GET /sootradhar/authors/?format=api&page=904
HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept

{
    "count": 17752,
    "next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=905",
    "previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=903",
    "results": [
        {
            "id": 17214,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " અમૃતલાલ ભટ્ટ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ, ‘અમૃત ઘાયલ’ </u>\n\t\t(૩૦-૯-૧૯૧૫) : ગઝલકાર. જન્મ રાજકોટ જિલ્લાના સરધારમાં. ત્યાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ. પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક. તે જ વર્ષે રાજકોટની \n\t\tધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.નો અભ્યાસ કર્યો. ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર શ્રી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી. ૧૯૪૯ થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે \n\t\tસાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી. નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી.\n\t\t<br/><br/> \n\t\tમુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, \n\t\tછંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.\n\t\t<br/><br/> \n\t\tએમની કૃતિઓ છે : ‘શૂળ અને શમણાં’ (૧૯૫૪), ‘રંગ’ (૧૯૬૦), ‘રૂપ’ (૧૯૬૭), ‘ઝાંય’ (૧૯૮૨), ‘અગ્નિ’ (૧૯૮૨) અને ‘ગઝલ નામે સુખ’ (૧૯૮૪). (- મોહમ્મદ શેખ)\n\t\t<br/><br/> \n\t\tશૂળ અને શમણાં (૧૯૫૪) : અમૃત ‘ઘાયલ’નો ગઝલસંગ્રહ. તેમાં સાદી અને સરળ બાનીમાં હૃદયના કોમળ ભાવો અસરકારક રીતે અભિવ્યક્ત થયા છે. પ્રિયમિલનની આતુરતા અને વિરહની વેદનાને વ્યક્ત કરતી આ ગઝલોમાં સૂફી \n\t\tરહસ્યવાદનો સ્પર્શ છે. મુશાયરા દ્વારા લોકપ્રિય બનેલી કેટલીક ગઝલોમાં સ્વર-વ્યંજનની સંવાદી યોજનાથી સધાયેલું લય-માધુર્ય નોંધપાત્ર છે. ફારસીને બદલે ગુજરાતી ભાષાની વિવિધ લઢણો અને રોજિંદી બોલચાલની ભાષાના શબ્દેના \n\t\tવિનિયોગથી ગુજરાતી રૂપ ધારણ કરતી આ ગઝલો પરંપરાથી અલગ પડે છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ, ‘અમૃત ઘાયલ’   \t\t(૩૦-૯-૧૯૧૫) : ગઝલકાર. જન્મ રાજકોટ જિલ્લાના સરધારમાં. ત્યાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ. પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક. તે જ વર્ષે રાજકોટની  \t\tધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.નો અભ્યાસ કર્યો. ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર શ્રી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી. ૧૯૪૯ થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે  \t\tસાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી. નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી. \t\t   \t\tમુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા,  \t\tછંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે. \t\t   \t\tએમની કૃતિઓ છે : ‘શૂળ અને શમણાં’ (૧૯૫૪), ‘રંગ’ (૧૯૬૦), ‘રૂપ’ (૧૯૬૭), ‘ઝાંય’ (૧૯૮૨), ‘અગ્નિ’ (૧૯૮૨) અને ‘ગઝલ નામે સુખ’ (૧૯૮૪). (- મોહમ્મદ શેખ) \t\t   \t\tશૂળ અને શમણાં (૧૯૫૪) : અમૃત ‘ઘાયલ’નો ગઝલસંગ્રહ. તેમાં સાદી અને સરળ બાનીમાં હૃદયના કોમળ ભાવો અસરકારક રીતે અભિવ્યક્ત થયા છે. પ્રિયમિલનની આતુરતા અને વિરહની વેદનાને વ્યક્ત કરતી આ ગઝલોમાં સૂફી  \t\tરહસ્યવાદનો સ્પર્શ છે. મુશાયરા દ્વારા લોકપ્રિય બનેલી કેટલીક ગઝલોમાં સ્વર-વ્યંજનની સંવાદી યોજનાથી સધાયેલું લય-માધુર્ય નોંધપાત્ર છે. ફારસીને બદલે ગુજરાતી ભાષાની વિવિધ લઢણો અને રોજિંદી બોલચાલની ભાષાના શબ્દેના  \t\tવિનિયોગથી ગુજરાતી રૂપ ધારણ કરતી આ ગઝલો પરંપરાથી અલગ પડે છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "amrtalala-bhatta",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/amrtalala-bhatta",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:43.663867",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17215,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " અમૃતલાલ યાજ્ઞિક",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>યાજ્ઞિક અમૃતલાલ ભગવાનજી </u>\n\t\t(૮-૮-૧૯૧૩) : વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રાંમાં. ૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી \n\t\tગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૯માં ત્યાંથી જ એ જ વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૦ થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક. ૧૯૬૦-૬૧માં કે. જે. \n\t\tસોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય. ૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑવ આર્ટસ ઍન્ડ સાયન્સ, વિલેપાર્લેના આચાર્ય.\n\t\t<br/><br/> \n\t\tઆ લેખકની શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારજગતની ત્રિવિધ સેર એમના વાઙમયક્તિત્વનાં અનેક પાસાંઓને સ્પર્શે છે. સહૃદય સ્વાધ્યાયના નમૂના જેવા એમના વિવેચનલેખો ‘ચિદઘોષ’ (૧૯૭૧)માં સંગૃહીત છે. ‘મુખડા ક્યા દેખો દરપનમેં’ \n\t\t(૧૯૭૯)માં શિક્ષણ અને સમાજ વિશેના ચિંતન સાથે સાહિત્યચિંતનનો વિભાગ મુકાયેલા છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો ‘કિશોરલાલ મશરૂવાલા’ (૧૯૮૦) અને ‘ગુલાબદાસ બ્રોકર’ (૧૯૮૩) નિષ્ઠાપૂર્વકનાં છે.\n\t\t<br/><br/> \n\t\tસ્વાનુભવ વર્ણવતું ‘જગગંગાનાં વહેતાં નીર’ (૧૯૭૦), શિક્ષણ-સમાજ-વિષયક ‘આત્મગંગોત્રીનાં પુનિત જલ’ (૧૯૭૪), સ્વાનુભવકથિત પ્રસંગઘટનાઓ આપતું ‘જાગીને જોઉં તો’ (૧૯૭૬), શિક્ષણસમાજને ચીંધતું ‘સમાજગંગાનાં વહેણો’ \n\t\t(૧૯૮૧), સમાજના ઘટકરૂપ કુટુંબચિંતન આપતું ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં’ (૧૯૮૭)- આ સર્વ સત્વાગ્રહી પુસ્તકોના ચિંતનાત્મક નિબંધોનું સરલ ગદ્ય ધ્યાનાર્હ છે.\n\t\t<br/><br/> \n\t\t‘લોકસાહિત્યનું સમાલોચન’ (૧૯૪૬), ‘ગુજરાતનમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન’ (૧૯૬૮) એ એમનાં સંપાદનો છે; તો ‘કાવ્યસુષમા’ (૧૯૫૯), ‘વાઙમયવિહાર’ (૧૯૬૪), ‘અક્ષર આરાધના’ અને ‘સાહત્યિક વાદ’ \n\t\t(૧૯૮૦) એમનાં મહત્વનાં સહસંપાદનો છે.\n\t\t<br/><br/> \n\t\t‘ધૈર્યશીલોની વીરકથાઓ’ (૧૯૫૯), ‘શિક્ષણ અને લોકશાહી’ (૧૯૬૪), ‘અમેરિકાની સંસ્કૃતિની રૂપરેખા’ (૧૯૬૪), ‘કુમારન્ આશાન્’ (૧૯૭૯) વગેરે એમના અનુવાદો છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      યાજ્ઞિક અમૃતલાલ ભગવાનજી   \t\t(૮-૮-૧૯૧૩) : વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રાંમાં. ૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી  \t\tગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૯માં ત્યાંથી જ એ જ વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૦ થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક. ૧૯૬૦-૬૧માં કે. જે.  \t\tસોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય. ૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑવ આર્ટસ ઍન્ડ સાયન્સ, વિલેપાર્લેના આચાર્ય. \t\t   \t\tઆ લેખકની શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારજગતની ત્રિવિધ સેર એમના વાઙમયક્તિત્વનાં અનેક પાસાંઓને સ્પર્શે છે. સહૃદય સ્વાધ્યાયના નમૂના જેવા એમના વિવેચનલેખો ‘ચિદઘોષ’ (૧૯૭૧)માં સંગૃહીત છે. ‘મુખડા ક્યા દેખો દરપનમેં’  \t\t(૧૯૭૯)માં શિક્ષણ અને સમાજ વિશેના ચિંતન સાથે સાહિત્યચિંતનનો વિભાગ મુકાયેલા છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો ‘કિશોરલાલ મશરૂવાલા’ (૧૯૮૦) અને ‘ગુલાબદાસ બ્રોકર’ (૧૯૮૩) નિષ્ઠાપૂર્વકનાં છે. \t\t   \t\tસ્વાનુભવ વર્ણવતું ‘જગગંગાનાં વહેતાં નીર’ (૧૯૭૦), શિક્ષણ-સમાજ-વિષયક ‘આત્મગંગોત્રીનાં પુનિત જલ’ (૧૯૭૪), સ્વાનુભવકથિત પ્રસંગઘટનાઓ આપતું ‘જાગીને જોઉં તો’ (૧૯૭૬), શિક્ષણસમાજને ચીંધતું ‘સમાજગંગાનાં વહેણો’  \t\t(૧૯૮૧), સમાજના ઘટકરૂપ કુટુંબચિંતન આપતું ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં’ (૧૯૮૭)- આ સર્વ સત્વાગ્રહી પુસ્તકોના ચિંતનાત્મક નિબંધોનું સરલ ગદ્ય ધ્યાનાર્હ છે. \t\t   \t\t‘લોકસાહિત્યનું સમાલોચન’ (૧૯૪૬), ‘ગુજરાતનમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન’ (૧૯૬૮) એ એમનાં સંપાદનો છે; તો ‘કાવ્યસુષમા’ (૧૯૫૯), ‘વાઙમયવિહાર’ (૧૯૬૪), ‘અક્ષર આરાધના’ અને ‘સાહત્યિક વાદ’  \t\t(૧૯૮૦) એમનાં મહત્વનાં સહસંપાદનો છે. \t\t   \t\t‘ધૈર્યશીલોની વીરકથાઓ’ (૧૯૫૯), ‘શિક્ષણ અને લોકશાહી’ (૧૯૬૪), ‘અમેરિકાની સંસ્કૃતિની રૂપરેખા’ (૧૯૬૪), ‘કુમારન્ આશાન્’ (૧૯૭૯) વગેરે એમના અનુવાદો છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "amrtalala-yajnika",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/amrtalala-yajnika",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:43.851022",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17216,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " અમૃત નાયક",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>નાયક અમૃત કેશવ ‘શિવશંભુ શર્માનો ચિકો’</u>\n\t\t(૧૮૭૭, ૨૯-૬-૧૯૦૬) : નાટ્યકાર, નવલકથાકાર. જન્મ અમદાવાદમાં. વિદ્યાભ્યાસ ચાર ધોરણ સુધી. બે ધોરણ ઉર્દૂ નાં. ૧૮૮૮ માં અગિયાર વર્ષની વયે આલ્ફ્રેડ નાટક મંડળીમાં \n\t\tનટજીવનનો પ્રારંભ. પછીથી નવી આલ્ફ્રેડ નાટક મંડળીમાં દિગ્દર્શક. શૅક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પરંપરાની પહેલ કરનાર. ધંધાદારી રંગભૂમિના ગીતલેખક. સંગીતવિશારદ.\n\t\t<br/><br/>\n\t\tએમના ગ્રંથોમાં ‘ભારતદુર્દશા નાટક’ (૧૯૦૯) અને નવલકથા ‘એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી’ (૧૯૦૮) પ્રસિદ્ધ છે. નવલકથા તત્કાલીન વિદ્યાભ્યાસની પદ્ધતિઓમાં રહેલી ખામીઓની આસપાસ ગૂંથાયેલી છે. મુસ્લિમ સંસારનું ચિત્ર \n\t\tરજૂ કરતી નવલકથા ‘મરિયમ’ લખાયાનું પણ નોંધાયું છે. આ ઉપરાંત ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ અને ‘નાદિરશાહ’ લખવા માંડેલાં એમનાં અધૂરાં અપ્રસિદ્ધ પુસ્તકો છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      નાયક અમૃત કેશવ ‘શિવશંભુ શર્માનો ચિકો’  \t\t(૧૮૭૭, ૨૯-૬-૧૯૦૬) : નાટ્યકાર, નવલકથાકાર. જન્મ અમદાવાદમાં. વિદ્યાભ્યાસ ચાર ધોરણ સુધી. બે ધોરણ ઉર્દૂ નાં. ૧૮૮૮ માં અગિયાર વર્ષની વયે આલ્ફ્રેડ નાટક મંડળીમાં  \t\tનટજીવનનો પ્રારંભ. પછીથી નવી આલ્ફ્રેડ નાટક મંડળીમાં દિગ્દર્શક. શૅક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પરંપરાની પહેલ કરનાર. ધંધાદારી રંગભૂમિના ગીતલેખક. સંગીતવિશારદ. \t\t  \t\tએમના ગ્રંથોમાં ‘ભારતદુર્દશા નાટક’ (૧૯૦૯) અને નવલકથા ‘એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી’ (૧૯૦૮) પ્રસિદ્ધ છે. નવલકથા તત્કાલીન વિદ્યાભ્યાસની પદ્ધતિઓમાં રહેલી ખામીઓની આસપાસ ગૂંથાયેલી છે. મુસ્લિમ સંસારનું ચિત્ર  \t\tરજૂ કરતી નવલકથા ‘મરિયમ’ લખાયાનું પણ નોંધાયું છે. આ ઉપરાંત ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ અને ‘નાદિરશાહ’ લખવા માંડેલાં એમનાં અધૂરાં અપ્રસિદ્ધ પુસ્તકો છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "amrta-nayaka",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/amrta-nayaka",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:44.016163",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17217,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " આનંદશંકર ધ્રુવ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’</u>\n\t\t(૨૫-૨-૧૮૬૯, ૭-૪-૧૯૪૨) : સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર. જન્મસ્થળ અમદાવાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં. ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી \n\t\tબી.એ. ૧૮૯૨ માં એમ.એ. ૧૮૯૭ મા એલએલ.બી. ૧૮૯૫ થી ૧૯૧૯ સુધી ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને \n\t\tઉપકુલપતિ. ‘સુદર્શન’નું તંત્રીપદ. ૧૯૦૨ માં ‘વસંત’ માસિકનો આરંભ. ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલોસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખ. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ. ૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના \n\t\tઅને ગુજરાત વિધાસભાના પ્રમુખ. ૧૯૩૭ માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી. સમકાલીન રાષ્ટ્રીય આંદોલનોમાં તેઓ સક્રિયપણે જોડાયેલા નહિ. એમનો સ્વદેશપ્રેમ ભાવનાત્મક હતો. પ્રજાની ધર્મવૃત્તિને \n\t\tસંસ્કારવી, ઉચિત દ્રષ્ટિ આપવી તેને જીવકાર્ય લેખેલું. ૧૯૩૭માં નિવૃત્ત.\t\t\n\t\t<br/><br/>\n\t\tઆનંદશંકરની સાહિત્યરુચિ અને સાહિત્યનાં ધોરણો પૂર્વપશ્ચિમની સમર્થ સાહિત્યકૃતિઓના પરિશીલનથી ઘડાયાં છે. ‘સાહિત્યવિચાર’ (૧૯૪૧) ને ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૪૭) એમની સાહિત્યકલા-મીમાંસાના પ્રતિનિધિરૂપ સંચયો છે. \n\t\t‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ (૧૯૪૬)માં પણ કેટલાક સામયિક સાહિત્યવિષયક લેખો, પ્રવેશકો, ગ્રંથાવલોકનો વગેરે છે. તેઓ સાહિત્યને વિશાળ સંદર્ભમાં જોવાની સાથે પ્રથમતઃ તેને કલા તરીકે સ્વીકારે છે. એમણે કવિતાને \n\t\t‘અમૃતસ્વરૂપ આત્માની કલા’ તથા ‘વાગ્દેવીરૂપ’ કહી છે અને  આત્માના ખાસ ધર્મો ચૈતન્ય, વ્યાપન તથા અનેકતામાં એકતાને કવિતામાં આવશ્યક લેખ્યાં છે. સાહિત્યમાં ઉપદેશના તત્ત્વ માટે એમનું વલણ ‘કાંતાસંમિતતથી યોપદેશયુ’ \n\t\tજેનું હતું. તેઓ કાવ્યસૃષ્ટિની યથાર્થતાને બાહ્યજગતની ભિન્ન એવું સ્વાયત્ત સ્થાન ફાળવે છે અને  પ્રતીકોને ‘સાંકેતિક વાસ્તવિકતા’ તરીકે સ્વીકારે છે.\n\t\t<br/><br/>\n\t\tતત્કાલીન સાહિત્યવિવેચનાના ક્ષેત્રમાં જાગેલાં મતમતાંતરોની ચર્ચાવિચારણા કરતાં એમણે કેટલાક સારગ્રાહી અને  મૂલગામી સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. કવિતામાં ઊર્મિને જ પ્રાધાન્ય આપતા રમણભાઈ નીલકંઠના અભિપ્રાયને પડકારતાં \n\t\tએમણે જણાવ્યું કે કવિતા સમગ્ર સંવિતનો વ્યાપાર છે;  કેવળ ઊર્મિ જ નહિ, એમાં સંવેદન, પ્રત્યક્ષબોધ, કલ્પના-વિચાર આદિ અનેક તત્ત્વોનો સમાવેશ થાય છે. કલાસિકલ અને રોમેન્ટિક સાહિત્ય વિશે પોતાના વિચારો રજૂ કરતાં એમણે \n\t\t‘કલાસિકલ’ માટે ‘સંસ્કારી સંયમ’ અને ‘રોમેન્ટિક’ માટે ‘જીવનનો ઉલ્લાસ’ શબ્દો પ્રયોજીને ઉક્ત બંને પ્રકારોનો સંબંધ, ઊગમ અને તારતમ્ય સ્પષ્ટ કર્યા. તેવી જ રીતે રમણભાઈના ‘વૃ્ત્તિમય ભાવાભાસ’નો ક. મા. મુનશીના ‘કલા અને \n\t\tનીતિ’ વિશેના વિચારનો અને ચંદ્રશંકર પંડ્યાના ‘સાહિત્યની દરેક પ્રવૃત્તિ રાષ્ટ્રનું ભલું કરવા માટે જ થવી જોઈએ’ એવા પ્રતિપાદનનો વિરોધ કરી ને તે તે વિષયોની સર્વગ્રાહી ચર્ચા દ્વારા તાત્ત્વિક સત્યની સમજ આપીને, એમણે તાર્કિક રીતે \n\t\tપોતાના મંતવ્યને સિદ્ધ કરી બતાવ્યું છે.\n\t\t<br/><br/>\n\t\tએમની વિવેચના સિદ્ધાંતદર્શનમાં તેમ કૃતિવિચારણામાં પણ વ્યાપકપણે કલાના મૂળ રહસ્યનું વિશદ પૃથક્કરણ અને સમતોલ મૂલ્યાંકન કરવામાં સમર્થ અને સત્ત્વશાળી રહી છે. સાહિત્યસિદ્ધાંતોની  સાથે સાહિત્યસ્વરૂપોની અને ભાષાની \n\t\tચર્ચા પણ એમણે કરી છે. સાહિત્ય શબ્દનો યૌગિક અર્થ એમણે દર્શાવ્યો છે તેમાં એમની સંશોધનશક્તિ અને ઇતિહાસનિષ્ઠાનો સુભગ સમન્વય જોઈ શકાય છે.\n\t\t<br/><br/>\n\t\tએમની પ્રતિભા ધર્મ વિશેના જાગ્રત ચિંતક તરીકેની પણ છે. સરળ અને લોકભોગ્ય શૈલીએ, ‘હિન્દુધર્મની બાળપોથી’ (૧૯૧૮)માં એમણે હિન્દુ ધર્મનું રહસ્ય બહુજનસમાજ માટે પ્રગટ કર્યું છે. ‘આપણો ધર્મ’ (૧૯૧૬) અને ‘હિન્દુ વેદધર્મ’ \n\t\t(૧૯૧૯) હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને દર્શનને સ્પષ્ટ કરતાં પુસ્તકો છે. ‘ધર્મવર્ણન’માં એમણે જગતના મુખ્ય ધર્મોના સિદ્ધાંતોનો પરિચય આપ્યો છે. નીતિ અને સદાચારમાં પોષક નીવડે એવી રસભરી કથાઓ ‘નીતિશિક્ષણ’માં આપી છે. \n\t\tસંસ્કૃત ભાષાના એમના બે ગ્રંથો ‘ન્યાયપ્રવેશક’ (૧૯૩૦) તથા ‘સ્યાદ્વાદમંજરી’ (૧૯૩૩) પણ નોંધપાત્ર છે. તેમાં જૈનબોદ્ધ દર્શનગ્રંથોનું વિદ્વત્તાપૂર્ણ સંશોધન છે. રામાનુજાચાર્યકૃત ‘શ્રીભાષ્ય’ (૧૯૧૩)નું ગુજરાતી અનુવાદ સાથેનું સંપાદન બે \n\t\tભાગમાં પ્રસિદ્ધ થયું છે. એમનાં કેટલાક વ્યાખ્યાનો પણ સ્વતંત્ર પુસ્તિકારૂપે પ્રગટ થયાં છે. ‘સુદર્શન ગદ્યાવલિ’ (૧૯૦૯)માં એમણે મણિલાલ ન. દ્વિવેદીના લેખોનું સંપાદન કર્યું છે.\n\t\t<br/><br/>\n\t\tઅર્થપૂર્ણ મિતભાષિતા અને જીવન રસજ્ઞતા એ આનંદશંકરના નિબંધોની મુખ્ય લાક્ષણિકતા છે. અભિનવ ક્ષમતાવાળી અને લક્ષ્યગામી એમની શૈલીમાં ઊર્મિ અને ચિંતનનો સુભગ સમન્વય છે. સંસ્કૃત, અંગ્રેજી કે ગુજરાતી ઘરગથ્થુ શબ્દોનો \n\t\tતેઓ ઔચિત્યપૂર્વક અને યથાર્થ ઉપયોગ કરે છે. પ્રસન્નગંભીર પદાવલિમાં રાચતું એમનું ગદ્ય કેવળ પાંડિત્યદર્શી નથી. સંસ્કૃતશૈલીની સુદીર્ઘ વાક્યાવલિઓ કે સૂત્રાત્મક ટૂંકાં વાક્યો તેઓ સહજસામર્થ્યની યોજી શકે છે. \n\t\t<p align=\"right\">-નિરંજન વોરા</p>\n<br/><br/>\n\t\tસાહિત્યવિચાર (૧૯૬૬) : આચાર્ય આનંદશંકર ધ્રુવના વિવેચનલેખોનો રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત સંગ્રહ. આ ગ્રંથમાં પ્રવચનો, નિવાપાંજલિઓ, જુદાં જુદાં પરિસંવાદ/પરિષદ વેળાનાં લખાણો વગેરે મળી \n\t\tપચાસ લેખો છે. લેખો પ્રાસંગિક હોવા છતાં તેમાં લેખકની સાહિત્યવિભાગના તથા કલાદ્રષ્ટિ યોગ્ય રીતે પ્રગટ થયાં છે. લેખક ‘સાહિત્ય’ સંજ્ઞાને વિશાળ અર્થમાં પ્રયોજે છે. એમના મતે ભાષા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન-સઘળાં શાસ્ત્રોનું \n\t\tપર્યવસાન સાહિત્યમાં થાય છે. એમની માન્યતા છે કે આત્માના લાગણી, બુદ્ધિ, જાતિ ને આધ્યાત્મિકતા એ ચારેય અંશો કાવ્યમાં અનિવાર્યપણે જોવા મળે છે. \n\t\t<p align=\"right\">-હર્ષવદન ત્રિવેદી</p>\n<br/><br/>\n\t\tકાવ્યતત્ત્વવિચાર (૧૯૪૭) : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ના વિવેચનાત્મક લેખો તેમ જ ગ્રંથાવલોકનોને સમાવતો આ ગ્રંથ રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થયો છે. સમગ્ર ગ્રંથ બે ભાગોમાં વહેંચાયેલો છે : સાહિત્યચર્ચા અને \n\t\tગ્રંથાવલોકનો. પહેલા ભાગમાં સાહિત્યનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરતા ૧૯ લેખો પૈકી ‘કવિતા’, ‘સુંદર અને ભવ્ય’ ‘કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો’, ‘રસાસ્વાદનો અધિકાર’, ‘સાહિત્ય’, ‘સૌંદર્યનો અનુભવ’ વગેરે વિષય \n\t\tમહત્ત્વના છે. બીજા ભાગમાં ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ધમ્મપદ’ ‘શાકુંતલ’, ‘વિક્રમોર્વશીય’ જેવી પ્રાચીન કૃતિઓનું અવલોકનાત્મક રસદર્શન છે. ‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસી’ એ બે લેખોમાં ઉક્ત કવિઓનું તુલનાત્મક અવલોકન \n\t\tછે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ અને ‘ધીરો’ એ બે લેખો પ્રાસંગિક પ્રવચનોનું સીમિત સ્વરૂપ છે. છેલ્લો લેખ ‘ઑથેલો અને એનું રહસ્ય’ એ શૅક્સપિયરની નાટ્યકૃતિનું રસદર્શી અવલોકન છે.\n\t\t<br/><br/>\n\t\tસમતોલ દ્રષ્ટિબિંદુ, વિષયની સૂક્ષ્મ તપાસ, અર્થસભર મિતભાષિતા અને રસજ્ઞ એવી સાહિત્યદ્રષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ ગુજરાતી વિવેચન-પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’  \t\t(૨૫-૨-૧૮૬૯, ૭-૪-૧૯૪૨) : સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર. જન્મસ્થળ અમદાવાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં. ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી  \t\tબી.એ. ૧૮૯૨ માં એમ.એ. ૧૮૯૭ મા એલએલ.બી. ૧૮૯૫ થી ૧૯૧૯ સુધી ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને  \t\tઉપકુલપતિ. ‘સુદર્શન’નું તંત્રીપદ. ૧૯૦૨ માં ‘વસંત’ માસિકનો આરંભ. ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલોસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખ. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ. ૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના  \t\tઅને ગુજરાત વિધાસભાના પ્રમુખ. ૧૯૩૭ માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી. સમકાલીન રાષ્ટ્રીય આંદોલનોમાં તેઓ સક્રિયપણે જોડાયેલા નહિ. એમનો સ્વદેશપ્રેમ ભાવનાત્મક હતો. પ્રજાની ધર્મવૃત્તિને  \t\tસંસ્કારવી, ઉચિત દ્રષ્ટિ આપવી તેને જીવકાર્ય લેખેલું. ૧૯૩૭માં નિવૃત્ત.\t\t \t\t  \t\tઆનંદશંકરની સાહિત્યરુચિ અને સાહિત્યનાં ધોરણો પૂર્વપશ્ચિમની સમર્થ સાહિત્યકૃતિઓના પરિશીલનથી ઘડાયાં છે. ‘સાહિત્યવિચાર’ (૧૯૪૧) ને ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૪૭) એમની સાહિત્યકલા-મીમાંસાના પ્રતિનિધિરૂપ સંચયો છે.  \t\t‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ (૧૯૪૬)માં પણ કેટલાક સામયિક સાહિત્યવિષયક લેખો, પ્રવેશકો, ગ્રંથાવલોકનો વગેરે છે. તેઓ સાહિત્યને વિશાળ સંદર્ભમાં જોવાની સાથે પ્રથમતઃ તેને કલા તરીકે સ્વીકારે છે. એમણે કવિતાને  \t\t‘અમૃતસ્વરૂપ આત્માની કલા’ તથા ‘વાગ્દેવીરૂપ’ કહી છે અને  આત્માના ખાસ ધર્મો ચૈતન્ય, વ્યાપન તથા અનેકતામાં એકતાને કવિતામાં આવશ્યક લેખ્યાં છે. સાહિત્યમાં ઉપદેશના તત્ત્વ માટે એમનું વલણ ‘કાંતાસંમિતતથી યોપદેશયુ’  \t\tજેનું હતું. તેઓ કાવ્યસૃષ્ટિની યથાર્થતાને બાહ્યજગતની ભિન્ન એવું સ્વાયત્ત સ્થાન ફાળવે છે અને  પ્રતીકોને ‘સાંકેતિક વાસ્તવિકતા’ તરીકે સ્વીકારે છે. \t\t  \t\tતત્કાલીન સાહિત્યવિવેચનાના ક્ષેત્રમાં જાગેલાં મતમતાંતરોની ચર્ચાવિચારણા કરતાં એમણે કેટલાક સારગ્રાહી અને  મૂલગામી સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. કવિતામાં ઊર્મિને જ પ્રાધાન્ય આપતા રમણભાઈ નીલકંઠના અભિપ્રાયને પડકારતાં  \t\tએમણે જણાવ્યું કે કવિતા સમગ્ર સંવિતનો વ્યાપાર છે;  કેવળ ઊર્મિ જ નહિ, એમાં સંવેદન, પ્રત્યક્ષબોધ, કલ્પના-વિચાર આદિ અનેક તત્ત્વોનો સમાવેશ થાય છે. કલાસિકલ અને રોમેન્ટિક સાહિત્ય વિશે પોતાના વિચારો રજૂ કરતાં એમણે  \t\t‘કલાસિકલ’ માટે ‘સંસ્કારી સંયમ’ અને ‘રોમેન્ટિક’ માટે ‘જીવનનો ઉલ્લાસ’ શબ્દો પ્રયોજીને ઉક્ત બંને પ્રકારોનો સંબંધ, ઊગમ અને તારતમ્ય સ્પષ્ટ કર્યા. તેવી જ રીતે રમણભાઈના ‘વૃ્ત્તિમય ભાવાભાસ’નો ક. મા. મુનશીના ‘કલા અને  \t\tનીતિ’ વિશેના વિચારનો અને ચંદ્રશંકર પંડ્યાના ‘સાહિત્યની દરેક પ્રવૃત્તિ રાષ્ટ્રનું ભલું કરવા માટે જ થવી જોઈએ’ એવા પ્રતિપાદનનો વિરોધ કરી ને તે તે વિષયોની સર્વગ્રાહી ચર્ચા દ્વારા તાત્ત્વિક સત્યની સમજ આપીને, એમણે તાર્કિક રીતે  \t\tપોતાના મંતવ્યને સિદ્ધ કરી બતાવ્યું છે. \t\t  \t\tએમની વિવેચના સિદ્ધાંતદર્શનમાં તેમ કૃતિવિચારણામાં પણ વ્યાપકપણે કલાના મૂળ રહસ્યનું વિશદ પૃથક્કરણ અને સમતોલ મૂલ્યાંકન કરવામાં સમર્થ અને સત્ત્વશાળી રહી છે. સાહિત્યસિદ્ધાંતોની  સાથે સાહિત્યસ્વરૂપોની અને ભાષાની  \t\tચર્ચા પણ એમણે કરી છે. સાહિત્ય શબ્દનો યૌગિક અર્થ એમણે દર્શાવ્યો છે તેમાં એમની સંશોધનશક્તિ અને ઇતિહાસનિષ્ઠાનો સુભગ સમન્વય જોઈ શકાય છે. \t\t  \t\tએમની પ્રતિભા ધર્મ વિશેના જાગ્રત ચિંતક તરીકેની પણ છે. સરળ અને લોકભોગ્ય શૈલીએ, ‘હિન્દુધર્મની બાળપોથી’ (૧૯૧૮)માં એમણે હિન્દુ ધર્મનું રહસ્ય બહુજનસમાજ માટે પ્રગટ કર્યું છે. ‘આપણો ધર્મ’ (૧૯૧૬) અને ‘હિન્દુ વેદધર્મ’  \t\t(૧૯૧૯) હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને દર્શનને સ્પષ્ટ કરતાં પુસ્તકો છે. ‘ધર્મવર્ણન’માં એમણે જગતના મુખ્ય ધર્મોના સિદ્ધાંતોનો પરિચય આપ્યો છે. નીતિ અને સદાચારમાં પોષક નીવડે એવી રસભરી કથાઓ ‘નીતિશિક્ષણ’માં આપી છે.  \t\tસંસ્કૃત ભાષાના એમના બે ગ્રંથો ‘ન્યાયપ્રવેશક’ (૧૯૩૦) તથા ‘સ્યાદ્વાદમંજરી’ (૧૯૩૩) પણ નોંધપાત્ર છે. તેમાં જૈનબોદ્ધ દર્શનગ્રંથોનું વિદ્વત્તાપૂર્ણ સંશોધન છે. રામાનુજાચાર્યકૃત ‘શ્રીભાષ્ય’ (૧૯૧૩)નું ગુજરાતી અનુવાદ સાથેનું સંપાદન બે  \t\tભાગમાં પ્રસિદ્ધ થયું છે. એમનાં કેટલાક વ્યાખ્યાનો પણ સ્વતંત્ર પુસ્તિકારૂપે પ્રગટ થયાં છે. ‘સુદર્શન ગદ્યાવલિ’ (૧૯૦૯)માં એમણે મણિલાલ ન. દ્વિવેદીના લેખોનું સંપાદન કર્યું છે. \t\t  \t\tઅર્થપૂર્ણ મિતભાષિતા અને જીવન રસજ્ઞતા એ આનંદશંકરના નિબંધોની મુખ્ય લાક્ષણિકતા છે. અભિનવ ક્ષમતાવાળી અને લક્ષ્યગામી એમની શૈલીમાં ઊર્મિ અને ચિંતનનો સુભગ સમન્વય છે. સંસ્કૃત, અંગ્રેજી કે ગુજરાતી ઘરગથ્થુ શબ્દોનો  \t\tતેઓ ઔચિત્યપૂર્વક અને યથાર્થ ઉપયોગ કરે છે. પ્રસન્નગંભીર પદાવલિમાં રાચતું એમનું ગદ્ય કેવળ પાંડિત્યદર્શી નથી. સંસ્કૃતશૈલીની સુદીર્ઘ વાક્યાવલિઓ કે સૂત્રાત્મક ટૂંકાં વાક્યો તેઓ સહજસામર્થ્યની યોજી શકે છે.  \t\t -નિરંજન વોરા    \t\tસાહિત્યવિચાર (૧૯૬૬) : આચાર્ય આનંદશંકર ધ્રુવના વિવેચનલેખોનો રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત સંગ્રહ. આ ગ્રંથમાં પ્રવચનો, નિવાપાંજલિઓ, જુદાં જુદાં પરિસંવાદ/પરિષદ વેળાનાં લખાણો વગેરે મળી  \t\tપચાસ લેખો છે. લેખો પ્રાસંગિક હોવા છતાં તેમાં લેખકની સાહિત્યવિભાગના તથા કલાદ્રષ્ટિ યોગ્ય રીતે પ્રગટ થયાં છે. લેખક ‘સાહિત્ય’ સંજ્ઞાને વિશાળ અર્થમાં પ્રયોજે છે. એમના મતે ભાષા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન-સઘળાં શાસ્ત્રોનું  \t\tપર્યવસાન સાહિત્યમાં થાય છે. એમની માન્યતા છે કે આત્માના લાગણી, બુદ્ધિ, જાતિ ને આધ્યાત્મિકતા એ ચારેય અંશો કાવ્યમાં અનિવાર્યપણે જોવા મળે છે.  \t\t -હર્ષવદન ત્રિવેદી    \t\tકાવ્યતત્ત્વવિચાર (૧૯૪૭) : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ના વિવેચનાત્મક લેખો તેમ જ ગ્રંથાવલોકનોને સમાવતો આ ગ્રંથ રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થયો છે. સમગ્ર ગ્રંથ બે ભાગોમાં વહેંચાયેલો છે : સાહિત્યચર્ચા અને  \t\tગ્રંથાવલોકનો. પહેલા ભાગમાં સાહિત્યનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરતા ૧૯ લેખો પૈકી ‘કવિતા’, ‘સુંદર અને ભવ્ય’ ‘કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો’, ‘રસાસ્વાદનો અધિકાર’, ‘સાહિત્ય’, ‘સૌંદર્યનો અનુભવ’ વગેરે વિષય  \t\tમહત્ત્વના છે. બીજા ભાગમાં ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ધમ્મપદ’ ‘શાકુંતલ’, ‘વિક્રમોર્વશીય’ જેવી પ્રાચીન કૃતિઓનું અવલોકનાત્મક રસદર્શન છે. ‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસી’ એ બે લેખોમાં ઉક્ત કવિઓનું તુલનાત્મક અવલોકન  \t\tછે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ અને ‘ધીરો’ એ બે લેખો પ્રાસંગિક પ્રવચનોનું સીમિત સ્વરૂપ છે. છેલ્લો લેખ ‘ઑથેલો અને એનું રહસ્ય’ એ શૅક્સપિયરની નાટ્યકૃતિનું રસદર્શી અવલોકન છે. \t\t  \t\tસમતોલ દ્રષ્ટિબિંદુ, વિષયની સૂક્ષ્મ તપાસ, અર્થસભર મિતભાષિતા અને રસજ્ઞ એવી સાહિત્યદ્રષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ ગુજરાતી વિવેચન-પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "anandasankara-dhruva",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/anandasankara-dhruva",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:44.181190",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17218,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " અનંતરાય રાવળ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>રાવળ અનંતરાય મણિશંકર </u>\n\t\t(૧-૧-૧૯૧૨, ૧૮-૧૧-૧૯૮૮) : વિવેચક, સંપાદક. જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી \n\t\t૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨ થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો રહ્યા પછી મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ \n\t\tકામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪ થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના \n\t\tગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામકપદેથી નિવૃત્ત. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાદ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્ય \n\t\tભવનના અધ્યક્ષપદેશી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના, વડોદરામાં ૧૯૮૦માં મળેલા ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ \n\t\tસુવર્ણચંદ્રક. ૧૯૭૪નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ.\n\t\t<br/><br/>\n\t\tએમનો પ્રથમ વિવેચનસંગ્રહ ‘સાહિત્યવિહાર’ ૧૯૪૬માં પ્રગટ થયેલો; તે પછી અનુક્રમે ‘ગંધાક્ષત’ (૧૯૪૯), ‘સાહિત્યવિવેક’ (૧૯૫૮), ‘સાહીત્યનિકષ’ (૧૯૫૮), ‘સમીક્ષા’ (૧૯૬૨), ‘સમાલોચના’ (૧૯૬૬), ‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭), \n\t\t‘તારતમ્ય’ (૧૯૭૧), ‘ઉન્મીલન’ (૧૯૭૪) પ્રગટ થયા. એમણે કોઈ એકાદ સાહિત્યસ્વરૂપનું જ વિવેચન કર્યું નથી; એમની વિવેચક તરીકેની ગતિ લલિત ને લલિતેતર બંને પ્રકારનાં સાહિત્યસ્વરૂપોમાં લગભગ એકસરખી છે. એમના વિભિન્ન \n\t\tવિવેચનસંગ્રહોમાં કવિતા, નાટક, ટૂંકીવાર્તા, નવલકથા, ચરિત્ર વગેરે વિવિધ સાહિત્યપ્રકારનાં પુસ્તકોના પ્રવેશકો છે;  અધ્યયનગ્રંથો માટે લખાયેલા લેખો તથા યુનિવર્સિટી વ્યાખ્યાનો છે; આકાશવાણી માટે અપાયેલા વાર્તાલાપો છે તથા \n\t\tસામયિકોમાં કરેલાં લાંબાં-ટૂંકાં અવલોકનો છે. ગુજરાત સાહિત્ય સભા માટે એમણે ૧૯૩૭, ૧૯૪૫, ૧૯૪૬, ૧૯૪૭ ની વાર્ષિક વાઙમયસમીક્ષાનું કાર્ય કરેલું. આ ચારેય વાર્ષિક સમીક્ષાઓ ‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭)માં પ્રગટ થઈ છે. ‘કવિવર્ય \n\t\tન્હાનાલાલ’ (૧૯૮૫)માં એમનો કવિ ન્હાનાલાલ પરનો સર્વગ્રાહી અભ્યાસ છે. \n\t\t<br/><br/>\n\t\tઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણું અને ઊંડું નિહાળતી વેધક દ્રષ્ટિ, વિશાળ સમભાવ એ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ‘ઉપચય’ (૧૯૭૧) એમનો વિવિધ પ્રયોજને લખાયેલાં શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યવિશેનાં તથા સાહિત્યકારોને \n\t\tઅધ્યર્યરૂપ લખાયેલાં છત્રીસ લેખો-પ્રવચનોનો સંગ્રહ છે. સંગ્રહમાંનાં સાહિત્યેતર લખાણોના કેન્દ્રમાં પણ તેઓ સાહિત્યમીમાંસક જ રહેલા છે.\n\t\t<br/><br/>\n\t\t‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન’ (૧૯૫૪)માં સાહિત્યના ઇતિહાસની દ્રષ્ટિ-પદ્ધતિને કેન્દ્રમાં રાખીને એમણે મધ્યકાળની રાજ્કીય, સામાજિક પશ્વાદભૂ, એ સાહિત્યની લાક્ષણિકતાઓ-મર્યાદાઓ, વિવિધ સાહિત્યસ્વરૂપો વગેરેની ચાર પ્રકરણોમાં \n\t\tચર્ચા કરી છે ને પછીનાં આઠ પ્રકરણોમાં શતકવાર વ્યક્તિલક્ષી સાહિત્યસર્જનનો પરિચય કરાવ્યો છે. અનેક વિષયોની વિશદ-સઘન માહિતી તેમાં છે ને છતાં શૈલીની સમતાની જાળવણી સાથે, સર્વ વણર્યવિષય અંગેનાં \n\t\tમાહિતી-મૂલ્યાંકન-તારણ-સૂચન તેમાં સહજસુલભ છે. \n\t\t<br/><br/>\n\t\tસંપાદક તરીકેની એમની કામગીરી પણ ખાસ ઉલ્લેખનીય છે. ‘બોટાદકરની કાવ્યસરિતા’ (૧૯૫૬), ‘ન્હાનાલાલ મધુકોશ’ (૧૯૫૯), ‘નળાખ્યાન’ (૧૯૬૦), ‘ગુજરાતનો એકાંકીસંગ્રહ’ (૧૯૬૦), ‘સ્નેહમુદ્રા’ (૧૯૬૦), ‘મદનમોહના’ (૧૯૬૬), \n\t\t‘કલાપીનો કાવ્યકલાપ’ (૧૯૭૪), ‘ચૂનીલાલ વ. શાહની શ્રેષ્ઠ વાર્તાઓ’ વગેરે એમનાં મહત્વનાં સંપાદનો છે. એમનાં સહસંપાદનોમાં ‘બુદ્ધિપ્રકાશ-લેખસંગ્રહ’- ભા. ૧-૨, પ્રેમાનંદ કૃત ‘ચંદ્રહાસાખ્યાન’, ‘રમણલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ’, \n\t\t‘કવિશ્રી ન્હાનાલાલ સ્મારકગ્રંથ’, ‘મનસુખલાલ ઝવેરીની કાવ્યસુષમા’, ‘કરસનદાસ માણેકની અક્ષર આરાધના’, ‘કાલેલકર અધ્યયનગ્રંથ’, ‘સરકારી વાચનમાળા’ : ૧-૪, ‘દી. બ. નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ’ વગેરે મુખ્ય છે. ર. વ. \n\t\tદેસાઈકૃત નવલકથા ‘ગ્રામલક્ષ્મી’નો સંક્ષેપ પણ એમણે કર્યો છે;  સાહિત્ય અકાદમી માટે ‘સાહિત્યચર્ચા’ (૧૯૮૧)નું સંપાદન કર્યું છે; ૧૯૮૪માં ‘નરસિંહ મહેતાનાં પદો’નું પણ સંપાદન કર્યું છે. આ સંપાદનો નિમિત્તે એમણે વિસ્તૃત પ્રવેશકો \n\t\tલખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે બહાર પાડેલ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ચોથા ભાગનું સંપાદન એમણે ઉમાસંકર જોશી વગેરે સાથે કર્યું છે. આ ઉપરાંત એમણે વિશ્વનાથ મ. ભટ્ટની સાથે ‘ટોલ્સટોયની નવલિકાઓ’નો અનુવાદ \n\t\tકર્યો છે તથા જે. ડી. પાઠક સાથે ‘આહારવિજ્ઞાન’ નામનું પુસ્તક લખ્યું છે. એમણે ‘ચા ઘર’ (૧૯૪૪)માં વાર્તાઓ આપી છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      રાવળ અનંતરાય મણિશંકર   \t\t(૧-૧-૧૯૧૨, ૧૮-૧૧-૧૯૮૮) : વિવેચક, સંપાદક. જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી  \t\t૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨ થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો રહ્યા પછી મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ  \t\tકામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪ થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના  \t\tગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામકપદેથી નિવૃત્ત. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાદ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્ય  \t\tભવનના અધ્યક્ષપદેશી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના, વડોદરામાં ૧૯૮૦માં મળેલા ત્રીસમા અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ  \t\tસુવર્ણચંદ્રક. ૧૯૭૪નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ. \t\t  \t\tએમનો પ્રથમ વિવેચનસંગ્રહ ‘સાહિત્યવિહાર’ ૧૯૪૬માં પ્રગટ થયેલો; તે પછી અનુક્રમે ‘ગંધાક્ષત’ (૧૯૪૯), ‘સાહિત્યવિવેક’ (૧૯૫૮), ‘સાહીત્યનિકષ’ (૧૯૫૮), ‘સમીક્ષા’ (૧૯૬૨), ‘સમાલોચના’ (૧૯૬૬), ‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭),  \t\t‘તારતમ્ય’ (૧૯૭૧), ‘ઉન્મીલન’ (૧૯૭૪) પ્રગટ થયા. એમણે કોઈ એકાદ સાહિત્યસ્વરૂપનું જ વિવેચન કર્યું નથી; એમની વિવેચક તરીકેની ગતિ લલિત ને લલિતેતર બંને પ્રકારનાં સાહિત્યસ્વરૂપોમાં લગભગ એકસરખી છે. એમના વિભિન્ન  \t\tવિવેચનસંગ્રહોમાં કવિતા, નાટક, ટૂંકીવાર્તા, નવલકથા, ચરિત્ર વગેરે વિવિધ સાહિત્યપ્રકારનાં પુસ્તકોના પ્રવેશકો છે;  અધ્યયનગ્રંથો માટે લખાયેલા લેખો તથા યુનિવર્સિટી વ્યાખ્યાનો છે; આકાશવાણી માટે અપાયેલા વાર્તાલાપો છે તથા  \t\tસામયિકોમાં કરેલાં લાંબાં-ટૂંકાં અવલોકનો છે. ગુજરાત સાહિત્ય સભા માટે એમણે ૧૯૩૭, ૧૯૪૫, ૧૯૪૬, ૧૯૪૭ ની વાર્ષિક વાઙમયસમીક્ષાનું કાર્ય કરેલું. આ ચારેય વાર્ષિક સમીક્ષાઓ ‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭)માં પ્રગટ થઈ છે. ‘કવિવર્ય  \t\tન્હાનાલાલ’ (૧૯૮૫)માં એમનો કવિ ન્હાનાલાલ પરનો સર્વગ્રાહી અભ્યાસ છે.  \t\t  \t\tઊંડી નિષ્ઠા, સાંગોપાંગ નિરૂપણ, ઝીણું અને ઊંડું નિહાળતી વેધક દ્રષ્ટિ, વિશાળ સમભાવ એ એમના વિવેચનની લાક્ષણિકતા છે. ‘ઉપચય’ (૧૯૭૧) એમનો વિવિધ પ્રયોજને લખાયેલાં શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યવિશેનાં તથા સાહિત્યકારોને  \t\tઅધ્યર્યરૂપ લખાયેલાં છત્રીસ લેખો-પ્રવચનોનો સંગ્રહ છે. સંગ્રહમાંનાં સાહિત્યેતર લખાણોના કેન્દ્રમાં પણ તેઓ સાહિત્યમીમાંસક જ રહેલા છે. \t\t  \t\t‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન’ (૧૯૫૪)માં સાહિત્યના ઇતિહાસની દ્રષ્ટિ-પદ્ધતિને કેન્દ્રમાં રાખીને એમણે મધ્યકાળની રાજ્કીય, સામાજિક પશ્વાદભૂ, એ સાહિત્યની લાક્ષણિકતાઓ-મર્યાદાઓ, વિવિધ સાહિત્યસ્વરૂપો વગેરેની ચાર પ્રકરણોમાં  \t\tચર્ચા કરી છે ને પછીનાં આઠ પ્રકરણોમાં શતકવાર વ્યક્તિલક્ષી સાહિત્યસર્જનનો પરિચય કરાવ્યો છે. અનેક વિષયોની વિશદ-સઘન માહિતી તેમાં છે ને છતાં શૈલીની સમતાની જાળવણી સાથે, સર્વ વણર્યવિષય અંગેનાં  \t\tમાહિતી-મૂલ્યાંકન-તારણ-સૂચન તેમાં સહજસુલભ છે.  \t\t  \t\tસંપાદક તરીકેની એમની કામગીરી પણ ખાસ ઉલ્લેખનીય છે. ‘બોટાદકરની કાવ્યસરિતા’ (૧૯૫૬), ‘ન્હાનાલાલ મધુકોશ’ (૧૯૫૯), ‘નળાખ્યાન’ (૧૯૬૦), ‘ગુજરાતનો એકાંકીસંગ્રહ’ (૧૯૬૦), ‘સ્નેહમુદ્રા’ (૧૯૬૦), ‘મદનમોહના’ (૧૯૬૬),  \t\t‘કલાપીનો કાવ્યકલાપ’ (૧૯૭૪), ‘ચૂનીલાલ વ. શાહની શ્રેષ્ઠ વાર્તાઓ’ વગેરે એમનાં મહત્વનાં સંપાદનો છે. એમનાં સહસંપાદનોમાં ‘બુદ્ધિપ્રકાશ-લેખસંગ્રહ’- ભા. ૧-૨, પ્રેમાનંદ કૃત ‘ચંદ્રહાસાખ્યાન’, ‘રમણલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ’,  \t\t‘કવિશ્રી ન્હાનાલાલ સ્મારકગ્રંથ’, ‘મનસુખલાલ ઝવેરીની કાવ્યસુષમા’, ‘કરસનદાસ માણેકની અક્ષર આરાધના’, ‘કાલેલકર અધ્યયનગ્રંથ’, ‘સરકારી વાચનમાળા’ : ૧-૪, ‘દી. બ. નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ’ વગેરે મુખ્ય છે. ર. વ.  \t\tદેસાઈકૃત નવલકથા ‘ગ્રામલક્ષ્મી’નો સંક્ષેપ પણ એમણે કર્યો છે;  સાહિત્ય અકાદમી માટે ‘સાહિત્યચર્ચા’ (૧૯૮૧)નું સંપાદન કર્યું છે; ૧૯૮૪માં ‘નરસિંહ મહેતાનાં પદો’નું પણ સંપાદન કર્યું છે. આ સંપાદનો નિમિત્તે એમણે વિસ્તૃત પ્રવેશકો  \t\tલખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે બહાર પાડેલ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ચોથા ભાગનું સંપાદન એમણે ઉમાસંકર જોશી વગેરે સાથે કર્યું છે. આ ઉપરાંત એમણે વિશ્વનાથ મ. ભટ્ટની સાથે ‘ટોલ્સટોયની નવલિકાઓ’નો અનુવાદ  \t\tકર્યો છે તથા જે. ડી. પાઠક સાથે ‘આહારવિજ્ઞાન’ નામનું પુસ્તક લખ્યું છે. એમણે ‘ચા ઘર’ (૧૯૪૪)માં વાર્તાઓ આપી છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "anantaraya-ravala",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/anantaraya-ravala",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:44.324490",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17219,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " અનિલા દલાલ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>દલાલ અનિલા અમૃતલાલ </u>\n\t\t(૨૧-૧૦-૧૯૩૩) : વિવેચક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૪માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૯માં યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઑફ \n\t\tઈલિનોયની એમ.એસ.ની. ડિગ્રી એજ્યુકેશન વિષયમાં મેળવી. જૂન ૧૯૬૦ થી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા.\n\t\t<br/><br/>\n\t\tએમનું વિવેચનપુસ્તક ‘રવીન્દ્રનાથ અને શરતચંદ્રના કથા સાહિત્યમાં નારી’ (૧૯૭૯) બે ખંડમાં વિભાજિત છે. પ્રથમ ખંડમાં રવીન્દ્રનાથનાં નારીપાત્રો વિષે સાત લેખો, જયારે બીજા ખંડમાં શરતચંદ્રનાં નારીપાત્રો વિષે પાંચ લેખો છે. ‘દેશાન્તર’ (૧૯૮૧)માં જર્મન, \n\t\tરશિયન, હિબ્રૂ, ફ્રેન્ચ, ગ્રીક, ઈટાલિયન, સ્પેનિશ વગેરે ભાષાઓની સાહિત્યસૃષ્ટિ છે. એમાં કવિ ટેડ હ્યુઝ, હેરલ્ડ પ્રિન્ટર, ફિલિપ લાર્કિન, નવલકથાકાર આઈરિસ મરડોખ જેવાનો સમાવેશ છે. ‘દર્પણનું નગર’ (૧૯૮૭) પણ એમનો વિવેચનગ્રંથ છે.\n\t\t<br/><br/>\n\t\tસુનીલ ગંગોપાધ્યાયની ત્રણ નવલકથાઓના અનુવાદ ‘રાધાકૃષ્ણ’ (૧૯૮૧), ‘અરણ્યમાં દિનરાત’ (૧૯૮૩) અને ‘પ્રતિદ્વન્દ્વી’ (૧૯૮૬) એમણે આપ્યા છે. મૂળને વફાદાર અનુવાદ આપવાનો એમનો એમાં પ્રયાસ છે. ઉપરાંત બુદ્ધદેવ બસુકૃત \n\t\t‘મહાભારત : એક આધુનિક દ્રષ્ટિકોણ’ (૧૯૮૦), નારાયણ ચૌધરી રચિત ‘મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર’ (૧૯૮૦),  હેમ બરુવાકૃત ‘લક્ષ્મીનાથ બેજબરુવા’ (૧૯૮૫) ના અનુવાદ પણ એમણે આપ્યા છે. રવીન્દ્રનાથના કેટલાક નિબંધોના એમના \n\t\tઅનુવાદ ‘રવીન્દ્ર નિબંધમાળા’- ભા. ૨ (૧૯૭૬)માં છે. ઉપરાંત રવીન્દ્રનાથનાં સિતેરેક ગીતોના એમના અનુવાદો અન્યના અનુવાદ સાથે ‘ગીત પંચશતી’ (૧૯૭૮) માં ગ્રંથસ્થ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દલાલ અનિલા અમૃતલાલ   \t\t(૨૧-૧૦-૧૯૩૩) : વિવેચક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૪માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૯માં યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઑફ  \t\tઈલિનોયની એમ.એસ.ની. ડિગ્રી એજ્યુકેશન વિષયમાં મેળવી. જૂન ૧૯૬૦ થી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા. \t\t  \t\tએમનું વિવેચનપુસ્તક ‘રવીન્દ્રનાથ અને શરતચંદ્રના કથા સાહિત્યમાં નારી’ (૧૯૭૯) બે ખંડમાં વિભાજિત છે. પ્રથમ ખંડમાં રવીન્દ્રનાથનાં નારીપાત્રો વિષે સાત લેખો, જયારે બીજા ખંડમાં શરતચંદ્રનાં નારીપાત્રો વિષે પાંચ લેખો છે. ‘દેશાન્તર’ (૧૯૮૧)માં જર્મન,  \t\tરશિયન, હિબ્રૂ, ફ્રેન્ચ, ગ્રીક, ઈટાલિયન, સ્પેનિશ વગેરે ભાષાઓની સાહિત્યસૃષ્ટિ છે. એમાં કવિ ટેડ હ્યુઝ, હેરલ્ડ પ્રિન્ટર, ફિલિપ લાર્કિન, નવલકથાકાર આઈરિસ મરડોખ જેવાનો સમાવેશ છે. ‘દર્પણનું નગર’ (૧૯૮૭) પણ એમનો વિવેચનગ્રંથ છે. \t\t  \t\tસુનીલ ગંગોપાધ્યાયની ત્રણ નવલકથાઓના અનુવાદ ‘રાધાકૃષ્ણ’ (૧૯૮૧), ‘અરણ્યમાં દિનરાત’ (૧૯૮૩) અને ‘પ્રતિદ્વન્દ્વી’ (૧૯૮૬) એમણે આપ્યા છે. મૂળને વફાદાર અનુવાદ આપવાનો એમનો એમાં પ્રયાસ છે. ઉપરાંત બુદ્ધદેવ બસુકૃત  \t\t‘મહાભારત : એક આધુનિક દ્રષ્ટિકોણ’ (૧૯૮૦), નારાયણ ચૌધરી રચિત ‘મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર’ (૧૯૮૦),  હેમ બરુવાકૃત ‘લક્ષ્મીનાથ બેજબરુવા’ (૧૯૮૫) ના અનુવાદ પણ એમણે આપ્યા છે. રવીન્દ્રનાથના કેટલાક નિબંધોના એમના  \t\tઅનુવાદ ‘રવીન્દ્ર નિબંધમાળા’- ભા. ૨ (૧૯૭૬)માં છે. ઉપરાંત રવીન્દ્રનાથનાં સિતેરેક ગીતોના એમના અનુવાદો અન્યના અનુવાદ સાથે ‘ગીત પંચશતી’ (૧૯૭૮) માં ગ્રંથસ્થ છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "anila-dalala",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/anila-dalala",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:44.592948",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17220,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " અનિલ જોશી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>જોશી અનિલ રમાનાથ </u>\n\t\t(૨૮-૭-૧૯૪૦) : કવિ. જન્મ ગોંડલમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં. ૧૯૬૪ માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન \n\t\tહિંમતનગર, અમરેલીમાં શિક્ષક. ૧૯૭૧ થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭ માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક. ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં \n\t\tગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દ્રઢતર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમ જ અસંબદ્ધ શબ્દભાવજૂથો પર તરતું \n\t\tકરવાનો પ્રયત્ન આથી જ એમના ‘કદાચ’ (૧૯૭૦) કાવ્યસંગ્રહમાં દેખાય છે. ઉપરાંત એમાં ગઝલ અને છાંદસ-અછાંદસ રચનાઓ પણ છે. ‘બરફના પંખી’ (૧૯૮૧) કાવ્યસંગ્રહમાં પણ ગીતની આવી વિશિષ્ટ તરેહો સાથે અનેક અછાંદસ \n\t\tકાવ્યરચનાઓ છે. ‘સ્ટેચ્યૂ’(૧૯૮૮) એમનો, કાવ્યની નજીક સરતા ‘બોલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે’ જેવાં અંગતનિબંધોનો સંગ્રહ છે; તો ‘પવનની વ્યાસપીઠે’ (૧૯૮૮) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tબરફનાં પંખીઃ ‘અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં’ જેવી પંક્તિઓમાં વૈયક્તિક સંવેદન નિરૂપતું અનિલ જોશીનું જાણીતું આધુનિક ગીત.\t\t\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      જોશી અનિલ રમાનાથ   \t\t(૨૮-૭-૧૯૪૦) : કવિ. જન્મ ગોંડલમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં. ૧૯૬૪ માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન  \t\tહિંમતનગર, અમરેલીમાં શિક્ષક. ૧૯૭૧ થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭ માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક. ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં  \t\tગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દ્રઢતર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમ જ અસંબદ્ધ શબ્દભાવજૂથો પર તરતું  \t\tકરવાનો પ્રયત્ન આથી જ એમના ‘કદાચ’ (૧૯૭૦) કાવ્યસંગ્રહમાં દેખાય છે. ઉપરાંત એમાં ગઝલ અને છાંદસ-અછાંદસ રચનાઓ પણ છે. ‘બરફના પંખી’ (૧૯૮૧) કાવ્યસંગ્રહમાં પણ ગીતની આવી વિશિષ્ટ તરેહો સાથે અનેક અછાંદસ  \t\tકાવ્યરચનાઓ છે. ‘સ્ટેચ્યૂ’(૧૯૮૮) એમનો, કાવ્યની નજીક સરતા ‘બોલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે’ જેવાં અંગતનિબંધોનો સંગ્રહ છે; તો ‘પવનની વ્યાસપીઠે’ (૧૯૮૮) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tબરફનાં પંખીઃ ‘અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં’ જેવી પંક્તિઓમાં વૈયક્તિક સંવેદન નિરૂપતું અનિલ જોશીનું જાણીતું આધુનિક ગીત.\t\t \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "anila-josi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/anila-josi",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:44.748741",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17221,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ્",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી </u>\n\t\t(૧૧-૧૧-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧) : વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ પાટણમાં. શાળાશિક્ષણ વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯ થી ડભોઈની આર્ટસ \n\t\tકૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૮ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ના તંત્રી. પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tઆધુનિક સાહિત્ય અને વિશ્વસાહિત્યની સંપ્રજ્ઞતા સાથે વિવેચનક્ષેત્રે સુરેશ જોષી પછી જે તાજગી આવી એમાં અત્યાગ્રહ કે અસહિષ્ણુતા વિના આ લેખકે સ્વરૂપની શુદ્ધતાને અનુલક્ષીને સુશ્લિષણ ને સમતોલ વિવેચન આપવાનો પ્રયત્ન કર્યો છે. ‘અન્વીક્ષા’ (૧૯૭૦)માં \n\t\tચોવીસ લેખો છે, જે પૈકી આઠ કૃતિલક્ષી અને કર્તાલક્ષી છે, જ્યાંરે પંદર ગ્રંથસમીક્ષાઓ છે. ‘ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’ પરનો લેખ મહત્વનો છે. ‘અગનપંખી’ અને ‘છિન્નપત્ર’ જેવી કૃતિઓની ટૂંકી સમીક્ષાઓ દ્યોતક છે. \n\t\t‘ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા’ (૧૯૭૪)માં આચાર્ય ભરતથી છેક જગન્નાથ સુધીના આચાર્યોનાં પ્રદાનોનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તત્વનિરૂપણ છે. ‘પૂર્વાપર’ (૧૯૭૬) ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘અલપઝલપ’ની ચાલેલી કૉલમમાંથી પસંદ \n\t\tકરેલાં લખાણોનો સંચય છે. સાહિત્યિક સભાનતાથી લખાયેલાં આ લોકાભિમુખ લખાણો રુચિપૂર્ણ છે. એમાં કાવાબાતા યાસુનારી ક્યાસીમોદો, રોદાં, રિલ્ક, હર્બટ રીડ વાલેરી જેવાઓનો સુપેરે પ્રવેશ કરાવ્યો છે. ‘ચૅખોવ’ (૧૯૭૮) પરની પરિચય ટ્રસ્ટની પુસ્તિકા \n\t\tરશિયન વાર્તાકારને સરલ છતાં રસિક રીતે ઉપસાવી આપે છે. ‘સંનિકર્ષ’ (૧૯૮૨) એમનો મરણોત્તર વિવેચનગ્રંથ છે. એમાં નવલકથા, નવલિકા, કવિતા અને થિયેટર પરના અન્વેષણલેખો છે. ઍરિસ્ટોટલના ‘પોએટિક્સ’નો પહેલો ગુજરાતી અનુવાદ \n\t\t‘ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ (૧૯૬૯) એ આ લેખકનું ગુજરાતી વિવેચનક્ષેત્રે મહત્વનું પ્રદાન છે.\n\t\t<br/><br/>\n\t\t‘કિમપિ’ (૧૯૮૩) એમનો મૌલિક અને અનૂદિત કાવ્યોનો સંગ્રહ છે. તેમાં હાઈકુ, સૉનેટ, મુક્તક, ગીત એમ વિવિધ કાવ્યપ્રકારોમાં એમની શબ્દપ્રીતિ સ્પષ્ટ છે. વાગ્મિતાનું બળ એમની અછાંદસ રચનાઓના લયનિયંત્રણમાં ને યથાર્થ શબ્દપસંદગીમાં તેમ જ \n\t\tવિચારોની નાટ્યાત્મક પ્રસ્તુતિમાં ખપ લાગ્યું છે. મૃત્યુનાં સંવેદનોનો પાસ પામેલી એમની રચનાઓમાં એમનો અવાજ પોતીકો બન્યો છે.\n\t\t<br/><br/>\n\t\t‘અજાણ્યું સ્ટેશન’ (૧૯૮૨) એમનો વાર્તાસંગ્રહ છે. અહીં પ્રસંગચિત્ર-રેખાચિત્ર કે ક્યારેક આત્મકથાત્મક પ્રકારનું તત્વ વાર્તાઓની રચનામાં ભાગ ભજવે છે. જીવનતત્વ ને કલાતત્વ વચ્ચેની ઝોલા ખાતી આ વાર્તાઓ કોઈ ને કોઈ મર્મ ઉપસાવવામાં ઉદ્યમી રહી છે. \n\t\t‘નામરૂપ’ (૧૯૮૧)માં વાર્તા અને વસ્તવના સંયોગથી ઊભાં થતાં ચરિત્રોની હારમાળા છે. જીવનના વિવિધ પ્રસંગોએ ચેતનાના ભિન્નભિન્ન સ્તરે આવીને જીવી ગયેલાં આ ચરિત્રોમાં રહેલો લેખકનો પાનકરસ આસ્વાદ્ય છે. આ ચરિત્રસૃષ્ટિમાં લેખકની મનોસૃષ્ટિનું કૌવત \n\t\tભળ્યું છે. ‘ચલ મન માટે ઘાટે’ના ૧ થી ૫ ભાગ (૧૯૮૧-૧૯૮૨) વિવિધ કક્ષાના વિશાળ વાચક વર્ગ તરફ પહોંચવા માગતી દૈનિક કૉલમનાં લખાણોના સંગ્રહો છે. જીવનની નાની-મોટી સમજને આલેખતા આ સંગ્રહો રુચિપૂર્ણ રીતે લોકભોગ્ય છે. \n\t\t<br/><br/>\n\t\t‘ઋષિવાણી’ (૧૯૮૨) એ ‘અખંડ આનંદ’માં ઉપનિષદના સૂત્રને લઈને ‘પાર્થ’ ઉપનામથી એમણે લખેલી લેખમાળા છે. એમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનને સામાન્ય જનસમાજ માટે સુબોધ કરી આપવાનું વલણ છે.\n\t\t<br/><br/>\n\t\tઆ ઉપરાંત ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૬૯), ‘મણિશંકર ભટ્ટ-કાંત’ (૧૯૭૧), ‘રમણભાઈ નીલકંઠ’ (૧૯૭૩) તે તે સર્જક પરની તેમ જ ‘કાન્તા’ (૧૯૭૩), ‘સુદામાચરિત્ર’ (૧૯૭૫), ‘પ્રેમાનંદકૃત કુંવરબાઈનું મામેરું’ (૧૯૮૨) તે તે કૃતિ પરની \n\t\tએમની સંપાદિત સ્વાધ્યાયશ્રેણીઓ નોંધપાત્ર છે. તો, ‘જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૭૧), ‘નાટક વિશે જયંતી દલાલ’ (૧૯૭૪), ‘પતીલનાં ચૂંટેલા કાવ્યો’ (૧૯૭૪), ‘સંવાદ’ (૧૯૭૪), ‘ગુજરાતી વાર્તાઓ’ (૧૯૭૭), \n\t\t‘ઍબ્સર્ડ’ (૧૯૭૭) એમનાં પોતાનાં અને અન્ય સાથેનાં સંપાદનો છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tઅન્વીક્ષા (૧૯૭૦) : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના વિવેચન-લેખોનો પહેલો સંગ્રહ. કુલ ૨૪ લેખોમાંથી ૮ સાહિત્યતત્વને તથા કર્તા-કૃતિને લગતા છે, જ્યારે ૧૫ લેખો ગ્રંથસમીક્ષાના છે. ૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્ય-વિવેચનના સંપ્રત્યયોને તપાસતો પહેલો તત્વલક્ષી \n\t\tલેખ વિશદ પણ બન્યો છે. લેખકે પોતાના અનુવાદગ્રંથ ‘ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ના પ્રવેશક રૂપે મૂકેલો (અહીં પુનર્મુદ્રિત) અભ્યાસલેખ ઍરિસ્ટોટલની કાવ્યવિચારણાને વિશદભાવે અને મુદ્દાસર રજૂ કરે છે. કર્તા-કૃતિ-સ્વરૂપાદિને લક્ષતા લેખોમાં વિવેચકનો \n\t\tસાહિત્યવિચાર સ્પષ્ટરેખ રહે છે. ગ્રંથસમીક્ષાઓ વિવિધ સ્વરૂપની કૃતિઓને આવરી લેતી અને મહદંશે આધુનિક સમયની છે એ વિગત બાહ્ય રીતે અને સમીક્ષામાં એમનો ઝોક સ્વરૂપલક્ષી રહ્યો છે એ બાબત આંતરિક રીતે લેખકનાં વ્યાપક આધુનિક રુચિ-વલણોને \n\t\tદર્શાવે છે. તત્વલક્ષિતાની સાથે વિશદતાનો મેળ એ આ વિવેચનલેખોની વિશેષતા છે.  \n\t\t<p align=\"right\">-અશ્વિન દેસાઈ</p>\n<br/><br/>\n\t\tનામરૂપ (૧૯૮૧) : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો ચરિત્રનિબંધોનો સંગ્રહ. ચેતનાના ભિન્નભિન્ન સ્તરે જીવતા અનેક માનવીઓ લેખકના જીવનમાં આવ્યા અને ગયા એમની, સ્મૃતિને અહીં શબ્દબદ્ધ કરી છે. ભાષાની મર્યાદાઓ અને વિશેષતાઓથી લેખક સભાન છે, તેથી \n\t\tવીસેક જેટલાં ચરિત્રલેખનોમાં ‘બાબુ વીજળી’ કે ‘રહીમચાચા’ જેવાં ચરિત્રો સ્મરણીય બન્યાં છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી   \t\t(૧૧-૧૧-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧) : વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ પાટણમાં. શાળાશિક્ષણ વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯ થી ડભોઈની આર્ટસ  \t\tકૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૮ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ના તંત્રી. પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન. \t\t  \t\tઆધુનિક સાહિત્ય અને વિશ્વસાહિત્યની સંપ્રજ્ઞતા સાથે વિવેચનક્ષેત્રે સુરેશ જોષી પછી જે તાજગી આવી એમાં અત્યાગ્રહ કે અસહિષ્ણુતા વિના આ લેખકે સ્વરૂપની શુદ્ધતાને અનુલક્ષીને સુશ્લિષણ ને સમતોલ વિવેચન આપવાનો પ્રયત્ન કર્યો છે. ‘અન્વીક્ષા’ (૧૯૭૦)માં  \t\tચોવીસ લેખો છે, જે પૈકી આઠ કૃતિલક્ષી અને કર્તાલક્ષી છે, જ્યાંરે પંદર ગ્રંથસમીક્ષાઓ છે. ‘ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’ પરનો લેખ મહત્વનો છે. ‘અગનપંખી’ અને ‘છિન્નપત્ર’ જેવી કૃતિઓની ટૂંકી સમીક્ષાઓ દ્યોતક છે.  \t\t‘ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા’ (૧૯૭૪)માં આચાર્ય ભરતથી છેક જગન્નાથ સુધીના આચાર્યોનાં પ્રદાનોનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તત્વનિરૂપણ છે. ‘પૂર્વાપર’ (૧૯૭૬) ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘અલપઝલપ’ની ચાલેલી કૉલમમાંથી પસંદ  \t\tકરેલાં લખાણોનો સંચય છે. સાહિત્યિક સભાનતાથી લખાયેલાં આ લોકાભિમુખ લખાણો રુચિપૂર્ણ છે. એમાં કાવાબાતા યાસુનારી ક્યાસીમોદો, રોદાં, રિલ્ક, હર્બટ રીડ વાલેરી જેવાઓનો સુપેરે પ્રવેશ કરાવ્યો છે. ‘ચૅખોવ’ (૧૯૭૮) પરની પરિચય ટ્રસ્ટની પુસ્તિકા  \t\tરશિયન વાર્તાકારને સરલ છતાં રસિક રીતે ઉપસાવી આપે છે. ‘સંનિકર્ષ’ (૧૯૮૨) એમનો મરણોત્તર વિવેચનગ્રંથ છે. એમાં નવલકથા, નવલિકા, કવિતા અને થિયેટર પરના અન્વેષણલેખો છે. ઍરિસ્ટોટલના ‘પોએટિક્સ’નો પહેલો ગુજરાતી અનુવાદ  \t\t‘ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ (૧૯૬૯) એ આ લેખકનું ગુજરાતી વિવેચનક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. \t\t  \t\t‘કિમપિ’ (૧૯૮૩) એમનો મૌલિક અને અનૂદિત કાવ્યોનો સંગ્રહ છે. તેમાં હાઈકુ, સૉનેટ, મુક્તક, ગીત એમ વિવિધ કાવ્યપ્રકારોમાં એમની શબ્દપ્રીતિ સ્પષ્ટ છે. વાગ્મિતાનું બળ એમની અછાંદસ રચનાઓના લયનિયંત્રણમાં ને યથાર્થ શબ્દપસંદગીમાં તેમ જ  \t\tવિચારોની નાટ્યાત્મક પ્રસ્તુતિમાં ખપ લાગ્યું છે. મૃત્યુનાં સંવેદનોનો પાસ પામેલી એમની રચનાઓમાં એમનો અવાજ પોતીકો બન્યો છે. \t\t  \t\t‘અજાણ્યું સ્ટેશન’ (૧૯૮૨) એમનો વાર્તાસંગ્રહ છે. અહીં પ્રસંગચિત્ર-રેખાચિત્ર કે ક્યારેક આત્મકથાત્મક પ્રકારનું તત્વ વાર્તાઓની રચનામાં ભાગ ભજવે છે. જીવનતત્વ ને કલાતત્વ વચ્ચેની ઝોલા ખાતી આ વાર્તાઓ કોઈ ને કોઈ મર્મ ઉપસાવવામાં ઉદ્યમી રહી છે.  \t\t‘નામરૂપ’ (૧૯૮૧)માં વાર્તા અને વસ્તવના સંયોગથી ઊભાં થતાં ચરિત્રોની હારમાળા છે. જીવનના વિવિધ પ્રસંગોએ ચેતનાના ભિન્નભિન્ન સ્તરે આવીને જીવી ગયેલાં આ ચરિત્રોમાં રહેલો લેખકનો પાનકરસ આસ્વાદ્ય છે. આ ચરિત્રસૃષ્ટિમાં લેખકની મનોસૃષ્ટિનું કૌવત  \t\tભળ્યું છે. ‘ચલ મન માટે ઘાટે’ના ૧ થી ૫ ભાગ (૧૯૮૧-૧૯૮૨) વિવિધ કક્ષાના વિશાળ વાચક વર્ગ તરફ પહોંચવા માગતી દૈનિક કૉલમનાં લખાણોના સંગ્રહો છે. જીવનની નાની-મોટી સમજને આલેખતા આ સંગ્રહો રુચિપૂર્ણ રીતે લોકભોગ્ય છે.  \t\t  \t\t‘ઋષિવાણી’ (૧૯૮૨) એ ‘અખંડ આનંદ’માં ઉપનિષદના સૂત્રને લઈને ‘પાર્થ’ ઉપનામથી એમણે લખેલી લેખમાળા છે. એમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનને સામાન્ય જનસમાજ માટે સુબોધ કરી આપવાનું વલણ છે. \t\t  \t\tઆ ઉપરાંત ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૬૯), ‘મણિશંકર ભટ્ટ-કાંત’ (૧૯૭૧), ‘રમણભાઈ નીલકંઠ’ (૧૯૭૩) તે તે સર્જક પરની તેમ જ ‘કાન્તા’ (૧૯૭૩), ‘સુદામાચરિત્ર’ (૧૯૭૫), ‘પ્રેમાનંદકૃત કુંવરબાઈનું મામેરું’ (૧૯૮૨) તે તે કૃતિ પરની  \t\tએમની સંપાદિત સ્વાધ્યાયશ્રેણીઓ નોંધપાત્ર છે. તો, ‘જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૭૧), ‘નાટક વિશે જયંતી દલાલ’ (૧૯૭૪), ‘પતીલનાં ચૂંટેલા કાવ્યો’ (૧૯૭૪), ‘સંવાદ’ (૧૯૭૪), ‘ગુજરાતી વાર્તાઓ’ (૧૯૭૭),  \t\t‘ઍબ્સર્ડ’ (૧૯૭૭) એમનાં પોતાનાં અને અન્ય સાથેનાં સંપાદનો છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tઅન્વીક્ષા (૧૯૭૦) : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના વિવેચન-લેખોનો પહેલો સંગ્રહ. કુલ ૨૪ લેખોમાંથી ૮ સાહિત્યતત્વને તથા કર્તા-કૃતિને લગતા છે, જ્યારે ૧૫ લેખો ગ્રંથસમીક્ષાના છે. ૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્ય-વિવેચનના સંપ્રત્યયોને તપાસતો પહેલો તત્વલક્ષી  \t\tલેખ વિશદ પણ બન્યો છે. લેખકે પોતાના અનુવાદગ્રંથ ‘ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ના પ્રવેશક રૂપે મૂકેલો (અહીં પુનર્મુદ્રિત) અભ્યાસલેખ ઍરિસ્ટોટલની કાવ્યવિચારણાને વિશદભાવે અને મુદ્દાસર રજૂ કરે છે. કર્તા-કૃતિ-સ્વરૂપાદિને લક્ષતા લેખોમાં વિવેચકનો  \t\tસાહિત્યવિચાર સ્પષ્ટરેખ રહે છે. ગ્રંથસમીક્ષાઓ વિવિધ સ્વરૂપની કૃતિઓને આવરી લેતી અને મહદંશે આધુનિક સમયની છે એ વિગત બાહ્ય રીતે અને સમીક્ષામાં એમનો ઝોક સ્વરૂપલક્ષી રહ્યો છે એ બાબત આંતરિક રીતે લેખકનાં વ્યાપક આધુનિક રુચિ-વલણોને  \t\tદર્શાવે છે. તત્વલક્ષિતાની સાથે વિશદતાનો મેળ એ આ વિવેચનલેખોની વિશેષતા છે.   \t\t -અશ્વિન દેસાઈ    \t\tનામરૂપ (૧૯૮૧) : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો ચરિત્રનિબંધોનો સંગ્રહ. ચેતનાના ભિન્નભિન્ન સ્તરે જીવતા અનેક માનવીઓ લેખકના જીવનમાં આવ્યા અને ગયા એમની, સ્મૃતિને અહીં શબ્દબદ્ધ કરી છે. ભાષાની મર્યાદાઓ અને વિશેષતાઓથી લેખક સભાન છે, તેથી  \t\tવીસેક જેટલાં ચરિત્રલેખનોમાં ‘બાબુ વીજળી’ કે ‘રહીમચાચા’ જેવાં ચરિત્રો સ્મરણીય બન્યાં છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "aniruddha-brahmabhatt",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/aniruddha-brahmabhatt",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:44.932946",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17222,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " અનવરમિયાં કાજી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>કાજી અનવરમિયાં અજામિયાં, ‘જ્ઞાની’</u>\r\n\t\t(૧૮૪૩, ૨૨-૧૦-૧૯૧૬) : કવિ. જન્મ વિસનગરમાં. પિતા અજામિયાં અનુમિયાં. પૂર્વજો મૂળ અરબસ્તાનના. ત્યાંથી ગુજરાતમાં પાટણમાં આવી વસેલા અને કાજીનું કામ કરતા. વિસનગર કસ્બો કામગીરી માટે બક્ષિસ મળેલો, તેથી ત્યાં વસવાટ.\r\n\t\t બાલ્યાવસ્થાથી જ ધર્મ, ઈશ્વર, સંતસાધુ-સંન્યાસીજેવા વૈરાગ્યવાન પુરુષોનું એમને આકર્ષણ પોતે ૧૨ વર્ષના હતા ત્યારે એક પ્રેમમસ્ત સૈયદ સાહેબ વિસનગરમાં આવેલા, જેની એમણે ખૂબ સેવા કરી અને પ્રભુપ્રેમનો રંગ પાકો થયો. \r\n\t\t એ પછી એ જંગલ કે કબ્રસ્તાનમાં એકાંતવાસ કરતા અને પ્રભુધ્યાનમાં મસ્ત રહેતા. પાછળથી સંબંધીઓ અને ભક્તોના આગ્રહથી કાજીવાડાની એક જૂની મસ્જિદમાં રહ્યા ૧૮૮૧માં મક્કા-મદીનાની હજ કરેલી. બાદ, આત્મકલ્યાણ અને પરોપકારનાં \r\n\t\t કાર્યોમાં મગ્ન. પાછળથી બીમારી અસાધ્ય બનતાં પાલનપુર ગયેલા અને ત્યાં અવસાન પામ્યા. પાલનપુરમાં એમની દરગાહ ઉપર સુંદર રોજો બનાવેલો છે અને ત્યાં દર વર્ષે ઉર્ષ ભરાય છે.\r\n\t\t<br/><br/> \r\n\t\tષડ્ દર્શનના જ્ઞાતા અને યોગવિદ્યામાં પારંગત એવા એમને સર્વધર્મ પ્રત્યે સમભાવ હતો. એમના ‘અનવરકાવ્ય’માં પ્રેમભક્તિનાં કાવ્યો અને સુંદર ભજનો પ્રાપ્ત થાય છે. એમનાં પદોમાં તત્વદર્શનનો સચોટ રણકાર સંભળાય છે. ગુજરાતી અને ઉર્દૂ એમ બંને ભાષામાં \r\n\t\tએમણે રચનાઓ કરી છે. એમનાં ગુજરાતીનાં પદોમાં દયારામની મીઠાશ છે. પ્રેમભક્તિને સૂફીવાદની પરિભાષામાં-ઉર્દૂમાં સમજાવવાની બીના ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ છે. લાઘવ અને પાસાદાર ઉક્તિઓ એમની રચનાઓનું બળ છે. ગુજરાતી ભાષાના\r\n\t\t સંતકવિઓમાં એમનું સ્થાન નોંધપાત્ર છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      કાજી અનવરમિયાં અજામિયાં, ‘જ્ઞાની’ \r \t\t(૧૮૪૩, ૨૨-૧૦-૧૯૧૬) : કવિ. જન્મ વિસનગરમાં. પિતા અજામિયાં અનુમિયાં. પૂર્વજો મૂળ અરબસ્તાનના. ત્યાંથી ગુજરાતમાં પાટણમાં આવી વસેલા અને કાજીનું કામ કરતા. વિસનગર કસ્બો કામગીરી માટે બક્ષિસ મળેલો, તેથી ત્યાં વસવાટ.\r \t\t બાલ્યાવસ્થાથી જ ધર્મ, ઈશ્વર, સંતસાધુ-સંન્યાસીજેવા વૈરાગ્યવાન પુરુષોનું એમને આકર્ષણ પોતે ૧૨ વર્ષના હતા ત્યારે એક પ્રેમમસ્ત સૈયદ સાહેબ વિસનગરમાં આવેલા, જેની એમણે ખૂબ સેવા કરી અને પ્રભુપ્રેમનો રંગ પાકો થયો. \r \t\t એ પછી એ જંગલ કે કબ્રસ્તાનમાં એકાંતવાસ કરતા અને પ્રભુધ્યાનમાં મસ્ત રહેતા. પાછળથી સંબંધીઓ અને ભક્તોના આગ્રહથી કાજીવાડાની એક જૂની મસ્જિદમાં રહ્યા ૧૮૮૧માં મક્કા-મદીનાની હજ કરેલી. બાદ, આત્મકલ્યાણ અને પરોપકારનાં \r \t\t કાર્યોમાં મગ્ન. પાછળથી બીમારી અસાધ્ય બનતાં પાલનપુર ગયેલા અને ત્યાં અવસાન પામ્યા. પાલનપુરમાં એમની દરગાહ ઉપર સુંદર રોજો બનાવેલો છે અને ત્યાં દર વર્ષે ઉર્ષ ભરાય છે.\r \t\t  \r \t\tષડ્ દર્શનના જ્ઞાતા અને યોગવિદ્યામાં પારંગત એવા એમને સર્વધર્મ પ્રત્યે સમભાવ હતો. એમના ‘અનવરકાવ્ય’માં પ્રેમભક્તિનાં કાવ્યો અને સુંદર ભજનો પ્રાપ્ત થાય છે. એમનાં પદોમાં તત્વદર્શનનો સચોટ રણકાર સંભળાય છે. ગુજરાતી અને ઉર્દૂ એમ બંને ભાષામાં \r \t\tએમણે રચનાઓ કરી છે. એમનાં ગુજરાતીનાં પદોમાં દયારામની મીઠાશ છે. પ્રેમભક્તિને સૂફીવાદની પરિભાષામાં-ઉર્દૂમાં સમજાવવાની બીના ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ છે. લાઘવ અને પાસાદાર ઉક્તિઓ એમની રચનાઓનું બળ છે. ગુજરાતી ભાષાના\r \t\t સંતકવિઓમાં એમનું સ્થાન નોંધપાત્ર છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "anavaramiyam-kaji",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/anavaramiyam-kaji",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:45.113844",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17223,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " બચુભાઈ રાવત",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>રાવત બચુભાઈ પોપટભાઈ </u>\r\n\t\t(૨૭-૨-૧૮૯૮, ૧૨-૭-૧૯૮૦) : સંપાદક, કલાવિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. ૧૯૧૪માં ત્યાંથી જ મૅટ્રિક. ૧૯૧૫ થી ૧૯૧૯ સુધી સંગ્રામજી હાઈસ્કૂલ, ગોંડલમાં શિક્ષક. ૧૯૨૦-૨૧માં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય \r\n\t\tસાથે સંલગ્ન. ૧૯૨૨-૨૩માં નવજીવન પ્રકાશન મંદિરમાં સંપાદન-પ્રકાશન સહાયક. ૧૯૨૪ થી ૧૯૪૨ સુધી રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ના સહતંત્રી. ૧૯૩૦માં બુધસભાની સ્થાપના. ૧૯૪૩ થી ૧૯૮૦ સુધી ‘કુમાર’ના તંત્રી. ૧૯૫૩માં મુંબઈ રાજ્ય લિપિ \r\n\t\tસુધારણા સમિતિમાં કામગીરી. ૧૯૫૪માં જૂના મુંબઈ રાજ્યની વિધાનસભામાં ગવર્નર તરફથી છ વર્ષ માટે નિમણૂક. પહેલી ગુજરાતી મુદ્રક પરિષદના પ્રમુખ. ૧૯૬૫માં સુરતમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેવીસમા અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ.\r\n\t\t ૧૯૬૮માં ઈંગ્લૅન્ડ-અમેરિકાનો પ્રવાસ. ૧૯૪૮માં પત્રકારત્વ ક્ષેત્રે સેવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં પદ્મશ્રીનો ખિતાબ.\r\n\t\t<br/><br/> \r\n\t\t   સક્રિય સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વ દ્વારા ગાંધીયુગની સાહિત્યરુચિને સંસ્કારવામાં એમનું મૂલ્યવાન પ્રદાન છે. ‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા’માં કલાવિષયક લેખો અને કલાવિવેચન છે. ઉપરાંત એમણે ‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’\r\n\t\t    પુસ્તક પણ આપ્યું છે. ‘ટૂંકી વાર્તાઓ’ (૧૯૨૧)માં એમણે હિન્દીમાંથી ટૂંકીવાર્તાઓના કરેલા અનુવાદો સંચિત છે.\t\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      રાવત બચુભાઈ પોપટભાઈ  \r \t\t(૨૭-૨-૧૮૯૮, ૧૨-૭-૧૯૮૦) : સંપાદક, કલાવિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. ૧૯૧૪માં ત્યાંથી જ મૅટ્રિક. ૧૯૧૫ થી ૧૯૧૯ સુધી સંગ્રામજી હાઈસ્કૂલ, ગોંડલમાં શિક્ષક. ૧૯૨૦-૨૧માં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય \r \t\tસાથે સંલગ્ન. ૧૯૨૨-૨૩માં નવજીવન પ્રકાશન મંદિરમાં સંપાદન-પ્રકાશન સહાયક. ૧૯૨૪ થી ૧૯૪૨ સુધી રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ના સહતંત્રી. ૧૯૩૦માં બુધસભાની સ્થાપના. ૧૯૪૩ થી ૧૯૮૦ સુધી ‘કુમાર’ના તંત્રી. ૧૯૫૩માં મુંબઈ રાજ્ય લિપિ \r \t\tસુધારણા સમિતિમાં કામગીરી. ૧૯૫૪માં જૂના મુંબઈ રાજ્યની વિધાનસભામાં ગવર્નર તરફથી છ વર્ષ માટે નિમણૂક. પહેલી ગુજરાતી મુદ્રક પરિષદના પ્રમુખ. ૧૯૬૫માં સુરતમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેવીસમા અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ.\r \t\t ૧૯૬૮માં ઈંગ્લૅન્ડ-અમેરિકાનો પ્રવાસ. ૧૯૪૮માં પત્રકારત્વ ક્ષેત્રે સેવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં પદ્મશ્રીનો ખિતાબ.\r \t\t  \r \t\t   સક્રિય સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વ દ્વારા ગાંધીયુગની સાહિત્યરુચિને સંસ્કારવામાં એમનું મૂલ્યવાન પ્રદાન છે. ‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા’માં કલાવિષયક લેખો અને કલાવિવેચન છે. ઉપરાંત એમણે ‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’\r \t\t    પુસ્તક પણ આપ્યું છે. ‘ટૂંકી વાર્તાઓ’ (૧૯૨૧)માં એમણે હિન્દીમાંથી ટૂંકીવાર્તાઓના કરેલા અનુવાદો સંચિત છે.\t\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "bacubhai-ravata",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/bacubhai-ravata",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:45.305508",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17224,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " બકુલ ત્રિપાઠી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ત્રિપાઠી બકુલ પદ્મમણિશંકર </u>\n\t\t(૨૭-૧૧-૧૯૨૮) : હાસ્યનિબંધકાર, નાટકકાર. જન્મ નડિયાદમાં. ૧૯૪૪ માં મેટ્રિક. ૧૯૪૮માં બી.કૉમ. ૧૯૫૨માં એમ.કૉમ. ૧૯૫૩માં એલએલ.બી. ૧૯૫૩થી આજ દિન સુધી એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં \n\t\tવાણિજ્યના અધ્યાપક. ૧૯૮૩થી ‘ગુજરાત સમાચાર’ની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના પરામર્શક તંત્રી. ૧૯૫૧માં કુમારચન્દ્રક.\n\t\t<br/><br/> \n\t\tમનુષ્યની અને મનુષ્યના સમાજની આંતરબાહ્ય વિસંગતિઓને અને એની નિર્બળતાઓને આછા કટાક્ષ અને ઝાઝા વિનોદથી ઝડપતી આ લેખકની મર્મદ્રષ્ટિ હાસ્યનિબંધના હળવા સ્વરૂપને ગંભીરપણે પ્રયોજે છે; અને ક્યારેક લલિતનિબંધનો \n\t\tએને એક સંસ્કાર પણ આપે છે. હાસ્યમાધ્યમ પરત્વે સભાન હોવાથી પ્રયોગો પરત્વેની જાગૃતિ પણ જોઈ શકાય છે.\n\t\t<br/><br/> \n\t\tઆથી જ ‘સચરાચરમાં’ (૧૯૫૫)માં વિષય અને વસ્તુના વૈવિધ્ય સાથે તાજગી છે. ‘સોમવારની સવારે’ (૧૯૬૬)માં લેખકની વર્તમાન પ્રસંગો પરત્વેની પ્રતિક્રિયા અને સામાજિક સભાનતા ભળેલી છે. ડાયરી, પત્રો, સંવાદો જેવા વિવિધ \n\t\tતરીકાઓનો આશ્રય પણ અહીં લેવાયો છે. ‘વૈકુંઠ નથી જાવું’ (૧૯૮૩) નામના એમના લલિતનિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાયું છે. ‘હોળી’ કે ‘વૈકુંઠ નથી જાવું’ જેવા નિબંધો નોંધપાત્ર છે. ‘દ્રોણાચાર્યનું \n\t\tસિંહાસન !’ (૧૯૮૫)માં શિક્ષણજગતના એમના સંચિત અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબઁધિકાઓના સ્વરૂપમાં મુકાયા છે; તો ‘ગોવિન્દે માંડી ગોઠડી’ (૧૯૮૭)ના અનુભવપુષ્ટ અને સમભાવયુક્ત હળવા હાસ્યમાં સંવાદિતા અને \n\t\tપ્રફુલ્લિતતાનો સૂર પ્રવેશેલો છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે ‘લીલા’ (૧૯૭૪) નામે ત્રિઅંકી નાટક લખ્યું છે, જેમાં ગુજરાતની લોકનાટ્યશૈલીનો વિનિયોગ એમને અનેક ‘વેશો’ રચવા તરફ લઈ ગયો છે. એના પચાસેક નાટ્યપ્રયોગો થઈ ચૂકયા છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tવૈકુંઠ નથી જાવું (૧૯૮૩) : બકુલ ત્રિપાઠીનો લલિતનિબંધોનો સંગ્રહ. વસ્તુની પાછળ રહેલા કોઈ વૈચિત્ર્યને પારખવું, એ વૈચિત્ર્યને હળવી શૈલીમાં ઉપસાવવું અને એ હળવાશમાંથી પછી કોઈ અંગત સંવેદનની ગોપિત ભૂમિમાં ભાવકને \n\t\tખેંચી જવો એ આ નિબંધોની લાક્ષણિકતા છે. અહીં જીવનની વિવિધ સ્થિતિઓમાંથી પ્રગટતો નરવો આનંદ છે. સામાજિક સભ્યતાને ચાતરતા મુક્ત નિર્દોષ આચરણ દ્વારા, નવા જીવનમાં સ્મૃતિશેષ બનતી કેટલીક ભૂતકાલીન ઘટનાઓની \n\t\tસ્મૃતિ દ્વારા અને મધ્યમવર્ગીય જીવનમાં જોવા મળતી-કંટાળો આપે એવી કેટલીક રોજિંદી ઘટનાઓ પરત્વેની અવળી દ્રષ્ટિ દ્વારા આ આનંદ પ્રગટ્યો છે. નિર્દેશતા અને બૌદ્ધિક ચબરાકી અહીં હાસ્યની વિશિષ્ટતા છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ત્રિપાઠી બકુલ પદ્મમણિશંકર   \t\t(૨૭-૧૧-૧૯૨૮) : હાસ્યનિબંધકાર, નાટકકાર. જન્મ નડિયાદમાં. ૧૯૪૪ માં મેટ્રિક. ૧૯૪૮માં બી.કૉમ. ૧૯૫૨માં એમ.કૉમ. ૧૯૫૩માં એલએલ.બી. ૧૯૫૩થી આજ દિન સુધી એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં  \t\tવાણિજ્યના અધ્યાપક. ૧૯૮૩થી ‘ગુજરાત સમાચાર’ની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના પરામર્શક તંત્રી. ૧૯૫૧માં કુમારચન્દ્રક. \t\t   \t\tમનુષ્યની અને મનુષ્યના સમાજની આંતરબાહ્ય વિસંગતિઓને અને એની નિર્બળતાઓને આછા કટાક્ષ અને ઝાઝા વિનોદથી ઝડપતી આ લેખકની મર્મદ્રષ્ટિ હાસ્યનિબંધના હળવા સ્વરૂપને ગંભીરપણે પ્રયોજે છે; અને ક્યારેક લલિતનિબંધનો  \t\tએને એક સંસ્કાર પણ આપે છે. હાસ્યમાધ્યમ પરત્વે સભાન હોવાથી પ્રયોગો પરત્વેની જાગૃતિ પણ જોઈ શકાય છે. \t\t   \t\tઆથી જ ‘સચરાચરમાં’ (૧૯૫૫)માં વિષય અને વસ્તુના વૈવિધ્ય સાથે તાજગી છે. ‘સોમવારની સવારે’ (૧૯૬૬)માં લેખકની વર્તમાન પ્રસંગો પરત્વેની પ્રતિક્રિયા અને સામાજિક સભાનતા ભળેલી છે. ડાયરી, પત્રો, સંવાદો જેવા વિવિધ  \t\tતરીકાઓનો આશ્રય પણ અહીં લેવાયો છે. ‘વૈકુંઠ નથી જાવું’ (૧૯૮૩) નામના એમના લલિતનિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાયું છે. ‘હોળી’ કે ‘વૈકુંઠ નથી જાવું’ જેવા નિબંધો નોંધપાત્ર છે. ‘દ્રોણાચાર્યનું  \t\tસિંહાસન !’ (૧૯૮૫)માં શિક્ષણજગતના એમના સંચિત અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબઁધિકાઓના સ્વરૂપમાં મુકાયા છે; તો ‘ગોવિન્દે માંડી ગોઠડી’ (૧૯૮૭)ના અનુભવપુષ્ટ અને સમભાવયુક્ત હળવા હાસ્યમાં સંવાદિતા અને  \t\tપ્રફુલ્લિતતાનો સૂર પ્રવેશેલો છે. \t\t   \t\tએમણે ‘લીલા’ (૧૯૭૪) નામે ત્રિઅંકી નાટક લખ્યું છે, જેમાં ગુજરાતની લોકનાટ્યશૈલીનો વિનિયોગ એમને અનેક ‘વેશો’ રચવા તરફ લઈ ગયો છે. એના પચાસેક નાટ્યપ્રયોગો થઈ ચૂકયા છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tવૈકુંઠ નથી જાવું (૧૯૮૩) : બકુલ ત્રિપાઠીનો લલિતનિબંધોનો સંગ્રહ. વસ્તુની પાછળ રહેલા કોઈ વૈચિત્ર્યને પારખવું, એ વૈચિત્ર્યને હળવી શૈલીમાં ઉપસાવવું અને એ હળવાશમાંથી પછી કોઈ અંગત સંવેદનની ગોપિત ભૂમિમાં ભાવકને  \t\tખેંચી જવો એ આ નિબંધોની લાક્ષણિકતા છે. અહીં જીવનની વિવિધ સ્થિતિઓમાંથી પ્રગટતો નરવો આનંદ છે. સામાજિક સભ્યતાને ચાતરતા મુક્ત નિર્દોષ આચરણ દ્વારા, નવા જીવનમાં સ્મૃતિશેષ બનતી કેટલીક ભૂતકાલીન ઘટનાઓની  \t\tસ્મૃતિ દ્વારા અને મધ્યમવર્ગીય જીવનમાં જોવા મળતી-કંટાળો આપે એવી કેટલીક રોજિંદી ઘટનાઓ પરત્વેની અવળી દ્રષ્ટિ દ્વારા આ આનંદ પ્રગટ્યો છે. નિર્દેશતા અને બૌદ્ધિક ચબરાકી અહીં હાસ્યની વિશિષ્ટતા છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "bakula-tripathi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/bakula-tripathi",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:45.475280",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17226,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " બળવંતરાય ક. ઠાકોર",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ઠાકોર બળવંતરાય કલ્યાણરાય, ‘વલ્કલ’, ‘સેહેની’ </u>\n\t\t(૨૩-૧૦-૧૮૬૯, ૨-૧-૧૯૫૨) : કવિ, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૮૮૩ માં મૅટ્રિક. ૧૮૮૯ માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ. ના \n\t\tઅભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨ માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩ માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. ૧૮૯૫ માં કરાંચીની ડી.જે. સિંધ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ, લૉજિક અને મોરલ ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. ૧૮૯૬ માં બરોડા \t\t\n\t\tકૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, લૉજિક અને ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. એ જ વર્ષે અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનનાં અધ્યાપક. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ. ૧૯૦૨માં પુનઃ \t\n\t\tઅજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત. ૧૯૨૪માં નિવૃત્ત થયા, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮ થી ૧૯૩૭ સુધી વડોદરા અને ૧૯૩૭ થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા.\n\t\t<br/><br/> \n\t\t‘ભણકાર’ ધારા પહેલી (૧૯૧૮), ‘ભણકાર’ ધારા બીજી (૧૯૨૮), ‘મ્હારાં સૉનેટ’ (૧૯૩૫)- આ ત્રણે કાવ્યસંગ્રહો ને એ પછી લખાયેલી બધી કાવ્યરચનાઓને સમાવતા એમના ‘ભણકાર’ (૧૯૪૨) નામક કાવ્યગ્રંથમાં એમનાં કાવ્યોને વસ્તુ \n\t\tવિષયના સંદર્ભમાં સાત ગુચ્છમાં વિભાજિત કર્યાં છે. એમાં આત્મલક્ષી અને પરલક્ષી બન્ને પ્રકારનાં કાવ્યો છે. અંગત સ્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે પ્રેમ, મૈત્રી, વાર્ધક્ય અને મૃત્યુ વિષયક કાવ્યો છે; તો પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યોમાં \n\t\tમુખ્યત્વે સમાજ, રાજ્ય, ઇતિહાસ, પ્રકૃતિ અને પરમેશ્વર વિષેનાં કાવ્યો છે. એમનાં ઊર્મિકાવ્યો મુખ્યત્વે ચિંતનોર્મિકાવ્યો હોઈ આત્મલક્ષી છતાં અંતે તો પરલક્ષી હોય છે.\n\t\t<br/><br/> \n\t\t‘પ્રેમનો દિવસ’ ૧૮૮૯ માં આરંભાયું અને ૧૯૧૩માં કુલ અઢાર મણકામાં પૂર્ણ થયું. પછી એક વધુ મણકો ઉમેરાયો. કાવ્યમાં ‘એક કલ્પિત યુગ્મનાં હૃદયજીવનમાંની કેટલીક ક્ષણોનાં ચિત્રો’ છે. કલ્પિત દંપતીના જીવનમાંથી પ્રકીર્ણ ક્ષણોના \n\t\tમાધ્યમે કવિએ પોતાની પ્રેમસમુત્ક્રાંતિનું છાયાચિત્ર આપ્યું છે. કાવ્યમાં કલ્પિત નાયક-નાયિકાની સતત સ્વગતોક્તિઓ અને ક્યારેક સંવાદ છે, એ દ્રષ્ટિએ તેને નાટ્યાત્મક ઊર્મિકાવ્ય કહી શકાય. આ કાવ્યમાળાની રચનાઓ પૈકી ‘પ્રેમની \n\t\tઉષા’, ‘અદ્રષ્ટિદર્શન’, ‘મોગરો’, ‘વધામણી’, ‘જૂનું પિયેર ઘર’ તથા ‘વર્ષાની એક સુંદર સાંઝ’ અનવદ્ય સુંદરતાવાળી સૉનેટકૃતિઓ છે. કવિ ૧૯૧૩માં ‘પ્રેમ નો દિવસ’ પૂરું કરે છે અને બીજે જ વરસે મૃત્યુનું કાવ્ય ‘વિરહ’ નો આરંભ કરે છે એ \n\t\tસૂચક છે. પ્રેમ અને મૃત્યુ ભિન્નભિન્ન અનુભવ નથી, એક જ અનુભવ છે એવું એમાંથી સૂચવાય છે. ‘વિરહ’ માં કુલ ઓગણીસ મણકા છે. કવિ સ્વયં નાયક છે, કવિપત્ની ચંદ્રમણિ નાયિકા છે. મૃત્યુની ગાઢ છાયામાં કાવ્યનો પ્રારંભ થાય છે. છઠ્ઠા \n\t\tમણકામાં પત્નીનું મૃત્યુ થયા પછી સાતમા મણકાથી નાયકના વિરહશૂળનો આરંભ થાય છે. એનામાં વિરહને સહેવાની, વિશ્વયોજનાને સમજવાની શક્તિ નથી. કાવ્યમાં નાયકના વિરહદુઃખના ભાવની ઉત્કટતા અને કરુણ રસની ઉગ્રતા છે.\n\t\tએમણે ‘કાન્ત’ વિષયક કુલ તેર મૈત્રીકાવ્યો પણ રચ્યાં છે. આ કાવ્યોમાં કાન્તના જીવનના ગુણદોષનું, વ્યક્તિત્વના વિકાસહાસનું દર્શન છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે વાર્ધક્યની વ્યથા ‘વૃદ્ધોની દશા’, ‘જર્જરિત દેહને’, ‘સુખદુઃખ-૧’ જેવાં કાવ્યોમાં બલિષ્ઠ રીતે પ્રગટાવી છે. ૧૯૨૩માં પૂનાની ડેક્કન કૉલેજને અંતિમ અભિવાદન રૂપે લખાયેલું કાવ્ય ‘વડલાને છેલ્લી સલામ’માં કવિએ યૌવન અને વાર્ધક્ય \n\t\tવચ્ચેનું અંતર દર્શાવ્યું છે. એમની વાર્ધક્યની કવિતામાં બે પેઢી વચ્ચેની સોહરાબ-રુસ્તમી નથી, પણ બે પેઢી વચ્ચે સહાનુભૂતિનો સેતુ છે.\n\t\t<br/><br/> \n\t\tએમનાં સમાજ, રાજ્ય અને ઇતિહાસવિષયક પરલક્ષી કાવ્યોમાં ઇતિહાસકાર અને કવિ ઠાકોરનું એકરૂપ દર્શન થાય છે. ‘યુગ મુબારક’, ‘માજીનું સ્તોત્ર’, ‘ગાંડી ગુજરાત’ માં કવિની રાષ્ટ્રભાવના પ્રગટ થઈ છે. ‘ખેતી’ માં કવિએ આપણા \n\t\tદેશની પ્રાચીન કૃષિસંસ્કૃતિનું ગૌરવ કર્યું છે અને સાથે જ અર્વાચીન યંત્રસંસ્કૃતિનું સ્વાગત કર્યું છે. પ્રસિદ્ધ કાવ્યત્રયી ‘આરોહણ’, ‘રાજ્યાભિષેકની રાત’ તથા ‘ચોપાટીને બાંકડે’ માં એમણે ભૂત, વર્તમાન અને ભાવિના સંદર્ભમાં સમગ્રપણે \n\t\tભારતીય સંસ્કૃતિનું ચિંતન-દર્શન કર્યું છે.\n\t\t<br/><br/> \n\t\tતેઓ, ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધ વખતે, માનવજાતની મહાઆઝાદી વિશે ચિંતન કરતાં સોળ-‘વિરહકાવ્યો’ ની રચના કરે છે. માનવસંસ્કૃતિના સંહાર અર્થે ઉદ્યુક્તહિટલર પ્રત્યેનો કવિનો પુણ્યપ્રકોપ ‘હિટલરા બ્લિટઝરા’ માં પ્રગટ થાય છે. \n\t\tસમગ્ર માનવજાતિ અને તેની સંસ્કૃતિના અસ્તિત્વ માટે અનિવાર્ય એવી ‘આઝાદી વધશે જ’ એવી આશામાં કવિ દારુણ વેદનામાં ભીષણ વર્ષો પસાર કરે છે.  ‘આઝાદી વધશે જ’ સૉનેટમાળાની જેમ જ એના અનુસંધાનમાં રચાયેલી \n\t\t‘સુખદુઃખ’ સૉનેટમાળા પણ અપૂર્ણ રહી. એમાં સમગ્ર માનવજાતિનાં અનુભવો અને સ્મરણોનું પશ્વાદર્શન છે અને સુખ એટલે શું એ પ્રશ્નનનો માનવજાતિના ભૂતકાળના સંદર્ભે ઉત્તર પામવાનો પ્રયાસ છે.\n\t\t<br/><br/> \n\t\t‘વર્ષાની એક સુંદર સાંઝ’ કે ‘પરિષ્વજન’ જેવાં કાવ્યો કવિનાં પ્રકૃતિકાવ્યોમાં વિરલ અપવાદરૂપે છે. એમાં મનુષ્ય-નિરપેક્ષ પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનો-ચિત્રણો છે. કવિના અન્ય પ્રકૃતિકાવ્યોમાં મનુષ્ય વિશેનું મનન-ચિંતન ભળી ગયું છે. કવિએ \n\t\tપ્રકૃતિનું મુખ્યત્વે માતૃસ્વરૂપ કલ્પ્યું છે. ‘ભણકાર’માં કવિને પ્રકૃતિ પાસેથી દિવ્યવાણીનું અને ‘આરોહણ’ માં દિવ્યશાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. એમણે ‘દુષ્કાળ’, ‘દામુ વકીલનો કિસ્સો’, ‘ભમતારામ’, ‘બુદ્ધ’, ‘નિરુત્તમા’ આદિ કથાકાવ્યો \n\t\tરચ્યાં છે. ‘એક તોડેલી ડાળ’ અધૂરા મૂકેલા મહાકાવ્યનો આકર્ષક કલાસ્વરૂપવાળો ટુકડો છે. ‘બંદાની લવરી’ એમનું અપવાદરૂપ હાસ્યકાવ્ય છે. એમણે મુક્તકો, બોધકાવ્યો, અર્પણકાવ્યો, પ્રાસંગિક કાવ્યો પણ રચ્યાં છે. તેઓ વિચારપ્રધાન \n\t\tકવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા પણ ગણે છે, પણ કવિતા વિશેની એમની સમગ્ર વિવેચનાના સંદર્ભમાં વિચારનો અર્થ કલ્પના, પ્રસાદ, દર્શન, પ્રતિભા સુધી વિસ્તરે છે. એમની કાવ્યશૈલી બરછટ, ખરબચડી, વિગતપ્રધાન, ચિંતનપૂર્ણ \n\t\tઅને અગેય પદ્યરચનામાં રાચતી હોઈ તે વિદ્વદ ભોગ્ય બની છે તેટલી લોકપ્રિય બની શકી નથી. યતિભંગ અને શ્વલોકભંગ સાથે શુદ્ધ અગેય પ્રવાહી પદ્ય ઠાકોરનું ઉલ્લેખનીય પ્રદાન ગણી શકાય.\n\t\t<br/><br/> \n\t\tએમણે ગદ્યનાં અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. વિવેચનક્ષેત્રે એમણે કરેલું ખેડાણ સવિશેષ નોંધપાત્ર છે. સિદ્ધાંતવિચાર અને કૃતિપરીક્ષણ રૂપે પ્રાપ્ત થતું એમનું વિવેચન મુખ્યત્વે વ્યાખ્યાનો, પ્રવેશકો, ટિપ્પણો સ્વરૂપે થયું છે. એમનું \n\t\tવિવેચન ‘કવિતા શિક્ષણ’ (૧૯૨૪), ‘લિરિક’ (૧૯૨૮), ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (૧૯૪૩), ‘વિવિધ વ્યાખ્યાનો’ : ગુચ્છ પહેલો (૧૯૪૫), ગુચ્છ બીજો (૧૯૪૮), ગુચ્છ ત્રીજો (૧૯૫૬), ‘ભણકારઃપદ વિવરણ’ (૧૯૫૧), ‘પ્રવેશકો’ : ગુચ્છ \n\t\tપહેલો (૧૯૫૯), ગુચ્છ બીજો (૧૯૬૧) વગેરે સંગ્રહોમાં છે. વિવેચનક્ષેત્રે એમનું મુખ્ય પ્રદાન અર્થપ્રધાનતાવાદ યા વિચારપ્રધાનતાવાદને ગણી શકાય. કાવ્યમાં નિરૂપ્પ વિચાર કે અર્થમાં તેઓ સર્જકતા, નવીનતાનો આગ્રહ કાવ્યમાં રાખે છે \n\t\tઅને તેને ‘પ્રતિભા’ સાથે સાંકળે છે. વિચારપ્રધાન કવિતા માટે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાને તેઓ આવશ્યક માને છે. કવિતાવિચાર અને એનાં મુખ્ય ઘટકતત્વોની પર્યેષણા એમની વિવેચનામાં મુખ્ય ભાગ રોકે છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે લખેલાં બે નાટકો પૈકી પ્રથમ ‘ઊગતી જુવાની’ (૧૯૨૩) નાટ્યગુણરહિત, વિચારપ્રધાન સંવાદોવાળું, રંગભૂમિ પર ભાગ્યે જ ટકે એવું છતાં મૌલિક વસ્તુવાળું નાટક છે. કુલ બાર સળંગ પ્રવેશોમાં લખાયેલા આ નાટકમાં સંવાદોનું પ્રાચુર્ય \n\t\tછે, પણ નાટ્ય-નિર્માણ માટે અપેક્ષિત સૂત્રબદ્ધતા નથી. બીજા નાટક ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ’ (૧૯૨૮) માં પાત્રોચિત ભાષા યોજવાનો પ્રયત્ન છે, પણ કેટલીક ઉક્તિઓમાં કોઠારી ગદ્યની છાયા આવી ગઈ છે. નાટકનો \n\t\tઉપક્રમ પાત્રવ્યક્તિત્વપ્રકાશક સાહસોને નાટ્યાત્મક રૂપમાં આલેખવાનો લાગે છે, જોકે  પાત્રો ચરિત્રરૂપમાં પરિણત થઈ શક્યાં નથી.\n\t\t<br/><br/> \n\t\t‘દર્શનિયું’ (૧૯૨૪) એમનો મૌલિક અને અનૂદિત વાર્તાઓનો સંગ્રહ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં અપ્રસ્તુત વિગતોનો ખડકલો, અનાવશ્યક લંબાણ, કથયિતવ્ય તરફનો વધુ પડતો ઝોક, હાનોપાદાનના વિવેકનો અભાવ-એ સર્વ \n\t\tએમની વાર્તાઓને પ્રભાવહીન બનાવી દે છે, ‘રમણી પ્રફુલ્લ’ નામે નવલકથા એક પ્રકરણથી આગળ લખાઈ નથી.\n\t\t<br/><br/> \n\t\tઅંબાલાલ સાકરલાલ દેસાઈથી પ્રભાવિત થયેલા આ લેખકે ‘અંબાલાલભાઈનાં ભાષણો અને લેખો’ ના પ્રવેશક રૂપે લખેલો લેખ પછીથી ‘અંબાલાલભાઈ’ (૧૯૨૮) નામક સ્વતંત્ર પુસ્તક તરીકે છપાયો છે. એમાં એમણે આવશ્યકતાનુસાર \n\t\tચરિત્રનાયકના સમયનાં તેમ જ તેમના જીવનનાં પરિબળોનો પશ્વાદભૂમાં મૂકી આપ્યાં છે. ‘પંચોતેરમે’ (૧૯૪૬) ના ‘મિતાક્ષર નોંધ’ નામક વિભાગમાં એમણે પોતાનાં વડીલોની, જીવનની, કારકિર્દીની કેટલીક ‘ત્રુટક સ્થૂલ હકીકતો’નું મહદંશે \n\t\tઆત્મસભાન કહી શકાય તેવું કથન કર્યું છે.\n\t\t<br/><br/> \n\t\t‘ઇતિહાસ દિગ્દર્શન’ (૧૯૨૮) અને ‘યુનાઈટેડ સ્ટેટ્સ’ (૧૯૨૮) એમની ઇતિહાસવિષયક કૃતિઓ છે. ‘વિધવાવિવાહ’ (૧૮૮૬), ‘કુન્તી’ (૧૯૦૭), ‘સંક્રાન્તિ સમયમાં સ્ત્રીઓ’ (૧૯૨૮) અને ‘શરીર સ્વાસ્થ્ય’ (૧૯૩૬) એમની અન્ય કૃતિઓ છે. એમની \n\t\tડાયરી ‘બ. ક. ઠાકોરની દીન્કી’-ભા.૧ : વર્ષ ૧૮૮૮ (૧૯૬૯) અને ભા.૨ : વર્ષ ૧૮૮૯ થી ૧૯૦૦ (૧૯૭૬) ગુજરાતના અલ્પ ડાયરીસાહિત્યમાં ધ્યાનપાત્ર છે. એમણે ચાર અંગ્રેજી કૃતિઓ પ્રકાશિત કરી છે; અપ્રકાશિત કૃતિઓની સંખ્યા પણ મોટી છે.\n\t\t<br/><br/> \n\t\tકાન્તના સ્મારકગ્રંથરૂપે પ્રગટ થયેલ ‘કાન્તમાળા’ (૧૯૨૪)ના આઠ સંપાદકો પૈકી ઠાકોર એક હતા. એમણે મોહનલાલ દેસાઈ તથા મધુસૂદન મોદી સાથે ‘ગુર્જર રાસાવલી’ (૧૯૫૬)નું સંપાદન કરેલું. મંગલમાણિક્યકૃત ‘અંબડ વિદ્યાધર રાસ’ \n\t\t(૧૯૫૩), ઉદયભાનુકૃત ‘વિક્રમ ચરિત્ર રાસ’ (૧૯૫૭) એ એમનાં મધ્યકાલીન સાહિત્યનાં બીજા બે સંપાદનો છે. બંનેની સંપાદિત વાચનાઓમાં સંખ્યાબંધ અશુદ્ધિઓ રહી ગઈ છે. આ ઉપરાંત ગોવર્ધનરામ ત્રિપાઠી-રચિત ‘સાક્ષર-જીવન’ \n\t\t(૧૯૧૯) નું સંપાદન અને નવલરામ પંડ્યાકૃત ‘ઈંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (ત્રી.આ.૧૯૨૨)નું પ્રવેશયુક્ત સંપાદન એમણે આપ્યાં છે. માસિક ‘પ્રસ્થાન’માં પ્રગટ થયેલી અર્વાચીન કાવ્યો અને એનાં વિવરણોની લેખમાળા ‘આપણી \n\t\tકવિતાસમૃદ્ધિ’ (૧૯૩૧) રૂપે પ્રાપ્ત થઈ છે. ૧૯૩૯માં થયેલ બીજી આવૃત્તિમાં કાવ્યોને વિષયવાર નવ વિભાગોમાં વહેંચીને છાપ્યાં હતા. કાવ્યવિષયક ચર્ચા કરી, કવિતા વિશે સૂઝ ફેલાવવાના આશયથી થયેલું આ સંકલન સારું એવું લોકપ્રિય થયું હતું.\n\t\t<br/><br/> \n\t\t‘શાકુન્તલ’ના અનુવાદ ‘અભિજ્ઞાન શકુન્તલા નાટક’ (૧૯૦૬)માં અને ‘માલવિકાગ્નિમિત્ર’ (૧૯૩૩)માં મૂળ કૃતિ પ્રત્યેની ભારોભાર વફાદારી છતાં ઠાકોરીય લાક્ષણિકતાઓએ મૂળનાં પ્રસાદ અને રુચિરતાને અહીં અનુવાદમાં હાનિ પહોંચાડી છે. \n\t\t‘વિક્રમોર્વશી’ (૧૯૫૮)માં ગદ્યોક્તિઓને પાત્રોચિત ભાષાવાળી, ભાવોચિત છટાઓવાળી તથા બોલચાલના લહેકાવાળી બનાવવા પ્રયત્ન કર્યો છે. એમણે ‘ભગવદ્ ગીતા’ અને ‘મેઘદૂત’ના અનુવાદો આરંભેલા, પણ તે પૂર્ણ થઈ શકેલા નહીં. \n\t\tએમણે શંકરનના ‘સંસ્કૃત લિટરરી ક્રિટિસિઝમનો પૂરો અને ‘એબરક્રોમ્બીના પ્રિન્સિપલ્સ ઑવ લિટરરી ક્રિટિસિઝમ’ નો અધૂરો ‘સારગ્રાહી વિવરણાત્મક’ અનુવાદ કર્યો છે. અનુવાદ નહિ પણ અનુસર્જન કરવાનું એમનું વલણ મુક્ત પૃથ્વીમાં \n\t\tલખાયેલ ‘ગોપીહૃદય’ (૧૯૪૩)માં દ્રષ્ટિગોચર થાય છે. એમણે રશિયન નાટકકાર વેલેટાઈન કેટેયેવના રશિયા, યુરોપ અને અમેરિકાની રંગભૂમિ પર સફળ નીવડેલા પ્રહસન ‘સ્ક્વેરિંગ ધ સર્કલ’ નો અનુવાદ ‘સોવિયેટ નવજુવાની’ (૧૯૩૫) \n\t\tનામે કરેલો છે. પર્લબકની એક નાટ્યકૃતિનો અનુવાદ ‘દેશભક્તિનો વ્યોમ કળશ’ નામે તથા રુમાનિયન લેખક મોંસિયે સેણ્ડોર માર્ટિનેસ્કુની એક નાટ્યતત્વસમૃદ્ધ નાટ્યકૃતિનો ‘રાહેલનો ગૃહત્યાગ’ નામે અનુવાદ પણ એમણે કર્યો છે. હરિલાલ \n\t\tમાધવજી ભટ્ટ સાથે તેમણે ‘પ્લૂટાર્કનાં જીવનચરિત્રો’ (૧૯૦૬)નો અનુવાદ પણ કર્યો છે.\n\t\t<br/><br/> \n\t\tગુજરાતી સાહિત્યના અગ્રણ્ય ગદ્યકારોમાં આ લેખકનું સ્થાન છે. કાવ્યની જેમ ગદ્યમાં પણ એમણે અર્થાનુસારિતા કે વિચારાનુરૂપતાને પ્રાધાન્ય આપ્યું છે. એમના લખાણમાં વાક્યો એક પછી એક ખડકાયેલાં હોય છે. ગહન વિષયને સાંગોપાંગ \n\t\tસળંગ અર્થઘન મહાવાક્યમાં ગોઠવતી એમની ગદ્યશૈલી કવિચિત્ કલેશકર, કિલષ્ટ અને દીર્ઘસૂત્રી બની રહે છે. એમણે ગુજરાતીના પોતને અનુકૂળ ફારસી-અરબી, સંસ્કૃત-પ્રાકૃત, શિષ્ટ બોલચાલિયા શબ્દો, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી \n\t\tપોતાના ઈષ્ટઅર્થને ચોકસાઈપૂર્વક અશેષ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. \n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/> \n\t\tભણકાર (૧૯૧૮, બી.આ. ૧૯૪૨, ત્રી.આ. ૧૯૫૧) : બળવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. એમણે ૧૯૪૧ સુધીની કવિતા ૧૯૪૨ ની આવૃત્તિમાં તથા ૧૯૫૦ સુધીની લઘુ અને મધ્યમ કદની કૃતિઓ ૧૯૫૧ ની આવૃત્તિમાં સમાવી લીધી છે. આ \n\t\tત્રીજી આવૃત્તિ ‘કવિ અને કવિતા’, ‘વતન’, ‘અંગત’, ‘પ્રેમનો દિવસ’, ‘ખંડકાવ્યો’, ‘બાલોદ્યાન’, ‘બોધક’ અને ‘વધારો’ એમ નવેસરથી સાત ગુચ્છમાં ગુંફિત છે. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન કાવ્યક્ષેત્રે ઐતિહાસિક બનાવ છે. પંડિતયુગ અને \n\t\tગાંધીયુગની કડીરૂપ આ સંગ્રહમાં નરી ઊર્મિલતા, પોચટતા અને ભાવનાપ્રધાન અપદ્યાગદ્યની સામે અર્થપ્રધાન પરલક્ષી કવિતાની ‘દ્વિજોત્તમ જાતિ’ નાં તેમ જ પ્રવાહી પદ્યનાં કલામય બુદ્ધિધન કાવ્ય-સર્જનો છે. એમાં બંધોનું નાવીન્ય છે, \n\t\tપ્રયોગશીલ માનસ છે, શ્વલોકભંગ-શ્રુતિભંગ-યતિભંગ સાથેના વિલક્ષણ પદ્યપ્રયોગો છે, ગુલબંકી-પરંપરિત-ત્રોટક-ઝૂલણાનું નવી રીતે પંકિત-સમાયોજન છે. ‘પૃથ્વીતિલક’ જેવો પૃથ્વીનો નવતર પ્રયોગ છે, શબ્દસૌંદર્યને ગૌણ કરી \n\t\tઅર્થાનુસારી લયના પ્રાસહીન શુદ્ધ અગેય પદ્યનો આદર્શ છે. કવિને હાથે પ્રસિદ્ધ થયેલાં ને સૌથી વધુ સફળ નીવડેલાં પ્રણય, મૈત્રી, શ્રદ્ધા, સુખદુઃખ પરનાં સૉનેટો અત્યંત સમૃદ્ધ છે. ‘પ્રેમનો દિવસ’નાં સૉનેટોમાં કલ્પિત નાયક-નાયિકાના \n\t\tજીવનનું, અન્યોન્ય પ્રેમની સમુત્ક્રાંતિ દર્શાવતા પ્રસંગો દ્વારા, નિરૂપણ થયું છે. ‘જૂનું પિયર ઘર’ અને ‘વધામણી’ એમાં સૌથી જાણીતાં છે. વૃદ્ધાવસ્થાને લગતી સૉનેટ-કૃતિઓ વિષયનાવીન્યની રીતે ધ્યાન ખેંચે તેવી છે. ‘આરોહણ’ \n\t\tપ્રતિખંડકાવ્ય છે. આ સર્વમાં કવિનો વૈજ્ઞાનિક, બુદ્ધિવાદી, અજ્ઞેયવાદી અને વાસ્તવવાદી અભિગમ ખુદવફાઈ સાથે અને શૈલીની ઓજસ્વિતા સાથે વ્યક્ત થયો છે. ‘ભણકાર’ માં સાચી અને ઊંચી કવિતાને પામવાનો કાવ્યપુરુષાર્થ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tમ્હારાં સૉનેટ (૧૯૫૩) : બ. ક. ઠાકોરે ૧૯૩૫માં ‘મ્હારાં સૉનેટ’ નામે એક ચોપડી બહાર પાડેલી તેમાં તે તારીખ લગી સર્જાયેલાં સૉનેટ સમાવેલાં, પરંતુ છ-એક વર્ષમાં એ ખપી જતાં ઘણા વધારા સાથે નવી આવૃત્તિ અંગે કવિએ આયોજન \n\t\tકરેલું; એ સામગ્રી અને બીજી વધુ સામગ્રીનો ઉપયોગી કરી કુલ ૧૬૪ સૉનેટનો આ સંપૂર્ણ સંગ્રહ ઉમાશંકર જોશીએ સંપાદિત કર્યો છે. ‘મ્હારાં સૉનેટ’ સંગ્રહ છ વિભાગમાં વહેંચાયેલો જોઈ શકાય છે : કવિતા; પ્રેમ; મિત્રતા, બુર્ઝગી, મૃત્યુ, \n\t\tશ્રદ્ધા; ઇતિહાસદ્રષ્ટિ; સમાજદર્શન; સંસારની સુખદુઃખ;મયતા. વિષયો જોતાં લાગે છે કે આ કવિએ પોચટ અને ભાવુક બનેલી અંગતતાની સામે બિનઅંગત વિચારપ્રધાન કવિતા ધરી છે; અને સૉનેટ જેવા કાવ્યપ્રકારને વિવિધ રીતે ખેડીને \n\t\tએને કલાત્મક રીતે ફલિત કર્યો છે. સૂક્ષ્મ આકારસૂઝ અને ભાષાકસબની સભાનતાથી કવિએ લાક્ષણિક રીતે કવિધર્મ બજાવ્યો છે. કવિતાવિષયક સૉનેટોમાં રસકોટિએ પહોંચતી અંગત વિભાવના; પ્રેમવિષયક સૉનેટોમાં કલ્પિત પાત્રો દ્વારા \n\t\tવિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ અને એથી પ્રગટ થતા ચિત્રાત્મક તેમ જ નાટ્યાત્મક કાવ્યોન્મેષો; મૃત્યુ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની સંવેદનાઓને ઉપસાવતાં સૉનેટોના અપૂર્વ ભાષાવિષ્કારો ઉલ્લેખપાત્ર  છે. સમાજ અને સંસારનું નિરૂપણ \n\t\tકરતાં સૉનેટોમાં ઇતિહાસવિદ કવિનું વ્યવહારવાદી, બુનિયાદી, બુદ્ધિવાદી, યથાર્થવાદી ને વિશિષ્ટ રીતે અજ્ઞેયવાદી વલણ અછતું નથી રહેતું. પ્રત્યેક ભાષાપ્રયોગની સાભિપ્રાયતા અંગેની સજગતા આ કવિની શક્તિ અને મર્યાદા છે. ‘જૂનું \n\t\tપિયરઘર’, ‘વધામણી’, ‘પ્રેમની ઉષા’, ‘યમને નિમંત્રણ’ વગેરે સૉનેટો ગુજરાતી સાહિત્યની માર્મિક અને સીમાચિહ્નરૂપ કૃતિઓ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tકવિતાશિક્ષણ (૧૯૨૪) : વિવેચનાના વ્યવહારુ શિક્ષણ માટે સભાનતાથી કેડી પાડતું બ. ક. ઠાકોરનું પુસ્તક. કાવ્યનું કાવ્યત્વ કારીગરીથી પર રહી જતાં પાંચ-પંદર વસામાં બિરાજે છે અને એમાં પંચાશી- નેવુ-પંચાણું ટકા \n\t\tકૌશલ-કારીગરીનો આવિષ્કાર હોય છે. લેખકનો મત છે કે કારીગરી શીખી-શીખાડી શકાય છે. જન્મજાત અસાધારણ શક્તિવાળા કવિઓની સાથે સાથે આપશિક્ષણે પણ કવિ-કલાસર્જક બની શકાય છે; ઉપરાંત ભાવકની ઉપભોગાસ્વાદનની શક્તિયે જન્મસિદ્ધ નથી \n\t\tહોતી, એને પણ કેળવવી પડતી હોય છે. આમ, સર્જક અને ભાવક બંનેના શિક્ષણને તાકતું આ લખાણ ઊછરતા કવિઓને સલાહ આપતાં આપતાં કવિતાત્વનું વિશ્લેષણ કરે છે અને અનુવાદ તેમ જ અનુકૃતિઓનાં મૂલ્યને પણ તપાસે છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tલિરિક (૧૯૨૮) : મૂળે, ‘કૌમુદી’ ત્રિમાસિક, વર્ષ-૧ અને વર્ષ-૨માં છપાયેલા, બળવંતરાય ક. ઠાકોરના નિબંધનું નજીવા ફેરફારવાળું પુસ્તકરૂપ, સ્વિન્બર્ન પછીની અંગ્રેજી કવિતામાંથી ઉદાહરણો લઈ ઊર્મિકવિતાની પાશ્ચાત્ય વિભાવનાને \n\t\tસ્પષ્ટ કરવાનો અને ઊર્મિ કવિતાની પેટાજાતિઓ અનેક છે એમાંથી મુખ્યને દર્શાવવાનો એમાં પ્રયત્ન કર્યો છે. વિરહ-શોક, ખટક અને શાંતિ, આનંદ અને પ્રેમ, ઉત્સાહ-ભક્તિ-પ્રજ્ઞા-અગમનિગમ-એમ ચાર વિભાગમાં ઊર્મિકાવિતાનું દિગ્દર્શન કર્યું છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tનવીન કવિતા વિશે વ્યાખ્યાનો (૧૯૪૩) : સર્જાતા અર્વાચીન કાવ્યસાહિત્ય પરનાં વ્યાખ્યાનોને સમાવતો બ. ક. ઠાકોરનો વિવેચનગ્રંથ. નવીન કવિતા પરના પ્રેમથી, દ્રષ્ટાંતો સહિત, અહીં કાવ્ય- પ્રકારોની વીગતે ચર્ચા કરવામાં આવી \n\t\tછે. કુલ ચાર ‘દર્શન’ માં વહેંચાયેલા આ ગ્રંથના ‘દર્શન ૧’ માં કાવ્યભાવના અને વિષયદર્શન અંગે, ‘દર્શન ૨’માં નવીન કવિતામાં લિરિક અંગે, ‘દર્શન ૩’ માં વિરહકાવ્યો/વિષાદકાવ્યો અંગે અને ‘દર્શન ૪’ માં મહાકાવ્ય, આખ્યાનકાવ્ય, \n\t\tવર્ણનકાવ્ય, ખંડકાવ્ય અને કવિતાને લગતા કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા છે. વેરણછેરણ પડેલા પોતાના સિદ્ધાંતો, અભિપ્રાયો આદિનું સમગ્ર ભાવનાદર્શને એકીકરણ થાય અને કાવ્ય વિશેના પોતાના ધ્યર્થોને વાચકો પાયાથી શિખર લગી એક \n\t\tદ્રષ્ટિપાતે જોઈ શકે એવો અહીં લેખકનો આશય છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tવિવિધ વ્યાખ્યાનો-ગુચ્છ ૧,૨,૩ (૧૯૪૫, ૧૯૪૮, ૧૯૫૬) : બળવંતરાય ક. ઠાકોરનાં વ્યાખ્યાનોને સમાવતા ગ્રંથો. પહેલા ગુચ્છમાં ગોવર્ધનરામનું પ્રબોધમૂર્તિ તરીકે મૂલ્યાંકન ઉપરાંત સરસ્વતીચંદ્રનાં વિષયવસ્તુ અને સ્ત્રીપાત્રોનું \n\t\tપરીક્ષણ થયું છે. ‘લીલાવતી જીવનકલા’ ની તપાસ પણ એમાં છે. બીજા ગુચ્છમાં પ્રેમાનંદ, નર્મદ, નવલરામ પંડ્યા, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, મણિશંકર અને ન્હાનાલાલ-એમ સાત સાહિત્યકારોનો સમાવેશ છે. ત્રીજા \n\t\tગુચ્છમાં કેળવણી, સાહિત્ય અને ઇતિહાસના વિવિધ વિષયો પર વિચારણા છે. સિદ્ધાંતોના વ્યાપક ફલક પર મુકાયેલો લેખકનો સાહિત્ય અને ઇતિહાસ-કેળવણી વિષયક દ્રષ્ટિસંપન્ન અભિગમ, વિલક્ષણ ગદ્યની છટાઓ સાથે આ વ્યાખ્યાનોમાં મોજદ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ઠાકોર બળવંતરાય કલ્યાણરાય, ‘વલ્કલ’, ‘સેહેની’   \t\t(૨૩-૧૦-૧૮૬૯, ૨-૧-૧૯૫૨) : કવિ, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૮૮૩ માં મૅટ્રિક. ૧૮૮૯ માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ. ના  \t\tઅભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨ માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩ માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. ૧૮૯૫ માં કરાંચીની ડી.જે. સિંધ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ, લૉજિક અને મોરલ ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. ૧૮૯૬ માં બરોડા \t\t \t\tકૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, લૉજિક અને ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. એ જ વર્ષે અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનનાં અધ્યાપક. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ. ૧૯૦૨માં પુનઃ \t \t\tઅજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત. ૧૯૨૪માં નિવૃત્ત થયા, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮ થી ૧૯૩૭ સુધી વડોદરા અને ૧૯૩૭ થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા. \t\t   \t\t‘ભણકાર’ ધારા પહેલી (૧૯૧૮), ‘ભણકાર’ ધારા બીજી (૧૯૨૮), ‘મ્હારાં સૉનેટ’ (૧૯૩૫)- આ ત્રણે કાવ્યસંગ્રહો ને એ પછી લખાયેલી બધી કાવ્યરચનાઓને સમાવતા એમના ‘ભણકાર’ (૧૯૪૨) નામક કાવ્યગ્રંથમાં એમનાં કાવ્યોને વસ્તુ  \t\tવિષયના સંદર્ભમાં સાત ગુચ્છમાં વિભાજિત કર્યાં છે. એમાં આત્મલક્ષી અને પરલક્ષી બન્ને પ્રકારનાં કાવ્યો છે. અંગત સ્વાનુભવનાં કાવ્યોમાં મુખ્યત્વે પ્રેમ, મૈત્રી, વાર્ધક્ય અને મૃત્યુ વિષયક કાવ્યો છે; તો પરલક્ષી સર્વાનુભવનાં કાવ્યોમાં  \t\tમુખ્યત્વે સમાજ, રાજ્ય, ઇતિહાસ, પ્રકૃતિ અને પરમેશ્વર વિષેનાં કાવ્યો છે. એમનાં ઊર્મિકાવ્યો મુખ્યત્વે ચિંતનોર્મિકાવ્યો હોઈ આત્મલક્ષી છતાં અંતે તો પરલક્ષી હોય છે. \t\t   \t\t‘પ્રેમનો દિવસ’ ૧૮૮૯ માં આરંભાયું અને ૧૯૧૩માં કુલ અઢાર મણકામાં પૂર્ણ થયું. પછી એક વધુ મણકો ઉમેરાયો. કાવ્યમાં ‘એક કલ્પિત યુગ્મનાં હૃદયજીવનમાંની કેટલીક ક્ષણોનાં ચિત્રો’ છે. કલ્પિત દંપતીના જીવનમાંથી પ્રકીર્ણ ક્ષણોના  \t\tમાધ્યમે કવિએ પોતાની પ્રેમસમુત્ક્રાંતિનું છાયાચિત્ર આપ્યું છે. કાવ્યમાં કલ્પિત નાયક-નાયિકાની સતત સ્વગતોક્તિઓ અને ક્યારેક સંવાદ છે, એ દ્રષ્ટિએ તેને નાટ્યાત્મક ઊર્મિકાવ્ય કહી શકાય. આ કાવ્યમાળાની રચનાઓ પૈકી ‘પ્રેમની  \t\tઉષા’, ‘અદ્રષ્ટિદર્શન’, ‘મોગરો’, ‘વધામણી’, ‘જૂનું પિયેર ઘર’ તથા ‘વર્ષાની એક સુંદર સાંઝ’ અનવદ્ય સુંદરતાવાળી સૉનેટકૃતિઓ છે. કવિ ૧૯૧૩માં ‘પ્રેમ નો દિવસ’ પૂરું કરે છે અને બીજે જ વરસે મૃત્યુનું કાવ્ય ‘વિરહ’ નો આરંભ કરે છે એ  \t\tસૂચક છે. પ્રેમ અને મૃત્યુ ભિન્નભિન્ન અનુભવ નથી, એક જ અનુભવ છે એવું એમાંથી સૂચવાય છે. ‘વિરહ’ માં કુલ ઓગણીસ મણકા છે. કવિ સ્વયં નાયક છે, કવિપત્ની ચંદ્રમણિ નાયિકા છે. મૃત્યુની ગાઢ છાયામાં કાવ્યનો પ્રારંભ થાય છે. છઠ્ઠા  \t\tમણકામાં પત્નીનું મૃત્યુ થયા પછી સાતમા મણકાથી નાયકના વિરહશૂળનો આરંભ થાય છે. એનામાં વિરહને સહેવાની, વિશ્વયોજનાને સમજવાની શક્તિ નથી. કાવ્યમાં નાયકના વિરહદુઃખના ભાવની ઉત્કટતા અને કરુણ રસની ઉગ્રતા છે. \t\tએમણે ‘કાન્ત’ વિષયક કુલ તેર મૈત્રીકાવ્યો પણ રચ્યાં છે. આ કાવ્યોમાં કાન્તના જીવનના ગુણદોષનું, વ્યક્તિત્વના વિકાસહાસનું દર્શન છે. \t\t   \t\tએમણે વાર્ધક્યની વ્યથા ‘વૃદ્ધોની દશા’, ‘જર્જરિત દેહને’, ‘સુખદુઃખ-૧’ જેવાં કાવ્યોમાં બલિષ્ઠ રીતે પ્રગટાવી છે. ૧૯૨૩માં પૂનાની ડેક્કન કૉલેજને અંતિમ અભિવાદન રૂપે લખાયેલું કાવ્ય ‘વડલાને છેલ્લી સલામ’માં કવિએ યૌવન અને વાર્ધક્ય  \t\tવચ્ચેનું અંતર દર્શાવ્યું છે. એમની વાર્ધક્યની કવિતામાં બે પેઢી વચ્ચેની સોહરાબ-રુસ્તમી નથી, પણ બે પેઢી વચ્ચે સહાનુભૂતિનો સેતુ છે. \t\t   \t\tએમનાં સમાજ, રાજ્ય અને ઇતિહાસવિષયક પરલક્ષી કાવ્યોમાં ઇતિહાસકાર અને કવિ ઠાકોરનું એકરૂપ દર્શન થાય છે. ‘યુગ મુબારક’, ‘માજીનું સ્તોત્ર’, ‘ગાંડી ગુજરાત’ માં કવિની રાષ્ટ્રભાવના પ્રગટ થઈ છે. ‘ખેતી’ માં કવિએ આપણા  \t\tદેશની પ્રાચીન કૃષિસંસ્કૃતિનું ગૌરવ કર્યું છે અને સાથે જ અર્વાચીન યંત્રસંસ્કૃતિનું સ્વાગત કર્યું છે. પ્રસિદ્ધ કાવ્યત્રયી ‘આરોહણ’, ‘રાજ્યાભિષેકની રાત’ તથા ‘ચોપાટીને બાંકડે’ માં એમણે ભૂત, વર્તમાન અને ભાવિના સંદર્ભમાં સમગ્રપણે  \t\tભારતીય સંસ્કૃતિનું ચિંતન-દર્શન કર્યું છે. \t\t   \t\tતેઓ, ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધ વખતે, માનવજાતની મહાઆઝાદી વિશે ચિંતન કરતાં સોળ-‘વિરહકાવ્યો’ ની રચના કરે છે. માનવસંસ્કૃતિના સંહાર અર્થે ઉદ્યુક્તહિટલર પ્રત્યેનો કવિનો પુણ્યપ્રકોપ ‘હિટલરા બ્લિટઝરા’ માં પ્રગટ થાય છે.  \t\tસમગ્ર માનવજાતિ અને તેની સંસ્કૃતિના અસ્તિત્વ માટે અનિવાર્ય એવી ‘આઝાદી વધશે જ’ એવી આશામાં કવિ દારુણ વેદનામાં ભીષણ વર્ષો પસાર કરે છે.  ‘આઝાદી વધશે જ’ સૉનેટમાળાની જેમ જ એના અનુસંધાનમાં રચાયેલી  \t\t‘સુખદુઃખ’ સૉનેટમાળા પણ અપૂર્ણ રહી. એમાં સમગ્ર માનવજાતિનાં અનુભવો અને સ્મરણોનું પશ્વાદર્શન છે અને સુખ એટલે શું એ પ્રશ્નનનો માનવજાતિના ભૂતકાળના સંદર્ભે ઉત્તર પામવાનો પ્રયાસ છે. \t\t   \t\t‘વર્ષાની એક સુંદર સાંઝ’ કે ‘પરિષ્વજન’ જેવાં કાવ્યો કવિનાં પ્રકૃતિકાવ્યોમાં વિરલ અપવાદરૂપે છે. એમાં મનુષ્ય-નિરપેક્ષ પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનો-ચિત્રણો છે. કવિના અન્ય પ્રકૃતિકાવ્યોમાં મનુષ્ય વિશેનું મનન-ચિંતન ભળી ગયું છે. કવિએ  \t\tપ્રકૃતિનું મુખ્યત્વે માતૃસ્વરૂપ કલ્પ્યું છે. ‘ભણકાર’માં કવિને પ્રકૃતિ પાસેથી દિવ્યવાણીનું અને ‘આરોહણ’ માં દિવ્યશાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. એમણે ‘દુષ્કાળ’, ‘દામુ વકીલનો કિસ્સો’, ‘ભમતારામ’, ‘બુદ્ધ’, ‘નિરુત્તમા’ આદિ કથાકાવ્યો  \t\tરચ્યાં છે. ‘એક તોડેલી ડાળ’ અધૂરા મૂકેલા મહાકાવ્યનો આકર્ષક કલાસ્વરૂપવાળો ટુકડો છે. ‘બંદાની લવરી’ એમનું અપવાદરૂપ હાસ્યકાવ્ય છે. એમણે મુક્તકો, બોધકાવ્યો, અર્પણકાવ્યો, પ્રાસંગિક કાવ્યો પણ રચ્યાં છે. તેઓ વિચારપ્રધાન  \t\tકવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા પણ ગણે છે, પણ કવિતા વિશેની એમની સમગ્ર વિવેચનાના સંદર્ભમાં વિચારનો અર્થ કલ્પના, પ્રસાદ, દર્શન, પ્રતિભા સુધી વિસ્તરે છે. એમની કાવ્યશૈલી બરછટ, ખરબચડી, વિગતપ્રધાન, ચિંતનપૂર્ણ  \t\tઅને અગેય પદ્યરચનામાં રાચતી હોઈ તે વિદ્વદ ભોગ્ય બની છે તેટલી લોકપ્રિય બની શકી નથી. યતિભંગ અને શ્વલોકભંગ સાથે શુદ્ધ અગેય પ્રવાહી પદ્ય ઠાકોરનું ઉલ્લેખનીય પ્રદાન ગણી શકાય. \t\t   \t\tએમણે ગદ્યનાં અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. વિવેચનક્ષેત્રે એમણે કરેલું ખેડાણ સવિશેષ નોંધપાત્ર છે. સિદ્ધાંતવિચાર અને કૃતિપરીક્ષણ રૂપે પ્રાપ્ત થતું એમનું વિવેચન મુખ્યત્વે વ્યાખ્યાનો, પ્રવેશકો, ટિપ્પણો સ્વરૂપે થયું છે. એમનું  \t\tવિવેચન ‘કવિતા શિક્ષણ’ (૧૯૨૪), ‘લિરિક’ (૧૯૨૮), ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (૧૯૪૩), ‘વિવિધ વ્યાખ્યાનો’ : ગુચ્છ પહેલો (૧૯૪૫), ગુચ્છ બીજો (૧૯૪૮), ગુચ્છ ત્રીજો (૧૯૫૬), ‘ભણકારઃપદ વિવરણ’ (૧૯૫૧), ‘પ્રવેશકો’ : ગુચ્છ  \t\tપહેલો (૧૯૫૯), ગુચ્છ બીજો (૧૯૬૧) વગેરે સંગ્રહોમાં છે. વિવેચનક્ષેત્રે એમનું મુખ્ય પ્રદાન અર્થપ્રધાનતાવાદ યા વિચારપ્રધાનતાવાદને ગણી શકાય. કાવ્યમાં નિરૂપ્પ વિચાર કે અર્થમાં તેઓ સર્જકતા, નવીનતાનો આગ્રહ કાવ્યમાં રાખે છે  \t\tઅને તેને ‘પ્રતિભા’ સાથે સાંકળે છે. વિચારપ્રધાન કવિતા માટે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાને તેઓ આવશ્યક માને છે. કવિતાવિચાર અને એનાં મુખ્ય ઘટકતત્વોની પર્યેષણા એમની વિવેચનામાં મુખ્ય ભાગ રોકે છે. \t\t   \t\tએમણે લખેલાં બે નાટકો પૈકી પ્રથમ ‘ઊગતી જુવાની’ (૧૯૨૩) નાટ્યગુણરહિત, વિચારપ્રધાન સંવાદોવાળું, રંગભૂમિ પર ભાગ્યે જ ટકે એવું છતાં મૌલિક વસ્તુવાળું નાટક છે. કુલ બાર સળંગ પ્રવેશોમાં લખાયેલા આ નાટકમાં સંવાદોનું પ્રાચુર્ય  \t\tછે, પણ નાટ્ય-નિર્માણ માટે અપેક્ષિત સૂત્રબદ્ધતા નથી. બીજા નાટક ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ’ (૧૯૨૮) માં પાત્રોચિત ભાષા યોજવાનો પ્રયત્ન છે, પણ કેટલીક ઉક્તિઓમાં કોઠારી ગદ્યની છાયા આવી ગઈ છે. નાટકનો  \t\tઉપક્રમ પાત્રવ્યક્તિત્વપ્રકાશક સાહસોને નાટ્યાત્મક રૂપમાં આલેખવાનો લાગે છે, જોકે  પાત્રો ચરિત્રરૂપમાં પરિણત થઈ શક્યાં નથી. \t\t   \t\t‘દર્શનિયું’ (૧૯૨૪) એમનો મૌલિક અને અનૂદિત વાર્તાઓનો સંગ્રહ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં અપ્રસ્તુત વિગતોનો ખડકલો, અનાવશ્યક લંબાણ, કથયિતવ્ય તરફનો વધુ પડતો ઝોક, હાનોપાદાનના વિવેકનો અભાવ-એ સર્વ  \t\tએમની વાર્તાઓને પ્રભાવહીન બનાવી દે છે, ‘રમણી પ્રફુલ્લ’ નામે નવલકથા એક પ્રકરણથી આગળ લખાઈ નથી. \t\t   \t\tઅંબાલાલ સાકરલાલ દેસાઈથી પ્રભાવિત થયેલા આ લેખકે ‘અંબાલાલભાઈનાં ભાષણો અને લેખો’ ના પ્રવેશક રૂપે લખેલો લેખ પછીથી ‘અંબાલાલભાઈ’ (૧૯૨૮) નામક સ્વતંત્ર પુસ્તક તરીકે છપાયો છે. એમાં એમણે આવશ્યકતાનુસાર  \t\tચરિત્રનાયકના સમયનાં તેમ જ તેમના જીવનનાં પરિબળોનો પશ્વાદભૂમાં મૂકી આપ્યાં છે. ‘પંચોતેરમે’ (૧૯૪૬) ના ‘મિતાક્ષર નોંધ’ નામક વિભાગમાં એમણે પોતાનાં વડીલોની, જીવનની, કારકિર્દીની કેટલીક ‘ત્રુટક સ્થૂલ હકીકતો’નું મહદંશે  \t\tઆત્મસભાન કહી શકાય તેવું કથન કર્યું છે. \t\t   \t\t‘ઇતિહાસ દિગ્દર્શન’ (૧૯૨૮) અને ‘યુનાઈટેડ સ્ટેટ્સ’ (૧૯૨૮) એમની ઇતિહાસવિષયક કૃતિઓ છે. ‘વિધવાવિવાહ’ (૧૮૮૬), ‘કુન્તી’ (૧૯૦૭), ‘સંક્રાન્તિ સમયમાં સ્ત્રીઓ’ (૧૯૨૮) અને ‘શરીર સ્વાસ્થ્ય’ (૧૯૩૬) એમની અન્ય કૃતિઓ છે. એમની  \t\tડાયરી ‘બ. ક. ઠાકોરની દીન્કી’-ભા.૧ : વર્ષ ૧૮૮૮ (૧૯૬૯) અને ભા.૨ : વર્ષ ૧૮૮૯ થી ૧૯૦૦ (૧૯૭૬) ગુજરાતના અલ્પ ડાયરીસાહિત્યમાં ધ્યાનપાત્ર છે. એમણે ચાર અંગ્રેજી કૃતિઓ પ્રકાશિત કરી છે; અપ્રકાશિત કૃતિઓની સંખ્યા પણ મોટી છે. \t\t   \t\tકાન્તના સ્મારકગ્રંથરૂપે પ્રગટ થયેલ ‘કાન્તમાળા’ (૧૯૨૪)ના આઠ સંપાદકો પૈકી ઠાકોર એક હતા. એમણે મોહનલાલ દેસાઈ તથા મધુસૂદન મોદી સાથે ‘ગુર્જર રાસાવલી’ (૧૯૫૬)નું સંપાદન કરેલું. મંગલમાણિક્યકૃત ‘અંબડ વિદ્યાધર રાસ’  \t\t(૧૯૫૩), ઉદયભાનુકૃત ‘વિક્રમ ચરિત્ર રાસ’ (૧૯૫૭) એ એમનાં મધ્યકાલીન સાહિત્યનાં બીજા બે સંપાદનો છે. બંનેની સંપાદિત વાચનાઓમાં સંખ્યાબંધ અશુદ્ધિઓ રહી ગઈ છે. આ ઉપરાંત ગોવર્ધનરામ ત્રિપાઠી-રચિત ‘સાક્ષર-જીવન’  \t\t(૧૯૧૯) નું સંપાદન અને નવલરામ પંડ્યાકૃત ‘ઈંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (ત્રી.આ.૧૯૨૨)નું પ્રવેશયુક્ત સંપાદન એમણે આપ્યાં છે. માસિક ‘પ્રસ્થાન’માં પ્રગટ થયેલી અર્વાચીન કાવ્યો અને એનાં વિવરણોની લેખમાળા ‘આપણી  \t\tકવિતાસમૃદ્ધિ’ (૧૯૩૧) રૂપે પ્રાપ્ત થઈ છે. ૧૯૩૯માં થયેલ બીજી આવૃત્તિમાં કાવ્યોને વિષયવાર નવ વિભાગોમાં વહેંચીને છાપ્યાં હતા. કાવ્યવિષયક ચર્ચા કરી, કવિતા વિશે સૂઝ ફેલાવવાના આશયથી થયેલું આ સંકલન સારું એવું લોકપ્રિય થયું હતું. \t\t   \t\t‘શાકુન્તલ’ના અનુવાદ ‘અભિજ્ઞાન શકુન્તલા નાટક’ (૧૯૦૬)માં અને ‘માલવિકાગ્નિમિત્ર’ (૧૯૩૩)માં મૂળ કૃતિ પ્રત્યેની ભારોભાર વફાદારી છતાં ઠાકોરીય લાક્ષણિકતાઓએ મૂળનાં પ્રસાદ અને રુચિરતાને અહીં અનુવાદમાં હાનિ પહોંચાડી છે.  \t\t‘વિક્રમોર્વશી’ (૧૯૫૮)માં ગદ્યોક્તિઓને પાત્રોચિત ભાષાવાળી, ભાવોચિત છટાઓવાળી તથા બોલચાલના લહેકાવાળી બનાવવા પ્રયત્ન કર્યો છે. એમણે ‘ભગવદ્ ગીતા’ અને ‘મેઘદૂત’ના અનુવાદો આરંભેલા, પણ તે પૂર્ણ થઈ શકેલા નહીં.  \t\tએમણે શંકરનના ‘સંસ્કૃત લિટરરી ક્રિટિસિઝમનો પૂરો અને ‘એબરક્રોમ્બીના પ્રિન્સિપલ્સ ઑવ લિટરરી ક્રિટિસિઝમ’ નો અધૂરો ‘સારગ્રાહી વિવરણાત્મક’ અનુવાદ કર્યો છે. અનુવાદ નહિ પણ અનુસર્જન કરવાનું એમનું વલણ મુક્ત પૃથ્વીમાં  \t\tલખાયેલ ‘ગોપીહૃદય’ (૧૯૪૩)માં દ્રષ્ટિગોચર થાય છે. એમણે રશિયન નાટકકાર વેલેટાઈન કેટેયેવના રશિયા, યુરોપ અને અમેરિકાની રંગભૂમિ પર સફળ નીવડેલા પ્રહસન ‘સ્ક્વેરિંગ ધ સર્કલ’ નો અનુવાદ ‘સોવિયેટ નવજુવાની’ (૧૯૩૫)  \t\tનામે કરેલો છે. પર્લબકની એક નાટ્યકૃતિનો અનુવાદ ‘દેશભક્તિનો વ્યોમ કળશ’ નામે તથા રુમાનિયન લેખક મોંસિયે સેણ્ડોર માર્ટિનેસ્કુની એક નાટ્યતત્વસમૃદ્ધ નાટ્યકૃતિનો ‘રાહેલનો ગૃહત્યાગ’ નામે અનુવાદ પણ એમણે કર્યો છે. હરિલાલ  \t\tમાધવજી ભટ્ટ સાથે તેમણે ‘પ્લૂટાર્કનાં જીવનચરિત્રો’ (૧૯૦૬)નો અનુવાદ પણ કર્યો છે. \t\t   \t\tગુજરાતી સાહિત્યના અગ્રણ્ય ગદ્યકારોમાં આ લેખકનું સ્થાન છે. કાવ્યની જેમ ગદ્યમાં પણ એમણે અર્થાનુસારિતા કે વિચારાનુરૂપતાને પ્રાધાન્ય આપ્યું છે. એમના લખાણમાં વાક્યો એક પછી એક ખડકાયેલાં હોય છે. ગહન વિષયને સાંગોપાંગ  \t\tસળંગ અર્થઘન મહાવાક્યમાં ગોઠવતી એમની ગદ્યશૈલી કવિચિત્ કલેશકર, કિલષ્ટ અને દીર્ઘસૂત્રી બની રહે છે. એમણે ગુજરાતીના પોતને અનુકૂળ ફારસી-અરબી, સંસ્કૃત-પ્રાકૃત, શિષ્ટ બોલચાલિયા શબ્દો, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી  \t\tપોતાના ઈષ્ટઅર્થને ચોકસાઈપૂર્વક અશેષ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.  \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ     \t\tભણકાર (૧૯૧૮, બી.આ. ૧૯૪૨, ત્રી.આ. ૧૯૫૧) : બળવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. એમણે ૧૯૪૧ સુધીની કવિતા ૧૯૪૨ ની આવૃત્તિમાં તથા ૧૯૫૦ સુધીની લઘુ અને મધ્યમ કદની કૃતિઓ ૧૯૫૧ ની આવૃત્તિમાં સમાવી લીધી છે. આ  \t\tત્રીજી આવૃત્તિ ‘કવિ અને કવિતા’, ‘વતન’, ‘અંગત’, ‘પ્રેમનો દિવસ’, ‘ખંડકાવ્યો’, ‘બાલોદ્યાન’, ‘બોધક’ અને ‘વધારો’ એમ નવેસરથી સાત ગુચ્છમાં ગુંફિત છે. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન કાવ્યક્ષેત્રે ઐતિહાસિક બનાવ છે. પંડિતયુગ અને  \t\tગાંધીયુગની કડીરૂપ આ સંગ્રહમાં નરી ઊર્મિલતા, પોચટતા અને ભાવનાપ્રધાન અપદ્યાગદ્યની સામે અર્થપ્રધાન પરલક્ષી કવિતાની ‘દ્વિજોત્તમ જાતિ’ નાં તેમ જ પ્રવાહી પદ્યનાં કલામય બુદ્ધિધન કાવ્ય-સર્જનો છે. એમાં બંધોનું નાવીન્ય છે,  \t\tપ્રયોગશીલ માનસ છે, શ્વલોકભંગ-શ્રુતિભંગ-યતિભંગ સાથેના વિલક્ષણ પદ્યપ્રયોગો છે, ગુલબંકી-પરંપરિત-ત્રોટક-ઝૂલણાનું નવી રીતે પંકિત-સમાયોજન છે. ‘પૃથ્વીતિલક’ જેવો પૃથ્વીનો નવતર પ્રયોગ છે, શબ્દસૌંદર્યને ગૌણ કરી  \t\tઅર્થાનુસારી લયના પ્રાસહીન શુદ્ધ અગેય પદ્યનો આદર્શ છે. કવિને હાથે પ્રસિદ્ધ થયેલાં ને સૌથી વધુ સફળ નીવડેલાં પ્રણય, મૈત્રી, શ્રદ્ધા, સુખદુઃખ પરનાં સૉનેટો અત્યંત સમૃદ્ધ છે. ‘પ્રેમનો દિવસ’નાં સૉનેટોમાં કલ્પિત નાયક-નાયિકાના  \t\tજીવનનું, અન્યોન્ય પ્રેમની સમુત્ક્રાંતિ દર્શાવતા પ્રસંગો દ્વારા, નિરૂપણ થયું છે. ‘જૂનું પિયર ઘર’ અને ‘વધામણી’ એમાં સૌથી જાણીતાં છે. વૃદ્ધાવસ્થાને લગતી સૉનેટ-કૃતિઓ વિષયનાવીન્યની રીતે ધ્યાન ખેંચે તેવી છે. ‘આરોહણ’  \t\tપ્રતિખંડકાવ્ય છે. આ સર્વમાં કવિનો વૈજ્ઞાનિક, બુદ્ધિવાદી, અજ્ઞેયવાદી અને વાસ્તવવાદી અભિગમ ખુદવફાઈ સાથે અને શૈલીની ઓજસ્વિતા સાથે વ્યક્ત થયો છે. ‘ભણકાર’ માં સાચી અને ઊંચી કવિતાને પામવાનો કાવ્યપુરુષાર્થ છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tમ્હારાં સૉનેટ (૧૯૫૩) : બ. ક. ઠાકોરે ૧૯૩૫માં ‘મ્હારાં સૉનેટ’ નામે એક ચોપડી બહાર પાડેલી તેમાં તે તારીખ લગી સર્જાયેલાં સૉનેટ સમાવેલાં, પરંતુ છ-એક વર્ષમાં એ ખપી જતાં ઘણા વધારા સાથે નવી આવૃત્તિ અંગે કવિએ આયોજન  \t\tકરેલું; એ સામગ્રી અને બીજી વધુ સામગ્રીનો ઉપયોગી કરી કુલ ૧૬૪ સૉનેટનો આ સંપૂર્ણ સંગ્રહ ઉમાશંકર જોશીએ સંપાદિત કર્યો છે. ‘મ્હારાં સૉનેટ’ સંગ્રહ છ વિભાગમાં વહેંચાયેલો જોઈ શકાય છે : કવિતા; પ્રેમ; મિત્રતા, બુર્ઝગી, મૃત્યુ,  \t\tશ્રદ્ધા; ઇતિહાસદ્રષ્ટિ; સમાજદર્શન; સંસારની સુખદુઃખ;મયતા. વિષયો જોતાં લાગે છે કે આ કવિએ પોચટ અને ભાવુક બનેલી અંગતતાની સામે બિનઅંગત વિચારપ્રધાન કવિતા ધરી છે; અને સૉનેટ જેવા કાવ્યપ્રકારને વિવિધ રીતે ખેડીને  \t\tએને કલાત્મક રીતે ફલિત કર્યો છે. સૂક્ષ્મ આકારસૂઝ અને ભાષાકસબની સભાનતાથી કવિએ લાક્ષણિક રીતે કવિધર્મ બજાવ્યો છે. કવિતાવિષયક સૉનેટોમાં રસકોટિએ પહોંચતી અંગત વિભાવના; પ્રેમવિષયક સૉનેટોમાં કલ્પિત પાત્રો દ્વારા  \t\tવિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ અને એથી પ્રગટ થતા ચિત્રાત્મક તેમ જ નાટ્યાત્મક કાવ્યોન્મેષો; મૃત્યુ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની સંવેદનાઓને ઉપસાવતાં સૉનેટોના અપૂર્વ ભાષાવિષ્કારો ઉલ્લેખપાત્ર  છે. સમાજ અને સંસારનું નિરૂપણ  \t\tકરતાં સૉનેટોમાં ઇતિહાસવિદ કવિનું વ્યવહારવાદી, બુનિયાદી, બુદ્ધિવાદી, યથાર્થવાદી ને વિશિષ્ટ રીતે અજ્ઞેયવાદી વલણ અછતું નથી રહેતું. પ્રત્યેક ભાષાપ્રયોગની સાભિપ્રાયતા અંગેની સજગતા આ કવિની શક્તિ અને મર્યાદા છે. ‘જૂનું  \t\tપિયરઘર’, ‘વધામણી’, ‘પ્રેમની ઉષા’, ‘યમને નિમંત્રણ’ વગેરે સૉનેટો ગુજરાતી સાહિત્યની માર્મિક અને સીમાચિહ્નરૂપ કૃતિઓ છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tકવિતાશિક્ષણ (૧૯૨૪) : વિવેચનાના વ્યવહારુ શિક્ષણ માટે સભાનતાથી કેડી પાડતું બ. ક. ઠાકોરનું પુસ્તક. કાવ્યનું કાવ્યત્વ કારીગરીથી પર રહી જતાં પાંચ-પંદર વસામાં બિરાજે છે અને એમાં પંચાશી- નેવુ-પંચાણું ટકા  \t\tકૌશલ-કારીગરીનો આવિષ્કાર હોય છે. લેખકનો મત છે કે કારીગરી શીખી-શીખાડી શકાય છે. જન્મજાત અસાધારણ શક્તિવાળા કવિઓની સાથે સાથે આપશિક્ષણે પણ કવિ-કલાસર્જક બની શકાય છે; ઉપરાંત ભાવકની ઉપભોગાસ્વાદનની શક્તિયે જન્મસિદ્ધ નથી  \t\tહોતી, એને પણ કેળવવી પડતી હોય છે. આમ, સર્જક અને ભાવક બંનેના શિક્ષણને તાકતું આ લખાણ ઊછરતા કવિઓને સલાહ આપતાં આપતાં કવિતાત્વનું વિશ્લેષણ કરે છે અને અનુવાદ તેમ જ અનુકૃતિઓનાં મૂલ્યને પણ તપાસે છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tલિરિક (૧૯૨૮) : મૂળે, ‘કૌમુદી’ ત્રિમાસિક, વર્ષ-૧ અને વર્ષ-૨માં છપાયેલા, બળવંતરાય ક. ઠાકોરના નિબંધનું નજીવા ફેરફારવાળું પુસ્તકરૂપ, સ્વિન્બર્ન પછીની અંગ્રેજી કવિતામાંથી ઉદાહરણો લઈ ઊર્મિકવિતાની પાશ્ચાત્ય વિભાવનાને  \t\tસ્પષ્ટ કરવાનો અને ઊર્મિ કવિતાની પેટાજાતિઓ અનેક છે એમાંથી મુખ્યને દર્શાવવાનો એમાં પ્રયત્ન કર્યો છે. વિરહ-શોક, ખટક અને શાંતિ, આનંદ અને પ્રેમ, ઉત્સાહ-ભક્તિ-પ્રજ્ઞા-અગમનિગમ-એમ ચાર વિભાગમાં ઊર્મિકાવિતાનું દિગ્દર્શન કર્યું છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tનવીન કવિતા વિશે વ્યાખ્યાનો (૧૯૪૩) : સર્જાતા અર્વાચીન કાવ્યસાહિત્ય પરનાં વ્યાખ્યાનોને સમાવતો બ. ક. ઠાકોરનો વિવેચનગ્રંથ. નવીન કવિતા પરના પ્રેમથી, દ્રષ્ટાંતો સહિત, અહીં કાવ્ય- પ્રકારોની વીગતે ચર્ચા કરવામાં આવી  \t\tછે. કુલ ચાર ‘દર્શન’ માં વહેંચાયેલા આ ગ્રંથના ‘દર્શન ૧’ માં કાવ્યભાવના અને વિષયદર્શન અંગે, ‘દર્શન ૨’માં નવીન કવિતામાં લિરિક અંગે, ‘દર્શન ૩’ માં વિરહકાવ્યો/વિષાદકાવ્યો અંગે અને ‘દર્શન ૪’ માં મહાકાવ્ય, આખ્યાનકાવ્ય,  \t\tવર્ણનકાવ્ય, ખંડકાવ્ય અને કવિતાને લગતા કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા છે. વેરણછેરણ પડેલા પોતાના સિદ્ધાંતો, અભિપ્રાયો આદિનું સમગ્ર ભાવનાદર્શને એકીકરણ થાય અને કાવ્ય વિશેના પોતાના ધ્યર્થોને વાચકો પાયાથી શિખર લગી એક  \t\tદ્રષ્ટિપાતે જોઈ શકે એવો અહીં લેખકનો આશય છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tવિવિધ વ્યાખ્યાનો-ગુચ્છ ૧,૨,૩ (૧૯૪૫, ૧૯૪૮, ૧૯૫૬) : બળવંતરાય ક. ઠાકોરનાં વ્યાખ્યાનોને સમાવતા ગ્રંથો. પહેલા ગુચ્છમાં ગોવર્ધનરામનું પ્રબોધમૂર્તિ તરીકે મૂલ્યાંકન ઉપરાંત સરસ્વતીચંદ્રનાં વિષયવસ્તુ અને સ્ત્રીપાત્રોનું  \t\tપરીક્ષણ થયું છે. ‘લીલાવતી જીવનકલા’ ની તપાસ પણ એમાં છે. બીજા ગુચ્છમાં પ્રેમાનંદ, નર્મદ, નવલરામ પંડ્યા, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, મણિશંકર અને ન્હાનાલાલ-એમ સાત સાહિત્યકારોનો સમાવેશ છે. ત્રીજા  \t\tગુચ્છમાં કેળવણી, સાહિત્ય અને ઇતિહાસના વિવિધ વિષયો પર વિચારણા છે. સિદ્ધાંતોના વ્યાપક ફલક પર મુકાયેલો લેખકનો સાહિત્ય અને ઇતિહાસ-કેળવણી વિષયક દ્રષ્ટિસંપન્ન અભિગમ, વિલક્ષણ ગદ્યની છટાઓ સાથે આ વ્યાખ્યાનોમાં મોજદ છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "balavantaraya-ka-thakora",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/balavantaraya-ka-thakora",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:45.730152",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        }
    ],
    "description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
    "image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}