદમાં રંગભૂમિની આબોહવા સર્જવા સક્રિય બન્યા. ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના \t\tબાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ. ૧૯૫૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૫૭માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક. ૧૯૭૧ માં પદ્મભૂષણનો ઇલ્કાબ. વિસનગરમાં અવસાન. \t\t \t\t‘થોડાં આંસુ થોડાં ફૂલ’ (૧૯૭૬) એમની આત્મકથા છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિ અને નાટ્યસ્થિતિને સમજવા માટે મહત્ત્વ ધરાવે છે. લેખક-નિર્માતા-દિગ્દર્શક વચ્ચે સુમેળના અભાવે ગુજરાતી નાટક અને રંગભૂમિને પ્રતિકૂળ અસર \t\tપહોંચાડી છે એ મુખ્ય સૂર આ કૃતિમાંથી સંભળાય છે. કળાકારની સાધનાને સમજવા માટે પણ આ કૃતિ ઉપયોગી છે. અલબત્ત, નમ્ર, સ્વભાવ અને આત્મકથાના પ્રકાર સાથે કામ પાડવાની ઓછી આવડતને લીધે આત્મકથાકારનાં અંગત \t\tજીવન અને, વ્યક્તિત્વ ઓછાં ઊપસે છે. \t\t -જયંત ગાડીત \t\tથોડાં આંસુ : થોડાં ફૂલ (૧૯૭૬) : ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ અદાકાર જયશંકર ‘સુંદરી’ની આત્મકથા. સંનિષ્ઠ અને પારદર્શી વ્યક્તિત્વ ધરાવતા આ નટે ઉચ્ચ કોટિનું નાટ્યકૌશલ સિદ્ધ કરવા કેવી તપશ્ચર્યા કરી હતી તેની સંઘર્ષમય \t\tકથા અહીં પ્રગટ થઈ છે. તેમના અંગત જીવનના કરુણ પ્રસંગોનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. ગુજરાતી ધંધાદારી રંગભૂમિની અહીં મળતી અનેકવિધ વિગતો ઐતિહાસિક દ્રષ્ટિએ મૂલ્યવાન છે. તેમાં કેટલાક વ્યક્તિચિત્રો પણ સમાવિષ્ટ \t\tથયાં છે. આત્મકથાનું ત્રીજું પ્રકરણ ‘અંતરનાટક’ ત્રીજો પુરુ એકવચન પદ્ધતિએ લખાયું હોઈ લેખક તેમાં વધુ તટસ્થ બની શક્યા છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "jayasankara-sundari",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/jayasankara-sundari",
"tags": null,
"created": "2024-02-03T20:38:57.431073",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17295,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " જીવરામ જોશી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>જોશી જીવરામ ભવાનીશંકર </u>\n\t\t(૬-૭-૧૯૦૫) : બાળસાહિત્યકાર. જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે. ૧૯૨૭ માં કાશી રહીને સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન કર્યો. કાશી વિદ્યાપીઠના પરિચયમાં આવ્યા. ઘણો સમય \n\t\tસ્વાતંત્ર્ય-સત્યાગ્રહની ચળવળમાં ગયો. છેવટે બાળસાહિત્યના લેખનને અપનાવ્યું. ‘ઝગમગ’ બાળસાપ્તાહિકના તંત્રી.\n\t\t<br/><br/> \n\t\tબાળસાહિત્યના વિપુલ સર્જન સાથે એમણે બાલમાનસમાં રમતાં થઈ જાય તેવાં કાલ્પનિક પાત્રો પણ આપ્યાં છે. ‘મિયાં ફુસકી’ના ૩૦ ભાગ, ‘છકો મકો’ના ૧૦ ભાગ, ‘છેલ છબો’ ના ૧૦ ભાગ, ‘અડુકિયો દડુકિયો’ ના ૧૦ ભાગ, ઉપરાંત એમણે \n\t\t‘પ્રેરક પ્રસંગવાર્તાવલિ’ ના ૨૦ ભાગ, ‘બોધમાળા’ના ૧૦ ભાગ આપ્યા છે. એમના અન્ય અનેક બાળગ્રંથોમાં ‘બાળસાહિત્ય સર્વસંગ્રહ’ (૧૯૩૬) નું પણ સ્થાન છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tમિયાં ફૂસકી : બહારથી મૂર્ખ લાગવા છતાં સંકટસમયે બુદ્ધિથી માર્ગ કરતો, જીવરામ જોષીની દશ ભાગોમાં વહેંચાયેલી બાળવાર્તાનો બાળવાચકોને અત્યંત પ્રિય નાયક.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: જોશી જીવરામ ભવાનીશંકર \t\t(૬-૭-૧૯૦૫) : બાળસાહિત્યકાર. જન્મ અમરેલી જિલ્લાના ગરણી ગામે. ૧૯૨૭ માં કાશી રહીને સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન કર્યો. કાશી વિદ્યાપીઠના પરિચયમાં આવ્યા. ઘણો સમય \t\tસ્વાતંત્ર્ય-સત્યાગ્રહની ચળવળમાં ગયો. છેવટે બાળસાહિત્યના લેખનને અપનાવ્યું. ‘ઝગમગ’ બાળસાપ્તાહિકના તંત્રી. \t\t \t\tબાળસાહિત્યના વિપુલ સર્જન સાથે એમણે બાલમાનસમાં રમતાં થઈ જાય તેવાં કાલ્પનિક પાત્રો પણ આપ્યાં છે. ‘મિયાં ફુસકી’ના ૩૦ ભાગ, ‘છકો મકો’ના ૧૦ ભાગ, ‘છેલ છબો’ ના ૧૦ ભાગ, ‘અડુકિયો દડુકિયો’ ના ૧૦ ભાગ, ઉપરાંત એમણે \t\t‘પ્રેરક પ્રસંગવાર્તાવલિ’ ના ૨૦ ભાગ, ‘બોધમાળા’ના ૧૦ ભાગ આપ્યા છે. એમના અન્ય અનેક બાળગ્રંથોમાં ‘બાળસાહિત્ય સર્વસંગ્રહ’ (૧૯૩૬) નું પણ સ્થાન છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tમિયાં ફૂસકી : બહારથી મૂર્ખ લાગવા છતાં સંકટસમયે બુદ્ધિથી માર્ગ કરતો, જીવરામ જોષીની દશ ભાગોમાં વહેંચાયેલી બાળવાર્તાનો બાળવાચકોને અત્યંત પ્રિય નાયક. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "jivarama-josi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/jivarama-josi",
"tags": null,
"created": "2024-02-03T20:38:57.644402",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17296,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " જોસેફ મેકવાન",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મેકવાન જોસેફ ઈગ્નાસ </u>\n\t\t\t(૯-૧૦-૧૯૩૬) : નવલકથાકાર.જન્મ આણંદ તાલુકાના ત્રણોલીમાં. એમ.એ., બી.ઍડ. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, આણંદમાં શિક્ષક. ૧૯૮૯નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.\n\t\t<br/><br/> \n\t\t‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિતચરિત્રોનાં આલેખનો છે. ‘વહાલનાં વલખાં’ (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે’ (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત’ (૧૯૮૬) વણકર અને પટેલ કોમના \n\t\tવર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્વેષ અને સંઘર્ષને દલિત દ્રષ્ટિ-કોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું \n\t\tછે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (૧૯૮૬) નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લક્ષ્મણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભે નિરૂપ્યું છે. ‘મારી પરણેતર’ (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના’ (૧૯૮૬) \n\t\tએમનો વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલ્લુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tઆંગળિયાત (૧૯૮૬) : દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા. ખેડા જિલ્લાના ગામડામાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકરસમાજના જીવનસંઘર્ષની આ કથાનું દસ્તાવેજી મૂલ્ય ઊંચું છે. \n\t\tપ્રાદેશિક ભાષાનું પોત નવલકથાના નિરૂપકથી છેક પાત્રો સુધી એકસરખું વણાયેલું હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના રુચિપૂર્ણ સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: મેકવાન જોસેફ ઈગ્નાસ \t\t\t(૯-૧૦-૧૯૩૬) : નવલકથાકાર.જન્મ આણંદ તાલુકાના ત્રણોલીમાં. એમ.એ., બી.ઍડ. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, આણંદમાં શિક્ષક. ૧૯૮૯નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. \t\t \t\t‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫)માં શોષણપ્રધાન સમાજનાં દલિતચરિત્રોનાં આલેખનો છે. ‘વહાલનાં વલખાં’ (૧૯૮૭) અને ‘પ્રીત પ્રમાણી પગલે પગલે’ (૧૯૮૭) પણ ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘આંગળિયાત’ (૧૯૮૬) વણકર અને પટેલ કોમના \t\tવર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખી સામાજિક દ્વેષ અને સંઘર્ષને દલિત દ્રષ્ટિ-કોણથી ઉપસાવતી જાનપદી નવલકથા છે. વસ્તુપરક રીતિ ને દસ્તાવેજી સામગ્રીને કારણે આ કૃતિ પ્રચારલક્ષી થતાં અટકી ગઈ છે. બોલીનું ભાષાકર્મ એમાં ધ્યાન ખેંચે તેવું \t\tછે. ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ (૧૯૮૬) નવલકથામાં આત્મકથાત્મક શૈલીમાં શશીકાન્તના લક્ષ્મણવ્રતને વેદના અને સહનશીલતાના સંદર્ભે નિરૂપ્યું છે. ‘મારી પરણેતર’ (૧૯૮૮) એમની અન્ય નવલકથા છે. ‘સાધનાની આરાધના’ (૧૯૮૬) \t\tએમનો વાર્તાસંગ્રહ છે. ‘મારી ભિલ્લુ’ (૧૯૮૯) ચરિત્રકથા છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tઆંગળિયાત (૧૯૮૬) : દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા. ખેડા જિલ્લાના ગામડામાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકરસમાજના જીવનસંઘર્ષની આ કથાનું દસ્તાવેજી મૂલ્ય ઊંચું છે. \t\tપ્રાદેશિક ભાષાનું પોત નવલકથાના નિરૂપકથી છેક પાત્રો સુધી એકસરખું વણાયેલું હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના રુચિપૂર્ણ સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "josepha-mekavana",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/josepha-mekavana",
"tags": null,
"created": "2024-02-03T20:38:57.833622",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17298,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " જ્યોતિષ જાનિ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>જાનિ જ્યોતિષ જગન્નાથ </u>\n\t\t(૯-૧૧-૧૯૨૮) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના પીજ ગામે. ૧૯૪૫ માં મેટ્રીક. ૧૯૫૧ માં બી.એસસી. ૧૯૬૩ માં પત્રકારત્વમાં ડિપ્લોમાં. ૧૯૬૨ થી ૧૯૬૬ સુધી ‘સંદેશ’ ના ઉપતંત્રી. \n\t\t૧૯૬૬-૬૭ માં જ્યોતિ લિમિટેડ, વડોદરામાં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઓફિસર. ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી સિટિઝન્સ કાઉન્સિલ, વડોદરામાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઓફિસર. ૧૯૮૩ થી ૧૯૮૬ સુધી ‘ગુજરાત સમાચાર’ના ઉપતંત્રી. \n\t\t૧૯૮૩ થી ‘લોકસત્તા’ ના ઉપતંત્રી. સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા’ ના તંત્રી. ૧૯૮૬ થી ‘શબ્દસૃષ્ટિ’ ના માનાર્હ સંપાદક.\n\t\t<br/><br/> \n\t\tઆધુનિક સભાનતા અને અનેકવિધ પ્રવિધિઓના પ્રયોગ સાથે અરૂઢ નિરૂપણપદ્ધતિ અને વિલક્ષણ શૈલીરૂપોથી ઘટનામિશ્રત વાર્તા તેમ જ નવલકથાના નોંધપાત્ર નમૂનાઓ આપનારાઓમાં એમનું સ્થાન છે.\n\t\t<br/><br/> \n\t\t‘ચાર દીવાલો એક હેંગર’ (૧૯૬૭) અને ‘અભિનિવેશ’ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહો છે. ઘટનાને નિમિત્ત બનાવી તરીકાઓના ભિન્નભિન્ન પ્રયોગથી કુશળપૂર્વક વાર્તાતત્વને સિદ્ધ કરવા આ લેખકનું અભિવ્યક્તિસામર્થ્ય નોંધપાત્ર છે. \n\t\tઉપહાસ સાથે વિષાદનું સંયોજન એમની વાર્તાઓની લાક્ષણિકતા છે. ‘નાક’, ‘મોરલી વાગી’, ‘સૂટકેઈસ’ જેવી વાર્તાઓ ઉલ્લેખનીય છે. ‘પંદર આધુનિક વાર્તાઓ’ (૧૯૭૭) એક જ બેઠકે સર્જકતાના એકશ્વાસે લખાયેલી છે. એવી \n\t\tવાર્તાકારની કેફિયત છે. કાલક્રમ કે પૂર્વાપર સંદર્ભ કરતાં આંતરવિશ્વનું કેન્દ્ર જ આ વાર્તાઓમાં ચાલકબળ બની વાર્તાતત્વને સિદ્ધ કરે છે. ‘તબલચી’માં ભવાઈની પ્રવિધિ અને નાટ્યતત્ત્વ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય શબ્દલીલા ઊભી કરી છે. આ વાર્તાસંગ્રહો \n\t\tઆધુનિકતાનાં ઘણાં લક્ષણોને આત્મસાત કરીને ઊભા છે.\n\t\t<br/><br/> \n\t\tએમની નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (૧૯૬૯) હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવે છે. હસમુખલાલના વ્યક્તિચિત્રને કેન્દ્રમાં રાખે છે અને ભાષા તથા નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને તોડે છે.\n\t\t ‘અચલા’ (૧૯૮૦), સંમોહક છતાં ચંચલવૃત્તિવાળા અજિતને સમર્પિત એવી અચલાને અજિતના મૃત્યુ પછી હેમંત કી રીતે એના વિષાદવિશ્વમાંથી બહાર લાવે છે એની આસપાસ ગૂંથાયેલી કથા છે; પરંતુ કથાનું વિલક્ષણ રીતે થયેલું આયોજન, \n\t\t પત્ર અને ડાયરીનો સફળ પ્રયોગ, નવલકથાકારના પ્રવેશ વિના પાત્રો દ્વારા ઊકલતી જતી સૃષ્ટિ-એ બધું નવલકથાના સ્વરૂપને પ્રયોગશીલતાની ઉદઘાટિત કરી આપે છે.\n\t\t<br/><br/> \n\t\t‘શબ્દના લેન્ડસ્કેપ’(૧૯૮૧) એમનો નિબંધસંગ્રહ છે. એમાં લેખક શબ્દથી શબ્દને ઓળંગી જવાની નેમ સાથે સ્વૈર, નિરુદ્રેશ શબ્દની વિહારયાત્રા કરે છે. આધુનિક રુચિ સાથે ગદ્યશિલ્પ અને કવિતાની સંવેદનાનો થયેલો સુયોગ આ નિબંધોની વિશિષ્ટ \n\t\tરીતે ભાત જન્માવે છે. સુરત નગરીનો વારંવાર આવતો સંદર્ભ અને રમતીલો અવાજ એક વાતાવરણ રચે છે.\n\t\t<br/><br/> \n\t\t‘ફીણની દીવાલો’ (૧૯૬૬) કાવ્યસંગ્રહમાંની રચનાઓ લયને અને ખાસ તો બાળજોડકણાંના લયને આગળ કરીને ચાલે છે. આધુનિક મિજાજ અને પ્રયોગાતિરેકને કારણે એમની કવિતાની મુદ્રા સફળ નહીં પણ ધ્યાનાર્હ જરૂર બની છે.\n\t\t‘હેન્રિ ઈબ્સન’ (૧૯૭૧) એમનું અભયાસ-પુસ્તક છે. ‘સંવાદવિવાદ’ (૧૯૮૩) એમનો વિવેચનસંગ્રહ છે. એમાં સુરેશ જોષી સાથેની પ્રશ્નોત્તરી અત્યંત મહત્વનો દસ્તાવેજી આલેખ છે. અન્ય આધુનિક કૃતિઓનાં મૂલ્યાંકનમાં વિવેચકનો નહીં \n\t\tએટલો એક સર્જકનો પ્રતિભાવ જોવાય છે.\n\t\t<br/><br/> \n\t\tઆ ઉપરાંત ‘ઉર્દૂ’ વાર્તાઓ (૧૯૭૨) અને ‘મુક્તમાનવ’ (૧૯૭૮) એમનાં અનુવાદ-પુસ્તકો છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ (૧૯૭૦) : જ્યોતિષ જાનીની નવલકથા, હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વિષયવસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવતી આ કથા છે. એમાં, એક બાજુ માતુશ્રી ચંચળબા, પત્ની શારદા અને ત્રણ દીકરીઓ \n\t\tવચ્ચે જીવતા બેન્ક એકાઉન્ટન્ટ હસમુખલાલનું ઠઠ્ઠાચિત્ર છે, તો બીજી બાજુ પિતા દ્વારા થયેલી માતૃહત્યાની પીડામાંથી મુક્ત થવા માગતા આધુનિક વિચારધારા પ્રગટાવતા બૌદ્ધિક અજય શાહનું કરુણચિત્ર છે. આ બંનેની રોજિંદી વાસ્તવિકતાઓનાં \n\t\tસંયોજનોથી કથામાં વેગ આવ્યો છે. મધ્યમવર્ગીય હસમુખલાલના હાથમાં અજય શાહ રૂ. ૨૫,૦૦૦ નો ચેક સરકાવે છે અને પારકા રૂપિયા હસમુખલાલ સ્વીકારે છે કે સ્વીકારતા નથી એવી સંદિગ્ધ ક્ષણોમાં કથાનું સમાપન થાય છે. હસમુખલાલના \n\t\tવ્યક્તિચિત્રને કેન્દ્રમાં રાખતી અને ભાષા તેમ જ નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને તોડતી આ નવલકથા પ્રસંગે લેખે સફળ છે.\n\t\t\n<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: જાનિ જ્યોતિષ જગન્નાથ \t\t(૯-૧૧-૧૯૨૮) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના પીજ ગામે. ૧૯૪૫ માં મેટ્રીક. ૧૯૫૧ માં બી.એસસી. ૧૯૬૩ માં પત્રકારત્વમાં ડિપ્લોમાં. ૧૯૬૨ થી ૧૯૬૬ સુધી ‘સંદેશ’ ના ઉપતંત્રી. \t\t૧૯૬૬-૬૭ માં જ્યોતિ લિમિટેડ, વડોદરામાં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઓફિસર. ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી સિટિઝન્સ કાઉન્સિલ, વડોદરામાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઓફિસર. ૧૯૮૩ થી ૧૯૮૬ સુધી ‘ગુજરાત સમાચાર’ના ઉપતંત્રી. \t\t૧૯૮૩ થી ‘લોકસત્તા’ ના ઉપતંત્રી. સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા’ ના તંત્રી. ૧૯૮૬ થી ‘શબ્દસૃષ્ટિ’ ના માનાર્હ સંપાદક. \t\t \t\tઆધુનિક સભાનતા અને અનેકવિધ પ્રવિધિઓના પ્રયોગ સાથે અરૂઢ નિરૂપણપદ્ધતિ અને વિલક્ષણ શૈલીરૂપોથી ઘટનામિશ્રત વાર્તા તેમ જ નવલકથાના નોંધપાત્ર નમૂનાઓ આપનારાઓમાં એમનું સ્થાન છે. \t\t \t\t‘ચાર દીવાલો એક હેંગર’ (૧૯૬૭) અને ‘અભિનિવેશ’ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહો છે. ઘટનાને નિમિત્ત બનાવી તરીકાઓના ભિન્નભિન્ન પ્રયોગથી કુશળપૂર્વક વાર્તાતત્વને સિદ્ધ કરવા આ લેખકનું અભિવ્યક્તિસામર્થ્ય નોંધપાત્ર છે. \t\tઉપહાસ સાથે વિષાદનું સંયોજન એમની વાર્તાઓની લાક્ષણિકતા છે. ‘નાક’, ‘મોરલી વાગી’, ‘સૂટકેઈસ’ જેવી વાર્તાઓ ઉલ્લેખનીય છે. ‘પંદર આધુનિક વાર્તાઓ’ (૧૯૭૭) એક જ બેઠકે સર્જકતાના એકશ્વાસે લખાયેલી છે. એવી \t\tવાર્તાકારની કેફિયત છે. કાલક્રમ કે પૂર્વાપર સંદર્ભ કરતાં આંતરવિશ્વનું કેન્દ્ર જ આ વાર્તાઓમાં ચાલકબળ બની વાર્તાતત્વને સિદ્ધ કરે છે. ‘તબલચી’માં ભવાઈની પ્રવિધિ અને નાટ્યતત્ત્વ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય શબ્દલીલા ઊભી કરી છે. આ વાર્તાસંગ્રહો \t\tઆધુનિકતાનાં ઘણાં લક્ષણોને આત્મસાત કરીને ઊભા છે. \t\t \t\tએમની નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (૧૯૬૯) હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવે છે. હસમુખલાલના વ્યક્તિચિત્રને કેન્દ્રમાં રાખે છે અને ભાષા તથા નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને તોડે છે. \t\t ‘અચલા’ (૧૯૮૦), સંમોહક છતાં ચંચલવૃત્તિવાળા અજિતને સમર્પિત એવી અચલાને અજિતના મૃત્યુ પછી હેમંત કી રીતે એના વિષાદવિશ્વમાંથી બહાર લાવે છે એની આસપાસ ગૂંથાયેલી કથા છે; પરંતુ કથાનું વિલક્ષણ રીતે થયેલું આયોજન, \t\t પત્ર અને ડાયરીનો સફળ પ્રયોગ, નવલકથાકારના પ્રવેશ વિના પાત્રો દ્વારા ઊકલતી જતી સૃષ્ટિ-એ બધું નવલકથાના સ્વરૂપને પ્રયોગશીલતાની ઉદઘાટિત કરી આપે છે. \t\t \t\t‘શબ્દના લેન્ડસ્કેપ’(૧૯૮૧) એમનો નિબંધસંગ્રહ છે. એમાં લેખક શબ્દથી શબ્દને ઓળંગી જવાની નેમ સાથે સ્વૈર, નિરુદ્રેશ શબ્દની વિહારયાત્રા કરે છે. આધુનિક રુચિ સાથે ગદ્યશિલ્પ અને કવિતાની સંવેદનાનો થયેલો સુયોગ આ નિબંધોની વિશિષ્ટ \t\tરીતે ભાત જન્માવે છે. સુરત નગરીનો વારંવાર આવતો સંદર્ભ અને રમતીલો અવાજ એક વાતાવરણ રચે છે. \t\t \t\t‘ફીણની દીવાલો’ (૧૯૬૬) કાવ્યસંગ્રહમાંની રચનાઓ લયને અને ખાસ તો બાળજોડકણાંના લયને આગળ કરીને ચાલે છે. આધુનિક મિજાજ અને પ્રયોગાતિરેકને કારણે એમની કવિતાની મુદ્રા સફળ નહીં પણ ધ્યાનાર્હ જરૂર બની છે. \t\t‘હેન્રિ ઈબ્સન’ (૧૯૭૧) એમનું અભયાસ-પુસ્તક છે. ‘સંવાદવિવાદ’ (૧૯૮૩) એમનો વિવેચનસંગ્રહ છે. એમાં સુરેશ જોષી સાથેની પ્રશ્નોત્તરી અત્યંત મહત્વનો દસ્તાવેજી આલેખ છે. અન્ય આધુનિક કૃતિઓનાં મૂલ્યાંકનમાં વિવેચકનો નહીં \t\tએટલો એક સર્જકનો પ્રતિભાવ જોવાય છે. \t\t \t\tઆ ઉપરાંત ‘ઉર્દૂ’ વાર્તાઓ (૧૯૭૨) અને ‘મુક્તમાનવ’ (૧૯૭૮) એમનાં અનુવાદ-પુસ્તકો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ (૧૯૭૦) : જ્યોતિષ જાનીની નવલકથા, હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વિષયવસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવતી આ કથા છે. એમાં, એક બાજુ માતુશ્રી ચંચળબા, પત્ની શારદા અને ત્રણ દીકરીઓ \t\tવચ્ચે જીવતા બેન્ક એકાઉન્ટન્ટ હસમુખલાલનું ઠઠ્ઠાચિત્ર છે, તો બીજી બાજુ પિતા દ્વારા થયેલી માતૃહત્યાની પીડામાંથી મુક્ત થવા માગતા આધુનિક વિચારધારા પ્રગટાવતા બૌદ્ધિક અજય શાહનું કરુણચિત્ર છે. આ બંનેની રોજિંદી વાસ્તવિકતાઓનાં \t\tસંયોજનોથી કથામાં વેગ આવ્યો છે. મધ્યમવર્ગીય હસમુખલાલના હાથમાં અજય શાહ રૂ. ૨૫,૦૦૦ નો ચેક સરકાવે છે અને પારકા રૂપિયા હસમુખલાલ સ્વીકારે છે કે સ્વીકારતા નથી એવી સંદિગ્ધ ક્ષણોમાં કથાનું સમાપન થાય છે. હસમુખલાલના \t\tવ્યક્તિચિત્રને કેન્દ્રમાં રાખતી અને ભાષા તેમ જ નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને તોડતી આ નવલકથા પ્રસંગે લેખે સફળ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "jyotisa-jani",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/jyotisa-jani",
"tags": null,
"created": "2024-02-03T20:38:58.041544",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17299,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " કાકાસાહેબ કાલેલકર",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ’</u>\n\t\t (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના \n\t\tસતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાધનપુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩ \n\t\tમાં મેટ્રિક. ૧૯૦૭ માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮ માં એલએલ.બી.ની પ્રથમ વર્ષની \n\t\tપરીક્ષા. ૧૯૦૮ માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯ માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦ માં વડોદરાના ગંગનાથ \n\t\tવિદ્યાલયમાં. ૧૯૧૨ માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત \n\t\tવિદ્યાપીઠમાં પ્રાચીન ઈતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે \n\t\tસંભાળેલું. ૧૯૨૮ માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪ માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના \n\t\tસભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮ થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨ થી એ \n\t\tદિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનના છેલ્લા દિવસો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ \n\t\tભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨ માં રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩ માં ‘બેકવર્ડ કલાસ \n\t\tકમિશન’ ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. \n\t\t૧૯૬૪માં ‘પદ્યવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.\n\t\t<br/><br/> \n\t\t‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ \n\t\t(૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ \n\t\tખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર \n\t\tમાહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના \n\t\tપ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ \n\t\t(૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય \n\t\tવિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે. ‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ \n\t\tદ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે તે \n\t\tવ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં \n\t\tસંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો \n\t\tસંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં \n\t\tગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે.\n\t\t<br/><br/> \n\t\tએમનું ચિંતનાત્મક લખાણ સંસ્કૃતિ, કલા અને સાહિત્ય-એમ ત્રિવિધ ક્ષેત્રે વહેંચાયેલું છે. ‘ઓતરાતી દીવાલો’ (૧૯૨૫), \n\t\t‘જીવતા તહેવારો’ (૧૯૩૦), ‘જીવનસંસ્કૃતિ’ (૧૯૩૬), ‘જીવનભારતી’ (૧૯૩૭), ‘ગીતાધર્મ’ (૧૯૪૪), ‘જીવનલીલા’ \n\t\t(૧૯૫૬), ‘પરમસખા મૃત્યુ’ (૧૯૬૬)માંથી એમનું સંસ્કૃતિચિંતન તેમ જ ‘જીવનનો આનંદ’ (૧૯૩૬), ‘જીવનવિકાસ’ (૧૯૩૬), \n\t\t‘અવારનવાર’ (૧૯૫૬), ‘જીવનપ્રદીપ’ (૧૯૫૬), ‘રવીન્દ્રસૌરભ’ (૧૯૫૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (૧૯૭૦), ઈત્યાદિ \n\t\tગ્રંથોમાંથી એમનું કળા અને સાહિત્ય વિષયક ચિંતન પ્રાપ્ત થાય છે. એમના સાહિત્યચિંતનમાંથી સાહિત્યનાં પ્રયોજન અને \n\t\tકાર્ય, સાહિત્યની કસોટી, શક્તિ અને સફળતા વિશે, સાહિત્ય અને નીતિ, જીવનમૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે. \n\t\tશૃંગાર, વીર, કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે એમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનની એમણે કરેલી \n\t\tહિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે.\n\t\t<br/><br/> \n\t\tએમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચારપ્રધાન, લલિત અને અંગત નિબંધોના પણ સુંદર ઉદાહરણો મળે છે. એમનું \n\t\tમોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરીની નીપજરૂપ છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર \n\t\t‘રાષ્ટ્રમત’માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા ‘શિક્ષણ અને \n\t\tસાહિત્ય’ ની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે. ૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ \n\t\tના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી \n\t\tગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮ માં એમણે ‘મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. \n\t\tગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ \n\t\tપત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી.\n\t\tગાંધીયુગીન ગુ\tજરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાસ્તંભ કોટિનું છે. જીવનવાદી કલામીમાંસક-વિચારક \n\t\tકાકાસાહેબનું ગદ્ય ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એમને ‘સવાઈ ગુજરાતી’ સર્જક તરીકેનું બિરુદ આ \n\t\tકારણે જ મળેલું. ભાવ, ભાષા અને અભિવ્યક્તિ સંદર્ભે એમના નિબંધોનું ઊંચું મૂલ્ય અંકાયું છે.\n\t\t<p align=\"right\">-બળવંત જાની</p>\n<br/><br/> \n\t\tહિમાલયનો પ્રવાસ (૧૯૨૪) :કાકાસાહેબ કાલેલકરે આ લેખમાળા એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના \n\t\tસાથીઓ તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી. પ્રવાસમાં લેખકની સાથે સ્વામી આનંદ અને અનંત બુવા મરેઢકર હતા. \n\t\tચાલીસ દિવસના પ્રવાસની આ લેખમાળા, પ્રવાસ પછી સાત વર્ષે ૧૯૧૯ માં શરૂ થઈ અને પંદર વર્ષ ચાલુ રહી. આ કારણે \n\t\tલેખકના જીવનરસનાં બદલાતાં વલણો આ પ્રવાસગ્રંથમાં જોઈ શકાય છે.\n\t\t<br/><br/> \t\n\t\tપ્રવાસનોંધના ચુંવાલીસ પ્રકરણો માત્ર હિમાલયપ્રવાસનાં નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની \n\t\tયાત્રાનો પણ સમાવેશ થયેલો છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ \n\t\tસમીપે થાય છે. પ્રવાસવર્ણનમાં હિમાલયનો વૈભવ, નદીઓ તેમ જ વનની શોભા, સ્થળ-સ્થળના લોકજીવનની \n\t\tવિશેષતાઓ, સાધકો-યોગીઓની કથાઓ, પ્રવાસનાં ઉલ્લાસ તથા આરત વગેરે પ્રભાવક રીતે રજૂ થયાં છે.\n\t\t<p align=\"right\">-જયંત પંડયા</p>\n<br/><br/> \n\t\tરખડવાનો આનંદ (જૂન, ૧૯૫૩) :દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો દેશદર્શનનો આનંદ વ્યક્ત કરનારા લેખોનો સંગ્રહ. \n\t\tજુદાં જુદાં તીર્થો અને કલાસ્થળોનો અહીં સૌન્દર્યમર્મી લેખકે રાષ્ટ્રીય અસ્મિતા, સાંસ્કૃતિક સજગતા અને ધાર્મિક ઉત્કટતાથી \n\t\tપરિચય કરાવ્યો છે. ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે’ એવી અહીં આ લેખકની પ્રતિજ્ઞા છે. ‘દક્ષિણને છેડે’ \n\t\tથી શરુ થતાં બાહુબલી, વસઈનો કિલ્લો, દેલવાડા, ભુવનેશ્વર સહિત કુતુબમિનાર, તાજમહાલ વગેરે સ્થળોનાં \n\t\tપરિચયવર્ણનોમાં ભારતીયતાની ગવેષણા છે; તો સાથે સાથે ધર્મ, સમાજ, સંસકૃતિ, જીવનવ્યવસ્થાદિ અંગેનું રસપ્રદ \n\t\tચિંતન પણ છે. સ્વરાજસેવાનાં અનેક કામોને નિમિત્તે દેશમાં ફરવું પડયું અને જે જોયું તેની અહીં કલાપ્રસ્તુતિ છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \t\t\n\t\tસ્મરણયાત્રા (૧૯૩૪) : કાકાસાહેબ કાલેલકરનો, નાનપણનાં કેટલાંક સ્મરણોનો સંગ્રહ. આ સ્મરણો દ્વારા લેખકનો ઉદ્દેશ \n\t\tઆત્મકથા આપવાનો નથી, પરંતુ પોતાના બાળપણનાં ભિન્નભિન્ન ભાવપ્રતિભાવો, ગુણદોષો, જયપરાજય, ક્ષુદ્ર અહંકાર \n\t\tઅથવા સહજ સ્વાર્થત્યાગની વૃત્તિ વગેરેને નિખાલસતાથી રજૂ કરવાનો અને તેની મારફતે બાળકો તથા યુવાનો સાથે \n\t\tસમભાવ કેળવવાનો છે. આમ કરવા જતાં કાલાનુક્રમ જળવાયો નથી; છતાં સંગ્રહનાં કુલ તોત્તેર સંસ્મરણલખાણોમાં \n\t\tએકસૂત્રતા અવશ્ય જળવાઈ છે.\n\t\t<br/><br/> \t\t\n\t\tઅહીં સંચિત સ્મરણો મોટે ભાગે કૌટુંબિક જીવનનાં તેમ જ મુસાફરી અંગેના છે. જયાં જયાં જવાનું થયું ત્યાંનું લોકજીવન, \n\t\tતથા ત્યાંનાં પ્રકૃતિસૌંદર્ય, ઉત્સવો અને વ્રતો ઉપરાંત મન ઉપર કાયમી છાપ મૂકી ગયેલી વ્યક્તિઓ અને પ્રસંગો-આ \n\t\tસંગ્રહની મુખ્ય સામગ્રી છે. શાહપુર, બેળગુંદી, સાતારા, બેલગામ, સાવંતવાડી, કારવાર, પૂના, મીરજ, સાંગલી, સાવનૂર \n\t\tઈત્યાદિ સ્થળો સાથે જોડાયેલો ભાવાનુબંધ પ્રત્યેક સ્થળની વિશેષતાઓ સાથે અહીં પ્રગટ થયો છે. અહીં બોધ નથી, \n\t\tજીવનદર્શનની નવીનતા અને કુતૂહલ છે; અને એ માટે લેખકનું રસાળ ગદ્ય ઉપકારક બન્યું હોઈ સર્વથા આસ્વાદ્ય છે.\n\t\t<p align=\"right\">-જયંત પંડયા</p>\n<br/><br/> \t\t\n\t\tઓતરાતી દીવાલો (૧૯૨૫) : અસહકારની લડતમાં ભાગ લેવા બદલ સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને \n\t\tવનસ્પતિસૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદનો આલેખતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું લઘુપુસ્તક. અહીં ચાર દીવાલો વચ્ચેની \n\t\tઆનંદયાત્રા છે. કુદરતઘેલા લેખકની, આ લખાણોમાં ઉપદેશ, પ્રચાર, ડહાપણ કે વિદ્રત્તાને સ્થાને અનુભવી, સુખદુઃખની \n\t\tઅને કલ્પનાની આપલે છે. લેખકના દુનિયા તરફના પ્રેમે અને એમની ખુશમિજાજીએ બંધિયાર જેલજીવનની વચ્ચે પણ \n\t\tકીડીઓ, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરા જેવા જીવલોકને સૌન્દર્યપરખ નજરથી \n\t\tઝડપ્યો છે. દીવાલોમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકોએ લેખકના એકાન્તના કુતૂહલને ઉત્તેજ્યું છે. નિરુપણમાં \n\t\tરહેલી હળવાશ અને વિનોદવૃત્તિએ તેમ જ પ્રસન્નરુચિએ લેખનનું લલિતરૂપ ધારણ કર્યું છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \t\t\n\t\tજીવનલીલા (૧૯૫૬) : કાકા કાલેલકરના પ્રકૃતિવિષયક સીત્તેર સંસ્મરણાત્મક લેખોનો સંગ્રહ. ભારતમાં ઠેરઠેર ફરીને \n\t\tપ્રવાસી તરીકે ભારતના પહાડો, એની નદીઓ, એનાં સરોવરો અને સંગમ સ્થાનોનાં જે ચિત્રો લેખકે ઝીલ્યાં છે એને અહીં \n\t\tદેશભક્તિના દ્વવ્યથી રંગ્યા છે. સરલ ભાષા છતાં ચેતનધબકતી શૈલી સાથે પ્રકૃતિના સૌન્દર્યને ખડાં કરતાં વર્ણનોથી આ \n\t\tગ્રંથ પ્રવાસ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \t\t\n\t\tજીવનનો આનંદ (૧૯૩૬) : કળા અને કુદરતવિષયક લેખોને સમાવતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પુસ્તક, \n\t\tમંદવાડના દિવસોમાં તેમ જ જેલની કોટડીમાં રાખેલી વાસરીની નોંધો હોવા છતાં એમાં કાલેલકરનો આત્મનેપદી \n\t\tપ્રધાનસૂર આસ્વાદ્ય છે. જીવનનો આનંદધર્મ અહીં વિવિધ રીતે પ્રગટ્યો છે. ‘પ્રકૃતિનું હાસ્ય’, ‘અનંતનો વિસ્તાર’, \n\t\t‘નિવૃત્તિમાં નિરીક્ષણ’, ‘રખડવાનો આનંદ’ અને ‘જીવનનો ઓપ’ એમ કુલ પાંચ ખંડોમાં આ પુસ્તક વહેંચાયેલું છે. \n\t\tપ્રકૃતિદર્શન, આકાશદર્શન અને કલાદર્શનથી રસાયેલું લેખન અહીં સૌન્દર્યબોધ અને કેવળ આનંદને તાકે છે. હાસ્યવિનોદ \n\t\tઅને નર્મ-મર્મના સહજ તંતુઓએ આ લેખનને સમૃદ્ધ વ્યક્તિતા અર્પી છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \t\t\n\t\tજીવનવ્યવસ્થા (૧૯૬૩) : કાકાસાહેબ કાલેલકરના ધર્મવિચારવિષયક લખાણોનો સંગ્રહ. ‘વિવિધ ધર્મો’, ‘ધાર્મિક \n\t\tસુધારણા’, ‘ધર્મગ્રંથો વિષયક’, ‘રહસ્યનું ઉદઘાટન’,‘મંદિરો’ તથા ‘પ્રાસંગિક અને પ્રકીર્ણ’ એમ છ ખંડોમાં વિભાજિત આ \n\t\tલખાણોમાં બૌદ્ધધર્મ, જૈનધર્મ, આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવાં ભારતની અંદર પ્રસરેલાં ધર્મો અને ધાર્મિક વિચારધારાઓ \n\t\tવિશેના લેખો છે; પરંતુ હિંદુધર્મ, તેનાં સિદ્ધાંતો, તેનું વ્યવહારમાં પ્રત્યક્ષ થતું રૂપ એ વિશેના લેખોનું પ્રમાણ વિશેષ છે. \n\t\tવેદ, ઉપનિષદ, ગીતા અને મરાઠી ભક્તિપરંપરાથી પુષ્ટ થયેલી, ગાંધીજીના વિચારો અને ગાંધીશૈલીના ચિંતકોથી \n\t\tપ્રભાવિત આ વિચારણા કોઈ ધર્મચિંતકની સિદ્ધાંતોના ખંડનમંડનની શાસ્ત્રીય શૈલીને બદલે લોકકેળવણીકારની લોકભોગ્ય \n\t\tશૈલીમાં થયેલી છે અને ધર્મને સમાજના સંદર્ભમાં જુએ છે. લેખક માને છે કે દરેક ધર્મનાં બે રૂપ હોય છે. એક જીવનના \n\t\tસત્યને પ્રગટ કરતું સનાતન રૂપ અને બીજું એ ધર્મનું પાલન કરતાં મનુષ્યોની સમાજવ્યવસ્થા અને તેમના \n\t\tઆચારવિચારોમાં પ્રત્યક્ષ થતું એ સત્યનું સામાજિક રૂપ. ધર્મનું સામાજિક રૂપ જયારે ધર્મના સત્યરૂપને પોષવાને બદલે \n\t\tરૂંધવા માંડે ત્યારે યુગસંદર્ભ પ્રમાણે એને બદલવું પડે. લેખકને લાગે છે કે હિંદુધર્મનું સત્યદર્શન અને એનું વર્તમાનયુગમાં \n\t\tપ્રત્યક્ષ થતું સામાજિક રૂપ એ બંને વચ્ચે ઘણો વિરોધ છે. અહિંસા, અસ્પૃશ્યતા, સર્વધર્મસમભાવ ઇત્યાદિ ગાંધીજીએ વ્યકત \n\t\tકરેલા વિચારો પર રચાયેલો ભારતીય સમાજ હિંદુ ધર્મના સત્યને મૂર્ત કરનારો બની શકે. આમ લેખકની વિચારણા \n\t\tધર્મસંસ્કરણ અને બની રહે છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ’ \t\t (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના \t\tસતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાધનપુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩ \t\tમાં મેટ્રિક. ૧૯૦૭ માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮ માં એલએલ.બી.ની પ્રથમ વર્ષની \t\tપરીક્ષા. ૧૯૦૮ માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯ માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦ માં વડોદરાના ગંગનાથ \t\tવિદ્યાલયમાં. ૧૯૧૨ માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત \t\tવિદ્યાપીઠમાં પ્રાચીન ઈતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે \t\tસંભાળેલું. ૧૯૨૮ માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪ માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના \t\tસભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮ થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨ થી એ \t\tદિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનના છેલ્લા દિવસો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ \t\tભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨ માં રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩ માં ‘બેકવર્ડ કલાસ \t\tકમિશન’ ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. \t\t૧૯૬૪માં ‘પદ્યવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક. \t\t \t\t‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ \t\t(૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ \t\tખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર \t\tમાહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના \t\tપ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ \t\t(૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય \t\tવિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે. ‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ \t\tદ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે તે \t\tવ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં \t\tસંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો \t\tસંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં \t\tગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે. \t\t \t\tએમનું ચિંતનાત્મક લખાણ સંસ્કૃતિ, કલા અને સાહિત્ય-એમ ત્રિવિધ ક્ષેત્રે વહેંચાયેલું છે. ‘ઓતરાતી દીવાલો’ (૧૯૨૫), \t\t‘જીવતા તહેવારો’ (૧૯૩૦), ‘જીવનસંસ્કૃતિ’ (૧૯૩૬), ‘જીવનભારતી’ (૧૯૩૭), ‘ગીતાધર્મ’ (૧૯૪૪), ‘જીવનલીલા’ \t\t(૧૯૫૬), ‘પરમસખા મૃત્યુ’ (૧૯૬૬)માંથી એમનું સંસ્કૃતિચિંતન તેમ જ ‘જીવનનો આનંદ’ (૧૯૩૬), ‘જીવનવિકાસ’ (૧૯૩૬), \t\t‘અવારનવાર’ (૧૯૫૬), ‘જીવનપ્રદીપ’ (૧૯૫૬), ‘રવીન્દ્રસૌરભ’ (૧૯૫૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (૧૯૭૦), ઈત્યાદિ \t\tગ્રંથોમાંથી એમનું કળા અને સાહિત્ય વિષયક ચિંતન પ્રાપ્ત થાય છે. એમના સાહિત્યચિંતનમાંથી સાહિત્યનાં પ્રયોજન અને \t\tકાર્ય, સાહિત્યની કસોટી, શક્તિ અને સફળતા વિશે, સાહિત્ય અને નીતિ, જીવનમૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે. \t\tશૃંગાર, વીર, કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે એમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનની એમણે કરેલી \t\tહિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે. \t\t \t\tએમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચારપ્રધાન, લલિત અને અંગત નિબંધોના પણ સુંદર ઉદાહરણો મળે છે. એમનું \t\tમોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરીની નીપજરૂપ છે. \t\t \t\tએમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર \t\t‘રાષ્ટ્રમત’માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા ‘શિક્ષણ અને \t\tસાહિત્ય’ ની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે. ૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ \t\tના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી \t\tગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮ માં એમણે ‘મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. \t\tગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ \t\tપત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી. \t\tગાંધીયુગીન ગુ\tજરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાસ્તંભ કોટિનું છે. જીવનવાદી કલામીમાંસક-વિચારક \t\tકાકાસાહેબનું ગદ્ય ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એમને ‘સવાઈ ગુજરાતી’ સર્જક તરીકેનું બિરુદ આ \t\tકારણે જ મળેલું. ભાવ, ભાષા અને અભિવ્યક્તિ સંદર્ભે એમના નિબંધોનું ઊંચું મૂલ્ય અંકાયું છે. \t\t -બળવંત જાની \t\tહિમાલયનો પ્રવાસ (૧૯૨૪) :કાકાસાહેબ કાલેલકરે આ લેખમાળા એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના \t\tસાથીઓ તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી. પ્રવાસમાં લેખકની સાથે સ્વામી આનંદ અને અનંત બુવા મરેઢકર હતા. \t\tચાલીસ દિવસના પ્રવાસની આ લેખમાળા, પ્રવાસ પછી સાત વર્ષે ૧૯૧૯ માં શરૂ થઈ અને પંદર વર્ષ ચાલુ રહી. આ કારણે \t\tલેખકના જીવનરસનાં બદલાતાં વલણો આ પ્રવાસગ્રંથમાં જોઈ શકાય છે. \t\t \t \t\tપ્રવાસનોંધના ચુંવાલીસ પ્રકરણો માત્ર હિમાલયપ્રવાસનાં નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની \t\tયાત્રાનો પણ સમાવેશ થયેલો છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ \t\tસમીપે થાય છે. પ્રવાસવર્ણનમાં હિમાલયનો વૈભવ, નદીઓ તેમ જ વનની શોભા, સ્થળ-સ્થળના લોકજીવનની \t\tવિશેષતાઓ, સાધકો-યોગીઓની કથાઓ, પ્રવાસનાં ઉલ્લાસ તથા આરત વગેરે પ્રભાવક રીતે રજૂ થયાં છે. \t\t -જયંત પંડયા \t\tરખડવાનો આનંદ (જૂન, ૧૯૫૩) :દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો દેશદર્શનનો આનંદ વ્યક્ત કરનારા લેખોનો સંગ્રહ. \t\tજુદાં જુદાં તીર્થો અને કલાસ્થળોનો અહીં સૌન્દર્યમર્મી લેખકે રાષ્ટ્રીય અસ્મિતા, સાંસ્કૃતિક સજગતા અને ધાર્મિક ઉત્કટતાથી \t\tપરિચય કરાવ્યો છે. ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે’ એવી અહીં આ લેખકની પ્રતિજ્ઞા છે. ‘દક્ષિણને છેડે’ \t\tથી શરુ થતાં બાહુબલી, વસઈનો કિલ્લો, દેલવાડા, ભુવનેશ્વર સહિત કુતુબમિનાર, તાજમહાલ વગેરે સ્થળોનાં \t\tપરિચયવર્ણનોમાં ભારતીયતાની ગવેષણા છે; તો સાથે સાથે ધર્મ, સમાજ, સંસકૃતિ, જીવનવ્યવસ્થાદિ અંગેનું રસપ્રદ \t\tચિંતન પણ છે. સ્વરાજસેવાનાં અનેક કામોને નિમિત્તે દેશમાં ફરવું પડયું અને જે જોયું તેની અહીં કલાપ્રસ્તુતિ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t \t\tસ્મરણયાત્રા (૧૯૩૪) : કાકાસાહેબ કાલેલકરનો, નાનપણનાં કેટલાંક સ્મરણોનો સંગ્રહ. આ સ્મરણો દ્વારા લેખકનો ઉદ્દેશ \t\tઆત્મકથા આપવાનો નથી, પરંતુ પોતાના બાળપણનાં ભિન્નભિન્ન ભાવપ્રતિભાવો, ગુણદોષો, જયપરાજય, ક્ષુદ્ર અહંકાર \t\tઅથવા સહજ સ્વાર્થત્યાગની વૃત્તિ વગેરેને નિખાલસતાથી રજૂ કરવાનો અને તેની મારફતે બાળકો તથા યુવાનો સાથે \t\tસમભાવ કેળવવાનો છે. આમ કરવા જતાં કાલાનુક્રમ જળવાયો નથી; છતાં સંગ્રહનાં કુલ તોત્તેર સંસ્મરણલખાણોમાં \t\tએકસૂત્રતા અવશ્ય જળવાઈ છે. \t\t \t\t \t\tઅહીં સંચિત સ્મરણો મોટે ભાગે કૌટુંબિક જીવનનાં તેમ જ મુસાફરી અંગેના છે. જયાં જયાં જવાનું થયું ત્યાંનું લોકજીવન, \t\tતથા ત્યાંનાં પ્રકૃતિસૌંદર્ય, ઉત્સવો અને વ્રતો ઉપરાંત મન ઉપર કાયમી છાપ મૂકી ગયેલી વ્યક્તિઓ અને પ્રસંગો-આ \t\tસંગ્રહની મુખ્ય સામગ્રી છે. શાહપુર, બેળગુંદી, સાતારા, બેલગામ, સાવંતવાડી, કારવાર, પૂના, મીરજ, સાંગલી, સાવનૂર \t\tઈત્યાદિ સ્થળો સાથે જોડાયેલો ભાવાનુબંધ પ્રત્યેક સ્થળની વિશેષતાઓ સાથે અહીં પ્રગટ થયો છે. અહીં બોધ નથી, \t\tજીવનદર્શનની નવીનતા અને કુતૂહલ છે; અને એ માટે લેખકનું રસાળ ગદ્ય ઉપકારક બન્યું હોઈ સર્વથા આસ્વાદ્ય છે. \t\t -જયંત પંડયા \t\t \t\tઓતરાતી દીવાલો (૧૯૨૫) : અસહકારની લડતમાં ભાગ લેવા બદલ સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને \t\tવનસ્પતિસૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદનો આલેખતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું લઘુપુસ્તક. અહીં ચાર દીવાલો વચ્ચેની \t\tઆનંદયાત્રા છે. કુદરતઘેલા લેખકની, આ લખાણોમાં ઉપદેશ, પ્રચાર, ડહાપણ કે વિદ્રત્તાને સ્થાને અનુભવી, સુખદુઃખની \t\tઅને કલ્પનાની આપલે છે. લેખકના દુનિયા તરફના પ્રેમે અને એમની ખુશમિજાજીએ બંધિયાર જેલજીવનની વચ્ચે પણ \t\tકીડીઓ, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરા જેવા જીવલોકને સૌન્દર્યપરખ નજરથી \t\tઝડપ્યો છે. દીવાલોમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકોએ લેખકના એકાન્તના કુતૂહલને ઉત્તેજ્યું છે. નિરુપણમાં \t\tરહેલી હળવાશ અને વિનોદવૃત્તિએ તેમ જ પ્રસન્નરુચિએ લેખનનું લલિતરૂપ ધારણ કર્યું છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t \t\tજીવનલીલા (૧૯૫૬) : કાકા કાલેલકરના પ્રકૃતિવિષયક સીત્તેર સંસ્મરણાત્મક લેખોનો સંગ્રહ. ભારતમાં ઠેરઠેર ફરીને \t\tપ્રવાસી તરીકે ભારતના પહાડો, એની નદીઓ, એનાં સરોવરો અને સંગમ સ્થાનોનાં જે ચિત્રો લેખકે ઝીલ્યાં છે એને અહીં \t\tદેશભક્તિના દ્વવ્યથી રંગ્યા છે. સરલ ભાષા છતાં ચેતનધબકતી શૈલી સાથે પ્રકૃતિના સૌન્દર્યને ખડાં કરતાં વર્ણનોથી આ \t\tગ્રંથ પ્રવાસ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t \t\tજીવનનો આનંદ (૧૯૩૬) : કળા અને કુદરતવિષયક લેખોને સમાવતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પુસ્તક, \t\tમંદવાડના દિવસોમાં તેમ જ જેલની કોટડીમાં રાખેલી વાસરીની નોંધો હોવા છતાં એમાં કાલેલકરનો આત્મનેપદી \t\tપ્રધાનસૂર આસ્વાદ્ય છે. જીવનનો આનંદધર્મ અહીં વિવિધ રીતે પ્રગટ્યો છે. ‘પ્રકૃતિનું હાસ્ય’, ‘અનંતનો વિસ્તાર’, \t\t‘નિવૃત્તિમાં નિરીક્ષણ’, ‘રખડવાનો આનંદ’ અને ‘જીવનનો ઓપ’ એમ કુલ પાંચ ખંડોમાં આ પુસ્તક વહેંચાયેલું છે. \t\tપ્રકૃતિદર્શન, આકાશદર્શન અને કલાદર્શનથી રસાયેલું લેખન અહીં સૌન્દર્યબોધ અને કેવળ આનંદને તાકે છે. હાસ્યવિનોદ \t\tઅને નર્મ-મર્મના સહજ તંતુઓએ આ લેખનને સમૃદ્ધ વ્યક્તિતા અર્પી છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t \t\tજીવનવ્યવસ્થા (૧૯૬૩) : કાકાસાહેબ કાલેલકરના ધર્મવિચારવિષયક લખાણોનો સંગ્રહ. ‘વિવિધ ધર્મો’, ‘ધાર્મિક \t\tસુધારણા’, ‘ધર્મગ્રંથો વિષયક’, ‘રહસ્યનું ઉદઘાટન’,‘મંદિરો’ તથા ‘પ્રાસંગિક અને પ્રકીર્ણ’ એમ છ ખંડોમાં વિભાજિત આ \t\tલખાણોમાં બૌદ્ધધર્મ, જૈનધર્મ, આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવાં ભારતની અંદર પ્રસરેલાં ધર્મો અને ધાર્મિક વિચારધારાઓ \t\tવિશેના લેખો છે; પરંતુ હિંદુધર્મ, તેનાં સિદ્ધાંતો, તેનું વ્યવહારમાં પ્રત્યક્ષ થતું રૂપ એ વિશેના લેખોનું પ્રમાણ વિશેષ છે. \t\tવેદ, ઉપનિષદ, ગીતા અને મરાઠી ભક્તિપરંપરાથી પુષ્ટ થયેલી, ગાંધીજીના વિચારો અને ગાંધીશૈલીના ચિંતકોથી \t\tપ્રભાવિત આ વિચારણા કોઈ ધર્મચિંતકની સિદ્ધાંતોના ખંડનમંડનની શાસ્ત્રીય શૈલીને બદલે લોકકેળવણીકારની લોકભોગ્ય \t\tશૈલીમાં થયેલી છે અને ધર્મને સમાજના સંદર્ભમાં જુએ છે. લેખક માને છે કે દરેક ધર્મનાં બે રૂપ હોય છે. એક જીવનના \t\tસત્યને પ્રગટ કરતું સનાતન રૂપ અને બીજું એ ધર્મનું પાલન કરતાં મનુષ્યોની સમાજવ્યવસ્થા અને તેમના \t\tઆચારવિચારોમાં પ્રત્યક્ષ થતું એ સત્યનું સામાજિક રૂપ. ધર્મનું સામાજિક રૂપ જયારે ધર્મના સત્યરૂપને પોષવાને બદલે \t\tરૂંધવા માંડે ત્યારે યુગસંદર્ભ પ્રમાણે એને બદલવું પડે. લેખકને લાગે છે કે હિંદુધર્મનું સત્યદર્શન અને એનું વર્તમાનયુગમાં \t\tપ્રત્યક્ષ થતું સામાજિક રૂપ એ બંને વચ્ચે ઘણો વિરોધ છે. અહિંસા, અસ્પૃશ્યતા, સર્વધર્મસમભાવ ઇત્યાદિ ગાંધીજીએ વ્યકત \t\tકરેલા વિચારો પર રચાયેલો ભારતીય સમાજ હિંદુ ધર્મના સત્યને મૂર્ત કરનારો બની શકે. આમ લેખકની વિચારણા \t\tધર્મસંસ્કરણ અને બની રહે છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "kakasaheba-kalelakara",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/kakasaheba-kalelakara",
"tags": null,
"created": "2024-02-03T20:38:58.229064",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17300,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " કમળાશંકર પંડ્યા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પંડ્યા કમળાશંકર લલ્લુભાઈ </u>\n\t\t(૨૦-૧૦-૧૯૦૪) : આત્મકથાલેખક. જન્મ નાંદોદ (રાજપીપળા)માં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નાંદોદ અને થાણામાં. ૧૯૨૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘વાણિજ્ય વિશારદ’. પિતા એમને આઈ.સી.એસ.ની પદવી મેળવવા ઈંગ્લેન્ડ મોકલવા માગતા હતા, \n\t\tપણ એમણે ગાંધીજીની ચળવળમાં જોડાવાનું પસંદ કર્યું. સ્વરાજ્ય પછી અનેક સામાજિક કાર્યો. થોડો વખત વડોદરામાં શિક્ષણકાર્ય. સમાજવાદી વિચારસરણીના પુરસ્કર્તા. વ્યવસાયે દાહોદમાં વેપારી. ૧૯૮૩માં નર્મદચંદ્રક.\n\t\t<br/><br/>\n\t\tઆપણે ત્યાં રાજ્કીય આત્મકથાઓની અતિઅલ્પ સંખ્યામાં આ લેખકની આત્મકથા ‘વેરાન જીવન’ (૧૯૭૩)નું વિશિષ્ટ સ્થાન છે. એમાં રાજકારણની સાથે સમાજકારણ પણ છે. લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથેનાં સંસ્મરણો \n\t\tઆ આત્મકથાનું આગવું અંગ છે. વિચારને વરેલા એક બૌદ્ધિકની નજરે આપણા સ્વાતંત્ર્ય પૂર્વેના અને પછીના રાજ્કીય-સામાજિક જીવનના વિવિધ તબક્કાઓની દસ્તાવેજી માહિતી આપતી આ આત્મકથા વ્યથાવેદનાના \n\t\tઅંશોવાળી, વ્યક્તિત્વના સ્પર્શથી યુક્ત કર્મકથા પણ છે. આ ઉપરાંત એમણે નહેરુકૃત ‘વીધર ઇન્ડિયા’નો ‘હિંદ કયે રસ્તે’ (૧૯૩૫) નામનો અનુવાદ પણ આપ્યો છે. \n\t\t<p align=\"right\">-યાસીન દલાલ</p>\n<br/><br/>\n\t\tવેરાન જીવન (૧૯૭૩) : કમળાશંકર લલ્લુભાઈ પંડ્યાની આત્મકથા. સ્વાતંત્ર્યસૈનિકની આ આત્મકથા સ્વાતંત્ર્ય પહેલાંના અને પછીના દેશ અને ગુજરાતના રાજ્કીય પ્રવાહોને મૂલવે છે અને અંગત જીવનની કથા સાથે \n\t\tસંવેદનશીલ રાજ્કીય કથાને નિરૂપે છે. નિરીશ્વરવાદી વલણ, રાજ્કીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક મૂલ્યોની સતત બુદ્ધિવાદી કસોટી, સમાજવાદી વિચારસરણીમાં અખૂટ શ્રદ્ધા અને લોકશાહીનો આગ્રહ-આ સર્વ લોકનેતાના \n\t\tજીવનવૃત્તાંતને અહીં ઊંડું પરિમાણ બક્ષે છે. મંથનો ને સંઘર્ષોની આંતરિક કથા પણ સારી રીતે વ્યક્ત થવા પામી છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પંડ્યા કમળાશંકર લલ્લુભાઈ \t\t(૨૦-૧૦-૧૯૦૪) : આત્મકથાલેખક. જન્મ નાંદોદ (રાજપીપળા)માં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નાંદોદ અને થાણામાં. ૧૯૨૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘વાણિજ્ય વિશારદ’. પિતા એમને આઈ.સી.એસ.ની પદવી મેળવવા ઈંગ્લેન્ડ મોકલવા માગતા હતા, \t\tપણ એમણે ગાંધીજીની ચળવળમાં જોડાવાનું પસંદ કર્યું. સ્વરાજ્ય પછી અનેક સામાજિક કાર્યો. થોડો વખત વડોદરામાં શિક્ષણકાર્ય. સમાજવાદી વિચારસરણીના પુરસ્કર્તા. વ્યવસાયે દાહોદમાં વેપારી. ૧૯૮૩માં નર્મદચંદ્રક. \t\t \t\tઆપણે ત્યાં રાજ્કીય આત્મકથાઓની અતિઅલ્પ સંખ્યામાં આ લેખકની આત્મકથા ‘વેરાન જીવન’ (૧૯૭૩)નું વિશિષ્ટ સ્થાન છે. એમાં રાજકારણની સાથે સમાજકારણ પણ છે. લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથેનાં સંસ્મરણો \t\tઆ આત્મકથાનું આગવું અંગ છે. વિચારને વરેલા એક બૌદ્ધિકની નજરે આપણા સ્વાતંત્ર્ય પૂર્વેના અને પછીના રાજ્કીય-સામાજિક જીવનના વિવિધ તબક્કાઓની દસ્તાવેજી માહિતી આપતી આ આત્મકથા વ્યથાવેદનાના \t\tઅંશોવાળી, વ્યક્તિત્વના સ્પર્શથી યુક્ત કર્મકથા પણ છે. આ ઉપરાંત એમણે નહેરુકૃત ‘વીધર ઇન્ડિયા’નો ‘હિંદ કયે રસ્તે’ (૧૯૩૫) નામનો અનુવાદ પણ આપ્યો છે. \t\t -યાસીન દલાલ \t\tવેરાન જીવન (૧૯૭૩) : કમળાશંકર લલ્લુભાઈ પંડ્યાની આત્મકથા. સ્વાતંત્ર્યસૈનિકની આ આત્મકથા સ્વાતંત્ર્ય પહેલાંના અને પછીના દેશ અને ગુજરાતના રાજ્કીય પ્રવાહોને મૂલવે છે અને અંગત જીવનની કથા સાથે \t\tસંવેદનશીલ રાજ્કીય કથાને નિરૂપે છે. નિરીશ્વરવાદી વલણ, રાજ્કીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક મૂલ્યોની સતત બુદ્ધિવાદી કસોટી, સમાજવાદી વિચારસરણીમાં અખૂટ શ્રદ્ધા અને લોકશાહીનો આગ્રહ-આ સર્વ લોકનેતાના \t\tજીવનવૃત્તાંતને અહીં ઊંડું પરિમાણ બક્ષે છે. મંથનો ને સંઘર્ષોની આંતરિક કથા પણ સારી રીતે વ્યક્ત થવા પામી છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "kamalasankara-pandya",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/kamalasankara-pandya",
"tags": null,
"created": "2024-02-03T20:38:58.422892",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17301,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " કમળાશંકર ત્રિવેદી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર </u>\t\n\t\t(૧૧-૧૦-૧૮૫૭, ૧૯૨૫) : સંપાદક, વ્યાકરણવિદ. જન્મસ્થળ સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૮૭૪માં મૅટ્રિક. ૧૮૭૮માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર-ઇતિહાસ વિષયો સાથે બી.એ. \n\t\tઆર્થિક મુશ્કેલીને કારણે આગળ અભ્યાસ ન કરતાં સુરતની મિશન હાઈસ્કૂલમાં અવેજી શિક્ષક તરીકે જોડાયા. પછીથી ભરૂચ, નડિયાદ, સુરત, અમદાવાદ, ભાવનગર, મુંબઈ અને પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ સ્તરે શિક્ષણકાર્ય. ૧૯૦૨માં \n\t\tઅમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં આચાર્ય તથા ‘ગુજરાત શાળાપત્ર’ નું સંપાદન. મુંબઈ તથા પંજાબ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક તથા ફેલો. ૧૯૧૪માં નિવૃત્ત. ૧૯૨૪ ની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.\n\t\t<br/><br/>\n\t\tઇતિહાસ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો લઈ અભ્યાસ કરનાર આ લેખકે અધ્યયન અને અધ્યાપન સંસ્કૃત વિષયમાં કર્યું છે. વ્યાકરણગ્રંથોની રચના તથા સંસ્કૃતગ્રંથોનું ભાષાન્તર એમનું મહત્વનું પ્રદાન છે. સંપાદન પર પણ એમના \n\t\tસંસ્કૃતઅધ્યાપનનો સ્પષ્ટ પ્રભાવ જણાય છે. ઇતિહાસ, શિક્ષણ, વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ગણિત, તત્વજ્ઞાન જેવા વિવિધ વિષયોમાં સક્રિય રસ દાખવી એમણે ‘ઈંગ્લૅન્ડનો ટૂંકો ઇતિહાસ’ (૧૮૮૭), ‘ગોડ્સ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૩), \n\t\t‘શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્વો’ (૧૯૧૩), ‘શંકરજ્યંતી વ્યાખ્યાનમાળા’ (૧૯૧૩), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૧૪/૧૬), ‘કારકમીમાંસા’ (૧૯૧૫), ‘મધ્યમ વ્યાકરણ’ (૧૯૧૭), ‘બૃહદ્ વ્યાકરણ’ (૧૯૧૯), ‘હિંદુસ્તાનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (૧૯૨૦), \n\t\t‘કાવ્યસાહિત્ય મીમાંસા’ (મરણોત્તર, ૧૯૩૦), ‘અનુભવવિનોદ’ (મરણોત્તર, ૧૯૩૩), જેવા મૌલિક ગ્રંથો આપ્યા છે. ‘સંસ્કૃત’-પુ. ૧-૨ (૧૮૯૬), ‘સંસ્કૃતશિક્ષિકા’ (૧૯૧૧), ‘સાહિત્યમંજરી’ (૧૯૧૫) તથા ‘ગુજરાતી/ત્રિવેદી વાચનમાળા’ (૧૯૨૧) \n\t\tવગેરે એમનાં સંપાદિત પાઠ્યપુસ્તકો છે. પાણિનીનાં સૂત્રોની સમજ આપતું દ્રષ્ટાંતકાવ્ય ‘ભટ્ટીકાવ્ય/રાવણવધ’ (૧૮૯૮), જગન્નથકૃત ‘રેખા ગણિત’ (૧૯૦૧-૨), વિદ્યાધરકૃત ‘એકાવલિ’ (૧૯૦૮), વિશ્વનાથકૃત ‘પ્રતાપરુદ્રયશોભૂષણ’ (૧૯૦૯), \n\t\tલક્ષ્મીધરકૃત ‘ષડ્ભાષાચંદ્રિકા’ (૧૯૧૮), રામચંદ્રકૃત ‘પ્રક્રિયાકૌમુદી’, વરરુચિકૃત ‘પ્રાકૃત પ્રકાશ’ તથા કોંડ ભટ્ટકૃત ‘વૈયાકરણભૂષણ’ એમનાં સંપાદનો છે. \n\t\t<p align=\"right\">- રમેશ ર.દવે</p>\n<br/><br/>\n\t\tગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૧૯૧૯) : કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો આ ગ્રંથ ચાલીસ પ્રકરણોમાં વહેંચાયેલો છે. ગુજરાતી ભાષામાં અત્યાર સુધી લખાયેલા વ્યાકરણવિષયક ગ્રંથોમાં આ ગ્રંથ ઐતિહાસિક મહત્વે ધરાવે છે. આ \n\t\tવ્યાકરણ રચવામાં લેખકે મોટે ભાગે સંસ્કૃત તથા અંગ્રેજી વ્યાકરણોનો પ્રતિમાન તરીકે ઉપયોગ કર્યો છે. શરૂઆતમાં સામાન્ય ભાષાશાસ્ત્રની થોડીક ચર્ચા છે પણ પછી તત્કાલીન વ્યાકરણવિષયક વિભાવના રજૂ થઈ છે. સાતમા, આઠમા અને \n\t\tનવમા પ્રકરણોમાં કંઈક સાહિત્યિક કહી શકાય તેવી ચર્ચા છે, જે એ સમયના વ્યાકરણવિષયક ગ્રંથોનું એક અંગ લેખાતું હતું. ગ્રંથના શેષ ભાગમાં પદ, વાક્યાર્થ, નામ, જાતિ (લિંગ), વચન, વિભક્તિ, કારક, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદના \n\t\tપ્રકારો, ધાતુના પ્રકારો, કૃદન્ત, કાળ, પ્રયોગ, ઉપસર્ગ, પૂર્વગ, અવ્યય, પદવિન્યાસ, વાક્યપૃથ્થકરણ વગેરેનો સમાવેશ થયો છે. સાત દાયકા પહેલાં લખાયેલો વ્યાકરણ પરનો આ ગ્રંથ આજના સંશોધકને એના સંશોધનકાર્યના \n\t\tપ્રસ્થાન-બિંદુ તરીકે અથવા એ દિશામાં વિચારણાર્થ સામગ્રી તરીકે ઉપયોગી છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર \t \t\t(૧૧-૧૦-૧૮૫૭, ૧૯૨૫) : સંપાદક, વ્યાકરણવિદ. જન્મસ્થળ સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૮૭૪માં મૅટ્રિક. ૧૮૭૮માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર-ઇતિહાસ વિષયો સાથે બી.એ. \t\tઆર્થિક મુશ્કેલીને કારણે આગળ અભ્યાસ ન કરતાં સુરતની મિશન હાઈસ્કૂલમાં અવેજી શિક્ષક તરીકે જોડાયા. પછીથી ભરૂચ, નડિયાદ, સુરત, અમદાવાદ, ભાવનગર, મુંબઈ અને પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ સ્તરે શિક્ષણકાર્ય. ૧૯૦૨માં \t\tઅમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં આચાર્ય તથા ‘ગુજરાત શાળાપત્ર’ નું સંપાદન. મુંબઈ તથા પંજાબ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક તથા ફેલો. ૧૯૧૪માં નિવૃત્ત. ૧૯૨૪ ની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. \t\t \t\tઇતિહાસ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો લઈ અભ્યાસ કરનાર આ લેખકે અધ્યયન અને અધ્યાપન સંસ્કૃત વિષયમાં કર્યું છે. વ્યાકરણગ્રંથોની રચના તથા સંસ્કૃતગ્રંથોનું ભાષાન્તર એમનું મહત્વનું પ્રદાન છે. સંપાદન પર પણ એમના \t\tસંસ્કૃતઅધ્યાપનનો સ્પષ્ટ પ્રભાવ જણાય છે. ઇતિહાસ, શિક્ષણ, વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ગણિત, તત્વજ્ઞાન જેવા વિવિધ વિષયોમાં સક્રિય રસ દાખવી એમણે ‘ઈંગ્લૅન્ડનો ટૂંકો ઇતિહાસ’ (૧૮૮૭), ‘ગોડ્સ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૩), \t\t‘શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્વો’ (૧૯૧૩), ‘શંકરજ્યંતી વ્યાખ્યાનમાળા’ (૧૯૧૩), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૧૪/૧૬), ‘કારકમીમાંસા’ (૧૯૧૫), ‘મધ્યમ વ્યાકરણ’ (૧૯૧૭), ‘બૃહદ્ વ્યાકરણ’ (૧૯૧૯), ‘હિંદુસ્તાનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (૧૯૨૦), \t\t‘કાવ્યસાહિત્ય મીમાંસા’ (મરણોત્તર, ૧૯૩૦), ‘અનુભવવિનોદ’ (મરણોત્તર, ૧૯૩૩), જેવા મૌલિક ગ્રંથો આપ્યા છે. ‘સંસ્કૃત’-પુ. ૧-૨ (૧૮૯૬), ‘સંસ્કૃતશિક્ષિકા’ (૧૯૧૧), ‘સાહિત્યમંજરી’ (૧૯૧૫) તથા ‘ગુજરાતી/ત્રિવેદી વાચનમાળા’ (૧૯૨૧) \t\tવગેરે એમનાં સંપાદિત પાઠ્યપુસ્તકો છે. પાણિનીનાં સૂત્રોની સમજ આપતું દ્રષ્ટાંતકાવ્ય ‘ભટ્ટીકાવ્ય/રાવણવધ’ (૧૮૯૮), જગન્નથકૃત ‘રેખા ગણિત’ (૧૯૦૧-૨), વિદ્યાધરકૃત ‘એકાવલિ’ (૧૯૦૮), વિશ્વનાથકૃત ‘પ્રતાપરુદ્રયશોભૂષણ’ (૧૯૦૯), \t\tલક્ષ્મીધરકૃત ‘ષડ્ભાષાચંદ્રિકા’ (૧૯૧૮), રામચંદ્રકૃત ‘પ્રક્રિયાકૌમુદી’, વરરુચિકૃત ‘પ્રાકૃત પ્રકાશ’ તથા કોંડ ભટ્ટકૃત ‘વૈયાકરણભૂષણ’ એમનાં સંપાદનો છે. \t\t - રમેશ ર.દવે \t\tગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૧૯૧૯) : કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો આ ગ્રંથ ચાલીસ પ્રકરણોમાં વહેંચાયેલો છે. ગુજરાતી ભાષામાં અત્યાર સુધી લખાયેલા વ્યાકરણવિષયક ગ્રંથોમાં આ ગ્રંથ ઐતિહાસિક મહત્વે ધરાવે છે. આ \t\tવ્યાકરણ રચવામાં લેખકે મોટે ભાગે સંસ્કૃત તથા અંગ્રેજી વ્યાકરણોનો પ્રતિમાન તરીકે ઉપયોગ કર્યો છે. શરૂઆતમાં સામાન્ય ભાષાશાસ્ત્રની થોડીક ચર્ચા છે પણ પછી તત્કાલીન વ્યાકરણવિષયક વિભાવના રજૂ થઈ છે. સાતમા, આઠમા અને \t\tનવમા પ્રકરણોમાં કંઈક સાહિત્યિક કહી શકાય તેવી ચર્ચા છે, જે એ સમયના વ્યાકરણવિષયક ગ્રંથોનું એક અંગ લેખાતું હતું. ગ્રંથના શેષ ભાગમાં પદ, વાક્યાર્થ, નામ, જાતિ (લિંગ), વચન, વિભક્તિ, કારક, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદના \t\tપ્રકારો, ધાતુના પ્રકારો, કૃદન્ત, કાળ, પ્રયોગ, ઉપસર્ગ, પૂર્વગ, અવ્યય, પદવિન્યાસ, વાક્યપૃથ્થકરણ વગેરેનો સમાવેશ થયો છે. સાત દાયકા પહેલાં લખાયેલો વ્યાકરણ પરનો આ ગ્રંથ આજના સંશોધકને એના સંશોધનકાર્યના \t\tપ્રસ્થાન-બિંદુ તરીકે અથવા એ દિશામાં વિચારણાર્થ સામગ્રી તરીકે ઉપયોગી છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "kamalasankara-trivedi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/kamalasankara-trivedi",
"tags": null,
"created": "2024-02-03T20:38:58.692371",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17302,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " કરસનદાસ માણેક",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>માણેક કરસનદાસ નરસિંહ, : ‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’ </u>\n\t\t(૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮) : કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ \n\t\tવેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા, પણ પરીક્ષા આપ્યા વિના ૧૯૨૩માં ફરી કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે \n\t\tહાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું; અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯ થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮ થી જન્મભૂમિ \n\t\tટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૦ માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧ થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tએમની લેખનપ્રવૃત્તિનો આરંભ ૧૯૨૪માં એમણે કરેલા ટાગોરકૃત ‘મુક્તધારા’ અને ‘બે બાળનાટકો’ (‘શરદુત્સવ’, ‘મુકુટ’)ના અનુવાદોથી થયો. ‘ખાખનાં પોયણાં’ (૧૯૩૪) ખંડકાવ્ય એમની આરંભની કાવ્યશક્તિનો ખ્યાલ આપે છે. ‘આલબેલ’ \n\t\t(૧૯૩૫)માં મુક્ત પ્રણય, સામ્યવાદી મિજાજથી રંગાયેલી રાષ્ટ્રભક્તિ અને ઈશ્વરભક્તિનાં કાવ્યો છે. ‘મહોબતને માંડવે’ (૧૯૪૨)માં ધીંગા પ્રણય-શૃંગારને વાચા મળી છે. ‘વૈશંપાયનની વાણી’-ભા. ૧,૨ (૧૯૪૩, ૧૯૪૫)માં સમકાલીન \n\t\tરાજકારણ, સામાજિક કુરિવાજો ઉપર ઘેરા કટાક્ષો કરતી આખ્યાનશૈલીની રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘પ્રેમધનુષ્ય’ (૧૯૪૪)માં મુગ્ધ પ્રણયનાં અને ‘અહો રાયજી સુણિયે’ (૧૯૪૫)માં સમાજવાદી વિચારસરણી અને રાષ્ટ્રભક્તિનાં કાવ્યો \n\t\tસંગૃહીત છે. ગાંધીજી ઉપર લખાયેલી પદ્યકૃતિ ‘કલ્યાણયાત્રી’ (૧૯૪૫) પ્રશસ્તિપૂર્ણ રચના છે. ‘મધ્યાહ્ન’ (૧૯૫૮)માં મુગ્ધ પ્રણય અને સમકાલીન જીવનની વિષમતા, ‘રામ તારો દીવડો’ (૧૯૬૪)માં ભકતની આરત તથા ‘શતાબ્દીનાં સ્મિતો \n\t\tઅને અશ્રુઓ’ (૧૯૬૯)માં શતકનાં હાસ-શોક કાવ્યબદ્ધ થયાં છે. એમની બે દીર્ઘરચનાઓ ‘હરિનાં લોચનિયાં’ (૧૯૬૯) અને ‘લાક્ષાગૃહ’ (૧૯૭૬) અનુક્રમે ગાંધી-કૃષ્ણનાં જીવનની કરુણતા અને મહાભારતકર્મમાં વ્યાસનાં કતૃત્વ-વેદનાને આલેખે છે.\n\t\t<br/><br/> \n\t\tજીવનની સમસ્યાઓ અને મંગળતત્ત્વને નિરૂપતી એમની વાર્તાઓ ‘માલિની’ (૧૯૪૪), ‘રામ ઝરૂખે બૈઠકે’ (૧૯૬૬) અને ‘તરણા ઓથે’ (૧૯૭૫)માં; તો ધર્મકથાઓ, પુરાણકથાઓ અને બોધકથાઓને પોતાની શૈલીમાં વાર્તારૂપે ઢાળી છે તે \n\t\tકથાઓ ‘પ્રકાશનાં પગલાં’ (૧૯૪૫), ‘દિવ્ય વાર્તાઓ’ (૧૯૫૫), ‘અમર અજવાળાં’ (૧૯૫૯) અને ‘રઘુકુળરીતિ’ (૧૯૬૩)માં સંચિત થઈ છે. સિંધની કથાઓ, દંતકથાઓ પર આધારિત ‘સિંધુની પ્રેમકથાઓ’ (૧૯૫૩)માં અને બે લઘુનવલો \n\t\t‘સિંધુનું સ્વપ્ન અને પ્રીતનો દોર’ (૧૯૬૫)માં ગ્રંથસ્થ થઈ છે.\n\t\t<br/><br/> \n\t\tએમના ગંભીર પર્યેષણાત્મક નિબંધો ‘કળીઓ અને કુસુમો’ (૧૯૪૯)માં, ચિંતનાત્મક નિબંધો ‘ગીતાવિચાર’માં અને ધર્મઅધ્યાત્મના નિબંધો ‘હરિનાં દ્વાર’ (મરણોત્તર, ૧૯૭૯)માં સંચિત છે. ‘સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું’ (૧૯૫૯) નામક \n\t\tપરિચયપુસ્તિકા એમનો વિવેચક તરીકેનો પરિચય કરાવે છે. ‘મહાભારતકથા’- ભા. ૧, ૨, ૩ (૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૪)માં એમણે મહાભારતને રસતળી શૈલીમાં નિરૂપ્યું છે. ‘આઝાદીની યજ્ઞજવાળા’ (૧૯૪૩) ૧૮૫૭ થી ૧૯૪૨ સુધીના ભારતના \n\t\tઆઝાદીજંગનો ચિતાર આપે છે. ‘સાહિત્ય અને પ્રગતિ’ (અન્ય સાથે, ૧૯૪૫) એમનું ઉમાશંકર જોશી આદિના સહયોગમાં થયેલું સંપાદન છે; તો વિનોબા અને શિવાનંદજીના વિચારોનું એમણે ‘અધ્યાત્મદર્શન’ (૧૯૬૩)માં સંકલન કર્યું છે. \n\t\t‘ભર્તૃ હરિનિર્વેદ’ (૧૯૫૮) એ હરિહર ઉપાધ્યાયના સંસ્કૃતગ્રંથનો એમણે કરેલો અનુવાદ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: માણેક કરસનદાસ નરસિંહ, : ‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’ \t\t(૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮) : કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ \t\tવેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા, પણ પરીક્ષા આપ્યા વિના ૧૯૨૩માં ફરી કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે \t\tહાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું; અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯ થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮ થી જન્મભૂમિ \t\tટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૦ માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧ થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન. \t\t \t\tએમની લેખનપ્રવૃત્તિનો આરંભ ૧૯૨૪માં એમણે કરેલા ટાગોરકૃત ‘મુક્તધારા’ અને ‘બે બાળનાટકો’ (‘શરદુત્સવ’, ‘મુકુટ’)ના અનુવાદોથી થયો. ‘ખાખનાં પોયણાં’ (૧૯૩૪) ખંડકાવ્ય એમની આરંભની કાવ્યશક્તિનો ખ્યાલ આપે છે. ‘આલબેલ’ \t\t(૧૯૩૫)માં મુક્ત પ્રણય, સામ્યવાદી મિજાજથી રંગાયેલી રાષ્ટ્રભક્તિ અને ઈશ્વરભક્તિનાં કાવ્યો છે. ‘મહોબતને માંડવે’ (૧૯૪૨)માં ધીંગા પ્રણય-શૃંગારને વાચા મળી છે. ‘વૈશંપાયનની વાણી’-ભા. ૧,૨ (૧૯૪૩, ૧૯૪૫)માં સમકાલીન \t\tરાજકારણ, સામાજિક કુરિવાજો ઉપર ઘેરા કટાક્ષો કરતી આખ્યાનશૈલીની રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘પ્રેમધનુષ્ય’ (૧૯૪૪)માં મુગ્ધ પ્રણયનાં અને ‘અહો રાયજી સુણિયે’ (૧૯૪૫)માં સમાજવાદી વિચારસરણી અને રાષ્ટ્રભક્તિનાં કાવ્યો \t\tસંગૃહીત છે. ગાંધીજી ઉપર લખાયેલી પદ્યકૃતિ ‘કલ્યાણયાત્રી’ (૧૯૪૫) પ્રશસ્તિપૂર્ણ રચના છે. ‘મધ્યાહ્ન’ (૧૯૫૮)માં મુગ્ધ પ્રણય અને સમકાલીન જીવનની વિષમતા, ‘રામ તારો દીવડો’ (૧૯૬૪)માં ભકતની આરત તથા ‘શતાબ્દીનાં સ્મિતો \t\tઅને અશ્રુઓ’ (૧૯૬૯)માં શતકનાં હાસ-શોક કાવ્યબદ્ધ થયાં છે. એમની બે દીર્ઘરચનાઓ ‘હરિનાં લોચનિયાં’ (૧૯૬૯) અને ‘લાક્ષાગૃહ’ (૧૯૭૬) અનુક્રમે ગાંધી-કૃષ્ણનાં જીવનની કરુણતા અને મહાભારતકર્મમાં વ્યાસનાં કતૃત્વ-વેદનાને આલેખે છે. \t\t \t\tજીવનની સમસ્યાઓ અને મંગળતત્ત્વને નિરૂપતી એમની વાર્તાઓ ‘માલિની’ (૧૯૪૪), ‘રામ ઝરૂખે બૈઠકે’ (૧૯૬૬) અને ‘તરણા ઓથે’ (૧૯૭૫)માં; તો ધર્મકથાઓ, પુરાણકથાઓ અને બોધકથાઓને પોતાની શૈલીમાં વાર્તારૂપે ઢાળી છે તે \t\tકથાઓ ‘પ્રકાશનાં પગલાં’ (૧૯૪૫), ‘દિવ્ય વાર્તાઓ’ (૧૯૫૫), ‘અમર અજવાળાં’ (૧૯૫૯) અને ‘રઘુકુળરીતિ’ (૧૯૬૩)માં સંચિત થઈ છે. સિંધની કથાઓ, દંતકથાઓ પર આધારિત ‘સિંધુની પ્રેમકથાઓ’ (૧૯૫૩)માં અને બે લઘુનવલો \t\t‘સિંધુનું સ્વપ્ન અને પ્રીતનો દોર’ (૧૯૬૫)માં ગ્રંથસ્થ થઈ છે. \t\t \t\tએમના ગંભીર પર્યેષણાત્મક નિબંધો ‘કળીઓ અને કુસુમો’ (૧૯૪૯)માં, ચિંતનાત્મક નિબંધો ‘ગીતાવિચાર’માં અને ધર્મઅધ્યાત્મના નિબંધો ‘હરિનાં દ્વાર’ (મરણોત્તર, ૧૯૭૯)માં સંચિત છે. ‘સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું’ (૧૯૫૯) નામક \t\tપરિચયપુસ્તિકા એમનો વિવેચક તરીકેનો પરિચય કરાવે છે. ‘મહાભારતકથા’- ભા. ૧, ૨, ૩ (૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૪)માં એમણે મહાભારતને રસતળી શૈલીમાં નિરૂપ્યું છે. ‘આઝાદીની યજ્ઞજવાળા’ (૧૯૪૩) ૧૮૫૭ થી ૧૯૪૨ સુધીના ભારતના \t\tઆઝાદીજંગનો ચિતાર આપે છે. ‘સાહિત્ય અને પ્રગતિ’ (અન્ય સાથે, ૧૯૪૫) એમનું ઉમાશંકર જોશી આદિના સહયોગમાં થયેલું સંપાદન છે; તો વિનોબા અને શિવાનંદજીના વિચારોનું એમણે ‘અધ્યાત્મદર્શન’ (૧૯૬૩)માં સંકલન કર્યું છે. \t\t‘ભર્તૃ હરિનિર્વેદ’ (૧૯૫૮) એ હરિહર ઉપાધ્યાયના સંસ્કૃતગ્રંથનો એમણે કરેલો અનુવાદ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "karasanadasa-maneka",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/karasanadasa-maneka",
"tags": null,
"created": "2024-02-03T20:38:58.914372",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17303,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " કવિ ન્હાનાલાલ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમભક્તિ’ </u>\n\t\t(૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬): કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ \n\t\tત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ’. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં \n\t\tએમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩ નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય \n\t\tવિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ.થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને \n\t\tએમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્વજ્ઞાનના \n\t\tયુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદ્રષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા.\n\t\t<br/><br/> \t\n\t\tએમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપકઃ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને \n\t\tનાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ \n\t\tઅને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાન બનાવ્યું. \n\t\tત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tસાહિત્યસર્જક તરીકે કવિનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન ઉર્મિકાવ્યો છે. એવી એમની કવિતામાં ‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’-ભા.૧-૨-૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭), ‘ગીતમંજરી’-૧-૨ (૧૯૨૮, ૧૯૫૬), \n\t\t‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘દાંપત્યસ્તોત્રો’ (૧૯૩૧), ‘બાળકાવ્યો’ (૧૯૩૧), ‘મહેરામણનાં મોતી’ (૧૯૩૯), ‘સોહાગણ’ (૧૯૪૦), ‘પાનેતર’ (૧૯૪૧) તેમ જ \n\t\t‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ (૧૯૪૩) નો સમાવેશ થાય છે. બાળકાવ્યો, હાલરડાં, લગ્નગીતો, રાસ-ગરબા, ભજનો, અર્ધ્ય-અંજલિ-કાવ્યો, ગોપકાવ્ય, કરુણપ્રશસ્તિ, પ્રાસંગિક કાવ્યો, કથાગીતો-એમ પ્રકારદૃષ્ટિએ સારું વૈવિધ્ય એમાં છે. \n\t\tઆરંભકાળમાં આત્મલક્ષી બનતી પણ થોડા જ સમયમાં પરલક્ષિતા તરફ ગતિ કરતી આ કવિની કવિતાના મુખ્ય કવનવિષય પ્રકૃતિસૌંદર્ય, પ્રણય અને પ્રભુ છે. અક્ષરમેળ-માત્રામેળ છંદો, પરંપરાપ્રાપ્ત લયમેળ રચનાના ઢાળો અને \n\t\tગઝલ-કવ્વાલીના યથેચ્છ વિનિયોગ સાથે પદ્યમુક્ત ડોલનશૈલી પણ એનું વાહન બનેલ છે. છંદને નહિ પણ ભાવના અને તેને અનુવર્તતા વાણીના ડોલન એટલે લયને કવિતાને માટે આવશ્યક માનતી કવિની સમજે એ શૈલી પ્રથમ \n\t\t‘ઇન્દુકુમાર’ નાટક માટે પણ પછી કવિતા માટે પણ પ્રયોજી છે. કેટલાંક ચિત્રકાવ્યો, ‘વસંતોત્સવ’ (૧૯૯૮, ૧૯૦૫), ‘ઓજ અને અગર’ (૧૯૧૩) અને ‘દ્વારિકાપ્રલય’ (૧૯૪૪) જેવાં કથાકાવ્યો તેમ જ ‘કુરુક્ષેત્ર’ (૧૯૨૬-૪૦) જેવું મહાકાવ્ય \n\t\tડોલનશૈલીમાં લખાયાં છે. જોકે એવી દીર્ધકથાત્મક રચનાઓમાં પણ ગીતો કવિએ મૂકયાં છે. એ મૂક્યા વગર આ ઊર્મિકાવ્યના કવિથી રહી શકાય એમ હતું નહિ. કથાત્મક કવિતામાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ કવિના ‘પ્રેમ-ભક્તિ’ \n\t\tઉપનામના પ્રેમ-પાસાનું સર્જન છે, તો ‘હરિદર્શન’ અને ‘વેણુવિહાર’ (૧૯૪૨) એ પ્રસંગવર્ણનની આત્મલક્ષી કાવ્યરચનાઓ ભક્તિ-પાસાની નીપજ છે. ‘દ્વારિકાપ્રલય’ અને બારકાંડનું ‘કુરુક્ષેત્ર’ એ પૌરાણિક વસ્તુ પરની દીર્ઘ રચનાઓ મહાકાવ્ય \n\t\tલખવાની મહત્વાકાંક્ષાથી પ્રેરાયેલી કૃતિઓ છે. જેમાંના મહાકાવ્યોચિત ઉપમાચિત્રો અને કવિનું વર્ણનકૌશલ ધ્યાન ખેંચે છે. તેમનું મરણોત્તર પુરાણકલ્પ પ્રકાશન બનેલ ‘હરિસંહિતા (ત્રણ ભાગમાં, ૧૯૫૯-૬૦) એમની સૌથી વિપુલકાય કૃતિ \n\t\tહોવા છતાં નિર્ધારેલાં બાર મંડળમાંથી આઠ જેટલાં જ હોઈ અપૂર્ણ રહી છે. શ્રીકૃષ્ણે પોતાના શતાબ્દી મહોત્સવ પછી અર્જુન-સુભદ્રા અને યાદવપરિવાર સાથે મોટો સંઘ કાઢી સોળ વર્ષ ચાલેલી ભારતયાત્રા સદ્ધર્મ-સંસ્થાપનાર્થે કરી, એવું એનું \n\t\tવસ્તુ કલ્પિત છે. મંડળોના અધ્યાયોના આરંભે ને અંતે મૂકેલા અન્યવૃત્ત શ્લોકો સિવાય સમસ્ત કૃતિ કવિએ અનુષ્ટુપ વૃત્તમાં લખી છે. એમાં ગીતો પણ આવે છે.\n\t\t<br/><br/> \n\t\tકવિના સર્જનાત્મક સાહિત્યમાં કવિતા પછી આવે એમનાં ડોલનશૈલીમાં લખાયેલાં ચૌદ નાટકો. પાંખું વસ્તુ, મંથરગતિ કાર્ય અને ક્રિયાશીલ નહિ તેટલાં ઉદગારશીલ પાત્રો આ ભાવપ્રધાન અને કવિતાઈ નાટકોનાં મુખ્ય લક્ષણો છે. એ \n\t\tનાટકોમાં વસ્તુદૃષ્ટિએ ‘ઇન્દુકુમાર’-૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨), ‘પ્રેમકુંજ’ (૧૯૨૨), ‘ગોપિકા’ (૧૯૩૫), ‘પુણ્યકંથા’ (૧૯૩૭), ‘જગત્પ્રેરણા’ (૧૯૪૩), ‘અજિત અને અજિતા’ (૧૯૫૨), ‘અમરવેલ’ (૧૯૫૪) સામાજિક નાટકો છે; ‘જયા-જયન્ત’ \n\t\t(૧૯૧૪) કલિદ્વાપરની સંધ્યાનું કાલ્પનિક નાટક છે; ‘વિશ્વગીતા’ (૧૯૨૭) પૌરાણિક-પ્રાચીન-મધ્યકાલીન ભારતીય અને કાલ્પનિક વસ્તુવાળું નાટક છે; અને ‘રાજર્ષિ ભરત’ (૧૯૨૨), ‘જહાંગીર-નૂરજહાંન’ (૧૯૨૮), ‘શાહનશાહ અકબરશાહ’ \n\t\t(૧૯૩૦), ‘સંઘમિત્રા’ (૧૯૩૧) ‘શ્રીહર્ષદેવ’ (૧૯૫૨) ઐતિહાસિક નાટકો છે. ‘સંઘમિત્રા’ અને ‘શ્રીહર્ષદેવ’ સંસ્કૃત નાટ્યશૈલીમાં પ્રવેશ વિનાના સાત સાત અંકોનાં, વચમાં વૃત્તબદ્ધ શ્લોકોવાળાં નાટકો છે. ‘ગોપિકા’ માં પણ પ્રવેશો વિના પાંચ \n\t\tસળંગ અંકો છે. ન્હાનાલાલનો ભાવલોક કે કાવ્યલોક કહેવાય એવી આ નાટકોની સૃષ્ટિ સ્નેહ,લગ્ન,સેવા, સંયમ અને સમન્વયની પ્રિય ભાવનાઓના ઉદઘોષથી ગાજતી રહે છે. ‘વિશ્વગીતા’માં સ્થળ અને કાળની તો ઠીક પણ કાર્યની પણ \n\t\tએકતા છાંડી એકાંકીઓના સંગ્રહ જેવા બની બેઠેલા નાટકને ‘અદૃશ્ય ભાવએકાગ્રતા’નું નાટક બનાવવાનું અને ‘અમરવેલ’માં સિનેમા, નાટક અને સંગીતનો સમન્વય સાધ્યાનું કવિએ પ્રયોગસાહસ દેખાડયું છે. આમ, કવિતાની માફક \n\t\tનાટ્યલેખનમાં પણ આ કવિ પોતાની ચાલે જ ચાલ્યા છે, જેમ એમણે ‘ઉષા’ (૧૯૧૮) અને ‘સારથી’ (૧૯૩૯) એ ગદ્યકથાઓમાં પણ કર્યું છે. સામાજિક વાસ્તવની પૃષ્ઠભૂ સાથે સ્નેહ, સંવનન અને લગ્નની પ્રણયકથા બનેલી એ બેમાંની આગલી \n\t\tકૃતિને ગુજરાતીની પહેલી લઘુનવલ કહેવાય. એમાંની ગદ્યસૌરભે એને ગુજરાતની ‘કાદંબરી’ પણ કહેવડાવી છે. એનાથી બમણાકદની ‘સારથી’ છે. ‘આવડે તો બ્રિટન જગત્ ઇતિહાસનો મહારથી થાય અને ભારતખંડ જગત્-સારથી થાય’ \n\t\tએવા પોતાના રાજકીય દર્શનના સારની કવિએ સરજેલી આ નવલકથા પણ કવિનું એક વિશિષ્ટ સાહસ ગણાશે. જેને પોતે જ વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજઅણુઓ’, ‘અણુકિરણો’ અને ‘હીરાની કરચો’ કહી ઓળખાવી છે એવી \n\t\tવાર્તાદેહી ગદ્યરચનાઓનો સંગ્રહ ‘પાંખડીઓ’ (૧૯૩૦) પણ એમનું એવું જ બીજું સાહસ . પોતાની સર્જકતાની ‘વીજળીખાલી લેડન જાર’ને ‘પૂર્વાચાર્યોના મેઘાડંબરો’ની વીજળીથી પાછી પૂરવા અનુવાદનો આશરો લેતા કવિએ કરેલા બે \n\t\tપ્રેમવિષયક કાલિદાસ-કૃતિઓ ‘મેઘદૂત’ (૧૯૧૭) અને ‘શકુન્તલાનું સંભારણું’ (૧૯૨૬)ના અને ‘ભગવદગીતા’ (૧૯૧૦), ‘વૈષ્ણવી ષોડશ ગ્રંથો’ (૧૯૨૫), ‘શિક્ષાપત્રી’ (૧૯૩૧) અને ‘ઉપનિષત્ પંચક’ (૧૯૩૧) એ ચાર ધાર્મિક કૃતિઓના અનુવાદો \n\t\tએમના ‘પ્રેમભક્તિ’ કવિનામને પરોક્ષ રીતે સાર્થ ઠરાવે છે.\n\t\t<br/><br/> \n\t\tકવિના સર્જનેતર ગદ્યસાહિત્યમાં આત્મપરિચયાત્મક ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ (૧૯૨૭) અને તેમાં મળતી એમના કવિઘડતરની કથાની પૂર્વકથા જેવી થોડીક નાના ‘ન્હાના’ની કથા જેમાં આવી જાય છે તે ચાર પુસ્તકો (૧૯૩૩, ૧૯૩૪, \n\t\t૧૯૪૦, ૧૯૪૧)માં પ્રગટ થયેલ એમનું પિતૃચરિત્ર ‘કવિશ્વર દલપતરામ’ પ્રથમ ધ્યાન ખેંચે. દલપતરામનાં જીવન-કવન વિશેની યથોપલબ્ધ બધી વીગતભરપૂર પ્રમાણભૂત માહિતીની સાથે 19 માં શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક \n\t\tઇતિહાસ એમાં પૃષ્ઠભૂ તરીકે વિસ્તારથી આલેખાયો છે તે કવિના આ પિતૃચરિત્રનું દસ્તાવેજી ઇતિહાસમૂલ્ય વધારી આપે છે. ચરિત્રકાર ન્હાનાલાલ સાહિત્યવિવેચક પણ છે. એમનાં ‘સાહિત્યમંથન’ (૧૯૨૪), તેના નવા અવતારરૂપ ‘આપણાં \n\t\tસાક્ષરરત્નો-ભા. ૧-૨’ (૧૯૩૪, ૧૯૩૫) ‘જગતકાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન’ (૧૯૩૩) એ પુસ્તકો તથા કેટલાંક પોતાનાં ને બીજાનાં પુસ્તકોનાં એમનાં પૃથક્કરણ, સમગ્રદર્શન અને રસ-રહસ્યોદઘાટનથી મૂલવવાની સ્ટોફર્ડ બ્રૂક અને \n\t\tડાઉડન જેવાની પદ્ધતિને ઈષ્ટ માનનાર આ કવિનું, પાંડિત્ય કરતાં રસિકતાના ત્રાજવે સાહિત્યકૃતિને તોળનારું, સંસ્કારગ્રાહી સાહિત્યવિવેચન વસ્તુતઃ એમના લેખન-મનનની ઉપસિદ્ધિ કહેવાય. કવિતા ને કવિધર્મ વિશેના એમના નિશ્ચિત \n\t\tઅભિપ્રાયો અને ભાવનાઓનો તથા ‘કલાસિકલ’ અને ‘રોમેન્ટિક’ કલાશૈલીઓ પરત્વે એમના વલણનો પરિચય એમાંથી મળી રહે છે. ગુજરાતનાં ઘણાં અને મુંબઈ-કરાંચી જેવાં બહારનાં શહેરોમાં કવિએ આપેલાં વ્યાખ્યાનોમાંનાં ઘણાં \n\t\t‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ (૧૯૨૭), ‘ઉદબોધન’ (૧૯૨૭), ‘સંસારમંથન’ (૧૯૨૭), ‘સંબોધન’ (૧૯૩૦) ‘ગુરુદક્ષિણા’ (૧૯૩૫), ‘મણિમહોત્સવના સાહિત્યબોલ ૧-૨’ (૧૯૩૭) અને ‘મુંબઈમાંનો મહોત્સવ’ (૧૯૩૯)માં સંગ્રહિત થયાં છે. એમાં \n\t\tએમનાં ઇતિહાસ-રસ, ગુણદર્શી સમન્વયદૃષ્ટિ, સતેજ ધાર્મિકતા, લોકહિતચિન્તા, ભારતીય સંસ્કૃતિ અને ધર્મે પુરસ્કાયેલાં ચિરંતન જીવનમૂલ્યો પરની આસ્થા, અભ્યાસશીલતા અને ભાવનાશીલતા છે. એમાંનું સાંભળવે મીઠું લાગતું ગદ્ય પણ \n\t\tએની એક વિશિષ્ટતા. અભ્યાસપૂર્ણ લેખોરૂપે પ્રથમ તૈયાર કરાઈ વંચાયેલાં આ વ્યાખ્યાનો ગૃહજીવન, શિક્ષણ, સમાજપ્રશ્નો, સાહિત્ય, ધર્મ, કલા-એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રોને સ્પર્શી વળતાં હોઈ કવિને એક સ્વસ્થ અભ્યાસી વિચારક \n\t\tતરીકે રજૂ કરે છે. વ્યવહારુ ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણો, ‘સાદી કસરતના દસ દાવ’ અને ‘ગુજરાતની ભૂગોળ’ જેવાં નાનાં શિક્ષણોપયોગી પુસ્તકો પણ એક શિક્ષકની દૃષ્ટિ-વૃત્તિથી એમણે લખ્યાં હતાં, જેમાંનું છેલ્લું વિશિષ્ટ કહેવાય. \n\t\t<p align=\"right\">-અનંતરાય રાવળ</p>\n<br/><br/> \n\t\tકેટલાંક કાવ્યો- ભા.૧, ૨, ૩, (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫): કવિ ન્હાનાલાલના કાવ્યસંગ્રહો. ભાગ ૧ ન્હાનાલાલને કાવ્યપ્રતિષ્ઠા અપાવનાર એમનો ટૂંકાં ઊર્મિકાવ્યોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. નરસિંહરાવ, કાન્ત, બળવંતરાય જેવા \n\t\tપુરોગામીઓની ઓછીવત્તી અસર, પાંચેક અંગ્રેજી રચનાઓનાં ભાષાન્તરો અને વધુ પડતો અર્થાડંબર છતાં ન્હાનાલાલની પોતીકી અભિવ્યક્તિ અને ઉત્પાદન પરત્વેની સર્જક તરીકેની સગજતા નોંધપાત્ર છે. અહીં છંદોના ગુણાકાર-ભાગાકાર \n\t\tઅને સરવાળા-બાદબાકી દ્વારા પદ્યવૈવિધ્ય છે, અલંકારપ્રચુર અને વિશિષ્ટ લયયુક્ત આગવું ડોલનશૈલીનું મહાત્મ્ય છે, જૂના લોકઢાળોનાં નવાં રૂપાંતરો છે અને સીધા ગદ્યનો ઉપયોગ પણ છે. સ્વાનુભવ કેન્દ્રી આ સંસ્થાઓ અંગતજીવન, \n\t\tપ્રેમ, પ્રકૃતિ, પ્રભુભક્તિ અને ચિંતનને સ્પર્શે છે. ‘મણિમયસેંથી’ અને ‘શ્રાવણી મધ્યાહ્નન’ રચનાઓ છે. બીજા ભાગમાં ન્હાનાલાલની પ્રતિભાના મહત્વના ઉન્મેષો સંઘરાયેલા છે. આત્મલક્ષી કાવ્યોની સંખ્યા અહીં ઘટી છે અને બૃહદ્ \n\t\tમાનવસંવેદનોને સ્પર્શતી રચનાઓ શ્રુતિરમ્ય વ્યંજન-સંકલના દ્વારા નાદમાધુર્યનો અનુભવ કરાવે છે. ગુજરાત, હિન્દ અને દુનિયામાં અંકુરતી નવચેતનાને કવિતામાં ઉતારવાની અને પાંડિત્યશૈલીને નરમ પાડવાની કવિની નેમ છે. \n\t\t‘નયણાંની ધાર’, ‘ઝીણા ઝીણા મેહ’, ‘હરિનાં દર્શન’ જેવાં ઉત્તમ ગીતો, ‘યૌવના’ અને ‘સૌભાગ્યવતી’ જેવા ડોલનશૈલીના વિશિષ્ટ પ્રયોગો, ‘ગિરનારને ચરણે’ જેવું રમ્ય વસંતતિલકાનો આવિષ્કાર કરતું છંદોબદ્ધ કાવ્ય વગેરે અહીં આકર્ષણો \n\t\tછે. ત્રીજા ભાગમાં નહિ લાંબી નહિ ટૂંકી એવી ચાર કાવ્યરચનાઓ સમાવિષ્ટ છે: ‘મ્હારો મોર’, ‘બ્રહ્મજન્મ’, ‘પારેવડાં’, ‘સંસ્કૃતિનું પુષ્પ’. ન્હાનાલાલની વિલક્ષણતા સિવાયનો બીજો કોઈ વિશેષ ભાગ્યે જ આ રચનાઓમાં જોઈ શકાય છે.\n\t\t<br/><br/> \n\t\tન્હાના ન્હાના રાસ-ભાગ.૧, ૨, ૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭) : ન્હાનાલાલના રાસસંગ્રહો, સંગીતરસિક સન્નારીઓને સગવડ થાય એ વિચારથી પૂર્વે લખાયેલા કે અન્ય કોઈ લાંબા કાવ્યના અંગભૂત થયેલા રાસ અહીં સમાવવામાં આવ્યાં છે. \n\t\tગરબી, ગરબા અને રાસડા એમ સંગીતનાં ત્રણે અંગની ગૂંથણી એમાં વર્તાય છે. લોકગીતોને કવિએ કેટલેક અંશે શિષ્ટ સાહિત્યનું સ્વરૂપ આપેલું છે. લય, અલંકાર, શબ્દચયન અને ભાવનિરૂપણની દૃષ્ટિએ ગુજરાતી ભાષાની વાણીસમૃદ્ધિ આ \n\t\tરાસસંગ્રહોમાં ઊતરી આવેલી છે. ‘વિદાય’, ‘ફૂલડાં કટોરી’, ‘પૂછશો મા’, ‘પારકાં કેમ કીધાં’, ‘મહિડાં’ વગેરે એનાં દ્યોતક ઉદાહરણો છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tઇન્દુકુમાર (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨): ન્હાનાલાલનું ત્રણ અંકમાં પ્રકાશિત આ ભાવનાપ્રધાન સામાજિક નાટકકાવ્ય પાંત્રીસેક વર્ષના લાંબા ગાળા દરમિયાન લખાયેલું છે. નાટકકારની કેફિયત એવી છે કે આ નાટક દૃશ્ય નહીં પણ શ્રાવ્ય છે; \n\t\tગ્રીસની પ્રશિષ્ટ પદ્ધતિનું નહીં પણ રોમેન્ટિક પદ્ધતિનું છે; શેક્સપિયરની નહીં પણ શેલીની શૈલીનું છે. પ્રેમ અને દેશસેવાનો આદર્શ રજૂ કરતું તેમ જ લગ્નસ્નેહનો મહિમા કરતું આ નાટક ડોલનશૈલીમાં રચાયેલું છે. વચ્ચે વચ્ચે ગીતો મુકાયાં \n\t\tછે. નાટકમાં ક્રિયાશીલતાનો અભાવ છે. આકર્ષક સૂત્રોને સહારે પાત્રો એક પરિમાણમાં ફર્યા કરતાં હોય એવું લાગે છે. નાટકનો બંધ એકંદરે શિથિલ છે અને રોમેન્ટિક માનસનું આરોપણ પાત્રો, પ્રસંગો અને ભાષા પર થયા કરતું અનુભવાય \n\t\tછે. આમ છતાં નાટક નિઃશંકપણે ન્હાનાલાલની પ્રતિભાની વિલક્ષણતાનું પરિણામ છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tવસંતોત્સવ (૧૮૯૮): ન્હાનાલાલનું ડોલનશૈલીમાં રચાયેલું પ્રથમ પરલક્ષી પ્રસંગકાવ્ય. ખંડકાવ્ય, અને ગોપકાવ્ય-એ સંજ્ઞાઓથી પણ એને ઓળખવામાં આવ્યું છે. વાસંતી પૂર્ણિમાના દિવસે કુંજવાટિકામાં ફૂલ વીણવાની અને ચંદ્રદર્શનની \n\t\tઘટનાઓ દ્વારા કવિએ રમણ-સુભગા તથા સૌભાગ્ય વિલસુ એ યુવાન પ્રણયી યુગ્મોના પ્રણયોલ્લાસનું એમાં આલેખન કર્યું છે. કાવ્યસ્વરૂપની નિબઁધતા, ભાવની મસ્તી, વસંતમયની ગુજરાતની તળપ્રકૃતિનો પરિવેશ તથા પૂર્વ-પશ્ચિમના \n\t\tસમન્વયમાંથી જન્મેલી કવિની સ્નેહલગ્નની ભાવનાનો પયગંબરી અદાથી થતો ઉદઘોષ -એ સહુમાં કવિની રોમેન્ટિક પ્રકૃતિ પ્રગટ થાય છે. કેટલાંક મનોહરણ ઉપમાચિત્રોથી આસ્વાદ્ય બનવા છતાં અલંકારોના અતિરેક અને ભાષાના \n\t\tઆડંબરથી કાવ્યનું કથયિતવ્ય પાંખું પડે છે તેમ જ કથન-વર્ણનનું ઉચિત સંયોજન કરવામાં કવિની મર્યાદા પણ અનુભવાય છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\tકુરુક્ષેત્ર (૧૯૨૬-૪૦): બાર કાંડ અને ઉપોદધાતરૂપ ‘સમન્તપંચક’ તથા ‘મહાપ્રસ્થાન’ ના ઉપસંહારકાવ્ય સાથે મળીને ચૌદ પુસ્તિકાઓમાં ચૌદ વર્ષના ગાળામાં પ્રગટ થયેલું કવિ ન્હાનાલાલનું ડોલનશૈલીમાં લખાયેલું, મહાભારતના યુદ્ધને \n\t\tવિષય બનાવતું મહાકાવ્ય. કૃષ્ણના હાથમાંથી બંસી છોડાવી બહેન સુભદ્રા પાંચજન્ય શંખ મૂકી તેમને સુંદર મટી ભવ્ય બનવા પ્રેરતી હોય એવી, પ્રથમ કાંડ ‘યુગપલટો’ની કવિકલ્પના મોહક છે. બીજા-ત્રીજા કાંડમાં કૃષ્ણાવિષ્ટિ અને \n\t\tયુદ્ધનિર્ધારના પ્રસંગ પતાવી, ચારથી દશ કાંડોમાં કુરુક્ષેત્રનું યુદ્ધ નિરૂપી, કવિએ અગિયારમો કાંડ ભીષ્મે શરશય્યા પરથી યુધિષ્ઠિરને આપેલા રાજધર્મના ઉપદેશમાં રોકયો છે. બારમો કાંડ ‘મહાસુદર્શન’ પ્રથમ કાંડ જેવી કવિની મૌલિકતાનું \n\t\tહૃદયસંતર્પક દર્શન કરાવે છે. યુદ્ધાન્તે હૃદયમાં ઉભરાયેલા વિષાદ અને પશ્ચાત્તાપમાંથી પાંડવોને બહાર કાઢવા, સંહાર પણ સર્જન જેવી પરમાત્માની કલ્યાણકારી વિશ્વલીલા જ છે-એમ કહી, વ્યાસ એમને પોતાના તપોબળથી વિરાટના \n\t\tમહાસુદર્શનચક્રનું જે દર્શન કરાવી એમને સમાધાનની શાતા અર્પે છે તેમાં કવિની કલ્પનાને એમનું ચિત્રસર્જક કવિત્વ તથા વાકપ્રભુત્વ પૂરો તાલ આપે છે. ‘મહાપ્રસ્થાન’ કૃતિનું સમુચિત સમાપન કરી કાવ્યમાંના વિવિધ રસોની શાન્તરસમાં \n\t\tવિલુપ્તિ સાધી આપે છે. વસ્તુ મહાભારતનું, પણ નિરૂપણ ને કવિતા પોતાનાં-એ સ્વતંત્ર એવો કવિસંકલ્પ બધા કાંડોને સમગ્રપણે અવલોકતાં સફળતાપૂર્વક પળાયો છે, એ અંદરના કેટલાય પ્રસંગોનાં વર્ણનો તથા મહાકાવ્યોચિત હોમરી \n\t\tઉપમાચિત્રોથી તેમ જ કવિએ પોતાનાં નાટકો તથા કથાકાવ્યોની પેઠે આ કૃતિમાં પણ મૂકેલાં પ્રસંગલક્ષી અને ભાવદ્યોતક ગીતોથી પ્રતીત થાય છે. ‘પાર્થને કહો ચઢાવે બાણ’, ‘હરિ ત્હારે યુગ ઉછળે નયનમાં’, પેલા સુદર્શનચક્રના દાંતે દાંતે \n\t\tબેઠેલી જોગણીઓનું ગીત ‘હરિની રમણાએ અમે નીસર્યાં રે લોલ’ અને એ જ રહસ્ય બીજી ભાષામાં ઉદગારતું કવિનું સમાપ્તિગીત ‘નભકુળ ફુદડી ફરે રે લોલ’ મહાકાવ્યનાં, તેના રચયિતાનાં, તેટલાં અર્વાચીન ગુજરાતી કવિતાનાં પણ પ્રથમ \n\t\tપંક્તિનાં ઊર્મિકાવ્યો છે. સમર્થ કવિની પ્રતિભાનો સંસ્પર્શ અનેક સ્થળે હોવા છતાં અહીં વાગ્મિતાનો અતિરેક, શૈલીદાસ્ય, નિવાર્ય પુનરુકિતઓ, વસ્તુવિધાનમાં ક્યારેય વસ્તાતી અસંગતિ તેમ જ મહાભારતીય પાત્રોના નિરૂપણમાં ક્યારેક \n\t\tપ્રવેશી ગયેલી પ્રાકૃતતા જોવાય છે.\n\t\t<p align=\"right\">-અનંતરાય રાવળ</p>\n<br/><br/> \n\t\tહરિસંહિતા (૧૯૫૯-૧૯૬૦) : પોતાની ‘કાવ્યયાત્રાનું મહાતીર્થ’ તરીકે, ખુદ એના સર્જક કવિ ન્હાનાલાલ વડે ઓળખાયેલી, ‘ભાગવત’ના જેવડી બનાવવા ધારેલી પણ અધૂરી રહેલી, ત્રણ મોટા ગ્રંથો રૂપે કવિના મૃત્યુ પછી પ્રગટ થયેલી \n\t\tએમની ‘કુરુક્ષેત્ર’થી ઘણા મોટા કદની મહત્વાકાંક્ષી કૃતિ. દ્વારકાધીશ શ્રીકૃષ્ણ ‘સુંદરમટી ભવ્ય થયા’ એ સિદ્ધ કરવા, ‘કુરુક્ષેત્ર’ મહાકાવ્ય પછી તેનાથીય ચડિયાતું ‘વિરાટકાવ્ય’ કે પુરાણકાવ્ય ગુજરાતને આપી જવાના કવિના અભિલાષાનું અને \n\t\tતેને મૂર્ત કરવાના એમના સર્જનપુરુષાર્થનું ફળ તે આ કૃતિ. નિર્ધાયેલાં બારમાંથી આઠ મંડળ જ કવિ પૂરાં કરી શકેલા, જે અહીં મુદ્રણ પામ્યાં છે. મહાભારત યુદ્ધ વેળા ચોર્યાશી વર્ષના શ્રીકૃષ્ણ ત્યારબાદ સોળ વર્ષ પછી સો વર્ષના થયા ત્યારે \n\t\tઉજવાયેલા તેમના શતાબ્દી મહોત્સવ પછી તેમણે અર્જુન-સુભદ્રા તથા યાદવપરિવારને સાથે લઈ મોટો સંઘ કાઢી સદ્ધર્મ-સંસ્થાપનાર્થે સોળ વર્ષે પૂરી થયેલી ભારતયાત્રા કરી એવી કલ્પના ચલાવી, હરિવરની એ ધર્મયાત્રા કવિએ આ \n\t\tકૃતિમાં વિસ્તારથી વર્ણવી છે. દ્વારિકાથી સૌરાષ્ટ્ર વટાવી નર્મદા, વિંધ્યાચળ, ગોદાવરી, મલયપ્રદેશ, કેરળ, કન્યાકુમારી, રામેશ્વર, ઉત્કલ, કામરૂપ, મિથિલા, હિમાલય, કાશી, અયોધ્યા, હસ્તિનાપુર, વ્રજ, આરાવલી અને શ્રીમાળ થઈ ત્યાંથી \n\t\tસૌરાષ્ટ્રના અત્યારના દ્રીપકલ્પની ઉત્તરની સાગરપટ્ટીના જળમાર્ગે પાછા દ્વારિકા-એવો એ યાત્રાનો ક્રમ કવિએ પોતાના ભૂગોળજ્ઞાનની મદદથી એમાં ગોઠવ્યો છે. કૃતિનાં પ્રસંગો અને પાત્રાલેખન કરતાં સાગરઝાડીઓ, નર્મદા, વિંધ્યવન, \n\t\tદંડકારણ્ય, હિમાલય વગેરેનાં વર્ણનો એમાંનાં શબ્દવૈભવ ને કાવ્યત્વને લીધે આકર્ષક અનુભવાય છે. પાત્રોમાં શ્રીકૃષ્ણ, અર્જુન, રુકિમણી, સુભદ્રા, વ્રજબાળા અને નારદજી વિશેષ ધ્યાન ખેંચે છે. બહુધા શ્રીકૃષ્ણને મુખેથી અને ક્યારેક \n\t\tવ્રજબાળા તથા નારદ જેવાં ભક્તો અને તીર્થસ્થળોએ મળતા ઋષિ-તપસ્વીઓને મુખેથી થતી જ્ઞાનભક્તિવર્ધક ધર્મવાર્તાઓ આખા પ્રવાસ દરમિયાન થતી રહે છે. હિમાલયમાં શ્રીકૃષ્ણમુખે નવ ઉષાસ્તોત્રો અને ચંદ્ર-ગાયત્રી ઉચ્ચારાવ્યાં છે. \n\t\tકવિની બધી પ્રિય ભાવનાઓ કૃતિમાં ઠીકઠીક હદે પુનરુચ્ચારણ પામી છે. બધાં મંડળો, અધ્યાયોના આદિ અને અંતમા મૂકેલા અન્ય વૃત્તોના શ્લોકો સિવાય પ્રવાહી અનુષ્ટુપમાં રચાયાં છે. અંદર મુકાયેલાં નવ ઉપનિષદોમાં ઉપનિષદોના જેવું ગદ્ય, તો શ્રીકૃષ્ણનાં \n\t\tઉષાસ્તોત્રો તથા હિમાલયની શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપની સ્તુતિમાં આર્ષ જેવી છંદરચના પ્રયોજાયાં છે. બધાં થઈને સો ઉપરાંત ગીતો પણ કૃતિમાં જુદા જુદા સંદર્ભે મુકાયાં છે. સમગ્રપણે ઊપસતી આ સર્જકની છાપ મહાકાવ્યના કવિ કરતાં ભક્તકવિની વિશેષ છે. \n\t\t<p align=\"right\">-અનંતરાય રાવળ</p>\n<br/><br/> \n\t\tજયા-જયંત (૧૯૧૪) : ન્હાનાલાલનું ત્રણ અંક અને વીસ પ્રવેશોમાં પથરાયેલું, એમનાં અન્ય નાટકોની જેમ ડોલનશૈલી અને ગીતોમાં રચાયેલું આ નાટક એમાં નિરૂપાયેલી આત્મલગ્નની ભાવનાને લીધે સાહિત્યિક વર્ગમાં વિશેષ જાણીતું બન્યું છે. વિજાતીય \n\t\tઆકષર્ણમાંથી બંધાતા સ્ત્રી-પુરુષ-સંબંધના ત્રણ ઉચ્ચાવચ સોપાન આલેખી કવિએ નાટકની કથાનું સંકલન કર્યું છે. એ સોપાનનું સૌથી ઊંચું પગથિયું જયા અને જયંત વચ્ચેના આત્મલગ્નનું છે. દેહની કોઈ વાસના વગરનો, કવિનો આ આત્મલગ્નનો ખ્યાલ \n\t\tવાસ્તવિક ને મૂર્ત બની શકે એમ કોઈને લાગ્યું નથી. કાશીરાજશેવતીના અર્ધગાન્ધર્વ રાજવી લગ્નસંબંધની તથા નૃત્યદાસીવામાચાર્યના કામવાસનાયુક્ત દેહસંબંધની કથા દ્વારા કવિએ સ્ત્રી-પુરુષ-સંબંધનાં અન્ય બે ઊતરતાં સોપાન બતાવ્યાં છે \n\t\t<br/><br/> \n\t\tદ્રશ્ય નાટકને અનુકૂળ બનાવવાની નેમ છતાં અને કવિનાં અન્ય નાટકોને મુકાબલે વિશેષ સંઘર્ષયુક્ત અને સુગ્રથિત હોવા છતાં વિવિધ પ્રકારની અસંગતિઓથી તેમ જ પરિસ્થિતિને નાટ્યાત્મક અભિવ્યક્તિ ન આપી શકવાની કવિની \n\t\tમર્યાદાને લીધે આ નાટક ઝાઝી રંગભૂમિક્ષમતા ધરાવતું નથી. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\tશાહાનશાહ અકબરશાહ (૧૯૩૦) : ન્હાનાલાલનું ડોલનશૈલીનું નાટક. ત્રણ અંક અને એકવીસ પ્રવેશોમાં વહેંચાયેલું આ નાટક શેક્સપિયરની નહિં, ફાઉસ્ટની શૈલીને અનુસરે છે. મોગલ બાદશાહ અકબહશાહના પ્રારબ્ધ અને પુરુષાર્થથી \n\t\tભરેલા ઇતિહાસને ઐતિહાસિક અભ્યાસસામગ્રીને આધારે નાટ્યરૂપ આપવાનો અહીં સંકલ્પ છે. એમાં ક્રિયાને સ્થાને વર્ણનો પર તથા પાત્રોના વિકાસને સ્થાને પાત્રોની વિચારધારાઓ પર ધ્યાન વધુ કેંન્દ્રિત છે. કોમોનો, સાહિત્યોનો, \n\t\tકલાઓનો, ધર્મોનો અને સંસ્કૃતિઓનો સમન્વય કરવા અંગેનો અકબરનો મનોરથ નાટકના કેન્દ્રમાં છે. ‘એકલવાયો બાદશાહ’- પ્રવેશ અત્યંત પ્રભાવક છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tઆપણાં સાક્ષરરત્નો-૧-૨ (૧૯૩૪-૩૫): પ્રથમ ૧૯૨૪માં છપાયેલ ગ્રંથ ‘સાહિત્યમંથન’માંથી થોડું કાઢી બીજું ઉમેરી તેનાં કવિ ન્હાનાલાલે બનાવેલાં બે પુસ્તક. “પૂર્વાચાર્યોનાં, સમકાલીનોનાં અને ન્હાનેરાઓનાં ગુણપ્રવચનો આ ગ્રંથોમાં છે. \n\t\tજુવાનોનો બિરદાવ્યા છે, સમોવડિયાને વંદ્યા છે, વૃદ્ધોને પૂજયા છે.”- એ કવિના શબ્દોને બંને પુસ્તકોમાંની સામગ્રી આમ તો એકંદરે સાચા ઠરાવે છે; પણ પૂર્વજો અને અનુગામીઓ પ્રત્યે કવિ જેટલા ઉદાર જણાય છે તેટલા ઉદાર સમકાલીનો \n\t\tપરત્વે દેખાતા નથી એવી છાપ એમણે નરસિંહરાવ, રમણભાઈ અને બળવંતરાય ઠાકોર પરત્વે બે-એક વ્યાખ્યાન-લેખોમાં કાઢેલા ઉદગાર પરથી પડે છે. મધ્યકાલીનોમાં મીરાં, પ્રેમાનંદે તેમ જ દયારામ અને અર્વાચીનોમાં દલપતરામ, \n\t\tનર્મદાશંકર, નવલરામ, ગોવર્ધનરામ, કાન્ત, ત્રિભુવન પ્રેમશંકર તેમ જ લલિત અહીં કવિ પાસેથી એમની લાક્ષણિક વાણીમાં જે કદર-બૂઝ પામ્યા છે તેમાં ન્હાનાલાલની સહૃદયતા અને આવશ્યક અભ્યાસશીલતાનાં દર્શન થાય છે. મિત્રો \n\t\tઅમૃતલાલ પઢિયાર અને કાન્ત તેમ જ નૃરસિંહ વિભાકર વિશેનાં વ્યાખ્યાનોમાં તે તે વ્યક્તિઓના વ્યક્તિત્વને પણ દલપતરામ અને નર્મદ પરનાં વ્યાખ્યાનોની જેમ કવિએ સારી અંજલિ આપી છે. ત્રિભુવન કવિના ‘કલાપીનો વિરહ’ની \n\t\tઅને ‘લલિત’ના બે કાવ્યસંગ્રહોની કવિએ લખેલી પ્રસ્તાવનાઓ તે બેઉ કવિઓની, વિશિષ્ટતાઓ સાથે તેમની મર્યાદાઓ પણ નિર્દેશી આપતા, સદભાવપૂર્ણ છતાં સ્વસ્થ અને સમતોલ સાહિત્યમૂલ્યાંકનના સારા નમૂના છે. સારો નમૂનો નથી \n\t\tએક ‘ફૂલપાંદડી’ (પૃથુ શુક્લ રચિત)નો પ્રવેશક, જેમાં એક આશાસ્પદ નવીનની પીઠ થાબડવા જતાં સ્વસ્થતા અને સમતુલા ઠીક પ્રમાણમાં ચુકાઈ ગયેલી છે.\n\t\t<p align=\"right\">-અનંતરાય રાવળ</p>\n<br/><br/> \n\t\tઅર્ધશતાબ્દીના અનુભવબોલઃ (૧૯૨૭): ૧૯૨૭માં ઉજવાયેલી પોતાની સુવર્ણજયંતી વેળા કવિ ન્હાનાલાલે પાંચ શહેરોમાં પોતે વાળેલા સન્માન-પ્રત્યુત્તરનાં વ્યાખ્યાનોનો સંગ્રહ ‘એક ગુર્જરાત્માની ઘડતરકથા’ નામક મુંબઈનું વ્યાખ્યાન \n\t\tબધાંમાં એ રીતે મહત્વનું ગણાય કે તેમાં કવિએ પોતાને ઘડનારાં પુસ્તકો અને વ્યક્તિઓ વિષે તેમ જ પોતાને વિષે એમના ચરિત્રલેખકને ઉપયોગી નીવડે એવી વાત કરી છે. વડોદરાના ભાષણમાં પ્રેમાનંદ અને દયારામને, નડિયાદનામાં \n\t\tત્યાંના સાહિત્યકારોને અને સૂરતનામાં નર્મદને અને સાથે પડ।છામાં દલપતરામને સ્મરણાંજલિ આપ્યા વિના કવિ રહ્યા નથી. અમદાવાદ-સૂરતનાં ભાષણોમાં એ બંને શહેરોની બધી ઐતિહાસિક-સાંસ્કૃતિક વિશિષ્ટતાઓની અને નડિયાદના \n\t\tભાષણમાં ચરોતરની પ્રકૃતિશ્રીની નોંધ એમણે લીધી છે. કવિત્વ, ઈતિહાસ-રસ, ગુજરાત-પ્રેમ અને અભ્યાસીપણાનો પરિચય પાંચે ભાષણો આપી રહે છે. પોતાના સાહિત્યસર્જનને જગતના સાહિત્યના મુકાબલામાં મૂલવવાની અને ભારતીય \n\t\tઈતિહાસ તથા ભારતીય કવિતા જીવી જાણવાની મુંબઈના ભાષણમાં કવિએ સાહિત્યસર્જકોને આપેલી શીખ અને કવિતાનાં મૂળ ચિત્ત-ક્ષોભમાં નહીં, પણ ચિત્ત-પ્રસન્નતામાં છે એવી પોતાની કાવ્યવિભાવનાની વડોદરાના ભાષણમાં આપેલી સમજ ધ્યાન ખેંચે છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમભક્તિ’ \t\t(૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬): કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ \t\tત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ’. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં \t\tએમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩ નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય \t\tવિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ.થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને \t\tએમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્વજ્ઞાનના \t\tયુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદ્રષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા. \t\t \t \t\tએમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપકઃ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને \t\tનાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ \t\tઅને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાન બનાવ્યું. \t\tત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન. \t\t \t\tસાહિત્યસર્જક તરીકે કવિનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન ઉર્મિકાવ્યો છે. એવી એમની કવિતામાં ‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’-ભા.૧-૨-૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭), ‘ગીતમંજરી’-૧-૨ (૧૯૨૮, ૧૯૫૬), \t\t‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘દાંપત્યસ્તોત્રો’ (૧૯૩૧), ‘બાળકાવ્યો’ (૧૯૩૧), ‘મહેરામણનાં મોતી’ (૧૯૩૯), ‘સોહાગણ’ (૧૯૪૦), ‘પાનેતર’ (૧૯૪૧) તેમ જ \t\t‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ (૧૯૪૩) નો સમાવેશ થાય છે. બાળકાવ્યો, હાલરડાં, લગ્નગીતો, રાસ-ગરબા, ભજનો, અર્ધ્ય-અંજલિ-કાવ્યો, ગોપકાવ્ય, કરુણપ્રશસ્તિ, પ્રાસંગિક કાવ્યો, કથાગીતો-એમ પ્રકારદૃષ્ટિએ સારું વૈવિધ્ય એમાં છે. \t\tઆરંભકાળમાં આત્મલક્ષી બનતી પણ થોડા જ સમયમાં પરલક્ષિતા તરફ ગતિ કરતી આ કવિની કવિતાના મુખ્ય કવનવિષય પ્રકૃતિસૌંદર્ય, પ્રણય અને પ્રભુ છે. અક્ષરમેળ-માત્રામેળ છંદો, પરંપરાપ્રાપ્ત લયમેળ રચનાના ઢાળો અને \t\tગઝલ-કવ્વાલીના યથેચ્છ વિનિયોગ સાથે પદ્યમુક્ત ડોલનશૈલી પણ એનું વાહન બનેલ છે. છંદને નહિ પણ ભાવના અને તેને અનુવર્તતા વાણીના ડોલન એટલે લયને કવિતાને માટે આવશ્યક માનતી કવિની સમજે એ શૈલી પ્રથમ \t\t‘ઇન્દુકુમાર’ નાટક માટે પણ પછી કવિતા માટે પણ પ્રયોજી છે. કેટલાંક ચિત્રકાવ્યો, ‘વસંતોત્સવ’ (૧૯૯૮, ૧૯૦૫), ‘ઓજ અને અગર’ (૧૯૧૩) અને ‘દ્વારિકાપ્રલય’ (૧૯૪૪) જેવાં કથાકાવ્યો તેમ જ ‘કુરુક્ષેત્ર’ (૧૯૨૬-૪૦) જેવું મહાકાવ્ય \t\tડોલનશૈલીમાં લખાયાં છે. જોકે એવી દીર્ધકથાત્મક રચનાઓમાં પણ ગીતો કવિએ મૂકયાં છે. એ મૂક્યા વગર આ ઊર્મિકાવ્યના કવિથી રહી શકાય એમ હતું નહિ. કથાત્મક કવિતામાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ કવિના ‘પ્રેમ-ભક્તિ’ \t\tઉપનામના પ્રેમ-પાસાનું સર્જન છે, તો ‘હરિદર્શન’ અને ‘વેણુવિહાર’ (૧૯૪૨) એ પ્રસંગવર્ણનની આત્મલક્ષી કાવ્યરચનાઓ ભક્તિ-પાસાની નીપજ છે. ‘દ્વારિકાપ્રલય’ અને બારકાંડનું ‘કુરુક્ષેત્ર’ એ પૌરાણિક વસ્તુ પરની દીર્ઘ રચનાઓ મહાકાવ્ય \t\tલખવાની મહત્વાકાંક્ષાથી પ્રેરાયેલી કૃતિઓ છે. જેમાંના મહાકાવ્યોચિત ઉપમાચિત્રો અને કવિનું વર્ણનકૌશલ ધ્યાન ખેંચે છે. તેમનું મરણોત્તર પુરાણકલ્પ પ્રકાશન બનેલ ‘હરિસંહિતા (ત્રણ ભાગમાં, ૧૯૫૯-૬૦) એમની સૌથી વિપુલકાય કૃતિ \t\tહોવા છતાં નિર્ધારેલાં બાર મંડળમાંથી આઠ જેટલાં જ હોઈ અપૂર્ણ રહી છે. શ્રીકૃષ્ણે પોતાના શતાબ્દી મહોત્સવ પછી અર્જુન-સુભદ્રા અને યાદવપરિવાર સાથે મોટો સંઘ કાઢી સોળ વર્ષ ચાલેલી ભારતયાત્રા સદ્ધર્મ-સંસ્થાપનાર્થે કરી, એવું એનું \t\tવસ્તુ કલ્પિત છે. મંડળોના અધ્યાયોના આરંભે ને અંતે મૂકેલા અન્યવૃત્ત શ્લોકો સિવાય સમસ્ત કૃતિ કવિએ અનુષ્ટુપ વૃત્તમાં લખી છે. એમાં ગીતો પણ આવે છે. \t\t \t\tકવિના સર્જનાત્મક સાહિત્યમાં કવિતા પછી આવે એમનાં ડોલનશૈલીમાં લખાયેલાં ચૌદ નાટકો. પાંખું વસ્તુ, મંથરગતિ કાર્ય અને ક્રિયાશીલ નહિ તેટલાં ઉદગારશીલ પાત્રો આ ભાવપ્રધાન અને કવિતાઈ નાટકોનાં મુખ્ય લક્ષણો છે. એ \t\tનાટકોમાં વસ્તુદૃષ્ટિએ ‘ઇન્દુકુમાર’-૧-૨-૩ (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨), ‘પ્રેમકુંજ’ (૧૯૨૨), ‘ગોપિકા’ (૧૯૩૫), ‘પુણ્યકંથા’ (૧૯૩૭), ‘જગત્પ્રેરણા’ (૧૯૪૩), ‘અજિત અને અજિતા’ (૧૯૫૨), ‘અમરવેલ’ (૧૯૫૪) સામાજિક નાટકો છે; ‘જયા-જયન્ત’ \t\t(૧૯૧૪) કલિદ્વાપરની સંધ્યાનું કાલ્પનિક નાટક છે; ‘વિશ્વગીતા’ (૧૯૨૭) પૌરાણિક-પ્રાચીન-મધ્યકાલીન ભારતીય અને કાલ્પનિક વસ્તુવાળું નાટક છે; અને ‘રાજર્ષિ ભરત’ (૧૯૨૨), ‘જહાંગીર-નૂરજહાંન’ (૧૯૨૮), ‘શાહનશાહ અકબરશાહ’ \t\t(૧૯૩૦), ‘સંઘમિત્રા’ (૧૯૩૧) ‘શ્રીહર્ષદેવ’ (૧૯૫૨) ઐતિહાસિક નાટકો છે. ‘સંઘમિત્રા’ અને ‘શ્રીહર્ષદેવ’ સંસ્કૃત નાટ્યશૈલીમાં પ્રવેશ વિનાના સાત સાત અંકોનાં, વચમાં વૃત્તબદ્ધ શ્લોકોવાળાં નાટકો છે. ‘ગોપિકા’ માં પણ પ્રવેશો વિના પાંચ \t\tસળંગ અંકો છે. ન્હાનાલાલનો ભાવલોક કે કાવ્યલોક કહેવાય એવી આ નાટકોની સૃષ્ટિ સ્નેહ,લગ્ન,સેવા, સંયમ અને સમન્વયની પ્રિય ભાવનાઓના ઉદઘોષથી ગાજતી રહે છે. ‘વિશ્વગીતા’માં સ્થળ અને કાળની તો ઠીક પણ કાર્યની પણ \t\tએકતા છાંડી એકાંકીઓના સંગ્રહ જેવા બની બેઠેલા નાટકને ‘અદૃશ્ય ભાવએકાગ્રતા’નું નાટક બનાવવાનું અને ‘અમરવેલ’માં સિનેમા, નાટક અને સંગીતનો સમન્વય સાધ્યાનું કવિએ પ્રયોગસાહસ દેખાડયું છે. આમ, કવિતાની માફક \t\tનાટ્યલેખનમાં પણ આ કવિ પોતાની ચાલે જ ચાલ્યા છે, જેમ એમણે ‘ઉષા’ (૧૯૧૮) અને ‘સારથી’ (૧૯૩૯) એ ગદ્યકથાઓમાં પણ કર્યું છે. સામાજિક વાસ્તવની પૃષ્ઠભૂ સાથે સ્નેહ, સંવનન અને લગ્નની પ્રણયકથા બનેલી એ બેમાંની આગલી \t\tકૃતિને ગુજરાતીની પહેલી લઘુનવલ કહેવાય. એમાંની ગદ્યસૌરભે એને ગુજરાતની ‘કાદંબરી’ પણ કહેવડાવી છે. એનાથી બમણાકદની ‘સારથી’ છે. ‘આવડે તો બ્રિટન જગત્ ઇતિહાસનો મહારથી થાય અને ભારતખંડ જગત્-સારથી થાય’ \t\tએવા પોતાના રાજકીય દર્શનના સારની કવિએ સરજેલી આ નવલકથા પણ કવિનું એક વિશિષ્ટ સાહસ ગણાશે. જેને પોતે જ વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજઅણુઓ’, ‘અણુકિરણો’ અને ‘હીરાની કરચો’ કહી ઓળખાવી છે એવી \t\tવાર્તાદેહી ગદ્યરચનાઓનો સંગ્રહ ‘પાંખડીઓ’ (૧૯૩૦) પણ એમનું એવું જ બીજું સાહસ . પોતાની સર્જકતાની ‘વીજળીખાલી લેડન જાર’ને ‘પૂર્વાચાર્યોના મેઘાડંબરો’ની વીજળીથી પાછી પૂરવા અનુવાદનો આશરો લેતા કવિએ કરેલા બે \t\tપ્રેમવિષયક કાલિદાસ-કૃતિઓ ‘મેઘદૂત’ (૧૯૧૭) અને ‘શકુન્તલાનું સંભારણું’ (૧૯૨૬)ના અને ‘ભગવદગીતા’ (૧૯૧૦), ‘વૈષ્ણવી ષોડશ ગ્રંથો’ (૧૯૨૫), ‘શિક્ષાપત્રી’ (૧૯૩૧) અને ‘ઉપનિષત્ પંચક’ (૧૯૩૧) એ ચાર ધાર્મિક કૃતિઓના અનુવાદો \t\tએમના ‘પ્રેમભક્તિ’ કવિનામને પરોક્ષ રીતે સાર્થ ઠરાવે છે. \t\t \t\tકવિના સર્જનેતર ગદ્યસાહિત્યમાં આત્મપરિચયાત્મક ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ (૧૯૨૭) અને તેમાં મળતી એમના કવિઘડતરની કથાની પૂર્વકથા જેવી થોડીક નાના ‘ન્હાના’ની કથા જેમાં આવી જાય છે તે ચાર પુસ્તકો (૧૯૩૩, ૧૯૩૪, \t\t૧૯૪૦, ૧૯૪૧)માં પ્રગટ થયેલ એમનું પિતૃચરિત્ર ‘કવિશ્વર દલપતરામ’ પ્રથમ ધ્યાન ખેંચે. દલપતરામનાં જીવન-કવન વિશેની યથોપલબ્ધ બધી વીગતભરપૂર પ્રમાણભૂત માહિતીની સાથે 19 માં શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક \t\tઇતિહાસ એમાં પૃષ્ઠભૂ તરીકે વિસ્તારથી આલેખાયો છે તે કવિના આ પિતૃચરિત્રનું દસ્તાવેજી ઇતિહાસમૂલ્ય વધારી આપે છે. ચરિત્રકાર ન્હાનાલાલ સાહિત્યવિવેચક પણ છે. એમનાં ‘સાહિત્યમંથન’ (૧૯૨૪), તેના નવા અવતારરૂપ ‘આપણાં \t\tસાક્ષરરત્નો-ભા. ૧-૨’ (૧૯૩૪, ૧૯૩૫) ‘જગતકાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન’ (૧૯૩૩) એ પુસ્તકો તથા કેટલાંક પોતાનાં ને બીજાનાં પુસ્તકોનાં એમનાં પૃથક્કરણ, સમગ્રદર્શન અને રસ-રહસ્યોદઘાટનથી મૂલવવાની સ્ટોફર્ડ બ્રૂક અને \t\tડાઉડન જેવાની પદ્ધતિને ઈષ્ટ માનનાર આ કવિનું, પાંડિત્ય કરતાં રસિકતાના ત્રાજવે સાહિત્યકૃતિને તોળનારું, સંસ્કારગ્રાહી સાહિત્યવિવેચન વસ્તુતઃ એમના લેખન-મનનની ઉપસિદ્ધિ કહેવાય. કવિતા ને કવિધર્મ વિશેના એમના નિશ્ચિત \t\tઅભિપ્રાયો અને ભાવનાઓનો તથા ‘કલાસિકલ’ અને ‘રોમેન્ટિક’ કલાશૈલીઓ પરત્વે એમના વલણનો પરિચય એમાંથી મળી રહે છે. ગુજરાતનાં ઘણાં અને મુંબઈ-કરાંચી જેવાં બહારનાં શહેરોમાં કવિએ આપેલાં વ્યાખ્યાનોમાંનાં ઘણાં \t\t‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ (૧૯૨૭), ‘ઉદબોધન’ (૧૯૨૭), ‘સંસારમંથન’ (૧૯૨૭), ‘સંબોધન’ (૧૯૩૦) ‘ગુરુદક્ષિણા’ (૧૯૩૫), ‘મણિમહોત્સવના સાહિત્યબોલ ૧-૨’ (૧૯૩૭) અને ‘મુંબઈમાંનો મહોત્સવ’ (૧૯૩૯)માં સંગ્રહિત થયાં છે. એમાં \t\tએમનાં ઇતિહાસ-રસ, ગુણદર્શી સમન્વયદૃષ્ટિ, સતેજ ધાર્મિકતા, લોકહિતચિન્તા, ભારતીય સંસ્કૃતિ અને ધર્મે પુરસ્કાયેલાં ચિરંતન જીવનમૂલ્યો પરની આસ્થા, અભ્યાસશીલતા અને ભાવનાશીલતા છે. એમાંનું સાંભળવે મીઠું લાગતું ગદ્ય પણ \t\tએની એક વિશિષ્ટતા. અભ્યાસપૂર્ણ લેખોરૂપે પ્રથમ તૈયાર કરાઈ વંચાયેલાં આ વ્યાખ્યાનો ગૃહજીવન, શિક્ષણ, સમાજપ્રશ્નો, સાહિત્ય, ધર્મ, કલા-એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રોને સ્પર્શી વળતાં હોઈ કવિને એક સ્વસ્થ અભ્યાસી વિચારક \t\tતરીકે રજૂ કરે છે. વ્યવહારુ ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણો, ‘સાદી કસરતના દસ દાવ’ અને ‘ગુજરાતની ભૂગોળ’ જેવાં નાનાં શિક્ષણોપયોગી પુસ્તકો પણ એક શિક્ષકની દૃષ્ટિ-વૃત્તિથી એમણે લખ્યાં હતાં, જેમાંનું છેલ્લું વિશિષ્ટ કહેવાય. \t\t -અનંતરાય રાવળ \t\tકેટલાંક કાવ્યો- ભા.૧, ૨, ૩, (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫): કવિ ન્હાનાલાલના કાવ્યસંગ્રહો. ભાગ ૧ ન્હાનાલાલને કાવ્યપ્રતિષ્ઠા અપાવનાર એમનો ટૂંકાં ઊર્મિકાવ્યોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. નરસિંહરાવ, કાન્ત, બળવંતરાય જેવા \t\tપુરોગામીઓની ઓછીવત્તી અસર, પાંચેક અંગ્રેજી રચનાઓનાં ભાષાન્તરો અને વધુ પડતો અર્થાડંબર છતાં ન્હાનાલાલની પોતીકી અભિવ્યક્તિ અને ઉત્પાદન પરત્વેની સર્જક તરીકેની સગજતા નોંધપાત્ર છે. અહીં છંદોના ગુણાકાર-ભાગાકાર \t\tઅને સરવાળા-બાદબાકી દ્વારા પદ્યવૈવિધ્ય છે, અલંકારપ્રચુર અને વિશિષ્ટ લયયુક્ત આગવું ડોલનશૈલીનું મહાત્મ્ય છે, જૂના લોકઢાળોનાં નવાં રૂપાંતરો છે અને સીધા ગદ્યનો ઉપયોગ પણ છે. સ્વાનુભવ કેન્દ્રી આ સંસ્થાઓ અંગતજીવન, \t\tપ્રેમ, પ્રકૃતિ, પ્રભુભક્તિ અને ચિંતનને સ્પર્શે છે. ‘મણિમયસેંથી’ અને ‘શ્રાવણી મધ્યાહ્નન’ રચનાઓ છે. બીજા ભાગમાં ન્હાનાલાલની પ્રતિભાના મહત્વના ઉન્મેષો સંઘરાયેલા છે. આત્મલક્ષી કાવ્યોની સંખ્યા અહીં ઘટી છે અને બૃહદ્ \t\tમાનવસંવેદનોને સ્પર્શતી રચનાઓ શ્રુતિરમ્ય વ્યંજન-સંકલના દ્વારા નાદમાધુર્યનો અનુભવ કરાવે છે. ગુજરાત, હિન્દ અને દુનિયામાં અંકુરતી નવચેતનાને કવિતામાં ઉતારવાની અને પાંડિત્યશૈલીને નરમ પાડવાની કવિની નેમ છે. \t\t‘નયણાંની ધાર’, ‘ઝીણા ઝીણા મેહ’, ‘હરિનાં દર્શન’ જેવાં ઉત્તમ ગીતો, ‘યૌવના’ અને ‘સૌભાગ્યવતી’ જેવા ડોલનશૈલીના વિશિષ્ટ પ્રયોગો, ‘ગિરનારને ચરણે’ જેવું રમ્ય વસંતતિલકાનો આવિષ્કાર કરતું છંદોબદ્ધ કાવ્ય વગેરે અહીં આકર્ષણો \t\tછે. ત્રીજા ભાગમાં નહિ લાંબી નહિ ટૂંકી એવી ચાર કાવ્યરચનાઓ સમાવિષ્ટ છે: ‘મ્હારો મોર’, ‘બ્રહ્મજન્મ’, ‘પારેવડાં’, ‘સંસ્કૃતિનું પુષ્પ’. ન્હાનાલાલની વિલક્ષણતા સિવાયનો બીજો કોઈ વિશેષ ભાગ્યે જ આ રચનાઓમાં જોઈ શકાય છે. \t\t \t\tન્હાના ન્હાના રાસ-ભાગ.૧, ૨, ૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭) : ન્હાનાલાલના રાસસંગ્રહો, સંગીતરસિક સન્નારીઓને સગવડ થાય એ વિચારથી પૂર્વે લખાયેલા કે અન્ય કોઈ લાંબા કાવ્યના અંગભૂત થયેલા રાસ અહીં સમાવવામાં આવ્યાં છે. \t\tગરબી, ગરબા અને રાસડા એમ સંગીતનાં ત્રણે અંગની ગૂંથણી એમાં વર્તાય છે. લોકગીતોને કવિએ કેટલેક અંશે શિષ્ટ સાહિત્યનું સ્વરૂપ આપેલું છે. લય, અલંકાર, શબ્દચયન અને ભાવનિરૂપણની દૃષ્ટિએ ગુજરાતી ભાષાની વાણીસમૃદ્ધિ આ \t\tરાસસંગ્રહોમાં ઊતરી આવેલી છે. ‘વિદાય’, ‘ફૂલડાં કટોરી’, ‘પૂછશો મા’, ‘પારકાં કેમ કીધાં’, ‘મહિડાં’ વગેરે એનાં દ્યોતક ઉદાહરણો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tઇન્દુકુમાર (૧૯૦૯, ૧૯૨૭, ૧૯૩૨): ન્હાનાલાલનું ત્રણ અંકમાં પ્રકાશિત આ ભાવનાપ્રધાન સામાજિક નાટકકાવ્ય પાંત્રીસેક વર્ષના લાંબા ગાળા દરમિયાન લખાયેલું છે. નાટકકારની કેફિયત એવી છે કે આ નાટક દૃશ્ય નહીં પણ શ્રાવ્ય છે; \t\tગ્રીસની પ્રશિષ્ટ પદ્ધતિનું નહીં પણ રોમેન્ટિક પદ્ધતિનું છે; શેક્સપિયરની નહીં પણ શેલીની શૈલીનું છે. પ્રેમ અને દેશસેવાનો આદર્શ રજૂ કરતું તેમ જ લગ્નસ્નેહનો મહિમા કરતું આ નાટક ડોલનશૈલીમાં રચાયેલું છે. વચ્ચે વચ્ચે ગીતો મુકાયાં \t\tછે. નાટકમાં ક્રિયાશીલતાનો અભાવ છે. આકર્ષક સૂત્રોને સહારે પાત્રો એક પરિમાણમાં ફર્યા કરતાં હોય એવું લાગે છે. નાટકનો બંધ એકંદરે શિથિલ છે અને રોમેન્ટિક માનસનું આરોપણ પાત્રો, પ્રસંગો અને ભાષા પર થયા કરતું અનુભવાય \t\tછે. આમ છતાં નાટક નિઃશંકપણે ન્હાનાલાલની પ્રતિભાની વિલક્ષણતાનું પરિણામ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tવસંતોત્સવ (૧૮૯૮): ન્હાનાલાલનું ડોલનશૈલીમાં રચાયેલું પ્રથમ પરલક્ષી પ્રસંગકાવ્ય. ખંડકાવ્ય, અને ગોપકાવ્ય-એ સંજ્ઞાઓથી પણ એને ઓળખવામાં આવ્યું છે. વાસંતી પૂર્ણિમાના દિવસે કુંજવાટિકામાં ફૂલ વીણવાની અને ચંદ્રદર્શનની \t\tઘટનાઓ દ્વારા કવિએ રમણ-સુભગા તથા સૌભાગ્ય વિલસુ એ યુવાન પ્રણયી યુગ્મોના પ્રણયોલ્લાસનું એમાં આલેખન કર્યું છે. કાવ્યસ્વરૂપની નિબઁધતા, ભાવની મસ્તી, વસંતમયની ગુજરાતની તળપ્રકૃતિનો પરિવેશ તથા પૂર્વ-પશ્ચિમના \t\tસમન્વયમાંથી જન્મેલી કવિની સ્નેહલગ્નની ભાવનાનો પયગંબરી અદાથી થતો ઉદઘોષ -એ સહુમાં કવિની રોમેન્ટિક પ્રકૃતિ પ્રગટ થાય છે. કેટલાંક મનોહરણ ઉપમાચિત્રોથી આસ્વાદ્ય બનવા છતાં અલંકારોના અતિરેક અને ભાષાના \t\tઆડંબરથી કાવ્યનું કથયિતવ્ય પાંખું પડે છે તેમ જ કથન-વર્ણનનું ઉચિત સંયોજન કરવામાં કવિની મર્યાદા પણ અનુભવાય છે. \t\t -જયંત ગાડીત \t\tકુરુક્ષેત્ર (૧૯૨૬-૪૦): બાર કાંડ અને ઉપોદધાતરૂપ ‘સમન્તપંચક’ તથા ‘મહાપ્રસ્થાન’ ના ઉપસંહારકાવ્ય સાથે મળીને ચૌદ પુસ્તિકાઓમાં ચૌદ વર્ષના ગાળામાં પ્રગટ થયેલું કવિ ન્હાનાલાલનું ડોલનશૈલીમાં લખાયેલું, મહાભારતના યુદ્ધને \t\tવિષય બનાવતું મહાકાવ્ય. કૃષ્ણના હાથમાંથી બંસી છોડાવી બહેન સુભદ્રા પાંચજન્ય શંખ મૂકી તેમને સુંદર મટી ભવ્ય બનવા પ્રેરતી હોય એવી, પ્રથમ કાંડ ‘યુગપલટો’ની કવિકલ્પના મોહક છે. બીજા-ત્રીજા કાંડમાં કૃષ્ણાવિષ્ટિ અને \t\tયુદ્ધનિર્ધારના પ્રસંગ પતાવી, ચારથી દશ કાંડોમાં કુરુક્ષેત્રનું યુદ્ધ નિરૂપી, કવિએ અગિયારમો કાંડ ભીષ્મે શરશય્યા પરથી યુધિષ્ઠિરને આપેલા રાજધર્મના ઉપદેશમાં રોકયો છે. બારમો કાંડ ‘મહાસુદર્શન’ પ્રથમ કાંડ જેવી કવિની મૌલિકતાનું \t\tહૃદયસંતર્પક દર્શન કરાવે છે. યુદ્ધાન્તે હૃદયમાં ઉભરાયેલા વિષાદ અને પશ્ચાત્તાપમાંથી પાંડવોને બહાર કાઢવા, સંહાર પણ સર્જન જેવી પરમાત્માની કલ્યાણકારી વિશ્વલીલા જ છે-એમ કહી, વ્યાસ એમને પોતાના તપોબળથી વિરાટના \t\tમહાસુદર્શનચક્રનું જે દર્શન કરાવી એમને સમાધાનની શાતા અર્પે છે તેમાં કવિની કલ્પનાને એમનું ચિત્રસર્જક કવિત્વ તથા વાકપ્રભુત્વ પૂરો તાલ આપે છે. ‘મહાપ્રસ્થાન’ કૃતિનું સમુચિત સમાપન કરી કાવ્યમાંના વિવિધ રસોની શાન્તરસમાં \t\tવિલુપ્તિ સાધી આપે છે. વસ્તુ મહાભારતનું, પણ નિરૂપણ ને કવિતા પોતાનાં-એ સ્વતંત્ર એવો કવિસંકલ્પ બધા કાંડોને સમગ્રપણે અવલોકતાં સફળતાપૂર્વક પળાયો છે, એ અંદરના કેટલાય પ્રસંગોનાં વર્ણનો તથા મહાકાવ્યોચિત હોમરી \t\tઉપમાચિત્રોથી તેમ જ કવિએ પોતાનાં નાટકો તથા કથાકાવ્યોની પેઠે આ કૃતિમાં પણ મૂકેલાં પ્રસંગલક્ષી અને ભાવદ્યોતક ગીતોથી પ્રતીત થાય છે. ‘પાર્થને કહો ચઢાવે બાણ’, ‘હરિ ત્હારે યુગ ઉછળે નયનમાં’, પેલા સુદર્શનચક્રના દાંતે દાંતે \t\tબેઠેલી જોગણીઓનું ગીત ‘હરિની રમણાએ અમે નીસર્યાં રે લોલ’ અને એ જ રહસ્ય બીજી ભાષામાં ઉદગારતું કવિનું સમાપ્તિગીત ‘નભકુળ ફુદડી ફરે રે લોલ’ મહાકાવ્યનાં, તેના રચયિતાનાં, તેટલાં અર્વાચીન ગુજરાતી કવિતાનાં પણ પ્રથમ \t\tપંક્તિનાં ઊર્મિકાવ્યો છે. સમર્થ કવિની પ્રતિભાનો સંસ્પર્શ અનેક સ્થળે હોવા છતાં અહીં વાગ્મિતાનો અતિરેક, શૈલીદાસ્ય, નિવાર્ય પુનરુકિતઓ, વસ્તુવિધાનમાં ક્યારેય વસ્તાતી અસંગતિ તેમ જ મહાભારતીય પાત્રોના નિરૂપણમાં ક્યારેક \t\tપ્રવેશી ગયેલી પ્રાકૃતતા જોવાય છે. \t\t -અનંતરાય રાવળ \t\tહરિસંહિતા (૧૯૫૯-૧૯૬૦) : પોતાની ‘કાવ્યયાત્રાનું મહાતીર્થ’ તરીકે, ખુદ એના સર્જક કવિ ન્હાનાલાલ વડે ઓળખાયેલી, ‘ભાગવત’ના જેવડી બનાવવા ધારેલી પણ અધૂરી રહેલી, ત્રણ મોટા ગ્રંથો રૂપે કવિના મૃત્યુ પછી પ્રગટ થયેલી \t\tએમની ‘કુરુક્ષેત્ર’થી ઘણા મોટા કદની મહત્વાકાંક્ષી કૃતિ. દ્વારકાધીશ શ્રીકૃષ્ણ ‘સુંદરમટી ભવ્ય થયા’ એ સિદ્ધ કરવા, ‘કુરુક્ષેત્ર’ મહાકાવ્ય પછી તેનાથીય ચડિયાતું ‘વિરાટકાવ્ય’ કે પુરાણકાવ્ય ગુજરાતને આપી જવાના કવિના અભિલાષાનું અને \t\tતેને મૂર્ત કરવાના એમના સર્જનપુરુષાર્થનું ફળ તે આ કૃતિ. નિર્ધાયેલાં બારમાંથી આઠ મંડળ જ કવિ પૂરાં કરી શકેલા, જે અહીં મુદ્રણ પામ્યાં છે. મહાભારત યુદ્ધ વેળા ચોર્યાશી વર્ષના શ્રીકૃષ્ણ ત્યારબાદ સોળ વર્ષ પછી સો વર્ષના થયા ત્યારે \t\tઉજવાયેલા તેમના શતાબ્દી મહોત્સવ પછી તેમણે અર્જુન-સુભદ્રા તથા યાદવપરિવારને સાથે લઈ મોટો સંઘ કાઢી સદ્ધર્મ-સંસ્થાપનાર્થે સોળ વર્ષે પૂરી થયેલી ભારતયાત્રા કરી એવી કલ્પના ચલાવી, હરિવરની એ ધર્મયાત્રા કવિએ આ \t\tકૃતિમાં વિસ્તારથી વર્ણવી છે. દ્વારિકાથી સૌરાષ્ટ્ર વટાવી નર્મદા, વિંધ્યાચળ, ગોદાવરી, મલયપ્રદેશ, કેરળ, કન્યાકુમારી, રામેશ્વર, ઉત્કલ, કામરૂપ, મિથિલા, હિમાલય, કાશી, અયોધ્યા, હસ્તિનાપુર, વ્રજ, આરાવલી અને શ્રીમાળ થઈ ત્યાંથી \t\tસૌરાષ્ટ્રના અત્યારના દ્રીપકલ્પની ઉત્તરની સાગરપટ્ટીના જળમાર્ગે પાછા દ્વારિકા-એવો એ યાત્રાનો ક્રમ કવિએ પોતાના ભૂગોળજ્ઞાનની મદદથી એમાં ગોઠવ્યો છે. કૃતિનાં પ્રસંગો અને પાત્રાલેખન કરતાં સાગરઝાડીઓ, નર્મદા, વિંધ્યવન, \t\tદંડકારણ્ય, હિમાલય વગેરેનાં વર્ણનો એમાંનાં શબ્દવૈભવ ને કાવ્યત્વને લીધે આકર્ષક અનુભવાય છે. પાત્રોમાં શ્રીકૃષ્ણ, અર્જુન, રુકિમણી, સુભદ્રા, વ્રજબાળા અને નારદજી વિશેષ ધ્યાન ખેંચે છે. બહુધા શ્રીકૃષ્ણને મુખેથી અને ક્યારેક \t\tવ્રજબાળા તથા નારદ જેવાં ભક્તો અને તીર્થસ્થળોએ મળતા ઋષિ-તપસ્વીઓને મુખેથી થતી જ્ઞાનભક્તિવર્ધક ધર્મવાર્તાઓ આખા પ્રવાસ દરમિયાન થતી રહે છે. હિમાલયમાં શ્રીકૃષ્ણમુખે નવ ઉષાસ્તોત્રો અને ચંદ્ર-ગાયત્રી ઉચ્ચારાવ્યાં છે. \t\tકવિની બધી પ્રિય ભાવનાઓ કૃતિમાં ઠીકઠીક હદે પુનરુચ્ચારણ પામી છે. બધાં મંડળો, અધ્યાયોના આદિ અને અંતમા મૂકેલા અન્ય વૃત્તોના શ્લોકો સિવાય પ્રવાહી અનુષ્ટુપમાં રચાયાં છે. અંદર મુકાયેલાં નવ ઉપનિષદોમાં ઉપનિષદોના જેવું ગદ્ય, તો શ્રીકૃષ્ણનાં \t\tઉષાસ્તોત્રો તથા હિમાલયની શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપની સ્તુતિમાં આર્ષ જેવી છંદરચના પ્રયોજાયાં છે. બધાં થઈને સો ઉપરાંત ગીતો પણ કૃતિમાં જુદા જુદા સંદર્ભે મુકાયાં છે. સમગ્રપણે ઊપસતી આ સર્જકની છાપ મહાકાવ્યના કવિ કરતાં ભક્તકવિની વિશેષ છે. \t\t -અનંતરાય રાવળ \t\tજયા-જયંત (૧૯૧૪) : ન્હાનાલાલનું ત્રણ અંક અને વીસ પ્રવેશોમાં પથરાયેલું, એમનાં અન્ય નાટકોની જેમ ડોલનશૈલી અને ગીતોમાં રચાયેલું આ નાટક એમાં નિરૂપાયેલી આત્મલગ્નની ભાવનાને લીધે સાહિત્યિક વર્ગમાં વિશેષ જાણીતું બન્યું છે. વિજાતીય \t\tઆકષર્ણમાંથી બંધાતા સ્ત્રી-પુરુષ-સંબંધના ત્રણ ઉચ્ચાવચ સોપાન આલેખી કવિએ નાટકની કથાનું સંકલન કર્યું છે. એ સોપાનનું સૌથી ઊંચું પગથિયું જયા અને જયંત વચ્ચેના આત્મલગ્નનું છે. દેહની કોઈ વાસના વગરનો, કવિનો આ આત્મલગ્નનો ખ્યાલ \t\tવાસ્તવિક ને મૂર્ત બની શકે એમ કોઈને લાગ્યું નથી. કાશીરાજશેવતીના અર્ધગાન્ધર્વ રાજવી લગ્નસંબંધની તથા નૃત્યદાસીવામાચાર્યના કામવાસનાયુક્ત દેહસંબંધની કથા દ્વારા કવિએ સ્ત્રી-પુરુષ-સંબંધનાં અન્ય બે ઊતરતાં સોપાન બતાવ્યાં છે \t\t \t\tદ્રશ્ય નાટકને અનુકૂળ બનાવવાની નેમ છતાં અને કવિનાં અન્ય નાટકોને મુકાબલે વિશેષ સંઘર્ષયુક્ત અને સુગ્રથિત હોવા છતાં વિવિધ પ્રકારની અસંગતિઓથી તેમ જ પરિસ્થિતિને નાટ્યાત્મક અભિવ્યક્તિ ન આપી શકવાની કવિની \t\tમર્યાદાને લીધે આ નાટક ઝાઝી રંગભૂમિક્ષમતા ધરાવતું નથી. \t\t -જયંત ગાડીત \t\tશાહાનશાહ અકબરશાહ (૧૯૩૦) : ન્હાનાલાલનું ડોલનશૈલીનું નાટક. ત્રણ અંક અને એકવીસ પ્રવેશોમાં વહેંચાયેલું આ નાટક શેક્સપિયરની નહિં, ફાઉસ્ટની શૈલીને અનુસરે છે. મોગલ બાદશાહ અકબહશાહના પ્રારબ્ધ અને પુરુષાર્થથી \t\tભરેલા ઇતિહાસને ઐતિહાસિક અભ્યાસસામગ્રીને આધારે નાટ્યરૂપ આપવાનો અહીં સંકલ્પ છે. એમાં ક્રિયાને સ્થાને વર્ણનો પર તથા પાત્રોના વિકાસને સ્થાને પાત્રોની વિચારધારાઓ પર ધ્યાન વધુ કેંન્દ્રિત છે. કોમોનો, સાહિત્યોનો, \t\tકલાઓનો, ધર્મોનો અને સંસ્કૃતિઓનો સમન્વય કરવા અંગેનો અકબરનો મનોરથ નાટકના કેન્દ્રમાં છે. ‘એકલવાયો બાદશાહ’- પ્રવેશ અત્યંત પ્રભાવક છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tઆપણાં સાક્ષરરત્નો-૧-૨ (૧૯૩૪-૩૫): પ્રથમ ૧૯૨૪માં છપાયેલ ગ્રંથ ‘સાહિત્યમંથન’માંથી થોડું કાઢી બીજું ઉમેરી તેનાં કવિ ન્હાનાલાલે બનાવેલાં બે પુસ્તક. “પૂર્વાચાર્યોનાં, સમકાલીનોનાં અને ન્હાનેરાઓનાં ગુણપ્રવચનો આ ગ્રંથોમાં છે. \t\tજુવાનોનો બિરદાવ્યા છે, સમોવડિયાને વંદ્યા છે, વૃદ્ધોને પૂજયા છે.”- એ કવિના શબ્દોને બંને પુસ્તકોમાંની સામગ્રી આમ તો એકંદરે સાચા ઠરાવે છે; પણ પૂર્વજો અને અનુગામીઓ પ્રત્યે કવિ જેટલા ઉદાર જણાય છે તેટલા ઉદાર સમકાલીનો \t\tપરત્વે દેખાતા નથી એવી છાપ એમણે નરસિંહરાવ, રમણભાઈ અને બળવંતરાય ઠાકોર પરત્વે બે-એક વ્યાખ્યાન-લેખોમાં કાઢેલા ઉદગાર પરથી પડે છે. મધ્યકાલીનોમાં મીરાં, પ્રેમાનંદે તેમ જ દયારામ અને અર્વાચીનોમાં દલપતરામ, \t\tનર્મદાશંકર, નવલરામ, ગોવર્ધનરામ, કાન્ત, ત્રિભુવન પ્રેમશંકર તેમ જ લલિત અહીં કવિ પાસેથી એમની લાક્ષણિક વાણીમાં જે કદર-બૂઝ પામ્યા છે તેમાં ન્હાનાલાલની સહૃદયતા અને આવશ્યક અભ્યાસશીલતાનાં દર્શન થાય છે. મિત્રો \t\tઅમૃતલાલ પઢિયાર અને કાન્ત તેમ જ નૃરસિંહ વિભાકર વિશેનાં વ્યાખ્યાનોમાં તે તે વ્યક્તિઓના વ્યક્તિત્વને પણ દલપતરામ અને નર્મદ પરનાં વ્યાખ્યાનોની જેમ કવિએ સારી અંજલિ આપી છે. ત્રિભુવન કવિના ‘કલાપીનો વિરહ’ની \t\tઅને ‘લલિત’ના બે કાવ્યસંગ્રહોની કવિએ લખેલી પ્રસ્તાવનાઓ તે બેઉ કવિઓની, વિશિષ્ટતાઓ સાથે તેમની મર્યાદાઓ પણ નિર્દેશી આપતા, સદભાવપૂર્ણ છતાં સ્વસ્થ અને સમતોલ સાહિત્યમૂલ્યાંકનના સારા નમૂના છે. સારો નમૂનો નથી \t\tએક ‘ફૂલપાંદડી’ (પૃથુ શુક્લ રચિત)નો પ્રવેશક, જેમાં એક આશાસ્પદ નવીનની પીઠ થાબડવા જતાં સ્વસ્થતા અને સમતુલા ઠીક પ્રમાણમાં ચુકાઈ ગયેલી છે. \t\t -અનંતરાય રાવળ \t\tઅર્ધશતાબ્દીના અનુભવબોલઃ (૧૯૨૭): ૧૯૨૭માં ઉજવાયેલી પોતાની સુવર્ણજયંતી વેળા કવિ ન્હાનાલાલે પાંચ શહેરોમાં પોતે વાળેલા સન્માન-પ્રત્યુત્તરનાં વ્યાખ્યાનોનો સંગ્રહ ‘એક ગુર્જરાત્માની ઘડતરકથા’ નામક મુંબઈનું વ્યાખ્યાન \t\tબધાંમાં એ રીતે મહત્વનું ગણાય કે તેમાં કવિએ પોતાને ઘડનારાં પુસ્તકો અને વ્યક્તિઓ વિષે તેમ જ પોતાને વિષે એમના ચરિત્રલેખકને ઉપયોગી નીવડે એવી વાત કરી છે. વડોદરાના ભાષણમાં પ્રેમાનંદ અને દયારામને, નડિયાદનામાં \t\tત્યાંના સાહિત્યકારોને અને સૂરતનામાં નર્મદને અને સાથે પડ।છામાં દલપતરામને સ્મરણાંજલિ આપ્યા વિના કવિ રહ્યા નથી. અમદાવાદ-સૂરતનાં ભાષણોમાં એ બંને શહેરોની બધી ઐતિહાસિક-સાંસ્કૃતિક વિશિષ્ટતાઓની અને નડિયાદના \t\tભાષણમાં ચરોતરની પ્રકૃતિશ્રીની નોંધ એમણે લીધી છે. કવિત્વ, ઈતિહાસ-રસ, ગુજરાત-પ્રેમ અને અભ્યાસીપણાનો પરિચય પાંચે ભાષણો આપી રહે છે. પોતાના સાહિત્યસર્જનને જગતના સાહિત્યના મુકાબલામાં મૂલવવાની અને ભારતીય \t\tઈતિહાસ તથા ભારતીય કવિતા જીવી જાણવાની મુંબઈના ભાષણમાં કવિએ સાહિત્યસર્જકોને આપેલી શીખ અને કવિતાનાં મૂળ ચિત્ત-ક્ષોભમાં નહીં, પણ ચિત્ત-પ્રસન્નતામાં છે એવી પોતાની કાવ્યવિભાવનાની વડોદરાના ભાષણમાં આપેલી સમજ ધ્યાન ખેંચે છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "kavi-nhanalala",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/kavi-nhanalala",
"tags": null,
"created": "2024-02-03T20:38:59.135121",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17304,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": " કવીશ્વર દલપતરામ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>કવીશ્વર દલપતરામ</u>\n\t\t(૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, ૧૯૪૧) : ત્રણ ભાગ પણ ચાર દળદાર ગ્રંથોમાં કવિ ન્હાનાલાલે લખેલું પિતૃચરિત્ર. ઉપલબ્ધ બધી પ્રકાશિત સામગ્રી ઉપરાંત કવિએ, પિતાએ અંતિમ અવસ્થામાં પોતાના જીવનપ્રસંગો વિશે કરાવેલી નોંધોનો ઉપયોગ \n\t\tકરી શ્રમપૂર્વક એ તૈયાર કર્યું છે. કુટુંબના પૂર્વજો, દલપતરામનો ઉછેર, તેમનો પિંગળનો અભ્યાસ અને કવિતાલેખનનો પ્રારંભ, તેમનું અમદાવાદમાં આગમન, ફૉર્બસને ગુજરાતી શીખવવા ઉપરાંત ‘રાસમાળા’ની આધારસામગ્રી મેળવી આપવાની તેમની \n\t\tસહાય, તેમનું ગુજરાતભ્રમણ, સરકારી તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની તેમની સેવા, તેમનું જીવનના પૂર્વાર્ધનું કલુષિત પણ ઉત્તરાર્ધનું મીઠું દાંપત્યજીવન, તેમણે બજાવેલી સ્વામીનારાયણ સંપ્રદાયની તથા ગુજરાતી સાહિત્યની સેવા-આ સર્વની \n\t\tપ્રમાણભૂત વીગતપ્રચુર માહિતી આ ચરિત્ર આપે છે. ફૉર્બસ સાથેના પિતાના આત્મીય સંબંધને કવિએ પ્રસ્તુત ચરિત્રમાં સારી એવી જગ્યા આપી છે તે, દલપતરામના જીવન અને કાર્યને તે બન્યાં તેવાં બનાવવામાં ફૉર્બસનો મહત્ત્વનો ફાળો જોતાં ઉચિત ઠરે. \n\t\tદલપતરામના કાર્યની મુલવણી કરતાં તેમને માટે ‘પ્રજાના પુરોહિત’, ‘દેશમાળી’, ‘નવયુગના વાલ્મીકિ’, ‘સુધારાની વેલીઓના સંસ્થાપક’, અર્વાચીન ગુજરાતના ‘સ્હવારના સૂર્ય’ જેવા પ્રશસ્તિશબ્દો વાપરતા ન્હાનાલાલને નર્મદના પણ એવી \n\t\tપ્રશસ્તિના સમાન અધિકારનો ખ્યાલ હોવાથી નર્મદને પણ આ ચરિત્રમાં એમણે ઘણાં પૃષ્ઠો આપ્યાં છે. નર્મદની અને દલપતરામની વચ્ચે ‘ધ્યેય ભેદ ન હતો, શૈલીભેદ હતો’ એમ જણાવી નર્મદને ‘વીર’ અને દલપતરામને ‘ધીર’, નર્મદને ‘ક્રાંતિવાદી’ \n\t\tઅને દલપતરામને ‘વિકાસવાદી’, નર્મદને રજોગુણીના અર્થમાં ‘રાજર્ષિ’ અને દલપતરામને ‘બ્રહ્મર્ષિ’ એવાં વિશેષણોથી નવાજી કવિએ પિતાની સરસાઈ સ્થાપવા પ્રયાસ કર્યો છે તેમાં તેમ જ પિતાની એમની અતિસ્તુતિમાં તથ્યાંશ ઓછો નથી. આ ચરિત્રમાં \n\t\tતેના નાયકના પિતા ડાહ્યા વેદિયા તથા પ્રથમ પત્નીનાં તેમ જ ફૉર્બસ અને નર્મદ ઉપરાંત કરસનદાસ મૂળજી, રાયચંદ શેઠ આદિ વ્યક્તિઓનાં રેખાચિત્રો પણ સારો ઉઠાવ પામ્યાં છે. અંદર પૃષ્ઠભૂ તરીકે ૧૯ મા શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક ઈતિહાસ-કવિના શબ્દોમાં, \n\t\t‘દલપત આયુષ્યને ઝરુખેથી કીધેલું ૧૯ મી સદીનું ગુજરાતદર્શન’ વિસ્તારથી રજૂ થયેલ છે, જેનું દસ્તાવેજી ઈતિહાસમૂલ્ય ઘણું હોઈ તેને આ ચરિત્રગ્રંથની આગવી વિશિષ્ટતા ગણવી પડે તેમ છે. એવી જ વિશિષ્ટતા આ ગ્રંથના વાચનને એકંદરે આસ્વાદ્ય બનાવતી તેના \n\t\tકવિ-લેખકની અલંકારપ્રિય, સમાસપ્રચુર અને વાગ્મિતાના સારા-માઠા બેઉ અંશોવાળી લાક્ષણિક ગદ્યશૈલીની પણ ગણાવાય. પથરાટ અને પુનરુક્તિના દોષ છતાં આ બૃહત્ દલપતચરિત્ર ગુજરાતી ચરિત્રસાહિત્યની એક મૂલ્યવાન કૃતિ છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: કવીશ્વર દલપતરામ \t\t(૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, ૧૯૪૧) : ત્રણ ભાગ પણ ચાર દળદાર ગ્રંથોમાં કવિ ન્હાનાલાલે લખેલું પિતૃચરિત્ર. ઉપલબ્ધ બધી પ્રકાશિત સામગ્રી ઉપરાંત કવિએ, પિતાએ અંતિમ અવસ્થામાં પોતાના જીવનપ્રસંગો વિશે કરાવેલી નોંધોનો ઉપયોગ \t\tકરી શ્રમપૂર્વક એ તૈયાર કર્યું છે. કુટુંબના પૂર્વજો, દલપતરામનો ઉછેર, તેમનો પિંગળનો અભ્યાસ અને કવિતાલેખનનો પ્રારંભ, તેમનું અમદાવાદમાં આગમન, ફૉર્બસને ગુજરાતી શીખવવા ઉપરાંત ‘રાસમાળા’ની આધારસામગ્રી મેળવી આપવાની તેમની \t\tસહાય, તેમનું ગુજરાતભ્રમણ, સરકારી તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની તેમની સેવા, તેમનું જીવનના પૂર્વાર્ધનું કલુષિત પણ ઉત્તરાર્ધનું મીઠું દાંપત્યજીવન, તેમણે બજાવેલી સ્વામીનારાયણ સંપ્રદાયની તથા ગુજરાતી સાહિત્યની સેવા-આ સર્વની \t\tપ્રમાણભૂત વીગતપ્રચુર માહિતી આ ચરિત્ર આપે છે. ફૉર્બસ સાથેના પિતાના આત્મીય સંબંધને કવિએ પ્રસ્તુત ચરિત્રમાં સારી એવી જગ્યા આપી છે તે, દલપતરામના જીવન અને કાર્યને તે બન્યાં તેવાં બનાવવામાં ફૉર્બસનો મહત્ત્વનો ફાળો જોતાં ઉચિત ઠરે. \t\tદલપતરામના કાર્યની મુલવણી કરતાં તેમને માટે ‘પ્રજાના પુરોહિત’, ‘દેશમાળી’, ‘નવયુગના વાલ્મીકિ’, ‘સુધારાની વેલીઓના સંસ્થાપક’, અર્વાચીન ગુજરાતના ‘સ્હવારના સૂર્ય’ જેવા પ્રશસ્તિશબ્દો વાપરતા ન્હાનાલાલને નર્મદના પણ એવી \t\tપ્રશસ્તિના સમાન અધિકારનો ખ્યાલ હોવાથી નર્મદને પણ આ ચરિત્રમાં એમણે ઘણાં પૃષ્ઠો આપ્યાં છે. નર્મદની અને દલપતરામની વચ્ચે ‘ધ્યેય ભેદ ન હતો, શૈલીભેદ હતો’ એમ જણાવી નર્મદને ‘વીર’ અને દલપતરામને ‘ધીર’, નર્મદને ‘ક્રાંતિવાદી’ \t\tઅને દલપતરામને ‘વિકાસવાદી’, નર્મદને રજોગુણીના અર્થમાં ‘રાજર્ષિ’ અને દલપતરામને ‘બ્રહ્મર્ષિ’ એવાં વિશેષણોથી નવાજી કવિએ પિતાની સરસાઈ સ્થાપવા પ્રયાસ કર્યો છે તેમાં તેમ જ પિતાની એમની અતિસ્તુતિમાં તથ્યાંશ ઓછો નથી. આ ચરિત્રમાં \t\tતેના નાયકના પિતા ડાહ્યા વેદિયા તથા પ્રથમ પત્નીનાં તેમ જ ફૉર્બસ અને નર્મદ ઉપરાંત કરસનદાસ મૂળજી, રાયચંદ શેઠ આદિ વ્યક્તિઓનાં રેખાચિત્રો પણ સારો ઉઠાવ પામ્યાં છે. અંદર પૃષ્ઠભૂ તરીકે ૧૯ મા શતકના ગુજરાતનો જે સાંસ્કૃતિક ઈતિહાસ-કવિના શબ્દોમાં, \t\t‘દલપત આયુષ્યને ઝરુખેથી કીધેલું ૧૯ મી સદીનું ગુજરાતદર્શન’ વિસ્તારથી રજૂ થયેલ છે, જેનું દસ્તાવેજી ઈતિહાસમૂલ્ય ઘણું હોઈ તેને આ ચરિત્રગ્રંથની આગવી વિશિષ્ટતા ગણવી પડે તેમ છે. એવી જ વિશિષ્ટતા આ ગ્રંથના વાચનને એકંદરે આસ્વાદ્ય બનાવતી તેના \t\tકવિ-લેખકની અલંકારપ્રિય, સમાસપ્રચુર અને વાગ્મિતાના સારા-માઠા બેઉ અંશોવાળી લાક્ષણિક ગદ્યશૈલીની પણ ગણાવાય. પથરાટ અને પુનરુક્તિના દોષ છતાં આ બૃહત્ દલપતચરિત્ર ગુજરાતી ચરિત્રસાહિત્યની એક મૂલ્યવાન કૃતિ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "kavisvara-dalapatarama",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/kavisvara-dalapatarama",
"tags": null,
"created": "2024-02-03T20:38:59.346719",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
}
],
"description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
"image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}